SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા “ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્માંની, નહિ શુભ દેશે સ્થાન. , અત્યારે તે આવી સ્થિતિ છે, તે પલટાવી ‘પ્રભુ પ્રભુ લય' લગાડવાની છેજી. પરાભક્તિ કે આત્મા પરમાત્માની એકતા જેવા ગહન વિષયેા તે ચેાગ્યતા આવ્યે તેમાં ચંચુપ્રવેશ થાય તેમ છે. શબ્દો તે માત્ર બુદ્ધિ સ'તેાષવા પૂરતા છે. કંઈક પ્રેમની જાગૃતિની જરૂર છે. પરાભક્તિના નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે કે પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે ?'’ આમ આપને પ્રશ્ન છે. તેનું સમાધાન આ પ્રમાણે વિચારશેાજી :— ‘પરાભક્તિ નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે,' એ એક અપેક્ષાએ યથાર્થ છે. ત્યાં પરાભક્તિ એટલે ‘સત્પુરુષની અભેદભાવે ભક્તિ’ ‘તેથી અહુ ભાવ ભુલાઈ જતાં સત્પુરુષના સ્વરૂપમાં તન્મયતા, એકાગ્રતા, કૃતકૃત્યતા અનુભવાતાં પોતાના પરમાત્મસ્વરૂપનું ભાન અનન્યપણે થાય છેજી. ક્ષમાપનાના પાઠમાં રાજ ખેાલીએ છીએ —જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રક્રાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલેાકયપ્રકાશક છે.” આ પ્રથમ વાકયમાં પરાભક્તિના સાધનથી અહંભાવ ટળતાં અંતરાત્મા બની જીવ પેાતાનું સ’પૂર્ણ સ્વરૂપ જે પરમાત્મપદ તે પ્રાપ્ત કરે છે એમ સમજવા ચેાગ્ય છે. ૨૬૭ હવે બીજું વાકય વિચારીએ : પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે તે પણ યથાર્થ છે. અહીં પરમાત્મા એટલે પોતાનું સપૂર્ણ સ્વરૂપ ઉપરના વાક્યમાં ફળરૂપે પ્રગટ થાય છે એમ કહ્યું હતું તેને બદલે જે સત્પુરુષે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે, કૃતકૃત્ય થયા છે તેવા દેહધારી પરમાત્માના ચેાગ પ્રાપ્ત થયે પરાભક્તિ ઊગે છે એમ સમજવું; એટલે અન્ને વાકયોમાં વિરોધ નહીં પણ એક જ ભાવ છે એમ સમજાશે, એટલે પ્રશ્ન કરવા જેવું જ નહીં રહે. બન્ને વાકચોના પરમાર્થ એ છે કે પ્રગટ પુરુષાત્તમ પરમાત્માની ભક્તિથી પેાતાના આત્માનું પોષણ થવારૂપ ભક્તિ પ્રગટ થઈ તે પરાભક્તિરૂપ પરમપદ પ્રગટાવી શકે છેજી. સ્વ. શ્રી રત્નરાજસ્વામીએ ‘દિલમાં કીજે દીવા' એ પદ્ય મંગળદીવારૂપે લખ્યું છે તે ચેવીશી કે આલેાચનામાંથી વાંચી તેમાં બતાવેલા ક્રમ વિચારવા ચેાગ્ય છેજી. કર્મ માહનીય ભેદ છે, દન ચારિત્ર નામ; હણે બાધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી આત્મસિદ્ધિજીની આ ગાથા પણ વિશેષ વિચારવા યેાગ્ય છેજી. તેમાં આખું મેહનીય કર્મ ક્ષય કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવાના અચૂક ઉપાય બતાવ્યા છે તેના વિચાર કરી વન કરવાનું કામ હવે આપણું છેજી. “કર વિચાર તે પામ” એમ પણ છેવટે કહી દીધું છે તે હવે કયારે તે વિચાર કરીશું? જેમ જેમ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થશે તેમ તેમ દૃષ્ટિષ દૂર થતાં જ્ઞાનીનાં અમૃતતુલ્ય વચને યથાર્થ અતર ખેાલી પેાતાના પરમાર્થ દર્શાવશેજી. “પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસે, સખ આગમ ભેદ સુઉર ખસે; વહુ કેવલકો ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ ખતલાય ક્રિયે.’’
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy