SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ બેધામૃત હિંસાથી બચવું હોય તે ગૃહસ્થ પાણી ગાળીને વાપરે છે, બે ઘડીથી વધારે વાર ગાળેલું પાણી પડી રહ્યું હોય તે ફરી ગાળીને પીએ છે. જળાશયમાં નાહવા જનાર પણ વિચારવાન તે વાસણમાં ગાળીને કાંઠે બેસી નહાય પણ અંદર નદી વગેરેમાં પડે નહીં. (૨) ભાજીના મૂળમાં જીવ હોય છે, પાંદડાંમાં પણ દરેક પાંદડે જીવ હોય છે, બીજમાં પણ જુદા જુદા જીવ હોય છે. બટાટા, મૂળા, સૂરણ વગેરે જે જમીનમાં કંદરૂપ થાય છે તેમાં અનંત જીવો હોય છે. પાંદડાને આશરે કેટલીક જીવાત રહે છે. છેવાથી પણ દૂર થવી મુશ્કેલ એવી કેટલીક ભાજીમાં જીવાત હોય છે. સીંગ વગેરે ફેલીને શાક કરે તે એમ ને એમ બાફયા કરતાં શુદ્ધ ગણાય. ફૂલમાં પણ જુદા જીવ હોય છે. ફૂલના રસમાં મધના જે દોષ ગણાય. કાકડી અને રીંગણું ઘણું દેષનાં કારણ છે. આમ તમે જણાવેલી ચીજે દેલવાળી છે. માત્ર તાજી છાશ કે દહીં તેવાં નથી. એટલે એમાં જીવહિંસા નથી પણ ઊંઘ, પ્રમાદ વધારનાર મનાય છે - વિશેષ પ્રમાણમાં હોય છે. આ વાત જાણે પિતાની અનુકૂળતા શક્તિ વિચારી દેથી બને તેટલું દૂર રહેવું અને ન બને તે પ્રત્યે આસક્તિ નહીં રાખતાં તેવી શક્તિ પ્રાપ્ત થયે તે દેથી દૂર થવું છે એવી ભાવના કર્તવ્ય છે. સત્સંગની તમને ઘણી જરૂર છે પણ તે તે હિંદમાં આવવાનું બન્યું અને તેમ છે. હાલ તો મંત્રસ્મરણ વાચન વિચાર યથાશક્તિ સદ્વર્તન કરતા રહેશો. બીજા પત્રમાં તમે એક કલાક વખત મળે છે તેનો ક્રમ પુછાવ્યો છે તે નીચે પ્રમાણે જાણશોનિત્યનિયમના ત્રણ પાઠ (જિનેશવરની વાણી' સાથે) બોલવા, પછી મંત્રની પાંચ માળા બને તો સાથે જ ફેરવી લેવી. પછી છ પદનો પત્ર, કોઈ વખત તેને બદલે આત્મસિદ્ધિ શાસ્ત્રકોઈ વખત મુખપાઠ કરેલાં પદો પણ બોલવા. બીજા પુસ્તકો જે જે મંગાવ્યાં તે તે રજાના દિવસોમાં વાંચતા રહેશો તો ઉત્સાહ ટકી રહેશે. સપુરુષાર્થથી સર્વ બને છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૪-૭-૪ “હે જીવ! કયા ઈચ્છત હવે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” (હા. નં. ૧-૧૨) એ દેહામાં અનાદિ ભૂલ સંબંધી “શું અને શાથી મટે ?” તે પૂછ્યું તેના ઉત્તરમાં નીચે લખું છું - જીવનું પરિભ્રમણ તૃષ્ણા, લેભ કષાયને લઈને છે. જેને તૃષ્ણા વધારે તેના ભાવ વધારે એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. ઈચ્છા એ લેભનો પર્યાય છે. લેભથી સર્વ ગુણને નાશ થાય છે. લોભ પાપને બાપ કહેવાય છે. ધર્મ પામવામાં પણ દાનાદિથી જેને લેભ મંદ પડ્યો હોય તે ગણાય છે. જીવની સમજણ વિપરીત થવામાં લેભ કષાય મુખ્ય કારણ છે. અગિયારમે ગુણસ્થાને મહામુનિને પાડનાર મહ લેભનું રૂપ લે છે. જીવ શાતાને ભિખારી છે. આત્માના સસુખનું ભાન નથી થતું અને દેહાધ્યાસ ટકી રહે છે. તેમાં પણ મુખ્ય કારણ પૌદ્ગલિક સુખને લેભ છે. બાહ્ય સુખોની ઈચ્છાઓ જાય, આ લેકની અલ્પ પણ ઈરછા ન રહે તે તીવ્રમુમુક્ષુતા સદ્દગુગે પ્રગટે અને મેક્ષ થાય. જીવની મોટામાં મોટી ભૂલ કે મોટામાં મોટો દેષ તીવ્રમુમુક્ષતા કે મુમુક્ષતા નથી તે છે, અને તેને મોટો આધાર ગ્રહણ કરવાની ઇચ્છા એ છે. તે વિપરીત બુદ્ધિ કે વિપર્યાસ પણ કહેવાય છે. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy