________________
૨૯૨
બધામૃત
૨૮૧
અગાસ, તા. ૧-૬-૪૧ તત્ સત
જેઠ સુદ ૬, રવિ, ૧૯૯૭ “જે ઈરછે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ આત્માર્થ. રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”–શ્રી આત્મસિદ્ધિજી આપની આત્મનિરીક્ષક સ્વદોષદર્શક દષ્ટિ જાણી સંતેષ થયે છે. કેઈક વખતે તે દષ્ટિ સ્વવર્તન પર દેવા કરતાં જેમ જેમ વારંવાર દેવાશે, તેમ તેમ થતી ભૂલે ઝટ પકડાશે અને તેને ઉપાય શોધી જવાથી દોષ દૂર થવાને પ્રસંગ આવશે.
“આજે કઈ કૃત્યને આરંભ કરવા ધારતે હો તે વિવેકથી સમય, શક્તિ અને પરિ મને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨–૩૪) આ પુષ્પમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વિશેષ વિચારવા યોગ્ય છે. સમય, શક્તિ અને પરિણામ વિષે વિચાર કરી પછી જે કામ કરવા નિશ્ચય થાય તેની આજ્ઞા લઈ પ્રવર્તવાથી તમને જે મૂંઝવણ આવે છે તે આવવાનો સંભવ એ છે છે. એક કામમાં આપણું ચિત્ત વિશેષ વખત સુધી ન રહેતું હોય તે પાંચ, દશ કે પંદર મિનિટ સુધી આ કામ કરવું છે એવી ચક્કસ વખત સુધીની આજ્ઞા લઈ તે પ્રમાણે વિશેષ કાળજી રાખી વર્તવું. વખત ટૂંકો રાખવાથી ચિત્ત થોડા વખત સુધી તે લીધેલા કામમાં જોડાય. એટલે વખત પૂરો થવા આવ્યું તે જ કામ માટે તેટલે કે તેથી એ છે વધતે વખત નક્કી કરી આજ્ઞા લેવી. આમ પિતાની શક્તિ તપાસી સમયનું માપ રાખી વર્તવું અને વારંવાર આજ્ઞા લઈને વારંવાર તૂટે તે પછી આજ્ઞાને કંઈ અર્થ નથી. માટે મનની શિથિલતા પિષવારૂપ પરિણામ ન આવે તે લક્ષમાં રાખી, થોડે થોડે પણ મનની કુટે તજાવવી છે અને નિયમમાં તેને લાવવું છે એ વારંવાર સ્મૃતિમાં લાવી નિશ્ચય કર્યા પ્રમાણે તે જરૂર વર્તવું જ, એવી દઢતા રાખવી. વખતે ભૂલ થાય તે શું કરવું, તે પણ પહેલેથી વિચારી લેવું. પ્રમાદ, નિદ્રા વિજ્ઞ કરે તે તેને ઉપાય પણ શોધો – જેમ કે ઊભા થઈ જવું, ફરતાં ફરતાં વાંચવું, વિચારવું; આંખે પાણી છાંટવું કે સુસ્તી વિશેષ જણાય તે ચિત્રપટ આગળ થેડા નમસ્કાર પાંચ-પચીસ કરવા. સાંજે વિશેષ ઊંઘ નડતી હોય તે રાત્રિ ભોજન તજવું, કે દૂધ વગેરે ઓછાં કરવાં. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી હોય તે એલાર્મ (ઘંટડીવાળું ઘડિયાળ) કે કઈ મિત્ર જગાડનાર મળે તેવી કેઈ યુક્તિ કરવી. જૂનો રિવાજ પંડિતેના વખતને એ હતું કે ખીલા વગેરે સાથે ચેટલી બાંધી વાંચતા એટલે ઊંઘ આવે કે ડોલું આવે તે એટલી ખેંચાય કે જાગી જાય. આ બધા બાહ્ય ઉપાય છે. પણ ખરો ઉપાય તે ખરેખરી ગરજ અંતરમાં સમજાઈ હોય તે વિશેષ જાગૃતિ રહે છે. જેમ પરીક્ષા વખતે વગર કો વહેલું ઉઠાય અને ઊંઘ પણ બહુ ઓછી આવે, તેમ આ મનુષ્યભવમાં ધર્મકાર્ય કરી લેવાને ઉત્તમ અવસર આવ્યો છે, તેને વારંવાર ખ્યાલ રહે અને જે પ્રમાદ ને આળસમાં