SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા ૩૨૧ તેના વિશ્વાસે, યથાશક્તિ (શક્તિ ગોપવ્યા વિના) તેની આજ્ઞા આરાધવાને પુરુષાર્થ કર્યા જવાને છે. ધીરજ રાખી જ્ઞાનીને માર્ગે ચાલવાથી વગર ઈરછ એક્ષપાટણ પ્રાપ્ત થાય તેમ છે.જી. બાળક ગર્ભ અવસ્થામાં શું કરે છે? તેને કંઈ ભાન છે? છતાં તેનું પિષણ આપોઆપ થયે જાય છે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે કલેશિત રહ્યા કરે તે પણ તેને જેટલી મુદત તે દશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે? જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીતે આગળ વધાય છે. જેમ જેમ છોડવા મોટા થાય છે, તેમ તેમ તેમને પવનના સપાટા વિશેષ સહન કરવા પડે છે. તે વિશેષ નમી પણ જાય છે, છતાં તેથી મૂળ મજબૂત થતાં જાય છે, વિશેષ પોષણ આપે તેવાં ઊંડે જનાર પણ બને છે, તેમ મુશ્કેલીઓમાં તે જે કરવું છે તેના ભાવ વર્ધમાન થાય છે, લાગ મળે તે વિશેષ ભાવપૂર્વક સાધન થાય છે, નહીં તે તીવ્રતા વધતી જાય છે, તે વિશેષ આગળ વધવામાં પ્રબળ કારણ બને છે. મૂંઝવણનું કઈ કારણ નથી. થાય એટલે પુરુષાર્થ કરતા રહેવું અને ભાવના વધારતા રહેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૩ અગાસ, તા. ૨૦-૯-૪૧ તત્ સત્ ભાદરવા વદ ૧૪, શનિ, ૧૯૯૭ લાગશે લાગશે લાગશે રે પરબ્રહ્મપદે લય લાગશે – ટેક બ્રહ્મનિષ્ઠ ગુરુ રાજ-પ્રતાપે અનાદિને ભ્રમ ભાગશે રે, પરબ્રહ્મ ગુરુરાજ પ્રતાપે લય લાગશે રે. આત્મજ્ઞાની લઘુરાજે જણાવ્યા રાજગુણે ઍવ જાગશે રે, પરબ્રહ્મ બ્રહ્મજ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્મચર્ય-રુચિ વધશે રે, ગુરુરાજ પ્રતાપે (પ્રજ્ઞાબેધ - ૫૦) આપને એક શંકા થઈ છે, રહે છે કે જડથી ચેતન ઊપજે નહીં છતાં શ્રી રામચંદ્રના ચરણકમળને સ્પર્શ થતાં શિલાની અહલ્યા કેમ થઈ? તે વિષે જણાવવાનું કે કેટલીક બાબતે કથાનુગની એટલે પુરાણની એવી હોય છે કે તેમાંથી માત્ર સાર ગ્રહણ કરવાનું હોય છે, અક્ષરેઅક્ષર બેસાડવા જઈએ તે ન બેસે. માત્ર પરમાર્થ ઉપર દષ્ટિ રાખી પુરાણે વાંચવા ગ્ય છે. શ્રી રામચંદ્રનું માહાસ્ય અને પતિતપાવન સ્વરૂપ જણાવવા મુખ્ય તે તે કથા છે. સિદ્ધાંતગ્રંથમાં બે ને બે ચાર થાય તેમ હિસાબ બેસી જાય તેવી વાત હોય છે; કદી તેમાં લખ્યું હોય તે ફેરફારવાળું ન હોય. આત્મસિદ્ધિશાસ્ત્રમાં સિદ્ધાંતની વાત છે અને રામાયણ એ પુરાણ ગ્રંથ છે. આટલું જણાવી તે દષ્ટાંત સૈદ્ધાંતિક રીતે પણ ઘટે તેમ છે. માત્ર વચ્ચે કાળ જે ગયે તેની ગણતરી કથામાં ટૂંકાવી દીધી છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી સત્સંગના માહાસ્યની એક પ્રચલિત કથા કહેતા તે ઉપરથી આ પ્રસંગ બરાબર સમજાઈ જશે, ગણું સંક્ષેપમાં તે કથા લખી છે. 21
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy