________________
બધામૃત પણ બળી મરાશે એ ભય લાગ્યું નથી તેથી નિરાંતે ઊંઘે છે. સમજાય તે જીવને મોહ દુઃખકર લાગે. પરમકૃપાળુદેવ કહે છે કે “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ જગતની મેહિની સમ્મત થતી નથી.” (૮૫) જગતનાં સુખ ભેગવવામાં બેટી થવું તેને પાલવતું નથી, કારણ કે એક ભવે જેને મોક્ષે જવું હોય તેને બીજે મન રાખે કેમ પાલવે? મોટામાં મોટી ખામી જીવને મુમુક્ષુતા જાગી નથી તે છે, નહીં તે જીવ જ્ઞાનીની આજ્ઞા લઈ મંડે, ઘડીભર પણ નવરો ન રહે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.”
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૯-૯-૪૬ તત્ ૩ સત
ભાદરવા સુદ ૧૩, ૨૦૦૨ જેમ થાય તેમ જોયા કરવાનું છે. સત્સંગની ભાવનાનું વિસ્મરણ ન થાય અને પ. પૂ. પ્રભુશ્રીજીએ લક્ષ કરાવે છે તે જ જ્યાં હોઈએ ત્યાં કર્તવ્ય છેજી. કાળ પ્રત્યક્ષ કરાળ દેખાય છે, તે પુરુષાર્થ પણ વિકટ કરીએ તે ટકી શકાય, નહીં તે જગતપ્રવાહમાં તણાઈ જવાય તેવું છે. શહેરમાં વિશેષ સાચવવું ઘટે છે. પરમકૃપાળુદેવને તે મુંબઈ સ્મશાન જેવું વૈરાગ્યપ્રેરક દેખાતું. તેમને આશ્રયે આપણે પણ વૈરાગ્યની તિ જાગ્રત રાખીશું તે કામ થશે. “ઝબકે મોતી પરોવી લે, પાછળ ઘોર અંધાર” એમ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા, તે યાદ લાવી આ જીવનદી છે ત્યાં સુધી કલ્યાણ સાધી લેવું ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પૂને મટતું જતું હશે. સ્મરણની દવા લે.
અગાસ, તા. ૧૧-૯-૪ તતું છે સત્ર
ભાદરવા સુદ ૧૫, ૨૦૦૨ પરમકૃપાળુદેવનું ગબળ જયવંત વર્તે છે, પણ તે મુમુક્ષુ જીવો દ્વારા જ વર્તશે માટે જેટલી પવિત્રતા મુમુક્ષુ જેના આચરણમાં પ્રગટશે તેટલું તેનું ગબળ વિશેષ વર્ધમાન થતું જગતમાં જણાશે. તે માટે લેભની મંદતા કરી, સટ્ટાની બદીથી બચી, ભક્તિભાવમાં, પરસ્પર પ્રેમ, સહકાર, એકદિલીથી વર્તીશું, તે પ્રથમ તે આપણાં અંતઃકરણમાં જ તેને પ્રભાવ સ્પષ્ટ શાંતિરૂપે ઝળકશે અને જગતમાં તે ઢાંકયો નહીં રહે. કઈ હીરા ઉપર સૂર્યનું કિરણ પડે અને ઠીકરા ઉપર પડે, પણ હીરાના ચળકાટથી જે જુએ તેની આંખ આકર્ષાઈ દિલમાં પ્રસન્નતા પ્રગટાવે છે; પણ ઠીકરા ઉપર તેનું તે કિરણ પડતાં ઠીકરાની કાળાશ પ્રગટ કરી, ત્યાંથી દષ્ટિ ખેંચી લેવા પ્રેરે છે. આમ આપણું અંતઃકરણ સાચી શ્રદ્ધાવાળાં બનશે તે જરૂર સ્વપરની પ્રગતિનું કારણ બનશે; અને જે એકબીજાની ઈર્ષા, નિંદા અને લેભ, અતિસ્વાર્થલંપટતા અને સંસારવાસનાથી ગંધાતાં રાખીશું તે ત્યાં પુરુષનો બેધ પરિણામ પામવા દુર્લભ થઈ પડશે. બીજા આપણી, આપણુ ધર્મની નિંદા કરશે અને સ્વપરને અહિતનું કારણ આપણું વર્તન બનશે. માટે પ્રભાવના કરવી હોય તેણે પિતાના દે દેખી, પરમકૃપાળુદેવની સમક્ષ દેને નિંદી, હૃદયથી દૂર કરવા વારંવાર લક્ષ રાખવાની જરૂર છે. “આપ ભલા તે જગ ભલા” એવી કહેવત છે, તે પોતે ભલા થવા પ્રયત્ન આજથી આદર યેગ્ય છે. તેમાં