SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૦૯ એ આપ સમજે છે છતાં વિશેષ સાવધાની રાખી આ વખતની વેદની વેદી લેવાય તે જીવને સમાધિમરણનું કારણ બને તેમ છે. સદ્ગુરુનું શરણું, તેની આજ્ઞાની ઉપાસના, સ્મરણ કરતા રહેવાની ટેવ, સદ્દગુરુના બોધને ઊંડા ઊતરીને શાંતિથી કરેલ નિર્ણય, ભક્તિ આદિ અપૂર્વ સામગ્રીની જોગવાઈ પુણ્યગે આ ભવમાં સમીપ સમજી, વૃત્તિ એવી ઉત્તમ બાબતમાં રાખશે, તથા મરણને ડર ન રાખતાં તેની તૈયારી જરૂર કાળજીપૂર્વક શાંત ભાવે સદગુરુશરણે કરતા રહેવા ભલામણ છેજ. આ કાળમાં અચાનક આયુષ્ય તૂટી જતાં સાંભળીએ છીએ. આપણને આટલું જીવવાનું મળ્યું છે તે કોઈ પૂર્વનું પુણ્યને વેગ ગણવા ગ્ય છેજ. ભલે પથારીમાં પડી રહેવું પડતું હોય, વેદના ભોગવવી પડતી હોય, ચેન ન પડતું હોય, પણ એ એય મનુષ્યભવ છે ત્યાં સુધી સશુરુના અપાર જ્ઞાન, સુખ, વીર્ય અને નિરંતર આત્મઉપયોગ તરફ દષ્ટિ દઈ, તેને શરણે આ જીવનું જરૂર કલ્યાણ થશે, એવું આશ્વાસન એવા દુઃખના વખતમાં મેળવી શાંતિથી સર્વ દુઃખ ખમવાનું બળ મેળવી શકાય તેમ છે. આ જીવે આજ સુધી કરવા જેવું છે તે તે કંઈ કર્યું નથી, નહીં તે આવે વખતે બીજા જીવોને પણ પૂ. સોભાગ્યભાઈની પેઠે ઉપદેશરૂપ થઈ પડે; આવે વખતે ધીરજથી વેદની વેદાય તે પિતાનું પણ કલ્યાણ થાય અને બીજા જેને પણ “માર્ગ ઉત્તમ છે, આ ભાઈ આરાધે છે તે જ માર્ગ આરાધવા યોગ્ય છે,” એવી ભાવના થવાથી માર્ગ પામવાની જિજ્ઞાસા જાગે. ધીરજ ખોઈ બૂમો પાડવાથી કાંઈ કર્મને દયા આવવાની નથી. ઊલટી કંઈ રહી-સહી શક્તિ હોય તે ભક્તિમાં ગાળી શકાત તેને બદલે બરાડા પાડવામાં ને બીજાને ગભરાવવામાં ખલાસ થઈ જાય. માટે શાંતિથી, ધીરજથી, સમભાવથી સહનશીલતા લાવી ગમે તેવી વેદના હોય તે જવા માટે આવી છે, જોગવી લીધા પછી ફરી આવવાની નથી, દેવું પડે છે એમ જાણી હિંમત રાખી કઠણાઈ કેળવવા વિનંતી છેજ. દવા પીવાની હોય તે કડવી છે, નહીં પીઉં એમ કરીને પણ નાનાં છોકરાની પેઠે પરાણે આખરે પીવી પડે છે અને સમજુ હોય તે ન ગમે તે પણ આખો મીંચી કઠણ મન કરી પી જાય છે, તેમ આત્મામાં કલેશવૃત્તિ ન ઊપજે પણ શ્રી ગજસુકુમારની પેઠે, મોક્ષની પાઘડી માની વેદના સહન કરી તેમ, પ્રસન્ન ચિત્તે “સદગુરુએ જ આપણને ઊંચી દશામાં લાવવા આ કઠણાઈ મોકલી છે એમ માની સદ્ગુરુને શરણે દુઃખને સુખ ગણી આનંદમાં રહેતાં શીખવાની ભલામણ છેજ. નરકમાં કેવાં કેવાં આકરાં દુઃખ પરાધાનપણે ભેગવીને આ જીવ આવ્યો છે તેને વિચાર આવે તે અહીંનાં દુઃખની તે કંઈ ગણતરી ન રહે. ઊલટું, મનુષ્યભવથી મોક્ષ સુધી માર્ગ ખુલ્લે છે એમ સમજી પૂ. ભાગ્યભાઈની પેઠે એકાગ્ર ભાવ જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં રાખવો ઘટે છેજી. પૂ. પ્રભુશ્રીજીની ભલામણ થોડી જણાવી પત્ર પૂરે કરું છું તે વારંવાર વાંચવાથી હિંમત રહેશે અને કલ્યાણનું કારણ બનશે એમ વિચારી લક્ષમાં લેશેજ: “અમને જે પરમકૃપાળુ દેવે આજ્ઞા કરી છે.....આ કઈ પુરાણપુરુષની અત્યંત કૃપા છે.” (જુએ ઉપદેશામૃત : પૃષ્ઠ ૪૮૯-૯૦) શ્રી સદ્દગુરુ-પ્રસાદમાંથી પૂ.....ને રોજ દર્શન કરાવશે તથા આ પત્ર સંભળાવશેજી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy