SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા તેના પરીક્ષક પણ કળી કે કાછિયા જેમ ઠેર ઠેર હોય છે તેમ નથી હોતા. કેઈક મોટા શહેરમાં જ સાચા હીરાના પારેખ તે હોય છે, તેમ સાચે ધર્મ પામેલા પણ વિરલા જ જડી આવે છે અને તેની પરીક્ષા થવી, ઓળખાણ થવી એ તે પૂર્વના સંસ્કારથી, સત્સંગના જેગથી, વૈરાગ્યવાળી આપણે સ્વાભાવિક વૃત્તિથી કે સંસારથી કંટાળેલા, થાકેલા દુ:ખી જીવથી કઈક ધન્ય પળે જ બની શકે તેમ છે. મોક્ષમાર્ગ કે ધર્મ આ દુર્લભ અને કીમતી છે અને તે જેના હાથમાં આવે, જેને તે સમજાય છે તેને આ સંસારમાં ગમે તેટલી ભારે અને મોંઘી ગણાતી ચીજ પણ લલચાવી શકતી નથી. જેમ નાનું છોકરું ચોમાસામાં રેતીમાં બેસીને દેરાં કે ક્યારા પાળીઓની રમત કરે, ઘર કરે પણ મોટા માણસને તે બધી છોકરાંની રમત માટે ખોટી થવું ગમતું નથી. કાલે સવારે છોકરાંએ કરેલા બધા આકાર રસ્તામાં જતાંઆવતાં ઢેરથી વટાઈ જવાના છે તે મેટા માણસ જાણે છે, પણ છોકરાને મન તે તે જ ત્યાં મોટા માણસના ઘરની પેઠે રહેશે એમ લાગે છે અને વખતે સાંજ પડે તે બધું ઢાંકીને ઊઠે અને કાલે સવારે આવીને રમીશું એમ પણ ધારે. જે કોઈ બીજો છોકરે તેનું બનાવેલું દેરું. ભાંગી નાખે તે તે બનાવનારને મત જેટલું ખોટું લાગે અને રેવા બેસે, પણ તેવા રેવાથી માબાપના મનને ખોટું નથી લાગતું. ઊલટું તે તે કહે કે એમાં શું રડે છે? એ તે સવાર સુધી રહેવાનું નથી, કાલ થતાં પહેલાં એ તે વટાઈને ક્યાંય ભાંગી જશે. પણ બાળક નાનું હોય તે તેની સમજમાં તે નથી આવતું અને સમજણું હોય તે વહેલું સમજીને રડતું બંધ થાય છે. જેને ખરે ધર્મ સમજાય છે તેને આમ સંસાર અસાર-ખોટો લાગે છે અને તેનામાં ખરે વિરાગ્ય-ઉદાસીનતા-સમતા દેખાય છે. તેની આંખ, વચન અને ચેષ્ટા ઉપરથી પણ મુમુક્ષુને માલૂમ પડે કે આ પુરુષ ધર્માત્મા છે. એવા પુરુષને એક ઘડી પણ બીજાં કામ માટે ખોટી થવું તે માથું વાઢી નાખ્યા જેવું લાગે છે. નાગરની ન્યાતમાં હરવાફરવાનું ને જાન-જમણવાર તજીને નરસિંહ મહેતા સાધુની સંગતમાં ને ભજનમાં જ વખત ગાળતા, તેવી જ રીતે મીરાંબાઈ રાજમહેલનાં સુખ છેડી ભિખારીની પેઠે ભટકીને દહાડા કાઢતાં, પણ કઈ દિવસ ભગવાનનું ભજન અને સાધુની સંગત છોડવાનું તેમને સ્વને પણ મન થયું નથી. ઊલટું તે સુખ રાજના સુખ કરતાં ઉત્તમ છે એવું અનુભવીને, લોકેને ભગવાન ઉપર પ્રેમ થાય અને સંસાર ઉપરથી ભાવ ઊઠી જાય તેવાં ભજન બનાવી ભક્તિને માર્ગ બતાવતાં ગયાં છે. આ કાંઈ તેમણે વગર સમયે કર્યું નથી, છેડા દહાડા માટે કર્યું નથી, પણ સાચી સમજણ આવ્યા પછી આ જન્મારે તેમાં જ ગાળે છે. પણ ખાખરની ખિસકોલીને સાકરને સ્વાદ ન સમજાય તેમ સંસારી માણસેને તે તે વખતે મીરાં અને નરસિંહ મહેતાની નિંદા અને ટીખળી કરવાનું જ સૂઝતું. મીરાને તે ઝેર આપીને મારી નાખવા કુંભારાણાએ ઉપાય લીધેલા તે આપણે સાંભળ્યું છે, પણ ધન્ય છે તેમને કે કઈ દિવસ મારનારનું પણ તેમણે ભૂંડું ઈળ્યું નથી, તે કેઈને ખોટે માર્ગ બતાવવા તેમની ઈચ્છા તે થાય જ કેમ? આપણને એમ થાય કે એવાં ભગતડાં થઈ જવામાં શે માલ છે? પણ જે જરા વિચાર કરીએ તે સમજાય કે જેને મક્ષ જોઈએ છે તેને ખાઈપીને લહેર કર્યો મોક્ષ મળે નહીં. કેદરા ખરીદીએ તે કેદરાની કિંમત આપવી પડે અને કદની ડાંગર ખરીદીએ તે તેના પ્રમાણમાં વિશેષ કિમત આપવી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy