SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ બેધામૃત કુંવરે તેની સ્ત્રીને સમજાવી તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરી શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બધાં સત્સાધન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભેગવવાના પ્રસંગો આવે તેમાં ઉદાસીન રહેતાં, તેનું માહાભ્ય કેઈને લાગતું નહીં. દેવલેકમાં ઈન્દ્ર એક વખત આ રાજાના આખા કુટુંબનાં વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઈન્દ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષ તે કંઈ સમજે પણ બૈરાંમાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય! તે તે મેહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. ઘેડી વારમાં રાજકુમાર વનકીડા કરવા એક ટુકડી લશ્કરની લઈ જગલમાં જતા હતા, તે જોઈ દેવે બાવા-ગીનું રૂપ ધારણ કર્યું ને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તે દેખાવ કરી તેણે કહ્યું: હે રાજાજી! મેટી ઉમ્મરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઈ તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે તે મારી ઝૂંપડી પાસે વાઘે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખમાં આંસુ સુકાતાં નથી. રાજ્યનું હવે શું થશે? રાજાએ મેગીને આસન પર બેસાડી પૂછયું : યોગીરાજ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવે છે? યેગી બોલ્યા, પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો? તે કહે, ઈશ્વરભજન. રાજાએ કહ્યું : બાવાજી! આપ આટલે ક્લેશ કરો છો તે તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. નહીં તે પિતાને દીકરો મરી જાય તે પણ કલેશ કરે નકામે સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તે વૈરાગ્ય વિન ઈશ્વરભજન કેવું કરતા હશે? માટે હવે સદ્ગુરુ શોધી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણુ પાસે તે ગયે. ઐરાં આગળ વળી વધારે ફેલ દેવમાયાથી તે કરવા લાગ્યું. હાંફતે હાંફતે છાતી ફૂટતો. તે કહેવા લાગ્યેઃ રાણીજી સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતે તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેમને બેસાડી પાણી પાયું. મેં માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠે, પાણી પીધું. રાણીજીએ કહ્યું: બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તે ગરી જાય છે. કોઈ વધે તે બીજા તેડી લે છે. તેમ મને ઘણું સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામે ત્યાં વળી કાળે તેને પ્રભાવ જણાવ્યું. બનનાર છે તે ફરનાર નથી. અમને સદ્દગુરુને ભેગા થયે છે તેથી અમને ભક્તિ એ જ આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાંસુધી ભક્તિ કરી આ આત્માનું હિત કરીશું. પણ આપને આટલે કલેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊડી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયે. ત્યાં જઈ વાળ તેડવા લાગે, છાતી ફૂટવા લાગે. તે જોઈ પટરાણીએ પૂછ્યું : બાવાજી! આમ કેમ કરે છે ? તેણે કહ્યું : તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાઘે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલીઃ બાવાજી! આવ્યા તે સારું કર્યું. પણ મારી વાત સાંભળઃ કયાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી, પણ મોટો લાભ તે અમને સદ્ગુરુને ભેગા થયા અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy