Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005141/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ SALAA તપાગચ્છાધિષ્ઠાયક મા શ્રી યક્ષરાજ 18823 ભદ્રદે પ્રેરક : પ. પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ. સા. સંપાદકઃ નંદલાલ બી. દેવલુક Jain Education Internations સૌજન્ય : શ્રી સર્વોદય પર્વાહ શૈલીનેબલ ટ્રસ્ટ, મુલુન્ડ (વે) મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ સાર દશીન વિશal) NITY'}}} || 4 કતરી , (ાર*૧૬ , હતું કે મને કેમ થપ્રેમ સર24 હજમ સુબોધ a&ય લાલ સરીશ્વરજી 5 શ્રી હિંગ છવિ ધર્મ, . શ્રી જિ. 3 = ૨ પ.પૂ.આ. શ્રી કે + E { જે, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ના પૂ. મુનિશ્રી શિલાન વિજયજી મ. સા. ની પ્રેરણાથી પરમ ગુરુભકત, પરમ શ્રાવક શ્રી મનુભાઈ શંકરચંદ શાહ હિંમતનગરવાળા તથા શ્રી હેમેન્દ્રભાઈ અને શ્રી રમેશભાઈ આનંદ ગ્રુપ અમદાવાદ તથા પરમ શ્રાવિકા જિનમતિબહેન ચંદ્રકાન્તભાઈ શાહ - ઘાટકોપર - મુંબઈના સૌજન્યથી, www.Jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રજીની મૂલભૂત સ્થળે જિર્ણોદ્ધાર પામી રહેલ wielde A&lal7 do SPELLƏL Ar Hió ઉજજૈન મૃદયપ્રદેશ યારાજશ્ની માણિભદ્રજીના જન્મ સ્થળે તેઓ દ્વારા બનાવેલ જિનાલયનો જિર્ણોદ્ધાર તથા તેનોનું મસ્તક ઉડીને જ્યાં પડવું હતું તે પાવન સ્થળ ક્ષીપ્રા નદીના કિનારે અા તીર્થધામ આકાર લઈ રહ્યું છે, તમારે લાભ લેવો હોય તો સંપર્ક સ્થળે સંપર્ક કરો, , , , યહ્રારાજન| મુલ સ્થળે લાભ લેવાની સુવર્ણ તક છે. HD life 28ાણિી to fa . શાકવાથી ઝરમણા કા જાણ કરી છે. આ રીતે કે બી. જી રે રશી ક211212 શરી રાણી 8, 11. 'થી છાયાપુરા જેવી છે. મૂ. સંધ C/o. વી. સંતોપમાર જૈod ૧ 1, Plahlalol, નાયH Ple ઉજજ012 શ્રી પ્રફુલભાઈ ઝવેરી ગોપીપુરા - કાજીનું મેદાન, સુરત, શ્રી નિરંજનભાઈ ચોકસી ૪ વાલકેશ્વર રોડ, | મુલચંઠ ભવન, મુંબઈ . | | બીપીનભાઈચંદ વેરચંદ ૭-૫, અજન્ટા પામeટ - ૧ ૨૪-૧ર૬ વાલકેશ્વર રોડ, | મુંબાઈ, Page #5 -------------------------------------------------------------------------- ________________ 馬 DAPAT ૐ નમો ભગવતે શ્રી માણિભદ્રાય JALPA ધાણ 9883 જૈન • જૈનેત્તરોપયોગી સર્વ મનોરથપૂરક શાસનદેવ તપાગચ્છાધિષ્ઠાયક અક્ષરાજ શ્રી માણિભદ્રદેવ સચિત્ર ગ્રંથ પ્રથમ આવૃતિ ગ્રંથના પ્રેરક માર્ગદર્શક ૫. પૂ.આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. સા. : સંપાદક : નંદલાલ બી દેવક AND [A] Androma Page #6 -------------------------------------------------------------------------- ________________ દિવ્યાશિષ જિનશાસન શણગાર દાદા ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા. શુભાશિષ સંગઠનપ્રેમી આચાર્ય ગુરુદેવ શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ. સા. ગ્રંથના પ્રેરક જાપ ધ્યાનનિષ્ઠ મધુર વક્તા આચાર્યદેવ શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ. સા. ગ્રંથ સંપાદક નંદલાલ બી દેવલુક ગ્રંથ પ્રકાશનમાં મુખ્ય સહયોગી * શ્રી નિત્યચંદ્રદર્શન | શ્રી વર્ધમાન દર્શન | શ્રી વર્ધમાન દર્શન ધર્મશાળા ટ્રસ્ટ | આરાધક સેવા સમિતિ ફાઉન્ડેશન તળેટી રોડ-પાલીતાણા ૧૦૧ આશીર્વાદ | ૨૦, સહકાર નિવાસ, ફાન. ૨૧૮૧ ૧૦/મીખેતવાડી તારદેવ - મુંબઈ મુંબઈ–૪ – ગ્રંથપ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – શ્રી અરિહંત પ્રકાશન "પપ્રાલય” રર૩૭/બી/૧ હીલડ્રાઈવ, પોટેકોલોની પાછળ, સરકીટ હાઉસ પાસે, વાઘાવાડી રોડ ભાવનગર-૩૬૪૦૦૨ ગુજરાત] ગ્રંથ કિંમત રૂ.૩૦૦=૦૦ પ્રકાશનઃ ડીસેમ્બર....૧૯૯૭ ટાઈપ સેટીંગ મદૂક–છબીઓ અને કવર પેજ કોમેટ કોમ્યુટર કનસલ્ટનસી શ્રી આર્ટલન્ડ– રાજકોટ સ્મૃતિ ઓફસેટ, સોનગઢ કાળાનાળા ભાવનગર શ્રી કિતાબઘર પિન્ટરી રાજકોટ (જિ. ભાવનગર) ફોનઃ ૪૨૫૮૬૮ ફોન. (૦૨૮૪૬) ૪૪૩૮૧ સુશોભનઃ અનંતભાઈ ભાવસાર ગ્રંથવિમોચન આયોજકઃ શ્રી સર્વોદય પાણ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને જૈન સંઘ મુલુન્ડ(W) મુંબઈ–૮૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुजय तीर्थपति श्री आदिनाथ भगवान COINDIAN als NAY TANAMAVANAAD R ना RAAAAAA RECOM TER KAREEG । REMEL Tery LEON Clah LA RSD - १ muhutkVACY h Ca TA Itra INNI E PICSSAGE ट -आदिम पृथ्विनाथ आदिम निष्पारिहा आदिम तीर्थनाथ च ऋषभस्वामिन स्तुम ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૩ *૨૪ •22 *૨૧ ૨૦ لہ • ગુજરાતના મહત્વના જેન ત્રિયં સ્થા. .૧૮ ૧૬ r ૧૫ A આગલાં ઉન મઘરવાડા .. 24 ૧૩ ૦૮ • ૧. પાલીતા ૨. હાશિ ૩. તળાજ ૪. ઘોઘા પ, જુનાગઢ ૬. વળી ૭. કાવી . ગંધાર્. ૯. ઝઘડીયા ૧૦, પાવાગઢ ૧. મા ૧૨ ૨૨૨ ૧૩ મટે સા ૧૪ વ્યારૂપ ૧૫. પારાગ ૧૩. શર્મા ૧૭. ઉપરીયાળા. ૧. કારીયા ૧૨.વ. ૨૦ સુધી ૨૧. કોઠાર ૨૨. નળી ચા ૨૩, જી. ૨૪. તેર ૨૫. તારંગા. Page #9 -------------------------------------------------------------------------- ________________ * PAતા ત શ્રી ફાંનેર પાનાચ Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रंजयतीर्थके परम आराधक तपागच्छधिष्ठायक श्री मणिभद्रदादा C OM ॐ असीआउसानमः श्री मणिभद्र । दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् । Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સર્વ મનોરથ પૂરક શાસનદેવ યક્ષરાજ શ્રી માણિભદ્ર દેવ ગ્રંથ વિમોચન સમારોહ શુભનિશ્રા :–દાદા ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ના સંગઠનપ્રેમી આચાર્યદેવ શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના જાપ ધ્યાનનિષ્ઠ મધુરવક્તા આચાર્યદેવશ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. શ્રી માણિભદ્ર ગ્રંથ વિમોચક:- શા. સુખરાજજી બાબુલાલજી નાહર કમં:- શ્રી નાહર ઍન્ડ શેઠ એન્ટરપ્રાઈઝ – મુંબઈ ના કરકમલા દ્વારા થશે. વિમોચન સમારોહ દિન – માગશર સુદ-૧ સોમવાર તા. ૧-૧૨-૧૯૯૭ ગ્રંથ વિમોચન સમારોહ દાતા :- શા મફતલાલ માંગીલાલજી કોઠારી તથા શી જયંતિલાલજી માંગીલાલજી કોદારી પરિવાર ધાણરાવ (રાજસ્થાન) ફર્મ – મફતલાલ જયંતિલાલ અંs . મુંબઈ - ૨ 0 શ્રી માણિભદ્ર ગ્રંથ વિમોચન સમારોહ આયોજક 0 શ્રી સવોદય પાશ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી રાવોદય પાર્શ્વનાથ જૈન સંઘ શ્રી નાહર એક શેઠ એન્ટરપ્રાઇ ન મંદિર મા મલુન્ડ ( \ | મી . ૪૪, Page #12 -------------------------------------------------------------------------- ________________ ............................................................. '': ': ': છબીકલાનો ': ' - 1 • • • • • • • • • • • • • • • • • • • દર્શન વિભાગ Page #13 -------------------------------------------------------------------------- ________________ उज्जैन मध्यप्रदेश તક મળી [ ચિત્રમાં દેખાય છે ઉજ્જૈનના એ મંદિરમાં પ્રતિમાજીનું વર્તમાન સ્વરૂ૫] વિક્રમની સાતમી સદીમાં આચાર્ય માનતુંગસૂરિજીએ જ્યાં રાજા ભોજને ભક્તામર સ્તોત્રની રચના દ્વારા અને શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા જ્યાં ચમત્કાર બતાવી સૌને પ્રભાવિત કર્યા હતા, આ એ જ ભૂમિ જ્યાં માણેકશાહમાંથી યક્ષેન્દ્ર બનેલા માણિભદ્રજીનું સ્થાન ઉજજૈન -આ પ્રભાવક સ્થાનની અમર સ્મૃતિ નિમિત્તે જેબૂદ્વીપ યોજનાના પ્રેરક પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વિનુભાઈ સંઘવી પરિવાર-ભાવનગરના સૌજન્યથી.. Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પીંડી પૂજાય છે મગરવાડા (પાલનપુર પાસે) ગ RECOR IRKKIKIT [મગરવાડામાં શ્રી માણિભદ્રજી ] પ.પૂ. યુવક જાગૃતિપ્રેરક આચાર્યદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા., ગણિવર શ્રી રવિરત્નવિજયજી મ. અને રશ્મિરત્નવિજયજી મ.ની પ્રેરણાથી માલગાંવ (રાજસ્થાન )નિવાસી દાનવીર સંઘવી ભેરમલજી હકમાજી પરિવારના ૨ શ્રીમતી સુન્દરબેનના સુપુત્ર સંઘવી તારાચંદજી, મોહનલાલજી,લલિતકુમારજી બાફના તરફથી પાલીતાણા, સમેતશિખરજી તીર્થયાત્રા નિમિત્તે ૨૦૫૩.૫.પૂ.આ.શ્રીગુણરત્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સંઘવી ઍન્ડ સન્સ ૭૦૭ પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ–મુંબઈ–૪ના સૌજન્યથી. Page #15 -------------------------------------------------------------------------- ________________ આગલોડ ઉત્તર ગુજરાત [ઉત્તર ગુજરાતમાં—આગલોડ સ્થાને મહાચમત્કારિકમાણિભદ્રજીનીસ્થાપિતમૂર્તિ છે;જમણીબાજુપિંડીપૂજાયછે.] પ.પૂ.આ.શ્રી આનંદઘનસૂરીશ્વરજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રીમતી લીલાવંતી શાંતિલાલ શાહ તથા શાંતિલાલ ફતેચંદ શાહ, શ્રી ધીરજલાલ શાંતિલાલ શાહ તથા પુષ્પાબેન ધીરજલાલશાહ(મરચન્ટપાક્વાળા) પરિવારના સૌજન્યથી. * વીરેન્દ્ર ઍન્ડ કે. આરતી અભિષેક * પ્રિમીયર રોલિંગ મીલ્સ, રજે માળે,–કાળાનાળા, ભાવનગર, Jain Education Internalona For Private & Personal use only www.janelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ अवन्ति पार्श्वनाथ जिनालय उज्जैन (M.P.) [અવંતી પાર્શ્વનાથ – ઉજ્જૈનમાં બિરાજમાન માણિભદ્રજી] અકબર પ્રતિબોધકજગદ્ગુરુપ.પૂ.આ.શ્રીવિજયહીરસૂરીશ્વરજીમ.સા.ની ૪૦૦મી સ્વર્ગારોહણ પુણ્યતિથિ તથા પ.પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મ.સા.ની ત્રીજી ૪) સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે તથા શેઠશ્રી ફૂલચંદજી બોરડિયાની ભાગવતી પ્રવ્રજ્યા (દીક્ષા) પ્રસંગ નિમિત્તે શાસનસમ્રાટશ્રીનાં આજ્ઞાનુવર્તિની પૂ.સા.શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મ., પૂ. સા.શ્રી ઉદયયશાશ્રીજી મ.,પૂ.સા.શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી લોકેશકુમાર ફૂલચંદજી બોરડિયા ટ્રસ્ટ–અમદાવાદના સૌજન્યથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ચંd ૨૪કે શૂટ8 છે. ઉજજૈ૪ - उज्जैन मध्यप्रदेश (ઉજ્જૈન-જ્યાં મસ્તકે પૂજાય છે.] ઉજ્જૈનના ઘર-દેરાસરમાં માણેકચંદ શેઠના જીવાત્માના રૂપમાં માણિભદ્રદેવની પ્રથમ પ્રતિમા જેની સ્થાપના આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરિજી મહારાજશ્રીએ કરી હતી. ચિત્રમાં નજરે પડે છે. स्वर्गीय पू. माताजी हुलासीबाई व पूज्य पिताजी सोहनराज वेलचंदजी गोराबा, चानोद की यादगार में मदन विन्लेश, पदम far. MANIBHADRA TRADERS, FANCY SUITING & SHIRTING c/o. 2001692 188, 1st FANASWADI, 2nd FLOOR, DADISETH AGIYARILANE, MUMBAI - 2 ના સૌજન્યથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ મંદિરોનું નગર પાલીતાણા મધ્યમાં મોય દેરાસરે, [ પાલીતાણા મધ્યે બિરાજમાન માણિભદ્રજી ] શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ–ગિરિવિહાર,પાલીતાણાની રજતજયંતી તેમ જ અનેક શાસ્ત્રગ્રંથોના રચયિતા અને સંસ્કૃતિના શણગાર સમા યોગનિષ્ઠ પૂ.આ.શ્રી વિજયકેસરસૂરિજી મ.સા.ના પટ્ટધર શિષ્ય પૂ.આ.શ્રી (વિજયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પચીસવર્ષીય સ્વર્ગારોહણતિથિ નિમિત્તે વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી... I NEELA DISTIBUTORS, CHENNAI-3 (MADRAS) ના સૌજન્યથી. Jain Education intematonal Page #19 -------------------------------------------------------------------------- ________________ मेरुगढ उज्जैन (M.P) भेरुगढ गांव मे बिराजमान अधिष्ठायक श्रीमाणिभद्रजी का अपना खुद का घरमंदिर आज भी उसी तरह मौजूद है गुलाब ज्वेलर्स, रोयल सिलवर (सोना चांदी का व्यापारी) ३३ कृष्ण निवास, पहला माला,३०५/३०७ युसुफ महेरअली रोड। मुकेश, राजेन्द्र, शैलेष, सौरभ, सिखर, धवल, नीरज, बेटा पोता-शा हरकचंदजी गुलाबचंदजी समस्त रतनपुरा चौहाण परिवार का जयजिनेन्द्र। Jain E ltema Page #20 -------------------------------------------------------------------------- ________________ पद्ममणि तीर्थ पाबल पूना पासे महाराष्ट्र महाराष्ट्र प्रदेश में पूना जिल्लांतर्गत पाबल नामक गाम है। श्रद्धा और भक्ति के प्रतीक एक नए तीर्थस्थान का उद्गम हुआ है यहाँ । जहां परम प्रभाविक कल्याणकारी मूलनायक श्री पद्मप्रभस्वामी भगवान भव्य शिखरबंध जिनमंदिरजी में विराजमान है। साथ में ही जिनशासनरक्षक अधिष्ठायक देव श्री माणिभद्रजी महाराज का जागृत बेसणा है इस लिए यह स्थान श्री पद्ममणितीर्थ के नाम से प्रसिद्ध है । वर्धमान तपोनिधि गच्छाधिपति प. पू. आ. देव श्री विजयभुवनभानुसूरिजी म. सा. के शिष्य पू. मुनिश्री विश्वकल्याणविजयजी म. सा. की प्रेरणासे । श्री पत्रमणि जैन श्वे. तीर्थ पेढी - पाबल (महाराष्ट्र) के सौजन्य से । Jain Education Interational Page #21 -------------------------------------------------------------------------- ________________ વિંધ્યાચલ પર્વતના શિખરથી સુશોભિત माडवगढ मध्यप्रदेश [મધ્યપ્રદેશમાં વિધ્યાચલ પર્વતના શિખરથી સુશોભિત માંડવગઢમાં બિરાજમાન | માણિભદ્રદાદા]. પ.પૂ.આ.શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી શ્રી ચંદ્રપ્રભુ મહારાજ જૈન જૂના મંદિર ટ્રસ્ટ ૩૦૫, મિન્ટ સ્ટ્રીટ, મદ્રાસ-૭૯ ના સૌજન્યથી. For Private & Personal use only www.jane brary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ अलौकिक पार्श्वनाथ जिनालय हासमपुरा ' મધ્યપ્રદેશમાં હાસમપુરામાં અલૌકિક પાર્શ્વનાથ જિનમંદિરમાં બિરાજમાન શ્રી | માણિભદ્રદેવ]. * પૂ.પં.શ્રી નંદીભૂષણવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વનરાજ વિનોદભાઈ શાહ ઈર્લા બ્રિજ-વિલેપારલા (West), મુંબઈ ૪000૫ન્ના સૌજન્યથી * મોહનલાલ બેચરદાસ મહેતા પરિવાર (દુદાણા–ભાવનગરવાળા) હાલ મુંબઈ–૨૬ના સૌજન્યથી - હ: શ્રી શશીકાન્તભાઈ મહેતા, સંભવતીર્થ, ૩/સી, ગ્રાઉન્ડ ફલોર, Page #23 -------------------------------------------------------------------------- ________________ मक्षी पार्श्वनाथ मुख्य मंदिर मध्यप्रदेश [ઉજ્જૈનથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા મક્ષી પાર્શ્વનાથના મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી માણિભદ્ર યક્ષરાજ] ૧૧) પ.પૂ. શાસનદીપક આચાર્યદેવ શ્રી વિજયનયપ્રભસૂરિજી મ.સા.ના સદુપદેશથી શ્રી પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ—સાંઘાણી એસ્ટેટ—ઘાટકોપર (West) સાંઈનાથ નગર, મુંબઈ – ૪૦૦૦૮૬ ના સૌજન્યથી. www.jalnelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ मक्षीजी मंदिर भमतीमें ૫. પ્ર. - [મધ્યપ્રદેશમાં મક્ષીજી–ભમતીમાં બિરાજમાન માણિભદ્રજી] | શ્રી નારણજી શામજી ફાઉન્ડેશન, નિર્મલા નિવાસ૨૦૯/સી, ડૉ. આંબેડકર રોડ, માટુંગા, મુંબઈ–૧૯ના સૌજન્યથી. Jain Education Interational Page #25 -------------------------------------------------------------------------- ________________ કંબોઈ તીર્થ પાસે ચાણસ્મા ઉ. ગુજરાત [ ગોરૈયાવીરના નામથી પૂજાતું શ્રી માણિભદ્રજીનું પ્રસિદ્ધ સ્થાન, કંબોઈ તીર્થ –ચાણસ્મા—ઉ. ગુજરાત ] ૧૩ પ. પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ. સા. ની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી. (ફોટો ઃ પ્રતિબિંબ સ્ટુડીઓ) Page #26 -------------------------------------------------------------------------- ________________ नागेश्वर पार्श्वनाथना जिनालय [મધ્યપ્રદેશમાં નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી શ્રી લબ્ધિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્ય શ્રી વિજયઅમરસેનસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શાહ અમ્બાલાલ નિહાલચંદજી પરિવારના સૌજન્યથી. c/o સંતોષ ટેસ્ટાઈલ્સ, ભગવાન મહાવીર રોડ, પો. રાણેએનૂર (જિ.ધારવાડ) કર્ણાટક પિનકોડઃ ૫૮૧૧૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૫ [મારવાડમાં ફાલના જૈન દેરાસરમાં બિરાજમાન માણિભદ્રજી] શ્રી મુક્તિધામ જૈન દેરાસર સંઘ– સરખેજ, ગાંધીનગર હાઈવે, થલતેજ ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦૦૫૯ના સૌજન્યથી. फालना जैनधर्मशाला मारवाड Page #28 -------------------------------------------------------------------------- ________________ ચહાપુર જિ.ધાણu [શહાપુર (જિ.થાણા)શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનમંદિરે બિરાજમાન શ્રીમાણિભદ્રદેવ] (૧૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન) નમો નમઃ શ્રી ગુરુભુવનભાનુસૂરપૂ.મુનિરાજશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઋષભ પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ-(જિ.થાણા) ૪૨૧૬૦૧ મહારાષ્ટ્રના સૌજન્યથી. Jain Education Intemational For private & Personal use only Page #29 -------------------------------------------------------------------------- ________________ बेलगांव कर्नाटक श्री मणीभतवीर ૧૭ [શ્રી મારવાડી સ્થાપિત જૈન શ્વેતામ્બર સંઘ—બેલગાંવ (કર્ણાટક)માં ૧૫૦ વર્ષ પ્રાચીન | મહાચમત્કારિક શ્રી માણિભદ્રવીર પ્રેરિકા: પૂ. સાધ્વીશ્રી સુવર્ણરેખાશ્રીજી મ. તથા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજી મ. (વાગડવાળા) આદિ ઠાણાં આઠના ચાતુર્માસ નિમિત્તે વિ.સં. ૨૦૫ર. જિનશાસન ભક્તગણના સૌજન્યથી Jain Education international For Private & Personal use only Page #30 -------------------------------------------------------------------------- ________________ વાઘણપોળ અમદાવાદ અમદાવાદ- વાઘણપોળમાં બિરાજમાન માણિભદ્રજી) પ. પૂ. સ્વ. આ. વિજયધને વરસુરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી મ. સા. તથા પ. પૂ. સા. ઇન્દ્રયશાશ્રીજી મ. આદિની શુભ પ્રેરણાથી. અમારાં સ્વ. માતુશ્રી લીલાબેન તથા સ્વ. પિતાશ્રી લાલચંદજીના આત્મશ્રેયાર્થે, તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર ભરતભાઈ, પુત્રવધૂ રેણુકાબેન તથા પૌત્ર ખુબુ-%ષભકુમાર તરફથી ફર્મ :- લાલચંદ હંસરાજજી શાહ, ૧૫ બી, કેશવબાગ કોલોની, રામનગર, સાબરમતી, અમદાવાદ – ૫. ના સૌજન્યથી (ગુજરાત) For Private & Personal use only Page #31 -------------------------------------------------------------------------- ________________ આંતરોલી જી- ટાડા ૧૯ આંતરોલી જિ. ખેડા ગુજરાત ગુજરાતના ખેડા જિલ્લામાં આંતરોલી મધ્યે બિરાજમાન શ્રી માણિભદ્રજીની પ્રભાવકતા ખૂબ જ વધી રહી છે. [ શ્રેયસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ] શ્રી કેશવલાલ મોહનલાલ શાહ પરિવારના સૌજન્યથી. હ ઃ રાજેન્દ્રભાઈ કે શાહ. ૮, કમલાનિકેતન, નારાયણ દાભોલકર રોડ, મુંબઈના સૌજન્યથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂની મહારાષ્ટ્ર D [પૂના નગરના હૃયતુલ્ય શ્રી ગોડી પાર્શ્વનાથ જિનાલયે બિરાજમાન માણિભદ્રજી. ] પૂ. સૂરિમંત્રાધારક આચાર્યદેવ શ્રમ વિજયજયશેખરસૂરિજી મ. સા.ની વિધિપૂર્વક પાંચમી વારની સૂરિમંત્ર આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે પૂ. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી ગોડી પાર્શ્વનાથજી ટ્રસ્ટ, ૧૧૦–બ / ૧૧૧ ગુરુવાર પેઠ, પૂના, ૪૧૧૦૪૨ના સૌજન્યથી Page #33 -------------------------------------------------------------------------- ________________ યાયામ જિ. મહેસાણા ઉ.ગુજરાત [મહેસાણા જિલ્લાના ચાણસ્મા મુકામે બિરાજમાન માણિભદ્રજી ] - પ. પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શ્રી ચાણસ્મા જૈન મહાજન પેઢી – ચાણસ્મા (ઉ. ગુજરાત) ના સૌજન્યથી Page #34 -------------------------------------------------------------------------- ________________ વિરમગામ ઉ. ગુજરાત छापियाकामानिमिदयास्यभूतिविशानियामा भवनमानय विनय आपाय पसरावातपितयसीमानामा કે સીere Dil જુન પર શોકનો જગા કાકાનાણાની જો [ ઉત્તર ગુજરાત – વિરમગામમાં મૂળીબહેન અંબાલાલ જૈન ધર્મશાળા- (શ્રી સંભવનાથ જિનપ્રાસાદ) માં બિરાજમાન માણિભદ્રજીની પ્રતિષ્ઠા તા. ૩૦-૪–૯૭ ૫.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. દ્વારા સંપન્ન થયેલ. ઉગ્ર તપસ્વી પૂ.આ. શ્રી હિમાલ્લુસૂરિજી મ. સા. નાં કરકમળોથી પ્રતિષ્ઠિત શ્રી સુમતિનાથ પરમાત્માની પાવન નિશ્રામાં પ્રથમવાર જ પર્યુષણ પર્વની આરાધના ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી જયઘોષસૂરિજી મ. સા. ના પ્રશિષ્ય મધુર વક્તા પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ કરાવેલ તેના સંસ્મરણરૂપે સુમતિવર્ધક જૈન સંઘ ઘાટલોડિયા – અમદાવાદ - ૬૧ના સૌજન્યથી. Page #35 -------------------------------------------------------------------------- ________________ [મધ્ય પ્રદેશના રતલામમાં શ્રી મોતીપૂજ્યજીના મંદિરમાં બિરાજમાન | માણિભદ્રજી.] ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ. સા.ની શુભ પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જિનાલય, મલ્લિનાથ ટ્રસ્ટ બોર્ડ, મોતીપૂજ્યજીનું મંદિર, ચૌમુખી પુલ-રતલામ (મ.પ્ર)ના સૌજન્યથી Page #36 -------------------------------------------------------------------------- ________________ છે ક્ષત્રિયકુંડની બાજુમાં लछवाड बिहार [બિહારમાં શ્રત્રિયકુંડ પાસે લછવાડમાં બિરાજમાન શ્રીમાણિભદ્રજી યક્ષરાજ] પૂ.સા. શ્રી પડાયશાશ્રીજી મ.ની પ્રેરણાથી પૂના સીટી સંઘના ઉપાશ્રયનાં બહેનો તરફથી હે : મંગળાબેન નાગરદાસ શાહે ૬૪૪, રવિવાર પેઠ, પૂના સીટી-૨ ના સૌજન્યથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ એક સાધક પાસે શ્રી કેશરસૂરિ સમુદાયના પૂ. મુનિશ્રી રાજયશવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી અમરેલી : શ્રી રસિકભાઈ એ. શાહ ધર્મપ્રેમી પરિવારના સૌજન્યથી Page #38 -------------------------------------------------------------------------- ________________ .. उदयपुर राजस्थान ૨૬ [રાજસ્થાન–ઉદયપુરમાં (બાવન જિનાલય) બડા શીતલનાથ જૈન શ્વે. દેરાસરના પરિસરમાં અને ઉપાશ્રયમાં નારિયેલના તાંતણામાંથી માંત્રિત કરેલ માણિભદ્રની નયનરમ્ય મૂર્તિ ] શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુનિશ્રી વીરરત્નવિજયજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી દેવચંદ્રવિજયજી મ. તથા પૂ.સા.શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યા અમીરસાશ્રીજી તથા પૂ.સા.શ્રી રાજરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ભક્તજનોના સૌજન્યથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની રાજધાની जयपुर राजस्थान | (રાજસ્થાન-જયપુરના સુમતિનાથ જૈન મંદિરમાં બિરાજમાન માણિભદ્રજી] પ.પૂ.આ.શ્રી ભુવનશેખરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ્રવર્તક પંન્યાસશ્રી મહિમાવિજયજી મ.સા.ની પ્રેરણાથી બાબુલાલ આર. દોશી (ભાવનગરવાળા) તરફથી. કલ્યાણ બિલ્ડિંગ નં. ૭, રૂમનં. ૧૩, ૧લે માળે, કાંદાવાડી, ખાડીલકર રોડ, મુંબઈ-૪ ના સૌજન્યથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ जावरा मध्यप्रदेश જિાવરામાં બિરાજમાન માણિભદ્રજીની પ્રભાવશાળી પ્રતિમા ] પૂ. શાસનસમ્રા આ.શ્રી વિજયનેમિ-દર્શન-જયાનંદસૂરિપટ્ટધર શાસનપ્રભાવક પૂ.આ.શ્રી વિજયમહાયશસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં શ્રી શાહપુર-દરવાજા ખાંચા જૈન સંઘમાં સેંકડો વર્ષોના ઇતિહાસમાં સૌપ્રથમ વાર મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાન આદિ જિનબિંબોની થયેલ અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની પુણ્ય સ્મૃતિ અર્થે પૂ.મુનિશ્રી જયભદ્રવિજયજી મ.,મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી શાહપુર-દરવાજા ખાંચા જૈન ગ્લૅ. મૂ.પૂ.સંઘ – અમદાવાદ તરફથી – સં.-૨૦૫૩, માગશર સુદ-૩ ગુરુવાર, તા. ૧૩–૧૨–૯૬. For Private & Personal use only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નાકોડા અવન્તિ તીર્થસ્થાપક શ્રી લબ્ધિધામ સ્થાપકઃ પૂ.આ.શ્રી વિજયસ્થૂલભદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિશ્રી ચંદ્રયશવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી અમિતયશવિજયજી મ.ની પ્રેરણાથી. શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર ટ્રસ્ટ, ૧૪૨ મિન્ટ સ્ટ્રીટ, સાવકારપેટ – ચેન્નઈ ૬૦૦૦૭૯ (મદ્રાસ) ના સૌજન્યથી. Jairation International सांडेराव मंदिर मारवाड www.jalnelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ खीमाडा गांव ३० मारवाड સંગઠનપ્રેમી આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી. શ્રી તખતગઢ કલિકુંડ સિદ્ધાચલ છ’રિ પાલક યાત્રાસંઘની સ્મૃતિ નિમિત્તે સંઘવી હિંમતલાલ તારાચંદજી પરિવાર–તખતગઢના સૌજન્યથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ લિલીમોરા બીલીમોરામાં બિરાજમાન માણિભદ્રજી : સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો શ્રી અશોકભાઈ એમ. શાહ પરિવાર, સ્મૃતિકુંજ સોસાયટી, જવાહર રોડ ગુરુકૃપા – બીલીમોરાના સૌજન્યથી, For Private & Personal use only www.jalne orary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ ३२ *** खुडाला गांव मारवाड [મારવાડમાં ખુડાલા ગાંવમાં બિરાજમાન માણિભદ્રજી] શ્રી હસમુખલાલ સોમચંદ શાહ (આગલોડવાળા) પરિવારના સૌજન્યથી ફાઈબર ગ્રૂપ કોર્પોરેશન, ૩૭૭/બી, ચીરાબજાર મુંબઈ-૪૦૦૦૦૨ –ફોન નં. ૨૦૧૮૧૬૯ ફેક્સ-૨૦૬૪૧૯૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની પ્રાચીન નગરી ખંભાત જિ. ખેડા ગુજરાત 33 B [ખંભાત–જીરાળા પાડામાં શ્રી પૂજ્યની ગાદી પાસે બિરાજમાન અતિ પ્રાચીન પ્રગટ પ્રભાવી માણિભદ્રવીર ] પ.પૂ.આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૧, વિમલનાથ સોસાયટી, બાપુનગર – અમદાવાદના સૌજન્યથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ 06 00 00 00 00 00 009 ગુજરાતની પ્રાચીનનગરી ખલાલ જિ. ખેડા ગુજરાતા ખંભા ૯ [ ખંભાત વિશા ઓસવાલ જૈન ઉપાશ્રય (માણેકચોક )માં બિરાજમાન અતિ | પ્રાચીન મહાચમત્કારી માણિભદ્રવીર]. પ.પૂ. શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી વિશા ઓસવાલ તપગચ્છ જૈન સંઘ - માણેકચોક – ખંભાત (જિ.ખેડા)ના સૌજન્યથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ कोशेलाव गांव मारवाड [ મારવાડમાં કોશેલાવ મુકામે બિરાજમાન માણિભદ્રજી ] * સી. એન. સંઘવી પરિવાર, દુરૂમહાલ, ૮૪– મરીનડ્રાઈવ પાટણ જૈનમંડળ રોડ, મુંબઈ -૨ ના સૌજન્યથી *વિપુલ ડાયકેમ લિ. (ભદ્રાવળવાળા પરિવાર) ૩૩૯/૩૪૧ સેમ્યુઅલ ટ્રીટ, રાવલ ચેમ્બર્સ, ૪ થે માળે, મુંબઈ - ૩ ના સૌજન્યથી. Jain For Private - Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ सपागच्याधिष्ठायक श्रीमाणिमतवार राता महावीर हंथुडी राजस्थान [ હંથુડી તીર્થક્ષેત્રમાં બિરાજમાન માણિભદ્રજી ] સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો સદુપયોગ કરનાર સ્વ. ધીરજલાલભાઈની પુણ્યસ્મૃતિ નિમિત્તે પરિવારના સૌજન્યથી– હ: ગં. સ્વ. તારાબહેન ધીરજલાલ મોહનલાલ શાહ(ધાંગધાવાળા)-હાલ મુંબઈ તથા શ્રી રાજાભાઈ ધીરજલાલ શાહ, અ.સૌ. રેશ્માબહેન રાજાભાઈ શાહ. For Private & Personal use only Page #49 -------------------------------------------------------------------------- ________________ 000000 સદાન 0600 6o હિતી e s run પાવર 3, મહારાષ્ટ્રમાં અહેમદનગરના નવા કાપડ બજારમાં શ્રી ઋષભસંભવ જિનમંદિરમાં બિરાજમાન પ્રાચીન સમયના માણિભદ્રજી ] પ.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. તથા મુનિ શ્રી ચારિત્રવલ્લભવિજયજી મ.સાની પ્રેરણાથી શ્રી ઋષભસંભવજિન જૈન શ્વેતામ્બર સંઘ નવા કાપડ બજાર – અહમદનગર ૪૧૪૦૦૧ના સૌજન્યથી. ફોન : ૩૪પ૯૯૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ કોલી (અહમાગર) બહારાષ્ટ્ર) [મહારાષ્ટ્રમાં અહેમદનગર જિલ્લાના અકોલ ગામે બિરાજમાન પ્રગટ | પ્રભાવી યક્ષરાજ શ્રી માણિભદ્રજી] પૂ. મુનિશ્રી દર્શનવલ્લભવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી અકોલે ટ્વે. મૂ. જૈન સંઘ– અકોલે(જિ. અહમદનગર)ના સૌજન્યથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ३८ IJRS श्रावस्ति उ. भारत શ્રી ચીમનલાલ કે. શેઠ પરિવાર ૧૨, મધુનિકેતન, ૨૧, વેસ્ટ એવન્યુ સાન્તાક્રુઝ (વેસ્ટ) મુંબઈ – ૪૦૦ ૦૫૪ના સૌજન્યથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ આદરીયાણા જિ. સુરેન્દ્રનગર ગુજરાત [સુરેન્દ્રનગર જિલ્લા(ગુજરાત)માં આદરિયાણા મુકામે બિરાજમાન માણિભદ્રજી] પૂ.પં.શ્રી ચંદ્રાનનસાગરજી મ. સા.ને આચાર્યપદ પ્રદાન નિમિત્તે આદરિયાણા વિશાશ્રીમાળી શ્વે.મૂ. જૈન સંઘ આદરિયાણા (તાલુકો પાટડી) (જિ. સુરેન્દ્રનગર)ના સૌજન્યથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ પૂના મહારાષ્ટ્ર [ મહારાષ્ટ્રમાં પૂના–આદિનાથ જિનમંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ] | નમોનમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયા પૂ. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, પૂના- સતારા રોડ. પૂના તરફથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ મોરબી સૌરાષ્ટ્ર [મધ્ય સૌરાષ્ટ્રમાં મોરબી શહેરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] 0 0 દોશી ભોગીલાલ જી.(મહુવાવાળા) હાલ નડિયાદ (જિ.ખેડા)ના સૌજન્યથી. 0 શ્રી ત્રાપજ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ મુ: ત્રાપજ (તાલુકો તળાજા) (જિ.ભાવનગર)ના સૌજન્યથી.. Jain Education Interational For Private & Personal use only Page #55 -------------------------------------------------------------------------- ________________ A બારામતિ મહારાષ્ટ્ર A A [મહારાષ્ટ્રમાં બારામતી મુકામે શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલયે બિરાજમાન ૧૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન માણિભદ્રજી] નમોનમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે પૂ. મુનિરાજશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ બારામતી (જિ.પૂના) ૪૧૩૧૦૨ વતી શ્રી ચંદ્રપ્રભ જૈન મહિલામંડળ, બારામતી તરફથી. Jain Education intematonal For Private & Personal use only Page #56 -------------------------------------------------------------------------- ________________ છે | Aહ बीबडोद तीर्थ रतलाम मध्यप्रदेश [મધ્યપ્રદેશમાં રતલામ જિલ્લામાં બિબડોદ તીર્થે બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કેશરિયાનાથ તીર્થ વ્યવસાયને કમિટી, બિબડોદ -(જિ.રતલામ)ના સૌજન્યથી. (અંર્તગત શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક મલ્લીનાથ ટ્રસ્ટ બોર્ડ, રતલામ) Jain Education interational For Private & Personal use only Page #57 -------------------------------------------------------------------------- ________________ [સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં વંથલી(સોરઠ)માં બિરાજમાન માણિભદ્રજી ] ૪૫ દીક્ષાની ખાણી છાણીના પુણ્યરત્નો પૂ.આ.શ્રી વારિષણસૂરિજી મ.સા., પૂ.પ.પ્રવર શ્રી વિનયસેનવિજયજી ગણિવર, પૂ. મુનિશ્રી વજ્રસેનવિજયજી મ., પૂ.મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ., પૂ મુનિશ્રી વિરાગસેનવિજયજી મ.પાંચભાઈ છે જે વર્તમાન જૈન શાસનમાં એક પરિવારના પાંચ પાંડવો જેવા શોભાયમાન પૂજ્યોની પ્રેરણાથી. શ્રી વંથલી (સોરઠ) શ્વે.મૂ. તપગચ્છ જૈન સંઘ, આઝાદ ચોક, દેરાસર રોડ વંથલી (સોરઠ)ના સૌજન્યથી. Jain Butonlaternational વંથળી જિ. જાણીતા જગત Page #58 -------------------------------------------------------------------------- ________________ મહુધા જ જિ, બ્રેડ લાલ Xc ખેડા જિલ્લામાં મહુધા મુકામે બિરાજમાન માણિભદ્રજી ] મોદી ચુનીલાલ વીરચંદભાઈ પરિવારના સૌજન્યથી (અનાજ કરિયાણાના વેપારી ) ૩૮૭૩૫ ® ૭૨૬૦૩ ફોન.ઓ. ૨૭૫૭૮ મહુધા. મોદી યોગેન્દ્રકુમાર અવંતીલાલ એન.એસ.સી. એજન્ટ, મહુધા મોદી અલકા યોગેન્દ્રકુમાર, યુ. ટી.આઈ. એજન્ટ, મહુધા શુભેચ્છા સહ-અનુમોદના હઃ શોભા મેડિકલ સ્ટોર્સના સૌજન્યથી કિરણકુમાર એસ. શાહ- અશોકકુમાર એમ. શાહ, | મહુધા(તાલુકો નડિયાદ) For Private & Personal use only Page #59 -------------------------------------------------------------------------- ________________ કાશી મહારાષ્ટ્ર પૂ. મુનિરાજશ્રી દિવ્યરત્નવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી મ.સા. પૂ. મુનિરાજશ્રી વિમલબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથીશ્રી જૈન શ્વેતામ્બર ઋષભદેવ મંદિર ટ્રસ્ટ, સોમવાર પેઠ– બાર્શી (જિ. સોલાપુર ) મહારાષ્ટ્રના સૌજન્યથી. Jain Equation intematonal For Private & Personal use only Page #60 -------------------------------------------------------------------------- ________________ નિમિનાથ મહારાજ, દેરાસર (પાચઘુની) K/ કુબાઈ 8 [મહારાષ્ટ્રની મુંબઈ નગરીમાં પાયધુની પાસે નેમિનાથ મંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ]) શાહ મણિલાલ બેચરદાસ (દાઠાવાળા) હોલસેલ કાપડના વેપારી, ૮ર વિઠ્ઠલવાડી—કાલબાદેવી રોડ, મુંબઈ–૨ ના સૌજન્યથી. હેઃ રજનીકાન્ત મણિલાલ શાહ ઘરફોન.નં. ૪૧૪૦ર૫૩ ઓફિસ.ફોન. નં. ર૦૫૭૩૬૬, ૨0૧૫૦૬૪ For Private & Personal use only Page #61 -------------------------------------------------------------------------- ________________ શાં પાયલુની પાસે મુંબઈ [મુંબઈ – પાયધુની પાસે શ્રી શાંતિનાથ મંદિરમાં અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીરની ભક્તિનો દર ગુરુવારે અનેક ભાગ્યશાળીઓ લાભ લ્ય છે ] સંઘવી શા. અસલાજી રતનાજી પરિવાર, શા દેવીચંદ્રજી, વિમલ, પ્રફલ, સાહીલ, જૈનિપ, કૌશલ્યા ગૌત્ર સોલંકી પરિવારના જય જિનેન્દ્ર – ગાંવ – પાદરલી (રાજસ્થાન) Page #62 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર જિ. મહેસાણા ઉ.ગુજરાત '' કરી પ0 [ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં જૈનોનું મોટું તીર્થધામ શ્રી શંખેશ્વર તીર્થે શ્રી પાર્શ્વનાથ | ભગવાનના મુખ્ય દેરાસરના કમ્પાઉન્ડમાં બિરાજમાન માણિભદ્રજી ] તપસ્વીરત્ન પૂ. પં. શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી ગુણશીલસૂરિજી મ.સા. તથા મધુરભાષી પૂ. મુનિશ્રી કુલશીલવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી હર્ષશીલવિજયજી મ.ના સદુપદેશથી શ્રી ઝવેરચંદ ફુલચંદ શાહનાઈરોબી તરફથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ લતિપુર જિ. જામનગર (સૌરાષ્ટ્ર) [ગુજરાતમાં જામનગર જિલ્લામાં લતીપુરમાં બિરાજમાન માણિભદ્રજી ] પૂ. તપસ્વી આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.સા.ની પ્રેરણાથી (૫૧ ) સ્વ.ચુનીભાઈ લક્ષ્મીચંદજી વોરાના આત્મશ્રેયાર્થે સહપરિવારના સૌજન્યથી, હ : કમલેશભાઈ તથા શૈલેષભાઈ વોરા, વ્રજલક્ષ્મી, પ્રતાપવિલાસ પાછળ, ૩૩ કેતન સોસાયટી, જામનગર. એસ. દોલતરાય ઍન્ડ કહ્યું. ત્રણ દરવાજા પાસે, ગ્રેન મારકેટ, જામનગર. Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री मणीभद्रवीर (थाना तीर्थ) પ.પૂ.આ.શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજશ્રી ગુણચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઋષભદેવજી મહારાજ જૈન ધર્મ ટેમ્પલ ઍન્ડ જ્ઞાતિ ટ્રસ્ટ, ટૅબી નાકા, થાણા-મહારાષ્ટ્રના સૌજન્યથી. પિન-800 ૬૦૧ Jain Education Interational Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મીયાગામ કરજણ ગુજરાત શ્રીમદ્ ભક્તિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા. તથા તેમના પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકલ્પજયસૂરિજી મ.સા.ની શુભ પ્રેરણાથી. શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન દેરાસર પેઢી આરંભડા (તાલુકો દ્વારકા – જિ.જામનગર) ના સૌજન્યથી. www.jalnelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ 02ઢજસ્થ જેજ સંસ્ટ ઢીલા રુટ લાગીર L S S SS ૫૪ [ મહારાષ્ટ્રમાં સોલાપુર બજાર(પૂના)ના ચતુર્મુખી શ્રીશાંતિનાથ જિન મંદિરમાં | બિરાજમાન શ્રી માણિભદ્રજી] પૂ. મુનિશ્રી વિમલબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શાંતિનાથ મહારાજ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, સોલાપુર બજાર પૂના, (મહારાષ્ટ્ર)ના સૌજન્યથી. For Private & Personal use only Page #67 -------------------------------------------------------------------------- ________________ ખડકી પૂના મહારાષ્ટ્ર પપ [મહારાષ્ટ્રમાં ખડકી (પૂના) શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયમાં બિરાજમાન પ્રગટ પ્રભાવી શ્રી માણિભદ્રવીર ] પૂ. મુનિશ્રી હર્ષબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. શ્રી મગરાજજી નથમલજી જૈનના સુપુત્રો શ્રી શાંતિલાલ, સેવન્તિલાલ, નરેશ, અશોક, અરુણ, (બાલી–રાજસ્થાન) હાલ ખડકી-પૂના-૩ના સૌજન્યથી. For Private & Personal use only www.janenbrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ કલાસંસ્કૃતિનું ધા મોટું દેરાસર ભાવનગર M સ્ટેટુ દેસણ -સવર [ સૌરાષ્ટ્રમાં સંસ્કૃતિનું ધામ ગણાતા ભાવનગર શહેરમાં મોટા દેરાસરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] ૫૬) શ્રીમતી વિજ્યાલક્ષ્મી ફતેચંદ સોમચંદ પરિવાર– ભાવનગરના સૌજન્યથી. હ ઃ કેનીલ, રાજેશકુમાર, ખાન્તિલાલભાઈ. Page #69 -------------------------------------------------------------------------- ________________ I ! લોનાવાલા હાઈ પૂનાપાર HlaIDA [ મહારાષ્ટ્રમાં લોનાવલા - શ્રી શાંતિનાથ ભગવાન જૈન મંદિરના રંગમંડપમાં બિરાજમાન ૧૦૦ વર્ષ પ્રાચીન માણિભદ્રજી] શ્રી પ્રેમ–ભુવનભાનુસૂરીશ્વરેભ્યો નમ:. શ્રી શાંતિનાથ ભગવાન જિનમંદિરની શતાબ્દી સ્મૃતિ નિમિત્તે પૂ.મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શાંતિનાથ જૈન ગ્વ. મૂ. સંઘ, ગાવઠાણ, લોનાવલા, (જિ. પૂના) ૪૧૦૪૦૧ ના સૌજન્યથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મોટી મારડ જિ. જૂનાગઢ ગુજરાત [સૌરાષ્ટ્રમાં મોટીમારડ મુકામે બિરાજમાન માણિભદ્રજી ] પ. પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શ્રી જયનગર શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ – વાપીના સૌજન્યથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ તળેગામ દાભાડા મહારાષ્ટ્ર [મહારાષ્ટ્રમાં તળેગામ - દાભાડા જૈન ધર્મશાળામાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] (મહારાષ્ટ્રમાં જૈનો-અજૈનોનું અત્યંત પ્રાચીન આ શ્રદ્ધાસ્થાન છે ) પૂ. મુનિરાજશ્રી હર્ષબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક તળેગામ જૈન સંઘ, તળેગામ - દાભાડા (જિ. પૂના) ૪૧૯૫૦૬ ના સૌજન્યથી. www.janelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ Well, તળેગામ છે લાણા SO મહારાષ્ટ્રમાં તળેગામ-દાભાડામાં દેરાસરના પરિસરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] - પૂ. મુનિરાજશ્રી હર્ષબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક તળગામ જૈન સંઘ, તળેગામ-દાભાડા, તાલુકો માવલ (જિ.પૂના) મહારાષ્ટ્રના સૌજન્યથી. For Private & Personal use only Page #73 -------------------------------------------------------------------------- ________________ વડનગર ઉ.ગુજરાત [ ઉત્તર ગુજરાતમાં વડનગર મુકામે બાવન જિનાલયવાળા હાથીવાળા દેરાસરમાં માણિભદ્રજીની ખૂબ જ પ્રાચીન–ચમત્કારિક કાષ્ઠની પ્રતિમા ] પૂજ્યોની પ્રેરણાથી શ્રી વડનગર શ્રાવક વાણિયાનું મહાજન, જૈન દેરાસર પાસે, મહાવીર માર્ગ– વડનગર (ઉ.ગુ.)ના સૌજન્યથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ વિલેપાર્લા ઈસ્ટ મુંબઈ [ મહાનગરી મુંબઈના પાર્લા (ઈસ્ટ)માં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર સંઘ-પાર્લા (ઈસ્ટ) એમ.જી.રોડ, મુંબઈ–ના સૌજન્યથી. ર For Private & Personal use only Page #75 -------------------------------------------------------------------------- ________________ રાંદેર [ ઐતિહાસિક શહેર સુરતના રાંદેરમાં બિરાજમાન માણિભદ્રજી | કોટિ નમસ્કાર મહામંત્ર આરાધિકા માતા ગુરુદેવ પૂ. સાધ્વીજી સુનંદાશ્રીજી મ.સા.નાં શિષ્યા શાસન-પ્રભાવિકા વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી મ.સા. (M.A)ની શુભ પ્રેરણાથી. ઓમકારસૂરિ આરાધના મંડપ(પેઢી), ગોપીપુરા, સુભાષ ચોક-સુરતના સૌજન્યથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક નગર પાટણ ઉત્તર ગુજરાત [ ઐતિહાસિક નગર પાટણ (ઉ.ગુ.) પંચાસરા આયંબિલ ખાતાની બાજુમાં બિરાજમાન | માણિભદ્રજી ] પ.પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરિજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. ની આચાર્યપદવી પ્રસંગની સ્મૃતિ નિમિત્તે શ્રી સુરતના શેઠ નેમચંદ મેલાપચંદ ઝવેરીના, શ્રી અનંતનાથજી ભગવાનના દેરાસરજી તથા વાડીના ઉપાશ્રયનું ટ્રસ્ટ, ગોપીપુરા, જૂની અદાલત પાસે, સુરત-૩૯૫૦૦૧ના સૌજન્યથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ Bays [સૌરાષ્ટ્રમાં જેતપુર (કાઠીનુ) મુકામે બિરાજમાન માણિભદ્રજી ] ૫ કરોડો મંત્રજાપના આરાધક, સરલ સ્વભાવી સાઘ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ના સંયમ જીવનની અનુમોદનાર્થે શ્રી જેતપુર જૈન શ્વેતામ્બર તપગચ્છ સંઘ, આદિનાથ જૈન દેરાસર, જૈન દેરાસરની ઑફિસ, ઉજ્જડપા, જેતપુર (કાઠીનું) (જિ.જૂનાગઢ)ના સૌજન્યથી. જેતપુર જિ.જુનાગઢ ગુજરાત Page #78 -------------------------------------------------------------------------- ________________ મધુમતિ નવસારી ગુજરાત [નવસારી–માણિભદ્રજીની આ મૂર્તિ ૨૦૦ વર્ષની પ્રાચીન પ્રગટ પ્રભાવી છે. શ્રીસંઘના | ભાવિકોમાં અનન્ય શ્રદ્ધાપોષક છે.] શ્રી નેમિસૂરિ સમુદાયના પૂ. પ્રભાવક આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ચિંતામણિ જૈન સંઘ (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન જૈન પેઢી) મધુમતી, મોટા બજારનવસારીના સૌજન્યથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ zase ઝીઝુવાડા [ઉત્તર ગુજરાતમાં વિરમગામ પાસે ઝીંઝુવાડામાં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ.આ.શ્રી વિજયઅરવિંદસૂરિજી મ.સા.તથા પ.પૂ.આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઝીંઝુવાડા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુ. ઝીંઝુવાડા (વાયા વિરમગામ) ૩૮૨૭૫૫ના સૌજન્યથી. For Private & Personal use only www.janelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ વાલકેશ્વર મુંબઈ [મહાનગરી મુંબઈમાં બાબુ અમીચંદ પન્નાલાલ વાલકેશ્વર જૈન દેરાસરમાં - | બિરાજમાન શ્રી માણિભદ્રજી] પ.પૂ. સાહિત્યકલારત્ન આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી. બાબુ અમીચંદ પન્નાલાલ જૈન ટેમ્પલ ટ્રસ્ટ, રીજ રોડ – મુંબઈ – ના સૌજન્યથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ વરતેજ જિ. ભાવનગર ગુજરાત [ ભાવનગર પાસે વરતેજનું કલામય જૈન મંદિર જોવાલાયક સ્થળ બન્યું છે. ભાવનગર–પાલીતાણા | હાઈવે રોડ ઉપર આવેલ આ ગામમાં અનેક ધર્માત્માઓનાં પુનિત પગલાં મંડાયાં છે. અત્રેના | દેરાસરમાં બિરાજમાન માણિભદ્રજીએ ઘણી વખત પરચાઓ આપ્યાનું કહેવાય છે.] પૂ.મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.આદિની સિકન્દ્રાબાદમાં ૨૦૫૩માં ચાતુર્માસ સ્મૃતિ નિમિત્તે મહાતપસ્વી પૂ. મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી રાજસ્થાની જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – સિકન્દ્રાબાદના સૌજન્યથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાગા જિ. સુરેન્દ્રનગર ગુજરાત [ ધ્રાંગધ્રામાં બિરાજમાન શ્રી માણિભદ્રજી | ચાંપશી નામના એક પ્રભાવશાળી યતિ મહારાજે ગાંધી કુટુંબના કહેવાથી 300 વર્ષ પહેલાં સંઘના ઉપાશ્રયમાં પ્રભુજીને પધરાવતાં ઉપાશ્રયને રંગમંડપમાં ફેરવતાં બહારના ભાગમાં નૂતન ગોખ બનાવી તેમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. સં. ૨૦૩પ ચૈત્ર વદ ૭. આ પ્રતિષ્ઠા ગાંધી સોમચંદ રાજપાળ તરફથી કરવામાં આવી છે. વિમલગચ્છાધિપતિ પૂ.શાંતિવિમલસૂરિજીએ તેના ઉપર વાસક્ષેપ કરી આપેલ છે. આજે પણ પ્રભાવ વધતો રહ્યો છે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ધ્રાંગધ્રા-૩૬૩૩૧૦ (ગુજરાત)ના સૌજન્યથી. For Privae & Personal use only Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન પાઠશાળા ની માર રાજરાત જામનગરમાં જૈન પાઠશાળામાં બિરાજમાન માણિભદ્રજી ] પૂજ્યપાદ આ.ભ. લબ્ધિ ભુવન તિલક ભદ્રંકર પુણ્યાનંદસૂરિજી કૃપાપાત્ર પૂ. તપસ્વી મરાઠાવાડા ઉદ્ધારક પૂ.આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા. ઠામચોવિહારીની ૯મી ઓળીની પૂર્ણાહુતિ તથા યશસ્વી ચાર્તુમાસની અનેરી આરાધના કરાવેલ તે નિમિત્તે પૂ.પંન્યાસશ્રી વિનયસેનવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી જૈન વીશાશ્રીમાળી તપાગચ્છ સંઘ જૈન પાઠશાળા, જનરલ પોસ્ટ ઑફિસ પાસે , જામનગરના સૌજન્યથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ દાગ મર ગુજરાત - Bala 2k, [ જામનગર (દેવબાગ) માં બિરાજમાન શ્રી માણિભદ્રજી] પ.પૂ.આ.ભ. વારિષેણસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.પં. શ્રી વિનયસેનવિજયજી મ., ૭ર) પૂ. મુનિપ્રવરશ્રી વજસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી વલ્લભસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી વિરાગસેનવિજયજી મ.ની પ્રેરણાથી ધર્મપ્રેમી સુખલાલ અમૃતલાલ મહેતા, સુધાનો ડેલો, જૈન પાઠશાળા પાસે, જામનગરના સૌજન્યથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ सांचोर राजस्थान [રાજસ્થાનમાં સાંચોરના ૪૦૦ વર્ષ પ્રાચીન મહાવીરસ્વામી દેરાસરમાં | બિરાજમાન શ્રી માણિભદ્રજી ] પૂ.આ.શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્નપૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ-સાંચોર (સત્યપુર) રાજસ્થાનના સૌજન્યથી. For Private & Personal use only Page #86 -------------------------------------------------------------------------- ________________ - પૂના આ ભi Aતી. મહારાષ્ટ્ર પૂના નગરના તીર્થતુલ્ય શ્રી ગોડી પાર્વેનાથ જિનાલયના પરિસરમાં બિરાજમાન માણિભદ્રજી ] પૂ. સૂરિમંત્રારાધક આ.દે.શ્રી.વિ. જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ગોડીજી મંદિરમાં ચાર્તુમાસ દરમ્યાન થયેલ વિવિધ આરાધનાઓ નિમિત્તે પૂજ્ય મુનિ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા. તથા પૂ. મુનિશ્રી અજિતશેખર વિજયજી મ.સા.ની પ્રેરણાથી. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, ૧૧૦–બ/૧૧૧, ગુરુવાર પેઠ, પૂના ૪૧૧૦૪૨ના સૌજન્યથી. Jain Education Intematonat For Privae & Personal use only Page #87 -------------------------------------------------------------------------- ________________ માંડવીચોક રાજકોટ ગુજરાત શ્રીમણિભદ્રજી વીર [રાજકોટ – માંડવી ચોક જૈન દેરાસરમાં બિરાજમાન માણિભદ્રજી ] ૭૫ પૂ. આગમોદ્વારકશ્રીના શિષ્યરત્ન ગચ્છાધિપતિ પૂ. સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ.ગુણરત્નસાગરજી મ.ના માસક્ષમણ તથા પૂ.સા.શ્રી શીલરેખાશ્રીજી મ.નાં પ્રશિષ્યા સુચેતાશ્રીજી મ.ના વર્ષીતપ નિમિત્તે શ્રી રાજકોટ તપાગચ્છ જૈન સંઘ, માંડવીચોક દેરાસર, રાજકોટના સૌજન્યથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ તળેટીરોડ ઉપર હિંમતવિહાર પાલીતાણા L धर्मशाला मध्ये श्री शान्तिनाथजन नतन मन्दिर सारा श्री सामन्यदभाई तद्धमपत्नि श्रदिवालीबाई तत्पुत्र श्रीकान्ति'लालतद धर्मपत्नि श्रीकान्ताचाई श्रीराजवाड़ त्य नया स्वमातापित्रादि कुटुम्ब प्रयोजन झासून भक्ता ૭ [શ્રી મનોકામના પૂરણ માણિભદ્રજી પાલીતાણા હિંમતવિહાર દેરાસરજી] પ્રશાંતમૂર્તિ અધ્યાત્મયોગીરાજ પૂ.આ. મહારાજશ્રી શાંતિવિમલસૂરિજી મ. સાહેબના સદુપદેશ અને પ્રેરણાથી ધ્રાંગધ્રા નિવાસી ગાંધી કાંતિલાલ સોમચંદભાઈ તથા તેમનાં ધર્મપત્ની કાંતાબેન તથા સુપુત્રી સરોજબેને સ્વદ્રવ્યથી આ મૂર્તિ ભરાવી પ્રતિષ્ઠિત કરેલ છે. સં.૨૦૩૫ વૈશાખ સુદ ૬ બુધવાર. પૂ.આચાર્ય મ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.સાહેબની આચાર્ય પદવીની યાદગીરી નિમિત્તે પૂ.મ.શ્રી વિજયવિમલજી મ.સાહેબની શુભ પ્રેરણાથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ तखतगढ बडामंदिर मारवाड 99 [મારવાડમાં તખતગઢમાં બિરાજમાન માણિભદ્રજી ] સવાણી ટ્રાન્સપોર્ટ લિ.ના બ્રૉડવે શૉપિંગ સેન્ટર, રજે માળે, ડૉ. આંબેડકર ચોક, દાદર ટી.ટી., મુંબઈ ૪૦૦૦૧૪ના સૌજન્યથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ ાન ભંડારમાંથી પ્રાપ્ત એક વિશિષ્ઠ કલાકૃતિ KRJ શ્રી નીતિસૂરિ સમુદાયના પ્રભાવક પૂ. આચાર્યશ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા.ના ૭૮) સમૃદ્ધ જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત – શ્રી માણિભદ્રજીનું એક પ્રાચીન ચિત્રાંકન પ્રેષક : અમૃતલાલ જૈન, પો. ગુલાબગંજ, જિ. સિરોહી (રાજસ્થાન). Page #91 -------------------------------------------------------------------------- ________________ ઈચલોકજી જુના મંદિર મહાથણ [ મહારાષ્ટ્રમાં ઈચલકરંજીના જૂના મંદિરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનમંદિરે બિરાજમાન શ્રી | માણિભદ્રજી] નમોનમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે ! સૂરિમંત્રારાધક પૂ.આ.દે.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્ય મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજય મ.સા.ની પ્રેરણાથી - શ્રી વાસુપૂજ્ય ભગવાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, વૉર્ડ નં.૧૦, ઘર નં. ૧૬૪/૩, મેઈનરોડ , માળ ભાગ . જિ. કોલ્હાપુર. ઈચલકરંજી (મહારાષ્ટ્ર) –૪૧૬૧૧૫ના સૌજન્યથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ฟ [જયપુરના એક આર્ટિસ્ટ માલીરામજી શર્મા દ્વારા થયેલા ચિત્રાંકનમાં શ્રી માણિભદ્રજી ] શાસનસમ્રાટ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી ધર્મધુરંધરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ. શ્રી ૮૦ ) કુન્દકુન્દ સૂરિજી મ.સા.ના શિષ્ય પૂ.મુનિશ્રી વિનયધર્મવિજયજી મ.ની નવાણુયાત્રાની સ્મૃતિ નિમિત્તે શ્રી રતિલાલ કુંવરજી ઠાર, પાલીતાણાવાળા (હાલ કાંદીવલી) હઃ બિપીનભાઈ, ઈન્દુભાઈ, પરાગકુમાર. ના સૌજન્યથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ તસવ. [ મહારાષ્ટ્રના તાસગાંવમાં ૧૦૫ વર્ષ પ્રાચીન શ્રી ઋષભદેવ જિનમંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી | માણિભદ્રજી] નમોનમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે ! પૂજ્ય મુનિરાજશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી. શ્રી ઋષભદેવ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, સોમવાર પેઠ–જિ. સાંગલી, તાસગાંવ (મહારાષ્ટ્ર) પિન-૪૧૩૧૨. Jain E.colion International For Private & Personal use only www.ainelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ દર ફ્રલ્હા ર મહ૮૨૮ [મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] શ્રી સંભવનાથ જિનમંદિરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી પૂ.સૂરિમંત્રારાધક આ.દે.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી. શ્રી સંભવનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ડી–પ, ગુજરી, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ના સૌજન્યથી. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) Page #95 -------------------------------------------------------------------------- ________________ એક સાધક પાસે अई नमः" अ सि आ उ सा नमः श्री माणिभद्रा दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम।।। में ही श्री भगवते श्री माणिभदाय ही श्री का कणा क्ली फण फट् फट् स्वाहा। રિંગરેખાના કુશળ કલાકારે ચિત્રાંકન કરેલું શ્રી માણિભદ્રજીનું નયનરમ્ય ચિત્ર] ફોટો પ્રાપ્ત : પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા. પાસેથી. પ.પૂ.આ.શ્રી વિજયભદ્રસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શાસનપ્રેમીઓના સૌજન્યથી. Jain Education intematonal For Private & Personal use only Page #96 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારતના શત્રુંજયસમા કુંભોજગિરિ ગિરિરાજ ઉપર ૮૪ કુંભોજગા૨ [ શ્રીકુંભોજગિરિ તીર્થાધિપતિ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદાના રંગમંડપમાં ગિરિરાજ ઉપર બિરાજમાન શ્રી માણિભદ્રજી જે ૧૩૦ વર્ષ પ્રાચીન છે ] નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે । સૂરિમંત્રારાધક આ.દે.શ્રી વિ.જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પાંચવાર સૂરિમંત્ર આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી—શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ (કુંભોજગિરિ તીર્થ ), મુ. પો. બાહુબલી, તા. હાતકૉંગલે, જિ. કોલ્હાપુર – ૪૧૬૧૧૦ તરફથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ અન્ની જિજ એક્ટિ મટે - ગુજર પૂના મહારાષ્ટ્ર [પૂના-ઓસવાલ દેરાસરના ૧૪૦ વર્ષ પ્રાચીન–ચમત્કારિક માણિભદ્રજીની પ્રતિમા] - પૂ.મુનિરાજશ્રી દિવ્યરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી. શ્રી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, પૂનાસતારા રોડ, પૂના (મહારાષ્ટ્ર)ના સૌજન્યથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ e મહાવીર જિન્નાલય દેવાના પા મદ્રાસ 0 104. श्रीमाणिभद्रदेव [ મદ્રાસ મહાવીર જિનાલય દેવદર્શન ઍપાર્ટમેન્ટમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] દક્ષિણકેશરી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મહાવીર જિનાલય દેવદર્શન ઍપાર્ટમેન્ટ – મદ્રાસના સૌજન્યથી. c. coca Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉંઝા ઉ.ગુજરાતના [ ઉંઝા (ઉમાપુર)નગરે કુંથુનાથ જિનાલયની બાજામાં યતિ શ્રી માલદેવજીના સાધનાસ્થળે યક્ષરાજશ્રી માણિભદ્રજી તથા યતિરાજની ગાદી 1. ૫.પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજ બને પૂજ્યોની સુરતમાં આચાર્યપદ પ્રદાન પ્રસંગની સ્મૃતિ નિમિત્તે શ્રી સુરતના શેઠ નેમચંદ મેલાપચંદ ઝવેરીના, શ્રી અનંતનાથજી ભગવાનના દેરાસરજી તથા વાડીના ઉપાશ્રયનું ટ્રસ્ટ, ગોપીપુરા, જૂની અદાલત પાસે, સુરત – ૩૯૫૦૦૧ના સૌજન્યથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ મહાવીરપુરમ છે જિ. સુરેન્દ્રનગર ગુજરાત શ્રી મહાëરપુરમ fમાં બિરાજમાળ ઇઝરાજ [સુરેન્દ્રનગર -ચોટીલા પાસે શ્રીમહાવીરપુરમ તીર્થમાં બિરાજમાન ૬૧ ઈંચ ઊંચી - રક્તવર્ણની નવ હાથી ઉપર ઊભી નવગ્રહયુક્ત વિશિષ્ટ પ્રતિમા ] પ.પૂ.આ.દેવ શ્રીપુણ્યોદયસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વાંકાનેર જૈન તપગચ્છ સંઘ - દેરાસર શેરી, વાંકાનેરના સૌજન્યથી. ૧૯૫ વર્ષ પ્રાચીન તારંગાવતાર શ્રી અજિતનાથ જિનાલય તથા ચંદ્રપ્રભ જિનાલય | For Private & Personal use only Page #101 -------------------------------------------------------------------------- ________________ પાવાગઢ જિ. પંચમહાલ ગુજરાત [પંચમહાલ જિલ્લામાં પાવાગઢ તીર્થેસદ્ધપીઠમાં બિરાજમાન શ્રી માણિભદ્રદેવ ] ૮૯ પૂ. મુનિશ્રી નવીનચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ, પાવાગઢના સૌજન્યથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઈરલામપુર મહારાષ્ટ્ર [મહારાષ્ટ્રના ઇસ્લામપુર મધ્યે શ્રીવાસુપૂજ્યસ્વામી જિનમંદિરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] | નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે | ) પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - જિ. સાંગલી, ઇસ્લામપુર (મહારાષ્ટ્ર) પિન–૪૧૫૪૦૯ ના સૌજન્યથી. For Private & Personal use only Page #103 -------------------------------------------------------------------------- ________________ तखतगढ बडामंदिर मारवाड [ મારવાડમાં – તખતગઢમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ]. (હ) પૂ.મોટાભાઈ જગદીશભાઈ તથા નાનાભાઈ શિરીષભાઈના પુણ્યાર્થે શ્રીસંઘના દર્શનાર્થે.. રાજેન્દ્ર કુંદનલાલ ઝવેરીના સૌજન્યથી (મુંબઈ – જૂહુ ) www.ja nelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમજાય જન સદા હિસરા-મજૂર ૯૨ [શ્રી સાચાદેવ સુમતિનાથ ભગવાન જૈનમંદિરના પરિસરમાં—પટમંદિરમાં બિરાજમાન] નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે । પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી— શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ—તા. કરાડ, જિ.સતારા,મસૂર—(મહારાષ્ટ્ર) પિન-૪૧૫૧૧૦ ના સૌજન્યથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વટશ્યૂઇશ્વાચી (નટ સંદ૨)મટે છે? ચલકરંજી નયા મંદિર મહારાષ્ટ્ર शाल-शनिमालोबीमाजिभद्रसरस्परपीगासन [ મહારાષ્ટ્રમાં ઈચલકરંજીના નયા મંદિરમાં બિરાજમાન માણિભદ્રજી] | નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે ! પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી.શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન શ્વેતામ્બર નયા મંદિર, સંચાલિત, શ્રી રાજસ્થાની જૈન શ્વે. મૂર્તિપુજક સંઘ ૧૦/ર૯૮ ઈ, બાવણે ગલી, બંગલા રોડ ક્રોસ, ઈચલકરંજી ૪૧૬૧૧૫ (જિ. કોલ્હાપુર) ના સૌજન્યથી. For Private & Personal use only Page #106 -------------------------------------------------------------------------- ________________ મી.રજે राजस्थान सांडेरावहालमीरज मोहनलाल नीहालय पारस्यका जानकाराधितेय श्रीमनमा घामतिवि०२ [ મહારાષ્ટ્રના મીરજમાં બિરાજમાન માણિભદ્રજી ] પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથીश्री जैन श्वेताम्बर वासुपूज्य स्वामी दहेरासर ट्रस्ट, शनिवार पेठ, मीरज-४१६४१० (जि सांगली ) (महाराष्ट्र)ना सौजन्यथी For Private & Personal use only Page #107 -------------------------------------------------------------------------- ________________ ગોદાવરીનગર વાસાણા અમદાવાદ ...ટેક . -અષ્ટote [અમદાવાદ – વાસણા-ભીડભંજન પાશ્ર્વનાથ મંદિરમાં બિરાજમાન ઈન્દ્ર મહારાજા માણિભદ્રદેવ. સોનું ચડાવેલ–પંચધાતુની આ મૂર્તિ નયનરમ્ય ભાસે છે ] અમદાવાદમાં ર૦૫રમાં પ.પૂ.આ.શ્રી મહાયશસાગરસૂરિજી મ.સા.ના આચાર્યપદવી પ્રસંગની સ્મૃતિ નિમિત્તે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ - દેરાસરની બાજુમાં ગોદાવરીનગર સોસાયટી, વાસણા-અમદાવાદ ૩૮૦૦0૭ના સૌજન્યથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ श्री मणी भदजी हस्तिनापुर उ. भारत दर्शनार्थ भाई छना मना है। | હસ્તિનાપુર : બાર કલ્યાણકોની ભૂમિ જ્યાં શ્રી શ્રેયાંસકુમારે ભગવાન આદિનાથને ઈક્ષરસનાં - પારણાં કરાવ્યાં હતાં ત્યાં બિરાજમાન માણિભદ્રજી ] જેમની સરળતા અને સાધુતા સહજ રીતે મનને આકર્ષી જાય તેવા પૂ.આ.શ્રી વિજયઅશોકરત્નસૂરિજી મ.શ્રી જેઓ હમણાં જ બેંગલોરમાં ૧00મી ઓળી પૂર્ણ કરનાર લબ્ધિસૂરિ સમુદાયમાં સર્વપ્રથમ આચાર્ય. છે. પૂજ્યશ્રીના ૧00મી ઓળીના પારણા નિમિત્તે શા ઘેવરચંદજીનાં ધર્મપત્ની સુંદરબેન રાજસ્થાનમાં માંડવલા. ફર્મ : રેખા પેપર માર્ટ, ૩૪૭ કુંભાર પેઠ, એવન્યુ રોડ, પો. બેંગલોર (કર્ણાટક)ના સૌજન્યથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ अयोध्या उ. भारत નિરતિચાર ચારિત્રપ્રેમી વાત્સલ્યમયી માતા પૂજ્ય સાધ્વીજી (૯૭) શ્રી હેમરત્નાશ્રીજી મહારાજના સંયમજીવનની અનુમોદનાર્થે સા. સંવેગનિધિશ્રીજી મહારાજની પ્રેરણાથી એક સગૃહસ્થના સૌજન્યથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ શિવપુ [ના પદેથ स्वयंभू प्रकटित चमत्कारी श्रीमणिभद्रवीर (3) बेवकूलिका निर्माण- श्री [ મધ્યપ્રદેશમાં ઇન્દોર–દેવાસ પાસે બાર એકર જમીનમાં માણિભદ્રજીના વિશાળ, સ્વયંપ્રકાશિત સ્થાન શિવપુરમાં બિરાજમાન માણિભદ્રજી ] ૯૮) સુપ્રસિદ્ધ પ્રવચનકાર માલવરત્ન પૂ. પંન્યાસ પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. તથા પૂ. મુનિશ્રી અશ્વસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી માણિભદ્રવીર જૈન સાધના કેન્દ્ર–શિવપુર, મુ.પો. માતમોર વાયા કન્નોઈ (જિ. દેવાસ )ના સૌજન્યથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ પેઠ વડગાંવ જિ. કોલ્હાપુર મહારાષ્ટ્ર, [ મહારાષ્ટ્રના પેઠ–વડગાંવમાં શ્રી સંપ્રતિકાલીન શાંતિનાથ ભગવાનના જિનાલયની બહારના ઉપાશ્રયના ઓરડામાં બિરાજમાન માણિભદ્રજી ] અનેકાન્ત દેશનાદક્ષ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન વર્ધમાન તપસ્વી પૂ.પં. પ્રવરશ્રી વરબોધિવિજયજી ગણિવરના શિષ્ય પૂ. મુનિરાજશ્રી હર્ષબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી (પેઠ) વડગાંવ જૈન શ્વેતામ્બર સંઘના સૌજન્યથી (પેઠ) વડગાંવ (જિ. કોલ્હાપુર)ના સૌજન્યથી. = = Page #112 -------------------------------------------------------------------------- ________________ पू. श्रीमद् जितविजयजीमै गच्छस्य अनुयोगाचार्य ज्योति विशा भद्रानंद विजयजी गणिवरैः प्रतिष्ठापित कारितं च विराश्री जैन (૧૦૦ વીટા જિ. સાંગલી મહારાષ્ટ્ર [મહારાષ્ટ્રના વીટા શહેરમાં શ્રીસંભવનાથભગવાનના જિનમંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ] નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે । પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ –વિટા (જિ. સાંગલી ) ૪૧૫૩૧૧ના સૌજન્યથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ સર્વોદય પાર્શ્વનાથનગર ygos (West) મહારાષ્ટ્ર પ્રેરક :- પૂજ્ય મુનિરાજ શ્રી હર્ષબોધિવિજયજી મહારાજ. (૧૦૧) સર્વોદય પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, નાદુર રોડ, મુલુન્ડ (વે.) મુંબઈ -૪00000ના સૌજન્યથી. Jain Education international For Private & Personal use only Page #114 -------------------------------------------------------------------------- ________________ વારા જિ. ખેડા ગુજરાત neીશી મોકગી શાદ વીરદાદા [ સારસા તીર્થમાં ચમત્કારિક યક્ષરાજ શ્રી માણિભદ્રજી ] (૧૦૨) પૂ.મુનિરાજશ્રી ચારિત્રવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી – શ્રી સુરદેવસ્વામી જૈન તીર્થ ટ્રસ્ટીગણ-સારસા-(જિ.ખેડા)ના સૌજન્યથી. For Private & Personal use only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ 더더풀장 શ્રી યશોવિજયજી આરાધના ભવન *********** [સિદ્ધગિરિક્ષેત્રમાં તળેટી રોડ ઉપર બાલમંદિર પાછળ ગિરિરાજ સોસાયટીમાં શ્રી યશોવિજયજી આરાધના ભવનમાં બિરાજમાન માણિભદ્રજીની આ મૂર્તિ ખૂબ જ પ્રભાવક છે] પ્રવર્તક મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન તપસ્વી પૂ. મુનિશ્રી મહાભદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી. શ્રી યશોવિજયજી આરાધના ભવન – પાલીતાણાના સૌજન્યથી. હઃ ડાહ્યાભાઈ ચિમનલાલ શાહ (આગલોડવાળા) હાલ મુંબઈ . પૂ. પાલીતાણા. Page #116 -------------------------------------------------------------------------- ________________ બોરીવલી દોલતનગર મુંબઈ [મુંબઈ–દોલતનગર–બોરીવલી (ઈસ્ટ)માં બિરાજમાન માણિભદ્રજી ] (૧૦૪) પૂજ્ય મુનિરાજશ્રી હર્ષબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, દોલતનગર – બોરીવલી (ઈસ્ટ) મુંબઈ – ૬૬ના સૌજન્યથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ રજ વિરમગામ પાસે ઉ. ગુજરાતી [ વિરમગામ પાસે ઉઘરોજમાં માણિભદ્રજીનું સ્વતંત્ર મંદિર ] (A) પ.પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.સા.ની શુભ પ્રેરણાથી. નરતા નિવાસી વેરીમલજી તારાજી હરણ પરિવારના સૌજન્યથી. હ ભેરૂભાઈ ચંપાલાલજી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ની મગોબેરે વીર. રરોજ વિરમગામ પાસે ઉ. ગુજરાતી [ વિરમગામ પાસે ઉઘરોજમાં બિરાજમાન માણિભદ્રજી ] બુદ્ધિ – કીતિ – કૈલાસ- સુબોધ –મનોહર - જય ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આયોજિત અમદાવાદથી શંખેશ્વર છ'રી પાલિત સંઘ, સં.૨૦૫૩ તા.૧૩/૧ર/૯૬થી રર/૧ર/૯૬ નિમિત્તે પ.પૂ.વ.ગ.આ.ભ.શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય તપસ્વી મુનિવર્ય શ્રી જયકીર્તિસાગરજી મ.સા.ના સદ્ ઉપદેશથી ભક્તજનોના સૌજન્યથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ કરાડ મહારાષ્ટ્ર ૧૦૭ [મહારાષ્ટ્રના કરાડ મુકામે શ્રી અભિનંદનસ્વામી જિનમંદિરે બિરાજમાન બે વર્ષ પૂર્વ પ્રતિષ્ઠિત થયેલા માણિભદ્રજી ] નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે। પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી– શ્રી શિવાજી ક્લોથ માર્કેટ જૈન સંઘ, બુધવાર પેઠ, સ્ટેશન રોડ, જિ. સતારા, કરાડ–૪૧૫૧૧૦ના સૌજન્યથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ કરાઇ મહારાષ્ટ્ર B 50 - શ્રી સંભવનાથ જિન મંદિર માં [મહારાષ્ટ્રના કરાડમાં સંભવનાથ જિનમંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ] ૧૦૮ પ. પૂજ્ય મુનિ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથીશ્રી સંભવનાથ મહારાજ ટ્રસ્ટ–કરાડના સૌજન્યથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ श्री माणीभद्र वीर. S Gર [મહારાષ્ટ્રના કરાડ મુકામે શ્રી સંભવનાથ દેરાસરના પાછળના ભાગે અલગ નિર્મિત શ્રી શાંતિનાથ ચૌમુખજી મંદિરમાં અલગ દેરીમાં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ.આ.દે.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં પ.પુજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી– શ્રી સંભવનાથ મહારાજ ટ્રસ્ટ ,૫૬, રવિવાર પેઠ, જિ. સતારા. કરાડ (મહારાષ્ટ્ર)-૪૧૫૧૧)ના સૌજન્યથી. Jain Education Intematonal For Private & Personal use only www.jalne oraly.org Page #122 -------------------------------------------------------------------------- ________________ श्रीवीरमाणिमद्रजी હીર મીરજ મહારાષ્ટ્ર જીરજ મહારાષ્ટ્રના મીરજમાં શ્રી સુમતિનાથ જૈન દહેરાસરના રંગમંડપમાં બિરાજમાન માણિભદ્રજી | પ.પૂ.આ.દે.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નીશ્રામાં પ. પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી.શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, ભગવાન સુમતિનાથ માર્ગ. એસ.ટી.સ્ટેન્ડ સામે,જિ.સાંગલી. મીરજ (મહારાષ્ટ્ર) ૪૧૬૪૧૦ના સૌજન્યથી. Jain Education Intematonal For Private & Personal use only Page #123 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારતના શરથરામા કુંભોજગિરિની તળેટીમાં ૧૧) [ કુંભોજગિરિ તીર્થની તળેટીમાં બિરાજમાન માણિભદ્રજી ] નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે | સૂરિમંત્રારાધક પ.પૂ.આ.દે.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.તથા પૂજય મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી– શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ (કુંભોજગિરિ તીર્થ) મુ. પો. બાહુબલી, તા. હાતકણંગલે, જિ.કોલ્હાપુર -૪૧૬૧૧૦ તરફથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ PCG00 B60780878001800x860786078aexga श्री उवसणहरं पावं तीर्थ के प्रकट प्रभावी अधिष्टायक देव श्री माणिभद्रवीर ११२) [શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થના પ્રગટપ્રભાવી અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીર ] પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરિજી મ.સા.ની પ્રેરણાથી. हरीश जे. हिरानी, भिलाइ (म. प्र.) के सौजन्यसे । यह तीर्थस्थान में श्री रावतमल जैन मणि का अच्छा योगदान है। Shri Uvasaggaharam Parshwa Tirth, Paras Nagar, DURG (M.P.) For Private & Personal use only Page #125 -------------------------------------------------------------------------- ________________ કારેલીબાગ વડોદરા ગુજરાત / /// [વડોદરા કારેલીબાગમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] પ્રેરણા : પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મહાનન્દસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય... આચાર્યદેવ શ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મ.સા. શ્રીમતી દિવાળીબેન રૂપશીભાઈ છાડવા, વડોદરા-હાલ મુંબઈના સૌજન્યથી. Jairi o mational For Private & Personal use only www.janesbrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ 事 ૧૧૪ [ મુંબઈ ગોવાલિયા ટેન્ક જિનમંદિરે બિરાજમાન શ્રી માણિભદ્રજી ] સૌરાષ્ટ્રમાં જોરાવરનગરવાલા હાલ મુંબઈ ચંદુલાલ ભાઈચંદ તથા નવીનચંદ્ર ભાઈચંદ સહ પરિવાર ૪/૪૪ વૉર્ડન કોર્ટ બિલ્ડિંગ, ગોવાલિયા ટેન્ક રોડ, મુંબઈ-૪૦૦૦૩ના સૌજન્યથી . ફોન નં. ® ૩૪૫૪૫૩ ૦ ૩૮૩૩૯૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભાંડુપ - West મુંબઈ મહારાષ્ટ્ર मुंबई वि.स.२०५२ फा [મહારાષ્ટ્રમાં ભાંડુપ (વેસ્ટ)માં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] (૧૧૫) પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઈશ્વરનગર, ભાંડુપ (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૭૮ના સૌજન્યથી. आ.श्री म Page #128 -------------------------------------------------------------------------- ________________ નવજીવન સોસાયટી મુંબઇ [શ્રી ભીડભંજન પાર્શ્વનાથ નવજીવન સોસાયટી જૈન દહેરાસરે બિરાજમાન શ્રી માણિભદ્રજી ] નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયે । ૧૧૬) પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયમ.સા.ની પ્રેરણાથી. શ્રી નવજીવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ૧૭/૧,નવજીવન સોસાયટી, મુંબઈ–૪૦૦૦૦૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાણીભદ Jain cation International વોર [ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરા ગામની બાજુમા આવેલ રૂની તીર્થમાં બિરાજમાન શ્રીમાણિભદ્રવીર] ૧૧૭) ની વિ.સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ – ને રવિવારના રોજ પૂ આ.શ્રી ભક્તિસૂરિજી મ.સા.ના પટ્ટાલંકાર પૂ આ.શ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા., પૂ આ.શ્રી કલ્પજયસૂરિજી મ.સા. આદિ સપરિવારે પ્રતિષ્ઠા કરાવી. મૂર્તિ ભરાવનાર : મુંબઈ નિવાસી શાહ છોટાલાલ કલ્યાણજી પરિવાર. પ્રતિષ્ઠા કરનાર ઃ થરા નવાસી ચોથાલાલ સંપ્રતિચંદ પરિવાર : શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થ પ્રભાવક ટ્રસ્ટ, રૂની (જિ. બનાસકાંઠા )ના સૌજન્યથી. રૂની જિ. બનાસકાંઠા ગુજરાત Page #130 -------------------------------------------------------------------------- ________________ | વિજાપુર ) વિજાપુર ઉં. ગુજરાત શ્રી. માણભદ્ર વીર ૧૧૮ [ઉત્તરગુજરાતના વિજાપુરમાં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ. ચારિત્ર ચૂડામણિ પરમ આદરણીય,વંદનીય,સ્મરણીય,લિકાલે ઉત્કૃષ્ટ ચારિત્ર-ક્રિયાશીલ પૂજ્યપાદ રવિસાગરજી મહારાજ સાહેબના શતાબ્દી મહોત્સવ નિમિત્તે રવિસમ રવિસાગર ગુરુવર તપગચ્છમાંથી શોભતા,ચારિત્રને ક્રિયાશીલ ગુરુવર કલિકાલે જે દીપતા, શતાબ્દી જેની ઉજવાયે જે સાગરપાટ શોભાવતા, સ્વર્ગે બિરાજેલા ગુરુના આશીર્વાદ સહ માંગતા, યશોવિજય પાઠશાલાના સ્થાપક જ્ઞાનગંગા વહાવતા, મહેસાણા ગામને જૈનની કાશી રૂપે બનાવતા, પ્રથમ વિદ્યાર્થી, પ્રથમ શિક્ષક, પ્રથમ દીક્ષિત જે હતા, એવા બુદ્ધિસાગર પ્રશિષ્યને પાટપરંપરા આપતા. સૌજન્યઃ ૫.પૂ.જયપ્રભાશ્રિજી મ.ના કાલધર્મનિમિત્તે ગુરુભકિત નિમિત્તે સા. પુણ્યપ્રભાશ્રીજી મ.ના સદુપદેશથી એક સદગૃહસ્થ તરફથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ 22 વરુ 22. જિદ હિંટ ગઠદે શી હાટ). अथनी कर्नाटक [ કર્ણાટકનું પ્રવેશ દ્વાર અથણીમાં વાસવર્યાદિત શ્રી વાસુપૂજ્યસ્વામી જિનમંદિરે રંગમંડપમાં શ્રી માણિભદ્રજી ]નમો નમઃ શ્રી ગુરુ ભુવનભાનુસૂરયેT | પ.પૂ.આ.દે.શ્રી વિ. જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂ. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા. અને પૂ. મુનિશ્રી દિવ્યશેખરવિજય મ.સા. ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, બુધવાર પેઠ, જિ. બેલગાંવ, અથણી (કર્ણાટક) – પિન–પ૯૧૩૦૪ Jain ..con international www.alibaly.org Page #132 -------------------------------------------------------------------------- ________________ निपाणी कर्नाटक ૧૨૦ કર્ણાટકના નિપાણીમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી બાવન જિનાલયતીર્થમાં માણિભદ્રજીની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૯ માગશર સુદિ–૧૦ નિશ્રાપ્રેરક પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.ની પ્રેરણાથી શ્રીચંદ્રપ્રભુ મહારાજ તીર્થ પેઢી (કારખાના) ગુરુવાર પેઠ—નિપાણી-કર્ણાટકના સૌજન્યથી. Jain Education international For Private & Personal use only Page #133 -------------------------------------------------------------------------- ________________ હCTીથી હાલ્ટલ્ટ તીર્થ જિ. જામનગર ગુજરાન მანიმენიშნიდინიდინით જ વરસાદ સારો ર ર ર ર રર DS હાલારતીર્થ લંડન આફિકા અમેરિકા ઑસ્ટ્રેલિયા-ભારતના વિવિધ પ્રાંતોના સંઘોની હાજરીમાં પૂ.આ.શ્રી પ્રદ્યોતનસૂરિજીની નિશ્રામાં –મહાસુદ-૧૩, ૧૯૯૩માં પ્રતિષ્ઠિત થયેલ આ મૂર્તિ બિરાજમાન છે. ખૂબ જ પ્રભાવક છે. પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી. હાલાર તીર્થ પેઢી, મુઃ વડાલી સિંહણ (જિ.જામનગર)ના સૌજન્યથી. Jam auctor international Formale & Personal Use Only elibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ खीवान्दी नयामंदिर मारवाड [રાજસ્થાનમાં ખિવાન્દીના નયા મંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.સા.ની શુભ પ્રેરણાથી ચંપાલાલ સાવલચંદજી બાફના પરિવાર, ભીનમાલવાસી હાલ મુંબઈના સૌજન્યથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ खावान्दी हीराबाग मंदिर मारवाड [ મારવાડમાં ખિવાન્ટી-હીરાબાગમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] CURTSEY By SHRI C.K. MEHTA DEEPAK TRADING CO. 72, ADVENT, 12-A, Foreshore Road, Bombay-1. Page #136 -------------------------------------------------------------------------- ________________ झरीआ बिहार [ બિહારમાં ઝરિયા મુકામે બિરાજમાન શ્રી માણિભદ્રજી] પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા.ના ૧૦0૮ એકાંતર આયંબિલ તથા પૂ. સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ.સા.ના બે માસક્ષમણ તથા સિદ્ધિતપની અનુમોદનાર્થે અમિતભાઈ શાંતિલાલ શાહ તથા પ્રકાશભાઈ લક્ષ્મીચંદ સંઘવી તરફથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ Sિ મોટા પોરીના શું જિ. સાબરકાંઠા ગુજરાતા [ સાબરકાંઠા જિલ્લાના મોટા પોશીના મુકામે વીરબાપજીની પ્રભાવકતા ખૂબ જ છે, ક્ષેત્રપાલ અને શ્રી માણિભદ્રજીનું સ્થાન મંદિર ] * શ્રી મોટા પોશીના જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર ટ્રસ્ટ | મુ: મોટા પોશીના – તાલુકો ખેડબ્રહ્મા(સાબરકાંઠા)ના સૌજન્યથી. * શ્રી બાબુલાલ પુંજીરામ મહેતા, શ્રીમતી જશીબહેન મહેતા | શ્રી વિનોદકુમાર બાબુલાલ મહેતા, શ્રીમતી જાગૃતિબહેન મહેતા, કડોલી નિવાસી સહ પરિવારના સૌજન્યથી. For Privale & Personal use only www.jainenbrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ नवा नागेश्वर श्रीमाणिभद्रजी भंकरनगर राजस्थान નાગેશ્વરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] આચાર્ય ભગવંત શ્રીમદ્ માનતુંગસૂરિશ્વરજી મ.સા.ના સ્મરણાર્થે છોટાલાલ મણિલાલ શેઠ (સાવરકુંડલાવાળા) પરિવારના સૌજન્યથી C. CHHOTALAL & CO. FANCY CLOTH MERCHANTS 589. Narayan Chowk, Mulji Jetha Market, MUMBAI - 400 002. For Private & Personal use only Page #139 -------------------------------------------------------------------------- ________________ CASA નહેરૂ બજાર મદ્રાસા ૧૨૭ [ મદ્રાસમાં નહેરુબજાર- જિનાલયમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] . * પ્રેરણાદાતા પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી મ.સા.ના પ્રશિષ્ય મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. (અ.સૌ. ગીતાબહેન સતીશભાઈ સુતરિયાની અટ્ટાઈ તપશ્ચર્યા નિમિત્તે ચિરાગ તથા રીના તરફથી (વિ.સં.ર૦પર * ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી જયઘોષસૂરિજી મ.સા.ના પ્રશિષ્ય મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા.ની પ્રેરણાથી હાર્દિકકુમારની અફાઈ તપસ્યા (વિ.સં.૨૦૫૨) નિમિત્તે પિતાશ્રી ગુણવંતભાઈ શિવલાલ શાહ મધુવંદ સોસાયટી, ઘાટલોડિયા, અમદાવાદ - ૬૮ ના સૌજન્યથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર તીર્થ પાશ્ચપદ્માવતી શકિતપીઠ માં વિરાજીત Jश्रीमाणीभद्र वीराय नमः રd [શ્રી પાર્શ્વપદ્માવતી શકિતપીઠ (શંખેશ્વર )માં વિરાજિત શ્રી માણિભદ્રજી]. શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ આગમ મંદિર શંખેશ્વર જિ. મહેસાણા ઉ. ગુજરાત ૧૨૯ * VI [શંખેશ્વર આગમમંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ] માલવભૂષણ પૂ. આ. શ્રી નવરત્નસાગરસૂરિજી મ. સા.ની ૧૦૦ ઓળીના પારણા નિમિત્તે શ્રી શંખેશ્વર આગમ મંદિર સંસ્થા—શંખેશ્વરના સૌજન્યથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરતીર્થે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રસાદમાં બિરાજમાના શ્રી માણીભદ દેવ (૧૩૦) [ શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન | શ્રી માણિભદ્રજી ] પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ – શંખેશ્વર (જિ. મહેસાણા)ના સૌજન્યથી. Page #143 -------------------------------------------------------------------------- ________________ રતનપોળ અમદાવાદ ૧૩૧ [અમદાવાદ નાગોરીશાળા–રતનપોળમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] પૂ. આ. દેવશ્રી નરદેવસાગરસૂરિજી મ. સા. તથા પૂ. ગણિવરશ્રી ચન્દ્રકીર્તિસાગરજી મ. સા.ની શુભ પ્રેરણાથી શ્રી વાવ જૈન સંઘના સૌજન્યથી, મુઃ વાવ (ઉ.ગુ.) વાયા પાલનપુર (બનાસકાંઠા) Page #144 -------------------------------------------------------------------------- ________________ લેટર લંડન i ૧ ૧ [ લંડન–લેસ્ટરમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી ] પ. પૂ. આ. શ્રી રાજયશસૂરિજી મ. સા.ની પ્રેરણાથી, સમીર પ્લાસ્ટિક કાં.ના સૌજન્યથી. ઑફિસ ફોન.નં. ૭૬૧૨૫૦ KASARPURA LANE BHANDARA ROAD, ITWARI NAGPUR - 2. Jain Education intematonal For Private & Personal use only Page #145 -------------------------------------------------------------------------- ________________ એક સાહક પાસે - પ. પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ. સા.ના ઉપાસ્ય માણિભદ્રજીની આ મૂર્તિ જવાહરમોહરા રત્નમાંથી કુશળ કારીગરે તૈયાર કરી આપી છે. પૂજ્યશ્રીના નિરંતર જાપમાં આ મૂર્તિ ઉપયોગમાં લેવાય છે.] ભક્તજનોના સૌજન્યથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ बाली राजस्थान | [ રાજસ્થાન –બાલીમાં બિરાજમાન માણિભદ્રજી ] * સ્વ. ચીમનલાલ જેઠાલાલ શાહ પરિવારના સૌજન્યથી. હ: વિમલાબેન ચીમનલાલ શાહ,જશુ શાહ,જ્યોત્સના શાહ,પરેશ શાહ, મયૂરી શાહ, દેવાંશી શાહ અને પ્રિયંકા શાહ. * શ્રી કુંવરજી હેમરાજ છેડા, શ્રી ખીમજી હેમરાજ છેડા ,શ્રી પ્રેમજી હેમરાજ છેડા, (કચ્છ) કુંદડીવાળાના સ્મરણાર્થે છેડા ક્વેલરી માર્ટ–ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩ના સૌજન્યથી. For Private & Personal use only Page #147 -------------------------------------------------------------------------- ________________ ચાંદીના સિકકામાં કંડારાયેલી શ્રી માણિભદ્રજીની નયનરમ્ય મૂર્તિ ૧૩૫ ---- આમ 0 [ચાંદીના સીક્કામાં શ્રી માણિભદ્રજી ] કરોડો મંત્રજાપના આરાધક સાઘ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે ભાવુક ભક્તમંડળ તરફથી અષાઢ સુદિ પાંચમ દીક્ષાદિન – ૪મા વર્ષના પ્રારંભે. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, જેલ રોડ, અમરેલી. સ્વ. નંદલાલ દેવચંદ શેઠના સ્મરણાર્થે, હઃ પ્રભાકુંવર નંદલાલ શેઠ,પરેશકુમાર નંદલાલ શેઠ મુંબઈ તરફથી www.armelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીનગર ભાવનગર છોકરી વર ' મગ પરી ઈયાં ત્યાં રા ૧૩૬ [ભાવનગર–શાસ્ત્રીનગર જૈન ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં સ્વતંત્ર દેરીમાં બિરાજમાન શ્રી માણિભદ્રજી] શાસનસમ્રાટ સમુદાયના સમર્થ સાક્ષરવર્ય પ. પૂ. આ. શ્રી ધર્મધુરંધરસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન પ. પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજશ્રીના ૨૦૫૨ના ભાવનગર–શાસ્ત્રીનગર મધ્યે ચાતુર્માસ સ્મૃતિ નિમિત્તે ગુલાબબહેન જમનાદાસ મહેતા તથા મૃદુલાબહેન નવીનચંદ્ર મહેતાના આત્મશ્રેયાર્થે. શ્રી નવીનચંદ્ર જમનાદાસ મહેતા (બારદાનવાલા) સપરિવારના સૌજન્યથી, હઃ અ. સૌ. નિર્મળાબહેન નવીનચંદ્ર મહેતા, ધર્મેન્દ્ર નવીનચંદ્ર મહેતા તથા ધર્મિલ નવીનચંદ્ર મહેતા [શત્રુંજય મહાતીર્થ દર્શન ભાવનગર] Page #149 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામી દેરાસર ભાવનગર . 1 | ભાવનગર સીમંધરસ્વામી જિનમંદિરમાં બિરાજમાન માણિભદ્રજી] શ્રી સીમંધરસ્વામી શ્વે.મૂ. જૈનટ્રસ્ટ (ક્રેસંટ) શ્રી ઘંટાકર્ણ દેરાસર, શ્રી ઘંટાકર્ણ મહાવીર ચોક, ભાવનગરના સૌજન્યથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ હતા. જિ.ગાંધીનગર ગુજરાત ૧૩૮ [ પ્રાચીન – અર્વાચીન જૈન સંદર્ભસાહિત્યની વિપુલ સામગ્રી જ્યાં ઉપલબ્ધ બને છે, તે મશહૂર સ્થાન ગાંધીનગર પાસે કોબા આરાધના કેન્દ્રમાં બિરાજમાન | માણિભદ્રજી ] પ. પૂ. આ. શ્રી પધસાગરસૂરિજી મ. સા.ની પ્રરણાથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાના સૌજન્યથી. For Privale & Personal Use Only W.jainelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણનગર ભાવનગર [ભાવનગર-કૃષ્ણનગરમાં બિરાજમાન માણિભદ્રજી] પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ.આ.શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. આદિ સપરિવારની પ્રેરણાથી શ્રીમતી હીરાલક્ષ્મી રતિલાલ ગિરધરલાલ નરેશ ટી સ્ટોર્સ ] જેિ બી ગ્રૂપ ] ચાવાળા શા શશીકાન્ત–ચંન્દ્રકાન્ત તથા નરેશકુમારના સૌજન્યથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ એક કલાવિ દ્વારા રંગરેખામાં ચિત્રાંકન થયેલું શ્રી માણિભદ્રજીનું સ્વરૂપદર્શન ૧૪૦) [ રાજસ્થાનના જયપુરનું શ્રી માણિભદ્રજીનું આર્ટ ચિત્ર]. છે પ્રેરણા... પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મહાનન્દસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય... આચાર્યદેવ શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ. સા. સૌજન્ય. કારેલીબાગ-દ્વૈ.મૂ.પૂ. જૈન સંઘ, વડોદરા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ડાંગરવા ગામે જમીનમાંથી નીકળેલા માણિભદ્રજી] * ઉત્તમલાલ યુ. શાહ, અરિહંત એન્ટરપ્રાઈઝ, ૧/લે માળે, ૧૫૫ પાંજરાપોળ રોડ, મુંબઈ-૪0000૪ના | સૌજન્યથી. * વોરા અમૂલખ હઠીચંદ [સાંગાણાવાળા પરિવારના સૌજન્યથી. ૭૦૪ મહાવીર ઍપાર્ટમેન્ટ, ૨૪૧ તારદેવ રોડ , મુંબઈ –૪0000૭, ફોન.ઓ.૩૪૨૩૮ર૪, ૩૪૨૩૪૮૮, ઘર-ફોન. નં. ૩૦૮૭૦૭૨, ૩૦૭૯૬૧૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ કG] [ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કૈયલમાં બિરાજમાન માણિભદ્રજી ] * પ.પૂ.આ.શ્રી હેમરત્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી. For Private & Personal use only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સાંગલી [મહારાષ્ટ્રના સાંગલી મુકામે અમીઝરા પાર્શ્વનાથ જિનાલયના પરિસરમાં બિરાજમાન માણિભદ્રજી જેની પ્રતિષ્ઠા નિશ્રાપ્રેરક પૂ. પં. શ્રી જગવલ્લભવિજયજી મ. સા. વિ. સં. ૨૦૫૦ જેઠ સુદિ—૫] નમોનમ : શ્રી ભુવનભાનુસૂરયે । પૂજ્ય મુનિ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર પાર્શ્વનાથ દહેરાસર ટ્રસ્ટ, ૬૯–અ, મહાવીરનગર, સાંગલી–૪૧૬૪૧૬(મહારાષ્ટ્ર) www.janelibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ નિમણિ થનારા મણિભદ્રજી મંદિરનું મોડેલ ચિત્ર પાલીતાણા [ જ્યાં અનંતા પુણ્યવંત આત્માઓનાં પવિત્ર પગલાં મંડાયાં એ સિદ્ધગિરિની તળેટીમાં આકાર લઈ રહેલા માણિભદ્રજીના મંદિરનું મોડેલ ચિત્ર.] પ.પૂ.આ.શ્રી પદ્યુમ્નવિમલસૂરિજી મ. સા.ની પ્રેરણાથી લીંબડી નિવાસી હાલ મુંબઈ અમૂલખ લક્ષ્મીચંદ મણિયાર પરિવારના સૌજન્યથી, હ: જયંતિભાઈ તથા સુરેશભાઈ. Jain Education intematonai For Private & Personal use only Page #157 -------------------------------------------------------------------------- ________________ ચાંદખેડા અમદાવાદ પાસે ગુજરાત [ અમદાવાદ પાસે ચાંદખેડામાં બિરાજમાન માણિભદ્રજી ] જયપુર: ગુલાબનગરી ગણાય છે. જેતરમંતર, ગ્રહોની સ્થિતિ, દિશા અને નક્ષત્રો, સમય વગેરેના અભ્યાસ માટેની વેધશાળા જોવા લાયક છે. રાજપૂતયુગના વાસ્તુશિલ્પ ના અજોડ નમૂના પણ અત્રે જોવા મળશે. જૈન ધર્મના દેવદેવીઓની મૂર્તિઓ માટે અમારો સંપર્ક સાધશો. CHAMPALAL GANESH NARAIN Moorti Artist SHOW ROOM : BHINDON KA RASTA, JAIPUR-302001, Tel:0141 - 317482.WORKSHOP & RESIDENCE: 3020, PUROHITON KA CHOWK, BHINDO KA RASTA, JAIPUR, TEL: 313530.FAX : 14-368418 ના સૌજન્યથી For Private & Personal use only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી માણીભદ્રવી૨ ૨ાધનપુર ૧૪૬ [ઉત્તર ગુજરાતના રાધનપુર મુકામે બિરાજમાન માણિભદ્રજી] પૂ.પં.શ્રી મહાયશવિજયજી મ. સા. તથા પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મ. સા.ની પ્રેરણાથી. મેસર્સ રીન્કુ ગૅસ એન્ટરપ્રાઈઝ, એચ. પી. ગૅસ ડીલર [જી.આઈ.ડી.સી. ] રેલ્વે સ્ટેશન રોડ, ડીસા-૩૮૫૫૩૫ના સૌજન્યથી. હ : રોહિતભાઈ શાંતિલાલ મહેતા (મહુવાવળા ) ફોન. નં.ઘર ૨૧૨૧૮, ઑફિસ. ફોન. ૨૦૮૧૮, * યુવા આચાર્ય શ્રી પ્રભાકરસૂરિજી મ. સા.ની આચાર્યપદવી પ્રસંગ નિમિત્તે બાલમુનિશ્રી મહાપદ્મવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ—અગાસી તીર્થ (વાયા વિરાર )(જિ.થાણા)ના સૌજન્યથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ राजुर महाराष्ट्र [ મહારાષ્ટ્રના રાજાર જૈન દેરાસરમાં બિરાજમાન માણિભદ્રજી યક્ષરાજ ] પ્રતિદિન યક્ષરાજની સમક્ષ સકલ સંઘ સાથે આરતી ઉતારવામાં આવે છે ત્યારે યક્ષરાજના મસ્તક ઉપર બાંધેલું છત્ર નૃત્ય કરે છે. ક્યારેક રાત્રીના પણ ઘંટારવાદિ થાય છે. આ યક્ષરાજની સહાયપૂર્વક સકળ સંઘ મૂળનાયકે પ્રભુ પાર્શ્વનાથની સેવામાં તત્પર બની સર્વ રીતે ઉજમાળ બન્યો છે. ૫.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર પાર્શ્વનાથ મંદિર, રાજાર (તા-અકોલા) જિ. અહમદનગરના સૌજન્યથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ખેડા જિલ્લાના પેટલાદ શહેરમાં યક્ષરાજશ્રી માણિભદ્ર સ્થાનકમાં બિરાજમાન માણિભદ્રદેવ ] કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયમાં આ સ્થાન આવેલું છે. સ્થાનકની દેવકુલિકાનો લાભ શ્રી વિજય આણસુર ગચ્છ જૈન સંઘ, અમદાવાદ તરફથી, પ્રતિમાનો લાભ કાન્તિલાલ છગનલાલ પરિવાર તરફથી, પ્રતિષ્ઠાનો લાભ ચંદ્રકાન્ત કાન્તિલાલ પરિવારે લીધેલ. પૂ.પ્રવર્તક શ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા., પૂ. પં.શ્રી જગવલ્લભવિજયજી મ.સા. આદિ ૬૧ સાધુ- સાધ્વી ભગવંતોની શુભ નિશ્રામાં માણિભદ્ર યક્ષરાજની પ્રતિષ્ઠા સં.૨૦૫ર ફાગણ સુદિ ૧૨ તા. ૨/૩/૯૬ના રોજ થઈ. પ.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. તથા પૂ. મુનિશ્રી ક૯પવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી યક્ષરાજ શ્રી માણિભદ્રવીર સ્થાનક-પેટલાદ (જિ.ખેડા) ના સૌજન્યથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ સાબરમતી રામનગર અમદાવાદ LUVUGU GIVEN स्वस्तिमोगब्याधीशाचार्य मीनदसमस्शयमुलाचन्द्रदमनाया सनमन्दिो पहारकालाल अगमकुरकशिल्पाचायचा वदनसागरमरि प्रेरणा अशी आ.कनसारसायनवासी धसागरस्य अवाममोदर परिबारेण तमामहरीमाभिस्ट्रपकेन्द्रमतिःकारिता विसं.2050. [ અમદાવાદ સાબરમતીમાં આગમોદ્ધારક જ્ઞાનશાળામાં માણિભદ્રજી ] સાબરમતી રામનગરમાં વરસોડાની ચાલી મધ્યે વિ.સં. ૨૦૧૧માં એક જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન થયું, આનંદચંદ્રોદય જિનેન્દ્ર જ્ઞાનમંદિરમાં સુવિશાલ જ્ઞાનભંડારના સ્થાપન પછી આ ભૂમિનો વિકાસ થયો. આ.શ્રી કંચનસાગરસૂરિ મ.સા. દ્વારા આ ભૂમિમાં શત્રુંજય ગિરિરાજની રચના થઈ, તેમના કાળધર્મ પછી તેમની ચરણ પાદુકાની દેરીનું નિર્માણ તે વખતે પૂ.પં.શ્રી પ્રમોદસાગરજી મ. દ્વારા થયું. આ જ્ઞાન શાળામાં જ ૨૭ ઈંચની માણિભદ્રજીની મૂર્તિ પૂ.પં.શ્રી પ્રબોધસાગરજી મ.ના શિષ્ય પ.પૂ.આ.શ્રી પ્રમોદસાગરસૂરિજી મ.દ્વારા સં.૨૦૫૩માં પ્રતિષ્ઠી થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી જેસિંગભાઈ લલ્લુભાઈ ગાંધી (કપડવંજ)ના સૌજન્યથી. Jain Education Page #162 -------------------------------------------------------------------------- ________________ વિધાનગર ભાવનગર ૧૫o [ ભાવનગર - વિદ્યાનગરમાં બિરાજમાન માણિભદ્રજી ] પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.ના શિષ્ય-પ્રશિષ્યો મુનિરાજ દર્શનવિજયજી મ., પં.શ્રી પુંડરીકવિજયજી મ.,પં.શ્રી ચંદ્રકીતિવિજયજી મ., મુનિશ્રી ગુણશીલ વિજયજી મ., મુનિશ્રી રાજહંસવિજયજી મ., મુનિશ્રી લલિતાંગવિજયજી મ., મુનિશ્રી સુબોધવિજયજી મ., મુનિશ્રી જગન્સંદ્રવિજયજી મ., મુનિશ્રી કાન્તિવિજયજી મ., ની પ્રેરણાથી ભાવનગર નિવાસી નરેશ ટી સ્ટોર–કનુ ગ્રૂપ ચાવાળા તરફથી. હઃ મોનીક, નિકેત, નિધિ, લીના. Page #163 -------------------------------------------------------------------------- ________________ કાનજીવાડી નવસારી ગુજરાત सास्तिश्रीतपण संरक्षक श्रीमजिद्रवीरतिरिये नवसारीता-ष्टिनिरंजनभाई ની ની નક ર , ના 2 ના જન વેરરિરિ તે જ છે મ મ રિ પર છ9 P 0 2 ૧૫૧ [ નવસારીમાં કાનજી વાડી પાસે જૈન મંદિરમાં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ.આ.શ્રી વિજય હીંકારચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી. - શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ આદિનાથનગર, કાનજીવાડી, શાન્તાદેવી રોડ-નવસારીના સૌજન્યથી. Page #164 -------------------------------------------------------------------------- ________________ श्री सच्चियाय माता ओसियाँ [ ઓસવાલ પરિવારોમાં સચ્ચિયાય માતાજીની ભક્તિ સાધના પણ ઠીકઠીક રીતે જોવામાં આવે છે. ગુજરાતમાં વિરમગામ | પાસે ઉઘરોજમાં બિરાજમાન માણિભદ્રજીની મૂર્તિ આ સચ્ચિયાય માતાજી નિર્મિત હોવાનું જણાવાય છે.] ૧૫૨ Nemichandji Jain - Shree Suchchiya Mataji Namah - Approved Electrical & Civil Cont. Govt. Licenced Electrical Contractors for Factories, Buildings & Offices VISHAL ENGINEERING WORKS Specialist In:H.T.& L.T. Outdoor, Sub-Station, Industrial Power Sushil Apartment 30/2, Hardevi Society. Jogeshwari (E) Mumbai 400 060.& 8377443/8387841 Page #165 -------------------------------------------------------------------------- ________________ - - : 20 - મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્યુલિભદ્રાધા જેન ધમસ્તુ મંગલ. Page #166 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય કર્તા પાના નં. પ્રેરકશ્રીનો પ્રેરક સંદેશ.. આકરગ્રંથની સમીક્ષાનોંધ પુરોવચન (સંપાદકીય નોંધ) પ.પૂ. આ. શ્રી ચન્દ્રાનનસૂરિજી મ.સા. પ.પૂ.આ.શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા. ૨૦ નિંદલાલ બી. દેવલુક ૨૫ પરમ પાવક ભૂમિનો વિકાસરૂમ પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. સા. ૧૯૧ જંબૂદ્વીપ મધ્ય ભારતભૂમિમાં શ્રી માણિભદ્રજીનાં ત્રણ પાવન સ્થાનોનું ઐતિહાસિક વિહંગાવલોકન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે જૈન ધર્મની દષ્ટિએ જંબૂદ્વીપ અને ભરતખંડ ૨૨૫ - ગિરિરાજ પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ પ્રા.બિપીનચંદ્ર ૨. ત્રિવેદી પૂ. આ. શ્રી મુકિતપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મ. પૂ. મુનિમહોદયસાગરજી ગણિવર્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ. ૨૩૪ તારક તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તે સિદ્ધાચલ પ્રણમું ભક્ત સિદ્ધાચલસિધ્યા સાધુ અનંતા કોડ આગમ અનુસાર વંદુ બે કર જોડ શ્રી શત્રુંજય ગિરિરાજનું દિવ્ય મહિમાગાન.. શ્રી જશુભાઈ જે શાહ (જેન વિધિકાર ) ડૉ. રસેશ જમીનદાર શ્રી શત્રુંજય મહાતીર્થ અને અભિલેખોથી પ્રાપ્ત માહિતી Page #167 -------------------------------------------------------------------------- ________________ | અનુષ્ઠાન વિજ્ઞાન : સાધના વિધાન શ્રી માણિભદ્રવીરનું કથાગીત અને ભક્તિકાવ્યો શ્રી કનૈયાલાલ વલાણી (પાટણનિવાસી હાલ નૈરોબી શ્રી માણિભદ્ર યક્ષા પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા. દિયોદ્ધારક શ્રી આનંદવિમલસૂરિજી અને પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મ.સા ગુરુભક્ત યક્ષરાજ શ્રી માણિભદ્રજી તપાગચ્છીય આચાર્ય ભગવંતો સંકલનું પૂ. આ.શ્રી. પૂણ્યોદયસાગરસૂરિજી મ.સા. પૂ. ગણિવર્યશ્રી દિવ્યાનંદસાગરજી .. માણિભદ્રદાદ મગરવાડા જૈન તીથ : માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન દાદાના દરબારે માણિભદ્રજીનાં દહેરાં પૂ. પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મ. યક્ષરાજશ્રી માણિભદ્રજીના અનન્ય ઉપાસક યતરાજ શ્રી માલદેવજી પૂ. મુનિરાજશ્રી ચંદ્રરાગરજી મ. શિવપુર તીર્થ : એક પરિચય શ્રી વિનોદ બાબલે, રૂપચંદ બહોરા, વિનય બોઘરા, ચંપાલાલ મરડીયા શ્રી માણિભદ્રદેવ સિદ્ધપીઠ-પાવાગઢ તીર્થ પૂ. મુનિ શ્રી નવીનચંદ્રવિજયજી મ. શ્રી માણિભદ્રજીનાં વિશિષ્ટ પ્રભાવક સ્થાનો ડૉ.વિનભાઈ શાહ માણિભદ્રજીનું અપ્રસિદ્ધ-અતિ પ્રભાવક સ્થાન પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ. ૫૧૩ શ્રીમદ્ આનંદવિમલસૂરિજી મહારાજ પૂ. મુનિ શ્રી કનકવિમલજી મહારાજ શ્રી માણિભદ્રવીર અષ્ટપ્રકારી પૂજા પ.પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ.સા. શ્રી માણિભદ્રવીર મહાપૂજન સંશોધક-સંપાદક પૂ.મુનિશ્રી પ્રદિપચવજ’: ") " મહારાજે શ્રી માણીમદ મહાપૂજનનું : એ.રા. ૫ શ્રી મણિદ્ધવીર મહાપૂજન સંપાદક:પૃ.ઓ.શ્રી વિજયસૂરી શ્રી મફતલાલ ફકીર એ ડ મોઈવાળા ધી મુકરી કુમાર મફતલાલ 5 મેગા' Page #168 -------------------------------------------------------------------------- ________________ 'તત્વદર્શન : દાર્શનિક નિરૂપણ: ૨૬૩ અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન એ શું છે? અધિષ્ઠાયકોની આવશ્યકતા અધિષ્ઠાયક દેવોની દુનિયામાં એક દષ્ટિપાત યક્ષ અને યક્ષિણીનું મૂર્તિવિધાન જૈન શાસ્ત્રની દષ્ટિએ ઊર્ધ્વલોકના દેવાવાસો જૈન શાસ્ત્રની દષ્ટિએ અધોલોકના દેવભુવનો અને ભવનવાસી દેવો પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મ. સા. પૂ. મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી મ. ૩00 પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. ૩૦૬ [સંકલન] જશુભાઈ જુગલદાસ શાહ ૩૧૮ ડો. જે. પી. અમીન ૩૨૯ ૩૧૪ ૩૩૪ અધિષ્ઠાયક દેવદેવીઓની આરાધના જૈન શાસનમાં જાગૃત દેવદેવીઓ અને શ્રી માણિભદ્રજીનો આછેરો પરિચય વિધિકાર શ્રી મફતલાલભાઈ ડભોઈવાળા શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ ૮ કર્મ સિધ્ધાંત અને જ્યોતિષ પૂ.આ. શ્રી વિજયરત્નભૂષણસૂરિજી મ.સા. ૩૪૫ જડચેતન વિચાર અને આત્મોપલબ્ધિનો માર્ગ પ્રા. શ્રી કે. ડી. પરમાર (મંત્રો સ્તુતિ સ્તોત્રો અને છંદ સાહિત્ય | ૩૪૯ વિવિધ સંકલનકર્તા ] ૩પ૭ શ્રી માણિભદ્રદેવના મંત્રો, વિધિ અને રહસ્ય છંદ રચનાઓ, સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય આરતી વગેરે મંત્ર યંત્ર અને ધ્વનિ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ श्री यक्षेन्द्रवीरार्चनम् ૩૯૬ ૪૧૩ પૂ. મુનિશ્રી નંદીધોષવિજયજી મહારાજ ડૉ. વાસુદેવ વિ. પાઠક પ્રો. ચંદ્રિકાબેન પાઠક મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજ ૪૧૭ શ્રી માણિભદ્રજીનો મહાન મંત્ર કલિકાલનું કલ્પવૃક્ષ – માણિભદ્રજી શ્રી "લબ્લિપ્રિય" ૪૨૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ માણેકચંદજીની જીવનચર્યા : પ્રતિભા-પૂર્વભવ યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજીનો પરિચય માણેકચંદ બને છે માણિભદ્રવીર ! શાસનરક્ષક માણિભદ્રવીરના જીવનની યશોગાથા શ્રી માણિભદ્રદાદાનું દુર્લભ શાસન શ્રી તપાગચ્છના અધિષ્ઠાયક શાસનરક્ષક દેવ શ્રી માણિભદ્રજીનો ટૂંક પરિચય શ્રી માણિભદ્રવીરનું ચરિત્ર શ્રી માણિભદ્રવીર અને શાસનરક્ષા મહાચમત્કારિક શ્રી માણિભદ્રવીર સોળમા સૈકાની એક મહાન ઘટનાનો તેજ લિસોટો ઇતિહાસનો ઉજાસઃ તપાગચ્છના અધિષ્ઠાયક.. પ્રા. શ્રી જે.સી. દેસાઈ શ્રી જશુભાઈ જુગલદાસ શાહ શ્રી માણિભદ્રજીનો મહિમા-સ્વરૂપ-ચમત્કારો તપાગચ્છના અધિષ્ઠાયકદેવશ્રી માણિભદ્રદાદા વિવિધ મુદ્રાઓમાં માણિભદ્રજીનું સ્વરૂપદર્શન શ્રી માણિભદ્રનો મહિમા ન્યારો પ.પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. ૬૦૭ પૂ. પં. શ્રી વીરરત્નવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મ.સા. પૂ. સા.શ્રી રમ્યશીલાશ્રીજી મ. સા. પૂ. સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ.સા. ૧૭ ૪૨ ૫૧ ૫૮ ૬૧ ૫ પ.પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મ. ૬૭૧ પૂ. આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજ ૬૮૧ પ્રવર્તક મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મ. ૬૭૮ પૂ. મુનિશ્રી ચારિત્રવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ. $$ ૭૨૦ ૭૨૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ . જો નવકાર ત્યાં ત્યાં ચમત્કાર શ્રી માણિભદ્રજીનું પ્રાગટય શ્રી માણિભદાદાનું દિવ્ય સ્વરૂપ અનુભૂતિ મલશા! અને માણિભદ્રજી શ્રો.મણિભદ્રજી યક્ષરાજ કે વોર ? પ્રાચીન હસ્તપ્રતોમાં શ્રી માણિભદ્રવીર શ્રી માણિભદ્રવીરની સહાય : બાલ્યકાળના અનુભવો સ્વાનુભૂત પ્રસંગો ચમકારા અને ચમત્કારો ભક્તવત્સલ દાદા હાજરાહજૂર શ્રી માણિભદ્રજી પુણ્યશાળીની પારલૌકિક પીછાન...... વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જૈન ધર્મનો મર્મ શ્રી માણિભદ્રાય નમઃ 2 "દ દેશનના પ્રથમ અને પ્રત્યક્ષ અનુભવે છે. માણિભદ્ર હાલ ક્યાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ ડૉ. પી.જી પટેલ ડૉ. અરુણોદય ન. જાની આદિ વૈવિધ્ય દર્શન પ.પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.સા. પ.પૂ. આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરીજી મ.સા. પૂ. મુનિ શ્રી નંદીઘોષવિજયજી મહારાજ પ્રો. રમણલાલ સો. શાહ વિવિધ મહાનુભવોનું સંકલન પૂ. મુ.શ્રી જયદર્શનવિજયજી મ. ગણિશ્રી રાજયશવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી હર્ષબોધિવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી જશુભાઈ કપાશી પ.પૂ.આ શ્રી અશોકસાગરસૂરિજી મ. પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી મ. ૭૩૮ ૭૪૨ ૭૪ ૭૫ ૭૨ ૭૮ ૭૭૩ ૐ હૈં છું ક ८०८ ૮૧૯ ૮૨૪ - ૩૧ ૮૭૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अर्हं नमः ॥ ॐ ह्रीँ श्रीं धरणेन्द्र पद्मावती परिपूजिताय श्री शंखेश्वर - पार्श्वनाथाय नमो नमः ॥ – પ્રાસ્તાવિક – પ્રેરકશ્રીનો પ્રેરક સંદેશ –પૂ . આચાર્ય શ્રી ચન્દ્રાનનસાગરસૂરિશ્વરજી મ. સા. શાસ્ત્રરહસ્યનિષ્ણાત, સાક્ષરશિરોમણી અને આગમ શાસ્ત્રોનું વિવિધ પ્રકારે સવર્ધન પ્રકાશન કરનારા આગમોદ્વારક આ. શ્રી આનંદસાગરસૂરીજી મ.ના સમુદાયમાં ૩૭ વર્ષની યુવાવયે હમણાં જ ગયે વર્ષે સૂરિવર બનેલા ધ્યાન સાધનાના પરમઉપાસક, જ્યોતિષવિદ્યાના પરમ જ્ઞાતા પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજશ્રીનો આ ગ્રંથના આયોજનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રેરણા, આશીર્વાદ અને સહયોગ સાંપડયા છે. જેનો સહર્ષ સ્વીકાર કરતા હૃદય ગદગદ બની જાય છે. પૂજ્યશ્રીની શુભનિષ્ઠા અને શુભભાવનાને અંતરપૂર્વક વંદના કરું છું. પૂજ્યશ્રીની સબળ ભાવનાએજ આ કાર્યને વધુ સાનુકુળ કરી આપ્યુંછેઅને સાહિત્ય સર્જનની અમારી પ્રવૃત્તિમાં નવો પ્રાણ પૂર્યો છે. પૂજ્યશ્રીની પ્રોત્સાહક લાગણીથી શ્રુત સાહિત્યના ઊંડાણમાં વિશેષ ડોકીયુ કરવાના રસ અને રુચી જાગૃત થયાં છે. જિનભક્તિ મહોત્સવો, ઉપધાન, ઓળી, ઉજવણાઓ, સંઘયાત્રાઓ આદિ-અનુષ્ઠાનોમાં એકત્રીત થતાં મોટા જનસમુદાયમાં પૂજ્યશ્રીની નિશ્રાનો પ્રભાવ કાંઈક ઔર હોવાનું જણાયું છે. —સંપાદક ભારત દેશ આર્યભૂમિ છે. આ ભૂમિમાં થયેલાં પ્રાયઃ તમામ દર્શન મોક્ષલક્ષી છે. ચાર પુરુષાર્થમયી ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ– આ ચારમાં અર્થ અને કામ એ મુખ્ય પુરુષાર્થ નથી પણ ગૌણ પુરુષાર્થ છે ; જ્યારે ધર્મ અને મોક્ષ એ બે મુખ્ય પુરુષાર્થ છે. મોક્ષ પરમ પુરુષાર્થ છે અને તેના માટે અત્યન્ત અનિવાર્ય સાધનરૂપ હોવાથી તે પણ મુખ્ય પુરુષાર્થ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ધર્મ મોક્ષ આપે છે. ધર્મનું અંતિમ ફળ મુક્તિ છે. મુક્તિ એટલે સર્વદુઃખોથી, સર્વ પાપોથી અને સકળ સંસારથી છુટકારો. આવી મુક્તિનું અનન્ય કારણ ધર્મ જ છે. તેથી ધર્મને પ્રથમ પુરુષાર્થ કહ્યો છે અને મોક્ષને અંતિમ એટલે કે ચરમ અને પરમ પુરુષાર્થ કહ્યો છે. મુક્તિ માટે ધર્મની સાધનાના અનેકવિધ યોગો છે. જેને જે યોગ વધુ અનુકૂળ આવતો હોય તેની આરાધના આરાધકે કરવી તે ઉચિત છે. પરમાત્મભક્તિનો યોગ, નવકાર આદિ મહામંત્રનો જપયોગ, અરિહંતના ગુણોની ચિંતવના ઈત્યાદિ રૂપ ધ્યાનયોગ; સામાયિક, પ્રતિક્રમણ, વિરતિની ઉપાસના આદિ ક્રિયાયોગ. મોક્ષમાર્ગની આરાધનાને સફળ અને સફળ બનાવવા માટે અમુક કક્ષા સુધી પુણ્યતત્ત્વની આવશ્યકતા રહે છે. અને પુણ્યતત્ત્વની અનુકૂળતા હોય તો પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, શારીરિક આરોગ્ય અને કૌટુમ્બિક સાનુકૂળતા આદિ પ્રાપ્ત થાય છે. આ બધાની અનુકૂળતા હોય તો ધર્મમાર્ગની આરાધનામાં ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે છે. સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના અને આરાધના કરવાથી તેઓ સાધકને મુક્તિમાર્ગની આરાધનામાં સહાયક બને છે. ક્યારેક આ સહાય પ્રત્યક્ષ પણ હોય, અને ક્યારેક પરોક્ષ રૂપે પણ હોય છે. ગૃહસ્થ શ્રાવકો તો ધર્મમાર્ગમાં સહાયક સમ્યગ્દષ્ટિદેવોની ઉપાસના કરે તે તો ઉચિત છે, પરંતુ સાધુઓ પણ વિશિષ્ટ શાસનરક્ષા અને શાસન-પ્રભાવનાના હેતુસર સમ્યગુદૃષ્ટિ દેવોની આરાધના કરતા હોય છે. કોટિગણના સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધ નામનાપૂજ્ય આચાર્ય ભગવંતોએ એક કરોડવાર સૂરિમંત્રની સાધના કરી હતી અને સિદ્ધિવૈભવને પ્રાપ્ત કર્યો હતો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કંટકેશ્વરી દેવી દ્રારા રાજા કુમારપાળને કોઢરોગયુક્ત કરી દેવાતાં તેના નિવારણ માટે અંબિકાદેવીની સાધનાના બળે કોઢમુક્ત કર્યા હતા અને જિનશાસનની પ્રભાવના કરી હતી. પૂ. આ. દેવ શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રદેવની સહાયથી કાળભૈરવના પોતાનામુનિઓ ઉપરના મરણદાયકઉપસર્ગોનું નિવારણ કર્યું હતું. આવાંતો સંખ્યાબંધદષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે કે અધિષ્ઠાયકદેવોની અથવા અન્ય સમ્યગૃષ્ટિદેવોની સહાય મેળવીનેવિશિષ્ટ સાધકસાધુઓએ જિનશાસનની રક્ષા અને પ્રભાવના કરી હતી. આપણા સર્વ પ્રથમ આરાધ્ય વીતરાગ છે. પછી બીજા નંબરમાં આરાધ્ય પંચ મહાવ્રતધારી શ્રમણ-શ્રમણીઓ છે અને ત્રીજા નંબરમાં સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ છે. વીતરાગ સંપૂર્ણ કર્મમુક્ત છે. તેથી રાગાદિ દોષોથી મુક્ત છે. તેથી તેમને કોઈ પ્રશ્નો કે પ્રોબ્લેમો સતાવતા નથી જ. પરંતુ પંચમહાવ્રતધારી શ્રમણો હજી કર્મયુક્ત છે. હા. તેઓ આત્મગુણોની કે સાધના-આરાધનાની અપેક્ષાએ દેવો કે દેવીઓ કરતાં જરૂર આગળ છે; પરંતુ અમુક પ્રકારની ભૌતિક પુણ્યાઈની બાબતમાં દેવો કે દેવીઓ, શ્રમણો કરતાં પણ વધુ સમર્થ હોય છે. તેથી શ્રમણોને પણ શાસનરક્ષા–પ્રભાવના આદિ કારણોસર સમ્યગુદૃષ્ટિ દેવ-દેવોની સહાય મેળવવી પડે તે સુશક્ય છે અને અમુક પ્રસંગોમાં અતિ આવશ્યક પણ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રદેવ તપાગચ્છના અધિષ્ઠાયક છે. ધર્મમાં સહાયક છે. સમર્થ શક્તિસમ્પન છે. શ્રીનવકાર મહામંત્રના અને શ્રી શત્રુંજય તીર્થાધિરાજના તેઓ પરમ ભક્ત પણ છે. શ્રી માણિભદ્રજીની પૂર્વકથા, ઇતિહાસ, તેમનો પ્રભાવ અને મહિમાનું ગાન આ ગ્રંથમાં અનેક લેખકો દ્વારા વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવેલું છે, તેથી તેની પુનરુક્તિ કરવી એ અનાવશ્યક છે. ઘણા ભાવિકોનો એવો પ્રશ્ન હોય છે કે અધિષ્ઠાયક દેવો આપણને સહાયક કેમ થતા નથી? અથવા થાય છે તો જલદી સહાયક કેમ નથી થતા? અથવા તેઓ દ્વારા વિશિષ્ટ પરચા કેમ અનુભવાતા નથી? આ પ્રશ્નોના જવાબ, આ જ ગ્રંથમાં વિદ્વાન પૂ. મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી મહારાજે " અધિષ્ઠાયકોની આવશ્યકતા" નામના લેખમાં ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે, તે વાંચી જવાની ખાસ ભલામણ કરું છું. શ્રી માણિભદ્રજીની સ્થાપનાહવેતો લગભગ બધાંજિનાલયોમાંગોખલાઓમાં અથવાજિનાલયની બાજુમાં જ સ્વતંત્ર દેરીમાં કરાય છે, જે અત્યંત ઉચિત છે. મારી દષ્ટિએ શ્રી માણિભદ્રજીની સ્થાપના અને ઉપાસનાનો પ્રચાર આપણા શ્રીસંઘોમાં વધુ ને વધુ વ્યાપક બનવો જોઈએ. કેમકે શ્રી માણિભદ્રદેવ તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે, જિનશાસનના પરમ ભક્ત છે અને શ્રી શત્રુંજય તીર્થના મહાન અનુરાગી છે. આથી તેમની વિશિષ્ટ સાધના-ઉપાસના કરનારાને તે અચૂક ફળ આપનાર બને છે. શાસન અને સંઘના જટિલ પ્રશ્નોમાં, તીર્થરક્ષા અને સંઘરક્ષાના પ્રસંગોમાં તેમની સામૂહિક પૂજા–ભક્તિ અને ઉપાસના શીઘ્ર ફળદાયક છે. તે નિઃશંક છે. શ્રી માણિભદ્રદેવનો નવકારપ્રેમ અને શત્રુંજય પ્રેમ તેમના જીવનની પૂર્વકથાનો અભ્યાસ કરતાં આપણા હૈયામાં અનેરો આદર ઉપજાવ્યા વગર રહેતો નથી. પરમ સમ્યગૃષ્ટિ અને એકાવતારી માણિભદ્રદેવની ભક્તિ અને ઉપાસના આપણા શ્રીસંઘમાં વૃદ્ધિગત બને, તે વ્યક્તિગત રૂપે સાધકના અને સમૂહગતરૂપે શ્રીસંઘના પણ પરમ હિતમાં છે તેવો મારો સ્પષ્ટ મત છે. પ્રસ્તુત ગ્રંથ અંગે ભાવનગરનિવાસી શ્રી નંદલાલભાઈદેવલુક છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈનશાસનને ઉપયોગી વિશિષ્ટ ગ્રંથોનું સુંદર સંકલન-સંપાદન કરીને સાહિત્યસેવા અને શાસનસેવા બજાવી રહ્યા છે. જુદા જુદા જાણકાર અને વિદ્વાન લેખકોના લેખોથી સમૃદ્ધ તેમના વિભિન્ન વિષયક ગ્રન્થો સાધકો અને આરાધકો માટે પ્રેરણાનો પુનિત સ્ત્રોત બની જાય તેમ છે. તેમણે જે અથાગખંત અને પરિશ્રમથી આવા વિશાળ ગ્રંથોનું કાર્ય આજ સુધી સફળતાથી પાર પાડ્યું છે, તે ખરેખર અભિનંદનીય અને અનુમોદનીય પણ છે. શ્રી દેવલુકનું આ નવતર નજરાણું આપણે સૌ અંતરના ઉંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ સ્વીકારીએ અને વધાવીએ. શાસનદેવ તેમના દ્વારા આવા અનેક જુદા જુદા વિષયોને લગતા ગ્રંથો તૈયાર કરવાની શક્તિ-સામર્થ્ય આપે તે જ મારા અંતરની અભિલાષા વ્યક્ત કરું છું. Page #174 -------------------------------------------------------------------------- ________________ ~ આભારી છીએ તેમના – 卐 પ.પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના પ.પૂ.આ.શ્રી શ્રેયાંસચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ખીમત જૈન મહાજન (સંઘ) ખીમત, જિ.બનાસકાંઠા તરફથી અમને મળેલા સહયોગ બદલ 卐 આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાબરમતી જૈન સંઘના પ્રમુખ અને વિમલના ગુજરાતના થોરાઈઝ ડીસ્ટ્રીબ્યુટર્સ શ્રેષ્ઠિવર્યશ્રી લાલચંદભાઈ દેવચંદભાઈ- અમદાવાદ તરફથી મળેલા સહયોગ બદલ સંપાદક રસત્યાગ R Tallvartha Sutra ૨ ગેંદો સ્વાર 'બાહ્યતમ, પ્રચક્લેશ વિનય અત્યંતર તપ સાયક્લેશ વૃત્તિસંક્ષેપ More वयापत्य Sibi Page #175 -------------------------------------------------------------------------- ________________ 'તપાગચ્છઅધિષ્ઠાયક શ્રી માણિભદ્રદાદા [ આકરગ્રંથનું એક અવલોકન] -સૌમ્યમૂર્તિ આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સમતાભરી સાધુતા, નખશિખ નિર્મળ શીલશાલિતા અને પ્રકાંડ પાંડિત્યના સુભગયોગે જેઓશ્રી કેવળ શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં જ નહીં પણ સમગ્ર જૈનશાસનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે શાસનસમ્રાટ પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રી ના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયુષપાણિ પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર સૌમ્યમૂર્તિ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજશ્રી તેઓના પૂજ્ય ગુરુ મહારાજશ્રી છે. બાર વર્ષની વયે તેઓની પાસે સંયમ સ્વીકારી ન્યાય-વ્યાકરણ-સાહિત્યઆગમ આદિ શાસ્ત્રોનું ગહન અધ્યયન કરી અનેક ગ્રંથો રચી પંડિત સમાજમાં નામના મેળવી છે. તેઓના લઘુબંધુતથા શિષ્યરત્નપૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ શ્રી પણ અનેક શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, તત્ત્વચિન્તક તથા પ્રભાવક પ્રવચનકાર છે. તેમના પિતાશ્રી મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજ જેઓશ્રી ૨૪ વર્ષનો દીક્ષાપર્યાય ત્યાગ–વેરાગ્ય અને પ્રસન્નતાપૂર્વક પાળી સં. ૨૦૪૧ માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા તથા માતુશ્રી તપસ્વિની વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂજ્ય સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ, બહેન મહારાજ સમતાદિ ગુણનિધાન પૂજ્ય સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ અત્યારે સુવિશુદ્ધ સંયમસાધના કરી રહ્યા છે. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજશ્રીએ અમારી વારંવાર વિનંતિને માન આપીને આ ગ્રંથની અવલોકન નોંધ લખી આપવા કૃપા કરી છે. પૂ. આ. શ્રી દેવસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. અને પૂ.આ.શ્રી પ્રધુમ્નસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ભાવનગરના જૈન સંઘે ટાઉનહોલમાં આ સંપાદકનું ૧૯૯૦માં જાહેર સન્માન કરીને જૈન સંદર્ભ સાહિત્યને ભારે મોટું બળ આપ્યું છે. શ્રીસંઘ અને પૂજ્યઓનો ખૂબ જ ઋણી છું. -સંપાદક ચોમેર પથરાયેલા નિબિડ અંધકારને ઉલેચીને તેજપુંજને પ્રસરાવતા સહસ્રકિરણ સૂર્ય ના ઝળ હળ થતાંકિરણો ઉપર તથી પોતાના રૂપેરી કિરણોથી સઘળીયે આલમનૈ રૂપેરી રંગથીએકસરખી Page #176 -------------------------------------------------------------------------- ________________ રસી દેનાર ચંદ્રમાની ચાંદની ઉપર તેમ જ પોતાના પ્રવાહથી આસપાસની ધરતીને લીલાછમ બનાવી દેતા સરિતાના ખળખળ વહેતા નિર્મળ પ્રવાહ ઉપર જેમ કોઈનો હક્ક-દાવો વાસ્તવિક નથી કારણ કે તે સૌ કોઈની માલિકીની ચીજ ગણાય છે. તેવી જ રીતે જગતમાં જન્મ લઈજીવનભર પરોપકારનાં અગણિત કાર્યો કરીને જીવનને ધન્ય બનાવી જનાર મહાપુરુષો ગમે તે દેશના કે જ્ઞાતિના હોય તો પણ તેના ઉપર કોઈનો માલિકીહક્ક રહેતો નથી. તેઓ સૌ કોઈના આત્મીયજન હોય છે. એવા જ મહાપુરુષો પૈકીના જ એક હતા પૂજ્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રી વીર પરંપરાના પંચાવનમા પટ્ટપ્રભાવક આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.ના પટ્ટધર હતા. - ઈડરમાં સં.૧૫૪૭માં જન્મેલા તેઓએ ફકત પાંચ વર્ષની વયે સંયમ સ્વીકારી સં. ૧૫૭૦માં ત્રેવીસ વર્ષની વયે આચાર્યપદારૂઢ બની પોતાના આદર્શ તપ-ત્યાગ અને સંયમથી જૈન શાસનની મહાન પ્રભાવના કરી. જેમના જીવનચરિત્ર વિષયક તથા પ્રભાવવર્ણનાત્મક અનેક નાનામોટા લેખોના સંગ્રહરૂપ આ દળદાર ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે તે યક્ષરાજ માણિભદ્રજીના પૂર્વભવના જીવ માણેકચંદજીના જીવન સાથે ગાઢ રીતે સંકલિત હોવાના કારણે માણેકચંદજીનું જીવન વર્ણવવા જતાં અનાયાસે પણ એ જૈનાચાર્યશ્રીના જીવન-પ્રસંગનો ઉલ્લેખ થયા વગર રહેતો નથી. માણેકચંદ શેઠના જીવનનું વર્ણન આ ગ્રંથમાં પ્રગટ થયેલા અનેક લેખોમાં વિસ્તૃત રીતે કરવામાં આવ્યું હોવાથી અહીં તેનું પુનરાવર્તન ન કરતાં કેવળ તેઓના જીવનના અમુક અમુક પ્રસંગોમાંથી નીકળતા બોધ તરફ જ સામાન્ય અંગુલિનિર્દેશ કર્યો છે. સંગનો રંગ: અનેક દષ્ટાન્તો ઉપર નજર કરતાં પ્રત્યેક માનવીના જીવનમાં થયેલ ઉત્થાન કે પતનમાં સંગે અગત્યનો ભાગ ભજવ્યો હોય તેવું આપણને ચોક્કસ લાગે છે. એક સુભાષિતકારે તો સંગ કરવાની જ ના પાડી છે. તે કહે છે – संग: सर्वात्मना त्याज्य:, सचेत् त्यक्तुं न शक्यते । स सद्भिरेव कर्तव्यः, सन्तः, संगस्य भेषजम् ।। " સૌ કોઈએ પણ સંગનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે કોઈનો ય સંગ કરવા જેવો નથી. પણ સંસારમાં રહેનાર આત્મા સંગ વગર તો જીવી જ કેમ શકે? એટલે કહેવામાં આવ્યું કે " જો તે સર્વથા ત્યાગ કરી શકાય તેમ ન હોય તો તે સંગ સજ્જન–સપુરુષોની સાથે જ કરવો. એમની સાથે કરવામાં આવેલો સંગ આગળ જતાં અસંગી બનાવી પરમ સુખી કરે છે." માણેકચંદ શેઠના જીવનમાં પણ આ અંગે અરે ! સંગે નહિ પણ કુસંગે અગત્યનો ભાગ ભજવ્યો છે. પોતે હતા તો સંસ્કારી પિતાના પુત્ર, નિયમિત ધર્મ–આરાધના કરનાર અને વીતરાગ ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા ધરાવનારા; પણ કોઈક એવા પળ-ચોઘડીએ તેમને કડવામતીના સાધુનો સંગ થયો. તેમણે પોતાની વાગુજાલમાં માણેકચંદ શેઠને સપડાવ્યા. દાખલા-દલીલ અને યુક્તિઓ દ્વારા Page #177 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજાની તથા પોતે રોજેરોજ જે કરી રહ્યા હતા તે તપ–જપ અને વ્રત–નિયમની અનુપયોગિતા તેમના મનમાંઠસાવી દીધી. પરિણામે તેઓ પોતે જે કાંઈકરતા હતા તે બધું છોડી કડવામતીની માન્યતાવાળ થઈ ગયા. આ રીતે એમના જીવનમાં સંગે મોટો ઉલ્કાપાત મચાવ્યો અને સરળતાથી વહી રહેલા એમના જીવનપ્રવાહને છિન્નભિન્ન કરી દીધો.એક કવિએતો ત્યાં સુધી કહ્યું છે કે, "તમને કોઈ સંગકરવા લાયક સજ્જન–સાધુપુરુષ ન મળે તો તમે જંગલમાં જઈને રહેજો પણ ભૂલેચૂકે દુર્જનનો સંગ તો કરતા જ નહિ." સાચા દિલની લાગણીનો પડઘો અવશ્ય પડે છે. માણેકચંદના જીવનમાં આવેલા એ અણધાર્યા પરિવર્તને ઘરના બધા જ સભ્યોના અને વિશેષે કરી માતા અને ધર્મપત્નીના ચિત્તમાં ઘેરી વિષાદની લાગણી જન્માવી દીધી. શું કરીએ તો માણેકચંદ પાછા મૂળ માર્ગે આવે? પ્રસંગે પ્રસંગે સમજાવવાનો તો પ્રયત્ન કર્યો પણ તે કાંઈ સફળ થયો નહિ. છેવટે ધર્મપત્ની આનંદરતિએ અને માતા જિનપ્રિયાએ 'માણેકચંદના મનમાં સબુદ્ધિ જાગે એ સંકલ્પ પૂર્વક ધિી આદિ વિગઈઓનો ત્યાગ કર્યો. હતી સાચા અંતરની ભાવના. એટલે જ એ કરવા છતાં મન ઉપર એનો કોઈ ભાર નથી. અરે! એની જાણ પણ એમણે કોઈને થવાનદીધી. રાબેતા મુજબનો જીવનવ્યવહાર ચાલે જાય છે. એમ કરતાં કરતાં ધર્મપત્નીને નિયમકર્થેત્રણ વર્ષ અને માતુશ્રીનેનિયમ કર્યોછ મહિનાનાં વહાણાં વાઈ ગયાં. માતુશ્રીનાહૈયામાં એકવારએકાએક ભાવ જાગી ગયો.એમને મનમાં થયું કે હવે તો માણેકચંદને ગમે તેમ કરીને સમજાવ્યે જ છૂટકો. એ એવો ને એવો જ રહે તે કેમ ચાલે? માતુશ્રીએ અટ્ટમ કર્યો હતો. માણેકચંદને એમણે કહ્યું કે ગામ બહાર એક મહાન ત્યાગી તપસ્વી આચાર્ય ભગવંત પધાર્યા છે. નામ એમનું શ્રી આનંદવિમલસૂરીશ્વરજી છે. તું એઓશ્રીને વિનંતિ કરીને આપણા ઘેર લઈ આવ. પછી જ મારે પારણું કરવું, બાકી નહિ. સમતાભરી સાધુતાનો અજબ પ્રભાવ માણેકચંદના વિચારો પલટાઈ ગયા હતા એ ખરું, એમ છતાં માતા પ્રત્યેની ભક્તિમાં જરાયે કચાશ નો'તી. એણે માતુશ્રીને કહ્યું કે તમારી આવી દઢ ભાવના છે તો ચોક્કસ મહારાજશ્રી પાસે જઈશ. માતાના મનમાં એમ હતું કે, આ નિમિત્તે પણ આવા સમર્થ આચાર્ય શ્રી.ના પરિચયમાં એ આવે તો જરૂર એનામાં પરિવર્તન આવી જ જશે.. માણેકચંદ પણ પોતાનું મન ન હોવા છતાં માતુશ્રીના સંતોષની ખાતર ગામ બહાર જ્યાં ગંધર્વ સ્મશાનમાં પરિવાર સહિત આચાર્ય મહારાજશ્રી બિરાજમાન હતા ત્યાં ગયા. જતાં જતાં મનમાં અનેક તર્કવિતર્ક કરવા લાગ્યા. કડવામતીના સંસર્ગના કારણે એમની મતિ જે વ્યગ્રાહિત થઈ હતી તેથી એમને આ સાધુઓના તપ-ત્યાગની વાતો એકદમ હાસ્યાસ્પદ લાગતી હતી. જરાયે અહોભાવ કે આદરભાવ તો હતો જ નહિ. એમની પાસે જતાં રસ્તામાં એક બળતું લાકડું Page #178 -------------------------------------------------------------------------- ________________ જોઈ એ આચાર્યશ્રીની સમતાની કસોટીમાં આ બરાબર કામ લાગશે, એમ ધારી એ સળગતા લાકડાને હાથમાં લઈ કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન આચાર્યશ્રી પાસે પહોંચી ગયા અને સળગતું લાકડું એમની મોટી દાઢી આગળ ધરી દીધું. શી વાર લાગે એને સળગતાં! પણ આચાર્યશ્રી શું કે ચાં કરતા નથી. બસ ધ્યાનમાં જ લીન રહે છે. આ એક જ દશ્ય માણેકચંદના હૈયાના તારને ઝણઝણાવી દીધા. તરત જ લાકડાને તો લઈ લીધું અને ગદ્ગદ થયેલા તે ખૂબ જ અહોભાવથી તેઓનાં ચરણોમાં ઝૂકી પડ્યા. અશ્રુધારા વહેવા લાગી. પામર એવા મારા દ્વારા અજ્ઞાનવશ આપના જેવા પૂજ્ય પુરુષની જે ઘોર આશાતના થઈ ગઈ છે તે બદલ હું આપની વારંવાર ક્ષમાયાચના કરું છું. હે પુણ્ય પુરુષ ! આપને મેં ઓળખ્યા નહીં. આપ તો મહાન સમતાના સાગર અને કૃપાના અવતાર છો. આપના જેવી સહિષ્ણુતા ક્યાંયે મળવી મુશ્કેલ છે. અજ્ઞાની એવો હું આપની દાઢીને સળગતા લાકડાથી બાળવા લાગ્યો તે વખતે આપ જરાયે ચલાયમાન થયા નહીં કે મોઢામાંથી એક ઊંહકારો સરખોય કાઢયો નહીં. મારાં માતુશ્રીએ આપના ગુણોની જૈ પ્રશંસા કરી હતી તે આજે મને યથાર્થ લાગે છે. હવે તો આપને જ મેં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તો મારો હાથ પકડી મને આ સંસારસાગરમાંથી ઉગારો. માતુશ્રી જિનપ્રિયા અને ધર્મપત્ની આનંદરતિની દીર્ઘકાલીન તપશ્ચર્યા ફળીભૂત થઈ. આચાર્ય મહારાજ પરિવાર સહિત માણેકચંદના ઘેર પધાર્યા. સહુએ ઘણા ભાવથી વહોરાવવાનો લાભ લીધો. સર્વત્ર આનંદ-મંગલ પ્રવર્તી રહ્યો અને ક્ષમાધર્મનો જય જયકાર થયો. મહાકવિ ભારવિએ પણ કિરાતાર્જુનીય મહાકાવ્યમાં ક્ષમાનાં ગુણગાન ગાયાં છે ઃ उपकारकमायतेर्भृशं, प्रसवः कर्मफलस्य भूरिणः । अनपायि निबर्हणं द्विषां न तितिक्षासममस्ति साधनम् ॥ ઉજ્વલ ભવિષ્ય માટે ઘણું જ ઉપકારક, વિપુલ પ્રમાણમાં કર્મના ફળને ઉત્પન્ન કરનાર અને ,શત્રુઓ ઉપર વગરહિંસાએ વિજય અપાવનાર તિતિક્ષા–ક્ષમા જેવું બીજું એકેય ઉત્તમ સાધન નથી. શ્રી સિદ્ધગિરિજીની યાત્રાનો મહાન ચમત્કાર : ત્યાર પછી તો માણેકચંદ શેઠ ધર્મ પ્રત્યે દઢ આસ્થાવાળા બની ગયા. વચલો થોડોક કાળ અંધશ્રદ્ધાની આંધી માં અટવાઈ જવાનું થયું તેનો તેમના મનમાં ભારોભાર પશ્ચાત્તાપ થયો અને જે થોડોક સમય પોતે અવળા રસ્તે ફંટાઈજવાના કારણે કાંઈધર્મસાધના ન કરી શકયા તેનું જાણે સાટું જ વાળતા ન હોય તે રીતે બમણા વેગથી આરાધનામાં લાગી ગયા. પરિચિતો એમને જોઈને એમ કહેતા કે – એ માણેકચંદ જ નથી. ધર્મના સચોટ રંગથી રંગાયેલા માણેકચંદને જોઈને એમનાં માતા અને ધર્મપત્નીને પૂર્ણ સંતોષ થયો. પૂજ્ય આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજના હૈયામાં માણેકચંદનું અને માણેકચંદના હૈયામાં ગુરુ મહારાજનું નિરાળું અને આદરભર્યું સ્થાન થઈ ગયું. એક ચાતુર્માસમાં માણેકચંદે ગુરુ મહારાજના સુખેથી ધર્મોપદેશ સાંભળતાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો અપૂર્વ મહિમા સાંભળ્યો. એ સાંભળતાં Page #179 -------------------------------------------------------------------------- ________________ સાંભળતાં તેમને ગિરિરાજની યાત્રાની તાલાવેલી લાગી. ગુરુમુખેથી સાંભળેલા "શત્રુંજય માહાત્મ્ય"ને વાગોળતાં એમના મનમાં થયું કે, હવે તો મારે વહેલામાં વહેલી તકે એ ગિરિરાજને ભેટવા જ છે. કેવી એ અનુપમ ભૂમિ છે, જ્યાં આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વનવ્વાણું વાર પધાર્યા હતા, જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ કર્મ ખપાવી મોક્ષમાં ગયા. ઘોર પાપોને કરનારા એવા જીવો પણ ગિરિરાજના સાંનિધ્યમાં બધાં પાપોને ખપાવી વિશુદ્ધ થઈ પરમપદને પામ્યા. શ્રી ઋષભદેવ પ્રભુએ પોતાના પ્રથમ ગણધર પુંડરીકસ્વામીજીને પોતાની પાસે ન રાખતાં આ ગિરિરાજની નિશ્રામાં રહેવાનું જણાવી આ ગિરિરાજના મહિમાને ચાર ચાંદ લગાવી દીધા. માણેકચંદ શેઠે ગુરુમહારાજને કહ્યું કે – મારે આ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા ઉત્કૃષ્ટ ભાવે કરવી છે, ચાલીને તો ખરું જ; સાથે સાથે ચારે આહારનો ત્યાગ કરીને એટલે ઉપવાસ કરવા પૂર્વક. પણ એ માટે આપના આશીર્વાદ ખાસ જોઈએ. એ જ તો મારી યાત્રાને સફળ બનાવનાર પરમ તત્ત્વ છે. ગુરુ મહારાજે એમને ઘણી ઘણી રીતે ચકાસી જોયા; પણ અગ્નિમાં નાખવામાં આવેલ સો ટચના સોનાની જેમ તેઓ એ ચકાસણીમાં સફળ પુરવાર થયા. ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા અને શુભ મુહૂર્તે સિદ્ધગિરિજીની યાત્રાના દઢ સંકલ્પ પૂર્વક થોડા પરિવારને લઈ જરૂરી સુરક્ષાના સાધન સાથે તેઓએ રાજસ્થાનમાં આવેલ પાલીથી પ્રયાણ કર્યું. ક્રમશઃ આગળ વધતાં વધતાં સાતમા દિવસે તેઓ પાલનપુર નજીક મગરવાડા ગામ પાસે પહોંચ્યા. ગામની આસપાસની ગીચ ઝાડી ચોર-ડાકુઓ માટે છુપાઈને રહેવાના સુરક્ષિત સ્થાનની ગરજ સારતી. કોઈને કલ્પના ય ક્યાંથી હોય કે મગરવાડાની એ ભૂમિ માણેકચંદને પરલોક પહોંચાડનારી નીવડવાની છે ! માણેકચંદ શેઠ પોતાના કાફલાની સાથે જ્યારે એ પ્રદેશમાં થઈને આગળ વધી રહ્યા હતા ત્યાં જ તેઓના ઉપર ચોરો ત્રાટક્યા. મર્દાનગીથી તેઓનો સામનો તો કર્યો પણ શસ્ત્રાસ્ત્રોથી સજ્જ ચોરોની આગળ તેઓ ટકી ન શક્યા. સાતમા ઉપવાસે શ્રી સિદ્ધગિરિજીના જાપ અને ધ્યાનપૂર્વક તેઓ વીરમૃત્યુને વર્યા. ચોરોએ તેમના શરીરના ત્રણ ભાગ કરી નાખ્યા. એક મસ્તક, બીજું ધડ અને ત્રીજા પગની પિંડી. શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાના દૃઢ સંકલ્પે એમને ત્યાંથી લઈ જઈને સીધા યક્ષરાજ માણિભદ્રના સ્થાને બિરાજિત કરી દીધા. આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે રાજસ્થાનથી વિહાર કરતા જ્યારે મગરવાડા પધારી પોતે ધ્યાનમાં બેઠા હતા તે સમયે યક્ષરાજ પ્રત્યક્ષ થયા અને યક્ષરાજ પૂ. આચાર્યશ્રીને પ્રણામ કરી તેઓના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી, કહેવા લાગ્યા કે આપની કૃપાના યોગે જ હું આ સ્થાન પામ્યો છું. તો ફરમાવો, હું આપની શી સેવા કરું ? ગુરુ મહારાજે તેમને તપાગચ્છની સેવા કરવાનું જણાવ્યું ત્યારે એમણે પણ સામે તપાગચ્છના દરેક ઉપાશ્રયમાં પોતાની સ્થાપના કરવાનું તથા જે કોઈ આચાર્યપદ પ્રાપ્ત કરે તેઓ મગરવાડા કે આગલોડ આવી અક્રમ કરી પોતાને ધર્મલાભ આપી જાગૃત રાખે એ પ્રમાણે જણાવ્યું. Page #180 -------------------------------------------------------------------------- ________________ આમ, ગિરિરાજની યાત્રાના દઢ સંકલ્પ જ માણેકચંદને યક્ષરાજ માણિભદ્ર બનાવી દીધા. યક્ષરાજ-શ્રી માણિભદ્રજી : તેઓ કયા દેવ થયા છે એ બાબતમાં ઘણાના મનમાં જે તે સમજણો પ્રવર્તે છે પણ તે દૂર કરીને સાચી સમજણ મેળવવી જોઈએ. તેઓ વીર નહિ પણ યક્ષ તરીકે ઉત્પન્ન થયા છે. વ્યરનિકાયના દેવના જે આઠ પ્રકારો છે તે પૈકી પાંચમા યક્ષ તરીકેના પ્રકારમાં તેઓ આવે છે. ત્યાં તેઓ ઇન્દ્ર તરીકે થયા છે અને એકાવનારી છે. બાવન વીર અને ચોસઠ જોગણીઓ તેમની સેવા કરે છે તથા વીશ હજાર સામાનિક દેવો તેમની સાથે રહે છે. પ્રસ્તુત પ્રકાશન અંગેઃ આજીવન સાહિત્યસેવી શ્રી નંદલાલ દેવલુકે પોતાના જીવનમાં કોઈને પણ હેરત પમાડે તેવાં ભગીરથ કાર્યો કર્યાં છે. મોટી મોટી સંસ્થા અનેક માણસોનો સ્ટાફ રાખીને પણ જે કાર્ય ન કરી શકે તેવા કાર્યો તેમણે એકલે હાથે કર્યા છે. કહો કે લાકડાની તલવારે તેઓ ઝઝૂમ્યા છે. અનેક દળદાર ગ્રંથોની જેમ યક્ષરાજ શ્રી માણિભદ્રની ભક્તિથી પ્રેરાઈને તેઓએ અનેક ઐતિહાસિક ફોટાઓ સાથે ભિન્ન ભિન્ન લેખકો પાસેથી લેખો મંગાવી એને પરિમાર્જિત કરી આ મહાગ્રંથ તૈયાર કરેલ છે. અનેક પ્રકારની જવાબદારીઓ વચ્ચે કેટલીયે મુશ્કેલીઓને પાર કરી આવા કાર્યને સાંગોપાંગ પૂર્ણ થતાં જ્યારે જોઈએ છીએ ત્યારે સાચે જ સહસા આપણા મુખમાંથી શતશઃ ધન્યવાદ આપોઆપ નીકળી જાય છે. શ્રી દેવલુક પોતાની સાહિત્યયાત્રામાં વણથંભી આગેકૂચ કરતાં કરતાં પોતાના લક્ષ્યાંકો સહેલાઈથી પાર પામે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. અભિનંદન અને અનુમોદના * સૌજન્યનિધિ નંદલાલભાઈ દેવલુક યોગ, ભાવનગર ધર્મલાભ ! તમોએ સંપાદન કરીને પ્રકાશિત કરેલ મહામણિ ચિંતામણિ શ્રી ગુરુગૌતમ સ્વામી પુસ્તક જોયું, વાંચ્યું અને માર્યું પણ ખરું. ગ્રંથનું સંપાદન ખૂબ જ ઉત્તમ છે, સાહિત્ય પણ કસદાર છે. વિભાગો અને વિષયોની ગોઠવણી પણ બરોબર થઈ છે. શરૂઆતમાં ફોટાઓ આપ્યા છે તેણે વળી આ ગ્રંથની શોભામાં ચાર ચાંદ લગાડી દીધા છે. જે કાર્ય કોઈ સંસ્થા પણ મહામહેનતે પાર પાડી શકે એવું ભગીરથ કાર્ય તમે એકલે હાથે પાર પાડ્યું છે તે બદલ તમોને ધન્યવાદ, આવું ઉત્તમ પ્રકાશન કરીને જૈન શાસનની તમોએ ખૂબ જ સુંદર સેવા કરી છે, તેની અનુમોદના કરીએ છીએ. અંતરની શુભ કામના. આચાર્ય વિજયરત્નભૂષણસૂરિ * સાહિત્ય સર્જનહાર નંદલાલભાઈ, ધર્મલાભ ! તમોએ સુંદર ગ્રંથોનું સર્જન કરીને ધર્મપ્રેમી આત્માઓને સુંદર ભેટ આપી છે. જે વાંચશે, વંચાવશે, વિચારશે તેને પ્રભુશાસન પ્રત્યે જરૂર અહોભાવ વધશે. સકાર્યમાં જે સમયે ગયો તે સોનું બની જાય છે. જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ધર્મબુદ્ધિ મળે, ધર્મશ્રદ્ધા બળવાન બને, આરાધના-આરાધક ભાવ વધે. અનંત-અનંત વંદન ધ્વાસે શ્વાસ શ્રી જિનશાસન જ. આચાર્યવિજયપ્રભાકરસૂરિમુનિ જિનરક્ષિતવિજય Page #181 -------------------------------------------------------------------------- ________________ પૂ. દાદા ગુરુદેવ (૧/૧) ગચ્છાધિપતિ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. For Private & Personal use only Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧/૨ સંગઠનપ્રેમી આચાર્ય દેવ શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩) પૂ. જાપ-ધ્યાનનિષ્ઠ આચાર્ય દેવ શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. Page #184 -------------------------------------------------------------------------- ________________ જાપ ધ્યાનમાં મગ્ન પુ. આચાર્ય દેવશ્રી ચંદ્રાનનસાગરસુરીશ્વરજી મ.સા.. [ અવસર્પિણી કાળનાં સૌથી મોટા ત્રણ સાધનો છે જપ પૂજા અને ધ્યાન. જપના ઘણા અર્થો છે જે જન્મ અને પતન ને વાળે તે જપ, જપ પણ શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો જલ્દી ફળે, વાચિક, ઉપાંશ માનસ અને અજપા એવા જપના ચાર પ્રકારો છે. ૧/૪) એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલની ધારા પડે તેમ જપની ધારા અવિચ્છિન્ન ચાલવી જોઈએ. દેવગુરુ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ-સાધ્વીઓના અનુગ્રહ અને ધાતી કર્મોના અંતરાયો ન હોય તો ધ્યાન સુલભ અને સુકર બને. તીર્થંકર ભગવંતોના સર્વાગ સુંદર દિવ્ય, મધુર તેજોમય સ્વરૂપનું સવાંગ ચિંતન એટલે ધ્યાન, ધ્યાન એવું સર્વોત્તમ સાધન છે, જેની દ્વારા ધ્યાતા ધયેય સુધી પહોંચી ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી મિટાવી પરમપદ સુધી પહોંચી શકે છે. – સંપાદક) Page #185 -------------------------------------------------------------------------- ________________ . [શિકાગો (U.S.A.)માં શ્રી શત્રુંજયની રચના ] * તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિના મહિમાનો પ્રભાવ અનાદિકાળથી આજસુધી અતિશય વિસ્તાર પામ્યો છે. સદા સર્વદા ત્રણેય કાળમાં આ શાશ્વત તીર્થસ્થાનનો મહિમા વિશ્વના વિવિધ દેશોમાં પણ પ્રભાવવંતો રહ્યો છે. જૈન સોસાયટી ઑફ શિકાગો (U.S.A.)માં તા. (૧/૫) ૨૮/મી જૂનથી ૪/થી જુલાઈ ૧૯૯૫ ચોવીશ તિર્થંકર પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી શત્રુંજય મહાતીર્થની થયેલ ભવ્યરચના જે જોઈને લોકો મુગ્ધ બન્યા હતા. નાની મૂર્તિઓ તથા ખૂટતી સામગ્રી સાથે ખાસ નિમંત્રણથી શ્રી મનુભાઈ શેઠ ભાવનગરથી ગયા હતા અને બહુમાન પામ્યા હતા. ટ્રસ્ટી શ્રી રવિન્દ્ર કોબાવાલા, પ્રમુખ શ્રી કિશોર સી. શાહ, પ્રોજેક્ટ લીડર શ્રી સુરેન્દ્ર શાહ, સૌજન્ય : સ્વ. અજવાળીબહેન ચત્રભુજભાઈ શાહ વલ્લભીપુરવાળા Page #186 -------------------------------------------------------------------------- ________________ [ મુંબઈ – માટુંગામાં બિરાજમાન માણિભદ્રજી ] આચાર્યશ્રી ભક્તિસૂરિ સમુદાયના, શ્રી ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથ મહાપ્રાસાદના પ્રેરક પૂ.આ. શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના ૪૮ વર્ષના સંયમજીવનની અનુમોદના તથા સ્વર્ગસ્થ પૂ.સા.શ્રી તીર્થશ્રીજી મ.સા.ની પાંચમી સ્વર્ગારોહણ તીથી નિમિત્તે, તેમના આત્મશ્રેયાર્થે પૂ.સા.શ્રી અમીરસાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી રાજરત્નાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી અમીવર્ષાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધનરાજ બલવંતરાજ કોઠારી પરિવાર (દારશ્રાવાલા)ના સૌજન્યથી. For Private & Personal use only Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી મHણભદ વીર સ્થાન જાગલોડ ૯ગુજરાત) a T? 2 કરોડ છે. એક સંત આચાર્યશ્રી ભક્તિસૂરિ મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ.પં. શ્રી ચંદ્રસેનવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી ભાનુચંદ્રવિજયજી મ.સા. તથા પૂ.મુનિશ્રી દેવચંદ્રવિજયજી મ.સા. તથા ગણિશ્રી હેમચન્દ્રવિજયજી મ.સા. આદિ. ની પ્રેરણાથી શ્રી કોટ તપગચ્છ જૈન સંઘ – બોરાબજાર સ્ટ્રીટ – મુંબઈ – ૧ ના સૌજન્યથી. For Private & Personal use only www.jalne orary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિજયાન સુ.મ. પૂ.આ. શ્રી વિજય પ્રેમ સુ.મ.. પૂ.આ. શ્રી વિજય રામચંદ્ર સૂમ. 'પૂ. આ. શ્રી વિજય ભુવન સૂ. મ. પૂ. આ. શ્રી વિજય સુદર્શન સૂ. મ. તપસ્વી પૂ. મુ. શ્રી પ્રમોદ વિ. મ. પૂ. ગુરુ ભગવંતો ને કોટી કોટી વંદના ! શ્રી દાનસુરિ જ્ઞાન મંદિર ,અમદાવાદ માં ચાતુર્માસ બિરાજમાન અખંડ વૈરાગ્ય કે ઉપદેશક માલવાદેશે સદ્ધર્મ સંરક્ષક,સુદીર્ઘ સંયમી, બાલજીવોના ધર્મદાતા, ગચ્છાગ્રણી આચાર્યભગવંત વિજયસુદર્શનસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાંવસંતલાલ પોપટલાલ શાહ તથાઈદિરાબહેનવસંતલાલ શાહના સુપુત્ર શૈલેષભાઈ તથા અલકાબહેનની સુપુત્રી ખુબુબેનની નાની ઉંમરમાં પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા નિમિત્તેપરિવારના સૌજન્યથી For Private & Personal use only Page #189 -------------------------------------------------------------------------- ________________ ટ GK પુરોવચન [ સંપાદક–પ્રકાશકનું નિવેદન * નંદલાલ બી. દેવલુક * આર્યાવર્તની આ ગૌરવવંતી પુણ્યભૂમિ ઉપર જે જે અસંખ્ય મહાપુરુષોનાં પવિત્ર પગલાં મંડાયાં એ સર્વ વંદનીય વિભૂતિઓને અને સૌ પ્રથમ વીતરાગી તીર્થંકર ભગવંતોને પંચાંગ પ્રણિપાત તપાગચ્છના અધિષ્ઠાયક જાગૃત શાસનદેવ શ્રી માણિભદ્રદાદાને ભાવોલ્લાસ સાથે વંદન-પ્રણામ કરું છું. શાસનદેવી પદ્માવતીજી અને અન્ય જૈનશાસનના દેવ-દેવીઓને સ્તવી, ધ્યાન ધરી તે સૌની વિશેષ સહાયતા ઈચ્છું , જેના પ્રકાશપુંજથી જિનશાસનનું નભોમંડળ આજે પણ સાત્ત્વિક આચાર-વિચારોથી ઝળહળી રહ્યું છે એવા અનેક જિનશાસન પ્રભાવકોને અમારી લાખ લાખ વંદનાઓ. 'પરમ પાવક ભૂમિનો વિકાસક્રમ ભરત ચક્રવર્તીના પાવનકારી શુભ નામ પરથી જંબુદ્વીપ ક્ષેત્રના આ ભારતવર્ષની કણ કણ ધરતી ઋષિમુનિઓ, સંતો, સતીઓ અને માનવને મુકિતનું ચરમ લક્ષ્ય બતાવતા તીર્થંકર ભગવંતો, પૂજ્ય આચાર્ય ભગવંતો, પૂજય ઉપાધ્યાયો, પૂજ્ય સાધુ-સાધ્વીઓનાં વિશિષ્ટ ચરિત્રોથી સૌરભમયી બની છે. સપ્તસિંધુની ભૂમિ, શત્રુંજય ગિરિરાજ, રેવતાચલ, આબુ–દેલવાડા, કાશી, પાવાપુરી કે સમેતશિખરજી, આગ્રા, ઉજૈન, આગલોડ કે મગરવાડા-આ બધાં પવિત્ર તીર્થધામો છે. ડાર્વિને વાનરમાંથી માનવની ઉત્ક્રાંતિની વાત કરી પણ એમાં વચ્ચેનાં પગથિયાં જ નથી; જ્યારે આર્યદર્શન અને જૈન દર્શને વાનરમાંથી માનવની વાત કદી કરી નથી અને કરશે પણ નહીં. પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વર-ઋષભદેવથી ભગવાન પાર્શ્વનાથ સુધીના ૨૩ તીર્થકર ભગવંતો અને ચરમ તીર્થંકર ત્રિશલાનંદન ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર પ્રભુની વિરાટ યાત્રાનો વિકાસક્રમ એ જ આ પુણ્યમયી ભૂમિની ઉજ્જવળ યશોગાથા બની ગઈ છે. અહીં માનવમાંથી અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, અને કર્મ ખપાવવા, નવાં કર્મો ઊભાં ન કરવાનો, અહંતપદ Page #190 -------------------------------------------------------------------------- ________________ સુધી પુરુષાર્થ કરીને આરોહણ કરવાનો આ ભૂમિનો આવો વિકાસક્રમ વિશ્વ તવારીખમાં સુવર્ણાક્ષરે કંડારાઈ ગયો છે. યુગો સુધી આ વિકાસક્રમ અવિચળ રહેશે. તત્ત્વદર્શન: દાર્શનિક નિરૂપણ રોમ, મીસર અને બાબીલોનથી પણ પુરાણી એવી આ ભારતીય સંસ્કૃતિએ અહીંયાં ઈન્દ્રિયોનાં અસ્થાયી નરકગામી બનાવતાં ક્ષુલ્લક ભૌતિક સુખોને કયારેય લગીરે મહત્ત્વ નથી આપ્યું. પણ તત્ત્વદર્શનના આધ્યાત્મિક માર્ગને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રના સહજસિદ્ધ સ્વભાવ ધર્મને જ અનુભવવાના પરમ કલ્યાણકારી મંગલ માર્ગને નજર સમક્ષ રાખવા વર્ધમાન મહાવીરે અને તેમની પૂર્વેના તીર્થંકર ભગવંતોએ પંચાસ્તિકાયની સૂક્ષ્મતમ સમજૂતી આપીને જગતની વિચારધારાને નવો જ માર્ગ બતાવ્યો. જીવોની હિંસાના દ્રોહમાંથી બચવાની બુલંદ અવાજે વિશ્વભરમાં માનવોને ઘોષણા કરી. સાંખ્ય, ન્યાય વૈશેષિકે અને શાક્યોએ તત્ત્વોની વાત પોતપોતાની રીતે ભલે કરી; પણ એમાં જૈન દર્શનની વિશ્વને સૌથી મોટી ભેટ છે, સ્યાદ્વાદ. આ સ્યાદ્વાદને કોઈના ખંડન મંડનમાં લગીરે રસ નથી. પણ જૈન દર્શને જીવ અને અજીવની વાત કરતાં કરતાં આત્માની તત્ત્વાલોચના પણ ઊંડાણથી કરી. જૈન દર્શને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરી આત્માની અનુભૂતિ માટે ચિત્તશુદ્ધિ, ઇન્દ્રિય સંયમ, મનોનિગ્રહ વગેરે અતિ આવશ્યક ગણ્યું. સાધનામાં મંત્રો, સ્તુતિઓ, પૂજાવિધાન, આરતીઓ -- આ બધાં બહિરંગ સાધનો પણ અનિવાર્ય બન્યાં. મંત્રતંત્ર પણ પ્રાચીન સમયથી સ્વીકારાયેલ બાબત છે. મંત્ર શબ્દનો અર્થ જ મનન કરવાથી ત્રાણ કરે, રક્ષણ કરે તેવો થાય છે. દેવી દેવતાઓના જેમ શ્રીવિગ્રહો (સ્વરૂપો) હોય છે તેમ યંત્ર એ પણ દેવી–દેવતાઓનું જ સ્વરૂપ છે. મંત્રો આત્મા છે, યંત્રો શરીર છે. તેમાં કેટલાક મંત્રો બીજવાળા હોય છે; જ્યારે કેટલાક બીજરહિત હોય છે. સંસારની સુંદર શક્તિઓને સાધ્ય કરી આપનાર માયાબીજ ડ્રીંકારની સાધના પણ માનવીને હજાર હજાર આધિ-ઉપાધિથી અવશ્ય ઉગારી લ્યે છે. જૈનોએ આ ઊઁકારની કલ્પનાને વિશાળ પાયે ખૂબ જ વિકસાવી છે. હ્રીં એ મહાશક્તિશાળી બીજમંત્ર છે. તેનાથી ધર્મ અને કાર્યની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. મંત્રોનું વારંવાર રટણ કરવાથી પણ દેવદેવીઓ જાગૃત થતાં હોવાનું પણ જણાય છે. આ મંત્રો કોઈપણ ધર્મની મૂડી નથી. તેનો જાપ સૌ કોઈ પોતાના ઇષ્ટ આરાધક દેવોની સાધના સમજીને કરી શકે છે. આમ જોઈએ તો મંત્રો અને યંત્રો આધિભૌતિક બાબતો છે. મંત્રજાપથી માનસિક શક્તિ ઉત્પન્ન કરાય છે. આ મંત્રોમાં વિવેક અને આદર્શોની પ્રતિષ્ઠા અને જીવનના ઉન્નત-અધ્યાત્મના શિખરે પહોંચવાની મનીષા પ્રગટ થતી હોય છે. સામાન્ય રીતે મંત્રોનો અર્થ સહિત જાપ કરવાથી ત્વરિત ફળ મળે છે. પણ બધા જ મંત્રોમાં અર્થ હોય જ એવું નથી. મંત્રને ધ્વનિતરંગોના રૂપમાં વિવિધ રંગના વર્ણો રૂપે તેમના પ્રથમ Page #191 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટાઓએ મનની અત્યંત સમાહિત સ્થિતિમાં જોવા મળે છે. મંત્રો અને સ્તોત્રો ચોક્કસ ઉચ્ચારણની ઢબે જ પ્રાયોજિત કરવાના હોય છે. આ ગ્રંથમાં મંત્રોના ધ્વનિતરંગોને વૈજ્ઞાનિક પ્રયત્નો દ્વારા પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજના લેખમાં ઠીક મહિમા બતાવ્યો છે. જૈન સ્તોત્રસાહિત્યમાં ભક્તિ અને દર્શનનો અપૂર્વ સમન્વય જોવા મળે છે. આ ગ્રંથમાં માણિભદ્રદાદાના અનેકસિદ્ધ મંત્રો, સ્તોત્રરચનાઓ, ઉપાસનાવિધાનો, અનુષ્ઠાનો, પાળવાના નિયમોની પૂર્ણવિગતો સુપેરે અત્રે સંપાદિત કરવામાં આવી છે. જગતભરના તમામ મંત્રવિશારદોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કોઈપણ દેવદેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઈષ્ટ પ્રત્યેનો તીવ્ર અનુરાગ અને અખૂટ શ્રદ્ધા હોવી જરૂરી છે. પૂજન-અર્ચન ભક્તિભાવથી ભાવોલ્લાસ સાથે થવું જરૂરી છે. ' માણિભદ્રદાદાના ગ્રંથ–આયોજનની સ્કરણા શાથી? છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયે વિવિધ સંદર્ભગ્રંથોનાં સંપાદનકાર્યોમાં વિતાવ્યો. એક દાયકો જૈન સંદર્ભસાહિત્યનું કામ હાથમાં લીધું. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો અંગેના આકરગ્રંથો પછી સકલસિદ્ધિદાતા માતા પદ્માવતી, ગુરુ ગૌતમસ્વામી વગેરે યશસ્વી ગ્રંથ-પ્રકાશન પછી વર્તમાન જૈનાચાર્યોના બહુ નજીકથી સંસર્ગમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્યોએ બતાવેલા વાત્સલ્યભાવથી મારી દુનિયા બદલાતી રહી. એક માત્ર" અરિહંત'ની ધૂનમાં મારું હૈયું આનંદથી છલકાતું રહ્યું. અને પછી તો ગ્રંથ પ્રકાશનનું ક્રમે ક્રમે સર્જન થતું રહ્યું. તપાગચ્છની ઉજ્જવળ પરંપરા : વર્તમાનમાં વિશાળ એવો તપાગચ્છ શ્રમણ સમુદાય વિજય, સાગર અને વિમલ એમ ત્રણ શાખાઓમાં વહેચાયેલો છે. તપાગચ્છની વિજય શાખામાં ભગવાન મહાવીરની શ્રમણ પરંપરામાં ૭૧ મી પાટે પૂ.પં. શ્રી મણીવિજયજી દાદા બહુ મોટા મહાપ્રતાપી સાધુ પુરુષ થઈ ગયા. અત્યારની વિજય શાખાના વિશાળ વર્ગના દાદાગુરૂ તરીકેનું બહુમાન આ ભદ્રપરિણામી મુનિપ્રવરને ધરાવે છે. પૂ. શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મુક્તિવિજયજી મ., શ્રી વૃદ્ધિચંદ્રજી મ., શ્રી આત્મારામજી મહારાજ, 1. આદિ આ પરંપરામાં થઈ ગયા. તપાગચ્છની સાગરશાખામાં પણ બે પેટા શાખા જેમાં એક શાખામાં આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરિજી થયાં અને બીજી શાખામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી થયા. વર્તમાન સમયમાં જેનો પ્રભાવ અને મહિમા વધતો રહ્યો છે તે શ્રી શત્રુંજય તીર્થના આરાધક અને તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્રદાદાના એક આકરગ્રંથની શાસનને જરૂરત હોવાનું, શ્રાવકોને આ જાગૃત દેવની પૂરી માહિતી મળી રહે તેવા શુભાશયથી પ.પૂ.ગચ્છાધિપતિદાદા ગુરુદેવશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના પૂ. સંગઠનપ્રેમી આચાર્ય શ્રી નિત્યોદયસાગરસૂરિશ્વરજી મહારાજ, તથા પૂ. જાપ ધ્યાનનિષ્ઠ આચાર્યશ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મહારાજ અને અન્ય પૂજયશ્રીઓની સૂચનાથી આ કામની તાતી જરૂરતને સમજી લીધું. અમારાં સાધનો ટાંચાં, Page #192 -------------------------------------------------------------------------- ________________ શક્તિ મર્યાદિત, છતાં દેવકૃપાથી અને પૂજ્યોના આશીર્વાદથી અને ભાવનગર સહિત બહારગામના અનેક શ્રીસંઘોના પ્રોત્સાહક સહયોગથી આ ભગીરથ કામ હાથમાં લીધું અને ધારણા મુજબની સફળતા પણ મળી. હજુ આવા જ બે ત્રણ મોટા આયોજન મનમાં રમતા રહ્યા છે. જેવી પરમાત્માની મરજી ! જ્ઞાનીએ દીઠું હશે તે થશે, અનુષ્ઠાન વિજ્ઞાન ઃ સાધના વિધાન સમકિત દેવદેવીઓની ભક્તિ-સાધના સાધકને જરૂર સુખી કરે છે; જ્યારે રજોગુણી તામસિક સાધનાઓ સાધકને કદાચ અલ્પ વિષયસુખો ભલે આપે; પણ છેવટે અધોગતિમાં જ લઈ જાય છે. આ વાત પણ એટલી જ સત્ય છે. શ્રી અર્હત માર્ગમાં સિદ્ધચક્ર પૂજન, ઋષિમંડલ પૂજાવિધાન, ચકેશ્વરી, પદ્માવતીજી કે અંબિકાજી વગેરે દેવીઓની સાધનાઓ દ્વાદશાંગીના દશમા અંગમાં પ્રાચીન કાળથી પ્રશસ્ત છે. ( જૈનધર્મમાં દ્વાદશાંગી એટલે બાર અંગ–સૂત્રોનો સમુદાય. આ દ્વાદશાંગીમાં દસમું અંગ એટલે પ્રશ્ન-વ્યાકરણ નામનું આગમ અંગસૂત્ર આવે છે. બારમા અંગમાં આવેલ ચૌદ પૂર્વોમાંના દશમા પૂર્વમાંથી આ વિગતો સ્પષ્ટ થાય છે.) માન્ય એવાં વિવિધ પૂજનોથી એક એવી શક્તિનું આભામંડળ રચાય છે કે જેના પ્રભાવે કરીને માત્ર વ્યક્તિઓને જ નહીં પણ સકળ સંઘને પણ શાંતિનું માધુર્ય સંપ્રાપ્ત થાય છે. સાધર્મિકતાના સંબંધે તેઓ મોક્ષમાર્ગમાં આપણને જરૂર સહાય કરે જ છે. આપણે ત્યાં શ્રી માણિભદ્રદાદાની વિવિધ સાધનાઓ વિધાયકપણે તો શ્રી અરિહંત પરમાત્માનાં ચરણોમાં ભક્તિ વધારવા માટે જ કરવામાં આવે કે ધર્મમાર્ગમાં બાધક હોય એવી વેદનાઓ કે વિપત્તિઓની શાંતિ માટે કરવામાં આવે તો તે પ્રશસ્ય જ છે. આ ગ્રંથમાં સાધનાવિધાન, સાધના પદ્ધતિઓ, ઉપાસનાના મંત્રો અને સાધકોના અનુભૂતિ પ્રસંગો કલ્યાણકારી સંદર્ભમાં જ લેવામાં આવ્યા છે. આ સંબંધમાં મુંબઈ–મલાડના પંડિત જેઠાલાલ ભારમલનાં સંપાદિત પ્રકાશનો જોઈ જવા જેવાં છે. કાળબળે માનવીને અનેક પ્રકારના ઉપસર્ગો સતાવતા હોય છે; પણ એવા વિપરીત સંજોગોમાં પણ શ્રી માણિભદ્રદાદાનું પૂજન-અર્ચન શાંતિ-શીતળતા આપનારું બની રહે છે એવો ઘણા સાધકોનો દઢ અનુભવ કહે છે. પ્રથમ તીર્થંકરોની અને પછી દેવ–દેવીઓની સાધના એ વાત પણ સૌએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. સંકટ સમયે અધિષ્ઠાયક દેવ-દેવીઓ જ સહાય કરે છે, એ શાસ્ત્રીય વિધાનો જગપ્રસિદ્ધ છે. શ્રીપાળ મહારાજાને દરેક વખતે સિદ્ધચક્રના અધિષ્ઠાતા જ સહાયભૂત થતા હતા, ભરત ચક્રવર્તીને અટ્ટમની આરાધનાથી જ દેવ પ્રસન્ન થયા હતા. કૃષ્ણ મહારાજા, વિમળશાહ મંત્રી અને હેમચંદ્રાચાર્ય વગેરેએ ઉપાસના-સાધના કરીને જ દેવ-દેવીઓની સહાય માંગી હતી. સુદર્શન શેઠ, શિવકુમાર અને સુલસા સતી–આ બધાંને દેવોએ જ ઉગાર્યા હતાં. પ્રતિક્રમણમાં કે દેવવંદનમાં ચોથી થોય શાસનદેવોની જ હોય છે. લઘુશાંતિ કે મોટી શાંતિ દરેક પૂજનોમાં દેવોનું પૂજન અગ્રસ્થાને હોય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ 'પુણ્યબળ: કસોટીની એરણ ઉપર યુગે યુગે થયેલા મહા પ્રભાવશાળી ધર્માત્માઓએ જે સિદ્ધિ અને શક્તિ મેળવી છે અને આ જગતને જે કાંઈ આપ્યું છે, દરેકને તે જુદી જુદી પરિસ્થિતિમાં પ્રાપ્ત થયું છે. ૧૬મી સદીમાં માણેકચંદ શેઠની જીવનયાત્રાના તાણાવાણામાં તેમનો પુણ્યોદય થતાં શ્રી શત્રુંજય તીર્થનું માહાત્મ સાંભળ તેને તેનાં આંતરચક્ષુઓ જ્યારે ખૂલ્યાં ત્યારે આ જગત તેમને વામણું લાગ્યું. જીવનનો પ્રવાહ અને વિચારોનું વલય જ બદલાઈ ગયું. ધર્મ અને કર્મનું તત્વજ્ઞાન સમજાઈ જતાં અને જીવનમુક્તિ માટે તેમના મનમાં મચેલા તુમુલ યુદ્ધે રહસ્યમય એવી આ વિરાટ કથાનું સર્જન થયું. –તેમના દઢ મનોબળ અને શ્રદ્ધાની સીડીએ જ યક્ષેન્દ્રનું ગૌરવપદ પ્રાપ્ત થયું. આ ગ્રંથના કેટલાક લેખો જોઈ તપાસી જવામાં પરમપૂજ્ય આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મહારાજ સાહેબનું સર્વગ્રાહી અવલોકન ખરેખર દાદ માંગી લ્વે તેવું છે. વર્ષોની મહેનત, વિશાળ વાંચન અને ઊંડું ચિંતન હોય તો જ આટલું વિસ્તૃત અવલોકન થઈ શકે. મૂર્તિપૂજાનો પુરસ્કાર દેહધારીઓ માટે મૂર્તિનું સાંનિધ્ય, મૂર્તિની દિવ્યતા અને મૂર્તિની પ્રશાંત ધ્યાનસ્થ મુદ્રા, મૂર્તિનાં કરુણાસભર નયનો સાધકના દૈહિક કે માનસિક તાપોનું ઉપશમન કરવા માટે સબળ માધ્યમો છે. શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રશાંત, શ્રુતિમાન, વિધિપૂર્વક પ્રતિષ્ઠા પામેલ મૂર્તિઓ પૂજન વડે, અભિષેક વડે, અંગરચના વડે, ધ્યાન વડે, દર્શન માત્રથી ભક્તને લૌકિક દેહગેહના સંસ્કારો અને પરમાણુઓથી ઉપર ઉઠાવી તેની વૃત્તિઓને અને હૃદયોને પરિમાર્જિત કરી શ્રી જિનેશ્વર ભગવંતોએ જે માર્ગ પોતાના જીવનચરિત્ર વડે, ક્ષમાધર્મ વડે, ઉપસર્ગો સહીને સર્વસ્વનો ત્યાગ પૂર્વક ઉગ્ર તપશ્ચર્યા વડે ધ્યેય તરીકે પ્રશસ્ત કર્યો તે જ માર્ગ અમારા માટે પરમ ઉપકારી અને કલ્યાણલક્ષી અમે દૂધ વડે, જળ વડે, પુષ્પો વડે, રત્નો વડે, અક્ષત, બદામ કે કેસર વડે પરમાત્માનું માત્ર હૃદયથી પૂજન નથી કરતા પણ એમના વડે અપાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ આદર્શો પ્રમાણે અમે જૈન મતાનુયાયી હોઈધર્મના શાસનથી શિસ્તબદ્ધ રીતે બંધાયેલા છીએ એવી ભાવપૂજા પણ થવી જરૂરી છે. શાસ્ત્રોએ મૂર્તિપૂજાને પ્રશસ્ત કરેલ છે. એ સંબંધના સંદર્ભો આ ગ્રંથમાં જ વાંચવા મળ શે. મૂર્તિપૂજામાં શ્રદ્ધા અને અશ્રદ્ધાનાં વમળોમાંથી જ આ કથાનું સર્જન થયું છે. ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજ સાહેબના પ્રશિષ્ય મુનિ શ્રી જયદર્શનવિજયજી મહારાજ આદિના લેખો ખાસ વાંચવા જેવા છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ | માણિભદ્રજીની મૂર્તિઓમાં ભિન્નતાઓ અમારા આ સંપાદનકાર્યદરમિયાન ભારતનાં વિવિધ સ્થાનોમાંથી માણિભદ્રદાદાની મૂર્તિઓની જે છબીઓ પ્રાપ્ત કરી શક્યા છીએ તેનો પ્રભાવ અને પ્રતાપ, પ્રકાર અને પ્રસાર, પાવકતા અને પવિત્રતા, પરિણામ અને પરિણતિમાં સહાય થનાર માણિભદ્રજીની વિવિધ મુદ્રાઓવાળો પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધવિજયજી મહારાજશ્રીએ ભાવોલ્લાસ સાથે લખેલો લેખ ખાસ વાંચવા જેવો છે. રાજસ્થાનના જયપુરના આર્ટિસ્ટ શ્રી ચંપાલાલજીએ જૈન ધર્મનાં માન્ય દેવ-દેવીઓની સેંકડો મૂર્તિઓ આજ સુધીમાં તૈયાર કરી છે, જેમાં માણિભદ્રદાદાની જે જે સ્થળની મૂર્તિઓનું તેમના હાથે સર્જન થયું તે આ પ્રમાણે : ધોળકા, કોબા, અમદાવાદ, મુંબઈ. ચાંદખેડા, કાત્રજ (પુના), દિલ્હી એવાં અસંખ્ય શહેરોની યાદી બહુ લાંબી છે. બંગાળ અને સંયુક્ત પ્રાન્તનાં દેવાલયોમાં કેટલીક ભિન્નતાઓ દષ્ટિગોચર થાય છે. તે સંબંધ નીચે લખેલ બાબતો ખાસ ધ્યાન ખેંચે છે : ગુજરાત તરફનાં દેરાસરો ઉપાશ્રયમાં માણિભદ્રજીનું સ્થાન જવલ્લે જ હોય છે; જ્યારે મહારાષ્ટ્રમાં કોઈક જ મંદિર એમના સ્થાનકથી વંચિત હશે. માનભદ્ર કે માણિભદ્રના નામે ખ્યાતિ ધરાવનાર આ યક્ષની મુર્તિ તો એક-બે સ્થળે જ જોવામાં આવી; બાકી ઘણી જગ્યાએ, મૂળમાં જાડી અને ઊંચી વધતાં પાતળી પડતી શિખા જેવા કદની રક્ત યા સિંદૂરિયા રંગની આકૃતિઓ જ મોટે ભાગે હોય છે. અમુક જગ્યાએ તો ઝાડની ડાળી માફક વૃદ્ધિ પામતી ને મૂળ ગોખલા કે સ્થાનકથી બહાર નીકળી ઠીક વિસ્તાર પામેલી માનભદ્રની આકૃતિ પણ જોઈ. તેના ઉપર વરખ ચોડાય છે અને સમીપમાં જ દીપક પ્રજ્વલતો હોય છે. માણિભદ્રજીનું મહત્ત્વ આ પ્રદેશમાં અતિશય જણાય છે. સુરતમાં ઘણી જગ્યાએ માણિભદ્રજીની મૂર્તિઓની સ્થાપના થયેલી જોવા મળે છે. છેલ્લાં દસેક વર્ષમાં આવી સ્થાપના થઈ હોય તેવી પણ છે અને સો વર્ષ કે તેથી વધુ વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિઓ પણ છે. નવસારીમાં સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદીશ્વરજી ભગવાનનું મંદિર છે. એ દેરાસરજીમાં માણિભદ્રજીની સ્વતંત્ર દેરી છે. તેમાંની મૂર્તિ ખૂબ જ અલૌકિક હોવાનું તજજ્ઞો સાથેના પત્રવ્યવહારથી જાણી શકાયું છે. તેનો આકાર પણ વિલક્ષણ છે. આરસની પ્રતિમા છે. વાહન હાથીનું છે. હાથીનું મોટું દર્શકની સામે આવે તે મુજબ છે. આપણી સામે એક જ સૂંઢ આવે. તેની જમણી બાજુ અને ડાબી બાજુના પડખે ૩-૩ સૂંઢ છે. પ્રમાણમાં લગભગ બધું મળીને પ્રાયઃ એકવીસ ઈચ હશે. હાથીની અંબાડી ઉપર બિરાજમાન માણિભદ્રજીનું મોટું પણ આપણી સન્મુખ આવે છે. આમાં મુખ્ય વિલક્ષણતા હાથીની સૂંઢની છે. અમુક પ્રાચીન મૂર્તિઓમાં શ્રી સિદ્ધગિરિનું પ્રતીક અત્યારે જે મૂકવામાં આવે છે તે તદ્દન નથી અથવા તો ફક્ત તે જરાક જ ટેકરા જેવું બતાવેલ હોઈને તેવી મૂર્તિઓ જોવામાં આવે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન–અર્વાચીન મૂર્તિઓને વંદન-પ્રણામ કરતી વખતે બારીકાઈથી જો નિરીક્ષણ કરવામાં આવે તો કાંઈક ને કાંઈક વિશેષતા અને વિલક્ષણતા જરૂર મળી આવશે. તેમાંથી જ આપણને આ પ્રભાવક દેવનાં ગૂઢ રહસ્યોનો ભેદ જાણવા-માણવા મળશે. માણિભદ્રજીની મૂર્તિઓ પંજાબ, રાજસ્થાન અને યુ.પી.માં લગભગ નહીંવત્ છે. રાજસ્થાનમાં ભૈરવજીનાં સ્થાનો વિશેષ છે; છતાં પણ જે જગ્યાએ જે સંઘોમાં તપગચ્છીય યતિઓનું વિશેષ પ્રભુત્વ હતું તેનાં સ્થાનકોમાં માણિભદ્રજીનાં સ્થાનો જરૂર છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ઠીક ઠીક સ્થાનો છે. ખેડા જિલ્લાનાં કપડવંજ (શાંતિનાથ ખડકી) ઉપાશ્રયમાં આ યક્ષરાજનું સ્થાન છે – તે ઘણું જ ચમત્કારિક માનવામાં આવે છે. પેટલાદ અને સારસામાં બિરાજમાન દાદાની મૂર્તિઓ પ્રભાવક છે. દાદાનો પ્રભાવ અને મહિમા વર્તમાનમાં વધતો રહ્યાની પ્રતીતિ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકનાં ઊંડાણનાં ગામોમાં દાદાની મૂર્તિઓ આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયાં છે, જે ગામો આ પ્રમાણે છે : મહારાષ્ટ્રમાં રાજૂર, સંગમનેર, કોતૂર, શ્રીરામપુર, વાંબોરી, રાહુરી, તૂર, મંચર, જુન્નર, વાકગામ, ઘોડેગામ, રાજગુરુનગર, ચાકણ, ઘોટી, આણા, કલંગણા, દેઉર, કામારડી, પુરોસાવલી, થાણા, સોનઈ, અમલનેર, નંદરબાર વગેરે.વર્તમાનમાં શ્રીમાણિભદ્રજીની મૂર્તિઓની વિવિધ પ્રદેશોમાં જે વ્યાપ જોવા મળે છે તે તપાગચ્છના આચાર્યદિ ગુરુભગવંતોના વ્યાપક વિહારને કારણે છે. તેમાંય તપાગચ્છના શ્રીસાગરસમુદાય અને શ્રી પ્રેમસૂરિજી મ. નો- વર્તમાનમાં શ્રી ભુવનભાનુસૂરિજી સમુદાયનો વિશેષ ફાળો શ્રેય હોવાનું અનુમાન કરી શકાય છે. શ્રી માણિભદ્રજીની જીવનચર્યા : પ્રતિભા-પૂર્વભવ આ ગ્રંથના મુખ્ય ચરિત્રનાયક શ્રી માણિભદ્રદાદા હોઈને અત્રે અનેક તજજ્ઞોની અભ્યાસપૂર્ણ લેખસામગ્રીમાં દાદાના પૂર્વભવની વિસ્તૃત માહિતી રજૂ કરેલ છે. ઉજ્જયિની નગરીમાં ઓસવાલ પરિવારમાં માણેકચંદજીના જન્મથી લઈને જૈનાચાર્યોના પ્રભાવે કરી તેની જિનોપાસના ઇત્યાદિ આ ગ્રંથમાં સુપેરે વર્ણાવાયાં છે. અગોચર ભૂમિમાં ધરબાયેલા નિધાનને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. શોધસંશોધનથી આવાં રહસ્યો વધુ ફુટ થાય છે. જીવનમાં કેટલીક વખત મનુષ્ય ગંભીર અપરાધ અને પૂજ્યોની આશાતના કરી બેસે તેમાં જેમની આશાતના કરવામાં આવે છે તે તો નિષ્કલંક સુવર્ણસમાં દેદીપ્યમાન બની, વધુ ને વધુ મહિમાવંત બની જગવંદ્ય બને છે; પણ આશાતના કરનાર અશાંત, વ્યથિત અને વિહ્વળ બની જાય છે. શેઠ માણેકચંદે લોકાયત યતિઓના ભરમાવ્યા વિપથગામી બની ધર્મારાધના કઈ રીતે બંધ કરી અને કેવા કેવા વિષમ વ્યવહારો શરૂ કર્યા અને તેમને પુનઃ શાશ્વત જિનેશ્વર ભગવંત પ્રબોધ્યા માર્ગે લાવતાં તેમનાં ધર્મપત્ની જેઓ શીલવાન અને ધર્મવાન હતાં અને આર્ય સન્નારી સમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ તેમનાં માતુશ્રીએ કેવો ભવ્ય ત્યાગ તપ અને સંયમધર્મથી શોભિત પુરુષાર્થ કર્યો; માણેકચંદ શેઠે કેવો ભારે અપરાધ કર્યો તે પછી સમયની બલિહારીએ માણેકચંદ શી રીતે યક્ષેન્દ્ર બન્યા એ બધા રોમાંચક અને રહસ્યમય પ્રસંગો ખૂબ જ ભાવવાહી ભાષાશૈલીમાં આ ગ્રંથમાં વર્ણવાયા છે. પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ના લેખો ખાસ વાંચવા જેવા છે. - યક્ષરાજ અથવા તો કહો, યક્ષેન્દ્ર બન્યા પછી તેમની અરિહંતભક્તિ, તેમણે કરેલી સહાય, તેમના પરચાઓ અત્રે સુવર્ણિત છે. જિનશાસનનાં સમ્યગુદષ્ટિ અધિષ્ઠાયક દેવદેવીઓ અરિહંત પરમાત્માનાં ચરણોમાં નિરંતર રહીને પરમાત્માની ભક્તિ કરનારાં હોય છે. ભક્તોને તમામ પ્રકારની સહાય કરનારાં હોય છે. સમય અને સંપત્તિ સાથે શક્તિનું સુભગ સંયોજન થાય છે ત્યારે ભક્તિના અભંગ દ્વાર ખૂલી જાય છે. ભક્તિનું સર્વોચ્ચ ઝળહળતું શિખર ત્યાગ અને સમર્પણ છે. પવિત્રતાની વેદિકા ઉપર થયેલી મંત્રીશ્વર વિમલશાહની અંબા-ઉપાસનાની પ્રેરક કથા જગવિખ્યાત છે. શાસનદેવ-દેવીઓ અને અધિષ્ઠાયકોના પ્રભાવો અને ચમત્કારો ભૂતકાળમાં અનેક સાધકોને અને પૂર્વાચાર્યોને પ્રસંગોપાત્ત પ્રાપ્ત થયા છે. આવી સાધનાઓ સાધકને સાધ્યપદ અર્પનારી બની રહે છે. શક્તિઓના ભંડાર સમા માણિભદ્રદાદાના અનુગ્રહથી સાધકોને મનવાંછિત સુખસૌભાગ્ય પ્રાપ્ત થયાની સંકડો ઘટનાઓ પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. એવું જરૂર લાગે છે કે ભક્તિસાધનાનો એક વાર જો પાકો રંગ લાગી જાય તો સાધક ગુણસંપન્ન બની જાય છે, કેટલીક સિદ્ધિઓ આપોઆપ મળી જાય છે, સાધકના કાનમાં હંમેશાં દિવ્ય ધ્વનિનું ગુંજન થતું રહે છે. સાંસારિક પાપોમાંથી છુટકારો મેળવી જીવનમુક્તિ મળ્યાનો આનંદ અનુભવાય છે. સાધકના આત્માના પ્રદેશે પ્રદેશથી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ ગુંજી ઊઠે છે. સંસારના સ્વાર્થી, તકલાદી, મતલબી સંબંધો સદાને માટે વિદાય લે છે અને પછી તો અનંત સિદ્ધો સાથે સાચો સંબંધ જોડાય છે. મોત તો આ જીવે ઘણા મેળવ્યા; પણ એવું મોત હવે માંગીએ કે આપણને અજન્માપદના સ્વામી બનાવે. જૈનાચાર્યોની આવી પ્રેરક વાણી આપણી જીવનદિશાને જરૂર બદલી શકે છે. રાજકોટથી પ્રગટ થયેલું માણિભદ્રજી અંગેનું વિમલકુમાર ધામીનું એક પુસ્તક પણ જોઈ જવા જેવું છે. વૈવિધ્ય દર્શન જૈન શાસનમાં શાસનદેવતાઓના સામર્થ્ય, તીર્થંકર ભગવંતોના ઉપસર્ગો દરમ્યાન તેમની અવિચલ સ્થિતિ પરથી શ્રાવક-શ્રાવિકાઓએ પોતાના દૈનિક જીવનમાં શું શું શીખવા જેવું છે તે પણ અભ્યાસી તજજ્ઞોએ દર્શાવ્યું છે. માણિભદ્રદાદાની મહાપૂજામાં શાસ્ત્રીય વિધાનો, તેમના હોમહવનની વિશિષ્ટ પદ્ધતિઓ, હોમ-સામગ્રીઓ અને સાધકોએ માનસિક શુદ્ધિઓ અને શી શી સાવધાની રાખવી તેનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં વાંચવા મળશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ભગવંતોના ઉપાસકો માત્ર મનુષ્યો જ નથી; ઇન્દ્રાદિ દેવો પણ પરમાત્માની ભક્તિમાં મગ્ન હોય છે. આ બધા દેવો, ચક્રવર્તીઓ અને શ્રેષ્ઠીઓએ વિવિધ ક્ષેત્રોમાં કરેલી જિનેશ્વર ભગવંતોની ભક્તિનું દર્શન–આલેખન આપણા મનને પવિત્ર કરી માનસિક તીર્થયાત્રા કરાવે છે. ચોસઠ ઇન્દ્રો, અવધિજ્ઞાન સહિત દાનના પ્રકારો અને અઠ્ઠમ તપના પ્રભાવે દાદાએ કેવાં કેવાં વરદાનો આપ્યાં, સાધકોને તેમણે આપેલાં દિવ્ય દર્શનોથી આપણી આસ્થામાં વધારો થાય છે. શ્રી માણિભદ્રદાદાની કૃપાથી જ વિપુલ સાહિત્યસામગ્રીથી સર્વસંકલિત, આ સર્વગ્રાહી સંદર્ભગ્રંથ શ્રાવક-શ્રાવિકાઓ અને જૈન જ્ઞાનભંડારો માટે ખરેખર તો રત્નમંજૂષા સમાન છે. આજ સુધીમાં દાદા વિષે, તેના સ્થાન–મહિમા વિષે નાની પુસ્તિકાઓ ઉપલબ્ધ હતી તેને બદલે હવે આવડો વિશાળ ગ્રંથ નમ્રપણે કરવામાં આવેલી અમારી શાસનદેવની એક પુષ્પમાળા સમી સેવા છે. શાસનને ચરણે આ પ્રકાશન સમર્પિત કરતાં અમે આનંદવિભોર બન્યા છીએ. આજના નૈતિક અધ:પતનના કપરા કાળમાં પણ સારસ્વત પંડિતો અને તજજ્ઞો અહર્નિશ વિદ્યાવ્યાસંગમાં રચ્યાપચ્યા રહી જ્ઞાનની પરબો બાંધી બેઠા છે. એમને માન-મરતબાની કે મહત્તાની લગીરે ભૂખ નથી. જેમણે આ અગાઉના અમારા સોળ જેટલા સંદર્ભગ્રંથોમાં અને આ ગ્રંથ-પ્રકાશનમાં અમારી વિનંતીને માન આપી પોતાના જ્ઞાનસાગરમાંથી લેખનસામગ્રીની અમૃત-અંજલીથી અમારા આ પ્રયાસ માટે લંબાયેલા હાથને પીયૂષપાણિ કરી દીધેલ છે, એમને અને એમની જ્ઞાનોપાસનાને અમે નમ્રભાવે પ્રણમીએ છીએ. આવા વિદ્યાભાસ્કરોનાં જ્ઞાનરશ્મિઓ આપણને અને આપણા વંશ-વારસોની જીવનયાત્રાને અજવાળતા રહે એવી શાસનદેવને અમારી પ્રાર્થના છે. 'સૌરાષ્ટ્રની શક્તિપીઠઃ શ્રી માણિભદ્ર ઈન્દ્રમાંદિર સમગ્ર વિશ્વને ત્રિલોક ચક્રવર્તી મહાવીરનો પરિચય થાય તેવા ઉમદા ધ્યેયથી સૌરાષ્ટ્રની મધ્યમાં રાજકોટ–અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા–બામણબોર વચ્ચે શ્રી મહાવીરપુરમ નામનું તીર્થ વિરાટ અધ્યાત્મસંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. આ તીર્થમાં પરમાત્મશક્તિ, દેવ-શક્તિ અને નારીશક્તિનો ત્રિવેણી સંગમ થશે. દેવશક્તિના સાક્ષાત્કાર માટે શ્રી માણિભદ્ર ઇન્દ્ર શક્તિપીઠ આકાર લઈ રહેલ છે. દક્ષિણ ભારતીય કલાની ઉત્તમ કારીગરી સાથે ભવ્ય મંદિરનું નિર્માણ થતાં ૭૧ ઈંચનાં માણિભદ્ર દાદાનાં ઊભાં પ્રતિમાજીનું કારોલીના ઉત્તમ કોટિના લાલ પથ્થરમાંથી જયપુરના સિદ્ધહસ્ત કારીગર શ્રી ચંપાલાલજી દ્વારા નિર્માણ થયું છે. આ તીર્થના સ્થાપક અને પ્રેરક પૂ. આ. શ્રી પુણ્યોદયસાગરસૂરિજી મ.ની પ્રેરક નિશ્રામાં તીર્થના શિલાન્યાસ પ્રસંગે માણિભદ્રદાદાનો પ્રભાવ ત્યાં હાજર રહેલા ૧૫00 માણસોએ ભારોભાર અનભવાનું કહેવાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર જિનશાસનને અનેરી શોભા આપી જનાર એકદિવ્ય જ્યોતિનો પ્રકાશ પાથરતું આવૈવિધ્યસભર પ્રકાશન, પૂ. સાધુ-સાધ્વી ભગવંતોની કૃપાવર્ષાથી આ એક કઠિન કાર્યસિદ્ધ થયું છે. આ પ્રકાશનમાં વાત્સલ્યભાવથી જેમણે ઠેઠ સુધી માર્ગદર્શન આપ્યા કર્યુ છે તેવા પૂ.આ.શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા., પૂ. મુનિશ્રી કલ્યાણબોધવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. અને પૂ. મુનિશ્રી પ્રશાન્તવલ્લભવિજયજી મ.સા, અને પૂ. મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મ.સા., પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.સા., પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ.સા. વગેરે પૂજ્યોનાં અમે અત્યંત ઋણી છીએ.જિન શાસનના અને દર્શનના અભિજ્ઞ સારસ્વત પરિશ્રમનો આ પરિપાક છે. ૫.પૂ.આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા.નો આઠેક વર્ષ પહેલાં સંપર્ક થયો. તેમના ધ્યાન-જાપનાં વિધિવિધાનથી અત્યંત આકર્ષાયો અને છેલ્લે હમણાં માણિભદ્રજીની સાધનામાં તેમની વિચારધારાએ મારા મનમાં પણ દાદાના વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવવાની મનમાં ચેતના પ્રગટી. પછી તો કેટલાય પૂજ્યોના શુભાશિષ સાંપડ્યા. જૈન-જૈનેતરોમાં સૌના લોકપ્રિય બનેલા પ.પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પણ પ્રસંગોપાત્ત મળેલી સલાહ-સૂચના ખૂબ જ ઉપયોગી બની રહી. પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા.ની શુભ લાગણી સતત મળતી રહી છે. ભાવનગરના કૉમેટ કૉપ્યુટરવાળા શ્રી જશુભાઈ કપાસી પરિવારની આ કાર્યમાં ખૂબ જ મદદ મળી. ભક્તિભાવથી તેમણે આપેલી વિશિષ્ટ સેવાની કદર કરીએ છીએ. કપાશી પરીવારનાં બધાજ સભ્યોએ સમયે સમયે–અગવડ-સગવડમાં ખાસ ધ્યાન આપ્યું છે. શ્રી જશુભાઈ કપાશીની જિનભક્તિ અને આવા ધાર્મિક આયોજનોમાં તેમની સતત જાગૃતિએ ખરેખર તેમના પરત્વે બહુમાન ઉભુ થયુ છે. સોનગઢના સ્મૃતિ ઑફસેટ અને પૂફ રીડર શ્રી હસમુખભાઈ મહેતાનું પણ સારું યોગદાન રહ્યું છે. પૂર્વેની જેમ આ ગ્રંથના લેખોનુ પણ માર્ગદર્શનરૂપ અવલોકન, સંકલન, સંશોધન કરી મારા આ સંપાદન કાર્યને સુચારૂ અને સુસમ્પન્ન બનાવનાર “ર્જન’પત્રવાળા શ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠની સાત્ત સેવા નોંધપાત્ર બની છે. ભાવનગરના અમારા સ્નેહીવર્ય પ્રા. શ્રી જનાર્દનભાઈ દવે જેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત ગણાય છે તેમનો સહયોગ અમને બળ આપનાર ૨હ્યાં છે. મનુભાઈ શેઠ, નગીનદાસ વાવડીકર, ચિમનભાઈ પાલીતાણાકર અને મનુભાઈ વખારીયાનો અને આર્ટીસ્ટ અનંતભાઈ ભાવસારનો સારો સહયોગ મળ્યો છે. તેમના પુત્ર શ્રી ભાવીનભાઈ ભાવસાર જેમણે સ્ક્રીન પ્રિન્ટીંગમાં ભાવનગરમાં સારી એવી નામના મેળવી છે. તેમનો પણ સારો સહયોગ મળ્યો છે. રાજકોટના સ્કેન પોઈન્ટ ગ્રાફીક્સ લી. નો પણ ખૂબજ સહકાર આપ્યો છે. રાજકોટ કિતાબઘર પ્રિન્ટરીવાળા નલિનભાઈ શાહનો પણ સહયોગ મળ્યો છે. આ સિવાય અનેક મુરબ્બીઓ, મિત્રો અને સ્નેહીઓના પ્રેમ અને વાત્સલ્યભર્યા સહયોગથી જ આ કાર્ય સફળ બન્યું છે. આમ મારુ વિશેષ કશું નથી, હું તો માત્ર આ આયોજનમાં નિમિત બન્યો છું. અંતમાં. આ ગ્રંથ-પ્રકાશનમાં જાણે-અજાણે પણ જૈનધર્મ કે જેન પરંપરા કે જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ જાતનો નાનો સરખો પણ ઉલ્લેખ શરતચૂકથી પણ થયો હોય કે કયાંય પણ જરા સરખો અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ હોય તો તે બદલ અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. – નંદલાલ બી દેવલુક Page #199 -------------------------------------------------------------------------- ________________ - - જિનશાસન જ્યોતિર્ધર, પ્રશાંત-સંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતનું એ ઝાલાવાડ ધામ ! અને ધ્રાંગધ્રા જિલ્લાનું ધોળી નામનું ગામ ! પીતામ્બરદાસ એપિતાનું નામ અને હરખબેન એશીલવંતી માતાનું નામ!વિ.સં.૧૯૫૮ના જેઠ વદ સાતમના દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ પાડ્યું–દેવચંદ. જૈન ધર્મ તરફની અવિહડ આસ્થાના રંગે રંગાયેલા આ કુટુંબનું આ તેજસ્વી બાળક મોટું થતું ગયું તેમ અંતરમાં ધર્મ તરફની આસ્થા અને આરાધનાનિરંતર વધતી ગઈ. યૌવનના આંગણે પગ મૂકતાં જ દેવચંદના પુણ્યાત્માને પૂ. શાસનસુભટ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનો પુનિત પરિચય થયો. એ પરિચયમાંથી પ્રવ્રજ્યાના પુનિત પંથે પદચરણ માંડવાનો પુણ્ય સંકલ્પ પ્રગટી ઊઠ્યો. સંયમના અનુરાગી શ્રી દેવચંદભાઈએ " છ વિગઈન ત્યાગનો ઘોર નિયમ" ધારણ કરી લીધો. એ અરસામાં ખંભાતમાં વિરાજમાન પ.પૂ. આગમસમ્રાટ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની પાસે દેવચંદભાઈ પહોંચ્યા અને પૌષધ વ્રતમાં રહ્યા. " સાગરજી મહારાજ" જેવા પુણ્ય પુરુષનો પરિચય પામતાં પ્રવજ્યાનો નિજસંકલ્પદઢતરબન્યો.વિ. સં. ૧૯૮ન્ના જેઠ વદ ૧૪ના પવિત્ર દિવસે ર૮ વર્ષની વયના યુવાન દેવચંદભાઈ સંસારના શણગાર તજીને ભગવાન મહાવીર શાસનના અણગારબન્યા.પૂજ્યસાગરજી મહારાજના વરદહસ્તેદીક્ષિતદેવચંદભાઈપૂ.શાસન–સુભટઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી મહોદયસાગરજી મ.સા.ના શિષ્ય " મુનિશ્રી દર્શનસાગરજી" તરીકે જાહેર થયા. પછી જ્ઞાન, ધ્યાન અને સંયમની સાધનાનો મહાયજ્ઞ આરંભ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસ સાથે ધર્મશાસ્ત્રના અભ્યાસમાં કુશળ બનવા લાગ્યા. સમ્યક્તપધર્મની આરાધના પણ ઉમંગભેર આરંભી દીક્ષા લીધી ત્યારથી માંડીને કુલ ૩૬ વર્ષ સુધી આ મહાન આત્માએ એકાસણાં કર્યાં હતાં. ઉપવાસથી ત્રણ વાર વર્ષીતપ અને અમથી એકવર્ષીતપ,આ સિવાયવર્ધમાનતપની ૧ ઓળીઓની આરાધના, ૧૬-૧૬ઉપવાસ વખત, ૮-૮ ઉપવાસ ૧૬ વખત અને આ બધા તપનાં પારણેય એકાસણાથી ઓછું પચ્ચખાણ તો નહીં જ ! આમ તપની Page #200 -------------------------------------------------------------------------- ________________ આરાધનાથી જીવનને ઓતપ્રોત બનાવી દીધું હતું. અને છેલ્લે બીમારી નહોતી આવી ત્યાં સુધી પાંચ તિથિ આયંબિલ કરવાની પોતાની ટેકને ક્યારેય ચૂક્યા ન હતા. વિનય, વિકતા અને વૈરાગ્યના ત્રિવેણી સંગમ સમા આ સાધુવરની સુયોગ્યતા નિહાળીને પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ દ્વારા પૂજ્યશ્રીને ગણિ પદવીથી અને પૂ. ગચ્છાધિપતિ શ્રી માણિકય સાગરસૂરિજી મહારાજના પુનિત હસ્તે " ઉપાધ્યાયપદ" થી અલંકૃત કરાયા. પૂજ્યશ્રીના સુદીર્ઘનિર્મળ સંયમજીવન, વિનમ્રતા, સંયમનિષ્ઠા, આંતરનિરીક્ષણ, વાત્સલ્ય આદિ ગુણવૈભવથી આકર્ષાઈને વિજયદેવસુર સંઘ-મુંબઈ અને મુંબઈના અન્ય જૈન સંઘો પૂજ્યપાદશ્રીને આચાર્યપદવી આપવા કૃતનિશ્ચય બન્યા અને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા–આશિષ અને સૂરિમંત્રગર્ભિત વાસક્ષેપ સહિત મુંબઈમાં બિરાજમાન પૂ. પં. શ્રી રેવતસાગરજી ગણિવરશ્રીના વરદહસ્તે તા.૪-૨-૭૮ના સોમવારે પૂ.ઉપાધ્યાયશ્રીદર્શનસાગરજી મહારાજને આચાર્યપદથી અલંકૃત કરાયા ત્યારથી પૂ.આચાર્યદેવ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મહારાજ તરીકે જૈન શાસનમાં સુપ્રસિદ્ધ બન્યા. એક સમયે માલવા જેવા મધ્યપ્રદેશના અલ્પજ્ઞાત વિભાગમાં ૧૪–૧૪ ચાતુર્માસો પૂજ્યશ્રી એ પસાર કર્યા હતા. બંગાળ, બિહાર, કલકત્તા અને શિખરજી સુધી પદયાત્રા કરીને અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ કરાવી છેલ્લાં અઢાર વર્ષ સુધી રાજસ્થાનની ધરતી ઉપર વિચરણ કરીને જન–જીવનમાં ધર્મારાધનાનાં પૂર રેલાવ્યાં અને તેથી જ " રાજસ્થાનીઓના ગુરુદેવ" તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. રાજસ્થાનનાં અનેક ગામોમાં કલેશકંકાસને દૂર કરીને મૈત્રીના માંડવા રોપ્યા. એ મૈત્રીસંદેશને કાર્યાન્વિત કરવામાં સિંહફાળો આપવામાં સ્વ. પૂ. ગુરુદેવના પટ્ટધર પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મહારાજનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. પરિણામે તેમને પણ રાજસ્થાની સંઘોમાં સંગનપ્રેમી તરીકે સુપ્રસિદ્ધિ સંપ્રાપ્ત થઈ. - ગુરુ-શિષ્યની આ જુગલજોડીએ " સંપ ત્યાં જંપ" સંદેશને સતત સંભળાવતા રહીને ખીવાન્ટિ, ખાંડ, ગંદોચ, વડગામ, પોમાવા, લુણાવા, ખંડાલા વગેરે ગોલવાડનાં ૩ર ગામોમાં સંઘર્ષોનું નિવારણ કરી મૈત્રીનો કીર્તિસ્થંભ ઊભો કર્યો. પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજને તેમની ભયંકર બીમારીમાં પૂ. શ્રી દર્શનસાગરજી દાદાએ અપૂર્વ સેવા બજાવેલી. ભાવનગર અને અમદાવાદ જેવાં ક્ષેત્રોમાં પણ સહવર્તી ગ્લાન સાધુઓની ખડે પગે સેવા કરેલી. જૈન શાસનના આનિરભિમાની–તપોમૂર્તિઆ.શ્રીદર્શનસાગરસૂરિજી મ.નેતા.૩–૩–૧૯૯૧ ફાગણ વદ – ૩ના દિવસે હજારો ગુરુભક્તોની સમુપસ્થિતિમાં " ગચ્છાધિપતિ" પદવીથી સમલંકૃત કરાયા, એ સમયનો પ્રસંગ ખરેખર ચિરસ્મરણીય અને ગૌરવરૂપ હતો. સાગર સમુદાયનાં ૯૦૦ સાધુ-સાધ્વીઓના ગચ્છાધિપતિ આ. શ્રી દર્શનસાગરસૂરિજી મહારાજ છેલ્લાં વર્ષોમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વિચર્યા, અનેક અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ. પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી મુંબઈ ઠાકુરદ્વારમાં આદિજિન ઓસ્વાલ ટ્રસ્ટના ઉપક્રમે જૈન સાધર્મિકોને ઊતરવા માટે ઓસવાલભવનનું નિર્માણ થયું, હરકિશન હૉસ્પિટલમાં મહાવીર વૉર્ડ બનાવવા વિશાળ ફંડ એકત્રિત થયું. છેલ્લે વિ.સં. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૯નું ચાતુર્માસ મુંબઈફોર્ટમાં યાદગાર રહ્યું. પૂ.દાદાના પ્રશિષ્યરત્ન અને મધુરવક્તા પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મ.નાં સુંદર પ્રવચનોથી ધર્મમય વાતાવરણ ખડું થયું હતું. તા. ૬-૮–૯૩નાં પૂ. દર્શનસાગરસૂરિજી મ.ને શ્વાસની તકલીફ ઉગ્ર બનતાં હરકિશન હૉસ્પિટલમાં દાખલ કરાયા. પોતાની અસ્વસ્થ તબિયતમાં પણ નવકારમંત્ર આદિનો જાપ નિયમિત કરતા. છેલ્લા દિવસોમાં પૂજ્યશ્રીની જાગૃતિ અને સંયમ પ્રત્યેની ઉપયોગનિષ્ઠા અદ્ભુત હતી. સાથે સાથે પૂજ્યશ્રીનાં શિષ્ય-પ્રશિષ્યરત્નો પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ. સા., પૂ.પં. શ્રી ચંદ્રાનનસાગરજી મ. (હાલમાં આચાર્યશ્રી), પૂ. મુનિશ્રી દિવ્યાનંદસાગરજી મ., પૂ. મુનિશ્રી ગુણચંદ્રસાગરજી મ., પૂ. મુનિશ્રી પ્રશમચંદ્રસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી રવિચંદ્રસાગરજી મ. અને પૂ. મુનિશ્રીહરિશ્ચંદ્રસાગરજી મ. આદિ ઠાણા સેવામાં ખડે પગે હાજર હતા. છેલ્લા સમયમાં પ્રતિક્રમણ, પડિલેહણ, લોગસ્સ, નવકાર સાર્થ, પછી તો " નમો અરિહંતાણં "ની ધૂન સતત ચાલતી રહી- "અરિહંત" ત્રણ વખત બોલીને ગુરુદેવે સદાને માટે આંખ મીંચી લીધી અને મુક્તિના મંગળ પંથે પ્રયાણ કર્યું. તા. ૫૩–૯૩ના રોજ મુંબઈ શાંતિનાથ જૈન દેરાસર (ફોટ)થી સવારના નીકળેલી પાલખી અવિસ્મરણીય હતી. સાગર સમુદાયનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો. જીવનભર જેમણે સુવિશુદ્ધ સંયમ આરાધીને સાધુઓને સાધુતાનો આદર્શ પૂરો પાડ્યો. મૃત્યુની મંગળ પળોમાં મૃત્યુસમયની સમાધિઓનો સાક્ષાત્કાર કરાવ્યો. ૩વર્ષના સુદીર્ઘ અને સુનિર્મળ સંયમજીવનના પરમ સમારાધક...૯૧વર્ષના સુદીર્ધાયુષી અને જિનેશ્વરદેવના આચાર્યદેવેશ શ્રીમદ્દર્શનસાગરસૂરીશ્વરજી મ.નાં ચરણોમાં આપણા સહુનાં અગણિત વંદન!! – સંપાદક s () G 8 શ્રી નાકોડાજી મહાતીર્થ–ગુદર્શનની યાદમાં 8 રાજસ્થાનમાં કલિકાલ કલ્પતરુમનોરથ પૂરકમહાપ્રભાવિક લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી નાકોદ્રજીમહાતીર્થમાંદાદાવાડીની પાસેનવાબસસ્ટેન્ડની સામે મેઈન રોડઉપર-૬ એકર જમીનમાં અદ્યતન ભવ્ય શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાલા - જિનમંદિર– ગુરુમંદિર – આરાધનાભવન – જ્ઞાનમંદિર – શ્રમણીવિહાર – ભોજનશાળા – આયંબિલભવન – વૃદ્ધાશ્રમ-ગૌશાળા-પ્પાઉ આદિધર્મ-સમાજ ઉપયોગી સર્વઆયોજન કાર્યોનું નવનિર્માણ કામ પૂર જોશમાં શરુ થઈ ગયેલ છે. શ્રી જૈન ભૈરવ દર્શન જૈન ચેરીટેબલ ટ્રસ્ટ સંપર્ક – શા. ચંદનમલ એમ. પરમાર – ફોન નં. ૩૬૭પ૭૦૫ શા. પ્રકાશચંદ્ર એન. તોગાની – ફોન નં. ૨૦૫૯૪ર૩ fiા . YYYY AAAAAAP -- - xxxx ARTIST - - --- ---- - Page #202 -------------------------------------------------------------------------- ________________ - - I જ છે . આ ગ્રંથના પ્રેરક :: મધુર વક્તા, શાસન પ્રભાવક, જાપ ધ્યાનનિષ્ઠ આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ. સા.ની જીવનઝલક મધુર વક્તા, શાસન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજ ખરેખર જિનશાસનના એક તપસ્વી સાધુપુરુષ છે, જેઓ આ વર્ષે જ –અર્થાત્ વિ. સં. ૨૦૧૩ના મહાસુદ-૧૩ ગુરુવાર તા.૨૦-૨-૧૯૯૭ના શુભ દિવસે જૈન શાસનના સર્વોચ્ચ ગણાતા "સૂરિપદથી સમલંકૃત " બન્યા છે, અને જિનશાસનને વધુ એક તેજસ્વી અને ધર્મપ્રભાવક આચાર્યદેવની અણમોલ ભેટ પ્રાપ્ત થઈ છે. તે સમયના સાગરગચ્છાધિપતિ અને સુવિશુદ્ધ સંયમમૂર્તિ દાદા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજની વરદ કૃપાને વરેલા અને તેઓશ્રીના જ શિષ્યરત્ન સંગઠ્ઠનપ્રેમી પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ.આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. સાગર સમુદાયના શણગારરૂપ છે અને પ્રસિદ્ધ એવા પ્રવચનકાર છે. ધર્મભૂમિ ગુજરાતની પ્રસિદ્ધ તીર્થભૂમિ શંખેશ્વરની પાસે આવેલું આદરિયાણા ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થળ. પૂનમચંદ તલકશીભાઈ એ પિતાનું નામ અને પુષ્પાબેન એ ધર્મિષ્ઠ માતાનું નામ. વિ.સં. ૨૦૧૭ ભાદરવા સુદિ ૧ ના રોજ આ તેજસ્વી બાળકનો જન્મ. ચંદ્રકાન્ત નામ પાડ્યું. શ્રી પૂનમચંદભાઈ અને પુષ્પાબેનનું આ પ્રથમ સંતાન. - પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ. સા. ચંદ્રકાન્તના સંસારી સગા કાકા થાય, તો પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ. સા. પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના પણ સંસારીપણે કાકા થતા. આ બધા સાંસારિક સુભગ સંગમે ચંદ્રકાન્તને ઉત્તમ સંયોગ ઊભો કરી આપ્યો. અગિયાર વર્ષની ખેલકૂદની ઉમરમાં જ ચંદ્રકાન્તને પ્રબળ પુણ્યોદયે સંયમધર્મની પ્રાપ્તિ થઈ. વિ. સં. ર૦ર૭ના જેઠ વદિ ૧૧ ને શુભ દિવસે પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે રાજસ્થાનના ફાલના શહેરમાં ચંદ્રકાન્ત સંયમધર્મનો સ્વીકાર કર્યો. મુનિ ચંદ્રાનનસાગરજી બનિને પૂ. મુનિરાજશ્રી નિત્યોદયસાગરજી મ.ના શિષ્યપદે આરૂઢ થયા. બાળ મુનિનો પ્રારંભિક શાસ્ત્રાભ્યાસ થવા લાગ્યો. ગુરુદેવોની મંગળ આશિષ ભાવપૂર્વક વરસવા લાગી. ૨૦૩૭માં મુંબઈના દાદર (વેસ્ટ)માં "મુનિવર"માંથી "ગણિવર" બન્યા. પછી સળંગ Page #203 -------------------------------------------------------------------------- ________________ પાંચ વર્ષ સુધી વર્ષીતપની આરાધના કરી તથા વર્ધમાન તપની ૨૫ ઓળીઓ પૂર્ણ કરી. ધ્યાન–જાપની આરાધનામાં મગ્ન ગણિવરશ્રીએ જ્યોતિષ અને મંત્રશાસ્ત્રોના વિષયોમાં પણ નોંધપાત્ર જ્ઞાન હાંસલ કર્યું. વિ.સં. ૨૦૩૭માં નમસ્કાર મહામંત્રની આરાધના, ૨૦૩૮માં શ્રી ઉવસગ્ગહરં મહામંત્રના સવા લાખ જાપ, વિ.સં. ૨૦૩૯માં ગોરેગામ મધ્યેચિંતામણિ મહામંત્રની વિધિપૂર્વક આરાધના તેમ જ ગૌતમસ્વામીની આરાધના પણ વિધિ સહિત કરેલ. ૨૦૪૦માં પદ્માવતી માતાજી આરાધના, ૨૦૪૩માં શ્રી માણિભદ્રદાદાની ૨૧ દિવસની અખંડ આરાધના એક ધાનના આયંબિલ પૂર્વક વિધિપૂર્વક સંપન્ન કરી. ૨૦૪૭માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અટ્ટ મટ્ટ મહામંત્રની વિધિયુક્ત આરાધના પૂર્ણ કરી. ૨૦૫૦માં ૩૧ દિવસ સુધી અખંડ મૌન સહિત વિશિષ્ટ જાપ-સાધના કરી. ૨૦૫૧માં ૩૧ દિવસની જાપ પૂર્વક વિધિ સહિત આરાધના કરી. ૨૦૫રમાં ૩૧ દિવસ પયંત અખંડ મૌન પૂર્વક વિશિષ્ટ જાપસાધના કરી. આમ આ સાધુપુરુષનું જીવન સતત જાપ, સાધના, ધ્યાનમાં જ પસાર થયું. આ બધાંની પાછળ પોતાના આત્મકલ્યાણ સાથે જિનશાસનની પ્રભાવના અને ભાવિકોના કલ્યાણની કામના પણ કારણભૂત હતી. તપ જપ અને સાધનાના ક્ષેત્રે આગળ વધેલા પોતાના પ્રશિષ્યરત્નને દાદાગુરુશ્રી દર્શનસાગરસૂરિજી મ.સા. દ્વારા સં. ૨૦૪૭માં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા અને સંયમ જીવનની આરાધનાને ઉત્તરોત્તર વૃદ્ધિવંત બનાવતા વિ. સં. ૨૦૫૩ના મહાસુદિ–૧૩ ને દિવસે પોતાના પરમોપકારી ગુરુદેવ પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.નાં વરદ હસ્તે આચાર્યપદથી આભૂષિત થયા અને દર્શન' ' નિત્ય' ગુરુવરની પાટ ઉપર બિરાજમાન થયા. આ આચાર્યપદ-પ્રદાન મહોત્સવ પણ ભવ્યતાપૂર્વક અને શાનદાર રીતે ઊજવાઈ ગયો, અને મુંબઈગરા જૈનો માટે ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો. માત્ર ૧૨ વર્ષની ઉમરે સંયમી બનેલા અને ૩૭ વર્ષની યુવા વયે સૂરિવર બનેલા આ નૂતન આચાર્યશ્રીએ પોતાના ર૬ વર્ષના સંયમપર્યાયમાં જિનશાસનનાં જે અનેક ઉજ્વળ કાર્યો પૂરાં કયાં છે તે જોતાં બે તારણ નીકળે છે – એક તો તેમના ઉપર દર્શન ગુરુવરની સતત મહેર રહી અને બીજું, તપ જપ અને આરાધનાના પ્રતાપે તેમને સતત લીલાલહેર રહી. આ આચાર્યશ્રીની પુણ્યાઈ અને પ્રેરણાના પ્રતાપે જે ઉત્તમ કાર્યો થયાં તે આ પ્રમાણે :પાલીતાણામાં " નિત્યચંદ્રદર્શન" ધર્મશાળા અને તેમાં ભોજનશાળા, ઉપાશ્રય અને જિનાલયનું નિર્માણ થયું. સુમેરપુરમાં શ્રી દર્શન વિહાર ધામનું નિર્માણ થયું. મુંબઈ હરકિશન હૉસ્પિટલમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે ડિલક્ષ વ્યવસ્થા થઈ. ઠાકુરદ્વાર મુંબઈમાં ભોજનશાળાધર્મશાળા થઈ. નાકોડાજી તીર્થમાં આલીશાન ધર્મશાળા-ભોજનશાળા થઈ. શંખેશ્વરથી નાકોડાજીનો છરીપાલિત સંઘ આયોજિત થયો. મુંબઈ કાંદિવલીમાં દિવ્યાનંદ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટનું વિશાળ ભવન નિર્માણ, વતન આદરિયાણામાં જેને જ્ઞાનશાળાનું નિર્માણ, અમદાવાદમાં જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ, મુંબઈ ભાયખલા પોલીસચોકી સામેના ચાર રસ્તાને " દર્શન Page #204 -------------------------------------------------------------------------- ________________ સાગરસૂરિજી ચોક " નામ સ્થાપન કરાવ્યું. આમ શાસન, ધર્મ અને સમાજને ઉપયોગી કાર્યો કરાવીને એક ઉત્તમ સત્કાર્યશૃંખલાનું સર્જન કરી દીધું છે. જીવનમાં સાદગી અને વ્યવહારમાં સરળતા એ પૂજ્યશ્રીનો ટૂંકો પરિચય છે. સંસારની અનેક વિકટ સમસ્યાઓથી ઘેરાયેલા અસંખ્ય લોકોનું શ્રદ્ધાસ્થાન પૂ. આચાર્ય મહારાજ છે. વર્તમાનમાં મગરવાડા—ગુજરાતમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરના તીર્થની રક્ષા અને વિકાસ માટે શ્રી પૂજ્ય અભયમુનિજીને મગરવાડામાં સ્થાપિત કર્યા છે. અને મગરવાડાના વિકાસ અને ઉદ્યોત માટે પૂ. આચાર્યશ્રી સતત પ્રયત્નશીલ છે. દાદાગુરુદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સમય સુધી સતત સેવા અને વૈયાવચ્ચમાં રહીને તેમણે ગુરુસમર્પણનાં સુમનોથી પોતાના જીવનને સુગંધિત કર્યું છે. પોતાના ગુરુદેવ આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની આજ્ઞામાં રહીને પૂ. આ. શ્રી. ચંદ્રાનનસાગરસૂરિજી મ. દર્શનગુરુવરના નામને ચાર ચાંદ લગાવી રહ્યા છે અને જિનશાસનનો જય જયકાર ફેલાવી રહ્યા છે. આ ગ્રંથયોજનાના પ્રેરક તરીકે પૂજ્યશ્રીએ યથાયોગ્ય પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું છે. સંપાદક * સુમેરપુર શહેરમાં પાવન આયોજન રાજસ્થાનનું સુમેરપુર–ઔધ્રીગક શહેર છે. પાલી–જાલોર—તથા સિરોહી જિલ્લામાં મોટામાં મોટી મંડી અહીં છે. જવાઈબાંધ સ્ટેશન પણ બાજુમાંજ છે. રાજસ્થાન પ્રસિદ્ધ શ્રીમહાવિર હોસ્પીટલ પણ અહીંજ છે તેથી રોજ હજારો પ્રવાસી યાત્રિકોનું આવાગમન અવિરત રહે છે તેથી સર્વજન ઉપયોગી જૈનદેરાસર–ભવ્ય શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાલા ભોજનશાલા-આરાધનાભવન-ઉપાશ્રય વિગેરેનું નવનિર્માણ કાર્ય ચાલી રહેલ છે. શ્રી ભૈરવ દર્શન જૈન ચેરીટેબલ ટ્રસ્ટ. સંપર્ક મુંબઈ ઃ શા. માણેકચંદજી કે. જૈન ફોન નં. ૩૮૫૩૯૧૯|૨૬૭૨૭૧૮ શા. ઈન્દ્રમલજી એમ. રાણાવત ફોન નં. ૩૪૪૭૫૪૫/૨૯૩૪/૪૯૩૯૮૭૪ શા. શેષમલજી એમ. જૈન ફોન નં. ૫૨૫૦૭/૨૯૨૬ (૦૨૯૩૩ સુમેરપુર) Page #205 -------------------------------------------------------------------------- ________________ ( વિભાગ - ૧ 'પરમપાવક ભૂમિનો વિકાસક્રમ : S ક્રકે * જંબૂદ્વીપ મધ્યે ભારતભૂમિમાં શાસનરક્ષકશ્રી માણિભદ્રજીનાં ત્રણ પાવન સ્થાનોનું ઐતિહાસિકવિહંગાવલોકન * શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે * જૈનધર્મની દષ્ટિએ જંબુદ્રીપ અને ભરતખંડ * ગિરિરાજ * તારક તીર્થાધિરાજ શ્રી શત્રુંજય * તે સિદ્ધાચલસિધ્યા સાધુ અનંતા ક્રોડ આગમ અનુસાર વંદુ બે કર જોડ * શ્રી શત્રુંજયગિરિરાજનું દિવ્ય મહિમાગાન * શત્રુંજય મહાતીર્થ અને અભિલેખોથી પ્રાપ્ત માહિતી જ 15 જ LE Page #206 -------------------------------------------------------------------------- ________________ 190 श्री शत्रुंजयतीर्थ के परम आराधक तपागच्छाधिष्ठायक श्री मणिभद्र दादा તપાગચ્છાધિષ્ઠાયક ॐ असीआउसानमः श्री मणिभद्र ! दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् ! Page #207 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 191 બૂઢીપ મધ્ય ભારતભૂમિમાં 'શાસનરક્ષક શ્રી માણિભદ્રજીના ત્રણ પાવન સ્થાનોનું ઐતિહાસિક વિહંગાવલોકન -પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. ભક્તિ અને શ્રદ્ધાનું બળ માનવીને કયાં સુધી લઈ જાય છે તેનું જ્વલંત ઉદાહરણ આગલા ભવમાં માણેકશા નામે પ્રસિદ્ધિ પામ્યા અને વર્તમાનમાં તપાગચ્છ સંરક્ષક તરીકેનું સ્થાન પામ્યા શ્રી માણિભદ્ર દેવ. આ યક્ષરાજનું વિસ્તૃત જીવનચરિત્ર પૂ.આ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજની કસાયેલી કલમે ઐતિહાસિક દષ્ટિએ આલેખવામાં આવ્યું છે. અહીં તેમ જ અન્ય કેટલાક લેખોમાં શ્રી માણેકશા માણિભદ્રજી સાથે જે આચાર્યભગવંતોનો ગાઢ પરિચય દર્શાવામાં આવ્યો છે, તે છે પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ. જ્યારે અન્ય કોઈ કોઈ લેખમાં પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજના નામનો ઉલ્લેખ જોવા મળે છે. આ વિરોધાભાસ ઐતિહાસિક દષ્ટિએ પણ સંશોધનનો વિષય છે. આ લેખનું સંકલન કરનાર જાપ-ધ્યાનનિષ્ઠ મધુર વક્તા પૂ. આચાર્યદેવ ઉપર માતા સરસ્વતી, યક્ષરાજશ્રી માણિભદ્ર દેવ અને ભગવતી પદ્માવતીની કૃપા વરસી રહી છે. તેમની અદ્ભુત સાધનાશક્તિના બળે વર્તમાનમાં શાસનસેવાનાં વિરાટ કાર્યો સહજ રીતે થતાં રહ્યાં છે. આ તેજસ્વી પ્રભાવક પંન્યાસપ્રવરશ્રી ૩૭ વર્ષની લઘુવયમાં હમણાં જ મુંબઈમાં મહાગૌરવવંત પંચપરમેષ્ઠિના તૃતીય પદ આચાર્યપદથી તા. ૨૦–૨–૯૭ના રોજ વિભૂષિત થયા. અત્રે પૂજ્યશ્રીએ માણિભદ્રદેવની રજૂ કરેલી પ્રમાણભૂત વિગતો ખરેખર હૃદયને સ્પર્શી જાય છે અને ભક્તિભાવનામાં વૃદ્ધિ કરે છે. સરળ અને વેધક શૈલીથી વ્યક્ત થયેલી રજૂઆતે તેના પ્રભાવનો પણ પરચો આપ્યો છે. સાચો ભાવુક તેમાં રહેલી ભક્તિની ભાવભરી સંવેદનાઓ પામીને ખરેખર ધન્ય બનશે જ. શુભ ભાવનાઓથી પરિપ્લાવિત કરી દે તેવા પ્રસંગોનું રસપૂર્ણ આલેખન કરનાર પૂજ્યશ્રી આ ગ્રંથ-પ્રકાશનને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી ઘણી રીતે સહાયરૂપ બન્યા છે. આ ગ્રંથ યોજનામાં પૂજ્યશ્રીનું પ્રેરક માર્ગદર્શન અમને ઘણુજ ઉપયોગી બન્યુ – સંપાદક Page #208 -------------------------------------------------------------------------- ________________ 192 તપાગચ્છાધિષ્ઠાયક જબૂ નામે રૂડો દ્વીપ છે. તેમાં ભરત નામનું ક્ષેત્ર છે. તેના દક્ષિણ વિભાગમાં ભારત (હિન્દુસ્તાન) નામનો દેશ છે. તેમાં મોરઠ એ રળિયામણો ભાગ છે. સોહામણા સોરઠ દેશમાં પવિત્ર પાલીતાણા ગામ છે. ત્યાં પતિતપાવન શ્રી શત્રુંજય નામનું પરમ તીર્થધામ છે. જેના દર્શનથી પતિત પણ પુનિત બને છે....... જેના અસ્તિત્વથી ભરતક્ષેત્ર વિશેષ શોભાયમાન બન્યું છે... એવો એ પવિત્ર તિર્થાધિરાજ છે. નાત રક છે કરી છે, મા માને કે કે ક મારામારકwetu ittu - એક જ વર્તમાન ચોવીશીમાંના ત્રેવીશ ત્રેવીસ તીર્થંકરોના ચરણસ્પર્શથી જે પવિત્રતાનું પરમ ધામ બન્યો છે. જેના ઉપર પરમાત્મા શ્રી આદિનાથ નવ્વાણું વાર પધાર્યા હતા. આજે જ્યાં મૂળ નાયક રૂપે યુગાદિદેવ શ્રીમાનું ઋષભદેવ પ્રભુની પાવન પ્રતિમા ભક્તોની પૂજાનું ભાજન બની છે. જ્યાં ૯ ટૂંકો આવેલી છે. અનેક ગામ અને નગરોના હજારો લોકો જેની " નવ્વાણું યાત્રા" કરીને નિજ જીવનને ધન્ય બનાવી રહ્યા છે. જેની યાત્રા કાજે છ'રી પાલક સંઘો અનેક ગ્રામ-નગરોમાંથી જ્યાં પધારે છે અને યાત્રા કરીને નિજ પાતિકોને ખપાવે છે.... તેવું તે દિવ્ય અને ભવ્ય મનોહારી શત્રુંજય તીર્થ છે... આવા શત્રુંજય તીર્થના સ્મરણના પુનિત પ્રતાપે માણેકચંદ બને છે મહાન... માણિભદ્ર દેવ. તેની જીવનકથાનો પામીએ સંક્ષિપ્ત પરિચય.. માલવ નામે દેશ. તેમાં શસ્યશ્યામલા ઉજ્જૈની નગરી. જૈનશાસનના જ્યોતિર્ધર અનેક Page #209 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 193 આચાર્યો અને વીર, ધીરને ગંભીર પરાક્રમી રાજવીઓ તેમ જ અનેક શ્રેષ્ઠ કવિઓની જન્મભૂમિ બની છે આ નગરી. | વિક્રમના પંદરમા સૈકાની આ વાત છે. જૈન ધર્મના મર્મજ્ઞો,વ્રતસાધકો, તપસ્વીઓ, દાનવીરો, શ્રીમંતો આ નગરીની શોભારૂપ હતા. કવિઓના પ્રશસ્તિગીતો અને મંત્રસાધકોનાં સ્વસ્તિગીતોનું ગુંજન જ્યાં ગાજતું રહેતું. અધ્યાત્મપ્રેમીઓના અધ્યાત્મથી આ નગર ધમધમતું હતું. ક્ષિપ્રા નામની સરિતા સતત વહેતી રહીને નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.દેવો અને દેવતાઓનાં મનહરણાં મંદિરો ઉજ્જૈનીની અનેરી શાન સ્વરૂપ હતાં. આવી આ ધન્ય ધરા પર વસતા હતા. ધર્મશૂરા ધર્મપ્રિય શાહ નામના શેઠ. ઓસવાલ જાતિના આ શ્રેષ્ઠિવર્ય વિશાળ સમૃદ્ધિના સ્વામી હતા. ન્યાયી અને નીતિમાન હતા. દાનશૂર, કર્મચૂર અને ધર્મશ્ર પણ હતા. ધર્મપ્રિય શાહની ધર્મપત્નીનું નામ હતું જિનપ્રિયા. સદા હસમુખી, ગુણવતી, રૂપવતી અને શીલવતી. આ સુશીલા નારી ધર્મપ્રિય શાહની સાચા અર્થમાં ધર્મપત્ની' હતી. આ પ્રેમાળ અને ધર્માળ દંપતીના આંગણે એક આનંદનો અવસર આવ્યો. પુણ્યનો ચમકારો તેજઅજવાળાં પાથરી રહ્યો અને... એક સૌભાગી પળે પુત્રરત્નનો જન્મ થયો. ધર્મપ્રિય શાહ હવે માત્ર પંતિ' ન રહ્યા, એક પુત્રના પિતા પણ બન્યા. જિનપ્રિયા હવે માત્ર ' ધર્મપત્ની ' જ ન રહી... એક પુત્રનું માતૃત્વ પામીને નારીજીવનનું સાફલ્ય પામી ગઈ. માતા મમતામયી છે, પિતા પ્રસન્ન પ્રસન્ન છે. સ્નેહીજનોના અંતરમાં સ્નેહનો સાગર છે. એકનો એક લાડકવાયો લાલ !! એ લાલનું નામ પાડ્યુંઃ માણેક. વણથંભ્યો કાળપ્રવાહ વહી રહ્યો છે. માણેક મોટો થયો.. હજી તો સંસ્કારધામ સમી શાળામાં પ્રવેશ પામે છે ત્યાં તો ... પિતા ધર્મપ્રિય શાહનો કાળ કોળિયો કરી જાય છે. બાળ માણેકચંદ પિતાનું શિરછત્ર ગુમાવે છે. પત્ની જિનપ્રિયાના જીવનમાંથી પતિનો સાથ ઝૂટવાઈ જાય છે. જિનપ્રિયાનું હૃદય ખંડ ખંડ વિશીર્ણ બની જાય છે. પણ જિનપ્રિયા એક સદ્ધર્મશીલા નારી હતી. એટલું જ નહિ, દેવાધિદેવ શ્રી મહાવીર પરમાત્માના શાસનને પામેલી એક ધર્મવંતી શ્રાવિકા હતી. શોકનાં વાદળોને હિંમતના પવનથી વિદારીને તેણે પોતાના પગ ધરતી સરસા જમાવી દીધા. તે અબળા મટીને સબળા બની.. અને... પુત્ર માણેકના જીવનબાગને સદ્ગણોનાં ફૂલોથી મઘમઘાયમાન બનાવવા વૈર્ય અને ખમીરથી જીવવાનો જિનપ્રિયાએ સંકલ્પ કર્યો. બાળ માણેકને પિતાનો પ્યાર અને માતાની મમતા બન્ને એકસાથે જિનપ્રિયા તરફથી મળતાં રહ્યાં. પુત્ર માણેક પ્રખર પ્રતિભાશાળી બાળક હતો. તેનામાં વય વધતાની સાથે વિવેક અને વિનય વધતા ગયા. માણેકમાં પ્રખર પ્રતિભા હતી, હૃદયમાં વિનય હતો અને વ્યવહારમાં વિવેક હતો. આ ત્રિવેણી સંગમના તીરે માણેકનું જીવન ધન્ય બની ગયું. પંડિતપ્રવરો દ્વારા સંપ્રાપ્ત સમ્યગુ જ્ઞાન અને માતા દ્વારા પ્રાપ્ત સંસ્કારોનો અમૂલો વારસો માણેકને શ્રેષ્ઠ અને સદ્ગણી શ્રાવક બનાવી ગયાં. Page #210 -------------------------------------------------------------------------- ________________ 194 તપાગચ્છાધિષ્ઠાયક માણેક હવે જુવાન થયો. સુંદર રૂપ, મોહી લે તેવા સંસ્કાર અને નજર ઠરે તેવું સૌન્દર્ય. માતા જિનપ્રિયાએ સુપુત્ર માટે સોહામણી સુકન્યા શોધી. ધારાનગરીના સુખ્યાત કરોડપતિ શેઠ ભીમરાજની સુપુત્રી આનંદરતિ. ખૂબ ધામધૂમ પૂર્વક લગ્ન ઊજવાયાં. માણેકશાહ હવે પિતા ધર્મપ્રિય શાહ જેવા જ શ્રેષ્ઠી–સોદાગર બની ગયા. બજારમાં તેમને પણ, પિતાની જેમ " શાહ સોદાગર "ની સુપદવી પ્રાપ્ત થઈ. કેમ કે તેમના વ્યવહારમાં વિવેક હતો, વ્યાપારમાં નીતિમત્તા હતી, દાન દેવામાં તે વીર હતા. આથી માણેકશાહ લોકપ્રિય અને રાજપ્રિય પણ બની ગયા. માણેકશાહ અને આનંદરતિ, આનંદ અને રતિમાં નિમગ્ન બન્યાં. સુખસહિત તેમનો સંસાર આગળ વધવા લાગ્યો. વ્યવહારના કર્મમાં અને જીવનના ધર્મમાં બને સહપ્રયાણ કરવા લાગ્યાં. માણેકશાહનાં માતા અને પિતા ઓસવાળ વંશના અને તપાગચ્છ રૂપી શાખાના આદરણીય પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજના પરમ અનુયાયી હતાં. માણેકશાહે પણ દેવ તરીકે વિતરાગ શ્રી અરિહંત દેવને અને ગુરુ તરીકે પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ.ને હૃદયમંદિરમાં પધરાવ્યા હતા. પરમાત્માના પરમ ભક્ત માણેકશાહની હવેલીમાં જ જિનમંદિર અને પૌષધશાળા હતાં. તેઓ પ્રતિદિન પોતાના ગૃહમંદિરમાં શ્રી વીતરાગ ભગવંતની ભક્તિભાવ પૂર્વક જિનપૂજા કરતા હતા. માતા જિનપ્રિયા અને પુત્રવધૂ આનંદરતિ પણ આનંદ સહિત નિત્ય પ્રભુજીની પૂજા કરતાં. પરિચય જો સપુરુષનો થાય તો તેમાંથી સણ અને સંસ્કારની સૌરભ ખીલી ઊઠે અને જો દુષ્ટજનોનો સંગ થઈ જાય તો સંપ્રાપ્ત સદ્ગણોની સરિતાનાં જળ પણ સુકાઈ જાય અને સંસ્કારનાં ફૂલોથી આચ્છાદિત જીવનબાગ પણ મૂરઝાઈ જાય. માટે જ શાસ્ત્રકારો આપણને ભારપૂર્વક સમજાવે છે કે જીવનમાં સંતોનો–સજ્જનોનો સંગ કરવો જેટલો આવશ્યક છે, તેનાથી વધુ અગત્યતા અને આવશ્યકતા દુર્જનોના સંગના ત્યાગની છે.' માણેકશાહના જીવનમાં પણ એક ભીતરી હોનારત સર્જાઈ ગઈ. એક એવી વ્યક્તિનો પરિચય તેમને થયો કે જેના કારણે શ્રદ્ધાનો ઝળહળતો દીપ બુઝાઈ ગયો.પરમાત્મા શ્રી વીતરાગ પ્રભુની પ્રતિમાના પૂજન પ્રત્યેની માણેકશાહની અવિચલ શ્રદ્ધા ડગમગી ગઈ. જે માણેકશાહ પ્રતિદિન પોતાના ગૃહમંદિરમાં ભક્તિભાવથી જિનેશ્વરદેવની પૂજા કરતા હતા, તે જ માણેકશાહે પ્રતિમાજીની પૂજા તો છોડી દીધી; પણ ' મૂર્તિપૂજા કરવી તે પાપરૂપ છે' તેવું ઘોર મિથ્યાત્વ તેમના હૃદયભવનમાં અંધકાર વેરી રહ્યું. બન્યું હતું એવું કે ઉજ્જૈનને આંગણે લોકાશાહના મતાનુયાયી એક સાધુ આવ્યા હતા. તે મૂર્તિપૂજાના વિરોધી મતના તો હતા જ... સાથોસાથ તેમની પાસે કુતર્કરૂપ કાતિલ પ્રવાહ હતો. તે કુતર્કયુક્ત પ્રવચનના પ્રવાહમાં પ્રગલ્મ બુદ્ધિશાળી માણેકશાહ પણ તણાઈ ગયા. માણેકશાહે આવા સાધુના વધુ પડતા કુસંગના છેદે ચઢી જઈને પ્રભુજીની પ્રતિમાપૂજામાંથી વિશ્વાસ ગુમાવી Page #211 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ દીધો. પરમાત્મભક્તિના પરમ ઉપાસક માણેકશાહે પ્રભુજીની પૂજા તો છોડી દીધી; પણ નિજ ગૃહમંદિરમાં પરમાત્માની મૂર્તિના દર્શન-વંદનને પણ તિલાંજલી આપી દીધી. એટલું જ નહિ, કુળક્રમથી પ્રાપ્ત થયેલા તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવકધર્મને પણ માણેકશાહે ફગાવી દીધો. હવે માણેકશાહ નિજ ગૃહમંદિરમાં કદી જતા નથી. પરમાત્માનો પ્રક્ષાલ કરીને નિજ આતમને ઉજાળતા નથી. સ્તુતિ-સ્તવનનો લલકાર અને આરતીવેળાએ થતા ઘંટનાદના રણકારમાં તેઓ રસ લેતા નથી. હા... આ બધું ચાલુ તો રહ્યું જ હતું, પરંતુ તે માતા જિનપ્રિયા અને વધૂ આનંદરતિ પૂરતું સીમિત રહ્યું હતું. માણેકશાહને એની સાથે કોઈ લેવાદેવા રહી ન હતી. માતા જિનપ્રિયાને પુત્ર માણેકશાહ પ્રત્યે અતિ વહાલ હતું; પણ એથી વધુ વહાલ જિનધર્મ પ્રત્યે હતું. વિશુદ્ધ મૂર્તિપૂજક જિનધર્મ પ્રત્યેની જિનપ્રિયાની આસ્થા અવિચલ અને અજોડ હતી. આથી જ જ્યારે તેમને પુત્રના આ પ્રકારના માનસ–પરિવર્તનની જાણ થઈ ત્યારે તેમના આઘાતનો પાર ન રહ્યો. એમનું હૈયું વેદનાનો મહાસાગર બની ગયું. મારો લાખેણો લાલ માણેકચંદ કરોડો રૂપિયા કરતાં વધુ કીમતી જિનપૂજાથી વંચિત રહે? જે ઘરમાં ભગવાનની પૂજા ન હોય તેને ઘર કહેવાય કે માત્ર જીવતા માણસોનાં હાડકાંઓનું રહેઠાણ? અને વેદનાની આ પળોમાં પ્રતિજ્ઞા કરી લીધી માતા જિનપ્રયાએ કે, "જ્યાં સુધી મારો માણેક પુનઃ જિનપૂજાનો આરાધક ન બને. પુનઃ સન્માર્ગના પંથે પ્રયાણ ન આરંભે ત્યાં સુધી મારે ઘી-વિગઈનો સંપૂર્ણ ત્યાગ.” મધ્યાહુનકાળે ભોજનની વેળા થઈ ત્યારે માતા જિનપ્રિયા ભોજન કાજે રસોડામાં પ્રવેશ્યાં. પુત્રવધૂ આનંદરતિએ ભક્તિસભર હૃદયે સાસુજીનું ભાણું કાઢવા માંડ્યું. કઢાયાં દૂધ.... અને લીલાં શાક! રસીલી દાળ અને ઘીની સોડમથી સુવાસિત રોટલી ! ભાણું પીરસાવા માંડ્યું ત્યારે માતા જિનપ્રિયાએ જણાવ્યું કે: " બેટા! આજથી મારે ઘીનો સદંતર ત્યાગ છે. આજથી મને રોટલી લુખી જ આપવાની." આનંદરતિની આંખો આશ્ચર્યથી મૂઢ બની ગઈ." પણ... માતાજી! શા માટે? આજે કોઈ પર્વતિથિ નથી કે જેથી આપને ઘીનો ત્યાગ હોય." માતાની આંખોમાંથી આંસુ સરતાં જોઈ પુત્રવધૂ વધુ વ્યથિત બની ગઈ : " અરે ! માતાજી ! આપ કેમ રડો છો માતાજી ! મારો કોઈ અપરાધ? મારો કે આપના સુપુત્રનો કોઈ વાંક-ગુનો? શા માટે આજે આપની આંખમાં વાસ આ આંસુનો?" "આનંદરતિ! તારા માટે મારી કોઈ ફરિયાદ નથી. તું તો મારી લાખેણી કુલવધૂછો. તારો વિનય અને તારા સંસ્કાર તો તને 'સ્ત્રીરત્ન'ની પદવી અપાવે તેવાં અમૂલાં છે. પરંતુ મારા ઘી–ત્યાગનું કારણ મારો પુત્ર માણેક છે." માતા જિનપ્રિયા બોલ્યાં. પુત્રવધૂએ કહ્યું : " પણ... માતાજી! એવો તો એમનો કયો ઘોર અપરાધ થયો છે કે જેના કારણે આપને ઘી–ત્યાગનો આવો સંકલ્પ કરવો પડ્યો?" Page #212 -------------------------------------------------------------------------- ________________ 196 તપાગચ્છાધિષ્ઠાયક માતા બોલ્યાં " બેટી! આનંદ! મારા માણેકનો અપરાધ ખરેખર ગંભીર છે. જે માણેક ત્રિકાળ પરમાત્મપૂજા કરતો હતો.... અરિહંત પ્રભુનો અનોખો આરાધક હતો. તે જ આજ પ્રભુપૂજાનો ત્યાગી બની ગયો છે. જનમ-જનમના ભ્રમણને ટાળી દેનાર પરમાત્માની પૂજા તેણે છોડી દીધી છે. આ વાત વિચારતાં હું સો સો વીંછીના ડંખ જેવી વેદના અનુભવું છું. માટે જ છે જ્યાં સુધી મારો પુત્ર પુનઃ પરમાત્માની પૂજા વગેરે કરનારો વિશુદ્ધ જિનધર્મનો આરાધક નહિ બને ત્યાં સુધી મારે સંપૂર્ણપણે ઘી–વિગઈનો ત્યાગ રહેશે." અને તે ક્ષણે આનંદરતિ પોતાનાં મહાન સાસુને મનોમન પ્રણમી રહી."અહો ! આ કેવી મહાન માતા છે. જે પુત્રના આત્મકલ્યાણની આટલી અદ્ભુત ચિંતા કરે છે. કેવી ભવ્ય ભાવોર્મિઓથી ભરેલી આ પૂજ્ય માતા છે!" અને સાસુને પ્રેરણામૂર્તિ બનાવીને તે ક્ષણે આનંદરતિએ પણ ઘી-ત્યાગની પુણ્યપ્રતિજ્ઞા સ્વીકારી લીધી. અંધારઘેરી રાત્રિએ શયનખંડમાં આનંદરતિ પતિદેવની રાહ જોઈ રહી હતી. તે સમયે ધીમે પગલે એક જાજરમાન દેહયષ્ટિ પ્રવેશી. તે કોણ હતા? શેઠશ્રી માણેકશાહ. પ્રવેશ કરતાં જ તેમણે આનંદરતિને પૂછ્યું: " કેમ આજે આમ શાંત બેઠી છે? મોં પર સ્મિત નથી, હૈયે હેત નથી. અંતરનો આવકાર નથી. વાત શું છે? કાંઈ તકલીફ? કાંઈ મૂંઝવણ? " ઘણી વાર સુધી આનંદરતિ મૌન બનીને બેસી રહી. તેની મન:પીડા આંખનાં આંસુ બનીને જ્યારે વહેવા લાગી ત્યારે માણેકશાહે આશ્ચર્યભાવે પૂછ્યું, " અરે ! આનંદ! શા માટે તું રડે છે? મને કહે તો ખરી! કયારેય નહીં અને આજે આટલી વ્યથા શા માટે? તું કાંઈ બોલે તો મને સમજાય!તેનો ઇલાજ થાય !" આનંદરતિએ મૌન તોડ્યું. તે બોલી: " આર્યપુત્ર! આપને ખ્યાલ નથી લાગતો. માતા ઘણા દિવસોથી ઘી નથી ખાતાં. લુખી રોટલી ગળે ઉતારે છે. આપના જેવા માતૃભક્ત પુત્રના કારણે તીર્થસ્વરૂપ માતાને ઘીનો ત્યાગ કરવો પડે તે કોઈ પણ રીતે યોગ્ય ન જ ગણાય ને?" " અરે! આનંદરતિ! તું આ શું વાત કરે છે? મને જરા પણ ખ્યાલ જ નથી કે માતાને ઘીનો ત્યાગ છે, અને તે ય મારા કારણે ! મારો શો વાંક-ગુનો? હું તો સદાય માતાના આશીર્વાદનો અભીપ્સ રહ્યો છું. મને માતાના હૃદયને પીડા પહોંચાડવાનું પોષાય જ કેમ? માતાના અંતઃકરણને કયા કારણે આઘાત લાગ્યો છે? તે તું મને સ્પષ્ટતાપૂર્વક કહે તો સારું." માણેકશાહ શેઠે જણાવ્યું " સ્વામિનાથ ! તમે હેતુપૂર્વક એવી પ્રવૃત્તિ નથી કરી તે હું પણ જાણું છું; પરંતુ તમારી તે પ્રવૃત્તિના કારણે માતાના હૃદયને અકથ્ય વેદના થઈ છે. અને તે વેદનાની ટીસમાંથી આ ભીષ્મપ્રતિજ્ઞાનો પ્રાદુર્ભાવ થયો છે. હે આર્યપુત્ર! આપણું આખું કુટુંબ શ્રી જિનેશ્વરદેવનું પરમ ભક્ત છે. ઉચ્ચ કોટિના જિનભક્તિના જાજરમાન સંસ્કારો આપણા આખા પરિવારમાં પ્રવર્તી રહ્યા છે. એના જ ફળસ્વરૂપે પિતાજીએ આપણા ઘરમાં ' ગૃહમંદિરનું સુંદર નિર્માણ કર્યું છે. આપણે સહુ ભાવવિભોર બનીને રોજ આ ગૃહમંદિરમાં વિરાજમાન જિનેશ્વર ભગવંતની પાવન Page #213 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 197 પ્રતિમાને પ્રણમીએ છીએ. તેમની પૂજા–સ્તવના અને અર્ચના કરીએ છીએ. પણ આપે મૂર્તિને વંદનીય-પૂજનીય નહીં માનનારા સાધુઓના સંગમાં સપડાઈ જઈને કેટલાક સમયથી જિનમૂર્તિપૂજા કરવાનું બંધ કર્યું છે. આ સમાચારથી માતાનું જિનભક્ત હૃદય કેવું વેદનાગ્રસ્ત બન્યું હશે તેનો તમે કદી વિચાર કર્યો છે ખરો? આ જ કારણે માતાએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી મારો પુત્ર પુનઃ સન્માર્ગે પાછો નહિ વળે ત્યાં સુધી હું ઘી નહીં ખાઉં." આનંદરતિએ એકીશ્વાસે આ બધું કહી દીધું. " આ તો મારી ધાર્મિક શ્રદ્ધાનો સવાલ છે અને સ્નેહની સાથે શ્રદ્ધાની સેળભેળ કરવાની વાત મને તો યોગ્ય નથી લાગતી. છતાં પણ એ તું નિશ્ચિત જાણજે કે હું માતાને સમજાવી લઈશ. છતાં તેઓ નહીં માને તો માતાના હૃદયને પીડા આપે તેવી કોઈ પ્રવૃત્તિ હું નહિ જ કરું. આ મારું તને વચન છે." " અને જ્યાં સુધી માતાને ઘીનો ત્યાગ છે, ત્યાં સુધી મારે પણ ઘી–ત્યાગની પ્રતિજ્ઞા છે." આનંદરતિએ પોતાની વાત પણ જણાવી દીધી. "આનો અર્થ એ કે તું અને માતા, બને એક બની ગયાં છો. પણ કાંઈ વાંધો નહિ. તું માતા સાથે જેમ વધુ અભિન્ન બને તે તો મારે મન આનંદની બીના જ હોય ને? છતાં એ ચોક્કસ જાણજે કે માતાની અને તારી પ્રતિજ્ઞા થોડા જ દિવસોમાં હું અવશ્ય છોડાવીશ." માણેકશાહે પોતાનો મનોભાવ સ્પષ્ટ કરી દીધો. પ્રાતઃકાળ થયો. સહસ્રરશ્મિએ પોતાનાં તેજકિરણોથી ધરતીને સોનલવર્ણ કરી મૂકી. શ્રી નમસ્કાર મંત્રના જાપ સાથે માણેકશાહે નિદ્રા તજી અને તેઓ માતા જિનપ્રિયાને નમન કરવા તેમના ખંડમાં ગયા. માતાનાં ચરણોમાં માથું મૂકીને માણેકશાહે નમસ્કાર કર્યા. નમન કર્યા પછી ઘણીવાર સુધી તેઓ વિનત-મસ્તકે અને નત નયનોએ ઊભા રહ્યા. પુત્રને સૂનમૂન જોઈ માતાએ પૂછયું: " બેટા! તું આજે આમ ઉદાસ કેમ છે? લાગે છે કે મારી પ્રતિજ્ઞાની વાત તારા સુધી પહોંચી ગઈ લાગે છે!! તારી ઉદાસીનું કારણ મારી પ્રતિજ્ઞા જ છે ને? તો બેટા! મારી પ્રતિજ્ઞા છૂટી થાય તેનો ઉપાય તારા જ હાથમાં છે." માણેકશાહે હવે મસ્તક ઊંચું કર્યું અને માતાને કહ્યું " હે પૂજનીય માતાજી ! આપની વાત સત્ય છે; પરંતુ મારા મુદ્દાઓ પણ મનનીય છે. પહેલી વાત તો એ કે તમારા સ્નેહની સાથે તમે મારી શ્રદ્ધાને સાંકળી લો છો તે મને ઉચિત લાગતું નથી. બીજી વાત મને મૂર્તિ-અપૂજક સાધુઓના પરિચય દ્વારા એ વાત સુપેરે સમજાઈ ગઈ છે કે મોક્ષ મેળવવા માટે મૂર્તિપૂજા અનિવાર્ય નથી. આપણાં આગમોમાં પણ મૂર્તિપૂજાની વાત આવતી નથી. તો પછી આપ મને જિનમૂર્તિની પૂજા કરવાનો આગ્રહ શા માટે કરો છો ? છતાં હું આપને ખાતરી આપું છું કે સાચા જ્ઞાની શ્રમણ ભગવંતોનો સુયોગ પ્રાપ્ત થતાં જો મારી વિચારધારા અસત્યસિદ્ધ થશે તો તે જ ક્ષણે હું તેનો ત્યાગ કરીશ. પરંતુ આપ આજથી જ ઘી વાપરવાનું શરૂ કરી દો." Page #214 -------------------------------------------------------------------------- ________________ 198 તપાગચ્છાધિષ્ઠાયક "બેટા! શાસ્ત્રો વાંચવાનું અને સમજવાનું મારું ગજું નથી; પણ મને એમ અવશ્ય લાગે છે કે જેમ બાળક પોતાના મૃત્યુ પામેલા પિતાની છબી કે ચીતરેલી આકૃતિને જુએ છે ત્યારે તેને પોતાના પિતાની ઓળખ થાય છે, પિતા પ્રત્યે પ્યાર અને પૂજ્યભાવ જાગે છે; એ જ રીતે પરમાત્મા અત્યારે હાજર નથી. પ્રભુની ગેરહાજરીમાં પ્રભુજીનું બિમ્બ (મૂતિ) પ્રભુ પ્રત્યે પ્રીતિ અને પૂજ્યતા જગાવે છે. પ્રભુની ઓળખાણ કરાવે છે. "વળી જિનબિંબ અને જિનાગમ તો વિષમકાળમાં ભવ્ય જીવો માટે પરમ આલંબનરૂપ છે. જિનાગમને જાણવા-સમજવા વિશિષ્ટ બુદ્ધિમતાની આવશ્યકતા રહે છે. પરંતુ જિનમૂર્તિને જોતાં ઉત્પન્ન થતો શુભ ભાવ તો આબાલવૃદ્ધ સહુને અનુભવસિદ્ધ છે. માટે તું હવે પછી નિત્ય જિનપૂજા અને જિનોપાસના કરે તેમ હું ઇચ્છું છું. છતાં જો તારી ઇચ્છા એમ જ હોય કે કોઈ વિશિષ્ટ જ્ઞાની ગુરુદેવ પધારે અને સમજાવે ત્યાર બાદ જ હું જિનપૂજાદિ ધર્મ આરાધીશ; તો મને તેનો વાંધો નથી. પરંતુ ત્યાં સુધી મારો ધી–ત્યાગ ચાલુ જ રહેશે. આ મારો નિર્ણય છે." માતાની પ્રતિજ્ઞાપાલનની દઢતા સામે માણેકશાહ એક હરફ પણ ઉચ્ચારી શકે તેમ ન હતા. અને એ દિવસથી માણેકશાહે પણ માતાની અને પત્નીની સાથે પોતેય ઘીનો ત્યાગ કરી દીધો. ગમે તેમ તોય, માતા પ્રત્યે આદરશીલ અને મર્યાદાશીલ પુત્રને પામ્યાનું ગૌરવજિનપ્રિયાના હૃદયમાં અવશ્ય હતું. ઉજૈન નગરીની પાવન ધરા આજે ધર્મધુરંધર સૂરિપુરન્દર આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજાના સપરિવાર આગમનથી ખીલી ઊઠી હતી. પૂ.ગુરુભગવંતના દર્શનાર્થે ઉજ્જૈનનો ભાવિકગણ આદરભેર ઊમટી પડ્યો હતો. સહુના હૈયે ગુરુદર્શનનો આનંદ હિલોળે ચડ્યો હતો. પૂ. જ્ઞાની ગુરુવરના આગમનના સમાચાર માણેકશાહને પણ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. તેમણે મનોમન નિર્ધાર કર્યો કે આ સાધુ ભગવંતો પ્રત્યે મારાં માતુશ્રીને અનહદ આદર છે. તો તેમની સાધુતાની અને તપ-ત્યાગ–તિતિક્ષાની પરીક્ષા કરી લીધા બાદ તેમની સાથે વિનમ્રતાથી ચર્ચા-વિચારણા કરી લઉં અને જો મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત સિદ્ધ થઈ જાય તો પુનઃ તેનો હું આદર પણ કરીશ. રાત્રિનો સમય હતો. વાતાવરણમાં નીરવ શાંતિ છવાયેલી હતી. પ્રાણીઓ અને પંખીઓ, પુરુષો અને સ્ત્રીઓ સહુ ઘેરી નીંદરમાં સૂતેલાં હતાં. તે સમયે આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. અને તેમનો શિષ્ય-પરિવાર જાગૃત હતો. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં ગાર્તિ સંયો ! માણેકશાહ આચાર્યશ્રીના સ્થાને આવ્યા. ત્યાં તેણે જોયું, આચાર્યભગવંત અને કેટલાક મુનિવરો ધ્યાનમગ્ન હતા. આ જોઈને માણેકશાહના હૃદયમાં આનંદની લહરીઓ ઊઠી. છતાં માણેકશાહે મુનિઓની પરીક્ષા લેવાના વિચારને તો નહિ. તેણે વિચાર્યું જો આ મુનિઓ પરીષહ સહન કરવામાં પણ પ્રવણ નીવડે તો હું જરૂર તેમનો આદરસત્કાર કરીશ. માણેકશાહે એક જલતી મશાલ લઈ એક ધ્યાનમગ્ન મુનિવરના મોં પાસે ધરી દીધી. Page #215 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 199 મુનિવરના મુખ પર દાઢી હતી. મશાલની આગે મુનિની દાઢીને લપેટમાં લઈ લીધી. દાઢી બળી ગઈ. સાથે ચામડી પણ દાઝી ઊઠી. છતાં મુનિવરે પોતાનું ધ્યાન ત્યજ્યું નહિ. મુનિવરના મુખ પર એ જ તેજ અને ઓજ વિલસી રહ્યું. | મુનિવરની સમતાભીની સહિષ્ણુતા જોઈને માણેકશાહનું હૃદય આશ્ચર્યમુગ્ધ બની ગયું. તેઓ તરત દોડ્યા અને આગ મુનિવરને વધુ પીડા આપે તે પહેલાં જ તેને બુઝાવી નાંખી. માણેકશાહ ઘરે આવ્યા; પણ તેમને ઊંઘ આવતી નથી. નીંદરડી તેમની વેરણ બની ગઈ હતી. તેનું મન સતત પેલા મુનિવરને યાદ કરતું રહ્યું : અહો! કેવો ત્યાગ ! કેવી તિતિક્ષા! કેવી સહિષ્ણુતા ! કેવી અદ્ભુત સમતા ! આવા પૂજ્ય મુનિવરની મેં આશાતના કરી? શ્રાવકનો સુપુત્ર બનીને મેં આવું અધમ કૃત્ય કર્યું? પ્રભો ! પરીક્ષાના નામે મેં આચરેલા મારા આ દુષ્કૃત્યની મને ક્ષમા આપો. માણેકશાહનો આત્મા પશ્ચાત્તાપના પાવકમાં સતત જલી રહ્યો–અરે! મારે તો મુનિઓને શાતા આપવાનું સુકૃત્ય કરવું જોઈએ. ત્યાં મેં તેમને દારુણ વેદના આપવારૂપ દુષ્કૃત્ય આચર્યું? માતા આ જાણશે તો શ્રમણભક્ત તેના હૈયાને કેવો કારમો આઘાત લાગશે? અને. એ સમયે પસ્તાવાના પુનિત ઝરણામાં માણેકશાહ પવિત્ર બનતા રહ્યા. ટપકતાં અશ્રુની સાથે તેમણે અંતરમાં નિર્ધાર કરી લીધો કે આવતીકાલે પૂ. આચાર્યભગવંતશ્રી સપરિવારનાં મારા ઘરે પગલાં કરાવું... સકળ સંઘને પણ નોંતરું અને જાહેરમાં – ભર સભામાં મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરું તથા મનની શંકાઓનું સમાધાન કરું. પ્રાતઃકાળ થયો... સોનલવર્ણા તે પ્રભાતે માણેકશાહ જલદી જાગ્યા. આજે ઊઠતાં જ તેમના હૃદયમાં સવિશેષ ઉત્સાહ અને ઉમંગ નજરે ચઢતા હતા. આનંદરતિએ પૂછ્યું: " આર્ય પુત્ર! આજ આટલા જલદી કાં ઊઠ્યા? વળી તમારા મોં ઉપર આજે ઉલ્લાસ અને ઉમંગ પણ સવિશેષ દૃષ્ટિગોચર થાય છે. કૃપા કરીને મને તેનું કારણ જણાવશો?" માણેકશાહ સોલ્લાસ બોલ્યા : " આનંદ ! આજે તારું, મારું અને માતાશ્રીનું હૈયું આનંદસાગરે હિલોળા લે તેવું કાર્ય થવાનું છે. પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી સપરિવારને આજે આપણાં ઘરે નિમંત્રવાનો છું. સકળ શ્રીસંઘ પણ પધારશે અને મારી મનઃશંકાઓનું જાહેરમાં સમાધાન પણ થશે." આનંદરતિ દ્વારા આ સમાચાર માતા જિનપ્રિયાને મળ્યા. માતા અને પુત્રવધૂ બનેનો હર્ષ હૈયે સમાતો નથી. પુત્રને સૂઝેલી સદ્ગદ્ધિના પ્રતાપે આજનો દિવસ માતાને મન સોનાનો સૂરજ' હતો. માણેકશાહે પૂ. આચાર્ય ભગવંતનાં ચરણોમાં આગ્રહભરી વિનંતી કરી : " ગુરુદેવ! આપ મારા આંગણે પધારો. પ્રવચનસુધા વરસાવો અને મારા મનની શંકાઓનું સમાધાન આપો." પૂ. આચાર્યશ્રીએ પણ માણેકશાહની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. માણેકશાહની વિશાળ હવેલીમાં આવેલા મુખ્ય ખંડમાં પ્રવચનસભા ભરાઈ. શાહની સાગ્રહ વિનંતીથી વિશાળ સંખ્યામાં Page #216 -------------------------------------------------------------------------- ________________ 200 * તપાગચ્છાધિષ્ઠાયક ચતુર્વિધ સંઘ પણ ઉપસ્થિત થઈ ગયો. જેના હૈયે સરસ્વતી વસી છે એવા આચાર્યશ્રીએ મધુર સ્વરે ધર્મદેશના આપી. ધીરગંભીર વાણીમાં વહેતી એ શાસ્ત્રોના નિચોડ સમી દેશના શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી ગઈ. માણેકશાહના હૃદયને પણ સ્પર્શી ગઈ. ગઈકાલે મુનિવરની કરેલી અવહેલનાનો અપરાધ અંતરને કોરી ખાતો હતો. આચરેલા દુષ્કૃતના ઓછાયા હજી મનની ધરતીને ધ્રુજાવી મૂકતા હતા. પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો માણેકશાહનો નિશ્ચય હતો. પૂજ્ય ગુરુદેવના પ્રવચનની પૂર્ણાહુતિ બાદ માણેકશાહ ઊભા થયા અને બોલ્યાઃ " હે પૂજ્ય આચાર્યભગવંત! ગઈ કાલે મેં એક ભયંકર અપરાધ આચર્યો છે. આપના એક શ્રેષ્ઠ મુનિવર જ્યારે ધ્યાનમગ્ન હતા ત્યારે જ તેમને જલતી મશાલની આગ વડે દઝાડ્યા. તેમની દાઢી બાળી નાંખી. તેમની ચામડીને આગ વડે દગ્ધ કરી મૂકી. મુનિઓની સહનશીલતાની પરીક્ષા કરવાના મિષે મુનિવરને મેં ભારે પરિતાપ પહોંચાડ્યો છે. ગુરુદેવ ! મને પ્રાયશ્ચિત્ત આપો. મારા જેવા પામરને પુનિત બનાવો. મને આલોચના આપવા દ્વારા આરાધક બનાવો." આચાર્યશ્રીએ મધુર વચનો દ્વારા કહ્યું: " માણેકશાહ! તમે જે કૃત્ય આચર્યું હતું તેનો બધો વૃત્તાંત મને મળી ચૂક્યો છે. પરંતુ આજે તમે તમારા પાપ બદલ જે પશ્ચાત્તાપ અનુભવો છો અને જાહેરમાં સાચા દિલે પ્રાયશ્ચિત્તની માંગણી કરો છો તેથી તમે પાપાત્મા નથી; પણ પુણ્યાત્મા છો. " યાદ રાખજોઃ જિનશાસનમાં ' પાપ કરે તે પાપી જ' એવો એકાંતનિયમ નથી; પરંતુ ' પાપ કર્યા બાદ પણ જે પશ્ચાત્તાપ ન કરે, પાપથી શુદ્ધ થવાનો પ્રયત્ન પણ ન કરે તે પાપી.' એવો નિયમ છે. " પશ્ચાત્તાપ તો પાવન ઝરણું છે. તેમાં ડૂબકી લઈને અનેક આત્માઓ પુણ્યશાળી બને છે. પાપનો પશ્ચાત્તાપ કરનારો... અને પશ્ચાત્તાપના પાવકમાં પાપને રાખ કરી દેનારો આત્મા પાપાત્મા નથી, પણ પુણ્યશાળી છે. તમે પશ્ચાત્તાપ કરી રહ્યા છો અને પ્રાયશ્ચિત્ત માંગો છો તેથી તમે જરૂર પુણાત્મા છો." પૂ. આચાર્ય ભગવંતે માણેકશાહની પાપશુદ્ધિની ઝંખનાની અનુમોદના કરવા પૂર્વક પ્રાયશ્ચિત્તનું પ્રદાન કર્યું. માણેકશાહે વિનત નયને તેનો સ્વીકાર કર્યો. ત્યાં ઉપસ્થિત ચતુર્વિધ સંઘ, સવિશેષ જિનપ્રિયા માતા અને આનંદરતિ પત્ની આ પ્રસંગથી પરમ પ્રમોદ પામ્યાં. માણેકશાહ ઊભા થયા. પૂ. આચાર્યશ્રીને નમસ્કાર કરીને બોલ્યા : " પૂ. ગુરુદેવ! મારા મનમાં ઘણા સમયથી મૂર્તિપૂજા અંગે અનેક શંકાઓ ઊમટયા કરે છે. શું મૂર્તિપૂજા શાસ્ત્રીય છે? વળી... મૂર્તિ એ તો જડ છે. તો સિદ્ધિ (મોક્ષ)ની પ્રાપ્તિમાં જડ મૂર્તિ ઉપકારક શી રીતે બને? મૂર્તિપૂજા અંગે આપણાં શાસ્ત્રોમાં પ્રાચીન ઉલ્લેખો મળે છે? આવી અનેક શંકાઓનું આપ જેવા જ્ઞાની ગુરુદેવ દ્વારા જો મને સમાધાન મળશે તો મને અને આ સમગ્ર સભાજનોને અત્યંત આનંદ થશે તથા સત્યમાર્ગનો પ્રબોધ લાધશે." Page #217 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 201 પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે " માણેકશાહ! તમારી શંકાઓનું સમાધાન કરતાં મને ઘણો આનંદ થયો. કારણ કે તેના દ્વારા તમને અને અન્ય શ્રોતાજનોને પણ ઘણો લાભ થશે. " માણેકશાહ! આપણાં આગમશાસ્ત્રોમાં અનેક સ્થળોએ મૂર્તિપૂજાનું વિધાન આવે જ છે. આપણે ત્યાં બાર પ્રકારના ' અંગરૂપ શાસ્ત્રો છે, જેને દ્વાદશાંગી' કહેવાય છે. તેમાં બારમું અંગ અત્યારે વિચ્છિન્ન છે. અગિયાર અંગ ઉપલબ્ધ છે. અગિયાર અંગમાં પાંચમું અંગ " ભગવતી સૂત્ર" એક મહાન આગમગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં તથા " રાયપાસેણી " નામના ગ્રંથમાં પણ મૂર્તિપૂજાનું સ્પષ્ટ વિધાન છે. દ્રૌપદી અને સૂર્યાભદેવે જિનપ્રતિમાજીની પૂજા કર્યાનાં સ્પષ્ટ વિધાનો શાસ્ત્રગ્રંથોમાં મળે છે. ' જ્ઞાતાસૂત્ર' નામના આગમગ્રંથમાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજ પર મુક્તિએ ગયેલા " થાવાપુત્ર" નું વર્ણન પણ આવે છે. માણેકશાહે વચ્ચે પ્રશ્ન પૂછતાં કહ્યું: " ભગવંત!આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલાં કોણે જિનબિમ્બ ભરાવ્યાં અને પૂજ્યાં? " ગુરુદેવે સવત્સલ જવાબ આપ્યો: " માણેકશાહ!પ્રથમ તીર્થનાથ ભગવાન શ્રી આદિનાથ પરમાત્માના સુપુત્રરત્ન ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર પહેલા શ્રી આદિનાથથી માંડીને છેલ્લા શ્રી મહાવીરસ્વામી ભગવંત સુધીના ચોવીશે ય તીર્થકરોની, તે તે તીર્થંકરદેવોની દેહપ્રમાણ મૂર્તિઓ ભરાવીને સ્થાપના કરી. અને તેની પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત શ્રી શત્રુંજય ગિરિરાજ જેવા શાશ્વત તીર્થનો ઉદ્ધાર કરવાનું સત્કૃત્ય પણ શ્રી ભરતરાજે કર્યું હતું. "પૂ.આ.શ્રી સુહસ્તિસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી સંપ્રતિ મહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવ પછી બસો ને નેવું વર્ષે સવાલાખ જિનમંદિરો બનાવરાવ્યાં અને સવાકરોડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. સંપ્રતિ મહારાજાની પ્રચીન જિનપ્રતિમાઓ હજી આજે પણ ભારતવર્ષનાં સેંકડો જિનમંદિરોમાં ઉપલબ્ધ થાય છે. "પરમાત્મા શ્રી મહાવીર ભગવંતના વડીલ બંધુશ્રી નંદિવર્ધન રાજાએ પ્રભુ મહાવીરના જીવંતકાળમાં જે, ભગવાન મહાવીરદેવની જિનપ્રતિમાઓ ભરાવી હતી અને જુદાં જુદાં સ્થળોએ પધરાવી હતી, જેમાં રાજસ્થાનમાં નાંદિયામાં પ્રભુ મહાવીરદેવની પ્રતિમા આજેય મનોહર લાગે છે. દિયાણામાં જીવિતસ્વામી તરીકે વિરાજિત પરમાત્મા વીરની પ્રતિમા ડુંગરોની હારમાળામાં ચમત્કારિક ગણાય છે. નાણામાં પણ સુંદર પ્રતિમાજી વિદ્યમાન છે. રાતા મહાવીર, મૂછાળા મહાવીર વગેરે ભવ્ય તીર્થો રાજસ્થાનની ધરતીને ધન્ય બનાવી રહ્યાં છે. મહુવામાં પણ ભગવંત મહાવીરદેવની મનોહારિણી મૂર્તિ વિદ્યમાન છે.. " શ્રી શ્રેણિક મહારાજાએ આવતી ચોવીસીમાં થનારા પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામીની મૂર્તિ ભરાવી છે. વસ્તુપાળ અને તેજપાળે રૂડાં અને રળિયામણાં આબુ–દેલવાડાનાં દિવ્ય મંદિરો.... અચલગઢનું અલૌકિક જિનમંદિર... એની અદ્ભુત કલાકારીગરીના કારણે Page #218 -------------------------------------------------------------------------- ________________ 202 તપાગચ્છાધિષ્ઠાયક જગવિખ્યાત બન્યાં છે. " ધરણશાહે બંધાવેલું રાણકપુરનું ૧૪૪૪ થાંભલાઓવાળું જિનમંદિર સાથે જ ભવ્યાતિભવ્ય છે. નલિનીગુલ્મ વિમાનના આકારના એ જિનમંદિરને નીરખતાં સ્વર્ગલોકની ઇન્દ્રપુરી યાદ આવે! તે સમયે તે જિનાલયના નિર્માણ કાજે દરિયાવદિલના સ્વામી ધરણશાહે નવ્વાણું કરોડ સુવર્ણમુદ્રાઓનો સચ્ચય કર્યો હતો. " કેસરિયાજી તીર્થમાં આદીશ્વર ભગવાનની પાવન પ્રતિમા કેસરિયાનાથ' તરીકે પ્રખ્યાત છે. તેની ભક્તિમાં જૈન–અર્જુનના ભેદ ભુલાઈ ગયા છે. સહુને માટે તે દેવ આજે આરાધ્ય બની ગયાછે. " શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીએ શ્રીમુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં તેની પૂજા–ભક્તિ કરી હતી અને તેનાથી શ્રીપાળ રાજા કોઢરોગથી મુક્ત બન્યા હતા. " આ જ નગરી ઉજ્જૈનીમાં આવેલ અવંતી પાશ્ર્વનાથ પ્રભુની પ્રતિમા પણ અતિ પ્રાચીન છે. અંતરિક્ષ પાર્શ્વનાથનો મહિમા પણ અપાર છે. તે પણ અતિ પ્રાચીન પ્રતિમા છે. આબુ, શત્રુંજય અને ગિરનાર આદિ અનેક તીર્થોનો મહિમા શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણવાયો છે. " શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ ભગવંતની પ્રતિમા તો પ્રાચીનમાં પ્રાચીન છે. દામોદર ભગવાન ! ગઈ ચોવીશીમાંના એ નવમા તીર્થપતિના શાસનમાં અષાઢી નામના શ્રાવકે આ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી હતી.દેવલોક, મૃત્યુલોક અને પાતાળલોક...ત્રણે લોકમાં આ પ્રતિમા પૂજાણી છે. જુગ જુગ જૂનો અને ગૌરવભર્યો એનો ઇતિહાસ પણ અલૌકિક છે. શ્રીકૃષ્ણ મહારાજાના સમયમાં તેનું હવણજળ છાંટવા માત્રથી " જરા ' નામની વિધા ભાગી ગઈ હતી. " આમ આગમોનાં વિધાનો દ્વારા અને ઇતિહાસના અવલોકન દ્વારા પ્રતિમાપૂજન શાસ્ત્રસિદ્ધ છે. માટે જ માણેકશાહ! તમારે જિનમૂર્તિની પૂજાની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા અંગે કોઈ શંકા રાખવાની જરૂર નથી. "વળી... જડ એવી પથ્થરમાંથી નિર્મિત જિનમૂર્તિ શી રીતે સિદ્ધિપદની પ્રાપ્તિમાં સહાયક બને? એ તમારા પ્રશ્નનો જવાબ એ છે કે, આ સંસારમાં એવી સેંકડો ચીજો 'જડ' હોવા છતાં તે 'ચેતન એવા આત્માને ઉપકારક થાય છે એ હકીકત છે. " અરે ! સૌથી પહેલું તો આ શરીર ! પુદ્ગલોનું બનેલું જડ હોવા છતાં આત્મસાધનામાં સહાયક બનીને શિવપદપ્રાપ્તિમાં કારણ બને છેને? જડ એવો સાધુવેશ સંયમસાધનામાં સહયોગી છે ને? તેમ જિનમૂર્તિ એ જડ હોવા છતાં શુભ આલંબન છે, પુષ્ટ આલંબન છે. જિનમૂર્તિના દર્શનથી તેઓ પ્રત્યે અનુરાગ અને ભક્તિ જાગૃત થાય છે અને જિનની ભક્તિ જિનપદની પ્રાપ્તિમાં અનન્ય કારણભૂત છે, તે વાતનો અપલાપ કયો બુદ્ધિમાન કરશે? માટે બધા જ કુવિકલ્પોનો ત્યાગ કરીને, હવે તમે જિનમૂર્તિની આરાધના અને ઉપાસનામાં તત્પર બની જાઓ, તે જ તમારા માટે શ્રેયસ્કર છે." Page #219 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 203 પૂ. આચાર્ય ભગવંતની શાસ્ત્રસિદ્ધ ઇતિહાસ–સાપેક્ષ વાણી માણેકશાહના જીવનમાં અજવાળાં પાથરી ગઈ. મિથ્યાત્વતિમિર દૂર થયો અને સમકિત–ભાનુ પ્રગટી ઊઠ્યો. મહા સુદ પાંચમના એ પુનિત પ્રભાતે માણેકશાહે સમ્યકત્વમૂલક બાર વ્રતનો સ્વીકાર કર્યો અને પ્રતિદિન પરમાત્મપૂજા કરવાનો સંકલ્પ પણ સ્વીકાર્યો. પૂ. ગુરુદેવોને ઉત્તમ વસ્ત્ર–પાત્રાદિ વહોરાવીને ગુરુભક્તિ કરી. શ્રીસંઘમાં પ્રભાવના કરી. દીનહીન અને દુઃખીજનોને અનુકંપાદાન કર્યું. ' હવે પછી માણેકશાહનું પુનઃ જીવન-પરિવર્તન થઈ ગયું. આઠમ–ચૌદસ જેવા પર્વ દિવસોએ તેઓ પૌષધ કરતા પ્રતિદિન અષ્ટપ્રકારી જિનપૂજા કરતા.... સદ્ગુરુઓની શુશ્રુષા અને ભક્તિ કરતા. આમ માણેકશાહના ધર્મનિષ્ઠ જીવનથી પ્રસન્નચિત્ત બનેલી માતા જિનપ્રિયા અને પત્ની આનંદરતિ હવે ઘી–યુક્ત ભોજન આરોગે છે અને સૌલ્લાસ શ્રાવિકાનું જીવન જીવે છે. પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા આગ્રા શહેરમાં પધાર્યા. યોગાનુયોગ એવો બન્યો કે વ્યાપારના કામકાજ માટે માણેકશાહ પણ આગ્રા આવ્યા. માણેકશાહ હવે શ્રદ્ધાસંપન્ન શ્રાવક બન્યા હતા. શ્રદ્ધાળુ શ્રાવક નવા ગ્રામ-નગરમાં જાય એટલે ત્યાં સર્વપ્રથમ જિનમંદિરમાં જિનેશ્વરદેવનાં દર્શન કરે, અને પછી સદ્ગુરુનો સુયોગ હોય તો તેમને વંદન કરે. માણેકશાહે આગ્રામાં આવેલા જિનમંદિરનાં દર્શન-પૂજન કર્યા. અને પછી તેમને સમાચાર મળ્યા કે પોતાના પરમોપકારી ગુરુદેવશ્રી આગ્રામાં જ ચાતુર્માસાર્થે પધાર્યા છે. આષાઢ માસમાં વર્ષાઋતુના આરંભે વાદળીમાંથી પહેલી મેઘધારા વરસે અને મયૂરનું મન જેવું આનંદવિભોર બની જાય..! એ કેવું મન મૂકીને નાચે...! બસ.. એ જ રીતે પૂ. ગુરુદેવશ્રીના દર્શનની મધુર કલ્પનાથી માણેકશાહનો મનમયૂર પણ આનંદવનમાં જાણે નૃત્ય કરી રહ્યો. અને રોમરાજિ વિકસ્વર થઈ ગઈ. માણેકશાહ સીધા ગુરુદેવશ્રીના દર્શન કાજે દોડ્યા." મત્થણ વંદામિ” કહીને શાહે ગુરુવંદન કર્યું અને ગુરુદેવની સુખશાતા–પૃચ્છા કરી. ગુરુદેવે મંગલ આશિષ રૂપ ' ધર્મલાભ અર્ધી તેમની ધર્મારાધનાની ખબર પૂછી. આ દિવસોમાં આગ્રા શહેર પૂજ્ય ગુરુદેવશ્રીની ચારિત્ર્ય-પ્રતિભા, તપોમયતા અને પ્રખર પ્રવચનશક્તિના પ્રભાવે ઘેલું બન્યું હતું. તેમના મુખકમળમાંથી વહેતા પ્રવચન-પરાગનું પુણ્યપાન કરવા માટે હજારો જૈન-જૈનતરોનો પ્રવાહ રોજ પ્રવચનસભામાં ઊભરાતો હતો. આવા ધન્ય અવસરને ધર્મજન કેમ ચૂકે? આપણા માણેકશાહ પણ સાચા ધર્મી હતા. તેમણે પણ ચાતુર્માસ ગુરુસાંનિધ્યે ગાળવાનો નિર્ણય કરી સઘળો વ્યાપાર-ધંધો મુનીમોને સોંપી દીધો અને પોતે ગુરુશુશ્રુષા, પ્રવચન શ્રવણ અને નમસ્કારમંત્રના જાપમાં લીન બન્યા. સામાયિક, પ્રતિક્રમણ અને પૌષધવ્રતના આરાધનમાં મગ્ન બન્યા. આત્મધર્મની અનોખી ચર્ચા-વિચારણામાં Page #220 -------------------------------------------------------------------------- ________________ 204 તપાગચ્છાધિષ્ઠાયક માણેકશાહનો સમય વ્યતીત થવા લાગ્યો. ચાતુર્માસમાં ' શત્રુંજય માહાભ્ય' નામના ગ્રંથરત્ન ઉપર પૂ. આચાર્ય ગુરુભગવંતશ્રીની પ્રવચનધારા વહેવા માંડી : " શ્રી શત્રુંજય ગિરિરાજ ! પનોતો તેનો પ્રભાવ! આત્માને સંસાર–અટવીમાંથી ઉગારીને સિદ્ધિપદના સ્વામી બનાવે તેવો તેનો પ્રભાવ! "તારે તેને તીર્થ કહેવાય પણ આ તો તીર્થાધિરાજ ! જ્યાં અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, એનો મહિમા ત્રિભુવનવિખ્યાત છે. " સિદ્ધાચલ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે.” સિદ્ધાચલના શિખરે બિરાજેલા અલબેલા આદીશ્વર દાદાના દર્શને ઘોર પાપીઓ પણ પાવન બન્યા છે. " પાપી અભવિ જે નજરે ન દેખે, હિંસક પણ ઉદ્વરીએ.... વિમલગિરિ જાત્રા નવ્વાણું કરીએ." " અભવ્ય આત્માઓ આ ગિરિરાજની પાસે ફરકી પણ શકતા નથી. અને હા... જે આ ગિરિવરનું દર્શન અને સ્પર્શન કરે તે નિયમાભવ્ય જ હોય તેવું શાસ્ત્રવચન છે. ઘોર હિંસક આત્માઓને આ ગિરિવરે ઉદ્ધર્યા છે. "માનવજન્મારો તેનો જ સફળ છે, કે જેણે આ ગિરિવરને વાંધા છે, પૂજ્યા છે, સ્તવ્યા છે. આ પાવન તીર્થનું અસ્તિત્વ અનાદિકાલીન છે. એની અસ્મિતા અજોડ છે. એની ગુણગરિમા અનંતકાળ સુધી વિદ્યમાન રહેવાની છે. "સિદ્ધાચલનું શરણ સ્વીકારે તે આત્મા સિદ્ધિપદને પામે જ! સવાલ છે માત્ર ભાવપૂર્વક અનન્ય શરણાગતિ સ્વીકારવાનો ! સિદ્ધપદને પામવાનું અચલ જે આસન તેનું નામ સિદ્ધાચલ! " મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન ભગવાન શ્રી સીમંધરસ્વામી જેવા તીર્થંકર પ્રભુ કહે છે: 'આ શત્રુંજય ગિરિરાજ જેવું મહાન તીર્થ આખા વિશ્વમાં બીજું કોઈ નથી.' " કોઈ અનેરું જગ નહિ. એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે.” " જેના ઉપર રાયણવૃક્ષ ભક્તોના વાંછિતને પૂરે છે. નવ ટ્રકોમાં પથરાયેલાં જુદાં જુદાં મંદિરો જાણે મંદિરોની મહાનગરી' ના હોય! એમ વિલસી રહી છે. " જે તીર્થાધિરાજ પર ભગવાન શ્રી નેમિનાથ સિવાયના આ ચોવીશીના ત્રેવીશ ત્રેવીશ Page #221 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 205 તીર્થંકરદેવો પધાર્યા છે. અને આવતી ચોવીશીના પદ્મનાભસ્વામી આદિ તીર્થંકરદેવો પણ જે પાવનગિરિ પર પધારવાના છે. તે તીર્થને 'તીર્થાધિરાજ'નું બિરુદ મળે તેમાં નવાઈ શીદને?" પૂ. આચાર્યશ્રી તીર્થ શત્રુંજયગિરિનો મહિમા પ્રતિદિન પ્રવચનમાં સમજાવે છે. એક વાર પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે." આ પુણ્યતીર્થને જુદા જુદા સ્થળેથી નીરખતાં તેના સુંદર સ્વરૂપનાં અવનવાં દર્શન તમને થશે. વલભીપુર (વળા) તરફથી તમે ગિરિરાજને નિહાળશો તો જાણે મદમસ્ત ગજરાજ સૂંઢ લંબાવીને સૂતો હોય તેમ જણાશે. શેત્રુંજી નદીના પૂર્વ વિભાગ તરફથી જોતાં ત્યાંનાં જિનમંદિરો તે પ્રવહણ (વહાણ)ની ધજા સમાન શોભે છે. " કેવળજ્ઞાની શ્રી અઈમુત્તા મુનિએ અને શ્રી નારદજીએ આ ગિરિવરનો જે મોટો મહિમા ગાયો છે, તેનો કહેતાં પાર આવે એમ નથી. " એક કરોડ માણસોને ભોજન કરાવવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય આ ગિરિરાજમાં આવીને એક ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. " જે પુણ્યાત્મા છઠ કરીને આ તીર્થરાજની સાત જાત્રા કરે તે ત્રીજે ભવે મુક્તિપદને વરે છે." " અન્ય તીર્થોમાં બ્રહ્મચર્યપાલન અને ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય. તેનાથી વધારે પુણ્ય શ્રી સિદ્ધાચલજીમાં વસવાથી થાય છે. શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શનાથી સર્વ તીર્થોના દર્શન-વંદનનું પુણ્ય આરાધકને પ્રાપ્ત થઈ જાય છે. આ તીર્થરાજની સ્પર્શના કરવાથી સમ્યગ્દર્શન નિર્મળ બને છે. તેની નવ્વાણું યાત્રા કરવાથી સંસારના સઘળા ભયોનો નાશ થઈ જાય છે. " સમેતશિખરજી, પાવાપુરી, ગિરનાર, ચંપાપુરી, રાજગૃહી આદિ તીર્થોનાં દર્શન-વંદન કરતાં સો ગણો લાભ આ ગિરિવરનાં દર્શન કરવાથી થાય છે. તેનું પૂજન કરતાં હજારગણું, ત્યાં પ્રતિમા ભરાવવાથી અને તે તીર્થની રક્ષા કરવાથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે." પૂ.આચાર્યશ્રી હેમવિમલસૂરિવરની સુમધુર ધર્મદેશનાનું અમૃત સભાજનો ધરાઈ ધરાઈને પીતા હતા. વક્નત્વનો વાદ્વૈભવ શ્રોતાઓનાં હૈયાંને ડોલાવતો હતો, પરંતુ શ્રોતાઓની આ સભામાં એક જીવ અનોખો બેઠો હતો. તે હતા માણેકશાહ. માણેકશાહનો મન-મોરલો તો મન મૂકીને જાણે નાચી રહ્યો હતો. શાહના અંતરમાં તો પાલીતાણાના એ મનમોહક ગિરિવરની આકૃતિ જાણે કોતરાઈ ઊઠી હતી. તેણે ભરસભામાં ઊભા થઈને ગુરુદેવને પ્રાર્થનાસૂરે કહ્યું, "ગુરુદેવ! મારે પ્રતિજ્ઞા લેવી છે. કારતક સુદ પૂર્ણિમા પૂર્ણ થયા બાદ. ચઉવિહાર સાથે.. મૌનના પચ્ચખાણપૂર્વક... શ્રી નવકારમંત્ર અને શત્રુંજય ગિરિરાજના સતત સ્મરણ સહિત.. આવશ્યક ક્રિયા અને આરાધકને યોગ્ય વિધિપૂર્વક પગે ચાલતાં ચાલતાં શ્રી શત્રુંજયતીર્થની હું યાત્રા કરીશ. જ્યાં સુધી હું ગિરિવરનાં દર્શન ન કરું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ." માણેકશાહની કઠોર પ્રતિજ્ઞાની વાત સાંભળીને શ્રોતાજનો સ્તબ્ધ બની ગયા. અહો ! Page #222 -------------------------------------------------------------------------- ________________ 206 તપાગચ્છાધિષ્ઠાયક ધન્ય માણેકશાહ! ધન્ય તમારી પ્રતિજ્ઞા! આવી ઉગ્ર અને આટલી કઠોર પ્રતિજ્ઞા !! શ્રોતાઓના હૈયેથી શતશઃ ધન્યવાદનાદ ગુંજી ઊઠયા. ગુરુદેવ દીર્ઘદ્રષ્ટા હતા. ભાવિના ભેદના અકળ જ્ઞાતા હતાં. તેમણે સાવધાનીના સૂરમાં કહ્યું: " માણેકશાહ! તમારી ભાવનાની હું કદર કરું છું. ભાવના અતિ ઉત્તમ છે; પણ આ પ્રતિજ્ઞા અતિ મુશ્કેલ છે. આગ્રાથી શત્રુંજયગિરિ ઘણો દૂર છે. અન્ન અને જળ વિના ત્યાં સુધી પહોંચવું અતિ કઠણ છે." " ગુરુદેવ! આપશ્રી મને અંતરના આશિષ અર્પો. આપના આશિષનું બળ, એ જ મારાં અન્ન ને જળ ! અન્ન-જળ અનંતા જન્મોમાં આરોગ્યાં. હવે તો તેને તજીને ગિરિરાજની જાત્રા કરવી છે. તીર્થાધિરાજ શત્રુંજયના ધ્યાનમાં કદાચ પ્રાણ ચાલ્યા જાય તો મને તેની પરવા નથી. ગુરુદેવ! પ્રતિજ્ઞા આપો. આશિષ આપો અને મારી ભવયાત્રાને ટૂંકાવવા તીર્થયાત્રાનો આદેશ આપો." માણેકશાહનો સંકલ્પ દઢ હતો. એના સંકલ્પની પાછળ આત્માની અજબ શક્તિ છુપાયેલી હતી. સંકલ્પ જ દુરારાધ્ય છે. સિદ્ધિ તો સુસાધ્ય છે. સંકલ્પ સાધ્ય થયો તો પછી સિદ્ધિ તો સાધ્ય બનીને જ રહે છે. અને.... પૂ આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજાએ સકળ સંઘ સમક્ષ તીર્થપતિ શત્રુંજયની પદયાત્રા કરવાની પ્રતિજ્ઞા માણેકશાહને આપી દીધી. આસો સુદ પંચમીના ઉત્તમ દિવસે ઉત્તમ સમયે... ત્રણ નમસ્કાર મંત્રના જાપ પૂર્વક માણેકશાહે તે પ્રતિજ્ઞાનો સ્વીકાર કર્યો. પ્રતિજ્ઞાના સ્વીકાર બાદ જાણે માણેકશાહનું મુખારવિન્દ સૂર્ય સમ તેજોમય અને કાંતિમય બની ગયું કાર્તિકી પૂર્ણિમા આવી.. પૂ. આચાર્યશ્રીદેવશ્રીનું ચાતુર્માસ પૂર્ણ થયું. સાથે પેલો ' શત્રુંજય માહાભ્ય' ગ્રન્થ પણ પ્રવચનમાં પૂર્ણ થયો. પૂ. ગુરુદેવશ્રીના અંતરના આશીર્વાદ અને માંગલિક શ્રવણ કરીને માણેકશાહે શત્રુંજયગિરિ પ્રતિ પ્રસ્થાન કર્યું. આગ્રાના સમસ્ત શ્રીસંઘે સ્નેહ અને શુભાશિષ સાથે વ્હાલભરી વિદાય આપી. માણેકશાહનો ઉત્સાહ અજબ હતો. ઉમંગ ગજબ હતો. ધૈર્ય અને સાહસ અનુપમ હતાં. અપૂર્વ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે તેમણે શત્રુંજય પ્રતિ પદયાત્રા પ્રારંભી. અન્ન અને જળના સંપૂર્ણ ત્યાગપૂર્વકની આવી પદયાત્રા અને તીર્થયાત્રા પ્રાયઃ જાણી નથી. ભીષ્મપ્રતિજ્ઞ ભીષ્મની અદાથી આ મહાન માણેકશાહ શત્રુંજય સમો તીરથ નહિ એ ગીતકડીને રટતા રટતા આગળ વધે જાય છે. | ગુજરાતમાં પાલનપુર પાસે મગરવાડા ગામ છે. તેની પાસે આવેલા જંગલમાંથી માણેકશાહ પસાર થઈ રહ્યા હતા. મનમાં એક જ ધ્યાન છેઃ જય આદીશ્વર ! Page #223 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 207 આ ધ્યાન સાથે માણેકશાહ જંગલમાં પ્રવેશ્યા. જંગલ તે કેવું! ઘોર ભયંકર જંગલ. અડાબીડ જંગલ, જ્યાં ડાકુઓનો વસવાટ છે અને ત્રાસ છે તેવું જંગલ. ડાકુઓની નજરે માણેકશાહ ચડી ગયા. દેખાવે વાણિયા જેવા લાગતા માણેકશાહ પાસે પુષ્કળ ધન-દૌલત છુપાયેલી હશે! આવી આશાના કારણે ડાકુના સરદારે રાડ પાડી : "અય મુસાફિર ! ઊભો રહે અને તારી પાસે જે કાંઈ ધન-દૌલત હોય તે અમને આપી દે." પણ દુનિયાના ખ્યાલથી નિરાળા બની ગયેલા અને સિદ્ધગિરિના ધ્યાનમાં તલ્લીન બની ચૂકેલા માણેકશાહના મન સુધી એ અવાજ પહોંચ્યો નહિ. અને માણેકશાહ તો જય શ્રી શત્રુંજયના રટણ સાથે આગેકદમ બઢાવ્ય જ ગયા. ડાકુના સરદારને રોષ ચઢયો. તેણે સાથી ડાકુઓને આદેશ આપ્યો " આક્રમણ...!" અને ઉઘાડી તગતગતી તલવાર લઈને ડાકુઓ માણેકશાહ ઉપર તૂટી પડ્યા. આવેલી વિપત્તિને સંપત્તિ સમજીને તેમણે મનને ક્ષમામાં પરોવી દીધું. સમતારસમાં આત્માને ઝીલતો રાખ્યો અને અંતરમાં " જય શ્રી સિદ્ધાચલ", " જય જય શ્રી આદિનાથ"નો અજપાજપ કરતા કરતાં માણેકશાહનો દેહ ત્યાં જ ધરતી પર ઢળી પડ્યો. તલવારોના પ્રહારે શરીરના ત્રણ ભાગ થઈ ગયા. માથું! પગ! અને ધડ! જેના હૈયે સતત ગિરિરાજનું ધ્યાન હોય! જેનું મન અરિહંતની ભક્તિમાં એકતાન હોય! અને જેના નવકારમંત્રમય પ્રાણ હોય! તેની શુભંગતિ ન થાય તેમાં આશ્ચર્ય શું? ધર્મરત્નશિરોમણિ સમા માણેકશાહ મૃત્યુ પામીને વ્યંતરનિકાયના યક્ષેન્દ્ર માણિભદ્ર રૂપે ઇન્દ્ર બની ગયા. ઈર્ષાની આગ ભારે બિહામણી છે. બાહ્ય આગ તો સારી. તેમાં દાઝતા માણસને બીજા જોઈ પણ શકે, અને શક્યતઃ બચાવી પણ શકે; પરંતુ ઈર્ષાની આગ ભીતરી આગ છે. તેમાં જલતો આદમી જલ્યા જ કરે. બીજો કોઈ માણસ તેને બચાવી ના શકે. જલતાં જલતાં એક દિવસ ઈર્ષ્યાળુ પોતે પૂરો થઈ જાય; પણ પેલી આગ - ઈર્ષાની આગ... આગ- તો સદા જલતી જ રહે. માણેકશાહના અંતરમાં મૂર્તિપૂજા પ્રત્યે અણગમો જગાડનારા અને જિનભક્તિથી તેમને દૂર કરનારા કડવામતી સાધુઓને જ્યારે જાણ થઈ કે માણેકશાહે લોકમત તજી દીધો છે અને પુનઃ તેમણે જિનમૂર્તિની પૂજા કરવાનો પ્રારંભ કર્યો છે. ત્યારે તેમનું અંતર ઈર્ષાની આગમાં જલવા લાગ્યું – અરે! કોણ છે એવા માણસો જેણે અમારા ભક્ત માણેકશાહને ધરમૂળથી પલટી નાંખ્યા? પુનઃ જિનમૂર્તિના ઉપાસક બનાવી દીધા? તપાસ કરતાં પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. નું નામ તેમને જાણવા મળ્યું અને.. ઈર્ષાની આગમાં બળીને માનસિક રીતે અંધાધૂંધ બનેલા તે સાધુઓએ, આ જૈનાચાર્ય અને Page #224 -------------------------------------------------------------------------- ________________ 208 તેમના મુનિઓને મરણાંત કષ્ટ આપવાનો ભયાનક નિર્ણય લઈ લીધો. કડવામતી આચાર્યની મતિ આજે સાચે જ કટુ અને કુંઠિત બની ગઈ હતી. તેમણે ભૈરવદેવની સાધના આરંભી. મલિન આશય પૂર્વક મંત્ર તંત્ર અને યંત્રના પ્રયોગો શરૂ થયા. ઉગ્ર તપ અને જાપના પ્રભાવે ભૈરવદેવ હાજર થયા. " આચાર્યશ્રી ! શા માટે આપે મને બોલાવ્યો? ભૈરવદેવ મંત્રશક્તિથી ખેંચાઈને આવ્યા હતા. " આચાર્ય હેમવિમલસૂરિજીના સાધુઓને અને તેમને – સહુને પહેલાં ચિત્તભ્રમિત કરી દઈ, પછી મૃત્યુના મુખમાં ધકેલી ધો." ઈર્ષ્યાની આગમાં બળતા—ઝળતા કડવામતી આચાર્યે ભૈરવને આજ્ઞા કરી. ભૈરવદેવ મંત્રશક્તિથી બંધાઈ ગયેલા હતા. તેથી તેમને 'હા' પાડવી પડી. " તથાઽસ્તુ" (તેમ જ થશે) એમ કહીને ભૈરવ વિદાય થાયા. આ બાજુ તપોનિષ્ઠ અને સંયમનિષ્ઠ આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય પરિવાર સાથે, આગરાનું ચાતુર્માસ પૂર્ણ કરીને વિહાર કર્યો. આસપાસનાં ક્ષેત્રોમાં તેઓ પરિભ્રમણ કરતા રહ્યા. તેઓશ્રીએ હવે મારવાડની ભૂમિ પ્રતિ પ્રસ્થાન કરવાનો નિર્ણય લીધો – અને દુર્ઘટનાઓનો દુરારંભ થયો. '' તપાગચ્છાધિષ્ઠાયક એક યુવાન મુનિવરનું ચિત્ત ભ્રમિત થયું, જેના નખમાં ય રોગ ન હતો... યૌવનને આંગણે ઊભતા અને સુંદર સંયમજીવન જીવનાર આ યુવા મુનિવરના ઇલાજ માટે અનેક વૈદ્યોના ઉપચારો શરૂ કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ ઔષધ–ઉપચાર કામિયાબ ન બન્યા. અંતે એ મુનિવરે સમાધિ પૂર્વક પોતાનો દેહ તજી દીધો. સહવર્તી મુનિઓને હજી સમજાતું ન હતું કે આમ અચાનક આ મુનિવરને શું થયું ? કેમ એમની ચિર વિદાય થઈ ગઈ? પ્રશ્ન અનુત્તર રહ્યો. સહવર્તી મુનિઓની આંખમાં આંસુ ઊભરાયાં. આચાર્ય ભગવંતનાં નેત્રો પણ સજળ બની ગયાં. બીજા એક મુનિને ચિત્તભ્રમનો રોગ લાગુ પડયો. વૈદ્યોના ઉપચારો શરૂ થયા પણ અંતે બધું નિષ્ફળ ! બીજા તે સંયમી મુનિવર પણ સ્વર્ગે સિધાવી ગયા. જૈન સંઘમાં સોપો પડી ગયો. ઘર-ઘરમાં અને ગલી–ગલીમાં બે—બે મુનિઓના અચાનક મૃત્યુની જ ચર્ચા થવા લાગી.. કારણ જડતું નથી. આચાર્ય અને સહવર્તી મુનિઓ કશું વિચારે તે પહેલાં, એક પછી એક મુનિવરો ચિત્તભ્રમિત થવા લાગ્યા. સઘળા ઉપચારો નિષ્ફળ બનવા લાગ્યા. સત્તર સાધુઓમાંથી દસ દસ મુનિઓનો ભોગ લેવાઈ ગયો. જૈન સંઘોમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર ભય અને સંતાપનું સામ્રાજ્ય છવાઈ ગયું. પૂ. આચાર્યદેવશ્રી જ્ઞાની હતા, વિચક્ષણ હતા. તેમણે તર્કબુદ્ધિથી નિર્ણય કરી લીધો કે : આ કોઈ દૈવી પ્રકોપ છે અને તેના નિવારણ માટે દૈવી સહાય જ જરૂરી બનશે. ભાવિ સંઘરક્ષા Page #225 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજી માણિભદ્રદેવ 209. કાજે અને આશ્રિત મુનિઓના જીવનની રક્ષા કાજે આજે દેવી ઉપાસના અનિવાર્ય બની છે. નિશ્રાવર્તે મુનિગણ અને સકલ સંઘને આ નિર્ણયની જાણ કરી અને જ્ઞાન–ધ્યાન ને તપ-જપમાં પ્રવૃત્ત રહેવાનો ઉપદેશ આપી સૂરિદેવ પોતાની ઉપાસના-સાધનામાં અન્નજળ અને નિદ્રાનો ત્યાગ કરી બેસી ગયા. એક અલગ ખંડમાં સૂરિશ્રીએ સાધના આરંભી. તપ–જપ અને ધ્યાનનો યજ્ઞ આરંભાઈ ગયો. આ સમય દરમિયાન ચતુર્વિધ સંઘ પણ વિધવિધ જ્ઞાનસાધનામાં તલ્લીન બન્યો. વિશિષ્ટરૂપે જિનપૂજા, બ્રહ્મચર્યપાલન, આયંબિલ, અટ્ટમ, નમસ્કાર મંત્રનો જા૫ આદિ વિવિધ આરાધનાઓ શ્રીસંઘમાં થવા લાગી. પૂ. આચાર્યદેવશ્રીને સતત અગિયાર–અગિયાર દિવસના નિર્જળ ઉપવાસ થઈ ગયા. સંઘ ચિંતાતુર બન્યો છે. શિષ્યોનાં માં પર વ્યથા દેખાય છે અગિયાર-અગિયાર દિવસના ઉપવાસ! જળનું ટીપું મોંમાં ગયું નથી ! પૂજ્યશ્રીને કાંઈ થઈ તો નહિ જાય ને? અગિયારમા ઉપવાસે રાત્રે શાસનદેવી સાક્ષાત્ દર્શન આપે છે – જાણે સાધનાનું સિદ્ધિમાં સમવતરણ થાય છે. શાસનદેવી કહે છે : " સૂરિદેવ! શીદને સાદ દીધો મને? કપાકાર્ય ફરમાવો." "હે શાસનદેવી! છેલ્લા કેટલાક સમયથી મારો સમુદાય દૈવી ઉપદ્રવમાં સપડાઈ ગયો છે. મારા સંયમી અને તપસ્વી મુનિઓ અચાનક મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તમે જણાવો કે આ ઉપદ્રવને કરનાર દેવ કોણ છે? અને તેના નિવારણનો ઉપાય શો? " પૂજ્યશ્રીએ શાસનદેવીને પૂછ્યું. જવાબ મળ્યોઃ " હે પૂજ્ય સૂરિપુરંદર ! આ ઉપદ્રવ અવશ્યદૈવી છે. અમુક માનવો દ્વારા આકર્ષિત થયેલો દુષ્ટ દેવ આપના મુનિવરોના મોતનું નિમિત્ત બન્યો છે. પરંતુ હવે તે ભયથી આપ મુક્ત બની જાઓ. આપ ગુજરાતના પાલનપુરની પાસે મગરવાડા પધારો. ત્યાં આપને વિશિષ્ટ શક્તિધારી દેવની પ્રાપ્તિ થશે અને તેના દ્વારા આપ દુષ્ટ દેવના આ ઉપદ્રવથી મુક્ત બની જશો." પૂજ્યશ્રીને શાસનદેવતાના જવાબથી સંતોષ થયો. તેઓશ્રીએ અગિયાર ઉપવાસનું પારણું કર્યું. પછી યોગ્ય અવસરે મુનિગણને એકત્રિત કર્યો અને જણાવ્યું: " હે શિષ્યો ! તમે એમ ન માનશો કે આપણી સાધના પૂર્ણ થઈ છે. શાસનદેવની આરાધનાના કારણે આપણને કોઈ દુષ્ટ દેવતા જ આ ઉપદ્રવ કરે છે, તે સમજાઈ ગયું છે. વળી તેના નિવારણનો ઉપાય પણ તેમણે જણાવેલ છે. તે માટે આપણે ગુજરાતના પાલનપુર તરફ પ્રયાણ કરવું પડશે. આવતીકાલે જ આપણે ગુજરાત તરફ પ્રસ્થાન કરીશું." - ગુરુ-આજ્ઞાને જિનાજ્ઞા તુલ્ય સમજતા પૂ. મુનિવરો, પૂ. આચાર્યદેવશ્રીની સાથે વિહાર કાજે કટિબદ્ધ બન્યા. પૂ. આચાર્યદેવાદિ મુનિ પરિવારને વળાવવા માટે સકળ શ્રીસંઘ એકત્રિત થયો. વિદાયવેળાએ પૂજ્ય ગુરુદેવે માંગલિક શ્રવણ કરાવ્યું અને જણાવ્યું કે, " હે શાસનભક્ત શ્રાવકો અને શ્રાવિકાઓ ! આપણા સહુ ઉપર દૈવી ઉપદ્રવ આરંભાઈ ચૂકયો છે. તેનું નિવારણ Page #226 -------------------------------------------------------------------------- ________________ 210 તપાગચ્છાધિષ્ઠાયક થાય તે માટે જ હું ગુજરાત તરફ જાઉં છું. અને જ્યાં સુધી અમારા દ્વારા તે ઉપસર્ગ-નિવારણના પાકા સમાચાર ન મળે ત્યાં સુધી તમારે સહુએ વિશિષ્ટ તપજપ આદિ ધર્મધ્યાન ચાલુ જ રાખવાનું છે." પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને શ્રીસંઘે માથે ચઢાવી અને વિહારયાત્રા આરંભાઈ. લક્ષ્યબિન્દુ સુદૂર હતું અને સાધના જલદી આરંભવી જરૂરી હતી. તેથી પૂ. ગુરુદેવોએ વિહાર ખૂબ ઝડપી કરવા માંડ્યો. ઉગ્ર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી આચાર્યદેવ આદિ મુનિપુંગવો મગરવાડા પધારી ગયા. મગરવાડાનું એ જ બિહામણું જંગલ આવી પહોંચ્યું. ત્યાં રાયણવૃક્ષની નીચે અટ્ટમ આરાધના કરવા સાથે પૂ. આચાર્યદેવ કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. માણેકશાહ શત્રુંજય ગિરિવરનું પળ-પળ ધ્યાન ધરતાં ધરતાં માનવ મટીને દેવ બન્યા. દેવ જ નહિ, દેવેન્દ્ર બન્યા. માણેકશાહ મટીને તેઓ માણિભદ્રવીર નામના દેવેન્દ્રપદને વર્યા. માણિભદ્રવીરનો પરિચય પણ પ્રભાવશાળી છે. તેમના દેહનો વર્ણ શ્યામ છે, પરંતુ તેમનું તેજ અને કાંતિ ઝગમગ ઝગમગ ઝળકી રહ્યાં છે. પ્રિય તેમનું દર્શન છે. પ્રમાણોપેત હાથ,પગ અને અન્ય ઉપાંગો છે. તેમના હાથ, પગ, નાક, નખ, જીભ અને હોઠનો વર્ણ લાલ છે. માણિભદ્રજીના મસ્તક પર લાલ રત્નયુક્ત મુગુટ શોભી રહ્યો છે. વિવિધ અલંકારોથી તેમનો દેહ તેજ વેરી રહ્યો છે. તેમના મુખ ઉપર મંદિરનો આકાર છે તે મંદિર શ્રી સિદ્ધાચલજીને પ્રતીકરૂપે છે. તેમાં આદિનાથ ભગવાનનું પદચિહ્ન છે. તેમની દષ્ટિ સતત તે જિનમંદિર તરફ જ રહે છે—જાણે તેઓ પળેપળ પરમાત્માનું જ ધ્યાન ધરી રહ્યા છે. ત્રિશૂલ, ડમરુ, મુગલ, અંકુશ અને નાગનાં ચિહ્નોથી યુક્ત તેમની છ ભુજાઓ શોભાયમાન છે. શ્વેત ઐરાવત હાથી તેમનું વાહન છે. ચોસઠ જોગણીઓ અને બાવન વીરો માણિભદ્રજીની સેવામાં હંમેશાં તત્પર રહે છે. વિશ વીશ હજાર માણિભદ્રજીના સામાનિક દેવો શોભી રહ્યા છે. અનેક જાતની ઋદ્ધિ અને સમૃદ્ધિઓના તેઓ સ્વામી છે. વિશિષ્ટ તેમનો વૈભવ છે અને વિશાળ તેમનો પરિવાર છે. ગીતસંગીત અને વાજિંત્રોના નિનાદથી માણિભદ્રજીની દેવસભા શોભી રહી છે. તે સમયે સોનારને મઢેલું માણિભદ્રજીનું સિંહાસન ચલાયમાન થયું. સભામાં ઉપસ્થિત દેવો સ્તબ્ધ બની ગયા. અંગરક્ષક દેવો તરત દોડી આવ્યા અને દેવેન્દ્ર માણિભદ્રજીની રક્ષા કાજે તત્પર બની ગયા. શ્રી માણિભદ્રજીએ પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો અને અવધિના અજવાળે તેમણે જાણ્યું કે, "અહો ! આ તો મારા પરમ ઉપકારી ગુરુદેવે આરાધેલી વિશિષ્ટ તપશ્ચર્યાનો Page #227 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 211 ચમત્કાર છે, જેમની પુનિત પ્રેરણાના પ્રતાપે હું શત્રુંજયના ધ્યાનમાં લીન બન્યો... ગિરિરાજની પુનિત યાત્રા કાજે હું નીકળ્યો અને અંતે આવું દિવ્ય દેવતાઈ સ્વરૂપ પામ્યો છું. તે મારા ગયા ભવના મહાન ઉપકારી ગુરુદેવ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. મારા મગરવાડાના મૂળ સ્થાને પધાર્યા છે. તેઓશ્રીની આરાધનાના બળે મારું સિંહાસન ચલિત થયું છે. તો લાવ ! હું શીધ્ર સદ્ગુરુનાં ચરણોમાં પહોંચી જાઉં." ગુરુ-ઉપકારનું સ્મરણ કરતા માણિભદ્રદેવ પળવારમાં ગુરુદેવશ્રીની સંમુખ હાજર થયા. પ્રત્યક્ષ પ્રગટ થઈને ગુરુચરણોમાં ભાવપૂર્વક વંદન કર્યું. પછી વિનત સ્વરે માણિભદ્રજી બોલ્યાઃ " ગુરુદેવ ! આ આપના સેવકને નજરે નિહાળો અને કૃપાદષ્ટિ વરસાવો. આપશ્રીએ મને ઓળખ્યો?" પૂ. આચાર્યદેવે આંખો ખોલી. સામે એક દિવ્ય તેજોમય પ્રતાપી પુરુષ ઊભેલો દેખાય છે. સૂરિવર્ષે ધર્મલાભ ની આશિષ અર્પી અને કહ્યું " આપના સ્વરૂપને નિહાળતાં આપ દેવાત્મા છો તેમ સ્પષ્ટ જણાય છે." " ના! ગુરુદેવ! હું દેવાત્મા તો છું જ પણ ઓળખાણો નહિ. મારો અને આપનો ગયા જન્મનો વિશેષ પરિચય છે. એ રીતે આપે મને ઓળખ્યો?" માણિભદ્ર ઈન્દ્ર વધા. સૂરિદેવ વિચાર કરતા રહ્યા. તેમનું દેવી રૂ૫ નિહાળતા જ રહ્યા. ત્યારે માણિભદ્રજી બોલ્યા " ગુરુવર્ય! હું તો આપનો ચરણસેવક માણેકશાહ છું. આપની પાવન પ્રેરણાએ અન્ન જળના ત્યાગપૂર્વક શત્રુંજય ગિરિવરના દર્શન-પૂજન કાજે હું પગપાળા જઈ રહ્યો હતો ત્યારે આ જ મગરવાડાની ભૂમિ ઉપર ડાકુઓએ મારા દેહને તલવારના પ્રહારથી વિશીર્ણ કરી નાંખ્યો. પરંતુ મૃત્યુની પળોમાં ય મારું મન સિદ્ધાચલજીના તીર્થાધિપતિ પ્રભુ આદિનાથના ધ્યાનમાં લયલીન હતું. તેથી જ શુભ ધ્યાનમાં મરીને હું વ્યંતરનિકાયનો યક્ષેન્દ્ર માણિભદ્ર બન્યો છું. મારી પહેલાંના માણિભદ્રદેવ ચ્યવન પામ્યા, તેથી તેમના જ સ્થળે હુંઉત્પન થયો. મારું નામ માણિભદ્રદેવ જ છે. મારી આવી ઉત્તમ ગતિની પ્રાપ્તિમાં આપનો જ પ્રભાવ મુખ્ય કારણ સ્વરૂપ છે. " ગુરુદેવ! હવે આપશ્રી જણાવો કે આપે મને કેમ યાદ કર્યો? " માણિભદ્રવીર બોલ્યા. ગુરુવરે કહ્યું : "હે માણિભદ્ર ! આગ્રાથી વિહાર કર્યા બાદ અમારા મુનિસંઘ પર ભારે આફતોના ઓળા ઊતરી પડ્યા છે. અમારા દસ-દસ મુનિવરો ચિત્તભ્રમિત બની જઈને મરણ શરણ બન્યા છે. અને અગિયારમા એક મુનિરાજ એ જ રીતે ચિત્તભ્રમના રોગના ભોગ બન્યા છે. ઇન્દ્રરાજ ! મુનિ ૧ ઉપર આવી પડેલા આ ઘોર ઉપસર્ગના કારણને શોધીને તેનું નિવારણ કરવું તે તમારું કર્તવ્ય છે. શાસનની રક્ષા કાજે તમારી શક્તિઓનો સદુપયોગ કરો." તરત જ માણિભદ્રજી બોલ્યા " ગુરુદેવ! આપ હવે નિશ્ચિંત બની જાઓ. આપની ઉપરનાં વિદ્ગોનું અવશ્ય નિવારણ થઈ જશે." અને દેવેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું " અરે ! આ તો મારી જ સેનામાં રહેલા કાળા-ગોરા ભૈરવ દેવો, મારા સેવકો મારા જ પરમોપકારી ગુરુદેવોને પરેશાન કરે છે." Page #228 -------------------------------------------------------------------------- ________________ 212 તપાગચ્છાધિષ્ઠાયક તરત જ માણિભદ્રજીએ તે કાળા-ગોરા ભૈરવદેવોને પોતાની પાસે હાજર થવાનો હુકમ કર્યો. સ્વામીની આજ્ઞા થતાં તે બન્ને દેવો હાજર થયા. દેવેન્દ્ર પ્રકોપ સાથે જણાવ્યું " અરે ! આ તમે શું ધતિંગ આદર્યું છે? દેવાત્મા બનીને પાપાત્માઓને છાજે તેવા પાપી ધંધા તમે કેમ કરો છો? તપ, ત્યાગ અને સંયમથી જીવનને અજવાળતા અને સમ્યજ્ઞાન વડે જગતના જીવોને ઉજાળતા આ મહામુનિઓ તો ભક્તિને પાત્ર છે. તેના બદલે તેમને મૃત્યુને હવાલે કરવાનો ધંધો તમે કેમ માંડ્યો છે?" ત્યારે કાળા-ગોરા ભૈરવ બોલ્યા : " સ્વામિ ! અમે આપના સેવક અને આપ અમારા સ્વામીઆ સંબંધને અમે ભૂલી ગયા નથી, પરંતુ કડવામતી આચાર્યે અમારી ઉપાસના કરી છે. અમને મંત્રશક્તિથી બાંધી લીધા છે અને અમે તેમને વચન આપી ચૂક્યા છીએ કે તમારી ઇચ્છા મુજબ અમે ધીરે ધીરે આચાર્ય હેમવિમલસૂરિજીના સાધુઓને અને આચાર્યને પણ ચિત્તભ્રમિત કરીને મરણને શરણ કરી દઈશું. • " અમે જાણીએ છીએ કે અમારું આ કાર્ય પાપકાર્ય છે; છતાં યે અમે તેને છોડી શકતા નથી. ભલે.. અમે આપના કોધનું ભાજન બનીએ; પણ અમો જેમને વચન આપી ચૂક્યા છીએ તેનો દ્રોહ અમારાથી કેમ થાય? " " તો સાંભળો. તમારાથી વચનદ્રોહ ન થાય અને સ્વામિદ્રોહ થઈ શકે? અને તેમ છતાં તમે તમારા દુષ્ટ કાર્યથી પાછા ફરી શકો તેમ ના જ હો, તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ!" માણિભદ્રદેવે પડકાર કર્યો. કાળા-ગોરા ભેરવો અને માણિભદ્રનું યુદ્ધ થયું. તે બે ભેરવોની આઠ ભુજાઓ હતી. માણિભદ્રજીએ પોતાની છ ભુજાઓ વિફર્વી અને અલ્પ સમયમાં જ તે બન્ને ભૈરવદેવોને પરાજિત કરી નાખ્યા. કાલા-ગોરા ભૈરવદેવો માણિભદ્રજીના પગમાં પડ્યા અને તેમણે ક્ષમા માગતાં જણાવ્યું કે: "હે સ્વામિ! અમારો અપરાધ માફ કરો. હવે પછી આપના ઉપકારી ગુરુદેવને અને તેમના સાધુઓને જરા પણ રંજાડીશું નહિ, પરંતુ અમારી આપને એક વિનંતી છે કે, આપશ્રીની જ્યાં જ્યાં સ્થાપના થાય, ત્યાં ત્યાં આપના સેવક તરીકે અમારી પણ સ્થાપના કરાવજો !! માણિભદ્રજીએ મલકતા મુખે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તે જ પળથી પેલા અગિયારમા મુનિવરનો ચિત્તભ્રમનો રોગ દૂર થઈ ગયો. મુનિની કાયા પુનઃ સ્વસ્થ બની ગઈ. માણિભદ્ર ઇન્દ્ર પુનઃ પૂ. ગુરુદેવશ્રીનાં ચરણોમાં પધાર્યા અને સવંદન જણાવ્યું કે " હે ગુરુદેવ! આપ હાલ જે રાયણવૃક્ષ નીચે વિરાજમાન છો તે જગ્યાએ જ મારો દેહ નિશ્રેષ્ટ બન્યો હતો. આપશ્રીના પુણ્ય ઉપકારોના પ્રભાવે જ હું યક્ષેન્દ્ર માણિભદ્ર બની શક્યો છું. હવે આ સ્થળે આપશ્રી મારા પગની પિંડીની સ્થાપના કરાવો. આપશ્રી મંત્રાક્ષરો દ્વારા તેની પ્રતિષ્ઠાવિધિ કરજો. વળી હું આપને વિનંતી કરું છું કે આ તપાગચ્છની પરંપરામાં હવે પછી જે જે સાધુભગવંતો સૂરિપદ પામે... અને મારા આ મગરવાડાના સ્થાનમાં આવીને અઠ્ઠમ તપની આરાધના કરશે, તો મારું સિંહાસન ચલાયમાન થશે. તેથી હું સમજીશ કે કોઈ નૂતન આચાર્યભગવંત અત્રે પધાર્યા Page #229 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 213 છે. હું શીધ્ર તેમની સેવા કાજે સમુપસ્થિત બનીશ. તેઓશ્રી મને ધર્મલાભ' રૂપી આશીર્વાદ આપશે તો હું મારા જીવનને કૃતાર્થ સમજીશ. મારું સમ્યગ્દર્શન નિર્મળ બનશે અને જિનશાસનની રક્ષા અને પ્રભાવનામાં હું સહાયક બનીશ." પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રવીરની વિનંતિનો સ્વીકાર કર્યો. ત્યારબાદ માણિભદ્રજી પુનઃ ગુરૂમુખે ધર્મલાભની આશિષ પામીને વિદાય થયા. મહા સુદ પાંચમના શુભ મુહૂર્ત અને શુભ ક્ષણે પૂ. આચાર્ય ગુરુદેવે મગરવાડા ગામની બહાર યોગ્ય સ્થળે શ્રી માણિભદ્રજીના પગની પિંડીની સ્થાપના કરાવી અને પ્રતિષ્ઠાવિધિ કરી. ત્યારથી આજ સુધી આ મગરવાડાની ભૂમિનું આ સ્થાન અત્યંત મહિમાવંતું અને મોંઘેરું બની ગયું છે. 'મગરવાડિયા વીર'ના નામે માણિભદ્રજીનો મહિમા સુપ્રસિદ્ધ બન્યો છે. સૂરિદેવે આ પ્રતિષ્ઠા-પ્રસંગ બાદ, જિનશાસનના અધિષ્ઠાયક માણિભદ્રદેવને "તપાગચ્છ-રક્ષક" તરીકેની પદવી અર્પણ કરી... અને માણિભદ્રજી તેથી પરમ પ્રસન્નતાને પામ્યા. શ્રી માણિભદ્રજીના કથનાનુસારે તેમનાં ત્રણ સ્થાનો છેઃ (૧) ઉજ્જૈનમાં તેમનો જન્મ છે. ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોડમાં તેમનું ધડ પૂજાય છે અને... (૩) મગરવાડામાં પિંડીની પૂજા થાય છે. પૂ. જિનશાસનના અન્ય મહાન આચાર્યશ્રી વિજયશાંતિસોમસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરવા કાજે અને જૈન શાસનના અભ્યદય કાજે " એકસો ને એકવીશ' ઉપવાસની સુદીર્ઘ તપશ્ચર્યા કરી હતી અને તેના પ્રભાવે શ્રી માણિભદ્રવીર પ્રત્યક્ષ થયા હતા. ત્યાર બાદ શ્રી માણિભદ્રજીના કથનાનુસારે વિ.સં. ૧૭૩૩ની સાલે મહા સુદિ પાંચમના શુભ દિવસે આગલોડ નગરની બહાર, શ્રી માણિભદ્રજીએ જ બતાવેલા સ્થાન પર માટીના બનેલા પિંડનું ધડ સ્થાપન કરાયું.પૂ.આ. શ્રી વિજયશાંતિસોમસૂરીશ્વરજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આગલોડમાં પણ શ્રી માણિભદ્રજીનો મહિમા અત્યંત વૃદ્ધિગત બન્યો. પૂ. આચાર્યશ્રી શાંતિસોમસૂરીશ્વરજી મ.ને માણિભદ્રજીએ કહ્યું હતું કે : " આચાર્ય પદવી પામ્યા બાદ જે સાધુ ભગવંતો મગરવાડા સુધી ન જઈ શકે, તેઓ જો આગલોડ આવીને પણ મારા આ સ્થાનકે આરાધના કરશે, તો તેમની ઇચ્છાઓ હું પૂર્ણ કરીશ અને મને " ધર્મલાભ"ની આશિષ આપશે, તેમને શ્રી જિનશાસનની પ્રભાવના કરવામાં હું સદૈવ સહાય કરતો રહીશ." આજે તો અનેક ગ્રામ-નગરોમાં શ્રી જિનમંદિરો–ઉપાશ્રયોમાં શ્રી માણિભદ્રદાદાની મૂર્તિની સ્થાપના થાય છે. શ્રી જિનભક્તો શ્રી જિનેન્દ્રદેવની પૂજા-ભક્તિ કર્યા બાદ શ્રી માણિભદ્રદેવની પૂજા કરે છે, તેમના મંત્રનો જાપ કરે છે. શ્રી માણિભદ્રવીર જૈનોના (તપાગચ્છના) રક્ષક દેવ માનવામાં આવે છે. તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ, શાંત, પ્રશાંત, વિવેકી અને સદાચારી છે. ધર્મપ્રેમી મનુષ્યોને મદદ કરે છે અને સાધકને પ્રત્યક્ષ થઈ દર્શન પણ આપે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ 214 તપાગચ્છાધિષ્ઠાયક મગરવાડાના શ્રી માણિભદ્રજીનું મંદિર (૧) જિનશાસનની તપાગચ્છીય પદ્દમી પાટે આવેલા આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે, 'તપાગચ્છના અધિષ્ઠાયક દેવ'તરીકે શ્રીમાણિભદ્ર વીરની સ્થાપના વિ.સં. ૧૫૭૫માં (લગભગ) કરી અને તેમનું મંદિર બનાવ્યું. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ.નો સમય વિ. સં. ૧૫૪૭ થી સં. ૧૫૯૦ની વચ્ચે હતો. અને વિ. સં. ૧૫૪૭ શ્રી માણિભદ્રવીર પ્રગટ થયા હતા. (વિવિધ ગચ્છીય પટ્ટાવલિ સંગ્રહ.) (૨) પૂ. આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજીની પ્રેરણાથી શ્રી માણિભદ્રવીરનું જે મંદિર તૈયાર થયું તે શિખર વિનાનું હતું. વિ. સં ૧૬૬૦–૫ લગભગ, તપાગચ્છીય જૈનાચાર્ય – પટ્ટ–પરંપરામાં 9મી પાટે આવેલા પૂ. આચાર્યશ્રી વિનયદેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ મંદિરના શિખરનું નિર્માણ થયું. (૩) તપાગચ્છીય ૭૦મી પાટે આવેલા પૂ.આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી મગરવાડાના આ શ્રી માણિભદ્રજી વીરના મંદિરનો સભામંડપ તૈયાર કરવામાં આવ્યો. (૪) વિ. સં. ૧૭૩૩માં પૂ.આ. શ્રી વિજયશાંતિસોમસૂરીશ્વરજી મહારાજે મગરવાડામાં અખંડિત ૧૨૧ ઉપવાસની મહાન આરાધના કરી હતી, જેના પ્રભાવે શ્રી માણિભદ્ર વીર આચાર્યદેવશ્રી સમક્ષ પ્રત્યક્ષ થયા હતા. (૫) પૂ. આચાર્યશ્રી વિજયમુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી વિ.સં. ૧૯૭૩-૭૪માં શ્રી માણિભદ્ર વીરના આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. (૬) વિ.સં. ૧૭૩૩ પછી શ્રી માણિભદ્રજીના મગરવાડાના આ મંદિરની અંદર શ્રી વીરની પૂજા–સાધના માટે તપાગચ્છીય જૈન શ્રી પૂજ્યોને આ મંદિરનો કબજો અપાયો હોય તેમ જણાય છે. (૭) તે પછી શ્રીપૂજ્યોની આગળની પરંપરાના અન્ય શ્રીપૂજ્યો આ મંદિરની સેવા-પૂજા કરતા આવ્યા છે. અને આજ સુધી એ વંશપરંપરાગત ભારતના તપાગચ્છીય ઇન્દોર, ઉજ્જૈન, ભીંરા, બીકાનેર વગેરેના શ્રીપૂજ્યો હસ્તક આ મંદિરની સંભાળ રખાતી અને તે શ્રીપૂજ્યોના પ્રતિનિધિ–યતિ તેનો વહીવટ સંભાળતા હતા. (૮) શ્રી માણિભદ્ર વીરના મંદિરમાં અતિ સુંદર ચાંદીની છત્રીઓમાં ઢીંચણોની (પિંડીની) સ્થાપના કરવામાં આવી છે. દેરીમાં તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવનાં માતાજી શ્રી ત્રિશલાદેવીને આવેલાં ચૌદ સ્વપ્નો અને અન્ય સુંદર કોતરકામ કરવામાં આવ્યું છે. (૯) શ્રી માણિભદ્રજીના મંદિરના સભામંડપમાં ઘુમ્મટના ભાગમાં અતિ દર્શનીય ચિત્રકામ તૈયાર કરાયું છે, જેમાં માણેકશાહ શેઠના અને પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. ના વિભિન્ન પ્રસંગોનું નિદર્શન કરાયું છે, તથા પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુજી અને કમઠના Page #231 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 215 જીવનપ્રસંગોનું આલેખન પણ કરવામાં આવ્યું છે. (૧૦) મગરવાડા ગામની બહાર શ્રી માણિભદ્રજી વીરનું આ મંદિર ખૂબ સુંદર છે. ચોતરફ વિશાળ કમ્પાઉન્ડ છે. આસપાસમાં ધર્મશાળા અને ભોજનશાળા પણ છે. આ નીચેના શ્લોક દ્વારા શ્રીમાણિભદ્રજીની સ્તુતિ કરીએ तपागच्छरक्षाकरं जैन धर्मे, नवोज्जीवन स्वामिकर्तारमीशं । प्रभाखंडलोद्भासिवक्त्रं विशालं, दयासागरं माणिभद्रं नमामि ॥ ગજરત્ન સમારૂઢ: તપાગચ્છેદ સુરક્ષક: (મંડન) યક્ષેન્દ્રો મણિભદ્રાજ્ય દુરિતાનિ હજુ સર્વદા 'તપગચ્છ અધિષ્ઠાતા સમ્યગુદષ્ટિ શ્રી માણિભદ્રદેવના મુખ્ય ત્રણ તીર્થધામ L દ ક _ _ ઉજ્જૈન આગલોડ મગરવાડા મધ્યપ્રદેશ જિ. સાબરકાંઠા જિ. બનાસકાંઠા જ્યાં શિર પૂજાય છે. જ્યાં ધડ પૂજાય છે. જ્યાં ઢીંચણ પૂજાય છે. -- મગરવાડા જવા માટે ઉત્તર ગુજરાતમાં પાલનપુર તથા છાપીથી બસ મળે છે. – આગલોડ જવા માટે ઉત્તર ગુજરાતમાં વિજાપુરથી બસ મળે છે. -- ઉજ્જૈન જવા માટે અમદાવાદથી ટ્રેઈન, બસ વગેરે મળે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ 216 તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે પ.પૂ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વનવાણું ઋષભદેવ, જ્યાં કવિયા પ્રભુ પ્રાય. શ્રી શત્રુંજય તીર્થના મહિમાને સુપેરે સમજવા માટે આ લેખનું શીર્ષક અને તે પછીની પંક્તિમાં શ્રી શત્રુંજય તીર્થના મહિમાનું જે અદ્ભુત નિરૂપણ થયું છે તેવું જ પછીની પંક્તિમાં પણ અદ્ભુત રીતે વિસ્તરતું રહ્યું છે. જુઓ : જે માત્ર દેખવાથી જ દુગર્તિ નિવારે અને જે માત્ર સ્પર્શનાથી જ ભવપાર ઉતારે એ કેવી અભુત સિદ્ધિ ગણાય? અહીં અનંત સિદ્ધ થયા. નામ પણ છે ને સિંદ્ધક્ષેત્ર ? વળી, સર્વ તીર્થોમાં રાજા-તીર્થાધિરાજ જે ખુદ પ્રભુને, આદીશ્વર પરમાત્માને વારંવાર પધારવાનું કારણરૂપ પરમ પાવન ક્ષેત્ર હોય. આવો અદ્ભુત મહિમા આ લેખના લેખક પૂ. મુનિશ્રી દ્વારા યથાર્થરૂપે નિરૂપવામાં આવ્યો છે. શ્રી માણેકશાહના જીવનનું અંતિમ લક્ષ શત્રુજય હતું. શ્રી શત્રુંજય તીર્થનું મહત્ત્વ, માહાભ્ય પણ વિસ્તારથી આલેખવાનો પૂજ્યશ્રીએ સુંદર પ્રયાસ કર્યો છે. લેખમાં મુનિશ્રીની વ્યાપક અને વિશદ દષ્ટિનાં દર્શન થાય છે. ભાવકોને આ લેખ ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. ૫.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી અને પૂ.મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજનું જૈનધર્મના વિવિધ વિષયોમાં ઊંડું અને વ્યાપક ખેડાણ નોંધપાત્ર રહ્યું છે. તેમનાં બધાં જ પ્રકાશનોમાં કલા અને સંસ્કૃતિ, ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળે છે. – સંપાદક પાપિષ્ઠ આત્માને પવિત્ર બનાવે તેનું નામ પર્વ... અને સંસારસાગરમાં ડૂબતા જીવોને તારે તેનું નામ તીર્થ. પર્વ કાળાશ્રિત છે.. તીર્થ ક્ષેત્રાશ્રિત. પર્વ આપણી પાસે આવે છે... તીર્થમાં આપણે જવું પડે છે. ગતાનગતિક સાંસારિક જીવન વ્યતીત કરતા ને જાણતાં-અજાણતાં અગણિત પાપોનાં પોટલાં ઊભા કરતા જીવો માટે તીર્થ અને પર્વ બંને સ્પીડ-બ્રેકરનું કામ કરે છે. આર્યાવર્તની આ પાવન ભૂમિમાં કાળે કાળ પર્વો આવતાં રહે છે તો તારક તીર્થોનો પણ - ---------------- કમ કસ Page #233 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 27 તોટો નથી. દીર્ઘદ્રષ્ટા પૂર્વજોએ ચારે દિશામાં તીર્થસ્થાનોની હારમાળાઓ ઊભી કરી દીધી છે. માત્ર ભારતના જ નહીં, દુનિયાના તીર્થાધિરાજ નહીં પણ ત્રણે લોકનાં તીર્થોમાં શિરમોર જો કોઈ હોય તો તે છે પાલીતાણાનો પહાડ.... શત્રુંજય ગિરિરાજ. તીર્થાધિરાજ તીર્થોમાં ઠાલવેલી કળા અને સૌંદર્ય તો ભાવની અભિવૃદ્ધિમાં નિમિત્તભૂત છે... પણ તીર્થની શ્રેષ્ઠતાના માપદંડ છે ત્યાંના પવિત્ર પરમાણુઓ અને પ્રતિમાઓની પ્રાચીનતા અને પ્રભાવકતા. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સદેહે વિહરમાન શ્રી સીમંધરસ્વામી ભગવાન પણ આ તીર્થની મહાનતા ઉપર મોરછાપ મારતાં કહે છે કે – " કોઈ અનેરું જગ નહીં એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ શ્રી સીમંધર બોલે....” આ તીર્થ ત્રણે લોકમાં શ્રેષ્ઠતમ, પવિત્રતમ અને બેજોડ છે, તેનાં ચાર વિશિષ્ટ કારણો છે. (૧) આ તીર્થ પ્રાયઃ શાશ્વત છે. અર્થાત્ કાયમી છે. કાળકૃતુ આક્રમણો તેનો સર્વનાશ વેરવા અસમર્થ છે. હા, કાળે કાળે ચઢતી-પડતી આવી શકે, તેની પ્રભાવકતામાં ઓછાવત્તાપણું થઈ શકે. મંદિરો અને મૂર્તિઓની સંખ્યામાં પણ ફેરફાર હોઈ શકે; તેની ઊંચાઈમાં વધઘટ થઈ શકે, પહેલા આરામાં આ તીર્થ ૮૦ યોજન ઊંચું હતું. સમયના વ્હેણની સાથે તીર્થની ઊંચાઈ ઘટતી ગઈ. આજે દેખાતો વિશાળકાય પર્વત છઠ્ઠા આરામાં માત્ર સાત હાથનો રહેશે.' કહેવાય છે કે પૂર્વકાળમાં આખો પર્વત સોનાનો હતો, જેથી તેનું એક નામ કંચનગિરિ પણ છે. આજે કાળના પ્રભાવે ચોમેર પથરા જ દેખાય છે. પૂર્વકાળમાં હજારો-લાખો દેવી-દેવતાઓ આ તીર્થની યાત્રાએ આવતાં. આજે આ ચર્મચક્ષુથી કોઈ દેખાતું નથી. આ બધા દેખીતા ઉપક્રમોની વચ્ચે તીર્થ અડીખમ ઊભું છે, ને ઊભું રહેશે. કાળકૃત આક્રમણો, કુદરતી આફતો કે માનવીય અત્યાચારોની અસર તેને નથી. ૧. અવસર્પિણીમાં દર વર્ષે એક લેખિીન ,ડા 3 દલા પવન *ટિતા જાય છે અવી લો , : ; જા છે, ૨૮. Page #234 -------------------------------------------------------------------------- ________________ 218 તપાગચ્છાધિષ્ઠાયક (૨) આ તીર્થના કણે કણમાં અનંતાનંત આત્માઓ મુક્ત થયા છે, મુક્તિ પામ્યા છે . કર્મબંધન અને કર્મમુક્તિમાં ક્ષેત્રીય પ્રભાવ પણ કામ કરતો હોય છે. અહીંની રજેરજ સંતો-મહંતો અને સિદ્ધ ભગવંતોના ચરણસ્પર્શથી એટલી પવિત્ર બની છે કે આ તીર્થની રજની સ્પર્શના થતાં જ કર્મની રજ આત્મા ઉપરથી સહજ ખરવા માંડે છે. અનંતકાળની કુવાસના અને કુવિકારોની ભેખડ તૂટવા માંડે છે. જોઈ લો, આ પાવન ભૂમિ ઉપરથી પરમપદને પ્રાપ્ત કરેલા પુન્યાત્માઓની યાદીની હારમાળાને .. • પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિ સાથે ચૈત્રી પૂનમના દિવસે અહીંથી પરમપદ પામ્યા. • કારતકી પૂનમના અહીં માનવ મહેરામણ ઊમટે છે ને ' શ્રી આદીશ્વર દાદાની જય'ના નારા સાથે ગિરિરાજ પર ચઢતા જોવા મળે છે. કારણ દ્રાવિડ વારિખિલ્લ આ દિવસે દશ ક્રોડ મુનિ સાથે અહીંથી સિદ્ધ થયા હતા. ફાગણ સુદ તેરસના દિવસે તો લાખો ભાવુકો દુનિયાના ખૂણે-ખાંચરેથી આવી તીર્થને સ્પર્શી પાવન થાય છે, છ ગાઉની યાત્રા કરે છે. ભાડવાના ડુંગરની ફરસના આ દિવસની વડાઈ ગણાય છે. આ દિવસે અહીં માનવોનું કીડિયારું ઊભરાય છે. તળેટીમાં સેંકડો પાલો ઊભા કરવામાં આવે છે, જેમાં યાત્રા કરીને ઊતરેલા ભાવિકોની સાકરના પાણી, દહીં-ઢેબરાં આદિ વિવિધ વાનગીઓથી ભાવભીની ભક્તિ કરાય છે. તીર્થસ્પર્શનાથી પાવન બનેલા આ પુણ્યાત્માઓના પગનું દૂધથી પ્રક્ષાલન પણ થાય છે. લૌકિકો આને ' ઢેબરા તેરસ' પણ કહે છે. આ દિવસની આટલી મહત્તાના મૂળમાં છે સાડાત્રણ કરોડ મુનિઓ સાથે શાંબ–પ્રધુમ્નની અહીંથી મુક્તિ. આ સિવાય જેનદષ્ટિએ પાંચ પાંડવો ૨૦ કરોડ મુનિ સાથે• નમિ-વિનમિ (ઋષભદેવના પૌત્રો) બે કરોડ મુનિ સાથે • નારદ ૯૧ લાખ સાથે • મુનિ અજિતસેન ૧૭ કરોડ સાથે • રામ-ભરત ૩ કરોડ સાથે • સોમયશા ૧૩ કરોડ સાથે. આ સિવાય પણ નામી-અનામી અસંખ્ય આત્માઓ અણસણ વગેરે અંતિમ આરાધનાઓ આરાધી આ ભૂમિમાં કર્મક્ષય કરી શિવપદ પામ્યા છે. આ બધા અનંતાનંત મુક્તાત્માઓનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. (૩) પ્રથમ તીર્થપતિ ઋષભદેવ ભગવાન આ ગિરિ ઉપર ૯૯ પૂર્વવાર પધાર્યા હતા. ( એક પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ વર્ષ, એટલે કુલ ૬૯ કોડાકોડી ૮૫ લાખ કોડ ૪૪000 ક્રોડ વર્ષ થાય.) અહીં રાયણ વૃક્ષની નીચે તેઓ બિરાજમાન થયા. સમવસરણનાં મંડાણ થયાં અને ઋષભદેવે બાર પર્ષદામાં અગણિત દેશનાનો ધોધ અહીં વહેવડાવ્યો હતો. આ ઉપરાંત તેમનાથ ભગવાન સિવાય અન્ય બાવીસ તીર્થકરોની પુનિત પધરામણીથી પણ આ પહાડ પાવન બનેલો છે. અસંખ્ય વર્ષનાં છાણાં વીતવા છતાં આજે પણ આ રાયણ વૃક્ષ અહીં ઊભું છે, જેના પાંદડે Page #235 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 219 પાંદડે દેવતાઓનો વાસ મનાય છે અને ભાવથી પૂજતાં સર્વ રોગાદિ નાશ પામે છે. આ વૃક્ષ નીચે નાનકડી દેરીમાં ઋષભદેવ પ્રભુનાં પગલાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. આમ, પરમાત્માની પુનિત પધરામણીના કારણે આ ગિરિરાજની મહત્તા અનેકગણી છે. કાંકરે કાંકરે પવિત્રતા છવાયેલી છે, જેના પ્રભાવની ગરિમા આજે પણ સાક્ષાત્ છે. તળેટીથી શિખર સુધી સવા–બે માઈલ અને ૩૭૫૦ પગથિયાંનું ચઢાણ છતાં પાંચ વર્ષના બાળકથી માંડી ૯૫ વર્ષની ડોસીઓ પણ હોંશે હોશે પહાડ ચઢતી જોવા મળે છે. ઘણા ભાવુકો અહીં રહીને નવાણું યાત્રા કરે છે. * શ્રી કુમુદચંદ્રસૂરિજી નામના જૈનાચાર્યએ આ ૯૯ યાત્રા ૯૯ વાર કરી છે. કુલ ૧૦ હજાર જેટલી યાત્રા કરી. • એક મહાત્માએ ચોવિયાર અટ્ટમ (ત્રણ ઉપવાસ) કરવાપૂર્વક ત્રણ દિવસમાં ૧૭ યાત્રા કરી. • સિવિયર હાર્ટ પેશન્ટ સેવંતીલાલ કે જેઓ એક માળ પણ ચઢી ના શકે, તેઓ આખો પહાડ ચઢી ગયા. યાત્રા કરી. કશું ના થયું. • ચોવિયાર છઠ્ઠ (બે ઉપવાસ) કરી બે દિવસમાં ૭–૭ યાત્રાઓ કરનારા ભાવકોની સંખ્યા અહીં સારા પ્રમાણમાં જોવા મળે છે. ભાવથી વિધિ સહિત ચોવિયાર છઠ્ઠ કરી સાત યાત્રા કરનારની ત્રીજે ભવે મુક્તિ થાય છે. • સુસવાટા મારતા પવનના ઝપાટા હોય કે વૈશાખ મહિનાની ભયંકર ગરમી હોય, હજારો યાત્રાળુઓ સહજતાથી પહાડ ચઢી જાય છે તે જ આ તીર્થભૂમિનો સાક્ષાત્ ચમત્કાર છે. • જીવનમાં કદાપિ નવકારસી જેવું પચ્ચખાણ પણ નહીં કરનારાઓ અહીં આવીને surprisingly માસક્ષમણ જેવી ઘોર સાધના રમતાં રમતાં કરી શકતા હોય છે, એવા તો ઢગલાબંધ દાખલાઓ છે. •રોગીઓના જીવનભરના રોગો કોઈપણ જાતની દવા વગર જડમૂળથી સાફ થઈ જાય છે આ તીર્થના પ્રભાવે. ભારે દમના દર્દી એ ભાઈ, તેમની હાલત જોઈ થઈ જાય કે બેચાર દિવસના મહેમાન છે. શત્રુંજય ચઢવાની ભાવના થઈ, ડોળી સાથે રાખી પણ બેઠા નહીં. કેડે હાથ દઈ એક એક પગથિયું ચઢી ચાર કલાકે પહોંચ્યા, દાદાની દિલ દઈને ભક્તિ કરી. કોણ જાણે શું ચમત્કાર થયો? સડસડાટ પહાડ ઊતરી ગયા, વર્ષોનો ક્રોનિક asthama છૂમંતર થઈ ગયો. એક પણ ગોળી વગર ઘોડાની જેમ હવે દોડી શકે છે. •વ્યસનીઓનાં વ્યસન પલવારમાં છૂટી જાય છે. આ તીર્થના પ્રભાવે. 0 વર્ષથી રોજની ૨૫ બીડી ને દશ કપ ચા પીનારા એક ભાઈ ઘણી વખત પ્રયત્ન કરવા છતાં બીડી છોડી શક્યા નહીં, ગિરિરાજની છત્રછાયામાં ચાતુર્માસ કરવાની ભાવના થઈ, કર્યું. ચાર મહિના બીડીના બંધાણી એ ભાઈએ બેસણાં કર્યાં, બેસણામાં તો બીડી ન મળે, બે-ચાર દિવસ માથું ભારે થયું, ચક્કર-ઊલટી થયાં પણ કાયમની બીડી છૂટી ગઈ. બ્રહ્મચર્યનાં પચ્ચખાણ કર્યાં. કાયમી Page #236 -------------------------------------------------------------------------- ________________ 22) તપાગચ્છાધિષ્ઠાયક ચોવિયારનો નિયમ લીધો. આજે જૈફ વયે પણ આ ભાઈ વીસસ્થાનક તપની આરાધના કરી રહ્યા છે. પ્રભુ ઋષભદેવે એક વર્ષના નિર્જલ ઉપવાસ કરેલા, તેના પ્રતીક રૂપે ભારતભરમાં હજારો આત્માઓ વર્ષીતપ (એક વર્ષનો આકરો ત૫) કરી વૈશાખ સુદ ૩ ના અહીં પારણા કરવા આવે છે. એક વર્ષની તપશ્ચર્યાને અંતે અહીં આવી કાળઝાળ ગરમીમાં ૨-૩-૪-થાવત્ ૮-૮ ઉપવાસ કરી દાદાનાં દર્શન કરી ઈશુરસથી પારણું કરતા સેંકડો ભવ્યાત્માઓને જોઈ મસ્તક ઝૂક્યા વગર રહેતું નથી. આ પાવન ભૂમિ ઉપર કો'ક અલૌકિક દિવ્ય તત્ત્વ કામ કરી રહ્યું છે એવું અચૂક લાગ્યા વગર રહેતું નથી. (૪) આ તીર્થની મહત્તાનું ચોથું કારણ એ છે કે એકવાર પણ જે આત્મા આ ધરાની સ્પર્શના કરે, દર્શન કરે તે નિયમા ભવ્ય (મોક્ષમાં જવા માટે યોગ્ય) છે એવું નિશ્ચિત થાય છે. પાપિષ્ઠ અને અભિવ્ય આત્માઓની નજરમાં ગિરિરાજનાં દર્શન દુર્લભ છે. માટે જ કહેવાયું છે કે – પાપી અભવ્યને નજરે ન દેખે, હિંસક પણ ઉદ્દધરીએ.. વિમલગિરિ.. પશુ પંખી જે ઈણ ગિરિ આવે. ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે, અજરામર પદ પાવે. માટે કો'ક જ જૈન એવો હશે કે જેણે શત્રુંજયનાં દર્શન ના કર્યા હોય. બાળક ૨-૩ વર્ષનો થાય કે તરત જ તેને યાત્રા કરાવી દેવાનો રિવાજ પણ જેનોમાં પ્રચલિત છે, જેથી તે ભવ્યત્વની મોરછાપ લાગી જાય. એવી પણ એક કિંવદત્તી છે કે " જેણે શત્રુંજયનાં દર્શન કર્યા નથી એ હજી ગર્ભની બહાર જ આવ્યો નથી. " માટે જૈનેતરો અને વિદેશીઓ પણ દાદાનાં દર્શન કરવાનું ચૂકતા નથી. આ વાક્ય સાંભળીને જ કટ્ટર શેવધર્મી એવા ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહને દાદાના દર્શનની ઉત્કંઠા જાગી હતી. સોમનાથથી પાછા ફરતાં સવારીને પાલીતાણા તરફ વાળી હતી. સ્વધર્મના કટ્ટરપંથીઓનો વિરોધ થયો ત્યારે કાવડિયાનો વેશ કરી પાણી ભરેલા ડબ્બાઓ ખભે નાખી ગુજરાતનો રાજવી પહાડ ચઢ્યો. પગમાં છાલાં પડ્યાં, ખભે કાપા પડ્યા, થાકનો પાર નહીં. શ્વાસ ચઢી ગયો પણ યાત્રા કરવાનો દઢ સંકલ્પ હતો. અંતે હેમખેમ દાદાના દરબારમાં પહોંચી આદીશ્વર પ્રભુને જોતાં જ બધો થાક ઊતરી ગયો. દાદાના દર્શને દિલ ગર્ગદ થઈ ગયું, આનંદનો પાર ન રહ્યો. દિવસ ધન્ય બન્યો. જીવન કૃતાર્થ બન્યું માટે જ પૂજાની ઢાળમાં કહેવાયું છે કે – ગિરિવર દર્શન વિરલા પાવે, પુરવ સંચિત કર્મ ખપાવે.. ગિરિવર.. - - Page #237 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ દાદાનાં દર્શન તો ઠીક પણ દાદાના શિખરે મોર બની ટહુકાર કરવાનું સદ્ભાગ્ય મળે એવી ઝંખના કવિઓએ સ્તવનની કડીઓમાં વ્યકત કરી છે. કયું ન ભયે હમ મોર? વિમલગિરિ કયું ન ભયે હમ મોર?... દાદાનાં દર્શન કરી ગુજરાતના મહામંત્રી વસ્તુપાળના મુખમાંથી પણ આવા જ શબ્દો સરી પડ્યા હતા કે " હે પ્રભુ! તારા દરબારના કોક ખૂણામાં નાનકડા ગોખલામાં પશુ તરીકેનું સ્થાન આપીશ તો પણ હું જાતને ભાગ્યશાળી માનીશ." આ તીર્થનું વર્ણન કરતાં ખુદ મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને જણાવ્યું હતું કે " તીર્થનો મહિમાં મારા કેવળજ્ઞાનથી જાણી શકું છું. પણ તેનું પરિપૂર્ણ વર્ણન કરવું શક્ય નથી. જૈનેતર દર્શનની માન્યતા મુજબ સ્વર્ગની પ્રાપ્તિ માટે કોક ગંગામાં જળસમાધિ લે છે; કોક પ્રયાગમાં, કો'ક કાશી જશે તો કોક મથુરા. કારણ શું? ભૂમિની પવિત્રતા. જૈન ધર્મમાં જન્મેલા પ્રત્યેક ધર્માત્માની એવી ઇચ્છા હોય છે કે જન્મ્યા ભલે દુનિયાના કોઈપણ ખૂણામાં, મોત તો સિદ્ધગિરિ ઉપર જ જોઈએ. કારણ ? પરમાણુઓની પાવનતાથી સમાધિ અને સદ્ગતિ સહજ બની જાય છે. • ભરૂચના અનોપચંદભાઈ, શત્રુંજય પહાડ ચઢતાં ચઢતાં વિચાર આવ્યો કે અનંતાનંત આત્માઓ અહીં મૃત્યુને વરી અમર બની ગયા તો મારું મૃત્યુ અહીં થાય તો કેવું સારું! અને આ વિચાર આવતાં જ શત્રુંજયના ધ્યાનમાં તેમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું, આયુષ્યનાં દલિકો ભોગવાઈ ગયાં. કેવા ભાવ! કેવું મોત ! • તપાગચ્છના અધિષ્ઠાયક દેવ માણિભદ્રવીરને અધિષ્ઠાયક બનાવનાર આ સિદ્ધગિરિ જ છે ને? માણેકશાહ શેઠ સંઘ લઈ જતા હતા. રસ્તામાં લૂંટારાઓ મળ્યા. જાનનું જોખમ જાણી શેઠ શત્રુંજયના ધ્યાનમાં લીન બની ગયા. લૂંટારાઓએ તલવારના એક ઝાટકે તેમનું ધડ-માથું અલગ કરી દીધું. માણેકશેઠ શત્રુંજયના ધ્યાનના પ્રભાવે જ વ્યંતરેન્દ્ર તપાગચ્છ યક્ષાધિરાજ માણિભદ્રવીર થયા. આવું આ તીર્થ પ્રાયઃ શાશ્વતું છે. અસંખ્ય કાળથી છે, અસંખ્યકાળ સુધી રહેશે. આ કાળ દરમ્યાન તીર્થના અસંખ્ય ઉદ્ધારો થયા છે ને થશે. આ અવસર્પિણીમાં આ મહાતીર્થના સોળ ઉદ્ધારો થઈ ગયાનો ઉલ્લેખ મળે છે. તેમાંના બાર ઉદ્ધારો ત્રીજા-ચોથા આરામાં થયા છે અને છેલ્લા ચાર ઉદ્ધારો પાંચમા આરામાં થયા છે. આ રહ્યા શત્રુંજયના સોળ ઉદ્ધારકોની પુનિત નામાવલી.. (૧) ભરત મહારાજા (૨) દંડવીર્ય (૩) ઈશાનેન્દ્ર (૪) માહેંદ્ર (૫) બ્રહ્મલોકેન્દ્ર (૬) ચમરેન્દ્ર (૭) સગર ચક્રવર્તી (૮) વ્યંતરેન્દ્ર (૯) ચંદ્રયશા (૧૦) રાજા ચકાયુધ (૧૧) Page #238 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક રામ-લક્ષ્મણજી (૧ર) પાંચ પાંડવો (૧૩) તેરમો ઉદ્ધાર સં. ૧૦૮માં જાવડાશાએ કરાવ્યો. (૧૪) ચૌદમો ઉદ્ધાર સં. ૧૨૧૩માં બાહડમંત્રીએ તે વખતે ૨ ક્રોડ ૯૭ લાખ રૂપિયાનો સદ્વ્યય કરી કરાવ્યો. (૧૫) પંદરમો ઉદ્ધાર સં. ૧૩૭૧માં સમરાશાએ કરાવ્યો (૧૬) સોળમો ને અંતિમ ઉદ્ધાર સં. ૧૫૮૭માં ચિત્તોડ (મેવાડ) નિવાસી કરમાશાએ કરાવ્યો છે. હાલમાં જે મૂળનાયક આદીશ્વર પરમાત્મા બિરાજમાન છે તે કરમાશાએ પધરાવેલા જ છે. હવે પછી સત્તરમો ઉદ્ધાર પાંચમા આરાના અંતે દુપ્પતસૂરિના કાળમાં તેમના ઉપદેશથી વિમળવાહન રાજા કરાવશે, એવું શાસ્ત્રવચન ઉપલબ્ધ છે. આ ગિરિરાજનાં ૨૧–૧૦૮ અને ૧000 યથાર્થ નામો છે. વીરવિજયજી મ. એ ૯૯ પ્રકારી પૂજાની પહેલી ઢાળમાં જ કહ્યું છે, "નમીએ નામ હજાર ..." શ્રી સિદ્ધાચલના ૧૦૮ દુહામાં આ તીર્થની યશોગાથાનું અદ્ભુત વર્ણન કરવામાં આવેલ પુંડરીકસ્વામી જેવી મહાન વિભૂતિએ આ ગિરિનો મહિમા વર્ણવતાં સવાલાખ શ્લોકોનું સર્જન કર્યું છે તો જ્ઞાનવિમલસૂરિએ આ તીર્થનાં મુક્ત ગુણગાન ગાતાં ૧૧00 સ્તવનની રચના કરી છે. કહેવાય છે કે અહીંયાં નમસ્કાર મહામંત્રનો કે આદીશ્વર પરમાત્માનો એક લાખ જાપ કરવામાં આવે તો નરક-તિર્યંચ ગતિને કાયમ માટે તાળાં લાગી જાય છે. સ્તવનોમાં તો ત્યાં સુધી કહી દીધું છે કે "શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે" –તેના દર્શન માત્રથી દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય. સિદ્ધગિરિ સિવાય અન્યત્ર જે તપત્યાગની સાધના કરવામાં આવે તે સાધના જો આ પાવન ભૂમિમાં કરવામાં આવે તો બે મહાન લાભો થાય છે. એક તો કષ્ટસાધ્ય એવી સાધના સુકર અને સુસાધ્ય બને છે, અને બીજું ક્ષેત્રના સાધનાજન્ય ફળમાં અનેકગણી વૃદ્ધિ થાય છે જેનું ઍક્યુરેટ ફળ શાસ્ત્રમાં બતાવ્યું જ છે. – નવકારસીનું ફળ છ8 - એકાસણાનું ફળ પ ઉપવાસ – પોરસીનું ફળ અટ્ટમ – આયંબિલનું ફળ ૧૫ ઉપવાસ – પરિમુઢનું ફળ ૪ ઉપવાસ – એક ઉપવાસનું ફળ ૩૦ ઉપવાસ એટલું જ નહીં પણ દુનિયાનાં અન્ય મહાન તીર્થો કરતાં આ તીર્થની યાત્રાનું ફળ પણ સૌથી ચઢિયાતું બતાવ્યું છે. તેનું પણ શાસ્ત્રાધારે દિગ્દર્શન કરી લઈએ. – નંદીશ્વર દ્વીપના તીર્થની યાત્રા કરતાં કુંડલદ્વીપની યાત્રાનું ફળ ડબલ છે. - કુંડલદ્વીપ કરતાં ઘાતકીખંડનાં ચેત્યો જુહારવાનું ફળ ૬ ગણું છે. - ઘાતકીખંડ કરતાં પુષ્કરાર્ધ દ્વીપના ચૈત્યદર્શનનું ફળ ૩૬ ગણું છે. – પુષ્કરાર્ધ દીપના કરતાં મેરુપર્વતની યાત્રાનું ફળ ૧૦૦ ગણું છે. – મેરુપર્વત કરતાં સમેતશિખરજીની યાત્રાનું ફળ ૧૦૦૦ ગણું છે.' Page #239 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 223 – સમેતશિખર કરતાં અષ્ટાપદજીની યાત્રાનું ફળ લાખ ગણું છે. - અષ્ટાપદની યાત્રા કરતાં શ્રી સિદ્ધાચલની યાત્રા-સ્પર્શનાનું ફળ કરોડગણું છે. આનું કારણ એ છે કે આ ભૂમિના સૂક્ષ્મતમ કણેકણો અનંતા સિદ્ધાત્માઓના સ્પર્શની પવિત્રતાથી charge થયેલા છે. આ ગિરિરાજની કુલ પાંચ તળેટીઓ છે: (૧) વડનગર (૨) વલભીપુર (૩) ઘેટી પાગ (આદપુર) (૪) જયતળેટી (૫) કંકુબાઈની ધર્મશાળા પાસે. સોરઠદેશ-શણગાર આ ગિરિરાજ ઉપર કુલ નવ ટૂંકો આવેલી છે. તેમાં ૧૨૪ ભવ્ય મંદિરો, ૭૩૯ દેરીઓ, ૧૧૪૭૪ જિનપ્રતિમાઓ અને ૮૯૬૧ પગલાંઓ છે. એકલી દાદાની ટૂંકમાં જ ૫ મંદિરો, ૩૦૦ દેરીઓ અને ૫૭00 પ્રતિમાજીઓ છે. જે સમયમાં કોમ્યુટરો ન હતાં, હાઈ ટેક્નોલોજીવાળાં મશીનો ન હતાં, માત્ર માનવીય પ્રયત્ન દ્વારા ત્રણ કિ.મી. ઊંચાઈએ પથ્થરો ચઢાવીને આવાં ભવ્યાતિભવ્ય જિનાલયોનાં સર્જન કરવાં અને તે પણ એક—બે નહીં બલ્ક સેંકડોની સંખ્યામાં, આ કોઈ નાનીસૂની વાત નથી. પુટનિકયુગમાં હજી શક્ય બને પણ પથ્થરયુગમાં આખા વિશ્વને આશ્ચર્ય પમાડે એવું કલાત્મક સર્જન કરવું ખરેખર વિરલ ઘટના કહેવાય. સમુદ્ર–લેવલથી ગણીએ તો ૧૦૦૭ ફૂટની ઊંચાઈ ઉપર દાદાનો દરબાર આવેલો છે. ૫00 વર્ષ પૂર્વે આવા ઊંચા પહાડ ઉપર અગાધ ખાઈઓને પૂરીને લેવલિંગ કરવું ને આટલી મોટી પ્રતિમાઓ અને સંગેમરમરના પથ્થરો ઉપર ચઢાવવા અત્યારે તો અશકયપ્રાયઃ જણાય છે. કહેવાય છે કે મોતીશાની ટૂક બનાવવા તળિયેથી ખાઈ પૂરવી પડી હતી ને પથ્થર ચઢાવવા દોરડાં વપરાયાં તેની કિંમત ૭૦ હજારની હતી. આ ગિરિરાજને શાસ્ત્રોમાં ઔષધિગર્ભ' તરીકે વર્ણવ્યો છે. શત્રુંજય માહાભ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે આ પહાડ ઉપર ઢગલાબંધ સોનાની ખાણો, અનેક રસપિકાઓ, જડીબુટ્ટીઓ તથા ગુફાઓ છે. ત્યાં એક સૂર્યાવર્ત નામનો કુંડ આવેલો છે જેના જલસેવનથી બધા જ રોગો નાશ પામે છે. વિવિધ વનો ને જાતજાતનાં વૃક્ષો-ઔષધિઓના ભંડાર સ્વરૂપ છે. ચોમાસાના ચાર માસ અહીં યાત્રા કરવાનો પારંપરિક પ્રતિબંધ છે. તે સિવાય અવસરે યાત્રાળુઓ પર્વતની ત્રણ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની યાત્રા કરતા જોવા મળે છે. લગભગ ૧૦૦ જેટલી ધર્મશાળાઓથી તળેટી રોડ શોભી રહ્યો છે. આ તીર્થની આસપાસ પણ કદંબગિરિ, હસ્તગિરિ, તાલધ્વજગિરિ, મહુવા દાઠા ઘોઘા આદિ તીર્થસ્થાનો આવેલાં છે. ઉપર ચઢવા અસમર્થ ભાવુકો 'જય તળેટી'ની સ્પર્શના કરી યાત્રાનો લાભ મેળવે છે. તળેટીથી ઉપર ચઢતાં ક્રમશઃ આ રીતનાં યાત્રાસ્થાનો છે. • જય તળેટી, અજિતનાથનાં પગલાં, ગૌતમસ્વામીનાં પગલાં, • આદિનાથનાં પગલાં • શાંતિનાથનાં પગલાં • ધર્મ • કુંથુ • નેમનાથનાં પગલાં • સરસ્વતી માતાજીની દેરી • બાબુનું મંદિર •ખોનાનું મંદિર • સમવસરણ મંદિર • ભરતચક્રીનાં પગલાં " ઇચ્છાકુંડ નેમનાથ વરદત્ત Page #240 -------------------------------------------------------------------------- ________________ 224 તપાગચ્છાધિષ્ઠાયક ગણધરનાં પગલાં •કુમારકુંડ • હિંગળાજનો હડો • કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં ચાર શાશ્વત જિનનાં પગલાં • શ્રી પૂજ્યની ટૂક : પદ્માવતી માતા • દ્રવિડ વારિખિલ્લ અઈમુત્તા નારદજીનાં પગલાં • હીરાબાઈનો કુંડ • ભૂખણદાસનો કુંડ • રામ • ભરત • થાવસ્ત્રાપુત્રશુક્રાચાર્યની પાંચ મૂર્તિઓ • સુકોશલ મુનિનાં પગલાં • નમિ-વિનમિનાં પગલાં • રામપોળ • શેઠ મોતિશાની ટ્રક • કુંતાસર કુંડ • ઘેટી પાગ • સગાલ પોળ • વાઘણ પોળ • વિમલવસતિ (દાદાની ટૂક) પુન્ય પાપની બારી • સૂરજકુંડ • હાથીપોળ • રાયણવૃક્ષ • અજિતનાથ • શાંતિનાથની દેરી • ચંદન તલાવડી • ભાડવાનો ડુંગર • સિદ્ધવડ • અંગારશાના પીરનું સ્થાન નવ ટૂકો • સહસ્ત્રકૂટ • ૧૪પર ગણધરનાં પગલાં • નેમનાથ મંદિરમાં છત ઉપર સંગેમરમરમાં કોતરેલ નેમનાથ ભગવાનની ચોરી ખૂબ જ અદ્ભુત છે. • બાલાભાઈની ટૂક પાસે અદ્ભુતજી દાદાની ૧૮ ફૂટ ઊંચી ને સાડાચીદ ફૂટ પહોળી પ્રતિમા ખરેખર દર્શનીય છે. • છીપાવસહી ટૂકમાં એક ગુંબજનું કલાત્મક દશ્ય ખૂબ જ નયનરમ્ય છે. નવ ટૂકોનાં નામો : ચૌમુખજીની ટૂક • મોતીશાની ટૂક • બાલાભાઈની ટૂક પ્રેમાભાઈની ટૂક હેમાભાઈની ટૂક • ઊજમફઈની ટૂક • સાકરસી ટૂક • છીપાવલી ટૂક • સવા સોમાની ટૂક એક એક ટૂકના સર્જનના ભૂગર્ભમાં ભવ્ય ઇતિહાસ સમાયેલો છે; પણ સ્થાનસંકોચના કારણે કલમ અટકાવવી જરૂરી છે. આવા પ્રગટપ્રભાવી પુનિતપાવન મુક્તિપુરીના પગથિયા સમાન અનંત મુક્તાત્માઓના આશ્રયસ્થાનરૂપ ગિરિરાજનાં ચરણોમાં ભાવભરી વંદના... અંતે – સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર.. II Page #241 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 225 ' જૈન ધર્મની દૃષ્ટિએ જેઠીપ અને ભરતખંડ. -: સંકલન:પ્રા. બિપીનચંદ્ર ર.ત્રિવેદી (જંબુસર) ભૂગોળ-ખગોળનાં અવનવાં રહસ્યો તથા વૈજ્ઞાનિક તથ્યોની રસપ્રદ માહિતી સાથેના આ લેખનું અનુસંધાન પાલીતાણા તળેટીમાં જંબૂદ્વીપની એક વિશાળકાય યોજના સાથે સંકળાયેલ હોવાની પ્રતીતિ થાય છે. વિજ્ઞાન અને ધર્મ, વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સમાધાનની સંસ્કારિતા કેટલી બધી સુસંગત છે, એ તરફ જંબૂદ્વીપ યોજના ખરેખર ચોટદાર ચીંધણું કરી રહી છે. - સનાતન સત્યની ભૂમિકા પર ઊંચકાયેલા જૈન ધર્મે સૂર્ય, ચંદ્ર, મેરુ પર્વત, દ્વીપ સમુદ્ર, આદિ બાબત કેવું કેવું નિર્વિવાદ નિરૂપણ કર્યું છે, એનું પરીક્ષણસ્થાન ઉક્ત સંસ્થા છે. જૈનત્વનું સંરક્ષણ કરતી જંબુદ્વીપની વિશાળકાય યોજનાના સ્વપ્નદ્રષ્ટા હતા શાસન જ્યોતિર્ધર મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીના સુશિષ્યરત્ન, આગમવિશારદ, ભૂગોળ-ખગોળ નિષ્ણાત, પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી મહારાજશ્રી. સાદગીભર્યું અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન, સાધનામય વ્યક્તિત્વ અને જ્ઞાનના અતલ ઊંડાણે જઈ બિરાજેલા પૂજયશ્રી માત્ર સાધનારત જ ન હતાં; એમનામાં ઘૂઘવાતો દયા-કરુણાનો સાગર અમે ઘણીવાર પ્રત્યક્ષ નિહાયો છે. મરાહ જગતને સાચા રાહ પર લાવવામાં તેઓ સદાકાળ રાહબર રહેતા હતા. જંબૂદ્વીપ યોજનાનું પાલીતાણાની ધરતી પરનું અવતરણ એ જ ફણાના સાગતળેથી ઊઠેલાં સક્રિયતાનાં વાદળોની વર્ષા છે. લાગે છે કે આ લેખના લેખક શ્રી બિપીનચંદ્ર ત્રિવેદી જંબૂદ્વીપ આયોજનના અને તેની વિચારણાના પૂરા અભ્યાસી હોય. હાલમાં શ્રી ત્રિવેદી જંબુસરની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. સાહિત્ય- સંશો પર ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. - સંપાદક " પ્રાચીન સમયનાં ભવ્ય વૈજ્ઞાનિક સત્યોને આપણે ડગલે ને પગલે હાસ્યાસ્પદ અને ક્યારેક ભયંકર બીભત્સ દંતકથાઓનાં રૂપમાં જોઈએ છીએ, તવા અપભ્રંશ થયેલા જ્ઞાનને ધાર્મિક વૃત્તિવાળા વિદ્વાનો જુદા જુદા રૂપે સમજાવવા પ્રયા કરે છે, જેનું લઈને ગૂંચવાડો અનેકગણો વધે છે ... Page #242 -------------------------------------------------------------------------- ________________ 226 . હિંમતપૂર્વકનાં સંશોધનોથી તેવા અપભ્રંશોને દૂર કરી, ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલી હકીકતોની સત્ય અને શુદ્ધ સ્વરૂપે રજૂઆતો કરીએ છીએ ત્યારે આધુનિક છીછરાં સંશોધનોથી ઊંચામાં ઊંચી કક્ષાના જ્ઞાનવાળો ધર્મ, અને ધાર્મિક ગ્રંથોની હકીકતો, આપણી દષ્ટિ સામે ખડી થાય છે........૧ તપાગચ્છાધિષ્ઠાયક વર્તમાન સમયને કોઈ ' ફૅશનયુગ ' કહે છે તો બીજા વળી ' બુદ્ધિયુગ', 'પ્રગતિયુગ', 'વિજ્ઞાનયુગ', 'અણુયુગ' કહે છે. પરંતુ એક લેખકે વર્તમાન સમયને ' પ્રચારયુગ ' કહીને નવાજ્યો છે. આનું કારણ એ છે કે વર્તમાનપત્રો, લેખો-પુસ્તકો, રેડિયો, ટી.વી. અને ઇરાદાપૂર્વક વહેતી મુકાયેલી જાહેરાતો મોટે ભાગે સત્યને દળી નાખે છે ! આથી જ હાલની પ્રચલિત માન્યતાથી જુદી પડતી જંબૂદ્દીપ અને ભરતખંડના રચનાવર્ણન' ને આપણે શાસ્ત્રની મદદથી તપાસવી રહી – કારણ કે કેટલાંક સત્યોની સાબિતી મેળવતાં આપણને ઘણો સમય લાગે છે (કદાચ ન પણ મળે અને મળે ત્યારે હૈયાત ન પણ હોઈએ ) પરંતુ તીર્થંકર ભગવંતોએ કેવલજ્ઞાનરૂપે આગમોમાં તેનું વર્ણન આપેલું છે. સમગ્ર વિશ્વના મધ્ય ભાગમાં અને સર્વ પર્વતોમાં સૌથી ઊંચો એક લાખ યોજનની ઊંચાઈવાળો મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વત, જંબૂટ્ટીપની મધ્યમાં આવેલો છે અને આકા૨ે ગોળાકાર થાળી જેવા જંબૂદ્વીપ ફરતો આઠ યોજન ઊંચો કિલ્લો છે અને તે ' તિÁલોક 'ની મધ્યમાં આવેલો છે. તિÁલોક એક ' રાજ ' લાંબો-પહોળો છે. અસંખ્યાત જોજન મળીને 'રાજ' બને છે. આમ તિńલોકની મધ્યમાં એક લાખ જોજનનો લાંબો-પહોળો જેમાં આપણે રહીએ છીએ તે જંબુદ્રીપ છે, તેની મધ્યમાં મેરુ પર્વત છે. જંબુદ્રીપની ચારે બાજુ, બંગડી આકારે સમુદ્રો અને દ્વીપો આવેલા છે જે બમણા—બમણા થઈને પહોળાઈમાં વિસ્તરેલા છે. યોગ્ય ઉદાહરણ લેતાં જંબુદ્રીપ એક લાખ જોજન લાંબો–પહોળો છે, તેની ફરતે ચારે બાજુ ' લવણ સમુદ્ર વિંટળાયેલો છે જે બે લાખ જોજનનો છે, તેની ફરતા ચાર લાખ જોજનનો ' ઘાતકીખંડ ' છે, તેની ફરતા ' કાલોદધિસમુદ્ર ' આઠ લાખ જોજનનો છે, તેની ફરતા 'પુષ્કરવર 'દ્વીપ ૧૬ લાખ જોજનનો છે, તેની ફરતાં બત્રીસ લાખ યોજનના વિસ્તારવાળો પુષ્પકરવર સમુદ્ર છે.... તે પછી એક દ્વીપ અને તે જ નામવાળો સમુદ્ર એમ બમણા–બમણા વિસ્તારવાળા આવે છે. આ દ્વીપ અને સમુદ્રનાં નામો ક્રમસર લઈએ તો – પુષ્કરવર, વારૂણીવર, ક્ષીરવર, ધૃતવર, ઈક્ષુવર, નંદીશ્વર, આ પછી દરેક નામની સાથે વર–વરાવભાસ એમ ત્રણ ત્રણ દ્વીપ–સમુદ્રો આવેલા છે તે વિસ્તારમાં બમણા—બમણા વિસ્તારવાળા છે તેમાં છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે. જેમકે – જંબુદ્રીપ ( તેની વચ્ચે અસંખ્ય દ્વીપ–સમુદ્ર આવેલા છે ) તે પછી બીજો જંબૂટ્ટીપ–જંબૂસમુદ્ર આવે, તેના પછી જંબૂવર દ્વીપ–જંબૂવર સમુદ્ર આવે, તે પછી જંબૂવરાવભાસ દ્વીપ – જંબૂવરાવભાસ સમુદ્ર આવે, તે પછી અસંખ્ય દ્વીપ–સમુદ્રો; પછી Page #243 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ પાછો બીજો દ્વીપસમુદ્ર . એમ ક્રમ આવે સ્વયંભૂરમણ દ્વીપ અને એ નામનો સમુદ્ર જે છેલ્લે આવેલો છે તે અનુક્રમે આખી પૃથ્વી ઉપરનો પોણો ભાગ (/ + ૧/) રોકે છે, બાકીના ચોથા ભાગમાં તે સિવાયના અસંખ્ય દ્વીપ સમુદ્રો આવેલા છે જેમનાં નામ આ જગતનાં સુંદર નામો – અલંકારો, વસ્ત્રો, કમળો, તિલક, નદીઓ, પર્વતો, કુંડો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય વગેરે જે શાશ્વત નામો છે તે પરથી પડેલાં છે. જો કે છેલ્લા પાંચ દ્વીપસમુદ્રોની સંખ્યા એક એક છે. તેમનો છેલ્લેથી ક્રમ – પાંચમો દેવદ્વીપ – દેવસમુદ્ર ...... ચોથો નાગદ્વીપ – નાગસમુદ્ર ત્રીજો યક્ષદ્વીપ – યક્ષસમુદ્ર બીજો ભૂતદ્વીપ – ભૂતસમુદ્ર છેલ્લા ક્રમે આવતા સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર પછી માત્ર અનંત આકાશ હોય છે. જંબૂદીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ–દ્વીપ, કાલોદધિ સમુદ્ર અને પુષ્કરવરદ્વીપ અડધા સુધીમાં મનુષ્યોની ઉત્પત્તિ-જન્મ-મરણ–અગ્નિ, ગર્જના, વરસાદ, વીજળી, નદીઓ, સરોવર, દિન–રાત, માસ વગેરે વ્યવહાર અને મોટા પર્વતો, મોટા ક્ષેત્રો આવેલા છે. તે પછીના દ્વીપ–સમુદ્રોમાં આવી બાબતો હોતી નથી – જેમ કે બીજે સૂર્ય—ચંદ્ર સ્થિર હોય છે એટલે જ્યાં ચંદ્ર હોય ત્યાં ચંદ્રનો પ્રકાશ જ જોવા મળે છે, જ્યાં સૂર્ય હોય ત્યાં સૂર્યપ્રકાશ જ હોય છે. વિવિધ સમુદ્ર પાણીનો સ્વાદ કાલોધિ સમુદ્ર પુષ્કરવર સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર ક્ષીરસમુદ્ર ધૃતવર સમુદ્ર બાકીના સમુદ્ર 227 વરસાદના પાણી જેવો વરસાદના પાણી જેવો વરસાદના પાણી જેવો કઢેલા દૂધ જેવો ઉત્તમ ધીના જેવો શેરડીના રસ જેવો [નોંધ ઃ ક્ષીર સમુદ્રનું પાણી દૂધ જેવું હોવાથી તીર્થંકરનો અભિષેક તેનાથી થાય છે. ] લવણ સમુદ્ર વિષે વિશેષ માહિતી : – લવણ સમુદ્રનો વિસ્તાર બે લાખ યોજનનો છે. બંને કિનારાથી ૯૫,૦૦૦ યોજન દૂર એટલે મધ્યભાગમાં દશ હજાર યોજન જાડો અને સોળ હજાર યોજન ઊંચો ઊછળતા પાણીનો કિલ્લો છે. 1 - આ સમુદ્રમાં પાંચસો યોજનની લંબાઈવાળાં માછલાં હોય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ 228 તપાગચ્છાધિષ્ઠાયક - સમુદ્રમાં ભરતીઓટનું કારણ આ સમુદ્રમાં એક સો યોજનાના વિસ્તારવાળા ચારે દિશામાં થઈ ૭૮૮૪ લઘુ પાતાળ કલશો છે. તે બધામાં || ભાગમાં વાયુ, " ભાગમાં વાયુ + પાણી, અને V, ભાગમાં પાણી રહેલું છે. સમુદ્રમાં ભરતી-ઓટનું કારણ પાતાળ-કલશોમાં રહેલા વાયુનો બે વખત થતો ક્ષોભ છે. (વર્તમાન માન્યતા પ્રમાણે ચંદ્ર દ્વારા ભરતી-ઓટથી આ માન્યતા જુદી પડે છે.) - લવણ સમુદ્ર સિવાયના બાકીના સમુદ્રોનું પાણી સ્થિર હોવાથી તેમાં ભરતી-ઓટ થતાં નથી. -લવણ સમુદ્રની અંદર પદઅંતરદ્વીપોટ વેલંધર પર્વતો, એક ગીતમ દ્વીપ, ૧૨ ચંદ્રઢીપો, ૧૨ સૂર્યદ્વીપો છે... અગાઉ કહ્યું તેમ તિથ્યલોકની મધ્યમાં જંબૂદ્વીપ છે તે એક લાખ યોજનાના વિસ્તારવાળો થાળી આકારે ગોળાકારે છે. તેની અંદર સાત ક્ષેત્રો અને છ મોટા પર્વતો છે, મધ્ય ભાગમાં મહાવિદેહક્ષેત્ર ૩૩૬૮૪ – / યોજન લાંબું છે અને તેનાય મધ્ય ભાગમાં એક લાખ યોજના ઊંચાઈવાળો મેરુ પર્વત છે. જંબૂદ્વીપના લાખ જોજનના ૧૯૦ ભાગ કરેલા છે. એક ભાગ પર જોજન ૬ કલાનો થાય છે. તે માપે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આવેલાં છે ... દરેક ક્ષેત્રની વચ્ચે પર્વતો આવેલા છે તેથી તે દરેક ક્ષેત્રના ઉત્તર-દક્ષિણે બે ભાગ થયેલા છે. (જુઓ ચિત્ર) મહાવિદેહ ક્ષેત્રની બંને તરફ ઉત્તર-દક્ષિણમાં પર્વત-ક્ષેત્રનો ક્રમ વારાફરતી હોય છે જેમ કે : ઉત્તર તરફ દક્ષિણ તરફ નિષધ પર્વત હરિવર્ષ ક્ષેત્ર મહાહિમવંત પર્વત હિમવંત ક્ષેત્ર લઘુ હિમવત પર્વત ભરત ક્ષેત્ર નીલવંત પર્વત રમ્યક ક્ષેત્ર રૂકમી પર્વત હિરણ્યવંત ક્ષેત્ર શિખરી પર્વત ઐરાવત ક્ષેત્ર . Page #245 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ક્ષેત્ર પર્વત (૧) ભરતક્ષેત્ર (૨) લઘુ હિમવંત પર્વત (૩) હિમવંત ક્ષેત્ર (૪) મહાહિમવંત પર્વત (૫) હરિવર્ષ ક્ષેત્ર (૬) નિષધ પર્વત (૭) મહાવિદેહ ક્ષેત્ર (૮) નીલવંત પર્વત (૯) રમ્યક ક્ષેત્ર (૧૦) રૂકમી પર્વત (૧૧) હિરણ્યવંત ક્ષેત્ર (૧૨) શિખરી પર્વત (૧૩) ઐરાવત ક્ષેત્ર ખાંડવા ૧ ૨ ૪ ८ ૧૬ ૩૨ ૪ ૩૨ ૧૬ ८ ૪ ૨ ૧ કુલ ૧૯૦ ઊંચાઈ (યોજન) ૧૦૦ ૨૦૦ ૪૦૦ - ૪૦૦ ૨૦૦ ૧૦૦ જંબુદ્રીપમાં શું શું છે ? તેમાં ૯ ક્ષેત્રો છે જે અગાઉ આપણે તપાસી ગયા છીએ. ૨૬૯ પર્વતો છે. ૪ ગોળ વૈતાઢ્ય ૧ સમગ ૩૪ વૈતાઢ્ય ૧૬ વક્ખારા ૨૦૦ કંચનિગિર ૪ ગજદંત વર્ણ સુવર્ણ સુવર્ણ રાતા સોનાનો ઉપરોક્ત ક્ષેત્ર પૈકી ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્ર 'કર્મભૂમિ' કહેવાય છે એટલે કે અહીં અસિ–મસી–કૃષિ ( અનુક્રમે તલવાર-શસ્ત્રો, મસી–લેખનસામગ્રી, ખેતી વગેરે) નો વહેવાર હોય છે. જ્યારે હરિવર્ષક્ષેત્ર– રમ્યક ક્ષેત્ર– હિમવંત ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર દેવકુરુ અને ઉત્તરકુરુ આ ક્ષેત્રો અકર્મભૂમિ છે. નીલરત્નનો રૂપાનો સુવર્ણ 229 Page #246 -------------------------------------------------------------------------- ________________ 230 તપાગચ્છાધિષ્ઠાયક ૧ ચિત્ર ૧ વિચિત્ર ૧ જમગ ૧ સુમેરુ ક્ષેત્ર મર્યાદાધર. કુલ ર૯ જેબૂદ્વીપમાં ૪૬૭ કૂટો-શિખરો છે. ૧૦૨ તીર્થો છે. ૩ર વિજય મહાવિદેહની x ૩ (માગધ-વરદામ– પ્રભાસ) ૧ ભરત x ૩ ૧ ઐરાવત x ૩ = ૯૬ ૦૩ 0, ૧૦૨ ૧૩૬ વિદ્યાધરોની શ્રેણીઓ છે. ૩૪ વૈતાઢય ૪૪ ૧૩૬ દરેક વતાયમાં ઉત્તર-દક્ષિણ વિદ્યાધર શ્રેણી, ઉત્તર-દક્ષિણ આભિયોગિક એમ ચાર શ્રેણી હોય છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય ૩૪ ક્ષેત્રો છે. ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી ખંડ સાધીને ચક્રવર્તી બને છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય મહાવિદેહ ક્ષેત્રના ૩ર વિજયો અને ભરત-ઐરાવત મળીને ૨ એમ કુલ ૩૪ છે. ૧ મોટા દ્રહો-સરોવરો છે, જેમાં – પદ્માદિ-૬, દેવકુરુક્ષેત્રમાં–પ, ઉત્તર કુરુક્ષેત્રમાં ૫ = ૧૬. જંબુદ્વીપમાં નદીઓની સંખ્યા ૧૪,૫૬,૦૯૦ છે. જેમાં – ૨૮,૦૦૦ (ભારતમાં ગંગા અને સિંધુ તથા તેનો પરિવાર) = ૨ x ૧૪,૦૦૦. ૨૮,૦૦૦ (એરાવતમાં રક્તા, રક્તવતી અને તેનો પરિવાર)= ૨ x ૧૪,૦૦૦. ૧,૧૨,000 (હિમવંત હિરણ્યવંત ક્ષેત્રની અત્યંતર પરિવાર) = ૪૪ ર૭,000. ૨,૨૪,૦૦૦ (હરિવર્ષ અને રમ્પકની-પરિવાર સાથે) = ૪ ૪ પ૬,૦૦૦. ૧૦,૬૪,૦૦૦ (શીતા અને શીતોદા ૯૦ મહાનદીઓ છે.) = ૨ x પ૩ર,૦૦૦. ૩૫ શ્રી જિન ચૈત્યો છે, બીજા મત પ્રમાણે ૯૫.૫ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની હિંદુ અને શ્રમણ ધર્મધારામાં ભારતભૂમિ,તથા જંબૂદ્વીપ પ્રત્યે Page #247 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 231 શ્રદ્ધાનો ભાવ છલોછલ જોવા મળે છે. પ્રત્યેક હિંદુ પોતાનાં મંગલ કાર્યોના પ્રારંભે વદે છે કે – " જંબૂદ્વીપે ભરતક્ષેત્રે આર્યખંડે (અમુક, પ્રદેશ (અમુકી નગરે." તે જ રીતે જૈન પરંપરામાં પણ જેબૂદ્વીપની પૂજ્યતાનો સ્વીકાર થયેલો છે. હિંદુ–વૈદિક અને જૈન તો ઠીક પણ બૌદ્ધ પરંપરામાં ય જંબૂદ્વીપના અસ્તિત્વનો સ્વીકાર કરેલો છે અને જેન્દ્વીપ નામની સાર્થકતાનો આધાર તેની મધ્યમાં રહેલા જંબૂ' નામના અકૃત્રિમ 'જંબૂવૃક્ષ ને માને છે.. જૈનધર્મમાં બે ટ્રીપ પ્રત્યે ઘણા શ્રદ્ધા ભરેલી દષ્ટિએ જોવાય છે જેમાં એક છે' નંદીશ્વર, અને બીજો છે' જંબૂદીપ.' જબૂદ્વીપમાં અનેક પવિત્ર જિન ચેત્યાલય છે, તેના અંગભૂત ક્ષેત્ર વિદેહમાં આજે પણ તીર્થંકર વિહાર કરી રહ્યા છે. જેબૂદ્વીપના ભરત–ઐરાવતના આર્યખંડને એવું ગૌરવ પ્રાપ્ત થયેલું છે કે અહીં તીર્થંકર વગેરે મહાપુરુષોની પવિત્ર જન્મભૂમિ, તપોભૂમિ તથાનિર્વાણભૂમિ વિદ્યમાન છે. અહીં મનુષ્યભવમાં જન્મ લેનાર પ્રાણી તપશ્ચર્યા દ્વારા કર્મમુક્તિ પામી શકે છે, ધર્મસાધના કરી શકે છે અને તેના દ્વારા સર્વ દુઃખોને દૂર કરી શાશ્વત-અનંત સુખને સાધી શકે છે.. ભરતક્ષેત્ર : આ વિશ્વના ત્રણ વિભાગ પાડવામાં આવે છે. જેમાં – (૧) ઊર્ધ્વલોક (૨) અધોલોક અને (૩) તિચ્છલોક. બે પગ પહોળા કરીને, બે હાથ કેડે રાખીને ઊભા રહેલા મનુષ્યની આકૃતિ હોય તે રીતે આ વિશ્વ ચારે બાજુથી એકસરખું ગોળાકાર છે, જેમાં કેડનો ભાગ તિથ્વલોક કહેવાય છે, તેનાથી ઉપરનો ઊદ્ગલોક અને નીચેનો અધોલોક કહેવાય છે. (જૂઓ ચિત્ર) અગાઉ જોયું તે પ્રમાણે તિર્થાલોકના મધ્યમાં જંબૂદ્વીપ આવેલો છે. તેના છેડે ભરતક્ષેત્રનો આકાર અર્ધચંદ્રાકાર અથવા ધનુષ્યની કામઠીને દોરી બાંધેલી હોય તેવો છે, તેમાં દોરી સમાન સીધો ભાગ હિમવંત પર્વત તરફ પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી રહેલો છે, જ્યારે ભરતક્ષેત્રનો , ભાગ, ગોળાઈનો ભાગ લવણ સમુદ્ર સુધી જાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ છેડાથી ઉત્તર તરફ હિમવંત પર્વત સુધીની પહોળાઈ શાસ્ત્રીય પરદ ૧૯ યોજન પ્રમાણ છે, ધનુ પૃષ્ઠનો ભાગ ૯૭ ૬૧/૧૮ યોજન પ્રમાણ અને પૂર્વ-પશ્ચિમ જીવા લંબાઈ ૯૭૪૮ ૧૨, યોજન પ્રમાણ છે. ભરતક્ષેત્રના વચ્ચેના ભાગમાં ઉત્તર-દક્ષિણે ૫૦ યોજન પહોળો અને પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી લાંબો ૨૫ યોજન ઊંચો વૈતાઢય નામનો પર્વત આવેલો છે. તે ભરતક્ષેત્રના બે ભાગ કરે છે જેમાં સમુદ્ર તરફના ભાગને દક્ષિણ ભરતાર્ધ અને પર્વત તરફના ભાગને ઉત્તર ભરતાર્ધક્ષેત્ર કહેવાય છે. તેની પહોળાઈ ૧૩૮, યોજન છે. આ ક્ષેત્રને અડીને લઘુ હિમવંત પર્વત રહેલો છે. તેની પહોળાઈ ૧૦૫ર યોજન જેટલી છે અને લંબાઈમાં સમુદ્ર સુધીનો છે. તેની વચ્ચે ૧૦૦૦ યોજન લાંબું અને ૫00 યોજન ઉત્તર-દક્ષિણ પહોળું પદ્મ નામનું મોટું સરોવર (દ્રહ) આવેલ છે, તેમાં પૂર્વ દિશા તરફ ગંગા મહાનદી અને પશ્ચિમ તરફથી સિંધુ મહાનદી નીકળે છે અને (લઘુ હિમવંત પર્વત પર) ત્યાં ૫00 યોજન સુધી વહી, દક્ષિણ તરફ વળાંક લઈને ઉત્તર ભારત Page #248 -------------------------------------------------------------------------- ________________ 232 તપાગચ્છાધિષ્ઠાયક ક્ષેત્રાર્ધમાં રહેલ પ્રપાતકુંડમાં પડે છે. ત્યાંથી ઉત્તર ભારતમાં આગળ વધતાં અને વૈતાઢય પર્વત સુધી આવતાં બીજી ૭,૦૦૦ નદીઓ તેમાં આવી મળે છે. આ પ્રવાહ વૈતાઢય પર્વતને નીચેથી ભેદીને દક્ષિણ ભારતમાં આવે છે. ત્યાં બીજી ૭,૦૦૦ નદીઓ તેમાં ભળતાં કુલ ૧૪,૦૦૦ નદીઓ સાથે ગંગા મહાનદી પૂર્વ-સમુદ્રને અને તે જ પ્રમાણે ૧૪,000 નદીઓ સાથે સિંધુ મહાનદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ બને નદીઓ ઉત્તર + દક્ષિણ ભારતમાં, ૩+ ૩ મળી કુલ છ વિભાગો પાડે છે જે ખંડ કહેવાય છે. ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થ સૂત્રમાં ભરત હૈમવત હરિવિદેહ રમ્યક હિરણ્ય વરાવત વર્ષ ક્ષેત્રાણિ સૂત્રાનુસાર જંબુદ્વીપમાં પહેલો ખંડ ભરતખંડ છે. તત્ત્વાર્થસૂત્ર અને અન્ય જૈન ગ્રંથો પ્રમાણે જંબૂદ્વીપમાં ' ક્ષેત્રોને વિભાજિત કરનાર જે છે કુલાચલ પર્વત છે, તેમાં દરેક પર – હિમવતું, મહાહિમવતું, નિષધ, નીલવંત, રૂકમી, શિખરી આ છ પર્વતો પર ક્રમશઃ પદ્મ, મહાપા, તિગિચ્છ કેસરી, મહાપુંડરીક અને પુંડરીક – આ છ મહાતળાવ છે. તેમાંથી દરેકમાંથી બબ્બે–બબ્બે નદીઓ નીકળે છે અને પોતાના ક્ષેત્રને સીંચતી સીંચતી સમુદ્રમાં ઠલવાય છે. ભરતક્ષેત્રની વચ્ચે પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલો રજતમય વિજયાર્ધ પર્વત છે. વિજયાર્ધની ઉત્તરે ત્રણ તથા દક્ષિણમાં ૩ખંડ છે, તેમાં દક્ષિણ ભરતખંડના ૩ખંડોમાં મધ્યનો આર્યખંડ છે, બાકી પાંચ મ્લેચ્છખંડના નામે ઓળખાય છે. આ ભરતક્ષેત્રમાં કાળ ફરતો રહે છે જેના બે ભાગ પડે છે. – અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણી કાળ. અવસર્પિણીકાળમાં દરેક વસ્તુઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મનુષ્ય-તિર્યંચોનાં શરીર, આયુષ્ય, બળ વગેરે ઘટતાં જાય જ્યારે ઉત્સર્પિણીકાળમાં તે વધતાં જાય છે. આમ વધ–ઘટના છ + છ વિભાગો મળીને એક કાલચક્ર થાય છે. ભરતક્ષેત્રના છએ છ વિભાગોને જીતે તે ચક્રવર્તી કહેવાય છે. તેના તાબામાં ૩ર,૦૦૦ મુકુટવાળા રાજા, ૯૬ કરોડ સૈનિક, ૮૪ લાખ હાથી-ઘોડા-રથ, ૧૪ રત્નો, નવનિધિ સહિત પુષ્કળ સંપત્તિ હોય છે. આમ આ વિચારણા આપણને તે અપેક્ષા તરફ દોરી જાય છે કે (૧) જૈન અને વૈદિક ભૂગોળનું તુલનાત્મક અધ્યયન થવું જોઈએ. વૈદિક ભૂગોળનું પુરાણોમાં વર્ણિત ભૂગોળ સાથે તુલનાત્મક અધ્યયન થવું જોઈએ. (૨) જૈન ગણતરીના આધાર પર વિશ્વભૂગોળ વિષે વધુ વિચારણા કરવી જોઈએ. અહીં આપેલી લેખ-સામગ્રીના આધાર સિવાય આ સંકલન થઈ શક્યું ન હોત; તેથીસંકલિત લેખની પાદટીપઃ અણ સામગ્રી (૧) તત્ત્વજ્ઞાન સ્મારિકા', પ્રકાશક શ્રી વર્ધમાન જૈન પેઢી–પાલીતાણા, વિ.સં. ૨૦૩૮, ખંડ-૩' શાસ્ત્રોક્ત ખગોળની ભવ્યતા', શ્રી અનકચંદ્ર ભાયાવાળા (પૃ. ૪૦ થી ૪૭) Page #249 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 233 (૨) ક્રમાંક ૧ પ્રમાણે, લેખ: 'નિષ્ઠા અને સિદ્ધાંતને ભરખી જતો પ્રચાર' સં. ડૉ. જિતુભાઈ પી. શાહ, (પૃ. ૫૫-૫૬) (૩) 'જબૂદ્વીપ', પુ. ૧, વિ. સં. ૨૦૩૯, પ્રકાશકઃ શ્રી વર્ધમાન જૈન પેઢી, પાલીતાણા. લેખઃ 'વિભિન્ન દ્વીપ-સમુદ્રો અને જબૂદ્વીપ, લે. પૂ. આ. શ્રી વિજયજંબૂસૂરીશ્વરજી મ.ના શિષ્ય,પૂ.પં નિત્યાનંદ વિ.મ. (પૃ. ૧ થી ૪) (૪) ક્રમાંક ૩ પ્રમાણે (૫) ક્રમાંક ૩ પ્રમાણે અથવા ક્રમાંક ૧ ના ખંડ-૪ના લેખ-૨' વિભિન્ન દ્વીપસમૂહો • અને જંબુદ્વીપ' માંથી. (૬) ક્રમાંક ૩ પ્રમાણે. લેખ: 'જેબૂદ્વીપ જૈન ધાર્મિક દષ્ટિએ. હિંદી વિભાગ : પૃ. ૨૫-૨૬, ડૉ. દામોદર શાસ્ત્રી. (૭) ક્રમાંક ૧ પ્રમાણે પૃ. ૧૮ થી ૧૯ લેખ (અ) 'મેરુ પર્વતનું સ્વરૂ૫'- પૂ. પં. શ્રી નિત્યાનંદ વિ.મ. ગણિ, તથા લેખ (બ) : ભરતક્ષેત્રનું સ્વરૂપ-પૂ. પં. શ્રી નિતયાનંદ વિ.મ. ગણિ. પૃ૨૦ થી રર. (૮) ક્રમાંક - ૭, લેખ (બ) પ્રમાણે. सयएमालामाबाबांधायकरिम्नामा श्या वर्णसभाबासवरमण्यदाणातश्यmall पखापवामवासरासीमदादादावासमदरमहिह।। समणवातावमधाचीरस्म अामरकम संकात जयनिवासरतदानासरामामय दास वाससहमतिज्ञीसमरणस्मलगवईम बास માગ કરતા સ્વર્ણિમ સE ર लयवाणघाण दियविषयासकारविरक्षा बियोगासरसुहाएबावजयालकलाचारकात વિશad રામmmવિગેamક્રિામાં करवसविसकाडरयशवर्णसमागमवावा 3, છે અને તેને જ રાજા ન Page #250 -------------------------------------------------------------------------- ________________ 234 તપાગચ્છાધિષ્ઠાયક ગિરિરાજ શ્રી શત્રુંજયની ગરિમાને આલેખતી ભગવાન અને ભક્તની એક તેજ-તવારિખ ગિરિરાજ – આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ શત્રુંજયના પ્રત્યેક યાત્રિક દૂર-દૂરથી શત્રુંજય ગિરિરાજને ભેટવા આવે છે અને ધીરે ધીરે એ ગિરિરાજને ચઢવા માંડે છે. ચઢતાં ચઢતાં એ યાત્રિક રામપોળ અને વાઘણપોળ વટાવી દાદાના રંગમંડપમાં આવી પહોચે છે પરંતુ ભાવિકોની ભીડમાં એને દાદાનું મોટુ જોવા નથી મળતું ત્યાં સુધી એને સંતોષ નથી થતો. યાત્રા સફળ થવાનો અહેસાસ નથી થતો અને ક્ષણવાર પણ દાદાનું દર્શન થઈ જાય તો યાત્રા સફળ થયાનો આનંદ અનુભવાય છે. એવા અલબેલા એ દાદા અદિનાથનાં શત્રુંજય પર જ્યારથી બેસણાં થયાં ત્યારથી આજ લગી અનેક આક્રમક વાવંટોળો વચ્ચે પણ દાદાએ પોતાનાં બેસણાં કયાંય ખસેડ્યા નથી. જ્યાં બેઠા છે ત્યાં જ પોતે સ્થિર રહ્યા છે એ એતિહાસિક વિગત આ પ્રસંગલેખમાં રજૂ કરવામાં આવી છે. - જૈનસમાજમાં વકતૃત્વ-કવિત્વ-અને લેખકત્વના ત્રિભેટે ઊભેલું વ્યક્તિત્વ એટલે પૂ. આ. ભ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ ! જેઓશ્રીએ આજથી ૪ર વર્ષે વૈ.સ. ૭ ને દિવસે પોતાના પિતાજી અને વડીલ બંધુ સાથે શ્રમણસંઘમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેઓને ઉંમરનાં માત્ર સાત જ વર્ષ થયાં હતાં, અને આજે તો જેઓનું નામ અનેક રીતે અનેકના મોઢે ચડી ચૂકયું છે. જૈન સમાજના વિવાદાસ્પદ પ્રશ્નો, લૌટરી પધ્ધતિ આદિ અંગે તેઓના વિચારો જમાનાની તાસીરથી સાવ જુદા તરી આવે છે. તેઓના લેખો ' શ્રેયપુ' ના ઉપનામે સુધષા માસિકમાં વર્ષોથી અગ્રલેખરૂપે છપાય છે, તેઓનાં કાવ્યો 'મુનિની કિરણ ' ના ઉપનામે ઠેર ઠેરાવાય છે, તે ઓનાં પ્રવચનો ચિંતકો અને વિચારકવર્ગને ખૂબ જ આકર્ષી જાય છે. શત્રુંજય તીર્થાધિપતિ પ્રીન શ્રી આદિનાથપરમાત્માની મૂર્તિની અડોલતા, અખંડિતતા અને ઐતિહાસિકતા પર પ્રસ્તુત લેખમાં સુંદર–પ્રકાશ પથરાયેલો છે. આ લેખ પૂજયશ્રીની ઋતસાધના અને સર્જનશક્તિનો પરિચય કરાવે છે. -સંપાદક Page #251 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 235 સ............ ૨૨ કરતી આભમાંથી વીજ પડી ને ગિરિરાજ શ્રી શત્રુંજયના મુખ્ય શિખરને ફાડી ખુદ દાદા આદિનાથ ભગવાનને સ્પર્શીને ચાલી ગઈ. - સં. અઢારમા સૈકાની આ વાત છે. શત્રુંજયનાં શિખરોને આજે ધુમ્મસે ઢાંકી દીધાં હતાં. વાતાવરણ ચારે બાજુ ધૂંધળું બની ગયું હતું. - શત્રુંજયના યાત્રિકો માટે ઉપર આભ ને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પહેલા પગથિયા ઉપર ઊભેલો યાત્રી બીજા પગથિયા ઉપર ઊભેલા યાત્રીને સ્પષ્ટ ન જોઈ શકે એવું છતે દિવસે અંધારું જામ્યું હતું. આકાશમાં થતા વાદળાંના ગડગડાટનો શત્રુંજયના પથ્થરે પથ્થરે પડઘો પડતો હતો. વીજના ભારે કડાકા સહુની આંખ મિચાવી દેતા હતા. જોતાં એમ લાગતું હતું કે હમણાં જ વાદળ પડશે ને શત્રુંજયને પાણીમાં વહેતો કરી દેશે. પણ શત્રુંજયને કોઈનો ભય ન હતો. એ તો નિર્ભય બની અડગ ઊભો ઊભો વાદળો સાથે વાતો કરી રહ્યો હતો. ત્યાં તો આકાશમાંથી એકાએક મેઘ તૂટી પડ્યો, ને કડાક કરતી એક વીજ શત્રુંજયના મુખ્ય શિખર પર તૂટી પડી ! શિખરના ઘૂમટને ફાડી ચૌમુખજીના ખૂણાના ભાગમાં ચીરો પાડી એ મુખ્ય મંદિરના ગભારામાં ઊતરી ને ભગવાન આદિનાથની મૂર્તિના નાકને ખંડિત કરી નમણકંડીની નળીમાંથી બહાર નીકળી ગઈ. મંદિરમાં જે જે જગ્યાએથી વીજળી પસાર થઈ, તે તે જગ્યાએ મોટી ફાટ અને મોટા ચીરા પડી ગયા. Page #252 -------------------------------------------------------------------------- ________________ 236. તપાગચ્છાધિષ્ઠાયક આ અજબ બનાવથી તીર્થરક્ષકોનાં દિલ ધડકી ઊઠ્યાં! ગજબ થયો! બીજું બધું તો ઠીક પણ ભગવાન આદિનાથની નાસિકા ખંડિત બની ગઈ એ મહાન દુઃખની વાત હતી. પાલિતાણા એટલે તીર્થની તળેટીનું શહેર. તીર્થરક્ષકોએ વિચાર્યું કે ગમે તે હિસાબે આ ભયંકર બનાવની ખબર વહેલી તકે પાલિતાણાના સંઘને જણાવવી જોઈએ. પણ જણાવાય શી રીતે? મેઘરાજના તોફાન વચ્ચેથી પસાર થઈ ઠેઠ નીચે પહોંચવું એટલે ગમે તેવા માટે જાનનું જોખમ હતું. એક તો આ બનાવ જ તીર્થ માટે ભયંકર બની ચૂક્યો હતો. એમાં વળી નીચે સંદેશો પહોંચાડનાર જ વચમાં ઢળી પડે, તો તો... બનાવ ઓર ભયંકર બની જાય! તીર્થરક્ષકોએ ભેગા મળી નિર્ણય કર્યો, કે હમણાં કોઈએ નીચે જવું નહીં. વરસાદ બંધ ન થાય ત્યાં સુધી નીચે જવું જોખમ છે. બંધ થયા બાદ તરત નીચે સંદેશો પહોંચતો કરવો. મેઘરાજ પણ આજ માઝા મૂકીને વરસતા હતા. શત્રુંજયના પગથિયે પગથિયાને મેઘરાજે ધોઈને સાફ કરી દીધાં હતાં. આ વરસાદ વધુ લંબાય તો શત્રુંજયનું મુખ્ય શિખર પણ જોખમમાં હતું, કારણ કે શિખરના મુખ્ય ધૂમટમાં વીજે મોટી ફાટ તો પાડી જ દીધી હતી. તીર્થરક્ષકોનાં હૈયાં હવે પળે પળે આંચકા અનુભવતાં હતાં. રખે ને બીજી એકાદી વીજ તૂટી પડે ને મંદિરો માટી ભેગાં મળી જાય. ભગવાન આદિનાથની નાસિકાથી ખંડિત મૂર્તિ જોતાં એમની આંખ મીંચાઈ જતી! કારણ, એ મૂર્તિ એમને મૂર્તિ રૂપે દેખાતી ન હતી , એ મૂર્તિમાં તો તેઓ મૂર્તિમાન ભગવાનને જોતા હતા. ભગવાન એમના દિલમાં વસ્યા હતા. ભગવાનના એ ભક્ત હતા. ભગવાન સામે એ ભક્ત હૃદયોની એક જ પ્રાર્થના હતીઃ ભગવાન ! હવે આ વરસાદ બંધ કરો. પ્રાર્થના એમની નમાલી ન હતી. શ્રદ્ધાનો એમાં પ્રાણવાયુ પુરાયેલો હતો. શ્રધ્ધા સાથે કરાયેલી પ્રાર્થના પણ ન ફળે તો સમજવું કે એ શ્રદ્ધા પણ અધૂરી હશે. શ્રદ્ધાની અધૂરાશ જ પ્રાર્થનાને નિપ્રાણ બનાવે છે. પરંતુ અહીં તો શ્રદ્ધાની માટીમાંથી જ પેદા થયેલી પ્રાર્થનાની વેલ હતી. એ ફળ્યા વગર રહે ખરી? ધીરે ધીરે ધૂંધળું આકાશ ફરી સ્વચ્છ બનવા માંડ્યું. મેઘરાજે પોતાની માયા સંકેલી લીધી. તીર્થરક્ષકોનાં ધડકતાં દિલ બેંક શાંત થયાં. ઉપરથીસ્તો, અંદર તો આ ભયંકર બનાવે લગાવેલી લાય સળગતી જ હતી. એ થોડી જ આમ, કઈ શાંત થાય? હવે નીચે ઊતરવામાં કંઈ જોખમ જેવું હતું નહિ, અને જોખમ હોય તો ય એ જોખમને ખમી ખાવાનો તીર્થરક્ષકોએ નિર્ણય કરી લીધો હતો. તીર્થરક્ષકો નીચે સંદેશો પહોંચાડવા ઝડપભેર ઊતરવા લાગ્યા. વર્ષાનાં પાણીમાં ભીના કરી દીધેલ પગથિયાં પર પગ લપસી જવાનો ભય રહેતો હતો, છતાં એ તો ઝપાટાબંધ નીચે ઊતરે જ જતા હતા. જોત જોતામાં તળેટી આવી પહોંચી. શહેર હજી અહીંથી થોડે દૂર હતું. વર્ષાના કારણે ખોરવાઈ ગયેલો ધમધોકાર જનવ્યવહાર ફરી હળવો ચાલુ થઈ ગયો હતો. શહેરમાં જઈ તરત જ પ1િ /11 ના મહાજનને એકઠું કરવા માટે એક માદાર રી વળ્યો - -- - - --- - Page #253 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મહાજનના એકેય માણસને મનમાં આવા ભયંકર બનાવની તો શંકા જ કયાથી આવે ? મહાજન ભેગું થયું, ને તીર્થરક્ષકોએ તીર્થ ઉપર બનેલ બનાવનું બ્યાન રજૂ કર્યું. જ્યારે મહાજને ભગવાનની નાસિકા ખંડિત થયાનું સાંભળ્યું ત્યારે મહાજનમાં ગમગીની ફેલાઈ ગઈ. સહુના હૃદયમાં પ્રશ્ન ઘોળાતો હતો, આ બધું બન્યું શી રીતે ? એકાએક વજળી પડી, તે પણ પાછી મુખ્ય શિખર પર, અને શિખરને ફાડી મુખ્ય ભગવાનની નાસિકાનેય ખંડિત કરી ગઈ ! 237 આ પણ એક આશ્ચર્ય હતું. ગિરિરાજ પર વીજ પડવાનો બનાવ છેલ્લાં ઘણાંએ વર્ષોથી બન્યો ન હતો. એમાં અચાનક આ બનાવ બન્યો. વાત ફેલાતાં વાર કેટલી ? આખા શહેરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ... આખા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ. સંઘના આગેવાનોનાં હૈયાં હલબલી ઊઠયા. આખું પાલિતાણા આ બનાવ જોવા ગિરિરાજ પર ઊમટી પડયું. ઘણાના મગજમાં આ વાત બેસતી ન હતી ; પણ જયારે ઉપર જઈ નાસિકાથી ખંડિત થયેલા મૂળનાયક પર સહુની દષ્ટિ પડી, ત્યારે સહુનાં મસ્તક ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યાં ! હવે શું થશે ? એ પ્રશ્નાર્થ સહુને ભરડો લઈ ઊભો રહ્યો. પાલિતાણાનો જૈન સંઘ આ બનાવથી ચિંતાગ્રસ્ત બની ગયો. સંઘ માટે પણ ' હવે શું કરવું ?' એ એક મોટી સમસ્યા હતી. સંઘની કેટલીક આગળ પડતી વ્યક્તિઓની એવી સખત માન્યતા હતી કે ખંડિત મૂર્તિ ન પૂજાય. એમાંય આ તો મૂળનાયકની વાત હતી, એટલે આ પ્રશ્ન હવે વધુ ઘોળાતો હતો. યાત્રિકોનો ધસારો પણ આ બનાવ પછી વધતો જ જતો હતો. નવા યાત્રિકોને આ વિષયમાં સંતોષજનક જવાબ શું આપવો, એ પણ સંઘ માટે પ્રશ્ન થઈ ચૂકયો હતો. પ્રશ્નનો જવાબ જેમ બને તેમ જલદી લાવવા સંઘના આગેવાનો સજાગ હતા. અને અંતે પ્રશ્નનો ઉકેલ આવી ગયો. સંઘમાં નિર્ણય લેવાયો કે ખંડિત મૂર્તિને બીજે સ્થાપિત કરવી અને એ સ્થળે એવી જ બીજી ભગવાન આદિનાથની મૂર્તિ પધરાવવી. પણ આબેહૂબ એવી જ મૂર્તિ મેળવવી એ પણ કામ તો કઠણ જ હતું. પણ જ્યાં ભક્તિ, ભાવના અને ભક્તોનો ત્રિભેટો જામ્યો હોય, ત્યાં ભાગ્યે જ ભગવાન સંબંધી કોઈ કામ અટકી પડે. મહાજનની વચ્ચે ઊભા થઈ એક વ્યક્તિએ ભગવાન આદિનાથની મૂર્તિની ખોજ માટેનું બીડું ઝડપ્યું. સંઘ તરફથી એ વ્યક્તિને સાભાર રજા મળી. એ વ્યકિત કોણ હતી ? ઘણાને મન એ એક પ્રશ્ન હતો. એ સુરતની એક ખ્યાતનામ વ્યક્તિ હતી. સુરત આખું જેને સંઘવી તારાચંદના નામથી ઓળખતું હતું. નવા ભગવાન પધરાવવાનો નિર્ણય પાલિતાણામાં ફરી વળ્યો. સંઘવીએ સંઘના આશીપાંદ લઇ સુરત ભણી કદમ બઢાવ્યાં, ને નૂતન બિમ્બની શોધ શરૂ કરી. આ તો ખોજનું કામ હતું. ખૂંધા વગર ખોજ થાય નહિ. સંઘવી તારાચંદે જમીન ખૂંદવા Page #254 -------------------------------------------------------------------------- ________________ 238 તપાગચ્છાધિષ્ઠાયક માંડી. આ કંઈ એક પ્રતિમાની વાત ન હતી.; મૂળનાયકની આજુબાજુના કાઉસગિયા ભગવાનની પણ શોધ કરવાની હતી. ચરણપાદુકા પણ મેળવવાની હતી. સંઘવી તારાચંદમાં ઉત્સાહ, ઉમંગ ને ઉછરંગનો ત્રિવેણીસંગમ હતો. હાથમાં લીધેલું કામ પૂરું કરવા પૂરતું એનામાં સાહસ ઝળકતું હતું. તેઓ રાતદિવસ આ જ કામની પાછળ પડ્યા હતા. એમાં એક દી તેમના અંતરની ભાવના ફળી. બરાબર ભગવાન આદિનાથ જેવી જ બીજા મૂળનાયક કહી શકાય એવી પ્રતિમા મળી ગઈ. સંઘવીએ મૂળનાયક મળ્યાનો સંદેશો પાલિતાણા પહોંચતો કર્યો અને સાથે જણાવ્યું કે બીજી પ્રતિમાઓ માટે શોધ ચાલુ છે. મધ્યેથી તરત જ સમાચાર આપીશ. પાલિતાણામાં જ્યારે આ શુભ સમાચાર પહોંચ્યા, ત્યારે સહુના આનંદનો પાર ન રહ્યો. એમાં થોડા જ દિવસોમાં બીજો સંદેશો આવ્યો. બધાંય પ્રતિમા તથા પાદુકા મળી ગયેલ છે, ને હું અમુક દિવસે સુરતથી નીકળી પાલિતાણા આવીશ. પાલિતાણામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. સહુ રાહ જોતા હતા એ દિવસની, એ પ્રતિમાના દર્શનની....! નિયત દિવસ આવી ગયો. પાલિતાણાની ભૂમિ પર જનતા માતી નહતી. આખું પાલિતાણા આજે સ્ટેશને ઊમટી પડ્યું હતું, સંઘવીની રાહ જોવાઈ રહી હતી. ત્યાં જ સુરતથી સંઘવી પ્રતિમા લઈને આવી પહોંચ્યા. ભગવાન આદિનાથના બિંબ પર ઢાંકેલું રેશમી વસ્ત્ર ઊઘડ્યું ને લોકોની આંખ નાચી ઊઠી. ભગવાન આદિનાથનું બિંબ કેવું અલૌકિક! જાણે સાક્ષાત દાદા આદિનાથ જોઈ લો! એક મૂળનાયકનું બિંબ હતું એક શાન્તિનાથનું બિંબ હતું. આજુબાજુનાં નાનામોટા કાઉસગિયા હતા. ભગવાનની ચરણપાદુકા હતી. વળી દેવી ચકેશ્વરી તથા યક્ષનાં પણ નૂતન બિંબ સંઘવી સુરતથી લાવ્યા હતા. પ્રત્યેક પ્રતિમાઓ અભુત હતી. પાલિતાણાનો વિરાટ જનસમૂહ આજે નૂતન બિંબોનું સ્વાગત કરવા આવી પહોંચ્યો હતો. ધામધૂમ સાથે પ્રતિમાઓનો નગરપ્રવેશ થયો. પાલિતાણા શહેરમાં પ્રતિમાઓ પધરાવવામાં આવી. - હવે તો એ શુભ દિવસની રાહ જોવાઈ રહી હતી.....જે શુભ દિવસે નૂતન બિંબોને ગિરિરાજ ઉપર લઈ જવાય. પાલિતાણા તથા આજુબાજુના ગામેગામમાં સમાચાર પહોંચી ગયા, કે શત્રુંજય માટે નવા આદીશ્વર ભગવાન આવ્યા. ઉત્થાપન માટેના શુભ દિવસનો નિર્ણય કરવા બે માણસોને રવાના કરવામાં આવ્યા હતા. શુભ દિવસ પણ નજીકનો જ નક્કી કરવામાં આવ્યો હતો. ઉત્થાપનના દિવસની શહેર આખામાં જાહેરાત થઈ હતી, ને ઉત્થાપનનો એ દિવસ આવી લાગ્યો. પાલિતાણા સંઘનો દરેક Page #255 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 239 આગેવાન હાજર થઈ ગયો. શિલ્પીઓ પોતાનાં સાધન લઈ આવી ગયા, ને થાળી વાગતાં ઉત્થાપનની ક્રિયાની શરૂઆત થઈ... પ્રભુ આદિનાથના ઢીંચણ બાજુનો ભાગ ખોદીને કોશને ઢીંચણ નીચે ભરાવવા શિલ્પીએ પ્રયત્ન કર્યો, પણ જ્યાં કોશ નીચે ગઈ કે તરત જ કીડીઓના પોપડે પોપડાવાળો જાડો થર દોડતો નીકળવા માંડ્યો. શિલ્પીએ એ ઢીંચણ તરફ કામ પડતું મૂકી બીજા ઢીંચણ તરફ કામ શરૂ કર્યું. શિલ્પીએ બીજા ઢીંચણ તરફ ખોદીને ત્યાં કોશ ભરાવી પ્રતિમાને ઉત્થાપવા પ્રયત્ન કર્યો, પણ હજી તો કોશ નીચે નહિ ગઈ હોય, ત્યાં જ નીચેથી મકોડાનો ઊડતો સમૂહ નીકળ્યો ! શિલ્પી તરત જ ગભરાઈને મૂળ ગભારાની બહાર નીકળી ગયો. એની ગભરામણનો પાર ન રહ્યો. એણે બહાર આવી સૌને જાણ કરી ને નિર્ણય લેવાયો કે બીજે દિવસે બળથી નહિ પણ કળથી કામ લઈ પ્રતિમાનું ઉત્થાપન કરવું. બીજો દિવસ આવી લાગ્યો. શિલ્પી આજે અંદર જતાં જ ગભરાતો હતો, છતાં સહુના આગ્રહથી એ અંદર ગયો. આજે તો સંઘના આગેવાનો પણ અંદર હાજર રહ્યા હતા. શિલ્પીએ કળથી ધીરે ધીરે કામ લેવા માંડ્યું ત્યાં તો ભીંતમાંથી નિષેધાત્મક માકારો થયો. તેમ છતાં શિલ્પીએ આગેવાનોની હિંમતને આધારે કામ ચાલુ રાખ્યું. હજી તો કામ થોડુંક થયું નહિ ત્યાં ભીંતમાંથી નિષેધાત્મક બીજો જોરદાર 'મા'કારો થયો. આ અવાજ ભીષ્મ હતો. ભીંતોને ફાડી દે એવો અવાજ હતો. સહુ ગભરાઈ ગયા ને તરત જ ગભારાની બહાર નીકળી ગયા. બહાર તો નીકળ્યા પણ હજી એમના કાનોમાં પેલો ભીષણ અવાજ ગુંજતો હતો. એમને એ અવાજમાં ભાવિની ભયંકરતાની આગાહી જણાતી હતી. કોઈ રસ્તો હવે એમની આંખ સામે રહ્યો ન હતો. આશાભર્યા હૈયે ગિરિરાજ ઉપર ચઢેલા બધા નિરાશ હૈયે નીચે ઊતર્યા ને નિરાશામાં ને નિરાશામાં સહુ પોઢી ગયા. સહુની હૃદયથી એ ઝંખના હતી, પ્રભુ હવે કંઈક માર્ગ બતાવે. અને સાચે જ મધરાત થઈ ન થઈ, ત્યાં તો આધિષ્ઠાયકે સ્વપ્ન દ્વારા શેઠને કહ્યું શેઠ જરાય ગભરાવાની જરૂર નથી. તમે કોઈ કંઈ જહેમત ઉઠાવશો નહીં. સહુ કોઈ નિશ્ચિત બની જાઓ. ઉદ્ધારનું બિંબ ઉદ્ધારક વિના નહિ ઊઠે. ભગવાનને ઉત્થાપવાની જરીયે જરૂર નથી. ભગવાનની નાસિકા ખંડિત થઈ ગઈ છે તો હવે નાસિકાના ટેરવાને સોના કે રૂપાથી અલંકૃત કરી, તે ભાગને નાસિકા રૂપે બનાવવા મોતીનો લેપ કરો." આ હતું શેઠનું સ્વપ્ન. આવું જ સ્વપ્ન મંદિરના પૂજારીને આપીને અધિષ્ઠાયક ચાલ્યા ગયા. Page #256 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક સવારના આ વાત જ્યારે સહુએ જાણી ત્યારે સંઘમાં આનંદનો પાર ન રહ્યો. સંઘે મૂળ નાયકની સામે સ્નાત્ર ભણાવી, વિધિવિધાન સહિત શિલ્પી પાસે નાસિકાને સોનાથી અલંકૃત કરાવી, ઉપર મોતીનો લેપ કરાવી દીધો. મૂળનાયક દાદા આદિનાથ પાછા હતા એવા શોભવા લાગ્યા. શત્રુંજયના શણગાર સમી એ ભગવાન આદિનાથની અખંડ મૂર્તિને જ્યારે સંઘે નિહાળી ત્યારે સહુનાં રોમાંચ ખડાં થઈ ગયાં. સહુના મોઢામાંથી એક જ અવાજ નીકળતો હતો, દાદા આદિનાથ ન ઊઠયા તે ન જ ઊઠયા ! હવે પ્રશ્ન રહ્યો નવા આદિનાથનો ! એને કયાં પધરાવવા ? ફરી પાલિતાણાનો સંઘ એકત્ર થયો. અંતે સંઘે નિર્ણય લીધો, ને વસ્તુપાલ તેજપાળના મંદિરની નાની નાની પ્રતિમાઓને બીજે પધરાવી ત્યાં નવું પલાસણ બનાવી, નવા આદિનાથની સ્થાપના કરી. હવે સવાલ હતો કાઉસગ્ગયાનો. ગભારો નાનો હતો ને કાઉસગ્ગયા મોટા હતા. 240 અંતે એને માટે નવો નિર્ણય લેવાયો. દાદા આદિનાથની આજુબાજુ ન સ્થાપતાં એ બન્ને કાઉસગ્ગિયાને બહાર બારણા પાસે સ્થાપ્યા. હવે રહ્યા શાંતિનાથ. રંગમંડપની એક સુંદર પીઠિકા પર ભગવાન શાંતિનાથની સ્થાપના થઈ. તેની સામે જ પીઠિકા પર ચરણપાદુકાની સ્થાપના થઈ. દેવી ચક્રેશ્વરી તથા યક્ષની પણ યોગ્ય દેવકુલિકામાં સ્થાપના કરી. " આજે પણ ગિરિરાજ શત્રુંજય પર એ નવા આદિનાથને સહુ " નવા આદિનાથ"ના નામથી ઓળખે છે. ગિરિરાજ શત્રુંજય આજે પણ વિઘ્નોના વાવંટોળ વચ્ચે પોતાની અડગતા પર મુસ્તાક રહી એમ ને એમ ઊભો છે. સં ૧૯૭૮ ને ૧૯૮૫માં ફરી એની પર વિદ્યુત્પાત થયો પણ એ ન ડગ્યો ! ઓ મારા અડગ ગિરિશૃંગાર ! તારી તો વાત જ થાય એમ નથી. તારી પાછળ ઇતિહાસના ઇતિહાસ લખાઈ જાય તો પણ ઇતિહારા તો અધૂરો જ રહી જાય. ઓ ગિરિરાજ ! તેં તો તારા પથ્થરે પથ્થર પૂજનિક બનાવી દીધા છે. એકેક પથ્થર તારા અનંતા સિદ્ધોની સાખ પૂરે છે. તારા એક એક ગિરિશિખર, તારી એકેક ગિરિકંદરા ને એકેક ગિરિગુફ્તમાં હીરા, માણેક ને મોતીના કંઈક અણદીઠા ઢગ ખડકાયા છે, પણ કોણ ઢંઢોળે એને ? ઓ ગિરિવિહાર ! તારા પથ્થરે પથ્થર અમારા માટે પૂજનિક હો ! તારા કુંડૈકુંડ અમારા માટે પવિત્રતાનાં પરમ ધામ છે. રે ! શું કહું ? તું આખો અમારા માથાનો મુગટ છે ! હૈયાનો હાર છે ! જીવનનો શણગાર છે ! ઓ મારા ગરવા ગિરિરાજ ! આજ પણ તું ઊભો ઊભો હાકલ દઈ રહ્યો છે સિદ્ધિની ! તું પ્રશ્ન ના કરતો કે મારી એ હાકલ કોણ સુણશે ? તારી એ હાકલે આજ સુધી અનંતાને સિદ્ધિનો ભેટો કરાવ્યો છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અને આજે પણ તારી એ હાકલ, જ્યારે સુણશે કોક માનવી, ત્યારે એ સૂતો હશે તો જાગી જશે, જાગ્યો હશે તો બેઠો થઈ જશે, ને બેઠો હશે તો ઊભો થઈ, સંસારની કાંચળી ઉતારી એ ચાલ્યો આવશે તારા ચરણે ! તારી પવિત્ર રજને માથે ચઢાવી તારા જ કો'ક પથ્થર પર પલાંઠી લગાવી સ્વપ્ન સેવી એ સિદ્ધિની ધૂન જગાવશે, ને સિદ્ધિનો એ સાધક સિદ્ધ બની વિશ્વ પર તેજનો લિસોટો મૂકી ચાલ્યો જશે. ઓ મારા તરણતારણ તિર્થાધિરાજ ! શું યાચું તારી પાસે, સિવાય એક તારો સહારો ? જે સહારે સંસારના સહારાને હું પાર કરી શકું ! ઓ પવિત્રતાના પ્રાણાધિરાજ ! તું જ મારા માટે મંત્રાધિરાજ ને યન્ત્રાધિરાજ છે. તારા મળ્યાથી મને બધું જ મળ્યું છે, છતાં આ અંતર પ્રાર્થવા ઝંખે છે. શું પ્રાથું તારી પાસે, સિવાય એક પવિત્રતાની પ્રેમાળ જ્યોત, જે આજે જીવનમાં, કોઈપણ સંયોગોમાં અપાવિત્ર્યના અંધાર ઉલેચી શકે. ઓ અનંતનાં તેજ વેરતા વહાલા ગિરિવર ! હું શું અર્ધું તને, જ્યાં બધું તારું છે ? હું પોતે પણ તારો છું, ત્યાં શું આપી શકું? સિવાય અંતરના અનંત વંદન ! જે મારા અનંતનો અંત આણી, સંત બનાવી, સંતમાંથી મહંત બનાવી, ને મહંતમાંથી એક દી મને અરિહંત બનાવી દે ! 241 તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ પ્રાર્થનાષ્ટક −૧ તીર્થો જગતમાં કૈક છે તીર્થો તણો તોટો તથી, શાશ્વતગિરિ શ્રી સિદ્ધગિરિ છે, કયાંય તસ જોટો નથી ક્રોડો મુનિ મોક્ષે ગયા લઈ શરણ આ ગિરિરાજનું ધરું ધ્યાન ગરિશણગાર જગદાધાર આદિજિણંદ હૈ ! શ્રી સિદ્ધગિ—િશાશ્વતગિર વળી પુંડરીકગર નામ છે. પુષ્પદંતગિરિ ને વિમલલિઝિર વળી સુરિગિર જસ નામ છે ગિરિરાજ શત્રુંજય સહિત જસ એક શત અષ્ટ નામ છે ધરું ધ્યાન ગિરિશણગાર જુદાધાર આદિજિણંદ હૈ ! સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોય મુજને તરી જવાની આશ છે, મેં સાંભળ્યું છે તીર્થ આ ભવજલધિ માંહી જહાજ છે, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિજિણંદ હું ત્રણ ભુવનના શણગાર એવા, વિમલગિરિવર ઉપરે, -૨ -૩ ત્રણ હઁગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિરે અદ્ભુત જ્યોતિ ઝળહળે, જે જોઈ દેવો પણ ઠરે, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિજિણંદ હે ! -૪ શ્રી વિમલગિરિ તીર્થેશ આદિનાથનું ધરે ધ્યાન જ્, ષટ્ મહિના લાગલગાટ પામે દિવ્ય તેજ પ્રકાશ તે; ચક્રેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિજિણંદ હે ! -૫ ભક્તો તણી ભીડમાં પ્રભુ મુજને ન તું ભૂલી જતો, દૂર દૂરથી તુજને નિરખવા આશ લઈ હું આવતો; ક્ષણવાર પણ તુજ મુખના દર્શન થતાં હું નાચતો, ધરું ધ્યાન ગિરિંશણગાર જગદાધાર દિજિણંદ હે ! હે નાથ ! તારું મુખડું જોવા નયન મારાં ઉલ્લસે, -C Page #258 -------------------------------------------------------------------------- ________________ 24, તપાગચ્છાધિષ્ઠાયક હે નાથ ! તારાં વયણ સુણવા શ્રવણ મારા ઉલસે; હે નાથ તુજને ભેટી પડેવા, અંગ અંગ સમુલસે, ધરું ધ્યાનૈ ગિરિશણગાર જગદાધાર આદિજણંદ હે! -૭ કલિકાળમાં અદ્દભુત જોઈ દિવ્ય તુજ પ્રભાવને, ભગવાન માંગું એટૅલ, ભવોભવ મેળો ભક્તિ મને તુજ ભક્તિથી મુક્તિકિરણ ની જ્યોત જાગો અંતરે, ધરું ધ્યાન ગિરિશણગાર જગદાધાર આદિનિણંદ હે! તીર્થપતિ શ્રી આદિનાથ પરમાત્મા પ્રાર્થનાષ્ટક જેને નમે ભક્તો સદા નિજ હૃદયભાવો જોડીને જેને નમે ઇન્દ્રો નરેન્દ્રો હાથ જોડી જોડીને મુજ હૃદયના છો નાથ ! આદિનાથ હું તમને સ્તવું કરું નમન આદિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું, જગનાથ જગદાધાર આદિનાથ તું ત્રિભુવન ધણી તુજ દ્વાર આવી હું ઊભો વેદના મુજ મન તણી કરુણા કરી સુણજો હવે જરી નજરે કરજો મુજ ભણી કરે નમન દિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું, સંસાર ઘોર અપાર છે પ્રભુ! આપ મુજને ઉદ્ધરી ઉજ્વલ કરી મુજ આત્મઘરને, આપે તેહમાં ઊતરો પાપી અધમ અજ્ઞાન મુજને, આપ પ્રભુ પાવન કરો. કરું નમન આદિજિન ચૂરણમાં પ્રાર્થના પ્રેમ કરું. મુજ આત્મઘર સૂનકાર ભાસે, આપના દર્શન વિના દર્શન થતાં જિનવર તમારું, થાય મુજ નયણાં ભીનાં મુજ ભૂલ બધી ભૂલી જજો, રહી ના શકું હું તમ વિના, કરું નમન આદિર્જિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું, પછંદ તારા દેહની જ્યારે કરું હું કલ્પના નહિ કોઈ સાથે કરી શકું ત્યારે પ્રભો તુજ તુલના ઊંચા હિમાલય આગળે હું કીડી જેવો દીસતો કરું નમન આદિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું. ત્રણ ભુવનમાં પ્રભુ તુજ સમો નહિ દેવ દૂજો દીસતો ઉદ્ધાર નહિ મુજ તુજ વિના, તું એક વિસવવીસ તો પાપી અધમ અજ્ઞાન છું માગું છતાં આશિષ તો કરું નમન આદિજિન ચૂરણમાં પ્રાર્થના પ્રેમ કરું. શરેણું ગ્રહ્યું જેણે જીવનમાં આપનું સદ્ભાવથી ભવજલ તેરી પહોંચી ગયા મોક્ષે બહુ સહેલાઈથી; લેવા શરણ આવ્યો ચરણમાં, શરણ દેજો જલ્દીથી કરું નમન આદિજિન ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું. મેં મારી વાત તને કહેવાય એવી જ હતી, બાકી બધું તું જાણતો, છાનું કશું તુજથી નથી; માગું છું મેક્તિ તણું કિરણે આપો એ મુજ પાસે નથી કરું નમન આદિજિને ચરણમાં પ્રાર્થના પ્રેમ કરું. Page #259 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 243 'તારક તીર્થાધિરાજ શ્રી શત્રજય ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજ - તીર્થાધિરાજ શત્રુંજય એટલે બાહ્ય અને અત્યંતર શત્રુઓ ઉપર જય મેળવવા સિદ્ધ-પ્રસિદ્ધ ધામ; કદાચ તેથી પણ સિદ્ધગિરિ તરીકે વિખ્યાત આ તીર્થ સ્વયં સ્થાવર છે. અને વિશેષ તો અનેક જંગમ તીર્થોને તારનાર પણ છે. શેઠ માણેકશાહે આ જ તીર્થાધિરાજનું માહાભ્ય પોતાના ગુરુમુખે ભાવ અને શ્રદ્ધાથી સાંભળ્યું અને તેમની તીર્થના દર્શન-સ્પર્શનની તાલાવેલી એવી અગાધ, અડગ બની ગઈ કે તેઓ ભવિતવ્યતાના યોગે તીર્થ સુધી પહોંચવામાં અસફળ રહ્યા. પણ ફક્ત સ્મરણ સાથેનું એમનું મરણ મહામહોત્સવ સ્વરૂપ બની ગયું. જિનશાસનના જગતમાં જગજાહેર શત્રુંજય દર્શન–સ્મરણ-સ્પર્શનનો પણ કેવો કેવો અદ્ભુત અને રોમાંચક પ્રભાવ છે કે કોઈક ભવ્યાત્માઓને તે જ તીર્થે દેવાધિદેવનું બિરુદ અપાવ્યું; જ્યારે ભવિતવ્યતાયોગે કોઈક પુણ્યશાળી અને ભાગ્યશાળી માણેકશાહ મટી દેવેન્દ્ર બન્યા. આ લેખના લેખક મુનિવરશ્રીને પણ શત્રુંજયતીર્થનું સતત સ્મરણ હોવાને કારણે સંસારી અવસ્થામાં અનેક તાણાવાણામાં પસાર થવા છતાં સુમધુર રીતે વહ્યા કર્યું. વિ. સં. ૨૦૩૮, ઉ.વ. ર૬ પોતાની ઑફિસમાં થયેલ ગુંડાઓનો છરી-ચાકુ અને જલદ દ્રવ્યો સાથેનો હુમલો, મુખમાં ને મનમાં નવકારના કારણે થયેલો આબાદ બચાવ. વિ.સં. ૨૦૪૪, ઉ.વ. ૩ર, જેસલમેરથી નાકોડા તરફની તીર્થયાત્રા દરમ્યાન યાત્રાબસને નડેલ અકસ્માત જેમાં નવ જણનાં આકસ્મિક મરણ પણ નવકારને કારણે અભુત બચાવ વિ.સં. ૨૦૪૫ ઉ.વ. ૩૩. ગૌહાટીથી કલકત્તા જતાં વિમાનમાં સફર દરમ્યાન નડેલ ગોઝારો અકસ્માત પણ નવકારના સતત સ્મરણને કારણે ચમત્કારથી બચાવ. વિ. સં. ૧૫ર ના વરસમાં જન્મેલા પુણ્યશાળી માણેકશાહના જીવનમાં જે ચમત્કાર અનુભવાયો તેવી જ આ કથા-વાર્તા સૌના મન-માનસમાં શત્રુંજય અને મહામંત્રની શ્રદ્ધા વધુ ને વધુ દઢ બની રહેશે તો કોઈ મંગલ ચીજ જરૂર પ્રાપ્ત થશે જ. – સંપાદક Page #260 -------------------------------------------------------------------------- ________________ 244 તપાગચ્છાધિષ્ઠાયક પરમાત્મા મહાવીરની શાસનધુરાને સફળતાથી વહન કરનારા અને આજલગી શાસન-શૃંખલાની કડી બની જિનશાસનને જયવંતું રાખવામાં અનેક આચાર્યોએ અપૂર્વ યોગદાન આપી શ્રીસંઘનું યોગક્ષેમ કર્યું છે. પંચાવનમી પાટે તપાગચ્છાધિપતિ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. થયા, જેઓ આચાર્યપ્રવર આનંદવિમલસૂરીજી આદિ શિષ્યોના ગુરુ હતા. વિચરતા વિચરતા તેઓશ્રી ઉજ્જૈન પધાર્યા હતા. આ ઉજ્જૈન નગરીમાં મૂર્તિપૂજક પરમાત્માભક્તિપ્રેમી માણેકશાહ નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેમનાં પત્નીનું નામ આનંદરતિ જે સ્વયં ધર્માત્મા હતી. ધારાનગરીના કરોડપતિ શેઠ ભીમરાજની કુલદીપિકા ઓસવાળ વંશ અને તપાગચ્છીય સમાચારીની પાલિકા પ્રેમાળ પત્નીની પ્રાપ્તિ પુણ્યોદયે થયા પછી શેઠ ધનવાન સાથે ધર્મવાન પણ વિશેષરૂપે બની ગયા, ને નિત્ય પ્રભુપૂજા કરી શ્રાવકધર્મનું અનુપાલન પણ સરસ રીતે કરતા હતા. પણ ઉજ્જૈનમાં એક દિવસ લોકાશાહના યતિઓ તેમના ગુરુ સાથે આવ્યા અને તેઓનાં પ્રવચનો સાંભળવા સૌ જોડાયા. તે સાધુઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. ઉપરાંત પૂજાની પ્રક્રિયાને પાપરૂપે પ્રકાશિત કરી પ્રખર પ્રવચનો દ્વારા પોતાના મતનું પ્રવર્તન કરાવવામાં તેમ જ સૌનું મન પરિવર્તન કરવા-કરાવવામાં પાવરધા હતા. સબળાત્મા માણેકશાહ પણ તેઓના વાણીવિલાસમાં લેવાઈ ગયા અને જિનપૂજા કરતા બંધ થયા. એટલું જ નહિ પણ તે યતિઓની યુક્તિઓના પ્રભાવે-પ્રતાપે સાધુઓ સમક્ષ વ્રત લીધું કે હવે પછી પ્રતિમાનું પૂજન તો દૂર, દર્શન પણ ન કરવું. લોંકાચાર્ય પદ્મનાભસૂરિનો પ્રતિમા–વિરોધી મત સારો પ્રચાર પામ્યો. આ ઘટનાની જાણ થતાં જ માણેકશાહની માતા જિનપ્રિયાનો જીવ અધ્ધર થઈ ગયો. તેણીએ પુત્રને ધર્મવિમુખ થયેલ જાણી પુત્રવધૂને જણાવી, પુત્રને પૂર્વની જેમ પ્રભુપૂજા સન્મુખ કરવા વિવિધ ઉપાયો કર્યા, ચર્ચાઓ કરી, વાદ કર્યા પણ માણેકશાહનું મન ન જ ફર્યું અને વિવાદ વધવા લાગ્યો, જેથી પોતે જ પુત્રના હિતની કામના સાથે ઘી–વિગઈનો ત્યાગ કરી દીધો. તેની પાછળ આનંદરતિએ પણ ધર્મરક્ષાને પ્રધાનતા પ્રદાન કરવા પતિની મતિ પલટાવવા ઘીનો મૂળથી ત્યાગ સ્વીકારી લીધો. ઘરમાં પિતાનું શિરછત્ર હતું નહિ, કારણ કે તેઓ પરલોકવાસી થઈ ગયા હતા. તેથી પરિમિત પરિવારનાં માતા ને ભાર્યા–બેઉને ઘી વગરનો લુખ્ખો આહાર આરોગતાં જોઈ માણેકશાહનું મન મૂંઝાવા લાગ્યું, મૂરઝાવા લાગ્યું, પણ જેમ તન દેઢ હતું તેમ કુદરતે મન પણ દઢ બનાવ્યું હતું, તેથી પ્રભુપૂજા બંધ કરવા નિયમભંગ કરવા એ માનતું ન થયું. હઠાગ્રહી બનેલા શેઠ સમજતા થઈ ગયા હતા કે ઘરની બે નારીઓની ત્યાગ–પ્રતિજ્ઞાનું સૂક્ષ્મ બળ પોતાના કદાગ્રહ સામે કુઠારાઘાત કરવા કામયાબ બને તેવું સબળ છે. છતાંય મન અને મામલો વટે ચડી ગયો હતો તેથી તેમણે કે માતા-ભાર્યા બેઉએ પોતપોતાના પ્રણને અણનમ રાખ્યાં અને તેવા છૂપા સંઘર્ષમાં છ મહિના જેવો સમય સરસરી ગયો. તે દરમ્યાન લોકશાહના યતિઓએ વિદાય લઈ લીધી હતી. Page #261 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જોગાનુજોગે આ. શ્રી હેમવિમલસૂરિજી સપરિવાર પ્રથમ કહ્યું તેમ ઉજ્જૈન પધાર્યા. સૂરિજી પોતાના તપ—ત્યાગ—તિતિક્ષા, સમતા-સાધના—સૌજન્યતા તથા આચાર-વિચાર–પ્રચારની ઐકયતા માટે ખ્યાતનામ હતા. તેઓશ્રીના દર્શન-વંદનાર્થે સૌ સજ્જન–સન્નારીઓ સોલ્લાસ ઉપાશ્રયે જવા લાગ્યાં. " સાધૂનાં વર્ણન પુછ્યું, તીર્થભૂતા હિ સાધવ: '' માણેકશાહે પણ લોકપ્રવાહ તથા વાહવાહની વાતો સાંભળી. તેમનું મન માનતું ન હતું પણ માતા—ભાર્યા બેઉનો ત્યાગ તેઓને નમાવવા લાગ્યો હતો. તેથી તેમણે મનોમન નિર્ણય કર્યો કે આવેલ સાધુઓમાં જો ખરી સાધુતા હોય તો તેઓના ચારિત્રની ચકાસણી ઘોર અંધારી રાત્રે જ કરવી. 245 '' આવો ગુપ્ત નિર્ણય કરી કોઈપણ જાતની પૂર્વમાહિતી આપ્યા વગર જ માણેકશાહ મિત્રો સાથે કંઈક ચડેલી અંધારી રાતના જ અચાનક ઉપાશ્રય આવી પહોંચ્યા અને અંધારામાં જ સૌ સાધુઓના દર્શન કરવાના કુતૂહલથી હાથમાં જલતી મશાલ લીધી. અંદાજ હતો કે રાત છે માટે સાધુઓ સૂતા હશે કે સૂવાની તૈયારીમાં હશે; પણ ધારણાની ધૂળધાણી થઈ, કારણ કે આચાર્ય મહારાજ સહ સૌ સાધુઓ સાધના–ધ્યાન–જપ–વૈયાવચ્ચ વગેરે અનુષ્ઠાનોને આદરપૂર્વક આરાધતા જાગૃતાવસ્થામાં હતા. મશાલના પ્રકાશમાં આવું અનેરું દશ્ય દેખી માણેકશાહના મનમાં પણ ધર્મનો પ્રકાશ વ્યાપવા લાગ્યો, છતાંય સાધુઓની સાધુતા-સમતાને પરીક્ષાએ ચડાવવાનો નિર્ણય કરી તેઓ એક પછી એક સાધુઓની સમક્ષ બળબળતી મશાલ લઈ તેમના મુખના દર્શન કરવા લાગ્યા. છતાંય સૌ સાધુઓની સમતામાં લગીર સ્ખલના ન થઈ દેખી તેમણે પરીક્ષાને વધુ કડક કરી નાખી અને એક મહાત્માની દાઢી મશાલથી બાળી નાખી. મુનિવર મૌન ધ્યાનમાં મગ્ન હતા તેથી દાઢી દાઝવા છતાંય સમત્વભાવે સહી લીધું. પરીક્ષાના અતિરેકથી આશાતના કરી શેઠ પાછા ઘરે વળ્યા પણ ઊંઘ ન આવી. મનમાં પશ્ચાત્તાપનો ભાવ ઊભરાણો અને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તેઓ પડખાં ઘસવા લાગ્યા. રાત વીતી, પ્રભાત થયું ત્યારે પત્ની કે માતાને જણાવ્યા વગર જ સંકલ્પ કર્યો કે આજે આચાર્યશ્રીને ઘેર આમંત્રિત કરી પ્રથમ તો પ્રાયશ્ચિત્ત લેવું. પછી પ્રતિમાપૂજા વિષે વિવિધ પ્રશ્નો કરી સત્ય જાણવું અને સત્યને સ્વીકારી અસત્ય પક્ષનો ત્યાગ કરવો. શેઠ શણગાર સાથે શોભવા લાગ્યા અને મુખ ઉપર મલકાટ પણ હતો, તેથી માતાએ ઘણા દિવસ પછીના પુત્રના મુખાનંદનું કારણ જાણવા ઇચ્છા દર્શાવી, ત્યારે માણેકશાહે પોતાનો શુભ સંકલ્પ જણાવ્યો. જિનપ્રિયા તથા આનંદરતિના આનંદનો પાર ન રહ્યો. તેઓ પણ વાજતેગાજતે ગામના ઉદ્યાને પહોંચ્યાં. સાથે અનેક સાથીઓ–સ્વજનો હતાં. ઘેર પધારી ધર્મદાન કરવા શેઠે ભાવસભર વિનંતી કરી. ગુરુવરે પણ લાભાનુલાભનું કારણ દેખીપેખી સ્વીકૃતિ આપી. સકળ શ્રીસંઘ માણેકશાહની હવેલીએ આવ્યો. સભા સમક્ષ સરળદિલ શેઠે સૌ પ્રથમ રાત્રે કરેલી આશાતનાની ઘટના અભિવ્યક્ત કરી, સ્વયં પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ તેમની સરળતા–સચ્ચાઈ અને સમર્પણ નીરખી Page #262 -------------------------------------------------------------------------- ________________ 246 તપાગચ્છાધિષ્ઠાયક જ્ઞાનબળે માણેકશાહની ઉત્તમતાનો તાગ મેળવી લીધો અને મનોમન તેમને યોગ્ય પ્રાયશ્ચિત પ્રદાન કર્યું. પ્રવચનની પ્રવાહધારા ચાલી. તે વખતે જ શેઠે મૂર્તિપૂજાના પક્ષ-પ્રતિપક્ષ વિષે વિવિધ પ્રશ્નો કર્યા. દરેક જિજ્ઞાસાઓનું સુખદ સમાધાન સમર્પ પૂજ્યશ્રીએ માણેકશાહની મનોગ્રંથિ ભેદી નાખી અને પ્રતિમાપૂજનની પ્રાચીનતા સિદ્ધ થતાં જ શેઠે પણ કદાગ્રહ છોડી પૂર્વવત્ પ્રભુપૂજાને પ્રેમે સ્વીકારી. માતાએ પણ મોહપૂર્વક પુત્ર તથા પુત્રવધૂ સાથે ઘીની વાનગીઓ બનાવી વાપરી. મહાસુદ પાંચમ (વસંત પંચમી)ના શુભ દિવસે પૂ. આચાર્ય ભગવંતના શ્રીમુખે માણેકશાહે બાર વ્રત અંગીકાર કર્યો ને મિથ્યાત્વનું મારણ કરી શ્રદ્ધાથી સ્થિર થઈ ગયા. ઉજ્જૈનમાં જૈન ધર્મની સુંદર પ્રભાવના કરી સૂરિજીએ પ્રયાણ કર્યું. કાળક્રમે પૂ. આચાર્ય ભગવંત સસમુદાય વિહાર કરી આગ્રા શહેર પધાર્યા જ્યાં ધનવાન અને ધર્મવાન માણેકશાહ પણ વ્યવસાયાર્થે આવ્યા હતા. પોતાના ઉપકારી ગુરુમહારાજનું આગામી ચાતુર્માસ અહીં આગ્રામાં જ છે તેવી જાણ થતાં જ ત્વરિત પગલે ઉપાશ્રયે આવ્યા ને વિધિવત્ વંદનાદિ ક્રિયા સમાપ્ત કરી ગુરુદેવના ચરણમાં મસ્તકને અને મનને શરણ કરી દેવા સંકલ્પ કર્યો. ધનનો ધંધો મુનીમો–માણસોને ભળાવી ધર્મનો વેપાર કરી આત્મકમાણી કરી લેવા ગુરુદેવની નિશ્રામાં જ આગ્રા રહેવાની ભાવના અભિવ્યક્ત કરી તેઓ નિઃસંગી બની ગયા. આચાર્યશ્રીએ તેમની શુભેચ્છાને સપ્રેમ વધાવી. જ્ઞાનબળે શ્રેષ્ઠીને અલ્પભવી જાણી જે પ્રતિમાની પૂજાથી તેઓ વિમુખ બનેલા અને તે પછી મન-વચન અને કાયાની સુદેવ-સુગુરુ ને સુધર્મની જે આશાતનાઓ કરેલી તેના સંસ્કારોનો સફાયો કરી દેવાયુક્તિપૂર્વક ચાતુર્માસમાં શત્રુંજય માહાભ્ય ગ્રંથનું વાંચન પ્રારંવ્યું. મૂર્તિપૂજાના વિરોધીઓ માટે આ પ્રવચન પ્રખર પુરવાર થાય તેવું હતું – કારણ કે શત્રુંજય ગૌરવગાથા એટલે મંગલ મૂર્તિઓના મહામાંગલિક મેળાની ઐતિહાસિક કહાણી. સીમા વિનાનાં પ્રતિમાઓની સંખ્યા, તેના સંસ્થાપક, શત્રુંજયની શાશ્વતતા, વારંવાર થયેલા જીર્ણોદ્ધાર વગેરેની વાતો-વાર્તાઓ તે વર્ણનમાં આવી રહી હતી. એક તો સુંદર અને મધુર તીર્થની ગાથા-કથા, તેમાંય સુંદર અને મધુર ગુરુવાણી, જેમાં ભળી ગયા શેઠના સુંદર અને મધુર ભાવ-સ્વભાવ. આમ અનેરો અને અપૂર્વ ત્રિવેણીયોગ મળતાં માણેકશાહનો મનમયૂર ગિરિરાજના દર્શનવંદન-પૂજન અને અભ્યર્ચન માટે સૌમાં સૌથી વધુ ઉલ્લાસ પામવા લાગ્યો. જાણે પ્રતિમાપૂજા વગરના ગયેલા દિવસોનું ખરું પ્રાયશ્ચિત્ત પ્રતિમાનગરી પાલિતાણાના પવિત્ર દર્શનથી જ થઈ શકે, એક નહિ પણ અનેક જિનબિંબોને જુહારી જીવાત્મા કરી શકે અને માનવજીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય બજાવી મોક્ષનો માર્ગ મળી શકે તે માટેના તરણોપાય તરીકે કેમ વહેલામાં વહેલું સિદ્ધગિરિનું દર્શન સિદ્ધ થાય તેવી ભાવનાની ભવ્યતામાં ભવિતવ્યતાના યોગે Page #263 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 247 માણેકશાહ ઘણા જ ઊંડાણથી મનનચિંતન સાથે વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. - આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. પણ શેઠ–શ્રાવકને પોતાની વાણીમાં લીન જાણી શત્રુંજય વર્ણનમાં તલ્લીન બની રહ્યા. ઈશાનેન્દ્ર, મહેન્દ્ર, બ્રહ્મન્દ્ર, અમરેન્દ્ર તથા વ્યત્તરેન્દ્ર વડે થયેલ દેવતાઈ ઉદ્ધારથી સમૃદ્ધગિરિશ્રેષ્ઠની ગૌરવગાથાને વ્યાખ્યાનવાણીથી વણી લઈ ગુરુવારે યશોગાથા ગાતાં તીર્થની મહત્તા દર્શાવતાં કહ્યું કે " તીર્થાધિરાજે અનેક અણગારોને આરાધનાની ઓપે ચડાવી ક્ષપકશ્રેણીઓ મંડાવી, કેવળી કંઈક આત્માઓ બન્યા અને અસંખા કાળના અંતરે અનંતા આત્માઓ સિદ્ધિ વરી ગયા છે. ધન્ય છે સોરઠ દેશના આ અજોડ ક્ષેત્રને કે જે સુક્ષેત્ર સુકાળે સિદ્ધિનાંજ સુફળ સહજ-સહજમાંદેવા સમર્થ છે. અહીંના ઓજસ્વી આરાધકોને આંતરશત્રુના જયમાં અત્યોપયોગી આ જયવંતો ડુંગર શત્રુંજય નામથી સ્વયં સાર્થક છે. કાળક્રમે ગિરિ નાનો-મોટો થાય, પણ સદાય અવિનાશી એ તીર્થ શાશ્વતું તો છે જ. સાથે સાથે અનંતા ભવ્ય જીવો ભૂતમાં તેમ ભાવિમાં અહીંથી જ મુક્તિ વર્યા કરશે. આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થપતિ આદિનાથજીએ પોતાના સંયમજીવનમાં એક—બે વાર નહિ પણ નવાણું પૂર્વ જેવી જંગી સંખ્યા પ્રમાણવાર આ પવિત્ર તીર્થને પોતાના પારક્ષેપથી પવિત્ર કર્યું છે. સાધુ-સાધ્વી સમુદાય જેવા જંગમ તીર્થનો આ સ્થાવર તીર્થ સાથે મેળ-સંબંધ જોઈ—જાણી સ્વયં સીમંધર સ્વામીએ પણ મહાવિદેહમાં ઇન્દ્રદેવ સમક્ષ આ ગિરિનાં ગુણલાં ગાયાં છે. અહીંના રાયણ વૃક્ષને જ દેવોએ તથા દેવાધિદેવ આદિનાથજીએ દેશના કે સમવસરણ માટે પસંદ કેમ કર્યું તેની પાછળ એક ગુપ્ત રહસ્ય છે, અને તે રહસ્યમય રાયણવૃક્ષ આજે પણ ગજબ અદબથી અડીખમ ઊભું-ઊભું ઇતિહાસને તાજો કરી રહ્યું છે. ઋષભદેવના પ્રથમ ગણધર ઋષભસેન કે જેઓ પુંડરીકસ્વામી પણ કહેવાય છે, તેઓ પાંચ-પાંચ ક્રોડ મુનિવરોની મોટી ફોજ સાથે કર્મયુદ્ધ ખેલી મોહરાજાને મહાત કરી ચૈત્ર સુદ પૂનમની તિથિના મુક્તિ મેળવી ગયા છે. કારતક સુદ ૧૫ ના દિને દ્રાવિડ અને વારિખિલ્લજીની સાધક જોડીએ કર્મબંધનો તોડી-ફોડી મોક્ષમાળા દસ ક્રોડ સાધકો સાથે પહેરી છે. ફાગણ સુદ ૧૩ના દિને શાંબ અને પ્રધુમ્ન નામના બંધુયુગલે આઠ કોડ પચાસ લાખ મુનિવરોને મહામૂલું નિમિત્ત અર્પે મુક્તિને વરી લીધી છે. તેમ જ આ ગિરિશ્રીએ પાંચ પાંડવોને પણ ચાલુ ચોમાસે આસો સુદ પૂનમના શુભ દિવસે મુક્તિશ્રીની મુલાકાત કરાવી છે. આદિનાથજીના અપ્રમત્ત સેવાકારી નમિ-વિનમિ મહારાજને સિદ્ધગિરિજીએ જાણે સેવાનાં સંપૂર્ણ ફળ, મોક્ષના મેવા બબ્બે ક્રોડ મુનિમહંતો સાથે ફાગણ સુદ દસમની તિથિનાં આપ્યાં છે, એટલું જ નહિ પણ અન્ય-અન્ય શુભ લગ્ન, શુભ દિને આ સિદ્ધિરાજથી જ અનેક પુણ્યાત્માઓ મોક્ષનું મોંઘેરું રાજ મેળવી ગયા છે. ઉદાહરણમાં રામ-ભરત ભ્રાતામુનિ ત્રણ કોડ, સોમયશા ૧૩ ક્રોડ, સાગરમુનિ એક કોડ, શ્રીસાર મુનિવર પણ એક ક્રોડ તેમ કાલિંકજી એક કોડ, કદમ્બ ગણધર પણ એક ક્રોડ, નારદજી ૯૧ લાખ સાધુઓ સાથે તથા અજિતસેનજી, આદિત્યયશા, વૈદર્ભી, થાવચ્ચપુત્ર, શુક્રપરિવ્રાજક, થાવચ્ચ ગણધર, સુભદ્રમુનિ, Page #264 -------------------------------------------------------------------------- ________________ 248 તપાગચ્છાધિષ્ઠાયક શલભાચાર્યજી, વસુદેવની પત્ની સેંકડો સાધકો સાથે અને ભારતના પુત્ર બ્રહ્મર્ષિ, રાજા ચંદ્રશેખર, ઋષભસેન અને શાંતનુ રાજવી, દેવકીના છ પુત્રો, વસુદેવજીના પુત્ર, જાલી, મયાલી, ઉવયાલી પણ પોતે એકાકી આ જ અનુપમ તીર્થની નિશ્રાએ તરી ગયા છે. ધારિણીદેવી તેના આઠ કુમારો, આણંદઋષિ, સાત નારદો, અંધક વિષ્ણુસુવ્રત ને ગંડક મુનિ, આણંદ ઋષિ, સિદ્ધઈમાં આવતા ઋષભદેવના વંશીય અસંખ્ય રાજાઓ અત્રેથી જ અક્ષયપદને પામ્યા છે. "' શું વર્ણન કરવું શુભ પરમાણુથી ચાર્જ થયેલ આ ધબકતા ક્ષેત્રનું કે હાલના વીરપ્રભુના શાસનના ઉચ્છેદ પછી આ ગિરિના ઋષભકૂટ નામના મુખ્ય શિખરને તો ભવિષ્યમાં થનારા પદ્મનાભ તીર્થંકરના શાસન સુધી સ્વયં તીર્થપ્રમી દેવો પણ પૂજશે. આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખરજીની તીર્થયાત્રાનું ફળ કલ્પનાતીત છે. તેથી ય અનંતું પુણ્ય શત્રુંજય તીર્થની યાત્રામાં છે. આ અવસર્પિણી કાળના પ્રારંભથી જ જેના મહિમા ગવાય છે તે તીર્થ સકલ તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે. પંદર કર્મભૂમિમાં આ અતિમુક્તક કેવળી ભગવંતે આ તીર્થનો જે મહિમા કહ્યો તે તો આશ્ચર્ય પમાડી દે તેવો અજબ-ગજબનો છે. તેમના કથન મુજબ..... • ઉગ્ર તપસ્યા ને બ્રહ્મચર્ય-સાધનાથી બહોળું ફળ ફક્ત આ ક્ષેત્રમાં વસવાથી મળે છે. • એક કોડ મનુષ્યને ભોજન કરાવી બંધાતું પુણ્ય અહીં કરેલા એક ઉપવાસ માત્રથી મળી શકે છે. • શ્રીસંઘના સાધુ-સાધ્વી ને શ્રાવક-શ્રાવિકાની વસ્ત્ર–પાત્ર–ભોજનથી કરેલ ભક્તિનું કોટિગણું ફળ આપે છે. • પૂજા કરવાથી સો-ગણું, પ્રતિમા સ્થાપનાથી હજારગણું ને તીર્થરક્ષાથી અસંતું ફળ આ ક્ષેત્રમાં થાય છે. • અહીં પ્રતિમા ભરાવનારને દેવ કે ચક્રવર્તીપદ, અનુક્રમે મુક્તિ સુલભ બને છે. •એક ઉપવાસ સો ઉપવાસ સમાન ફળે છે. ચોવિહારો છઠ્ઠ કરી સાત જાત્રા કરતાં મુક્તિ પાકી કરેલ છે. • શત્રુંજયના દર્શન અને તેની નદીમાં સ્નાન કરનાર ભવ્યાત્મા ગણાય છે. • આ તીર્થના સ્મરણ માત્રથી સમ્યગુદર્શનની શુદ્ધિ થઈ જાય છે. •અહીં નિવાસ કરનારા તિર્યંચો પણ પ્રાયઃ સદ્ગતિ પ્રાપ્ત કરે છે. અહીંની મહત્તા તો જેણે જાણી તેણે જ માણી. પણ કહાણી કરવી અઘરી છે. એક કવિની કલ્પના મુજબ શ્રી શ્રી તીર્થે તીર્થપતિ તીર્થંકરોને પણ પોતાના પ્રશસ્ત પ્રભાવે આકર્ષી, જાણે સૌને સાર્થપતિ સહ આમંત્રણ આવ્યું છે અહીં આવી આરાધના કરવાનું. આ અગમ-અણનમ મૅગ્નેટિક ક્ષેત્રના વારંવાર જીર્ણોદ્ધાર થયા, તેમાં ચોથા આરામાં Page #265 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 249 બાર ને પાંચમા આરામાં બાકીના જે ચાર ઉદ્ધાર થયા તેનાં કારણોનાં રહસ્યો પણ જાણીએ તો ખ્યાલ આવ્યા વગર ન રહે કે દેવો અને દેવાધિદેવોએ પણ આ તીર્થશ્રીને વાણી-કહાણી વડે નવાજવામાં કશુંય બાકી નથી રાખ્યું, જેમ કે * અહીંની અવસર્પિણીના પ્રથમ સંઘપતિ મહારાજા જ્યારે નાભ નામના ગણધરની સાથે જાત્રાએ પ્રથમ વાર પધાર્યા ત્યારે શુભ ભાવ ઇન્દ્રરાજને જાગ્યો, જેમની વિનંતીથી "રૈલોક્ય વિભ્રમ" નામે સુવર્ણમય ભવ્ય પ્રાસાદ બન્યો અને શ્રી નાભ ગણધરશ્રીએ પ્રાસાદોની પ્રતિષ્ઠા કરી આપી. ભાવવિભોર ભરતરાજા જ્યારે ઈન્દ્રને પ્રસંગ પછી ભેટી પડ્યા ત્યારે વિદાય વખતે તે દેવેન્દ્રએ જ ભરતરાજાના સ્થાપેલ સ્થાપત્યની સુરક્ષા માટે ગોમુખયક્ષ અને ચક્રેશ્વરી દેવી સ્થાપિત કર્યા. * દ્વિતીય ઉદ્ધાર કરવાનો ભાવ પણ સૌધર્મઇન્દ્રને આવ્યો. માધ્યમ બનાવ્યા દંડવીર્ય રાજાને. દૈવી શક્તિથી ત્રણ વાર રસોડાની બધીય રસોઈ સફાચટ કરી, ફરી હજારો મણ ખાઈ નાખી તે પછી ઋષભદેવના ભક્ત રાજાની વિનંતીથી પ્રત્યક્ષ દર્શન આપી ખુશ કર્યાને શત્રુંજયનો ઉદ્ધાર કરાવવા પ્રેરણા કરી. જીર્ણ મંદિરોના જીર્ણોદ્ધારમાં મિથ્યાષ્ટિ દેવો નડ્યા. તેને હંફાવી દેવેન્દ્ર કાર્ય સધાવ્યું. *બીજા દેવલોકના ઈશાનેન્દ્ર મહાવિદેહમાં પરમાત્માના શ્રીમુખે મહિમા સાંભળી, સ્વયં ફુરણાથી રાયણ વૃક્ષને પ્રદક્ષિણા દઈ, વંદન કર્યા પછી ત્રીજો ઉદ્ધાર કર્યો. * તે પછી શત્રુંજય સુહસ્તિ નામની કપટદેવીથી છિન્નભિન્ન થયું. તીર્થપ્રેમી દેવો પણ ડરી ગયા. ચોથા દેવલોકના દેવેન્દ્ર પાસે બયાન કજૂ કરતાં ઇન્દ્ર આવ્યા. તેમને મૂંઝવવા દેવીએ એક હજાર શત્રુંજય વિકવ્ય. ઇન્દ્ર મહાકોપ જ્વાળા મૂકી. તેથી બળતી બળતી તે દેવીએ જ્યારે આદિનાથનું શરણું લીધું ત્યારે વચન લઈ મુક્ત કરીને પોતે ક્ષત-વિક્ષપ્ત થયેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. પાંચમા દેવલોકના ઈન્દ્રને પાંચમો ઉદ્ધાર કરવાની પ્રેરણા તેમના સેવક દેવોથી થઈને ઉદ્ધાર થઈ ગયો. * ભવનપતિના ચમરેન્દ્રને સપરિવાર નંદીશ્વર દ્વીપની જાત્રાએ જતાં બે વિદ્યાધર મુનિ મળ્યા, જેમણે શત્રુંજયનો મહિમા ગાયો, તે સમયે ઇન્દ્ર યાત્રા કરી, સર્વે જિનાલયોનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો. * સાતમો ઉદ્ધાર કરાવવાનો ફાળો ચક્રવર્તી સગરને ગયો. તેમણે પોતાના સાઠ હજાર પુત્રોનું સામૂહિક મૃત્યુદુઃખ દૂર કરવા અજિતનાથ પ્રભુની દેશના સાંભળી, તે પછી શત્રુંજય માહાભ્ય તેમના મુખે સુણી ઉલ્લાસ વધતાં લવણસમુદ્રનો અંશ શત્રુંજય સુધી લાવ્યા ને જૂનાં થયેલ જિનાલયો જુહારી ઉદ્ધાર કર્યો. * આઠમો ઉદ્ધાર ચોથા અભિનંદનસ્વામીની વાણી સુણી વ્યત્તર નિકાયના ઇન્દ્રોએ મળી કરાવ્યો. Page #266 -------------------------------------------------------------------------- ________________ 250 તપાગચ્છાધિષ્ઠાયક * નવમા ઉદ્ધારની ભાવના આઠમા ચંદ્રપ્રભુના શાસનકાળમાં ચંદ્રયશા રાજવીને થઈ જે પૂર્ણ કરી. * તે પછી સોળમા શ્રી શાંતિનાથજીની પાસે તેમના પુત્ર ચકાયુધ રાજવીએ આ ક્ષેત્રનું વર્ણન જાણી, ઇન્દ્રની પ્રેરણાથી દસમો ઉદ્ધાર કરાવ્યો. પ્રભુએ અહીં ચાતુર્માસ પણ કર્યું હતું. * ૧૧મો જીર્ણોદ્ધાર વીસમા મુનિસુવ્રતસ્વામીના શાસનકાળ વખતે ભરતમુનિ સહ એક હજાર મુનિઓના નિર્વાણ સમાચાર સાંભળી શત્રુંજયે આવેલ શ્રીરામે કરાવ્યો, સંયમ લઈ અહીં જ વળી બન્યા. * પાંચ પાંડવો જ્યારે મહાભારત યુદ્ધના વિજયી બની કંતા માતાના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે ગોત્રધ્વંશના પાપનું પ્રાયશ્ચિત્ત લેવા સિદ્ધગિરિની જાત્રા કરવાનું સૂચન માતાના મુખે સાંભળી થયેલ પાપથી ધ્રૂજી ગયાઃ શત્રુંજય આવ્યા, જિનાલયો જોયાં ને જીર્ણોદ્ધાર કરાવ્યો. જડ પથ્થરની કુદરતી આ રચના છતાંય કેટલી જીવંત સ્પંદનોયુક્ત છે કે જેની જીર્ણતા થતાં જ કોઈને કોઈદેવતાઈ શક્તિ સ્વયં ફુરણાથી મળી આ તીર્થની સેવા કાજે દોડી આવી છે. આ પ્રમાણે ચાલુ પાંચમા પડતા કાળવાળા આરામાં પણ ચાર ઉદ્ધાર થઈ ગયા છે. * ચક્રેશ્વરી દેવી જાવડશાને પ્રગટ થયાં, જેમની પાસે માર્ગદર્શન મેળવી જૂના કપર્દી યક્ષે વેરેલ હાડચામથી તીર્થની અપવિત્રતા દૂર કરવા કમર કસી. જ્ઞાનવંત ગુરુ મળ્યા વજસ્વામી. તેઓશ્રીની નિશ્રામાં મદિરાના મોહમાં મરેલ વણકર જે નવો કપર્દી યક્ષ બન્યો હતો તેની સહાય વડે એકવીસ વાર કવડ દેવેં ઉતારી દીધેલ આદીશ્વરની પ્રતિમાને ફરી ઉપર ચડાવી ને જીર્ણોદ્ધાર કર્યો. * ચૌદમો ઉદ્ધાર કુમારપાળ રાજાના મંત્રી ઉદયનની મરણવેળાની ભાવના પૂર્ણ કરવા મંત્રીપુત્ર બાહડે શ્રીસંઘની સહાય લઈ તેરમા સૈકાના પ્રારંભમાં કરાવ્યો. ગુરુ હતા પૂ. હેમચંદ્રાચાર્યજી. * ફક્ત અઠ્ઠમ તપ કરી દેવીને સાધી સમરાશાએ પંદરમો ઉદ્ધાર ચૌદમા સૈકામાં શ્રી સિદ્ધસેનસૂરિજીના નેતૃત્વ નીચે કરાવ્યો ને મુસ્લિમ સરદારોએ ખંડિત કરેલ જિનબિંબ -જિનાલયોને નવાં કરાવ્યાં. * આજના દેખાતા પ્રતિમાજીને પધરાવી પ્રતિષ્ઠા કરાવનાર શ્રેષ્ઠી થયા કર્માશા, જેમના વડે થનાર ઉદ્ધારની આગાહી તેમના પિતા તોલાશાને ધર્મરત્નસૂરિજીએ વિશિષ્ટ જ્ઞાનબળે કરી હતી. તે સૂરિજીની પાટે આવેલ આચાર્યશ્રી વિદ્યામંડનસૂરિજી તથા ઉપાધ્યાય વિનયમંડનગણિએ પ્રતિષ્ઠાનો વાસક્ષેપ કર્યો. * વિ. સં. ૧૫૮૭ના વૈશાખ વદ ના થયેલ પ્રતિષ્ઠા પછી તેજપાલ સોનીએ પણ કેટલાંક જીર્ણ જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો. હવે છેલ્લો ઉદ્ધાર વિમલવાહન રાજા પૂ. આચાર્યશ્રી દુષ્પહસૂરિજીની પ્રવચનવાણીથી પ્રેરિત થઈ કરાવશે તેવું શાસ્ત્રવચન છે. નાગાર્જુન નામના ક્ષત્રિય યુવાને શ્રી પાદલિપ્તસૂરિજીનું શિષ્યત્વ સ્વીકારી તેમના દ્વારા પ્રાપ્ત થયેલગગનગામિની વિદ્યાના ઉપકારને યાદ કરી પાદલિપ્તપુરી વસાવી. આ તીર્થનો ઇતિહાસ, ચંદરાજા જેવા ચમત્કારો, ઘટેલ અનેક સત્યકથાઓથી ખીચોખીચ ભરેલો છે. ગાગરમાં સાગર સમાય તે શી Page #267 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 251 રીતે? વર્ણનાતીત તીર્થાધિરાજને ભાવવંદના. આ પ્રમાણે અવનવી-નવનવી રીતિ-નીતિથી શત્રુંજય તીર્થ પ્રતિ પ્રીતિ ઉત્પાદિત કરવામાં આચાર્યશ્રી સફળ થયા. માણેકશાહે ધનોપાર્જન માટે અનેક ક્ષેત્રોની સ્પર્શના કરેલ, પણ તીર્થાધિપતિ શત્રુંજયની સ્પર્શના જીવનમાં એકવાર પણ ન થયેલ. તેથી તેમનું તન-મન સિદ્ધગિરિગુણગાન સાંભળ થનગની ઊયું તે તીર્થને ભેટવા. હૈયામાં હામહતી જે હોઠ વાટે પ્રગટ થઈ જ ગઈ. અનેકદિવસોની પોષણ પામેલી પુષ્ટ ભાવના કામના રૂપે જીભ ઉપર આવી ગઈ, તેથી તેઓએસિદ્ધાચલજીનાં પ્રત્યક્ષ પોંખણાં કરવાના કલ્પનાકારને સાકાર કરવા આચાર્યશ્રી પાસે અરજ રજૂ કરી કે પોતાને આકરો અભિગ્રહ કરાવી આશિષ બક્ષી શુભ પ્રયાણ કરવા અનુમતિ પ્રદાન કરે કે જેથી જય શત્રુંજયની વિજયયાત્રાનો વાવટો તેઓ પગે પહોંચી ફરકાવી શકે, તેમની આ યાત્રા–ભાવનામાં વિવિધ વિકલ્પો સંકલ્પો બની સમાયેલા હતા, સાથે સાથે આચાર્યશ્રીએ પણ સંપૂર્ણ ચાતુર્માસમાં કરાવેલ સાધના-આરાધના, વ્યાખ્યાન-આખ્યાનના શ્રમની સાર્થકતા માણેકશાહ શેઠના માધ્યમે સંપૂર્ણ સફળતા પામે તેવી શુભ વેળા આવી ઊભેલી જોઈ આસો સુદ પાંચમના શુભ દિવસે શુભ લગ્ન વેળાએ ફક્ત ત્રણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવી છ'રી પાળતા ગિરિસમ્રાટ સુધી સફર ખેડવા સહમતી પ્રદાન કરી પ્રતિજ્ઞાનું પણ મહાદાન કર્યું માણેકશાહનો ઉરઉલ્લાસ ઊછળવા લાગ્યો. પાંચમો આરો એટલે શુભ અધ્યવસાયો પણ સીમા સુધી જ સોપાનો સર કરાવી શકે; પણ ક્ષપક કે ઉપશમ શ્રેણિઓ ન માંડી શકાય. છતાંય શુભ અને શ્રેષ્ઠ આશા-અરમાનોના આધારબળે પળે પળે પ્રસ્થાનવેળા ટૂકડી આવી ગઈ. ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં જ શેઠ માણેકશાહે ઉપવાસ આદર્યા, મૌનના કવચથી મનને સિદ્ધગિરિની સુખદ સફર માટે એકાગ્ર કર્યું અને નવકાર મહામંત્રને આત્મસાત્ કરી અડવાણે પગે એકલા બની, આચાર્યશ્રીના આશીર્વાદ લઈ શુભ પ્રસ્થાન કર્યું. તેમના દેઢ સંકલ્પ સાથેના સાહસ–કદમ પડતાં જ કલ્પના કરી કે જાણે સિદ્ધગિરિના પ્રસિદ્ધ પુણ્ય-પરમાણુ ચેતનવંત બની માણેકશાહને સિદ્ધશિલાના સોપાને ચડાવી દેવા આકર્ષવા લાગ્યા હતા. શેઠ માણેકશાહ પણ ગુમભાન બની બસ મહાગિરિ તથા મહામંત્રમાં મુગ્ધ બની કોઈક અગમ્ય ગતિથી આગળ-આગળ ધપી રહ્યા હતા. જેમ જેમ ડગ અને પગ તીર્થદિશા તરફ ધપી રહ્યા હતા તેમ તેમ ભાવદશા પણ ભવ્ય-ભવ્યાતિભવ્ય બની ભવ્યાત્મા માણેકશાહના અદમ્ય ઉલ્લાસને વધાવી રહી હતી, પણ પણ... આ અવસર્પિણીનો આકરો કાળ તેમાંયહૂંડા કહેવાતો ભૂંડામાં ભૂંડો કાળ. તે કાળનો ક્રૂર ભાવ-પ્રભાવ જ એવો છે કે તે દરેક સાધકોની સાધનાને જાણે બાધના કરવા–પહોંચાડવા પર્યાપ્ત છે. ભાવિભોર માણેકશાહ આગ્રાથી છેક મગરવાડા સુધી આવી ગયા ને હવે સિદ્ધાચલ શત્રુંજય ઘણું નિકટ હતું. પણ તે વિકટ વિસ્તારમાં તેઓ ડાકુઓ વડે લૂંટાણા-કપાણા અને આકસ્મિક મરણને શરણ થઈ ગયા. Page #268 -------------------------------------------------------------------------- ________________ 252 દ્રવ્યયાત્રા અધૂરી રહી પણ ભાવયાત્રામાં ભંગાણ ન પડ્યું, તેથી સિદ્ધગિરિવરના તથા મહામંત્રના ધ્યાનમાં જ મૃત્યુ વરી તેઓ જાણે સિદ્ધગિરિથી સિદ્ધશિલા સુધીની સફળ સફર કરતાં લાગેલ શ્રમનો વિશ્રામ કરવા વ્યંતર નિકાયના દેવેન્દ્ર માણિભદ્ર બની ગયા અને આવતા જ ભવમાં માનવભવ પામી કેવળી બની સિદ્ધ પણ થઈ જશે. તપાગચ્છાધિષ્ઠાયક સ્વાનુભૂતિના સહજ સંભારણાં પૂરાં એકસો ને આઠ નામોથી નવાજાયેલા શ્રી શત્રુંજય ગિરિરાજની સ્પર્શના સૌથી વધુ વાર સંયમજીવનમાં કરી પોતાને અને ગિરિવરને પણ પાવન કરનાર પાવક પુરુષ આદિનાથજીની જન્મતિથિ ચૈત્ર વદની ૮, એ પ્રથમ વાર જ કરેલ જાત્રાની તિથિ ફાગણ સુદ ૮ સાથે સુંદર સમન્વય ધરાવે છે. ફાગણ વદ ૮ની તિથિ વર્ષીતપની પ્રારંભતિથિ તથા સુદ પક્ષમાં અને તેમાંય પૂર્ણિમાના દિને મોક્ષ જે તિર્થથી સાધકોએ સમૂહમાં સાધ્યું તે તીર્થાધિરાજની જાત્રા કરતાં કરતાં... ખડું થઈ ગયું સાંસારિક અવસ્થાનું સત્ય ચિત્ર; કારણ કે કૉલેજ પછીની અવસ્થામાં હજુ પ્રવેશ પામ્યો હતો ત્યારે શત્રુંજય ગિરિવરનો એક ફોટો હાથમાં આવી ગયો. ચિત્રકળા ને રંગોળી કાઢ વાનો જબ્બર શોખ. ફાગણ સુદ બારસની એબપોર હતી કે જ્યારે તેરસને ઊજવવાની તૈયારી બેંગ્લોરમાં આવેલ એક પાઠશાળાના ઉપક્રમે ઊજવી ભાવયાત્રા કરવાની હતી. બસ અચાનક જ ગિરિરાજનાં કોઈ દર્શન કર્યાં જ ન હતાં. છતાંય અનેરા અગમ્ય આકર્ષણથી ખેંચાઈ મેં સિદ્ધગિરિનું ચિત્ર આલેખવાનું પ્રારંભ કર્યું. તે ચિત્ર લગભગ ૧૨' × ૨૦' જેવા પૂંઠા ઉપર ૪–૫ કલાકમાં તૈયાર થઈ ગયું, ત્યાં સાંજ પડી ને તે પછી ધાર્મિક નિત્યક્રમમાં ૨ કલાક જેટલા વિતાવી, રાત્રિના પ્રારંભમાં જ તે ચિત્રમાં કલ્પનાચિત્રના પ્રાણ પૂરવા ચિત્તને એકાગ્ર કરી રંગબેરંગી રંગો ભરવા લાગ્યો. રાત્રે લાગટ ૪ વાગ્યા સુધી જાગી ચિત્રકામની પૂર્ણાહુતિ કરી હતી, ને ફાગણ સુદ તેરસના વહેલી સવારે તે કૃતિને પાઠશાળાએ પહોંચતું કરી જાણે અકુશળ હસ્તકળા છતાંય ગૌરવ અનુભવ્યો હતો. આ બધુંય ઘણાં વરસો પછી સ્મૃતિમાં સ્ફુરી આવ્યું. સિદ્ધગિરિનો સચોટ પ્રભાવ કહું કે પ્રતાપ કે સંયમાવસ્થામાં પ્રથમ વાર જ આ ગિરિસમ્રાટની સ્પર્શના વખતે પરમ પુણ્ય પુરુષ આદીશ્વર પ્રભુની પ્રથમ પગયાત્રાનું મનથી સ્મરણ કરી હું પણ જ્યારે ફાગણ સુદ ૮ના દિને આદીશ્વરજીને ભેટી આવી ઊતરી રહ્યો હતો, ત્યારે ઘણા ભૂતકાળમાં ખોવાઈ ગયો. યાદ આવી ગઈ મારી માસૂમ બાળ અવસ્થા કે જ્યારે મને મારા તરણતારણ ગુરુદેવનો પણ પરિચય પ્રાપ્ત થયો ન હતો ને ધર્મ સાથે ઝાઝું સગપણ સધાણું ન હતું. પણ ત્યારે જ જાણે કેમ અમારા સાંસારિક નિવાસસ્થાન ઝરિયા શહેરના એક શ્રાવકની ઑફિસમાં ગોઠવાયેલ શ્રી સિદ્ધગિરિ તથા શ્રી સમ્મેતશિખરજી તીર્થના ફોટા જોઈ રાજી—રાજી થઈ જતો હતો તે સ્મૃતિની સુષુપ્ત અવસ્થા ન જાણે કે આજે જ અચાનક જાગૃત થઈ ઊઠી, ન જાણે પૂર્વભવમાં તે ગિરિવર સાથે શું લેણાદેણી બંધાણી હશે કે અબૂઝ બાળદશામાં પણ ગિરરાજ ઘણો જ ગમી ગયો. જીવનની આ ધન્ય પળો કદાચ કયારેય નહિ ભુલાય. પણ આવી અપૂર્વ અનુભૂતિમાં શ્રી તીર્થરાજના શુભ્ર અણુઓ જ અદમ્ય અસર કરી ગયા છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ सिद्धाचलं तं प्रणमामि भक्त्या (તે સિદ્ધાચલ પ્રણમ્ ભક્તે ) श्री सिद्धाचलमहातीर्थ - स्तुति द्वात्रिंशिका रचयिता- अचलगच्छाधिपति परमपूज्याऽऽचार्य भगवच्छ्रीगुणसागरसूरीश्वरविनेयः मुनिमहोदयसागरो गणि: (गुणबालः ) પ્રસ્તુત છે સરળ સંસ્કૃત ભાષામાં રચાયેલી છત્રીસી, જેના રચયિતા સ્વયં અચલગચ્છીય ગુણાનુરાગી ગણિવર મહોદયસાગરજી મ.સા. છે; જેઓએ ઠીક ૩૬ શ્લોકો દ્વારા સ્તવના કરી છે ગરવા ગિરિરાજની; પણ ઠીક મધ્યના ૧૮મા શ્લોકમાં તીર્થપ્રભાવનો પ્રતિભાવ દર્શાવતા માણિભદ્ર દેવેન્દ્રને પણ પોતાની આ રચનામાં યાદ કરી લીધા છે. ગણિ મહારાજશ્રીએ સ્વયં વિ.સ. ૨૦૩૫માં આ જ ગિરિરાજની ૯૯ યાત્રાઓ એક હજારથી વધુ શ્રાવક—શ્રાવિકાઓને સોલ્લાસ કરાવી અચિંત્ય પુણ્યોપાર્જન કર્યું છે. ઉપરાંત તેઓએ અમારી માગણીને લાગણીપૂર્વક વધાવી શીઘ્રરચિત છત્રીસી દ્વારા તે જ તથ્ય સૌની સમક્ષ મૂકવા પ્રયાસ કર્યો છે કે જિનશાસનના જગતમાં જગજાહેર શત્રુંજયના દર્શન–સ્મરણ—સ્પર્શનનો પણ કેવો અદ્ભુત પ્રભાવ છે કે કોઈક ભવ્યાત્માઓને તે જ તીર્થે દેવાધિદેવનું બિરુદ અપાવ્યું, જ્યારે ભવિતવ્યતાયોગે કોઈક ભાગ્યશાળી માણેકશા મટી દેવેન્દ્ર બન્યા. 253 સંપૂર્ણ છત્રીસીનો ગુજરાતી ભાવાર્થ વાંચ્યા પછી આશ્ચર્ય નહિ રહેવા પામે કે કેવી રીતે તીર્થ તારણહાર બની શકે છે. રચયિતા ગણિવર્યશ્રી સ્વયં વિદ્વાન છે. દીક્ષા પૂર્વે જ વ્યાકરણ, ન્યાય તથા ષદર્શનનો અભ્યાસ કર્યો અને દીક્ષા પછીના છઠ્ઠા વર્ષમાં તો ગુરુકૃપા પ્રાપ્ત કરી ફક્ત તેર માસમાં જ સર્વે આગમો સ્વયં ભણી ગયા. તે સમયે ૧૨–૧૫ કલાકનો અભ્યાસ મૌનપૂર્વક કર્યો જ, ઉપરાંત વિ.સ. ૨૦૩૭ના કોટડા (કચ્છ)ના ચાતુર્માસ દરમ્યાન પાંચ માસ સંપૂર્ણ મૌન સાધના કરી. દર્શનયોગમાં વર્ધમાન શક્રસ્તવ, અરિહંત વંદનાવલિ વગેરે દ્વારા પ્રભુભક્તિના પ્રેમી છે. જ્ઞાનયોગમાં ૪૫ આગમોના અભ્યાસી છે, ઉપરાંત ' જેના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર " ઉપરાંત પ્રમોદપ્રધાન પુસ્તકો " બહુરત્ના વસુંધરા’ ભાગ–૧–૨–૩–૪ ના સર્જક છે. ચારિત્રાચારમાં પુરુષાર્થી છે. તપાગચ્છીય શાસનદેવ માણિભદ્રજીના ગ્રંથ હેતુ અચલગચ્છીય પૂ. ગણિવર્યશ્રીએ આત્મીયતા દર્શાવી આ છત્રીસીની રચના કરી તે સૌજન્યતા જ પ્રમોદભાવનાના પ્રતીક રૂપે પ્રતિભાસે છે. સૌને પ્રસ્તુત છત્રીસી અવગાહવા નમ્ર નિવેદન સાથે સંપાદક Page #270 -------------------------------------------------------------------------- ________________ 254 તપાગચ્છાધિષ્ઠાયક (૩૫નાતિ-જી:) यस्तीर्थराट्छीविमलाचलाद्यै - नैंकैः पवित्रैर्वरनामधेयैः । ख्यातोऽस्ति नूनं भुवनत्रयेऽपि, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १ ॥ જે તીર્થાધિરાજ શ્રી વિમલાચલ આદિ અનેક (૧૦૮) પવિત્ર અને શ્રેષ્ઠ નામો દ્વારા ત્રણેય ભુવનમાં પ્રખ્યાત છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧. __यं पूतवान् वै स युगादिदेवो, देवाऽसुरैरर्चितपादपद्मः । अङ्काङ्कमेयं खलु पूर्ववार, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २ ॥ દેવો અને દાનવોથી પૂજાયેલાં છે ચરણકમળ જેમનાં એવા યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાને જેને ૯૯ પૂર્વવાર (પધારીને) પવિત્ર કરેલ છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨. येनोद्धृता भीमभवाब्धितोऽहो ह्यनन्तजीवाः कृतभूरिपापाः । संसारपाथोनिधिपोततुल्यं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३ ॥ અહો! કરેલાં છે પુષ્કળ પાપો જેમણે એવા પણ અનંત જીવોને જેણે ભયંકર સંસારસાગરથી ઉદ્વર્યા (તાર્યા છે અને તેથી જ સંસારરૂપી સાગરમાં વહાણતુલ્ય એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩. यस्मै सुभक्त्या स्पृहयन्ति नन्तुं, देवेन्द्रनागेन्द्रनरेन्द्रवृन्दाः । ध्यातव्यध्येयं हि प्रणम्यनम्यं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ४ ॥ દેવેન્દ્રો, નાગેન્દ્રો, (દાનવેન્દ્રો) અને નરેન્દ્રો (રાજાઓ)ના સમૂહો જેને શ્રેષ્ઠ ભક્તિ વડે નમસ્કાર કરવા માટે સ્પૃહા કરે છે; તથા અન્ય મુમુક્ષુ જીવો વડે ધ્યાન કરવા લાયક એવા ગણધરાદિ મહાપુરુષો દ્વારા પણ જે ધ્યાન કરવા યોગ્ય છે, તેમ જ દેવો વગેરે દ્વારા પ્રણામ કરવા લાયક એવા ગણધરાદિ મહાપુરુષોને માટે પણ જે નમસ્કાર કરવા યોગ્ય છે, એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૪. Page #271 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 255 यस्माद्गता मुक्तिपुरीं सुरम्यामनन्तजीवा जितमोहमल्लाः । विजेतुकामोऽहमपीह मोहं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ५ ॥ જીતી લીધેલ છે મોહ રૂપી મલ્લને જેમણે એવા અનંત જીવો જ્યાંથી અત્યંત રમણીય એવી મુક્તિનગરીમાં ગયા છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને, મોહને જીતવાની ઇચ્છાવાળો એવો હું પણ ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૫. यस्य प्रभावाद्धि स चन्द्रमौलिर्भोक्ता स्वसुः सिद्धिसुखं प्रपेदे । अभव्यजीवैः खलु नैव दृश्यं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ६ ॥ કર્મસંયોગે પોતાની બહેનને ભોગવનાર એવા ચન્દ્રશેખર રાજા પણ જેના પ્રભાવથી સિદ્ધિસુખને પામ્યા, તથા અભવ્ય જીવો કદી પણ જેનું દર્શન પામી શકતા નથી. એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિ વડે પ્રણામ કરું છું. ૬. यस्मिन् कृता धर्मक्रियाऽल्पिकाऽपि ह्यनन्तगुण्यं नु फलं प्रसूते । तीर्थाधिराजेतिसिद्धिभाजं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ७ ॥ જ્યાં કરાયેલી નાનકડી પણ ધર્મક્રિયા અન્ય તીર્થો કરતાં અનંતગણા ફળને આપે છે અને તેથી 'તીર્થાધિરાજ' તરીકે પ્રસિદ્ધ થયેલા એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિ વડે પ્રણામ કરું છું. ૭. भोस्तीर्थराट् सिद्धगिरे प्रसीद, मां तारयाऽस्माद्भवसिन्धुतोऽरम् । यः प्रार्थ्यते संयमिभिद्यपीत्थं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ८ ॥ 'હે તીર્થાધિરાજ ! સિદ્ધગિરિ ! પ્રસન્ન થા અને મને આ સંસારસાગરથી શીધ્ર પાર ઉતાર આ પ્રમાણે સંયમી મુનિવરો પણ જેની પ્રાર્થના કરે છે તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૮. जिनोऽजितस्वाम्यपि यत्र चातुर्मासी स्थितो शांतिजिनोऽपि यत्र । नेमिं विना सर्वजिनाः समेयुः, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ९ ॥ જ્યાં શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાન ચાતુર્માસ રહ્યા હતા, તથા શ્રી Page #272 -------------------------------------------------------------------------- ________________ 256 તપાગચ્છાધિષ્ઠાયક નેમિનાથ પ્રભુ વિના બાકીના સર્વે (2વીશ) તીર્થકર ભગવંતો જ્યાં પધાર્યા હતા... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૯. गणाधिपो यत्र कदम्बस्वामी, मुनीशकोट्या सह मुक्तिमाप । निर्वाणतीर्थङ्करशासने हि, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १० ॥ જ્યાં ગઈ ચોવીશીના બીજા તીર્થંકર શ્રી નિર્વાણનાથ ભગવાનના શાસનમાં તેમના ગણધર શ્રી કદંબસ્વામી એક ક્રોડ મુનિવરો સાથે મોક્ષને પામ્યા.... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૦. सिद्धो गणेशः खलु पुण्डरीको, वाचंयमानां सह पञ्चकोटया । राकादिने यत्र हि चैत्रकस्य, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ११ ॥ જ્યાં આદિનાથ ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવરો સાથે ચૈત્રી પૂર્ણિમાના દિવસે સિદ્ધ થયા. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૧. सिद्धिं गतौ द्राविडवारिखिल्लौ, साकं मुनीनां दशकोटिभिर्नु । राकातिथौ यत्र हि कार्तिकस्य, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १२ ।। જ્યાં શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર દ્રાવિડ અને વારિખિલ્લ મુનિવરો દશ ક્રોડ મુનિવરો સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે સિદ્ધગતિને પામ્યા તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૨. प्रद्युम्नशाम्बौ खलु यत्र सिद्धौ, सार्धाष्टकोटिमुनिसंयुतौ हि । त्रयोदशे फाल्गुनशुक्लपक्षे, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १३ ॥ જ્યાં પ્રધુમ્ન અને શાંબ મુનિવરો સાડા-આઠ ક્રોડ (મતાંતરે સાડાત્રણ ક્રોડ) મુનિવરો સાથે ફાગણ સુદિ તેરસના દિવસે સિદ્ધ થયા. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૩. Page #273 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 257 सिद्धा नमिर्वै विनमिश्च यत्र, मुनीशकोटिद्वयसंयुतौ हि । फाल्गुनशुक्ले दशमे दिने वै, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १४ ॥ જ્યાં નમિ તથા વિનમિ નામના વિદ્યાધર રાજર્ષિઓ બે ક્રોડ મુનિવરો સાથે ફાગણ સુદિ દશમના દિવસે સિદ્ધ થયા... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૪. निर्वाणमाप्ताः किल पाण्डुपुत्राः राकातिथावाश्विनमासकस्य । वाचंयमैर्विंशतिकोटिभिश्च, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १५ ॥ જ્યાં પાંચ પાંડવો વીશ ક્રોડ મુનિવરો સાથે આસો પૂર્ણિમાના દિવસે નિર્વાણને પામ્યા. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૫. मुनीशरामो भरतश्च यत्र, यतीशकोटित्रयसंयुतौ हि । सिद्धिं गतौ शाश्वतसौख्ययुक्तां, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १६ ॥ જ્યાં રામ તથા ભરત મુનિવરો ત્રણ ક્રોડ મુનિવરો સાથે શાશ્વત સુખથી યુક્ત એવી સિદ્ધિગતિને પામ્યા... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૬. एकान्नवत्या मुनिलक्षकाणां, सार्धं हि सिद्धा नवनारदाश्च । यस्यानुभावाद्वरशीलभाजः सिद्धाचलं तं प्रणमामि भक्त्या ।। १७ ॥ જેના પ્રભાવથી શ્રેષ્ઠ શીલને ધારણ કરનારા એવા નવેય નારદો ૯૧ લાખ મુનિવરો સાથે સિદ્ધ થયા એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૭. माणिक्यशाहोऽपि हि यत्प्रभावात्, बभूव देवः खलु माणिभद्रः । ख्यातस्तपागच्छसुरक्षकत्वात् सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १८ ॥ જેના પ્રભાવથી શ્રી માણેકશાહ શેઠ પણ માણિભદ્ર દેવ થયા અને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધ થયા છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૮. Page #274 -------------------------------------------------------------------------- ________________ 258 તપાગચ્છાધિષ્ઠાયક यक्षः कपर्दी खलु सेवते यं, यात्रार्थिविघ्नानि करोति दूरम् । चक्रेश्वरी देव्यपि जागरूका, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १९ ॥ કપર્દી યક્ષ તથા જાગરૂક એવી ચક્રેશ્વરી દેવી જેની સેવા કરે છે અને યાત્રિકોનાં વિનોને દૂર કરે છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૯. यस्य प्रभावान्मुनयः सलीलं, रागादिशत्रून्सकलाञ्जयन्ति । सान्वर्थशत्रुजयनामधेयं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २० ॥ જેના પ્રભાવથી મુનિઓ રાગાદિ સર્વઆંતરશત્રુઓને લીલાપૂર્વક જીતી લે છે તેથી 'શત્રુંજય' એવા યથાર્થ નામવાળા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૦. इन्द्रस्य पार्श्वे खलु यन्महत्त्वं, प्रोक्तं हि सीमंधरस्वामिनाऽहो । इन्द्रप्रकाशेतिप्रसिद्धिभाज, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २१ ॥ અહો!જેનો મહિમા શ્રી સીમંધરસ્વામી ભગવંતે ઇન્દ્રની આગળ વર્ણવ્યો તેથી જે ઇન્દ્રપ્રકાશ ' એવા નામથી પ્રસિદ્ધ થયેલ છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૧. मानं हि यस्य प्रथमारके स्यान्नूनं ह्यशीतिः खलु योजनानाम् । महागिरित्वेन तत: प्रसिद्ध, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २२ ॥ અવસર્પિણીકાળના પ્રથમ આરામાં જેનું પ્રમાણ ૮૦ યોજન જેટલું હોય છે તેથી 'મહાગિરિ' તરીકે પ્રસિદ્ધ થયેલ એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. રર. कृत्वोपवासद्वयमेव यत्र, करोति यात्राः खलु सप्तकृत्वः । • भवत्रये स्यात्स हि मोक्षगामी, सिद्धाचलं तं प्रणमामि भक्त्या |॥ २३ ॥ જ્યાં ચોવિહાર છઠ્ઠ તપ કરીને વિધિપૂર્વક ભાવ સહિત સાત યાત્રા કરનાર આત્મા ત્રણ ભવમાં મોક્ષગામી થાય છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ર૩. Page #275 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ तिर्यक्चरा जीवगणा हि यस्य, प्रभावतो भद्रकभावमाप्ताः । गताश्च स्वर्गादिकसद्गतिं वै, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २४ ॥ જેના પ્રભાવથી તિર્યંચ જીવો પણ ભદ્રકભાવને પામીને સ્વર્ગાદિ સદ્ગતિને પામ્યા છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૪. प्रायो हि नाऽऽयान्ति कदापि यत्र, दुर्भव्यजीवाः खलु वायसाश्च । संसेव्यमानं लघुकर्मभिश्च, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २५ ॥ દુર્વ્યવ્ય જીવો તથા કાગડાઓ પ્રાયઃ કરીને જ્યાં કદાપિ આવતા નથી, તથા જે હળુકર્મી જીવો દ્વારા સારી રીતે સેવાઈ રહેલ છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૫. अनेकभूपालसुमन्त्रिमुख्यैः सङ्घाधिपैर्यत्र विनर्मिताऽहो । विराजते भव्यसुचैत्यपंक्ति:, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २६ ॥ અહો ! અનેક રાજાઓ તથા શ્રેષ્ઠ મંત્રીશ્વરો વગેરે સંઘપતિઓ દ્વારા નિર્મિત થયેલી ભવ્ય મંદિરોની હારમાળા જ્યાં અત્યંત શોભી રહેલ છે... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૬. सहस्रशो यत्र जिनेश्वराणां, देदीप्यमानानि सुबिम्बकानि । यच्छन्ति बोधिं खलु दर्शकानां सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २७ ॥ 259 જ્યાં હજારો દેદીપ્યમાન જિનબિંબો દર્શકોને બોધિ (સમ્યક્ત્વ)નું દાન કરે છે... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૭. देवेन्द्रराजेन्द्रनरेन्द्रवृन्दै मंत्री श्वरैर्वै वरश्रेष्ठिभिश्च । उद्धारका यस्य कृता असंख्याः, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २८ ॥ દેવેન્દ્રો, ચક્રવર્તીઓ, તથા રાજાઓના સમૂહો વડે તેમ જ મંત્રીશ્વરો અને ઉત્તમ શ્રેષ્ઠીઓ દ્વારા જેના અસંખ્ય ઉદ્ધારો થયા છે. તે સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૮. Page #276 -------------------------------------------------------------------------- ________________ 260 . તપાગચ્છાધિષ્ઠાયક षड्रीयुता यत्र च नैकसङ्घाः, आयान्ति भक्त्या विविधप्रदेशात् । कुर्वन्ति यात्राः सविधिं हि यस्य, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २९ ॥ જ્યાં દરી' ના નિયમો [ જેને છેડે 'રી' અક્ષર આવે છે તેવા નિયમો (૧) સમ્યકત્વધારી (૨) પાદચારી (૩) એકાશનકારી (૪) સચિત્ત પરિહારી (૫) ભૂમિસંથારી () બ્રહ્મચારી ] થી યુક્ત એવા અનેક સંઘો ભક્તિપૂર્વક વિવિધ પ્રદેશોથી આવે છે અને જેની વિધિ સહિત યાત્રાઓ કરે છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ર૯. शत्रुञ्जयाऽऽख्या सलिला हि यत्र, हरत्यघानि प्रभुपूजकानाम् । स्वकीयनीरेण पवित्रितेन, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३० ॥ જ્યાં શત્રુંજય નામની નદી સિદ્ધાચલજીના પરમાણુઓથી પવિત્ર બનેલા પોતાના પાણી દ્વારા, પ્રભુની પૂજા કરનારાઓના પાપોને દૂર કરે છે... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩૦. विराजते यत्र च सूर्यकुण्डः, प्रभावतो यस्य स कुर्कुटोऽपि । विहाय तिर्यक्त्वमवाप नृत्वं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३१ ॥ કામણપ્રયોગથી કૂકડો બનાવાયેલા એવા ચંદ્રરાજા પણ જેના પ્રભાવથી તિર્યચપણું છોડીને પુનઃ મનુષ્યપણાને પામ્યા એવો સૂર્યકુંડ જ્યાં શોભી રહ્યો છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩૧. साक्षात् सरस्वत्यपि यत्प्रभावमलंभवेद्वर्णयितुं हि नैव । गुरुः सुराणामपि न क्षम: स्यात्, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३२ ॥ જેના અદ્ભુત પ્રભાવને સંપૂર્ણ રીતે વર્ણવવા માટે સાક્ષાત્ સરસ્વતી, દેવોના ગુરુ બૃહસ્પતિ પણ સમર્થ થઈ શકતા નથી... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩૩. अचलगच्छपाथोधिसमुल्लासनचन्द्रमाः। गुणाब्धिसूरयो नित्यं, जयन्तु जगतीतले ॥ ३३ ॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 261 અચલગચ્છ રૂપી સમુદ્રને સમ્યક પ્રકારે ઉલ્લસિત કરવા માટે ચંદ્ર સમાન એવા પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા પૃથ્વીતલ ઉપર સદા જયવંત રહો. ૩૩. तेषां शिष्येण गणिना, महोदयाब्धिना मया । अग्निबाणखनेत्राब्दे, द्वात्रिंशिका विनिर्मिता ॥ ३४ ॥ તેઓશ્રીના શિષ્ય મુનિ મહોદયસાગર ગણિ દ્વારા વિ. સં. ૨૦૧૩માં આ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની સ્તુતિ રૂપે બત્રીસીની રચના થયેલ છે. ૩૪. तपागच्छे प्रसिद्धा हि, जयघोषाख्यसूरयः । विद्वांस्तेतेषां प्रशिष्योऽस्ति, जयदर्शनसंयमी ॥ ३५ ॥ विज्ञप्त्या तस्य सौहार्दात् रचितेयं स्तुतिर्मया । गीयमाना प्रगे भव्यैः सिद्धिसौख्यप्रदा भवेत् ॥ ३६ ॥ તપાગચ્છમાં પ.પૂ.વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. નામે સુપ્રસિદ્ધ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત છે. તેઓશ્રીના વિદ્વાન પ્રશિષ્ય મુનિરાજ શ્રી જયદર્શનવિજયજીની મિત્રભાવે વિનંતિથી આ સ્તુતિ મારા વડે (વિ.સં. ૨૦૧૩માં મહા વદિ ૧૩થી ફાગણ સુદિ ૨ દરમ્યાન મહુડીથી વિજાપુર થઈને વિસનગર તરફના વિહાર દરમ્યાન) રચાઈ છે. ભવ્ય જીવો દ્વારા પ્રાતઃકાલમાં ગવાતી આ સ્તુતિ સિદ્ધિ સુખને આપનાર થાઓ. ૩૫-૩૬. Page #278 -------------------------------------------------------------------------- ________________ 262 તપાગચ્છાધિષ્ઠાયક 'સિદ્ધાચલસિધ્યા સાધુ અનતાઝોડ 'આગમ અનુસાર વંદું બે કર જોડ – મુનિ રત્નત્રયવિજયજી મહારાજ મરુધર દેશમાં આવેલ ઝાલોર જિલ્લામાં માલવાડા ગામ જે નગરમાં આજ સુધીમાં ચાલીસ જેટલી દીક્ષા થયેલ છે. આ પવિત્ર ભૂમિ માલવાડાના વતની પ.પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિના શિષ્ય પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજ જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં ખૂબ જ રસ ધરાવે છે. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી માટે અને પુસ્તકોનાં અવનવાં પ્રકાશનો દ્વારા તેમનું સંપાદનકાર્ય અખલિતપણે ચાલુ જ છે. અત્રે સંકલિત કરેલી સિદ્ધાચલજીની વિગતો શત્રુંજયના મહિમાની પ્રતીતિ કરાવે છે. – સંપાદક • સોમદેવ રાજા ૮00 સેવકો અને ૫૦ રાજાઓ સાથે ચંદ્રસૂરિ પાસે સંયમી બની શત્રુંજય ઉપર મોક્ષે ગયેલ. • વીર રાજા શંત્રુજયનો મહિમા સાંભળી સંયમ લઈ વીરસૂરિ બન્યા. અંતે ૩ લાખ સાધુઓ મોક્ષે ગયા. • ઢંકસૂરિને કેવલજ્ઞાન થયા પછી શત્રુંજયે નિર્વાણ પામ્યા તે સાંભળી તેમનો પુત્ર હરરાજા અસંખ્ય સંઘો સાથે શત્રુંજય ગયો. ત્યાં આઠ કરોડ દ્રવ્ય ખર્ચા જિનાલય બંધાવ્યું. એક વખત આ રાજા ઘેર બેઠાં બેઠાં (આ પર્વતનું નામ ઢંક હોવાથી) ઢક ઢંક એ પ્રમાણે ધ્યાન ધરતાં કેવલજ્ઞાન થયું. તે વખતે બે કરોડ મુનિઓ શત્રુંજયે મોક્ષ પામેલ. • એક વખત અજિતનાથ ભ. આ તીર્થે દેશના આપતા હતા તે વખતે ૩ લાખ સાધુઓ મોક્ષ પામેલ. • આ તીર્થ ઉપર શાંતિનાથ ભ.નું ધ્યાન ધરતા વજૂદંબ નામના મુનિ એક લાખના શિષ્ય-પરિવાર સાથે મોક્ષ પામેલ. Page #279 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ • · • ધન નામનો મંત્રી ૫૦૦ ભટો સાથે શત્રુંજયે આવ્યો ત્યારે પ્રથમ પ૦૦ ભટો કેવલી બન્યા પછી મંત્રીને કેવલજ્ઞાન થયું. • પધુમ્ન વિ. સાડાત્રણ કરોડ કુમારો રાયણવૃક્ષને પ્રદક્ષિણા દેતાં કેવલી બન્યા. • ભરત ચક્રવર્તી પાંચ કરોડ, એમનો પુત્ર ૧ લાખ અને બાહુબલીજીનો પુત્ર ૧૩ કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયેલ. • • • • • • • શાંતિનાથ ભ.ના ચાતુર્માસમાં ૧,૫૨,૫૫,૭૭૭ મુનિવરો કેવલી બની મોક્ષે ગયેલ. દંડવીર્ય રાજા સંઘ લઈ આ તીર્થે આવેલ તે વખતે તેમના સંઘમાં રહેલ સાત કરોડ શ્રાવક—શ્રાવિકાઓ આ તીર્થના ધ્યાનથી મોક્ષ પામેલ. • 263 • આ તીર્થ ઉપર આદિનાથ ભગવાન ૬૯,૮૫,૪૪,૦૦,૦૦,૦૦,૦૦ વાર સમવસર્યા. • ભરત ચક્રવર્તીના સંઘમાં વારાણસીથી શત્રુંજયનાં દર્શન થાય છે એ વખતે આદિનાથ પ્રભુની દેશના સાંભળીને ૧૦,૦૦૦ ભવ્ય જીવોને કેવલજ્ઞાન થાય છે. અજિતનાથ ભ. આ ગિરિ ઉપર ૩૦૦૦ વાર આવેલ. આવતી ચોવીશીના બધા તીર્થંકરો અહીં વિચરશે. ચંદ્રયશ રાજાએ ચંદ્રપ્રભસ્વામીના વખતમાં અહીં નવમો ઉદ્ધાર કરાવેલ. આ રાજા ૫૦,૦૦૦ જિનાલયો અને ૫ કરોડ જિનબિંબો ભરાવી સંયમ લઈ મોક્ષે ગયેલ. · નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ (ચૈત્ર વ. ૧૪ ) ને મોક્ષે ગયેલ. વાસુદેવની ૩૫૦૦૦ સ્ત્રીઓ શત્રુંજય ઉપર, બાકીની ૩૭,૦૦૦ સ્ત્રીઓ અન્ય તીર્થે મોક્ષ પામેલ. દેવકીના છ પુત્રો, જાદવપુત્રો, સુવ્રત શેઠ, મંડક મુનિ, સેલક મુનિ, અઇમુત્તા મુનિ, આ તીર્થે મોક્ષ પામેલ. નેમિનાથ ભ.ના શિષ્ય ગૈાતમ અણગાર એક માસનું અણસણ કરી આ તીર્થે મોક્ષે ગયેલ. સુધર્મા ગણધરના શિષ્ય ચિલ્લણ મુનિ સંઘ સાથે ગિરિ ચઢતાં સંઘ અતિ તૃષાતુર થયો તેથી મુનિએ વિદ્યાશક્તિથી પાણી મંગાવ્યું ત્યારથી ચંદન તળાવડી પ્રસિદ્ધ થઈ. અજિતનાથના શિષ્ય સુવ્રતાચાર્ય ગ્લાન હોવાથી પાણી લઈને ગિરિ ઉપર આવ્યા. પાણી એક બાજુ મૂકી કાઉસગ્ગ કરતા હતા તે વખત કાગડાએ પાણી ઢોળી નાખ્યું તેથી આચાર્યે ગુસ્સે થઈને કહી દીધું કે આજથી તારા વંશનુ આગમન બંધ. ત્યારથી આ ગિરિ ઉપર પ્રાયઃ કાગડાઓ આવતા નથી. [શત્રુંજય કલ્પવૃત્તિ ] Page #280 -------------------------------------------------------------------------- ________________ 264 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી શત્રુંજય તીર્થના સંઘપતિઓ (૧) પાંડવોના સમયમાં – ૨૫,૯૫,૭૫૦૦૦ રાજાઓ સંઘ પતિ બન્યા. (૨) ભરતરાજાના સમયમાં – ૯૯,૮૯,૮૪૦૦૦ રાજાઓ સઘપતિ બન્યા. (૩) સગકીના સમયમાં – ૫૦,૯૫,૭૫૦૦૦ રાજાઓ સંઘપતિ બન્યા. (૪) જાવડશાના સમયમાં – ૩,૮૪,૦૦૦ રાજાઓ સંઘપતિ બન્યા. (૫) ત્યાર પછી 80,000 ભાવસાર સંઘપતિ બન્યા. (૬) ત્યાર પછી ૧૫,૦૦૦ જૈન બ્રાહ્મણો સંઘપતિ બન્યા. (૭) ત્યાર પછી ૧૬,૦૦૦ રાજપુત્રો સંઘપતિ બન્યા. (૮) ત્યાર પછી ૫૦૪૫ કંસારાઓ સંઘપતિ બન્યા. (પ્રબંધ પંચશતી) સંઘપતિઓના સંઘનું વર્ણન પ્રથમ ભરત ચક્રવર્તીનો સંઘ : કરોડો સાધુ-સાધવીજીઓ, ૩ર,૦૦૦મુગુટબદ્ધ રાજાઓ, ૮૪ લાખ વાજિંત્રો, ૮૪ લાખહાથીઓ, ૮૪ લાખ ઘોડાઓ, ૮૪ લાખ રથો, ૩ર કરોડ સુથારો, ૩ લાખ મંત્રીઓ, ૫ લાખ દીવી ધરનારા' ૧000 યક્ષો, ૧૦ કરોડ ધજાઓ, ૩ કરોડ વ્યાપારીઓ. વિક્રમ રાજાનો સંઘ ઃ ૧૬૯ સોનાનાં દેરાસર, ૫૦૦ હાથીદાંતનાં દેરાસર, ૫૦૦ ચંદનનાં દેરાસર, ૭૦ લાખ શ્રાવક કુટુંબ, ૫૦૦૦ આચાર્યો, ૧,૧૦,૦૯,૦૦૦ બળદગાડાં, ૧૮ લાખ ઘોડાઓ, ૭૬૦૦૦ હાથીઓ, 3000 ઊંટો. (શત્રુંજય-કલ્પવૃત્તિ) પાંચ પાંડવોનો સંઘ : ૩00 સોનાનાં જિનાલયો, ૮00 ચાંદીનાં જિનાલયો, બે કરોડ શ્રાવકો, ૮૦૦ આચાર્યો, ૮000 સાધુઓ, ૮૦૦ રાજાઓ, ૧ કરોડ શેઠિયાઓ, પ૦,૦૦૦ હાથીઓ, ૮ લાખ ઘોડાઓ, દ્વારિકાનગરીથી કૃષ્ણરાજા સંઘ સહિત. (શત્રુંજય-ક૯૫વૃત્તિ) કૃષ્ણ મહારાજાનો સંઘ : પ૦૦ સોનાનાં જિનાલયો, ૧૭૦૦ કાષ્ઠનાં જિનાલયો, હજારો સાધુ-સાધ્વીજીઓ, ૨૪ કરોડ મનુષ્યો, આંબળા જેવાં મોતીઓ વડે શત્રુંજયને વધાવેલ અને કૃષ્ણરાજાએ સર્વ પરિવાર સહિત દરેક મૂર્તિઓની પૂજા કરેલ. (શત્રુંજય-કલ્પવૃત્તિ) દશરથ રાજાનો સંઘ : ૭૦૦ સોનાનાં દેરાસર, ૪ હાથીદાંતનાં દેરાસર, ૮૦૦ સંઘપતિઓ, ૧૦૦ રાજાઓ, ૫ કરોડ મનુષ્યો, દરેક નગરમાં સાધર્મિક વાત્સલ્ય. (શત્રુંજય-કલ્પવૃત્તિ ) Page #281 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ સંઘવી હેમરાજનો સંઘ ઃ સં. ૧૯૫૭માં મારવાડથી સંઘ કાઢેલ. ૧૨૦૦ ગાડાંઓ, ૫૦૦ હાથી, ૫૦૦ ઊંટ, ૫૦૦ ઘોડા, હજારો યાત્રિકો. (જૈન પરંપરાનો ઇતિહાસ ) 265 રામચંદ્રજીનો સંઘ ઃ ૫૦૦ સોનાનાં દેરાસર, ૭૧૨ ચાંદીનાં જિનાલયો, ૫૦૧૨ કાષ્ઠનાં જિનાલયો, ૭ કરોડ ગાડાંઓ, ૧૯ કરોડ પાડાઓ, ૧૦,૦૦૦ હાથીઓ, ૨૦ કરોડ ઘોડાઓ, કરોડો સ્ત્રીઓ–પુરુષો, કરોડો સાધુ–સાધ્વીઓ. વસ્તુપાલ—તેજપાલનો સંઘ : ૨૪ હાથીદાંતનાં ૨૫, ૪૫૦૦ સહેજવાળાં, ૪૫૦૦ ગાદલાં, ૧૧૦૦ વેલ (ગાડા), ૫૦૦ પાલખીઓ, ૭૦૦ સુખાસન, ૭૦૦ આચાર્યો, ૨૦૦૦ સાધુઓ, ૭ લાખ યાત્રિકો, ૩૫૦૦ દીવીધરા, ૪૫૦૦ રથો, ૧૧૦૦ દિગંબર સાધુઓ, ૪૦૦ ઊંટો, ૭૦૦ પાડાઓ, ૪૫૦૦ ગાયકો, ૧૦૦૦ કંદોઇ, ૩૩૦૦ ચારણો, ૩૮૦૦ ભાટ— ચારણો, ૧૩૫૦ કુંભારો, ૫૦૦ સુથારો, ૧૦૦૦ લુહારો, ૧૮૦ પિત્તલની પાલખીઓ, ૩૦૦૦ ઘોડાઓ, ૩૦૦૦ હાથીઓ. (પ્રભાવક ચરિત્ર ) આભુ સંઘવીનો સંઘ : ૭૦૦ દેરાસરો, ૧૫૧૦ ઘોડાઓ, ૨૨૦૦ ઊંટ, ૯૦ પાલખીઓ, ૩૬ આચાર્યો, ૭૭૦ જલવાહી પાડાઓ, ૧૦૦ તંબોલી, ૧૦૦ પંચકુલ, ૨૬૦ દુકાન, ૧૭૫૨ કાષ્ઠના ભારા વહન કરનારા, ૩૦૦ પાણીની પખાલો, ૧૪૦૦૦ ગાડાંઓ, ૧૦૦ કંદોઇઓ, ૧૦૦ કડાયાં, ૫૦ સલાટ, ૭ પાણીની પરબ, ૧૫૧૦ જિનબિંબો, ૧૩ પાણીના પટ્ટ, ૪૭ બળદ, ૯૯ શ્રીકરીઓ, ૨૦૦ માળી. (ઉપદેશ સપ્તતિકા) Page #282 -------------------------------------------------------------------------- ________________ 266 તપાગચ્છાધિષ્ઠાયક માણેકશા જેના પર પ્રભાવે માણિભદ્ર યક્ષેન્દ્ર બન્યા એવા 'શ્રી શત્રુંજય ગિરિરાજનું દિવ્ય મહિમાગાન - શ્રી જશુભાઈ જે. શાહ (જૈનવિધિકાર), દહેગામ અનંતાનંત આત્માઓને સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવનાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ આ જગતનું સર્વશ્રેષ્ઠ મૂલ્યવાન જવાહિર છે. સંસારસાગરથી તરીને સિદ્ધશિલાને પહોંચવા માટે નીકળેલા અનંતા યાત્રિકોને સહીસલામત સામે કિનારે પહોંચાડી દેવાની જોખમભરી જવાબદારી સંપૂર્ણપણે અદા કરવામાં અગ્રેસર રહેનાર જો કોઈપણ તીર્થ હોય તો તે શત્રુંજય છે. આ પવિત્ર ગિરિરાજની ભૂમિના કણેકણમાં સધાયેલી પૂજનીયતા, પવિત્રતા અને પ્રભાવનો ત્રિવેણીસંગમ માણવા જેવો છે. અત્રે લેખકશ્રીએ શત્રુંજયના માહાભ્યની રસલહાણ કરાવી છે. જે તીર્થના ધ્યાને માણેકચંદમાંથી માણિભદ્રવીર બન્યા એ તીર્થનો મહિમા શાસ્ત્રનાં પાનાં ખોલી ખોલીને અહીં સંક્ષેપમાં બતાવાયો છે. સંસારીને સિદ્ધ બનવા માટેનું આહ્વાન આપતા ઊંચે ઊભેલા આ ગિરિરાજ શત્રુંજયની તોલે કોઈ આવી શકે તેમ નથી. -સંપાદક શ્રી શત્રુંજય ગિરિરાજનો દિવ્ય અપરંપાર મહિમા ગાવા માટે, કહેવા માટે એમ કહેવાય છે કે હજારો જીભ હોય, કરોડો વર્ષનું આયુષ્ય હોય, સાગરના પાણી જેટલી શાહી હોય અને પૃથ્વી જેટલો કાગળ હોય તો પણ તેનાં ગુણગાન, તેનો મહિમા વર્ણવી ન શકાય તેવો છે – અર્થાત્ કેવળી ભગવંતો જે પોતે જાણી શકે છે, અનુભવી શકે છે છતાં શબ્દોની અંદર તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે, એવાગિરિરાજનું દિવ્ય મહિમાગાન જ્ઞાનરૂપી સાગરમાંથી એક નાનકડા બિંદુ સમાન આ લેખમાં હું કરી રહ્યો છું. " સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મોઝાર, 'મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર.” Page #283 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 267 જંબૂદ્વીપના ભરતક્ષેત્રે સોરઠ—સૌરાષ્ટ્ર દેશમાં આવેલા અને જેના કાંકરે કાંકરે અનંતા સાધુ ભગવંતો સિદ્ધગતિને પામ્યા છે, એવા શ્રી સિદ્ધાચલ નામે ઓળખાતા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનાં ચરણોમાં–શરણોમાં આ મનુષ્યજન્મને સાર્થક કરવા હું કોટી કોટી વંદના કરું છું. સઘળા પર્વતોમાં જેમ મેરુ પર્વત, સઘળા દ્વીપોમાં જેમ જંબુદ્વીપ, સઘળી નદીઓમાં ગંગા નદી મુખ્ય છે તેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજય તીર્થ મુખ્ય છે. જેમ સઘળા મંત્રોમાં નવકાર મહામંત્ર શ્રેષ્ઠ છે, જેમ ગગનમંડલમાં સૂર્ય અને ચંદ્ર શ્રેષ્ઠ છે, જેમ મનુષ્યના રૂપમાં કામદેવ શ્રેષ્ઠ છે તેમ સઘળાં તીર્થોમાં શત્રુંજય મહાતીર્થ સર્વશ્રેષ્ઠ છે. જેમ સર્વજિનોમાં આદિ જિન, સર્વ ચક્રવર્તીઓમાં ભરત ચક્રવર્તી, સર્વભવોમાં મનુષ્યભવ, સર્વ વર્ણોમાં (અક્ષરોમાં) કાર, સર્વવ્રતોમાં શીલવ્રત તેમ સર્વ તીર્થોમાં પ્રથમ શ્રી શત્રુંજય મહાતીર્થ કહેવાય છે. - શ્રી શત્રુંજયગિરિ ત્રણેય ભુવનમાં સર્વશ્રેષ્ઠ છે. જો એકવાર પણ તેનું દર્શન થઈ જાય તો પ્રાણીના પાપસમૂહનો નાશ થાય છે. શ્રી શત્રુંજયગિરિ પ્રાયઃ શાશ્વતો છે. આ તીર્થ સંસારસાગરમાં ડૂબતાં પ્રાણીઓને બચાવનાર છે, દુર્ગતિને દૂર કરનાર છે. આ તીર્થના દર્શન માત્રથી આત્મા પાવન અને પવિત્ર થાય છે. શ્રી શત્રુંજય ગિરિરાજનાં શું ગુણલાં ગાવાં! શું એનો દિવ્ય મહિમા છે! તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિ મોક્ષનો નિવાસ છે. અનંતકાળની અપેક્ષાએ અનંતા તીર્થંકરો અને કેવળજ્ઞાનીઓ અહીં આવીને મોક્ષે ગયા છે, અને આગળ જશે. આ તીર્થમાં આવી શ્રી જિનેશ્વરદેવની પૂજા Page #284 -------------------------------------------------------------------------- ________________ 268 તપાગચ્છાધિષ્ઠાયક કરનાર અનંતગણી પૂજાનું ફળ પ્રાપ્ત કરે છે. અરે ! પૂજક પોતે પૂજનીય અર્થાત્ અરિહંત સમાન થાય છે. જિનપૂજા, ગુરુભક્તિ, શત્રુંજય મહાતીર્થની સેવા અને ચતુર્વિધ સંઘનો સમાગમ – આ ચાર વસ્તુ જીવને શિવ બનાવે છે. શ્રી શત્રુંજય તીર્થ ત્રિભુવનમાં તિલક સમાન અને ધરતીના અલંકાર સમાન મહાપવિત્ર તીર્થ છે. આ તીર્થની સૌથી વધારે વિશેષતા એ છે કે, બીજાં તીર્થો મંદિરોની મહત્તાને કારણે આકર્ષે છે, જ્યારે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર કોઈ મંદિરો જ ન હતાં, ત્યારે એની પરમ પાવક પવિત્રતાના દિવ્ય મહિમાગાનથી આકર્ષાઈને સ્વયં તીર્થપતિ શ્રી ઋષભદેવ પરમાત્મા એક-બે વાર નહીં પણ પૂર્વે નવ્વાણું વાર સમવસર્યા હતા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયસિદ્ધગિરિનાં ભારોભાર વખાણ અને તેનો મહિમા શ્રી ઋષભદેવ પરમાત્માએ સમવસરણમાં બેસી સ્વયં શ્રીમુખે ભરત મહારાજાને કહ્યો હતો. ભરત મહારાજાએ આ તીર્થનો દિવ્ય મહિમા સાંભળી સુવર્ણનાં જિનાલયો રત્નોથી મઢી અને તેમાં મણિમય મૂર્તિઓ પધરાવી હતી. તેમાંનો " રૈલોક્યવિભ્રમ મહાપ્રાસાદ" તો ખૂબ જ ભવ્ય હતો. શ્રી શત્રુંજયનો દિવ્ય મહિમા ગાતા મહાવિદેહ ક્ષેત્રમાં સદેહે વિચરતા અરિહંત પરમાત્મા શ્રી સીમંધરસ્વામી સમવસરણમાં બેસી પોતાની દેશનામાં ફરમાવે છે કે, હે ભવ્ય જીવો ! તે ભરતક્ષેત્રને ધન્ય છે કે જ્યાં શ્રી શત્રુંજય મહાતીર્થ છે અને તેમાં રહેનારા મનુષ્યને પણ ધન્ય છે જેઓ તે તીર્થની અને શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે. જે બોધિબીજ સમ્યકત્વ સંસારમાં કોડો ભવમાં પણ દુઃખે કરી પ્રાપ્ત થાય તે શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરવા માત્રથી ક્ષણવારમાં પ્રાપ્ત થાય છે. જેમ સર્વ તત્ત્વોમાં સમ્યગુદર્શન અને સર્વ દેવોમાં શ્રી જિનેશ્વરદેવ દુર્લભ છે તેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજયગિરિ દુર્લભ છે. શ્રી શત્રુંજયગિરિમાન, મોહ, કામ, કોધ, લોભ આદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર, સર્વ પાપને હરનાર, મુક્તિનું લીલાગૃહ છે. અહીં કલ્યાણકુંભ જેવા કલ્યાણના કરનારા સુવર્ણ જેવા વર્ણવાળા પ્રભુશ્રી આદિનાથ બિરાજમાન છે. અરિહંતો મુક્તિ પામ્યા હોવા છતાં, કેવળજ્ઞાનીઓનો વિરહ હોવા છતાંય આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે. અનાદિ-અનંત સંસારસાગરમાં કર્મવશ ચારેય પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરતા ભવ્ય જીવોને માટે પરમ કલ્યાણનું કારણ, અપ્રતિમ ઉદ્ધારક, મહાદિવ્ય મહિમાશાળી, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો પ્રભાવ અચિંત્ય છે. સઘળાં તીર્થોના રાજા સમાન શ્રી શત્રુંજય મહાતીર્થ જેવું ચૌદ રાજલોકમાં અન્ય એકેય તીર્થ નથી. જેઓ આ તીર્થમાં આવી ભક્તિભાવથી અરિહંત પરમાત્માનું ધ્યાન અને પૂજન કરે છે તેઓ અલ્પકાળમાં અજરામર પુણ્યને ઉપાર્જન કરે છે. પાપનો ભાર અને વિકારરૂપ અંધકારનો નાશ કરનાર, સેંકડો સુકૃતોથી પામવાયુક્ત, સર્વ પીડાને હરનાર અને અનુપમ દિવ્ય મહિમાનું પાત્ર અને અતિશય પરમ પવિત્ર અને અત્યંત કલ્યાણકર પર્વતોમાં ઈન્દ્ર સમાન આ પુંડરીકગિરિ સદા જયવંતો છે, એવા શ્રી શત્રુંજય ગિરિરાજને કોટી કોટી વંદના. Page #285 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 269 સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ પર આવેલા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિવરની શોભા કંઈ અનેરી છે. શ્રી શત્રુંજયની વનશ્રી સોળે કળાએ ખીલેલી હોય છે. શ્રી શત્રુંજયનાં મંદિરોને જાણે સ્નાન કરાવવા આવતાં હોય તેમ વાદળો મંદિરો સાથે સંતાકૂકડી રમે છે. દિવ્ય ઔષધિઓથી ભરપૂર વનસ્પતિ, દેવો અને કિન્નરોથી નિત્ય પૂજાતાં મંદિરોના દિવ્ય નગરથી દેદીપ્યમાન, મહાપ્રભાવિક ચમત્કારોથી યુક્ત, આકાશમાં લાખ-લાખ તારકોમાં જેમ ચંદ્ર શોભી રહે છે તેમ તે ગિરિવર શોભી રહ્યો છે. | "શ્રી શત્રુંજય માહાભ્ય'નામના ગ્રંથમાં લખ્યું છે કે, હે ભવ્યો. એકવાર શ્રી શત્રુંજયગિરિના દિવ્ય મહિમાગાનનું શ્રવણ કરો. તમારું જીવન ધન્ય બની જશે. અરે! એકવાર શ્રી પુંડરીકગિરિની છાયાનો સ્પર્શ કરવાથી જનમોજનમનાં પાપ ધોવાઈ જશે. હે પ્રાણીઓ ! જો ધર્માચરણ કરવાને તમારું મન ઇચ્છતું હોય તો સર્વને ત્યજીને શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની નિશ્રાનો સ્વીકાર કરો.શ્રી શત્રુંજય તીર્થરાજ ઉપર શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાનને ધરવા જેવું શ્રેષ્ઠ કાર્ય જગતમાં બીજું કોઈ નથી. માટે હે પુન્યવાન આત્માઓ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનાં ગુણલાં ગવાય તેટલાં તમે ગાવ. પરમાત્મા શ્રી મહાવીર દેવ ફરમાવે છે કે આ અવસર્પિણીકાળની આદિમાં એક માત્ર શત્રુંજય જ તીર્થ હતું. બીજાં તીર્થો તો એ પછી થયેલાં છે. શ્રી શત્રુંજયગિરિરાજનાં દર્શન કરવાથી જગતનાં સર્વ તીર્થોનાં દર્શન કરેલાં ગણાય છે. આ તીર્થના નામ એવા જ ગુણ છે. શત્રુંજય એટલે કે, " શત્રુ ઉપર વિજય મેળવવો તે." શ્રી શત્રુર્જયની સ્પર્શના કરનાર, શ્રી શત્રુંજયની યાત્રા કરનાર, શ્રી શત્રુંજયને વંદના કરનાર પોતાના રાગદ્વેષરૂપી શત્રુઓનો નાશ કરી વીતરાગ બની જાય છે. જેમ પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સુવર્ણતા પ્રાપ્ત કરે છે એમ શ્રી શત્રુંજય ગિરિરાજની સ્પર્શના થતાં આત્મા પરમાત્મા બની જાય છે. આ સિદ્ધગિરિ તીર્થ પહેલા આરામાં ૮૦ યોજનાના વિસ્તારવાળો હતો. બીજા આરામાં ૭૦, ત્રીજા આરામાં છે, અને ચોથા આરામાં ૫૦ યોજનાના વિસ્તાવાળો હતો. વર્તમાન પાંચમા આરામાં ૧૨ યોજનાનો છે. છેવટે છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણવાળો રહેશે. આ સિદ્ધગિરિ તીર્થનું પ્રમાણ અવસર્પિણીકાળમાં ઘટતું જાય છે અને ઉત્સર્પિણી કાળમાં તે જ પ્રમાણે પાછું વધતું જાય છે. ત્રણ ભુવનમાં જેટલા ઇન્દ્રાદિક દેવો અને દેવીઓ છે તે બધાં સદ્ગતિની ઇચ્છાથી આ તીર્થાધિરાજની સેવા કરે છે. શ્રી સિદ્ધગિરિ તીર્થના શ્રવણ માત્રથી પોતાના સ્થાનમાં રહેલા પ્રાણીઓ પણ યાત્રાનું ફળ મેળવે છે. એટલા માટે તો સવારમાં રાઈ પ્રતિક્રમણ કરતાં શ્રી શત્રુંજયનાં ખમાસમણાં અને ચૈત્યવંદન કરવામાં આવે છે. શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઉપર વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી સિવાય ર૩–૨૩ તીર્થંકરો સમવસર્યા છે. અરે ! જે તીર્થ ઉપર આવતી ચોવીસીના સર્વ તીર્થકરો - Page #286 -------------------------------------------------------------------------- ________________ 270 તપાગચ્છાધિષ્ઠાયક સમવસરવાના છે, એવા પરમ પવિત્ર ગિરિરાજને કોટી કોટી વંદના હો ! શત્રુંજયના દુહામાં કહ્યું છે કે, " નેમ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા વિમલગિરદ, ભાવિ ચોવીશી આવશે, પદ્મનાભાદિ જિર્ણદ.” શ્રી શત્રુંજય તીર્થનો એવો દિવ્ય પ્રભાવ છે કે એની યાત્રાએ જવા માટે પોતાના દેશથી, પોતાના ગામથી, પોતાના ઘરથી નીકળે, એટલે ઘેરથી એક ડગલું શત્રુંજય બાજુ ભરે કે ક્રોડો જનમનાં કરેલાં પાપો ધોવાવા લાગે. વાહ! શું એનો દિવ્ય પ્રભાવ ! એક કવિ લખે છે કે, " એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ, ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ.” શુદ્ધ શુભ ભાવવાળો માનવ, બીજાં તીર્થોમાં કોડ પૂર્વ પયંત શુભ ધ્યાન કરવાથી જે સત્કર્મ બાંધે છે એટલું સત્કર્મ શ્રી શત્રુંજય ગિરિરાજના શુભ ધ્યાન માત્રથી એક મુહૂર્ત માત્રામાં બંધાય છે. જેણે શ્રી શત્રુંજયગિરિનું સ્મરણ કર્યું તેને સર્વ તીર્થો, સર્વ પવિત્ર પર્વો અને અનેક પ્રકારનાં તપ તથા દાનધર્મ નિત્ય આરાધ્ય છે. ત્રણ જગતમાં આના જેવું બીજું પરમ તીર્થ એકેય નથી, જેનું એકવાર ફક્ત નામ સાંભળવા માત્રથી પણ પાપનો ક્ષય થાય છે. આ પવિત્ર ગિરિરાજ પ્રાણીઓના કાદવરૂપી કર્મોને ધોઈ નાખી તેને વિમલ કરે છે. તેથી તેને વિમલગિરિ કહેવાય છે. શ્રી આદીશ્વર પરમાત્માના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર સાધના કરી મુક્તિને વર્યા તેથી પુંડરીકગિરિને નામે પણ આ તીર્થ ઓળખાય છે. જે તીર્થની તસુએ તસુ જમીન મહાપવિત્ર મુનિવરોની સાધનાથી પવિત્ર બનેલી છે, જે ગિરિવરનું ધ્યાન ધરતાં ધરતાં અનંતા મુનિઓ મોક્ષપદને પામ્યા છે, એવા શ્રી શત્રુંજયગિરિરાજને હું કોટી કોટી વંદના કરું છું. પાપીને પણ પુન્યશાળી બનાવનાર, અધમને પણ ધન્ય બનાવનાર, પાપોથી ઘેરાયેલા આતમને બચાવનાર, અરે ! આ ભવરૂપી સમુદ્રમાંથી મુક્તિના કિનારે પહોંચાડનાર જહાજ સમાન શ્રી શત્રુંજય ગિરિવરનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. શ્રી શત્રુંજય તીર્થમાં અષ્ટપ્રકારી પૂજાનું ફળ જેઓ શીતલ અને સુગંધી જળથી પરમાત્માને અભિષેક કરે છે તેઓ પંચમજ્ઞાન અર્થાતુ કેવળજ્ઞાન મેળવી પાંચમી ગતિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. જેઓ ચંદનપૂજા કરે છે તેઓ Page #287 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અખંડ લક્ષ્મીયુક્ત થઈ કીર્તિરૂપી સુગંધ પ્રાપ્ત કરે છે. બરાસથી પૂજા કરનાર જગતમાં શ્રેષ્ઠ બને છે. સુગંધી પુષ્પ વડે પરમાત્માની પૂજા કરવાથી પાપરૂપી દુર્ગધ દૂર થઈ પુન્યરૂપી સુગંધ પ્રાપ્ત થાય છે. ધૂપપૂજા કરવાથી પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે. પ્રભુની વાસક્ષેપ-પૂજા કરવાથી દિવ્યતા પ્રાપ્ત થાય છે. અખંડ અક્ષતોથી પરમાત્માની ભક્તિ કરનારા અખંડ સુખ-સંપત્તિને પામે છે. દીપકપૂજા કરનારા દેહની સુંદર કાંતિ પ્રાપ્ત કરે છે. નૈવેદ્યપૂજા કરનાર અણાહારીપદ પ્રાપ્ત કરે છે અને ફળપૂજા કરનારા મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે. અરે ! આ તીર્થમાં પ્રભુને નમનાર આત્માઓ સૌના નમનને યોગ્ય બને છે. પ્રભુનાં ગુણલા ગાનારાઓ અન્યોને ગાવા યોગ્ય બને છે. પરમાત્માની ભક્તિ કરનાર ભક્ત ભગવાન બની જાય છે, આત્મા પરમાત્મા બની જાય છે. સંસારી સંસાર છોડી સિદ્ધ બની જાય છે. માટે તો આ તીર્થનું નામ સિદ્ધગિરિ છે, જે સંસારનાં બંધનોમાંથી મુક્ત બનાવી આત્માને સિદ્ધ બનાવે છે. આવો દિવ્ય મહિમા છે. આ તીર્થાધિરાજ શત્રુંજયનો. જે પાપી અને અભવી જીવો છે તે આ તીર્થને ભાવથી જોઈ શકતા નથી. એક સ્તવનમાં શ્રી પદ્મવિજયજી મહારાજ લખે છે કે – 'પાપી અભવી નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ, વિમલગિરિ યાત્રા નવ્વાણું કરીએ. ' આ તીર્થનું દર્શન થવું એ પણ એક મહાન પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે જ થાય. " ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ અપાવે.” શ્રી શત્રુંજય ગિરિરાજનાં દર્શન મહાભાગ્યશાળી હોય તે જ કરી શકે છે. અને એના દર્શન કરવાથી જનમોજનમનાં પાપ ધોવાય છે. કર્મોના બંધનમાં અનંતા કાળથી બંધાયેલો આત્મા મુક્ત બની શાશ્વતાં સુખોને પ્રાપ્ત કરે છે. શ્રી શત્રુંજયગિરિ પર સંખ્યાબંધ જિનમંદિરો આવેલાં છે, તેથી શત્રુંજય ગિરિરાજ જાણે કોઈ ગગનમાં આવેલું દેવમંદિરોનું નગર હોય તેવું અલૌકિક લાગે છે. જે કાળમાં એક નાનું સરખું મંદિર બંધાવવામાં, જૂનાં મંદિરોના જીર્ણોદ્ધારકાર્યમાં કેટકેટલી કઠિનાઈઓ પડતી હતી અને તે સમયે આજના જેવાં યાંત્રિક સાધનો કે વાહનવ્યવહારનાં સાધનો ન હતાં ત્યારે સેંકડો મીટરની ઊંચાઈએ આવેલા ગિરિરાજ ઉપર ગગનચુંબી ભવ્ય જિનમંદિરો બનાવનાર પુણ્યવાનોના પવિત્ર હૃદયમાં કેટકેટલી પ્રભુભક્તિ ભરી હશે! કેવી અપૂર્વ ઉદારતાનાં નિર્મલ, વિશુદ્ધ ઝરણાં વહેતાં હશે! આખી જિંદગી મહેનત-મજૂરી કરી પાઈ-પાઈ ભેગી કરી જે પુણ્યાત્માઓએ ગિરિવરના દિવ્ય મહિમાથી પ્રભાવિત થઈ પોતાના જીવનનું સર્વસ્વ સમર્પણ કરી ભવ્ય મંદિરો તૈયાર કરાવ્યાં તેઓની કેવી હશે દિવ્ય ભાવના! કેવી હશે તીર્થ પ્રત્યેની અદ્ભુત સમર્પણ–ભાવના ! એક એક મંદિર પાછળ ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. મંદિરનો એક એક પથ્થર Page #288 -------------------------------------------------------------------------- ________________ 272 તપાગચ્છાધિષ્ઠાયક પરમાત્મભક્તિનાંદિવ્ય ગાન ગાઈ રહ્યો છે. મંદિરના શિખર પર રણકતી ઘંટડીઓ તીર્થાધિરાજનાં ગુણગાન ગાઈ રહી છે. મંદિરના શિખર પર ફરકતી ધર્મધજાઓ મુક્તિનો શુભ સંદેશ આપી રહી છે. આ મંદિરો બંધાવનારા મહાભાગ્યશાળી આત્માઓ ધર્મને સમર્પિત બની અને સંપત્તિનો સદુપયોગ કરી ઈતિહાસમાં અમર બની ગયા. ધન્ય છે એમની શ્રદ્ધાને, ધન્ય છે એમની ભક્તિને! ધન્ય છે તે પુન્યશાળીઓની શ્રી શત્રુંજયગિરિ ઉપરની દિવ્ય ભાવનાને! શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર એવું દિવ્ય આભામંડળ રચાયેલું છે કે જેનો સ્પર્શ થતાં મનનાં અશુભ પરિણામો શુદ્ધ બની જાય છે. શ્રી શત્રુંજય ગિરિવર ઉપર અનંતા આત્માઓ સાધના કરી સિદ્ધ ગતિને પામ્યા હોઈ તેનો અણુએ અણુ પવિત્ર બન્યો છે. શ્રી શત્રુંજય મહાતીર્થનું સમગ્ર વાતાવરણ જ એટલું શુદ્ધ અને પાવન છે કે જેથી ત્યાં પ્રવેશતાં જ આત્મા દુર્ગાનમાંથી નીકળી ધર્મધ્યાનમાં પ્રવેશ કરે છે. મહાપાપી એવા આત્માના મનનાં પરિણામ ત્યાં જઈ બદલાઈ જાય છે. એના મનની ભાવનાઓ શુદ્ધ બને છે. એના જીવનમાં શુભ ભાવ પેદા થાય છે. હૈયામાંથી વાસના અને વિકારો દૂર દૂર ભાગી જાય છે. - અહીં સંખ્યાબંધ ઉદ્ધારો થઈ ગયા છે. અનાદિકાળની અપેક્ષાએ અસંખ્યાતા છતાં વર્તમાન અવસર્પિણીકાળમાં જેના સોળ મોટા ઉદ્ધાર થયેલા છે, જે આ પ્રમાણે છે : (૧) આ અવસર્પિણીકાળમાં શ્રી શત્રુંજય તીર્થનો દિવ્ય મહિમા શ્રી ઋષભદેવ પરમાત્માના મુખથી સાંભળી શ્રી ભરત ચક્રવર્તીએ ઇન્દ્ર મહારાજાની સૂચના અનુસાર ભવ્ય "રૈલોક્યવિભ્રમ" નામનોજિનપ્રાસાદબનાવી, શ્રી ઋષભદેવ પરમાત્માની અલૌકિક પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી.આ પ્રથમ ઉદ્ધાર થયો. (૨) દંડવીર્ય રાજાને શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર માટે સૌધર્મેન્દ્ર દેવે પ્રેરણા આપી. શ્રી દંડવીર્ય ભાવ સહિત પોતાના સમગ્ર પરિવાર સાથે શ્રી શત્રુંજયગિરિ આવ્યા અને જીર્ણ થઈ ગયેલા પ્રાસાદોને જીર્ણોદ્ધારપૂર્વક નવા કરાવ્યા. આ બીજો ઉદ્ધાર થયો. - (૩) ત્યારબાદ કેટલાક કાળે, એક વખત ઈશાનેન્દ્ર શ્રી અરિહંત પરમાત્માને વંદન માટે મહાવિદેહક્ષેત્રમાં ગયા. અરિહંત પરમાત્મા શ્રી સીમંધરસ્વામીએ પોતાની પાંત્રીસ ગુણોથી યુક્ત વાણીથી દેશના દેવાનો આરંભ કર્યો? હે ભવ્યજનો! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ અને મહાપવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થ આવેલું છે. ત્યાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ પરમાત્મા બિરાજમાન છે. તે ભરતક્ષેત્રને ધન્ય છે કે જ્યાં શ્રી શત્રુંજયતીર્થ છે. એ શત્રુંજય મહાતીર્થનાં દર્શન, યાત્રા કરનાર ભાગ્યશાળીને પણ ધન્ય છે. જેનાં દર્શન અતિ દુર્લભ છે એવા શ્રી શત્રુંજય મહાતીર્થનું તમે રોજ સ્મરણ, દર્શન, પૂજન કરી જીવનને ધ્યેય બનાવો. પરમાત્માના મુખથી શ્રી શત્રુંજયનો દિવ્ય મહિમા સાંભળી ઈશાનેન્દ્ર શ્રી શત્રુંજયગિરિ પર આવ્યા. પરમાત્માનાં દર્શન કરી ધન્ય ધન્ય બની ગયા. ત્યાં જિનપ્રાસાદોને જીર્ણ થયેલા જોઈ ઈશાનેન્દ્ર દિવ્ય શક્તિથી શ્રી શત્રુંજય મહાતીર્થનો જીર્ણોદ્ધાર કર્યો, જે ત્રીજો ઉદ્ધાર થયો. Page #289 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ (૪) ચોથા દેવલોકના અધિપતિ શ્રી મહેન્દ્રદેવે ચોથો ઉદ્ધાર કર્યો. (૫) પાંચમો ઉદ્ઘાર શ્રી બ્રહ્મેન્દ્રદેવે કરાવ્યો. (૬) છઠ્ઠો ઉદ્ધાર શ્રી ચમરેન્દ્ર દેવે કરાવ્યો. (૭) સાતમો ઉદ્ધાર શ્રી અજિતનાથ પરમાત્માના શાસનમાં સાગર ચક્રવર્તીએ કરાવ્યો. (૮) ચોથા તીર્થંકર શ્રી અભિનંદનસ્વામી પોતાના ચરણથી પૃથ્વીતલને પવિત્ર કરતાં કરતાં શત્રુંજય મહાતીર્થે પધાર્યા. રાયણ વૃક્ષ નીચે દેવતાઓએ ભક્તિથી એમનું સમવસરણ રચ્યું. ત્યાં બેસીને દેશનામાં તેમણે કહ્યું કે, " હે ભવ્યજીવો ! શ્રી શત્રુંજયગિરિ એ મહાતીર્થ છે. કામ, ક્રોધાદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર છે. જે કોઈ આ તીર્થની ભક્તિ કરે એનું જીવન ધન્ય બની જાય છે. " પરમાત્માની પ્રેરણાથી વ્યંતરેન્દ્રોએ આઠમો ઉદ્ધાર કરાવ્યો. '' (૯) શ્રી શત્રુંજય મહાતીર્થનો નવમો ઉદ્ગાર ચંદ્રયશા રાજાએ કરાવ્યો. (૧૦) દસમો ઉદ્ધાર શ્રી ચક્રધર રાજાએ કરાવ્યો. 273 (૧૧) અગિયારમો ઉદ્ધાર શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીએ કરાવ્યો. (૧૨) બારમો ઉદ્ધાર પાંડવોએ કરાવ્યો. (૧૩) તેરમો ઉદ્ધાર વર્તમાન પંચમકાળમાં વિક્રમ સંવત ૧૦૦૮ની સાલમાં મધુપુરી (મહુવા)ના શ્રી જાવડશાહે કરાવ્યો. સંઘપતિ જાવડશા પોતાની પત્ની સહિત પ્રતિષ્ઠા સમયે શ્રી આદીશ્વર ભગવાનના જિનપ્રાસાદે ધજા ચઢાવવાને શિખર પર ચઢયા તે વખતે તેમના મનમાં એવા દિવ્ય ભાવો આવ્યા કે, " હું ભાગ્યશાળી છું કે ત્રણેય જગતમાં સર્વશ્રેષ્ઠ એવા તીર્થના ઉદ્ધારનો મહાલાભ મને પ્રાપ્ત થયો. હું ધન્ય છું કે શ્રી આદીશ્વર પરમાત્મા જેવા દેવ મને પ્રાપ્ત થયા. વજ્રસ્વામી જેવા ગુરુ અને શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર ભવ્ય મંદિર બનાવવાનો શુભ અવસર મને પ્રાપ્ત થયો. મારું જીવન ધન્ય બન્યું.' આમ શ્રી શત્રુંજય મહાતીર્થનો દિવ્ય મહિમા ગાતાં ગાતાં આ પતિપત્ની અપૂર્વ પ્રભુભક્તિમાં, તીર્થભક્તિમાં લીન બની, હર્ષાવેશમાં નાચતાં નાચતાં, શ્રી શત્રુંજયગિરિના અંતિમ શરણે મરણ સ્વીકારી દેવલોકને પામ્યાં. (૧૪) વિક્રમ સંવત ૧૨૧૩માં ગુજરાતના મંત્રીશ્વર વાગ્ભટ્ટ (બાહડમંત્રી)એ કુમારપાળ મહારાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ હસ્તે આ તીર્થનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. (૧૫) વિ. સં. ૧૩૭૧માં સમરાશાહે નવું દેરાસર નૂતન પ્રતિમાજી પધરાવી પંદરમો ઉદ્ધાર કર્યો. (૧૬) વિ. સં. ૧૫૮૭માં વૈશાખ વદ ના દિવસે કરમાશાહે ભવ્ય મંદિર બંધાવી પ્રભુજી પધરાવ્યા. આ સોળમો ઉદ્ધાર થયો. ચોથા આરામાં બાર ઉદ્ધાર અને પાંચમા આરામાં ચાર ઉદ્ઘાર એમ સોળ ઉદ્ધાર થયા. જ્યારે સત્તરમો ઉદ્ધાર શ્રી દુપ્પસહસૂરિજીના ઉપદેશથી વિમળવાહન રાજાના હસ્તે થશે. શ્રી ઉદયરત્નવિજયજી મ. સા. એક સ્તવનમાં લખે છે કે, Page #290 -------------------------------------------------------------------------- ________________ 274 " તપાગચ્છાધિષ્ઠાયક કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, સાધુ અનંતા સિધ્યા રે, એ માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે...... શ્રી શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે. તે ગણ્યા ગણાય નહિ તેટલા છે. છતાંય વર્તમાન અવસર્પિણીકાળમાં જે પ્રસિદ્ધ મહાત્માઓ શ્રી શત્રુંજય તીર્થે ધ્યાન ધરતાં ધરતાં મોક્ષે ગયા છે તેની કેટલીક વિગતો આ પ્રમાણે છે ઃ શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવરો સાથે ચૈત્રી પૂનમે મોક્ષમાં ગયા. શ્રી દ્રાવિડ અને વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિઓ સાથે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મોક્ષમાં ગયા. શ્રી શાંબ અને પ્રધુમ્ન સાડા ત્રણ ક્રોડ મુનિઓ સાથે ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષમાં ગયા. શ્રી નમિ—વિનમિ બે ક્રોડ મુનિઓ સાથે આસો સુદ પૂનમે મોક્ષમાં ગયા. શ્રી નારદજી ૯૧ લાખ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા. ભરત એક હજાર મુનિ સાથે વાસુદેવની પત્ની (સાધ્વી) ૩૫ હજાર સાથે, ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. શ્રી અજિતનાથ પ્રભુના દસ હજાર સાધુઓ ચૈત્રી પૂનમે સિદ્ધિપદને પામ્યા. શ્રી પ્રદ્યુમ્નનાં પત્ની ( સાધ્વી) વૈદર્ભી ૪૦૦૦ સાથે મોક્ષમાં ગયાં. બાહુબલીના મુનિ પુત્રો ૧૦૦૮, થાવચ્ચાપુત્ર એક હજાર, થાવચ્ચા ગણધર એક હજાર, કંદંબ ગણધર એક ક્રોડ, શૈલકસૂરિ ૫૦૦, રામ અને ભરત ૩ ક્રોડ, સોમયશા ૧૩ ક્રોડ, સગરમુનિ એક ક્રોડ, અજિતસેન મુનિ ૧૭ ક્રોડ, શ્રી સારમુનિ એક ક્રોડ, આદિત્યયશા એક લાખ, શ્રી શાંતિનાથ પ્રભુના શિષ્યો દમિતારિ ચૌદ હજાર સાથે આ સિદ્ધગિરિ ઉપર મોક્ષમાં ગયા. આ ઉપરાંત શુક્ર પરિવ્રાજક એક હજાર, કાલિક એક હજાર, સુભદ્રમુનિ ૭૦૦, શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુઓ, શ્રી શાંતિનાથ પ્રભુના પરિવારના દસ હજાર સાધુઓ, ભરતના પુત્ર બ્રહ્મર્ષિ શાંતનુ રાજા ચાર પુત્રો સાથે, ચંદ્રશેખર રાજા, ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, વસુદેવના પુત્ર જાલિ–મયાલિ, ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડકમુનિ, આનંદ ઋષિ, સાત નારદ તથા ભરતચક્રીની પાસે દીક્ષિત અસંખ્ય રાજાઓ ઇત્યાદિ અનંતા ત્યાગી આત્માઓ પરમ પવિત્ર આ ગિરિરાજ પર અનશન કરી કર્મોને ખપાવી મોક્ષે ગયા છે. કેટલાય આત્માઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું ધ્યાન ધરતાં ધરતાં દેવગતિને પણ પામ્યા છે. અહર્નિશ એ દેવો ગિરિરાજની ભક્તિ કરી રહ્યા છે. જેમ કે શ્રી શત્રુંજયગિરિના માહાત્મ્યને સાંભળીને દષ્ટિવિષસર્પ ઈશાન દેવલોકનો ઇન્દ્ર બને છે. આ હકીકત શ્રી શત્રુંજય માહાત્મ્ય નામના ગ્રંથમાં છે. શ્રી શત્રુંજયગિરિની યાત્રાએ નીકળેલા ઉજ્જૈનના માણેકશા શેઠ શત્રુંજય તીર્થના શાસનરક્ષક શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર બન્યા. આજે પણ તેઓ શ્રી શત્રુંજયની સેવા-ભક્તિ કરી રહ્યા છે. એક વખત પ્રથમ તીર્થપતિ ઋષભદેવ પરમાત્મા શ્રીપ્રભ ઉદ્યાનમાં પધાર્યા હતા. ત્યાં અનંત નામના નાગકુમારની સાથે ધરણેન્દ્ર આવ્યા. જગદ્ગુરુ પરમાત્માને વંદન કરી પ્રશ્ન કર્યો Page #291 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 275 કે, " હે ભગવન્! સર્વ દેવોમાં અનંત નાગકુમારના દેહની કાંતિ આટલી અધિક કેમ છે? આ પ્રશ્ન સાંભળી પ્રભુએ ફરમાવ્યું કે, સુગ્રામ નામના ગામમાં કોઢરોગથી પીડિત એક બ્રાહ્મણે સુવ્રત નામના મારા શિષ્યમુનિને પોતાને કોઢ થવાનું કારણ પૂછ્યું ત્યારે મુનિવરે કહ્યું કે, "પૂર્વભવે મુનિરાજને પીડા કરવાથી તેને કોઢ થયો છે." બ્રાહ્મણે મુનિવરનાં ચરણોમાં પડી પોતાના કોઢ રોગના નાશનો ઉપાય પૂછયો ત્યારે મુનિએ કહ્યું કે 'તું ભાવનાપૂર્વક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની સેવાભક્તિ કર. ગિરિરાજની ભાવપૂર્વક સેવાભક્તિથી આત્મા પાપકર્મથી મુક્ત બને છે અને સઘળા રોગો નાશ પામે છે. ત્રણ ભુવનમાં શત્રુંજય જેવું કોઈ પવિત્ર પ્રભાવક તીર્થ નથી, જેના સ્પર્શ માત્રથી રોગો દૂર દૂર ભાગી જાય છે. આ પ્રમાણે મુનિના મુખેથી તીર્થનો દિવ્ય મહિમા સાંભળી તે બ્રાહ્મણ સિદ્ધગિરિની યાત્રાએ આવી સેવાભક્તિ કરે છે અને રોગરહિત થાય છે. તીર્થના આ પ્રભાવથી તેના મનમાં દઢ વૈરાગ્ય જાગે છે. અનશન કરી, મૃત્યુ પામી, આ ભવે એ અનંત નાગકુમાર દેવ બનવા સાથે અદ્દભુત કાંતિને પ્રાપ્ત કરે છે. " પશુ પંખી જે ઈણ ગિરિ આવે ત્રીજે ભવે તે સિદ્ધ જ થાવે.... અજરામર પદ પાવે." શ્રી શત્રુંજય ગિરિરાજનું ધ્યાન, એની સ્પર્શના માત્ર માનવીને જ નહીં, પશુઓ અને પક્ષીઓ-જીવમાત્રને ઉદ્ધારનારી બને છે. પાવન ગિરિરાજ સહુને પવિત્ર બનાવવા માટે સમર્થ છે. સોળમા તીર્થપતિ શ્રી શાંતિનાથ પરમાત્મા દીક્ષા ગ્રહણ કરીને તીર્થાધિરાજ શત્રુંજયની ભૂમિ પર પધાર્યા છે. એક સિંહ ભયાનક ત્રાડો પાડતો પરમાત્માની સામે આવે છે. શ્રી શાંતિનાથ પરમાત્માએ સિંહને પ્રતિબોધ કર્યો અને તિર્થાધિરાજ શ્રી શત્રુંજયનો દિવ્ય મહિમાગાન સંભળાવ્યો. ભગવાનની દિવ્ય વાણીથી પ્રતિબોધ પામેલા સિંહને જાતિસ્મરણ-જ્ઞાન થયું, શ્રી શત્રુંજયના ધ્યાનમાં લીન પોતાના આત્માનું શ્રેય સાધ્યું. હિંસક એવો સિંહ પણ શ્રી ગિરિરાજના ધ્યાનથી હિંસાને છોડી આત્મકલ્યાણ સાધે છે. ધન્ય છે એ ગિરિરાજના દિવ્ય મહિમાને ! શ્રી ઋષભદેવના સમયની આ ઘટના છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર પ્રભુજી ધ્યાનમાં ઊભા હતા. તેમને જોઈ મોરપક્ષી ત્યાં આવ્યું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા. પ્રભુજી તેને સિદ્ધગિરિનો મહિમા સંભળાવે છે, જેના શ્રવણથી શ્રી શત્રુંજયગિરિનું ધ્યાન ધરતાં ધરતાં મોરનો જીવ ચોથા દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, એ દેવ ત્યાંથી ચ્યવને આ જ તીર્થભૂમિ પર આવીને આવતા ભવે મોક્ષમાં જશે. આવા અનેક આત્માઓ શ્રી શત્રુંજયના ધ્યાનના પ્રભાવથી દેવગતિને પામી શ્રી શત્રુંજયની ભક્તિ કરી રહ્યા છે. અરે ! ઇન્દ્ર જેવા ચોસઠ ઇન્દ્રો પણ શ્રી શત્રુંજય ગિરિવરની સેવાભક્તિ કરવા અહર્નિશ ખડા છે. શ્રી ઉદયરત્નવિજયજી મ.સા. એક સ્તવનમાં લખે છે કે, Page #292 -------------------------------------------------------------------------- ________________ 276 તપાગચ્છાધિષ્ઠાયક " ઈન્દ્ર સરીખા એ તીર્થની ચાકરી ચિત્તમાં ચાહે રે, કાયાની તો કાસળ કાઢી, સૂરજકુંડમાં નાહે રે.. શત્રુંજય દીઠો રે." શ્રી શત્રુંજય ગિરિરાજનો દિવ્ય મહિમા સાંભળી અનેક સંઘપતિઓ ગુરુ ભગવંતોની નિશ્રામાં સેંકડો-હજારો યાત્રાળુઓને લઈ છરી પાળતા સંઘ સાથે શત્રુંજયગિરિની યાત્રાએ આવ્યા છે અને શ્રી શત્રુંજય તીર્થની સેવાભક્તિ ને પરમાત્માનાં દર્શન કરી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા છે, જેમાંના મુખ્ય સંઘપતિઓ નીચે પ્રમાણે છે ભરત ચક્રવર્તી, પાંચ પાંડવો, વિક્રમ મહારાજા, કૃષ્ણ મહારાજા, રામચંદ્રજી,વસ્તુપાળ તેજપાળ, સંઘવી હેમરાજ, ગુણરાજ શ્રાવક, થરાદના આભુ સંઘવી, ઝાંઝણમંત્રી, સમ્રાટ ચંદ્રગુપ્ત, સંપ્રતિ મહારાજા, કુમારપાળ મહારાજા, શેઠ હેમાભાઈ, જેસલમેરના પટવા ભાઈઓ-આમ અનેક સંઘપતિઓએ હજારો યાત્રાળુઓ સાથે શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી જીવનને ધન્ય ધન્ય બનાવ્યું છે. ધન્ય છે આવા મહાપુરુષોને! આજે પણ ભારતભરનાં જુદાં જુદાં શહેરો અને ગામોથી છ'રીપાલિત સંઘમાં હજારો ભાવિક ભક્તો શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરવા માટે જઈ રહ્યા છે. અને આજના આ ભૌતિકવાદમાં પ્રાપ્ત સુખસાહ્યબી, સાધનસામગ્રી તેમ જ દુનિયાની સઘળી જંજાળ છોડી અને અનેક કષ્ટો સ્વીકારી પગપાળા ચાલી શ્રી શત્રુંજય તીર્થની યાત્રાથી જીવનને ધન્ય બનાવે છે. દિવસોના દિવસો અને માઈલોના માઈલો, છતાં નથી ત્યાં કોઈ થાક, નથી ત્યાં કોઈ ચિંતા. બસ એક જ ભાવના છે – શ્રી આદીશ્વર દાદાને ભેટવાની.. " દાદા આદેશ્વરજી! દૂરથી આવ્યો, દાદા દરિસણ દો." શ્રી શત્રુંજયગિરિની પાવન છાયામાં આત્માનું કલ્યાણ કરવા સંકડો સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા પાલીતાણામાં ચાતુર્માસ કરે છે. રોજ શ્રી શત્રુંજયગિરિને જોઈ જોઈ, તેનાં ગુણલાં ગાઈ, તેની તળેટીનાં દર્શન કરી શ્રી શત્રુંજયગિરિને કોટી કોટી વંદના કરી યથાશક્તિ તપજપ પૂર્વક શ્રી શત્રુંજયની ભાવયાત્રા કરતાં કરતાં પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ જ રીતે હજારો પુન્યવાન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ શ્રી શત્રુંજય ગિરિવરની છઠ્ઠના તપથી સાત સાત અને અઠ્ઠમના તપથી પાંચ પાંચ યાત્રા આદિ નિયમો અને વિધિ સહિત નવ્વાણું યાત્રા કરી જીવનને ધન્ય બનાવે છે. આનો મહિમા ગાતાં શ્રી પદ્મવિજયજી મહારાજ એક સ્તવનમાં કહે છે, " યાત્રા નવ્વાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવ્વાણું કરીએ." શ્રી શત્રુંજય ગિરિવરની પવિત્ર ધરતીનો એવો દિવ્ય પ્રભાવ છે કે ત્યાં યાત્રા માટે નીકળેલા આતમને અધિષ્ઠાયક દેવોની સહાય આપોઆપ મળે છે. અનેક આત્માઓને એની દિવ્ય અનુભૂતિ થાય છે. શરૂઆતમાં ગિરિવર ચડતાં થાક લાગે, શ્વાસ ચઢે, પણ જેમ જેમ Page #293 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 277 પગથિયું ચડતા જઈએ તેમ આત્મામાં અનેરો ઉલ્લાસ વધે, થાક દૂર દૂર ભાગી જાય, આત્મા પાવન થઈ જાય અને હૈયામાં એક શ્રી આદિનાથનું રટણ લાગી જાય. પરમાત્માના સહારે શ્રી શત્રુંજયગિરિનાં ગુણલા ગાતો આતમ દાદાના દરબારે પહોંચી જાય અને પરમાત્માનાં દર્શન કરી ધન્ય બની જાય. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા જય તળેટીથી શરૂ થાય છે. જય તળેટીના પગથાળમાં બંને હાથીઓ જાણે યાત્રાળુઓને આવકારતા હોય એમ શોભી રહ્યા છે. ત્યાં પરમાત્માનાં પગલાં છે. ભાગ્યશાળીઓ ત્યાં ચૈત્યવંદન કરી ઉપર ચઢવા લાગે છે. થોડાંક પગથિયાં ચઢતાં જ અજીમગંજના રાયબહાદુર બાબુ સાહેબે પોતાનાં માતુશ્રીના સ્મરણાર્થે બંધાવેલું ભવ્ય દેરાસર) આવે છે, જે બાબુના દેરાસર નામે ઓળખાય છે. આ વિશાળ પ્રાસાદે મૂળનાયક શ્રી આદીશ્વર પરમાત્મા છે. વિ.સં. ૧૯૫૦ના મહા સુદિ દસમની અહીં પ્રતિષ્ઠા થઈ છે. બાબુના દેરાસરથી બહાર નીકળતાં સામે શ્રી સમવસરણ મહામંદિરનું ભવ્ય નિર્માણ થયું છે. અહીંથી ઉપર ચઢતાં, બીજા વિસામાની સામે ભરત ચક્રવર્તીનાં પગલાં છે. ત્રીજા વિસામે ચઢતાં શ્રી નેમિનાથ ભગવાન અને વરદત્ત ગણધર તથા શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે. પાંચમા વિસામાની સામે શ્રી ઋષભદેવ સ્વામીનાં પગલાં છે. અહીં કુમારપાળ મહારાજાનો કુંડ છે. ત્યાંથી આગળ જતાં હિંગળાજનો હડો આવે છે. પહેલાં તો આ રસ્તો ખૂબ મુશ્કેલ હતો; પણ હવે નવો રસ્તો થવાથી ચઢાણ ઓછું લાગે છે. આગળ ચઢતાં છાલા કુંડના નાકે દેરીમાં ચાર શાશ્વતા પ્રભુનાં પગલાં છે. નવા રસ્તે આગળ વધતાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા પદ્માવતી દેવીનું મંદિર આવે છે. ત્યાંથી આગળ વધતાં જૂના-નવા રસ્તાના સંગમ પર દ્રાવિડ અને વારિખિલ્લની દેરી બાંધેલી છે. આગળ જતાં વિસામો અને કુંડ ઓળંગ્યા પછી દેરીમાં પાંચ કાઉસગ્ગિયા છે. હનુમાનધારા પર વડ નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહીંથી ડાબી બાજુએ રામપોળ તરફ જવાનો રસ્તો છે અને જમણી બાજુએ નવટૂક તરફ જવાનો રસ્તો છે. તળેટીથી શિખર પહોંચવાનો રસ્તો લગભગ સવા–બે માઈલનો છે. ૩૭૫૦ પગથિયાં છે. આ તીર્થનો સમગ્ર વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. રામપોળમાં પ્રવેશ કરતાં જ સામે પાંચ શિખરનું ભવ્ય દેરાસર છે. અહીંથી ચોક ઓળંગી પગથિયાં ચઢી વિમલવસહીમાં દાદાના દરબારમાં જવાય છે. સગારપોળ તેમ જ વાઘણપોળનો દરવાજો ઓળંગીને ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આગળ વધતાં શ્રી ચક્રેશ્વરી દેવીનું અને કવઠ્યક્ષનું દેરું આવે છે. એક પછી એક સંખ્યાબંધ જિનમંદિરો બંને બાજુ આવેલાં છે, જેમાં મુખ્ય ડાબી બાજુ શ્રી નેમિનાથની ચોરીવાળું, પુણ્ય પાપની બારી તથા જમણી બાજુ શ્રી અમીઝરા પાર્શ્વનાથ અને સમવસરણનું દેરાસર છે. ચોકમાં હાથીપોળના નાકે કુમારપાળ મહારાજાનું દેરાસર છે. સામે હાથીપોળ થઈ Page #294 -------------------------------------------------------------------------- ________________ 278 તપાગચ્છાધિષ્ઠાયક રતનપોળમાં દાદાનાં દર્શન સન્મુખ જતાં પગથિયાં ચઢતાં મોટો ચોક ઓળંગી દાદાના દરબારમાં દાખલ થવાય છે. શ્રી આદીશ્વર ભગવાનનું આ મુખ્ય દેરાસર ખૂબ જ ભવ્ય છે. ગગનચુંબી ઊંચા મનોહર શિખરવાળું, ઘુમ્મટોની હારમાળાઓથી સુશોભિત આ મુખ્ય મંદિર જેની અંદર ચૌદમા ઉદ્ધારના સમયની મૂળનાયક શ્રી આદીશ્વર પરમાત્માની પ્રતિમા અલૌકિક અને ચમત્કારી છે. | "માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતી મારું મન લોભાણું છે." શ્રી આદીશ્વર દાદાનાં દર્શન કરતાં હૃદય નાચી ઊઠે છે. આત્મા પ્રફુલ્લ બને છે, જગતનાં સુખદુઃખ ભૂલી જવાય છે, ભાવનાઓનાં દિવ્ય સંગીત હૈયામાં ગુંજવા લાગે છે. પરમાત્માનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરવાની ઊર્મિઓ જાગૃત થાય છે. એવો તો અપૂર્વ આનંદ ઊભરાય છે કે દર્શન કરતાં મન ધરાતું નથી. બસ જોયા જ કરીએ, જોયા જ કરીએ-જાણે હૈયામાંથી અવાજ ગુંજતો હોય, "તને છોડીને કયાં જઈએ પ્રભુજી મારા, તને છોડીને કયાં જઈએ." શ્રી આદીશ્વર દાદાના મંદિરની પાછળ રાયણવૃક્ષ નીચે શ્રી આદીશ્વર પરમાત્માનાં પુનિત પગલાં છે. આ પગલાં કર્માશાએ સંવત ૧૫૮૭માં પધરાવેલાં છે. " રાયણ રૂડી રે, જિહાં પ્રભુ પાથ ધરે, વિમલગિરિ વંદો રે, દેખત દુઃખ ટળે." આ રાયણવૃક્ષ ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુથી ભૂષિત છે. આ પવિત્ર વૃક્ષની નીચે શ્રી ઋષભદેવ પરમાત્મા અનેક વખત સમવસર્યા હતા. તેના દરેક પત્ર, પુષ્પ અને શાખા પર દેવતાઓનો વાસ છે. આ વૃક્ષ ' મહાસિદ્ધિ ને આપનાર છે. દાદાની મુખ્ય ટૂકમાં ત્રણ પ્રદક્ષિણા દેવાથી નાનાંમોટાં મંદિરો અને પ્રતિમાઓનાં દર્શન થાય છે, જેમાં મુખ્ય મંદિરો આ પ્રમાણે છે – (૧) સહકૂટનું મંદિર, (ર) સીમંધરસ્વામીનું મંદિર, (૩)નવા આદીશ્વરનું, (૪) મેરુશિખર, (૫) સમેતશિખર, (૬) ગણધર પગલાં, (૭) ભાથાનું મંદિર, (૮) બાજરિયાનું મંદિર, (૯) વીસ વિહરમાન, (૧૦) અષ્ટાપદનું મંદિર, (૧૧) પુંડરીકસ્વામીનું મંદિર અને (૧૨) નવું બનેલું શ્રી આદીશ્વર પરમાત્માનું મંદિર, - દાદાની ટૂકમાં નાનાંમોટાં ૫ દેરાસરો અને લગભગ ૩૦૦ દેરીઓ છે, જેમાં પ૭00 જેટલી પ્રતિમાઓ છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવેલાં જુદાં જુદાં મંદિરોના જૂથને ટૂક નામથી ઓળખવામાં આવે. જેમ કે, નરશી કેશવજીની ટૂકઃ આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૨૧માં થઈ છે. આ ટ્રકમાં મુખ્ય બે દેરાસર છે. લગભગ ૭૫ દેરીઓ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 279 મોતીશા શેઠની ટ્રક: શ્રી આદીશ્વર દાદાની મુખ્ય ટૂક અને હેમવસહી ટૂકની વચ્ચે કુતાસણની મોટી ખીણ હતી. મુંબઈના ઉદારદિલ દાનવીર શેઠશ્રી મોતીશાએ આ ખીણ પુરાવી દેવવિમાન જેવી ટૂક બંધાવી છે. આ ટ્રકની વચ્ચે નલિની ગુલ્મ વિમાન જેવા આકારનું ભવ્ય મંદિર છે. આ ટૂકમાં ૧૬દેરાસરો અને લગભગ ૧રપ દેરીઓ છે. જૈન ઇતિહાસમાં શેઠ મોતીશાનું નામ સોનેરી અક્ષરે લખાયેલું છે અને તેથી તો એક કવિએ લખ્યું છે કે, " લાવે લાવે મોતીશા શેઠ, નવણજળ લાવે રે." શેઠ બાલાભાઈની ટૂંકઃ ઘોઘા બંદર નિવાસી શેઠ બાલાભાઈએ આ ટૂક બંધાવી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. અદ્ભુત શ્રી આદિનાથજી (શ્રી અબદજી)નું મંદિર આખાયગિરિરાજ પર આ અદ્ભુત છે. વિ.સં. ૧૬૮૬માં ધરમદાસ શેઠે આ પ્રતિમાજીની અંજનશલાકા કરાવેલ છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઊંચાં અને ભવ્ય હોવાથી અબદજી દાદાના નામે ઓળખાય છે. આ સ્થાન પરથી દાદાના દરબારની ટૂકનાં ભવ્ય દર્શન થાય છે. મોદીની ટૂક : અમદાવાદ નિવાસી શેઠ પ્રેમચંદ મોદીએ આ ટૂક બંધાવી છે. વિ.સં. ૧૮૪૩માં આ પ્રતિમા ભરાવી છે. આ ટ્રકમાં ૭ મંદિરો છે. લગભગ પચાસ જેટલી દેરીઓ છે. હેમાભાઈ શેઠની ટૂકઃ અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ આ ટૂક બંધાવી છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ 280 તપાગચ્છાધિષ્ઠાયક ઊજમબાઈની ટૂક : નંદીશ્વર દ્વીપની ટૂક તરીકે ઓળખાતી હેમાભાઈ શેઠનાં બેન ઉજમબાઈએ આ ટૂક બંધાવી છે. વિ.સં. ૧૮૯૩માં આ મંદિર તૈયાર કરેલું છે. ચૌમુખજીની ટૂકઃ આ ટૂક સવા-સોમચંદજીની ટૂક તરીકે પણ ઓળખાય છે. સૌથી ઊંચું શિખર આ ટૂકનું છે. વંથલીના શેઠ સવચંદ અને અમદાવાદના શેઠ સોમચંદે આ ટૂક બંધાવી છે, જેની પાછળ ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. આ ઉપરાંત શ્રી શત્રુંજય ઉપર શેઠ સાકરચંદની ટૂક, કેશવજી નાયકની ટૂક અને છીપાવસહીની ટૂક આવેલી છે. આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ પર સેંકડો જિનમંદિરો આવેલાં છે. વળી, એ મંદિરોની કારીગરોની કારીગરી, તેનું શિલ્પ, તેની સજાવટ, તેનો એક એક ગોખ અને સ્થંભ બહુમૂલ્ય ગણાય છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં મંદિરો અને પરમાત્માનાં દર્શન થાય છે. આથી જ આ ગિરિરાજને જિનમંદિરોનું નગર કહેવામાં આવે છે. આ બધાં મંદિરો એ સમયે.બંધાયેલાં છે કે જે સમયમાં આજના જેવાં સાધનો અને વાહનો નહતાં. માનવબળ, બુદ્ધિ, શ્રદ્ધા અને દિવ્ય ભાવનાઓ દ્વારા આ ભવ્ય મંદિરોની નગરી ઊભી થઈ છે. આ મંદિરો એટલાં ભવ્ય છે કે દર્શન કરતાં મન ધરાતું નથી. ' શ્રી શત્રુંજી મહાતીર્થની દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની પ્રદક્ષિણા દ્વારા પણ યાત્રા થાય છે. શ્રી શત્રુંજયની અનેક પાગ છે. ઘેટીની પાગ, રોહીશાળાની પાગ અને શત્રુંજય નદીની પાગ મુખ્ય ગણાય છે. ઘેટીની પાગ કે જ્યાં જવા માટે ગિરિરાજની પશ્ચિમ બાજુની બારીએથી ઊતરવાનો રસ્તો છે. નીચે ઊતરે એટલે મૂળ ઘેટીની ટૂકે શ્રી ઋષભપ્રભુનાં પગલાં છે. હવે તો ત્યાં પણ ભવ્ય મંદિરો બંધાયાં છે. શ્રી શત્રુંજય ગિરિરાજના કોઈપણ ભાગ ઉપર ઊભા રહી જોઈએ તો હજારો મંદિરોનું બહુ સુંદર દિવ્ય અને આશ્ચર્યજનક દશ્ય દેખાય છે. આજે જગતમાં ભાગ્યે જ એવો કોઈ પર્વત હશે જેના ઉપર આવાં પ્રાચીન, અલૌકિક, સેંકડો ભવ્ય મંદિરો હોય. પર્વત ઉપરથી ચારે બાજુ મનોહારી દશ્ય નજરે પડે છે. પશ્ચિમ દિશા તરફ જોતાં બાવીસમા તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની દિવ્ય તપોભૂમિ રેવતગિરિ ગિરનાર દેખાય છે. એક બાજુ કદમ્બગિરિના, બીજી બાજુ હસ્તગિરિના, તો ત્રીજી બાજુ તાલધ્વજ ગિરિનાં સુંદર દર્શન થાય છે. નીચે હસતી, રમતી ખેલતી વિશાળ પટ્ટમાં વહેતી શેત્રુંજી નદી દેખાય છે. કેવું એ સુંદર, અનુપમ દેશ્ય છે! શ્રી સિદ્ધાચલ શત્રુંજયગિરિનાં દર્શન, વંદન, સ્પર્શન કરતાં કરતાં પરમ પાવન શ્રી તીર્થાધિરાજનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવનો અને સમર્પણવૃત્તિનો મહાસાગર હિલોળે ચઢે છે. આ મહાતીર્થ જુગજૂના ઉજ્વલ ઇતિહાસનો સાક્ષી છે. એના અણુએ અણુમાં પવિત્રતાનો પ્રકાશ ભર્યો છે. કાંકરે કાંકરે અનંતા આત્માઓએ સિદ્ધિપદને પામી આ જગ્યા પાવન કરી છે. ભવ્યજીવોનાં જનમોજનમનાં પાપને ભસ્મીભૂત કરનાર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિનાં સ્તવન, પૂજન, અર્ચન, વંદન, વર્ણન અને મહિમા આત્માના અનંતાઅનંત પાપસમૂહનો નાશ કરનારા 9 શ્રી શત્રુંજય મહાતીર્થની પવિત્રતા કેટલી મહાન હશે? જેનાં ગુણલાં શ્રી અરિહંત પરમાત્મા પોતે ગાય. ધન્ય છે એવા મહાપવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનાં ગુણલાં ગાનારને, Page #297 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 281 Ex s 1 1 1 એના મહિમાનું વર્ણન કરનારને, એનું દર્શન, પૂજન, સ્પર્શના, સ્તવના કરનારને અને એના મહિમાનું દિવ્ય અમૃતપાન કરનારને. બીજાં બધાં તીર્થો કદાચિત અનિયત અને ક્ષેત્રની અપેક્ષાએ તથા અમુક કાળ માટેનાં તીર્થ ગણાય છે, જ્યારે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજ તો સદા–સર્વદા, ત્રણેય કાળમાં તીર્થરૂપ છે. આવા તીર્થનો મહિમા પંદર ક્ષેત્રના તીર્થકર દેવોના શાસનમાં પ્રભાવવંતો રહ્યો હતો, રહો છે. અને રહેશે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માથી માંડીને ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્મા સુધીના અરિહંતોએ સ્વમુખે શ્રી શત્રુંજય મહાતીર્થ, સિદ્ધાચલ, સિદ્ધગિરિ, વિમલગિરિ, પંડરીકગિરિ, સુભદ્રગિરિ, કંચનગિરિ આદિ ૧૦૮ નામો વડે જેના મહિમાનું વર્ણન કર્યું છે, એવા તથધિરાજ શ્રી શત્રુંજયગિરિના મહિમાનો પ્રભાવ અનાદિકાળથી આજ સુધી અતિશય વિસ્તારને પામ્યો છે. અત્યાર સુધીના અનેક ત્યાગી, જ્ઞાની ગીતાર્થ શાસ્ત્રોના જાણકાર એવા પ્રાચીન અને અર્વાચીન મહાત્માઓએ, પૂજ્ય આચાર્યાદિ શ્રમણ ભગવંતોએ, શ્રદ્ધાળુ શ્રાવકગણે સ્તવનો, સ્તુતિઓ, દુહાઓ, વિવિધ વર્ણનો પૂર્વક, કાવ્ય અને લેખો દ્વારા પોતાની વિદ્વતાપૂર્ણ પ્રભાવશાળી ભાષામાં શ્રદ્ધાપૂર્વક સ્તવ્યો છે, પૂજ્યો છે, ગાયો અનુમોદના કરી છે અને શ્રી શત્રુંજયનાં ચરણોમાં કોટી કોટી વંદના કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. એક કવિએ કહ્યું છે કે, " એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પાર" Page #298 -------------------------------------------------------------------------- ________________ 282 તપાગચ્છાધિષ્ઠાયક ' શa જય મહાતીર્થ અને 'અભિલેખોથી પ્રાપ્ત માહિતી ડૉ. રસેશ જમીનદાર અલબત્ત, જૈન શ્રમણોએ લખેલાં તીર્થવર્ણનો, ધર્મગ્રંથો, પ્રવાસ–વૃત્તાતો કે અભિલેખો જૈનધર્મને કેન્દ્રમાં રાખીને લખાયાં હોવા છતાંય એમાંથી ઇતિહાસોપયોગી વિગતો ઓછેવત્તે અંશે હાથવગી થતી જ રહે છે. આ દષ્ટિએ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં શત્રુંજયનું આગવું મહત્ત્વ રહ્યું છે. આ મંદિરનગરની સ્થાપત્યકલા અને અભિલેખોની વિપુલતા અન્વેષકો માટે એક પ્રયોગશાળાનું સ્થાન ધરાવે છે. અહીંનાં મંદિરો અને મૂર્તિઓ ઉપર ઉકીર્ણ એવા ૫૮ અભિલેખોના પૃથક્કરણનો પ્રયાસ થયો છે. આ બધા લેખોમાં સૌથી જૂનો લેખ વિ.સં. ૧૧૯૦ નો છે; જ્યારે છેલ્લો લેખ વિ.સં. ૧૯૪૦નો છે. ઈશુની ૧૨મી સદીથી આરંભી લગભગ પ્રત્યેક સદીના ઠીક સંખ્યાના લેખો પર્વતસ્થિત આ મંદિરનગરમાં જોવા મળે છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષાના, ધાર્મિક સ્વરૂપના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પૃથક્કરણાત્મક રીતે પ્રસ્તુત થયેલ આ લેખના લેખક ડૉ. રસેશભાઈ જમીનદાર ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના સન્માનનીય રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. અભિલેખો અને સિક્કાવિજ્ઞાન એમના અન્વેષણના મુખ્ય વિષયો છે. દફતરવિદ્યાના વિકાસમાં એમનો ફાળો નોંધપાત્ર છે. દિલ્હીસ્થિત ભારતીય ઇતિહાસ અન્વેષણની સંસ્થા ઈડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એમની સેવા લીધી છે. ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકેની ત્રણ દાયકાની તેમની યશસ્વી અન્વેષણ કારકિર્દી પ્રશંસનીય બની છે. અભિલેખવિદ્યા અને દફતરવિદ્યાના ક્ષેત્રે ડૉ. જમીનદારનું પ્રદાન ધ્યાનાર્હ છે. વીસેક જેટલા ગ્રંથો અને ત્રણસોથી વધારે અન્વેષિત લેખો દ્વારા એમણે ગુજરાત અને ભારતના ઇતિહાસ અંગેના ઘણા બધા યક્ષપ્રશ્નો વિષે ભારે મોટું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. - સંપાદક તીર્થસ્થાનનું મહત્ત્વ આપણી સંસ્કૃતિનાં પ્રવાસધામો અને તીર્થસ્થાનો આગવાં અંગો છે. ભ્રમણવૃત્તાંતોએ આ બંનેનો મહિમા પ્રસ્થાપિત કર્યો છે. કોઈ પણ રાષ્ટ્રના ઇતિહાસમાં ભ્રમણવૃત્તાંતો સારી પેઠે પ્રમાણભૂત મનાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 283 તનમનના શુદ્ધીકરણ માટે માનવજીવનમાં દરેક તબક્કે તીર્થસ્થાનો અને પ્રવાસધામોનું માહાભ્ય સ્વીકારાયું છે. પ્રત્યેક ધર્મ-સંપ્રદાયે પણ એનું મહત્ત્વ આત્મસાત્ કર્યું છે. જીવનની રોજિંદી ધાંધલ-ધમાલથી દૂર લઈ જઈ આત્મશાંતિ અર્પનાર તીર્થયાત્રા કે પ્રવાસસ્થાનની મુલાકાત એક અમોલ ઔષધિ છે. ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું માહામ્ય આથી સ્વાભાવિક જ અનેરું છે. આમ તો બધા લોકોમાં તીર્થસ્થાનનું મહત્ત્વ-મૂલ્ય સરખું જ છે. આથી ભારતમાં બધા ધર્મોના ભક્તોએ તથા સાધુઓએ તીર્થોના વિકાસમાં ફાળો આપ્યો છે. પેઢી દર પેઢી ભક્તો અને સંતો તીર્થોના શણગારને વધારતા રહ્યા છે. ટૂંકમાં તીર્થસ્થાન હંમેશાં વિકસતી પ્રક્રિયા છે. ભાવનગર જિલ્લામાં આવેલું નગર પાલિતાણા અને ગિરિ–પર્વત શત્રુંજય આવું એક વિકસતું તીર્થ છે. જૈનધર્મમાં તીર્થયાત્રાઓનું મહત્ત્વ સવિશેષ પ્રાપ્ત થાય છે. આ ધર્મના શ્રમણસંઘે અને શ્રાવકસંઘે તીર્થોની જાળવણી અને નવરચનામાં ખૂબ જ ઉમદા ફાળો આપ્યો છે. જૈન સાધુઓના વિહાર અને ચાતુર્માસ જૈન સાધુઓ કોઈ પણ સ્થળે લાંબા સમય સુધી સ્થાયી રહી શકતા નથી. ફક્ત ચાતુર્માસ દરમિયાન જ તેઓ જે તે સ્થળે સ્થાયી રહી શકે છે. આ રીતે જૈન સાધુઓ વર્ષનો મોટો ભાગ વિહારમાં–વિચરવામાં વ્યતીત કરે છે. તેઓ આ પગપાળા વિહાર દરમિયાન એક ગામથી બીજે ગામ, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જાય છે, તેથી તેમને વિધવિધ સ્થળો–સ્થાનો–નગરો-ગામોનો પરિચય થાય છે, વિવિધ સંસ્કૃતિઓનો સમાગમ થાય છે. આ ઉપરાંત વિહાર દરમિયાન માર્ગમાં આવતાં શિલ્પ-સ્થાપત્યો, પુરાતન અવશેષો, ઐતિહાસિક સ્થળો વગેરેનો અભ્યાસ કરવાની તક સાંપડે છે. સમાજની વિભિન્ન રહેણીકરણી અને રીતરિવાજોનો પરિચય થાય છે. આ સાથે માર્ગમાં આવતાં ગામોના જ્ઞાનભંડારોનો અલભ્ય લાભ પ્રાપ્ત થાય છે, જેથી અન્વેષણની અનુકૂળતા રહે છે. વળી ચાતુર્માસના સ્થાયી વસવાટથી લેખન-સર્જનકાર્ય પણ સારી રીતે સંપન્ન કરવાની તક મળે છે. આમ જૈન સાધુઓને વિહારની અનુકૂળતા અને ચાતુર્માસના સ્થિરવાસની મળેલી વિશિષ્ટ તક, તેમાંના ઘણાખરાની જિજ્ઞાસાવૃત્તિ અને પ્રવૃત્તિશીલતા તેમ જ ઇતિહાસ પ્રત્યેની રુચિ અને દષ્ટિને પોષક નીવડી છે. તેથી તીર્થસ્થાનોનો સામાન્ય પરિચય, મંદિરો અને પ્રતિમાઓનું સૂક્ષ્મ વર્ણન તેમ જ મંદિરરચના અને પ્રતિમા–સ્થાપનના લેખોનું વાચન તથા સંપાદન જેવા ઇતિહાસ અને સંસ્કૃતિના ઘણા ગ્રંથોમાં જૈન સાધુઓનો વિશિષ્ટ ફાળો રહ્યો છે. જો કે ખાસ કરીને તીર્થો અને તીર્થસ્થાનોનું વર્ણન અને તેના માહાભ્યનું ગૌરવ ગાતા ગ્રંથોનું બાહુલ્ય સવિશેષ છે. ઇતિહાસની દષ્ટિએ પણ આ પ્રકારનાં પુસ્તકોનું મહત્ત્વ જરાય ઓછું નથી; કારણ, તેમાં માત્ર તીર્થોનું કે મંદિરો-પ્રતિમાઓનું વર્ણન જ નથી, પણ પ્રતિમાલેખો કે મંદિરલેખોનો અભ્યાસ, સ્થળોનું ભૌગોલિક વર્ણન, સ્થળનામોનો પૂર્વકાલીન–સમકાલીન પરિચય, તત્કાલીન રાજકારણનો આછો ઉલ્લેખ, સમાજજીવનનું આલેખન અને જૈનેતર તીર્થોનાં વર્ણનોનો સમાવેશ જેવી ઇતિહાસોપયોગી ઘણી માહિતી મળે છે. આ દષ્ટિએ શત્રુંજયગિરિ સ્થિત મંદિરલેખો અને Page #300 -------------------------------------------------------------------------- ________________ 284 પ્રતિમાલેખોની ટૂંકી વહી અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. શત્રુંજય–એક મંદિરનગર ભાવનગર જિલ્લામાં શત્રુંજયની ગિરિમાળાની સોડમાં એક નગર–પાલિતાણા વસેલું છે. કુદરતી સૌંદર્યની દષ્ટિએ મનહર એવું આ સ્થળ જૈન તીર્થ તરીકે પ્રખ્યાત છે, જૈનેતરો માટે મહત્ત્વનું પ્રવાસધામ પણ છે. આ નગરનું મહત્ત્વ શત્રુંજયગિરિને કારણે છે. આશરે ૬૫ મીટર ઊંચા આ પર્વત ઉપર નાનાંમોટાં આશરે ૮૬૩ જિનમંદિરો છે. પર્વત ઉપર વસેલું મંદિરોનું આવું નગર વિશ્વની અજાયબીઓમાંની એક અજાયબી છે. તપાગચ્છાધિષ્ઠાયક પાલિતાણાનું પૂર્વનામ પાલિતાણા નગરનું પૂર્વનામ પાદલિપ્તપુર. જૈનધર્મના પ્રભાવક આચાર્ય પાદલિપ્તસૂરિ મૂળ પાટલીપુત્રના; પણ વિહાર કરતાં કરતાં ગુજરાતમાં ઢાંક નામના સ્થળે પધાર્યા હતા. અહીં જૈનાચાર્ય નાગાર્જુન પાસેથી રસસિદ્ધિ પ્રાપ્ત કરી અને ગુરુની યાદમાં શત્રુંજયગિરિ ઉપર એમની મૂર્તિ પધરાવી. તીર્થંકર શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરી અને તળેટીમાં પોતાની સ્મૃતિમાં પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું, જે આજનું પાલિતાણા. શત્રુંજયગિરિ ઉપર સંખ્યાબંધ જૈનાચાર્યોએ અંતિમ શ્વાસ લીધા હોવાનું (અનશન કરી કાળધર્મ પામ્યા હોવાનું) જણાય છે. પર્વત ઉપર આવેલાં જિનાલયોમાં સૌથી પવિત્ર અને મુખ્ય છે શ્રી આદીશ્વરનું મંદિર. શત્રુંજય ઉપરનાં જિનાલયોનું સ્થાપત્ય, એની કોતરણી, એમાં પ્રસ્થાપિત તીર્થંકરોની મનભર-મનહર પ્રતિમાઓ, તેમના શણગાર – આ બધું સ્વચ્છતા અને કુદરતી સૌન્દર્યના સાંનિધ્યમાં અનુપમ દીપી ઊઠે છે. કાર્તિકી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ, ચૈત્રી પૂર્ણિમા અને અક્ષય તૃતીયાના દિવસે અહીં મેળા ભરાય છે. શત્રુંજયતીર્થના નવાણું નામ શત્રુંજયતીર્થનાં ૧૦૮ નામોમાંથી ૯૯ ઉપલબ્ધ છે ઃ અકર્મક, અકલંક, અચલ, અજરામર, અનંતશક્તિ, અભયકંદ, અભિનંદ, અમરકેતુ, અષ્ટોત્તરગિરિ, આનંદ, આનંદઘર, ઇન્દ્રપ્રકાશ, ઉજ્વલગિરિ, કદંબગિરિ, કપર્દીવાસ, કર્મક્ષય, કર્મસૂદન, કંચનગિરિ, કેવલદાયક, કૈલાસ, કોડીનિવાસ, ક્ષેમંકર, ગજચંદ્ર, ગુણકેતુ, ચર્મગિરિ, જગતારણ, જયન્ત, જયાનંદ, જ્યોતિસ્વરૂપ, ઢંકિંગરિ, તમોકંદ, તાલધ્વજગિરિ, દુઃખહર, દૃઢશકિત, પર્વતરાજ, પાતાલમૂલ, પુણ્યકંદ, પુણ્યરાશિ, પુરુષોત્તમ, પુષ્પદંત, પુંડરીકગિરિ, પૃથ્વીપીઠ, પ્રિયંકરગિરિ, પ્રીતિમંડલ, બાહુબલી, ભગીરથ, ભદ્રંકર, ભવતારણ, ભવ્યગિરિ, મણિકાંત, મરુદેવી, મહાગિરિ, મહાજય, મહાતીરથ, મહાનંદ, મહાપદ્મ, મહાપીઠ, મહાબલગિરિ, મહેન્દ્રધ્વજ, મહોદય, માયવંત, મુક્તિનિકેતન, મુક્તિનિલય, મુક્તિરાજ, મેરુમહીધર, યશોધરિગર, રાજરાજેશ્વર, રૈવતગિરિ, લોહીગિરિ, વિજયભદ્ર, વિજયાનંદ, વિભાસ, વિમલાચલ, વિલાસભદ્ર, વિશાલ, વિદ્યાનંદ, શતકૂટ, શતપત્ર, શત્રુંજય, શાશ્વતગિરિ, શિવશંકર, શ્રીપદ, શ્રેષ્ઠગિરિ, સર્વકામદ, સર્વાર્થ સિદ્ધગિરિ, સહજાનંદ, Page #301 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 285 સહસ્ત્રકમલ, સહસ્ત્રપત્ર, સિદ્ધક્ષેત્ર, સિદ્ધરાજ, સિદ્ધશેખર, સિદ્ધાચલ, સુભદ્ર, સુમતિ, સુરકાંત, સુરગિરિ, સૌંદર્યગિરિ, હસ્તગિરિ અને હેમગિરિ. બે નામ વિશેષ જાણીતાં અહીં એ નોંધવું જોઈએ કે આ બધાં જ નામના જે અર્થ થાય છે તે બધાં જ લક્ષણો આ તીર્થને લાગુ પડે છે. અર્થાત્ નામ પ્રમાણેના ગુણ આ તીર્થગિરિમાં જોવા મળે છે. આ તીર્થની આ જ વિશેષતા છે. સંભવ છે કે જગતના કોઈ તીર્થસ્થળ કે પર્વત કે નગરને આટલાં બધાં નામ સંપ્રાપ્ત ભાગ્યે જ થયાં હશે. પણ આ નવાણું નામોમાંથી બે નામ લોકમુખે વિશેષ ચડેલાં છે. તે છે શત્રુંજય અને પુંડરીક. ' શ્રી શત્રુંજય લઘુકલ્પ' નામના પ્રાકૃતભાષી ગ્રંથમાં રપમાંથી પ્રથમ બે શ્લોક આ પર્વતના વર્ણન સંબંધે ધ્યાનાર્હ છે: अइमुत्तय केवलिणा कहियं सित्तुंजय तित्थ माहप्पं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भाविआ ।।१।। सेत्तुंजे पुंडरिओ सिद्धो मुणि कोडि पंच संजुत्तो । चित्तस्स पुण्णिमाओ, सो भणइ, तेण पुंडरिओ ।।२।। અર્થાત્ જેનું વર્ણન શ્રી અઈમુત્તા કેવલી ભગવાને નારદઋષિ સમક્ષ મુક્તકંઠે કર્યું છે એવા શત્રુંજય તીર્થનું માહાભ્ય ભાવપૂર્વક સાંભળો (૧) શ્રી શત્રુંજય તીર્થ ઉપર ચૈત્રી પૂર્ણિમાને દિવસે પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિદ્ધ થયા તેથી તે (શત્રુજય) પુંડરીકગિરિના નામથી ઓળખાય છે (૨). શત્રુંજયગિરિની અજોડતા અને અદ્વિતીયતા વિશે પણ બે શ્લોક ધ્યાનાર્હ છે : यस्तुगैरति शोभते जिनगृहै: पंक्तिस्थितैरुज्वलै नान्यो येन समो गिरिस्त्रिभुवने प्रौढप्रभावान्वितः ।। यस्मिन् सिध्धिवधूता मुनिवरैः श्री पुंडरीकादिभि स्तं शत्रुजयशैलराजमनिशं वन्दे मुदा पावनं ।। અર્થાત્ ઊંચા, શોભાયમાન, પંક્તિબદ્ધ રહેલા અને ઉજ્વલ એવાં જિનમંદિરો વડે આ ગિરિરાજના સરખો પ્રૌઢપ્રતાપયુક્ત બીજો ગિરિ ત્રણ ભુવનમાં નથી, કારણ કે આ ગિરિરાજ ઉપર શ્રી પુંડરીક ગણધર વગેરે મુનિવરો મોક્ષવધૂને પામેલા છે. એવા આત્માને પવિત્ર કરનાર શ્રી શત્રુંજય ગિરિરાજને હર્ષથી હંમેશાં વંદન કરું છું. (શ્રી આગમોદ્ધારક વિરચિત). અભિલેખોના અધ્યયનનું મહત્ત્વ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ તેમ જ આલેખનમાં અભિલેખો એક શ્રેષ્ઠ સાધન ગણાયું છે. અભિલેખોના મુખ્ય ત્રણ પ્રકાર છે : પથ્થરલેખ, સિક્કાલેખ અને પત્રલેખ, શિલાલેખ, ખડક (શેલ)લેખ, સ્તંભલેખ, પ્રતિમાલેખ, સ્મારક (પાળિયા)લેખ, મુર્ભાલેખ Page #302 -------------------------------------------------------------------------- ________________ 286 તપાગચ્છાધિષ્ઠાયક વગેરે પેટાપ્રકારો પથ્થરલેખના છે. સિક્કા માટે સોનું, ચાંદી, તાંબુ, પોટન કે સીસું વપરાયેલું જોવા મળે છે. પત્રલેખોના પેટા પ્રકારમાં તામ્રપત્ર સૌથી વધારે જાણીતું છે. તે ઉપરાંત રજતપત્ર, તાડપત્ર, ભૂર્જપત્ર, કર્પટ (કાપડ)પત્ર વગેરેનો સમાવેશ થાય છે. આમ માટી–પથ્થર–ખડક– ધાતુ-લાકડું-પાન વગેરે પદાર્થો ઉપર કોતરેલું લખાણ તે અભિલેખો. આ ભૂમિકાના સંદર્ભમાં અહીં શત્રુંજય ઉપરના અભિલેખોની ચર્ચા પ્રસ્તુત છે. કંચનસાગરસૂરિનો પુરુષાર્થ - શત્રુંજયગિરિ ઉપર સ્થિત મંદિરો અને પ્રતિમાઓ ઉપરના લેખોનો સંગ્રહ આગમોદ્ધારક શિશુ આચાર્ય શ્રી કંચનસાગરસૂરિ મહારાજ લિખિત શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ -સ્થાપત્યકળામાં શ્રી શત્રુંજય' નામના સંવત ૨૦૩૮ (ઈસ્વી ૧૯૮૨ અને વીર સંવત ૨૫૦૮)માં આગમોદ્ધારક ગ્રંથમાળા-કપડવંજ તરફથી પ્રકાશિત થયેલા ગ્રંથમાં જોવા મળે છે. અહીં આ લેખમાં આ ગ્રંથમાં સંગૃહીત લેખોનો ઉપયોગ કર્યો છે. મંદિરો અને પ્રતિમાઓ જૈન પરંપરા મુજબ આ પર્વત ઉપર અનેક તીર્થંકરો, ચક્રવર્તીઓ, વિદ્યાધરો અને ખ્યાત રાજાઓ પદાર્પણ કરી ગયા છે. તેથી પશ્ચિમ ભારતનું આ સહુથી મહત્ત્વનું જૈનતીર્થ છે, જેના ઉપર નવ ટૂક છે. પ્રત્યેક ટૂક આગવી દીવાલથી રક્ષિત છે અને બધી ટ્રકોને આવરી લેતો સળંગ કોટ પણ છે. બધાં મળીને આશરે એક હજાર દેવાલયો અહીં છે અને બધી મળીને આશરે અગિયાર હજાર પ્રતિમાઓ એમાં પ્રતિષ્ઠિત છે, જેમાં ૫ પ્રતિમા ધાતુની છે. સથી વધુ પ્રતિમાઓ ૪૩૩૯ દાદાની ટૂંક ઉપર છે. બીજા નંબરે ૩૦૧૧ પ્રતિમા મોતીશાની ટૂક ઉપર છે અને સહુથી ઓછી, ૪૮ પ્રતિમા છીપાવસહીની ટૂક ઉપર છે. અહીં પાસે પાસે આવેલાં સંખ્યાબંધ દેવાલયોને કારણે આ પર્વત મંદિરનગર બન્યો છે. વિશ્વમાં કદાચ આવું ગિરિમંદિરનગર મળવું મુશ્કેલ છે. સરૂપ કલાઓની દષ્ટિએ પણ આ મંદિરનગર અભ્યાસીઓને આકર્ષે છે. આમાંનાં કેટલાંક મંદિર સોલંકીકાળ દરમિયાન અને મોટા ભાગનાં અર્વાચીન સમયમાં બંધાયેલાં છે. આ બધાં બાંધકામો (નવનિર્માણ) અને સમારકામો (જીર્ણોદ્ધાર)ની વિગતો વિશેષતઃ તો ચૌલુક્યા અને અનુચૌલુક્ય પ્રબંધસાહિત્યમાં વિસ્તારથી જોવા મળે છે. અભિલેખો પણ આમાંની કેટલીક માહિતીને સમર્થે છેઅહીંનાં મોટાભાગનાં મંદિરોનું એટલી હદે સમારકામ થયેલું છે કે જેને કારણે કલાના ઇતિહાસની દષ્ટિએ એણે મૂલ્ય ગુમાવ્યું છે. ઇતિહાસ-સંસ્કૃતિની દષ્ટિએ આંચકો આપે એવી આ હકીકત છે. આમ આ ઐતિહાસિક મંદિરનગરીનાં પૂર્વકાલીન સ્થાપત્યોએ એની પૂર્વકાલીનતાનો માહોલ ગુમાવી દીધો છે. એટલે આ ઇમારતોના સ્થાપત્યકીય અભ્યાસ માટે આપણે ડૉ. જેમ્સ બર્જેસના ગ્રંથ ' શત્રુંજય' (ઈ.સ. ૧૮૨૯)ની સહાય લેવી જ પડે. આચાર્યશ્રી કંચનસાગરસૂરિજીના ગ્રંથમાં પ૮૬ લેખોનો પાઠ આપવામાં આવ્યો છે. આ બધા લેખોમાં સહુથી જૂનામાં જૂનો લેખ વિક્રમ સંવત ૧૧૯૦નો છે અને નવી ટૂકની સ્થાપના Page #303 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 287 પૂર્વેનો છેલ્લામાં છેલ્લો લેખ વિક્રમ સંવત ૧૯૭૫નો છે. આમ વિક્રમની બારમી સદીથી આરંભી વિક્રમની વીસમી સદી સુધીમાં પ્રત્યેક સદીના ઠીક ઠીક સંખ્યાના લેખો આ ગિરિરાજ ઉપર એકસાથે જોવા મળે છે. આ બધા અભિલેખો કાં તો સંસ્કૃતમાં છે કાં તો જૂની ગુજરાતીમાં છે કાં તો સંસ્કૃત-ગુજરાતી મિશ્રભાષામાં છે. મોટે ભાગે બધા અભિલેખો ધાર્મિક સ્વરૂપના છે. પરંતુ થોડા ઐતિહાસિક લેખોય છે જેમાં વિક્રમ સંવત ૧૨૮૮ના વસ્તુપાલ-તેજપાલના બે લેખો ધ્યાનાર્ડ છે. આ બધા લેખોના પાઠ આચાર્યશ્રી કંચનસાગરસૂરિજીએ સ્વયં ઉતાર્યા છે. સદીવાર લેખોનું વિભાજન આ લેખોમાં બારમી સદીનો માત્ર એક જ લેખ છે, જે દેરી નંબર પર/રના પરિકર ઉપર છે. તેરમી સદીના બાર લેખો છે. ચૌદમી સદીના છાસઠ લેખો છે. પંદરમી સદીના ઈકોતેર લેખો છે. સહુથી વધુ લેખો સોળમી સદીના છે જેની સંખ્યા એકસો એસીની છે. સત્તરમી સદીના એકસો અગિયાર લેખો છે. અઢારમી સદીના પાંત્રીસ, ઓગણીસમી સદીના ઓગણચાલીસ અને વીસમી સદીના વીસ લેખો છે. વર્ષનિર્દેશ વિનાના એકાવન લેખો છે. આ બધા લેખોમાં ક્રમાંક ૧,૧૦,૧૫,૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૫, ૩૧, ૧૨૮, ૧૩૯, ૧૦, ૧૭૩, ૪૮૭, ૪૮૯, ૪૯૦, ૪૯૪, ૪૯૫, ૫૪ અને ૫૫૩ના લેખો પ્રમાણમાં મોટા છે, જેમાંથી રેખાંકિત છ લેખો વિશેષ મોટા છે. લેખાંક ૪૩ થી ૫૮, ૬૦ થી ૭૦, ૭ર થી ૭૫, ૭૭ થી ૮૭, ૯૦ થી ૧૦૮, ૧૧૦ થી ૧૧૩, ૧૧૬ થી ૧ર૩, ૧૨૯ થી ૧૩૪, ૧૧ થી ૧૩, ૧૫ થી ૧૬૮ અને ૧૭૩ થી ૩૭ના લેખો બે ત્રણ કે ચાર પંક્તિથી મોટા નથી. લેખાંક ૩૭૭ થી ૪૦૦ સુધીના તો એક એક લીટીના છે. તો લેખાંક ૪૦૧ થી ૪૮૮ સુધીનાં લખાણો ઘણાં નાનાં છે. લેખાંક ૫૦૧ થી પ૪પના લેખો ખૂબ જ નાના અને અધૂરા લખાણયુક્ત છે. ૫૪૫ થી ૫૫ લેખાંકો પણ આ જ પ્રકારના છે. લેખાંક પદ થી પ૮નાં લખાણો સંપૂર્ણ પાઠયુક્ત છે. રાજકીય માહિતી લેખાંક ૧ ઐતિહાસિક છે, જેમાં મુસ્લિમ અને હિન્દુ શાસકોનાં નામોનો નિર્દેશ છે. લેખાંક ૧૧ માં બાબુરી બાદશાહ અકબરે યાત્રાકર માફ કર્યાનો ઉલ્લેખ છે અને સકલ જંતુને અભયદાન બક્ષ્યાનો નિર્દેશ છે. લેખાંક ૧૧, ૨૧, ૩ર, ૧૨૭, ૧૪૩, ૧૪૩ અને ૫૮માં બાદશાહ અકબરનો અને લેખાંક ૧૩, ૧૫ થી ૧૮, ૨૧-રર, ૨૫, ૫૯, ૧૨૮, ૧૪૧, ૧૪૩, ૧૫૮ અને ૧૭૩માં બાદશાહ જહાઁગીરનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ગોહિલવંશ (લેખાંક ૧૬૪) કલ્યાણમલજી (લેખાંક ૪૫) ગોહિલરાજ (લેખાંક ૧ર૬), પ્રતાપસિંઘ (લેખાંક ૧૫૩) માનસિંઘ (લેખાંક ૩૯) વગેરે રાજાઓના નિર્દેશો જોવા મળે છે. આ ઉપરાંત કુંભરાજા, મઝાદખાન, બહાદુરશાહ, મદાફરશાહ (સંભવતઃ મુઝફફરશાહ), મહિમૂદ (અર્થાત મહમૂદ) જેવાં રાજનામો પણ હાથવગાં થાય છે. લેખાંક ૪૮૯ અને ૪૯૦ વસ્તુપાલ-તેજપાલના છે અને તે વિક્રમ સંવત ૧૨૮૮ના છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ 288 તપાગચ્છાધિષ્ઠાયક ગામ-નગરનાં નામ ગામો અને નગરના અધ્યયન માટે તથા તેમના નામકરણની તત્સમયની પ્રચલિત ભાત (પૅટર્ન) વિષે પણ આ બધા લેખો ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે. આમાં જે સ્થાનોનો નિર્દેશ છે, તેમાંથી થોડીક માહિતી અહીં પ્રસ્તુત છે. કૌંસમાંની સંખ્યા તે ગામ કે નગરનો ઉલ્લેખ આ લેખોમાં કેટલીવાર થયો છે તે નિર્દેશે છે. અમદાવાદ (૩૪), રાજનગર (૧૮) • ગંધાર (૧૩), પાટણ(૧૦), શ્રીપત્તન (૮), સુરત (૭), કચ્છ દેશ (૫) કોઠારનગર (c), દિવ બંદર(૫), બુરહાનપુર (પ), મુંબઈ બંદર (૩), વિસનગર (૮), મેવાડ (૩), મારવાડ (૩), મેડા (૩), જેસલમેર (ર), પાદલિપ્તપુર(૪), પાલિતાણા (૩), આશાપલી (ર) વગેરે. આ ઉપરાંત અન્ય ગાપના ૨૨ ખા મુજબ છે : આણંદ, ઉઝ સેનપુર, કપડવંજ, ચંપકપુર, જામનગર, જલપુર, ઝાં ૨ા, દમણ, દેટગરિ, દેવકાપાટા, દેવપત્તન, ધંધુકા, પાલનપુર, પોરબંદર, પ્રાંતીજ, (૨૪ વનગર, મહેસાણા, માંગરોલ, રિઝાપુર, રજપુર, રાધનપુર, લાલી, લીંબડી પર, લેડરનગર, વડર વેરાવ બંદર, શ્રી નેહાગર, સિધપુર, સુરાષ્ટ્ર, સોજિત્રા, તંતી, વગેરે. આમાંથી કેટલાંક એની ઓળખ મેળવી રહી છે. વરણથી પટ થાય છે કે પાલિતાણા પાસેના શત્રુંજય મહાતીર્થની મુલાકાત સંભવત: અમદાવાદના છે અને જે નોતરોએ વિશેપભાવે લીધી હોવાનું જણાય છે. વ્યકિતનામોની માહિતી શત્રુંજય મહાતીર્થ ઉપરના મંદિર સ્થિત કે પ્રતિમાસ્થિત લખાણોથી જેમ સ્થળનામોની માહિતી ઉપલબ્ધ થાય છે તેવી રીતે વ્યક્તિનામોની માહિતી પણ મોટા પ્રમાણમાં હાથવગી થાય છે. અહીં એનો ઉલ્લેખ સ્થળસંકોચને કારણે કર્યો નથી પણ એ વિશે રસપ્રદ અધ્યયન થઈ શકે તેમ છે. અલબત્ત, આ વ્યકિતનામો અપવાદ સિવાય જેનોનાં છે અને તેના અધ્યયનથી જે તે સમયે નામકરણની પદ્ધતિ કેવી હતી તેનો પાર પમાય છે. આ ઉપરાંત તેઓ કઈ જ્ઞાતિના હતા તેનો ઉલ્લેખ પણ આ લખાણોમાં છે. દા.ત. ઓસવાલ (૬૪) પ્રાગવાટ (૪) શ્રીમાલ (૧૨૭), ઓમકેશ (૨૦) ઉપકેશ (૩૧), સંઘવી (૬) ગુર્જર (૪) પાલિવાલ (૪) પોરવાડ (૪) વીસાનીમાં (૩)નાગર (૨) શ્રી કપોળ (૨) મોઢ (૧) હુંબડ (૧) વાયડ (૩) વગેરે (કૌંસમાંના આંકડા તેમનો તેટલી વખત નિર્દેશ થયાનું સૂચન કરે છે.) જૈન મુનિઓનાં નામોની માહિતી પ્રાપ્ત થાય છે તે સાથે તેમના ગચ્છ વગેરેની જાણકારી હાથવગી થાય છે, જેમાં અંચલ (૨૩) ઉપકેશ (૧૫), આગમ (૬) આણંદસૂર, ઉસવાલ, કોરંગ, ખરતર (૧૪) ચંદ્ર, ચૈત્ર (૨) તપા (૫૯) તારાપલ્લમ, દ્વિવંદનીક. (૨) ધર્મઘોષ (૪) નાગેન્દ્ર, પોરવાલ (૧) પિપ્પલ (૪) બ્રાહ્મણ (૮) મળોઈ, પુનિમ, લઘુપોષાલ, લોઢીપોષાલ, શ્રીકૃષ્ણ (૧) શ્રીમાલધારી (૨) શ્રી બૃહતુ, સાગર (૩) સરસ્વતી (૧) સંડેર (૪) હારિજ (૨) વગેરે ગચ્છનો નિર્દેશ મળે છે. આ ઉપરાંત ગોત્રની જાણકારી થાય છે. ઉતાડ, ઉનાહટા, કર્મદિયા, કુહાડ, કાઠડ, કુઠીડ, કાશ્યપ, કુમકુમ, ગાદરિયા ગાંધીમોલા, ગોષ્ઠિક, ડપતહિયા, ઘેકરિયા, નાહડ, પરીક્ષ, પાંડરહીય, Page #305 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ બભે, બુલાહી, બાહેડ, ભાવતદાર, ભંડારી, મણિયાણા, માવલપુર, માધલપુરા, મીઠડિયા, મોહોતા, મેડુતલાવ, માલ્યા, લાખુલા, લોઢા, વેશટ, વીહરેવા, શ્રેષ્ઠ, સંઘવાલ, સુધા, સુરાણા વગેરે ગોત્રોની માહિતી છે. માસ-તિથિ-વારની માહિતી આવી જ રીતે આપણા મહિના, તિથિ, સુદ, વદ,વાર વગેરે વિગતો પણ જાણવા મળે છે. તિથિઓમાં માત્ર પ્રતિપદા (પડવો) અને અમાવાસ્યા (અમાસ)નો નિર્દેશ થયો નથી. તે સિવાય બીજથી પૂનમ સુધીની બધી તિથિઓનો ઉલ્લેખ થયો છે. અહીં નિર્દિષ્ટ તિથિઓની સાથે કૌંસમાં આપેલા આંકડામાં ત્રાંસી રેખાની પહેલાંનો આંક કુલ કેટલી વખત સુદમાં અને ત્રાંસી રેખાની પછીનો આંક કુલ કેટલી વખત વદમાં તે તિથિનો ઉલ્લેખ છે તે દર્શાવે છે. બીજ (૩૪/૧૫ =૪૯), ત્રીજ (૨૫/૪=૨૯), ચોથ (૪/૭-૧૧), પાંચમ (૫૦/૪૭-૯૭), છઠ (૨૩/૮-૩૧), સાતમ (૨૩/૬-૨૯) આઠમ (૫/૧૦=૧૫), નોમ (૨૨/૧૨-૩૪), દશમ (૩૪/૧૧-૪૫) અગિયારશ (૧૦/૫=૧૫), બારશ (૬/૦-૬) તેરશ (૪૬/૬=૫૨) ચૌદશ (૧૦/૧-૧૧) અને પૂનમ (૨૧/૦૦= ૨૧) સુદ અને વદનો ઉલ્લેખ મહિનાના નિર્દેશ વિના અનુક્રમે પાંચ અને છ વાર છે. જે તિથિનો મહિનાવાર વારંવાર ઉલ્લેખ થયો છે તેમાં ચૈત્રી પૂનમનો દશ વખત, વૈશાખી પાંચમનો તેત્રીસ વખત, વૈશાખી તેરશનો ઓગણચાલીશ વખત અને મહા ચૌદશનો આઠ વખતનો ઉલ્લેખ ધ્યાનાર્હ છે. મહિનાઓના ઉલ્લેખમાં કાર્તક (૧૦ વખત) માગશર (૧૭ વખત) પોષ (૩૫ વખત) મહા (૧૦૬ વખત) ફાગણ (૩૮ વખત), ચૈત્ર (૨૫ વખત) વૈશાખ (૧૫૭ વખત) જેઠ (ર વખત) આષાઢ (૨૨ વખત) શ્રાવણ ( વખત) ભાદરવો (૧ વખત) અને આસો (૩ વખત). જે લેખોમાં વર્ષનો નિર્દેશ નથી તેવા ૫૧ લેખાંક આ પ્રમાણે છે ઃ ૧૦, ૨૯,૫૫, ૬૦, ૬૪, ૯૦, ૯૪, ૧૦૭, ૧૧૦, ૧૫૯, ૧૯૨, ૧૯૫, ૨૦૧, ૨૦૨, ૩૦૧, ૩૧૮, ૩૩૨, ૩૪, ૩૫૮, ૩૬૯, ૩૭૮, ૪૦૦, ૪૩૦, ૪૩૪, ૫૦૫, ૫૧૯, ૫૨૦, પર, પર૭, પર૯, ૫૩૦, ૫૩ર, ૫૩૫, ૫૩૬, ૫૩૭, ૫૩૮, ૫૩૯, ૫૪૦, ૫૪૪, ૫૪૫, ૫૪૯, ૫૫૧, ૫૫૪, ૫૫૫, ૫૫૬, ૫૫૭, ૫૫૮, ૫૫૯, ૫૬૨, ૫૬૩, અને ૫૬૪. અહીં ઉલ્લિખિત વર્ષો કૌંસમાં દર્શાવ્યા પ્રમાણે વખત થયો છે (પાંચ કે તેથી વધુ વખત જેનો નિર્દેશ છે તેની માહિતી ) : ૧૩૩૭ (પાંચ વખત), ૧૩૭૧ (આઠ), ૧૩૭૯ (પાંચ) ૧૫૦૩ (પાંચ), ૧૫૩૦ (પાંચ) ૧૫૧૭ (પાંચ), ૧૫૮૭ (પાંચ) ૧૬૨૦ (સોળ) ૧૬૭૫ (બાવીસ) ૧૬૮૨ (પાંચ) ૧૬૮૫ (છ), ૧૬૮૬ (બાર), ૧૭૨૦ (નવ), ૧૮૬૦ (આઠ), ૧૮૯૩ (સાત) ૧૯૨૧ (સાત) અને ૧૯૭૧ (સાત વખત) 289 અન્ય માહિતી આમાંના મોટા ભાગના લેખો સંસ્કૃતમાં છે ને ઘણા લેખો સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષાના છે. માત્ર ગુજરાતી ભાષાના બહુ થોડા લેખો છે. મોટાભાગના લેખો (૫૮માંથી ૩૦૦ જેટલા) કાં તો દેવકુલિકા, પ્રતિમાબિંબ વગેરેના દાનનિમિત્તના છે. શેષ લેખોમાંથી ઘની વિગતો હાધવગી થતી નથી. જેમની થાય છે તેમાં યાત્રા પૂરી કર્યાનો, સુખડી આપ્યાનો, દેરાસર કરાવ્યાનો કે Page #306 -------------------------------------------------------------------------- ________________ 290 તપાગચ્છાધિષ્ઠાયક પ્રતિમાસ્થાપનનો છે. ઉપસંહાર આમ, શત્રુંજય મહાતીર્થ ઉપરના જૈનમંદિરોમાં આવેલા પ૮૬ જેટલા અભિલેખોના અધ્યયનથી બારમી સદીથી વીસમી સદી સુધીના જૈનધર્મના વિકાસની, ભાષાના વિકાસની, જૈન મુનિઓના ગોત્ર અને ગચ્છની, જૈન શ્રાવકોના નામકરણની, ગામો અને નગરોનાં નામોની, માસ,તિથિ અને વારની, ધર્મ નિમિત્તે માનેલી માનતાઓની, તીર્થકરોની લોકપ્રિયતાની એમ વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે, જેથી તે તે સમયના સાંસ્કૃતિક ઇતિહાસની રૂપરેખા દોરી શકાય છે. આ લેખોના અધ્યયનથી રાજકીય અને આર્થિક માહિતી ઉપલબ્ધ થતી નથી, કેમ કે આ અભિલેખો કેવળ ધાર્મિક છે. જેનોના સામાજિક ઇતિહાસના નિરૂપણમાં પણ આ અભિલેખો ઉપયોગી થાય છે. આમ આ અભિલેખો અભિલેખવિદ્, ઇતિહાસવિદ્દ, સમાજવિજ્ઞાની, ભાષાવિદ્, વગેરે વિદ્વાનોને ઉપયોગી નીવડે છે. અહીં પ્રસ્તુત માહિતી કે આંકડા સંપૂર્ણ છે એમ માનવાની જરૂર નથી. આ એક નમૂનો માત્ર છે જેથી એમાં ઊંડા ઊતરવાની પ્રેરણા આપે છે. આ સિવાય પણ આમાંથી ઘણી માહિતી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. અસ્તુ. વEE ક આજક - જwer GE 'iour વિશ્વશાન્તિ મૂલાધાર સમા, સત્ય-પ્રેમ અને કરુણાની ભાગીરથી ગંગાથી શ્રમણ સંસ્થાના ઈતિહાસને ઉજવળ કરનાર ભગવાન મહાવીર પરમાત્માની શ્રમણ પરંપરાને અમારી લાખ લાખ વંદના Page #307 -------------------------------------------------------------------------- ________________ SH- ઝ ક વિભાગ - ૨ તત્વ દર્શન: દાર્શનિક નિરૂપણ : * - જ છે - 3 * અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન એ શું છે? * અધિષ્ઠાયકોની આવશ્યકતા. * અધિષ્ઠાયક દેવોની દુનિયામાં એક દષ્ટિપાત કે યક્ષ અને યક્ષિણીનું મૂર્તિવિદ્યાન * જૈન શાસ્ત્રોની દષ્ટિએ ઊર્ધ્વલોકના દેવાવાસો છે કે જેને શાસ્ત્રોની દષ્ટિએ અધોલોકનાં દેવભુવનો અને તે ભવનવાસી દેવો * અધિષ્ઠાયક દેવ દેવીઓની આરાધના * શ્રી માણિભદ્રજીનો આછેરો પરિચય * કર્મસિદ્ધાંત અને જ્યોતિષ * જડ ચેતનવિચાર અને આત્મોપલબ્ધિનો માર્ગ Page #308 -------------------------------------------------------------------------- ________________ અંતરના ઓરડેથી ! માણસને ત્રણ પ્રકારે ઓળખી શકાય– આકૃતિ, પ્રકૃતિ અને કૃતિથી ! આકૃતિ, પ્રકૃતિ બને ભૂંસાઈ જાય કિન્તુ કૃતિ એટલે સર્જન કરવું! આકૃતિ ઈતિહાસનાં પૃષ્ઠો પર અંકિત થાય છે! ઓળખવા માટે કૃતિ ઉપરથી પહેચાન થાય! અમારા પૂ. આચાર્યદેવો, શાસનપ્રભાવક, વિદ્વાન, આદરણીય-પરમોપકારી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સા. વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. સાહિત્યકલારત્ન વિજયયશોદેવસૂરીશ્વરજી મ.સા. સપરિવાર પાલીતાણામાં ચાતુર્માસ બિરાજમાન હતા [૧૯૭૭] પૂ. આચાર્યદેવ પાસે નંદલાલભાઈ બેઠેલા. મને કહે, આ સાહિત્યના સર્જક છે. મેં આછા-આછા જોયા, તેઓએ નત મસ્તકે વંદન કયાં. મારું ચાતુર્માસ જેતપુર હોઈ ચાતુર્માસમાં ભગવતી મા પદ્માવતી ગ્રંથ છપાઈ રહ્યો છે, તે વિષે પત્ર આવેલ કિન્તુ મારી તબિયત નરમ રહેતી હતી તો બીજી બાજુ મારાં શિષ્યા સાધ્વીજી જુકળાશ્રીજી મ.ની સ્થિતિ પણ જીવલેણ બીમારીની હતી!ત્રણ વરસમાં પાછું સ્મરણમાં પણ નહોતું રહ્યું! સાધ્વીજીનું દેહાવસાન થયું, હૃદય વ્યથિત થયું. અમરેલી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંઘ તરફથી અત્યાગ્રહ થયો. અમરેલી આવેલ. ૨૦૫૦ની સાલમાં સૌરાષ્ટ્ર સમાચારમાં – નાગપુર ખાતે ગ્રંથનું વિમોચન થયું વગેરે સમાચાર જાયા. ભાવનગર પત્ર લખી શ્રી પદ્માવતી માતાના ગ્રંથની બે નકલ મંગાવી. શ્રી નંદલાલભાઈને પ્રત્યક્ષ રૂબરૂ નથી જ મળાયુંકિત પત્રવ્યવહારથી વધુ જાણ્યા ! તેમનો સાહિત્ય પ્રત્યેનો અદમ્ય ઉત્સાહ-ઉમંગ કોઈ અનેરો છે. છેલ્લા ત્રણેય ગ્રંથોમાં કોઈ અનેરી ભાત પાડી છે! દેશમાં વિવિધ સ્થળે જઈ જૈન ધર્મનાં પુસ્તકો, એને લગતી તમામ સામગ્રી એકઠી કરવી, અનેક પૂ. આચાર્ય ભગવંતોની પાસે જવું, તેમ જ ગ્રંથની સજાવટ કરવી વગેરે કાર્યોમાં તન-મન-ધન દ્વારા જે ભોગ આપી રહ્યા છે તે આપણા સંઘ માટે ગૌરવની વાત છે. તેમની જૈન ધર્મ અને જૈન દર્શન પર કેટલી અદ્દભુત-અખૂટ શ્રદ્ધા છે એ આવા મહામૂલા ગ્રંથો કહી આપે છે. શ્રી પદ્માવતીજી માતાનો ગ્રંથ, મહાઅચિંત્ય ગણધર ગૌતમસ્વામી ગ્રંથ અને પક્ષેન્દ્ર શ્રી માણિભદ્રવીર દેવ ગ્રંથ ! શ્રી નંદલાલભાઈએ કમાલ કરી છે, આપણને આશ્ચર્યમાં મૂકી દીધા છે ! એવું અનુપમ સર્જન કરી આપણા સંઘને–સંઘના ચરણે ઝવેરાત-રત્નનું ભેટલું ધર્યું છે ! તેઓની સૂઝ—બઝ ઉપર ઓવારી જવાય છે! બધું જ સરળ-સહેલું છે કિન્તુ ગ્રંથ પાછળ આર્થિક સહયોગ પ્રાપ્ત કરવો કઠિન છે ! તે માટે ભગીરથ પરષાર્થ–પ્રયત્ન જોર-જોરથી કરવો પડે છે! ખરેખર તે જ અનુમોદનીય છે!પ્રશંસાને પાત્ર છે !વધુ શું લખવું! પરમ તારક ૫રમાત્માની અનુપમ કૃપા તમારા પર વરસ્યા જ કરો! પૂ. ગુરુવર્યોના આશીર્વાદનો સ્ત્રોત વહેતો જ રહે ! ધર્મના પ્રભાવે તમારાં કાર્યોમાં શાસન સંરક્ષક દેવ-દેવીઓનું સાંનિધ્ય સદાય રહે ! એ જ મારા અંતરના ખોબલે-ખોબલે-ખોબલે આશીર્વાદ છે! શ્રદ્ધાબળ, વૈર્યબળ, આયુષ્યબળની વૃદ્ધિ થાઓ ! વિદુષી સાધ્વીજી પ્રિયંવદાશ્રીજી. મ.સા.નાં શિષ્યા, કરોડો મંત્રજાપના આરાધક સાધ્વીરત્ના સરળ સ્વભાવી પૂ. પદ્મયશાશ્રીજી મ.ના ધર્મલાભ, અમરેલી, શ્રી નેમિનાથ દેરાસર, આરાધના ભવન, હવેલી ચોક, સંવત ૨૦૫ર પોષ સુદ ૧૫ ગુરુવાર તા. ૨૩–૧–૯૭ (જન્મદિન) Page #309 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન એ શું છે ? શાસન સમ્રાટ, સમુદાયના સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી ધર્મધુરન્દરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી મહારાજ. જો કે નંદીસૂત્ર, આવશ્યક નિયુક્તિ તથા અન્ય આગમોમાં પણ અવધિજ્ઞાન તથા કેવળજ્ઞાન વિષે વિસ્તૃત માહિતીઓ મળી રહે છે. છતાંયે તેનો આંશિક આધાર લઈ તત્ત્વસભર આ લેખ પૂ. આચાર્યશ્રી કુંદકુંદસૂરિજી મહારાજના ભાવનગર–શાસ્ત્રીનગરના ચતુર્માસ દરમ્યાન વારંવાર કરેલી અમારી વિનંતીનો સ્વીકાર કરી પાઠવેલો આ લેખ ગ્રંથની વિવિધ વેરાયટીઓમાં વિશિષ્ટ પ્રકારનો લેખ રજૂ થાય છે. વર્તમાન ભવમાં શ્રી માણિભદ્રદેવ અવધિજ્ઞાની છે અને આવતા જ ભવમાં કેવળજ્ઞાની બની મોક્ષે જનાર છે, તે હકીકતને ખ્યાલમાં લઈને આ લેખ આ ગ્રંથ માટે ખરેખર આવકારદાયી બન્યો છે. લેખના લેખક પૂ. આચાર્યશ્રી કુંદકુંદસૂરિજી મ. સા. સાથેનો અમારો અઢી દાયકા જૂનો સંપર્ક રહ્યો છે. મહુવાના સંઘવી પરિવારમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. બાલ્યકાળથી જ સંસ્કૃત ભાષા ઉપર અને ધર્મારાધના પરત્વે રુચિ વધતી ગઈ, વિ. સં. ૨૦૧૪ માં સંયમજીવનનો અંગીકાર કર્યો. આગમશાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. ભક્તિ અને વૈયાવચ્ચ દ્વારા અનેક આચાર્યોના આશીર્વાદ મેળવ્યા—પૂજાઓમાં તેમના મધુર કંઠથી શ્રોતાઓ આત્મવિભોર બની જાય છે. તેમના ભાવવાહી સ્તવનોથી હંમેશાં હું તેમના તરફ આકર્ષાયો છું. રાજસ્થાન-ગુજરાત આદિ અનેક સ્થળોએ વિહાર કરી ધર્મદેશના આપી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પૂજ્યશ્રી અગ્રેસર રહ્યા છે. વિ. સં. ૨૦૫૧માં અમદાવાદ મુકામે હઠીભાઈની વાડીમાં સકલ સંઘની ઉપસ્થિતિમાં આચાર્યપદવીથી વિભૂષિત થયા. વર્તમાનકાળે જિનશાસનના અગ્રગણ્ય, પ્રભાવક વિદ્વાન મહાપુરુષોમાં સન્માનનીય સ્થાન ધરાવે છે. ખૂબ જ સૌમ્ય અને પ્રેમાળ સ્વભાવના છે. જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા રે, તત્ત્વ સંકેત રે ન લહે પ્રાણી આરાધો વર જ્ઞાન . 293 બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ . સંપાદક Page #310 -------------------------------------------------------------------------- ________________ 294 તપાગચ્છાધિષ્ઠાયક ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય, તેહમાં વળી જ્ઞાન જ વડું રે, જિણથી દંસણ હોય રે. ભવિયણ ચિત્ત ધરો. વિશ્વમાં રહેલા પદાર્થોની સાચી સમજણ, સાચી ઓળખાણ જેના દ્વારા થાય છે તે જ્ઞાન છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ પ્રકારનાં જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગ છે જે જ્ઞાન ઇન્દ્રિયોની મદદ સિવાય આત્માથી સીધું થાય તે પ્રત્યક્ષ જ્ઞાન છે અને ઇન્દ્રિયોથી થતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ઇન્દ્રિયોની મદદ સિવાય આત્માથી સીધાં થતાં હોવાથી આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિયોની મદદથી થતાં હોવાથી તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. - આ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાન તે મૂંગાં છે, મૌન છે. તેની પાસે બોલવાની શક્તિ નથી. ત્યારે શ્રુતજ્ઞાન તે બોલતું જ્ઞાન છે. પોતાનું અને બીજાનું સ્વરૂપ કહેવાની કોઈનામાં શક્તિ હોય તો તે શ્રુતજ્ઞાનમાં છે. હવે આટલા લખાણથી સિદ્ધ થઈ ગયું છે કે અવધિજ્ઞાન તે આત્માથી સીધું થતું પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે આપણે તે વિચારીએ કે આ અવધિજ્ઞાનનો વિષય શું છે. આ જ્ઞાનનો વિષય દૂર દૂરના રૂપી પદાર્થોને જાણવા (અને જોવા) પૂરતો છે. વર્ણ (૫), ગન્ધ (૨), રસ અને સ્પર્શ (૮) આ ચારથી સહિત જે હોય તે રૂપી પદાર્થ કહેવામાં આવે છે. અને આ જ્ઞાનરૂપી પદાર્થોને જ જાણે (અને જોવે) છે. આ અવધિજ્ઞાનના ભેદ કેટલા? એ પણ જીવને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તો આ અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટથી સંખ્યાતીત ભેદો શાસ્ત્રકારે કહેલા છે. તેમાં સામાન્ય રીતે જે છ ભેદો બતાવ્યા છે તે આ મુજબ છેઃ અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. અનુગામી – જે સ્થાનમાં જેટલા સમયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાનમાં તેટલા સમય સુધી જ્ઞાન જીવની સાથે રહેવા પૂર્વક જ્યાં જાય ત્યાં પોતાની ચક્ષની જેમ સાથે જાય તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય. અનનુગામી – જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન દીપકની જેમ સ્થિર રહે, બીજે સ્થાને જતાં સાથે ન જાય તે અનનુગામી અવધિજ્ઞાન કહેવાય. વર્તમાન – જે અવધિજ્ઞાન ઉત્પન થયા પછી ક્રમે ક્રમે વધતું જાય તે વદ્ધમાન અવધિજ્ઞાન કહેવાય. હીયમાન – જે અવધિજ્ઞાન ઉત્પન થયા પછી ઘટતું જાય–ઓછું થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય. પ્રતિપાતિ – જે અવધિજ્ઞાન આવ્યા પછી ચાલ્યું જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય. * ***** **** * ** ** Page #311 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ આ જ્ઞાન વધારેમાં વધારે લોકાકાશ જેટલું હોય છે. પ્રતિપાતિ અવધિજ્ઞાન અને હીયમાન અવધિજ્ઞાનમાં ફેર એટલો છે કે પ્રતિપાતિ અવધિજ્ઞાન એકસાથે નાશ પામે છે અને હીયમાન ધીરે ધીરે જાય છે. અપ્રતિપાતિ –– જે અવધિજ્ઞાન આવ્યા પછી જાય જ નહિ તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અલોકાકાશના એક પ્રદેશને જોવાનું સામર્થ્ય હોય તો તે અવધિજ્ઞાન જાય નહિ યાવત્ કેવળજ્ઞાનને અપાવે છે. આ અવધિજ્ઞાન ચાર ગતિને આશ્રયીને વિચારીએ તો દેવો અને નારકીના જીવોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. જેમ પશુને પશુપણું પ્રાપ્ત થતાં જ તરવાની કળા સાથે હોય છે અને પક્ષીને જેમ પક્ષીપણું પ્રાપ્ત થતાં ઊડવાની કળા વરેલી હોય છે તેમ દેવો અને નારકીના જીવોને આ જ્ઞાન પ્રાપ્ત થવામાં ભવના૨કી અને દેવોનો ભવ પ્રત્યય કારણભૂત બને છે. ભગવાનને પૂર્વભવનું અનુગામી અને તે ભવ પૂરતું અપ્રતિપાતિ જ્ઞાન હોય છે. મનુષ્ય અને તિર્યંચોને પોતે કરેલ તપશ્ચર્યા આદિ ગુણને કારણે અવધિજ્ઞાન ( છએ ભેદો ) પ્રાપ્ત થાય છે. જો કે પરમાત્મા અવધિજ્ઞાન અને અવધિ દર્શન પૂર્વભવમાંથી લઈને આવે છે. પરમાત્મા તીર્થંકરના ભવ પહેલાં જે દેવલોકમાંથી કે જે નરકમાંથી અહીં પધારે છે તે દેવલોક અથવા તે નરકમાં ત્યાં જેટલું અવધિજ્ઞાન હોય તેટલું લઈને અહીં આવે છે. 295 નવ્વાણું પ્રકારી પૂજા આદિ અનેક પૂજાના રચયિતા પંડિત વીરવિજયજી મહારાજ પરમાત્મા માટે લખે છે કે—–— એ ગુણ લેઈ ઉપન્યા પરભવથી સ્વામી, આ ભવમાં સુખિયા અમે તુમ દર્શન પામી. આ અવધિજ્ઞાન સાધુ ભગવંતને, શ્રાવકને અને તિર્યંચને ગુણપ્રત્યયિક તપશ્ચર્યા વગેરે કારણ છે જેમાં તેવું અવધિજ્ઞાન હોય છે. વળી તિર્યંચ અને મનુષ્યને અવધિજ્ઞાનનું કોઈ પ્રમાણ નિશ્ચિત હોતું નથી. કેટલાક અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે. કેટલાક અંગુલને જાણે. કેટલાક વિતસ્તિ ૧૨ અંગૂલ કે વધારે, કેટલાક સંખ્યાત યોજન અને કેટલાક અસંખ્યાત યોજન જાણે. કેટલાક મનુષ્ય તો પૂર્ણ લોકને જાણે. કેટલાક અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડોને જાણવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રશ્ન ઃ આ અવધિજ્ઞાન તો ક્ષાયોપશમિક ભાવ હોય ત્યારે થાય છે. અને નરકાદિ ભાવ તો ઔદિયક ભાવ છે, તો પછી દેવ નારકને ભવ-પ્રત્યયિક ભવકારણિક અવધિજ્ઞાન શા માટે કહો છો? ઉત્તર : આમ કહેવામાં વાંધો નથી – દોષ નથી. કેમ કે અવધિજ્ઞાન થવામાં જે ક્ષાયોપ– મિક ભાવ જોઈએ તે તો દેવલોક અને નરકમાં હોય છે જ . એટલે અવધિજ્ઞાન થવામાં મૂળભૂત કારણ તો ક્ષાયોપશમિક જ ભાવ કારણ હોવા છતાં દેવતા નારકનું અવધિજ્ઞાન છૂટું પાડવા માટે ભવ–પ્રત્યયિક કહેવામાં આવે છે. વળી મનુષ્ય અને તિર્યંચને કાયમી અવધિજ્ઞાન નથી અને Page #312 -------------------------------------------------------------------------- ________________ 296 તપાગચ્છાધિષ્ઠાયક દેવનારકને કાયમી છે. પ્રશ્ન: કયા દેવોને કેટલું અવધિજ્ઞાન હોય? ઉત્તરઃ પાંચ અનુત્તરના દેવો ચૌદ રાજલોકમાં થોડું ઓછું જુએ છે. કેટલું થોડું ઓછું જુવે છે, તો કહે છે કે પોતાના વિમાનની ધજાથી સિદ્ધશિલા સુધીનું ના જોવે, એટલું ઓછું જુવે છે. અનુત્તરના વિમાનથી સિદ્ધશિલા ૧ર યોજન છે. નવ રૈવેયકના ઉપરના ત્રણ સાતમી નમઃ તમઃ પ્રભા સુધી જુવે છે અને પહેલાના છ રૈવેયકના છઠ્ઠી નારકી તમઃ પ્રભા સુધી જોવે છે. સૌધર્મને ઈશાનેન્દ્રના સામાનિક ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવો અને રત્નપ્રભા નારકીના છેક હેઠેના ભાગ સુધી દેખે. સનસ્કુમાર ને મહેન્દ્રના દેવો શર્કરા પ્રભા નામની બીજી નરક સુધી દેખે. બ્રહ્મ અને લાંતકના દેવો ત્રીજી વાલુકા પ્રભા નારકી સુધી જોવે. મહાશુક્ર અને સહસારના દેવો ચોથી પંકપ્રભા નારકી સુધી જોવે અને આનતથી અશ્રુત સુધીના દેવો તેના પ્રતરે વિશેષતાથી દેખે. એવી રીતે પહેલાંના દેવા માટે જે કહ્યું તે તે આગળના દેવો વધારે વધારે જાણે. સૌધર્મ ઈશાનના દેવો તીખું અસંખ્યાત દ્વીપ–સમુદ્રને જાણે. ઊંચાઈની બાબતમાં દરેક દેવો પોતાના વિમાનની ધજા સુધી જ જાણે. ભવનપતિ વ્યત્તર અને જ્યોતિષી દેવો ઓછા અર્ધા સાગરોપમ આયુએ સંખ્યાતા યોજના સુધી દેખે. જેમ જેમ આયુ વધે તેમ તેમ અસંખ્યાતા તેમ તેથી પણ વૃદ્ધિ થતી જોવે. જ ભવનપતિ અને વ્યત્તરને જઘન્યથી ૨૫ યોજન હોય અને ઉત્કૃષ્ટથી અસુરકુમાર નિકાયને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે એટલું અવધિક્ષેત્ર હોય અને શેષ નવનિકાયે સંખ્યાતા યોજન સુધી હોય એમ જાણવું. જ્યોતિષી દેવને જઘન્ય–ઉત્કૃષ્ટ સંખ્યાતા જોજન અવધિક્ષેત્ર હોય એટલે તેઓ સંખ્યાતા દ્વીપ સમુદ્ર જોવે. વ્યત્તરને ઉત્કૃષ્ટ સંખ્યાતા જોજન અવધિક્ષેત્ર હોય એટલે સંખ્યાતા દ્વીપ સમુદ્ર જોવે. ભુવનપતિ અને વ્યત્તર એ બેને અવધિજ્ઞાન ઊંચું બહુ હોય અને તીખું તથા નીચું થોડું હોય. વૈમાનિકને નીચું અવધિજ્ઞાન ઘણું હોય અને તીખું તથા ઊંચું થોડું હોય. નારકી તથા જ્યોતિષીને તીર્જી અવધિજ્ઞાન ઘણું હોય, ઊંચું તથા નીચું થોડું હોય. મનુષ્ય અને તિર્યંચને અનેક પ્રકારનું અવધિજ્ઞાન હોય એટલે કોઈને ઊંચું ઘણું, કોઈને નીચું ઘણું, કોઈને તીછું ઘણું, એમ નાના પ્રકારે વિચિત્ર જાણવું. ચોવીશ જિનવરના કુલ અવધિજ્ઞાની ગણધરોની સંખ્યા : ૧, પુંડરીક આદિ ૮૪ ગણધરો ૨, સિંહસેન આદિ ૯૫ ગણધરો ૩, ચારુદત્ત આદિ ૧૦૨ ગણધરો વજનાભ આદિ ૧૧૬ ગણધરો Page #313 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 297 ૧૦૦ ૧૦૭ ૯૫ Go - ૫, ચમરગણિ આદિ દ, સુદ્યોત આદિ ૭, વિદર્ભ આદિ ૮, દિન આદિ ૯, વૃષભ આદિ ૧૦, નન્દ આદિ ૧૧, કૌસ્તુભ આદિ ૧૨, સુભૂમ આદિ ૧૩, મનર આદિ ૧૪, યશોધર, આદિ ૧૫, અરિષ્ટ આદિ ૧૬, ચક્રાયુધ આદિ ૧૭, શામ્બ આદિ ૧૮, કુંભ આદિ ૧૯, ભિષજ આદિ ૨૦, મલ્લિ આદિ ૨૧, શુંભ આદિ રર, વરદત્ત આદિ ૨૩, આર્યદિન આદિ ૨૪, ઈન્દ્રભૂતિ આદિ ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ૧૦ ૨૧ --------- ૧૪પર જેમનું ચરિત્ર આ ગ્રંથમાં લખાઈ રહ્યું છે તે માણિભદ્ર દેવ પણ અવધિજ્ઞાની છે. કેવળજ્ઞાનઃ લોક અને અલોકમાં રહેલા રૂપી–અરૂપી સઘળા પદાર્થો જે જ્ઞાનથી જણાય તે કેવળજ્ઞાન છે. કેવળ = શુદ્ધ–જેનાં દરેક આવરણો -ઢાંકણ દૂર થયાં છે તે. સકલ – ઉત્પન્ન થતાં જ બધું જાણી શકે. અસાધારણ – આ જ્ઞાન જેવું બીજું નથી. નિર્વાઘાત – આંતરા વિનાનું. અનન્ત – અનન્ત વસ્તુને જણાવે છે માટે અથવા અનન્તકાળ રહે છે. . એક – ચાર જ્ઞાન રહિત છે. આ કેવળજ્ઞાન બે પ્રકારનું છે. ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધ કેવળજ્ઞાન. કેવળજ્ઞાન થયું હોય Page #314 -------------------------------------------------------------------------- ________________ 298 તપાગચ્છાધિષ્ઠાયક પણ હજુ અઘાતિકર્મ બાકી હોય તે ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે અને આઠે કર્મ દૂર થયાં હોય તે જ્ઞાન તે સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે. ભવસ્થ કેવળજ્ઞાનના પણ બે ભેદ છેઃ સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળજ્ઞાન. સયોગી ભવસ્થ કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન. અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમસમય સયોગી ભવસ્થા કેવળજ્ઞાન. અચરમ સમય યોગી ભવસ્થ કેવળજ્ઞાન. અયોગી ભવસ્થ કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. પ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અપ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન. આ ઉપરના ભેદો સમજવા માટે કેટલીક સમજૂતી અહીં અપાઈ છે. ભવ = સંસાર / ભવસ્થ કેવળજ્ઞાન – ચાર ઘાતિકર્મ નષ્ટ થયાં હોય પણ અઘાતિ કર્મ બાકી હોય તે ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય. જેના જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ દૂર થયાં હોય તે અવસ્થ અથવા સિદ્ધ કેવળજ્ઞાની કહેવાય. મન-વચન-કાયાનો વ્યાપાર-પ્રવૃત્તિયોગ કહેવાય. તે યોગવાળું ભવસ્થ કેવળજ્ઞાન તે સયોગી મવસ્થ કેવળજ્ઞાન કહેવાય.. ચોદમાં ગુણસ્થાનકે જે કેવળજ્ઞાન હોય તે અયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. (શેલેષી અવસ્થા પ્રાપ્ત થયેલ.) સયોગી ભવસ્થ કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે : પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અપ્રથમ સયોગી ભવસ્થ કેવળજ્ઞાન. કેવળજ્ઞાન ઉત્પત્તિના પહેલા સમયને છોડીને બાકીનું કેવળજ્ઞાન પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન -- સયોગી અવસ્થાના છેલ્લા સમયનું જે કેવળજ્ઞાન તે ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન તેરમાં ગુણસ્થાનકના છેલ્લા સમયને છોડીને તેની ઉત્પત્તિના પહેલા સમયથી છેલ્લા સમયની પૂર્વના સમયનું અચરમ સમય યોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. અયોગી ભવરણ કેવળજ્ઞાન બે પ્રકારનું : પ્રથમ સમય અયોગી ભવરણ કેવળજ્ઞાન અપ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન. રમયોગી ગુણઠાણાના પહેલા સમયનું કેવળજ્ઞાન તે પ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન છે. અર્થાત્ (શૈલેષી અવસ્થા પ્રાપ્તિ પહેલા સમયનું કેવળજ્ઞાન) અયોગી ગુણઠાણાના પ્રથમ સમયને છોડીને બાકીનું અયોગી ગુણઠાણાના સર્વ સમયનું કેવળજ્ઞાન અપ્રથમ સમયનું કેવળજ્ઞાન કહેવાય છે. શૈલેષી અવસ્થાના છેલ્લા સમયનું દેવળજ્ઞાન ચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન Page #315 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 299. E કહેવાય છે. અને શૈલેષી અવસ્થાના છેલ્લા સમયને છોડીને અયોગી ગુણસ્થાનકનું કેવળજ્ઞાન | ભવસ્થ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. સિદ્ધ કેવળજ્ઞાનના અનન્સર સિદ્ધ અને પરસ્પર સિદ્ધ એવા બે ભેદો છે. અનન્તર સિદ્ધ ૧૫ પ્રકારના છે અને પરસ્પર સિદ્ધ અનેક પ્રકારના છે. દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે અને જોવે છે. ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્રોને જાણે અને જોવે છે. કાળેથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે અને , જોવે છે. ભાવથી કેવળજ્ઞાની સર્વ ભાવોને જાણે અને જોવે છે. કેવળજ્ઞાની આત્મા જેટલું કહે છે તેના કરતાં કઈક ગણું જાણે છે અર્થાત્ સર્વ જાણે છે પણ આયુષ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી કહી શકાય છે. ઉઘરોજ (તા. વીરમગામ)માં બિરાજમાન મહાન ચમત્કારી મનવાંછિત પુરનાર શ્રી માણિભદ્રવીર | F પી. કો કહે છે ૐ હ્રીં શ્રીં ભગવતે શ્રી માણિભદ્રાય ફ્રીં શ્રીં કણ કણ કળી ફેણ ફુ ફુટુ સ્વાહા !! Page #316 -------------------------------------------------------------------------- ________________ 300 તપાગચ્છાધિષ્ઠાયક 'અધિષ્ઠાયકોની આવશ્યકતા.... – પૂ. મુનિરાજ શ્રી અજિતશેખરવિજયજી મહારાજ ઝવેરી બજારમાં દાગીનાની વેરાયટી હોય તો કાપડબજારમાં અવનવાં વસ્ત્રોની. અહીં પણ માણિભદ્ર–જીવનચરિત્રોના લેખોમાં આ લેખ એક વેરાયટી છે. અત્રે આ લેખના લેખક મુનિવરશ્રીએ દીક્ષા લીધી ત્યારથી ગુરુકુલવાસ,સ્વાધ્યાયલીનતા, પ્રભુભક્તિ, સાધુભક્તિ, ગુણાનુરાગિતા આદિ ગુણો જીવનમાં એવા વિકસાવ્યા છે કે જેના પરિણામે પ્રવચનની પાટથી લઈને કાગળ-કલમ સુધી પ્રજ્ઞાનો પરિચય જૈન સંઘને અવારનવાર મળ્યા કરે છે. અહીં આ લેખમાં અધિષ્ઠાયક દેવ-દેવીની આવશ્યકતાને સમજાવવામાં મુનિવર સફળ રહ્યા છે. ટેલિફોનના ઉદાહરણને લઈ તર્ક અને યુક્તિસંગત ઘટનાઓ દ્વારા સ્તોત્રમાં, અનુષ્ઠાનોમાં સ્થાનોમાં, વિવાદોમાં અધિષ્ઠાયકોની ભૂમિકાઓને પ્રમાણ દ્વારા સમજાવેલ છે. માણિભદ્રદાદાના સ્વરૂપ, સ્થાન અને સાધનાનું માહાભ્ય પણ દર્શાવ્યું છે. અવસરે નિરાતે લેખનું વાંચન કરવું જેથી શંકાઓનું સમાધાન પણ મળી જાય. પણ અત્રે એ વાત અવશ્ય નોંધવી રહી કે જૈનશાસનમાં મોક્ષ એ જ વાસ્તવિક ફળ છે. વચમાં થતા લાભો આનુષંગિક છે. - સંપાદક તીર્થંકર પરમાત્માઓ જ્યારે પણ તીર્થ–સ્થાપના કરે છે ત્યારે સાધુ-સાધ્વી-શ્રાવક -શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે વખતે અધુનોત્પના તે જ વખતે તેને દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલાં, જૈન ધર્મ પર અત્યંત શ્રદ્ધા ધરાવતાં દેવદેવી પણ ત્યાં ઉપસ્થિત થાય છે. તે દેવ-દેવી તે તીર્થનાં અધિષ્ઠાયક-અધિષ્ઠાયિકા તરીકે ઘોષિત થાય છે અને તેઓ પ્રભુભક્તિથી તે–તે પ્રભુના તીર્થની રક્ષા માટે ઉદ્યમશીલ બને છે. આમ દરેક તીર્થંકરના એક અધિષ્ઠાયક દેવ અને એક અધિષ્ઠાયિકા દેવી હોય છે. તે–તે મૂળનાયક તીર્થકરોની પ્રતિમાના પરિકરમાં પણ એ બેની સ્થાપના નીચેના ભાગમાં જમણે–ડાબે કરવામાં આવે છે. એ જ પ્રમાણે જગતની તમામ દ્રવ્ય-ક્ષેત્રાદિ શુભ વસ્તુઓ શુભ દેવોથી અધિષ્ઠિત માનવામાં આવે છે. તે–તે પવિત્ર સૂત્રો પણ સમ્યગ્દષ્ટિ દેવોથી અધિષ્ઠિત હોય છે. નવકારમંત્રનો તો પ્રત્યેક અક્ષર દેવાધિષ્ઠિત માનવામાં આવે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 301 અહીં કોઈને શંકા થાય, કે નવકાર મહામંત્રના જાપ વગેરે કરવા છતાં એ અધિષ્ઠાયકો નથી સાક્ષાત્ થતા કે નથી પરચો બતાવતા. આમ કેમ? અહીં ઉત્તર એ છે કે આપણે જે કંઈ સારું, શુભ, ઈષ્ટ થાય છે, તે આ જાપો વગેરેના પ્રભાવે પરોક્ષ સહાય દ્વારા થતું હોય છે, જેનો આપણને ખ્યાલ નથી આવતો. છતાં વિશિષ્ટ અનુભવ ન થવાની બાબતને ફોનના દષ્ટાંતથી સમજાવી શકાય. જો (૧) તમે ૬ કે ૭ આંકડાના ફોન નંબરમાંથી એકાદ આંકડો પણ ખોટો જોડો, તો રોંગ નંબર આવે, (૨) તમારો ફોન આઉટ ઑફ ઑર્ડર હોય, (૩) ફોન અંગેજ હોય અને (૪) લાઈન જોડાવા છતાં સામે ઉપાડનાર કોઈ નહીં હોય – આ ચારે કિસ્સામાં આપણે જેને ફોન જોડીએ છીએ તે વ્યક્તિ આપણને મળતી નથી. પ્રભુપૂજા, ભક્તિજાપ વગેરે દ્વારા આપણે ભગવાનને ફોન જોડીએ છીએ, ત્યારે ભગવાનના સેક્રેટરી સમાન આ અધિષ્ઠાયકો આપણી નિષ્ઠા, ભક્તિ જોઈ દર્શન આપી ઇષ્ટસાધનામાં સહાયક બને છે. પણ (૧) વિધિમાં ગરબડ કે સૂત્રના અક્ષરોચ્ચારમાં અશુદ્ધિ હોય, તો રોંગ નંબર જેવી પરિસ્થિતિ સમજવી. (૨) મન મૈત્રાદિ ભાવોને છોડી દુર્ભાવમાં – સંકલેશમાં હોય, તો સમજી લેવું, ફોન આઉટ ઑફ ઑર્ડર છે. પછી જાપ-પૂજાનાં ચક્ર ઘણાં ઘુમાવવા છતાં ફોન લાગવાનો નહીં (૩) જ્યારે તમે આંખ કાન અને મનથી ચંચળ દશામાં છો, ત્યારે તમે બીજાના એંગેજ છો, બીજા-ત્રીજા વિચારમાં છો માટે પણ ફોન લાગે નહીં. અને (૪) એ અધિષ્ઠાયક દેવો અન્ય દેવતાઈ ભોગ-ઉપભોગમાં વ્યસ્ત હોય, શાશ્વત તીર્થોની યાત્રામાં હોય અથવા સીમંધરસ્વામી જેવા સાક્ષાત્ તીર્થંકરોની દેશના–ઉપાસનામાં લીન હોય, તો તમારા તરફ બાકીનું બધું બરાબર હોવાથી ફોન જાય છે, પણ ઉપાડનાર હાજર નથી. પણ જો ઉપરોક્ત ત્રણ સ્થિતિ ન હોય, એટલે કે શબ્દશુદ્ધિ વગેરે વિધિ બરાબર હોય, મન મૈત્યાદિ ભાવોથી વાસિત હોય અને એકાગ્રતા સારી હોય, તો કદાચ લાઈન તત્કાલ નહીં લાગે, તો પણ જલદી લાગી જશે અને દેવ ફોન ઉપાડશે–અર્થાત્ એનો શુભ પરચો અવશ્ય અનુભવાશે. આ જ પ્રમાણે કપર્દી યક્ષ વગેરે શત્રુંજય તીર્થાધિરાજના, એમ જુદા જુદા દેવો જુદા જુદા તીર્થોના અધિષ્ઠાયક બનતા હોય છે. દ્રવ્યાદિ શુદ્ધિની જાળવણીપૂર્વક શુભ મુહૂર્તે વિશિષ્ટ ભાવોલ્લાસથી સ્થપાયેલાં દેરાસરો-તીર્થો પ્રાયઃ દેવાધિષ્ઠિત બનતાં હોય છે. ઊછળતા શુભ ભાવપૂર્વક ભક્તિ કરનારને મોક્ષરૂપ પારંપરિક અને સદ્ગતિરૂપ પારલૌકિક લાભોની સાથે સાથે આ દેવો દ્વારા ઇષ્ટ ફળ સિદ્ધિરૂપ ઈહલૌકિક શુભ લાભો પણ થાય છે. ' અતિ ઉગ્ર પુણ્ય તત્કાલમાં ફળે' એવી ઉક્તિને સાર્થક ઠેરવવા જે-તે દેરાસર-તીર્થના અધિષ્ઠાયક દેવો દર્શન આપી અથવા પરોક્ષ પરચો બતાવી ઉત્તમ લાભ તત્કાળ મળે એવી ગોઠવણ કરી આપે છે. વળી તેઓ તીર્થરક્ષા આદિ કાર્યો પણ કરે છે. અહીં પણ કોઈ શંકા કરે છે, તો પછી તીર્થ ઉપર થતાં આક્રમણો અને થતી તોડફોડ વખતે Page #318 -------------------------------------------------------------------------- ________________ 302 તપાગચ્છાધિષ્ઠાયક આ અધિષ્ઠાયકો કેમ પરચો આપતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં એ વાત ખાસ સમજવી કે કેટલાક નિશ્ચિત ભાવિભાવ હોય છે, જે ખુદ દેવેન્દ્રો વગેરે પણ બદલી શકતા નથી –જેમ કે ભગવાન મહાવીરસ્વામી પર ગોશાળાએ તેજોલેશ્યા ફેંકી ત્યારે ત્યાં કરોડો દેવો હાજર હતા, છતાં ભગવાન પર એ ઉપસર્ગ થયો જ. કેમ કે તેવો ભાવિભાવ નિશ્ચિત હતો. તેથી એ અંગે અધિષ્ઠાયકો દોષપાત્ર હોતા નથી. વળી આ પડતા કાળમાં દુષ્ટ તત્ત્વો અને દુષ્ટ દેવોનું જોર વધ્યું છે. એથી કો'ક પ્રબળ દુષ્ટ દેવના સાંનિધ્યવાળો દુષ્ટ પુરુષ આક્રમણ કરે ત્યારે અધિષ્ઠાયક દેવને પીછેહઠ કરવી પડે છે. અથવા દુષ્ટ કાર્ય કરવા ભેગા થયેલાઓનું સામુદાયિક દુષ્ટ પુણ્ય અને એમને સહાયક બનનારા દુષ્ટ દેવોના સમુદાયનું બળ વધી જાય, ત્યારે એકલવીર અધિષ્ઠાયકને પીછેહઠ કરવી પડે છે. સંઘનું ઓછું પડેલું પુણ્યબળ એ અધિષ્ઠાયકને બળવત્તર બનાવી શકે નહીં. અધિષ્ઠાયક દેવોને દુષ્ટ દેવોનાં ટોળેટોળાં આ રીતે આક્રમણ કરી રહ્યાં હોય, ત્યારે તીર્થરક્ષા આદિ કાર્યો માટે સંઘની આરાધના–પુણ્યબળની ખૂબ અપેક્ષા હોય છે. જ્યારે દુર્બળિકા પુષ્યમિત્ર આચાર્ય અને સાતમા નિતંવ ગોષ્ઠામાહિલ વચ્ચે વાદવિવાદ થયો, ત્યારે નિર્ણય કરવા સંઘે શાસનદેવીને યાદ કરી. શાસનદેવીએ કહ્યું " હું શ્રી સીમંધરસ્વામીને પૂછી આ બાબતનો નિર્ણય જાણી લાવીશ; પણ વચ્ચે મને દુષ્ટ બળવત્તર દેવો રંજાડે નહીં, એ માટે સંઘના પુણ્યબળની જરૂર છે. માટે હું જ્યાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી સંઘ કાયોત્સર્ગમાં રહે, જેથી મને બળ મળે." પછી શાસનદેવી શ્રી સીમંધરસ્વામી પાસેથી જાણેલો સત્યાસત્યનો નિર્ણય શ્રીસંઘને જણાવે છે. દુર્બળિકા પુષ્યમિત્ર સાચા અને ગોષ્ઠામાહિલ ખોટા. એ પછી સંઘે કાયોત્સર્ગ પાર્યો. આમ અધિષ્ઠાયક દેવોને સંઘની આરાધના–સાધનાના પુણ્યની અપેક્ષા પણ રહે છે. ઘણી વખત ઉગ્ર તપ વગેરે કરી નિયાણું કરી બનેલા દેવની ઉગ્ર તાકાત સામે પણ અધિષ્ઠાયકોનું ન ચાલી શકે. જયારે દ્વૈપાયન તપસ્વીએ દ્વારકાનગર બાળવાનું નિયાણું કરી દેવ બની દ્વારકાને બાળવા માંડી ત્યારે પોતાના હજારો અધિષ્ઠાયક દેવો હોવા છતાં કૃષ્ણ-બળરામ કશું જ કરી શક્યા નહીં. અરે ! માતાપિતાને પણ અગ્નિમાં મરતા બચાવી શક્યા નહીં. આ રીતે કોઈ જૈનધર્મદ્રષી કે તે–તે તીર્થક્વેષી પોતાના તપ, ત્યાગ આદિના બળે દેવ બની ઉપદ્રવ કરે, ત્યારે અધિષ્ઠાયક કશું કરી શકે નહીં. જ્યારે આશાતના–અવિધિઓ ખૂબ વધી જાય, ત્યારે અધિષ્ઠાયકોનું આકર્ષણ ઘટી જાય છે. એટલું નોંધી રાખવું જોઈએ કે અધિષ્ઠાયકો પોતે પગારદાર નોકર કે ફરજ બજાવનાર તરીકે રહ્યા નથી, પરંતુ ભક્તિભાવે રહ્યા હોય છે. તે તીર્થ કે મંદિરમાં થતી આશાતનાઓથી દેવી પ્રભાવ ઘટવા માંડે છે અને અધિષ્ઠાયકો એ સ્થાન છોડી જતા હોય છે. અહીં કોઈ પૂછે કે–તો અધિષ્ઠાયકો આશાતના કરતાં અટકાવે કેમ નહીં? એનો જવાબ એ છે કે એ કામ અધિષ્ઠાયકોનું નથી. હા, અધિષ્ઠાયકો ક્યારેક પોતાની હાજરીમાં અતિ આશાતનાદિ થતાં જુએ તો પ્રભુ પ્રત્યેની Page #319 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 303 ભક્તિથી પ્રેરાઈ દંડાત્મક અનુભવ કરાવે. પણ પછી એમની ગેરહાજરીમાં વારંવાર મોટા પ્રમાણમાં આશાતના થતી જાણે ત્યારે ખિન્નતા અનુભવી ઉદાસીન ભાવ ધારણ કરે છે. શ્રી અંતરિક્ષજી તીર્થ વગેરે સ્થાનોએ વારંવાર ભગવાનનાં ચક્ષુ ઉખેડવા વગેરે થતી ઘોર આશાતનાઓથી ખિન્ન બનેલા અધિષ્ઠાયકો ઉદાસીન બન્યા હોય, તેમ સંભવે છે. વળી એમ પણ બને કે અધિષ્ઠાયક દેવો પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હોય, અથવા તીર્થકરોની દેશના સાંભળવા ગયા હોય કે શાશ્વત તીર્થોની યાત્રા કરવા ગયા હોય; એ વખતે તીર્થો પર આપત્તિ આવે. વળી અવધિજ્ઞાનનો ઉપયોગ તો જ્યારે મૂકે ત્યારે જ શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે. ભગવાન મહાવીરસ્વામીએ જ્યારે જ્યારે ઉપસર્ગ આવ્યા ત્યારે ત્યારે એમની સેવામાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બહાર રખડવા નીકળી ગયેલો હોય. ઉપસર્ગ પતે પછી એ આવે. આવાં તો ઘણાં કારણો સંભવી શકે છે કે જ્યાં અધિષ્ઠાયક દેવો હોવા છતાં તીર્થાદિ પર આક્રમણ આવે. એમ પણ નહીં સમજવું કે અધિષ્ઠાયક દેવો આક્રમણ આદિ સામે કશું કરતા નથી. ઘણાં એવાંદૈવિક કે માનવિક આક્રમણો અધિષ્ઠાયકોની જાગૃતિના કારણે આવતાં પહેલાં જ વિખેરાઈ જાય છે. પણ એ બધાની આપણને ખબર નથી પડતી એટલે નોંધ લેવાતી નથી અને તે આક્રમણો એમની અનુપસ્થિતિ આદિના કારણે કે આપણી નિષ્ક્રિયતા, બેદરકારી, આશાતનાઓના કારણે આવે, એમાં હોબાળો મચાવીએ છીએ. રમેશ-મહેશ-નરેશ રસ્તા પર ચલતા હતા. વાતોમાં મગ્ન હતા. એમાં મહેશનો પગ કેળાની છાલ પર આવતો જોઈ રમેશે વાતો કરતાં કરતાં જ મહેશને સાઈડ પર ખસેડી લઈ લપસતાં બચાવ્યો; પણ વાતોમાં મગ્ન મહેશે એ વાતની નોંધ પણ લીધી નહીં, આભાર પણ માન્યો નહીં. પછી રમેશની ગેરહાજરીમાં મહેશ-નરેશ આગળ વધી રહ્યા હતા. નરેશે જોયું, મહેશનો પગ ખાડામાં પડી રહ્યો છે, છતાં આંખમિચામણાં કર્યા. મહેશ ખાડામાં પડયો. ખાસું વાગ્યું. તરત જ નરેશે બહાર કાઢયો, પાટાપિંડી કરી, સાચવીને ઘરે લઈ ગયો. મહેશને પૂછો, તારી સાચી સેવા કોણે કરી – રમેશે કે નરેશે? મહેશ કહેશે નરેશે. પણ તમે જ વિચારો કે સાચી સેવા કોની? લપસતાં બચાવનાર રમેશની, કે પડવા દઈ પાટાપિંડી કરનાર નરેશની ? આપણે બધા મહેશ જેવા છીએ. અધિષ્ઠાયકો પોતાની પ્રભુભક્તિના કારણે જે આપત્તિઓ–આક્રમણો થવા દેતા જ નથી, આવતાં પહેલાં જ અટકાવે છે તે જોઈ શકતા નથી, અને એઓની અનુપસ્થિતિના કારણે અને આપણાથી થતી અવિધિ-આશાતના–ઉપેક્ષાઓના કારણે આવતાં આપત્તિ–આક્રમણ માટે અધિષ્ઠાયકો નકામા છે, અથવા છે જ નહીં" વગેરે ફરિયાદો કરીએ છીએ. અસ્તુ! અધિષ્ઠાયકો કે બીજા દેવો (૧) વૈયાવચ્ચ, (૨) શાંતિ અને (૩) સમાધિ – આ ત્રણમાં મહત્ત્વનાં નિમિત્તો છે. ગુણવાન, તપસ્વી, વિશિષ્ટ આરાધક સાધુ કે સંઘની વૈયાવચ્ચ–સેવા કરવાનો તે-તે અધિષ્ઠાયકોને આનંદ આવતો હોય છે. અહીં વૈયાવચ્ચનો અર્થ માત્ર સેવા નહીં, પણ Page #320 -------------------------------------------------------------------------- ________________ 304 તપાગચ્છાધિષ્ઠાયક ભક્તિ-પૂજા-શોભા. એમનો પ્રભાવ વધે એવાં કાર્યો કરવાં વગેરે પણ અર્થો સમજી લેવા. જેમ કે અરિહંતોની આઠ પ્રાતિહાર્ય, સમવસરણ આદિથી પૂજા કરી દેવો જબરદસ્ત શાસનસેવા કરે છે. શાસનપ્રભાવનાના નિમિત્ત બને છે. પ્રાયઃ વિશિષ્ટ આરાધક સાધુઓ વગેરે આવા દેવોથી અધિષ્ઠિત બનતા હોય છે, પછી એ દેવો એમનો મહિમા વધારતા હોય છે. સંઘમાં અન્ય દેવો વગેરેથી થતા ઉપદ્રવ વગેરે વખતે શાંતિ માટે પણ એ સમ્યકત્વી દેવો ઉપયોગી બને છે. વ્યંતર બનેલા વરાહમિહિરે સંઘમાં ઉપદ્રવ કરવા માંડ્યો ત્યારે ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવ્યું. આ સ્તોત્રના પ્રભાવે સમ્યકત્વી દેવો આકર્ષાતા અને વરાહમિહિર દેવના ઉપદ્રવોને દૂર કરતા. અત્યારે પણ સંઘશાંતિ માટે પ્રતિક્રમણના અંતે શાંતિ, નવસ્મરણો વગેરે પ્રભાવક સ્તોત્રો ગણવામાં આવે છે અને પ્રભાવ પણ દેખાય છે. એ જ પ્રમાણે દેવો સમ્યકત્વ સમાધિ, શ્રુતસમાધિ અને ચારિત્રસમાધિ માટે સહાયક બન્યાના પણ ઘણા દાખલાઓ નોંધાયા છે. કેટલાક નિહ્નવોને પ્રતિબોધ આપી સમ્યકત્વ-સમાધિમાં સ્થિર કરવાનું કામ દેવોએ કર્યું છે. જેમ કે એકનિતવ (સાચા સૂત્રાર્થનો નિષેધ કરનાર) એકસાથે બે ઉપયોગ હોય એવી સ્થાપના કરતો હતો. એક વખત એક મંદિરમાં આ પ્રમાણે એ સ્થાપના કરતો હતો ત્યારે ત્યાંના યક્ષે એ નિદ્ભવ સાધુને મુગર બતાવી કહ્યું – અરે, અહીં સાક્ષાત્ મહાવીરસ્વામીના મુખે મેં એકસાથે બે ઉપયોગ ન હોય એવું સાંભળ્યું છે અને તમે ભગવાનથી પણ વધુ ડાહ્યા બનવા જાવ છો. તમારી ખેર નથી! અને એ નિદ્ભવ સાધુએ ભૂલ કબૂલી લીધી. પૂર્વે દષ્ટાંત આવ્યું તેમ વાદવિવાદમાં શ્રી સીમંધરસ્વામી પાસેથી સાચો જવાબ લાવી શાસનદેવીએ સંઘને શ્રુતસમાધિમાં સહયોગ આપ્યો. મેતારજ મુનિ, બળદેવ વગેરે ઘણા મહાપુરુષોને દેવોએ પ્રતિબોધ કરી ચારિત્રસમાધિ માટે પ્રેર્યા. જ્યાં ઘણીવાર પ્રભુ મહાવીરસ્વામી પધારેલા એવા ગુણશીલચૈત્ય વગેરે સ્થળોના અધિષ્ઠાયક દેવો પ્રાયશ્ચિત્તના વિષયમાં પણ સહાયક બન્યાના દાખલા શાસ્ત્રોમાં ઢંકાયેલા છે. આ બધા અધિષ્ઠાયક દેવોમાં શ્રી તપાગચ્છના અધિષ્ઠાયક માણિભદ્રનું પણ એક ગૌરવભૂત સ્થાન છે. માણેકચંદ શેઠમાંથી બીજા ભવમાં માણિભદ્ર બનેલા આ દેવની વિગત પ્રસિદ્ધ છે. આ અધિષ્ઠાયક દેવનું સ્થાન મુખ્યતયા ઉપાશ્રય છે. સાધુ ભગવંતોના મુખેથી માંગલિક સાંભળવાની રુચિવાળા આ દેવના પરચા ઘણે સ્થળે ઘણાએ અનુભવ્યા છે, અનુભવે છે. સ્થાનાંગસૂત્રમાં એવું જોવા મળે છે કે શ્રેણિક મહારાજાનો જીવ પ્રથમ નરકમાંથી નીકળી પદ્મનાભ રાજકુમાર થશે, ત્યારથી પૂર્ણભદ્ર દેવ અને માણિભદ્ર દેવ એમના સાંનિધ્યમાં રહેશે. અહીં એક ખુલાસો ખાસ સમજી લેવો કે ચકેશ્વરી કે પદ્માવતી કે માણિભદ્ર – આ બધા તે–તે સ્થાન કે પદને આશ્રયીને શાશ્વત નામો છે. તે–તે સ્થાને આવેલો જીવ ચક્રેશ્વરી દેવી આદિ નામે ઓળખાય. તેથી તે–તે શાસન અધિષ્ઠાયક દેવ કે દેવીના જીવો તો પોતપોતાનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવી બીજા ભવમાં જાય. પછી તે ખાલી પડેલા સ્થાને પૂર્વભવમાં Page #321 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 305. આરાધના કરી જે જીવ દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પણ તે નામે જ ઓળખાય. દા. ત. વડાપ્રધાનની ખુરસી પર આવેલા બધા વડાપ્રધાન તરીકે ઓળખાય; પણ તે એક નહીં પણ બદલાતા હોય છે. તેથી ઋષભદેવ ભગવાનના વખતમાં ચક્રેશ્વરીદેવી તરીકે જે જીવ હશે, તે તો તે પછી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી માનવ બની મોક્ષે પણ ગઈ હોય, એમ સંભવે છે. હાલ જે ચક્રેશ્વરી છે, તે અન્ય જીવ છે. આમ દરેક પ્રસિદ્ધ યક્ષો–ઇન્દ્રો-અધિષ્ઠાયકો માટે પ્રાયઃ સમજી લેવાનું. અહીં એ વાત પણ સમજી લેવી કે માણિભદ્ર વગેરેની દરેક સ્થાને સ્થાપના કરવાની શી જરૂર? એવી શંકા થાય, તો એનું રહસ્ય એ છે કે સારા મુહૂર્તાદિ પ્રબળ સંયોગથી જો સ્થાપના થાય, તો તેને દેવ તે સ્થાન પ્રત્યે પણ આકર્ષાય છે, અથવા એ જ દેવનો ઉપાસક તેથી ઓછો બળવાન દેવ પણ તે–તે દેવના અધિષ્ઠાયકરૂપે ત્યાં હાજર થાય છે. દરેક એરિયાની પોલીસચોકી હોય, તો પોલીસને પણ કામ કરવું ફાવે. ટેલિફોન એસ્ટૅજ પણ દરેક સ્થળે હોય તો ફોનની સુવિધા રહે છે ને! અને આપણને પણ એ દેવોની સ્થાપના હોય તો એમનાં કાર્યોની કદરરૂપે બહુમાનથી અને આપત્તિમાં સહાયક બની શકે એવા ભાવથી તિલક આદિ કરી યાદ કરવા ફાવે. સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયધર્મજિતસૂરિ મહારાજને સ્વપ્નમાં માણિભદ્ર દેવે પીઠ થાબડેલી અને પછી ખરેખર તેઓશ્રીને એક વિશિષ્ટ અનુભવ થયેલો. વીતરાગવચન વિરુદ્ધ લખાણ માટે મિચ્છામિ દુક્કડમ્. Milk પ. પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ શ્રી શત્રુંજય મહિમાનું વર્ણન મધુર વાણીમાં કરી રહ્યાનું અને શેઠશ્રી માણેકશા અને અન્ય ધર્માજનો જિનવાણીનો લાભ લઈ રહ્યાનું આ ચિત્રમાં નજરે પડે છે. એજ રીતે પૂ. આ.શ્રી. આનંદવિમલસૂરિજી મહારાજશ્રીના પ્રસંગોપાત વિસ્તૃત વિવેચન વખતે માણેકચંદ શેઠ, જિનપ્રિયા અને આનંદરતિ ભારે પ્રભાવિત થયા હતા. Page #322 -------------------------------------------------------------------------- ________________ 306 તપાગચ્છાધિષ્ઠાયક ' અધિષ્ઠાયક દેવોની દુનિયામાં એક દષ્ટિપાત પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજ ડગલે ને પગલે સંકટોમાં અને મુસીબતોમાં સપડાતો કયો માનવી દેવતાઈ સહાય ન ઝખે? પુન્યબળ પરવારી ગયું હોય, તમામ જાતના પ્રયત્નો નિષ્ફળ ગયા હોય ત્યારે જેમ " ડૂબતો તરણું ઝાલે " એ ન્યાયે દેવી-દેવતાઓને રીઝવવાના છેલ્લી ઘડીના પ્રયત્નો શીધ્રપણે થતા જોવામાં આવે છે. પણ શું આ દૈવી તત્ત્વ સહાય કરે છે? કયા દેવતાઓ કોને અને કયારે સહાયક બને છે, તેની આછેરી ઝલક આ લેખમાં અત્રે પ્રસ્તુત છે. દાખલા-દલીલ સાથે દેવતાઈ દુનિયાનું વર્ણન, દશ્ય, અદશ્ય, સહાયકભાવ, શાસન પ્રત્યે તેમની ભક્તિ, શિષ્ટ અને દુષ્ટ તત્ત્વની સાચી ભેદરેખા, વર્તમાનકાળે પણ ઉપદ્રવોમાંથી મુક્ત થવાના ઉપાય અને તેના જીવંત દાખલાઓથી આં લેખ ખરેખર સભર છે. આ એક લેખના વાંચનથી દેવતા અને તેની ભક્તિના પ્રકારો સંબંધી પ્રવર્તતી તમામ જાતની શંકા-કુશંકાઓ દૂર થઈ જશે એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. જેમણે મંગલ ધર્મ અપનાવ્યો છે તેને દેવતાઓ પણ નમન કરતા હોય છે. આ લેખના લેખક પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી ધર્મારાધનામાં ખૂબ જ આગળ વધેલા છે. જૈન સંસ્કૃતિના અઠંગ અભ્યાસી છે. જ્ઞાનને ક્ષેત્રે પ્રૌઢ પ્રતિભા ધરાવે છે. તેમનું અધ્યયન-મનન ચિંતનાત્મક રહ્યું છે. તેમની તેજસ્વી કલમે લખાયેલ આ લેખની કેટલીક વાતો વારંવાર વાગોળવા જેવી છે. - સંપાદક સવાલ: અધિષ્ઠાયક દેવ કોને કહેવાય? જવાબઃ જે દેવ કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં પોતાનું અધિષ્ઠાન-આધિપત્ય જમાવે તે દેવ અધિષ્ઠાયક દેવ કહેવાય છે. આ દેવતાઓ કેટલાક સ્વામીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે તો કેટલાક સેવકપણાનો. કેટલાક સમ્યગુદૃષ્ટિ હોય છે તો કેટલાક મિથ્યાદૃષ્ટિ, કેટલાક હલકી કોટિના હોય છે તો કેટલાક ઉમદા હોય છે, કેટલાક નિયત હોય છે તો કેટલાક અનિયત કેટલાક સ્વાર્થી હોય છે તો કેટલાક પરાર્થી, કેટલાક બલીબાકળાથી ખુશ થનાર હોય છે તો કેટલાક Page #323 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 307 ભક્તિથી ખુશ થનારા હોય છે. જૈનદર્શનની માન્યતા મુજબ નીચલી કક્ષાના મિથ્યાદૃષ્ટિ વ્યંતર દેવો (કે જે લોકમાં ભૂત-પિશાચ તરીકે પ્રસિદ્ધ છે) અસંખ્યાતા છે. કુતૂહલવૃત્તિ અને હલકી મનોવૃત્તિના કારણે ઘણા દેવો ચારે બાજુ ભટકતા હોય છે. કોઈપણ સારી વસ્તુ કે સારું સ્થાન દેખાતાં તેના ઉપર તેઓ અધિષ્ઠિત થઈ જતા હોય છે. કયારેક શયનખંડમાં ઘૂસી ખાલી પથારી ઉપર કબજો જમાવી દે છે તો ક્યારેક ઘટાદાર વૃક્ષમાં આવાસ બનાવે છે. ક્યારેક ખાલી મહેલોના માલિક બની જાય છે તો ક્યારેક મૂર્તિમાં પણ ઘૂસી જાય છે. માટે જ મંદિર તૈયાર થઈ ગયા બાદ આઠ જ દિવસમાં પ્રતિષ્ઠા કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે જેથી કોઈ વ્યંતરદેવ મંદિરનો કબજો જમાવી ન લે. લોકવાયકા પણ એવી છે કે, પીપળાના ઝાડ નીચે સંડાસ જવું નહીં. કારણ, તેના ઉપર ભૂત બેઠા હોય છે. જંગલમાં જતાં પાછળ રહેલી વ્યક્તિને એમ ના કહેવાય કે " ચાલ જલદી" -કારણ, આજુબાજુ રહેલાં ભૂત-પિશાચ પણ આ આમંત્રણને સ્વીકારી આપણી સાથે ચાલવા લાગે, શરીરમાં પ્રવેશ કરી જાય. આવા દેવો જેમ સારી વસ્તુમાં માલિકીપણાનું અધિષ્ઠાન જમાવે છે તેમ વ્યક્તિઓના અંતરમાં પણ કબજો જમાવે છે. પૂર્વભવના સારાનરસા સંસ્કારો અને સંબંધોના આધારે આ દેવતાઓ કાં તે વ્યક્તિને ન્યાલ કરી દે છે કાં તો પાયમાલ કરી દે છે. છીછરી વૃત્તિના ધારક આદેવો બહુસંખ્યક હોય છે. બહુધા મિથ્યાત્વી હોય છે. દેવલોકમાં તેમનાં સ્થાનો પણ નિયત હોતાં નથી. બલબાકળાથી ખુશ થનાર સ્વાર્થપરાયણ હોય છે, સ્વપૂજાના આકાંક્ષી હોય છે, અધર્મપ્રેમી અને ધર્મષી હોય છે. આ થઈ હલકા દેવોની વાત. વાસ્તવમાં તેમને અધિષ્ઠાયક દેવ ન કહેવાય, ઉપચારથી કહેવાય. હવે સાત્ત્વિક અધિષ્ઠાયકો વિચારીએ. ચોવીશ તીર્થંકરનાં ક્ષયક્ષિણીઓ તથા શાસનભક્ત-શાસનરક્ષક દેવીદેવતાઓને સાચા અર્થમાં અધિષ્ઠાયક દેવો કહેવાય. પૂર્વભવમાં સંઘ-શાસન કે તે તે પરમાત્મા પ્રત્યે ગાઢ પ્રીતિ અને ગાઢ પ્રેમના સંસ્કાર ઊભા કર્યા હોય છે તેના પ્રભાવે તે તે સ્થાનના અધિષ્ઠાતા બને છે. તેઓ નિયમા પરમાત્માના ભક્ત અને સમકિતી હોય છે. પરમાત્માની ભક્તિ કરનારાઓને સહાય કરવામાં પોતાની ફરજ સમજતા હોય છે. પરમાત્માની સામે પડનાર પ્રત્યનિકોને પછાડવામાં કે સીધા કરવામાં તેઓ પાછી પાની કરતા નથી. સવાલ: દુષ્ટ અને શિષ્ટ દેવોના આચારવિચારની ભેદરેખા શું છે? જવાબ : હલકા દેવો માલિકીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે, જ્યારે સાત્વિક દેવો સહાયકપણાનો ભાવ પ્રસ્થાપિત કરે છે. હલકા દવોની બહુમતી છે. સાત્ત્વિક દેવો પ્રમાણમાં ઘણા ઓછા છે. હલકા દેવો પાસે દુષ્ટ આસુરી શક્તિ છે. ભક્તદેવો સાત્ત્વિકદેવી શક્તિના સ્વામી છે. હલકાદેવીદુષ્ટતા અને અસત્યનો Page #324 -------------------------------------------------------------------------- ________________ 308 તપાગચ્છાધિષ્ઠાયક વિજય કરાવવાના શોખીન હોય છે. અધિષ્ઠાયકો સત્ય અને સૌજન્યતાના પ્રેમી છે. મિથ્યાત્વી દેવો ભોગરસિક હોય છે; જ્યારે સમકિતી દેવો ભક્તિરસિક હોય છે. - મિથ્યાત્વી દેવો સારા કાર્યમાં વિઘ્નો નાખનારા હોય છે. તેમનું જોર પણ વધુ હોય છે. અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાનિ કરવાના રસવાળા અને ખરાબ વૃત્તિ-પ્રવૃત્તિવાળા હોય છે. ઊંચા ખાનદાન સમ્યગુદષ્ટિ દેવો ધર્મની વૃદ્ધિ કરનારા, ભક્તજનોનાં વિદન હરનારા, સારા કાર્યમાં મદદ કરનારા અને શુભ પ્રવૃત્તિના પ્રેરક હોય છે. શુદ્ર દેવો જલદી રુઝ અને જલદી તુષ્ટ થતા હોય છે. તુષ્ટ થાય ત્યારે કલ્યાણ કરે છે અને રુષ્ટ થાય ત્યારે છોતરાં ઉખેડી નાખે છે. ઘણાના શરીરમાં આવાં ભૂતો પ્રવેશ કરતા જોવા મળે છે. તેમની રાડારાડ, કૂદાકૂદ, લોહીની ઊલટીઓ, બેફામ બકવાસ, મારામારી, તોડફોડ વગરે જોઈ અંદરનાં ભૂતો તામસી આનંદ લૂંટતા હોય છે. સવાલઃ આ વળગાડ દૂર કરવાનો ઉપાય શું? જવાબ: ઘણા લોકો બાવા-ભૂવાને બોલાવે છે. મંત્રતંત્ર પ્રયોગ દ્વારા ભૂતને શરીરમાંથી કાઢી બાટલીમાં સ્થિર કરે છે. ઘણા બાવાઓ ચાબુકના માર મારી ભૂતોને કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘણા ધુમાડાઓ કરી ભૂતોને ભગાડવાનો પ્રયાસ કરે છે. ઘણા મસાણમાં જઈ ગતિવિધિ કરે છે. પણ આ બધાથી કેટલે અંશે ફાયદો થાય તે તો ભગવાન જાણે. જૈન દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, સંતિકર સ્તોત્ર, અજિતશાંતિ સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર જેવા મંત્રો ખૂબ જ ચમત્કારી છે. ૨૧, ૨૭ કે ૧૦૮ વાર ભાવથી જાપ કરી તેના દ્વારા મંત્રિત પાણી પીવાથી આવા બધા ઉપદ્રવો નિશ્ચિત દૂર થાય છે. એક દીક્ષાર્થી બહેનનું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી આવો ઉપદ્રવ થયો. સાનભાન ગુમાવ્યું, બકવાસનો પાર નહીં, કપડાં કાઢી નાખવા સુધીનું ગાંડપણ કરવા લાગી. કુટુંબીઓની ચિંતાનો પાર ન રહ્યો. એક ભૂવાને બોલાવ્યો. થોડી ગતિવિધિ કરી, કાગળની ચબરખી પાણીમાં નાખી ત્રણ દિવસ મંત્રિત પાણી પિવડાવતાં ભૂત ગાયબ. ભૂવાને ઉપાય પૂછતાં તેણે જણાવ્યું કે તમારા ધર્મનો નવકારમંત્ર શ્રદ્ધાથી ગણીને પાણી આપ્યા સિવાય કશું જ કર્યું નથી. આવો જ બીજો કિસ્સો સગી આંખે જોયેલો. એક મહારાજને ગાંડપણ થયું. મુસલમાન જાણકારને બોલાવ્યો. માંત્રિક ક્રિયા દ્વારા ૭–૪ દિવસમાં મહાત્મા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. વિધિ શું કરી? એમ આગ્રહપૂર્વક પૂછતાં કહ્યું કે તમારા ભક્તામર સ્તોત્રના પાઠ દ્વારા જ સારું કર્યું છે. નમસ્કાર વગેરે મંત્રો-સ્તોત્રોમાં આવા ઉપદ્રવોને ખાળવાની પ્રચંડ શક્તિ પડેલી જ છે. આપણને શ્રદ્ધા જોઈએ. જ્યાં ત્યાં બાવા–ભૂવાઓ પાસે ભટકવાની જરૂર નથી. સવાલ: અધિષ્ઠાયક દેવોને માનવા કે ન માનવા? જવાબઃ સમકિતદૃષ્ટિદેવોને માનવા, મિથ્યાદૃષ્ટિને નહીં, છતાં તેમના પ્રત્યે દ્વેષ-તિરસ્કાર Page #325 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 309 તો ન જ થાય. ઉપેક્ષા જ ઉચિત છે. સવાલઃ અધિષ્ઠાયક દેવોની કઈ પ્રકારની ભક્તિ કરી શકાય? જવાબઃ અધિષ્ઠાયક દેવો પરમાત્માના ભક્ત દેવો છે. પોતાની નહિ પણ પરમાત્માની ભક્તિ કરનારા ઉપર ખુશ થનાર હોય છે. પરમાત્મા કરતાં દેવીદેવતાનું મહત્ત્વ વધારવું ઉચિત નથી. સાંસારિક મનોકામનાઓ પૂરી કરવા માટે દેવીદેવતાઓની પાછળ પડવું એક જાતનું ગાંડપણ છે. આપણા સ્વાર્થ ખાતર દેવીદેવતાઓને પરમાત્મા કરતાં ચઢિયાતા માની તેમના જ ગુણગાન ગાવાં, પરમાત્માની ઉપેક્ષા કરી તેમની પાસે કલાકો સુધી માળા ફેરવવી, ઊંચી ઊંચી બોલીઓ બોલી તેમને રીઝવવાનો પ્રયાસ કરવો એ આપણી અજ્ઞાનતા અને પરમાત્માના ઘોર અપમાનનું સૂચક છે. પરમાત્મા તો વીતરાગ છે; તેથી ભક્તિથી રીઝી કામનાઓ પૂર્ણ કરવાનું કામ દેવીદેવતાઓ દ્વારા જ થાય છે. આવી ભ્રામક માન્યતાના કારણે દેવીદેવતાઓને જ કામિતપૂરણ – સર્વસ્વ માની લેવાની ભૂલ બહુજન સમાજ કરતો હોય છે. - અજ્ઞાત સમાજને ખ્યાલ નહીં હોય કે પરમાત્મા પ્રાઈમ મિનિસ્ટરના સ્થાને છે જ્યારે દેવીદેવતા તેમના સેવકના સ્થાને. દેવીદેવતાઓ તો પરમાત્માના અદના સેવક છે. પરમાત્માની ચરણરજ માથે ચઢાવનાર છે. પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી સર્વસ્વનું સમર્પણ કરનારાઓનું જ રક્ષણ કરનારાં છે. દેવીદેવતાઓનો આદરસત્કાર જરૂર કરવાનો; પણ ભૂમિકાને અનુરૂપ જ. એક વાત ખાસ સમજી રાખો કે દેવી-દેવતાઓ શાસનના રક્ષક છે. પરમાત્માના ભક્ત હોવાના નાતે આપણા સાધર્મિક બંધ થયા. તેથી તેઓ આપણા માટે આદરણીય જરૂર છે. તેઓ ગુણિયલ હોઈ ગુણાનુરાગના કારણે તેમને પ્રણામ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ તેમને પ્રભુણાં પ્રભુ' માની સાષ્ટાંગ નમસ્કાર તો ન જ થાય. તેઓ નથી વીતરાગી કે નથી નિષ્કવાયી. આપણા જેવા જ રાગ-દ્વેષ-કષાય વગેરે દોષો ઓછેવત્તે અંશે તેમનામાં પણ ભરેલા છે. એટલે તેમને ભગવાન માની લેવાની ભૂલ તો ન જ થાય. તેમની પાસે પ્રાર્થના જરૂર કરી શકાય, પણ માંગણી હરગિજ નહીં. સવાલઃ ગુરુ ભગવંતો તો દેવીદેવતાઓથી ઊંચા સ્થાને (બ્રા ગુણસ્થાનકે) રહેલા છે, તો તેઓ તેમને પ્રણામ કરે? તેમને પ્રાર્થના કરે? પ્રાર્થના કરે તો શું કરે? જવાબઃ ગુણવંતતણી ઉપબૃહણા ન કરીએ તો અતિચાર લાગે એવું શાસ્ત્રીય ફરમાન છે. તેથી દેવીદેવતાઓ જ્યારે શાસનરક્ષાનું અનુપમ કાર્ય કરતાં હોય તો તેમની અનુમોદના પ્રશંસા કરવી જ જોઈએ. આ ગુણથી રજિત થઈ તેમને પ્રણામ કરવામાં પણ બાધ જણાતો નથી. ટૂંકમાં તેઓ શાસનના રક્ષક છે માટે તેમને માની શકાય. તેઓ ગુણિયલ છે માટે નમી શકાય. મહાત્માઓ જેવી રીતે સમર્થ શ્રાવકોને શાસનની પ્રભાવના કરવાની અને હાલના અટકાવવા માટેની પ્રેરણા કરે છે તેમ દેવી-દેવતાઓને પણ પ્રાર્થના કરી શકે. "હે અધિષ્ઠાયક દેવતાઓ ! તમે સંઘ-શાસનની રક્ષા કરો. શાસનમાં આવતાં Page #326 -------------------------------------------------------------------------- ________________ 310 . તપાગચ્છાધિષ્ઠાયક વિઘ્નો-ઉપદ્રવોને દૂર કરો. અમારી રક્ષા કરો, અમારા સંયમમાર્ગમાં આવતાં વિદ્ગોને દૂર કરો. અમને સદા આપનું સાંનિધ્ય હો. સંઘ-શાસનના કાર્યમાં આપ અમને સદા સહાય કરો." આવી પ્રાર્થના ગૃહસ્થ અને સાધુ બંને દ્વારા થઈ શકે. અને કરવી જ જોઈએ. સાંસારિક પદાર્થોની માંગણીઓ તેમની પાસે કરવી અનુચિત છે. આજે બહુધા સમાજ દેવીદેવતાઓ પાસે ભિખારીવેડા કરતો જોવા મળે છે. સ્ત્રી-સંપત્તિ-કુટુંબપરિવાર–ધંધા–ધાપા વગેરે માટે માથું નમાવાય છે. કો'ક સારી છોકરી માટે હાથ જોડે છે તો કો'ક છોકરીનું પતાવવા માટે કરગરે છે. કો'ક શરીરની સ્વસ્થતા માટે ગાંડપણ કરે છે તો કોક ધંધામાં બરકત આવે તે માટે મનામણાં કરે છે. કોક સત્તાના સિંહાસનો સર કરવા દેવીઓને રીઝવતા હોય છે તો કોક શત્રુના સંહાર માટે ય પ્રાર્થના કરતા હોય છે. કો'ક શેરબજારને ઊંચો લાવવા વીનવતા હોય છે તો કો'ક શેરબજારને નીચે લાવવા. શાસ્ત્રદૃષ્ટિએ આ ઉચિત લાગતું નથી. ઓઘથી પ્રાર્થના કરી શકાય કે, "જીવનને સદાચારમય ગુણિયલ – સંતુષ્ટ રાખી શકીએ તે માટે તમે સહાય કરજો, આ માર્ગમાં આવતાં વિનોને તમે દૂર કરજો." બાકી સંઘની રક્ષા કરવાની પ્રાર્થના કરીએ તેમાં આપણી રક્ષા આવી જ ગઈ! વળી એક વાત નિશ્ચિત છે : " જે જિનભક્ત નવિ થયું તે બીજાથી નવિ થાય." અર્થાત્ આપણું જે કાંઈ સારું થવાનું છે તે એક માત્ર પરમાત્માની ભક્તિથી જ થવાનું છે. જે કાર્યસિદ્ધિ પરમાત્મભક્તિથી ના થાય તે દુનિયામાં કોઈનાથી થવાની નથી. એટલે દેવીદેવતાઓની પાછળ ગાંડા બન્યા વિના પરમાત્માની ભક્તિ વધારવાની જરૂર છે. સવાલઃ અધિષ્ઠાયક દેવતાઓ શું સંઘની રક્ષા ખરેખર કરે છે? ભક્તજનોને સહાય કરે છે? જવાબઃ દેવોની સહાય કયારેક પ્રત્યક્ષ હોય તો ક્યારેક પરોક્ષ. પૂર્વકાળમાં તો પ્રત્યક્ષ સહાય ઘણી થતી હતી, કારણ કાળ સારો હતો. આશાતનાઓ થતી ન હતી. મહાત્માઓનાં ચારિત્ર અત્યંત વિશુદ્ધ હતાં. મંત્રબળો, મંત્રોના જાણકારો તથા મંત્રના સાચા આમ્નાયો વિદ્યમાન હતાં, એટલે મંત્ર- તંત્ર- વિધા- ધ્યાન–જાપ વગેરે દ્વારા દેવતાઓને અચૂક ખેંચાઈ આવવું પડતું અને આચાર્યાદિ પુણ્યાત્માઓની આજ્ઞા મુજબનાં કાર્યો કરવા પડતાં, જેમકે – (૧) કૃષ્ણવાસુદેવને પદ્માવતીએ પ્રગટ થઈ પાર્શ્વનાથ પ્રભુનું બિંબ આપ્યું હતું. (૨) શ્રીપાળમયણા પાસે ચક્રેશ્વરી દેવી હાજર થયાં હતાં. (૩) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે અધિષ્ઠાયક દેવીને ધ્યાનબળે આકર્ષી હતી. (૪) જૂનાં દેરાસરોમાં મંદિર માંગલિક થયા બાદ ઘંટાનાદ અને રાસડાના અવાજો ઘણા જૂના માણસોએ સાંભળ્યા છે. દેવતાઓ પ્રભાવક તીર્થમાં આ રીતે ભક્તિ કરવા Page #327 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 311 અચૂક આવતા જ હોય છે. (૫) શ્રી માનદેવસૂરિજી મ.ના એક ખભે લક્ષ્મીદેવી અને બીજા ખભે સરસ્વતી બિરાજમાન રહેતાં હતાં. (૬) લોકાપવાદથી થતી જિનશાસનની હીલના અટકાવવા અણસણ કરી જીવન ટૂંકાવતા શ્રી અભયદેવસૂરિજીનો કોઢરોગ શાસનદેવીએ દૂર કર્યો હતો. (૭) આર્યરક્ષિતસૂરિ પાસે દેવેન્દ્રના આગમનનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં મળે છે. (૮) મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા રાષ્ટ્રપ્રેમીઓને દેવીઓએ દેખા દઈ સંકેત કરી રાષ્ટ્રરક્ષા કરવાનો ઉપાય સૂચિત કર્યો હતો. (૯) વજસ્વામીને દેવતાએ આકાશગામિની વિદ્યા તથા વૈક્રિયલબ્ધિ અર્પણ કરી હતી. (૧૦) અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મભક્તિમાં તલ્લીન બનેલા રાવણ સમક્ષ ધરણેન્દ્રદેવ પ્રત્યક્ષ થયા હતા. (૧૧) ચિત્તોડના ચૈત્યના થાંભલામાં રહેલા રહસ્યપૂર્ણ માંત્રિક ગ્રંથોને બહાર કાઢતાં શ્રી સિદ્ધસેનદિવાકરને દૈવી તત્ત્વએ જ અટકાવ્યા હતા. (૧૨) આબુના મંદિરનિર્માણમાં આવતાં વિદ્ગોને દૂર કરવા મંત્રી વિમળ અટ્ટમ કરી અંબિકાદેવીનું સાંનિધ્ય મેળવ્યું હતું. (૧૩) શ્રી બપ્પભટ્ટસૂરિજીના સાંનિધ્યમાં સરસ્વતીદેવી હાજરાહજૂર હતાં. ગિરનારતીર્થની માલિકીના વિવાદ પ્રસંગે પણ શ્રી બપ્પભટ્ટસૂરિજીએ અંબિકાનું સાંનિધ્ય મેળવી ગિરનારતીર્થ શ્વેતાંબરોને અપાવ્યું હતું. (૧૪)તક્ષશીલામાં મારી (મરકી)નો ઉપદ્રવ ફાટી નીકળતાં શ્રાવકોએ શાસનદેવીની આરાધના કરી તેમને પ્રત્યક્ષ કરી ઉપાય પૂછ્યો હતો અને નિરુપદ્રવ થયા હતા. (૧૫)" જે વાદમાં હાથ ઊંચો રાખીને વાદ કરશો તેમાં નિશ્ચિત વિજય મેળવશો." આવું વરદાન આચાર્ય શ્રી શાંતિસૂરિજીને સરસ્વતીદેવીએ આપ્યું હતું. આમ દેવતાઈ સાંનિધ્યમાં આવાં તો ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રોમાં મોજૂદ છે. આજે કાળ પડતો છે. ચારિત્રની વિશુદ્ધિ જોઈએ તેવી રહી નથી. સાચા મંત્રો, આમ્નાયો કે તેના જાણકારો ગોત્યા જડતા નથી. મંદિરોમાં આશાતનાનો પાર નથી. એટલે દેવોની પ્રત્યક્ષ સહાય ન દેખાય તે સહજ છે; છતાં પરોક્ષ રીતે દેવતાઈ સહાય જણાતી જ હોય છે. શરત એટલી જ છે કે પ્રાર્થના ઉચિત જોઈએ, હૃદય નિર્મળ જોઈએ અને કાર્યમાં સ્વાર્થ કે સ્પૃહાની બદબૂ ના જોઈએ. પૂ. આચાર્ય શ્રી વિજયહિમાંશુસૂરિજી મ. ૯૨ વર્ષની જૈફ વયે છેલ્લાં પંદર વર્ષથી એકધારા આયંબિલ કરી રહ્યા છે. તેમનો પડતો બોલ કુદરત ઝીલી રહી છે. દેવતાઈ સહાય વગર આ શક્ય જ નથી. જેને શાસન ઉપર વણકલ્પી આફતો અને આક્રમણોનાં એંધાણ વર્તી રહ્યાં છે. ચારેબાજુ Page #328 -------------------------------------------------------------------------- ________________ 312 તપાગચ્છાધિષ્ઠાયક ફેલાઈ રહેલા અત્યાચારો, વ્યભિચારો, આર્થિક ભીંસ, જમાનાવાદનો વકરેલો વાયરો, ધર્મવિમુખતા જેવાં શાસનનાશક તત્ત્વો વગેરે વચ્ચે ડગુમગુ થતું શાસનનું નાવડું હજી બચી રહ્યું છે તેમાં દૈવી તત્ત્વોનો ફાળો માન્યા વગર છૂટકારો જ નથી. ક્યારેક દુષ્ટ દેવોનું જોર વધી જાય અને સાથે સાથે આપણાં પુણ્ય ઓછાં પડે ત્યારે આ અધિષ્ઠાયક દેવો શાસનની હાલત જાણવા છતાં કંઈ પણ કરવા માટે લાચાર હોય છે. અધિષ્ઠાયક દેવો આપણા પુણ્ય અને પુરુષાર્થ બંને દ્વારા આકર્ષાતા હોય છે. ક્યારેક આપણે શાસનની બાજી તેમના ઉપર જ છોડી દેતા હોઈએ છીએ. આપણે કશું ના કરીએ અને તેમના ઉપર છોડી દઈએ કે " અધિષ્ઠાયકો જાગૃત હશે તો કરશે"; તો તેઓ કશું જ ના કરે. આપણો પ્રબળ પુરુષાર્થ હોય ત્યારે ખૂટતી સહાય કરવા તેઓ આવતા હોય છે. તેમના ઉપર કળશ ઢોળી દઈએ અને પછી કાર્યસિદ્ધિ ના થાય ત્યારે બૂમો પાડીએ કે " અધિષ્ઠાયકો જાગતા નથી, અધિષ્ઠાયકો છે જ નહીં." તો તે ઉચિત નથી. સવાલ: અધિષ્ઠાયક દેવો નિયત (કાયમી) હોય છે કે અનિયત ? જવાબઃ અધિષ્ઠાયક દેવોનાં સ્થાન નિયત હોય છે પણ અધિષ્ઠાયકો નિયત હોતા નથી. તેમનાં આયુષ્ય પરિમિત હોય છે. દા.ત. ઋષભદેવ પ્રભુના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી છે. ઋષભદેવ પ્રભુનું શાસન અસંખ્ય વર્ષ સુધી ચાલ્યું; જ્યારે દેવીનું આયુષ્ય સીમિત હોવાથી ઋષભદેવ ભગવાનનું શાસન ચાલ્યું ત્યાં સુધીમાં તો અનેક ચક્રેશ્વરી દેવીઓ થઈ ગયાં. નામ નિયત, સ્થાન નિયત, ફરજ નિયત, કાર્યક્ષેત્ર નિયત પણ વ્યક્તિઓ અનિયત છે. આયુષ્ય પૂર્ણ થતાં તે વ્યક્તિઓની બદલી થતી જ રહે છે, છતાં તે સ્થાન કદાપિ ખાલી રહેતાં નથી. સવાલઃ સંકટ સમયે અધિષ્ઠાયક દેવતાઓને સહાય માટે બોલાવવાનો ઉપાય શું છે? જવાબઃ શાસન કે સંઘ ઉપર આવી પડેલી આકસ્મિક આફતોના નિવારણ માટે શાસન દેવતા વગેરેના પ્રણિધાન સહિત કાયોત્સર્ગ–ધ્યાન અને જાપ કરી તેમને હાજર કરવાના ઉલ્લેખો શાસ્ત્રોમાં ઘણા જોવા મળે છે. આપણી સંપૂર્ણ શક્તિ કામે લગાડ્યા પછી ખૂટતી પૂરક શક્તિ માટે કરાતી વિનવણી સ્વરૂપ નિઃસ્વાર્થ હાર્દિક પ્રાર્થના દ્વારા અધિષ્ઠાયકો અચૂક સહાય કરે છે. દેવતાઓ પણ કયારેક જાગૃત અવસ્થામાં હોય છે તો ક્યારેક પ્રમાદ અવસ્થામાં. કાયોત્સર્ગ વગેરે આમ્નાયયુક્ત વિધિ સહિતની ક્રિયાના પ્રભાવે પ્રમત્ત દેવતા જાગૃત થઈ સહાય કરવા દોડી આવે છે. કહેવાય છે કે ઉવસગ્ગહરની અંતિમ ગાથાકયના સ્મરણથી ધરણેન્દ્ર પદ્માવતીને અચૂક હાજર થવું પડતું. (દૈવી શક્તિના દુરુપયોગના ભયથી પૂર્વર્ષિઓએ સમજીને જ આ ગાથાઓને ભંડારી દીધી.) = Page #329 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 313 મારી-મરકી વગેરે ઉપદ્રવો દૂર કરવા સંઘે ભેગા મળી કાયોત્સર્ગ દ્વારા શાસનદેવ વગેરેની સહાય મેળવ્યાનાં ઘણાં દૃષ્ટાંતો મોજૂદ છે. પ્રતિક્રમણમાં શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા આદિનો કાયોત્સર્ગ પાછળનો આશય એ જ છે કે કાયોત્સર્ગના પ્રભાવે તે દેવતાઓ જાગૃત રહી સંઘ-શાસન, તીર્થસ્થાનો, આરાધના સ્થાનો અને આરાધકોની રક્ષા કરતા રહે. દેવવંદનમાં પણ ચોથી થાય દ્વારા.અધિષ્ઠાયકોને યાદ કરાય છે: "વાણિતિયણ સમિણિ સિરિદેવી જખરાય ગણિપિડગા, ગહદિસિવાલ સુરિંદા સયાવિર ખતુ જિણભરે". સંતિકસૂત્રમાં આવતી આ ગાથામાં કહેવાયું છે કે હે સરસ્વતીદેવી! ત્રિભુવન સ્વામિની દેવી ! યક્ષરાજ ગણીપીટક! ગ્રહો ! દિગ્ધાલો ! સુરેન્દ્રો ! તમે પરમાત્માના ભક્તોની સદા રક્ષા કરો. વિશિષ્ટ સાધક આચાર્યો દ્વારા થતાં સંઘનાં કાર્યોમાં પરોક્ષ રીતે પણ દૈવી તત્ત્વોની વિદ્યમાનતા જણાતી હોય છે. * સર કરનાર ન દ8 I O : * K -: YOooogorofoXXoXoXoXoX GJ જય શત્રુંજયના ધ્યાનથી માણેકચંદમાંથી શ્રી માણિભદ્રદેવ બનેલા વ્યંતરેન્દ્રનો વર્ણ શ્યામ છે પણ સૌને લાગે છે સોહામણો વીશ હજાર સામાનિક દેવતાઓની મધ્યમાં માણિભદ્રજીનો દિવ્ય પ્રભાવ ઝળહળા થઈ ઉઠે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ 3 | 4 તપાગચ્છાધિષ્ઠાયક 'યક્ષ અને યક્ષિણીનું મૂર્તિવિધાન • જૈનધર્મમાં તીર્થંકર ભગવાનની સંખ્યા ૨૪ છે. દરેક તીર્થંકરને એક યક્ષ (જમણી બાજએ) અને એક યક્ષિણી (ડાબી બાજએ ) હોય છે. તેમાં યક્ષિણી શાસનદેવીઓ ગણાય છે. આ શાસનદેવીઓ ઉપરાંત શ્રતદેવતા. શાંતિદેવતા. સોળ વિદ્યાદેવીઓ અને અધિષ્ઠાયકોનાં વર્ણન જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. ચોવીશ તીર્થંકરોનાં ચોવીશ યક્ષયક્ષિણીનું મૂર્તિવિધાન અત્રે રજૂ કર્યું છે. જૈન ગ્રંથોમાં દેવદેવીઓની ઉત્પત્તિની કથાઓ, તેમના અદ્ભુત ચમત્કારો, આકાર-પ્રકાર અને તેમની મૂર્તિઓના વિશિષ્ટ વર્ણનોથી પણ આપણે વાકેફ થવું જરૂરી છે. સામાન્ય માન્યતા એવી છે કે શાસન દેવદેવીઓ અને અધિષ્ઠાયકો તીર્થંકરોના ઉપાસકો અને સાધકોના યોગક્ષેમની સંભાળ અવશ્ય લે છે તેમ જ શુભ મનોકામનાઓ પૂર્ણ કરે છે. યક્ષરાજ શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. તેના સ્તવન, સ્તોત્ર આદિનું વિપુલ સાહિત્ય આ ગ્રંથમાં જ ઉપલબ્ધ થશે. આ સાહિત્યપ્રસાદી આપણા હૈયામાં આનંદનો કોઈનવો જ ભાવ ઊભો કરશે. –સંપાદક R '. STYHO5 જાણ છે પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયિકાદેવી: ગ્રંથસંપાદકની જીવનનૈયાના સુકાની અને શિરછત્ર ભગવતી શ્રી પદ્માવતી દેવી માણેકશાહ પ્રભુ પાર્શ્વનાથની સાથે માતા પદ્માવતીજીના પણ અનન્ય ઉપાસક હતા. Page #331 -------------------------------------------------------------------------- ________________ - - - - - - નક - 1 . - vali AN जायला વM X DESI R! GS યક્ષરાજશ્રી માણિભદ્રદેવ महान्याला महाकाली માનવી - s - / * સક - વૈરોટ } આ જીતી Iી આ સોળ વિદ્યાદેવીઓ છે જૈનધર્મમાં માન્યતા પામેલ આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની દેવીઓ હોવાનું મનાય છે. આ દેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને ગુજરાત રાજસ્થાનમાંથી પ્રાપ્ત થઈ છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં પણ તેના દર્શનીય સ્વરૂપો જોવા મળે છે, આબુ દેલવાડામાં પણ કંડારાયેલા ઉત્તમ શિલ્પોના દર્શન થાય છે, તારંગાના શિલ્પવૈભવમાં પણ આ સોળ વિદ્યાદેવી અગ્રસ્થાને છે. કહેવાય છે કે ગુરુ ગૌતમસ્વામીને આ વિદ્યાદેવીઓ હાજરાહજૂર હતા. 315 Page #332 -------------------------------------------------------------------------- ________________ 316 તપાગચ્છાધિષ્ઠાયક વૃષભ)T (મતીર્થંકરનું નામ યક્ષ | વર્ણ | વાહન જમણા | ડાબા | વિશેષતા ! યક્ષિણી | વર્ણ | વાહન જિમણા | ડાબા |વિશેષતા | હાથના | હાથના હાથના | હાથના ઉપકરણઉપકરણ Iઉપકરણ[ઉપકરણ | ૧.T ઋષભદેવ ગોમુખ| સોનેરી) હાથી વરદ | પાશ | ચાર હાથ ચક્રેશ્વરી સોનેરી ગરુડ | ચક્ર ચ | મૂર્તિને ચાર માળા | ફલ | અને મુખ| કે પાશ | ધનુષ | હાથ હોય છે. વૃષભ જેવું અપ્રતિચક્ર | હોય છે.] I ૨. અજિતનાથ મહાય| શ્યામ| હાથી | પાશ | અભિય | કયારેક | અજિતાબાલ ગીર | ગાય | પાશ | અંકુશ | - માળા | શક્તિ | ચાર મુખ (જે.- વરદ | ફલ મુદ્ર અંકુશ દર્શાવાય વરદ છે. | ૩.| સંભવનાથ | ત્રિમુખ| શ્યામ મયૂર ગદા ! નાગ |ત્રણ મુખ દુરિતારી | ગૌર ફિલ નકુલ | ફલ ત્રિનેત્ર અને માળા અભય અભય | શક્તિ | છ હાથ | દુરિતાદેવી, ૪. અભિનંદનનાથ ઈશ્વર | શયામ હાથી માળા | અંકુશ કાલિકા |શ્યામ કમળ પાશ [અંકુશ ફળ | નોળિયો | કે | વરદ | નાગ યક્ષેધર III : સુમતિનાથ | ખુરૂ | ત | ગરૂડ શકિત પાશ મહાકાલી | સુવર્ણ હાથી પાશ | અંકુશ | વરદ | ગદા વરદ | ફલ તુંબર પુરુષદના | પહાપ્રભુ | કુસુમ 1 નીલ | મૃગ શ્યામા |શ્યામ નર(માનવ) બા, ધનુષ |દિગમ્બર અભય નકુલ (દિ. ઘો) | વરદ | અભય | મત પ્રમાણે | પુષ્પક્ષ અયુતાદેવી, આ યક્ષિણી (દિ.મનોવેપા) ઘોડેસ્વાર હોય છે. I 9. સુપાર્શ્વનાથ | માતંગ | શ્યામ| હાથી | પાશ | અંકુશ શાંતાદેવી | સુવર્ણ હાથી | માળા | ત્રિશૂલ - કે |(દિ. સિંધ) | ફળ નોળિયો [(દિ. –| વરદ | અભય હરિત શાંતિદેવી II ૮.| ચંદ્રપ્રભુ |વિજય | નીલ | હંસ | ચક્ર | મુગ્દર | શ્વેતામ્બરો ભૂકુટિદેવી |પીત હિંસ | તલવાર ઢાલ | તેને ત્રણ (દિ, વાલામાલિન) | ચક્ષુ દર્શાવે ફળ માળ | - પકિ. ૯.| સુવિધિનાથ | અજિત શ્વેત | કૂર્મ | અંકુશ | કુત(ભાલ) સુતારા શ્વેત નંદી માળા | અંકુશ | નોળિયો | સુતાશ | બ શીતલનાથ | બ્રહ્મા પેત કમલાસન મુગ્દર માળા ચાર મુખ અશોકાદેવી | હરિત કમલાન પાશ ! અંકુશ | - પોશ | અંકુશ | અને | (દિ. માનવી સન કે વરદ | કમળ ફળ ગદા | ત્રિનેત્ર વરાહ અભય નોળિયો II ૧૧ શ્રેયાંસનાથ | ઈશ્વર | ગૌર | મંદી ગદા | નોળિયો ત્રણઆંખો માનવી |ગૌર |સિંહ | મુગ્દર | અંકુશ (વૃષભ)| ફળ | માળા (દિ.મૃગ | વરદ | કળશ | ગૌરી | | | II ૧૨ વાસુપૂજ્ય | કુમાર | શ્વેત | હંસ | બાણ ધનુષ |દિગમ્બર | પ્રચંડા | શ્યામ અથવ શક્તિ | ગદા ફળ નોળિયો| મતે તેમને કે (દિ. મગ) | વરદ | કમળ ત્રણ મુખ| ચંડા I ૧૩ વિમલનાથ |ષણમુખ| શ્વેત | મયૂર માળા અભય | દિગમ્બરો] વિદિતાદેવીનીલ|કમલાને પાશો નાગ પાંશ અંકુશ | તેને | કે બાણ ઢાલ | ચતુર્મુખ વૈરોટી દેવી ચંદ્ર ધનુષ યક્ષ કહે છે. ફળ ચક ખડુંગ નોળિયો Page #333 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 317 કમળ ફળ યક્ષ અને યક્ષિણીનું મૂર્તિવિધાન ક્રમ તીર્થકરનું નામ યક્ષ | વર્ણ | વાહન |જમણા | ડાબા વિશેષતા | યક્ષિણ | વર્ણ | વાહન જમણા] ડાબા વિશેષતા હાથના હાથના | હાથના ઉપકરણ ઉપકરણ ઉપકરણઉપકરણ ૧૪ અનંતનાથ પાતાલ ૨ક્ત ] મગર પાશ ! માળા ત્રણ મુખ| અંકુશ | શ્વેત કમલાન ખડગુ અંકુશ ખડગ ઢાલ અને છ | સન કે પાશ | ઢાલ કમળ નકુલ હાથ ૧૫ ધર્મનાથ કિન્નર | ૨ક્ત ] કૂર્મ અભય માળા - | કંદર્પ | ગૌર | માછલી કમળ (દિ.મસ્ય) ગદા કમળ [ અંકુશ અભય II 1| શાંતિનાથ |કિં૫રુપ શ્યામ| વરાહ કમળ માળા વરાહ જેવું નિર્વાણી | ગૌર | મયૂર કિમળ | કમળ મુખે દ. મામાનસી) પુસ્તક | કમંડળ કમલાનું સન || ૧૭ કુંથુનાથ |ગંધર્વ | શ્યામ|હંસ | પાશ | અંકુશ કયારેક ! બલા | ગૌર | મયૂર |ત્રિશૂલ પા વરદ ! ફળ ગંધર્વનું | કે દિ.વરાહ)| ફળ ! ભૂસંડી વાહન રથ| અય્યતા દર્શાવાય છે. ૧૮| અરનાથ યક્ષેન્દ્ર | શ્યામ | શંખરથ| અભિય| માળા છ મુખ, | ધારિણીદેવી | શ્યામ| કમલાનું પા માળા (દિ.મપૂરી પાશ અંકુશ ત્રિનેત્ર કે | સન | ફળ પાશ મુગ્દર ત્રિશૂલ નીલનું ખગ બાણ ધનુષ નોળિયો ! ૧૬ મલ્લિનાથ કુબેર | મેઘ– હાથી અભય નોળિયો |ગરૂડમુખ વેરોઢયાદેવી શ્યામ| સિંહ | માળા | શક્તિ ધનુષ માળા કે ' વરદ ફરશી મુગ્દર વિરાટીદેવી કમલા૫ વરદ સન ૨ મુનિસુવ્રત |વરુણ પરશુ ચાર મુખ| નરદત્તા | ગૌર | ભદ્રા- 1માળા | ત્રિશૂલ – બાણ ધનુષ ને ત્રિનેત્ર સન | વરદ | ફળ ગદા બહુરૂપિણી ફળ નોળિયો ઢાલ ત્રિશૂલ વણે ફળ કમળ કે સર્પ અમિય હંસ પરશું ચક સર્ષ I ૨૧ નમિનાથ ભૃકુટિ | સુવર્ણ | વૃષભ માળા ચારમુખને ગાંધારી | શ્વેત મુંદર | ત્રિનેત્ર | કે શક્તિ ચામુંડી ફળ નકુલ ૨૨ નેમિનાથ | ગોમેધ | શ્યામ પુરુષનર શક્તિ ત્રણ મુખને અંબિકા | સુવર્ણ સિંહ | અંકુશ | આમનું - પરશુ ત્રિશૂલ ત્રિનેત્ર, છી કે નાગપાશે લુંબી ફળ નકુલ | હાથ | કુષ્માણિન | ૨૩ પાર્શ્વનાથ | પાર્થ | શ્યામકુર્મ સર્પ ગજમુખ| પદ્માવતી સુવર્ણ સર્પ પાશ | અંકુશ નકુલ અને મસ્ત પર સર્પ ફણા ૨૪ મહાવીર | માતંગ | શ્યામ | હાથી | નકુલ | ફળ મૂર્તિમાં સિદ્ધાયિકા | નીલ |સિંહ અભય વીણા મોટા ભાગે કે પુસ્તક | ફળ બે હાથ [સિદ્ધીદાયિકા હોય છે. દિ. એટલે દિગમ્બર માન્યતા પ્રમાણે છે. એટલે શ્વેતામ્બર માન્યતા પ્રમાણે Page #334 -------------------------------------------------------------------------- ________________ 318 તપાગચ્છાધિષ્ઠાયક જૈન શાસ્ત્રોની દષ્ટિએ ઊર્ધ્વલોકના દેવાવાસો -- જશુભાઈ જુગલદાસ શાહ. શ્રી માણિભદ્રદાદાના આ ગ્રંથમાં જ્યારે જ્યારે તેમનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે ત્યારે માણેકશા નામના માનવીમાંથી દેવ તરીકેનો તેમનો નવો અવતાર આંખ સમક્ષ ખડો થાય છે. તેઓ દેવોના પણ ઇન્દ્ર દેવેન્દ્ર છે, તેથી તે વાત પણ સત્ય છે કે દેવલોકના દેવતાઓની દિવ્ય દુનિયા પણ વિશાળ છે. ચાર પ્રકારના દેવો પૈકી આપણા કહેવાતા માનવલોકથી ઊંચે ઊંચે દશ્યમાન અને અદશ્યમાન જે જયોતિષ અને વૈમાનિક દેવોની જે દુનિયા છે તેનો ફક્ત આછો ચિતાર જ આ લેખનો વિષય છે. એક ગૃહસ્થ સવિશેષ જ્ઞાનાભ્યાસ કરે ત્યારે જ આટલું વિસ્તાર પૂર્વક લખી શકે. બૃહ–સંગ્રહણી વગેરે શાસ્ત્રો આ લેખના લખાણ લખવા માટે ભણવા પડે. અત્રે લેખ માહિતીસભર છે; છતાંય દેવતા-લોકનો ઘણો જ ઓછો અને આછો ખ્યાલ અને અપાયો છે. કારણ કે જૈનાગમોમાં તો દેવલોક, દેવતા, દિવ્ય શક્તિઓ, દેવતાઈચમત્કારો, દેવોનું મુખ્ય કાર્ય વગેરે વગેરે વિષે પ્રમાણબદ્ધ માહિતીઓ ઉપલબ્ધ છે. પ્રસ્તુત હકીકતો રજૂ કરનાર જશુભાઈ જે. શાહ ગુજરાતમાં સારા વિધિકાર છે. અનેકવિધ પૂજનોમાં તેમનું વિશિષ્ટ યોગદાન નોંધપાત્ર બન્યું છે. અમારી સાહિત્યશ્રેણીમાં તેમના તરફથી હંમેશાં ઉત્તમ કક્ષાનો સહયોગ મળતો રહ્યો છે. - સંપાદક દેવોની દુનિયા અલોકિક છે. દેવો મહાશક્તિના સ્વામી છે. દેવો વેકિય શરીર ધારણ કરનારા છે. એકસાથે અનેક રૂપો સર્જનારા છે. દેવો અવધિજ્ઞાનના સ્વામી છે. જ્યાં કેવળ આનંદ, સુખ અને મોજ-મસ્તી છે, એવી દેવોની દુનિયા કંઈક અનેરી છે. ઊર્ધ્વલોકમાં જ્યોતિષી દેવલોકના દેવો અને વૈમાનિક દેવલોકના દેવો છે જે પરમ તારક પરમાત્માના પરમ ભક્ત છે અને પરમાત્માનો દિવ્ય મહિમાગાન કરનારા છે. જે દેવોના વિમાનમાં શાસ્વતા જૈન ચેત્યો અને જિન–પ્રતિમાઓ આવેલી છે એવા દેવોનાં ચરણોમાં કોટી કોટી વંદના કરી આ લેખની શરૂઆત કરું છું. જૈન શાસ્ત્રની દૃષ્ટિએ દેવોના ચાર પ્રકાર મુખ્ય છેઃ (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. Page #335 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 379 ઇન્દ્ર, ઇન્દ્રાણી, દેવ તથા દેવીના પર્યાયવાચી શબ્દો તથા સર્વસામાન્ય વિવેચન તો બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં–કાવ્યોમાં જાણવા મળે છે, પણ બધી રીતે વ્યવસ્થિત દેવલોકનું તથા તેમાં વસનારા દેવોનું, ઇન્દ્રોનું, તેમની રાજધાનીઓનું, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-રંગ, શરીર તેમ જ વિમાનોનું વર્ણન જેટલું જૈનાગમોમાં અને પ્રકરણસૂત્રોમાં જોવા મળે છે તેવું બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. દેવો અને ઇન્દ્રો પણ સંસારી જીવો છે. તેમને પણ પુણ્ય-પાપ, સુખ-દુઃખ, સંયોગ-વિયોગના અનુભવો થાય છે. દેવો જન્મે છે, ચ્યવે છે અને સંસારના સુખોને ભોગવે છે. ખાય છે, પીએ છે અને મોજમસ્તી માણે છે. હરે છે, ફરે છે અને જુદી જુદી કીડાઓ કરે છે. મૃત્યુ પાસે આવતાં આક્રન્દ કરે છે તથા દુઃખી પણ થાય છે. વિષયવાસનામાં તથા વૈરાગ્યરસમાં મસ્ત રહે છે. મનુષ્યલોકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કોટવાલ, ફોજદાર, સેનાપતિ તથા સૈનિકો અને નગરશેઠો હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતોનું ખૂબ લંબાણથી સ્પષ્ટીકરણ જૈન આગમોમાં છે, જેમાંથી આ માહિતી આપેલ છે. જ્યોતિષી દેવલોક :- જ્યોતિષ્ક દેવોના ચર અને સ્થિર એમ બે પ્રકાર છે. (૧) ચર જ્યોતિષી દેવો (ર) સ્થિર જ્યોતિષી દેવો: આ દેવોના દેવાવાસોને દેવવિમાનો કહે છે. (૧) ચર જ્યોતિષી દેવો –ચર જ્યોતિષી દેવો અવિરત રીતે પરિભ્રમણ કરતાં જ્યોતિષ વિમાનોમાં વસતા દેવો છે. ચર જ્યોતિષી વિમાનોનું પરિભ્રમણ અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રની મર્યાદાવાળા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં હોય છે. તે વિમાનો સદાકાળ લોકસ્વભાવે જ ફરતા રહેતા હોવાથી ચર કહેવાય છે. (૨) સ્થિર જ્યોતિષી દેવો – આ દેવોનાં વિમાનો જ્યાં હોય છે ત્યાં જ રહે છે. જેને પરિભ્રમણ કરવાનું હોતું નથી તે સ્થિર જ્યોતિષના દેવોનાં વિમાનો અઢી દ્વીપ સિવાયના તિøલોકના સર્વ દીપો અને સમુદ્રોના ઊર્ધ્વ આકાશમાં સમભૂતલાથી ૯૦૦ યોજન સુધીની ઊંચાઈમાં હોય છે. ચર અને સ્થિર બને જ્યોતિષી દેવીના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકાર છે. જ્યોતિષી દેવલોકના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય છે. જ્યોતિષી દેવોના ઉત્પત્તિસ્થાન માટે નિયત ઉત્પત્તિ પુષ્પશપ્યાઓ હોય છે. મેરુ પર્વતની સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઊંચાઈ સુધીના આકાશક્ષેત્રમાં ચર જ્યોતિષી દેવોનાં વિમાનો રહેલાં છે. તારાઓનાં વિમાનો ૭૯૦યોજન, સૂર્ય વિમાન 200 યોજને, ચંદ્ર વિમાન ૮૮૦ યોજને, નક્ષત્રોનાં વિમાનો ૮૮૪ યોજને અને ગ્રહોનાં વિમાની ૮૮૮ થી ૯૦૦ યોજને સમભૂતલા પૃથ્વીથી ઊંચા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં રહેલાં છે. તે દરેકના ભ્રમણમાર્ગ શાસ્ત્રોમાં ચોક્કસ રીતે દર્શાવેલા છે. ઊર્ધ્વલોકમાં વસનારા દેવોના આવાસોને વિમાનો કહેવામાં આવે છે અને અધોલોકમાં Page #336 -------------------------------------------------------------------------- ________________ 320 તપાગચ્છાધિષ્ઠાયક વસનારા દેવોના આવાસોને ભવનો કહે છે. જંબૂદ્વીપમાં ૨ ચંદ્ર–૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય ઘાતકી ખંડમાં ૧૨ ચંદ્ર–૧૨ સૂર્ય, કાલોદધી સમુદ્રમાં ૪૨ ચંદ્ર – ૪૨ સૂર્ય અને પુષ્પરાવર્ધદ્વીપમાં ૭ર ચંદ્ર – ૭ર સૂર્ય. આમ અઢી દ્વીપની અંદર ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્યનાં વિમાનો આવેલાં છે. દરેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૯૭૫ કોટાકોટી તારા છે. પ્રત્યેક જ્યોતિષીના માલિકને ચાર અગ્રમહિષી ઈન્દ્રાણી છે. પ્રત્યેક અગ્રમહિષીને ચાર–ચાર હજાર દેવીઓનો પરિવાર છે. ચાર હજાર સામાનિક દેવ છે, સોળ હજાર આત્મરક્ષક દેવ છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. (૧) ચંદ્ર :- ચંદ્રના વિમાનની લંબાઈ-પહોળાઈ ૫૬૧ યોજન છે. ૧૬000 દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક લાખ વરસ જઘન્ય આયુષ્ય – ૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. ' (૨) સૂર્ય – તારામંડળના ૧૦ યોજન ઊંચે સૂર્યનું વિમાન આવેલું છે. સૂર્યના વિમાનનો વિસ્તાર ૪૮/૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો આ વિમાનને વહન કરે છે. દેહ–ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક હજાર વર્ષ જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. (૩) તારાઓના વિમાનો:- ૭૯૦ યોજન ઊંચાઈએ તારાઓનાં વિમાનો આવેલાં છે. તારાનાં વિમાન Oા ગાઉ લાંબાં હોય છે; ૨૦૦૦ દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય Oા પલ્યોપમ, જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્ય. (૪) નક્ષત્ર :- ચંદ્ર વિમાનથી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન આવેલાં છે. તેમના વિમાન પંચરત્નમય છે. તે એક–એક ગાઉના લાંબા-પહોળા અને અડધા ગાઉના ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ છે. નક્ષત્રના વિમાનને ૪000 દેવતાઓ ઉપાડે છે. (૫) ગ્રહ - નક્ષત્ર માળની ઉપર ૪ યોજન ઊંચે ગ્રહોનાં વિમાન આવેલાં છે. ગ્રહોનાં વિમાન પાંચ વર્ણના રત્નમય છે. ગ્રહોનાં વિમાન બબ્બે કોશના લાંબાં-પહોળાં અને એક કોશના ઊંચાં છે. ગ્રહોના વિમાનને 2000 દેવો ઉપાડે છે. બુધનું વિમાન લીલા રત્નમય છે. બૃહસ્પતિનું વિમાન પીળા રત્વનું છે. શુક્રનું વિમાન સ્ફટિક રત્નમય છે. મંગળનું વિમાન રક્ત રત્નમય છે અને શનિનું વિમાન જંબુનંદ રત્નમય છે. ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય છે. જ્યોતિષી દેવલોકનાં દરેક વિમાનો ઉત્તમ રત્નોથી ચમકતાં હોય છે અને પ્રકાશને આપનારાં હોય છે. જ્યોતિષી દેવલોકના ઇન્દ્ર સૂર્ય અને ચંદ્ર છે. સૂર્યના વિમાનથી એક યોજન નીચે કેતુનું વિમાન છે અને ચંદ્રના વિમાનથી એક યોજન નીચે કેતુનું વિમાન છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ વૈમાનિક દેવલોક :- શનિના ગ્રહના વિમાનની ધજાથી દોઢ રાજ ઉપર વિસ્તારમાં ગણોદધિના અને સાડી–ઓગણીશ ગણરજુ જેટલા આધાર પર જંબૂઢીપના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પ્રથમ સુધર્મ દેવલોક અને ઉત્તર દિશામાં બીજો ઈશાન દેવલોક આવેલો છે. આ બંને દેવલોકમાં ૧૩–૧૩ પ્રતર છે. જેમ મકાનમાં મજલા (માળ) હોય તેમ દેવલોકમાં પ્રતર હોય છે. જેમ માળની અંદર ઓરડા હોય છે તેમ દેવલોકમાં વિમાન હોય છે. ૧) સુધર્મ દેવલોક :- પહેલા દેવલોકનું નામ સુધર્મ દેવલોક છે, જેના ઇન્દ્રનું નામ શકે છે. આઠ અગ્રમહિષી છે. દેહમાન ૭ હાથ, શરીર વર્ણ રકત–સુવર્ણ, મુગુટ-ચિહ્ન મૃગ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ, જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. વિમાનનો વર્ણ પંચવર્ણી રત્નોનો છે. વિમાનની ઊંચાઈ ૫૦૦ યોજન છે. ૨૭ યોજનના ભોંયતળિયાવાળાં ૩ર લાખ વિમાનો આવેલાં છે. સૌધર્મ દેવલોકમાં શાશ્વતા ૩ર લાખ જિનપ્રાસાદ છે. પાંચ સભા સહિત દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. (૨) ઈશાન દેવલોક – જેમાં ૧૩ પ્રતર છે. ૨૮ લાખ વિમાન છે, જેના ઇન્દ્રનું નામ ઈશાન ઇન્દ્ર છે. ૭ હાથનું દેહમાન છે. રક્ત-સુવર્ણ વર્ણ છે. મુગુટ પર પાડાનું ચિહ્ન છે. વિમાનનો વર્ણ પંચવર્ણી છે. આઠ અગ્રમહિષી છે. દેવીઓ બીજા દેવલોક સુધી જ હોય છે. તેથી ઉપરના દેવલોકમાં હોતી નથી. ઈશાન દેવલોકમાં ૨૮ લાખ જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૩) સનત્કુમાર દેવલોક :- સનતકુમાર દેવલોકના ઇન્દ્રનું નામ સનતકુમાર ઇન્દ્ર છે, જેમાં બાર પ્રતર છે. 500 યોજન ઊંચા અને ર900 યોજન ભૂમિતલ સવારો અને ૧૨ લાખ વિમાનો આવેલાં છે. ૬ હાથનું દેહમાન, શરીરનો વર્ણ કમળ-કેશર જેવો છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમનું હોય છે. વિમાનનો વર્ણ લાલ-પીળાલીલા–વાદળી રંગનો હોય છે. સનતકુમાર દેવલોકમાં ૧ર લાખ પ્રાસાદ અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. (૪) મહેન્દ્ર દેવલોક:- મહેન્દ્ર દેવલોકમાં ૧ર પ્રતર છે. દ00 યોજન ઊંચાઈવાળાં આ વિમાન છે. વિમાનનો આધાર ધનવાત છે. ઇન્દ્રનું નામ મહેન્દ્ર છે. દ હાથનું દેહમાન છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ, જઘન્ય આયુષ્ય ર સાગરોપમથી વધુ હોય છે. વિમાનનો વર્ણ લાલ-પીળા-લીલા–વાદળી રંગનો છે. મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ પ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. (૫) બ્રહ્મલોક દેવલોક – બ્રહ્મલોક દેવલોકમાં પ્રતર છે. તેમાં ૭00 યોજન ઊંચાં અને રપ00 યોજન ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ 322 તપાગચ્છાધિષ્ઠાયક દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર કૃષ્ણરાજ છે. તેમાં ૪ દિશાએ ચાર અને ૪વિદિશાએ ૪ અને મધ્યમાં એક એમ ૯ વિમાન છે. તેમાં લોકાંતિક જાતિના દેવો છે. પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે (૧) ઈશાન કોણમાં ચર્ચા વિમાન છે. તેમાં સારસ્વત દેવ રહે છે. (ર) પૂર્વમાં અર્ચામાલી વિમાન છે. તેમાં આદિત્ય દેવ રહે છે. તે બંને દેવોને ૭૦૦ દેવોનો પરિવાર છે. (૩) અગ્નિ દિશામાં વેરોચન વિમાન છે. તેમાં વહી દેવ રહે છે. (૪) દક્ષિણ દિશામાં પ્રબંકર વિમાન છે, તેમાં વરુણદેવ રહે છે. આ બંને દેવોનો પરિવાર ૧૪000 છે. (૫) મૈત્ય કોણમાં – નિર્મત્ય દિશામાં ચંદ્રાભ દેવવિમાન છે. તેમાં ગરદત્તાયદેવ રહે છે. (૬) પશ્ચિમ દિશામાં સૂર્યાભ વિમાન છે, તેમાં તુષિત દેવ રહે છે. એ બંનેનો ૭૦૦૦ દેવોનો પરિવાર છે. (૭) વાયવ્ય દિશામાં શક્રાભ વિમાન છે. તેમાં અવ્યાબાધ દેવ રહે છે. (૮) ઉત્તર દિશામાં સુપ્રતિષ્ઠવિમાન છે. તેમાં અગ્નિદેવ રહે છે. (૯) સર્વની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે. તેમાં અરિષ્ટ દેવ રહે છે. આ ત્રણેનો ૯ :O દેવોનો પરિવાર છે. (૬) છઠ્ઠો દેવલોક :- આ દેવલોકનું નામ લાંતક દેવલોક છે. તેમાં પ પ્રતર છે. તેમાં ૭૦૦ યોજન ઊંચાં, ૨૫00 યોજન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. પાંચમા દેવલોકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. લાંતક દેવલોકમાં ૫૦ હજાર જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૭) સાતમો દેવલોક –છટ્ટાદેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણરજુ વિસ્તારમાં મહાશુક્ર નામનો સાતમો દેવલોક છે; જેમાં ચાર પ્રતર છે. 200 યોજન ઊંચાં અને ૨૪૦૦ યોજન ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૪ સાગરોપમનું છે. સાતમા દેવલોકમાં ૪૦ હજાર શાતા જિનપ્રાસાદ છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. તેઓનું દેહમાન ચાર હાથ છે. (૮) આઠમો દેવલોક :- સાતમા દેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણર વિસ્તારમાં સહસ્ત્રાર નામનો આઠમો દેવલોક આવેલો છે. તેના ઇન્દ્ર સહસ્રરેન્દ્ર છે. તેમાં ૪ પ્રતર છે. ૮00 યોજન ઊંચા અને ૨૪00 યોજન ભૂમિતલવાળાં ૬ હજાર વિમાન આવેલાં છે. દેહમાન ૪ હાથ છે. સહસ્ત્રાર દેવલોકમાં શાશ્વતા ૬ હજાર જિનપ્રાસાદો આવેલા છે. દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનપ્રતિમા છે. (૯) નવમો દેવલોક – આઠમા દેવલોકથી ૧/૪ રાજ ઊંચે ૧રVર ગણરજુ વિસ્તારમાં મેરુ પર્વતથી દક્ષિણ બાજુ આણત નામનો નવમો દેવલોક છે, જેમાં ૪ પ્રતર છે. ૯00 યોજન ઊંચાં અને ર૩00 યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાન છે. તેઓનું દેહમાન ૪ હાથ છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૮ સાગરોપમ છે. = (૧૦) દસમો દેવલોક - નવમા દેવલોકથી મેરુની દક્ષિણમાં ૧૦મો દેવલોક છે, જેનું નામ પ્રાણાત છે. તેમાં ૯૦૦ પોજન ઊંચાં અને ૨૩૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાનો આવેલાં છે. દેહમાન ૪ હાથ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૯ તમા છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 323 સાગરોપમ છે. નવમા-દસમા બંને દેવલોકના ઈન્દ્ર એક છે, જેનું નામ પ્રાણેન્દ્ર છે. નવમા-દસમા દેવલોકમાં ૪૦૦-૪૦૦ જિનપ્રાસાદ અને ૧૮૦–૧૮૦ જિનબિંબ અવેલાં છે. (૧૧) અગિયારમો દેવલોક:- નવમા-દસમા દેવલોકથી અડધા રાજ ઊંચે સાડા–દસ ગણરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મો આરણ નામનો દેવલોક છે. ૧૧મા દેવલોકમાં દેવોનું જઘન્ય આયુષ્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમનું છે. (૧૨) બારમો દેવલોક – બારમા દેવલોકનું નામ અય્યત દેવલોક છે. બંને દેવલોકના ઇન્દ્રનું નામ અય્યતેન્દ્ર છે. આ બંને દેવલોકમાં ૪–૪ પ્રતર છે. તેમાં ૧000 યોજન ઊંચાં અને રર૦૦યોજન ભૂમિતલવાળાં 300 વિમાનો આવેલાં છે. ૧૨મા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમનું છે. ૧૧-૧રમા દેવલોકમાં દરેક વિમાનમાં ૩૦૦-૩૦૦ જિનમંદિર અને ૧૮૦–૧૮૦ જિનબિંબ છે. પહેલા સુધર્મા નામના દેવલોકની અંદર ૬લાખ વિમાન અપરિગ્રહિતા નામની દેવીઓનાં આવેલાં છે. તેમાં રહેનારી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૦ પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમનું છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના દેવસ્થાનમાં અસંખ્યાતી દેવોને ઉત્પન થવાની ' ઉત્પાતશધ્યા છે. તે ઉપર દેવદુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યા અંગાર પર નાખેલી રોટલીની પેઠે ફૂલે છે. નિકટવર્તી દેવો ઘંટનાદ કરે છે ત્યારે તેના તાબાનાં બધાં વિમાનોમાં ઘંટનાદ થાય છે. આથી દેવ-દેવીઓ ઉત્પાતશય્યા પાસે એકઠા થઈ જાય છે અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે. અંતર્મુહૂર્તમાં દેવ આહારાદિ પાંચે પર્યાપ્તથી પર્યાપ્ત થઈ તરુણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે, આપે શાં દાન દીધાં? શાં પુણ્ય કર્યા? કે અમારા નાથ થયા? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વજન્મનું અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજન-મિત્રોને જરા સૂચન કરી આવું – એમ કહી તૈયાર થાય છે ત્યારે તે દેવ-દેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશો? જરા એક મુહૂર્ત માત્ર નાટક તો જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણી ભુજાથી ૧૦૮ કુંવરો તથા ડાબી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને ૩૨ પ્રકારનું નાટક કરે છે અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે દુરાગ, ૩૬ રાગણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તો અહીંનાં બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંના સુખમાં લુબ્ધ થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળો ભોગવવામાં તલ્લીન થઈ જાય છે. આયુષ્યકાળ પૂર્ણ થતાં દેવોનો દેહ કર્પરની જેમ વિલીન થઈ જાય છે, વીખરાઈ જાય છે. એક દેવ કે દેવીનું ચ્યવન થતાં તે જ પુષ્પશધ્યામાં બીજા દેવ કે દેવીનો દેહ ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે. તે પ્રમાણે દેવોની પરંપરા ચાલુ રહે છે. જ્યોતિષી દેવો આયુષ્યક્ષય થવાથી ચ્યવન પામે છે પણ તેમનાં રહેવાનાં સ્થાનો જેને વિમાનો કહેવામાં આવે છે તે શાશ્વતાં હોય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ 324 તપાગચ્છાધિષ્ઠાયક જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્ય હોય છે તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની કિલ્વિષી' નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા– બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગરના આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા કિલ્પિષી હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવગુરુ-ધર્મની નિંદા કરનાર અને તપ-સંયમની ચોરી કરનારા મરીને કિલ્પિષી દેવ થાય છે. પૃથ્વીલોક ઉપર રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઇન્દ્રોને સામાનિક દેવ હોય છે, જે ઇન્દ્રની સમાન શક્તિશાળી હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવ હોય છે. સલાહકાર મંત્રીની પેઠે અત્યંતર પરિષદના દેવ હોય છે. સઘળાં કામો કરનાર બાહ્ય પરિષદના દેવો હોય છે. દ્વારપાલ સમાન ચાર લોકપાલ દેવો હોય છે. સેના સમાન ૭ અનિકાના દેવો હોય છે. તેઓ પોતપોતાના અધિકાર મુજબ હાથી-ઘોડા–રથ–પાયદળ આદિનાં રૂ૫ બનાવી ઇન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટક અણિકાના દેવ મનોરમ નૃત્ય કરે છે. આમિયોગિક દેવ ઇન્દ્રના આદેશથી તમામ કામ કરવામાં તત્પર રહે છે અને પ્રકીર્ણ દેવવિમાનમાં રહેનાર દેવો પ્રજા સમાન હોય છે. દરેક ઈન્દ્રનું જે દેવલોકના ઈન્દ્ર હોય તે પ્રમાણેનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. ઇન્દ્ર દેવતાની અગાધ શકિત :- દેવગતિ નામકર્મના ઉદયને લઈને પોતાના વિમાનવાસી દેવો ઉપર જે આધિપત્ય ભોગવે છે તે ઇન્દ્ર કહેવાય છે. આ ઇન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે? તેનો ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે છે : ૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં ૧૦ આખલાનું બળ = ૧ ઘોડાનું બળ ૧૨ ઘોડાનું બળ = ૧ પાડાનું બળ ૫) પાડાનું બળ = ૧ હાથીનું બળ પ00 હાથીનું બળ = ૧ સિંહનું બળ ૨000 સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ(આઠ પગવાળું પ્રાણી) ૧૦,00,000 અષ્ટાપદનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય છે. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવર્તીમાં બળ હોય છે. ૧,00,000 ચકીનું બળ = ૧ નાગલોકના અધિપતિમાં = ધરણેન્દ્રમાં ૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઇન્દ્રમાં (વૈમાનિકના) નવ રૈવેયક દેવલોકનાં વિમાનો – અગિયારમા–બારમા દેવલોકથી બે રાજ ઉપર અને ૮ ગણર વિસ્તારમાં ગાગરબેડાને આકારે ઉપરાઉપરી આકાશને આધારે નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનો આવેલાં છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 325 (૧) સુદર્શન દેવલોક – એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય રર સાગરોપમનું છે. (૨) સુપ્રતિબદ્ધ દેવલોક – એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૩ સાગરોપમનું છે. (૩) મનોરમ દેવલોક – એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૪ સાગરોપમનું છે. (૪) સર્વતોભદ્ર દેવલોક – એક પ્રતર છે. ૧૦૭વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય રદ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ર૫ સાગરોપમનું છે. (૫) વિશાલ દેવલોક – એક પ્રતર છે. ૧૦૭ વિમાનની સંખ્યા છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ર૬ સાગરોપમનું છે. (૬) સોમ્ય દેવલોક – એક પ્રતર છે. ૧૦૭ વિમાનની સંખ્યા છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૮ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૭ સાગરોપમનું છે. (૭) સૌમનસ દેવલોક – એક પ્રતર છે. ૧00 વિમાનની સંખ્યા છે. ૧000 યોજના વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ર૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમનું છે. (૮) પ્રિયંકર દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનની સંખ્યા છે. ૧૦00 યોજના વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમનું છે. (૯) આદિત્ય દેવલોક – એક પ્રતર છે. ૧૦૦ વિમાનો છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમનું છે. પાંચ અનુત્તર દેવલોકનાં વિમાનો – નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનોથી એક રાજ ઉપર સાડા-છ ગણરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર અનુત્તર દેવલોકનાં વિમાનો આવેલાં છે અને મધ્યમાં એક વિમાન આવેલું છે. આમ કુલ પાંચ અનુત્તર દેવલોકના વિમાનો આવેલાં છે. દરેક વિમાન ૧૧૦૦ યોજના ઊંચાં અને ૨૧ યોજન ભૂમિતલવાળાં છે. પૂર્વ દિશામાં Page #342 -------------------------------------------------------------------------- ________________ 326 તપાગચ્છાધિષ્ઠાયક વિજય અનુત્તર વિમાન, દક્ષિણમાં વિજયંત અનુત્તર વિમાન, પશ્ચિમમાં જયંત અનુત્તર વિમાન અને ઉત્તરમાં અપરાજિત અનુત્તર વિમાન અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન આવેલું છે. પ્રથમ ચાર વિમાનોના દેવોનું જઘન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે; જ્યારે સર્વાર્થસિદ્ધ દેવવિમાનના દેવોનું આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. બધાં વિમાનોમાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ર૫૩ મોતીનો એક ચંદ્રવો હોય છે. તેમાં મધ્યનું એક મોતી ૬૪ મણનું છે. ચોતરફ ૪ મોતી ૩ર-૩ર મણનાં છે. તેની પાસે ૮ મોતી ૧૬ – ૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મોતી ૮-૮ મણનાં છે. તેની પાસે ૩ર મોતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મોતી ર–૨ મણનાં છે. અને તેની પાસે ૧૨૮ મોતી ૧–૧ મણનાં છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી રાગ, ૩૬ રાગણી નીકળે છે. જેમ મધ્યાહ્નનો સૂર્ય સર્વને મસ્તક પર દેખાય છે તેમ આ ચંદરવો પણ સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવોને પોતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનોમાં શુદ્ધ સંયમ પાળનાર, ચૌદ પૂર્વધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદેવ જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે કંઈ સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહીં બિરાજમાન તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને મનોમય પુદ્ગલોમાં પરિણમાવે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. પાંચે વિમાનોના દેવો એકાંત સમ્યગુ– દષ્ટિ હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવો સંખ્યાત ભવ કરીને અને સર્વાર્થસિદ્ધ દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વથી અધિક સુખી છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સામાનિક, આત્મરક્ષક આદિ નાનામોટા દેવ કોઈ નથી. સઘળા સમાન ઋદ્ધિવાળા છે તેથી તેઓ 'અહમેન્દ્ર' કહેવાય છે. અહીં ફક્ત સાધુઓ જ આયુષ્ય પૂર્ણ થયે ઉપન્ન થાય છે. ઉક્ત બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન–એ ૨૬ સ્વર્ગના દર પ્રતર અને ૮૪૯૭૦૨૩ વિમાન છે. તે બધાં રત્નમય છે. અનેક સ્થંભ પરિમંડિત, અનેકવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખતીઓ તથા લીલાયુક્ત પુતલીઓથી શોભિત, સૂર્ય જેવા ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે. પ્રત્યેક વિમાનમાં ચોતરફ બગીચા હોય છે, જેમાં રત્નોની વાવડી, રત્નમય નિર્મળ જળ અને કમળોથી મનોહર છે. રત્નોમાં સુંદર વૃક્ષ, વલ્લી, ગુચ્છા, ગુલ્મ, તૃણ, વાયુથી પરસ્પર અથડાવાથી તેમાંથી રાગ, ૩૬ રાગણી નીકળે છે. ત્યાં સોના-રૂપાની રેતમાં વિધવિધ આસનો હોય છે. સુંદર, સદેવ નવયૌવનથી લલિત, દિવ્ય તેજ-કાંતિના ધારક, સમચતુરસ્ત્ર સંસ્થાને સંસ્થિત,અત્યુત્તમ મણિરત્નોના વસ્ત્રાભૂષણથી અલંકૃત દેવદેવીઓ ઇચ્છિત ક્રીડા કરતાં, ઇચ્છિત ભોગ ભોગવતાં, પૂર્વોપાર્જિત પુણ્યફળ અનુભવતાં વિચરે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 327 જે દેવનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોચ્છવાસ લે છે. અને તેટલા જ હજાર વર્ષે આહારની ઇચ્છા ઊપજે છે. જેમ કે સર્વાર્થસિદ્ધવાસી દેવોનું ૩૩ સાગરનું આયુષ્ય છે તે ૩૩ પખવાડિયે (૧ મહિને) શ્વાસોચ્છવાસ લે છે અને ૩૩ હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી, પણ રોમ આહાર છે. અર્થાત જ્યારે આહારની ઇચ્છા થાય છે ત્યારે રત્નનાં શુભ મુગલોને રોમ રોમથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે. મહાશક્તિશાળી આ દેવો, જુદી જુદી જાતની ક્રીડા કરવાવાળા બધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હોવાના કારણે ખુશ રહેનારા પુણ્યકર્મના ભોગવટામાં પ્રસન્ન ચિત્તે આયુષ્ય પૂર્ણ કરનારા દેવો હોય છે. તેઓને કોઈ જાતની ગર્ભવેદના ભોગવવી નથી પડતી. વૃદ્ધાવસ્થાનાં દુઃખો કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હોતી. મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસંખ્યાત જીવોની રક્ષા સંયમ, સરાગ સંયમ, શ્રાવક ધર્મ, બાળતપ, અકામ નિર્જરા, દાન, સત્કર્મ વગેરે પુણ્યકર્મોની ઉપાર્જના કરેલી હોવાથી દેવગતિને મેળવનારા ભાગ્યશાળીઓ દેવશય્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાંતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા, સુંદર સ્થાન, કપૂરની ગોટી જેવું શરીર, ભૂખ–પ્યાસ-સંતાપ અને વિયોગની વેદના વિનાનું જીવન, સુંદર-સ્વચ્છ વિમાનો તથા ભવનોમાં સ્વેચ્છા પ્રમાણે રહેવાનું, મનમાન્યાં આભૂષણો, કપડાંઓ તથા શાસ્ત્રોની પ્રાપ્તિમાં મસ્ત થઈને આમોદ-પ્રમોદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસંખ્યાત અનન્તગુણ વધારે આયુષ્યકર્મ ભોગવવાનું હોય છે. નાચ–ગાન-ખેલ-તમાશામાં સમય પસાર કરનારા દેવો પોતાની દેવીઓ સાથે અને દેવીઓ પોતાના દેવો સાથે અમનચમન કરનારાં હોય છે. મનુષ્યની, મનુષ્યલોકની ગંધથી સર્વથા દૂર રહેનારા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો છે. વૈમાનિક દેવોની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓની ઉત્પત્તિ હોય છે ત્યારે આગળના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. આ કારણે જ તેમનાં જીવન પવિત્ર, હૃદયના પરમાણુઓ શાંત, આંખમાં નિર્વિકારિતા તેમ જ દિલ અને દિમાગ પણ ઠંડાં હોય છે. દેવોના જીવનમાં વિષયવાસના ઓછી છે અથવા જીવન સંયમિત હોય છે. કારણોની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હોય છે. વૃત્તિ જેમની પવિત્ર હોય છે તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગંભીર, પરોપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણી હોય છે. પહેલા અને બીજા કલ્પમાં દેવીઓની વિદ્યમાનતા છે. માટે તે દેવ અને દેવીઓ મનુષ્યની માફક જ વિષયવાસનાનો અનુભવ કરે છે. તો પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવોને વિષયવાસના માટે અત્યુત્કટ રાગ, ઉતાવળ અને મર્યાદાભંગ હોતો નથી તેથી તેમના જીવનમાં સુખ–શાંતિ-સમતા ને સમાધિ વધારે હોય છે. ત્રીજા અને ચોથા દેવલોકના દેવોને મનુષ્યની માફક વિષયસેવન હોતું નથી. છતાં યે Page #344 -------------------------------------------------------------------------- ________________ 328 તપાગચ્છાધિષ્ઠાયક જ્યારે તેમને મૈથુનકર્મની ઇચ્છા થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે અને વિષયવાસનાથી તૃપ્ત થઈને મુક્ત બને છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવો, દેવીઓના રૂપ-રંગ અને શણગાર તથા તેમના હાવભાવ જોઈને વિષયવાસનાથી તૃપ્ત થઈ જાય છે. સાતમા અને આઠમા દેવલોકના દેવો, બીજી દેવીઓના મધુર શબ્દો સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે અને પરમ સંતોષને ધારણ કરે છે. જ્યારે નવમા, દશમ, અગિયારમા અને બારમા દેવલોકના દેવોને તો જ્યારે મનમાં વિષય વાસનાની ઇચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષયવાસનાની તૃપ્તિ થતાં તે દેવો અનુપમ સુખમાં મસ્ત રહેનારા હોય છે. ( વિશાળ સાગર સમાન શ્રુતજ્ઞાનમાંથી એક નાનકડા ટીપા સમાન આ લેખમાં ઊર્ધ્વદેવલોકના દેવો વિષે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં તેમાં મતિદોષ, અજ્ઞાનતા અને પ્રમાદના કારણે તથા શ્રુત-અભ્યાસની અલ્પજ્ઞતાના કારણે જે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય અથવા મતિમંદતાથી જે કંઈ જિનાજ્ઞાની વિરુદ્ધ લખાયું હોય તો તે બદલ " મિચ્છામી દુક્કડ" માંગું છું. ૨ રૂT ૪ TS | ૬ ચૌદ રાજલોક Page #345 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 329 જૈન શાસ્ત્રોની દષ્ટિએ અધોલોકના 'દેવભુવનો અને ભવનવાસી દેવો – ડૉ. જે. પી. અમીન ભવનપતિના દેવોના વિષે કાંઈક સમજણ પ્રદાન કરવા લખાયેલો આ લેખ જ્ઞાનાભ્યાસીઓએ ખાસ અવગાહવા જેવો લેખ છે. પ્રસ્તુત ગ્રંથને વિવિધ વિભાગો અને વિધવિધ વિલક્ષણતા વધારવાના અમારા નમ્ર પ્રયાસના પ્રતિસાદરૂપે પ્રસ્તુત થયેલ આ લેખ સાહિત્યની ઉત્તમ પ્રસાદીરૂપ છે. પ્રસ્તુત કરનાર ડૉ. જે. પી. અમીન સાહેબે ખંભાતમાં રહીને પોતાની શૈક્ષણિક ઉજ્વળ કારકિર્દી સાથે જૈન સાહિત્યમાં ખૂબ જ ઊંડો રસ લીધો છે. જૈન સંદર્ભ સાહિત્યમાં તેમનું પ્રગટ સાહિત્ય ખૂબ જ આવકાર પામેલ છે. દેશમાં અને પરદેશમાં તેમનો બહોળો શુભેચ્છકોનો વર્ગ ખૂબ જ માન-આદરથી તેમને જુએ છે. શિલ્પસ્થાપત્ય કળામાં તેમની માસ્ટરી ગણાય છે. તેમનો સત્સંગ માણવા જેવો છે. – સંપાદક લોક અને અલોક અનાદિ-અનંત છે અને શાશ્વત છે. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. છ અવિનાશી તત્ત્વોમાંથી પાંચ અવિનાશી તત્ત્વો જેવાં કે ધર્મસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને આત્મા – આ તત્ત્વો જેટલા આકાશમાં રહે છે, તેને લોક કહેવાય છે અને બાકીના આકાશને અલોક કહેવાય છે. લોકનો આકાર સુપ્રતિષ્ઠિત આકારે છે. સરાવલા એક ઊલટું, એના ઉપર એક સૂલટું, એના ઉપર એક ઊલટું એ પ્રમાણે છે. અન્ય મતે સાત પુરુષો એકની પાછળ એક એમ ઊભા રહે તથા હાથ કમર ઉપર રાખે અને પગ પહોળા રાખે ત્યારે જે આકાર તેમનો થાય તેવો આકાર લોકનો છે. શાસ્ત્રની ભાષામાં વૈશાખ સંસ્થાન કહેવાય છે – એટલે કે આ લોકનો આકાર કેડે હાથ દઈને પગ પહોળા કરીને ઊભા રહેલા પુરુષ જેવો છે. આ લોકનો આકાર પોલા ગોળાના આકારે છે. લોકમાં બધા મળીને અસંખ્યાત પ્રદેશ છે. જેમ કે એક દીપકના પ્રકાશમાં અનેક દીપકના પ્રકાશ સમાઈ જાય છે તેમ આકાશમાં અને બીજાં દ્રવ્યોમાં પણ અનેક દ્રવ્યો સમાઈ જવાની યોગ્યતા છે તેથી અનેક દ્રવ્યોનું અવગાહન લોકમાં થઈ જાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ 330 લોકનો વિસ્તાર ૩૪૩ ઘન રાજુ (રજ્જુ) છે. એક રજ્જુ અસંખ્યાત યોજનનો થાય છે. એક યોજન ૨૦૦૦ ગાઉનો થાય છે. એક ગાઉ લગભગ અઢી માઈલનો થાય છે. લોકનો વિસ્તાર લોકના ત્રણ ભાગ કરીને વિશેષપણે સમજવો. લોક ચાર પ્રકારના છે : (૧) દ્રવ્યલોક (૨) ક્ષેત્રલોક (૩) કાળલોક (૪) ભાવલોક ક્ષેત્રલોક ત્રણ પ્રકારના છે ઃ તપાગચ્છાધિષ્ઠાયક (૧) અધોલોક (૨) મધ્યલોક (તીર્ધ્વલોક) (૩) ઊર્ધ્વલોક. અધોલોક સાત પ્રકારના છે, જેને વેદાંત સાત પાતાળ અને જૈન દર્શન સાત નરકો કહે છે; જેમાં ૮૪ લાખ નરકાવાસા છે અને ૭ કરોડ ૭૨ લાખ ભવનપતિ દેવોનાં ભવનો છે. અધોલોકનો આકાર તિપાઈના આકારે છે. તીર્કાલોક (મધ્યલૌક)નો આકાર ઝાલરના આકારે છે. ઊર્ધ્વલોકનો આકાર ઊભા ઢોલકના આકારે છે. અધોલોક કયા ભાગને કહે છે ? અધોલોક કયાંથી શરૂ થાય છે ? અધોલોકનો વિસ્તાર કેટલો છે ? દૃષ્ટાંતમાં જેમ મનુષ્યની નાભિથી નીચેનો વિસ્તાર છે તે રીતે લોકના ઠીક મધ્યબિંદુથી નીચેનો જેટલો વિસ્તાર છે તેટલા ભાગને અધોલોક કહે છે. મેરુ પર્વત પાસેથી સમભૂમિથી ૯૦૦ યોજન નીચેથી અધોલોક શરૂ થાય છે. અધોલોકની ઊંચાઈ ઉપરથી નીચે સાત રજ્જે છે. સૌથી નીચે પૂર્વ-પશ્ચિમ દિશાનો વિસ્તાર (જાડાઈ) સાત રજ્જુ છે અને ઉપર ઘટતો ઘટતો સૌથી ઉપર એક રજ્જુ થઈ જાય છે. દક્ષિણ-ઉત્તરનો વિસ્તાર (લંબાઈ) સર્વત્ર સાત-સાત રજ્જુ છે. આ પ્રમાણે અધોલોકનો કુલ વિસ્તાર ૪ રજ્જુ x ૭ રાજ્ડ x ૭ રાજુ = ૧૯૬ ઘન રાજ પ્રમાણ થાય છે. તેમાં ભવનપતિ દેવો અને નારકી રહે છે. દક્ષિણ અને ઉત્તરમાં ત્રણ ત્રણ રજ્જુ ક્ષેત્ર છોડીને લોકના મધ્યમાં ચૌદ રજ્જુ પ્રમાણ ઊંચાઈવાળી એક ત્રસ નાડીમાં સાત નરકોની રચના છે. નરકની સાત પૃથ્વીઓ ગણાય છે. અધોલોકમાં રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિકાઓ છે અને ક્રમથી નીચે નીચે ઘનોદધિવાતવલય, ઘનવાતવલય, તનુવાતવલય તથા આકાશનો આધાર છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે – ખરભાગ, પંકભાગ અને અબ્બહુલ ભાગ. તેમાંથી ઉપરના બે ભાગમાં વ્યંતર તથા ભવનવાસી દેવો રહે છે અને નીચેના અબ્બહુલ ભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર એક લાખ એંસી હજાર યોજન છે. (૨૦૦૦ કોસનો એક યોજન ગણવો.) તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દશ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૯૯૫) અને સાતમામાં પાંચ જ નરક બિલો છે. ( આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન Page #347 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 331 છે; કુલ ૮૪ લાખ નરકવાસા છે) કેટલાક જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ એ બે જ ગતિ માને છે. કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે. તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને છે કે – મનુષ્ય કે તિર્યંચગતિમાં તીવ્ર દુઃખ તે જ નરકગતિ છે; બીજી કોઈનરકગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે કેમ કે મનુષ્ય અને તિર્યંચગતિથી જુદી એવી નરકગતિ તે જીવના અશુભ ભાવનું ફળ છે. દેવોના મુખ્ય ચાર પ્રકાર છે – (૧) ભવનવાસી દેવો (૨) વ્યંતર દેવો (૩) જ્યોતિષી દેવો (૪) વૈમાનિક દેવો. * ભવનવાસીભવનપતિ દેવના દસ પ્રકાર છે. એમાંના પ્રથમ પ્રકાર અસુરકુમારજો નિકાલમાં પંદર પરમધામી દેવોનો સમાવેશ થાય છે. ભવનપતિ દેવોના આવાસો વિશાળ ભવન જેવાં હોય છે. તેઓ તેમાં રહેતા હોવાથી ભવનપતિ કહેવાય છે. સામાન્ય રીતે આ દેવો સ્વભાવે મૃદુભાષી, મધુર ગતિવાળા અને ક્રીડાશીલ હોય છે. દેખાવમાં સૌંદર્યવાન અને કુમાર અવસ્થા જેવા હોય છે તેથી કુમાર પણ કહેવાય છે. તેઓને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન હોય છે. તે દેવોના શરીરની અવગાહના (ઊંચાઈ) ઓછામાં ઓછી (જઘન્ય) આંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. તેઓના શરીરનો આકાર સમચતુરસ્ત્ર હોય છે. તેઓને ક્રોધ, માન, માયા, લોભ-ચાર કષાય હોય છે. તેઓને ચાર સંજ્ઞા (આહાર, ભય, પરિગ્રહ, મૈથુન) હોય છે. ભવનપતિ દેવોમાં ચાર પ્રકારની લેશ્યા (કૃષ્ણ, નીલ, કપોત, તેજો) જોવા મળે છે. ભવનપતિ દેવોમાં પાંચ સમુદ્રઘાત હોય છે. જેવા કે વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તેજસ. ભવનપતિ દેવોમાંથી આવીને મનુષ્યમાં જાય અથવા તિર્યંચમાં પણ જાય. આ દેવો છ દિશીનો આહાર લે છે. બે પ્રકારે આહાર લે, ઓજ આહાર અને રોમ આહાર. તે પણ શુભ અને અચિત હોય તેવો આહાર લે છે. દસ ભવનપતિ દેવોનાં નામ તથા તેમનાં ભવનોની સંખ્યા નીચે પ્રમાણેની છે : ભવનવાસીનું નામ ભવનોની સંખ્યા દક્ષિણે ઉત્તરે (લાખ) (લાખ) (૧) અસુરકુમાર ૮૪,૦૦,૦૦૦ ४४ (૨) નાગકુમાર ૬૪,૦૦,૦૦૦ ૩૪ (૩) વિધૃતકુમાર ૭૬,૦૦,૦૦૦ ૩૬ (૪) સુવર્ણકુમાર ૭૨,૦૦,૦૦૦ (૫) અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ (૬) દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ (૭) ઉદધિકમાર ૭૬,૦૦,000 (૮) દિશિકુમાર ૯૬,૦૦,૦૦૦ ४० ૪૦ ૪O ૫) Page #348 -------------------------------------------------------------------------- ________________ 332 (૯) વાયુકુમાર (પવનકુમાર) (૧૦) સ્તનિતકુમાર (મેઘકુમાર) ૭૬,૦૦,૦૦૦ ૭૬,૦૦,૦૦૦ (૯) પવનકુમાર (૧૦) સ્તનિત (મેઘ)કુમાર ૭,૭૨,૦૦,૦૦0 ગરુડ વજ્ર આમ દસ ભવનવાસી દેવોનાં કુલ સાત કરોડ બોંતેર લાખ ભવનો—મહેલો છે. ભવનવાસી દેવોનાં આ ભવનો એક લાખ એંસી હજાર યોજનની જાડાઈવાળી રત્નપ્રભા નામની પૃથ્વીની વચગાળે આવેલ વિસ્તારમાં આવેલ છે. અર્થાત્ ભવનપતિ દેવો આ તિÁલોકની રત્નપ્રભા નામની પૃથ્વીના વિસ્તારમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં આવેલાં ભવનોમાં રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો રત્નપ્રભા નામની નારક પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજનના જાડા થરમાંથી ઉપર અને નીચેના એક એક હજાર યોજન બાદ કરતાં બાકી રહેલા વચ્ચેના ૧,૭૮,૦૦૦ (એક લાખ ઇઠયોતેર હજાર) યોજનમાં તેર પ્રતરના થરના બાર આંતરામાં આ ભવનપતિ દેવો ઘર જેવાં ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે. કળશ સિંહ ભવનપતિ દેવોનાં ચિહ્નો, તેમના શરીરનો રંગ તથા તેઓનાં વસ્ત્રોનો રંગ નીચે મુજબ છે : વસ્ત્રોનો રંગ (વર્ણ) ચિહ્ન શરીરનો રંગ ભવનવાસીદેવનું નામ (૧) અસુરકુમાર રાતો ચૂડામિણ સર્પની ફણા નીલ (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર ધવલ (ઉજ્જ્વલ) (૪) વિધૃતકુમાર નીલ નીલ (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર નીલ નીલ (૮) દિશિકુમાર ધવલ સંધ્યાના રંગ જેવો ધવલ અશ્વ હાથી મગર સરાવસંપુટ કાળો ગૌર સુવર્ણ રાતો રાતો રાતો ગૌર ૪૦ ४० સુવર્ણ નીલ સુવર્ણ ૪૦૬ તપાગચ્છાધિષ્ઠાયક ૩૬ ૩૬ ૩ દસ ભવનપતિ દેવો તે દરેક નિકાયના બે ઇન્દ્રો એટલે કુલ વીસ ઇન્દ્રો ભવનપતિ દેવોના ગણાય છે અને કુલ દસ નિકાયના ૨૦ ઇન્દ્રોની ઇન્દ્રાણીઓની કુલ સંખ્યા (૧૦ + ૧૦૮ = ૧૧૮ ) એકસો અઢારની હોય છે. = ભવનપતિના વીસ ઇન્દ્રોના સામાજિક દેવતાઓ અને આત્મરક્ષક દેવતાઓની સંખ્યા નીચે પ્રમાણેની ગણાય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 333 ઈન્દ્રનું નામ સામાનિક દેવતાઓની સંખ્યા (૧) ચમેન્દ્ર ૬૪,000 (૨) બલીન્દ્ર ૬૦,૦૦૦ (૩) ધરણ ક,000 (૪) ભૂતાનંદથી મહાઘોષ ૬,૦૦૦ સુધીના દરેક ઇન્દ્રના આત્મરક્ષક દેવતાઓની ૨,૫૬૦૦૦ ૨,૪૦,૦૦૦ ૨૪,૦૦૦ ૨૪,000 પહેલી રત્નપ્રભા નામના નરકના ૧૩થાપડા છે અને ૧ર આંતરા છે. તે આંતરા માંહેનું પહેલું અને છેલ્લે ખાલી છે અને વચ્ચેના દસ આંતરામાં દસે નિકાયના ભવનપતિ દેવો અલગ અલગ રહે છે. આ દસ ભવનપતિઓ પૈકી અસુરકુમાર મોટે ભાગે આવાસોમાં અને ક્વચિત્ ભવનમાં રહે છે, જ્યારે નાગકુમાર આદિ બાકીના ભવનપતિઓ મોટે ભાગે ભવનમાં અને કવચિતું આવાસોમાં રહે છે. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે આવાસો અને ભવનમાં ફેર શો? તેનો ઉત્તર એ છે કે આવાસો મોટા મંડપો જેવા અને મણિ તથા રત્નના દીપક વડે દિશાઓના સમુદાયને પ્રકાશિત કરનારા હોય છે, જ્યારે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકા જેવાં હોય છે. ભવનવાસી દેવો સામાન્ય રીતે મૃદુ, મધુર ગતિવાળા તથા ક્રિીડાશીલ હોય છે અને જોવામાં કુમારની માફક મનોહર તથા સુકુમાર લાગે છે એટલે તેમના નામને છેડે કુમાર શબ્દ લગાડવામાં આવે છે, પરંતુ અસુરકુમારમાં એક વર્ગ એવો છે કે પરમ અધર્મને સેવનારો હોઈ પરમાધાર્મિક તરીકે ઓળખાય છે. તેના પંદર પ્રકારો છે અને તે બધા નરકના મંત્રીઓ તરીકે કામ કરે છે. પરમાધાર્મિક (પરમાધામી) દેવો ત્રીજી નરક સુધીના નારકી જીવોને વિવિધ પ્રકારનાં દુઃખો આપે છે. તેઓ મૃત્યુ બાદ સમુદ્રની અતિશય અંધારી ગુફાઓમાં અંડગોલિક તરીકે જન્મ પામે છે. આ દસ જાતિના ભવનવાસી દેવોનાં સાત કરોડ બોતેર લાખ ભુવનો છે; એ મહાસુગંધી, મહા રમણીક, અને મહા ઉદ્યોતરૂપ છે; તેટલી જ સંખ્યાના (૭,૭૨,૦૦,૦૦૦) જિન ચેત્યાલય છે તથા દસ પ્રકારનાં ચૈત્યવૃક્ષો જિનપ્રતિમા વડે બિરાજિત હોય છે. સર્વ જીવો સુખને પામો, સર્વ જીવો મોક્ષને પામો. 'જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્'. . Page #350 -------------------------------------------------------------------------- ________________ 334 તપાગચ્છાધિષ્ઠાયક ' અધિષ્ઠાયક દેવદેવીઓની આરાધના વિધિકાર શ્રી મફતભાઈ ડભોઈવાળા આરાધનાના હેતુઓ, વિવેક, અધિષ્ઠાયક દેવ-દેવીઓનું કર્તવ્ય-કાર્ય, વર્તમાનમાં પ્રચલિત દેવો, માણિભદ્ર દેવનું સંક્ષિપ્ત જીવન વગેરેની તલસ્પર્શી જાણકારી આ લેખમાં નિરૂપવામાં આવી છે. દેવ-દેવીઓની આરાધના પૂજન-મહાપૂજનો દ્વારા પણ કરવામાં આવે છે. લેખક શ્રી મફતલાલભાઈ વિધિકાર હોઈ પૂજનોના અને દેવ-દેવીઓની આરાધના-ઉપાસનાના પણ ઊંડા જાણકાર-જ્ઞાતા છે. વિયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મદિસિમાહિગરાણ– આરાધનાના આ ત્રણ હેતુ દ્વારા તેઓએ આપેલ સ્પષ્ટ માર્ગદર્શન આ વાતની પ્રતીતિ કરાવે છે. - સંપાદક મોક્ષમાર્ગની ઉપાસના માટે દેવ-ગુરુ-ધર્મ પરમ ઉપાસ્ય અને આરાધ્ય છે. વીતરાગી સર્વજ્ઞ દેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને શ્રુતચારિત્રરૂપ ધર્મ તથા ચતુર્વિધ સંઘ ધર્મરૂપ છે. દેવતત્ત્વમાં સર્વોપરિ–સર્વોચ્ચ-સર્વોત્કૃષ્ટ સ્થાને બિરાજિત-સહાયભૂત થનાર સમ્યગ્દષ્ટિ દેવોની વિવિધ પ્રકારે ઉપાસના મોક્ષમાર્ગમાં સહાયક બને છે. માટે જ જયવંતા એવા જિનશાસનમાં શ્રી આદિનાથ ભગવંતથી શ્રી મહાવીરસ્વામી ભગવંત પર્યન્ત શાસનની રક્ષા કરવા કાજે યક્ષ-યક્ષિણીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે શ્રીસંઘ ઉપર ઉપદ્રવ-વિદન આવે ત્યારે તેઓ શાસનની રક્ષા કરે છે. સમ્યગ્દષ્ટિ દેવોની આવી મૃતિની સાથે જ્યારે કાઉસગ્ગરૂપે ધ્યાન કરવામાં આવે છે ત્યારે ત્રણ હેતુઓ સ્પષ્ટપણે સૂચિત થાય છે. વૈયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મદિટ્ટિસમાહિગરાણે. શાસનદેવો-અધિષ્ઠાયકો-શાસનરક્ષક સર્વ દેવ-દેવીઓનું શાસનપ્રેમી–મોક્ષમાર્ગી આરાધકો પ્રત્યે શું કર્તવ્ય હોય છે તે સૂચિત બને છે કે (૧) શાસનનું વૈયાવૃત્ય, (૨) શાંતિપ્રદાન અને (૩) સમ્યગદષ્ટિ આત્માને સમાધિપ્રદાન. આ ત્રણ કાર્યોથી ધર્મતત્ત્વમાં સમાવિષ્ટ થતા દેવો-સ્વર્ગવાસી આત્માઓ ધર્મમાર્ગમાં સહાયક હોવાથી વંદનીય-સન્માનનીય-ઉપાસનીય બન્યા છે. આ સમ્યગૃષ્ટિ દેવો માત્ર તેઓશ્રીની સ્તવના-ઉપાસનાના ફળરૂપે જ ઉપાસકને ફળ Page #351 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 335 આપે છે તેમ નથી, તેઓને પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવો હોઈ મોક્ષમાર્ગના આરાધકોને સ્વભાવથી પણ સહાયક બની પોતાનું કર્તવ્ય દર્શાવે છે. શાસ્ત્રોમાં મોક્ષમાર્ગના આરાધકોને સમ્યગુદષ્ટિ દેવોએ સહાય કર્યાના સંખ્યાતીત પ્રત્યક્ષ બનાવો વર્ણવેલ છે. માટે જ ચતુર્વિધ સંઘના શિરતાજ, નાયક સમાન શાસનસુકાની હાલના વર્તમાન તમામ આચાર્ય ભગવંતોના તપ-ત્યાગ- ચારિત્રના પ્રભાવે દેવો આકૃષ્ટ થઈને પરોક્ષ યા પ્રત્યક્ષ રૂપે સહાયભૂત થતાં શ્રી ગૌતમ ગણધરથી પ્રકટ થયેલી ગણધરવિદ્યા અર્થાત્ સૂરિમંત્રની આરાધના કરે છે. તે સૂરિમંત્રની પંચપીઠની આરાધના કરતાં વિદ્યાની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવી, સૌભાગ્યપ્રદાયિની શ્રી ત્રિભુવન સ્વામિની દેવી, શ્રી લક્ષ્મીદેવી અને શ્રી ગૌતમસ્વામી પ્રત્યે અતિ ભક્તિવંત શ્રી ગણિપીટક યક્ષરાજ, જયા, વિજયા, અપરાજિતા અને જયંતિ દેવીઓની આરાધનાનો પણ સૂરિમંત્રની આરાધનામાં સમાવેશ થઈ જાય છે અને આ જ આરાધનાના પ્રભાવથી પણ સૂરિવર ભગવંતો શાસનપ્રભાવનાનાં સુંદર કાર્યો અભૂતપૂર્વપણે વિશેષ સ્વરૂપે કરાવી શકે છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવંત પ્રત્યે પૂર્ણ ભક્તિવંત દેવો કેટલીકવાર મોક્ષમાર્ગી આરાધકની મનોકામનાઓ તૃપ્ત કરે છે, તો કેટલીકવાર આવી આરાધનાની પૂર્ણતાની અનુમોદના કરી મહોત્સવોમાં અદશ્યરૂપે કૃપા વરસાવતા હોય છે. જેમ આરાધકનું લક્ષ્ય દેવના જાપ-પૂજા-અર્ચના દ્વારા પરંપરાએ મોક્ષ હોવો જરૂરી છે તેમ પ્રસન્ન થયેલ કે આરાધ્ય બનેલ દેવનું સહાયક થવું એ પરંપરાએ મોક્ષમાર્ગ છે. સાધર્મિક વાત્સલ્ય એ સમ્યગુદર્શનનો આચાર છે. દેવદેવીઓ અપેક્ષાએ આપણા સાધર્મિક બંધુ, સાધર્મિક માતા સમ છે. વિશિષ્ટ જિનપ્રતિમાઓના – સ્તોત્રોના – યંત્રોના – મંત્રોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે. તે તે યંત્ર-મંત્રના આરાધકોને પ્રત્યેક ક્ષેત્રે સહાય કરે છે. સમ્યગૃષ્ટિ દેવોથી થતી આ સહાયપ્રદાન પાછળ મોક્ષપ્રાપ્તિનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોવો આવશ્યક હોય છે. સમ્યગુદષ્ટિ દેવોની આરાધનાનો ક્રમ આપણે ત્યાં નિર્ધારિત કરવામાં આવ્યો છે, તે ખૂબ જ આનંદદાયક છે. સંસાર દાવાનલ કલ્યાણકંદ' સ્તુતિ જેવી સ્તુતિઓની રચના જોતાં આપણને ખ્યાલ આવે છે કે પ્રથમ આરાધ્ય વીતરાગ દેવાધિદેવ'ની સ્તુતિ હોય છે. ક્રમશઃ આગમશ્રતની પ્રાર્થના કર્યા બાદ શાસનરક્ષક દેવદેવીઓને પ્રાર્થના હોય છે. આ અંગે હરિભદ્રસૂરિ મહારાજા પણ જણાવે છે કે, 'प्रतिबध्नाति हि श्रेय पूज्यपूजाव्यतिक्रम ' અર્થાતુ પૂજ્યની પૂજાને ઓળંગી જવાય તો ચોક્કસ મંગળ રોકાય છે, માટે અધિષ્ઠાયકોનો ગમે તેટલો ઉપકાર હોય કે ગુરુભગવંતોનો ગમે તેટલો પ્રભાવ ચમત્કાર હોય પણ મહા ઉપકારી વીતરાગ પરમાત્માની ભક્તિનો ક્રમ અને જિનેશ્વર પ્રત્યેનો આદર તો સર્વોપરી જ રાખવો. તાત્પર્ય અધિષ્ઠાયક દેવોનો આદર વીતરાગ પરમાત્માના અનાદર સુધી તો ન જ પહોંચવો જોઈએ. આ સર્વને લક્ષમાં લઈ આપણે સૌએ અધિષ્ઠાયક દેવદેવીઓની આરાધના કરવી. Page #352 -------------------------------------------------------------------------- ________________ 336 તપાગચ્છાધિષ્ઠાયક આમ જૈન ધર્મની અત્યંત ભાવભરી ભક્તિ કરવા દ્વારા મનુષ્યભવને સાર્થક કરી, જિનેશ્વર ભગવંતની નિર્મળ આરાધનાના પ્રભાવથી, જૈન શાસનના અત્યંત અનુરાગથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા એવા દેવો શાસનના અધિષ્ઠાયક દેવો તરીકે રક્ષા કરી રહેલ છે, તેમાં હાલ મુખ્ય ચાર દેવોની આરાધના વ્યાપકપણે થાય છે. (૧) ક્ષેત્રપાળદેવ, (૨) શ્રી ઘંટાકર્ણ મહાવીર, (૩) શ્રી માણિભદ્રવીર અને (૪) નાકોડા ભૈરવ. • ૧. કોઈ પણ મંગળ કાર્યનો પ્રારંભ થાય ત્યારે તે ક્ષેત્રની રક્ષાની પ્રાર્થના સ્વરૂપ સૌપ્રથમ ક્ષેત્રપાળ દેવની સ્થાપના કરવામાં આવે છે. અને તે ક્ષેત્રમાં થતાં શુભ કાર્યોમાં વિઘ્ન ન થાય અને કાર્ય સરળતાથી પૂર્ણ થાય તેમ વિનંતી કરવા પૂર્વક તેઓશ્રીનું સ્થાપન થાય છે. ૨.શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની પૂજા-અર્ચનાનો અધિકાર પણ શાંતિસ્નાત્ર-અષ્ટોત્તરીમાં અષ્ટગંધથી કાંસાની થાળીમાં મંત્ર–આલેખન દ્વારા નિર્દેશ કરવામાં આવેલ છે. ૩. શ્રી માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે, જે દેવના ક્ષેત્રમાં રહીને સર્વ તપાગચ્છ સાધુ ભગવંતો મોક્ષમાર્ગની આરાધના કરે છે તે સહુને સહાયભૂત થવા દ્વારા શાસનની રક્ષા કરે છે–જેઓશ્રીનો વિસ્તૃત ઇતિહાસ–વૃત્તાંત આપશ્રીને આ જ ગ્રંથમાં અન્ય લેખકો દ્વારા આપવામાં આવેલ છે, તેનું વાંચન કરી લેવું. ૪. શ્રી નાકોડા ભૈરવ રાજસ્થાન-મારવાડમાં ખૂબ જ પ્રસિદ્ધ ઉપાસ્ય દેવ છે. તેઓશ્રી પણ સર્વ શાસનભક્તોને સહાય કરનારા છે. આ સર્વપ્રચલિતદેવોમાં પ્રાચીન કાળથી આજ દિન પર્યંત સૌથી વધારેમાં વધારે વ્યાપક– પણે સ્થાપના-આરાધના શ્રી માણિભદ્ર દેવની છે. શ્રી માણિભદ્રવીર માલવ નામના દેશમાં ઉજ્જૈન નગરીમાં માણેકશાહ નામના શેઠ સોદાગર હતા. વિ.સં. પંદરના સૈકામાં જિનપ્રિયાની કુક્ષિએ આ પુત્રનો જન્મ થયેલ. બાળક થોડો મોટો થયેલ ત્યારે તેના પિતા ધર્મપ્રિય શાહે આ લોકથી વિદાય લીધેલ. માતાએ તેના પિતા જેવો કુશળ સોદાગર બનાવેલ. નીતિપર્ણ વેપાર કરી તેઓ લોકપ્રિય બનેલ. તેઓનાં માતાપિતા તપાગચ્છીય શાસન-શિરોમણિ પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ.સા.ના અનુયાયી હતાં. માણેકશાહ પણ તે પ્રમાણે જ ધર્મક્રિયા આચરતા. એક વખત લોકાશાહના યતિઓ આવેલ. તેઓના ધર્મોપદેશ સાંભળી તે લીંકામતી બન્યા. આ વાત જાણી તેઓનાં માતુશ્રી તથા ધર્મપત્ની વ્યથિત થયાં અને જ્યાં સુધી પુત્ર-પતિદેવ સુધર્મને પુનઃ ન આરાધે ત્યાં સુધી છવિગઈનો ત્યાગ કર્યો. આ પ્રતિજ્ઞાની જાણ થતાં માણેકશાહે કહ્યું કે, જો સદ્ગુરુ મારી શંકાનું સમાધાન કરે તો હું તપાગચ્છીય આમ્નાય પ્રમાણે ધર્મારાધના પુનઃ શરૂ કરીશ. છ માસ બાદ પૂ. આ. શ્રી. હેમવિમળસૂરિજી તથા પૂ. આ. શ્રી. આનંદવિમળસૂરિજી મહારાજ વિહાર કરતાં ઉજન નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા. સર્વે મુનિવરો કાઉસગ્ગ-ધ્યાનમાં લીન હતા ત્યારે, માણેકશાહે રાત્રે આવી મુનિવરોની સમતાની Page #353 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 337 પરીક્ષાથે હાથમાં મશાલ લઈ પૂજ્યપાદ ગુરુદેવના દાઢીના વાળ ચામડી બાળ્યાં. છતાં પણ ગુરુદેવ ધ્યાનમાંથી ચલિત ન થતાં, સમતારસમાં રહેલા ગુરુ પ્રત્યે માણેકશાહને અહોભાવ પ્રગટયો અને પોતાના દુષ્કૃત્યની ક્ષમા પ્રાર્થના સાથે સ્વઘરે પધારવાની વિનંતી કરી. ત્યારબાદ સ્વગૃહે ગુરુમુખે માણેકશાહની શંકાઓનું નિવારણ થતાં લોકાયત–મતનો ત્યાગ કરી મહા સુદિ પાંચમના દિવસે બાર વ્રત ઉચ્ચરી ધર્મનિષ્ઠ બન્યા. વેપાર અર્થે શેઠ માણેકચંદ પાલી–મારવાડ હતા ત્યારે યોગાનુયોગ પૂ. ગુરુભગવંતો શ્રી હેમવિમળસૂરિજી મ. તથા પૂ. આ. શ્રી આનંદવિમળસૂરિજી મ.સા. વિહાર કરતાં ત્યાં પધાર્યા. પાલીમાં ઠાઠમાઠથી પૂજ્યપાદશ્રીનું ચતુર્માસ કરાવી નિયમિત ધર્મચર્ચાઓમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા.' શ્રી શત્રુંજય માહાસ્ય' ઉપરના વ્યાખ્યાન-શ્રવણથી તેઓશ્રીમાં શત્રુંજય તીર્થની યાત્રાનો મનોરથ જાગ્યો અને ગુરુ સન્મુખ સંકલ્પ કરી, ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ સંઘ સાથે મંગળ પ્રયાણ કર્યું. શ્રી શત્રુંજયગિરિની તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી ઉપવાસનો નિયમ લીધો. તેઓ નવકારમંત્ર અને શત્રુંજયતીર્થના ધ્યાનમાં લીન બની ઉદાસીનતા ને થકાવટ વગર, ઉલ્લાસપૂર્વક સંવેગરંગે માર્ગ કાપતા લગભગ સાતમા દિવસે પાલનપુર પાસે મગરવાડા ગામ નજદીક પધાર્યા. તે ગામમાં વસ્તી અતિ અલ્પ હતી. ગામની નજીક ઘાટી વનરાજિમાં ભયંકર ઉજ્જડતા ભાસતી હતી. ત્યાં ચોર-લૂંટારાનો ઉપદ્રવ સતત તોળાઈ રહેતો. બન્યું પણ એવું જ. ત્યાં વિશ્રામ કરી રહેલા સંઘ પર ચોરોએ આક્રમણ કર્યું. ચોરો સાથેની ઝપાઝપીમાં માણેકચંદના તલવારથી ત્રણ ટુકડા થઈ ગયા.... મસ્તક, ધડ અને પગ જુદાં થઈ ગયાં. પણ શત્રુંજયના ધ્યાનમાં મગ્ન એવા પરમાત્માના પ્રભાવથી શુભ ધ્યાનમાં મૃત્યુ પામી માણેકચંદ વ્યંતરનિકાયના છઠ્ઠા ઇન્દ્ર શ્રી માણિભદ્રજી થયા. શ્રી માણિભદ્રદેવે પ.પૂ. આ. ભ.શ્રી હેમવિમળસૂરિજી મહારાજને વિનમ્ર ભાવે વિનંતી કરી કે, " આ સ્થળ (મગરવાડા) પર ભૂમિથી ચાર આંગળ ઊંચા મારાં પગલાં પડ્યાં છે તે સ્થળ પર આપના વરદ હસ્તે પગની પિંડીની સ્થાપના કરશો, જેના કારણે સ્થળનો પ્રભાવ વિસ્તરશે. આપશ્રીની પાટ પરંપરા અર્થાત્ તપાગચ્છની પાટે જે જે નૂતન આચાર્યભગવંતો આ સ્થાને આવીને અઠ્ઠમ તપ કરશે તેઓશ્રીની સેવામાં રહી ધર્મકાર્યોમાં સહાય કરીશ; જેથી જિનશાસનની સુરક્ષા–સેવાનો મને લાભ પ્રાપ્ત થશે અને સમકિત નિર્મળ રહેશે–જિન શાસનની ઉન્નતિમાં હું સહાયક બનીશ." ત્યારબાદ પૂજ્યપાદશ્રીએ યક્ષેન્દ્રના સંકેત અનુસાર પગની પિંડી આકારની સ્થાપના મહાસુદ ૫ ના દિને મગરવાડા ગામના સીમાડે કરાવી. શ્રી જિનશાસનની ઉન્નતિ કરાવવાના આશયથી પ.પૂ.આ.શ્રી શાંતિસોમસૂરિજીએ ૧૨૧ ઉપવાસ કરી દેવને પ્રત્યક્ષ કર્યા અને યક્ષેન્દ્રના સંકેત અનુસાર મહા સુદ ૫ ના દિવસે આગલોડ નગરની બહાર વીરના બતાવેલ સ્થાને માટીના પિંડનું ધડ સ્વરૂપે સ્થાપન કર્યું. શ્રી માણિભદ્રએ કહ્યું કે, " જે આચાર્ય આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તો આગલોડ સ્થાને આવી ઉલ્લાસ પૂર્વક અઠ્ઠમતપ કરશે તો પણ તેઓશ્રીના જિનશાસન સુરક્ષાના સેવાના–પ્રભાવનાના કાર્યમાં સહાય કરીશ. એવા તપાગચ્છના અધિષ્ઠાયક, શાસનરક્ષક શ્રી માણિભદ્રવીરનાં ચરણોમાં કોટી કોટી વંદન. Page #354 -------------------------------------------------------------------------- ________________ [,38 તપાગચ્છાધિષ્ઠાયક 'જૈનશાસનરક્ષામાં સદાકાળ જાગૃત દેવ-દેવીઓ અને 'શ્રી માણિભદ્રજીનો આછેરો પરિચય – શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ જેને શાસ્ત્રોમાં શાસનદેવીઓ ઉપરાંત શ્રુતદેવતા, શાંતિદેવતા અને સોળ વિદ્યાદેવીઓનાં વર્ણનો આપણને જોવા મળે છે. ઉપસર્ગોનું નિવારણ અને જનકલ્યાણ આ દેવદેવીઓનું મુખ્ય કાર્ય છે. આ લેખના લેખક પોતે જૈનેતર હોવાને કારણે જૈનશાસનની મૂળભૂત બાબતોથી અજાણ હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં લેખકની આ કૃતિ દરેક ધર્મનાં દેવદેવીઓની અગત્યતા વિષે સારો એવો પ્રકાશ પાડે છે. આ ગ્રંથશ્રેણીમાં વર્ષોથી તેઓ રસ લઈ રહ્યા છે. | તીર્થંકર દેવો ધર્મતીર્થના સ્થાપક હોય છે, સાક્ષાત્ પરમૈશ્વર્યના સ્વામી હોય છે અને આત્માના પૂર્ણ સ્વરૂપને પામી આત્મસાક્ષાત્કારનો જે માર્ગ બતાવે છે તે જ જૈનધર્મ છે. જૈનત્વને પામેલાં દેવીદેવતાઓ ભૌતિક સુખોને નગણ્ય ગણતાં હોય છે. કર્મ અને કાયાને તપાવે તે તપ તેના બાહ્ય અને અત્યંતર બે ભેદ શાસ્ત્રસિદ્ધ છે. કર્મના આંશિક વિનાશ જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવે છે અને સર્વનાશ આત્માને પુનિત બનાવે છે. જગતના કર્તાહર્તા રૂપ ઈશ્વરની માન્યતા જૈનજગતમાં નહીં હોવા છતાં પૂર્ણ આત્મસ્વરૂપને પામેલા પરમાત્માનું સ્વરૂપ જે રીતે વર્ણવાયેલું છે તે ખરેખર અલૌકિક છે. સમસ્ત દષ્ટિદેવતાઓ પણ તે સ્વરૂપને ઝંખે છે. આ બધી બાબતો ખાસ નોંધવા જેવી છે. – સંપાદક જીવનમાં ડગલે ને પગલે, વ્યવહારમાં અને અધ્યાત્મમાં, ઘરમાં અને બહાર, વ્યક્તિમાં અને સમષ્ટિમાં, બહિર્જગતમાં અને અંતર્જગતમાં સર્વત્ર સર્વકાળે દેવ-દેવીઓની સહાયની આવશ્યકતા રહે છે. આ પવિત્ર દેવ-દેવીઓનાંચિંતન, મનન, ધ્યાન, નિદિધ્યાસન દ્વારા મનુષ્યનું ચિત્ત પરમ શાંતિ, પરમ દિવ્યતા અને પરમ સંતોષ પામી મોક્ષાભિમુખ બને છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 339 જૈનધર્મ ભારતનો અતિ પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોએ પ્રાણીમાત્રના આત્મોત્થાન અર્થે ભારતવર્ષમાં વિચરીને મુક્તિમાર્ગનો જગતને પ્રબોધ આપ્યો. આવા પરમ ઉપકારી તીર્થકરોની સ્તુતિ ખુદ દેવી-દેવતાઓએ પણ કરી છે. દરેક દેવી-દેવતાની ઉપાસના મનુષ્યોને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિમાં સહાયક થાય છે. ભક્તજનોને સમૃદ્ધિ તરફ દોરી જાય છે અને સાધકના મનમાં શુભ લાગણીઓ તથા શુભ સંકલ્પો જગાડે છે. જેને મત પ્રમાણે આત્મા જ્ઞાનસ્વભાવ છે. કોઈ પણ જ્ઞાન બહારથી આવતું જ નથી. જ્ઞાન આપણી અંદર ભરેલું જ છે; પરંતુ કર્મોના આવરણને લીધે અંદર રહેલા જ્ઞાનનો અનુભવ આત્મા કરી શકતો નથી. કર્મો નાસે તો જ્ઞાન જાગૃત થાય. આ કર્મો દુર કરવામાં અનેક નાધનો પૈકી તપ મુખ્ય સાધન છે. તપ એટલે દેવ-દેવીઓની કૃપા વાચી નામસ્મરણમાં વિલીન થવું તે, જ્ઞાન અને તપનો આ પ્રકારનો સંબંધ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં કોઈ ઠેકાણે પ્રયોજાયેલો નથી. જૈનેતર દર્શનોમાં તેનો સામાન્ય ઉલ્લેખ છે. ક વિચારસરણી પુર:સર જ્ઞાનની મીમાંસા અને તથા પ્રકારે ધાર્મિક જીવનની ઘટના જૈન શાસકએ કરેલી છે. જૈન ધર્મ આત્માથી અલગ એવા ઈશ્વરમાં માનતો નથી. વ્યક્તિ જે કર્મો કરે તેનાં ફળ તેને ભોગવવાં પડે છે. કર્મોનો ક્ષય થાય એટલે આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે. જેનોની આ ધર્મપરંપરા છે. જૈનોમાં સામાજિક પરંપરા એ જુદી વાત છે. તે સમાજવ્યવસ્થા સાથે જોડાયેલી છે. દેવી-દેવતાઓની પ્રથા આ વ્યવસ્થા હે ળ અસ્તિત્વમાં આવી. અનંત મહાતારક શ્રી જિનશાસનમાં સાધનાનો હેતુ ઐહિક અને પારલૌકિક – પૌલિક સુખોની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ છે જ નહીં. ઉપાસકોનો આશય તો એ પણ હોય. છે કે બધાં કાર્યોમાં દેવ-દેવીઓની સહાયતાથી સફળતા મળતી રહે જે છળ-પ્રપંચ, દગા-ફટકા કે અસત્યનો આશ્રય ન કરવો . મહાપાપથી બચી જવાય અને દુર્ગતિના ભાજન ન થવું પડે. જૈન દર્શનમાં દેવોને પરાશક્તિ રૂપે કે પરમશક્તિ રૂપે સ્વીકારાયા નથી. સમ્યગ્દષ્ટિ દેવી-દેવતાઓનું મહત્ત્વ શાસનના સદાનિષ્ઠ સેવકો તરીકે સ્વીકારાયું છે. સાધના દ્વારા શક્તિ, શાતા મેળવવા આપણે પ્રયત્ન કરીએ તેમાં દેવી-દેવતાઓ અદશ્ય સહાયક બને છે. જૈન દર્શનમાં વિજય મેળવવાની જે વાત છે તે સ્થળ વિજય નહિ એ સ્વભાવવિજય, ઇન્દ્રિયવિજય, મનોવિજય અને વિશેષ તો ચિત્તમાં પડેલા રા દ્વેષ ! મકો દ કષાયો ઉપર વિજયની આ વાત છે. શાસનરક્ષક તે શા સેવી દેવ-દેવીઓની સહાય લાવવાથી સંયમમા પર સરળતાથી આગળ વધી શકાય છે. અનંતાનંત પરમ ઉપકારક, પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈને, સમવસરણમાં વિરાજમાન થઈને. અતિ મહાત રક ધર્મદેશના આપીને પૂજ્ય સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રમણ -પ્રધાન ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરી તે સમયે તીર્થંકર પરમાત્માના અનંત મહાપ્રભાવથી આ કઈ ને અનંત માતારક શ્રી Page #356 -------------------------------------------------------------------------- ________________ 340 જિનશાસનની પરમ સુરક્ષા, આરાધના અને પ્રભાવના કાજે ભિન્ન ભિન્ન ચોવીસ અચિન્ત્ય શાસનદેવો અને શાસનદેવીઓ સ્વયં પૂજ્ય અને સેવાભાવે ઉપસ્થિત રહેતાં આવ્યાં છે. મહાશક્તિ સમાન એ દેવી—દેવતાઓ અનંત મહાનાયક શ્રી જિન—આજ્ઞાનું પરમ સબહુમાન અક્ષરશઃ પાલન કરવાની તત્પરતા ધરાવનાર પરમપૂજ્ય સાધુ-સાધ્વીઓ અને શ્રાવક–શ્રાવિકાઓને ધર્મમાં સ્થિર કરવા કાજે અનેકવિધ સહાયતા કરતાં આવ્યાં છે. એ કારણથી દેવી દેવતાઓનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો અને સામર્થ્રો ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયાં છે. તપાગચ્છાધિષ્ઠાયક વીતરાગ શાસનમાં અધિષ્ઠાયક દેવ–દેવીઓનું મહત્ત્વ ખૂબ જ નોંધપાત્ર છે. તીર્થંકર દેવોની ઉપસ્થિતિમાં તીર્થ—સ્થાપના વખતે જ ગણધર ભગવંતોની સ્થાપના કરવામાં આવે છે. આથી અધિષ્ઠાયક દેવ-દેવીઓ સ્વયં હાજર થાય છે. ત્યારે ગણધર ભગવંતોને શાસન સોંપવામાં આવે છે અને સહાયક રૂપે, ચિંતામણિ રત્ન સમાન અધિષ્ઠાયક દેવ–દેવીઓ અખંડપણે પ્રભુશાસનની સુંદર સેવા બજાવે છે. તીર્થંકર ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે ગણધરો, આચાર્યો અને ચૌદ પૂર્વધરો ઘણા જ શક્તિમાન અને સમર્થ હતા. ત્યારે દેવ–દેવીઓની સહાયતા બહુલતયા તેમને લેવી ન પડતી. શ્રી શાસનદેવ–દેવીઓ સ્વયં સેવાભક્તિથી પરમાત્માના સાંન્નિધ્યમાં રહેતાં હતાં. શ્રી જિનશાસનમાં સમ્યગ્દષ્ટિ દેવ–દેવીઓનું સ્થાન અને તેઓની સ્થાપના એ કોઈ સ્વાર્થાંધ લેભાગુથી શરૂ કરાયેલી કુપ્રથા નથી પરંતુ અનંતાનંત પરમ તારક દેવાધિદેવથી થયેલી સુપ્રણાલિકા છે. જૈન દર્શનમાં શ્રી સિદ્ધચક્રજી મહાપૂજન એ પ્રાચીન પૂજન છે, જૈન શાસન માટે સાર છે, પ્રાણ છે. આ સિદ્ધચક્રમાં રહેલાં દેવ–દેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, આઠ જયાદિ દેવીઓ, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણીઓ, ચાર દ્વારપાલ, ચાર વીરદેવો, દસ દિક્પાલ દેવો, નવ ગ્રહ અને નવ નિધિનાં સ્થાન આવેલાં છે. પ્રાચીન સમયમાં જૈન મંત્રસાધકો શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એમ છ દેવીઓની સાધના કરતા હતા. જૈન તંત્રસાધકો સોળ વિદ્યાદેવીઓ તથા તીર્થંકરોનાં શાસનદેવ– દેવીઓની સાધના કરતા મળ્યા છે. આ સાધનાથી અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે. પ્રત્યેક તીર્થંકરની જેમ ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજીએ ચતુર્વિધ સંઘરૂપે જૈનશાસનની સ્થાપના કરી હતી. એ જૈનશાસન અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે. આ શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ મુજબ ચાર વિભાગ છે. તેમાં સાધુ-સાધ્વીઓને તો સવારે અને સાજું દરરોજ ફરિજયાતપણે પ્રતિક્રમણાદિ છ આવશ્યક કરવાનાં હોય છે. એ જ રીતે શ્રાવક—શ્રાવિકાઓ માટે પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. આ પ્રતિક્રમણવિધિ માટે જે સૂત્રોની રચના કરવામાં આવી છે તેમાં ભગવાનની અને દેવ–દેવીઓની સ્તુતિ બોલવામાં આવે છે. લઘુશાંતિ સ્તોત્રમાંથી એક શ્લોક જોઈએ : भवतु नमस्ते भगवति, विजये सुजऐ परापरै रजिते, अपराजिते जग्त्यां, जयतीत जयावहे भवति Page #357 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 341 (હે ભગવતી ! હે ભગવતી ! હે વિજયાદેવી! તમારો સર્વત્ર સુવિજય થાય છે. હે સુજયે ! નાના-મોટા દેવોથી તમે જિતાતાં નથી. તે અજિત ! જગતમાં વિઘ્નોથી તમે હારતાં નથી. હે અપરાજિતે! આપ વિજય જ પ્રાપ્ત કરો છો. હે જયાવહે! આપને નમસ્કાર હો.) ત્યાગપ્રધાન અને વૈરાગ્યપ્રધાન આત્મનિષ્ઠ જૈન ધર્મમાં તીર્થકરની સેવાપૂજા એટલા માટે કરવામાં આવે છે કે તેથી ત્યાગભાવના સુદઢ થાય. વર્તમાન ચોવીશીના તીર્થકરની કુલ સંખ્યા ચોવીસ છે. જૈન મંદિરોમાં પ્રાયઃ રંગમંડપમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણીની મૂર્તિ હોય છે. યક્ષ એ શાસનદેવ અને યક્ષિણી એ શાસનદેવી માનવામાં આવે છે. આ સંખ્યા પણ ૨૪ની હોય છે. જૈન તીર્થકરો રાગ, દ્વેષ, મોહ, કષાય, રતિ, અરતિ, ક્રીડા, ઇચ્છા વગેરે તમામ દૂષણોથી રહિત હોય છે. શાસનરક્ષા અને પ્રભાવના તથા ધર્મકાર્યમાં સહાયક બનવા માટે દરેક તીર્થકરને અધિષ્ઠાયક દેવો અને દેવીઓ હોવાની વાતનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે. જયા, વિજયા, વિરાટયા, અપરાજિતા તથા સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ઇન્દ્રો, દશ દિપાલો, નવ ગ્રહો અને યક્ષો જુદા જુદા તીર્થંકર ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવીઓ કહેવાય છે. પ્રાચીન સાહિત્ય અને પુરાતત્ત્વના અવશેષો દ્વારા એમ જાણવા મળે છે કે જૈનધર્મમાં પણ પ્રાચીન કાળથી દેવ-દેવીઓની સાધર્મિક તરીકે પૂજા અસ્તિત્વમાં હતી. દેવાધિદેવ ત્રણ લોકના નાથ, પરમકૃપાળુ અરિહંત પરમાત્મા જેઓએ રાગદ્વેષનાં બંધનો દૂર કરી વીતરાગપદ પ્રાપ્ત કર્યું છે, એવા એ વીતરાગ પરમાત્માની સેવામાં અનેક દેવ-દેવીઓ ઉપસ્થિત હોય છે. અનંત ઉપકારી શ્રી વીતરાગ પ્રભુએ તેઓની દેશનામાં સંસારની મુખ્ય ચાર ગતિ બતાવી છેઃ ૧. મનુષ્ય ૨. દેવ, ૩. તિર્યંચ ૪. નરક. ચોરાશી લાખ યોનિમાંથી બહાર નીકળવા, મુક્ત થવા, મનુષ્ય ઉપરાંત દેવો પણ પ્રયત્ન કરે છે. તેઓ પણ મોક્ષની ઝંખના કરે છે. મોક્ષપ્રાપ્તિ માટે દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની નિરંતર સેવામાં રહે છે. દેવ-દેવીઓ અને માતાની ભક્તિ અર્થાત્ શક્તિપૂજા આ દેશમાં જ નહિ પણ વિશ્વની બધી પ્રજાઓમાં સર્વવ્યાપક છે. જૈનાગમોમાં શાસનનું રક્ષણ કરનાર શ્રી ચક્રેશ્વરીજી, પદ્માવતીજી આદિ છે તો શૈવોમાં ગિરિજા, શાકતોમાં કાલીથી કમલા, કૌલોમાં વજેશ્વરી, ખ્રિસ્તીઓમાં મૅરી, વૈદિકોમાં ગાયત્રી અને માંત્રિકોમાં મંત્રેશ્વરીની આરાધના થાય છે. ગ્રીક સાહિત્યમાં અરોરારૂપે, ઋગ્વદમાં અદિતિ સ્વરૂપે, યજુર્વેદમાં શ્રી લક્ષ્મી) સ્વરૂપમાં, કેનોપનિષદમાં માયા રૂપે શક્તિનું નિરૂપણ છે. ભારતમાં નવરાત્રિમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની સાધના થતી જોવામાં આવે છે. દેવી-દેવતાઓ મુખ્યત્વે ધર્મશાસનના અને આરાધકોનાં વિદનો–ઉપસર્ગો શાંત કરવાનું અને જનકલ્યાણનું કાર્ય કરે છે. ભક્તોને તેઓ વરદાન આપે છે, ઘેરઘેર જૈન–શાસનનો પ્રભાવ વિસ્તાર છે. તામસિકતાનો નાશ કરે છે અને કીર્તિની, સિદ્ધિની સ્થાપના કરે છે. જૈન ધર્મનાં દેવ-દેવીઓ સાત્ત્વિક, સૌમ્ય અને અહિંસક છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ 342 શ્રી જિનશાસનની સુરક્ષા તેમ જ મહાચમત્કારિક અનેકવિધ અજોડ મહાપ્રભાવને કારણે વ્યંતર નિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજા શ્રી માણિભદ્રજીનું નામ શ્રી જિનશાસનમાં તપાગચ્છરક્ષક અને મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે. માણિભદ્રવીરનું પ્રાકટય કેમ થયું તે વિષે તથા તેમના ચમત્કારિક પરોપકાર વિષે સંક્ષેપમાં વિચારીએ. તપાગચ્છાધિષ્ઠાયક જૈન, બ્રાહ્મણ તથા બૌદ્ધ પરંપરામાં ઉજ્જૈન નગરી એક ધાર્મિક સ્થાન છે. આ નગરીમાં માણેકચંદશા નામે એક શ્રેષ્ઠી વસતા હતા. યુવાવસ્થા પ્રાપ્ત થતાં ધારાનગરીની એક સુકન્યા નામે આનંદરતિ સાથે તે પાણિગ્રહણથી જોડાયા. શરૂશરૂમાં તે જૈનધર્મી હતા. માણેકચંદના પિતા જેમ ધર્મ–આરાધના કરતા તે જ રીતે માણેકચંદ પણ શ્રદ્ધાપૂર્વક અને ઉલ્લાસથી ધર્મની આરાધના કરતા હતા. એક સમયે કેટલાક લોંકાયત યતિઓ માણેકચંદશા શેઠને ત્યાં આવ્યા. તેઓએ રાત્રિ સમયે ધર્મચર્ચા કરી. ઉટપટાંગ કુતર્કો તથા કુયુક્તિઓથી માણેકચંદને ધર્મવિમુખ બનાવ્યા. કેટલાક મુનિ-યતિઓના ધર્મ પ્રતિ શિથિલાચારો જોઈ માણેકચંદની શ્રદ્ધા ધર્મમાંથી ઊઠી ગઈ. અલબત્ત માણેકચંદ શાનાં માતાજી તેમ જ ધર્મપત્ની આનંદરતિ ભગવાન મહાવીરના શાસનમાં અપાર શ્રદ્ધા ધરાવતાં હતાં. ધર્મવિમુખ થયા પછી માણેશચંદશાએ મૂર્તિપૂજા, સેવા, પ્રભુભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, તપ – જપ -- વ્રત વગેરેનો ત્યાગ કર્યો. પત્ની આનંદરતિને પતિના આ પરિવર્તનની જાણ થતા, ધર્મ પ્રતિ પુનઃ શ્રદ્ધા ધરાવવા પતિને વારંવાર વિનંતી કરી, પરંતુ માણેકચંદ પર તેની કશી અસર થઈ નહિ. અંતે સમજાવટ નિષ્ફળ જતી જોઈ આનંદરતિએ છ વિગઈનો ત્યાગ કર્યો. છ વિગઈનો અભિગ્રહ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. આવડી તપશ્ચર્યા થતી હોવા છતાં આનન્દરતિ ઉલ્લાસથી જીવન ગુજારતાં હતાં. માણેકચંદશાનાં માતાજીને પુત્રવધૂ આનંદરતિના ત્યાગની ખબર પડી. શા માટે આ ઉગ્ર તપ તે આચરી રહી છે તેની તપાસ કરતાં સાચા કારણની તેમને જાણ થઈ. કારણ જાણી આ સુશ્રાવિકાને અપાર દુ:ખ થયું. પુત્રને સન્માર્ગે વાળવા માટે તેમણે પણ છ વિગઈના ત્યાગનો અભિગ્રહ કર્યો. આમ ને આમ છ માસનો સમય વ્યતીત થઈ ગયો. તેટલામાં પોતાનાં પવિત્ર અને પૂજ્ય માતાજી આટલું કષ્ટ વેઠી રહ્યાં છે તેની જાણ માણેકચંદશા શેઠને થઈ. માતૃભક્ત પુત્રને આ ત્યાગનું કારણ જાણી પારાવાર દુઃખ થયું. તરત જ તે માતા પાસે ગયા અને પારણું કરવા વિનમ્ર ભાવે અનુનય કર્યો. છેવટે માતાજીએ કહ્યું, ' તું પરમ પૂજ્ય ગુરુમહારાજ પાસેથી પુનઃ ધર્મ અંગીકાર કર તથા ધર્મ-આરાધના કર. તું એ પ્રમાણે કરીશ એનું મને વચન આપ અને તું પરમ પૂજ્ય ગુરુ મહારાજની સબહુમાન ઘેર પધરામણી કરે અને તેમને પ્રતિલાભ તો જ હું પારણું કરીશ.' માણેકચંદે કહ્યું : 'ગુરુ મહારાજ મારી શંકાનું સમાધાન કરી આપે તો હું પુનઃ પ્રભુપૂજા અને તપાગચ્છીય આમ્નાય પ્રમાણે ધર્મ-આરાધના ચાલુ કરું.' આ અરસામાં યોગાનુયોગ પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીશ્વરજી Page #359 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 343 મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પટ્ટધર શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ સ્વસાધુ-સમુદાય સાથે ભર્તુહરિની ભૂમિ એવી ઉજૈની નગરીમાં પધાર્યા હતા. નગર બહાર આવેલ ગાંધર્વ સ્મશાનમાં રાત્રિ સમયે એ સૌ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા હતા. માણેકચંદશાને ગુરુજી પધાર્યા છે એવા સમાચાર તો મળ્યા પણ શિથિલાચારની ગ્રંથિ તેમના મનમાં બંધાઈ હોવાથી સ્મશાનમાં જ ગુરુદેવની કસોટી કરવાની કુમતિ તેમના મનમાં ઊપજી. પોતાના સાગરીતો સાથે હાથમાં સળગતી મશાલ લઈ તે સૌ સ્મશાનમાં આવ્યા. ધ્યાનસ્થ ગુરુજી આનંદવિમલસૂરિજીની દાઢીમાં મશાલ ચાંપી દીધી. દાઢીના વાળ ભડભડ બળવા લાગ્યા. અગ્નિની અસરથી મુખ પરની ચામડી પણ દાઝવા લાગી; પરંતુ આચાર્યશ્રીના મુખ પર વેદનાની નાની રેખા પણ ન ઊપસી. સંસારના સર્વોત્તમ તપસ્વી ભગવાન મહાવીરના પરમ અનુયાયી હોવાથી તેમનું ચિત્ત પ્રશાંત ભાવ ધારણ કરી રહ્યું. આવું ઘોર કૃત્ય કરી ઘેર આવેલા માણેકચંદશા શેઠને શાંતિ પ્રાપ્ત ન થઈ. તેમનો અંતરાત્મા જાગૃત થયો અને હૃદયપરિવર્તન થયું. પ્રભાત થતાં જ ગુરુદેવ પાસે આવી તેમનાં ચરણો પકડી માણેકચંદશા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. દુષ્કૃત્યની ક્ષમા કરવા તથા ઘેર આવી માતાજીને લાભ આપી પારણું કરાવવા પ્રાર્થના કરી. એક શબ્દ પણ ઠપકારૂપે કહ્યા વિના હર્ષપૂર્વક પૂજ્ય ગુરુદેવો માણેકચંદશા શેઠ સાથે તેમને ઘેર આવ્યા. ગુરુદેવે માણેકચંદ પ્રતિ વાત્સલ્યનાં અમીઝરણાં વહાવ્યાં. આવી સમતા, સરળતાની માણેકચંદશાના મન પર ખૂબ જ સારી અસર થઈ અને ફરીથી તે ગુરુદેવના અનન્ય ભક્ત બન્યા. પુનઃ ઉલ્લાસપૂર્વક પૂજા–સેવા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વ્રત, તપ, જપ, આદિ ધર્મ-આરાધના કરવાનો મંગળ આરંભ કર્યો. માણેકચંદ ગુરુદેવને ચાતુર્માસ કરાવ્યું. ત્યાર બાદ તેમને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાની અભિલાષા જાગી.માણેકચંદે એકલપંડે આ વિકટ યાત્રાનો પ્રારંભ કર્યો. સાતમે દિવસે તેઓ ગુજરાતમાં સિદ્ધપુર નજીકના મગરવાડા ગામે પહોંચ્યા. મગરવાડામાં અત્યલ્પ સંખ્યામાં માણસો વસતા હતા. ઘેઘૂર વનરાજિના કારણે તે ગામ બીહડ વન જેવું ભયંકર ભાસતું હતું. અહીં તેઓ વિશ્રામ કરતો હતો ત્યારે ચોર–લૂંટારા લોકોએ માણેકચંદ ઉપર હુમલો કર્યો. હુમલામાં માણેકચંદશા શેઠ એટલા ઘવાયા કે સિદ્ધગિરિરાજના શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને વ્યંતરનિકામાં શ્રી માણિભદ્રજી નામે છઠ્ઠા ઇન્દ્ર મહારાજ થયા. - ઈન્દ્ર માણિભદ્રજીનું શરીર શ્યામ વર્ણની ઝાંયવાળું અને ચાર ભુજાયુક્ત છે. વરાહનું સ્વરૂપ ધરાવતું મુખ જિનેન્દ્ર પરમાત્માની જમણી ભુજા તરફ સદા રહેતું હોય છે. તેમનાં હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ અને જીભ માનોન્માનયુક્ત મનોહર છે અને દર્શનાર્થીઓને અતિ પ્રિય લાગે છે. તેમનો વર્ણ રક્ત છે. મસ્તક પર મહાતેજસ્વી માણેક આદિ દિવ્ય રત્નોથી જડિત સુવર્ણમય મુકુટ ધારણ કરેલો છે. અંગ-ઉપાંગ દિવ્ય રત્નોથી જડિત વિવિધ પ્રકારનાં આકર્ષક આભૂષણોથી Page #360 -------------------------------------------------------------------------- ________________ 344 તપાગચ્છાધિષ્ઠાયક વિભૂષિત છે. તેમના હાથમાં ત્રિશૂલ, ડમરુ, મગર, અંકુશ, નાગપાશ, રત્નમાળા આદિ આયુધો છે. વાહન તરીકે સાત સૂંઢવાળો ઐરાવત ગજરાજ છે. ઐરાવતનું અંગ દિવ્ય રત્નજડિત સુવર્ણના અનેક પ્રકારના અલંકારોથી અલંકૃત છે. પરમ તારક શ્રી આદીશ્વર પરમાત્મા સદા સ્મૃતિપટ પર રહે તે માટે જિનાલય આકારની રાયણવૃક્ષની શાખાં ધારણ કરી છે. માણિભદ્ર વીર ચોસઠ યોગિની, બાવન વીર અને વીસ હજાર સામાનિક દેવો તેમ જ કાળા, ગોરા અને બટુક ભૈરવ આદિ દેવોના તે સ્વામી છે. નવ હજાર ઐરાવત જેટલું એમનામાં બળ છે. સ્વયં માણિભદ્રજી ઈન્દ્ર મહારાજના કથન મુજબ તેમનાં ત્રણ મુખ્ય સ્થાનો છેઃ (૧) ઉજ્જયિની નગરીમાં તેઓશ્રીનો જન્મ થયો હોવાથી ક્ષિપ્રા નદીને કિનારે તેમનું મસ્તક પૂજાય છે. (૨) ઉત્તર ગુજરાતમાં વીજાપુર સમીપ આવેલ આગલોડ ગામમાં તેઓનું ધડ પૂજાય છે. (૩) સિદ્ધપુર પાસેના મગરવાડા મુકામે તેઓની પિંડી પૂજાય છે. રાજી , Page #361 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 345 'કર્મસિદ્ધાન્ત અને જ્યોતિષ - પૂ. આચાર્ય શ્રી વિજય રત્નભૂષણસૂરિજી મહારાજ કર્મસિદ્ધાંત અને જ્યોતિષ એ બન્ને બાબતો સર્વજ્ઞ-પ્રરૂપિત છે. આ બન્ને પરસ્પર વિરોધી નથી પરંતુ પૂરક છે. આ વાત પૂ.આ.શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રીએ ખૂબ જ માર્મિક રીતે દાખલા-દલીલ સાથે આ લેખમાં પ્રસ્તુત કરી છે. ઘણાં વર્ષોથી પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંવર્ધનકાર્યોમાં ગળાડૂબ વ્યસ્ત રહેનાર પૂજય આચાર્યશ્રીએ ટૂંકમાં પણ શુભ-અશુભ કર્મોની થીયરી સમજાવી છે. આવશ્યક જેવી મહાન ક્રિયા દરમ્યાન અને પ્રતિક્રમણ જેવી પવિત્ર ક્રિયા દરમ્યાન પોતાના નિવાસી ક્ષેત્રોના ઉપદ્રવો દૂર કરવાથી માંડીને જ્ઞાનાવરણીય કર્મોને દૂર કરવા માટે શાસનના અધિષ્ઠાયક દેવદેવીઓની અનિવાર્યતા હોવાનું દઢપણે માનતા પૂજ્યશ્રી વર્તમાનમાં વિવિધ ધર્મકાર્યો દ્વારા સારી એવી શાસન-પ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. પૂજ્યશ્રી દ્વારા જ્ઞાન-પ્રસારના, ધર્મપ્રભાવનાના અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યોમાં ઉત્તરોત્તર આગળ વધતા રહે એ જ અભ્યાર્થના. અમારા પરત્વેની પૂજ્યશ્રીની ભલી લાગણી માટે પણ અમે તેમના અત્યંત ઋણી છીએ. – સંપાદક આપણા આત્મા ઉપર અત્યાર સુધીમાં અનંતા કર્મો બંધાયેલાં છે, તેમ જ સમયે સમયે સતત નવાં નવાં કર્મો બંધાતાં જાય છે. એ જ રીતે જેવાં કર્મ જેણે બાંધ્યાં હોય તેવું ફળ તે તે જીવોને ભોગવવું પડે છે. તે ઉપરાંત, કરે તેવું પામે, વાવે તેવું લણે–એવી જનસાધારણમાં પણ દઢ માન્યતા રહેલી છે. આ રીતે જો કર્મ મુજબ જ બધું થવાનું હોય તો પછી જ્યોતિષની શી જરૂર ? દીક્ષા-પ્રતિષ્ઠા અંજનશલાકા આદિ માટે શુભ મુહૂર્ત જોવું જોઈએ, તેની પણ શી જરૂર? જેનાં જેવાં કર્મ હશે તેવું તેનું થશે. ઉપરાંત જન્મકુંડળી ઉપરથી અમુક વ્યક્તિનું જીવન અમુક પ્રકારનું હશે, એ વગેરે જે જોવાય છે તેની પણ શી જરૂર? કોઈને શનિ નડતો હોય તો વળી કોઈને રાહુ કે મંગળ નડતો હોય છે. આ બધું વળી શું? જેનું જેવું કર્મ હશે તેવું ફળ તે ભોગવશે. એમાં વળી શનિ કે રાહુ શું કરવાના? આ રીતે કર્મ-સિદ્ધાંતવાળાનું કહેવું હોય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ 346 . તપાગચ્છાધિષ્ઠાયક એની સામે જૈન આગમોમાં જ તીર્થંકર પરમાત્માઓના જન્મ-કલ્યાણક વખતે દરેક ગ્રહો ઉચ્ચના હતા, દીક્ષા-પ્રતિષ્ઠા આદિ શુભ મુહૂર્તમાં જ કરવાં જોઈએ. એમ થાય તો જ તેના પ્રભાવે સકલ સંઘનું, સકલ પ્રજાનું અને એકંદરે સર્વ જીવોનું કલ્યાણ થાય, ઉપદ્રવોનો નાશ થાય, આપત્તિઓ દૂર થાય, એ મુજબ વિધાન કરવામાં આવેલ છે. એ ઉપરાંત ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ તો જે વખતે જેને જે જે ગ્રહ નડતો હોય ત્યારે તેના નિવારણ માટે તે તે ગ્રહ મુજબ અમુક-અમુક ભગવાનનો જાપ – પૂજા– ભક્તિ આદિ કરવું–એ મુજબ ગ્રહશાંતિ સ્તોત્રમાં ફરમાવ્યું છે. શાન્તિસ્નાત્ર આદિ અનેક વિધિવિધાનોમાં નવ ગ્રહોની પૂજા કરવાનું પણ આવે છે. તો પછી આ બધી બાબતોનું શું? આ રીતે જોવા જઈએ તો કર્મસિદ્ધાંત અને જ્યોતિષ બંને પરસ્પર વિરોધી જણાય છે, જ્યારે હકીકતમાં એવું નથી. એ બંને બાબતો સર્વજ્ઞ પ્રરૂપિત છે, એટલે તેમાં વિરોધ ન હોય; સંવાદ જ હોય. એ સંવાદ કઈ રીતે છે તે આપણે શોધી કાઢવું જોઈએ. એટલે કે આ પરસ્પર વિરોધી લાગતી વાતનો સમન્વય કઈ રીતે થાય છે, તે શોધવું જોઈએ. હકીકતે આ બંને પરસ્પર વિરોધી નથી પરંતુ પૂરક છે. આ વાત સમજવા માટે પહેલાં તો આપણે કર્મ-સિદ્ધાન્તની થોડીક મૂળભૂત વાતો સમજવી જરૂરી છે. કર્મો બે જાતનાં બંધાય છે. (૧) નિકાચિત કર્મ (૨) અનિકાચિત કર્મ. તેમાં જે નિકાચિત કર્મો છે તે તો જે સ્વરૂપે બંધાય તે મુજબ જ પોતાનું ફળ જીવને આપે છે અને જીવોએ તે જ મુજબ તેનું ફળ ભોગવવું પડે છે. તેનું ફળ જ્યારે ભોગવી લેવાય ત્યારે જ તે નિકાચિત કર્મો જીવથી છૂટાં પડે છે. આવાં કર્મોનો નાશ કરવા માટે તો તેનું જે ફળ હોય તે ભોગવવા સિવાય છૂટકો જ નથી. એમાં કોઈ જાતની વધઘટ પણ થઈ શકતી નથી કે એમાં કોઈ જાતનો ફેરફાર પણ થઈ શકતો નથી. એટલે એવાં કર્મો માટે તો તેનું ફળ ભોગવવા સિવાય બીજો કોઈ પણ ઉપાય કારગત નીવડે તેમ નથી. બીજા પ્રકારનાં જે અનિકાચિત કર્મો છે તે કર્મો બંધાયા પછી પણ તેમાં ફેરફાર થઈ શકે છે; તેનું ફળ ભોગવ્યા વિના પણ તેનો નાશ કરી શકાય છે. તે કર્મોનું પરિવર્તન પણ થઈ શકે છે. એટલું જ નહીં, આખેઆખું પુન્યકર્મ પાપકર્મરૂપે અને પાપકર્મ પુચકર્મરૂપે ફેરવાઈ પણ જાય છે. આવું બધું આ જાતનાં કર્મોમાં બની શકે છે. જૈન આગમ પ્રમાણે ગ્રહો ૮૮ છે; પરંતુ અત્યારે આપણા વહેવારમાં સૂર્ય-ચંદ્ર વગેરે નવ ગ્રહો પ્રચલિત છે. એટલે આપણે પણ એ મુજબ નવ ગ્રહો છે, એમ સમજીને આ વાતમાં આગળ વધશું. આ બાબતમાં આગળ વધતાં પહેલાં આપણે એક વ્યવહારુ દષ્ટાન્ત વિચારીએ. કોઈ એક માણસ સડસડાટ પોતાની મોટર ચલાવે છે, તેમાં અચાનક લાલ બત્તી થઈ જાય છે અને તેને પોતાની ગાડી થોભાવી દેવી પડે છે. આમાં લાલ બત્તીએ તેનો હાથ ઝાલીને કંઈ તેને અટકાવ્યો નથી. લાલ બત્તી હોવા છતાં તેણે ગાડી થોભાવી ન હોત અને આગળ ચલાવી હોત તો લાલ Page #363 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ બત્તી કંઈ તેને અટકાવવા ન આવત. તો તે લાલ બત્તીએ કર્યું શું ? તેણે તો ગાડી ચલાવનારને ફક્ત એટલું સૂચન કર્યું કે – તું હવે અહીંથી આગળ વધતો નહિ. જો તું આગળ વધીશ તો ત્યાં ભય છે, એટલે તું મુશ્કેલીમાં મુકાઈશ, અને તને તકલીફ પડશે. એવી જ રીતે જન્મકુંડલી દ્વારા ગ્રહો આપણને સારાનું કે ખરાબનું સૂચન કરે છે. એનો અર્થ એ થયો કે તે જીવ એવી જાતનાં કર્મો કરીને આવેલ છે, કે તેને એની જન્મકુંડલી મુજબ અમુક અમુક સારું અને અમુક અમુક ખરાબ ફળ મળશે. તે તે ફળ મળવાનો સમય પણ જન્મકુંડલી ઉપરથી જાણી શકાય છે. અર્થાત્ જન્મકુંડલીમાં રહેલ ગ્રહો દ્વારા તે જાતકનાં કર્મો કેવાં છે ? તે કેવાં કેવાં કર્મો કરીને અહીં આવેલ છે ? એ વગેરેનું સૂચન તેમાંથી મળે છે. એવી રીતે મુહૂર્તકુંડલીમાં પણ તેમાં રહેલા ગ્રહો દ્વારા તે મુહૂર્તમાં થયેલ કામ અંગે કેવું ફળ મળશે, તે જોવાય છે. એનો અર્થ એ થયો કે – તે મુહૂર્તકુંડલીમાં રહેલા શુભ ગ્રહો દ્વારા તે મુહૂર્તમાં થયેલ કામના પ્રભાવે તેનાથી સંબંધિત જીવો એવાં એવાં સારાં કાર્યો કરશે કે જેના પ્રભાવે ભવિષ્ય સારું થશે; જો ખરાબ મુહૂર્ત હોય તો તેમાં રહેલા ખરાબ ગ્રહો દ્વારા એવું સૂચિત થાય છે કે – તે મુહૂર્તમાં થયેલ કામના પ્રભાવે તેનાથી સંબંધિત જીવો એવાં એવાં અશુભ કર્મો કરશે કે તેમાંથી તેઓ દુ:ખી થશે અથવા તો તે સ્થળમાં કે કંપની આદિમાં જેઓ સારાં કર્મો કરીને આવેલ હોય તેઓ એમાં જોડાશે અને ખરાબ મુહૂર્તમાં થયેલ કામમાં જેઓ અશુભ કર્મોવાળા હોય તેઓ એમાં જોડાશે, અને એ રીતે શુભ-અશુભ કર્મવાળા જીવોના કર્મના પ્રભાવે શુભ કે અશુભ ફળ મળે, ઉન્નતિ કે અવનતિ થાય, વિકાસ કે વિનાશ થાય. આ રીતે કર્મ—સિદ્ધાન્ત અને જ્યોતિષ પરસ્પર સહાયક કે પૂરક છે, તે આપણે જોઈ ગયા; પરંતુ મુદ્દાની વાત એ છે કે એમાંથી આપણને ફાયદો શું ? અને તે કઈ રીતે ? આપણે હવે આ વાત વિચારીએ. 347 કોઈ એક માણસને ૧૨ મહિના પછી સરકારી તકલીફ આવે તેમ છે, એવું જ્યોતિષ દ્વારા જાણવા મળે છે; પરંતુ તે જાણ્યા પછી શું ? જો તે એમ જ માનીને બેસી રહે કે – મા૨ે ૧૨ મહિના પછી જ સરકારી તકલીફ આવવાની છે, એમ જ્યોતિષ કહે છે; તો તે તકલીફ ભોગવવી જ પડશે. તો પછી એને માટે તો કાઈ ઉપાય નથી. પણ, જેને ૧૨ મહિના પહેલાં આ વાતની ખબર પડી ગઈ, કે હવે ૧૨ મહિના પછી મારું એવું અશુભ કર્મ ઉદયમાં આવશે કે એનાથી મારી ઉપર સરકારી તકલીફ આવશે. એટલે જો હું અત્યારથી જ કામે લાગી જાઉં અને એ આવનાર અશુભ કર્મનો નાશ કરી દઉં તો મારે એ તકલીફ ભોગવવી જ ન પડે. અથવા તો એ આવનાર અશુભ કર્મને જેટલું બને તેટલું નબળું કરી નાખું તો એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેનું અશુભ ફળ પણ ખૂબ જ નબળું—હળવું ભોગવવું પડે અને એટલી તો મને રાહત થાય. આ રીતે જ્યોતિષ તેને માટે સૈદ્ધાન્તિક રીતે ઉપયોગી થઈ શકે છે. અશુભ કર્મોનો નાશ કરવા માટે એ માણસ જે કંઈ દયા—દાન, તપ-જપ, વ્રત–નિયમ, Page #364 -------------------------------------------------------------------------- ________________ 348 તપાગચ્છાધિષ્ઠાયક મંત્ર-સાધના, આદિ કરે તે બધું એના માટે, એનાં અશુભ કર્મોને ઢીલું પાડનારું બને છે. એ અશુભ કર્મ જેટલું ઢીલું પડે તે મુજબ તેના ઉદયથી આવનારી આપત્તિ પણ ઢીલી–હળવી જ આવવાની. તે સિવાય, અશુભ કર્મના ઉદયથી તેને જો કોઈક તકલીફ આવી ગઈ હોય તો તે પણ દયા–દાન આદિ ઉપર જણાવેલા ઉપાયો દ્વારા કર્મનો નાશ થઈ જાય, એટલે તેનાથી આવેલ તે આપત્તિ પણ આપોઆપ દૂર થઈ જાય. આ રીતે કર્મ-સિદ્ધાન્ત અને જ્યોતિષ એકબીજાના પરસ્પર વિરોધી નથી પરંતુ પૂરક કે સહાયક છે, એ બાબત સ્પષ્ટ થઈ જાય છે. આ વાત બરોબર સમજાઈ જાય તો પછી ભગવાનના શાસન ઉપર આવેલી આપત્તિઓ અને ઝંઝાવાતોથી રક્ષા કરવા માટે, દેવી ઉપદ્રવોનું નિવારણ કરવા માટે, અવસરે શાસનની પ્રભાવના કરવા માટે મંત્રસાધના–તપશ્ચર્યા–ધ્યાન આદિ દ્વારા શાસનસેવાના અભિલાષીશાસન સેવક–શાસન રક્ષક, એવા સમ્યગુ દષ્ટિ દેવી-દેવતાઓની સહાય લઈને આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ છીએ. આવાં જે દેવદેવીઓ છે તેમાં માણિભદ્રવીરનું પણ સ્થાન અત્યંત મહત્ત્વનું છે. આ વાત બરોબર સમજીને યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો અત્યારે પણ આપણને દેવી તત્ત્વોની સહાય મળી શકે તેમ છે. એ માટે આત્મલક્ષી બનીને ઉત્તમ એવો હિતકારી અને કલ્યાણકારી પુરુષાર્થ કરીને સૌ પોતાનું કલ્યાણ સાધો એ જ મંગલ કામના. - યુગોથી જિનભકિતને સંદેશ આપતાં આ જિત-મહિરો યા આત્મા પંરમા-ભકિતમાં તન્મય અને તામર બની જાય છે જ્યાં દશનાથ નું દિલ જડાઈ જતું હોય છે. છે Page #365 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જડચેતન વિચાર અને આત્મોપલબ્ધિનો માર્ગ –પ્રો. કે.ડી. પરમાર કર્મ નહિ, કર્મની પરંપરા તોડવા..... દુઃખને નહિ, દુઃખની પરંપરા તોડવા.... મરણ નહિ, મરણની પરંપરા તોડવા... જન્મ નહિ, જન્મની પરંપરા તોડવા.... પાપ નહિ, પાપની પરંપરા તોડવા 349 સન્મતિ અવશ્યક નહિ પણ અનિવાર્ય છે. અત્રે આ લેખમાં જન્મે જૈન નહિ પણ સત્સંગે જૈન બનેલા આત્માર્થી પ્રો. કે.ડી. પરમારે ભાવુક શૈલીમાં હૃદયની વીણામાંથી ઝંકૃત થઈ સરી પડેલા શબ્દોમાં વીર માણિભદ્રની કથાના આલેખન સાથે માંગણી મૂકી છે સન્મતિની. તનને તીરથ કરવા, મનને મંદિર કરવા અને એમાં બિરાજમાન આત્માને વીતરાગી કરવા આ ભાવશૈલીમાં લખાયેલ લેખ એક અલાયદા ચિંતનમાં ચોક્કસ લઈ જશે. સંપાદક શાશ્વત અને શાન્ત એવું ચૈતન્ય બહુરૂપી છે, બહુરંગી છે, બહુ—આયામી છે. હાડમાંસના આ ચરખામાં શ્વાસોચ્છ્વાસ દ્વારા ચાલતી જિંદગીમાં વીજળીના કેટકેટલા ઝાટકા લાગે છે ! કયાં કયાંથી વાવાઝોડાં ધસી આવી ઉલ્કાપાત મચાવે છે ! મન-મહાસાગરમાં વિચારતરંગોના રંગો પળે પળે પલટાતા જ રહે છે. કયાંક આહ તો કયાંક વાહ ! કયાંક વિનોદ તો કયાંક વિષાદ ! કયાંક આનંદ તો કયાંક આંસુ ! કયાંક પાનખર તો કયાંક વસંત ! આવું આવું તો કેટકેટલું બધું જડ–ચેતન જગતમાં બનતું રહે છે, ઘટતું રહે છે; પણ જીવનધારા તો ચૈતન્યની એક રમત (play) માત્ર છે. સમગ્ર સૃષ્ટિ એ આ રમતનો અનોખો ચમત્કાર છે. અસ્તિત્વ ગૂઢ, રહસ્યમય, અકલ્પનીય અને અજ્ઞેય છે. જાણ્યા છતાં નથી જણાતું, પકડમાં નથી આવતું. પ્રકૃતિનાં કેટલાંય રહસ્યો પરથી પડદો ઊઠી શકયો નથી, ઊઠવાનો પણ નથી. સદીઓથી આ અંગે ઘણા પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે. સ્વર્ગ–નર્ક, ભૂત–પ્રેત, આત્મા-પરમાત્મા, પાપ-પુણ્ય, પૂર્વજન્મ-પુનર્જન્મ, બંધન–મોક્ષ વગેરે વિષે વાદવિવાદ થતા રહ્યા. જુદા જુદા લોકો જુદી જુદી માન્યતાઓનાં માદળિયાં પહેરીને કહેતા Page #366 -------------------------------------------------------------------------- ________________ 350 તપાગચ્છાધિષ્ઠાયક રહ્યા, છતાં કોઈ ચોક્કસ એકમત સ્થાપિત થતો નથી. જગતમાં ભૌતિક અને આધ્યાત્મિક એમ બે શાખાઓ છે. ભૌતિક શાખા જડ પદાર્થમય છે, શરીર સંબંધી છે. તેનું ચિંતન દેહલક્ષી હોય છે. દેવું કરીને ઘી પીવો. થવાનું હોય તે થાય, બસ મોજમજા કરો. મર્યા પછી કશું જ બચવાનું નથી. શરીરનો નાશ થતાં બધું જ નાશ થઈ જશે. મનુષ્યનું મન એ દેહની ઉત્પત્તિ છે. જો દેહ નથી તો કંઈ જ નથી. તેથી શરીર સંબધી સુખ – સગવડની સુવિધા શોધાઈ. તે સુવિધા આપનાર જ્ઞાન, વિજ્ઞાન કહેવાયું. આ વિજ્ઞાને ભૌતિક પદાર્થોના વિકાસ પાછળ આંધળી દોટ મૂકી. પરિણામે પારાવાર પીડા અને પતન માનવના ભાગ્યમાં અંકાયાં. જડના પનારે પડેલા માનવીની જિંદગી પણ જડ બની. જડ અને જડતા સામે જાગતા રહેવા આધ્યાત્મિક શાખાએ બાંગ પોકારી. શરીરથી પર થવા જણાવ્યું. એનું ચિંતન દેહથી પારલક્ષી બન્યું. શરીર છૂટયા બાદ પણ જે તત્ત્વ રહે છે, બચે છે, તે તત્ત્વ કર્માનુસાર ગતિ કરે છે, નવાં નવાં ખોળિયાં ધારણ કરે છે, ફરી ફરી નવાં નવાં કર્મો બાંધે છે અને નવા નવા અવતાર લે છે. ' જડ સંગે ચેતનના ભાવ, ખેલે ચાર ગતિના દાવ.' આમ, ચાર ગતિના દાવ ખેલતી ચેતના, જડ કર્મના સંયોગથી વિશ્વમાં વિવિધ વિચિત્ર અને વિષમરૂપે દેખાય છે. દેખાય સામાન્ય અને નીકળે વિશેષ ! હોય વિશેષ અને લાગે સામાન્ય ! એક છતાં અનેક,પણ તત્ત્વ તો " જૂજવે રૂપ અનંત ભાસે–" એવી છે આ અગોચર તત્ત્વોની ગોચરલીલા ! એક નહિ પણ ચોરાશી લાખ ઝભલાં પહેરીને ફર્યા કરવાની એની આ આદતનો પાર કોણ પામી શકે ? એમાં આ માનવ-ઝભલા (શરીર)ની તો વાત જ શી કરવી ? એ ધારે તો ઝભલાથી મુક્ત બની શકે, વિનાશી વધુમાં અવિનાશીની આરાધના કરી શકે, સચ્ચિદાનંદના સુખને માણી શકે. આ માટેની શોધે જે વિશિષ્ટ આત્મલક્ષી જ્ઞાન આપ્યું તે અધ્યાત્મ કહેવાયું. પરંતુ આ ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં પરમ રહસ્ય તો મનુષ્ય પોતે છે. મનુષ્ય એ વિચારશીલ પ્રાણી છે. તેની પાસે પશુ-પંખી–પ્રાણી-વનસ્પતિ-પથ્થર તેમ જ અન્ય જીવો કરતાં વિકસિત મન છે. એક મનુષ્ય જ પોતાના મૃત્યુ વિષે વિચારી શકે છે. મૃત્યુ એ પરમ વરદાનરૂપ છે. તેના વિચાર પણ લાભદાયી નીવડે છે. મૃત્યુના વિચારથી પ્રશ્નો જાગે છે : " શું મૃત્યુ બાદ હું ખરેખર મરી જઈશ? " ખરેખર આત્મા છે? " " કર્મો અનુસાર ગતિ થાય છે કે નહિ ? " શું સાચે જ પરલોક છે? " આ પ્રશ્નોના જવાબ સ્વયં મુમુક્ષારૂપે પૂર્ણ રૂપે સાચી નિષ્ઠાથી મેળવવા મનુષ્ય પ્રયત્ન કરે તો ખરેખર એના ઉત્તર મળશે. જાત-અનુભવ થશે. મૃત્યુ અને તેના ચિંતનથી જ ધર્મ ઉદ્ભવે છે. ધર્મનું આચરવાથી એક ઉત્તમ જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે, જે મનુષ્ય કે દેવગતિ આપી શકે છે અને તિર્યંચ કે નરકગતિ નિવારી શકે છે અને મોક્ષપ્રાપ્તિ કરાવી શકે છે. મનુષ્ય એ પરમ સ્વતંત્રત છે. એ સંસારની ચાર ગતિરૂપ રસ્તા વચ્ચે ઊભો છે. એ Page #367 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 351 પોતાના અધ્યાત્મ–ઉત્તમ જીવન અને શુભકર્મોથી, મનુષ્ય તેમ જ દેવગતિ પામી શકે છે, તો નિકૃષ્ટ જીવન અને અશુભ કર્મોથી તિર્યંચ તથા નકરગતિમાં જઈ શકે છે. ચાર ગતિની પાર પંચમ ગતિ પણ છે. પંચમ ગતિ શુદ્ધભાવે થાય, ધર્મ પસાયે તે સમજાય. પંચમગતિ - યાને આત્મોપલબ્ધિ – સ્વસ્વરૂપની સિદ્ધિને મનુષ્ય શુદ્ધ ધર્મ વડે જ પામી શકે છે. તેથી ધર્મ એ જ તારણહાર છે. તારણહાર ધર્મ એ વસ્તુનો મૂળભૂત સ્વભાવ છે. વન્યુ સહાઓ ધમ્મો." વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે. ધર્મ એ જીવન છે, જીવન એ ધર્મ છે અને આત્મોપલબ્ધિનો એ જ માર્ગ છે. ધર્મ સામે કર્મ છે. કર્મ જડ છે. કર્મ કરનાર ચેતન છે. કર્મ ચેતનના ભાવ અનુસાર બંધાય છે અને ભાવ મનમાં થાય છે. ભાવ તેવા ભવનું નિર્માણ કરનાર માનવ-મન છે. એ મનને મહાન કરવા માટેનાં જે કાર્ય છે, તે ધર્મ છે અને ધર્મકાર્ય માનવ શરીરથી થાય છે. પ્રબળ પુણ્યની અદ્ભુત દેન સમા આ માનવ શરીરમાં ચૈતન્ય (આત્મા)નો વાસ જ અધ્યાત્મનો ઉજાસ છે, ધર્મની સુવાસ છે અને શિવ-સુખનો આવાસ છે. જ્યાં નજર જડ દાગીના પર છે ત્યાં સુધી દર્શન મૂર્ણિત અને મિથ્યાત્વ રહેવાનું પણ દાગીનાની પાર, દષ્ટિ દ્રવ્ય તરફ મંડાશે ત્યારે તે દર્શન સજાગ થવાનું. સમ્યગુ થવાનું. આ સજાગ અને સમ્યગુ દષ્ટિથી અસલ ઓળખાય છે, પરમ પમાય છે. પછી તો જ્યાં જ્યાં નજર જાય, ત્યાં ત્યાં એની જ યાદ વરતાય છે. ફરિયાદ રહેતી નથી. દાગીનામાંથી મુક્તિ મળે છે અને મૂલ્યવાન દ્રવ્ય આપોઆપ પ્રકાશી ઊઠે છે. આ પ્રકાશમાન તત્ત્વ એ જ દેહમાં રહેલું દેવતત્ત્વ છે. એને પ્રકાશિત કરનાર શુભ કે શુદ્ધ ભાવો છે. શુભ ભાવોની ઉત્કૃષ્ટતા ઉજ્જૈનમાં જન્મેલા માણેકશાહ નામના મહાન માનવીમાં કેવી પરિણમી હતી કે જેના પરિણામે માણેકશાહ, માણેકશાહ મટીને માણિભદ્રદેવ બન્યા! અતીતમાં ડોકિયું કરવા જેવું છે.... પ્રાચીન અવંતિનગરીનિવાસી માણેકશાહ લોકપ્રિય અને રાજપ્રિય શાહ સોદાગર હતા. કુળપરંપરાએ તેઓ મૂર્તિપૂજા અને પરમાત્મભક્તિના અનન્ય ઉપાસક હતા. જો કે લોકશાહના થતિઓના પરિચયે કેટલોક સમય મૂર્તિપૂજાદિથી વેગળા બન્યા હતા, પણ તપાગચ્છાધિપતિ આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરિજી મહારાજના સમાગમથી શંકાનું સમાધાન મેળવી પુનઃ મૂર્તિપૂજાદિના દઢ અનુરાગી બન્યા. પુનઃ સમકિતમૂળ બારવ્રત સ્વીકાર્યા. રોજ અષ્ટપ્રકારી પૂજા તથા સુપાત્રની ભક્તિ ખૂબ ઉત્સાહથી કરવા લાગ્યા. પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ ત્યાંથી વિહાર કરતા કરતા ચાતુર્માસ માટે આગ્રા પધાર્યા. તે સમયે વેપાર માટે માણેકશાહનું ત્યાં આવવાનું થયું. લાભનું કારણ જાણી રોકાઈ જતાં ગુરુમુખેથી શ્રી શત્રુંજય તીર્થાધિરાજનું માહાભ્ય સાંભળવા મળ્યું: " શત્રુંજયની યાત્રા છરી પાળતાં જે કરે, ત્યાં જઈને નવાણું યાત્રા કરે, ચૌવિહાર છઠ્ઠ કરી Page #368 -------------------------------------------------------------------------- ________________ 352 સાત યાત્રા કરે તથા રાયણવૃક્ષ નીચે ધ્યાન ધરે અને રાયણમાંથી જો તેના ઉપર દૂધ ઝરે તે મનુષ્યોનો ભવ પરિમિત બને છે. ત્રીજે સાતમે કે આઠમે ભવે તેમની મુક્તિ થઈ જાય છે.” શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનો વિસ્તાર પૂર્વક મહિમાં સાંભળતાં માણેકશાહના હૈયામાં યાત્રાનો ઉત્કટ ભાવ જાગ્યો. મનમાં દૃઢ સંકલ્પ કર્યો," મારે પણ ચૌવિહાર ઉપવાસ, મૌનપણે, અડવાણે પગે છ'રી પાળવાપૂર્વક નવકારમંત્ર અને આદીશ્વર દાદાના સ્મરણ કરતા કરતા શત્રુંજય તીર્થની યાત્રા કરવી. પગે ચાલીને સિધ્ધાચલ જવું." આ દઢ સંકલ્પ અને ઉચ્ચ ભાવના પૂર્ણ કરવા ગુરુના શુભ આશીર્વાદ લીધા. ચાતુર્માસ પૂર્ણ થયે કાર્તિક સુદ પૂનમના દિને માંગલિક સાંભળ્યું. અને મહામંત્ર નવકારનું સ્મરણ કરી માણેકશાહે યાત્રા માટે પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા જિનમંદિરે દેવદર્શન-પૂજન, ગુરુવંદન તથા આવશ્યક ક્રિયાઓ ભાવોલ્લાસપૂર્વક કરતા. હૈયામાં શત્રુંજયનું ધ્યાન ધરતા અને મનમાં નમસ્કારનું રટણ કરતા આગળ વધતા. આજના સંસારી જીવોનું મન મોટા ભાગે ભાવથી રિક્ત, રંક અને રુક્ષ હોય છે. તેને ભાવથી ભરપૂર, સમૃદ્ધ અને સ્નિગ્ધ કરવાની ખૂબ જ જરૂર છે. દુઃખનું કારણ વિષમ ભાવો છે. જો તે સમ થાય તો સર્વ સુખ જ છે. ભવની ભાવઠ ભાંગવા, કષાયોની કાળાશ કાઢવા, આત્માની ઉત્ક્રાન્તિ પામવા, શાશ્વત શાન્તિને આણવા ભાવ એ તો અમૃતરસ છે. માણેકશાહના મનમાં શત્રુંજયની યાત્રા કરવાનો ભાવ જાગ્યો અને ઉત્કૃષ્ટ પુણ્ય ત્યાં જ બંધાઈ ગયું. તેઓ શત્રુંજયની યાત્રા કરવાના ભાવમાં એવા નિગ્મન બન્યા કે વેરણ વગડામાં ડાકુઓ તેમના ઉપર એકદમ તૂટી પડ્યા તોય ભાન ન રહ્યું. ડાકુઓની રાડ પણ કાને ન પડી. કેવું ભાવથી વિભોર મન યાત્રામાં રમતું હશે...! ન તપાગચ્છાધિષ્ઠાયક ડાકુઓ દ્વારા માણેકશાહ હણાયા. તેમના શરીરનાં મસ્તક, પગ અને ધડ જુદાં થઈ ગયાં.... તો પણ જિનશાસનના સાર સમા નવકારમંત્રના મન થતા રટણ અને શત્રુંજય યાત્રાના જીવતા જાગતા ભાવના પ્રભાવે, માણેકશાહ મૃત્યુ પામી ચાસઠ ઇન્દ્રોમાંના, વ્યંતરજાતિના એક ઇન્દ્ર બન્યા. અષ્ટસિદ્ધિ અને નવનિધિના માલિક બન્યા. ચોસઠ જોગણી અને બાવન વીરોના અધિપતિ માણિભદ્ર (મણિ = માણેક જેવા તેજસ્વી અને ભદ્ર = સહુનું કલ્યાણ કરનાર) દેવ બન્યા.... અને દેવ તે કેવા ? શાસન ઉપકારી સમકિત દેવ. ઉત્કૃષ્ટ શુભ ભાવોની અહીં કેવી પરિણતિ બતાવી છે! શ્રી નમસ્કાર મહામંત્રની આવી અસર, શ્રી શત્રુંજય-યાત્રાનું આવું માહાત્મ્ય, તથા ઉચ્ચ ભાવો, દૃઢ સંકલ્પ અને અનેરી શ્રદ્ધાનું આવું ઉત્તમ ફળ ખરેખર આશ્ચર્યજનક છે. કાર્ય તો પૂરું થયું જ નથી. શત્રુંજયની યાત્રા તો થઈ જ નથી; પરંતુ હૈયામાં ચાલી રહેલા યાત્રાના ભાવોના આંદોલનોનું અનુસંધાન કેવું ઉત્તમફળ મેળવી આપે છે ! ૫૨માર્થમાં જીવ જેવો ભાવ ભાવે છે, તે જ પળે તેનું કાર્ય બંધાઈ જાય છે. ભાવ અને કર્મ Page #369 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ નોખાં નથી. કર્મ ભાવથી પ્રભાવિત છે. પછી ભલે તે કર્મ થોડા સમય પછી અમલમાં આવે તો પણ ભાવનું બીજ નંખાતા કર્મનું વૃક્ષ ચોક્કસ ઊગી નીકળે છે. માનવ પર્યાયમાંથી ચૈતન્યને સાંપડેલા દેવપર્યાયમાં, શુભ ભાવોની પરિણિત જ પરિણામ પામેલી છે. એવા માણિભદ્રદેવ ઇન્દ્ર બન્યા છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ કરતાં તે મહાનપુણ્ય ઉપાર્જન કરે છે. કપરા અને કારમા આ કળિકાળમાં એમની સાધના ખૂબ જ ઉત્તમ અને લાભદાયી નીવડે છે. એમની સેવા–ભક્તિ કરનારનાં ધારેલાં સહુ કામ સિદ્ધ થાય છે. વિઘ્નો વિનાશ પામે છે. રોગ– શોક—દુઃખ-દારિદ્ર રહેતાં નથી. ઇચ્છાઓ પૂરી થાય છે. ઉત્કૃષ્ટ શ્રદ્ધાપૂર્વક જાપ કરતાં તેમનો સાક્ષાત્કાર થાય છે. સારાય જગતને સુખ દેવા સદા જાગતા આ સાચા દેવની સેવાથી સર્વ સિદ્ધિ મળે છે. સર્વ ભય ટળે છે, તેઓ સદા સન્મતિ આપે છે. આ સન્મતિ એ જ આત્મોપલબ્ધિનું અમોઘ સાધન છે. આત્મોપલબ્ધિ માટે, તનને તીરથ કરવા, મનને મંદિર કરવા અને આત્માને દેવવીતરાગ કરવા, જોઈતી આવશ્યક અને અનિવાર્ય એવી સન્મતિ માણિભદ્રદાદા પાસે માંગો....અને દાદાના પ્રભાવથી દરેકને સન્મતિ મળો... બસ એ જ એક મંગલમય મનીષા. 353 Page #370 -------------------------------------------------------------------------- ________________ 354 તપાગચ્છાધિષ્ઠાયક UNROUTE Page #371 -------------------------------------------------------------------------- ________________ S છે છે Fews ** 4 જ છે વિભાગ – ૩ ::// જ s મંત્રો સ્તુતિ સ્તોત્રો અને છંદસાહિત્ય શું કાર; * શ્રી માણિભદ્રદેવના મંત્રો, વિધિ અને રહસ્ય, છંદ રચનાઓ, સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય, ચાલીસા અને ભક્તિ ગીતો, આરતી વગેરે * મંત્ર, તંત્ર અને ધ્વનિ : એક વૈજ્ઞાનિક વિશ્લેષણ * શ્રી ક્ષેન્દ્રવીરાર્થનમ્ | * શ્રી માણિભદ્રજીનો મહાન મંત્ર * કલિકાલનું કલ્પવૃક્ષ–શ્રી માણિભદ્રજી * શ્રી માણિભદ્રવીરનું કથાગીત અને ભક્તિ ગીતોનું વૈવિધ્ય * શ્રી માણિભદ્ર યાષ્ટક રાજ TEGજીક M #5 Page #372 -------------------------------------------------------------------------- ________________ 356 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી રિદ્ધિ સિદ્ધિ યંત્ર ૐ હું એ નમ: ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાશ્વ નાથાય નમઃ ૐ ઈ એ નમ: શાંતિ ૐ વર કનક શંખ વિ૬ મ ૐ હ્રીં' એ નમઃ ૐ ભવણ વઈવાણ વ્યંતર શાંતિ મરકત ધન સંમિં વિગત મોહં ૐ જો સવાણી વિમાણ વાસીયા ૐ શાંતિ સપ્તતિ શતં જિનાનામું ૐ હ્રીં શ્રી જે કેવી દુટ. દેવા ૐ શાંતિ સવા મર પૂજિતં વંદે સ્વાહા શ્રી તે સર્વે ઉવસે મંતુ મમ સ્વાહા ૐ શાંતિ ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ว ૐ શાંતિ ૐ શાંતિ શાંતિ ૐ શાંતિ હુશ્રી આદિ નાથાય નમ: શ્રી વિમલ નાથાય નમ: શ્રી અજિત નાથાય નમ: ૐહુશ્રી અનંત નાથાય નમ: ૐશ્રી સંભવ નાથાય નમ: ૐશ્રી ધર્મ નાથાય નમ: હીંÇીંહીં ટ્વશ્રી અભિનંદન નાથાય નમ: ૩ૐહુશ્રી શાંતિ નાથાય નમ: હીંહીં ટ્વશ્રી સુમતિ નાથાય નમ: શ્રી કુંથું નાથાય નમ: ૐહુશ્રી પદ્મપ્રભ નાથાય નમ: ટ્વશ્રી અર નાથાય નમ: હીં હુશ્રી સુપાર્થ નાથાય નમ: શ્રી મલ્લી નાથાય નમ: હુશ્રી ચંદ્રપ્રભ નાથાય નમ: ટ્વશ્રી મુનિસુવ્રત નાથાય નમ: ૐશ્રી સુવિધિ નાથાય નમ: ટ્વશ્રી નમિ નાથાય નમ: હીંહીં ૐશ્રી શીતલ નાથાય નમ: ૐર્વીશ્રી નેમિ નાથાય નમ: ૐર્વીશ્રી શ્રેયાંસ નાથાય નમ: હૂશ્રી પાર્શ્વ નાથાય નમ: શ્રી વાસુપૂજય નાથાય નમ: ૐશ્રી મહાવીર નાથાય નમ: હીં ૨૫૮૦| ક્ષિ | ૧૫T ૫૦] ૨૦| ૪૫ ૫ | ૩ | ૭૫ ક્ષિી ૫ | ૐ સ્વા| હા ૭૦[ ૩૫ સ્વા ૬૦' ૫ પિપ ૧૦| હા| ૫ | ૪ | શ્રી અહે નમ: શ્રી અહં નમઃ ૐ શ્રી અહં નમઃ શ્રી અહં નમ: ૐશ્રી અહં નમઃ શ્રી અર્થે નમ: ક્ષિપ ૐ સ્વાહા શ્રી અહં નમઃ ૩ શ્રી અહં નમઃ હિહહહીં ૐશ્રી અહૈ નમ: શ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રી ૐશ્રી અહં નમઃ ૐૐૐૐૐ | ૭ શ્રી અર્થે નમ: હીંઠ્ઠીં ૐશ્રી અહં નમ: શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી 3 શાંતિ શાંતિ શાંતિ * * * * * શાંતિ શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમસ્તુભ્યમ્ મમ શાંતિ 3 ૐ શ્રી મુનિસુવ્રત સ્વામીનાથાય નમસ્તુભ્યમ્ મમ શાંતિ શાંતિ ૐૐૐ ૐશ્રી રૂષભ સ્વામીનાથાય નમસ્તુભ્યમ્ શાંતિ . શાંતિ હુશ્રી શાંતિનાથાય નમસ્તુમ્યમ્ શાંતિ ૐહુશ્રી નેમના થાય નમસ્તુભ્યમ્ શાંતિ ૐશ્રી પાર્શ્વનાથાય નમસ્તુભ્યમ્ શાંતિ શાંતિ શ્રી મહાવીરના થાય નમસ્તુભ્યમ્ મમ શાંતિ શાંતિ ૐૐૐ શ્રી ચોવીસ તીર્થંકરાય નમસ્તુ મેં મમ શાંતિ ૐૐૐૐ ૐઠુશ્રી ગોયમ સિધમ્સ બદ્ધસ્સ લબ્ધિ અખંડમાન સંકુરૂ સ્વાહા શ્રી ગૌતમ સ્વામી સર્વ લબ્ધિ નિધાનાય નમઃ ૐ શાંતિ ૐ શાંતિ ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા લિપ ૐ સ્વાહા ક્ષિપ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ 5 સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાદ ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૩ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા લિપ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ક્ષિપ ૐ સ્વાહા ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ શાંતિ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ શાંતિ શ્રી આચાર્ય (ભાનુચદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્નના પન્યાસ શ્રી સુબોધાવજય મહારાજ સાહેબના આશિવાદથી આચાર્યશ્રી ભાનુચંદ્રસૂરિશ્વરજી મ. સા. ના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્તિ. ભક્તજનોનાં સૌજન્યથી Page #373 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 357 'શ્રી માણિભદ્રદેવના મંત્રો, વિધિ અને રહસ્ય, છંદરચનાઓ, સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય, આરતી વગેરે માનવસમાજમાં મોટા ભાગના મનુષ્યો સુખની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ ઈચ્છે છે. તે માટે પુરશ્ચરણો, પ્રાયશ્ચિત્તો, મંત્ર, યંત્ર, સાધના, ઉપાસના, સ્તુતિઓ સ્તોત્રો વગેરે ભારે સહાયરૂપ બની રહે છે. પુની પોટિ TU સ્તોત્રમ પુજા કરતાં યે આંતરિક સન્મ સાધનામાં મંત્રજપ અને સ્તુતિસ્તોત્રો વધુ શીઘ્રતાથી અને ઝડપથી પુદ્ગલોનાં ઝાળાં બાળી નાખવામાં સાધકને સહાયતા પહોંચાડે છે. પ્રભાવપૂર્ણ સ્તોત્રમાં તો અચિંત્ય શક્તિઓ ને અખૂટ ભંડાર ભર્યો હોય છે, જેના નિત્ય પઠન-પાઠનથી કર્મક્ષય દ્વારા માનવીને મંગલમય મુક્તિપદ સુધી પહોંચાડે છે. તેમાંએ સાધુ-સાધ્વીઓને માત્ર આત્મકલ્યાણની સાધનાનું જ ધ્યેય અને લક્ષ્ય હોય છે. એ લક્ષ્ય માત્ર મોક્ષ હોય છે. ભાવરત્નો અને માણિયરત્નો સમું આ સ્તોત્રસાહિત્ય આપણી આધ્યાત્મિક ચિંતનધારાનું પ્રધાન અંગ છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ. અત્રે શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની સાધનામાં સહાયક ગુપ્ત અને પ્રગટ મંત્રો, વિધાનો, ઉપાસના, રહસ્યો, સ્તુતિઓ, સ્તોત્રો, ગીતો, છંદો, આરતી વગેરેનું વિશાળ સાહિત્ય પ્રસ્તુત છે. પરંતુ માત્ર વાંચીને અંધાધુંધ ક્રિયાઓ જાતે કરવા ન માંડવી. પૂજ્યપાદ આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીજીઓના પૂરતા માર્ગદર્શન નીચે જ આ સાધનાઓ પૂરતી શરીર-મન-વાણીની અને દેશકાળની શુદ્ધિની તકેદારી લઈ સાધનભજન કરવાં. ઘણીવાર એકાદબે વાર કે દસ વારના અનુષ્ઠાન પછી પણ કાર્યસિદ્ધિ ન મળે તો આપણી કયાક મયાદી રહી ગઈ હશે તેમ માનવું અથવા પૂર્વના અનેક જન્મોના દુષ્ટ અને મલિન ઘાતી કર્મોના અંતરાયો વચ્ચે આવતા હોવાનું માની વધુ તીવ્રતાથી સાધના કરવી. વળી આ માણિભદ્રદાદાની સાધના માત્ર આપણા ટૂંકા ગાળાના સ્વાર્થસાધન માટે ન કરતાં શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે અને શ્રી તીર્થંકર ભગવંતોએ પ્રબોધેલા પ્રશસ્ત સર્વોચ્ચ ધ્યેયને પામવા માટે તેનાં પુરશ્ચરણ કરવાં જોઈએ. -સંપાદક સાધક: પૂ. આચાર્યશ્રી વિજય-આનંદઘનસૂરિજી મહારાજ ॐ असिआउसा नमः । श्री माणिभद्र ! दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिं ॥ આ મંત્રની સાધના રવિ, મંગળ કે ગુરુવાર હોય, એટલે સુદ પક્ષમાં પહેલો રવિ, મંગળ કે ગુરુવાર હોય ત્યારે અથવા સુદ પક્ષની પાંચમ, આઠમ કે ચૌદસ તિથિ હોય ત્યારે આરંભ કરવો. એમ ૨૧ રવિ, મંગળ કે ગુરુવારે અથવા પાંચમ, આઠમ કે ચૌદસે આરંભ કરીને પૂર્ણ કરવા. તે Page #374 -------------------------------------------------------------------------- ________________ 358 તપાગચ્છાધિષ્ઠાયક = = દિવસે ૨૧ માળા ગણવી અને વચ્ચેના દિવસોમાં એક એક માળા ગણવી. તે દિવસે જિનમંદિરમાં સ્નાત્રપૂજા, આંગી આદિ કરવાં. એ પ્રમાણે જાપ અને તપ કરનાર અનેક સંકટોમાંથી બચી જાય છે. રોગ-શોક-દુઃખ અને દારિદ્રય ટળે છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રી માણિભદ્રદેવ નિયમા સમકિતધારી દેવ છે માટે જેને ધર્મનું વિધિયુક્ત પાલન કરનારનાં દુઃખો ટાળવા માટે સંપૂર્ણ રીતે તે સહાયક થાય છે. ॐ ह्रीं श्रीं क्लीं ब्लीं क्रीं श्री माणिभद्रवीराय, चतुर्भुजाय ___ हस्तिवाहनाय, मम कामार्थसिद्धि कुरु कुरु स्वाहा ॥ વિધિઃ અટ્ટમ કે ત્રણ આયંબિલ કરી સાડાબાર હજાર જપ કરવા, એક એક મંત્રે એક એક ફૂલ કરેણનું ચઢાવવું. એમ ૧રા હજાર જાપ કરવા, સવાશેર ઘીની સુખડી ચઢાવવી, ધૂપ-દીપ અખંડ રાખવો. આહ્વાન, ભૂમિશુદ્ધિ, વિસર્જન વગેરે ગુરુમુખે જાણી લેવું. ઈષ્ટદેવ સિદ્ધ થાય. ધારેલું કાર્ય જરૂર સિદ્ધ થાય છે. શ્રી મણિભદ્રવચ્ચ -H: 7: પૂર્તત (ત્રણ વાર બોલીને નીચેના મંત્રનો આરંભ કરવો.) ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय कृष्णरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय नवनाग सहस्रावलाय । । किंनर किंपुरुष गंधर्व यक्ष राक्षस भूत प्रेत पिशाच सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा मां रक्ष रक्ष स्वाहा ॥ વિધિઃ આ મંત્રના ત્રણ દિવસમાં સાડાબાર હજાર જાપ કરવા. આયંબિલ અથવા એકાસણું કરવું. બ્રહ્મચર્ય પાળવું. ગોવૃતનો દીવો અખંડ કરવો, પછી રોજ એક માળા ગણવી અથવા ત્રિકાલ એક એક માળા ગણવી. મંત્ર સિદ્ધ થશે. ગમે તેવા ભૂત-પ્રેત-વળગાડ નાસી જાય છે. ॐ क्लीं क्लीं क्लीं माणिभद्र चेटकाय सर्वसिद्धि कराय मम स्वप्ने अमुकं दर्शय दर्शय स्वाहा ॥ વિધિઃ દર બેસતા મહિનાના ગુરુવારથી જાપ શરૂ કરવા. માણિભદ્ર વીરની છબી સન્મુખ, ઉત્તર દિશા તરફ આપણું મોટું રાખી, છબીની વાસક્ષેપથી તથા અષ્ટપ્રકારની પૂજા કરવી. આંબાના પાટલા ઉપર સાથિયો અને તેના પર શ્રીફળ મૂકવું. લાલ કરેણનાં અથવા લાલ રંગનાં ફૂલ ચઢાવવાં. રોજ રાતના અગિયાર માળા ગણવી. નવ દિવસ સુધી ગણવી ને ફક્ત મગનાં જ નવ આયંબિલ કરવાં. પુરુષના હાથની રસોઈલેવી. જે વસ્તુની માગણી કરવી હોય તે મંત્રાક્ષરમાં (અમુક) શબ્દની જગ્યાએ માગણીના શબ્દો બોલવા. ॐ ह्रीं माणिभद्र चेटकाय रुद्राय मम अंतरात्मने आगंतुक सर्वसृष्टिं दर्शय स्वाहा ।। Page #375 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 359 વિધિઃ રવિવારે કાળું ગજકણ (કાળું કપડું), આંબાનું લગભગ બે ફૂટ લાંબું અને એક ફૂટ પહોળું પાટિયું; એક શ્રીફળ, લાલ કરેણનાં લગભગ રર૫ ફૂલ રોજ લેવાં. આ ફૂલમાંથી ઉપરના મંત્રથી ૧૦૮ ફૂલ મંત્રીને હોમ કરવો. બાકીનાં પૂજામાં વાપરવાં. એક મંત્ર બોલીને એક ફૂલ સ્થાપેલા દેવને ચઢાવતાં જવું. પ્રથમ સ્નાનાદિથી શુદ્ધ થઈ, લાલ વસ્ત્ર પહેરી, માથે પણ લાલ કપડું બાંધવું. લંગોટ પણ લાલ રાખવો. અગરબત્તી પણ લાલ રાખવી. સાથે ગૂગળનો ધૂપ રાખવો, ઘીનો દીવો પણ અખંડ રાખવો. કેરોસીનથી સળગાવેલા કોલસા ધૂપમાં વાપરવા નહીં. હોમ કરવામાં લાકડાં આંબાનાં લેવાં. માણિભદ્રની છબી મૂકવી. કાળા રંગનો કાપડનો પડદો છબીની પાછળ કરવો, બીજું લાલ રંગનું આચ્છાદન બિછાવતાં પહેલાં નીચે જમીન પર બે બાજુ કિંકુના સાથિયા કરવા અને વચ્ચેના ભાગમાં કંકુથી ત્રિકોણાકાર સાથિયો ચીતરવો. અગરબત્તી અને દીવાસ્ટેન્ડ પાસે પણ કંકુથી નાના સાથિયા કરવા. આમ કર્યા પછી આસન પર બેસવું. પછી નીચે પ્રમાણે પૂજા કરવી. આરંભમાં સાધકે હાથમાં લાલ કરેણનું એક ફૂલ લઈ કંકુ તથા ચોખાવાળું કરી ઘીના દીવા ઉપર મૂકવું, પછી દાદાજીને ચઢાવવું. પછી ઉપરનો મંત્ર બોલીને શ્રીફળ ચઢાવવું. આ રીતે એક એક મંત્ર બોલી એક એક ફૂલ દાદાને ચઢાવવું. મંત્રોચ્ચાર સ્પષ્ટ મનમાં થવો જોઈએ અને પછી ૧૦૮ ફૂલનો હોમ એક મંત્ર મનમાં બોલવા પૂર્વક કરવો. આ રીતે જાપ પૂજા અને હોમ થાય એટલે પૂજામાં બેસતાં પહેલાં બનાવી રાખેલી ખીર દેવને ધરાવીને ખાઈ જવી. જેટલી ખાઈ શકાય તેટલી જ બનાવવી. બાકી રાખવી નહીં. સાધનાનો આરંભ કર્યા પછી વચમાં ઊઠવું નહીં. ખીરને એક વાસણમાં દીવા પાસે રાખી મૂકવી. પૂજા–હોમ સવારે થાય પછી રાત્રે એકવીસ માળા દરરોજ ગણવી. એકવીસ દિવસ સુધી એ વિધિ કરવી એટલે વીર સિદ્ધ થશે. ખાસ સૂચના મંત્ર ચાલુ કર્યા પછી ૪-૪ દિવસે સામે બાંધેલા કાળા પડદાના કાપડ પર એકદમ તેજસ્વિત્ ગોલાકારે પ્રકાશ ભૂરા રંગના બિહામણા ઝબકારા દેખાવા લાગશે. કોઈ કોઈ દેખાવો પણ નજરે પડે તે ન સમજાય તેવા હશે. ભયંકર અવાજો પણ થાય, કંઈક ભાષામાં લખેલું હોય તેવું દેખાય. પણ બીવું કે ભયભીત થવું નહિ અને ઊઠવું પણ નહિ. જાણે કંઈ નથી, એમ સમજીને મંત્ર પણ ચાલુ રાખવો. જે થાય છે તે સારા માટે છે એમ સમજવું. નુકસાન કદાપિ થશે નહિ. ર૧ દિવસ જપ પૂજા–હોમ કરવા. મંત્રસિદ્ધિ થયે અલૌકિક મદદ મળે છે. વ્યાપારમાં, કોર્ટમાં તથા દાટેલું ધન દેખાય, ગુમ થયેલું પણ જાણી શકાય. ચોરનો પત્તો, સામી વ્યક્તિના મનના વિચારો જાણવાની શક્તિ વગેરે અનેક સિદ્ધિ એ મંત્રથી મળે છે. આ મંત્ર એક અનુભવી પાસેથી મળેલ છે. ઘણાને અનુભવ થયા છે. ॐ ह्रीं श्रौं माणिभद्राय पूर्णभद्राय द: द: ही सः सः स्वाहा ॥ -आहुतिमंत्र Page #376 -------------------------------------------------------------------------- ________________ 360 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરનું સ્વરૂપ અને તેમના ચમત્કારિક મંત્રો –પ્રા. જે. સી.દેસાઈ શ્રી માણિભદ્રવીરનું સ્વરૂપ શ્રી માણિભદ્રવીરે પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિની સમક્ષ પોતાના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે કર્યું છે – " ઇન્દ્રદેવ થયો છું. મારો શ્યામ વર્ણ છે. અજમુખ (તુદિલ) મનોહર, પ્રિયદર્શન, મનોન્માન સહિત હાથ-પગ, નાક, નખ, જીભ અને હોઠ લાલ રંગના છે. લાલ અને તેજસ્વી મુગટ મેં ધર્યો છે. જાત-જાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ પર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે, અને તેમાં આદીશ્વર ભગવાનનું ચિહ્ન છે, જેથી મારી આંખની સ્થિર દષ્ટિ શ્રી આદીશ્વર ભગવાન ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગલ, અંકુશ અને નાગ ધારણ કર્યા છે. ઐરાવત હાથી મારું વાહન છે અને હું ૬૪ જોગણી અને પર વીરોનો અધિપતિ બન્યો છું. વીસ હજાર સારા સામાનિક દેવતાઓ છે. એ બધી જ રિદ્ધિસિદ્ધિ પૂજ્ય ગુરુમહારાજની કૃપાથી અહિંસા-સંયમતપ-વ્રતના પાલનના અલૌકિક ફલરૂપે છે. અને ગુરુમહારાજની કૃપાથી અવશ્ય મારો મોક્ષ થશે. ગુરુ મહારાજના ઉપકારનું સ્મરણ કરતો હું માણિભદ્રદેવ મગરવાડા ગામની નજીકમાં તેમની સમક્ષ પ્રત્યક્ષ ઊભો છું." શ્રી માણિભદ્રજીના વિવિધ મંત્રો ૧. મોતીઝરા માટેનો મંત્ર – ॐ ऐं ह्रीं श्रीं क्लीं नवपद ही श्री माणिभद्राय नमः ॥ આ મંત્રનો નિરંતર જાપ ૧૦૦૮ કરવાથી તથા % કૌ કન્નૌ માણિભદ્રવ રવીરા | આ મંત્રથી ૧૦૮ વખત પંચામૃતનો હોમ કરવાથી તથા શ્રી માણિભદ્રજીનું યંત્ર (આકૃતિ માટે જુઓ માણિભદ્ર યંત્ર ૧) ગળે બાંધવાથી મોતીઝરો મટી જાય છે. . ૨. માણિભદ્રજીની સાધનાનો મંત્ર : ॐ ह्रीं श्रीं भगवते श्री माणिभद्राय हाँ श्री कण कण क्लीं फण फट फट् स्वाहा ॥ વિધિ – ગુરુવારના દિવસે ભૂમિ પવિત્ર કરી, લાલ વસ્ત્ર, લાલ માલાથી, પૂર્વ દિશા તરફ બેસીને [ ૧૦૦૮] જાપ કરવો. ૧૦૮ વાર પંચામૃત હોમ કરવો. લાલ માળા પ્રવાલની લેવી અને દરરોજ વિજય મુહૂર્ત ગણવી. માલા ૨૧-એકવીસ દિવસ સુધી દરરોજ ગણવી. પછી ૨૧ –એકવીશમા દિવસે પંચામૃત હોમ કરવો. તે હોમ કરતાં મધ્યાહ્ન વખતે શ્વેતરૂપે માણિભદ્ર આવે તે વખતે કહેવું કે "હું માગું તે આપો". તે વાચા આપે જે સિદ્ધ છે. વચનથી Page #377 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 361. બાંધી લઈને પછી મનમાં જે વસ્તુ ધારીએ તે લાવી આપે. સત્યમેવ. હોમ દૂધ, દહીં, ઘી, શ્રીફળ (ટોપરું) તથા મધ-એ પંચામૃતનો કરવો. ૩. શુભાશુભ જાણવાનો મંત્ર : ॐ क्लीं क्लीं क्लीं माणिभद्र चेटकाय सर्वसिद्धिकराय मम स्वप्ने अमुकं दर्शय दर्शय स्वाहा ॥ વિધિ -આંબાનો એક પાટલો સન્મુખ મૂકી, તેના ઉપર ચોખાનો સાથિયો કાઢી, સાથિયા ઉપર શ્રીફલ તથા નૈવેધ મૂકવું. પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા સન્મુખ માણિભદ્રની છબી મૂકી આસન ઉપર બેસી જાપ–રાત્રિના ૯ નવ વાગ્યા પછી અજવાળિયા (શુકલપક્ષ) પખવાડિયાના પહેલા ગુરુવારના દિવસથી શરૂ કરવો. જેમ બને તેમ વધારેમાં વધારે થાય એટલા જાપ કરવા. દરરોજ ૧૧–અગિયાર માળા ગણવી. છ-સાત દિવસ મગનાં આયંબિલ કરવાં, ધૂપ અને દીવો અખંડ ચાલુ રાખવા, લાલ કણેરનું ફૂલ ચઢાવવું. આયંબિલની રસોઈ પુરુષના હાથની બનાવેલી હોવી જોઈએ, એ બાબતનું ખાસ લક્ષ રાખવું. પ્રથમ સવા લાખ-૧૨૫૦૦૦ જાપ કરવા, બધાયે જાપ બનતાં સુધી રાત્રિના કરવા અને ન બની શકે તો દિવસે પણ જાપ ચાલુ રાખવા. ચોથા દિવસે માણિભદ્રજી મનુષ્ય રૂપે આવી પ્રત્યક્ષ દર્શન આપે, જે જોઈએ તે માગ એમ કહે. કામ પડે ત્યારે રાત્રે એક માલા ગણી સૂઈ રહેવું. માલા ગણીને સૂતા પછી બોલવું નહિ. સ્ત્રીનો સંગ તજી દેવો. ૪. શ્રી માણિભદ્રજીનો મંત્ર : ॐ आँ हाँ क्रों क्ष्वीं क्लीं ब्लू द्रां द्रीं ॐ नमो भगवते माणि भद्राय कृष्णरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि यक्षकर्मः स्वाहा ॥ ૫. શાકિની નિગ્રહકરણ મંત્ર : ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय क्रदमरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय नवनागसहस्रबलाय किंनर किंपुरुप गंधर्व यक्षराक्षस भूतप्रेत पिशाच सर्वशाकिनीनां निग्रहं कुरु करु पात्रं रक्ष रक्ष स्वाहा ॥ વિધિ -કાળી ચૌદશના દિવસે આ મંત્ર ૧૦0૮ વાર ગણવો. દીપ, ધૂપ, ફલ વગેરે ત્રીજા મંત્રની વિધિ પ્રમાણે જાણવાં. ૬. ભૂતપ્રેત નિગ્રહ કરણ મંત્ર – ॐ माणिभद्राय कपिलरुद्राय अनंतशाकिनीसर्वाय नवनागसहस्रबलाय किंनर किंपुरुष गंधर्व यक्ष राक्षस भूतप्रेतपिशाच सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु पात्रं रक्ष रक्ष स्वाहा ।। વિધિ :- કાળી ચૌદશના દિવસે ૧૦૦૮ વાર જાપ કરવો. ભૂત-પ્રેતથી ગ્રસિત થયેલ વ્યક્તિને પાણી મંત્રીને પાવાથી અથવા સાત વાર ઝાડો દેવાથી ભૂત, પ્રેતથી ગ્રસિત મુક્ત થઈ જાય છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ 362 તપાગચ્છાધિષ્ઠાયક ૭. શુભાશુભ જાણવાનો મંત્ર : ॐ आँ हौं क्लीं श्रीं श्रीं श्रीं श्रीं ब्लू हाँ ही (द्राँ द्रीं ?) ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय क्रदमरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि चक्षुर्मयाय स्वाहा ॥ વિધિઃ- રાતા સિંદૂરના પૂતળાની સ્થાપના કરવી, રાતી કણેરનાં ફૂલ લાવીને દિન ૧૫ પંદરમાં ૨૭૦૦૦-સત્તાવીશ હજાર જાપ કરવા. લોબાનનો ધૂપ કરવો, ઘીનો દીપક કરવો, રાતી માળાથી ગણવું. લાપશી શેર ૧, ઘૂઘરી શેર ૧, વડાં શેર ૧ી તથા તલવટ શેર ૧ સન્મુખ મૂકવાં. હોમવિધિ - દશાંશ ૨૭૦૦-સત્તાવીસસો આહુતિ દેવી. ગૂગળ ૧, કણેરનાં ફૂલ રઘી–૩ ચોખા ૪ અને ૫ દૂધ આ પંચામૃતનો હોમ કરવાથી દેવ પ્રત્યક્ષ થાય. જાપની શરૂઆત રવિવારના દિવસથી કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું. પછી નિરંતર ૧૦૮–એકસો આઠ વાર આ મંત્ર ગણવો. મનમાં જે વસ્તુનો વિચાર કર્યો હોય તેનો જવાબ સ્વપ્નમાં આપે. ૮. શ્રી માણિભદ્રજીને પ્રત્યક્ષ કરવાનો મંત્ર : ॐ आँ क्रॉ हाँ ही ( द्रां द्रौं ?) क्ष्वी क्ष्वीं क्लीं ब्लूँ एँ हसौं ॐ नमो भगवते श्री माणिभद्र क्षेत्रपालाय कृष्णवर्णाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि વસુયાય : 4: 8: સ્વદા | વિધિ :-આ પ્રમાણેના માણિભદ્ર ક્ષેત્રપાલના મંત્રનો ઓછામાં ઓછો ૧૦૦૦૦-દશ હજાર જાપ કરવો અને દશાંશ હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. એક લાખ જાપ કરવાથી અને તેનો દશાંશ ૧૦૦૦૦-દશ હજાર હોમ કરવાથી શ્રી માણિભદ્ર પ્રત્યક્ષ થાય છે. (" શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ” માંથી સાભાર) શ્રી માણિભદ્ર વીરના આરાધના મંત્રો (પ્રત્યેક મંત્રની પૂર્વે ૧૦ નવકારનું સ્મરણ કરવું) १. ॐ असिआउसा नमः श्री माणिभद्र दिशतु मम सदा सर्वे कार्येषु सिद्धिम् । २. ॐ ह्रीं श्रीं क्लीं ब्लीं क्रौं श्री माणिभद्रवीराय चतुर्भुजाय । हस्तिवाहनाय, मम कामार्थसिद्धिं कुरु कुरु स्वाहा ॥ રૂ. શ્રી મણિભદ્રવ : નતુ ! ४. ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय कृष्णरुपाय चतुर्भुजाय जिनशासन भक्ताय, नवनागसहस्रबलाय, किंनर, किंपुरुष गंधर्व यक्ष, राक्षस, भूत, प्रेत, पिशाच, सर्व शाकिनीनां निग्रह कुरु कुरु स्वाहा मां रक्ष रक्ष स्वाहा । Page #379 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 363 ५. ॐ क्लीं क्लीं क्लीं माणिभद्र चेटकाय सिद्धिकराय मम स्वप्ने अमुकं दर्शय दर्शय स्वाहा ॥ ६. ॐ ह्री माणिभद्र चेटकाय रुद्राय मम अन्तरात्मने आगन्तुकसर्वसृष्टि दर्शय दर्शय स्वाहा । ७: ॐ ह्रीं श्री माणिभद्राय पूर्णभद्राय दः दः ह्रीं सः सः स्वाहा ॥ પૂજાનો મંત્ર ॐ ह्रीं श्रीं क्लीं श्री माणिभद्र वीराय हस्तिवाहनाय, क्षेत्रपालाय विंशतिसहस्रदेवसहिताय सर्व जीवहिताय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं फलं नैवेद्यं यजामहे स्वाहा ॥ આહુતિ–લઘુમ ॐ ह्रीं श्री माणिभद्राय पूर्णभद्राय द: दः हौं सः सः स्वाहा ॥ बडा मंत्र ॐ ह्रीं श्री माणिभद्र इन्द्र ! सर्व मंगल कारक । प्रत्यक्षं दर्शनं देहि, मच्छद्धा प्रीति-भक्तितः ॥१॥ विद्यो देहि धनं देहि पुत्रं च पुत्रिकाम् । कीर्ति देहि यशो देहि, प्रतिष्ठां देहि च श्रियम् ॥२॥ सर्वं मे वांछितं देहि, सुखं शान्तिं प्रदेहि मे । वादे विवादे युद्धे च, जयं मे कुरु सर्वतः ॥३॥ राज्यं च राज्यमानं च, बलं बुद्धिं प्रवर्द्धय । गर्भस्थं बालकं रक्ष, रागोभ्यो रक्ष बालकान् ॥४॥ आधिं व्याधिं विपत्तिं च, महाभीतिं विनाशय । घातकेभ्यस्तु मां रक्ष, दिवा रात्रौ च सर्वदा अपमृत्यु प्रयोगाणां, नाशतो रक्ष मां सदा । दैवीसंकटतो रक्ष, आकस्मिकविपत्तित: ॥६॥ शाकिनी भूत वैतालात्, राक्षसांश्च निवारय । वने रणे गृहे. ग्रामे, रक्ष राज्य-सभादिषु ॥७॥ इष्टसिद्धिं महा सिद्धिं, जय लक्ष्मी विवर्द्धय । तपागच्छ-नायक ॐ ह्रीं श्री माणिभद्र वीरं ॥८॥ नमोऽस्तु ते मम शान्ति, तुष्टि, पुष्टि ऋद्धिं वृद्धिं । सिद्धिं समृद्धिं वश्यं रक्षां च, कुरु कुरु स्वाहा ॥९॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ 364 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીના મંત્રો गजरत्न समारूढस्तपगच्छसुरक्षकः । यक्षेन्द्रमाणिभद्रोऽयं, हन्तु पापमहर्निशम् ॥१॥ नुं ह्रीं श्रीं क्ली महावीर, माणिभद्र महाबल । आधिं व्याधि विपत्तिं च, महाभीति विनाशय ।।२।। यक्षेन्द्रः स्वच्छमूर्त्तिर् जिनपतिचरणासेविनां सिद्धिदाता, आरूढो दिव्यनागं मुनिपतिविमलानन्दसेवाप्रवीणः । क्रॉण्डास्यो दिव्यरूपः सुरमणि-सुरभिकामकुम्भैस्समानः, यक्षः श्री माणिभद्रः प्रविशतु कुशलं सिद्धि-बुद्धि समृद्धिम् ।।३।। (संसन : पू. सा. श्री ५५य॥श्री म. सा.) % श्री माणिभद्रवीर स्तोत्रः । -પૂજ્ય ચતુરસાગરજી મહારાજ माणिभद्रं सुरैः पूज्यं, निर्जरं सौभाग्यदायकम् । भद्र सम्पादकं नित्यं द्रव्यार्थं समुपास्महे ॥ १ ॥ અર્થ– હંમેશાં દેવોથી પૂજા કરાતા, નિર્જરસુખને આપવાવાળા તેમ જ હંમેશાં કલ્યાણ પ્રાપ્ત કરાવનાર શ્રી માણિભદ્રજીનું દ્રવ્યોપાર્જન માટે હું આરાધન કરું છું. स्वर्गाद् भक्तजनं विलोक्य, वरदोऽ भूद्धेमसूरीश्वरम् । धर्मस्यात्यकरोत्प्रचारममलं विश्वे समस्ते तु यः ।। स्वायत्तीकृतवान् गुणोधविभवैर्मोहम्मदीयाधिपान् । तस्य श्री माणिभद्रपादयुगलं ध्याये सुरैरर्चितम् ॥२॥ અર્થ– જે સ્વર્ગમાંથી ભક્તજન શ્રીમાન હેમવિમલસૂરિજીને જોઈને ઇચ્છિત વર આપનાર થયા હતા તથા સંપૂર્ણ જગતમાં ધર્મનો શુદ્ધ પ્રચાર કર્યો હતો, તેમ જ મોહથી ગર્વિષ્ઠ રાજાઓને પોતાના ગુણસમૂહોના વૈભવથી સ્વાધીન કર્યા હતા તે શ્રીમાણિભદ્રવીરના ચરણકમલનું ધ્યાન કરવું જોઈએ. स्वर्गात्तु यं भक्तजनं निरीक्ष्य, वरः प्रदत्तः किल हेमसूरिम् । धर्मोपदेशः भुवने प्रदत्तः तं माणिभद्रं नमामि ॥३॥ અર્થ– જેણે સ્વર્ગમાંથી ભક્તિશ્રેષ્ઠ આચાર્ય શ્રી હેમવિમલ સૂરિજીને જોઈને શ્રેષ્ઠ વરદાન આપ્યું તથા જગતમાં ધર્મનો ઉપદેશ આપ્યો, તે માણિભદ્રને પ્રેમથી સતત હું નમસ્કાર કરું છું. - - Page #381 -------------------------------------------------------------------------- ________________ યારાજશ્રી માણિભદ્રદેવ 365 समागत्य स्वर्गात् त्रिभुवनपतिश्चातशरणो । वरेणोदामेनामृतरसरसितैर्म वचनैः ॥ तुतोषादौ सूरि विमलचरितं हेमविजयं । नमस्तस्मै भक्त्या सुखद माणिभद्राय शिरसा ॥४॥ અર્થ- ત્રિભુવનના સ્વામી, દુઃખી પુરુષોના આશ્રય સમાન શ્રીમાન માણિભદ્રવીર પ્રથમ સ્વર્ગમાંથી આવીને શુદ્ધ ચારિત્રવાન શ્રી હેમવિમલસૂરિને શ્રેષ્ઠ વરદાન સાથે અમૃત સમાન પ્રેમાળ-મીઠા વચનથી સંતોષ આપ્યો, તે સુખદાયક માણિભદ્રવીરને પ્રેમથી હું નમસ્કાર કરું છું. जनित धार्मिक विघ्नघटाशने ! सुरपते ! करुणावरुणालय । हृदयवांछित सिद्धकर प्रभो ! वितर मे माणिभद्र ! शिवं वरम् ॥५॥ અર્થ- પ્રગટ થતા ધર્મના વિદનસમૂહો માટે વજૂ રૂપ દયાસાગરના સ્થાન રૂપ દેવોના અધિપતિ, મનોવાંચ્છિત સિદ્ધિ કરવાવાળા હે પ્રભુ માણિભદ્રવીર! મને શ્રેષ્ઠ સુખ આપો. भूत प्रेतो डाकिनी शाकिनी वा, दुष्टा देवा राक्षसा व्यंतराश्च । नाम्ना यस्याऽऽयान्ति शांतिनितान्तं, तद्देवेशं माणिभद्रं नमामि ॥६॥ અર્થ– જેના નામથી ભૂત, પ્રેત, ડાકિની શાકિની તથા દુષ્ટ દેવો, રાક્ષસો તેમ જ વ્યન્તર દેવો વગેરે સંપૂર્ણ શાન્તિ પામે છે, તે દેવાધીશ શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. ___ तपागच्छ रक्षाकरं जैनधर्मे, नवोज्जीवनस्याभिकर्तारमीशं । प्रभामण्डलोद् भासिवक्त्रं विशालं, दयासागरं माणिभद्रं नमामि ॥७॥ અર્થ-જૈનધર્મને વિષે તપાગચ્છની રક્ષા કરનાર તથા તેનું નવું જીવન કરવાવાળા, વિશાળ તેજોમંડલથી ચળકતા મુખવાળા, દયાસાગર શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. आरोहणैरावणपृष्ठभागे, विराजमानं विधुकान्तिकान्तम् । वरप्रदातारमनन्तवीर्य, श्री माणिभद्रं शिरसा नमामि ॥८॥ અર્થ– ઐરાવણની પીઠ ઉપર બેઠેલા ચન્દ્રના તેજ સમાન સુંદર બહુ પરાક્રમવાળા તેમ જ વરદાન આપવાવાળા શ્રી માણિભદ્રને મસ્તકથી નમસ્કાર કરું છું. श्रद्धास्रोत: स्राविणौ यस्य नित्यं, सेवालग्नौ भैरवौ कृष्णगौरौ । तं विघ्नालिध्वंसकं पूज्यपादं, भक्त्युदेकान्माणिभद्रं नमामि ॥९॥ અર્થ-હંમેશાં શ્રદ્ધારૂપ ઝરણાને શ્રવણ કરનાર બટુક તથા કાળ ભૈરવ સેવામાં લાગેલા છે, તેવા વિદ્ધસમૂહનો નાશ કરવાવાળા પૂજ્યપાદ શ્રી માણિભદ્રવીરને અત્યન્ત પ્રેમ પૂર્વક હું નમસ્કાર કરું છું. Page #382 -------------------------------------------------------------------------- ________________ 366 તપાગચ્છાધિષ્ઠાયક वाराहवक्त्रेण सुशोभमानम्-ऐरावणारूढमनेकशक्तिम् । सर्वेश्वरं भद्रकरं वरेण्यं, श्री माणिभद्रं शिरसा नमामि ॥१०॥ અર્થ– વરાહ જેવા મુખથી શોભતા, ઐરાવણ ઉપર બેઠેલા બહુ શક્તિવાળા શ્રેષ્ઠ, સર્વેશ્વર કલ્યાણકારક શ્રી માણિભદ્રવીરને હું મસ્તકથી નમસ્કાર કરું છું. योगिन्यश्च समे वीराः सेवायां यस्य नित्यशः । विद्यमानास्तथाभूतं माणिभद्रं नमाम्यहम् ॥११॥ અર્થ– જેની સેવામાં હંમેશ યોગિનીઓ તથા વીરો હાજર રહે છે તેવા શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. गुर्जरेऽथ मरौ प्रथमोऽभवत्, सकलमानवपूज्यतरः प्रभुः । रविशशिदिधितिदीप्तिमुखश्च, तं भयहरं माणिभद्रमहं भजे ॥१२॥ અર્થ–સકલ મનુષ્યને પૂજનીય, સૂર્ય-ચંદ્રના તેજ સમાન પ્રકાશયુક્ત મુખવાળા જે ગુજરાત અને મારવાડમાં મુખ્ય થયા, તે ભયહરણ શક્તિવાળા શ્રી માણિભદ્રવીરને હું ભજું છું. त्रैलोक्यकीर्ति सुरवृन्दवन्द्यं, यथेष्टसिद्धिप्रदमीशमाद्यम् । बद्धंजलिर्मक्तियुतौ नितान्तो, भजाम्यहं चेतसि माणिभद्रम् ॥१३॥ અર્થ– ત્રણ લોકમાં જેનો યશ પ્રસિદ્ધ છે, તેમ જ દેવ સમૂહોથી જે વંદન કરાય છે, તે ઇચ્છિત સિદ્ધિ આપનાર શ્રી માણિભદ્રવીરને પ્રેમ પૂર્વક હું બે હાથ જોડીને સેવા કરું છું. सर्वामरैः सिद्धिजयाऽभिलाषैः साध्वर्यते यस्य पदारविन्दम् । तन्देवदेवेशमनन्तभक्त्या नमामि वीरं ननु माणिभद्रम् ॥१४॥ અર્થ–સફળતા અને વિજય ચાહનારા સર્વ દેવલોકોથી જેનું ચરણકમળ સારી રીતે પૂજાય છે, તે દેવોના અધિપતિ શ્રી માણિભદ્રવીરને ભક્તિ પૂર્વક હું નમસ્કાર કરું છું. हिन्दुसिक्खमता मुहम्मदमता वा पारसीयास्तथा । इसाइमतमागताश्च पुरुषास्त्वन्येऽपि वै पन्थिनः ॥ श्रद्धाभावमुपागतास्तु परमं यस्योद्गुणेष्वक्षयं । तं वन्देऽखिललोकमान्यविभवं श्री माणिभद्रं प्रभुम् ॥१५॥ અર્થ– હિન્દુ, શીખ, મુસલમાન, પારસી, ઈસાઈ વિગેરે મતવાળાઓ.તથા તે સિવાય અન્ય મતાનુયાયીઓ જેના શ્રેષ્ઠ ગુણોથી અત્યન્ત શ્રદ્ધાભાવને પ્રાપ્ત થયેલા છે તેમ જ સમગ્ર લોક જેના ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે, તે માણિભદ્રસ્વામીને હું વંદન કરું છું. Page #383 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ यस्य प्रसादाज्जगदीश्वरस्य नित्यं मनोवाञ्छितसिद्धिरस्तु । भवाम्बुधौ मंगलमातनोतु, श्री माणिभद्रः सुखशांतिदाता ॥१६॥ અર્થ જે જગત્સ્વામી શ્રી માણિભદ્રવીરના અનુગ્રહથી હંમેશાં ઇચ્છિત ફળ મનુષ્ય પ્રાપ્ત કરે, તે સુખશાન્તિ આપવાવાળા શ્રી માણિભદ્રવીર સંસારમાં મંગળને વિસ્તારો. 367 वन्ध्यापि या भक्तिमवेत्य सम्यक् ध्यानं करोतीह सुताप्तिहेतुम् । सुतं प्रयच्छत्यतिकान्तियुक्तं, तस्यै दयालुः किल माणिभद्रः ॥ १७॥ અર્થ– ગમે તે સ્ત્રી પ્રેમથી જેને સારી રીતે જાણીને પુત્ર મેળવવાની ઇચ્છાથી આ જગતમાં ધ્યાન કરે છે, તેને દયાળુ શ્રીમાણિભદ્રવીર અત્યન્ત તેજસ્વી પુત્ર આપે છે. गजाश्वसिंहेरतिभीतिभीतः तथा भजद् वृश्चिक सर्पदष्टः । रोगैरनेकैरभिपीडितो वा, मजेत सुखार्थं भुवि माणिभद्रमा ॥ १८ ॥ અર્થ હાથી,ઘોડા અને સિંહ વગેરેથી અત્યંત ભય પામેલા તથા વીંછી, સર્પ વગેરેથી કરડાયેલા, અનેક રોગોથી પીડા પામેલાઓએ હંમેશાં સુખ માટે પૃથ્વીમાં શ્રી માણિભદ્રવીર પ્રભુને જ સેવવા જોઈએ. हे देव मे जन्मगतान्यमुनि, दुःखानि दूरी कुरु सर्वथैव । त्वदीयपादाम्बुजसेवयैव, यास्यामि मोक्षं ननु माणिभद्र ॥ १९॥ અર્થ— હે દેવ ! અમારા જન્મનાં દુ:ખો સર્વ પ્રકારે દૂર કરો. તમારા ચરણકમલની સેવાથી જ ચોક્કસ હું મોક્ષ પામીશ. न मे सखा भूमितलेऽस्ति, कश्चित् त्वत्तः परो मोहविनाशहेतुः । त्यक्त्वा क्व गच्छामि भवन्तमेव, न मे गतिः क्वाऽपि तु माणिभद्र ॥ २० ॥ અર્થ— હે સ્વામિન્ ! શ્રી માણિભદ્રવીર ! આ પૃથ્વી પર મારો કોઈ મિત્ર નથી. તેમ જ મોહનાશ કરવામાં કારણભૂત તમારા સિવાય કોઈ નથી. આપનો ત્યાગ કરીને હું કયાં જાઉં ? મારો કોઈ આશ્રય નથી. सुतार्थी भजेत्पुत्रलाभाय नित्यं, गदार्त्तश्च नैरोग्यमाप्तुं मनुष्यः । मुमुक्षुस्तु मोक्षाय मोक्षैकहेतुंः धनार्थी धनप्राप्तये माणिभद्रम् ॥२१॥ અર્થ– પુત્રની ચાહના કરનારે પુત્ર મેળવવા માટે, રોગથી પીડાતા પુરુષો નીરોગીપણું મેળવવા માટે, મુક્તિના ચાહનારે મોક્ષને માટે તથા ધનની ઇચ્છાવાળાએ ધનપ્રાપ્તિ માટે સ્વામી શ્રી માણિભદ્રવીરને સેવવા જોઈએ. Page #384 -------------------------------------------------------------------------- ________________ 368 તપાગચ્છાધિષ્ઠાયક राज्येऽभिसम्मानकरः कृपालुः कारागृहानबन्धनमुक्तिहेतुः । देवः परो नास्ति वरप्रदाता, श्री माणिभद्रादिह विश्वमध्ये ॥२२॥ અર્થ- આ વિશ્વની અંદર રાજાની સમીપ સારું સન્માન આપનાર, જેલના બંધનમાંથી મુક્તિ અપાવવામાં કારણભૂત, દયાળુ, ઇચ્છિત વરદાન આપવાવાળા શ્રી માણિભદ્રવીર સિવાય બીજા કોઈ દેવ નથી. स्वच्छ प्रभामंडलशोभि, विश्वं विश्वैकनाथं नवमंजुलाभम् । भद्रार्णवं विध्नहरैकहेतुं नमामि देवार्चितमाणिभद्रम् ॥२३॥ અર્થ– સ્વચ્છ તેજોમંડલથી શોભતા વ્યાપક વિશ્વના એક સ્વામી, નવીન મનોહર કાન્તિવાળા, કલ્યાણના સમુદ્ર સમાન વિઘ્ન દૂર કરનારા, અદ્વિતીય કારણભૂત દેવોથી પૂજાયેલા શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. यशोवित्तविद्याप्रदातारमीऽयं, जगदवंदनीयं तपागच्छनार्थम । पवित्रव्रतं सर्वदाऽहं स्मरामि दयाम्भोनिधिं माणिभद्राख्यदेवम् ॥२४॥ અર્થ– યશ વિદ્યા અને દ્રવ્યને આપનારા તપગચ્છના સ્વામી પૂજ્ય જગતુવન્દનીય, પવિત્ર વ્રતવાળા, દયાસાગર શ્રી માણિભદ્રવીર નામના દેવનું હું સ્મરણ કરું છું. लक्ष्मीसागरसूरि पूज्य चरण शिष्यो भवत्तस्य वै । योग्यो भोजनिधिर्गुणी समभवत् विख्यात कीर्तिक्षितौ । तद् वंशे किल कीर्तिसागर इति प्राभृत्तपागच्छकः । लब्धं विश्वतलैर्गुणैर्निजभवैः स्थानं [पाध्यायकम् ॥२५॥ અર્થ – શ્રી લક્ષ્મીસાગરસૂરિના પૂજનીય ચરણના શિષ્ય તથા પૃથ્વીમાં જેની કીર્તિ પ્રસિદ્ધ છે તેવા યોગ્ય ભોજસાગર થયા તેમના વંશમાં વિશ્વપ્રસિદ્ધ પોતાના ગુણોથી ઉપાધ્યાય નામની પદવી જેણે પ્રાપ્ત કરી છે તેવા તપાગચ્છીય શ્રી કીર્તિસાગરસૂરિ થયા. चतुरसागर निर्मितमस्ति यत्-स्तवनमाशुफलप्रदमम्मुतम । प्रतिदिनं यदि भक्तियुतः पठेत् मनसि वांछितमस्तु प्रपूरितम् ॥२६॥ અર્થ- શ્રીમાનું ચતુરસાગરે બનાવેલું આ સ્તોત્ર આશ્ચર્યકારક ફળ જલદીથી આપનાર છે. જે કોઈ માણસ તેનો હંમેશાં પ્રેમથી પાઠ કરે, તો તેને મનોવાંચ્છિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય. शरखगांक निशाकरवत्सरे, चतुरसागर निर्मित संस्तवम् । पठति यः सततं सुपवित्रित: स लभते भुवि वांछितमद्भुतम् ॥२७॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ 19 યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અર્થ- વિક્રમ સંવત ૧૯૯૫ના વૈશાખ સુદિ ૫ ના દિને શ્રીમાન્ ચતુરસાગરે આ સ્તોત્ર બનાવેલ છે. જે માણસ હંમેશાં આ સ્તોત્રનો પાઠ કરે તે પૃથ્વીમાં ઇચ્છિત ફળ મેળવે છે. श्री माणिभद्र यक्षेन्द्र स्तोत्र | -પૂ. પંન્યાસશ્રી મુક્તિવિમલગણિ श्रीमत्तपागण–नभोगणतापनाभैः, श्रीहेमपूर्वविमलाभिधसूरिवर्यैः । ज्ञानांचितैः प्रसमवाप्तमहोदय श्रीः शुद्धः सदा जयति सन्मणिमाणिभद्रः ॥ १ ॥ सद्दक्षयक्षवर निर्जर निर्जरेश भास्वत्प्रताप परिपूरित-दिग्विभागः । सुग्राम- समगर वाटक संस्थितो यः भद्रप्रदो भवतु सन्मणिमाणिभद्रः ॥२॥ श्वास-ज्वर-क्षय-कफोग्र भगंदरार्ति, श्लेष्मातिसार - कुजलोदर - कासमुख्याः । होगा: प्रयांति विलयं स्मरतां जनानां, जीयात्सदा जगति सन्मणिमाणिभद्रः ॥३॥ मतभसिंह मणिराजदवानलोग्र-युद्धांबुनायक महोदर बंधनानां । भीतिर्नवैयदभिधां स्मरतां जनानां भद्रप्रदो भवतु सन्मणिमाणिभद्रः ॥ ४ ॥ प्रपेत भूतकपिशाच कुदृष्टि शाकिन्युद्गाढ- मुद्गल - बलप्रविनाशवीरः । यः क्षेत्रपालमुखगणाधिनाथो, दोषान् विनाशयतु सन्मणिमाणिभद्रः ॥५॥ आनंद लक्ष्मिवर वाणि सुराज्यराजि, वालभ्य भोग महिमादि निधानदायी । संपूर्ण निर्मल यशः सुसमृद्धि वृद्धि-वृन्दं करोतु सततं वरमाणिभद्रः ॥ ६ ॥ सत्कीर्तिवीर सुमहोदय सत्प्रमोद रत्न प्रकाश गुण वर्ग भृतां भवीनां । श्रीमत्ताविमलगच्छ सुसंस्थितानां कुर्याच्छुभं त्रिदश - सन्मणिमाणिभद्र ॥७॥ सद्दान दार्य सुदया सुभगत्वभाजां सन्मुक्ति पूर्विमलमार्ग समुत्सुकानां । श्रीमज्जिनेश्वर सुधर्मपवित्रचित्तः दद्यात्सुखं च सततं हरिमाणिभद्रः ॥८॥ संवच्चन्द्र हंयांक सोमकमिते (१९७१) पौषाहमासे सिते पक्षे सन्नवमीदिने भृगुसुते वारे च तद्ग्रामके । प्राप्याज्ञां स्वगुरोः सुमुक्तिविमलेनाशु प्रक्लृप्तं मुदा, स्तोत्रं मग्गरवाटके विजयतां यावन्मृगांकारुणौ ॥९॥ 369 શ્રી માણિભદ્રજીના સ્તોત્રના ૯ શ્લોકો ॥ १ ॥ ॐ ह्रीँ श्रीँ माणिभद्र इन्द्र ! सर्वमंगलकारकः । प्रत्यक्ष दर्शनं देहि मच्छुद्धा प्रीति-भक्तितः विद्यां देहि धनं देहि पुत्रं च पुत्रिकाम् । कीर्तिं देहि यशो देहि, प्रतिष्ठां देहि च स्त्रियम् ॥२॥ सर्वं मे वाञ्छितं देहि, सुखं शांतिं प्रदेहि मे । वादे विवादे युद्धे च जयं मे कुरु सर्वतः ॥ ३ ॥ राज्यं च राज्यमानं च बलबुद्धिं प्रवर्द्धय । गर्भस्थबालकं रक्ष, रोगेभ्यो रक्ष बालकान् ॥ ८ ॥ Page #386 -------------------------------------------------------------------------- ________________ 370 તપાગચ્છાધિષ્ઠાયક आधिं व्याधिं विपत्तिं च, महाभीतिं विनाशय । घातकेभ्यश्च मां रक्ष, रात्रौ दिवा च सर्वदा ॥५॥ अपमृत्यु प्रयोगाणां, नाशतो रक्ष मे सदा । दैवी संकटतो रक्ष, आकस्मिक विपत्तितः ॥६॥ शाकिनी भूत वैतालान् राक्षसांश्च निवारय । वने रणे गृहे ग्रामे, रक्ष राज्य सभादिषु ॥७॥ इष्ट सिद्धिं महा सिद्धि, जय लक्ष्मी विवर्द्धय । तपागच्छ-नायकं ॐ ह्री श्रौं माणिभद्रवीरं ॥८॥ नमोस्तु ते मम शातिं तुष्टिं पुष्टिं ऋद्धिं वृद्धिं । सिद्धिं समृद्धिं वश्यं रक्षां च, कुरु कुरु स्वाहा ॥९॥ श्री माणिभद्र वीर स्तोत्र ॐ नमामि माणिभद्रं, वंदे वीरं महाबली । विपत्तिकाले मां रक्ष रक्ष मां देव ! माणिभद्रे ॥ ॐ आँ क्रों ही मंत्ररूपे, महाबली रक्षं सदा । मां शरणं शरणं तव, रक्ष मां देव ! माणिभद्रे ।। भ्रां भ्रीं दूँ भ्र: मंत्ररूपे, तव भक्ति प्रभावतः । प्रत्यक्षं दर्शनं देहि, रक्ष मां देव ! माणिभद्रे ॥ धर्मार्थ काम मोक्षच्चैव, कामदातृ सुखसंपदा । महाभीति विनाशय, रक्ष मां देव ! माणिभद्रे ॥ झाँ झौं झू झः मंत्ररूपे, तव शरीरं सुशोभितं । स्त्राँ सः ते तु प्रत्यक्षं, रक्ष मां देव ! माणिभद्रे ।। सुखडी श्रीफलंश्चैव, कामदं मोक्षदं तथा । आधिं व्याधिं विपत्तिं च, रक्ष मां देव ! माणिभद्रे ॥ राजभयं चोरभयं नास्ति, न च सर्पण डस्यते । सर्व मंगलकारक देव, रक्ष मां देव ! माणिभद्रे ॥ (संहसन) यक्षेन्द्रः स्वच्छमूर्तिर्जिनपतिचरणाऽऽसेविनां सिद्धिदाता आरूढो दिव्यनागं मुनिपतिविमलानन्दभक्तः प्रवीणः । क्रोडास्यो दिव्यरूपः सुरमणिसुरभीकल्पकुम्मैः समानः वीरेन्द्रः माणिभद्रः प्रदिशतु कुशलं बुद्धिसिद्धिसमृद्धिम् ।। MCNGIN RAKHAND VWS बिरसा (AVAT Page #387 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 371 मगरवाडा मणिभद्र वीर चालीसा रचयिता प.पू. गच्छाधिपति आ. म. श्री दर्शनसागरसूरीश्वरजी महाराज सा., पू. आ. श्री. नित्योदयसागरसूरीश्वरजी म. सा. के शिष्यरत्न जाप-ध्याननिष्ठ प्रवचनकार __ पू. आ. श्री चंद्राननसागरसूरिजी म. सा.. श्री मणिभद्रवीर मगरवाडा तीर्थ परिचय चालीसा दोहा मंगलमय मणिभद्रजी, मंगल तीर्थ महान् । प्रत्यक्ष दर्शन कीजिये, मगरवाडा शुभस्थान ॥१॥ पंचम आरे प्रगटी जयोति । झलहल-झलहलती इकलौति ॥१॥ नगर उज्जैन जन्म है पाया । माणकशाह नाम दिपाया ॥२॥ जिनप्रिया जननी हुलराया । धारानगरी लगन कराया ॥३॥ रतिप्रिया पत्नी मितभाषी । प्रभुपूजन दर्शन अभिलाषी ॥४॥ गुरुवाणी - आतम अभ्यासी । जाप-ध्यान से हो अविनाशी ॥५॥ शत्रुजय गिरि महिमा सुनाई । गुरुगम से शुद्धभाव जगाई ॥६॥ उलटभाव सिद्धाचल मेटं । अंतर अरि दर्शन करी मेट्र |७|| इसी आश से चले दर्शको । अनहद पाया आप हर्ष को ॥८॥ मगरवाडा जंगल में आए । चोरों ने है घात सजाए ॥९॥ कर प्रहार तन टुकडे काने । शाह भाव अंतर शुभ लीने ॥१०॥ शुभ परिणामे मृत्यु पाये । व्यन्तरेन्द्र छ8 कहलाये ॥११॥ मिथ्यामति भैरव मडकाया । आ कर के उत्पात मचाया ॥१२॥ शांतिसोमसूरि दर्शन दीना । सतरे सौ में स्थापन कीना ॥१३॥ मगरवाडा प्रत्यक्ष है आये । मिथ्या भैरव दूर भगावे ॥१४॥ तपागच्छ का बिरुद धराया । जिनशासन का गौरव गाया। ॥१५॥ नगर उज्जैन शिर पूजीजे । मनहर मालव देश कहीजे ॥१६॥ आगलोड में धड थापी जे । गुर्जरभूमि शान कहिजे ॥१७॥ मगरवाडा में पिन्डी पूजा ।ऐसा देव नहीं कहीं दूजा ॥१८॥ Page #388 -------------------------------------------------------------------------- ________________ 372 તપાગચ્છાધિષ્ઠાયક जाप ध्यानसु झट आ जावे । भक्त भावना इच्छित पावे ॥१९॥ मणिभद्र है वीर प्रभावी । रोग शोक मेटो नित ध्यावी ॥२०॥ श्रद्धा पर्वक फेरो माला । जिनवाणी का पी लो प्याला ॥२१॥ दुनिया में जिसका नहीं कोई । उसका साथी वीर ज होई ॥२२॥ नाभिकमल आवाज उठाई। सच्चे दिल से अरज सुनाई ॥२३॥ जो नर देश विदेश जाता । उन के दिल में मिलती शाता ॥२४॥ लक्ष्मी की लीला लहलाता । उसका रक्षक वीर विधाता ॥२५॥ जहां जाता वहां सुख ही पाता । हरदम मणिभद्र गुण गाता ॥२६॥ भूत प्रेत व्यंतर सब मागे । धर्म ध्यान में सन्मति जागे ॥२७॥ पुत्र सम्बन्धी प्रीति पावे । सेवा भाव सदा उपजावे ॥२८॥ चतुर्विघ श्रीसंघ विख्याता । तपागच्छ का बिरुद धराता ॥२९॥ जिन शासन के हो उजियारा । शासन रक्षक देव हमारा ॥३०॥ दरिद्र दानवता मिट जावे । सुख सौभाग्यता नाम कमावे ॥३१॥ वंध्या पुत्रवती बन जावे । सखियां है हालरियुं गावे ॥३२॥ मणिभद्र महा शक्तिशाली । जाय न इनका दर्शन खाली ॥३३॥ भेटो भाव थकी नरनारी । विपदायें मिट जावे सारी ॥३४॥ प्रातः शाम चालीसा गावो । इह भव-परभव संपत पावो ॥३५॥ मणिभद्र गज की असवारी । सुबह शाम समरो नरनारी ॥३६॥ देव अनुपम समकितधारी । व्यंतर इन्द्र जाऊँ बलिहारी ॥३७॥ मगरवाडा में हरदम रहता । भक्तों को सन्देश सुनाता 1॥३८॥ मणिभद्र सबका रखवाला । अवधिज्ञानी आप निराला ॥३९॥ जो कोई समरे वीर दयाला । सब का काम बनाने वाला . ॥४०॥ (१) दो हजार एकावने, चोमासा गुरु साथ । प्रथम वर्षी दादागुरु, हृदय बसो हे नाथ ? (२) दर्शनसागर गुरुकृपा, नगर खुडाला माय । नित्योदयसागर तणो, चन्द्रानन नित गाय ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ श्री माणिभद्रजीनां भक्तिगीतो प.पू. आचार्यदेव श्रीमद् विजय जगवल्लभसूरीश्वरजी म. सा. श्री माणिभद्र यक्षराजनुं भक्तिगीत ( राग : हे त्रिशलाना जाया.........) माणिभद्र मनोहारी, सुर समुदाय मजारी, माणिभद्रनुं पूजन करतां, समकित तेज अपारी..... माणिभद्र० सूरि-उवज्झाय ने साधु सघळा, समकिती नरनारी, जिनशासन आराधक सौना, सकल समीहितकारी; चऊविह संघ प्रभु वीर केरो, तास उपद्रव हारी... माणिभद्र ॥ १ ॥ यक्षनिकाय शूरा शुभकारी, इंद्र तमे उपकारी; राजेश्वर दिलधारी; वीश सहस सामानिक सुरना, चोसठ जोगणी बावन वीरना, अग्रेसर अधिकारी...... माणिभद्र ॥२॥ श्रद्धा धरी जिनभक्ति करीने, जे करता तुज यारी; जप-पूजा ने ध्यान स्तोत्रथी, तुज सेवन हितकारी; पलक मात्रमा वांछित देती, तुज श्रद्धा भवहारी..... माणिभद्र ||३|| जे वछे ते संपद पामे, तुज योगे नरनारी; आपद टाळी, समकितकारी, रक्षक क्षेमंकारी; भव अटवीमां साथ तमारो, हो अहोनिश गुणकारी...... माणिभद्र ॥ ४ ॥ शुभ गुरुयोगे, पुण्यप्रयोगे, प्रभु प्रतिष्ठाकारी; महोत्सवमांही विघ्नरहितता, मांगे तुज पूजारी; खमजो अम अपराध संघने, सहाय करो सुखकारी...... माणिभद्र ॥ ५ ॥ श्री माणिभद्र यक्षराजनी आरती ( राग : हे शंखेश्वर स्वामी, प्रभु जग अंतरयामी) जय जय निधि.... हे जय माणिक देवा, जय माणिक देवा... हरिहर ब्रह्म पुरंदर (२), करता तुज सेवा... हे जय ॥ १ ॥ तुं विराधिवीर हे देवा, तुं वांछितदाता.... देवा.... तुं वांछितदाता; मातपिता सहोदर तु... (२), स्वामी जगत्राता... हे जय || २ || 373 Page #390 -------------------------------------------------------------------------- ________________ 374 તપાગચ્છાધિષ્ઠાયક % D हरि करि बंधन उदधिमोजा, फणिधर अरि अनला देवा फणिधर अरिअनला; ___ तुज नामे नासे (२), साते भय सबला...हे जय ॥३॥ डाक त्रिशूल ने फूलनी माळा, पाशांकुश छाजे ... देवा ... पाशांकुश छाजे; __ अक कर दानव मस्तक (२), अम षटभुज राजे...हे जय ॥४॥ तुं भैरव छे वळी तुं किन्नर, तु जगमहादीवो.. देवा.. तुं जग महादीवो; काम कल्पतरु धेनु..... (२), तुं प्रभु चिरंजीवो...हे जय ॥५॥ तपागच्छना अधिपति सूरि, ध्यावे तुज ध्यानं...देवा... ध्यावे तुज ध्यानं; माणिभद्र भद्रंकर (२), आशा विसराम ...हे जय ॥६॥ संवत अढारसें ने पांसठ, श्री माधवमासे... देवा... श्री माधवमासे; दीपविजय कविरायनी (२), पूरो सर्व आश ...हे जय ॥७॥ श्री माणिभद्र यक्षराजनुं भक्तिगीत (राग : आंखडी मारी प्रभ हरखाय छे.......) देवता शोध्यो जडे ना आ जगे माणिभद्र तुज भक्ति व्यापी रगे रगे...... संघ उपर आपत्ति आवी जे समे.....; त्यारे ते निज सत्त्वथी टाळी तमे....; ज्योति तारी मुखडा उपर जगमगे ... देवता ..... विचरंता सूरिहेमविमल आवी मळ्या....; त्यारे सन्मुख आवी तमे जळहळ्या ....; वचन दीधुं तें सहायतणुं जीवन लगे... देवता ..... अट्ठमतप आराधी जाप जपो तमे......; द्वादशसार्ध हजारने धर्मलाभो तमे......; तव आशिषे शासन व्याप्यु रगे रगे... देवता ..... तपगच्छमां नव सूरिपद जे पामता; तास मुखेथी आशी सहोनिश कामता; परचा पूरण मूरतने लागुं पगे... देवता ..... संघ चतुर्विध रक्षणकर विघनहरा; माणिभद्र यक्षेश मळो कामितकरा; देजो दर्शन प्रत्यक्षे मुजने प्रगे... देवता .. Page #391 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 375 यक्षराज माणिभद्रजीनी प्रार्थना-गीत ( राग : कोण भरे कोण भरे... कोण भरे......) रक्षा करो..... रक्षा करो..... रक्षा करो रे..... माणिभद्र यक्षराज रक्षा करो रे.....; पाप हरो..... दु:ख हरो..... मोह हरो रे, माणिभद्र यक्षराज रक्षा करो रे श्रद्धा धरीने प्रभु भक्तिमा लागतो, भक्ति करीने शुद्ध समकित हुं मांगतो; समकित आपीने मने सहाय करो रे .... माणिभद्र.... (१) देव अरिहंत भव तारक आराधवा, निग्रंथ गुरु शुद्ध संयम उपासवा; रहेजो हजूर नित्य सहाय परो रे.... माणिभद्र.... (२) यक्षनिकाय सुर इंद्र तुं भलेरो, अकावतारी प्रभुभक्तोमा वडेरो; द्रव्यभाव भक्ति योग विघ्न हरो रे.... माणिभद.... (३) सप्तसूंढ धारी नाग उपर बिराजतो, आयुधयुक्त षड्हस्तरूप धारतो; दुरित निवारी भक्त आश पूरो रे.... माणिभद्र.... (४) वक्त्र वराहनुं धार्यु तमे देवता, भक्तो उपासी तुज आशीर्वाद लेवता; भद्र कल्याण सुखकार खरो रे.... माणिभद्र.... (५) शक्ति अनोखी देव संघ शिरछत्रतु, तारा प्रभावे नूर संघतणु वाधतुं; जागतो तुं जक्षराज ज्योतिधरो रे.... माणिभद्र.... (६) स्तुति तपागच्छना रक्षक तमे छो माणिभद्र सुखरा प्रभुभक्तनी पीडा हरीने सर्वदा जगमितकरा वीश सहस सुरना अधिपति छो, देव अक ज भवधरा आगामी भवमां मोक्षप्रापक आपना शरणा खरा । षडहस्तधारक हस्तिवाहन शूकर मुख धारक तमे जमणे गदा त्रिशूल अने वरदान दायक छो तमे । डाबे बीजोरू डमरू ने वळी नागपाश धरा तमे यक्षेश माणिभद्र आशापूरक सहुना छो तमे। Page #392 -------------------------------------------------------------------------- ________________ 376 શ્રી માણિભદ્રજીની છંદરચનાઓ શ્રી કવિનભાઈ શાહ – બીલીમોરા માનવ જીવનમાં સુખની સાથે દુઃખનો પણ સમન્વય સધાયેલો છે. પૂર્વના પુણ્ય પ્રતાપે વ્યક્તિને ભૌતિક જીવનની સુવિધાઓ મળવા છતાં કંઈક ખૂટતું હોય છે, જીવનની આકાંક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયત્નો થાય છતાં સરિયામ નિષ્ફળતા મળે ત્યારે મોટા ભાગના માણસો દેવ–દેવીઓની ઉપાસના, મંત્રનો જાપ કે નિમિત્ત કહેનારનો આશ્રય લે છે. નિમિત્તક કરતાં પણ પ્રગટ પ્રભાવી દેવ–દેવીઓના ઉપાસકોની સંખ્યા વૃદ્ધિ પામી છે. જેમ જેમ ભૌતિકવાદની પ્રબળતા વધશે તેમ તેમ આવી ઉપાસના અને ધર્મની આરાધનામાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાશે. દેવ–દેવીઓની વાત આવે ત્યાં ચમત્કાર અવશ્ય હોય છે. માણિભદ્રની ઉપાસના પ્રત્યક્ષ અને નજીકના ભવિષ્યમાં મનોવાંછિત પૂર્ણ કરે છે. આજે એમના ભાવિક ભક્તોની સંખ્યા વિશાળ છે. માણિભદ્રના છંદમાં એમનો વિશેષણયુક્ત પરિચય થાય છે. કેટલાંક વિશેષણો નમૂના રૂપે જોઈએ તો ચિંતામણિરતન, ચિત્રાવેલ, મોટો મર્દ, અષ્ટભયનિવારક. એમની ઉપાસનાથી દુઃખ-દારિદ્ર–રોગ નિવારણ-મનોવાંછિત પૂર્ણ થવાં, સૌભાગ્યપ્રાપ્તિ, યશવૃદ્ધિ, વેપારવૃદ્ધિ, વ્યંતર નિકાયના દેવોનો ત્રાસ વગેરેથી મુક્તિ મળે છે ને અંતે જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ઘણાં દેવદેવીઓ છે છતાં માણિભદ્ર સમાન દેવ આ કળિયુગમાં અન્ય કોઈ નથી. કવિના શબ્દોમાં નીચે મુજબ અભિવ્યક્તિ થઈ છે : '' હરિહર દેવ ઘણાઈ હોય કલીમેં તુમ સરીખા નહીં કોઈ " –અડસઠ તીરથની યાત્રા સમાન માણિભદ્રને ભેટવાથી લાભ થાય છે. " કવિએ કળશ—રચનામાં માણિભદ્રના ગુણ ગાયા એમ જણાવવા માટે શબ્દાનુપ્રાસની વિશિષ્ટ રચના દ્વારા માણિભદ્ર પ્રત્યેનો ભક્તિભાવ પ્રગટ થાય છે. તપાગચ્છાધિષ્ઠાયક ગુણ ગાયા ગટ્ટગટ્ટ અન્ન ધન કપડાં આવે, '' ગુણ ગાયા ગટ્ટગટ્ટ પ્રગટ ઘર સંપદા પાવે. " ભક્તજનોની મનોકામના પૂર્ણ કરનાર માણિભદ્રદેવનો સાક્ષાત્કાર થાય છે. આ રીતે ઉપરોક્ત છંદમાં માણિભદ્રનો મહિમા ગાવામાં આવ્યો છે. માણિભદ્રનો વિશેષણયુક્ત પરિચય પ્રભાવ ને ચમત્કારનું નિરૂપણને કરીને તેના પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થયો છે. જનસાધારણમાં આ દેવ પ્રત્યેની ભક્તિનું પ્રમાણ વિશેષ છે. છંદની ભાષા ગુજરાતી છે છતાં હિન્દી શબ્દપ્રયોગો પણ ધ્યાન ખેંચે છે. સીધી સાદી વાણીમાં છંદરચના દ્વારા માણિભદ્રનો મિતાક્ષરી પરિચય કલાત્મક બને છે. છંદ રચનાઓ સમાન સંસ્કૃતમાં સ્તોત્ર સાહિત્ય છે તેમાં પણ પ્રભુની સ્તુતિ, મહિમા ગુણગાનની સાથે એમની ઉપાસના–ભક્તિથી ઐહિક અને પારલૌકિક અંતે મોક્ષસુખ પ્રાપ્ત થાય છે તેવો ઉલ્લેખ થયેલો છે. અજ્ઞાનતાને કારણે ઐહિક ઇચ્છાઓથી ઉપાસના કરીને દશ Page #393 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 377 દાંતને દુર્લભ માનવ વૃથા ગુમાવી દે છે. ગુરુગમથી અજ્ઞાનતા દૂર કરીને ઉપાસનાનો હેતુ સમજવો જોઈએ ને આચરણ કરવું જરૂરી છે. ઐહિક સુખ મળ્યા પછી ધર્મમાં પ્રવૃત્તિ વધારવી જોઈએ તેને બદલે આરાધના વધતી નથી પણ ભૌતિક સુખમાં સમય વ્યતીત થાય છે. એટલે સુજ્ઞ ભવ્યાત્માઓએ ભક્તિ કે ઉપાસનાના ધ્યેયને સમજીને આભાના શાશ્વત સુખ પ્રતિ વિશેષ પ્રવૃત્તિ થાય તે જ ઇષ્ટ છે. શ્રી શિવકીર્તિ મુનિ વિરચિત શ્રી માણિભદ્રજીનો છંદ– ૧ શ્રી માણિભદ્ર સદા સમરો, ઉર બીચમેં ધ્યાન અખંડ ધરો; જપિયાં જયજયકાર કરો ભજિયાં સહુ નિત્ય ભંડાર ભરો –––૧ જે કુશળ કરે નામ જ લિયાં, આનંદ કરે દેવ આશ કિયાં: સૌભાગ્ય વધે જગ સહસ ગુણો, દિલ સેવ્યા કે પ્રભુ જશ ગુણો. --- અરિયણ સહ અળગા ભાગે, વિરુઆ વેરી જન પાય લાગે. સંકટ શોક વિયોગ હરે, ઉણ વેલા આપ સહાય કરે. ભૂત ભયંકર સહુ ભાગે, જક્ષ જોગણ સાયણ નવિ લાગે; વાય ચોરાશી જાય અલગી, લક્ષ્મી સહુ આપ મિલે વેગી. –––૪ ગુલ પાપડિયાં ગુરુવાર દિને, લાપસિયાં લાડુ શુદ્ધ મને; ધૂપ દીપ નૈવેદ્ય ધરો, આઠમ ચૌદસ પૂજા અવશ્ય કરો. –––૫ જેહને દિન પ્રતિ જાપ સદા, તસ સુપનાંતરમેં પ્રત્યક્ષ સદા; જપિયાં સહુ જાયે આપદા, કોઈ મણા ઘરે રહે ન કદા. --- મુહમદ સારુ તમે જશ, ગુણકરિયો જિસાયર સ્યો ગુણતમે ભરિયો; શ્રી દીનાનાથજી દયા કરો, શિર ઉપર હાથ દિયો સખરો. –––૭ ભવિયણ જો ભાવે ભજશે, કારજ સિદ્ધિ આપણી કરશે; પૂજ્યાં પુત્ર વધે ગુણા, કિણી વાતે રહે કદી નહિ ઉણા. ---૮ શ્રી માણિભદ્રજી મનમેં ધ્યાવો, સુખ સંપતિ બહુ વેગે પાવો; લક્ષ્મી કીર્તિ વર આપ લહે, શિવકીર્તિ મુનિ એમ સુજસ કહે. –––૯ શ્રી ઉદયકુશલમુનિ વિરચિત શ્રી માણિભદ્રજીનો છંદ- ૨ સરસ વચન ધો સરસતી, પૂજું ગુરુકે પાય; ગુણ માણિકરા ગાવતાં, સેવકને સુખ થાય. ૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ 378 માણિભદ્ર મેં પામીઓ, સુરતરુ જેહવો સ્વામ; રોગ સોગ દૂરે હરે નમું ચરણ શિર નામ. તું પારસ તું પોરસો, કામકુંભ સુખકાર; સાહિબ વરદાઈ સદા, આતમનો આધાર. તુંહિ જ ચિંતામણિ રતન, ચિત્રાવેલ વિચાર; માંણિક સાહિબ માહરે, દોલતરો દાતાર. દેવ ઘણા દુનિયા નમેં, સૂતાં કરે સનમાન; માણિભદ્ર મોટો મર્દ, દીપેં દીવાન. ૨ ૩ તપાગચ્છાધિષ્ઠાયક ૪ . ૫ અડયલ છંદ દીપંતો જગમાંહે દીસે, પીસુન તણા દલ તુંહી જ પીસે; આઠે ભયથી તુંહી જ ઉગારે, તુંહી નિંદા કરતાં શત્રુ નિવારે અજમુખ દેવ મહા ઉપગારી, ઐરાવણ જિણરી અસવારી; માંણિભદ્ર મોટો મહારાજા, વાજે નિત છત્રીસે વાજાં. હેમવિમલસૂરિ સહાઈ, ક્ષેત્રપાલ જિણૅ કાઢયો જાઈ; ઉણ વેલા માંણિક તું ઊઠ્યો, ભૈરવને ગુરજાસું ફૂટયો માનોજી માંણિક વચન હમારો, થેં છોડો હું ચાકર થાહરો; માંણિભદ્રજી વાચા માની, કાલો ગોરો કીધો કાનિ. પાઠ ભક્ત પણ વાચા પાલી, ચલતી સામગ્રી સહુ વાલી; જાલિમ માંણિક બાંહે ઝાલ્યો, દેશ અઢાર જ દી અાવાલ્યો.-- ૫ કુમતિ રોગ કરે નિકંદન, માંણિભદ્ર તપગચ્છ કેરો મંડણ; ધ્યાન ધરી એક તારું જ્યારે, સઘળાં કારજ માંણિક સારે. બોલ શિરે રાખે દરબારે, વસુધા કારણ અધિકી વધારે; આઠમ ચૌદશ જે આરાધે, સઘળા જાપ દિવાળી સાધે. શ્રીમાંણિભદ્ર પૂજી જે મોટો, તાસ ઘરે કદીયે ન આવે તોટો; ભાવે કરી જે તુજનેં ભેટે, માંણિક તેહનાં દારિદ્ર મેટે. ધન અખૂટ નવનિધિ પાવે, માણિક તતખિણ રોગ ગમાવે; સેવકનેં તું બાંહે સાહેં, મહિમા થાઈ મહિયલ માંહે જો મુજને સેવક કરી જાણો, માંણિભદ્ર મુજ વિનતિ માનો; દિલ ભરી દરિસણ મુજનેં દીજું, કૃપા કરી સેવકને સુખ કીજે. ૧ ર ૪ S ८ ૯ ૧૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 379 દોહરા તું વાસી ગુજરાતનો, નવખંડે તુજ નામ; મગરવાડે મોટો મરદ, કવિયાનાં સારે કામ. --૧ સેવકને તું શીખવે, નાયક નામ નરેશ; જિણવિધ હું પૂજા કરું, હુકમ પ્રમાણ હંમેશ. –-૨ કરો અજાચી કવિયણ, મણિભદ્ર માબાપ; દિલ ભરી દરિશણ દીજીએ, સેવક ટાળ સંતાપ.-- ૩ માંણિભદ્ર મહારાજશું, ઉદો કરે છે અરજ; મૂલમંત્ર મુજને દિયો, રાખો માહરી લાજ. -- ૪ અષલ છંદ વસુધામાં મારી લાજ વધારો, નાત ગોત્રમે કુજશ નિવારો; દુઃખ દારિદ્ર હરીજે દૂરે, પુત્ર તણી વાંછા તું પૂરે. સેનાનીને તું સમજાવે, અવનીપતિ પણ ચરણે આવે; વિઘન અનંતા રાજ નિવારો, માણિભદ્રજી શત્રુ સંહારો. સઘળાં નરનારી વશ થાય, ડાકિણી શાકિણી નાસી જાય; ભૂત પ્રેત તુજ નામે ભાગે, નાહર ચાર કદી નવિ લાગે. મોટા દાનવ રાજ મરોડે તાવ જેહરા તુંહી જ ત્રોડે; હરિહર દેવ ઘણાય હોયે, કલિમેં તુમ સરીખો નહિ કોઈ. –-૪ ભાવે અડસઠ તીરથ ભેટો, ભાવે શ્રી મણિભદ્રજી ભેટો; સુરપતિ માહરી અરજ સુણીને, કૃપા કરી સેવક સુખી કીજે ––૫ ધો વાંછિત માંણિક વરદાઈ, તો સમસ્યા કુમણા નહીં કાંઈ; કવિ કિરન ઐસે તુમ ગાઈ, સેવકને ધો ગરીગટ્ટ સવાઈ. -- ૬ કલશ ગુણ ગાયું ગીગટ્ટ અન્ન ધન કપડાં આવે, ગુણ ગાતાં ગીગટ્ટ ધરે સંપદા પાવે; * ગુણ ગાતાં ગીગટ્ટ રાજ માણિક મોજ દીવરાવે, ગુણ ગાતાં ગીગટ્ટ લોક સહુ પૂજા લાવે. " સુખ કુસલ આસા સફલ ઉદયકુશલ ઈણી પરે કહે; ગુણ મણિકનાં ગાવતાં લાખ લાખ રીઝાં તે લહે Page #396 -------------------------------------------------------------------------- ________________ 380 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી રાજરતન પાઠક વિરચિત શ્રી માંણિભદ્રજીનો છંદ- ૩ સુરપતિ નિત સેવિત શુભ ખાણિ, વિબુધ છંદ વંદિત બ્રહ્માણિ; અધિકાનંદ હૃદયસું આંણિ, પ્રણમિસ હું સારદરૂપ રાણિ. ––૧ વિમલ વચન મુજ ધ વરદાતા, ગુણનિધ ગોરડિયો ગુણ ગાતા; ભૂતલ જનમોહન મુનિ બ્રાતા, ત્રિદુ ભુવન માંહિ ખેતલ વિખ્યાતા--ર મણિભદ્ર મહી મંડન, ખરગધારી ખેલિ ખલ ખંડણ; ગોરડિયો દુરિજન ગંજન, ભગવચ્છલ ભાવિઠ ભય ભંજન. ––૩ દુહા વીર સુણો એક વિનતી, સેવકની સુવિચાર; પરિ પરિ પસુન પરાભવિ, કરો તેહનો નિસ્તાર. અભિમાની અકહ્યાગરા, અપજશ કરા અપત્તઃ કપટી કુડ કુબુદ્ધીયા, નિરદય નિખર નિસત્ય. માણિભદ્ર માતા પિતા, અડવડિયો આધાર; ખેત્રપાલ ધારી ખતરૂં, શત્રુ કરો સંહાર. બાવન વીર માંહી સબલ, જગી જાગતો જસ વાય; પ્રભુ મનવાંછિત પૂરવું, ગુણિયણ જિસ ગુણ ગાય. = = સારસી છંદ, ગુણ ગાઉં ભગતિ એક ચિત્તી ખરીય ખંતિ તાહરા, વીરાધિવીરા ધરણધીરા તુંહી ભૈરવ કિંનરા; તું હી બરડો તુંહી બાબર તુંહી ચોવટી ચાચરા, શ્રી માણિભદ્ર સુભદ્ર જય કર શત્રુ સંહાર માહરા. શ્રી માણિ. –-૧ મહાકાલ તું હી વીર હરસિદ્ધ હરડો તુંહી ખોડીઓ, રંગતિઓ જાંગડ તું હી ચામુંડ માંકડો જંત્રોડીઓ; આગિ આવિં ઠામ ઠામિં પીઠ પરસિદ્ધ તુજ ખરા. શ્રી માણિ. –-૨ શાકિની ડાકિની ભૂત વ્યંતર રાક્ષસી સીકોતરી, તુજ નામિ નાસિ દોષ ત્રાસિ દુષ્ટ ન હોઈ નીરખે ફરી; ચોવટિ ચાચર તુંહી ખેલિં સકિત બેલિ શંકરા. શ્રી માણિ.––૩ તું વિષમ વાટિ ગિરીય ઘાટિ જલધિ જલપુરે વહ્યા, Page #397 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ નડ અનડ સંકટ વિકટ કષ્ટિ આદમી જે સુખ લહી; તુજ નામ જપતાં કુશલખેમેં પ્રેમસ્યું આવી ઘરાં. શ્રી માણિ --૪ ષભુજા ભયહર ખડગ વિષહર પાસ પાણિ પિનાકએ, ખટ્યાંગ શૂલ કપાલમાલા ડમક ડમરૂ ડાકએ; કરડી કરતો ધરણી રમતો વીર દમતો આતુરા. પાય ઘડી ઘુઘર જોગ જટ ધર હાય ખપ્પર વરરે, બ્રહ્માંડ પિંડે પ્રચંડ નવખંડ અવની જોવિ ખગંધર; કૈલાસ શિખરે સમુદ્ર તીરિ દિસો દિસ તું ખેચરા. શ્રી માણિ.-- ૬ જીમૂત નીલ સમાનરૂપ, તવ સરૂપ તાહરો કુણ લહિ, સુર અસુર માનવ દેવ દાણવ આણ તાહરી શિર વહિ; શ્રી માણિ. -- ૫ તું મંત્ર મૂલિ જંત્ર તંત્ર ચંદ્રમા રવિ શુભકરા. શ્રી માણિ. દીવાન તું હી અરજવેગી તુંહી કાજી અદલ્લ તું, તુંહી વક્તા તુંહી મહેતા તુંહી મીરાં પાટીલ તું; તે ભણી તુજને કહું ખેતલ ચિત્તધરી તું સુરવરા શ્રી માણિ.-- ૮ નવરિદ્ધ નિદ્ધ સમૃદ્ધ દાતા જગતિનેતા તું સદા, વાંછિત પૂરણ કષ્ટ ચૂરણ સુકવિ ટાલિ આપદા; તું પિતા માતા તુંહી ત્રાતા નાથ સ્વામી સહોદરા. શ્રી માણિ.-- ૯ ત્રિહું ભુવન હીંડિ યક્ષ કેડિ ફિરિ સેવા સારતા; પારખી સાધુ અસાધુનો તું લહે જગની વારતા; જાગતી મૂતિ ભુવન તાહરી પાય પૂજે સુરનરા. શ્રી માણિ.--- ૧૦ પરગુણ ન બોલે સીસ ડોલે ભૂંડ પરે ભસતાં ભમેં, પરૠદ્ધિ દેખેં દુઃખ અલેખેં સાધુ સજ્જનને દમેં; બરબરેં બોકડ સાધુ બરકે હરામી હરકત કરા. શ્રી માણિ.જે મર્મ બોલા લુબધિ લોલા વિકલ લવતા માનવી, પરિવઘન તોષા તરત રોષા વદે વાણી નવનવી; કલિ કરણ રાતા કપટ માતા કુમતિ દાતા અનુચરા. શ્રી માણિ. વિણ ગુનહ વયરી જન ભંભેરી આભ બોલેં અણછતા, કર ગ્રહીય અસિ અરિચ્છેદ અરિ શિર વારી વયરી વ્યાપતા; ઉપગાર કીધો મન ન જાણે ગર્વ ગુણહીન ગોબરા. શ્રી માણિ. -- ૧૩ ૧૧ ૧૨ 381 Page #398 -------------------------------------------------------------------------- ________________ 382 તપાગચ્છાધિષ્ઠાયક કલસ ખેત્રપાલ ભૂપાલ આપજે માગ્યા મુજને, સમરથ સાહિબ જાણી યાચના કીધી તુજને કર ગ્રહી ત્રિશૂલ કંધ કાપે કટકના, ઋદ્ધિવૃદ્ધિ ઘરે આણી કોડ પૂરે મુજ મનના; મગરવાડા પુર મંડણો, અતુલિ બલ અશરણ શરણ. રજરતન પાઠક ભણે, શ્રી માણિભદ્ર જય જય કરણ. શ્રી શાંતિસૂરિજી વિરચિત શ્રી માણિભદ્રજીનો છંદ– ૪ સરસ્વતિ સામિની પાય પ્રણમેવ, સદગુરુ કેરી સારે સેવ; ગુણ ગાઉં માણિભદ્ર વીર, વીર સર્વમાં સાહસ ધીરે. ઉજેણી નયરી પવિત્ત, તિહાં રાજ્ય કરે વિક્રમાદિત્ય; બાવન વીર રમે તિહાં રાસ, માણિભદ્ર તણો તિહાં વાસ, દત્ય નિવારણ તેં તિહાં કીધાં, ગોરડ્યિો નવ નામ પ્રસિદ્ધાં; માને મહીપતિ મોટા રાજે, સંઘ ચતુર્વિધ આવે સાજે. કલિયુગ માંહે જાગતી પીઠ, માણિભદ્રનું થાનક દીઠં; માલવદેશ માંહે પરસિદ્ધ, ઈત દુકાલ તે દૂરે કીધું, ગાંધાર દેશે પરસિદ્ધ, વલી તેણે થાનકે તીરથ કીધું, તપગચ્છ નાયક વિઘન નિવાર, માણિભદ્ર નામઈ જયકાર, મગરવાડઈ તુમ તીરથ જાત્ર, નાચઈ ખેલા નાચઈ પાત્ર; મલી સુહાસણ ગાઈ ગીત, ઓચ્છવ મોચ્છવ થાઈ નિત. ભેર ભૂગલ શરણાઈ સાર્દ, વાજઈ વાંસનઈ ભેરી નાદ; ઢોલ દદામાં વાજે મૃદંગ, તાલ યંત્ર સારંગી સંગ. વાજે રણસિદ્ધ કરણાર્ટ, માણિભદ્ર થાનકે ગહગારં; ઠામઠામથી આવે સંઘ, ચંદન પુષ્પ ચઢાવે ચંગ. સૂરિમંત્ર તણા ધિર ભાર, આવે તાહરે દરબાર; તેહને આપે બુદ્ધિ પ્રકાશ, ગચ્છનાયક લહી સુખવાસ. ત્રિભુવન માંહે તેજ અપાર, માણિભદ્ર તું વિશ્વાધાર; મહિયલ માંહે મેરુ સમાન, મહા મુનિવર કરે તુમ ધ્યાન તેત્રીશ કોડ દેવા વર દેવું, છપ્પન ક્રોડ કરે તુમ સેવ; --૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 383 ––૧૧ –-૧ર --૧૩ ––૧૪ ––૧૫ --૧૬ –-૧૭ --૧૮ ––૧૯ ભણે ભવાની તુજ ગુણ ગ્રામ, ચોસઠ જોગણી વહે તુજ નામ. જંબૂ ભરત અનોપમ ઠામ, આગલોલ વસે તિહાં ગામ; વસે લોક તિહાં વરણ અઢાર, રાજા સહસમલ સુખકારે. તસ ધરણી વીરબાઈ જિહાં, ચોસઠ કલા શુભલક્ષણ તિહાં તસ કૂખે અવતરિયો હંસ, રામસીંગ દીપાયો વંશ. તિહાં શિખરબંધ ઉંચો પ્રાસાદ, દેવલોકશું માંડે વાદ; સુમતિનાથ તીર્થંકર દેવું, ચોસઠ ઇન્દ્ર કરે જસ સેવ પુર બાહિર એક થાનક સાર, શિખરબંધ તિહાં છત્રાકાર; સત્તર તેત્રીસઈ (૧૭૩૩) મન ઉલ્લાસ, શાંતિસોમ રહ્યા ચોમાસ. નિશદિન મુનિવર કરે શુભ ધ્યાન, કરે તપ પણ નહિ અભિમાન; અચલ અબીલ રહે ઋષિરાજં, સારે પરભવ કેરા કાજે. માણિભદ્ર આરાધન કીધું, એકસો એક દિન પરસિદ્ધ) પરતક્ષ થયો દેવ તતખેવ, ત્રિણવાર કહે સ્વયમેવં. મા... હું તૂઠો આજે, સારું તુજ મનવાંછિત કાજે; કહે મુનિવર સુણ તું ખેત્રપાલ, તપ કરતાં તું કરે સંભાલ. મહિમા વધારે તું ઈણી ઠામ, ષ દરશણ જપે તુજ નામ; મહિમા વધે દેશ વિદેશ, શ્રી શાંતિસૂરિ મુનિ ઉપદેશ. સિદ્ધવડ સરીખો વડ છે જિહાં, માણિભદ્રનું થનક તિહાં; જીવજંતુ ઉગારણ હારં, તિણે થાનક પેલે પાર. આવે સંઘ મલી બહુ સાથે, કરે વિનતી જોડે હાથ; ગુલ પાપડી કરે સુવિચાર, લેવા આવે વર્ણ અઢાર. દીપ ધૂપ પુષ્પાદિક સારું, વધામણાં દીઈ બહુ વારં; તેલ સિંદૂર ચઢાવે ચંગ, કેસર ચંદન રૂડે રંગ. માણિભદ્ર તૂઠો છે દેવ, વંધ્યા સુત આપે તતખેવં; પિગલ પાટુ ટાલે સાથે, ચક્ષુહીનને ચક્ષુ દઈ નાથું. તુજ નામે જઈ વિષ પ્રમેહ, તુજ નામે થાયે નિર્મલ દેહં; વાય ચોરાથી વસમા રોગ, માણિભદ્ર નામે જાયઈ સોગં. કુષ્ટ અઢાર અને સ્વર બાર, તુજ નામે જાયઈ નિરધાર; હોયડા હોડીને કંઠમાલ, અંતરગલ પાઠાં વીસરાલ. વાય વાળો અને વળી સૂલ, વિસ્ફોટક જાય તે મૂલ; વ્યાધિ સંકટ ને સનેપાત તુજ નામઈ નિવારે ઉપઘાત. કામણ ટુંમણ મંત્ર યંત્ર, અક્ષર જોડાવલી તંત્રે; ડાકણી સાકણી ને ભૂતપ્રેત, તુજ નામે જાઈ રણખેત. ગ્રહ પીડા ન કરે તસ દેહ, ધરતી દોષ ટલે તસ ગેહ પૂરવજ થાઈ તે સનસુખ, માણિભદ્ર નામે શિવસુખ. મણિધર ફણિધર જે વિકરાલ, તુજ નામઈ થાઈ ફૂલમાલ; ––૨૦ * -- ––૨૩ --૨૪ ૨૫ -- --૨૭ ---૨૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ 384 તપાગચ્છાધિષ્ઠાયક T --૩૨ --૩૩ --૩૪ વાઘ સિંઘ આવઈ દઈ ફાલ, તુજ નામે નાસે તતકાલ. ભર દરિયામાં નહિ તોફાન, બેડાં તરે માણિભદ્ર ધ્યાન; પર દલ આવ્યા દૂરે પલાઈ, વૈરી કોઈ ન માંડે પાઈ, મારગ ભૂલ્યાં મેલે સાથે, જલમાં બૂડતાં દે તું હાથં; આગ બસંતી થાઈ નીરે, ધ્યાન કરે માણિભદ્ર વીર. બંદીખાનાંથી તે મુકાયે, રાજા તુઠો સનમુખ થાઈ; ધાડ પારધી ને વાલી ચોર, તુજ નામે ન કરે કાંઈ જો. ઘર ઘરણી સુ નિરમલ ચિત્ત, તુજ નામે ઘર પુત્ર વિનીત; ન લોપે કોઈ આણ અખંડ, માણિભદ્ર નામે નહિ દંડે. હય ગય રથ પાયક સુખપાલ, મોટા મંદિર ભરીયા માલ; નવવિધ પરિગ્રહ તણો સંયોગ, માણિભદ્ર નામે સુખ ભોગં. દક્ષિણાવર્તનઈ ચિત્રાવેલ, તુજ નામે આવે રંગરેલ; સોના સિદ્ધિ રૂપા સિદ્ધિ જિહાં, તુમ નામે આવે ઘરે તિહાં. કામકુંભ ચિંતામણિ રત્ન, તુજ નામે ઘર રહે તે યત્ન; તુજ નામે આવે સ્વયમેવ, માણિભદ્ર તૂઠો સુણ દેવં. કાર જપું તુજ નામ, સિઝે તન મનવાંછિત કામ; પવિત્રપણે ધરે તુમ ધ્યાન, તે નર પામે જગ જસ માન. સુરવર માંહી વડો નિમ ઈદ્ર, ગ્રહ ગણમાંહી વડો જિમ ચંદ્ર; બલમાંહે બાહુબલી ધીરં, તિમ વીરાહે માણિભદ્ર વીર. સ્તવના કરે કવીશ્વર કોર્ડ, કરી ન શકે કોઈ તાહરી જોડે; શ્રવણાં સુણતાં બહુ સુખ થાઈ, દુઃખ દારિદ્ર દૂરે જાઈ. માણિભદ્રના ગુણ અપારં, કહે કવિયણ કીમ પામું પારં; તાહરી કીર્તિ જગમાં વ્યાપી, મગરવાડે તુજ થાપના થાપી. કલશ (છપ્પો) માણિભદ્ર સુણ દેવહ સેવમેં તાહરી કીધી, દુઃખ દારિદ્ર જેહ તેહને સીખ જ દીધી; દેવ સર્વે શિરતાજ કાજ મુજ સઘલા સારો, મમ શત્રુ હોય જેહ ઉપજતાં વારો. તપે તારા ગ્રહ ચંદ્ર તપૈ ગિરિ મેરૂ મહીધરા, તિહાં લગે તપો તું વીર જિહાં લગે તપે તેજ દિનકરા; જાગતી જોતિ જગમાં સહિ શ્રી માણિભદ્ર સાચો સદા, શાંતિસૂરિ કહે વીર સુણિ મુજ આપે સુખ સંપદા. --૪૧ [ શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્ર-તંત્ર કલ્પાદિ સંગ્રહ' માંથી સાભાર.] Page #401 -------------------------------------------------------------------------- ________________ 4 યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ભુજંગ છંદને કંઈક મળતી ચાલનો છંદ મગરવાડ મધે વીર બિરાજે. ઉજયેણ આગલોડ અધિક નિવાજે; પ્રતિયસ્થાને અતિ તેજ ફાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. પ્રથમ ઉત્પન્ન માલવ દેશે, તીહાંથી આવ્યા આગ્રા વિશેષે; શ્રી શત્રુંજય વીરતંત શ્રવણ સુખ પાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે વિમલગિરિ મહાત્મ્ય અભિગ્રહ લીધો, મગરવાડ આવી જીહાં વાસ કીધો; ઉત્પન્ન શુભ ભાવે દેવલોક જાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. એકાવતારી તું વીર સાચો, તપગચ્છ મંડળ ઉતરંગ આછો; તાહરું તેજ દેખી વિશશી ચમત્કાર પાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. ૪ સંસાર રૂપી તું હેતુ સદાઈ, રાખો ભેખકી ટેક સદા વધાઈ; એ અરજ માનો કરું ભક્તિ ભાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. બાવન વીરા સેવા કરે તાહરી, કૈઈ દેવદેવી રમે પાયછાં હરી; તેજ રૂપ જોતાં અદ્ભુત કહાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. મહીપતિ તું છે વડવીર મોટો, તાહરું ધ્યાન ધરતાં ન રહે કોઈ ટોટો; જયો જયો વી૨ રોગ સોગ વિઘ્ન મિટાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. અધર્મી દુષ્ટી મિથ્યાત્વી પાપી, તેહ તણાં નાખજે તું મૂળ કાપી; માણિભદ્ર પૂજ્યા શત્રુ મુખ શ્યામ થાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. તુમ તણો દાસ દોલત કહે વિનંતી, માનજો પ્રેમસું બાવજી એ કિંમતી; નમો નમો વી૨ કાર્યસિદ્ધિ ચઢાવે, ભજો શ્રી માણિભદ્ર અધિક પ્રભાવે. શ્રી માણિભદ્રદેવની થોય · શ્રી માણિભદ્રદેવ– જિનશાસન રક્ષક દેવ છે. જાગતા દેવ છે. → તેમની સામે રોજ ૧ નવકારનો કાઉસ્સગ્ગ કરી, તેમની થોય બોલવી જોઈએ. · કાઉસ્સગ્ગની વિધિ :– [ ખમાસમણું દીધા વગર, ઊભા ઊભા બોલવું ] વૈયાવચ્ચગરાણું, સતિગરાણં, સમદિટ્ટિસમાહિગરાણ, કરેમિ કાઉસ્સગ્ગ.... અન્નત્ય ઉસસિએણં, નિસસિએણ.. ખાસિએણં.. [સંપૂર્ણ અન્નત્થ બોલી– ૧ નવકારનો કાઉસ્સગ્ગ ] [ કાઉસ્સગ્ગ પારીને –] નમો અરિહંતાણં, નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ પછી– થોય બોલવી ૧ ૨ ૫ $ ૭ ८ 2 ૯ 385 Page #402 -------------------------------------------------------------------------- ________________ 386 તપાગચ્છાધિષ્ઠાયક કડ કડડભૂસ કડકડાટ કરી, ભડવીર ભયરવ ચૂરતો, ધમ ધમ અવાજે ગાજતો, જિનભક્ત પડચા પૂરતો, ચારિત્ર દર્શન વિજ્ઞ ભંજન, ધર્મરક્ષા તત્પરો, માણિભદ્રજી કલ્યાણમાળા, સંઘને કંઠે ઠવો----- (પૂર્ણ) * શ્રી માણિભદ્રદેવનો જાપ –[ રોજ ૧ માળા] 3 અસિઆઉસા નમ: શ્રી માણિભદ્ર દિશતુ સંઘસ્ય સર્વકાર્યેષુ સિદ્ધિ. શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજની સ્તુતિ ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે, તે વિનો સઘળાં વિનાશ કરવા, છો શક્તિશાળી તમે; સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી, એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદું ઘણા ભાવથી. ૧ દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા, સેવાના કરનારના પલકમાં કષ્ટો બધાં કાપતા; સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ, એવા શ્રી માણિભદ્ર દેવ, નમતાં આનંદ થાયે અતિ. ૨ શ્રી લાલકુશલ રચિત શ્રી માણિભદ્ર છંદ દોહા સરસ્વતી ભગવતી ભારતી, સુમતિ સુગતિ દાતાર; મુજ મુખ મંદિર ઉરમેં, સમય સુધી આધાર. ૧ ગંગા ગંગે અતિ ગુણે, કમલાકર કમલેણ; જહ તહ તુહ મુખ સોહિયે, સમય અભિય અમિએણ ૨ કછીપી કરકમલે કરે, ચરણે રણ જયકાર; માણિભદ્ર ગુણ ગાવવા, જનીની કરું જુહાર. ૩ ત્રિતાલ ચોપાઈ શારદ શારદ શુભ મતિ દેવી, કવિ કુલ કોટિ તું મન ધરેવી; સમય સમય પ્રત્યે સાકરેવી, ગોરા ગુણ ગાઉ સમરેવી ૧ માણિભદ્ર વર ભદ્ર વિધાતા વરદાયક વસધા વિખ્યાતા; Page #403 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 387 વાર વાર વીરા વીનવીએ, સંપત્તિ કારણ ટૂંક વિસ્તરિયે ૨ તુજ તનુ તેમ દિવાકર દીપે, મહિયેલ મહિમા તુજ નવિ છીપે; ત્રિભુવન રાજા તું જગરાજે, ગોરા ગુણ ગરૂઆ જગ ગાજે. ૩ ચાહ કરી ચાહું તુજ સેવા, દયાવંત દીપક તું દેવા; સમય સુધારસ ઝીલણહારા, ધીંગાણ ધુંબડ તુજ પરિવારા. ૪ ભયંકર ભૂતલ ભૂત નસાડે, શાકણી ડાકણી ફંદે પાડે, રંગે રામા રાસ રમાડે, ગ્રહગણ તારા કોડી ભાડે. ૫ હાટકી છંદ (આત્મભકિત મળ્યા કૈઈ દેવા) : તું આપે વ્યાપે, દુમતિ કાપે, સંતોષે રિપુ વૃંદ; સહિ સેવા રસિયા, નિકટા વસિયા હરી હરચંદ અમંદ; તુજ તેજ હસિયો, વ્યોમે વસિયો, દિનકર રહે શંકત, ગુણવંત અનંતા, હાસ હસતા વિલંતા ઉલ્લસંત. ૧ મયગલ મતવલા તરલ તુખારા રહે રાજંત, મલપતી ધરણી, પતિ મન હરણી, ચંપક વરણી કંત, તુમ નામે પામી, ભૂપ ભલેરા, શિરનામે ઉલસંત, સુવિનીતા યુતા, વિબુધ વંદિતા, વંછિતા બલવંત. ૨ છંદ ચાલ (ચઉમાસી પારણું આવે એ રાહ ) ઘમઘમ ઘમકે ઘૂઘરમાલા, ચંચલ, ચપલ ચલાવે ચાણા કરિ શરમે કરવાલ કરાલા, વયદી હણવા તું વિકરાલા. - ૧ સજ્જન જયકર જય સુકમાળા, તનું તેજે કરી ઝાકઝમાળા; કટિ કંદોરા સોવનીઆળા નયન કમળ દળ અતિ અણિયાળા. ૨ હાર હિસહી સેહે જાળા, કરુણાવંત દયાળ મયાળા, સૂર તેત્રીસ કોટિ સિંગાલા, તું સિરદાર તિહાં ભૂપાલા. ૩ કંઠ ઠવે મણિ મોતીમાળા, મદ તંબોલ ભર્યા ગલગાલા; મદભરી હાલે ર્યું મતવાલે, ઠમકાવે પગ પાયડીઆળા. ૪ પય પરઠે પદમાસનવાળા ઘૂમત ધૂમ ઘુમતિયાળા, ના મનમોહન મોહનીઆળા, જાપ જપે ઝાલી જપમાળા. ૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ 388 કામિની મોહન છંદ ભવ્ય દેવાણમધિ મિોહ જોહએ, જેહને નમે ઘર સરગ વિદોહએ જાસ જસ જગતજન જાતિ બોહએ, માણિભદ્રો ઈસો ઇસમેં સોહએ. રૂડીલા છંદ રાજે રાજેરે રસાલ, મુદ મદન વિલાસ, કરો કરુણા રસાલ સતત સહી. દુહ કરો અનિવાર, વર વચન વિચાર, સમય સમય સંભાર, હિયે નિશ્ચય લહી. પુત્ર કલત્ર અપાર, જય સેવક સાધાર, દિયો દોલત દુઆર, હિએ હેજ ધરી. મહિમંડલ મંડન, ખધ ખલક ખંડન, ભૂત ભૈરવ ભંડલ, સહી સુમય વી. અડિયલ છંદ વાદવિવાદે જે જન ધ્યાદે, સોં નર બહુ પરે સંપદ પાવે, નિર્મળ નામ તુમારુ જપિયે અશુભ કર્મ મતિ તત્ક્ષણ પિયે. ૧ હાટકી છંદ ( આતમ ભક્તિ મળ્યા કૈઈ દેવા—એ રાહ ) તપાગચ્છાધિષ્ઠાયક તું રાચે નાચે, બહુપરે માર્ચ, તુજ જાચક, વિવિધા યુદ્ધવંતા, વાસ વસંતા, ઝળકે જિસ પાવક. દરબારે વસિયે, તોરે સિયે, ઘસી ચંદન રંગ, લેઈ ફૂલ અમૂલા, સોળા પીળા ચરચી જે તુજ અંગ. Page #405 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 389 અડિયલ છંદ (ત્રીતાલ ચોપાઈ રાહ) સાહિત તું હિ સદા સુખકાર, મયા કર તુંહિ પિતા પતિ તાર, શિવંકર તુંહિ સદા આધાર, પ્રણમું એમ હું વારંવાર. ૧ છપ્પય છંદ માણિભદ્ર, સુખકરણ, સયલ સંસાર વંદિતો, દોલત દિયે દયાલ દૈત્યપતિ જેણે જીત્યો. જયકારક જયવંત, જગત પતિપાતક નાસે, તનુ તેજે જલકંત; સતત સંતતિ સુવિલ સે. જક્ષરાજ નરરાજ, નનય નિપૂણનિ સુણો સહી, ગુણગણ ગુણતા ગોરિયાં, લાલ કુશલ લક્ષ્મી લહી. લાવણી માણિભદ્રજી મગરવાડ મેં સબ મુલકાં ચાવા (૨) વિશ્વ લોકમેં હે ઉપગારી મુનિજન રાજકું મન ભાવા. , મા. ઉલટ ભાવસે વંદે તુમકુ, વીરા સાહેબ સુખકાશ્રી (૨) ભુવનપતિમાં દીપે કાન્તિ, રવિ કિરણસે મનોહારી. મા. ૨ ઐરાવણપેરે વારી ચઢત હૈ, ચોસઠ યોગિણી નાચ નચે દામની ચક્કત તેજે ઝળહળમાં માંહોમાંહે મચમચે. મા. ૩ પગમેં ઝાંઝર રવ રવ ઠમકે, ઘૂઘર ઘમકે ઘપક ધમે, ભામન લેતી નૃત્ય કરતી, વીરા તુમકે ચરણ નમે. મા. ૪ બાવન વીરા રખી ધીરા, ખ્યાલ ખેલત હૈ સહી આગે, ડમરૂ બાજા ડમકત ડમડમ, દુઃખ દારિદ્ર દૂર ભાગે. મા. ૫ અનેક દેવા કરે તોરી સેવા, તપગચ્છમેં તુમ્હીં બડા, આચારજ આવે શ્રીફળ લાવે, તુમચે ભેટણ હોત ખડા. મા. ૬ વળી તુમકી રંભા બજાવત ખંભા લલક હલક લેરાં ચતી, ઘપપપ માદળ તનનન બોલે, વીણા રણકાવી સુખ દેતી. મા. ૭ સમકિત બેલી મોહનવેલી, અજમુખ દેવકે પાસ ખડી, નાટક કરતી દુશ્મન હરતી, કરમેં ખલકે કંદ્રરડી. મા. ૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ 390 તપાગચ્છાધિષ્ઠાયક માણિક મતવાળા છેલ છોગાળા, ભીમ ભૂજાળા ભય હરતા; દાસ હું હતો ભરપૂર કરતે, લીલા લછી ઘર ભરતા. મા. ૯ ધૂપદીપ પુષ્પાદિપ પૂજા, દિન દિન કરતે દોલત રુચિ; ગાદિ મર્દ દિંદા સમે પાઉં, તો મેરા દિલમેં ખુશી ખુશી. મા. ૧૦ (રાગ-ઓ સમતા ધરનારા) ઓ... માણિભદ્ર મહારાજા! તારે મંદિરે વાગે વાજાં નિત મંદિરે વાગે વાજાં, લોક દરશન આવે ઝાઝાં. ટેક ઘડી ઘડી ઘડીઆળો બાજે, ધણણણ ડંકા બાજે, સાંજ સવારે ચોઘડિયાં વાગે, ધનનન ડંકા બાજે, ઓ અગલોડમાં વસનારા, તારે મંદિરે વાંગે વાજાં . ૧ દૂર દૂરથી આવે ભક્તો, ન તારાં કરવા, હર્ષ ધરી લાવે સુખડીઆ, માઈત તુજને ધરવા. ઓ... પ્રેમ પ્રસાદ લેનારા-તારે .૨ યોગી રે આવે ભોગી રે આવે, આવે રાજા રંક; દુખિયાં આવે, સુખિયારે આવે પાવે સુખ નિઃશંક. ઓ... કરુણાના કરનાર–તારે ...૩ આગલોડ ઉજ્જૈન મગરવાડમાં, ત્રણ ત્રણ તારાં ધામ, પડછા પૂરિયાં સેવક જનતા, રાખ્યું નવખંડ નામ. ઓ.. જિનશાસન રખવાળા-તારે.. ૪ ડાકિની શાકિણી સામું ના જોતી, ભૂતડાં દૂર દૂર ભાગે, અહનિશ તારું સમરણ કરતાં, સૂતાં કિસ્મત જાગે, . ઓ.... આશાના પૂરનારા-તારે . ૫ રિદ્ધિ ના માગું સિદ્ધિ ના માગું, ન માંગુ મીઠાઈ મેવા, અમન ચમનમાં રાખી મુજને, દરશન દેજો દેવા. ઓ.... જયમંગલ કરનારા – તારે ....૬ F F G F ; Page #407 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 391 (રાગ- હું નટવો થઈને નાટક એવાં) હે.. બાવન વીરમાં બહુ બળવંતા, વીર વસે આગલોડમાં હે... આગલોડમાં મગરવાડ સ્થાને વીર વસે આગલોડમાં–ટેક. સાબરકાંઠે શોભતું આગલોડ મોટું ગામ દૂર દૂર ઊંચા ડુંગરે, માણિભદ્રનું ધામ. વીર વસે આગલોડમાં –- ૧ સાખી ચમત્કાર તુજ જોઈને, આવે નર ને નાર, ભાવ ધરી ભક્તિ કરે, તો થાયે બેડો પાર. એવો દેવ દીઠો દુનિયામાં સાચો, વીર વસે આગલોડમાં –- ૨ ઊંચાં ને અલબેલડાં, મંદિર બે સોહાય, સુમતિ પાસરનાથને, નિત નિત લાગું પાય. ત્યાં-કલ્યાણ ગોડી-ચિંતામણિ પાર્શ્વ વસે આગલોડમાં ––૩ ભોજનશાળા ચાલતી ધર્મશાળાની પાસ, વહીવટ સંઘ મળી કરે, સગવડ મળતી ખાસ. આવો દરશન કરવા દોડી દોડી, વીર વસે આગલોડમાં –– ૪ યોગાશ્રમ આનંદનું તપ જપ કેરું સ્થાન, મંગળ પૂજા આરતી, કરી ધરીએ રૂડું ધ્યાન. વીર વસે આગલોડમાં –- ૫ શ્રી માણિભદ્રવીરની આરતી (રાગ : જય જય આરતી આદિ જિર્ણોદા.) જય જય આરતી માણિભદ્ર ઈદ્રા, બાવન વીર શિર મુગટ જડીંદ્રા. તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા, અતિય વિઘન દુઃખ હરો વિધાતા, - તુમ સેવકનાં સંકટ ચૂરો, મનવાંચ્છિત સુખસંપદા પૂરો. ખગ ત્રિશૂલ ડમરૂ ગાજે, મુગલ અંકુશ નાગ બિરાજે. ષટ્ ભુજા ગજ વાહન સુંદર, લોઠી પોશાળ સંઘ વૃદ્ધિ પુરંદર, વિનવે શ્રી આણંદસોમસૂરિ ધીર, આશા પૂરો મગરવાડીઆ વીર; આશા પૂરો ઉજ્જયનીઆ વીર આશા પૂરો આગલોડીઆ વીર. આરતી (જયો જયો મા જગદંબે-એ રાગ) જય જય નિધિ, જય માણિક દેવા, જય માણિક દેવા, હરિહર બ્રહ્મ પુરંદર, કરતા તુજ સેવા, જયદેવ જયદેવ. ૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ 392 તપાગચ્છાધિષ્ઠાયક તું વીરાધિવીરા, તું વંછિત દાતા, તું વંછિત દાતા. માતાપિતા સહોદર સ્વામિ, છો પ્રભુ જગત્રાતા. જયદેવ જયદેવ. ૨ હિર કરી બંધન ઉદધિ, ફણિધર અરિઅનલા, ફણિધર અરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબાળા. જયદેવ જયદેવ. ૩ ડાક ત્રિશૂળ ફૂલમાલા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાણંવ મસ્તક, એમ ષટ ભુજરાજે. જયદેવ જયદેવ. તું ભૈરવ તું કિંનર, તું જગ મહા દીવો તું જગ મહા દીવો, કામ કલ્પતરુ ધનુ, તું પ્રભુ ચિરંજીવો. જયદેવ જયદેવ. તપગચ્છપતિ સૂરિ ધ્યાવે તુજ ધ્યાનં ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ, જયદેવ જયદેવ. સંવત અઠારસે પાંસઠ, શ્રી માધવ માસ શ્રી માધવ માસ. દીપ વિજય કવિરાયની, પૂરો સર્વ આશ. જયદેવ જયદેવ. આરતી રૂમઝૂમ રૂમઝૂમ કરું આરતી માણિભદ્ર સાહેબ તોરી, સબલ વિધનકા નાશ કરી, ઇચ્છા પૂરી સાહેબ તું મેરી. મસ્તક તુમારે મુગટ બિરાજે, કુંડલકી શોભા ભારી, પાય ઘુંઘરૂ રૂમઝૂમ બાજે, જિનમંદિર શોભા ભારી. પહેલે હાથમેં ગદા બિરાજે, દૂસરે હાથ ડમરૂ, તીસરે હાથ ત્રિશૂળ બિરાજે, ચોથે હાથ ઘુંઘરૂ. ખીચડી ભાત ને રોટી લાપસી પૂરણ કી પોળી, અમૃત સાથ લેઉ મીસરી, ખીર ખાંડ ને ઘણથોલી. ખાજાં, લાડુ, દહીંવડાં ને પાપડ ને પુડી, ઘેબર માગે સેવ સવાલાં, બદામ પિસ્તાં ચારોળી. શ્યામ સુંદર યું કર બોલે, સુણો માણિભદ્ર સ્વામી, તુમારે ચરણ કી સેવા શોભે હો મુજને સારે નમી. આરતી ૪ ૫ S જય જય જય મહાવીર જય માણિભદ્રદેવા, સુરવર, નરવર, કિન્નર કરતા તુજ સેવા. જય જય જય દેવા. ૧ ત્રણ ભુવનના ભૂષણ તમને પૂજે સૌ લરનાર, શ્રદ્ધાથી જે સમરે, તેનાં દુઃખ હરનાર.... જય જય જય દેવા. ૨ ભૂત પ્રેતાદિ દેવા તુમ નામે ભાગે ભય પામી, સપ્ત મહાભય નાવે, વંદું શિર નામી... જય જય જય દેવા. ૩ છ Page #409 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 393 જિન શાસનના રક્ષક દવા છો એકાવતારી, સમકિત આપો અમને, છો આનન્દકારી. જય જય જય દેવા. ૪ શ્યામ સુવર્ણ ને રક્ત વરણ છો ચાર ભુજા સારી, ગદા અંકુશને ડમરૂ, મુદ્રા અભય ભારી... જય જય જય દેવા. ૫ જૈન ધર્મ ધોરી ગુરુવર, જિતેન્દ્રસૂરિ રાજે, પદ્મસૂરિ તસ શિષ્ય અમૃત ગુણ ગાજે.. જય જય જયદેવા. ૬ | શ્રી માણિભદ્ર દેવેન્દ્ર લઘુ માધ્યમ તથા બહન મહાપૂજન વિધિમાંથી સાભાર) શ્રી માણિભદ્ર દાદાની આરતી પરમ પૂજ્ય સૂર્યોદયસૂરીશ્વરજી... મ.સા.ના શિષ્ય આચાર્ય વિજયભદ્રસેન સૂરિ મ. [ રાગ : હે શંખેશ્વર સ્વામિ.] ઓ માણિભદ્ર દાદા ઓં માણિભદ્ર દાદા. સુખ સમાધિ આપો (૨) તપગચ્છના ત્રાતા, ઓં માણિભદ્ર.// ૧ / હૂિ માણિભદ્ર દાદાને પ્રણમું. દિન દિન શત શતવાર. આનંદ મંગલકારી (૨) ધો દરિશન સુખકાર, ઓં. / ૨ // શ્રી માણિભદ્રની સેવા સારો, મન-વચ-કાય ઉદાર, રિદ્ધિ-સિદ્ધિને આપે (૨) લીલા અપરંપાર, ઓં. | ૩ ||. માણિભદ્રજી મન મંદિરીએ, વાસ કરોને ત્રિકાલ, મુક્તાફલશું વધાવું, (૨) રત્નજડિત ભરી થાળ, . 1 ૪ II. વીરાય નમ: પદ એ જપીને, શિવ પામો ગુણખાણ, નેમિસૂર્યોદય કૃપાએ (૨) ભદ્ર કરે ગુણગાન, . / ૫ | પરમ પૂજ્ય સૂર્યોદયસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય આચાર્ય વિજયભદ્રસેન સૂરિ મ. श्री माणिभद्रवीर का काव्यमय जीवन-चरित्र नेमिचंद जैन उज्जैन की पुण्य धरती पर जन्में हो, ओ माणकशाह, ओ माणकशाह ! देवी-देवताओं की नगरी में जन्मे हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री भैरवमढ के सिद्धवट में जनम हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री जिन प्रियाजी धर्म प्रियाजी के लाडले हो, ओ माणकशाह, ओ माणकशाह! श्री जैन धर्म के रखवाले जन्मीया, ओ माणकशाह, ओ माणकशाह ! __इस धरती की शोभा बढती जाय, ओ माणकशाह, ओ माणकशाह ! श्री आँसियाँ सच्चियाय माताजी को पूजते हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री कुलदेवी के लाडले बेटे हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री धर्णेन्द्र पद्मावती पार्श्वप्रभु को पूजते हो, ओ माणकशाह, ओ माणकशाह ! Page #410 -------------------------------------------------------------------------- ________________ 394 તપાગચ્છાધિષ્ઠાયક हेमविमलसूरिजी उज्जैन में पधारे हें, ओ माणकशाह, ओ माणकशाह ! श्री गुरुदेव को देखकर खुश हुआ हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री गुरु की आशिष लेकर धन्य हुआ हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री आग्रा शहर के देरासर में पधारे हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री गुरुदेव के दर्शन पाकर खुश हुआ, ओ माणकशाह, ओ माणकशाह ! श्री गुरुदेव के सामने घोर प्रतिज्ञा ली, ओ माणकशाह, ओ माणकशाह ! श्री शत्रुजय की पुण्य यात्रा में निकले हो, ओ माणकशाह, ओ माणकशाह ! मगरवाडा के घोर जंगल में पधारे हो, ओ माणकशाह, ओ माणकशाह ! दिव्य दृष्टि से वीरगति का ज्ञान हुआ, ओ माणकशाह, ओ माणकशाह ! मस्तक आया माँ क्षिप्रा के चरणोंमें, ओ माणकशाह, ओ माणकशाह ! माँ गढ कालिका प्रसन्न हो गयी, ओ माणकशाह, ओ माणकशाह ! वीरगति का अद्भुत आशीर्वाद मिला, ओ माणकशाह, ओ माणकशाह ! रूप बदलकर कुलदेवी की इच्छा से बने हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! मगरवाडा में पधारे हैं श्री गुरुदेव, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री गुरुदेव की छबी देखकर खुश हओ. ओ मणीभद्रवीर. ओ मणीभद्रवीर ! श्री गुरुदेव के सामने धर्मलाभ लेने आये हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री जैन धर्म की रक्षा करने आये हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री जिनेश्वर देव के अधिष्ठाई हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! ओ जैन शासन के रखवाले हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री अलक्ष पार्श्वनाथ के देरासर में बसे हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! खुद के महान देरासर में छोटा सा बसेरा बनाया ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! जग जगमें, गाँव गाँव में, कल्याण किया, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! परन्तु खुद के महान देरासर में छोटा सा बसेरा बनाया, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री जिनेश्वर देव पूजते हो, सहाप्य करे, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! आपने धरती को पहला आशीर्वाद दिये हो, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री जैन संघ आशीर्वाद मांगते हैं, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! अपनी नगरी को उज्ज्वल बना दो. ओ मणिभदवीर. ओ मणिभदवीर । हम सब मिल कर द्वार पे तेरे आये हैं, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! आज हम सब मिलकर प्रतिज्ञा ले रहे हैं, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! आपके महान देरासर में शिखरबन्ध मंदिर बनाओ, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर । श्रीसंघ के भक्तजन हाथ जोड़कर अर्ज करे हैं ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! श्री साधुजी और साध्वीजी धर्मलाभ देने आये हैं, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! गोरा और काला भैरव आरती करने आये हैं, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! आपका परम भक्त नेमीचंद आया आशिष लेने, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! भैरवगढ़ के माणक चौक को 'उज्ज्वल' बनाओ, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! मालवा की पुण्य धरती को उज्ज्वल बनाओ, ओ मणिभद्रवीर, ओ मणिभद्रवीर ! Page #411 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ – માણિભદ્ર મંગલ પાઠ – (કૃતિકાર : આ. વારિષણસૂરિ, અંતરિક્ષજી તીર્થ) માણિભદ્રને વંદું આજ સારે મારાં સઘળાં કાજ આપે સદા સુખનું રાજ રાખે મારી અહોનિશ લાજ–૧ તેના નામે પુનિત કાય જેના ધામે શીતલ છાંય પ્રેમે પ્રણમો ટૂંક ને રાય સુખ સમાધિ પાછળ ધાય–૨ નવકાર મંત્રથી મંગલ થાય મંત્ર માણેકનો પૂરે આય વિના માણિભદ્ર દુઃખી થાય સમરે સૌ એ વિઘ્નો જાય–૩ તપાગચ્છ ગગને ચમત્કારી છે. પ્રાતઃ સ્મરણ પાવનકારી છે. કલિયુગમાં વિપદા વિદારી છે. સૂરિવરને સદા મંગલકારી છે –૪ દેવોનો તું દેવ શોભે ભકતોનાં મન તું લોભે પાપો કરતાં સૌ થોભે તારા ગુણો ગાજે નભે–૫ માણિભદ્ર માગું મુકિત યુવાની યશસ્વી યુકિત ક્ષમાશીલતાની શકિત ભવ ભ્રમણ ભાજે ભકિત-૬ અંતરિક્ષ તીર્થ આવો નાથ ભકતોને ભવમાં આપો સાથ કર્મોના છોડાવો બૂરા બાથ બાળકોના બડભાગી પકડો હાથ-૭ લબ્ધિ આપે જપતાં નામ ભુવન તિલકનાં સુધારે કામ ભદ્રંકર બતાવે પુણ્ય ધામ વારિષણ સ્મરે થવા નિષ્કામ-૮ શ્રી માણિભદ્ર સ્તુતિ (શ્લોક) –પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મહારાજ શ્રદ્ધા ભર્યા હૈયે સદા સેવા તમારી જે કરે, દુઃખ, દર્દ, ચિંતા, આપદા, તુરંત તેની તું હરે; છે દિવ્ય શક્તિ નામમાં ચિંતન થકી ચિંતિત હરે, હે માણિભદ્ર દેવેન્દ્ર ! ઘો વરદાન મુક્તિ ઝટ મળે. 395 HEEEEEEEEEEછws HHHHHHU Bl Page #412 -------------------------------------------------------------------------- ________________ 396 તપાગચ્છાધિષ્ઠાયક 'મંત્ર, તંત્ર અને ધ્વનિ: એક વૈજ્ઞાનિક વિશ્લેષણ પ.પૂ. આ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી નંદિઘોષવિજયજી મ. 1 છે. મંત્ર અને યંત્ર એ પૈસા કમાવાના શો-રૂમ નથી, પણ તેની પાછળ ઋષિઓ અને ? મુનિઓની તપઃપૂત વૈજ્ઞાનિક સિદ્ધ પારદર્શી દષ્ટિ છે. માત્ર આ મંત્રો કે યંત્રો અનધિકારીઓના હાથમાં જઈ ન પડે માટે ગ્રંથોમાં કે યંત્રોમાં કેટલાંક રહસ્યો છુપાવામાં આવ્યાં હોય છે. યંત્ર એ મંત્ર દેવતાનો દેહ છે અને મંત્ર વિગ્રહ ધારિણી દેવદેવી ધ્વનિતરંગોનાં નિશ્ચિત ઉચ્ચારણ, જાવિધાન અને પૂજાવિધાનથી એહિક, પારલૌકિક અનેક સિદ્ધિઓ પ્રદાન કરે છે એમ અહીં પ્રાચીન–અર્વાચીન અનેક સંદર્ભગ્રંથોના આધારે સિદ્ધ કરવામાં આવેલ છે. પૂજ્ય મુનિરાજ શ્રી નંદિઘોષવિજયજી મહારાજ સાહેબ બહુશ્રુત અને પ્રાચીન અને અર્વાચીન વિદ્યાઓના સંગમરૂપે શાસ્ત્રીય નિચોડ આપતા પ્રભાવી લેખક છે. આ લેખમાં અર્વાચીન વૈજ્ઞાનિકો મંત્રોના ધ્વનિથી કે જપથી થતા આસપાસના વાતાવરણમાં વિવિધ રંગોની દેવતાઓની આકૃતિઓના પ્રાકટયનાં સંશોધનો વડે પ્રાચીનોના તપઃપૂત ઋ ભર પ્રજ્ઞાથી નિષ્પન અનુભવોને હવે શી શી રીતે સમર્થન આપવા લાગ્યા છે તે આ લેખના વાચન-મનનથી જણાશે. પૂજ્ય મુનિશ્રી શ્રી નેમિસૂરિસમુદાયમાં પૂ.આ.શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિ પરત્ન છે. મુનિશ્રીએ ભૌતિકશાસ્ત્ર, ભૂગોળ, ખગોળ અને ગણિતને લગતા અનેક લેખ લખી તેમની બહુમુખી પ્રતિભાનો સુંદર પરિચય કરાવ્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પ્રગટ થયેલું તેમનું પ્રકાશનકાર્ય આજની યુવાન પેઢી ઉપર ઘણો મોટો ઉપકાર ગણાય . – સંપાદક, સંસાર અને સમય બંને નદીના પ્રવાહની માફક ગતિશીલ છે. અગ્રેજીમાં એક કહેવત છે. WE CANNOT CROSS THE SAME RIVER TWICE bis Melniell 24149 Bis aud પસાર થઈ ગયા, તે પછી તે જ નદીમાંથી આપણે ફરીથી પસાર થઈ શકતા નથી, અર્થાત્ પુનઃ નદીમાંથી પસાર થતી વખતે પાણી બદલાઈ જ ગયું હોય છે. આવા ગતિશીલ સંસારમાં જીવ ત્રને સુખી થવાની ઇચ્છા હોય છે. કોઈ પણ જીવ એમ નથી ઇચ્છતો કે હું દુઃખી થાવું અલબત્ત, Page #413 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 397 પ્રત્યેક મનુષ્ય અને એક જ મનુષ્યની વિભિન્ન સમયે સુખ અને દુઃખની વ્યાખ્યાઓ બદલાતી રહે છે. સુખ અને દુઃખની આ બધી જ વ્યાખ્યાઓનો સમાવેશ એક જ વ્યાખ્યામાં કરવાનો હોય તો એમ કહી શકાય કે –મનોવાંછિત-ઈષ્ટની પ્રાપ્તિ અને અનભીણિત અર્થાત્ અનિષ્ટનો વિયોગ થવો તે સુખ છે. -અને ઈષ્ટ વસ્તુનો વિયોગ તથા અનિષ્ટ–અપ્રિય વસ્તુનો અનિચ્છાએ થયેલ સંયોગ-પ્રાપ્તિ, તે દુઃખ છે. સર્વ કોઈ જીવને પૂર્વમાં કરેલ શુભ કે અશુભ કર્મોના પરિપાક સ્વરૂપે સુખ કે દુઃખ મળે છે. અલબત્ત, ક્યારેક બાહ્ય સ્વરૂપે દેખાતું ઐહિક સુખ, વસ્તુતઃ સુખ ન પણ હોઈ શકે તો ક્યારેક બાહ્ય સ્વરૂપે દેખાતું દુઃખ વસ્તુતઃ દુઃખ ન પણ હોઈ શકે. કારણ કે એ દુઃખ, ભવિષ્યમાં સુખપ્રાપ્તિની આશા અને આકાંક્ષાવશ ભોગવવામાં કોઈ તકલીફ પડતી નથી. ખરેખર તો, આપણી માનસિક સ્વસ્થતા એ જ આપણા સુખનું મૂળ છે. અને એ માનસિક સ્વસ્થતા મેળવવા માટે સંસારનો પ્રત્યેક મનુષ્ય પ્રયત્નશીલ છે. અને એ માટે મનુષ્ય વિવિધ પ્રકારે પ્રયત્ન કરતો જ રહે છે. આ પ્રયત્નોમાં પ્રાચીનકાળના યોગી પુરુષો, સાધક મહાત્માઓ અને ઋષિમુનિઓના શરણે ગયેલ જીવો, તેમના આશીર્વાદ દ્વારા પોતાની માનસિક અને શારીરિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓને સહન કરવાનું અને તેને હળવું બનાવવાનું બળ મેળવે છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ આપણાં દુઃખ દૂર કરવા અને સુખની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની મંત્ર, યંત્ર અને તંત્ર વિદ્યાઓ આપી છે. આ રીતે મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધિ વગેરે માધ્યમ દ્વારા આપણે આપણાં અશુભ કર્મોને હળવાં કરી શકીએ છીએ અથવા તો સંપૂર્ણપણે દૂર પણ કરી શકીએ છીએ. કયારેક તો શુભ નિમિત્ત અને શુભ ભાવ આવી જાય તો અશુભ કર્મનું શુભ કર્મમાં પરિવર્તન પણ થઈ જાય છે.' અલબત્ત, એ સાથે બીજી પણ વાત કરવી જોઈએ કે આવા મહાપુરુષો આવી અત્યંત મહત્ત્વની વિદ્યાઓ યોગ્ય પાત્ર જોઈને જ આપતા હોય છે અને જ્યારે યોગ્ય પાત્રનો અભાવ જ હોય તો, તે વિદ્યા તે મહાપુરુષોના અવસાન બાદ માત્ર દંતકથા સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય છે. ભારતીય પ્રાચીન સાહિત્યમાં આવી અનેક મંત્ર, યંત્ર અને તંત્રની પરંપરા ચાલી આવે છે અને તેના સંબંધી ઘણી ઘણી હસ્તલિખિત પ્રતિઓ પણ પ્રાપ્ત થાય છે. અલબત્ત આ પ્રતિઓમાં મંત્રસાધના કે યંત્રસાધના કે તંત્રની સંપૂર્ણ વિધિ-આમ્નાય આપવામાં આવેલ હોવા છતાં તે પ્રમાણે કરવાથી મંત્ર, યંત્ર કે તંત્રની સિદ્ધિ થઈ શકતી નથી કારણ કે આવી અત્યંત ગોપનીય વિધિઓમાં તેઓએ એક અથવા બે મહત્ત્વની કડીઓ ગુપ્ત રાખી હોય છે અને તે કડી પોતાના શિષ્ય અથવા કોઈપણ અન્ય યોગ્ય મનુષ્ય દેખાય તો, તેને જ તેઓ બતાવતા હોય છે. એટલે આવા મંત્ર, યંત્ર અને તંત્ર સંબંધિત પ્રકાશિત પુસ્તકોમાં બતાવેલ વિધિ-આમ્નાય પ્રમાણે વિધિ કરવા છતાં તેનું = = Page #414 -------------------------------------------------------------------------- ________________ 398 યોગ્ય–ઇચ્છિત ફળ મળતું નથી. '' આ અંગે શ્રી કરણીદાન સેઠિયા તેમના પુસ્તક 'મંત્રવિધા'ની પ્રસ્તાવનામાં લખે છે કે " મંત્ર સંબંધી સાહિત્યમાં સૌથી મોટી મુશ્કેલી ચાવીની છે. પ્રાચીન અનુભવી ૠષિ-મુનિઓએ મંત્ર લખ્યા છે, તંત્ર લખ્યા છે, પરંતુ તેમાં કોઈકમાં અગત્યના અક્ષર છોડી દીધા છે, કોઈકમાં વિધિ બતાવી નથી તો કોઈકમાં તેના સંબંધી યંત્રનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ યંત્ર બતાવ્યું હોતું નથી".ર તપાગચ્છાધિષ્ઠાયક ૩ પાંચેક વર્ષ પહેલાં મારી પાસે પ્રાચીન હસ્તપ્રતમાં સંગૃહીત પદ્માવતીની સાધનાની વિવિધ પદ્ધતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં પ્રાયઃ દરેક વિધિમાં ભિન્ન ભિન્ન પદ્ધતિ હતી અને તે દરેક અધૂરી જણાતી હતી. તે પાંચેય વિધિમાં ફકત એક જ વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું હતું. બાકીની ચાર વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. ત્યાર પછી પ્રાચીન હસ્તપ્રતના મારા પ.પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના સંગ્રહમાંથી બે પત્રોની એક નાનકડી પદ્માવતી ઊઁ સાધનાવિધિ પ્રાપ્ત થઈ. એ વિધિ સંપૂર્ણ અને વ્યવસ્થિત જણાઈ, પરંતુ તેમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. આ રીતે પ્રાચીન હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થતા મંત્ર-યંત્ર-તંત્ર સાચાં હોવા છતાં, જાણકાર ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધ થઈ શકતાં નથી. તેથી રખે કોઈ એમ ન માની લે કે આ મંત્ર-યંત્ર અને તંત્ર સાવ ખોટાં જ છે. વસ્તુતઃ મંત્ર, યંત્ર તંત્રની સાથે તેના મૂળ નિર્દેશક મહાપુરુષની લોકોને સુખી કરવાની ભાવના પણ જોડાયેલી છે. આ ભાવના જેટલી વધુ પ્રબળ તેટલી મંત્રની શક્તિ, યંત્રનો પ્રભાવ વધુ હોય છે. આ મંત્રસિદ્ધિ માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે એટલે તેમાંનું એકાદ પરિબળ પણ કામ ન કરતું હોય તો મંત્રસિદ્ધિ થઈ શકતી નથી. મંત્ર એટલે ચોક્કસ પ્રકારના કાર્ય માટે, ચોક્કસ પ્રકારના દેવોથી અધિષ્ઠિત થયેલ, ચોક્કસ પ્રકારના મહાપુરુષો દ્વારા, ચોક્કસ પ્રકારના શબ્દ અથવા અક્ષરોનાં સંયોજનો દ્વારા લિપિબદ્ધ કરાતું ધ્વનિનું સ્વરૂપ. પ્રાચીન કાળના મહાપુરુષોએ આવા વિશિષ્ટ પ્રકારના મંત્રોના ચોક્કસ–નિશ્ચિત અર્થ અર્થાત્ વિષયો પોતાની અતીન્દ્રિય જ્ઞાનદષ્ટિથી દેખ્યા છે અને એટલે જ શબ્દ-મંત્રના આવા વિશિષ્ટ રંગોને જોનાર અતીન્દ્રિય શક્તિવાળા શ્રી અશોકકુમાર દત્ત આપણા પ્રાચીન ઋષિમુનિઓ માટે 'મંત્રાર્થદ્રષ્ટા' શબ્દ પ્રયોજે છે. મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે "મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહ દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મ શરીરના પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે. અને એથી જ ભગવદ્ નામજપ અને મંત્રોચ્ચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, તેનું ભાન થયું." પ લેફ. કર્નલ. સી.સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના (COSCON) નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે Page #415 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 399 પણ આપણા મગજમાં શબ્દની–ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો ચિંતકો શબ્દસ્ફોટ કહે છે. અને તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે. મંત્રોની સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહિ પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટણ પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજ ૨ થી જ અગ્નિ પ્રગટાવેલો. મંત્રધ્વનિ, મંત્રાક્ષરો તથા યંત્રઅને મૂર્તિ માટે જણાવતાં શ્રી સી.સી. બક્ષી લખે છે કે મંત્રનો ધ્વનિ એક પરિમાણવાળો (યુનિ-ડાઈમેન્શનલ) હોય છે. અલબત્ત, ધ્વનિને આપણે જોઈ શકતા નથી તેથી કદાચ આપણા માટે તે એક પરિમાણવાળો–યુનિડાઈમેન્શનલ કહી શકાય; પરંતુ જેઓ ધ્વનિના રંગો જોઈ શકે છે તેઓ માટે તો ધ્વનિ પણ ત્રિપરિમાણીય-થ્રી ડાઈમેન્શનલ જ છે.) મંત્રાલરો તથા તેની આકૃતિસ્વરૂપ યંત્રો દ્વિપરિમાણવાળા અર્થાતુ ટુ-ડાઈમેન્શનલ હોય છે; જ્યારે મૂર્તિ ત્રિપરિમાણવાળી અર્થાત્ શ્રી ડાઈમેન્શનલ હોય છે. મંત્રજાપના પ્રકારો અને તેની શક્તિ વિશે વૈજ્ઞાનિક વિશ્લેષણ સાથે વિગતવાર ચર્ચા મેં "જપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય" લેખમાં કરી જ છે. એટલે તેની અહીં પુનરુક્તિ કરતો નથી. પ્રાચીનકાળમાં, પ્રાયઃ મહાભારતનું યુદ્ધ થયું તે કાળમાં, યુદ્ધમાં શસ્ત્રવિદ્યા અને અસ્ત્રવિદ્યાનો ઉપયોગ થતો હતો. આમાં શસ્ત્ર એટલે સામાન્ય શસ્ત્રો જેવાં કે તલવાર, બાણ વગેરે. જ્યારે મંત્ર દ્વારા અથવા વિદ્યાઓ સહિત છોડવામાં આવતાં શસ્ત્રોને અસ્ત્રો કહેવામાં આવે છે.૧૦ આ અસ્ત્રો શત્રુનો સંહાર કરી પુનઃ પ્રયોક્તા અર્થાત્ છોડનારની પાસે આવી જતાં. તે અસ્ત્રોને નિષ્ફળ બનાવવાની વિદ્યાઓ પણ તે સમયના રાજા, સેનાપતિ વગેરે જાણતા હતા. આમ ભારતીય પરંપરામાં મંત્રવિદ્યા ખૂબ જ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં જ જન્મેલ અને ભારતમાં જ વિકાસ પામેલ મંત્ર, યંત્ર, તંત્રની વિભિન્ન પરંપરાઓમાં (૧) બ્રાહ્મણ (હિન્દુ) (૨) બૌદ્ધ અને (૩) જૈન મુખ્ય છે. બ્રાહ્મણ–હિન્દુ પરંપરાના ત્રણ પેટા વિભાગ છે. (૧) વૈષ્ણવ (૨) શૈવ અને (૩) શાક્ત. તેમાં જૈન મંત્ર-યંત્ર-તંત્રની પરંપરા પણ ખૂબ જ પ્રાચીન છે. શ્રી સંઘદાસ ગણિ વિરચિત 'વસુદેવ હિંડી' નામનો એક ગ્રંથ જે ઈ.સ.ની પાંચમી સદીમાં રચાયેલો માનવામાં આવે છે, તેમાં મળતા સંદર્ભો અનુસાર આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ પ્રવ્રજ્યા અંગીકાર કરી ત્યારે તેઓએ પોતાની સઘળી સંપત્તિ તથા રાજ્ય પોતાના પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધાં. તે સમયે તેમના બે પુત્ર કચ્છ અને મહાકચ્છના બે પુત્રો નમિ અને વિનમિ બહાર ગયેલ હોવાથી તેમને કાંઈ આપ્યું નહોતું. નમિ અને વિનમિ પાછા આવ્યા ત્યારે સઘળો વૃત્તાંત જાણી, Page #416 -------------------------------------------------------------------------- ________________ 400 તપાગચ્છાધિષ્ઠાયક પ્રભુ પાસે પોતાનો ભાગ માગવા ગયા, પરંતુ પ્રભુ મન અને ધ્યાનસ્થ રહેતા હોવાથી તેઓની સેવા કરવા લાગ્યા. એક વખત નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા ગયા ત્યારે નમિ-વિનમિની સેવાથી પ્રસન્ન થઈ કહ્યું, " પ્રભુ તો ત્યાગી છે. હવે એમની પાસે આપવા જેવું કશું નથી. પણ પ્રભુની તમોએ કરેલ ભક્તિથી પ્રસન્ન થઈ, હું તમોને ૪૮૦૦૦ વિદ્યાઓ આપું છું." આ પ્રમાણે કહી, વિદ્યાઓ આપી તેઓને વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણિ અને દક્ષિણ શ્રેણિમાંવિધાધરોનાં નગરો વસાવી ત્યાંનું સુકાન–રાજ્ય સોંપ્યું અને તેઓ વિદ્યાધર કહેવાયા.૧૧ તેઓનું કુળ પણ વિદ્યાધર કુળ કહેવાયું. પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે.૧૩ આ પ્રમાણે મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. જૈન આગમ પરંપરામાં દ્વાદશાંગી – બાર અંગને મુખ્ય માનવામાં આવે છે. તેમાં પણ બારમું અંગ દષ્ટિવાદ સૌથી વિશિષ્ટ છે. અલબત્ત આ અંગ અત્યારે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયેલ છે. આમ છતાં તેમાં ૧૪ પૂર્વ અગત્યનાં હતાં. એ ૧૪ પૂર્વમાં વિધા પ્રવાદ નામે એક પૂર્વ હતું. આ પૂર્વ સંપૂર્ણપણે તેના નામ પ્રમાણે મંત્રવિદ્યાનો અખૂટ ભંડાર હતો. ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ " આ જ પૂર્વમાંથી ગ્રહશાંતિસ્તોત્ર ઉદ્ધત કર્યું જૈન પરંપરાના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પટ્ટ–પરંપરામાં ઘણા મહાન પ્રભાવક આચાર્યો થઈ ગયા છે, જેઓ મંત્ર-યંત્ર-તંત્રના જ્ઞાતા હતા. કલ્પસૂત્રની ટીકામાં – સ્થવિરાવલીમાં જણાવ્યા પ્રમાણે આર્ય વજસ્વામી વૈક્રિય લબ્ધિ (વિદ્યા) તથા આકાશગામિની વિદ્યાના ધારક હતા. તે સિવાય શ્રી સ્થૂલિભદ્રજી, શ્રી પ્રિયગ્રંથસૂરિ, ષડુલક રોહગુપ્તના ગુરુ શ્રી ગુપ્તાચાર્ય, આર્ય સમિતસૂરિ વગેરે પણ મંત્ર અને તંત્રના જ્ઞાતા હતા તેવો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.' આ સિવાય મંત્રવિદ્યાના જાણકાર-નિષ્ણાત આચાર્યો તરીકે શ્રી વૃદ્ધવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી માનતુંગસૂરિ, શ્રી નંદિપેણ, શ્રી માનદેવસૂરિ, શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી નાગાર્જુન, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ વગેરે અનેક આચાર્યો પ્રખ્યાત છે. જૈન પરંપરાના મંત્રસાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે નમસ્કાર મહામંત્ર કલ્પ, લોગસ્સ કલ્પ, નમુત્થણે કલ્પ, ઉવસગ્ગહરં સ્તોત્ર કલ્પ, સંતિકર કલ્પ, તિજયપહત્ત કલ્પ, ભક્તામર કલ્પ, કલ્યાણમંદિર કલ્પ, ઋષિમંડળ કલ્પ, હુંકાર કલ્પ, વર્ધમાનવિદ્યા કલ્પવગેરે ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત બનેલ સાહિત્ય દષ્ટિગોચર થાય છે. જૈનાચાર્ય માટે સૂરિમંત્રની આરાધના–સાધના મુખ્ય–આવશ્યક માનવામાં આવે છે. આ સૂરિમંત્રમાં મુખ્યત્વે અનંતલબ્ધિના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીની આરાધના કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી વગેરે સર્વ ગણધરો જેઓ દ્વાદશાંગીના રચયિતા છે તથા ચૌદ પૂર્વના ધારક સર્વ આચાર્ય ભગવંતોને શ્રુતકેવલી કહેવામાં Page #417 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 401 આવે છે અને તેઓનું એક વિશેષણ 'સલ્વખરસન્નિવાઈH' અર્થાત્ ' બધા જ અક્ષરોના વિવિધ પ્રકારના સર્વ સંયોગોથી બનનાર સર્વ વિદ્યાઓના જાણકાર' છે.૧૭ આ સૂરિમંત્રમાં શ્રી ગૌતમસ્વામી સિવાય શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, માનુષોત્તર પર્વતનિવાસિની ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી અર્થાત્ શ્રીદેવી, શ્રીયક્ષરાજ ગણિપિટક તથા ૨૪ તીર્થંકર ભગવંતોના શાસન–અધિષ્ઠાયક દેવ-દેવી અર્થાત્ યક્ષ-યક્ષિણીઓ, ૪ ઈન્દ્ર, નવ નિધાનના અધિપતિ, ૧૬ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ વગેરેની પણ આરાધના કરવામાં આવે છે. આ આરાધના કરનાર આચાર્યો મહાન પ્રભાવક બને છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. વળી આચાર્યોએ જિનશાસનનું સુકાન સંભાળવાનું હોવાથી જિનશાસન ઉપર આવનારી આફતોનું નિવારણ કરવાનું સામર્થ્ય કેળવવું જરૂરી હોવાથી, આ મંત્રસાધના દ્વારા તેઓને દેવોની સહાય અને સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. અત્યારે આપણા સમાજનો એક વર્ગ એવો છે કે જે મંત્ર-તંત્ર-તંત્રમાં જ રચ્યોપચ્યો રહે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી તેનો લાભ ઉઠાવ્યા કરે છે. તો બીજો વર્ગ એવો છે કે જે મંત્ર-યંત્ર-તંત્રને સાવ ખોટાં માને છે. મંત્રવિજ્ઞાનને ઘણા લોકો સમજતા નથી. તેની ઠઠ્ઠા-મશ્કરી કરે છે, ઠેકડી ઉડાવે છે, ગપગોળા-વહેમ કહે છે. શબ્દ–ધ્વનિની શક્તિ કેટલી છે, તેની તેમને ખબર નથી હોતી એટલે મંત્રવિજ્ઞાનમાં માનનારા લોકોને મૂર્ખ–પછાત ગણે છે, ઉતારી પાડે છે. અત્યાર સુધી આ બંને વર્ગ પોતે પોતાની માન્યતાને જ સાચી માને છે. અલબત્ત, આમાં અત્યારે થોડું પરિવર્તન આવ્યું છે અને મંત્ર-યંત્ર-તંત્રને સાવ ખોટાં માનનાર વર્ગ ધીરે ધીરે પરંતુ નક્કર સ્વરૂપે મંત્ર-યંત્ર-તંત્રનો સ્વીકાર કરવા તૈયાર થયો છે. વસ્તુતઃ તેમની માન્યતાનો આધાર મંત્ર-યંત્ર-તંત્રની વૈજ્ઞાનિક સાબિતીઓ જ છે. અત્યારે પશ્ચિમના દેશોમાં મંત્ર-યંત્ર-તંત્ર વિષે વિશિષ્ટ કહી શકાય તેવું સંશોધન ચાલે છે. વિભિન્ન પુસ્તકો દ્વારા મંત્ર-યંત્ર-તંત્રનાં રહસ્યો વૈજ્ઞાનિક પદ્ધતિએ રજૂ કરવામાં આવે છે. . યંત્ર, એ મંત્રમાં રહેલા અક્ષરોના સંયોજન દ્વારા બનેલા શબ્દોના ધ્વનિનું આકૃતિ સ્વરૂપ છે.૧૦ હમણાં ઈંગ્લેન્ડથી પ્રકાશિત એક અંગ્રેજી પુસ્તક 'Yantra' જોવા મળ્યું. આ પુસ્તકમાં ' રોનાલ્ડ નામેથ' નામના એક વિજ્ઞાનીએ એક વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા ઇલેકટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડ (ELECTRONIC VIBRATION FIELD)માંથી શ્રીસૂક્તના મંત્રનો ધ્વનિ પસાર કર્યો અને તે ધ્વનિનું શ્રીયંત્રની આકૃતિમાં રૂપાંતર થઈ ગયું, તેનું સ્થિર ચિત્ર આપવામાં આવ્યું છે.૨૦ એનો અર્થ એ થયો કે, શ્રીયંત્ર એ શ્રીસૂક્તનું આકૃતિ સ્વરૂપ જ છે. જે રીતે ગ્રામોફોનની રેકર્ડમાં ધ્વનિને મુદ્રિત કરવામાં આવે છે તે જ રીતે કોઈપણ મંત્ર, જો ઉપર દર્શાવેલ સાધનમાંથી પસાર કરવામાં આવે તો તેનું આકૃતિ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. વળી ગ્રામોફોનની રેકર્ડમાંથી પુનઃ ધ્વનિ પ્રાપ્ત કરી શકાય છે, તેમ મંત્રાકૃતિમાંથી મંત્ર પણ પ્રાપ્ત કરી શકાય છે, તેમ કેટલાકનું માનવું છે. વળી જે રીતે આધુનિક વિજ્ઞાનમાં શક્તિનું પુદ્ગલમાં (દ્રવ્યકણોમાં) અને દ્રવ્યકણો (પુદ્ગલ)નું શક્તિમાં રૂપાંતર થાય છે, તેમ યંત્રનું મંત્રમાં અને મંત્રનું યંત્રમાં રૂપાંતર શકય છે Page #418 -------------------------------------------------------------------------- ________________ 402 અને માટે જ યંત્રના સ્થાને મંત્ર તથા મંત્રના સ્થાને યંત્ર મૂકી શકાય છે. પ્રાચીન કાળના મહાપુરુષો પોતે જે મંત્રની આરાધના–સાધના કરતા હશે, તે મંત્રોનું આકૃતિ સ્વરૂપ અર્થાત્ યંત્ર સ્વરૂપ તેઓએ પોતાની દિવ્યદૃષ્ટિથી જોયું હશે અથવા તે મંત્રના અધિષ્ઠાયક દેવોએ પ્રસન્ન થઈ તે મંત્રોનું યંત્ર સ્વરૂપ તે તે સાધકોને બતાવ્યું હશે. ત્યારબાદ તે સાધકોએ તે સ્વરૂપને ભોજપત્ર, તાડપત્ર વગેરે ઉપર લેખનસામગ્રી દ્વારા રેખાંકિત કર્યુ હશે અને તે પરંપરાએ આપણી પાસે આવ્યું છે. તપાગચ્છાધિષ્ઠાયક વસ્તુતઃ યંત્ર એ એક પ્રકારનું વિવિધ ભૌમિતિક આકૃતિઓનું સંયોજન છે. જેમ જુદાં જુદાં વ્યંજનો તથા સ્વરોના સંયોજન દ્વારા મંત્રો બને છે, તે જ રીતે વિવિધ પ્રકારની ભૌમિતિક આકૃતિઓના સંયોજન દ્વારા વિવિધ પ્રકારનાં યંત્રો બને છે. પ્રત્યેક યંત્રના અધિષ્ઠાયક દેવ અથવા દેવી હોય છે. દેવ-દેવીનું સ્વરૂપ અથવા નામ બદલાતાં તેના મંત્ર તથા યંત્ર પણ બદલાય છે. સામાન્ય સંયોગોમાં આ બધાં જ મંત્રો તથા યંત્રો માત્ર પૌદ્ગલિક સ્વરૂપમાં અર્થાત્ જડ, ચૈતન્યરહિત હોય છે. તેમને ચેતનવંતાં બનાવવાની વિશિષ્ટ પ્રક્રિયાઓ હોય યંત્રોને તેના મૂળ મંત્રો દ્વારા ચેતનવંતાં બનાવી શકાય છે. તો મંત્રોને ચેતનવંતા બનાવવા માટે વર્ણમાતૃકા દ્વારા સંપુટ કરવામાં આવે છે. અને તે રીતે સંપુટ કરેલ મંત્ર ૧૦૮ વખત ગણ્યા બાદ ચેતનવંત બની જાય છે.૨૪ તે સિવાય મંત્રોને ચૈતન્યયુક્ત કરવા માટેની બીજી પદ્ધતિઓ-પ્રક્રિયાઓ પણ મંત્ર-તંત્રના પુસ્તકોમાં આપવામાં આવી છે. યંત્રોને સિદ્ધ કરવામાં આવે છે અને પ્રભુપ્રતિમા અથવા દેવ-દેવીની પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ વિધિ ઉત્તમ પ્રકારના મંત્રોથી તેના અધિકારી આચાર્યો જ કરી શકે છે. મંત્રધ્વનિથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ તરંગો દ્વારા આચાર્ય પોતાનો પ્રાણ પ્રતિમામાં ક્ષણાર્ધ માટે પણ આરોપિત કરી દે છે. ત્યાર પછી એ પ્રતિમા માત્ર નિર્જીવ પથ્થરનો ટુકડો ન રહેતાં સાક્ષાત્ પ્રભુતુલ્ય બની જાય છે કારણ કે તેમાં રહેલ મૂલાકૃતીય આકાશ ધ્વનિતરંગોથી અખૂટ ઉર્જાનો ભંડાર બની જાય છે. તેની સાધના-આરાધના કરનારને પરમાત્મા–પરમતત્ત્વ સાથે સંબંધ થઈ શકે છે. જૈન પરંપરામાં ૧૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન કોઈપણ પ્રતિમાને અચિંત્ય પ્રભાવશાળી માનવામાં આવે છે. કારણ કે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય દરમ્યાન ઘણા ઘણા સાધક આત્માઓ દ્વારા વિભિન્ન મંત્રો અને સદ્ભાવના દ્વારા તેની પૂજા થઈ હોવાથી, એ મંત્રોના ધ્વનિતરંગોએ એ પ્રતિમામાં અખૂટ ઉર્જાનો ભંડાર ભરી દીધો હોય છે અને તેનાથી સાધકના આત્માની ઉન્નતિ થાય છે તેમ જ તેનાં મનોવાંછિત કાર્યો સિદ્ધ થાય છે. આવું જ યંત્રોમાં પણ બને છે. સામાન્ય યંત્ર કરતાં વિધિપૂર્વક ઉત્તમ દિવસે, સદ્ભાવનાપૂર્વક બનાવેલ હોય અને યંત્ર-મંત્ર-તંત્ર વિધાના નિષ્ણાત મહાપુરુષે મંત્રો દ્વારા એ સિદ્ધ કર્યું હોય તો તુરતમાં જ મહાન ફળ આપનાર બને છે. કારણ કે તેની સાથે તે મહાપુરુષની લોકોનું ભલું કરવાની ભાવના જોડાયેલી હોય છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 403 આધુનિક સંશોધનકારો યંત્રને મૂલાકાશ (ARCHETYPAL SPACE) તથા મંત્રને પવિત્ર ધ્વનિ માને છે. એ સાથે તેઓ એમ પણ માને છે કે યંત્ર અને મંત્ર, બંને એકબીજાથી તદ્દન અભિન્ન છે અને યંત્ર એ મંત્રનું શરીર છે, તો મંત્ર એ યંત્રનો આત્મા છે.રપ એટલું જ નહિ, ભારતીય પરંપરા પ્રમાણે યંત્ર એ દેવદેવીઓને સૂક્ષ્મ સ્વરૂપે રહેવાનું સ્થાન છે. ખાસ કરીને અંબિકા, દુર્ગા, કાળી, મહાકાળી વગેરે દેવીઓની મુખ્ય શક્તિપીઠોમાં દેવીઓની મૂર્તિ કરતાં ય દેવીઓનાં યંત્રોનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વિભિન્ન યંત્રો-સ્વરૂપચિહ્નો મનઃશક્તિ (PSYCHIC ENERGY)નો અખૂટ ખજાનો છે. આ યંત્રો આપણામાં ખૂટતું એવું તત્ત્વ શોધી કાઢી, તેની પૂર્તિ કરે છે, જેનાથી આપણું જીવન આનંદિત, ફૂર્તિવાળું તેમ જ સાર્થક બની જાય છે. યંત્રો અત્યારે સામાન્ય રીતે બે પ્રકારનાં જોવા મળે છે. યંત્રોમાં આકૃતિઓનું સંયોજન તો હોય જ છે, પરંતુ તેમાં મંત્રાલરો પણ લખવામાં આવે છે. જો કે ઉપર બતાવ્યું તેમ યંત્ર-આકૃતિઓ જ મંત્રાક્ષરોનું દશ્ય સ્વરૂપ છે, છતાં તે યંત્રાકૃતિ કયા મંત્રાક્ષરોનું દશ્ય સ્વરૂપ છે તેની સામાન્ય મનુષ્યને જાણ થાય તે માટે, તેના જ્ઞાતા ઋષિમુનિઓએ યંત્રોમાં મંત્રાક્ષરો પણ લખ્યા હોય છે. અને એટલે જ યંત્ર અને મંત્ર બંને સંયુક્તપણે જોવા મળે છે. તો કેટલાંક યંત્રોમાં માત્ર ખાનાંઓ દોરીને અથવા વિભિન્ન આકૃતિઓ દોરી તેમાં આંકડાઓ લખવામાં આવ્યા હોય છે. આવાં સંખ્યા, આંકડાઓ સાથે સંબંધિત યંત્રોના જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો, વીશા યંત્રો, ચોત્રીશા યંત્રો, પાંસડિયા યંત્ર, એકસો સિત્તેરિયા યંત્ર. આ દરેક પ્રકારનાં યંત્રોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો. આ યંત્રોમાં ૧ થી ૯ સુધીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એને એ રીતે ગોઠવવામાં આવે છે કે આડા, ત્રાંસા એમ દરેક રીતે ગણતાં ત્રણ-ત્રણ અંકોનો સરવાળો પંદર આવતો હોવાથી તેને પંદરિયા યંત્રો કહે છે. યંત્ર-મંત્ર સંબંધી પુસ્તકોમાં ચાર પ્રકારનાં પંદરિયા યંત્રો બતાવવામાં આવ્યાં છે. તે દરેકનું તત્ત્વ, વર્ણ તથા અસરો જુદી જુદી હોય છે, એટલું જ નહિ તે યંત્રો કાગળ કે ભોજપત્ર ઉપર વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોથી લખતી વખતે એક જ પ્રકારના યંત્રમાં અંકો લખવાનો ક્રમ જુદો જુદો હોય તો તેની પણ અસરો જુદી જુદી થાય છે ૨૬ पर Page #420 -------------------------------------------------------------------------- ________________ 404 તપાગચ્છાધિષ્ઠાયક આ પંદરિયા યંત્રને બ્રાહ્મણ વર્ણસંજ્ઞા આપવામાં આવી છે. આ પંદરિયા યંત્રને ક્ષત્રિય સંજ્ઞા આપવામાં આવી છે. | ૨ | ૯ | | | ૬ | ૭ | ૨ 1 આ પંદરિયા યંત્રને વૈશ્ય ૭ | ૫ | ૩ સંશ ||સંજ્ઞા આપવામાં આવી આ પંદરિયા યંત્રને શુદ્ર સંજ્ઞા આપવામાં આવી છે. છે. તો આવા જ બીજાં યંત્રો સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહને અનુલક્ષીને, તેમની શાંતિ માટે બતાવવામાં આવ્યાં છે. તેમાં સૂર્ય માટે પંદરિયો યંત્ર છે, જે ઉપર બતાવેલ ચારે ય યંત્રોથી જુદો છે, તો ચંદ્ર માટે અઢારિયો યંત્ર, મંગળ માટે એકવીશો યંત્ર છે. [, [૨ | ૯ | ૧ | ૮ ૮ | ૩ | ૧૦ ૪ | ૧૧ | ૬ સૂર્યયંત્ર ચંદ્રયંત્ર મંગળયંત્ર આ જ રીતે અન્ય ગ્રહો માટેનાં પણ યંત્રો બતાવવામાં આવ્યાં છે. આ સિવાય અન્ય પ્રકારે પણ યંત્રો બની શકે છે, પરંતુ તે દરેકનું ફળ તથા અસરો જુદી જુદી હોય છે. અને તે એક સંશોધનનો વિષય છે. આ રીતે વિવિધ પ્રકારનાં આંકડાકીય યંત્રોમાં વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓ રહેલી હોય છે. જૈન પરંપરામાં પણ બંને પ્રકારનાં યંત્રો મળે છે. મંત્ર સાથે સંબંધિત યંત્રોમાં શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડળ યંત્ર, શ્રી વર્ધમાન વિદ્યા યંત્રપટ, શ્રી સૂરિમંત્ર યંત્રપટ, શ્રી પદ્માવતી યંત્ર, શ્રી વૈરોટયા દેવી યંત્ર, શ્રી ઘંટાકર્ણ મહાવીર યંત્ર, શ્રી ગૌતમસ્વામી યંત્ર, શ્રી લબ્ધિ પદ Page #421 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ યંત્ર, શ્રી માણિભદ્ર દેવ યંત્ર વગેરે અનેક પ્રકારનાં યંત્રો છે. તો સંખ્યા સાથે સંબંધ ધરાવતાં યંત્રો પણ જૈન પરંપરામાં મળે છે. તેમાં ખાસ કરીને શ્રી તિજયપહુત્ત સ્તોત્ર સંબંધી એકસોસિત્તેરિયો સર્વતોભદ્ર યંત્ર, ચોવીશ જિનેશ્વર સંબંધી પાંસઠિયા યંત્ર અને નવપદ સંબંધી પંદરિયા યંત્રો વગેરે પ્રાપ્ત થાય છે. 405 કયારેક સાંપ્રદાયિક મંત્ર-યંત્રની પરંપરાથી અજ્ઞાત લેખક કે સંશોધક યંત્ર કે યંત્રમાં રહેલ અક્ષરો અથવા યંત્રની પદ્ધતિને બરાબર સમજી ન શકવાનું પણ બને છે. દા.ત.' YANTRA' પુસ્તકમાં જૈન પરંપરાનું સૂરિમંત્ર સંબંધિત લબ્ધિપદ યંત્ર પ્રકાશિત થયેલ છે. તેમાં લબ્ધિપદોના મંત્રો પ્રાકૃત ભાષામાં આપેલા છે. એટલું જ નહીં પણ તે દરેક પદના અક્ષરોનો ક્રમ પણ ઊલટો આપવામાં આવ્યો છે. દા.ત. 'ૐ નમો જિણાણું ૧ ' પદને ' ૧. ગં ણા જિ મો ન ' સ્વરૂપમાં લખ્યું છે. આ બધાં જ પદો સૂરિમંત્રમાં આવે છે. અલબત્ત, આ યંત્ર ઓછામાં ઓછું ૨૦૦–૨૫૦ વર્ષ પૂર્વે આલેખાયેલું છે. આવાં યંત્રોમાં કયારેક સાધકનું નામ અથવા જેના માટે એ યંત્ર બનાવવામાં આવ્યું હોય છે, તેનું નામ પણ લખવામાં આવે છે. ઉપર્યુક્ત યંત્રમાં વચ્ચે ' જ્યાળ વા શ' એવું નામ લખેલ છે. તેના આધારે લેખકે આખા ય યંત્રને 'લ્યાણ વજ્ર' (Kalyana Chakra) અર્થાત્ wheel of Fortune કહ્યું છે. આ જ યંત્ર સૂરિમંત્ર સંબંધિત ' સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય 'માં નવું બનાવીને આપવામાં આવ્યું છે. તેમાં અક્ષરોનો ક્રમ સૂલટો છે.૨૯ મંત્રજાપ પણ બે પ્રકારે કરવામાં આવે છે. ૧. પૂર્વાનુપૂર્વી અર્થાત્ જે ક્રમમાં મંત્રના પદો અથવા અક્ષરો આપવામાં આવ્યા હોય તે જ ક્રમે મંત્રજાપ કરવો તે. ૨. પશ્ચાનુપૂર્વી અર્થાત્ જે ક્રમમાં મંત્રોના પદો અથવા અક્ષરો આપવામાં આવ્યા હોય તેનાથી ઊલટા ક્રમે જાપ કરવો તે. આ બંને પ્રકારના મંત્રજાપનાં જુદાં જુદાં ફળ હોય છે. સામાન્ય રીતે પૂર્વાનુપૂર્વાથી મંત્રજાપ કરવાથી આધ્યાત્મિક ફળ મળે છે તો પશ્ચાનુપૂર્વીથી મંત્રજાપ કરવાથી ઐહિક-ભૌતિક ફળ મળે છે. આધુનિક વિજ્ઞાનમાં જેમ ટેલિપથીની વિજ્ઞાનશાખા છે, તેમ ચિકિત્સાશાસ્ત્રમાં શ્રી બિનિતોષ ભટ્ટાચાર્ય જેવા બંગાળી હોમિયોપથી ડૉક્ટરે ટેલિથેરપી નામની ચિકિત્સાપદ્ધતિનો વિકાસ કર્યો છે. આ ચિકિત્સાપદ્ધતિમાં તેઓ ઔષધિનો તો ઉપયોગ કરે છે, પણ સાથે સાથે ઉપર બતાવ્યાં તેવા મંત્રો અને યંત્રોનો પણ ઉપયોગ કરે છે. એ મંત્રો તથા યંત્રોને વિશિષ્ટ પ્રકારનાં સાધનો ઉપર ગોઠવી તેમાંથી વિશિષ્ટ પ્રકારનાં સ્પંદનો (VIBRATIONS) ઉત્પન્ન કરી, તેની સામે ગોઠવેલા દર્દીના ફોટા કે નામ દ્વારા અદશ્ય સ્વરૂપે દર્દી સુધી પહોંચાડે છે, અને તેનાથી દર્દીમાં આશ્ચર્યજનક સુધારો પણ નોંધાયેલો છે. યંત્રો એ સાંકેતિક ચિહ્ન છે. એ સાંકેતિક ચિહ્નોનું અર્થઘટન ભિન્ન ભિન્ન પરંપરાવાળા ભિન્ન ભિન્ન રીતે કરે છે. તેનું કારણ તેઓને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાન અથવા અનુભવ હોય છે. દા.ત. 'શક્તિ' અંગે કોઈ ભૌતિકશાસ્ત્રી–વિજ્ઞાનીને પૂછવામાં આવે તો તે શક્તિને પુદ્ગલ Page #422 -------------------------------------------------------------------------- ________________ 406 તપાગચ્છાધિષ્ઠાયક દ્રવ્યના અંગ સ્વરૂપ કાર્ય કરનાર બળ (inherent active force of matter) તરીકે ઓળ ખાવશે. જો કોઈ માનસશાસ્ત્રીને પૂછવામાં આવે તો, એક બાહ્ય પરિબળ–ઉદીપક દ્વારા મગજ ઉપર અસર કરનાર 'મન' તરીકે તે શક્તિને ઓળખાવશે. વળી કોઈ આધ્યાત્મિક યોગીને પૂછવામાં આવે તો તે પરમ બ્રહ્મના યૌગિક સાક્ષાત્કારને અર્થાત્ 'વૈશ્વિક ચેતના'ને શક્તિ તરીકે ઓળખાવશે. આ જ રીતે જેમના આત્મા ઉપરના જ્ઞાનનું આવરણ કરનારા કર્મો સંપૂર્ણપણે દૂર થયાં નથી તેવા અલ્પજ્ઞ આપણે સૌ આપણી મનોભૂમિ – માનસિક અવસ્થા પ્રમાણે, તાંત્રિક અથવા યાંત્રિક ચિહ્નનું અર્થઘટન કરીએ છીએ. એ ચિહ્નનું સંપૂર્ણ અથવા વાસ્તવિક રહસ્ય તો માત્ર કેવળજ્ઞાની મહાપુરુષો જ જાણી શકે છે. કેવળજ્ઞાની મહાપુરુષો માટે આ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થના ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાન કાળની પ્રત્યેક અવસ્થાનું જ્ઞાન હાથમાં રહેલ સ્વચ્છ જળ સંબંધી જ્ઞાન જેવું સ્પષ્ટ હોય છે.૩૦ તેઓ માટે ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું હોતું જ નથી. બધું જ વર્તમાનકાળ હોય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં અંગ્રેજીમાં એક જ વાકયમાં કેવળજ્ઞાન માટે કહેવું હોય તો એમ કહી શકાય કે – " Omniscience is nothing but hologramic effect or power of the soul regarding to time, space, matter and all souls. " તેથી આવા પરમજ્ઞાની-કેવળજ્ઞાની જ આ યંત્રોનાં સાંકેતિક ચિહ્નોના સંપૂર્ણ રહસ્યને જાણે છે. વિવિધ પ્રકારનાં યંત્રોમાં સૌથી વધુ ચર્ચા, જનસામાન્ય તથા વિદ્વાનો અથવા મંત્રતંત્ર વિદ્યાના નિષ્ણાતોમાં થતી હોય તો તે શ્રીયંત્ર સંબંધી હોય છે. આ શ્રીયંત્રને ખૂબ જ રહસ્યમય અને ગૂઢ વિદ્યાના ખજાના સ્વરૂપ માનવામાં આવે છે. પરદેશના વિજ્ઞાનીઓ આ યંત્રનું રહસ્ય શોધવા ખૂબ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે અને વિજ્ઞાનના તથા અધ્યાત્મના સિદ્ધાંતો સાથે તેઓ શ્રીયંત્રની તુલના કરી રહ્યા છે. શ્રીયંત્રમાં સૌથી વચ્ચે એક બિંદુ બતાવવામાં આવે છે, જેને મહાબિંદુ કહેવામાં આવે છે. વૈદિક પરંપરા પ્રમાણે તેને બ્રહ્માંડના શૂન્ય સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. વૈશ્વિક ઇચ્છાથી બિંદુ વિભાજિત થાય છે. અર્થાત્ શિવની બીજભૂત શક્તિ સુષુપ્ત દશામાંથી ક્રિયાશીલ થાય છે. બિંદુ વિભાજિત થતાં વિસર્ગમંડળનું સર્જન થાય છે, જે શિવ-શકિત અથવા અગ્નિ-જળ અથવા પુરુષ-પ્રકૃતિના યુગ્મ સ્વરૂપે ઓળખાય છે. મૂળ ત્રિકોણ–વૈશ્વિક ત્રિપુટીને રજૂ કરે છે. સકળ શક્તિ પદાર્થોના ઉત્પત્તિસ્થાન તરીકે તે છે. શિવ- અગ્નિ-પુરુષ તથા શક્તિ – જળ-પ્રકૃતિ સ્વરૂપે પુરુષ અગ્નિ પ્રકૃતિ જળ મૂળત્રિકાશનું વિભાજન–એકીકરણ અને વિકાસ." શિવ Page #423 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ | શિવ અને શક્તિ અથવા અગ્નિ અને જળ અથવા પુરુષ અને પ્રકૃતિના સંયોજન દ્વારા ઉત્પન્ન થનાર મૂળભૂત સૂક્ષ્મ-માનસ તત્ત્વો – માયા, કળા, વિદ્યા, રાગ, કાળ, નિયતિ. પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી ઉત્પન્ન થતાં ભૌતિક તત્ત્વો – સત્ત્વગુણમાંથી ૧. બુદ્ધિ, ૨. અહંકાર અને ૩. વિચારશક્તિ (મગજ) ઉત્પન થાય છે; રજોગુણમાંથી પાંચ ઇન્દ્રિય ૧. સ્પર્શનેન્દ્રિય, ૨. રસનેન્દ્રિય, ૩.ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, ૫. શ્રોત્રેન્દ્રિય તથા પાંચ અંગ ૧. હાથ, ૨. પગ, ૩. મુખ, ૪. પેટ (કુક્ષિ) ૫. જનનાંગ ઉત્પન્ન થાય છે. તમોગુણમાંથી ચૂલ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તથા સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ઉત્પન થાય છે. ૩૨ આ થયું વૈદિક પરંપરા પ્રમાણેનું અર્થઘટન. મંત્ર-યંત્ર વિદ્યાના નિષ્ણાતો, શક્તિના ઉપાસકો આ જ શ્રીયંત્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ તથા દેવીઓનો વાસ હોવાનું જણાવે છે. તે શક્તિઓ અણિમા, મહિમા, લધિમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે આઠ છે. જ્યારે દેવીઓ બ્રાહ્મી, માહેશ્વરી, વૈષ્ણવી, ચામુંડા, મહાલક્ષ્મી વગેરે આઠ છે. અને વચ્ચેના આઠ ત્રિકોણમાં હોય છે તેને સર્વરોગહરચક્ર કહે છે. આ જ શ્રીયંત્રને તેઓ ત્રિપુરાસુંદરી નામની દેવીનું યંત્ર કહે છે. શ્રીયંત્રની અંદરથી બીજી હરોળ–વલયના સર્વરક્ષાકરચક્રના દશ ત્રિકોણ દશ મહાવિદ્યાનું સૂચન કરે છે, તો ત્રીજી હરોળ-વલયના સર્વાર્થસાધકચક્રના દશ ત્રિકોણ દશ પ્રાણોનાં પ્રતીક છે. સૌથી બહારની તરફ આવેલા ચૌદ ત્રિકોણના ચક્રને સર્વસૌભાગ્યદાયક ચક્ર કહે છે. શ્રીયંત્રની સૌથી મધ્યમાં આવેલ ત્રિકોણમાં જે બિંદુ છે, તેમાં મહાત્રિપુરાસુંદરી અથવા મહાલક્ષ્મી નિવાસ કરે છે. ૩૩ યોગવિદ્યાના નિષ્ણાતો શ્રીયંત્રને સૂક્ષ્મ શરીરમાં આવેલ ષચક્ર–મૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર, મણિપુરચક, અનાહતચક્ર, વિશુદ્ધિચક્ર અને આજ્ઞાચક્ર સાથે સરખાવે છે. વચ્ચે આવેલ મહાબિંદુને મસ્તકની ઉપર, ભૌતિક શરીરની બહાર આવેલ સહસ્ત્રારચક્ર સાથે સરખાવે છે. - Ags – યુ કિકો . ITY fish नवग्रहोना चित्रों तेजा चिह्मी ते ते तीयकोजामाबन्ध साधे , SE परमनजी चन्द्रप्रमजी કામપૂરનt | pHનાથાન ! માર્ટિના થિ નાં ; सुविधिनाथजी मनिसयतजी नेमिनाथजी मलिजायी Page #424 -------------------------------------------------------------------------- ________________ 408 તપાગચ્છાધિષ્ઠાયક આ સંકેત ચિહ્નોને જૈન તત્ત્વજ્ઞાન સાથે નીચે પ્રમાણે સાંકળી શકાય. બિંદુ અથવા મહાબિંદુ શુદ્ધ આત્મદ્રવ્ય અથવા શુદ્ધ પુદ્ગલ (Matter) દ્રવ્યનું સૂચક છે. અલબત્ત, શુદ્ધ આત્મદ્રવ્ય નિરંજન-નિરાકાર છે, જ્યારે શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય સાકાર છે તેમ જ તે વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ પણ ધરાવે છે. પરંતુ શક્તિમાં બંને સમાન છે. શુદ્ધ આત્મદ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે ઉત્પત્તિ છે. તેમ જ શુદ્ધ પુલ દ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે છે. આત્માની અનંત શક્તિ સ્વનિયંત્રિત છે જ્યારે પુલની અનંતશક્તિ પરનિયંત્રિત છે. સ્થિતિ નાશ આ જ મહાબિંદુને આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય રૂપે અલગ અલગ દર્શાવતાંવિસર્ગ મંડળ રચાય છે. આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બંનેની ત્રણ ત્રણ અવસ્થાઓ (Phases)છે. ઉત્પન્ન થવું તે, નાશ પામવું તે અને દ્રવ્ય તરીકે સ્થિર રહેવું તે. આને જૈન પરિભાષામાં ત્રિપદી કહે છે. ૧. ૩નૈડુ વા ૨. વરૂ વ ૩. ધુવેરૂ વા અને તે ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવાય છે. વિશ્વના કોઈ પણ પદાર્થની આ ત્રણ અવસ્થાઓ હોય છે. વૈદિક પરંપરા પણ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય–સંહારમાં માને છે. ઉત્પત્તિના દેવ તરીકે બ્રહ્મા, સ્થિતિના દેવ તરીકે વિષ્ણુ અને સંહારના દેવ તરીકે મહેશ–શંકરને માનવામાં આવે છે. જૈન પરંપરામાં સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ માનવામાં આવી નથી પરંતુ વિભિન્ન પદાર્થોની વિભિન્ન પર્યાય-અવસ્થા સ્વરૂપે થતી ઉત્પત્તિ માનવામાં આવે છે; જ્યારે સમગ્ર લોક-બ્રહ્માંડને અનાદિ-અનંત સ્થિતિવાળો માનવામાં આવે છે. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે શુદ્ધ આત્મદ્રવ્યનો પુદ્ગલ સાથે સંયોગ કયારેય થતો નથી, પરંતુ આત્મદ્રવ્ય અને પુદ્ગલનો સંયોગ અનાદિકાળથી જ થયેલ છે, એમ માનવામાં આવે છે. આત્મા અને પુલના આ અનાદિ સંયોગના પરિણામે જ વિશ્વના પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ તથા નાશ થાય છે. કર્મ પદ્ગલિક છે અને પુદ્ગલ કાર્મણ વર્ગણાના પુગલ સ્કંધો દ્વારા આઠ કર્મમાં રૂપાંતર પામી આત્માને વળગે છે. તે આઠ કર્મ – ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય નામના છે.૩૫ તે શ્રીયંત્રમાં પુદ્ગલ ત્રિકોણની આસપાસના પ્રથમ વલય-ચક્રના આઠ ત્રિકોણ દ્વારા બતાવવામાં આવ્યા છે. તે આઠ પ્રકારનાં કર્મ જે આત્માને વળગે છે – લાગે છે, તેને દશ પ્રકારની સંજ્ઞા – ૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. ઓઘ અને ૧૦. લોક-સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. તે પ્રથમ વલયના આઠ ત્રિકોણની પાસેના બીજા વલયના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવી છે. આ દશ સંજ્ઞાના પરિણામે જીવને દશ પ્રાણ – પાંચ ઇન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય, Page #425 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 409 રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય) મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય પ્રાપ્ત થાય છે. તે ત્રીજા વલય-ચક્રના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આદર્શ પ્રાણોને સંસારી જીવો ધારણ કરે છે. તે સંક્ષેપમાં ૧૪ પ્રકારના બતાવવામાં આવ્યા છે. આ ચૌદે પ્રકારના જીવોનું સૂચન ચોથા વલયના ચૌદ ત્રિકોણો દ્વારા થાય છે. આ ચૌદ પ્રકારના જીવોમાં બ્રહ્માંડના સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. તેની આસપાસ આઠ કમળની પાંખડીઓ સ્વરૂપ એક વલય છે. પૂર્વે આત્માની સંજ્ઞા તરીકે ઓળખાયેલ ક્રોધ, માન, માયા, લોભ અહીં આત્માના ભયંકર શત્રુ તરીકે વર્તે છે. તે સિવાય રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, એ ચારે મળી, ઉપરના ચૌદે પ્રકારના અર્થાત્ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવના મહાન શત્રુઓ છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિમાં આ આઠેય બાધક છે. તેના ઉપર વિજય મેળવવો હોય તો અન્તર્મુખ બની સૌ પ્રથમ જ્ઞાન મેળવી, અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે માટે વર્ણમાતૃકાના પ્રતીક સ્વરૂપે ગ,મ, રૂ, ર્ ૩, , 2, , 7, 7, 5, 9, મો, ગૌ, , : સ્વરૂપ ૧૬ સ્વરોનું ધ્યાન કરવું આવશ્યક છે. આ સોળ સ્વરોની સાથે ૩૩ વ્યંજનોનું પણ ધ્યાન કરાય છે. તેનું સૂચન કમળની સોળ પાંખડીઓવાળા વલય-ચક્ર દ્વારા થાય છે. વર્ણમાતૃકાના ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મો દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેનો પ્રકાશ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને પેલે પાર બ્રહ્માંડ-લોકની સીમાઓને ઓળંગી અલોકમાં પણ પહોંચે છે. તેના પ્રતીક તરીકે વર્તુળાકારનાં, બંગડી આકારનાં વલયો બતાવ્યાં છે, જે અસંખ્યાતા દ્વિીપ અને સમુદ્રનું સૂચન કરે છે, જ્યારે ચોરસ સ્વરૂપ લોકના આકારમાં ચારે બાજુ બતાવેલા દરવાજા દ્વારા કેવળજ્ઞાનનો પ્રકાશ અલોકમાં પણ પ્રસરે છે, એનું સૂચન થાય છે. આ રીતે શ્રીયંત્રમાં જૈન તત્ત્વજ્ઞાન પણ સમાયેલું છે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે ચિંતન-ધ્યાન કરતાં મનુષ્ય માત્રનાં અશુભ કર્મોનો ક્ષય થાય છે અને આત્મિક-આધ્યાત્મિક સંપત્તિની સાથે સાથે ઐહિક અને પારલૌકિક સુખ-સંપત્તિ તથા મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય ભારતીય પરંપરા અને જૈન પરંપરામાં સેંકડો જાતના ભિન્ન ભિન્ન દેવી-દેવતાઓની આરાધના-સાધનાને અનુલક્ષીને મંત્રો પ્રાચીન સાહિત્યમાં બતાવવામાં આવ્યા છે. પૂર્વે બતાવ્યું તેમ જો ટોનોસ્કોપ અથવા ઇલેક્ટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડવાળું આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણ અને તેનું સંચાલન કરનાર–પ્રયોગકર્તા યોગ્ય સંશોધક મળી જાય તો તે દરેક મંત્રોનાં યંત્રોનું સાચું સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય અને તે રીતે મંત્રવિજ્ઞાન ઉપરના સંશોધનની એક નવી જ દિશા ખૂલી જાય. આમ, યંત્ર-મંત્ર-તંત્ર આપણી પ્રાચીન વિદ્યાનો અપૂર્વ વારસો છે, એટલું જ નહિ પણ આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ પણ મનુષ્ય અને સજીવ સૃષ્ટિ જ નહિ બધે જડ એવા પુદ્ગલ ઉપર પણ તેની અપૂર્વ અથવા વિશિષ્ટ કહી શકાય તેવી અસરો થાય છે. માટે બુદ્ધિમાન સંશોધકો – વિજ્ઞાનીઓ આ ક્ષેત્રમાં વધુ નક્કર, પ્રાયોગિક સંશોધન કરી, જગત સમક્ષ તેનાં વધુ રહસ્યો ખુલ્લાં કરે એ જ અભિલાષા અને શુભેચ્છા. તા. ૩–૧૧–૯૬, ભાવનગર. Page #426 -------------------------------------------------------------------------- ________________ 410 તપાગચ્છાધિષ્ઠાયક પાદનોંધ – ૧. જુઓ, 'કર્મપ્રકૃતિ' ગ્રંથમાં સંક્રમણકરણ'. ૨. "મંત્રવિદ્યા,' લે. કરણીદાન સેઠિયા, પ્રસ્તાવના, પૃ. ૨૦ ૩. શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી પદ્માવતી માતા' સંપાદક: નંદલાલ દેવલુક, અરિહંત પ્રકાશન, ભાવનગર, પૃ ૩૬૧ થી ૩૮૬. ૪. જૈન દર્શન : વૈજ્ઞાનિક દષ્ટિએ' (લે. મુનિ નંદિઘોષવિજય પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ - ૪૦૦ ૦૩૬)માં શ્રી અશોક કુમાર દત્તનો લેખ – ' રંગીન શક્તિકણોનો શરીર તથા મન ઉપર પડતો પ્રભાવ,' પૃ. ૪૫. ૫. 'વર્ણમાળા અને મંત્રોચ્ચારણનું રહસ્ય' લે. શ્રી અશોકકુમાર દત્ત. ફાર્બસ ત્રૈમાસિક, અંક – ૪, ઑકટો.-ડિસે., ૧૯૯૨, પૃ. ૨૭૯. 4. The mantra are also intimately associated with the theory of eternal word Sphotavada expounded by the philosopher of Sanskrit grammar, who traced the gem of speech or words back to divine source (an imperishable unit of speech: Sphota also known as Vak or Pranava or Sabda Brahman.) ૭. વૈશ્વિક ચેતના,' લે.લેફ. કર્નલ સી.સી. બક્ષી. પૃ. ૯૫. ૮. વૈશ્વિક ચેતના લે.લેફ. કર્નલ સી.સી. બક્ષી, પૃ. ૯૭ . ૯. ' જૈનદર્શન : વૈજ્ઞાનિક દષ્ટિએ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ – ૩૬ પૃ. ૧ર૩ થી ૧૨. ૧૦. અસ્ત્રમ→- mantra by which a missile is consecrated before it is thrown. (The Standard Sanskrit - English Dictionary, Pp 88) ૧૧. 'મત્રવિદ્યા,' . રીલા સેટિયા, પ્રસ્તાવના, પૃ. ૨૨, ૨૩ ૧૨. 'મસ્ત્રવિદ્યા, ને. રળીને સેટિયા, પ્રસ્તાવના, પૃ. ૨૩ ૧૩. થેરહિંતો પણ વિઝીટર મોવીનેડિંત સિવાહિતો રૂW T વિનોદી સાહી નિયા (શ્રી વલ્પસૂત્ર, અષ્ટમ ક્ષણ, વિરાવતી, પૃ. ૧૨૦) ૧૪. અસંખ્યાતા વર્ષોનો એક પલ્યોપમ થાય છે. એવા ૧૦ કોડાકોડી (૧૦૫) પલ્યોપમે એક સાગરોપમ થાય છે, એવા ૧ કોડાકોડી સાગરોપમ અર્થાત્ ૧૦ સાગરોપમ વર્ષ અથવા ૧૦ ૨૯ પલ્યોપમ વર્ષ થાય છે. ૧૫. મદ્રવદુરુવારૈવં પંચમ: શ્રુતવતી વિદ્યા,વાવતઃ પૂર્વ પ્રદશક્તિસ્વીરિતા ૨૨ (પ્રદશાના સ્તોત્ર) ૧૬. શ્રીપસૂત્ર, અષ્ટમ ક્ષણ, વિરાવતી, સુવધા ટીમ | १७. समणस्स भगवओ महावीरस्स तिन्निसया चउद्दसपुव्वीळं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवाईणं जिणो वि व अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्वीणं Page #427 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 411 संपया हुत्था ॥१३॥ (श्री कल्पसूत्र षष्ठ क्षण, सूत्र १३८) १८. वाणी तिहुअणसामिणी सिरिदेवी जक्खरायगणिपिडगा गह दिसिपाल-सुरिंदा सयावि रक्खंतु जिणभत्ते ।।४।। (श्रीसंतिकरं स्तोत्र, गाथा - ४) || १८.'Yantra' by MadhuKhanna, Pp.6 20. 'Yantra' by Madhu Khanna, Pp. 116 21. Mantra and Yantra are parallel to each other and in some cases may be ___ interchangeable. ("Yantra", by MadhuKhanna, Pp. 38) २२. चैतन्यरहिता मन्त्राः प्रोक्ता वर्णास्तु केवलम् (मगोय२ विश्व में हेवेश भडेत. गुरात समायार, ता. १३-१०-८७, पृ. ६.) 23. 'Yantra,' by Madhu Khanna, Pp.6 • २४. मंत्र-तंत्र-यंत्र भडासमुय्यय, प्र. नन पुस्तालय, सुरत, पृ. १५. 34. Yantra and mantra present the union of archetypal space and sa cred sound. Each is inseparable from the other, with mantra the 'soul' and yantra the 'body' of subtle sound (Yantra Pp. 44) २६ ' मंत्रविद्या,' स. १२९हान सेहिया, 'यत्रविधा भए पृ. १८, १९, २० मंत्र-तंत्र-यंत्र भडासभुय्यय , प्र. नन पुस्तालय, सुरत, पृ ३२०, ३२१, उ२२. २७. ' मंत्रविद्या' – 'यन्त्रविद्या' एs, ५ ३१ 26. 'Yantra,' by Madhu Khanna, Pg.48 २४.'सूरिमन्त्र ८५सभुय्यय' (भाग-२ पृ. 350, 3G१ (संपू. मुनिश्री वि४५० म.) 30." रामरावविश्व सयन क्रश्रिया" (श्री साईतु स्तोत्र, RT -११, सिडार સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી) १. ' यंत्रराज : श्रीयंत्र, ले. पंकज दीक्षित, 'स्वागत,' सितम्बर, १९९५, पृ ५१. 32. 'Yantra,' by Madhu Khanna, Pp.72 & 74 ३३.'यंत्रराज : श्रीयंत्र, ले. पंकज दीक्षित, ' स्वागत, सितम्बर, १९९५ पृ. ५२, ५३. ३४. 'यंत्रराज : श्रीयंत्र,' ले. पंकज दीक्षित, ' स्वागत' सितम्बर १९९प पृ. ५३. ३५. इह नाणदंसणावरण - वेयमोहाउनामगोआणि । विग्धं च ... ।। ३८ ।। (नवतत्त्व, गाथा ३८) ३६. यतः प्रज्ञापनायां दश संज्ञाः ता श्चेमाः " कइणं भंते ! सण्णाओ पण्णत्ताओ? गोयमा ! दस सण्णाओ पण्णत्ताओ, तं जहा - आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्ण, माणसण्णा, मायासण्णा, लोहसण्णा, ओहसण्णा, लोगसण्णा । Page #428 -------------------------------------------------------------------------- ________________ 412 (આવારગ ટીા, પ્રથમ શ્રુતધ, પ્રથમ ધ્યન, પ્રથમ ઉદ્દેશ) ३७. दसहा जियाण पाणा इंदिय उसासआउ के बल रूवा ।। (जीवविचार प्रकरण गाथा ४२ ) ३८. एगिंदिय सुहुमियरा सन्नियर पणिंदिया य सबितिचउ । अपजता पज्जत्ता कमेण चउदस जियट्ठाणा ॥ ४ ॥ ( नवतत्त्व गाथा - ४ ) ૨. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય ૪. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય . પર્યાપ્તા બેઈન્દ્રિય ૮. પર્યાપ્તા તેઈન્દ્રિય ૧. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય ૩. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય ૫. અપર્યાપ્તા બેઈન્દ્રિય ૭. અપર્યાપ્તા તેઈન્દ્રિય ૯. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય ૧૧. અસંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય ૧૩. સંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય તપાગચ્છાધિષ્ઠાયક ૧૦. પર્યાપ્તા ચઉરિન્દ્રિય ૧૨. અસંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય ૧૪. સંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય એ ચૌદ જીવસ્થાનકો અર્થાત્ જીવોના પ્રકાર છે. ઉજ્જૈનીનો પ્રાચીન માણેકગઢ ભારતમાં માલવ નામનો પ્રદેશ, તેમાં શસ્યશામલા ઉજ્જૈની નગરી જ્યાં જૈન શાસનનાં અનેક જ્યોતિર્ધરો, પરાક્રમી રાજવીઓ અને શ્રેષ્ઠ કવિઓની જે જન્મભૂમિ બની. જયાં મંત્રસાધકોના સ્વસ્તિ ગીતોનું ગુંજન સતત ગાજતુ રહેતુ, જ્યાં દેવ દેવતાઓના મનહરણાં મંદિરો જે નગરીની શાનસ્વરૂપ હતાં દાનશૂર, કર્મશૂર અને ધર્મશૂર એવા માણેકશા શેઠની એ કર્મભૂમિ ઉજ્જૈની નગરીનો પ્રાચીન સમયનો માણેકગઢ આજ પણ મોજૂદ છે. ચિત્રમાં નજરે પડે છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ श्री यक्षेन्द्रवीरार्चनम् । ( શ્રી માળિભદ્રવિંશતિ:।) શ્રી યક્ષેન્દ્ર માણિભદ્રદાદાની પ્રેરક અને ભાવવાહી સ્તુતિ ભાવાનુવાદ સાથે અત્રે પ્રસ્તુત છે. • रचयिता પ્રા. ડૉ. વાસુદેવ વિ. પાઇવ્ઝ ' વાર્થ ' સંસ્કૃત/પ્રાકૃત વિભાનાધ્યક્ષ:, વી. ડી. આર્ટ્સ જાતેઞ, અમવાવા૬-૧ ભાવાનુવાદઃ પ્રા. ચન્દ્રિકા પાઠક, સંસ્કૃત/પ્રાકૃત વિભાગ, બી. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ –૧ નિષ્ઠાપૂર્વકની ભક્તિ તથા તપ દ્વારા હંમેશા મહાનતા મળે છે, એ શ્રી માણિભદ્રદાદાની સિદ્ધિનો સંદેશ છે. પોતાની આ મહાનતા પારસમણિ જેવી હોઈને અન્યને પણ ઉત્કર્ષ સાધવામાં ઉપકારક નીવડે છે, એ એની અનુશ્રુતિ છે. સાધક કે ભક્તની પવિત્ર અને શુદ્ધ ભાવના, અહિંસાદિ સદ્ગુણોનો સ્વીકાર, વગેરે જેટલા પ્રબળ તેટલી જ મોટી તેની સાધનાની સિદ્ધિ. આવો સુંદર ભાવ આ સ્તોત્રમાં સતતપણે ધ્વનિત છે. યોગ્ય ભૂમિકા સાથે તેની પ્રસ્તુતિ અનેકને ખૂબ જ ઉપકારક બની રહેશે એવી શ્રદ્ધા હૃદયમંદિરમાં ભરી રાખી છે. `આ સ્તોત્રના રચયિતા પ્રા. ડૉ. વાસુદેવભાઈ પાઠક અને પ્રા. ચંદ્રિકાબહેન પાઠક સંસ્કૃત-પ્રાકૃતના સારા એવા જ્ઞાતા છે. સર્જનાત્મક સાહિત્યશ્રેણીમાં હંમેશાં તેમનો સહયોગ રહ્યો.છે. · परा प्राचीनता यस्य महिमा मंगलः परः दिव्यानुभववैविध्यम् वरदातृत्वमद्भुतम् तस्य श्रीमाणिभद्रस्य स्मृत्वा दिव्यान्वरान्गुणान् स्वकीयं जीवनं कार्यं सरलं भावभावितम् 1 || -૨ || જેની અત્યંત પ્રાચીનતા છે, ઉત્તમ અને મંગલયમ મહિમા છે, અદ્ભુત વરદાન આપવાપણું છે, તેવા શ્રી માણિભદ્ર દેવના દિવ્ય અને ઉત્તમ ગુણોનું સ્મરણ કરીને, પોતાના જીવનને સરળ અને સદ્ભાવસભર કરવું જોઈએ. ( ૧–૨ ) 413 I 1 –સંપાદક Page #430 -------------------------------------------------------------------------- ________________ 414 તપાગચ્છાધિષ્ઠાયક • विकटे वर्तमानेऽपि विश्वे धन्या धरा वरा । નવુદીપે વરે તત્ર fift: શત્રુનઃ જીમ: II રૂ II વિકટ એવા સામ્પ્રત સમયમાં પણ, સમગ્ર વિશ્વમાં આ પૃથ્વી ધન્ય અને ઉત્તમ છે. તેમાં ય, ઉત્તમ એવા જંબુદ્વીપમાં શત્રુંજય નામનો શુભ (કારક) પર્વત છે. (૩) • રાત સુદ્ધાતઃ કોટિલાળવાર: | बहुभिस्साधकश्रेष्ठैः भक्त्या भक्तैरुपास्यते ॥ ४ ॥ કરોડો કલ્યાણ કરનાર તે, ગિરિરાજ તરીકે સુવિખ્યાત છે. અનેક શ્રેષ્ઠ સાધકો અને ભક્તો વડે તેની ભક્તિભાવ પૂર્વક ઉપાસના થાય છે. (૪) • निर्व्याजेनैव भावेन श्रीशजयभक्तित: । श्री माणिभद्रवर्यैश्च सर्वरक्षा विचारिता ॥ ५ ॥ આ શત્રુંજયની ભક્તિથી, નિર્વાજ (સહજ, સ્વાર્થ વિના)ભાવે, શ્રી માણિભદ્ર સર્વ પ્રકારની (સૌની) રક્ષા કરવા વિચાર્યું. (૫) • પૂર્વન-મનિ ચશ્વાસીન ' માળવેન્દ્ર નામઃ | श्रेष्ठी सद्गुरुभक्तस्स: मातृभक्तिपरायणः ॥६॥ પૂર્વ જન્મમાં જે ' માણેકચન્દ ' એવા નામે થયા, તે સદ્ગુરુભક્ત શ્રેષ્ઠી, માતૃભક્તિમાં * (પણ) પરાયણ હતા. (૬) • તે વાતનાશ્વાત્ પશ્વાત્તાપ: ઋત: પર:I. ततो यक्षेन्द्रवीरेति माणिभद्रेति विश्रुतः ॥ ७ ॥ તેમણે 'આશાતના' પછી પશ્ચાત્તાપ કર્યો (તપથી કર્મ બાળી નાખ્યાં) અને યક્ષેન્દ્રવીર તથા માણિભદ્ર તરીકે ખ્યાતિ પામ્યા. (૭) • મણિભદ્રસ્થ સ્વરૂપૈસુપ્રસન્નતા | चमत्काराश्च जायन्ते बहुधा सुखकारकाः ॥ ८ ॥ શ્રી માણિભદ્રનાં સ્વરૂપોનાં દર્શન–ધ્યાનથી ખૂબ જ પ્રસન્નતા મળે છે. અને અનેક પ્રકારે સુખ આપનારા ચમત્કારો થાય છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 415 • શ્રીમણિભદ્ર ' fપંડી' પ્રભાવ: સુવિ નારાયતીતિ સત્યમ્ | सर्वं ददात्येव सुखानुगं यद् इत्येव सामर्थ्यमयं सदैव ॥ ९ ॥ શ્રી માણિભદ્રની પિંડીનો પ્રભાવ દુઃખ વગેરેનો નાશ કરે છે, એ સત્ય છે. જે કાંઈ સુખપૂર્વકનું છે, તે બધું જ તે આપે છે, એ જ હંમેશાં સામર્થ્યમય છે. (૯) • क्षेत्रं मगरवाडाख्यम् आगलोडं तथा शुभम् । उज्जयिनीति सुख्यातं माणिभद्रेण पावितम् ॥ १० ॥ શુભ એવા મગરવાડા, આગલોડ, અને ઉજ્જયિનીનાં સુવિખ્યાત સ્થાનો, શ્રી મણિભદ્ર પવિત્ર કર્યા છે. (૧૦) • यन्त्रं श्रीमाणिभद्रस्य पूजितं भक्तिभावतः । સંપત્તિ સંતતિ છે; સુરવં સર્વ પ્રથચ્છત || ૨૨ | શ્રી માણિભદ્રના યંત્રને ભક્તિભાવ પૂર્વક પૂજવાથી, સંપત્તિ, સંતતિ, કલ્યાણ અને સર્વ સુખ આપે છે. (૧૧) • होमैश्च हवनैभव्यैर अभिषेकादिभिश्शुभैः । कर्तव्यं भक्तिभावेन माणिभद्रार्चनं वरम् ॥ १२ ॥ ભવ્ય હોમ-હવનથી અને શુભ અભિષેક વગેરે દ્વારા ભક્તિભાવ પૂર્વક, શ્રી માણિભદ્રનું ઉત્તમ અર્ચન કરવું જોઈએ. (૧૩) • शुभैव पञ्चमी शुक्ला अष्टमी च चतुर्दशी । પૂનાથ મણિભદ્રસ્થ ગુરુવીરસ્ત થોત્તમ: | શરૂ II શ્રી માણિભદ્રના પૂજન-અર્ચન માટે શુક્લ પક્ષની પાંચમ, આઠમ અને ચૌદશ તથા ગુરુવાર ઉત્તમ છે. (૧૪) • रोगाच्च बन्धनाच्चैव मुच्यते व्रतवान्नरः । निराशा नश्यति, प्रीत्या सदाशा सफला सदा ॥ १४ ॥ શ્રી માણિભદ્રનું વ્રત કરનાર, રોગ અને બંધનથી મુક્ત થાય છે, તેની નિરાશા નષ્ટ થાય છે અને સેવેલી સારી આશા સદા સફળ બને છે. (૧૪) Page #432 -------------------------------------------------------------------------- ________________ 416 वाञ्छितं लभ्यते सर्वं नश्यत्येवमनीप्सितम् । नश्यति ग्रहबाधा च मनः शुद्धिर्भवेद्यदि || ↑ || શ્રી માણિભદ્રની પૂજામાં જો મનની શુદ્ધિ હોય તો ઇચ્છેલું બધું જ મળે અને અનિચ્છિત નાશ પામે. ગ્રહની પીડા પણ નષ્ટ થાય. ( ૧૫ ) भैरवोत्पातपीडायां श्रीमाणिभद्रसाधना 1 शीघ्रं फलति भक्तेभ्यः शुभां शान्तिं प्रयच्छति || ૬ | ખાસ કરીને ભૈરવની ઉત્પાત-પીડામાં શ્રી માણિભદ્રની સાધના શીઘ્ર ફળે છે અને ભક્તોને શુભ શાન્તિ આપે છે. ( ૧૬ ) स्तोत्रं श्रीपाठकेनात्र वासुदेवेन सौख्यदम् । कृतं भद्रं प्रियं पुण्यं माणिभद्रप्रसादकम् ॥ १७ ॥ શ્રી વાસુદેવ પાઠક દ્વારા રચાયેલ આ સ્તોત્ર પવિત્ર, પ્રિય, પુણ્યરૂપ, સુખપ્રદ, અને શ્રી માણિભદ્રની કૃપા આપનાર છે. ( ૧૭ ) તપાગચ્છાધિષ્ઠાયક સૌના હિતની કામનાથી, અને આરાધ્ય એવા શ્રી માણિભદ્રની કૃપા માટે, હંમેશાં ચિત્ત, વાણી અને કર્મમાં અહિંસાની ભાવના સેવવી જોઈએ. ( ૧૮ ) • अहिंसाभावना चित्ते वाचि कर्मणि नित्यशः । आराध्यस्य प्रसादार्थं कार्या सर्वहितेच्छया ॥ १८ ॥ सच्चरित्रेण लोकेऽस्मिन् विकासश्शुभकारकः । आराधितप्रसादेन धन्यश्च सुखकारकः || ૧૧ || આરાધ્ય શ્રી માણિભદ્રની કૃપાથી, આ લોકમાં સારા ચારિત્ર્ય દ્વારા, શુભ અને સુખ કરનારો વિકાસ સધાય છે. (૧૯) • श्रीमाणिभद्रस्य महत्त्वपूर्णां यक्षेन्द्रवीरस्य च विंशतिं वै सद्भक्तिभावेन भावं विदित्वा भजन्ति ये धन्यतां ते व्रजन्ति ॥ २० ॥ શ્રી માણિભદ્રની કે શ્રી યક્ષેન્દ્રવીરની આ 'વિંશતિ' (વીસ શ્લોકમાં રચેલી સ્તુતિ) સદ્ભક્તિથી અને તેનો ભાવ સમજીને જે ગાય ( અને અનુસરે) તે ધન્યતા પ્રાપ્ત કરે છે. (૨૦) કૃતિ શ્રી ડૉ. વાસુડેવ વિ. પાઇવ્ઝ 'વાગર્થ' વિરવિત 'શ્રી યક્ષેન્દ્રવીરાર્ધનમ્ ॥ Page #433 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 407 'શ્રી માણિભદ્રજીનો મહાન મંત્ર પ્રસ્તુતકર્તા: ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજ મંત્રસાધનામાં મંત્રદેવતાને ભક્તિપૂર્ણ રીતે નિમંત્રણ આપવાથી મંત્રદેવતા મંત્રસાધનામાં સફળતા અવશ્ય અપાવે છે. સાધકની સાધનામાં નવો પ્રાણ પૂરે છે નવકારમંત્ર ! આ નવકાર મંત્ર માનવીને નિર્મળ બનાવે છે, નિસ્પૃહ બનાવે છે, નિશ્ચિંત બનાવે છે, નિર્વિકારી બનાવે છે, સાચા અર્થમાં નિગ્રંથ બનાવે છે. અત્રે આ લેખમાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ શ્રી માણિભદ્રજી સાધનાની પગદંડી સુંદર સજાવી છે. સાધનાના અનેક મંત્રો પૈકી સૌથી સરળ મંત્ર ઉપર પ્રસ્તુત લેખ સારું માર્ગદર્શન આપે છે. સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવનાર તત્ત્વ પ્રત્યે પરમ નિષ્ઠા, એકાગ્રતા, બહુમાનભાવ, નિયમિતતાની જરૂરિયાત સાથે આયંબિલનો તપ, નવકારનો જપ અને શત્રુંજયના ધ્યાનની વિશિષ્ટતા સમજાવી છે. ઘટનાના સંદર્ભે કેટલાંક રહસ્યોનું ઉદ્ઘાટન પણ કર્યું છે. માણિભદ્ર ઇન્દ્રદેવનું મંત્રાધિષ્ઠિત અનુષ્ઠાનનું અત્રે કરાયેલું માર્મિક ઉર્બોધન સાધકને કાંઈક ઈષ્ટ જરૂર પ્રાપ્ત થશે જ. આ લેખના લેખક પૂ. મુનિશ્રી ચિંતક પણ છે. આગમશાસ્ત્રો અને ગુરુગમના બળે તત્ત્વોના ઊંડાણ સુધીનું ખેડાણ કરવા સદા પ્રયત્નશીલ રહ્યા છે. મનન, ચિંતન, સંશોધન અને પરબોધનની પ્રક્રિયાને વધુ પસંદ કરે છે. પોતાની માસૂમ બાળ અવસ્થાથી યુવાવસ્થા સુધી અનેક વખત સંકટ સમયે કે શુભ કાર્યોના અનુસંધાન કરવા સાંસારિકાવસ્થામાં માણિભદ્રજીને સ્મરણમાં લઈ સફળતા મેળવતા રહ્યા તેમાં કદાચ તેમનો સરળતાનો સ્વભાવ કારણભૂત પણ હશે. શાસનદેવને પ્રાર્થીએ છીએ કે આ લેખક-મુનિશ્રીને શાસનસેવા માટે પ્રેરક બળો મળી રહે. –સંપાદક તપ એટલે કર્મમળને તપાવી બાળી નાખવાનું અમોઘ શસ્ત્ર. જૈન ધર્મે આ તપધર્મને જેટલી વિશેષતા–વિલક્ષણતાથી વિવેચિત કર્યો છે, તેવી વિશદ વિસ્તારણા અન્ય કોઈ ધર્મદર્શન કે મંતવ્યોમાં જોવા-જાણવા નથી મળતી. Page #434 -------------------------------------------------------------------------- ________________ 418 તપાગચ્છાધિષ્ઠાયક તપસ્યાના બાર પ્રકાર, છ બાહ્ય તેમ છે અત્યંતર. તેમાંય બાહ્યતાની સાધના તનનાં તોફાનોને ઉપશમાવે, જ્યારે અત્યંતર (છૂપો) તપ મનની મલિનતાનું મારણ કરે. માટે જ બાહ્ય તપ અણસણ વગેરેથી જો પ્રાયશ્ચિત્ત વગેરે છ અભ્યતર તપ ખીલવા લાગે તો તેવો લોકદશ્ય ઉપવાસ વગેરેનો બાહ્ય તપ સાર્થક છે. તે જ પ્રકારે અત્યંતર તપની સાર્થકતા કષાયોની આગ તથા વિષયોના રાગના ઉપશમમાં પરાકાષ્ઠાએ પહોંચી વીતરાગી-વીતષી જેવી નિરાગી દશા સુધીનાં સોપાનો સર કરાવી શકે છે. કહેવાય પણ છે કે તપસ્વીઓનું બોલ્યું ફળે ને બ્રહ્મચારીઓનું ચિંતવ્યું. તપમાં સંકલ્પસિદ્ધિ સાધવા માટે જે શક્તિ છે તેનો એક પ્રકાર છે ધ્યાન-તપ, ધ્યાનની મ્યાનમાં મનને મૂકી તપ સાથેનો જપ ઘણો જ પ્રભાવશાળી મનાય છે. માટે જ શાસ્ત્રોમાં ઠેર ઠેર વિવિધ મંત્રજાપનો મહિમા બતાવવામાં આવ્યો છે. સંકલ્પશુદ્ધિ અને સંયમ સાથેનો જપ તે સ્વયં અત્યંતર તપ છે, જે દ્વારા દેવદેવીઓની દેવતાઈ શક્તિઓને આકર્ષી શુભ સંકલ્પોને સિદ્ધ કરી શકાય છે. અને તેવી સફળતાનાં સાચાં ઉદાહરણો–અનુભવો અનેક પાસેથી જાણી –માણી સ્વાનુભૂતિ પણ કરી શકાય છે. સાધકે સત્યસાધનાના સરળ માર્ગે સાધવા જેવા અનેક મંત્રો છે તેમાં નમસ્કાર મહામંત્ર મોખરે છે. તે મહામૂલા મંત્રથી લોકોત્તર લબ્ધિઓ પણ પ્રગટાવી શકાય છે, ભવો સુધારી શકાય છે અને મોક્ષમાર્ગે પણ ચડી શકાય છે, છતાંય બાળ-મધ્યમ–બુધ જીવભેદોમાં મોટો ભાગ બાળજીવોનો હોવાથી અતિ અલ્પ જીવોને લોકોત્તર તત્ત્વ મોક્ષની સહજ રુચિ હોય છે; જ્યારે લૌકિક આશા-એષણાઓની પૂર્તિ તથા વિદન-સંકટની ક્ષતિ માટે ઝઝૂમનારો વર્ગ બહોળો હોય છે. તેવો વર્ગ તેમની ઉચ્ચ ને તુચ્છ આશા-અપેક્ષાઓ જો ન સચવાય તો મનથી ભાંગી ધર્મભ્રષ્ટ પણ થઈ જાય. માટે જ સૌને ધર્મભાવનાથી બાંધી રાખી ધર્મ પ્રાર્થથી લઈ મોક્ષ પુરુષાર્થના પવિત્ર પગથિયે પહોંચાડી દેવા અને સિદ્ધાવસ્થા સુધીના સર્વોત્તમ સુખના સૌભાગી બનાવવા કરુણાપૂત જ્ઞાનીઓએ નિત્યજાપ માટે વિવિધ વિધાનો-મંત્રશાસ્ત્ર કરેલાં છે, કહેલાં પણ છે. તેમાંય જે મંત્ર સરળ સચોટ અને સંક્ષેપમાં હોય તે સૌને સાધવામાં સુગમ પડે છે, તેથી શાશ્વતા નમસ્કાર મહામંત્ર જેવા સરળ મંત્રની મૌલિકતા મોખરે છે, જ્યારે સંક્ષેપના આગ્રહી છે , માટે સચોટ મંત્ર પણ તે જ નવકારના નિચોડ જેવા અક્ષરો-શબ્દોની રચનાથી બનેલો હો. આમ લોકોત્તર–અર્ધલૌકિક અને લૌકિક ભાવના ભેદને કારણે મુગ્ધ જીવો માટે દેવદેવી માં ! દુઃખ અને ભૂખ ભાંગવા એક અલગ મંત્રશાસ્ત્ર છે જે દ્વારા સજ્જન લોકો સ્વજન જેવા નામ છે દેવોને સાધી સ્વહિતને સાચવી લેતા હોય છે. સમકિતી શુદ્ધાત્માને પણ સંકટ સમયે મહામંત્ર જેમ નિશ્ચયે ફળે તેમ કર્મોદયે --શોક દુઃખ દારિદ્ર, આશા-ઇચ્છાઓ જૈન શાસનનાં મહાન કાર્યોને સાધવાના ક્રમિક ઉ. ' ની પૂર્તિ માટે સમકિતધારી, જૈનશાસન પ્રેમી, તપાગચ્છીય શાસનરક્ષક દેવની સાધના મંત્ર પણ ઉપયોગી બન્યો, બને છે અને બનશે જેના નક્કર પુરાવા નોંધનીય છે. -- Page #435 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 419. મહામંત્ર તથા મહાગિરિના ધ્યાન–જાપ થી પાંચમી વ્યંતર નિકાયના યક્ષેન્દ્ર માણિભદ્રવીર તરીકે અફલાતૂન જીવન મેળવી જનાર દેવને સ્વયં નવકારજપ, આયંબિલ તપ ને બ્રહ્મચર્ય ખપ કેટલો વહાલો હતો/છે તે જાણવા કંઈક ઊંડાણ ખેડાણ જરૂરી છે, તેથી પ્રસ્તુત લેખનો વિસ્તાર તે તત્ત્વ પામવાનો પ્રયત્ન છે. સ્વોપકારી ગુરુવર્ય પૂ. હેમવિમલસૂરિજી પાસે માણેકશાહે આસો સુદ પાંચમના મંગલ મુહૂર્ત જ્યારે સિદ્ધિગિરિની પદયાત્રાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેમના ચડતા અધ્યવસાય દેખી લાભાનુલાભ જાણી ગુરુદેવે પ્રણ ભરસભામાં ત્રણ નવકારના માંગલિક સાથે પવિત્ર પ્રતિજ્ઞા ઉચ્ચરાવો અને શેઠે પણ લીધાં કે સંપૂર્ણ યાત્રા દરમિયાન નવકારનો જાપ ચાલુ રાખવો. જાપના અજપાજપથી તેઓ સ્વયં મંત્રમય બની ગયા હતા, તેથી જ ડાકુઓએ તેમનો પીછો કર્યો, પડકાર કર્યો ને પ્રહાર પણ; ત્યાં સુધી તેઓ મંત્રજાપના પ્રભાવે જાણે ગુમભાન હતા, તેમના પ્રાણ પરવારી ગયા ત્યારે સાથનો સાચો સાથી નવકાર જ હતો – માટે જ માણિભદ્ર દેવના અવતારમાં હાલે પણ તેઓ નવકારપ્રેમી છે. તે પણ એક કારણ છે કે માણિભદ્રજીને પ્રસન્ન કરવા પૂર્વે લાલ આસન ઉપર શુદ્ધ વસ્ત્રો પહેરી ધૂપ-દીપ અખંડ રાખી પ્રથમ તો ૧૨૫ નવકારવાળી ગણવાનું વિધાન છે, પછી જ માણિભદ્રદેવનો મંત્ર ૧૨૫૦૦ વખત જપવાનો છે. એક વખત તે મંત્રસિદ્ધિની પ્રતીતિ થયા પછી કે ચમત્કાર થયા પછી, જ્યારે જરૂરત પડે, ફક્ત તે મંત્ર ૧૦૮ વાર જપવાથી પણ શુદ્ધ પાણી, વાસક્ષેપ, વસ્તુ વગેરે અભિમંત્રિત થઈ જાય છે, અને ધાર્યું શુભકાર્ય સાધવામાં સફળતા મળે છે. ઉપરાંત માણિભદ્રજીનો મંત્ર સ્વ નવકારના નિચોડ રૂપ અક્ષરોથી રચાયેલો છે, જેનું રહસ્ય આ જ લેખમાં આગળ પ્રસ્તુત છે. નવકારજપ પછીની પ્રક્રિયા છે આયંબિલ તપની. યક્ષેન્દ્રને સાધવાના શુભ દિવસો કે તિથિઓ નિયત છે, પણ શર્ત છે કે તેમની સાધના કરનારે આયંબિલનો તપ તે તે દિવસ કે તિથિના કરવો. આયંબિલનો તપ જઘન્ય અને મધ્યમ તપ અટ્ટમ છે. જ્યારે ઉત્કૃષ્ટ તપનો નિયમ નથી, કારણ કે શ્રી શાંતિસોમસૂરિજીએ ૧૨૧ ઉપવાસનો ઉગ્ર તપ કરી મહા સુદ પાંચમના શુભ દિવસે પ્રત્યક્ષ થયેલ માણિભદ્રજીના ધડની સ્થાપના તેમના જ નિર્દેશ મુજબ કરી ત્યારે સંવત હતી વિ.સં. ૧૭૩૩. હકીકતમાં આયંબિલના તપ સાથેનો જપ માણિભદ્રજીને વધુ ઇષ્ટ એટલે પણ છે કે તેઓએ જ્યારે જાહેરમાં જાત્રાની પ્રતિજ્ઞા ઉચ્ચરી ત્યારે ઉપવાસ સાથે પહોંચવા સંકલ્પ કર્યો અને સંકલ્પ સાથેનો શુભભાવસિંચન પામી વધુ ગાઢ બન્યો આસો માસની આયંબિલની શાશ્વતી ઓળીમાં. એક હતો શાસ્વતા તીર્થ શત્રુંજય દર્શનનો ભાવ, તેમાં ભળ્યા બાશ્વતા નવકારજપનો સદ્ભાવ અને પુણ્યોદયે પ્રતિજ્ઞા તિથિના તરત પછી પ્રારંભ થઈ ગઈ આયંબિલની ઓળી. ગુરુનિશ્રામાં રહેલા માણેકશાહની મનોકામના આ દિવસોમાંખૂબખૂબ ઉલ્લસી કારણ કે તે પ્રતાપ હતો શાશ્વતી આયંબિલ ઓળીના શુભ દિવસોનો. આમ ત્રણ શાસ્વત તત્ત્વોનો તેજલિસોટો Page #436 -------------------------------------------------------------------------- ________________ 420 તપાગચ્છાધિષ્ઠાયક ત્રિવેણી સંગમ બની શેઠના સરળ મનને પ્રકાશિત કરી ગયો. જપતપ સાથે બ્રહ્મચર્યના ખપની જે તાતી આવશ્યક્તા છે, તેના રહસ્યમાં એ જ છે કે બ્રહ્મચારીનું ચિંતવેલું તરત ફળે, જયારે ફક્ત તપસ્વીનું બોલેલું ફળે છે ; તે પણ બીજા માટે શાશ્વતા તત્ત્વોની સફળ સાધનામાં શિયળ ધર્મ મુખ્ય ભાવ અને ભાગ ભજવે છે. કોઈપણ શુદ્ધ કે શુભ મંત્રસાધના કરવાની હોય ત્યારે બ્રહ્મચર્યનું વિશુદ્ધિ બળ સાધકે સાધના વખતે દેવું જ પડે છે, અન્યથા તે સાધનાઓ સિદ્ધ થાય તેવું જોવામાં આવતું નથી. તેમના બ્રહ્મચર્યપ્રેમની પરાકાષ્ઠા તો ત્યારે ઝળકી ગઈ હતી જ્યારે અડવાણે પગે, શત્રુંજયની જાત્રા બ્રહ્મચર્યના ત્રિવિધ પાલન સાથે કરવાની તેમની તમન્ના હતી તેથી તે વ્રતને અખંડિત રાખવા જાત્રામાં પોતાની પ્રિય ભાર્યા જેવો નારી સંગ પણ વર્યો અને એકલા અટૂલા જેમ પરમ બ્રહ્મને જાણે સાધવા નીકળી પડ્યા. આમ માણિભદ્રદેવને મનાવવા મન-વચન-તનનો જપ-તપ-ખપ રૂપી ત્રણ તત્ત્વો સાથે વાસિત કરવું પડે છે. આટલી ઉમદા કિંમત ચૂકવ્યા પછી અતિ ઉમદા દેવકૃપા તે તે સાધકને સંપન થઈ રહે તેમાં આશ્ચર્ય શું? આ ઉપરાંત અઠ્ઠમતપ વડે પણ પુણ્યશાળી કોઈક આત્મા માણિભદ્રજીને આકર્ષી શકે છે, જેમકે તેમના જ આગલા ભવના ઉપકારી આચાર્ય ગુરુ શ્રી હેમવિમલસૂરિજીએ પોતાના સમુદાયના ૧૭ પૈકીના ૧૦ સાધુના અકાળ કાળધર્મનો ઉપદ્રવ દેખી ગુજરાતની હદમાં પ્રવેશતાં જ મગરવાડા પાસે ફક્ત એક અટ્ટમ સાથે પદ્માસનમુદ્રામાં કાઉસગ્ગ કરી માણિભદ્રના સિંહાસનને ચલાયમાન કરી દીધેલ, અને દેવેન્દ્ર માણિભદ્ર પ્રકટ થયા, પરિચય આપ્યો અને મહાસુદ પાંચમે (વસંત પંચમીના શુભ દિને) તેમના પગની પિંડીની સ્થાપના ત્યાંના આચાર્ય ભગવંતે કરાવી ત્યારે જાહેરાત કરી કે તપાગચ્છની પાવન પરંપરામાં જે જે મહાત્માઓ આચાર્યપદને પ્રાપ્ત કરી પ્રથમ મગરવાડા આવી અટ્ટમ કરી મને સ્મરણમાં લેશે તે તે નૂતન સૂરિવરોની સેવામાં હું ઉપસ્થિત થઈ શાસનસેવા માટે ઘટતું કરીશ. આજે પણ તે પ્રભાવ પુરવાર કરી શકાય છે. આમ ધડ આગલોડમાં, પિંડી મગરવાડામાં તેમ મસ્તકની સ્થાપના ઉજ્જૈનમાં છે. માણિભદ્રજીની સાધનાનો મંત્ર છે – ૩ૐ અસિઆઉસા નમઃ શ્રી માણિભદ્ર દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ. તેમાં અસિઆઉસાનો શબ્દ પંચપરમેષ્ઠીને પ્રણામ કરવાના હેતુ છે, જે નવકારના નિચોડરૂપ કહેવાય છે. સાથોસાથ આ જ અસિઆઉસા દ્વારા પાંચ મહાતીર્થોને પણ નમસ્કાર કરવામાં આવે છે. કારણ કે તીર્થસ્મરણ તથા નવકારગણનના સહયોગી વાતાવરણ વચ્ચે માણેકશાહનું મરણ થયું છે. નવકાર = જંગમતીર્થને નમસ્કાર. અસિઆઉસા = જંગમ તથા સ્થાવર બેઉ પ્રકારનાં તીર્થોને સામટા પ્રણામ. વધુ વિસ્તાર કરીએ. અક્ષર જંગમતીર્થ સ્થાવરતીર્થ અરિહંત પરમેષ્ઠી અષ્ટાપદ મહાતીર્થ સિદ્ધિ પરમેષ્ઠી સિદ્ધાચલજી મહાતીર્થ અ Page #437 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 421 આચાર્ય પરમેષ્ઠી ઉપાધ્યાય પરમેષ્ઠી સાધુ પરમેષ્ઠી આબુ મહાતીર્થ પરમેષ્ઠી ઉજ્જયંત (ગિરનાર) મહાતીર્થ સમેત શિખરજી મહાતીર્થ આ જ પંચ પરમેષ્ઠીના અક્ષરોનો અતિ સંક્ષેપ કરવાથી એકાક્ષરી પણ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરાવી શકે છે. કારમાં પાંચેય પરમેષ્ઠીઓનો સમૂહવાસ છે. તે અક્ષરની રચના અરિહંતના અ, અશરીરી સિદ્ધ ના અ, આચાર્યના આ ઉપાધ્યાયના ઉ, મુનિ (સાધુ)ના મ ના સંયોજન (અઅ+આ+ ઉમ)થકી થઈ છે. આમ નવકાર મહામંત્ર નવપદ સાથેનો અને ૬૮ અક્ષરી મૂળમંત્ર છે, અસિઆઉતા તે જ મંત્રનું મધ્યમ સ્વરૂપ છે તથા સૂક્ષ્મ સ્વરૂપ. માણિભદ્રદેવની સાધનામાં જાપ કરવાનો મંત્ર સ્પષ્ટ છે, સરળ છે અને તેમને સાધવાના અન્ય અનેક મંત્રો પૈકી અતિ ઉપયોગી ને ઉપાદેય તરીકે ઉપરોક્ત મંત્ર છે. તેમાં છે પરમેષ્ઠી પ્રણામહેતુ પ્રણવબીજનો અક્ષર કહેવાય છે, અસિઆઉતા તે જ 8 નો વિસ્તાર છે ને તેનો વિસ્તાર છે નવકાર. આમ પ્રથ : તે ગમ તથા સ્થાવર તીર્થને નમસ્કાર કરી પછી શ્રી માણિભદ્રજી પાસે માંગણી મૂકી શકાય છે કે મને સદાકાળ માટે સર્વ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરાવો. આમ પાંચ જીવંત અને પાંચ અજીવ તીર્થોને નમસ્કાર કરનાર ઉપર માણિભદ્ર પ્રસન્ન થાય છે. તેનું કારણ પણ છે કે તે જ બેઉ પ્રકારનાં તીર્થોની રટણ–ધૂનમાં જ માણેકશાહ માનવ મટી દેવ થયા છે અને તે તીર્થપ્રેમના પ્રતાપે આવતા ભવમાં તો મોક્ષે પણ જવાના છે. તેમના પ્રેમપાત્ર બે તીર્થો ઉપર જેમને પ્રેમ પ્રગટે તે તે પ્રેમીઓ ઉપર માણિભદ્રજીને પણ પ્રેમનો પારાવાર ઊભરાય છે. મધ્યમ કક્ષાના જીવો માટેનો મંત્ર છે પછી હું અને શ્રી સાથે જોડાઈ અસિઆઉતા ને નમસ્કાર દર્શાવે છે કારણ કે મધ્યમમાર્ગી જીવો એકાંતે મોક્ષપ્રેમી નહીં પણ આધ્યાત્મિક સાથે આધિભૌતિક, આધિદૈવિક એષણાઓના મિશ્રભાવથી જોડાયેલા હોય છે. હકાર માયાબીજ છે અને સાધ્યને વશીકરણ કરવા વપરાય છે. ત્યારે શ્રીંકાર લક્ષ્મીબીજ છે, જે મોક્ષ તથા ધર્મપુરુષાર્થની સાથોસાથ અર્થ અને કામ પુરુષાર્થ માટે ઉપયોગી ગણાય છે. માટે જ મધ્યમમાર્ગી જીવો બીજો મંત્ર ૐ હ્રીં શ્રીં અસિઆઉસાય નમઃ ગણી ધર્મમાર્ગે સ્થિર રહે છે. જ્યારે મોક્ષપ્રેમી બાળ જીવથી લઈ બુધજીવ સૌ માટે પ્રથમ મહામંત્ર નવકાર શ્રેષ્ઠ પુરવાર થયેલ ચમત્કારી મંત્ર છે તે નમસ્કાર મહામંત્ર માટે વર્ણન કરવું મર્યાદાતીત બનવાથી અહીં તેનો ઉલ્લેખ નથી, પણ અતિ સંક્ષેપમાં કહી શકાય કે સર્વશ્રેષ્ઠ અને શાશ્વતો મંત્ર હોય તો તે છે નવકારમંત્ર જેના અક્ષરો ૬૮ તીર્થોના સારરૂપ છે, ૧૪ પૂર્વોના સારરૂપ તે મંત્ર પંચમંગલ મહાશ્રુતસ્કંધ કહેવાય છે. ઘણી જ ચમત્કારી છે તથા તેની નવનિધિઆઠસિદ્ધિ અનેક ઋદ્ધિ-લબ્ધિઓને પ્રાપ્ત કરાવી શકનાર સરળ તથા સફળ મંત્ર છે. આ થઈ ત્રણ પ્રકારી તંત્રોની સંક્ષિપ્ત વાત. તેમાં ત્રીજો મંત્ર જે માણિભદ્રજીને સાધવા માટેનો છે તે મંત્રજાપ પણ બાહ્ય અભ્યતર શુદ્ધિ-વિશુદ્ધિ તથા વિધિપૂર્વક નિયત તિથિ-વારના Page #438 -------------------------------------------------------------------------- ________________ 422 તપાગચ્છાધિષ્ઠાયક ગણવાથી શીઘ્ર ફળે છે, જેને સૌ કોઈ સહજતાથી સમજી શકે તે રીતે મંત્રસાધનાની રીતિ-નીતિ નિમ્ન રૂપે પ્રસ્તુત કરેલી જાણવી. આમ તો વિવિધ ઉદેશ્યથી જાપ માટે વિવિધ મંત્રો છે, પણ દેશકાળને અનુરૂપ સરળતમ મંત્ર.. '39 અસિઆઉસા નમ: શ્રી માણિભદ્ર દિશા મમ સદા સર્વ કાર્યેષ સિદ્ધિ ' નો જાપ કેવી રીતે થઈ શકે તેની જ માહિતી પ્રદાન કરેલ છે. સાધના માટે શુભ દિવસો સાધના માટે શુભ તિથિઓ સાધના માટે શુભ માસતિથિઓ સાધના માટે શુભ સ્થાન સાધના માટે શુભ અનુષ્ઠાન સાધના માટે શુભ ભાવબળ સાધના માટે શુભ સંયોગો સાધનાથી મળતાં ફળો રવિવાર મંગળવાર | ગુરુવાર સુદ પાંચમ | સુદ આઠમ | સુદ ચૌદશ વસંત પંચમી | અખાત્રીજ આસો સુદ પાંચમ ઉન આગલોડ મગરવાડા આયંબિલ નવકારજપ બ્રહ્મચર્ય સંકલ્પ સરળતા બ્રાહ્મમુહૂર્ત પદ્માસન ઉત્તરાભિમુખ વિનોપશમ | વાંછિતસિદ્ધિ | શાસનસેવા સિદ્ધિ સંયમ ઉપરોક્ત 'સુ' તત્વોના સહયોગ પ્રારંભ કરેલો જાપ શીઘ્ર ફળે છે. મંત્રના પ્રારંભે નવકારની સાધના વિશેષે હિતકારી બને છે, તથા માણિભદ્રજીના મંત્રની ફકત ૨૧ માળા ૨૧ શુભ દિવસ તિથિઓમાં ગણવાની રહે છે, તે પછી રોજની ફક્ત ૧ માળા ગણવાથી પણ માણિભદ્રદેવની સહાય સહજમાં મળી રહે છે. આ સાધનાના સાધકો શ્રમણો કે શ્રમણોપાસકો કોઈ પણ પુરુષ બની શકે છે. બહેનો માટે આ સાધના લગભગ વ્યવહારમાં જોવા નથી મળતી. મંત્રનો જાપ ૧૨૫૦૦ અથવા ૨૮000 વાર કરવાથી ફળદ્રુપ બને છે. પોતાની વિશેષ સમસ્યાના સમાધાન માટે આયંબિલ તપ, નવકારજપ ને બ્રહ્મચર્ય ખપ કરી શુભ તિથિઓ અથવા ખાસ ગુરુવારે રાત્રે ફક્ત ૧૧ માળા ગણી સૂઈ જવાથી ઈચ્છિત પ્રશ્નોના ઉત્તર ઊંઘમાં પણ મળી શકે છે. પુણ્યશાળી આત્માઓ, માણિભદ્ર ઉપર સવિશેષાનુરાગી, સવિશુદ્ધ બ્રહ્મચારીઓ તો ઉપરોક્ત સુ તત્ત્વોની ઉણપ છતાંય યક્ષેન્દ્ર સામે ચડીને પથપ્રદર્શક બની રહે છે, તેવા તો અનેક ચમત્કારો થયા છે, હાલે પણ થઈ રહ્યા છે અને થતા રહેશે. કારણ કે દેવ પોતે જાગૃત અને અપ્રમત્ત છે. તેઓ પોતે સમકિતધારી હોવાથી શુભેચ્છાના જ પૂરક-સહાયક બની શકે છે, મેલી વિદ્યા સાધવા કે કોઈને કુમાર્ગમાં ઉપકારી નથી બનતા. બલકે જેમ ઉપકારી ગુરુને સહાયતા પ્રદાન કરી કાળા-ગોરા ભૈરવો દ્વારા થઈ રહેલ ઉપદ્રવો શમાવ્યા તેમ 'કુ' તત્ત્વોને તગેડી નાખવા સમર્થ સાથી બની શકે છે. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર કરનાર દુનિયાના ચીલાચાલુ વ્યવહારમાં પણ કહેવાય છે કે' નાસતો ગાયતે ભાવો, ના માવો ગાયતે સત: ' જે અસતું હોય તે હોતું નથી અને જે હોય છે તે Page #439 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 423 અસત્ નથી હોતું. તેમ જ માણિભદ્રદેવની કૃપા જેમને મળી કે મળે છે તેઓ જ તેમના સ્વરૂપને પિછાણી શકે છે, સૌ નહિ. પોતપોતાના કર્મ પ્રમાણે કર્મોદયે તે તે પ્રકારનાં ફળ મળે છે. માટે કર્મના નક્કર સિદ્ધાંતો ઉપર નક્કર શ્રદ્ધાવાન માટે મંત્ર-તંત્રની સિદ્ધિ કરતાં પોતાનાં કર્મોની નિર્જરા દ્વારા વિનોપશમ, વાંછિત સિદ્ધિનો માર્ગ શાશ્વતો ને રાજમાર્ગ જેવો છે. છતાં ય બધાય જીવોની સ્થિરતા, ધીરતા, વિરતા, સર્વસમજ સમાન નથી હોતાં તેથી મુગ્ધથી બુધ-સૌને માટે મુગ્ધાવસ્થામાંથી બહાર નીકળવા દેવતાઈ સહાયની જો જરૂરત પડે તો તેવી કટોકટીમાં માણિભદ્રદેવનું સંધાન અન્ય દેવ-દેવીઓ કરતાં ઝડપી અને ઉપયોગી થઈ શકે છે. અસ્તુ... - S ' a અMછે - ચિત્રમાં દેખાય છે જૈનાચાર્યોની ચાતુર્માસ પ્રવેશ પૂજ્યોના નગર પ્રવેશ વખતનો સામૈયાનો વરઘોડો અદભૂત હોય છે. શ્રમણ ભગવંતોની પાવન નિશ્રા અને પ્રેરક ધર્મદેશનાં પામી ધર્મારાધના અને અનુષ્ઠાનોથી નવપલ્લિત બની આપણે પ્રસંગોપાત ધન્યતા અનુભવીએ છીએ. - મથક છે કારણ કે આવા Page #440 -------------------------------------------------------------------------- ________________ 424 તપાગચ્છાધિષ્ઠાયક કલિકાલનું કલ્પવૃક્ષ– શ્રી માણિભદ્રજી – શ્રી " લબ્ધિપ્રિય " - પૂજ્ય શ્રી ઉદયકુશલ ગણિવર' અનુભવ સિદ્ધ ચમત્કારી સ્તોત્ર' માં તપાગચ્છરક્ષક શ્રી માણિભદ્રદેવની સ્તુતિ-ગુણગાન કરતા કહે છે કે, કલિકાલમાં જ્યારે કલ્પવૃક્ષ દોહ્યલુ બન્યું છે. ત્યારે શ્રી માણિભદ્રજી એક એવા દેવ–યક્ષેન્દ્ર છે કે જેમની છત્રછાયા-કૃપા પ્રાપ્ત થયે વર્તમાનમાં—કલિકાલમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમજ દુ:ખ, સંતાપ વિઘ્નો, રોગ–શોક, ભય, શત્રુ આદિ પણ દૂર થાય છે. અને વિશેષ કરી આત્મમહિતાર્થે કરેલા સંકલ્પો જરૂર પરિપૂર્ણ થાય છે. અત્રે આ સ્ત્રોતનો અનુવાદ આપવામાં આવેલ છે. આ સ્તોત્રમાં શ્રી માણિભદ્રદેવને જેમ કલ્પવૃક્ષ સમાન કહ્યા છે તેમ પારસમણિ અને ચિંતામણિ રત્ન સમાન પણ કહ્યા છે. - સંપાદક જ્યારે વિજ્ઞાનનાં ભૌતિક સાધનો ડગલે પગલે વધી રહ્યાં છે ત્યારે માનવી વધારે મૂંઝાઈ રહ્યો છે. કારણ કે તે સાધનોથી સુખ મેળવવા માટે; પરંતુ માનસિક ઇચ્છાને આધીન થનારને સુખ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. સુખ-શાંતિ તો ઇન્દ્રીયજય સંતોષ ને દેહદમનથી જ પ્રાપ્ત થતું આવ્યું છે; પરંતુ આજના માનવને સમજાવવું પણ કિઠન થઈ ગયું છે. સુખ-શાંતિ માટે માનવ ધર્મસ્થાનોને ભૂલી મનોરંજન માટે સિનેમાગૃહોમાં પેસે છે.વળી દેખાતું કલ્પેલું સુખ તેને અશાંતિની આગથી જલાવી દે છે ત્યારે તે માનવી દેવ-દેવીઓની પૂજા માટે પાગલ બને છે. જ્યાં ત્યાં કાનથી સાંભળેલી વાતો માટે ચમત્કાર પ્રાપ્ત કરવા દોડી જાય છે ને વ્યર્થ માનવજીવન હારી જાય છે. ને દેવદેવીઓની આરાધના કે સાધનામાં હિંસા-અહિંસાનો ભેદ ભૂલી પાપની ખાઈ ખોદી નરકગતિમાં દુઃખ પ્રાપ્ત કરવા ચાલ્યો જાય છે. જ્યારે માનવની આત્મીય સુખ-શાંતિની ઘેલછાને સંતોષી શાશ્વતા સુખના ભોક્તા બનવા માટે કળિયુગમાં માણિભદ્રવીરની સાધનાથી સફળ થઈ ગયેલા પ્રસંગો નજરે જોયા છે. સિદ્ધાચલની યાત્રા માટે નીકળેલા માણિભદ્રના જીવની શાસન માટેની ધગશથી દેવલોકના સુખના ભોક્તા બને છે. ત્યારબાદ તેઓની ધગશ ને સહાય કરવાની રીતિએ તેમની સાધના કરવા અનેકોને પ્રેર્યા છે. આપણાં અનેક મંદિરો, તીર્થોમાં શાસનરક્ષક દેવો તરીકે શાસન વીર માણિભદ્રની સ્થાપના કરેલી જોવા મળે છે. તેના ચમત્કારો તો સાધના કરનારને અનુભવસિદ્ધ હોય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 425 અંતરિક્ષજી તીર્થના માણિભદ્રજીના ચમત્કારો અનેક નાના-મોટા અનુભવ્યા છે, જ્યારે કુલ્પાકજી તીર્થના પણ સાંભળેલા છે. આમ ચિત્તલદુર્ગ, બેંગલોર, દાવણગિરિ, યેવલા ને વિજયવાડા ગામના માણિભદ્રવીરની સાધના દ્વારા અનેક ચમત્કારો અનુભવીને માનવીને સાચો રાહ દેખાડનાર માણિભદ્રવીર તરીકે કહેવાની આજે હું હિંમત કરી રહ્યો છું. મારા અનુભવો લખવા માટે મારી પાસે કલમ નથી, સાથે અનેક પૂ. આચાર્યદેવો ને મુનિભગવંતોના અનુભવો પણ અનેક સાંભળેલા છે કે જ્યારે પોતાના બાહ્ય કે આંતરિક જીવનમાં ધાર્મિક કે ભૌતિક વિનો આવ્યાં છે ત્યારે ન ધારેલી સફળતા ને સિદ્ધિ આ માણિભદ્રવીર દ્વારા પ્રાપ્ત થતી નજરોનજર અનુભવી છે. તો પ્રત્યેક વાચકને આ સંસારની સળગતી જ્વાળાઓને આધિ-વ્યાધિ-ઉપાધિઓને દૂર કરવા દેવ-દેવીઓની પાછળ વિધર્મી તન-મન-ધનની શક્તિનો ઉપયોગ કરવાને બદલે મારે સાચા સત્યને હાજરાહજૂર માણિભદ્રવીરની નાની પણ સાધના કરવા અનુરોધ કરું છું. આ ભૌતિક સાધના જ નથી પણ તપગચ્છ અધિષ્ઠાયક દેવ સાધકને શાશ્વત સુખ માટે પણ આરાધનામાં તલ્લીન બનાવે છે ને અધિ–વ્યાધિ-ઉપાધિ આ ભવનાં દૂર કરીને ભવોભવ જિનશાસનની પ્રાપ્તિ કરાવનાર છે, જે મારા અનુભવોને યાદ કરતો આજે હું ને મારા મિત્રો સાથે તમોને સાચી સાધના માટે માર્ગદર્શન આપું છું. પણ વિરાધના ને આશાતનાનો મિથ્યા સુખમાર્ગ ભૂલી જઈને આ શુદ્ધ આરાધનાથી સુખ-સંપત્તિ મેળવો એવી આશા સાથે પૂ. શ્રી ઉદયકુશલ ગણિની રચના ' અનુભવસિદ્ધ ચમત્કારી સ્તોત્ર' જે આ ગ્રંથમાં અન્યત્ર આપેલ છે. અહીં માત્ર તેનો અનુવાદ જ આપું છું, જે નીચેની વિગતે છે : હે સરસ્વતી માતા! તારા બાળકને વચનશક્તિ અનમોલ આપ જેના દ્વારા ચમત્કારી વીર માણિભદ્રનાં ગુણલા ગાઈને સુખ-શાંતિને પ્રાપ્ત કર્યું. આ શક્તિ અર્થે જ મારા ઉપકારી ગુરુદેવોનાં ચરણોમાં શિર ઝુકાવી આજે ચરણોની પૂજા કરું છું. (૧) હા.... કેવા ભાવથી ભરપૂર સ્તુતિ કરતાં કવિ કહે છે કે આ કલિકાલમાં દોહ્યલા બનેલા કલ્પવૃક્ષની પ્રાપ્તિ એટલે જ શાસનરક્ષક વીરની પ્રાપ્તિ છે, જેનાથી રોગ-શોક દૂર થાય છે, તેવા માણિભદ્રવીરને શિર ઝુકાવી નમસ્કાર હો. (૨) કહે છે કે, લોખંડને સોનું બનાવનાર પારસમણિ, કે કામઘરના સુખો માટે ઇચ્છાઓ કરવા છતાં પ્રાપ્તિ આ યુગમાં મુશ્કેલ લાગે છે, જ્યારે પૂજ્ય સાહેબનું વરદાન આત્માના હિત માટે બની જ રહે છે. (૩) આ શાસનદેવના ચમત્કારોથી અનુભવસિદ્ધ થયેલ છે કે હે માણિભદ્રવીર! તું જ ચિંતામણિ રનને ચિત્રાવેલ પણ તું જ છે. કારણ, મારે તો દોલતના દાતા તરીકે તું જ સર્વશ્રેષ્ઠ બન્યો છે. (૪) હું તો કહું છું, દુનિયા ભલે કેટલાય દેવોનાં ચરણોમાં સાષ્ટાંગ નમે કે રાત-દિન સૂતાંબેસતાં જેના માટે રટણ કરતા હોય તો પ્રસન્ન થાય કે ન થાય; પરંતુ માસિકસ્વામી એવા દીપી રહ્યા છે કે જાણે સારા દેશમાં પ્રકાશનો સૂર્ય. (૫) અંધકારને દૂર સૂર્ય કરે છે તેમ દુઃખમાં ડૂબેલાને તું જ રહે છે. ને દુનિયાના કહેવાતા આઠ ૫૪. Page #442 -------------------------------------------------------------------------- ________________ 426 ભયોમાંથી પાર તું જ કરે છે અને નિંદા કરનારા શત્રુને તું દૂર કરે છે. (૬) ગજેન્દ્રના મુખથી શોભતા એવા ઐરાવણની સવારી કરી રહેલા મહાન ઉપકારી માણિભદ્ર મોટા મહારાજા છે. જેની પાસે સદા છત્રીસો વાજાં વાગી રહ્યાં છે, એવા માણિકવીરે આ. હેવિમલસૂરિને સહાય કરી હતી. તે વેળાએ તું જ પ્રસન્ન થયો ને ભૈરવને દૂર કરી શાસનપ્રભાવના કરાવી હતી. (૭–૮) તપાગચ્છાધિષ્ઠાયક હે માણિભદ્ર ! અમારા વચનને માન્ય કરો, કારણ તું મહાન છે; જ્યારે હું તો તારો અદનો સેવક છું – અને માણિભદ્રજી વીર ! તારા વચનને માનીને તો કાલા—ગોરાને દૂર કર્યા છે તારા ભક્તોએ. - પેલાં ભક્ત માટે પણ વચન તારા માણી ગયેલી સર્વ સામગ્રી પાછી મેળવી હતી. માટે જ શત્રુના વારે માણિકે બહુ ઝાલ્યો ને અઢાર દેશને પણ તેં જ પ્રકાશ્યો છે. તપગચ્છના મંડણ એવા માણિભદ્ર ખરાબ મતિને દૂર કરીને ભાવ આરોગ્ય આપે છે. જ્યારે એકતાન બનીને ધ્યાન કરે છે ત્યારે સર્વ પ્રકારનાં કાર્યો માણિભદ્ર સિદ્ધ કરે છે. (૧૧) આઠમ ને ચૌદશની જે આરાધના કરે છે અને દિવાળીના દિવસે જે જાપની સાધના કરે છે તેનો પડ્યો બોલ રાજદરબારમાં માન્ય થાય છે. સારી પૃથ્વી ઉપર તેનો યશ ફેલાય છે. (૧૨) આજના દારીદરના યુગમાં એક એવો સુભટ છે જે માનવીના દારિદ્રયને દૂર કરી શકે તો તે માણિભદ્રને મોટા માનથી પૂજનારને જગતમાં કયારે પણ નુકસાન પડતું જ નથી. (૧૩) યશ–કીર્તિને સારા જગતમાં ફેલાવનાર માણિકનું સ્મરણ કરનાર તે જ ક્ષણે રોગને દૂર કરે છે ને ધન–સંપત્તિ તો કયારેય પણ ખૂટે જ નહિ, જ્યારે માણિભદ્રને સાથી તરીકે માનવામાં આવે છે. (૧૪) આ શ્લોકમાં કવિ કહે છે, માણિભદ્રવીર ! મને સેવક તરીકે માનતા હો તો મારી નાનીશી વિનંતીને માન્ય કરો. કંઈ વિનંતી તો દિલ ભરપૂર દર્શન મને આપો ને કૃપા વરસાવી આ સેવકને સુખી કરો. (૧૫) હવે અહીંયાં બતાવે છે કે માણિભદ્ર રહેવાસી ગુજરાતના છે; પણ તેનું નામ–જાપ તો સારા નવેય ખંડમા ગાજતું છે અને તારું ધામ મગરવાડામાં કવિનાં સારાં કાર્ય થયાં છે. કારણ કે તું મહાન પુરુષ છે. (૧૬) સેવકનાં કાર્યો થાય ને પ્રમુખ રાજાના નામથી પંકાવે છે ત્યારે હું પણ તારા હુકમ પ્રમાણે પ્રતિદિન પૂજા કરું છું – દ્રવ્ય કે ભાવથી. (૧૭) સળગતા સંસારના તાપ ને સંતાપથી હે વીરા ! માતા ને પિતા તુલ્ય દિલમાં દર્શન આપી કવિને આગળ વધારો શાશ્વત શાંતિના પંથે. (૧૮) આ સ્તોત્રના પાઠ દ્વારા કવિ કે કરનાર અરજ કરે છે કે મને એટલે તારા બાળકને મૂલમંત્ર આપીને મહારત લાજ રાખો. (૧૯) પૃથ્વીમાં મારી લાજ વધારો ને ન્યાત-ગોત્રમાં-કુળમાં ને સમાજ કશું જ ન મળે કે મળેલો દૂર કરો. માણિક ! તું શું નથી આપતો ! સર્વ આપે છે માટે જ મારી ઇચ્છા પુત્રની પણ તું પૂરે ને Page #443 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 127 દુઃખ-દારિદ્રય સર્વેને હરીને સુખ-શાંતિ આપો. (૨૦) શૈતાનને પણ તું સમજાવે ને રાજા-મહારાજા પણ ચરણમાં ઝુકાવે છે. અને પળ-પળે આવતાં અનેક વિદ્ગોને રાજ! તું નિવારે છે. તો મારા શત્રુ ને, બાહ્ય-અભ્યતર બન્નેને દૂર કરો. (૨૧) વશીકરણ મંત્રના જાપથી જે ન થઈ શકે તે તારા નામથી સર્વ નર-નારી વશ થાય. ડાકિણી–શાકિણી સર્વ નાસી જાય ને ભૂત-પ્રેત તારા નામે ભાગી જાય, ચોર કયારે જોવા માટે પણ નથી મળતા. (રર) તાવ અનેક પ્રકારના તું દૂર કરે છે, ને મોટા-મોટા દાનવોને તું ભગાડે છે. ત્યારે જ કહું છું કે હરિહર આદિ ઘણા દેવો જોયા પછી સિદ્ધ કર્યું કે કળિયુગમાં તારા સરીખો કોઈ નથી. (૨૩) ભાવ દ્વારા અડસઠ તીરથની જાત્રા કરવા જેટલો સમય નથી માટે માણિભદ્રને ભેટો ને જ્યારે સુરપતિ મારી અરજ સુણીને ભાવિક જીવને તત્કાળ સુખી કરજે. (૨૪) ના હરી પાર કોઈ પામી શકવાનું નથી. શત્રુ નિવારક વીર જગમાં જોઈ નાખીને કહું છું, આપો વાંછિત વરદાન ને પગલે પગલે સવાયું કાર્ય કરું. એટલું જ નહિ પણ પગલે પગલે ગુણો ગાઈને અન્ન-ધન-કપડાં પાવું, સંપત્ત પાવું, રાજમાન સુખ-સાહાબી મેળવુંને લોકોમાં પૂજનિક બનું. એમ સુખકુશળનો શિષ્ય પોતાની આશા સફળ થઈ છે તેવો ઉદયકુશળ આ પ્રમાણે વિનંતી કરે છે ને પ્રત્યેકને માણિભદ્રવીરના ગુણ ગાઈને લાખ-લાખ સુખો મેળવવા પ્રેરણા કરે છે. આપને શાશ્વતા સુખ પ્રાપ્ત કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરી સર્વેય સુખ-સંપત્તિ પ્રાપ્ત કરીએ એ જ આશાતના-વિરાધનાનો મિથ્યા દુષ્કત સાથે. અર્થ સમાપ્ત (૨૫-૨૬-૨૭) જિનાગમોમાં વિવિધ વિષયો, મહાપુરુષો આદિન) અનુલક્ષીને અનેક હસ્તપ્રતો પૂર્વકાળે લખાઇ હતી. આવી હસ્તપ્રતોમાં કેટલાકનું સંશોધન થયું છે તો કેટલીક હસ્તપ્રતોનું સંશોધન થયું નથી. આવી હસ્તપ્રતોનાં પાના અહીં રજૂ કરીએ છીએ. પક્ષીMિાસ Hilીકંડક્ટ્રતિવસુસૂતિg oથ્વીઝmત मगावरनं स्तुवतिदेवासुरमानवजासिंगौतमायछतुवलि aajશીવનાનાવિવાવાળુ ઋારંવેn તિ नमंगानिपूलिवंतर्दशावि सगीतमायकवाचितमाश ત્રીવીરાતરાઉળa kāમાતંદ્રસુરવાવણ્ય પ્રાય मास्सूरीतुरा समयासगोतमायन्फतुवाछितमाकायस्पान्तिम પિતાવિકૃત્તિનિgણૂઢમિષ્ટાન્નમ વાતાવરઘilliamતપયજીત9િતમારા T10 Page #444 -------------------------------------------------------------------------- ________________ 428 - તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરનું કથાગીત - શ્રી કનૈયાલાલ વલાણી, પાટણનિવાસી, હાલ નૈરોબી શ્રી માણિભદ્રવીરના એક સાધક શ્રી કનૈયાલાલ વલાણી ઉત્તર ગુજરાત–પાટણના વતની છે. વર્ષોથી આફ્રિકામાં વસવાટ કર્યો છે. તેમનું આખું કુટુંબ માણિભદ્રદાદાના પરમ ભક્તો છે. શ્રી કનુભાઈ દાદાના ધ્યાનમાં બેસીને જેમ જેમ એકાગ્રતા કેળવતા ગયા તેમ તેમ આ શાસનરક્ષક દેવના અનેક ચમત્કારો અનુભવતા રહ્યા. શ્રદ્ધા-ભક્તિનો રંગ ચડતો રહ્યો, માયાવી અને મિથ્યાત્વ પ્રવૃત્તિમાંથી સરળ ભાવે છૂટતા રહ્યા અને તે પછી વર્ષોથી સાધના દ્વારા તેમણે દાદાના રહસ્યમય જીવનને સુંદર મજાના કથાગીતમાં મઢી લીધું છે. ઉપરાંત ગીતગુંજનો દ્વારા દાદાનું ભક્તિકુંજ ખડું કર્યું છે. આ બધાં ગીતોમાં વ્યક્ત થતો ભાવ તેમના આંતરિક જીવનનો વિલક્ષણ વિકાસ સૂચવે છે. તેઓ સ્પષ્ટ માને છે કે આ સમ્યગ્દષ્ટિ આરાધ્યદેવ માટે કયાંય કોઈ મતભેદ કે પક્ષપાત જોવા મળતો નથી. શ્રી દાદાની ભક્તિ-સાધનાના બળે શ્રી વલાણીએ પોતાના માતાપિતાના પ્રબળ પુણ્યોદયે પાટણમાં માતુશ્રી ચંદનબા મેમોરિયલ ટ્રસ્ટની હમણાં જ સ્થાપના કરી. પાટણ–ચાણસ્મા હાઈવે ઉપર વિવિધ સંકુલોથી ગાજતું એક અલૌકિક સર્જન "શ્રી માણિભદ્રવીર આરાધના ધામ” આકાર લઈ રહ્યું છે જેમાં મંદિરોની શુભ શ્રેણી, ગુરુમંદિર, જ્ઞાનમંદિર, બાલાશ્રમ, ઉપાશ્રય, પશુપક્ષીઓના આશ્રયસ્થાનો વગેરે ઊભાં થશે. દાદાની ભક્તિ-સાધનાનો પ્રભાવ તો જુઓ ! એક વ્યક્તિ શું કરી શકે છે? શ્રી કનુભાઈની ભક્તિભાવનાને ભારોભાર અનુમોદના. તેમના અત્રે રજૂ થયેલાં ગીતગુંજનોનો આસ્વાદ માણી અવારનવાર આ ગીતો સત્સંગમાં ગાજો, ગવરાવજો. તેથી દાદાની સાધનામાં આગળ વધવાનું જરૂર બળ મળશે. : -સંપાદક Page #445 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 429 દોહા પ્રણમું ભટેવા પાર્શ્વને ચાણસ્મા નગર મોઝાર, પુરીસાદાની પાર્વેજી મહિમાનો નહીં પાર પંચ શિખરથી શોભતું જિનમંદિર બે માળ, ચોવીસ દેરી યુક્તથી રચના લાગે મનોહાર પ્રતિમા વેલમય તણી શોભે પરિકર સાથ, સમ્યા મોતીના લેપથી પ્રભુજી સુંદર દેખાય રંગમંડપના મધ્યમાં ચાંદીના સિક્કા જોડાય, ચમત્કાર અભુત પ્રભુજીનો વારંવાર દેખાય સંવત બે હજાર તેરમાં શિખરે દીવા દેખાય, ધૂપ પણ પ્રસરી રહ્યો જોઈએ તો ન દેખાય. અર્ધશતાબ્દી જિન મંદિર તણી સંઘે ઊજવી મનોહાર, ગ્રન્થ એ નિમિત્તે પ્રકાશ કર્યો ઓચ્છવ મહોત્સવ સાથ. ચંદ્રાવતી એ નગરીમાંથી ઘણા થયા અણગાર ગામોગામ વિચારીને કરતાં અતિ ઉપકાર શાસનરક્ષક ત્યાં શોભતા માણિભદ્રવીર મહારાજ, પરચા સંઘને મળતા મૂર્તિ સુવર્ણમય સોહાય. ભટેવા પાર્શ્વને નમન કરી વિદ્યા માર્ગે માત, તપગચ્છના રખવાળનું રચું કથાગીત રાસ ચરિત્ર અદ્ભુત જે હતું સુણવા થકી સમજાય, સેવે જે શ્રદ્ધાભાવથી રોગ શોક દૂર જાય. સમ્યગુદષ્ટિ દેવ ખરા સંકટોને હરનાર, ઉપસર્ગ વિનો ટાળતા અધિષ્ઠાયક દેવ વિખ્યાત મહિમા ચમત્કાર ભર્યો મનના કોડ પૂરનાર, સહાય કરે ભક્તોને સદા જિનશાસન શણગાર મગરવાડા આગલોડ ને ઉજ્જૈનમાં શોભે સ્થાન, પગની પિંડી ધડ ને શિવની પૂજા થાય. હરાવ્યો કાળભૈરવને શાસનરક્ષાને કાજ, કોણ હતા જ્યારે થયા તે સુણીએ અદ્ભુત વાત. (રાગ.. પ્રભુ તારું ગીતને મળતો) માણિભદ્રવીરની કહું રૂડી વાત રે આનંદ ન માય કહેતાં હરખ ન માય રે જંબૂદ્વીપના દક્ષિણ ભારતે મનોહર માળવો જગમાં પંકાયે હૂબહૂ જેની ભૂમિ ગણાય રે... આનંદ... માણિભદ્રવીરની. એ રઢિયાળા માલવ દેશમાં ઉજ્જૈની નગરી આવે પ્રસિદ્ધમાં કીર્તિ ગાજે જેની દશે દિશામાંય રે.... આનંદ... માણિભદ્રવીરની. અવંતિ પાર્શ્વનાથનાં જિહાં ધામ રે જૈન શાસનની અણમોલી આણ રે ધર્મકળા ને ભર્યો ભર્યો વાસ રે... આનંદ... માણિભદ્રવીરની. મોટી મોટી હતી શેઠોની હવેલીઓ વિવિધ રંગોથી ચિત્રાવેલીઓ કૂવા–વાવ ને વળી મનોહર બાગ રે... આનંદ. માણિભદ્રવીરની. કોઠાધિપતિઓની ધજાઓ ફરકતી વૈભવશાળીના દર્શન કરાવતી હાથી ઘોડા વળી રથના સુંદરી પાદરે આનંદ.. માણિભદ્રવીરની. કેસર કસ્તુરી અંબર ભલી ભાતનાં હીરા માણેક પના વળી ઉત્તમ જાતનાં ધાન્ય કાપડના બેવડા વેપાર રે....... આનંદ.... માણિભદ્રવીરની. Page #446 -------------------------------------------------------------------------- ________________ 430 ક્ષિપ્રા સરિતાનાં મધુરાં જહાં જળ છે સુગંધી ફૂલોનો પમરાટ રે ખુશ્બો હવાથી જેનું અનુપમ સ્થાન રે.... આનંદો...... માણિભદ્રવીરની. વિવિધ કોતરણીથી દરવાજા ચાર રે રક્ષણ કરતાં ગઢના કાંગર કિનારો સાધુ સંતોને મહાપુરુષોનાં માન રે.. આનંદ... માણિભદ્રવીરની. તપાગચ્છાધિષ્ઠાયક – દોહા – એ વૈભવશાળી નગરમાં વસે એક ધનપતિ નામે સુખલાલ શેઠજી વિવિધ ગુણે ગુણવંત પરમ ભાગ્યશાળી હતા અઢળક લક્ષ્મી છલકાય ક્રોડાધિપતિની સાથમાં ગણના તેમની થાય. સંસ્કાર સુવાસે ભર્યા વળી નગરમાં બહુમાન શીલ ગુણે વિવેકભર્યા શેઠાણી કસ્તૂરી બાઈ જાણ દંપતી યુગલ તે પાળતાં શ્રી જિનધર્મની આણ સુખ સંસારનાં સેવતાં પસાર થાયે કાળ. જીવ ગર્ભમાં એક સંચર્યો ઉત્તમ મનોરથ થાય શેઠ શેઠાણી આનંદતાં ગર્ભની રક્ષા કરાય. દેવદર્શન ને જિનપૂજનમાં યાત્રાની ભાવના થાય દોહલા પૂરતા શેઠજી ગર્ભનો કાળ પૂર્ણ થાય. (રાગ..... રાખનાં રમકડાં....) ઉત્તમ ગ્રહ નક્ષત્રમાંહી પુત્રનો જન્મ થાયે રે આનંદ વધ્યો ગૃહજીવનમાં માતા પિતા સુખ પાએ રે... ઉત્તમ. ભાલ તેજસ્વી નાક છે નમણું સુકોમાળ છે કાયા, વાળ વાંકડિયા ગાલ ગુલાબી ઊજળા વર્ષે દીપાયા રે. ઉત્તમ મુખ ચમકતું દીસે રૂપાળું હાથ પગ અણિયાળા રે પુત્રજન્મના ઉમંગથી હર્ષ અનેરા છવાયા ....... ઉત્તમ બાળને જોઈને પારણિયામાં કહેતાં સૌભાગ્યશાળી રે, રત્ન પાકયું પતોતી કુળે માતાપિતા પુણ્ય શાળી રે......ઉત્તમ હાથમાં લઈ સૌ પ્રેમે ખિલાવે વ્હાલો સૌને લાગે રે નામ માણેકશાહ ફઈબા દેતાં રૂપગુણને અનુસારે રે.... ઉત્તમ નાની નાની પગલી પાડે વાણી મીઠી કાલી કાલી રે સૌજનના હૈયામાં રમતો મુખમુદ્રાને નિહાળી રે... ઉત્તમ - દુહા – સૂર્ય—ચંદ્રની પરે વધતા માણેકશાહ જાય માતાપિતાના સંસ્કારો ગળથૂથીથી રેડાય. દેવ દર્શન નિત્ય કરતા વળી વ્રત પચ્ચક્ખાણ અષ્ટપ્રકારી પૂજા કરે જિનભક્તિમાં ગુલતાન યૌવનવયમાં આવતાં પરણાવે માત તાત જીવનસંગિની લીલાવંતી મળતાં ધર્મમાં ચઢતા ભાવ. વેપાર કરે કુનેહબાજથી બુદ્ધિ વિશાળ ગણાય શાસનકામોમાં સદા અગ્રેસર કહેવાય. Page #447 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ લોકજીભે બોલાઈ રહ્યું પ્રતિભાશાળી એ નામ માર્ગ મળે સમજણ થકી થાએ જીવનનાં કામ. શ્રાવક ધર્મની રીતથી જીવન વ્યતીત થાય ભાગ્યશાળી આ જીવને કર્મે કર્યો અન્યાય. (રાગ.... અબ સૌપ દિયા....) એક દિવસ ત્યાં વાત એવી બને કોઈ સાધુ વિચરતા આવી રહે લોંકાશાહના ગચ્છની આણા ધરે એવા સાધુ ત્યાં સ્થિરતા કરે પંચમહાવ્રતધારી ગુરુને જાણી વાંદવાને જાએ સૌ નરનારી ઉપદેશ દેતા આચાર્ય ભારી જિન આણાને તે પળે વિસાત. એક...... આગમ પિસ્તાલીસ કહ્યાં શાસ્ત્રમાંહિ પણ તે ગચ્છ તેને માને નહિ કરતા મૂર્તિપૂજાનો વિરોધ ભારી મતિ કલ્પનાએ બોધ એવો આપી એ...... જાણ્યું માણેકશાહ શેઠ મુખ્ય છે ધારી લઈશ એમને જો આણામાં મારી લેશે પાછળથી બીજાને તે વાળી એવા આશયથી લે તેમને બોલાવી. એક..... પંચમ કાળમાં આવું ખૂબ જોવા મળે, ભિન્ન ભિન્ન માન્યતાઓ ને પંથો વડે ઉત્સૂત્ર પ્રરૂપણ કરતાં જરા ન ડરે કયાંથી બીજા જીવોનું કલ્યાણ કરે. એક...... નથી મૂર્તિપૂજામાં પુણ્ય કંઈ સમજાવે દોષો આચાર્ય ભાર દઈ અવલંબન છે ખરું એ ભૂલી જઈ પંચમ કાળનો ભજવે ભાવ સહી એક..... બીજા તો આ વાત કોઈ ના કાન ધરે ઊઠી ઊઠીને સૌ આવાસે ફરે ઉદય પાપનો થયો શેઠને ભારી આણા આચાર્યથી શિરે ધરે. એ..... વીર નિર્વાણથી વિક્રમ સંવતે ૧૫૩૪ ના વરસે મતિકલ્પનાએ ગચ્છ સ્થાપ્યો લોંકાશાહે સિદ્ધાંતની વાતો ગોપવી જાણે મુહપત્તી સદા મોઢે બાંધી રાખો. એ..... મત સ્થાપ્યો દિગંબર શિવભૂતિએ, વીર નિર્વાણથી છસો નવ વરસે વિક્રમ સંવત ૧૮૧૭ની સાલે તેરાપંથ કાઢયો ભીકમચંદે. એ..... ગચ્છ ઘણા શાસનમાં એવા ચાલે પાર્શ્વચંદ્ર – અંચલ – ખરતર ગચ્છ સારે ત્રણ સ્તુતિનો વર્ગ પણ કોઈ માને બે તિથિના મતભેદો વર્તે ભારે. એક... 431 દોહા – આડું અવળું સમજાવીને બદલ્યા માણેકશાહ વિચાર હવેથી આણા પાળજો મૂર્તિપૂજાનો કરજો ત્યાગ. વાત સ્વીકારી લોંકાગચ્છની માણેકશાહ આવાસે જાય વિહાર આચાર્ય કરી ગયા દિવસો ધીમે ધીમે જાય. દેવ દર્શન પૂજા પાઠ જે કરે આત્મકલ્યાણ માણેકશાહે મૂકયું બધું આચાર્ય વચનાનુસાર. નિજ જનની જાણમાં આવી જ્યારે આ વાત આઘાત થયો હૃદયે ઘણો કરવા લાગ્યા સંતાપ. Page #448 -------------------------------------------------------------------------- ________________ 432 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ : મારે મને આવીને....) મારા ઘરમાં આ તે શું બની રે રહ્યું, મારા માણેકશાહને આવું કોણે રે કહ્યું.... મારા..... મેં તો સંસ્કાર આપ્યા તેને બાળપણથી પ્રભુપૂજાનો તે રાગી હતો બચપણથી કર્મ ઉદયમાં કોણ જાણે આવ્યું કયું.... મારા.. ફેરફાર થયો મેં જાણ્યું જ્યારથી નયનોમાંથી નિંદ ગઈ ત્યારથી ન બનવાનું આ તે બની રે રહ્યું.. મારા... મારો પુત્ર મૂળ માર્ગ ભૂલી જો જાએ મારી નજરમાં તે ન જોવાએ માતાની ફરજ હું તે પૂરી રે કરું... મારા... પૂભુપૂજા ને દર્શન ન કરે ત્યાં સુધી શુદ્ધ ગુરુને આહાર ન વહોરાવે જ્યાં સુધી આજથી હું ઘીનો ત્યાગ કરું... મારા... – દોહા – પ્રભુ મહાવીર પરિવારમાં સાધુ ચૌદ હજાર સુધર્માસ્વામી ગણધરને ગચ્છનો ભાર સોંપાય એ પાટ પરંપરાએ અનેક જ્ઞાની ગુરુવર થાય. ઉત્તમ રત્નો શાસનતણાં, એક એકથી અપાર. જંબુ-સ્થૂલભદ્ર વજૂસ્વામીજી, વળી હીરસૂરીશ્વર રાય, પ્રભાવના કરી શાસનતણી તે શાસ્ત્ર માંહિ જોવાય. સિદ્ધસેન દિવાકરસૂરિ વધારે શાસનની શાન, કળિકાળસર્વજ્ઞ કહ્યા હેમચન્દ્રસૂરીશ્વર રાય. આમ અનેક ધુરંધરોએ પ્રતિબોધ્યા ભડરાય, વીરની પંચાવનમી પાટમેં હેમવિમલસૂરિ રાય. એ સમયે ત્રણ મત થયા ૧૫ર એ સાલ, કમળ કળથા કમળપૂરા કડવામતીનો પ્રચાર. તે હેમવિમલસૂરિ વિચરતા આવ્યા ઉજ્જૈની માંય, ઉદ્યાનમાંહી સમોસર્યા શિષ્યવૃન્દની સાથ નગરજનો સૌ વાંદવા દીડીદોડીને જાય, વાણી ભલી પ્રતિબોધતી ભલા કરતા ઉપકાર. (રાગ વાંસલડી તું મંદ...) વાત સુણી માણેકશાહની માતાનું હૃદય હરખી જાય. આગમન જાણી જ્ઞાની ગુરુવરનું હૃદય પ્રફુલ્લિત થાય... ઉછરંગ આવ્યો અતિ દિલમાંહી બોલાવું ગુરુને આંગણ માંય પણ પંથ ઝાલ્યો પુત્રે બીજો વાત કોને કહેવાય... વાત... મૌન રહ્યાં માતા એવું ધારી–ગમે ન પુત્રને વાત મારી પ્રેમ થકી જો સમજાવાય જેથી દુઃખ જરાએ ન થાય... વાત... Page #449 -------------------------------------------------------------------------- ________________ 11. યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ટેક મારી શાસનદેવ પૂરી કરશે, વ્યાધિ મનની મારી દૂર ટળશે. એટલો છે વિશ્વાસ મને નિયમથી ન નુકસાન... વાત.... ખાતાં નથી ઘી સાસુજી મારાં વાર ન લાગી વહુને સમજાતાં એ પણ કરે છ વિગઈનો ત્યાગ વહુ ચાલ્યાં સાસુની સાથ... વાત.... દિવસ ચાલ્યા તપની સાથે પણ માણેકશાહ આ વાત ન જાણે, સાસુવહુ કરે ધ્યાન નવકાર સદ્ગુદ્ધિ થાયે, તત્કાળ... વાત.... સુકાતું શરીર જોયું માતાનું પૂછે દુઃખ માતા તમને શાનું શરીર કેમ દૂબળું દેખાય માતાજી કાંઈ ચિંતા મનમાં થાય... વાત.... કાંઈ કારણ નથી બેટા એવું તારે મનમાં કાંઈ ન લેવું, ઘડપણમાં બેટા એવું જ થાય, તેમાં કોઈને શું કહેવાય... વાત.... – દોહા – મન માણેકશાહ માને નહીં પણ નક્કી કંઈ છે વાત, દુ:ખ થાયે કદાચ મન, મુજથી છુપાવે પૂછું વાત આ પત્નીને માતા મન કેમ નારાજ, સાચી વાત મળશે તિહાં, વાતની કડી મળી વાત. જાય. આવ્યા નિજ આવાસમાં પતિ પાસે સૂનાર, માણેકશાહ કહે પત્નીને સાંભળો મારી તમે 433 વાત. હમણાં હમણાં માતાજી ચિંતામાં રહેલાં જણાય, શરીર સુકાતું જોઈને ચિંતા ઘણી મને થાય. પત્નીએ જાણ્યું નાથને, ઊંડે ઊંડે લાગે દુઃખ, વાત કરું વિનય થકી સાસુને થાયે સુખ સન્નારી પતિ પાસમાં બેસી નીચે સ્થાન, વાત કરે હ્રદય થકી રાખી નિજ મરજાદ. સાસુ હિતકારી ભલાં, જાણે દિલથી અપાર દુઃખ ન થાયે કોઈને એવી રીતે કહે વાત. ( રાગ ઃ સાવ સોનાનું મારું... ) સોના સરીખા મારા સ્વામીજી રે લોલ, મુજ જીવનઆધાર વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... ભૂલ થાય તો કરજો માફ મને રે લોલ કહેવાયું નહિ મને આજ વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... આજ્ઞા માંગું છું સ્વામી આપની રે લોલ ધરજો ના મનમાં રોષ વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... શું છે મનમાંહિ દુઃખડુ રે લોલ, શાને ધરો વિષાદ ધર્મનારીજી હો કરોને વાત તમે સુખથી રે લોલ વાત.... Page #450 -------------------------------------------------------------------------- ________________ 434 તપાગચ્છાધિષ્ઠાયક કેટલાય સમય થયો માતાજીને રે લોલ, ઘીનો કર્યો ખાવામાં ત્યાગ વ્હાલા પ્રીતમજી હો વાત કહું તમને વિગતે રે લોલ જી રે વાત.... માતાપિતા કહ્યાં તીર્થસમાં રે લોલ અગણિત છે ઉપકાર, વહાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત. મોટા કર્યા સુખદુઃખ વેઠીને રે લોલ, તમો છો ચતુર સુજાણ વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત.... શક્તિ હોય તો સુખ આપીએ રે લોલ દૂભવીએ નહીં એમની આણ વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત.... આપણી ચામડીનાં જોડાં પહેરાવીએ રે લોલ તોયે ન પુરાયે ઉપકારે વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત.... દુઃખ થાય છે આપણાં માતાજીને રે લોલ નિમિત્ત તમે કહેવાવ, વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... શું કરો છો તમે વાતડી રે લોલ, ખબર નથી મને જરાય ધર્મનારીજી હો આવું છું માતાની આગળે રે લોલ ભલું કહ્યું તમે મુજને રે લોલ નથી મને રીસ કે રાગ ધર્મનારીજી હો આવું છું માતાની આગળે રે લોલ. ધર્મના કામમાં ઢીલ નહીં રે લોલ, ચાલો તમે મારી સાથે ધર્મનારીજી હો આવું છું માતાની આગળે રે લોલ. ઉપકાર માનું તમારો કેટલો રે લોલ, કરાવ્યું ફરજનું મને ભાન ધર્મનારીજી હો આવું છું માતાની આગળે રે લોલ. – દોહા - બંને જણાં આવી રહ્યાં માતા તણા આવાસ પગમાં પડે બંને પ્રેમથી માણેકશાહ પૂછે વાત સાંભળ્યું માતા જ મેં, ઘીનો કર્યો તમે ત્યાગ, શું થયું એવું માવંડી મુજથી દુઃખ ન જો વાય. રડતી આખે માતા કહે શું કરું પુત્ર આજ જિન આણાને લોપીને મૂકી તે મરજાદ દુઃખ હૃદયમાં એવું થયું મુજથી ન એ ખમાય. દેવદર્શન બંધ કર્યો તે કયાં કરું જઈને પોકાર. આવા પંચમકાળમાં તરવાનું સાધન કહેવાય, છોડે શરણું એનું જે સંસારમાં ગોથાં ખાય. ( રાગ.... વહુએ વગોવ્યાં...) દ. સાંભળી વાણી માતાની રે લોલ, માણેકશાહ ત્યાં ગળી જાય જો. માફ કરો એ માવડી રે લોલ Page #451 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 435 દુઃખ ન જોવાયે તમારું મુજથી રે લોલ, કર્યું મેં તો અવિચારી કામ જો... માફ કરો... પસ્તાવો થાયે મનમાં ઘણો રે લોલ, આપો પ્રાયશ્ચિત્ત મારી માત જો. માફ કરો ભૂલી જાઓ હવે આ વાતને રે લોલ, ઘી ખાવાનાં ખોલો તમે દ્વાર જો... માફ કરો . દર્શન પૂજા કરીશ તું જ્યારથી રે લોલ પધરાવીશ ગુરુ આંગણામાંય જો, નિયમ પૂરો થશે ત્યારે માહરો રે લોલ. હેમવિમલસૂરિ ગુરુ ઉદ્યાનમાં રે લોલ, બોલાવો આપણી પૌષધશાળ જો...નિયમ... લાવીશ ગુરુને આંગણે રે લોલ, વળી કરીશ પૂજા પાઠ પ્રકાર જો... માફ... - દોહા - જનની સંતોષ પામતાં હૈયા સાથ ભેટાય આશિષ અંતરથી આપતી આનંદ અંગ ન માય. ધન્ય બેટા માણેકશાહ ધન્ય તુજ અવતાર, અંતર મારું નાચી રહ્યું દુઃખ ગયું પાતાળ. આશીર્વાદ મારા તને કરી ઉત્તમોત્તમ કામ, શાસનદેવ હાય કરશે ગાજશે તારું નામ. અંતર ઠારે વડીલો તણાં સુદીપક તે કહેવાય આજે તે ઉજાળ્યું ખરે ધન્ય ધન્ય ભાગ્યવાન. (રાગ... મોતીનું ઝૂમણું) સંધ્યા સમયની વેળા ત્યાં વીતતાં અંધારું જગમાં ફેલાયું ... અંધારું. માતાની આજ્ઞા શિરે ધરીને ગુરુને વીનવવા જાયેજી... અંધારું. ચારે દિશાએ સૂનકાર છવાયે હિંસક પ્રાણીના અવાજ સંભળાયે નિર્ભય બનીને ચાલતા જાયજી.... ગુરુકપડાના ટુકડાની મશાલ સળગાવી પગપાળે લીધી વાટ ઉદ્યાનની આવ્યાં જ્યાં ગુરજી બિરાજેજી ગુરુજોયા ગુરુદેવ પરિવાર સાથમાં પણ ઊભા છે સૌ કાઉસ્સગ્ગ ધ્યાનમાં જોઉં સમતા કેવી રાખેજી ગુરુ. સળગતી મશાલ કરે મુખ આગળ પણ સૌ મુનિવર નવકારધ્યાનમાં, ક્રોધ ન કરે કોઈ જરાયેજી... ગુરુ. સમતા જોઈ માણેકશાહે ભારી કેવા મુનિવરો જિન-આજ્ઞાધારી કરી આશાતના મેંભારજી.... ગુરુ. - દોહા – આમ વિચારતા શેઠજી આવ્યા નિજ આવાસ-કરતા વાતને માતને જોયા સમતાના ધાર. આશાતના કીધી અરે કર્યું ન સારું કામ ખોખમાવો મન થકી પાપનો વિસ્તાર થાય. Page #452 -------------------------------------------------------------------------- ________________ 436 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ..... જનની ની જોડ.) આવા ગુરુજી જગમાં ન મળે રે લોલ, કરતા જગમાંહિ ઉપકાર જો તરે પોતે ને બીજાને તારતા રે લોલ. પંચમહાવ્રત ધરે મોટકાં રે લોલ, વળી છક્કાયના રક્ષણહાર રે....... તરે ... આણા ધરે થી રાગની રે લોલ, પરિષહ બાવીશ જિતાય રે.... આવા સત્તાવીસ ગુણે શોભતા રે લોલ, નવકલ્પ કરે વિહાર રે તરે. શુદ્ધ આચાર માંહિ રમતા રે લોલ, ન મળે આવા ગુરુની જોડ રે... તરે... - દોહા – ગુણ સાંભળી ગુરુવરતણા કરતા માતને વાત, આડંબરે લાવીશ હું તારણ તરણ ગુરુરાજ. વાણી સુણી તેહની ખમાવીશ વચન પ્રમાણ એમ કરી માતને નમી શયન ગૃહમાં જાય. નિદ્રાદેવીને ખોળે પડ્યા, ઉત્તમ કરતા વિચાર, બ્રહ્મ મુહૂર્ત ઊઠતા ધરતાં પરમેષ્ઠિ ધ્યાન. હાથ હથેલી ભેગી કરી સિદ્ધશિલા આકાર, એકાગ્ર ચિત્તને કરી ધરે ચોવીશ જિન ધ્યાન. ચાલતી નાડી જોઈને ભૂમિતલે પગ દેવાય, હાથપગ ધોઈ અને વસ્ત્રાભરણ બદલાય. ઉત્તરાસન ખભે નાખી સૌ જન ભેગાં કરાય, જ્ઞાનોપકર લઈ કરી ગુરુને વાંદવા જાય. વાજતેગાજતે આવિયા જ્યાં ગુરુજી બિરાજમાન, ગુરુપૂજન હેતે કરી વિધિથી વંદન કરાય. બેઠાં સૌ સ્વસ્થાનકે અભિગમ સાચવી પાંચ ભવ્ય જીવોના હિતમણી દેશના દીયે ગુરુરાજ. (રાગ... ઉપકારી મહાવીર..) સુણો સજ્જન હિતકાર ભવિ તુમે સુણો સજ્જન હિતકાર દુર્લભ એવો જન્મ મળ્યો છે માનવનો સુખકાર, અનંત શક્તિનો ભર્યો ખજાનો શક્તિ નવિ ગોપવાયભવિ.... તત્ત્વ વિચારણા કરો બુદ્ધિથી સાર–અસાર સમજાય. સુદેવગુરુધર્મની સેવા સર્માકત રંગે ચડાયભવિ... અંગો મળ્યાં છે સુકૃત્ય કરવા, નાહક નવિ વેડફાય, હાથ મળ્યા છે દાન કરવા, કંકણ શોભા કહેવાય. ભવિ... પગ મળ્યા છે યાત્રાને કરવા પાટું કોઈને ન મરાય, કાયા મળી છે પરોપકાર કરવા તપ વ્રતનિયમ કરાય.. ભવિ..... શિર અક્કડ ન શોભે સજ્જનને તારકને વંદન કરાય, જીભ મળી છે સુગુણ ગાવા કાનેથી સુશ્રવણ થાય. ભવિ.... ત્રણ તત્ત્વોની આરાધનાથી સમકિત દઢ બનાવાય, જે નરનારી આ વાત જાણે કાપશે ભવસંસાર..... ભવિ. Page #453 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 437 - દોહા – જ્ઞાની ગુરુવારે દેશના પૂર્ણ કીધી ત્યાં જે વાર વિનવે માણેકશાહ તિહાં નમી કર જોડી હાથ. પાવનકરો અમ આંગણું મુજ પૌષધશાળામાંય લાભ આપો આ રકને આહારપાણીનો કાંય. લીધી વિનંતી ધ્યાનમાં આચાર્ય પરમ કૃપાળ, પરિવાર સહિત પધારતાં પ્રવેશ આડંબરે વાય. આહારપાણી ને ઉપધિ વહોરાવી ગુરુરાય; ભક્તિ કરતાં ભાવથી પડી પડીને પાય. માતા નિયમ પૂરો થયો, તે જોઈને હરખાય; વિહાર કરતાં ગુરુદેવ, અન્ય સ્થળે જવા કાજ. દઢ બન્યા માણેકશાહ, શુદ્ધ માર્ગ ઓળખાય; દેવ-ગુરુ ધર્મ ભક્તિમાં, બનતાનિત્ય મસ્તાન. શ્રદ્ધા ભાવથી સેવતાં, વળી વધતો જાએ વેપાર; સવ્યય કરતાં લક્ષ્મીનો, દેતાં સુપાત્રે દાન. હેમવિમલસૂરિ વિહાર કરતાં, આગ્રા શહેરમાં જાય; વિનંતી કરે સંઘભાવથી, ચોમાસુ રહેવા કાજ. લાભાલાભ કારણ જોઈ, રહે ચોમાસું ગુરુરાજ; ધર્મ પ્રભાવના વધી રહી વર્તે જય જયકાર. પુણ્ય સંયોગ જ્યાં સાંપડે, લાભનું કારણ થાય; માણેકશાહ શેઠને, બની નિમિત્ત કેવું જાય. (રાગ... વાગે ઘડિયાળની – હે પ્રભુ) (મહેંદી તે વાવી) વેપાર કરવા ગામોગામ શેઠજી, પોઠો ભરીને જાય રે... જુઓ વાત કેવી બને. માલ-મસાલા ભર્યા ભલી ભાતના, વળી કેસર કસ્તુરી સુવાસ રે...જુઓ વાત કેવી બને. સ્થાને સ્થાને માલનો વિક્રય કરતાં, આગ્રા શહેર પહોંચી જાય રે.. જુઓ વાત કેવી બને. માલ ખપાવ્યો ઊંચા બજારેથી, લીધી ત્યાંથી વસ્તુ સાર રે... જુઓ વાત કેવી બને. પોઠો ભરીને તૈયાર કરતાં, ઉજ્જૈન જવાને કાજ રે....જુઓ વાત કેવી બને. શ્રાવકભાઈ ત્યાં સંદેશો આપતા, સુણી સુણો શેઠ એક વાત રે... જુઓ વાત કેવી બને. હેમવિમલસૂરિ જ્ઞાની ગુરુવરજી, બિરાજે પરિવાર સાથ રે....... જુઓ વાત કેવી બને. વાત સુણી ઉપકારી ગુરુવરની, હૈયામાં હર્ષ બહુ થાય રે... જુઓ વાત કેવી બને. બંધ કર્યું ત્યાં જવાનું હમણાં, વંદન કરવા ગુરુને જાય રે... જુઓ વાત કેવી બને. ગુરુ સમીપે આવ્યા માણેકશાહ, જીવન ધન્ય બની જાય રે... જુઓ વાત કેવી બને. પ્રદક્ષિણા કઈ વંદન કરતાં, ઉપદેશ સાંભળી રસાળ રે... જુઓ વાત કેવી બને. ઉપદેશ મધુરા દેતા ગુરુજી, સાંભળે થઈ એકતાન રે.... જુઓ વાત કેવી બને. – દોહા – ભવ્ય જીવો દુર્લભ એવો, મલ્યો માનવ અવતાર; દશ દષ્ટાંત દોહી લો, મળે ન ફરી ફરી વાર. હેતે કરી આરાધના કરવી થઈ એક તાન; બાર વ્રત ઉચ્ચરવાં, એકમને સાવધાન. સમકિત શુદ્ધ કરવું વળી, જાણીને અભ્યાસ; સમકિત વિનાનાં મીંડાં, એકડા વિના ગણાય. સમજાવો ગુરુદેવ, અમને સમકિત કોને કહેવાય; બાર વ્રત વળી કેમ હવે ઉચ્ચરવાં તુમ પાસ. Page #454 -------------------------------------------------------------------------- ________________ 438 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ............. જનનીની જોડ સખી..). સુણો શ્રાવકને સુણો શ્રાવિકા રે લોલ, વીતરાગનાં વચન છે ટંકશાળ જો... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ, કરવું સમકિત શુદ્ધ આપણું રે લોલ, ત્યારે ભવનો વિસ્તાર થાયે જો.. આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. ભવ અનંતા કર્યા આપણે રે લોલ, વળી ભમશું લાખ ચોરાશી બજાર જો... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. મળ્યું શાસન વીતરાગનું રે લોલ, ભૂલી માર્ગ એ બીજા માર્ગે ન જવાય જો.... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. પૂછે માણેકશાહ ગુરુવરને રે લોલ, મિથ્યાત્વ કામ કોને કહેવાય જો, દયા કરીને કહો અમને રે લોલ. સજ્જાતરપિંડ શ્રાદ્ધ ન કરવુંરે લોલ, વળી બારમા તેરમાનાં કીધાં પાપ જો.... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. પાણી ન રેડવું પીપળે રે લોલ, અન્ય દેવને શિર ન ઝુકાય જો.. આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. હોળી, નોરતાં, નાગપંચમી ન માનીએ રે લોલ, શીળસાતમનું વાસી ન ખવાય જો... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. મઢ–માંડી માતા તેડાવીએ નહીં રે લોલ, જૈન ધર્મ સિવાય કથા ન સુણાય જો...... આવું શાસન ફરી ફરી નહીં મળે રે લોલ. એમ અનેક મિથ્યાત્વો થયાં રે લોલ, જાણીને પછી છોડી દેવાય જો. આવું શાસન ફરી ફરી નહીં મળે રે લોલ. ગૌરી પૂજન ગ્રહણ ન માનીએ રે લોલ, બ્રહ્મભોજન કહ્યાં ન શાસ્ત્રમાંય જો આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. જૈન ભક્તિ દેવ-ગુરુ ધર્મ તણી રે લોલ, સાધર્મિક ભક્તિમાં પુણ્ય આપાર જો.... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. - દોહા – કોઈ જીવને ન મારીએ, બોલીએ જૂઠું ન લગાર; ચોરી કરીએ ન કદી બ્રહ્મચર્ય રીતે પળાય. પરિગ્રહનું પરિમાણ કરો, દિશિ-વિદિશી પરિમાણ; ભોગ ઉપભોગ અનર્થ દંડમાં બહુલાં કીધાં પાપ. સામાયિક શુદ્ધ મને કરો, વળી દેશાવમાસિક પ્રમાણ, પૌષધ કરો પૂર્ણ પ્રેમથી ભક્તિ અતિથિ સંવિભાગ. Page #455 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 439 બારે વ્રતોમાં કહ્યાં એ, પાંચ પાંચ અતિચાર બાર વ્રત જ્યારે ઉચ્ચરે, શ્રાવકમાં ગણના થાય. સાંભળે માણેકશાહ તિહાં, ધર્મ સ્વરૂપ પ્રકાર, સમકિત સાથે બાર વ્રતને કરતાં ત્યાં સ્વીકાર. પોઠો ભળાવી પરિવારને, ઉજ્જૈની જવાને કાજ; રહેતા ગુરુ સાંનિધ્યમાં, ચોમાસું આગ્રામાંય. પૌષધ પ્રતિક્રમણ કરે, કરતાં વ્રત પચ્ચખ્ખાણ; દેવદર્શન પૂજા વળી ભક્તિ સાધર્મિક સાર. યોગ્ય જીવ છે જાણીને, કહેતા ગુરુ ધર્મની વાત સમકિત દઢ વસ્યું મનમાંહિ, સુસંગે શું નહિ થાય. ( રાગ.. લાખ લાખ દીવડાની....) તત્ત્વ ભરી વાણી ગુરુ સૌને સુણાવતા, મિથ્યાત્વનાં જાળાં કપાય, વાણી કેવી જાદુ ભરેલી. જંગમ તીર્થ કહ્યાં ગુરુને શાસનમાં, સમજાવે ધર્મ તત્ત્વજ્ઞાન.... વાણી .... ભવ્ય જીવોના સંયશ દૂર થાએ, શત્રુંજય મહિમાની વાચના થાએ, રાયણ નીચે પગલાં સોહાય. વાણી શાશ્વતું તીર્થ એ શાસનમાં ગાજે, સિધ્યા અનંતા આત્મા કાંકરે કાંકરે, તરવાનું અનોખું સ્થાન. વાણી ... નવ ટૂકો જેની ગગને વાત કરતી, મુદ્રા દાદાની દીસે દુઃખ હરતી, સૂર્યકુંડ મહિમા ગવાય.. • વાણી..... છરી પાળી યાત્રા જે કરતાં, ક્રોધ કષાય મનમાં ન ધરતો, સિદ્ધ જીવનનાં કાજ... વાણી પૂર્વનવાણું વાર રૂષવદેવ જ્યાં પધાર્યા, અનંતા મુનિવરોએ અણસણી સ્વીકાર્યા, સુરનર કિન્નર ગુણ ગાય વાણી.... ભાવ થકી ભેટે જે આવા ગિરિરાજને, જોતાં પગલે પગલે પખાળે પાપને, દુર્ગતિ દૂર રહી જાય ... વાણી - જીવનમાં ગિરિરાજને જે ન ભેટે, જમ્યો નથી જીવન લેખાય એનું એળે, તિર્યંચો પણ તરી જાય... વાણી... જ્ઞાની ન કરી શકે ગુણો છે એટલા, ભિન્ન ભિન્ન વર્ણવ્યા છે. શાસ્ત્રોમાં કેટલાક ભાવ થકી ભેટો બેડો પાર..વાણી ... દોહા વાણી સુણી મહત્તાભરી, શત્રુંજય એ ગુણ ખાણ યાત્રા કરવી હવે એ માહરે, ભાવે માણેકશાહ ભાવ. ચોમાસું ત્યાં પૂરું થયું, કહે ગુરુને લાગી પાય; યાત્રા કરવી શત્રુંજય તણી મુજ મન ઊગ્યા ભાવ. પગપાળો જઈશ હવે, શત્રુંજય ગિરિરાજ; દર્શન કરું ને ત્યાં સુધી અન્ન–પાણી મારે ત્યાગ. Page #456 -------------------------------------------------------------------------- ________________ 440 - તપાગચ્છાધિષ્ઠાયક વળી કોઈ વિઘ્ન આવે મને, સહન કરીશ સમભાવ; આશીર્વાદ આપો મને, પૂરા થાયે મુજ દોઢસો ગાઉ દૂર છે, વિકટ પંથ કહેવાય; કડક અભિગ્રહ આવડો, શી રીતે પૂરો થાય. સમરથ દેવ-ગુરુ મળ્યા, વળી ધર્મ તારણહાર, શરણું સિદ્ધગિરિનું લહી, પહોંચીશ પ્રભુને દ્વાર. દઢ અભિગ્રહ જાણીને વળી જાણી ઉત્કૃષ્ટ ભાવ; વિદાય આપે ગુરુ પ્રેમથી, યાત્રા કરવા નીકળાય. નગરમાં સહુ કરી રહ્યાં દઢ અભિગ્રહની વાત; દર્શન કરવા ઊભાં રહ્યાં નરનારી સૌ બાર. કાર્તિક વદિ એકમ દિને, આગ્રાથી કર્યું પ્રયાણ; પાત્રા કરવા ગિરિ તણી, મનડું અધીર બની જાય. (રાગ સાંભળજો મુનિ સંયમ રાગે....) સિદ્ધગિરિના ધ્યાને માણેકશાહ, લાંબા પંથ કાપે રે, અહોનિશ હૈયામાં ધ્યાન ધરતાં, હૃદયમાં આનંદ વ્યાપે રે. સિદ્ધ. ગામોગામ ને વન–શહેર મૂકી, ગુર્જર ભૂમિમાં આવે રે પાલનપુરની દક્ષિણ દિશાએ, હાલ મગરવાડા સોહાયે રે...સિદ્ધ. ભિન્ન ભિન્ન વૃક્ષો હતાં ત્યાં, કંટકો પણ સ્થાને સ્થાને રે, ગીરીચ ઝાડી ભયંકર હતી, ત્યાં માણસ કોઈ ન દેખાયે રે.... સિદ્ધ. લગની લાગી યાત્રા તણી જેને, બીજું મનમાં ન લાવે રે; કયારે ભેટું એ ગિરિવરને હું ભાવના એવી ભાવે રે..સિદ્ધ. લૂંટફાટ કરવા લૂંટારા, એ મારગમાં આવે રે; આખો દિવસ રખડ્યાં છતાં એ લૂંટમાં ક્યાંય ન ફાવે રે. સિદ્ધ. નજર પડી તેમની શેઠ જ ઉપરે, દીઠા જતાં એમને વાટે રે; દેખાય છે કોઈ શેઠિયો ભારે, માલમત્તાની સાથે રે... સિદ્ધ. બૂમ પાડી ત્યાં જોરાવરથી, શેઠ ઊભા રહો તે સ્થાને રે, જે હોય તે આપી દો હમણાં, પછી જાઓ તમે વાટે રે... સિદ્ધ. - – દોહા – યાત્રામાં મન જેનું રમી રહ્યું, સુણે ક્યાંથી પોકાર, અહોનિશ ગિરિના ધ્યાનમાં, શેઠજી ચાલ્યા જાય. શંકા પડી તે ચોરોને, નક્કી હશે માલદાર; નહીંતર ઊભો કેમ ન રહે, ચાલો મારીએ ઠાર. શેઠની પાછળ દોડતા, લઈ ઉઘાડી તલવાર; પણ શેઠ હતા શુભ ધ્યાનમાં ખબર પડી ન લગાર. Page #457 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 441 (રાગ... ડુંગરે ડુંગરે કાદુના ડાયરા.) ક્રોધના ભરેલા લૂંટારા આવીને, સાથે મળીને કરતા સૌ ઘાવ રે, માણેકશાહ તમારા ધ્યાનની વાત શી કરવી. શરમ ન રાખે શસ્ત્રો જડ જેવાં, કરુણ દશ્ય તિહાં ખડું થાય રે... માણેક... ત્રણ ત્રણ ટુકડા કર્યા પલવારમાં, લૂંટારાને આવી ન દયા જરાય રે.... માણેક શિર પગ ને ધડ જુદાં થયાં, રુધિર કેરા ત્યાં થયા છંટકાવ રે....... માણેક નિર્દોષ જીવ હણાયો હાથથી, ચોરો પસ્તાતા વીલે મોઢે જાય રે... માણેક .... સર્જાયો ચમત્કાર ત્યાં ભૂમિએ, શિર ઊડતું આકાશમાં દેખાય રે.... માણેક. ખિસ્સાં ખોલ્યાં લૂંટારે જોઈ જોઈ, આશા નિરાશામાં પલટાઈ જાય રે..... માણેક દક્ષિણ દિશામાં ગયું ધડ ઊડતું, પગની પિંડીઓ પડી તે જ સ્થાન રે... માણેક.... મરતાં સુધી ધ્યાન રહ્યું સિદ્ધગિરિનું, જીવ દેવલોકમાં તેમનો જાય રે... માણેક.... જુઓ પ્રભાવ કેવો ધ્યાનનો, કર્યું નહીં કંઈ આર્ત રૌદ્ર ધ્યાન રે.... માણેક..... ભુવનપતિમાં વ્યંતર ઇન્દ્ર થયા, માણિભદ્ર દેવ નામ પંકાય રે.... માણેક બાવન વીર સેવા જેની કરતા, ચોસઠ જોગણીઓના નાટારંભ રે.... માણેક. અજમુખ ગંભીર શ્યામલ સોહતા, સુંદર શોભે સ્વરૂપવાન કાય રે.... માણેક ..... સુખો વિલસી રહ્યાં દેવલોકનાં, પ્રબળ શક્તિશાળી કહેવાય રે... માણેક – દોહા – માતા અને પત્ની સુણે, માણેકશાહની વાત, દુઃખ અંતરમાં ઘણું થયું, લાગ્યો કારમો આઘાત. શુભ યાત્રા કરવા જતાં, થયું મરણ તે વાર; નિશ્ચ સુગતિ પામશે, મનને એમ મનાય. ગામોગામ ને નગરમાંહિ વાતડીઆ ફેલાય; હેમવિમલસૂરિ જાણતાં, શૂરા-શ્રાવકની વાત. પુણ્ય પ્રભાવશાળી સ્થાને, લોક બધાં ઊભરાય, પવિત્ર સ્થાનને જોઈને, ધન્ય ધન્ય બની જાય. અનાદિ સંયોગનો વિયોગ, એ જ કર્મનો ન્યાય; આમ વિચારી સૌ કરે શોક સંતાપ વિસરાળ. શેઠની પુણ્ય સ્મૃતિ માંહી, ઓચ્છવ મહોત્સવ થાય; માતા-પિતા પત્ની વળી, ધર્મમાં વધતાં જાય. અતિ શક્તિશાળી ભર્યા, ચોસઠ ઇન્દ્રો કહેવાય, સમૃદ્ધિશાળી તે ઘણા, અધિપતિ સૌના ગણાય. બાર દેવલોક તણા દશ ઇન્દ્રો કહેવાય; ભવનપતિના વીશ કહેવાય, સોળ વ્યંતરના લેવાય. વાણ વ્યંતરના સોળ વળી, ચંદ્ર-સૂર્યના હોય, રૂપગુણે વિવિધ ભર્યા, ઇન્દ્રાણી સાથે હોય. Page #458 -------------------------------------------------------------------------- ________________ 442 તપાગચ્છાધિષ્ઠાયક . (રાગ ..... હંસા મારે કરવી છે...........) સાંભળીએ ચોસઠ ઇન્દ્રોની વાત, કેવા કેવા ઈન્દ્રોની જાત..... સાંભળીએ. પગ પહોળા કરી કેડે હાથ દઈ, ઊભેલો માણસ કહેવાય; આ જગની છે રચના એવી, શાસ્ત્રોમાંહિ કહેવાય.......... સાંભળો. ઊર્ધ્વ–અધો ને તિલોક તેમાં, ચૌદ રાજલોક પ્રમાણ; કર્મ પ્રમાણે ગતિ મેળવતો, કર્મ પ્રમાણે સ્થાન સાંભળો. મનુષ્ય–દેવ ને તિર્યંચ નારક, ચાર ગતિઓ ઓળખાય; સુકરણી શુભ ભાવે જે, મનુષ્ય દેવમાં જાય... સાંભળો. કૂડાં કામ કરતાં પાપાચરણ સેવતાં, તિર્યંચ નરકમાં જાય; દુઃખો અનંતાએ યોનિમાં, છુટકારો પુણ્ય થકી થાય.... સાંભળો. બાર દેવલોક નવ રૈવેયક, પાપ અનુત્તર ઉપર કહેવાય; ભવનપતિ, જ્યોતિષ, વૈમાનિક વ્યંતર વાણવ્યંતર લેવાય........... સાંભળો. સાત નારક પૃથ્વી નીચે, દેવલોક ઉપર બાર સિદ્ધ શિલાનું સ્થાન છે ઊંચું, મનુષ્યલોક વચમાંય... સાંભળો. માણેકશાહ શેઠ ક્યાં જઈ ઉપન્યા, તે હવે જોવાય; શુભ ધ્યાનનું ફળ શું ન આપે, તે સુણવાથી સમજાય ....... સાંભળો. – દોહા – દેવપાલ ધ્યાન થકી, ચક્કસરી વરદાન લીધ; શેઠ સુદર્શને ધ્યાનથી શૂળીનું સિંહાસન કિધ. નવકાર મંત્રના ધ્યાનથી, બચી ગયો અમરકુમાર; શીલવતીને પણ ધ્યાનથી સર્પની થઈ ફૂલમાળ. એ જ નવપદના ધ્યાનથી, સુખ પામ્યો શ્રીપાળ, વળી અનેક એ ધ્યાનથી, પામ્યા ભવનો પાર. (રાગ . શ્રી રે સિદ્ધાચળ ભેટવા . ...) વ્યંતર દેવ તેમાં આઠ જાતિના, સુણીએ તેમનાં મુખ્ય નામ; કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચવ્યંતર. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, મનસ્વી રીતે ફરાય ઓછું આવું દશહજારનું, વધુ એક પલ્યોપમ કહેવાય .....વ્યંતર. ગિરિકંદરા ને પર્વત ગુફામાં, વળી ઝાડ ઉપર કરે વાસ; ને વળી ખંડેરમાં કોઈ રહે, અતરે વ્યંતર કહેવાય વ્યંતર. કોઈ ક્ષેત્રનું રક્ષણ કરે, ક્ષેત્રપાળ તેથી કહેવાય; સેવા માણસોની ઘણા કરે, આવો ચાલે વ્યવહાર વ્યંતર. Page #459 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 443 - દોહા – આઠ જાતિના વ્યંતરમાં, બીજા ઘણા પ્રકાર; કિન્નર, કિંપુરુષ મહોરગના, દશ દશ કહ્યા પ્રકાર. ગંધર્વના બાર કહ્યા, યક્ષના તેર પ્રકારસાત કહ્યા એ રાક્ષસના, ભૂતના નવ પ્રકાર. પંદર આઠ પિશાચના, ભિન્ન ભિન્ન હોય સ્વભાવ; રૂપચિહ્ન જુદાં કહ્યાં, જેનો આગમમાં વિસ્તાર. (રાગ... મન મંદિર આવો રે .........) જુઓ કેવાં છે અનુક્રમે નામ, શાસ્ત્રોમાં કહ્યાં છે બધાં, નવિ આણો શંકા જરાય, શાસ્ત્રોમાં કહ્યાં છે બધાં. કિનર, કિપુરુષ, ક્રિપુરુષોત્તમ, કિન્નરોગમ હૃદયંગમરૂપશાળી, અગ્નિત ને મનોરમ, રતિપ્રિય રતિ શ્રેષ્ઠ વળી .... જુઓ... પુરુષ,સત્પુરુષ ને મહાપુરુષ, પુરુષવૃષભ પુરુષોત્તમ અતિપુરુષ, મરુદેવ, મરુત, મેરુપ્રભ ને યશસ્વત ..જુઓ... ભુજંગ ભોગશાળી મહાકાય, અગ્નિકાય ને સ્કંધશાળી; મનોરમ ને મહાવેગ મહેશ્વક્ષ, મેરુકાન્ત ભાસ્વતભારી જુઓ..... હાહા હુંહું તુંબરૂને નારદ, રૂષી ભૂતવાદિક કાદમ્બ, મહાકાદમ્ભ, રેવત વિશ્વાસુ, ગીતરતિ ગીત પચસી વળી ... જુઓ...... પૂર્ણ મણિભદ્ર સ્વત હરિભદ્ર, સુમન વ્યતિ પાંતિક સુભદ્ર, સર્વતો મનુષ્યક્ષ વનાધિપતિ, વનહાર રૂપયક્ષ, યક્ષોત્તમ.. જુઓ.... ભીમ, મહાભીમ વિન્ધ વિનાયક, જળરાક્ષસ, બ્રહ્મરાક્ષસ, છઠ્ઠા બ્રહ્મરાક્ષસના કહ્યાં વળી એ સાત પ્રકાર. જુઓ.... સાતમાં ભૂતના નવ પ્રકાર, સુરૂપ અતિરૂપ; પ્રતિરૂપ, ભૂતોત્તમ, સ્કેન્દિક, મહાઔન્દિક, મહાવેગ, પ્રતિછન ને આકાશમ્..... જુઓ..... કુસ્નાન્ડ,પરક, જોષ,આનકાળ, મહાકાળ, ઉષા, અચૌક્ષ તાલ; પિશાચ, મુમ્બર પિશાચ અધતારક દેવું. મહાવિદેહ, તૃષ્ણીક ને વન પિશાચ ... જુઓ... - દોહા – એ સોળ વ્યંતરમાંહિ માણિભદ્ર ઈન્દ્ર સોહાય; જોઈએ હવે આ બાજુ, કેવાં કેવાં કામ થાય. મુજ ગચ્છને છોડી દીધો, વળી છોડી મારી આણ; જાણી ઢંઢકમતના, આચાર્યો આ વાત, પલટાવ્યો કોણે એને, જોઉં હમણાં વાર; જાણમાં મારી આવ્યા પછી, ઘડું એનો હું ઘાટ. Page #460 -------------------------------------------------------------------------- ________________ 444 ( રાગ........ દેખી શ્રી પાર્શ્વતણી....... ) પામર..... દ્વેષ ને બુદ્ધિ ભરી આચાર્યના મનમાં, શોધે હવે કેવો લાગ રે, પામર જીવો કર્મને બાંધતા. કાળા ગોરા ભૈરવતણી સાધના, કરતા બેસી એકાંત રે ..... સાધનાના બળથી ભૈરવ બોલાવતાં, પૂછે ભૈરવ શું કામ રે કામ પડ્યું છે ભૈરવજી તમારું, કરો અમારાં તમે કામ રે મારા ભક્તોના કોણે વિચાર ફેરવ્યા, કરો ઉપયોગથી તપાસ રે ઉપયોગ મૂકીને જોતાં ભૈરવજી, જુએ હેમવિમલસૂરિ રાય રે કહ્યું એ સાધુને આગ્રામાં આચાર્યજી રહ્યા ચોમાસું પરિવાર રે મુજ. આજ્ઞા છે આજે ભૈરવજી તમને, વિઘ્ન કરો ત્યાં તત્કાળ રે મંત્રથી બંધાયેલો ભૈરવ વાતને, કરતો તિહાં શિરોમાન રે સાધનાનો ઉપયોગ કરવો સુકર્મમાં, મંત્રનું એ પરિણામ રે સ્વાર્થીલા જીવો ન જાણે મંત્રપ્રભાવને, કરતા તેનાથી ઘોર કામ રે ધર્મના મર્મને સમજે ન જીવડા, રખડ્યા કરે સંસાર રે જુઓ ગોશાળો તેજોલેશ્યાને છોડે, વીરને વિડંબના થાય રે તપાગચ્છાધિષ્ઠાયક ..... ..... ..... ..... – દોહા – પરિવાર સાથે શોભતા, હેમવિમલસૂરિ રાય; ભૈરવ આવ્યો તિહાં કને વિઘ્ન કરવાને કાજ; ખબર ન પડે કોઈને, પ્રવેશ કરે સાધુની કાય; વિપત્તિ જુઓ કેવી પડે, સાંભળતાં દિલ ધ્રૂજી જાય. પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... પામર..... ( રાગ પરણ્યા વિના સ્વામી...... ) આમ તેમ કરીને પછાડે, ચારે કોર ઘુમાવતા જાય, સાધુજીને કરતા દુ:ખી. મોઢામાં ફીણ લાવે, શરીર હંફાવે કરતો દયા ન જરાય ............ . સાધુજીને. સવારથી સાંજ સુધી દુઃખી આમ કરતાં, કાળધર્મ બીજે દિને થાય ........ . સાધુજીને. એક પછી એક એમ વારા સૌના આવતા, દેશના પ્રાણ ખોવાય . સાધુજીને. હેમવિમલસૂરિ નિજામણાં કરાવે, સમાધિમાં સ્થિર થાય . સાધુજીને. જ્ઞાની ગુરુવર નિમિત્તજ્ઞાનથી, જાણી ગયા વાત પલવાર........... સાધુજીને. આરાધના કરે તે શ્રદ્ધાના બળથી, શાસનદેવી પ્રગટ થાય ........... . સાધુજીને. કહેતા દેવીને ઉપદ્રવ શાનો, દૂર કેમ તે કરાય .......... સાધુજીને. – દોહા – શાસનદેવી કહે તિહાં, વિહાર કરો તત્કાળ; દેવનો પરચો મળશે, ગુર્જર હદ શરૂ થાય. દેવ પ્રગટ થશે તિહાં, વિઘ્ન થશે વિસરાળ, તે ભૂમિની હદ સુધી કરીશ તમને સહાય. Page #461 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ભૂમિ આવે પરચા તણી, અંગસ્ફુરણા તુમ થાય; અઠ્ઠમ તપ કરો ભાવથી, એ ભૂમિ ને એ સ્થાન. એમ હિતની વાત કહી, દેવી થઈ અંતરધ્યાન; વાત જણાવે સંઘને વિહાર કરવા કાજ. ભેટ બાંધી ગુરુએ તિહાં, દોય સાધુની સાથ; વિહાર કરતાં આગ્રાથી, સંઘ રડતો દેખાય. ગામોગામ વટાવીને, મૂકયો દેશ મારવાડ, ગુજરાત હદ શરૂ થઈ પાલનપુર પણ છોડાય. આવ્યા નિર્જન સ્થાનમાં, મનમાં સ્ફુરણા થાય; આરાધના કરું હવે, શાસનહેલના ન થાય. જોયા સાધુ સાથમાં, દુઃખની શરૂઆત થાય; અટ્ટમતપ ઉચ્ચરી અને રહ્યા કાઉસ્સગ ધ્યાન. મન–વચન-કાયા દઢ કરી ભૂલી ભાન ને તાન; ત્રણ–ત્રણ દિન વહીગયા, ઊગ્યું ચોથું પ્રભાત. ( રાગ ...... મા સિદ્ધાચળની રખવાળી.......... ). માણિભદ્રવીરનાં આસન ડોલાય, તપનો પ્રભાવ લાગે છે. ઉપયોગ અવધિજ્ઞાનેથી કરાય.... તપનો..... જુએ જુએ ઉપકારી મહારાજ ..... તપનો..... ભવસમુદ્રમાંથી મને ઉગારનાર .તપનો....,જાઉં જાઉ સત્વરે તેમની પાસ ... તપનો..... વંદન કરવા માટે થાએ તૈયાર . તપનો..... બાવન વીર ને ચોસઠ જોગણીઓ સાથ, માણિભદ્રવીર તિહાં આવે છે. આવ્યા આવ્યા જ્યાં ઊભાં છે ગુરુવર સ્થાન..... માણિભદ્ર...., ઐરાવણ અસવારી ને વિશાળ છે કાય ...... માણિભદ્ર . હાથ, પગ સુકોમળ ને જીભ હોઠ લાલ ........ માણિભદ્ર.... મસ્તક ઉપર સોહે મુગટ લાલ માણિભદ્ર . કંઠે આભૂષણ ને રત્નમય માળ ........ માણિભદ્ર છ છ ભૂજામાં બળ ખૂબ ધરનાર માણિભદ્ર . મુખ પર મંદિર ધ્વજાનો ઝલકાર ....... માણિભદ્ર કાનમાં કુંડલ ને ચમકતું ભાલ ......... માણિભદ્ર ....... સારે સારે કન્નુનાં વાંછિત કાજ માણિભદ્ર . – દોહા - વંદન કરીને ઊભા રહ્યા, પરિવાર સાથે હાથ; સુસ્વર કરતાં તિહાં કને, પૂરું કરો ગુરુ ઘ્યાન. પૂછે છે ગુરુ રાયને, ઓળખો છો મહારાજ, હું કોણ છું તુમ આગળે, આવી ઊભો છું સાજ. ઓળખે કોણ તમને નહીં, નર–નારીથી પૂજાવ; લાગો છો દેવ સોહામણા, થાઓ ધર્મનો ................. 445 ******** ******** લાભ. ના ના ગુરુજી તેમ નહીં, બીજી રીતે ઓળખાવ; ઉપકાર છે તુમ તણો, મુજથી કેમ ભુલાય. ઓળખાવો તુમ સ્થાનને, વળી જણાવો તુમ નામ; શાસનહિતના કાજમાં કરો અમારાં કામ. Page #462 -------------------------------------------------------------------------- ________________ 446 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ ..... હાં રે મારા મહાવીર ભગવાન રે. ...) પામ્યો સુંદર સ્થાન રે, આપના પ્રભાવ રે ઉપકાર ભૂલું કેમ આપનો, રૂડાં દેવનાં સ્થાન રે, વ્યંતરનિકાય રે, ધર્મ પ્રભાવ રે......ઉપકાર જીવ માણેકશાહ હું પૂર્વ ભવમાં, રહેતો હતો ઉજૈની શહેરમાં મળ્યો તમારો સાથ રે, સમજાયો ધર્મરાહ રે.............ઉપકાર....... કરવા આવ્યો હું વેપાર રે, આગ્રા શહેરની મોજાર રે; આપ રહ્યા ચોમાસ રે, આવ્યો વંદનને કાજ રે ....ઉપકાર સિદ્ધગિરિનો પ્રભાવ ત્યાં સાંભળ્યો, યાત્રા કરવાને ત્યાંથી નીકળ્યો; જ્યાં આવ્યો હું આ સ્થાન રે, ચોરે કીધો મુજ ઘાત રે .......ઉપકાર મર્યો હું તો ત્યાં સિદ્ધગિરિ ધ્યાનમાં સ્થાન મળ્યું મને ભુવન વ્યત્તરેન્દ્રમાં, માણિભદ્રવીર નામ કહાય રે, તુમ સેવામાં અવાય રે........ઉપકાર.......... ઘણા કાળથી જેનાં ત્રણ સ્થાન છે, મગરવાડા, આગલોડ અને ઉજ્જૈન નામ છે; પ્રભાવિક સ્થાન છે, ચમત્કારી ધામ છે. .......ઉપકાર ..... ક્ષિપ્રાકાંઠે પડ્યું શિર ઉજ્જૈન શહેરમાં, ધડ પડ્યું આગલોડ ગામમાં રહી પગપિંડી આય રે, મૂળ સ્થાન કહેવાય રે ....ઉપકાર ... - દોહા - તુમ સેવામાં હાજર છું, ઉપકારી હે ગુરુરાજ, મુજ જેવું કામ જે હોય તે, ફરમાવો શિરતાજ પ્રબળ શક્તિશાળી તમે, સુણો અમારી વાત; અદશ્ય ઉપદ્રવ થાય છે, અમ સાધુને માથ. દશ દશ સાધુ ખોયા અમે, અગિયારમાં જવા તૈયાર; તપાસ કરો તમે ઉપયોગથી કોણે કર્યો આવાં કામ. બોલાવે તિહાં ભૈરવને, હતાં અને સવાર; સમજાવે એને પ્રેમથી, કરો ઉપદ્રવ વિસરાળ. સંતજનોને પીડવાથી, કર્મ ચીકણાં બંધાય, માટે કહું છું તમને, કરો વિનનો એ નાશ. ભૈરવ તિહાં બોલતા, તુમ આજ્ઞા શિર ધરાય; પણ મંત્રશક્તિથી બંધાયેલ, નથી અમારો ઉપાય ફરજ પાડો જો અમને તો, એક જ છે તેનો રાહ; સ્વામી અમારા તમે છતાં યે, યુદ્ધ કરવાને તૈયાર. સરે કામ જો પ્રેમથી નહીં યુદ્ધનું નામ; માની જા ભૈરવ તમે, છોડી દો તમે આ કામ. પણ સમજે નહિ ભૈરવ તિહાં, ઘણા કીધા ઉપાય; માણિભદ્રવીરને હતી, ગુરુસેવાની દાઝ. Page #463 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 447 (રાગ ........... ડુંગરે ડુંગરે કાદુના ડાયરા.............) સામસામા યુદ્ધમાં ઊતર્યા, સમજાવે હજી માણિભદ્રવીર વાત રે; ભૈરવજી વાત માનો તો યુદ્ધ ન કરવાં. કળથી કામ થાય તો તે કરવું, બળનો કરવો છેલ્લો વિચાર રે....... ભૈરવજી, પણ માને ન ભૈરવ એ વાતને મૂકવા વીર કહે અભિમાન રે....ભૈરવ . ... છ છ ભૂજાના ધણી વીરજી, આઠ ભૂજા ધારી ભૈરવ કહેવાય રે.... ભૈરવજી, વૈક્રિય લબ્ધિ વીર ફોળવતા, કરી બાર બાર ભૂજા પલવાર રે......ભૈરવ સોળ ભૂજા કરી ભૈરવે તિહાં, પણ વીર જીત્યા ન જિતાય રે........... ભૈરવજી, બમણી બમણી ભૂજા વધારીને, કરતાં યુદ્ધ બંને નિર્ધાર રે ....... ભૈરવ............ અંતે હાર્યો ભૈરવ લડતાં, શરણે આવ્યો વીરને શિર નમાય રે, તો વીરજી તમે જીત્યા ને અમે હાર્યા. ક્ષમા માગું છું ચરણોમાં પડી, તુમે છે ગુણ ગણના ભંડાર રે, હો વીરજી તમે જીત્યા ને અમે હાર્યા. બંધ કરો તમે ઉપદ્રવને, પીલાતા મટે સાધુ મહારાજ રે, ભૈરવજી આવાં કામો હવે ન કરવાં. શક્તિ હરી લીધી તિહાં ભૈરવ, સાધુજીને પીડા બંધ થઈ જાય રે............ ભૈરવજી.... અમને સ્વામી તમે છોડો હવે, જઈએ અમે અમારા નિજ સ્થાન રે . ભૈરવજી... વચન આપો મને અકે હવે, છૂટા તમને કરું તત્કાળ રે....... ભૈરવજી.......... કોઈજિનભક્તોને ન પીલવા, ધર્મના કામમાં કરવી સદાય હાયરે ભૈરવજી.. ... વચન આપ્યું ભૈરવે કહીને, આપની આજ્ઞા શિરોમાન્ય રે, હો વીરજી જઈએ હવે અમે અમારા સ્થાનમાં. – દોહા – માણિભદ્ર મહાવીરની, રજા લઈ ભૈરવ જાય; હરખિત થયેલ ગુરુવર, આપે ધર્મનો લાભ. કામ અમારું આજે કર્યું, લાખ લાખ અનુમોદન આજ; સાધુ દુઃખી થતા રહ્યા, એ પુણ્યનું મોટું કામ. કહેતા વીર ગુરુવરને, સુણો અમારી વાત, શાસનસેવામાં રહીશ, જાગતો દિવસ ને રાત, સ્થાપના કેમ કરવી માહરી, તે કરું છું વાત; વળી બીજી વાતો ભલી, સૌ જીવ હિતને કાજ. (રાગ-સુણો ચંદાજી) સુણો ગુરુવરજી, શાસનસેવામાં રહીશ હું જાગતો; હે ઉપકારી, શાસનસેવામાં સદાયે સંભાળજો. જે શાસનના પ્રભાવ થકી, નમસ્કાર સિદ્ધગિરિ ધ્યાનથી, દેવતાની પામ્યો હું બહુ ઋદ્ધિ..... Page #464 -------------------------------------------------------------------------- ________________ 448 તપાગચ્છાધિષ્ઠાયક સુણો... મુજ સ્થાપના ગુરુવર પાટેથી, કરજો સવા હાથ ઊંચેથી, મૂર્તિ મનોહર સોહાવી. સુણો... દીવો ધૂપ જે જન નિત્ય કરશે, મુજ નામનો જાપ જે જપશે, દુઃખડાં એનાં સદા દૂર ટળશે. સુણો અરિહંત દેવની સાથે સ્મરણ કરશે, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર રહેશે, વળી સંકટોનો એ ચૂરો થશે... સુણો.... ધન-વૈભવની આશા કરીશ પૂરી, વાંઝિયાનું મેણું સદા દૂર કરી, દુઃખના સમયમાં પડખે રહી સુણો.... તપગચ્છની પાટે આચાર્ય થાશે, રક્ષણ કરીશ રહીને સાથે, કરીશ સકળ સંઘની સેવા ભારે... સુણો નવા જે કોઈ આચાર્ય થાય, દર્શન મુજ પહેલાં કરી (પછી) બીજે જાયે, તેમની યશ કીર્તિ જગમાં ફેલાયે.. સુણો... બાધા આખડી મારી જે કોઈ કરશે, જિન આણા સાથે મુજ ધ્યાન ધરશે, તેના મનની આશા બધી ફળશે...સુણો.... કૃષ્ટ અઢારે ચોરાશી વાયુ ટળશે, ભૂત-પ્રેત, ગ્રહપીડા, અંગપીડા હરશે, જો ભાવ ધરીને મને સ્મરશે..સુણો. જળમાં તણાતો ઊગરી જાશે, વાઘ, આગ-મણિધર દૂર જાશે, વૈરીનાં સંકટ નાશ થાશે.... સુણો. આઠમ, ચૌદશ, આયંબિલ કરીને,વળી જાપ જપે દિવાળી દિવસે, સુખડી હેતે કરે ગુરુવારે.... સુણો રવિવારના દિવસે પૂજે સ્થાને, અષ્ટપ્રકારી પૂજા આયંબિલ સાથે, કરે સૌ ભકિત નિત્ય ચડતા ભાવે... સુણો... સવા લાખ જાપ કરી સિદ્ધ કરશે, નિત્ય માળા એક જે ફેરવશે, દર્શન સ્વપ્નમાં (પ્રત્યક્ષ) મુજ કરશે. સુણો.... રજા આપો ગુરુજી જાઉં હવે, યાદ કરજો સમયે સમયે મને, આવીશ તુમારી પાસે કામ પડે... સુણો. સેવા કરજો તમે શાસનની, ભક્તોની વારે ચડજો રક્ષા કરી, મહિમા ખૂબ શાસન વિસ્તારી, - હવે વીરજી સિધાવો સુખેથી તમે સ્થાનમાં. - દોહા – આશીર્વાદ આપે ધર્મતણા, જ્ઞાની ગુરુવર રાજ, પરિવાર સાથેવિદાય લેતાં, માણિભદ્રવીર મહારાજ. અંતરધ્યાન થયા તિહાં લાગી ન કાંઈ વાર; ગુરુ વિહાર કરે તિહાં, હોય સાધુની સાથ. Page #465 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 449 ગામોગામ મહિમા થયો, નરનારી સૌ હરખાય; શાસનદેવ સમ્યગુ જાણી, સ્થાપના સ્થળે સ્થળે થાય. એકાવતારી દેવ છે, પરચા પૂરણ પ્રભાવ, સંકટ વિકટ હરનાર, દુઃખનો કરે વિનાશ. ભાવ થકી આરાધશે, શંકા કરે ન જરાય; મનવાંછિત ફળ પાવશે, સુખ પામશે અપાર, આખડી ભાવથી જે કરે, વળી શ્રીફળ સુખડી ધરાય, સ્મરે જે શ્રદ્ધા ભાવથી કામ પૂરાં તેનાં થાય. (રાગ... મારી વેણીમાં ચાર–ચાર ફૂલ) માણિભદ્રવીરનો કીધો મેં રાસ, આજ મેં તો હરખે હોંશથી રાસ; જય જય મંગળ ગીતડાં ગવાય, માણિભદ્રવીર મારી પૂરજો આશ. માણિભદ્ર વીરના ગુણ જે કોઈ ગાશે, થાશે તેનો બેડો પાર; ભાવ ધરીને સ્તવના કરશે, થાશે એનાં દુઃખડાંનો નાશ.... માણિભદ્ર. પરચા પૂરણ પ્રગટ પ્રભાવી, શાસનદેવ કહેવાય, સમ્યગ્દષ્ટિ વળી છે શક્તિશાળી, સંકટોનો કરે વિનાશ. માણિભદ્ર. સંવત ૨૦૩૧ની સાલમાં, જેઠ સુદ ત્રીજ ગુરુવાર; શરૂઆત કીધી પુષ્ય નક્ષત્રમાં, સાંભળે શ્રોતા સુખદાય.. માણિભદ્ર. મોમ્બાસા નગરમાં રાસની રચના કીધી મેં ચડતા ભાવ; ભણશે ગણશે જે કોઈ સાંભળશે, કરશે માણિભદ્ર વીર સહાય.. માણિભદ્ર. નિશદિન ધ્યાન શ્રદ્ધાથી ધરશે, મૂળ મંત્રની સાથ; વંછિત ફળશે, આશાઓ ફળશે, ફળશે ધારેલાં સહુ કામ... માણિભદ્ર. સંવત હોય સહસ એકત્રીસની સાલે, આવ્યો અષાડ શુભ માસ, રાસ પૂરો કીધો વાંચનમાં ત્યારે, અષાડ સુદિ પૂનમ બુધવારે માણિભદ્રવીરનું ચરિત્ર સાંભળતાં, જનતામાં હર્ષ ઊભરાય; જાણ્યું જીવનમાં પહેલવહેલું, રચ્યું 'કનુએ રસાળ... માણિભદ્ર. (રાગ.... ........ શ્રાવણનો) શ્રદ્ધાભાવ જ્યાં ઘટતા જાય,વીરના પરચા વિસ્મરણ થાય; ૧૭૩૩ની ભલી સાલ, સોમસૂરિ આરાધના કરે તે વાર. પદ્માસન બેસી આરાધના કરે, એકસો એકવીસ ઉપવાસ કરે; માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરે, શાસનસેવામાં રહેવાનું કહે. માણસો ભૂલીને અન્ય સ્થાને જાય, કેમ કરવી મારે હાય; ભાવ ધરીને મને સમજાય, દુઃખ તેઓનાં દૂર રે ટળાય. Page #466 -------------------------------------------------------------------------- ________________ 450 * તપાગચ્છાધિષ્ઠાયક આંખ મીંચી ખોલો જુઓ મુજ સ્થાન, સૂરીશ્વર કરતા તે ધ્યાન મગરવાડા ગામે બેઠા દેખાય, કહેતા વીર હુકમ તત્કાળ પિંડમાંથી એક પિંડ ઉપાડી આજ, આંખ મીંચીને ખોલો પલવાર, સૂરીશ્વર કરતા તે તેની વાર, આગલોડ ગામમાં બેઠા દેખાય. ત્રીજી વાર જોયું ઉજ્જૈની સ્થાન, વીરનાં જોયાં ચમત્કારી સ્થાન; પિંડની મારી સ્થાપના કરાય, મનવંછિત સુખ પામે વિશાળ આશાઓ મનની પૂરી કરીશ, શાસનસેવામાં સદાયે રહીશ; જાઉં છું સૂરીશ્વર મારે સ્થાન, રહેજો સદાયે કરતાં ધ્યાન. ફરી મહિમા ભાવથી ફેલાય, અઢારે વર્ષે પૂજતાં ભાવ; દીવો, ધૂપ, હોમ, હવન થાય, સુખડીના થાળ પ્રેમથી ધરાય...... માણિભદ્રવીરને ભાવથી ભજાય, દુઃખ દારિદ્ર કનુના પલાય, હાથ ઝાલીને કરે બેડો પાર, વીરના નામે જય જયકાર. શાસન રખવાળા શ્રી માણિભદ્રવીરનાં ગીત ગુંજનો પ્રાર્થના (રાગ : ૐ શ્રી શાંતિનાથ) જય માણિભદ્રવીર મંગલકારી, પ્રણમું હું તમ ચરણે શિરધારી...જય. જૈન ધર્મના છો રખવાળા, સકળ સંઘને સુખ દેનારા, અનુપમ મૂર્તિ તુમ મનોહારી જય. ગજ અસવારી છ ભુજાના ધારી, અજમુખવાળા કરુણાધારી માત પિતા તુમ અંતરયામી... જય. યશકીર્તિ તુજ નામે વ્યાપે, ભક્તજનોનાં દુઃખડાં કાપે, માણિભદ્રવીર તુમ નામ જયકારી જય. આપદા સૌની પળમાં હરજો, વિદ્ધના વંટોળ દૂર કરજો, લેજો 'કનુને ભવથી ઉગારી...જય. એવો દેવ બળિયો છે (રાગ : આ તો દાદાનો દરબાર યા આ તો લાખેણી આંગી) માણિભદ્રવીર ધ્યાને દુઃખ જાય, એવો દેવ બળિયો છે. જેના નામથી રોગ શોક જાય, એવો દેવ બળિયો છે. એના દ્વારે કંઈ દુઃખિયાનાં દુઃખો ભાગ્યાં, જેને ભાવથી સેવતાં સુખડાં પામ્યાં, એના નામથી મનનું ધાર્યું થાય.... એવો દેવ. Page #467 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 45]. જેણે ભૈરવ જેવાને હરાવ્યો પલમાં, દેવ હાજરાહજૂર છે એક શાસનમાં, એને પૂજતાં બેડો થાયે પાર... એવો દેવ. મગરવાડા આગલોડ ગામે પૂજાયે ભાવે, ઉજ્જૈની નગરીમાં જેની હાક વાગે, એના જાપથી તાપ ટળી જાય..... એવો દેવ. આવે ભક્તો સૌ માનતા પૂરી કરવા, એને સેવનારા થયા સાજા નરવા, ત્રિવિધ તાપ ટળી જાય.... એવો દેવ. સાચા ભાવથી જે કોઈ એને ધ્યાવે, રોગ શોક સંતાપ પળમાં જાયે, કનુ કહે છે પૂરે સૌની આશ... એવો દેવ. સંભાળી લેજે (રાગ : દેખ તેરે સંસાર કી....) બિરુદ તમારું સંભાળીને રક્ષા કરો મારા વીર... દયાળુ હે માણિભદ્રવીર. ભવસાગરમાં નાવડી મારી, ડૂબે નહીં મારા વીર... દયાળુ હે માણિભદ્રવીર. આશા ભરીને આવ્યો આજે, તમારું શરણું પ્યારુ લાગે, અમીદ્રષ્ટિથી નિહાળો આજે, તમારા વિના કોણ ઉગારે, તુમ દર્શનની લગની લાગી, નિરાશ ન કરો મારા વીર.. દયાળુ. જૈન શાસનના તમે રખવાળા, ભક્તિ કરનારનાં દુઃખ હરનારા, માણિભદ્રવીર નામ જયકારા, સર્વ જગતના પાલનહારા, આધાર તમારો જગમાં મુજને, દર્શન દ્યો મારા વીર.... દયાળુ. જે કોઈ તમારી પાળે આવે, મનની આશા પૂરી કરાવે, ધન, પુત્ર વૈભવને અપાવે, જે કોઈ તમને સમરે ભાવે, નિરાશ ન કરશો સંકટ હરજો, દેજો શક્તિ મારા વીર... દયાળુ. મગરવાડામાં સ્થાનક તમારું, આગલોડ ઉર્જની લાગે પ્યારું, પૂજન અર્ચન કરવાને આવું, તુમ ચરણોમાં ધ્યાન લગાઉં, દોષ અમારા ચિત્ત ન ધરજો, નિભાવી લેજો વીર. દયાળુ. સુખડીના થાળ ભરી ભરી સૌ લાવે, નાળિયેરનાં રૂડાં તોરણ બંધાવે, સોના રૂપાનાં છત્ર ધરાવે, જૈન જૈનેતર પૂજે ભાવે, મહિમા તમારો ગવાયે જગમાં, બળિયા જગમાં વીર.... દયાળુ. જેવો તેવો છું તોયે તમારો, એક જ છે મને ભરોસો તમારો, વિપદા બધી મારી નિવારો, આશરો મને તમારો સાચો, અરજી કન્ની ઉરમાં ધરીને, સંભાળી લેજે વીર... દયાળુ Page #468 -------------------------------------------------------------------------- ________________ 452 તમને રિઝાવું (રાગઃ પ્રભુ તારી ભક્તિ) મણિભદ્રવીર હું તારા ગુણ ગાઉં, તારા ચરણોમાં હું શિર ઝુકાવું... મણિભદ્રવીર. ભીડભંજન તું પાલનહારો, સર્વ જગતનો છે રખવાળો, ભક્તિના રસની છોળ ઉડાવું..... મણિભદ્રવીર સંભાળી લેજે બાળને ઉગારી, આશરો મેં તારો લીધો છે જાણી તારી ભક્તિમાં ભાન ભૂલી જાઉ... મણિભદ્રવીર. સંકટ પૂરજે આશા પૂરી કરજે, આધિ—વ્યાધિ-ઉપાધિ તું હરજે, અવિચલ શ્રદ્ધાનો દીવડો પ્રગટાવું... મણિભદ્રવીર. 'કનું' કહે તમને વીર રિઝાવું... મણિભદ્રવીર. મહાચમત્કારી સ્મરણ તારું દુ:ખ હરનારું, દર્શન તારું મંગલ કરનારું, તપાગચ્છાધિષ્ઠાયક (રાગઃ પૂજન કરાવું હો યા મહાવીરના નામની) માણિભદ્રવીરની હો માળા સૌ ગણજો, દયાળુ દેવની હો માળા સૌ ગણજો, મહાપ્રતાપી એ તો મહા ચમત્કારી, શ્રદ્ધા ધરનારને લેતો ઉગારી, હૈયામાં સમરી હો... માળા સૌ ગણજો. સવા લાખ જાપ જપે એક જ ધ્યાનથી, ૐ અસિઆ ઉસાયના પદ સાથથી, ભક્તિના ભાવ ધરી હો.... માળા સૌ ગણજો. સ્મરણ કરતાં દુઃખ દારિદ્ર જાએ, પગલે પગલે નવનિધાન આવે આઠમ ચૌદસ દિવાળી જાપ ધ્યાને, રવિ શંકાને દૂર કરી હો...માળા સૌ ગણજો. ગુરુવારનાં પૂજન કરાવે, સુખડીના થાળ ભરી હો... માળા સૌ ગણજો. જાગતો દેવ સાચો છે આ કલિયુગમાં, ભક્તોની ભીડ ભાંગે એ તો પલભરમાં, શ્રદ્ધાનો દીપ ધરી હો.... માળા સૌ ગણજો. રોગ શોક ભયને દૂર નિવારે, મનની આશા સૌ પૂરી કરાવે, 'કનુ' કહે વાત ફરી હો......માળા સૌ ગણજો. Page #469 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ એક જ છે એ નાથ (રાગઃ ઊંચી તલાવડીની કોર) શોધું મગરવાડાની વાટ, જાઉં મારે જાઉં માણિભદ્રવીરને ભેટવા. સિદ્ધ જીવનનાં મારાં કાજ, જાઉં મારે જાઉં માણિભદ્રવીરને ભેટવા. પ્રગટ પ્રભાવી બિરુદ જેનું, ભક્તોનાં દુખડાં ટાળે, શાસન રક્ષક જે કહેવાય, આપત્તિમાંથી ઉગારે, સંકટોના છે ચૂરનાર...... જાઉં મારે જાઉં. પગની પિંડીઓ મગરવાડામાં, આગલોડે ધડ પૂજાએ, ઉજ્જૈની નગરીમાં શિરની પૂજના, કરતાં નરનારી ભાવે, યાત્રાળુ ખૂબ ઊભરાય..... જાઉં મારે જાઉં. ભાવ ભક્તિથી સમરે ભાવે, રોગ શોકને નિવારે, દીવો ધૂપ કરે જે ભાવે, સાંજ અને સવારે, દુઃખડાં દૂરે ટળી જાય...જાઉં મારે જાઉં. નવકાર મંત્રની સાથે વીરનું, ધ્યાન જે નરનારી ધરશે, સંસારનાં સૌ સુખો પામી, મનોવાંછિત કામ ફળશે, સાચો એક જ છે એ નાથ...જાઉં મારે જાઉં. બાળ વિનાનાં ભક્તને વીરે, પારણિયાં બંધાવ્યાં, નદી ચોરના ભયથી ઉગાર્યાં, શત્રુથીએ બચાવ્યાં, ગ્રહ પીડા જાપથી જાય.... જાઉં મારે જાઉં. લાલ વસ્ત્ર પરિધાન કરીને, લાલ આસને બેસે, લાલ પુષ્પ ને લાલ માળાથી, સવા લાખ જાપ જપે, દેતા દર્શન સ્વપ્નમાંય...જાઉં મારે જાઉં. સમ્યગ્દષ્ટિ દેવ એ સાચા, અદશ્ય સ્કાય કરતા અહોનિશ શ્રદ્ધાથી સેવતા, મનોવંછિતને સૌ વરતા, 'કનુ' કહે છે એક જ વાત....જાઉં મારે જાઉં. લગાવું તારું ધ્યાન (રાગ : દેખ તે સંસાર કી...) સુણ સુણ માણિભદ્રવીર તું મારી દુઃખ ભરેલી વાત, મુજને એકવાર નયણે નિહાળ, જોયો જોયો મેં પ્રભાવ તારો, શરણે આવ્યો મહારાજ, મુજને એકવાર નયણે નિહાળ, વચન આપ્યું તેં રક્ષણ કરવા, ભક્તિ કરનારનાં દુઃખો હરવા, દુઃખિયારો હું શરણે તારે, દ્વારે આવ્યો મહારાજ... મુજને. તારા નામે સવિ સંકટ નાસે, ભૂત પ્રેત પિચાશ દૂર ભાગે, 453 ગામોગામ તારા ગુણો ગવાયે, નામ સ્મરણથી વિઘ્નો દૂર જાએ, એવો તારો મહિમા સુણીને કર જોડી ઊભો હાથ.... મુજને. તુજ ગુણ ગાઉં ભાવ ધરીને, લગાઉં તારું ધ્યાન...મુજને. માણિભદ્રવીર તું ગજ અસવારી, છ છ ભુજાના શક્તિધારી, ચોસઠ જોગણી બાવન વીર, સાથે આજમુખમાં રૂપધાર..... મુજને. મગરવાડા મુખ્ય સ્થાન છે તારું, આગલોડ બીજું મન હરનારું, Page #470 -------------------------------------------------------------------------- ________________ 454 તપાગચ્છાધિષ્ઠાયક .. . - ગવાઈ રહ્યું વળી માળવા દેશે, ઉજ્જૈની મોટું ધામ... મુજને. તારા પ્રભાવ મેં ઘણા ઘણા જોયા, બીજામાં મારાં મનડાં ન મોહ્યાં, જિનશાસનની રક્ષા તું સારે, કરજે મારી તું સંભાળ મુજને. એકવાર તને સમરે જે ભાવે, સુખ સંપત્તિ ઘરમાં લાવે, નરનારી તારા ગુણ ગાએ, કનુ વીનવે તને નાથ... મુજને. કરુણાધારી (રાગ : પ્રભુ તારું ગીત મારે...) વીર તારો મહિમા જગમાં ગાજે છે, જાપ તારો કરતાં દુઃખ ભાગે છે..... વીર તારો. શ્રદ્ધાનો દીપક પ્રગટાવું હું, કૃપા દયાળુ તારી કૃપા યાચું હું અંતરની વીણા મારી લાગે છે...... વીર તારો. ભીડભંજન તું ભક્તોનો સ્વામી, સંકટ સૌનાં ચૂરતો જાણી, ભૂતપ્રેત તને પાયે લાગે છે... વીર તારો. અંતરયામી અરજી સ્વીકારો, નાવડી મારી પાર ઉતારો, દર્શન તમારા સૌ માગે છે.... વીર તારો. છોરું કછોરું જો થાયે કદી, ભૂલો અંતરમાં તમે ધરશો નહિ, તુજ ભક્તિ કરવા દિલ જાગે છે...વીર તારો. દીનદયાળુ તું કરુણાધારી, નજરોમાં લેજે મુજને વસાવી, ધ્યાન થકી ભ્રમણાઓ ભાગે છે. વીર તારો. શક્તિ નથી કોઈથી તારી છાની, આથડતાં અમને લેજે નિહાળી, 'કનું સાથ તારો એક માગે છે... વીર તારો. ફેરા ન રહે મારા (રાગ : દર્શન ધોને દયાળા આ કાનુડે કવરાવ્યા) આશા ભરીને આવ્યો દ્વારે ઓ વીર મારા, આશા ભરીને આવ્યો દ્વારે, ભક્તિનો થાળ લાવ્યો ભાવે ઓ નાથ મારા, આશા ભરીને આવ્યો દ્વારે, મંગલમય નામ એક તમારું પ્યારું, દુઃખના દરિયાને દૂર કરનારું, હે.ભક્તો સૌ આવે તારે પાળે... ઓ વીર મારા. ભવના સાગરમાં ડૂબે નાવ મારી, નથી કોઈ મળિયો સાચો સુકાની, હે આશા નથી કોઈ બીજી મારે ઓ વીરા મારા. શોક સંતાપ હાલા મિટાવી દેજે, જીવનમાં જ્યોત એવી પ્રગટાવી દેજે, હે ભવના ફેરા ન રહે મારા... ઓ વીર મારા. Page #471 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 455 માણિભદ્રવીર તમે આશા પૂરી કરજો, ભવની ભાવઠ મારી દૂર તમે કરજો, હે 'કનું' કહે રહું તારા ધ્યાને... ઓ વીર મારા. માણિભદ્રવીર પિસ્તાલીસી ગુણમાલા (રાગ... શ્રવણનો....) પંચ પરમેષ્ઠિને નમન કરી, ગુરુ ગૌતમને વંદન કરી, સરસ્વતી માતાને લાગું હું તો પાય, માણિભદ્રવીર પિસ્તાલીસી કહેવાય. (૧) હે માળવા દેશમાં છે ઉજ્જૈની ગામ, રહેતા સુખલાલ શેઠ ગુણ ભંડાર, * ભાર્યા કસ્તુરીબાઈ ગુણિયલ સાર, જન્મ્યો પુત્ર અનુપમ રસાળ....(૨) માણેકશાહ રૂડું નામ ધરાય, માતાપિતાના રંગમાં રંગાય પૂજા પાઠ ને વિધિ ક્રિયાકાંડ, કરતા નિત્ય સાંજ સવાર .(૩) યોગ્ય વયની ઉંમર જ્યાં થાય, માણેકશાહ લગ્નગ્રંથિથી જોડાય, ઘરમાં આવી લીલાવંતી નાર, શ્વસુર પતિની સેવા સાર.... (૪) વધતો જાએ ખૂબ વેપાર, માણેકશાહની મોખરે છાપ, ભિન્ન ભિન્ન સેવામાં અગ્રવાર, આવો ચાલી રહ્યો છે વ્યવહાર. (૫) એવામાં એક દિન આવે સાધુ રાજ, લોકાશાહની આણા ધરનાર, પૂજાપાઠનો કરે ઇન્કાર, ઉપદેશ દેતા સવાર સાંજ... (5) માણેકશાહને એક દિન બોલાવે પાસ, સમજાવે તેમના પંથના પાઠ, મૂર્તિપૂજાનો ત્યાં કરાવે ત્યાગ, માણેકશાહ તેનો કરે સ્વીકાર.... (૭) માતાના કાને આ વાત જ્યાં જાય, દુઃખ હૃદયમાં ભરી ભરી થાય, સન્માર્ગે પુત્રને વાળવા કાજ, છએ વિગઈનો કરે ત્યાં ત્યાગ. (૮) સાસુની સાથે વહુએ જોડાય, મંગળ આયંબિલ તપ કરાય, સમય જોઈને સોગઠી મરાય, માણેકશાહને સમજાવવા કાજ. (૯) એક દિન પત્નીને પૂછે માણેકશાહ વાત, શરીર માતાજીનું સુકાતું જાય, . તમે પણ દિન દિન સુકાતાં જાવ, શું બની રહ્યું છે તે બતાવ..(૧૦) પત્ની કરે સમય જોઈને વાત, માતાજીને નહિ દુઃખ દેવાય, ઉપકારીની કરવી સેવા દિનરાત, રાખવી તેમની પૂરી સંભાળ... (૧૧) ગુણી પત્નીથી માતાની વાત, માણેકશાહ ત્યાં કરતા વિચાર, સુગુણી પત્નીની હિતકારી વાત, ભૂલ્યો હું પામર માતનો ઉપકાર..(૧૨) માણેકશાહ ઊઠી માતાજી પાસે જાય, શાને માતાજી દુઃખને ધરાય, ઉપકારી ફરમાવો સેવાનાં કામ, તુમ ઇચ્છા પૂરી કરવા અરમાન....(૧૩) ભરેલાં પગલાંથી દુઃખ મને થાય, પૂજા પાઠ બંધ નવિ રે કરાય, Page #472 -------------------------------------------------------------------------- ________________ 456 તપાગચ્છાધિષ્ઠાયક શુદ્ધ ગુરુને આંગણે લેવાય, વ્રતનાં બંધન પૂરાં ત્યારે થાય....(૧૪) ઉદ્યાનમાં પધાર્યા છે ગુરુરાજ, હેમવિમલસૂરિ પરિવાર, લઈ આવો તેમને આપણે દ્વાર, ધન્ય બનાવો મોંઘો અવતાર... (૧૫) માણેકશાહ ચાલ્યા તેડવા ગુરુરાજ, મશાલથી કીધો ગુરુ ઉપઘાત, શ્રદ્ધા થઈ ત્યાં દઢ બળવાન, બીજે દિને પ્રવેશ રૂડો કરાય. (૧૬) વ્રત નિયમ લીધાં ચડતા ભાવ, પૂજા પાઠ શરૂ કરે તે વાર, ગુરુ-વિચરતા આગ્રામાં જાય, માણેકશાહ વેપાર માટે ત્યાં જાય...(૧૭) ચોમાસું રહેતા ગુરુવર પાસ, સાંભળ્યો શત્રુંજય અધિકાર, યાત્રા કરવાને થયા તૈયાર, ગુરુ આજ્ઞા લઈ કર્યું પ્રયાણ... (૧૮) દઢ નિયમ કર્યો મનથી નિર્ધાર, પહોંચું જ્યારે પવિત્ર ગિરિરાજ, યાત્રા કરી ભેટું જ્યારે આદિનાથ, ત્યારે અન્નપાણીનો છૂટે ત્યાગ...(૧૯) સિદ્ધગિરિ ધ્યાનમાં ચાલતા જાય, ઉત્તર ગુજરાતની હદમાં અવાય, ગીચ ઝાડી ને ઝાંખરાં અપાર, વિકટ રસ્તો એહ દેખાય...(૨૦) થનગને યાત્રા કરવાને કાજ, નથી મનમાં બીજું કોઈ ધ્યાન, પાછળ આવીને ચોરી કરતા ઘાત, ત્રણ ત્રણ ટુકડા કાયાના થાય....(૨૧) શુભ ધ્યાનમાં મૃત્યુ ત્યાં થાય, દેવલોકે વ્યંતરમાં જાય, માણિભદ્રવીરનું પૂરતા સ્થાન, ચોસઠ જોગણી બાવનવીર પરિવાર..(રર) પલટાવ્યા માણેકશાહને જાણે વાત, પૂર્વના સાધુજી થયા વિકરાળ, ભૈરવને સેવતાં પ્રત્યક્ષ કરાય, મોકલ્યા સાધના કરવા ઘાત......(૨૩) હેમવિમલસૂરિની વાત જણાય, ઉપસર્ગ ચાલુ કર્યા તે વાર, દશ દશ સાધુ કાળ કરી જાય, હેમવિમલસૂરિ ચિંતિત થાય......(૨૪) કરે આરાધના સૂરિજી તે વાર, ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય, કાળ ભૈરવની જણાવતાં વાત, વિહાર કરીને તમે જાઓ ગુજરાત....(૨૫) મળશે પરચો દેવનો તે સ્થાન, થાશે શાસનનું એક મોટું કામ, ભાવિના ભેદ નવિ કોઈથી કળાય, થવાનું હોય તે મિથ્યા ન થાય. (ર) સંઘને રડતો મૂકી કરે વિહાર, આવ્યા ઉત્તર ગુજરાત હદમાંય, અંગની ફુરણા વેગેથી થાય, કર્યા અટ્ટમનાં સૂરિજીએ પચ્ચકખાણ...(૨૭) તપના પ્રભાવે વીરનાં આસન ડોલાય, આવતા લઈને નીચે પરિવાર, છ ભુજાધારી ગજ અસવાર, અજમુખવાળા સુકોમળ સાર...(૨૮) ઓળખાણ આપી જાણી ઉપદ્રવ વાત, માણિભદ્રવીરે જોયું અવધિજ્ઞાન, સમજાવ્યો સમજે ન ભૈરવ વાત, યુદ્ધ કર્યું ત્યાં શકિત વિશાળ.... (૨૯) . હાર્યો ત્યાં ભૈરવ વીરની પાસ, શરણે આવીને લાગ્યો પાય, Page #473 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 457 શમાવે ઉપદ્રવ તેની વાર, વચન આપીને સ્વસ્થાને જાય... (૩૦) મહા ઉપકાર તમારો ગુરુરાજ, પામ્યો દેવનું અધિકું સ્થાન, મુજ સરીખું ફરમાવો કામ, શાસન સેવામાં સદા તૈયાર...(૩૧) શાસનસેવાનાં તમે કરો ખૂબ કામ, જૈન ધર્મની ધ્વજા ફરકાય, થાઓ તમને ધર્મ તણો લાભ, એ જ અમારાં મોટાં છે કામ... (૩૨) સમરશે જે કોઈ મને શ્રદ્ધાભાવ, દુઃખ દારિદ્ર એનાં દૂર થઈ જાય, આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય, મનવાંછિત સૌનાં કામ જ થાય.... (૩૩) ઉપાશ્રયમાં હોય ગુરુવરની પાટ, સ્થાપના સવા હાથ ઊંચે મુજ થાય, દીવો ધૂપ કરશે સાંજ-સવાર, પૂરી કરીશ સૌની મનની આશ.... (૩૪) નવા આચાર્ય જે કોઈ થાય, દર્શન પહેલાં કરી પછી બીજે જાય, યશ કીર્તિ તેમની ખૂબ ફેલાય, વાણી મધુરી શક્તિભરી પમાય....(૩૫) આઠમ ચૌદશનું આરાધન થાય, દિવાળી દિવસે જાપ જપાય, ગુરુવારે સુખડીના થાળ ધરાય, આયંબિલ કરીને રવિવારે પૂજાય.(૩૬) મગરવાડા ને આગલોડ ગામ, ઉજ્જૈની છે માળવામાં ધામ, ભાવ ભક્તિથી સ્તવના થાય, સંકટોનો ચૂરો થઈ જાય.(૩૭) વચન આપીને માણિભદ્રવીર જાય, ગુરુદેવ ત્યાંથી કરતા વિહાર, * પ્રભાવ અનેરો ખૂબ ખૂબ ફેલાય, જૈન જૈનેતર યાત્રાએ જાય....(૩૮) પુત્ર વિનાને દેતા પરિવાર, ધનધાન્યથી ભરતા ભંડાર, આ કળિયુગમાં ઇચ્છા પૂરનાર, હાજરાહજૂર તે દેવ કહેવાય......(૩૯) વિધવિધ ચમત્કાર નજરે જોવાય, જલ ચોર અગ્નિના ભય ટળી જાય, બાધા આખડી સૌની પૂરી થાય, રોગ શોક સંકટ સવિ નાશી જાય......(૪૦) નવકારને આધીન દેવ એ કહેવાય, ૐ અસિઆઉસાયથી જાપ થાય, અમ કે આયંબિલ ત્રણ કરે ભાવ, સવા લાખ જાપથી સિદ્ધ કરાય. (૪૧) આસો સુદિ પંચમી ઉજ્વલ કહેવાય, હોમ હવન વિધિપૂર્વક થાય, ભીડભંજન દયાળુ વીર કહેવાય, સવાર સાંજ એક માળા ગણાય....() પ્રગટ પ્રભાવી જેનું બિરુદ કહેવાય, કલ્પવૃક્ષ ચિંતામણિ એ નાથ, સેવના ઝાઝી હૈયે ધરાય, સુખ સંપત્તિ ઘર આવે વિશાળ...(૪૩) માણિભદ્રવીરના ગુણ જે ગાય, દુઃખ દારિદ્ર તેનાં દૂર ટળી જાય, ભણશે ગણશે તે ઊતરશે પાર, ઘર ઘર પ્રગટે મંગળમાળ..(૪૪) પિસ્તાલીસી માણિભદ્રવીરની ગવાય, ધારેલાં કામ સૌ પૂરાં થાય, 'કનુ' કહે છે જપજો નરનાર, એ છે સાચો તારણહાર...... (૪૫) ) با Page #474 -------------------------------------------------------------------------- ________________ 458 તપાગચ્છાધિષ્ઠાયક ભક્તોની ભીડને ભાંગો રે (રાગ– બાર બાર વરસે) મગરવાડાના વાસી મારા વીરજી મનમંદિરમાં આવો રે સુણો વિનંતી માણિભદ્રવીરજી એકવાર દર્શન આપો રે. તારી કૃપાનો હું છું ભિખારી તારી કૃપાનો હું છું ભિખારી દર્શનની પ્યાસા બુઝાવો રે.. મગરવાડાના.... આશા લઈને આવ્યો તારે દ્વારે. આશા લઈને આવ્યો તારે દ્વારે ભવની ભાવઠ માંગો રે......મગરવાડાના........ મહિમા તમારો જગમાં ગાજે મહિમા તમારો જગમાં ગાજે દુઃખિયાની વહારે આવો રે. જીવન નૈયા કરું તમારે હવાલે જીવન નૈયા કરું તમારે હવાલે ડુબાડો કે પાર ઉતારો રે....... મગરવાડાના.... તારી શક્તિ નથી કોઈથી અજાણી તારી શક્તિ નથી કોઈથી અજાણી * ભક્તોની ભીડને ભાંગો રે.......... મગરવાડાના.... સમકિતધારી મારી વિનંતી સુણીને સમકિતધારી મારી વિનંતી સુણીને કનુનાં દુઃખડાં ટાળો રે..... મગરવાડાના મંગરવાડાના...... તારા નામે દુઃખડાં ભાગે છે (રાગ- ઓ શંખેશ્વરના પાર્શ્વપ્રભુજી) ઓ મારા મગરવાડાના વીરજી તારું નામ જગતમાં ગાજે છે તારું નામ જગતમાં ગાજે છે, તારું દર્શન દુઃખને લાગે છે.... ઓ મગરવાડાના.. તારી મુખમુદ્રા બહુ ન્યારી છે તારી ઐરાવત પર સવારી છે તારો મહિમા જગમાં ભારે છે.... ઓ મગરવાડાના... તું ભક્તોને ભીડમાં ઉગારે છે, હાથ ઝાલીને પાર ઉતારે છે તું ભૂલ્યાંને માર્ગ બતાવે છે.............ઓ મગરવાડાના તું દુઃખિયાની વારે આવે છે, જિનશાસનની શોભા વધારે છે મારું મન તુમ ચરણે લાગે છે ......... ઓ મગરવાડાના નવખંડમાં પરચા તારા ગવાયે છે નરનારી ગુણલાં તારાં ગાયે છે આગલોડ ઉર્જન બિરાજે છે .............. ઓ મગરવાડાના........... રિદ્ધિ સિદ્ધિ ભંડાર ભરાવે છે આધિ વ્યાધિ ઉપાધિને ટાળે છે કનુની નાવ તારા હાથે છે.........ઓ મગરવાડાના Sex Sજાર DAI III HISAE 1 છે, જે બા S ' IME D IIIIIIIIIIIIII 376 HTC MOMOWOWOWONOMOWOMEMO OVOMOWOMOMOWOMOMOVE Page #475 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 459 अहँ नमः 'શ્રી માણિભદ્ર યક્ષાષ્ટક [રાગ – એવા પ્રભુ અરિહંતને, પંચાગભાવે હુ નમુ] રચના – પ.પૂ.વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદવિજય ( હેમચંદ્રસુરીશ્વરજી શિષ્ય મુનિ કલ્યાણબોધિવિજય | પ્રાર્થના+સંકલ્પ " હે માણિભદ્ર યક્ષરાજ ! આપ સંઘ અને શાસનની રક્ષા કરી, શાસનમાં આવતા વિદનોને દૂર કરો. અમારુ યોગ-ક્ષમ કરો. અમારા ધર્મમાર્ગમાં આવતી આફતોને દૂર કરો. અમને સદા આપનુ સાંનિધ્ય મળો. સદા આપની સહાય મળો" આ પ્રાર્થના + સંકલ્પ કરી અષ્ટક દ્વારા યક્ષરાજની ગુહાવના કરીએ. જિન સંઘના ભક્તો જપે તુજ નામ મંત્ર જે ક્ષણે, દૂર થાય સવી આધિ ઉપાધિ વ્યાધિઓ તે તે ક્ષણે, રક્ષક / જિનશાસન તણો સેવે સુરો પદ આપના, માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના (૧) એકાવતારી દેવ સમકિત દ્રષ્ટિ સુરપતિ જે થયા. છે શ્યામવર્ણ શરીર સુંદર બાહુ ષડૂ વર ઉપન્યા ધારે મનો મુખ્ય વરાહ તણ કરે જિન સેવના Page #476 -------------------------------------------------------------------------- ________________ 460 તપાગચ્છાધિષ્ઠાયક માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના (૨) છઠ્ઠા સુરેન્દ્ર પદે જે વ્યંતર કાયમાં લહે સ્થાનને માનવ બની સંયમ ગ્રહી જે પામશે વર જ્ઞાનને. ભક્તો તણી ભીડ ભાંગતા વિનો ચૂરે બહુ કાળના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના (૩) મણીમય ચમકતા મુગટો કંકણ કડા કુંડલ દિપે ત્રિશૂળ મુદ્ગર ડમરૂ અંકુશ પાશ માળાથી જિપે દાઢા ઉપર રાયણ તરૂ શાખા પ્રતિક ગિરિરાજના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના (૪) સેવા કરે બાવન વીરો જોગિણી ચોસઠ ભાવથી પૂજીત સામાજિક સુરેઃ વળી બટુક ભૈરવ દેવથી દૂર કરે ઉપસર્ગ રાક્ષસ દુષ્ટ ભૂત પિશાચના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના (૫) Page #477 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 461 તપગચ્છના મુનિવર તણી રક્ષા કરે નિત જાગતા તપ તેજ દિવ્ય પ્રભાવથી મિથ્યા અસુરો ભાગતા એકાગ્રચિત્તે ધ્યાવતા સૂરિવર પ્રભાવક ધર્મના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના () "ૐ" કાર ને " અસિયાઉસા"યુત " નમઃ શ્રી માણિભદ્ર " ને, તે " દિશતુ મમ સદા સર્વ કાર્યેષ" સુ"સિદ્ધિ " ભક્તને જે જાપ જપે તુજ નામનો આ મંત્રથી ફળે વિંછના માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના (૭) ઉજ્જયની મસ્તક, આગલોડે. ધડ, મગરવાડા મહી પિંડી, પૂજાતી ભક્તગણના વૃંદથી સાચી સહી રક્ષા કરો વિશ્નો હરો ઈચ્છિત પૂરો જિન સંઘના (૮) માણિભદ્ર ! તુજ સાંનિધ્યથી હો સફળ મુજ મન કામના.... કળશ એમ સરળ હૃદયે ભક્તિ ભાવે સિદ્ધગિરિએ વિરચિયું માણિભદ્ર યક્ષેáર–તણ અષ્ટક પુનિત મન ભાવિયુ ગુરૂ ભુવનભાનુ પદ હેમ સુરિશ દિવ્ય કૃપા પીને ગાતા સુર્ણતા પામશે કલ્યાણકારી બોધિને. Page #478 -------------------------------------------------------------------------- ________________ 462 અન્ન જળ વિના શત્રુંજયની આ તીર્થયાત્રાનો ભીષ્મ પ્રસંગ દુનિયામાં કયાંય જોવા મળે તેમ નથી. ગુજરાતમાં પ્રવેશ કરીને પાલનપુર પાસે મગરવાડાના જંગલમાંથી માણેકશાહ ઝડપથી પસાર થઈ રહ્યા છે. શત્રુંજયના ધ્યાનમાં એકલીન બનેલા માણેશાહ ચોરલોકોના હાથે મરણ-શરણ પામે છે. ધરતીનું આ સુવાસિત ગુલાબ વ્યંતરનિકાયના ક્ષ જાતિના ઈન્દ્ર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તપાગચ્છાધિષ્ઠાયક ઉજ્જૈનમાં માણેકચંદ શેઠના ઘર દેરાસરનું વર્તમાન સ્વરૂપ [ફોટો પ્રાપ્તઃ શ્રી માણિભદ્ર ભક્તમંડળ–ઉજ્જૈન] Page #479 -------------------------------------------------------------------------- ________________ S મHE8 પ્રથમ : વિભાગ – ૪ જિક 'અનુષ્ઠાનવિજ્ઞાન : સાધના વિધાન જિક, * * * * એ દર * ક્રિયોદ્ધારક શ્રી આનંદવિમળસૂરિજી અને ગુરુભક્ત યક્ષરાજ શ્રી માણિભદ્રજી * તપાગચ્છીય આચાર્ય ભગવંતો શ્રી માણિભદ્રદાદા * મગરવાડા જૈન તીર્થ: માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન * દાદાના દરબારે માણિભદ્રના દેહરા * યક્ષરાજ શ્રી માણિભદ્રજીના ઉપાસક યતિરાજ શ્રી માલદેવજી * શિવપુર તીર્થઃ એક પરિચય * શ્રી માણિભદ્રવીર દેવ સિદ્ધપીઠ પાવાગઢ તીર્થ * માણિભદ્રજીના વિશિષ્ઠ પ્રભાવક સ્થાનો * શ્રી માણિભદ્રજીનું અપ્રસિદ્ધ – અતિ પ્રભાવક સ્થાન * શ્રીમદ્ આનંદવિમલસૂરિજી મહારાજ * શ્રી માણિભદ્રવીર અષ્ટપ્રકારી પૂજા * શ્રી માણિભદ્રવીર મહાપૂજન ★ श्री माणिभद्र महापूजनम् * શ્રી માણિભદ્રવીર મહાપૂજન [ • Page #480 -------------------------------------------------------------------------- ________________ 464 તપાગચ્છાધિષ્ઠાયક શાસનપ્રભાવક પુ. સુરીશ્વરજી દેવને કોટીશ વંદના જન્મ સં. ૧૯૭૦ માગસર સુદી ૭ દેવાલી (ઉદયપુર, મેવાડ) દીક્ષા સં. ૧૯૮૮ પોષ વદી ૫ પાટણ (ઉત્તર ગુજરાત) વડી દીક્ષા સં. ૧૯૮૮ મહા સુદી ૬ રાધનપુર (ઉત્તર ગુજરાત) ગણિપદ સં. ૨૦૧૩ કારતક વદી ૫ પોરબંદર (સૌરાષ્ટ્ર) પંન્યાસપદ સં. ૨૦૧૫ વૈશાખ સુદી દવાંકી (કચ્છ) આચાર્યપદ સં. ૨૦૪૯ માગસર સુદ ૨ શ્રીપાલનગર (મુંબઈ) પૂ. આ. શ્રી વિજયસુદર્શનસુરીશ્વરજી મ.સા. પૂજપાદ સકલાગમ રહસ્યવેદી, વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ પ્રતિબોધક, જ્યોતિષમાર્તડ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત ચારિત્ર ચૂડામણિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ પટ્ટાલંકાર પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મ. સા.ના લઘુબંધુ પ્રથમ પટ્ટાલંકાર માલવા દેશે સદ્ધર્મ સંરક્ષક, બાલજીવોના ધર્મદાતા, સુદીર્ઘસંયમી, પ્રભાવક પ્રવચનકાર અને ગચ્છાગ્રણી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. સા. જેમના ઉપદેશથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ખાનદેશ, મારવાડ, મેવાડ આદિ અનેક સ્થળ એ દેરાસરો ઉપાશ્રયો, ધર્મશાળાઓનાં નિર્માણકાર્યો તથા જીર્ણોદ્ધાર માટે સફળ અભિયાનો ચલાવ્યાં. મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ અને અહમદનગર આદિ નગરોમાં ધર્મની યાદગાર પ્રભાવનાઓ થઈ. ઉપરાંત ઉપધાન અંજનશલાકાઓ થયાં તે સિવાય શેમલિયા, મક્ષીજી નાગેશ્વર પાર્શ્વનાથના સંઘો જેવાં અનેક શાસન પ્રભાવક કાર્યો સુસંપન્ન થયાં છે. યશોધરચરિત્ર જેવા સંસ્કૃત ગ્રંથોના લેખક અપ્રમત્ત શાસનસેવી આ સૂરિદેવ ૬ વર્ષ ઉપરના સુદીર્ઘ દીક્ષા પર્યાય સાથે અવિરામપણે શાસનપ્રભાવના કરી રહ્યા છે... તે પૂજ્યશ્રીના વૈયાવચ્ચી તપસ્વી શિષ્યરત્ન પૂ. મુનિ પ્રવર શ્રી પ્રમોદવિજયજી મ. સા.ની શુભ પ્રેરણાથી શાસન પ્રેમી મહાનુભાવોના સૌજન્યથી Page #481 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 465 ક્રિયોદ્ધારક શ્રી આનંદવિમળસૂરિજી અને . . . ગુરુભક્ત યક્ષરાજ શ્રી માણિભદ્ર – પ.પૂ.આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ હકીકતોના હેમહસ્તાક્ષરોથી અંકિત બન્યો છે આ વિસ્તૃત લેખ." કલ્યાણ"– નાં પૃષ્ઠો પર વર્ષોથી કસાયેલી કલમનો આસ્વાદ જૈન સંઘ માણતો આવ્યો છે. કથાકલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી એવા પૂજ્ય આચાર્યશ્રીએ આ ઘટનાને રોચક અને સચોટ બનાવીને લખી છે. પંદરમી સદી અને સોળમી સદીના સંધિકાળ સમયે વ્યાપેલી અરાજકતા અને અધાર્મિકતા, અંધકારની ભીષણતા ભલભલાનાં પાણી ઉતારી દેતી હતી. થતિસંસ્થાના પંજામાં સપડાયેલા સંઘને સુવિહિત અને સંવેગી માર્ગમાં લાવી દે તેવા પ્રભાવક પુરુષની પ્રતીક્ષા કરતા સંઘની સ્થિતિનું દર્શન માન્યતા-દર્શન, વ્યવહારદર્શનનું નિરૂપણ માણેકશાહને કેન્દ્રમાં રાખીને કર્યું છે. કિયોદ્ધારના પ્રકાશમાં સતત પુરુષાર્થ આદરતા પૂજ્ય ગીતાર્થ ગુરુદેવોનો અત્રે પરિચય કરાવ્યો છે. માણેકચંદ અને આનંદવિમળસૂરિજી મ.નો વાર્તાલાપ સુરેખ સન્માર્ગ આપે છે. ધર્મ એ ધતિંગ નથી, તપશ્ચરણ ભૂખમરો નથી અને સમતા -સાધુતા એ સળગતી સગડી નથી. 'રૂક જાઓ' નો અનહદ નાદ અંધકારના જથ્થાને ભેટે છે, જેમાંથી આપણને ભેટ મળે છે માણિભદ્ર ઇન્દ્રદેવની..... શાસનરક્ષક દેવ તરીકેની. લેખકશ્રીએ આનંદવિમળસૂરિજી મ.નો આંતરબાહ્ય કરાવેલ પરિચય ઘડીભર તો આપણને અહોભાવ જગાવી દે છે. આ લેખ નિરાંતે વાંચવો–કડીબદ્ધ ઇતિહાસ જાણવા-માણવા મળશે. સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂજ્ય આચાર્યશ્રી હંમેશા સરસ્વતી–સાધનામાં લીન રહ્યા છે. પૂજયશ્રી નિરામય દીર્ધાયુ પામો એવી અભ્યર્થના. –સંપાદક ન ૯. Page #482 -------------------------------------------------------------------------- ________________ 466 તપાગચ્છાધિષ્ઠાયક પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધનાં અંતિમ વર્ષોનો એ કાળ હતો, સોળમી શતાબ્દીનો સુવર્ણયુગ સર્જક સૂર્યોદય થવાને હજી ઘણાં વર્ષોની વાર હતી. પંદરમી અને સોળમી સદી વચ્ચેનો એ સંધિકાળ ઠીકઠીક અંધારઘેર્યો હતો. જૈન સંઘ એવા કોઈ પ્રભાવક પુરુષની પ્રતીક્ષામાં હતો, જે સૂર્ય બનીને આવે અને અંધકાર ઉલેચવાનું કાર્ય કરે. જૈન શાસનમાં ત્યારે વ્યાપેલા અંધકારની ભીષણતા ભાળીને ભલભલાનું અંતર વ્યથિત બની ઊઠતું. ચારે તરફ જાણે અરાજકતા અને અધાર્મિકતા પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી. યતિસંસ્થા પોતાનો પંજો ફેલાવી રહી હતી. શિથિલતાની માત્રા દિવસે દિવસે વધી જ રહી હતી. તત્કાલીન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને નજરમાં રાખીને શ્રી મહાવીર પરમાત્માની સુડતાલીસમી પાટે પ્રતિષ્ઠિત બનેલા શ્રી સોમપ્રભસૂરિજી મહારાજે શુદ્ધ જળની અપ્રાપ્તિ, નિર્દોષ સાધુચર્યા જીવવા માટેના વાતાવરણનો અભાવ આ અને આવાં અન્યાન્ય કોઈ કારણોસર રાજસ્થાન-મારવાડના જેસલમેર આદિ પ્રદેશોમાં સુવિહિત સાધુઓના વિહાર પર મૂકેલો પ્રતિબંધ હજી પણ યથાવતું હોવાથી એ પ્રદેશોમાં મુમતો-કુમાન્યતાઓનું સામ્રાજ્ય ફાલીફૂલી ઊઠ્યું હતું. આવી જ થોડીક પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં પણ નિર્માણ પામી ચૂકી હતી. સૌરાષ્ટ્રના અધિપતિ સુરત્રાણે એવું ફરમાન જારી કર્યું હતું કે, વાદલબ્ધિસંપન આચાર્યાદિ મુનિવરોએ જ સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિચરવું. આ ફરમાનના કારણે સૌરાષ્ટ્રના વિહિત સાધુઓનું વિચરણ સાવ જ સ્થગિત થઈ ગયું હતું. આની વિપરીત અસર તિર્થાધિરાજ શત્રુંજય ઉપર પણ મોટા પ્રમાણમાં પડી હતી. આ દેવનગરી જીર્ણશીર્ણ બની ગઈ હતી. સાધુઓના ગમનાગમનના અભાવે એ નગરીનો ઉદ્ધાર અતિ આવશ્યક હોવા છતાં એ માટેના કોઈ પ્રયત્નો થતા ન હતા. આચાર્યદેવાદિના સદુપદેશ વિના શ્રાવકસંઘમાં જાગૃતિ કોણ લાવે? અને આવી જાગૃતિ વિના ઉદ્ધારકાર્ય કરવા કોણ કટિબદ્ધ બને? શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ સ્થાપેલા સંઘમાં પ્રમુખસ્થાને પ્રતિષ્ઠિત શ્રમણ પરંપરા એ સમયમાં નિગ્રંથગચ્છ, કોટિકગચ્છ, ચન્દ્રગચ્છ, વનવાસીગચ્છ, અને વડગચ્છનું નામાભિધાન પામીને અંતે તપગચ્છ તરીકે વધુ સુપ્રતિષ્ઠિત બની હતી. શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મહારાજના તપપ્રભાવે બનેલી એ ઐતિહાસિક અને અદ્વિતીય શાસનપ્રભાવનાની સર્જક ઘટના પર ૨૫૦થી પણ વધુ વર્ષો વીતવા આવ્યાં હતાં. આ વચગાળાના સમય દરમિયાન મૂળ શ્રમણ પરંપરાથી અલગ થઈથઇને અનેક ગચ્છો-કુમતો પોતાની મિથ્યા માન્યતાઓના પ્રચાર-પ્રસાર દ્વારા શાસનને ડહોળવાનો વધુ ને વધુ પ્રયાસ કરી રહ્યા હતા. એમાંય કોઈ કોઈ ગચ્છો તો એટલા બધા ઝનૂની બન્યા હતા કે, ભૈરવ આદિની સાધનાના બળે તપગચ્છની સામે એ ગથ્થોએ જાણે જીવલેણ જંગ જ માંડ્યો હોય, એમ લાગતું હતું. એના વિપાક રૂપે ૫૦૦ જેટલા તપાગચ્છીય શ્રમણો છૂટાછવાયા અકાળે મૃત્યુના મુખમાં હોમાઈ ગયા હોવાથી તત્કાલીન Page #483 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ વાતાવરણમાં જે સંક્ષુબ્ધતા છવાઈ ગઈ હતી, એ તપગચ્છના નાયકો માટે તો ગંભીર ચિંતા પ્રેરે એવી હતી. આ રીતે જૈન શાસનના આકાશે જ્યારે કાજળકાળા વાદળ ઘેરાયાં હતાં, ત્યારે કોઈ પ્રચંડ ચારિત્રશકિતના આવિષ્કારરૂપે એક તરફ જેમ ક્રિયોદ્વારક પૂ. આચાર્યદેવ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ તેમ જ એક દૈવી તાકાતના અવતરણ તરીકે તપગચ્છ સંરક્ષક યક્ષરાજ શ્રી માણિભદ્ર સૂર્યની અદાથી પ્રકાશી ઊઠયા અને તપગચ્છની અસ્મિતા પુનઃ જ્વલંત બની ઊઠીને અજવાળાં વેરી રહી. 467 ક્રિયોદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ સંસારી સંબંધે ઈલાદુર્ગ–ઈડરના વતની હતા. માત્ર ૪૯ વર્ષના જ જીવનમાં એમણે પોતાના ચારિત્રબળથી જે રીતે શાસન-પ્રભાવના સરજી, એનો ઇતિહાસ તો ખૂબ જ રોમાંચક છે. માણેકચંદ તરીકેના જીવનમાં એ શેઠને ધર્મરાગી બનાવીને, શ્રીમાણિભદ્ર યક્ષ તરીકેના જીવનમાં એમને ધર્મરક્ષક બનાવવા દ્વારા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે જૈન શાસન પર જે ઉપકાર કર્યો, એની ગંગોત્રી આજે અસ્ખલિત રીતે વહી જ રહી છે. શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ માત્ર પાંચ વર્ષની વયે જ દીક્ષિત બન્યા હતા. વીર પરંપરાના પંચાવનમા પટ્ટપ્રદ્યોતક પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી મહારાજના પ્રભાવક પધર તરીકે તેઓશ્રી જે રીતનું ચારિત્રચુસ્ત જીવન જીવી ગયા અને પૂ.આ.શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ જેવા મહાપુરુષોનું જે જાતનું સંયમ ઘડતર કરી ગયા, એ બધો ઇતિહાસ વિગતવાર વાંચવા બેસીએ તો આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઊઠયા વિના ન રહે. જન્મભૂમિ ઈડર. જન્મસાલ વિ.સં ૧૫૪૭. માતપિતા અને પોતાનું નામ ક્રમશઃ માણેકદેવી, મેઘાજી અને વાઘજી. દીક્ષાવર્ષ ૧૫૫૨. દીક્ષિત નામ શ્રી અમૃતમેરુવિજયજી. ઉપાધ્યાય અને આચાર્યપદનું વર્ષ ૧૫૬૮ તથા ૧૫૭૦. આચાર્ય પદાર્પિત નામ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ. ક્રિયોદ્ધાર વર્ષ ૧૫૮૨. ગચ્છનાયક પદ વર્ષ ૧૫૮૩. માણેકચંદશેઠ (માણિભદ્રયક્ષ) પ્રતિબોધ વર્ષ ૧૫૮૪. સ્વર્ગગમન વર્ષ ૧૫૯૬ (સર્વાયુ ૪૯ વર્ષ) શ્રી આનંદવિમળસૂરિજી મહારાજના શિરે ગચ્છની જવાબદારી વહન ક૨વાનો જ્યારે અવસર આવ્યો ત્યારે શાસનની ચોમેર જે રીતે અંધકારઘેર્યું વાતાવરણ હતું, એ ગાઢ અંધકારને ભેદવા માટે સૌપ્રથમ મોરચો શિથિલાચારની સામે માંડવો જરૂરી હતો. એથી સમુદાયના વધુ સંગઠન પૂર્વક એઓશ્રીએ ક્રિયોદ્ધાર કર્યો. ચાણસ્મા પાસે આવેલ વડાવલી–વડાલી ગામમાં ૫૦૦ સાધુઓને સાથે લઈને એમણે ક્રિયોદ્ધાર કર્યો અને સમુદાય માટે પાળવા માટેના ૩૫ બોલ જાહે૨ કર્યા. આ પછી સાચું—ખોટું તરત જ લોકનજરે પરખાઈ જવા માંડ્યું. એથી સત્યની જાળવણી વધુ મોંઘી બનતાં તત્કાલીન કેટલાય યતિઓ (મુનિઓ)નું મુખ્ય નિશાન ત્યારે ક્રિયોદ્વાર બન્યો. તપગચ્છમાંથી જ ક્રિયોદ્વારનો શંખ ફૂંકાયો હોવાથી કેટલાય અન્ય ગચ્છોએ મેલી સાધના અને મેલા દેવોને સાધીને તપાગચ્છને તારાજ કરવા કમ્મર કસી જેથી છૂટાછવાયા ૫૦૦ જેટલા સાધુઓ Page #484 -------------------------------------------------------------------------- ________________ 468 તપાગચ્છાધિષ્ઠાયક એ તારાજીનો ભોગ બન્યા. - શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની સામે આ એક સૌથી વધુ મોટો પ્રશ્ન અને પડકાર હતો. એઓશ્રી પાસે ભીખ-તપશ્ચરણ અને ચુસ્ત ચારિત્રનું પ્રચંડ બળ તો હતું જ; પરંતુ આ બળની પાછળ પીઠબળ તરીકે કોઈ દૈવી બળ જોડાય, તો જ શાસનરક્ષા શક્ય બને એમ હતી. એમનો કઠોર તપ તો ભલભલાનું માથું નમાવી દે એવો હતો. ક્રિયોદ્ધાર કર્યા બાદ તેઓએ માવજીવ છઠ્ઠને પારણે છઠ્ઠ કરવાની ભીખ-પ્રતિજ્ઞા ધારણ કરી હતી. એ પ્રતિજ્ઞાનું પરિપાલન કરતાં એક દી તેઓશ્રી માલવદેશની પ્રસિદ્ધ નગરી ઉજ્જયિનીમાં પધાર્યા. ક્ષિપ્રા નદીનો તટ. ગંધર્વ સ્મશાનભૂમિ. પ્રચંડ ગરમીના દિવસો. આવું વાતાવરણ જોઈને શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે આત્માની અડગતા-સહનશીલતાનો તાગ કાઢવા એક મહિનાની વિશિષ્ટ તપશ્ચર્યા પ્રારંભી. ભીષ્મતાની સાથે સાથે સ્મશાનભૂમિમાં જઈને કાયોત્સર્ગ મુદ્રામાં અણનમ રહેવાની સાધનાની જેમાં મુખ્યતા હતી, એ ભીષ્મ–તપની જાણકારી મળતાં જ આખી ઉજ્જયિનીમાં ઠેર ઠેર એ તપશ્ચરણની ભીષ્મતા અહોભાવ સાથે ચર્ચાવા માંડી. આ ચર્ચાની વાતો એક દી શેઠ માણે કચંદના કાને પણ અથડાઈ. શેઠ મૂળ તો પાલી-મારવાડના વતની હતા, પણ ધંધાર્થે (થોડા સમય માટે જ) ઉજ્જયિની આવ્યા હતા. એ નાના હતા ત્યારે તો ધર્મ પરની એમની આસ્થા ભલભલાને વખાણવાનું મન થઈ જાય એવી અજોડ હતી, પરંતુ વય જેમ વધતી ચાલી અને સમજણ જેમ ખીલતી ગઈ એમ એમની ધર્મશ્રદ્ધા ડગમગવા માંડી. એમાં પણ જૈનશાસનની તત્કાલીન જે હાલત હતી એ જોઈને એઓ લગભગ નાસ્તિક જેવા બની ગયા. પણ એ નાસ્તિકતાની કાળી વાદળીને ય અજવાળતી કોર જેવો એક ગુણ એમનામાં 'માતૃભક્તિ'નો હતો. પોતાને કરવાનું જરાય મન ન હોય એવી કેટલીય બાબતો તેઓ કેવળ માતૃભક્તિ ખાતર કરતા. હા, એટલું જરૂર કે એમાં એમની કાયા જ માત્ર જોડાતી, એમનું મન તો એમાં જરાય ભળતું નહિ. માણેકચંદ શેઠનાં માતુશ્રીના કાને જ્યારે શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની કઠોર તપશ્ચર્યાની વાતો પડી, ત્યારે એઓ મનોમન ભાવના ભાવી રહ્યાં કે, આવા ઘોર તપસ્વી પારણા પ્રસંગે આપણા ઘરે પધારામણી કરે, તો તો આપણો બેડો પાર થઈ જાય. એમણે આ ભાવના માણેકચંદશેઠને જણાવવા પૂર્વક કહ્યું કે, માણેક! તપશ્ચર્યાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ન જાણી હોય, ન જોઈ હોય, એવી ભીષ્મતપશ્ચર્યા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ કરી રહ્યા છે, માટે તું એકવાર એમને વંદન કરી આવ અને પારણા પ્રસંગે પધારવાની વિનંતી કરી આવ. કદાચ આપણું ભાગ્ય જોરદાર હોય, તો આપણને લાભ મળી જાય તો મળી જાય ! માણેકચંદશેઠનો મિજાજ જ જુદો હતો. એઓ મનોમન બબડ્યા: ધ્યાનનાં આવાં ધતિંગ માંડવામાં અને ભૂખે મરવામાં શી મજા આવતી હશે? ચારે બાજુ કેવું સળગી રહ્યું છે ! કેટલાય સાધુઓ દેવી- દેવલાંને રીઝવવામાં પડ્યા છે. મંત્ર-તંત્ર અને દોરા-ધાગાની હાટડી માંડીને કેટલાયે રીતસરનો વેપલો જ શરૂ કરી દીધો છે. કેટલાયનો ગચ્છપ્રેમ ઝનૂની બનીને કેટલાંયને Page #485 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ (46) તારાજ બનાવી દેવા છતાં હજી તૃપ્ત થતો નથી ! શિથિલાચારના કેટલાય ભોરિંગોએ મંદિર–ઉપાશ્રયોમાં પોતાના રાફડા નાંખ્યા છે. આવી કટોકટીની પળે ધ્યાનનાં ધતિંગ ચલાવવાનાં હોય ખરાં? ને ખરેખરી તાકાત હોય તો આ બધાની સામે મેદાને પડીને શાસનની રક્ષા ન કરવી જોઈએ શું? આમ અદશ્ય રીતે દાંત કચકચાવીને માણેકચંદશેઠ માતાનું મન રાખવા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ પાસે જવા રવાના થયા. શેઠ માણેકચંદનું મન આજે ખરેખરું બંડખોર બન્યું હતું. રસ્તામાં ચાલતાં ચાલતાં આવા ને આવા જ વિચારો એમના મનમાં તોફાન જગાડી રહ્યા. ધતિંગ આજે ધર્મ તરીકે પૂજાઈ રહ્યો છે. સળગતી સગડી આજે તપોમૂર્તિ તરીકે વંદના પામી રહી છે, અને મેલાંઘેલાં ચીંથરાને જ ચારિત્ર તરીકેની પ્રસિદ્ધિ આજે મળી રહી છે. આ આનંદવિમળસૂરિ પણ આવા જ ધતિંગના ધજાગરાથી વિશેષ કંઈ નહિ હોય ! ચાલ, આજે તો એમની બરાબર પરીક્ષા લઈ નાંખું, જેથી પ્રત્યક્ષ દેખાઈ આવે કે આ સાધુતાના પડદા પાછળ કેવો સગડો ધખધખી રહ્યો છે! આવા ને આવા વિચારોએ શેઠ માણેકચંદને આજે ઉગ્ર ને વ્યગ્ર બનાવી દીધા હતા. એથી સામાન્ય માણસાઈને પણ ભૂલી જઈને એમણે શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની એવી કઠોર અગ્નિપરીક્ષા કરવાનું નક્કી કર્યું કે, જો જરાક જ ગફલતમાં રહી જવાય તો એ પરીક્ષા જીવલેણ નીવડે ! શેઠ ક્ષિપ્રાના તટ પર થઈને શ્રી આનંદવિમળસૂરિજીને શોધતા શોધતા એ સ્મશાનમાં જઈ પહોંચ્યા. સ્મશાનથી થોડાક દૂરના પ્રદેશમાં શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ ધ્યાનસ્થ મુદ્રામાં અડોલ ઊભા હતા. એમની એ અડોલતાને હાલમડોલમ કરી મૂકવાના શપથ સાથે, શેઠ માણેકચંદે સ્મશાનમાં સળગી રહેલી ચિતામાંથી સળગતું એક લાકડું ઉઠાવ્યું. એ લાકડાને શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની દાઢી સાથે અડાડતાં એઓ ખડખડાટ હસવા માંડ્યા: આ લાકડું વધુ ગરમ છે કે સાધુતાનો ઢાંકપિછોડો પામેલો આ સગડો વધુ ગરમ છે, એ હવે આબાદ પરખાઈ જશે ! દાઢીના વાળ સાથે એ લાકડું અડ્યું ત્યાં જ દાઢી સળગવા માંડી. પણ તોય એ કાઉસ્સગ્ગ મુદ્રા જ્યારે અડોલ–અણનમ રહી ત્યારે માણેકચંદશેઠ એકદમ સ્તબ્ધ બની જઈને વિચારમગ્ન થઈ ગયા. તરત જ એમણે લાકડું પાછું ખેંચી લીધું અને સળગતી દાઢીને ઠારી દીધી. અગ્નિપરીક્ષાની પળોમાં પણ સો ટચની સચ્ચાઈ જાળવી જાણનારી એ સાધુતાએ શેઠને વિચાર કરતા કરી દીધા. એ સાધુતા જાણે માણેકચંદને ઉપદેશી રહી : " આ વસુંધરા તો બહુરત્ના છે. અસનાં અંધારાં ભલે ઠેરઠેર જાગ્યાં છે; પણ સતનાં આવાં અજવાળાં ય ખૂણેખાંચરે હજી જાગૃત જ છે, જે એકચ્છત્રી સામ્રાજ્ય સ્થાપવા ધમપછાડા મારતા અંધકાર માટે 'રૂક જાવ'નો પડકાર બની રહ્યાં છે. અંધકારનો જથ્થો ભલે વિરાટ રહ્યો; એની સામે જાગતી આ જ્યોત ભલે નાનકડી જ દેખાય; પરંતુ આવી જ્યોત મેદાનમાં આવતાં જ પેલો જથ્થો ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. આ એક હકીકત છે, માટે કાળજે કોતરી રાખ કે ધર્મધતિંગ નથી, Page #486 -------------------------------------------------------------------------- ________________ 470 તપાગચ્છાધિષ્ઠાયક તપશ્ચરણ ભૂખમરો નથી અને સમતા-સાધુતા કંઈ સળગતી સગડી નથી." દાઢી બળવા જેવા મરણાંત ઉપસર્ગ વચ્ચેય અડોલ રહેલા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજનું દર્શન શેઠને એકદમ વિચારમગ્ન બનાવી ગયું. જ્યાં કાચના જ ટુકડાઓનો ઢગલો એમણે કહ્યો હતો, ત્યાંથી લાખ-લાખનાં મૂલ્ય ધરાવતા હીરા હાથ લાગી જાય અને જેવો આશ્ચર્યયુક્ત અહોભાવ અનુભવાય એથીય વધુ અહોભાવ સાથે શેઠ માણેકચંદ આચાર્યદેવના ચરણે ઢળી પડ્યા. શેઠની આંખમાંથી પશ્ચાત્તાપ બનીને વહી નીકળેલી એ આંસુધારે આચાર્યદેવનાં ચરણ તો પખાળ્યાં જ, પણ સાથે સાથે શેઠનું ચિત્ત પણ ચોખ્ખું ચણાક બનાવી દીધું. પૂજ્ય આચાર્યદેવનો કાયોત્સર્ગ પૂર્ણ થયો ત્યાં સુધીમાં શેઠ માણેકચંદની આંખમાંથી કેટલું ય આંસુજળ વહી નીકળ્યું હતું. આચાર્યદેવે જ્યારે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો ત્યારે માણેકચંદશેઠની આંખમાં ફરી આંસુનું પૂર ઊમટી આવ્યું. આચાર્યદેવ તરફથી સાંત્વના મળતાં જ શેઠ કંઈક શાંત બન્યા. આ પછી એમણે પોતાની પૂરી કાળી કથા કહી સંભળાવી અને અગ્નિપરીક્ષા રૂપે આવો ઉપસર્ગ કરવા બદલ લળી લળીને માફી માંગી. માતુશ્રીની કેટલીય મથામણો. પિતાશ્રીની કેટલીય પ્રેરણાઓ, ધર્મપત્નીની કેટલીય વિનવણીઓ અને સાધુજનોના કેટલાય સદુપદેશો જે ફલશ્રુતિ આણવામાં નાસીપાસ સાબિત થઈ ચૂક્યાં હતાં, એ ફલશ્રુતિ નિપજાવવા શ્રી આનંદવિમલસૂરિજી મહારાજની મૌન મુખમુદ્રા વિજયી જાહેર થઈ. આ એક બનાવે શેઠની જિંદગી જ પલટાવી નાંખી. આ પછી તો ધર્મ સમજીને એ શેઠ શ્રી આનંદવિમળસૂરિજીના એકદમ ભક્ત બની ગયા. એ ભક્તિની માત્રા એટલી બધી વધી ગઈ કે, પોતાનો ભૂતકાળ પોતાના માટે પણ કલ્પનામાંય ન કલ્પી શકાય, એવો જણાવા માંડ્યો. થોડાઘણા પરિચયના અંતે એક દહાડો શેઠ માણેકચંદે પૂ.આ.શ્રી આનંદવિમળસૂરિજી મહારાજને વિનંતિ કરી કે પ્રભો ! મારી ઉપર વધુ ઉપકાર કરવા આપ પાલી-મારવાડ પધારો અને મને ચાતુર્માસનો લાભ આપો. આ વિનંતિ આપ સ્વીકારશો તો મારા ઘણા ઘણા મનોરથોની પૂર્તિ થવા પામશે. "વર્તમાન જોગ"ના શબ્દોમાં વિનંતિનો જવાબ વાળવામાં આવ્યો; પરંતુ આચાર્યદેવશ્રીને પણ એવું લાગ્યું કે પાલી ચાતુર્માસ થાય તો ખરેખર વધુ લાભ થાય. એથી એઓશ્રી પાલી પધાર્યા ત્યારે માણેકચંદ શેઠ મયૂર બનીને નાચી ઊઠ્યા. ચાતુર્માસના એ દિવસો વીતવા માંડ્યા એમ એમ શેઠ માણેકચંદની ધર્મભાવના પણ ઉત્તરોત્તર વધુ ને વધુ સુદઢ બનતી ગઈ. એમાં પણ ' શ્રી શત્રુંજય માહાભ્ય' ગ્રન્થનું શ્રવણ કરતાં કરતાં તો એમણે જે આનંદ અનુભવ્યો અને જે મનોરથમાળા સેવી એ તો અજબગજબની હતી. આ ગ્રંથ પૂર્ણ થતાં જ એમણે હાથ જોડીને વિનંતિ કરી કે ભગવન્! આપ દર્શાવો એ દિવસે મારે શત્રુંજયની યાત્રા કરવા રવાના થવું અને તીર્થમાં પહોંચીને પછી જ પારણું કરવું. આ વચગાળો મારે ઉપવાસના તપ સાથે શ્રી શત્રુંજયના જપમાં જ પસાર કરવો. હું આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ બનવા ઇચ્છું છું, માટે આવો અભિગ્રહ આપવાનો અનુગ્રહ કરવા વિનંતિ. શ્રી આનંદવિમળસૂરિજીએ આવી પ્રતિજ્ઞા આપતાં પૂર્વે ઘણી ઘણી ચકાસણી કરી જોઈ; Page #487 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 471 પણ જ્યારે એવી ચોક્કસ પ્રતીતિ થઈ ગઈ કે, જાનના જોખમે પણ શેઠ પ્રતિજ્ઞા જાળવશે જ; ત્યારે પૂ. આચાર્યદેવે આ જાતની પ્રતિજ્ઞા આપી. આ પછી યાત્રા માટે પ્રયાણ કરવાનો શુભ દિવસ મેળવીને એની પ્રતીક્ષામાં માણેકચંદશેઠ દિવસો પસાર કરવા માંડ્યા. અંતે એ દિવસ પણ આવી જતાં શેઠ માણેકચંદે પાલીથી પાલીતાણા તરફ યાત્રાર્થે જવા માટે અનેકવિધ સુરક્ષાથી સજ્જ બનીને પ્રયાણ કર્યું. એક તરફ ઉપવાસ આગળ વધવા માંડ્યા તો બીજી તરફ એ સંઘસાર્થ આગળ વધવા માંડ્યો. પણ ઉપવાસની ગતિના પ્રમાણમાં યાત્રાની ગતિ એટલી બધી ઝડપી બની ન શકી કેમ કે એ પ્રવાસ અનેક જાતની મુશ્કેલીઓથી ભરપૂર હતો. વળી વચ્ચે વચ્ચે લૂંટધાડના ઉપદ્રવોની સંભાવનાઓ ધરાવતા અનેક પ્રદેશો આવતા હતા. એ પ્રદેશોને હેમખેમ પસાર કરતો કરતો એ યાત્રાસાર્થ સિદ્ધપુરની નજીક રહેલા મગરવાડા આસપાસના પ્રદેશમાં આવી ઊભો. એ દિવસે શેઠ માણેકચંદને સાતમો ઉપવાસ હતો. મગરવાડા આસપાસનો એ પ્રદેશ ભયગ્રસ્ત ગણાતો હતો. ત્યારે એ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં ઝાડી હોવાથી ચોર-ડાકુ-લૂંટારા ત્યાં છુપાયેલા રહેતા અને અવસર જોઈને જતા આવતા મુસાફરોને લૂંટી લેતા. આ જાતનો ભય હોવાથી શેઠ માણેકચંદનો સાથે સાવધાન થઈને આગળ વધી રહ્યો હતો. પણ એમની સાવધાની ભરજંગલ આવતાં જ એકાએક પડકારાઈ. ગીચ ઝાડી આવતાં જ ચોમેરથી ટોળેટોળાં ધસી આવ્યાં. સિપાઈઓ સાબદા બની ગયા. શેઠ માણેકચંદ પણ સાર્થની રક્ષા માટે મેદાનમાં આવી ગયા. સાતમો ઉપવાસ હતો છતાં એવી કોઈ અશક્તિ કે ઉપવાસની અસર એમનામાં વરતાતી નહોતી. શ્રી સિદ્ધાચલગિરિ અને શ્રી આનંદવિમળસૂરિજી એમની મનોભૂમિમાં ઊપસી આવ્યા. સાર્થની સાથે સુરક્ષા માટેની વ્યવસ્થા કંઈ ઓછી ન હતી; પણ સામેથી ધસી આવેલું ટોળું મોટું હોવાથી એ સુરક્ષાતંત્ર એકદમ ખોરવાઈ ગયું. એ ઝપાઝપીમાં શેઠ માણેકચંદ ખપી ગયા. અંત સમયે પણ શુભભાવ ટકાવી શકનાર શેઠ માણેકચંદ સાતમા ઉપવાસે ત્યાં જ વીરોચિત મૃત્યુ પામ્યા અને વ્યંતર નિકાયમાં શ્રી માણિભદ્ર યક્ષ તરીકે ઉત્પન્ન થયા. આ સમાચાર વાયુવેગે પાલી શહેરમાં પહોંચી ગયા. એથી શેઠના પરિવારની જેમ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે પણ એક ધર્મનિષ્ઠની વિદાય બદલ આઘાત અનુભવ્યો. શેઠ માણેકચંદ મૃત્યુ પામ્યા એ જેટલું દુઃખદ હતું એટલું જ સુખદ પાસું એ પણ હતું કે જીવનને ધર્મમય અને અંતિમ સમયને સિદ્ધગિરિમય બનાવવા પૂર્વક સાતમા ઉપવાસે એમનું મૃત્યુ થયું હતું. આમ હર્ષ-શોકથી મિશ્રિત લાગણી અનુભવતા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે એક દહાડો પાલીથી નીકળીને ગુજરાત પ્રદેશ તરફ વિહાર લંબાવ્યો. વિહાર કરતાં કરતાં એઓશ્રી સિદ્ધપુર આવ્યા. સંઘ સાર્થની રક્ષા કરતાં કરતાં શેઠ માણેકચંદ જ્યાં વીરગતિને વર્યા હતા, એ મગરવાડાનો પ્રદેશ નજીક જ હતો અને ત્યાં થઈને જ આગળ વિહરવાનું હતું. એથી શેઠ માણેકચંદની સ્મૃતિ ઊપસી આવે એ સહજ હતું. આવી સ્મૃતિઓ સાથે એઓ મગરવાડામાં પ્રવેશ્યા. દિવસભર માણેકચંદ શેઠનો થતો રહેલો આભાસ રાત પડતાં જ જરા વધુ સ્પષ્ટ બન્યો અને નિત્યક્રમ મુજબ ધ્યાનાવસ્થામાં શ્રી આનંદવિમળસૂરિજી હજી બિરાજ્યા-ન બિરાજ્યા ત્યાં તો અદ્ભુત દેહકાંતિથી ઝગમગતો એક દેવાકાર એઓશ્રીની સમક્ષ પ્રગટ થયો. એ દેવાકારે ભક્તિભીની વાણીમાં Page #488 -------------------------------------------------------------------------- ________________ - 72 તપાગચ્છાધિષ્ઠાયક કહ્યું: " ગુરુદેવ! મને ઓળખ્યો! હું આપનો ભક્ત માણેક. આ ભૂમિ પર મૃત્યુ પામી હું માણિભદ્ર નામનો યક્ષ બન્યો છું. માણેકચંદમાંથી મને માણિભદ્ર યક્ષ બનાવનાર આપની કૃપા જ છે. એથી યકા તરીકેનો અવતાર મળવા છતાં હું તો આપના ચરણની રજ બનવામાં જ ધન્યતા અનુભવીશ. આપના મારી ઉપર તો અનંત ઉપકારો છે, એ ઉપકારમાંથી કંઈક ઋણમુક્તિ અનુભવી શકે એ માટે હું આપનું કોઈ સેવાકાર્ય યાચવા અહીં આવ્યો છું. માટે મારા યોગ્ય કંઈ કાર્યસેવા ફરમાવવા વિનંતિ." શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની આંખ સમક્ષ વર્તમાન શાસનની ચિંતાજનક પરિસ્થિતિ તો સદેવ તરવરતી જ રહેતી હતી. એ પરિસ્થિતિનો ઉકેલ તેઓશ્રી માણિભદ્ર યક્ષની ઉપસ્થિતિમાં જોઈ રહ્યા. એથી એમણે કહ્યું : " યક્ષરાજ માણિભદ્ર ! મારે મારું કોઈ કાર્ય ચીંધવાની આવશ્યકતા જણાતી નથી અને જે કાર્ય કરવા યોગ્ય છે, એ વગરકો જ તમે કરવાના છો, એવો મને વિશ્વાસ છે. શાસનની અત્યારે ચિંતાજનક હાલત છે, એ માણેકચંદ શેઠ તરીકે પણ તમે અનુભવેલ બાબત છે. અને હવે તો યક્ષરાજ તરીકે એ હાલતમાંથી શાસનને કઈ રીતે ઉગારી શકાય, એ ય તમારા જ્ઞાનમાં પ્રતિબિંબિત જ છે. છતાં હું એટલું જરૂર કહીશ કે આજે તપાગચ્છને સુરક્ષિત બનાવવા કોઈ દૈવી બળ અપેક્ષિત છે. અને આ અપેક્ષા તમારા દ્વારા પૂરી પડશે એમ હું ચોક્કસ માનું છું." ચકોરને તો ટકોર જ ઘણી ગણાય. માણિભદ્ર યક્ષ આટલી ટકોરમાં બધું જ કર્તવ્ય પામી ગયા. એમણે કહ્યું ઃ ગુરુદેવ ! ખરેખર હું ધન્ય બની ગયો ! આવું સુરક્ષાકાર્ય તો ભાગ્યજોગે જ હાથમાં આવી શકે. આ પળથી જ હું આપની સમક્ષ પ્રતિજ્ઞાબદ્ધ બનું છું કે હું તપાગચ્છની રક્ષાનું કર્તવ્ય અદા કરવામાં જરાય પાછો નહિ પડું. પરંતુ મારી પણ એક નમ્ર અરજ આપ સ્વીકારશો. દેવગતિ અંતે તો મોજમજા માણવાની જ ગતિ ગણાય. એથી મોજમજામાં ગુલતાન ને ગુમભાન બનીને હું કર્તવ્યભ્રષ્ટ ન બની જાઉં એ માટે તપાગચ્છની પૌષધશાળાઓમાં મારી સ્થાપના કરાવો તો ભક્તોની પ્રાર્થનાના પ્રભાવે પણ હું વધુ સજાગ રહી શકું, તેમ જ તપાગચ્છમાં જે કોઈપણ આચાર્યપદે પ્રતિષ્ઠિત થાય એ ઓછામાં ઓછા એક વાર તો મને દર્શન આપવા અને ધર્મલાભ સંભળાવવા આ મગરવાડામાં પધારે. જો આટલું થાય તો પછી તપાગચ્છની રક્ષા અખંડિતપણે કરવામાં મને કોઈ અંતરાય કે અવરોધ નડે જ નહિ. શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે માણિભદ્ર યક્ષની આ બે વાતો સ્વીકારી લીધી. એમનું અંતર એક જાતના સંતોષથી છલકાઈ ઊઠ્યું. વર્ષો જૂનું એક સ્વપ્ન આજે સાકાર થતું હતું એનો આનંદ એ સંતોષને વધુ સુદઢ બનાવી ગયો. યક્ષરાજ માણિભદ્ર પણ પ્રસન્ન બની ગયા. આ રીતે પણ ગરુચરણની સેવા કરવાની તક મળવા બદલ ધન્યતા અનુભવતા યક્ષરાજ અદશ્ય બની ગયા. આ પછી દિવસો વીતવા માંડ્યા, એમ તપગચ્છ કઈ રીતે વધુ ને વધુ સુદઢ અને પ્રભાવશાળી બનતો ગયો એની પ્રતીતિ તો અકબર–પ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજા દ્વારા શાસનપ્રભાવનાના સુવર્ણાક્ષરે લખાયેલા ઇતિહાસમાંથી મળી જ રહે છે. આ યુગપુરુષ શ્રી Page #489 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 473 આનંદવિમળસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી દાનસૂરિજી મહારાજના જ પટ્ટધરરત્ન હતા. પરયુગ'ના એ ઇતિહાસને દૂરનો ગણીએ તો ય શ્રી માણિભદ્ર યક્ષના ઉદય બાદનો અને શ્રી આનંદવિમળસૂરિજી મહારાજના સ્વર્ગગમન સુધીનો ઇતિહાસ પણ જો ઉપર ઉપરથી ય અવલોકીશું તો ય જણાયા વિના નહિ રહે કે ગુરુના ચારિત્રબળને દૈવી સહાયનું પીઠબળ મળી જતાં શાસનની રક્ષા અને પ્રભાવનાથી ભર્યો ભર્યો કેટલો બધો અદ્ભુત અને અજોડ ઇતિહાસ રચાયો ! યક્ષરાજ માણિભદ્રના મહિમાથી તપગચ્છ થોડા જ વખતમાં પુનઃ વધુ ને વધુ સુરક્ષિત અને સંવર્ધિત બનવા માંડ્યો. એની સામે પડેલા ધીમે ધીમે પ્રભાવહીન બનવા લાગ્યા એથી શ્રી આનંદવિમળસૂરિજી મહારાજનો પુણ્યપ્રભાવ પણ વધુ ફેલાવો પામતો રહ્યો. ક્રિયોદ્ધાર તો થઈ ચૂકયો હતો. આ પછી પણ એઓનું ઉગ્ર તપશ્ચરણ તો ચાલુ જ રહ્યું હતું. એમાં શાસનપ્રભાવનાનો યશસ્વી ઉમેરો થયો. સૌપ્રથમ તો એઓશ્રીએ વર્ષોથી પ્રતિબંધિત મારવાડ-સોરઠ તરફનો વિહાર ખુલ્લો કરાવ્યો. મુનિઓનાવિચરણના અભાવે જેસલમેર તરફનાં ૬૪ જેટલાં જિનમંદિરો કંટાકર્ણ બન્યાં હતાં, એથી એમાં પ્રવેશ કરવો યદુર્ગમ બન્યો હતો. જનતાને મૂર્તિપૂજાનો મહિમા સમજાવવામાં પૂ. આચાર્યદેવના વિદ્વાન શિષ્યોને સફળતા સાંપડી, એથી બંધ પડેલાં એ મદિરો ધીમે ધીમે પુનઃ પૂજાભક્તિ અને આરાધનાથી ધમધમી ઊઠયાં. આ સિવાય બીજી બાજુ પણ કેટલીય શાસનપ્રભાવનાઓ સર્જાઈ. આ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે પુનઃ વિહાર ચાલુ કરાવ્યો જેના પ્રભાવે લુપકમતનો પ્રચાર-પ્રસાર ઓછો થયો એટલું જ નહિ, એમના વરદ હસ્તે લંપકમતી ૭૮ જેટલા સાધુઓએ કુમતનો ત્યાગ કરીને તપાગચ્છીય દીક્ષાનો સ્વીકાર કર્યો. એથી મૂર્તિપૂજાનો મહિમા સર્વત્ર વ્યાપી ગયો. મંત્રી કર્માશાહ દ્વારા તીર્થાધિરાજનો ૧૬મો ઉદ્ધાર પણ શ્રી આનંદવિમલસૂરિજી મહારાજના સદુપદેશથી જ થવા પામ્યો. ૧૫૮૭ના વૈશાખ વદ ૬ રવિવારે પૂર્ણતા પામેલો એ શત્રુંજયોદ્ધાર આજ સુધી છેલ્લા ઉદ્ધાર તરીકે ઇતિહાસમાંકિત છે. ૫૦૦ જેટલી મુનિદીક્ષા એઓશ્રીના વરદ હસ્તે થવા પામી. ૧૮૦૦ જેટલા સાધુ સમુદાયના તેઓશ્રી અગ્રણી બન્યા. જેસલમેર પ્રદેશના બંધ પડેલા ૬૪ જેટલા જિનપ્રાસાદો એમના ઉપદેશપ્રભાવે પુનઃ ઉદ્દઘાટિત થયા તેમજ અનેક જિનમંદિરોના નિર્માણ, અંજનશલાકા- પ્રતિષ્ઠાદિ કાર્યો એમની નિશ્રામાં સંપન્ન થયાં. શ્રી આનંદવિમળસૂરિજી મહારાજનું તપોમય જીવન તો હેરત પમાડે એવું જ હતું. ચૌદ ચૌદ વર્ષ સુધી નાનાંમોટાં અનેક તપો કર્યા બાદ તેઓશ્રીએ છઠ્ઠના પારણે આયંબિલથી છઠ્ઠ કરવાનો ભીષ્માભિગ્રહ ધારણ કર્યો હતો. એઓશ્રીએ મર્યાદિત અનશનના સ્વીકાર પૂર્વક અંતિમ આરાધના કરીને અમદાવાદમાં આવેલ નિઝામપુરામાં વિ. સં. ૧૫૯ ના ચૈત્ર સુદ ૭ની પ્રભાતે દેહત્યાગ કર્યો ત્યારે નવમો ઉપવાસ હતો. • આ રીતે ૫ વર્ષની વયે દીક્ષિત બનીને ૪૯માં વર્ષે સ્વર્ગસ્થ બનનારા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે ટૂંકા જીવન દરમ્યાન જે જાતની ભીખારાધના કરી, જે જાતની અજોડ Page #490 -------------------------------------------------------------------------- ________________ શાન' માવના કરી, અને જીવનને હોડમાં મૂકી દઈને જે રીતની શાસનરક્ષા કરી, એનું સિંહા કન કરતાં પણ થઈ જાય છે કે, આવા યુગપુરુષની પાટ પર ટૂંક સમયમાં જ શ્રી દાનસૂરિજી મહારાજ અને પછી જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી મહારાજા જેવા પ્રભાવક પુરુષો ન પેદા થાય તાં બીજ ક્યાં થાય? તપાગચ્છાધિષ્ઠાયક : સનની રક્ષા અને પ્રભાવના-આરાધનાના અનેકાનેક કર્તવ્યો ક્રિયોદ્ધારક શ્રી આનંદવિ :ળસૂરિજી મહારાજે અદા કર્યાં એનો જ એ પ્રભાવ છે કે, આજે ય તપાગંચ્છની પરંપરાની પતાકા ગ નચુંબી બનીને લહેરાઈ રહી છે. એક કલ્પના કરીએ કે આ અને આથી ય વધુ ચડિયાતાં અનેક કર્તો તેઓશ્રીએ અદા કર્યાં હોત; પણ જો ક્રિયોદ્ધારનું કર્તવ્ય અદા કરવા ઉપરાંત યક્ષરાજ માણિભદ્રી રાસનસંરક્ષક દેવ તરીકેની પ્રતિષ્ઠા કરવાનું કર્તવ્ય જો અદા ન કર્યું હોત, તો આજે શાસનની ર સ્થિતિ હોત ? આની કલ્પના કરતાં ય કમકમાં આવી જાય એવું નથી લાગતું શું ? ક્રિયોદ્ધાર “ઓશ્રીને માટે મુખ્યત્વે સ્વ અને સમુદાયની શુદ્ધિ—સમૃદ્ધિ સ્વરૂપ કર્તવ્ય હતું, તો માણિભદ્ર ર૧ના પ્રતિબોધ સ્વરૂપ જેઓશ્રીનું કર્તવ્ય એ યુગને માટે તો ઉપકારક બન્યું જ, પરંતુ આજે ય ઉ ારની એ ગંગોત્રી વહેતી વહેતી વિરામ પામી નથી ! આવા ચિરસ્થાયી ઉપકારના ઉદ્ગમામ મા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ ! અને એમના પરમ ભક્ત ઓ યક્ષરાજ માણિભદ્રે ! ।પની કૃપાના અંશ અને વંશને ફરીથી વધુ પ્રમાણમાં ફેલાવો આપવાની અતિ વસમી ગણાય એવી વીસમી સદીની આ વિનંતિ સ્વીકારો, કેમકે પંદરમી–સોળમી સદીના એ વાતાવરણ કરય વધુ વિકૃત વાતાવરણે આ વીસમી સદીને કોઈ વાવાઝોડાની જેમ ચોમેરથી ઘેરી લીધી છે. એ દાવાને મારી હઠાવવાની તાકાત આપના એ અંશ-વંશ સિવાય બીજે કયાંય હોવી સંભવિત જ ન ! આચાર્યશ્રી અવિમલસૂરિજી મહારાજ સત્તર ઠાણા સાથેમાઘ સુદી–૪ના રોજ રાત્રી વિશ્રામ માટે જ્યાં સ્થિરતા કરેલી તે આમ્રવનનું દૃષ્ય ચિત્રમાં નજરે પડે છે. કોટી પ્રાપ્ત શ્રી માણિભદ્ર ભક્ત મંડળ–ઉજ્જૈન] Page #491 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 'તપાગચ્છીય આચાર્ય ભગવંતો પૂજ્ય આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરિ મહા તપસ્વી, આગમના ઊંડા અભ્યાસી, વાદવિજયી તથા ઘણા પ્રભાવી અને પ્રતાપી સૂરિવર હતા. તપાગચ્છ તેમના તપના પ્રભાવે તપાસના બિરુદથી નીકળ્યો છે. શ્રી જગચંદ્રસૂરિ વડગચ્છના શ્રી મણિરત્નસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. શ્રી મણિરત્નસૂરિ, શ્રી વિજયસિંહસૂરિના ત્રણ પટ્ટધરોમાં ત્રીજા પટ્ટધર અને વિનીત શિષ્ય હતા. શ્રી વિજયસિંહસૂરિ શ્રી અજિતદેવસૂરિના પટ્ટધર હતા. તેઓ શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં ૪૧ મા આચાર્ય હતા. શ્રી વિજયસિંહસૂરિના દ્વિતીય પટ્ટધર શતાર્થી નામે જાણીતા ગ્રંથકાર શ્રી સોમપ્રભસૂરિ હતા. આચાર્ય સોમપ્રભસૂરિ તથા ગુરુ શ્રી મણિરત્નસૂરિ એ બંનેએ પોતાની પાટે આચાર્ય જગત્સ્યદ્રસૂરિને સ્થાપ્યા હતા. શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં શ્રી જગચંદ્રસૂરિ ૪૪મા પટ્ટધર હતા. આ સમયે મુનિસમુદાયમાં કાળબળે ક્રિયાશિથિલતા વ્યાપી રહી હતી. તે દૂર કરવા તેઓ ચિંતિત અને ઉત્સુક હતા. શ્રી સોમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી તેઓ મેવાડ પધાર્યા. મેવાડમાં તે સમયે સંવેગી, વૈરાગી, શુદ્ધ આચારવાળા, આગમાનુસાર ચારિત્ર ધારણ કરનારા અને શ્રમણ સંઘમાં વિશુદ્ધ ગુણવાળા તરીકે પ્રખ્યાત આદરણીય ચૈત્રવાલગચ્છના પં. શ્રી દેવભદ્રગણિ વિચરતા હતા. તેઓ આગમના જ્ઞાતા અને તેના અર્થોના મર્મજ્ઞ હતા. શ્રી જગચંદ્રસૂરિ તેમને મળ્યા અને તેમની સહાયથી તેમણે ક્રિયોદ્ધાર કર્યો. શ્રી જગચ્ચદ્રસૂરિ અભેધ જ્ઞાની અને મહાન તપસ્વી હતા. તેમણે આઘાટપુરમાં (ઉદયપુર પાસેના આહાડ ગામે) ૩ર દિગંબરાચાર્યો સાથે વાદ કરી, વિજય મેળવતાં મેવાડના રાણા જેત્રસિંહે તેમને 'હીરા' નું માનવંતું બિરુદ આપતાં તેઓ હીરલા જગશ્ચંદ્રસૂરિ ના નામે વિખ્યાત થયા.. ગુરુદેવ શ્રી મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી શ્રી જગશ્ચંદ્રસૂરિએ જાવજીવ આયંબિલ તપ ચાલુ કર્યા હતાં. આ તપના બારમા વર્ષ દરમ્યાન તેઓ આહાડપુરમાં નદીકિનારે જઈ હંમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા. તેમની આ તપસ્યા અને ધ્યાનના પ્રભાવે તેમનાં રૂપ, તેજ અને પ્રભાવ વધ્યાં હતાં. મેવાડના રાજા જૈત્રસિંહે તેમના ત્યાગ અને તપની પ્રશંસા સાંભળી, તેઓ આચાર્યશ્રીના દર્શન કરવા ત્યાં નદીકિનારે આવ્યા. ત્યાં આચાર્યશ્રીનું તેજથી ચમકતું મુખારવિંદ અને કાંતિમાન દેહ જોઈ ' ગુરુદેવ મહાતપસ્વી છે.' એમ બોલી ઊઠયા. અને Page #492 -------------------------------------------------------------------------- ________________ 476 તપાગચ્છાધિષ્ઠાયક તેમને ' તપા' એવું બિરુદ આપ્યું. ત્યારથી એટલે કે વિ.સં. ૧૨૮પથી આચાર્ય જગશ્ચંદ્રસૂરિની શિષ્ય પરંપરા ' તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામી. આ તપાગચ્છ નિગ્રંથ ગચ્છનું છઠ્ઠું નામ છે. પ્રથમ નિગ્રંથ ગચ્છના શ્રી સુધર્માસ્વામી, બીજા કોટિક ગચ્છના શ્રી સુસ્થિતસૂરિ, ત્રીજા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રસૂરિ, ચોથા વનવાસી ગચ્છના શ્રી સામતભદ્રસૂરિ, પાંચમા વડગચ્છના શ્રી ઉદ્યોતનસૂરિ અને છઠ્ઠા તપાગચ્છના શ્રી જગચંદ્રસૂરિ પ્રવર્તક હતા. તપાગચ્છની આ પરંપરામાં જે સમયે શ્રી માણિભદ્રદેવનું પ્રાગટય થયું તે સમયમાં, તે દેવના પૂર્વભવના શ્રાવક શ્રી માણેકચંદ શાહના અનન્ય ઉપકારી હતા તેવા પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મહારાજ અને તે પછી તપાગચ્છના થયેલા કેટલાક આચાર્ય ભગવંતોનાં નામ આ પ્રમાણે છે :પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. સા. (દેવસુર સંઘ) પૂ. આ. શ્રી વિજયતિલકસૂરિજી મ. સા. (આનંદસુર સંઘ) પૂ. આ. શ્રી વિજયસિંહસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરિજી મ. સા. (ભટ્ટારક શાખા) પૂ. આ. શ્રી વિજયરત્નસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયક્ષમાસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદયાસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયધરણેન્દ્રસૂરિજી મ. સા. (વર્તમાનતપાગચ્છના સમુદાયવાર આચાર્યભગવંતો ) ૫. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજય મેઘસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકારસૂરિજી મ. Page #493 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 477 પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅરવિંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોવિજયસૂરિજી મ. પૂ.આ. શ્રી મુનિચંદ્રસૂરિજી મ. ૫. આ. શ્રી વિજયનેમિસુરિજી મ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપધસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયોતીપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરામસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપરમપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહિમાપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકીતિચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનીતિપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમનહરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનયપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅજિતચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયશ્રેયાંસચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઈન્દ્રસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિજયદાનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભદ્રસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહિંકારચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધર્મધ્વજસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસિંહસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહાયશસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિનોત્તમસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયકીર્તિસૂરિજી મ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી રત્નપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજંબુસૂરિજી મ. Page #494 -------------------------------------------------------------------------- ________________ 47S તપાગચ્છાધિષ્ઠાયક પૂ. આ. શ્રી વિજયભવનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભેરુસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમાનદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવર્ધમાનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયચિદાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમલયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિતમૃતાંકસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયંતશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરેવતસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહીરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનરરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહોદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરંગસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયગુણાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રદ્યોતનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરવિપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનિત્યાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસુધાંશુસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધનપાલસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિચક્ષણસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિનપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયઘોષસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધર્મજિતસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજગશ્ચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયગુણરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહાબલસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅમરગુપ્તસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધનેશ્વરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકનકશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રગુપ્તસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનરચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહમભૂષણસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનરવાહનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયગુણયશસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકીર્તિયશસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયગુણશીલસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅજિતસેનસૂરિજી મ. Page #495 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 479 પૂ. આ. શ્રી વિધાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરત્નસુંદરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહેમરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકમલરત્નસૂરિજી મ. અન્ય સમુદાય પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરિજી મ. પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પૂ. આ. શ્રી જિનચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયડેલાલક્ષ્મી સૂરિજી મ. (નાકોડાવાળા) પૂ. આ. શ્રી વિજયસુરેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરામસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભુવનચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભદ્રસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅભયદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિમલભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિમલરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભુવનચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી અજિતસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી અદ્ધિસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ. પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ. પૂ.આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી ભદ્રબાહુસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી મતિસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી હંસસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી ચિદાનંદસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી રેવતસાગરસૂરિજી મ. પૂ.આ. શ્રી દૌલતસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી યશોભદ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી જિતેન્દ્રસાગરસૂરિજી મ. ૫. આ. શ્રી પયોદયસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી નંદીવર્ધનસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી કનકચંદ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી પ્રમોદસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી લાભસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી નવરત્નસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી નરદેવસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મ. Page #496 -------------------------------------------------------------------------- ________________ 480 પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી મહાયશસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી નિરંજનસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહર્ષસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકલ્યાણસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમંગલપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભાનુચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરામરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપદ્મસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમોહનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકનકરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમહાબલસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપદ્માનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયગંભીરસૂરિજી મ. તપાગચ્છાધિષ્ઠાયક પૂ. આ. શ્રી વિજયલક્ષ્મણસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજયંતસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનવીનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયંજિનભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅશોકરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅભયરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપુણ્યાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહિરણ્યસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસ્થૂલભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅરુણપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવારિષણસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવીરસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોવર્મસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅમરસેનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઅરુણપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયલલિતસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઉમંગસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મ. આ. શ્રી વિજયવિદ્યાસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઈંદ્રદિન્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયઉદયરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયીઁકારસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજનકચંદ્રસૂરિજી મ. આ. શ્રી વિજયરત્નાકરસૂરિજી મ. Page #497 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 481 - - - પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરત્નાકરસૂરિજી મ. ૫. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકપૂરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયજગએંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયનિત્યાનંદસૂરિજી મ. ૫. આ. શ્રી વિજયકેશરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયલાભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરિજી મ. પૂ.આ. શ્રી વિજયન્યાયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રભવસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયયશોરત્નસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપ્રસન્નચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરૂચમચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકલ્પજયસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયપધસૂરિજી મ. ૫. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરત્નશેખરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયસોમસુંદરસૂરિજી મ. પૂ. આ. શ્રીવિજયજિનતચંદ્રસૂરિજી મ. Page #498 -------------------------------------------------------------------------- ________________ 482 તપાગચ્છાધિષ્ઠાયક માણિભદ્રદાદા પૂ. આચાર્ય પુણ્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ શક્તિના ત્રણ પ્રકારો છે. માનવશક્તિ, દેવશક્તિ અને દેવાધિદેવ શક્તિ. આ ત્રણેય શક્તિઓનો સંક્ષિપ્ત પરિચય આપીને પૂજ્ય આચાર્યશ્રીએ શ્રી માણિભદ્રવીરની સાધના-ઉપાસનાની દૈનિક જીવનમાં જરૂરીઆત ઉપર સુંદર અંગુલિનિર્દેશ કરેલ છે. જ્યાં ત્યાં અને જેને–તેને નમવાની, પૂજવાની અને ભજવાની વૃત્તિ સામે લાલ આંખ દર્શાવી સમકિત દેવનું ચિહ્ન-લક્ષણ આલેખન સાથે ભાવાર્થ અત્રે રજૂ કરાયેલ છે.આ લેખના લેખક પૂ.આ.દેવશ્રી નવ વર્ષની બાળવયમાં ચારિત્રગ્રહણ કરી પૂ. ગચ્છાધિપતિશ્રી માણિક્યસાગરસૂરિજી મ.સા. ના અંતેવાસી રહી જ્ઞાનસંપાદન કરી અત્યારે જૈને ઈતિહાસવેત્તા અને શિલ્પવાસ્તુશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્યદેવ શ્રી માણિભદ્રદાદાના અખંડ ઉપાસક છે. માણિભદ્ર દેવની સાધના માટે યોગ્ય વાર, સમય અને સામગ્રી ઉપરાંત વારાહ સંહિતાનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવાય છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર નજીક ચોટીલા પાસે આકાર પામી રહેલ મહાવીરપુરમ તીર્થમાં માણિભદ્ર શક્તિપીઠના નિર્માણની જાણકારી પણ આપી છે. – સંપાદક મગરવાડિયા વીર બાપજી... માણિભદ્રદાદા.... આવાં વહાલાં લાડકાં નામોથી પ્રસિદ્ધ શાસનરક્ષક તપાગચ્છના અધિષ્ઠાયક ઇન્દ્રદેવનું સાચું નામ યક્ષરાજ માણિભદ્ર ઇન્દ્ર છે. માણિભદ્ર તેમનું નામ છે. વ્યંતરનિકાયના બત્રીશ ઇન્દ્રો પૈકીના એક ઈન્દ્ર પણ છે અને યક્ષના નામના વ્યંતર દેવોના ઇન્દ્ર હોવાથી યક્ષરાજ માણિભદ્ર ઇન્દ્ર તરીકે ઓળખાય છે. આમ તો હિન્દુઓમાં દરેક ધર્મોમાં ઈશ્વરની સાથોસાથ તેમના પાર્ષદો પણ હોય છે. રુદ્રના ગણ પણ ગણાવાય છે. વિનરક્ષક તરીકે શ્રી હનુમાનજીની પણ ગણતરી થાય છે. જૈન ધર્મના અલગ-અલગ ફિરકાઓના જુદા જુદા અધિષ્ઠાયક દેવો જોવા મળે છે અને એની ભિન્ન ભિન્ન પદ્ધતિથી ઉપાસના થાય છે. માણિભદ્રદાદાનો મહિમા દેશભરમાં ખૂબ જ પ્રચલિત છે. પૂર્વકાલીન તપાગચ્છના શ્રીપૂજની ગાદીયુક્ત તમામ ઉપાશ્રયોમાં એમની વિવિધ સ્વરૂપે સ્થાપના પણ જોવા મળે છે લોકાગચ્છમાં Page #499 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ પણ માણિભદ્રજી મનાય છે અને સાંભળવા મુજબ દિગમ્બર સંપ્રદાયમાં પણ માણિભદ્રજીનું આદરભર્યું સ્થાન છે. વ્યંતરેન્દ્ર તરીકે આ દેવેન્દ્ર ભગવાનના સમવસરણમાં પ્રતિહાર તરીકે પ્રભુની સેવામાં હાજર રહે છે. પ્રાચીન પૂજનોમાં 'વીર' નામોલ્લેખપૂર્વક એનું પૂજન થાય છે. એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે દાદા એ બાવન વીર પૈકીના એક વીર છે અને તેને સિંદૂર ચઢે છે તેમ જ સ્ત્રીઓ તેમનાં પૂજન-અર્ચન કરી શકતી નથી. ટૂંકમાં, દાદાને વીર હનુમાનની સમકક્ષ ગણવામાં આવે છે. જો કે આ માન્યતા ખોટી છે. સાચી વાત તો એ છે કે દાદા ઇન્દ્ર છે અને તેની પુરુષ અને સ્ત્રીઓ બંને પૂજા-અર્ચના કરી શકે છે. તેઓ 'વીર' નથી. વચગાળામાં જતિઓ–ગોરજીઓના પ્રભુત્વના સમયમાં ઈન્દ્રમાંથી 'વીર' ગણાવાઈ ગયા હોવાનું સંભવે છે ! 483 માણિભદ્રજી હાજરાહજૂર છે. ભક્તોનાં તમામ કાર્યો કરે છે. પાલનપુર પાસે મગરવાડા, ઉત્તર ગુજરાતમાં વિજાપુર પાસે આગલોડ, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન – આ ત્રણેય સ્થળે એમની મુખ્ય શક્તિપીઠો છે અને મહારાષ્ટ્રમાં પાબલ અને સુરત–રાંદેરમાં ખૂબ જ ચમત્કારિક પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે. બંગાળમાં કલકત્તામાં પણ કૅનિંગ સ્ટ્રીટમાં પ્રભાવશાળી દાદા બિરાજમાન છે. દાદાની ખૂબી એ છે કે તેઓ હંમેશાં ભક્તોને સહાય કરવા તત્પર હોય છે; પણ બદલામાં કોઈ ચોક્કસ માગણી હોતી નથી. તેઓએ અગાઉ પણ એમ કહ્યું છેઃ ” ધર્મની વૃદ્ધિ કરવી, જિનભક્તિ વિશેષ કરવી અને કામ હોય ત્યારે મને યાદ કરવો.” મગરવાડામાં પિંડી પૂજાય છે. આગલોડમાં ધડ પૂજાય છે અને ઉજ્જૈનમાં મસ્તક. આ વાત સહજ રીતે ન માની શકાય. આપણે જરૂર માની શકીએ કે મૃત્યુ વખતે તેમના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા, એટલે અવશેષોનાં પ્રતીકોની પૂજા કરાતી હોય; પણ શરીરના કટકા જે તે જગ્યાએ પડ્યા અને તેથી તે તે જગ્યાએ વસ્તુ પૂજાય છે, એ વાત નિરાધાર લાગે છે. કારણ એ કે મગરવાડાની સ્થા``ના પછી આગલોડની સ્થાપના થઈ છે. એવું સંભવે કે શરીરના ત્રણ ટુકડા થયેલા, એટલે ત્રણ સ્થાનકે અલગ-અલગ અંગોની પૂજા થતી હોય ! ચમત્કારો ઃ આજથી ૫૦૦થી થોડાંક વધુ વર્ષો અગાઉ પ્રગટ થયેલી આ મહાશક્તિના ઠેર ઠેર સેંકડો ચમત્કારો નોંધાયા છે. કપડવંજ પાસે નાનકડા આંતરોલી ગામમાં માણિભદ્રની પાટ તરીકે ચમત્કારિક પાટ પ્રસિદ્ધ છે. સ્થાપના વિવિધ આકૃતિઓ, અનેકવિધ આયુધો ધરાવતી દાદાની મૂર્તિઓ જોવા મળે છે, તો વળી કયાંક શ્રીફળ અથવા તો સોપારી ઉપર આહ્વાનાદિ વિધિ કરીને સ્થાપના કરેલી, આકૃતિ વિનાની Page #500 -------------------------------------------------------------------------- ________________ 484 તપાગચ્છાધિષ્ઠાયક સ્થાપનાઓ જોવા મળે છે. અગાઉ તો સિંદૂર ચઢતું હતું પણ હવે તેમાં ફેરફાર થઈ રહ્યા છે. જનસમૂહ સમજી રહ્યો છે અને સિંદૂરને બદલે કેસર-પુષ્પ આદિથી પૂજા કરવા લાગ્યો છે. અમુક જગ્યાએ વર્ષભરમાં એક દિવસ જ પૂજા થાય છે. ક્યાંક નિયમિત થાય છે. અલબત્ત રોજ પૂજા–આદિ કરવા કરતાં વર્ષમાં અમુક એક ચોક્કસ દિવસે જ પૂજા કરવી એ વધુ ઉત્તમ લાગે છે. મારી સાંભરણ છે, સમજણ છે. તપાગચ્છાધિપતિની સમક્ષ માણિભદ્રજી પ્રથમવાર પ્રગટ થયા અને પોતાના આજન્મ ઉપકારીના દર્શન કર્યા, ત્યારે એમના પૂછવાથી ગચ્છનાયકે તપાગચ્છની–શાસનની–સંઘની રક્ષા કરવાની વાત કરી છે. ગુરુદેવની એ આજ્ઞા–એને શિરસાવંદ્ય સ્વીકૃત કરીને કાળા-ગોરા ભૈરવને યુદ્ધમાં પરાજિત કર્યા, વશમાં લીધા, ત્યાર બાદ ગુરુદેવ ગચ્છનાયકના ચરણમાં શિર નમાવી વિનંતી કરી : ' તમારા ઉપાશ્રયોમાં મારું સ્થાનક રખાવો. સાધુઓ મારા સ્થાનકે આવી મને ધર્મલાભ કહે. મને એની ખૂબ ઝંખના છે. ગુરુદેવનો ધર્મલાભ સાંભળવાની ઇચ્છા છે. કોઈપણ કામ પડે ત્યારે મને યાદ કરો. મારું ધ્યાન ધરો. હું સઘળાં કાર્યો કરીશ. શ્રાવકો જિનભક્તિમાં ઉદ્યમવંત બને, એમને હું સહાય કરીશ.' મારી જાણ મુજબ તો યતિ પરંપરામાં ગચ્છનાયક (તપાગચ્છાધિપતિ) થનારા દરેક ગચ્છનાયકો ૨૧ ઉપવાસ કરીને માણિભદ્રને પ્રત્યક્ષ કરતા હતા. પછી જ તેઓ ઉદયપુરની ગાદી ઉપર બિરાજમાન થઈ શકતા. એમની મૂર્તિમાં નાસિકા ઉપર મંદિરના શિખરની આકૃતિ જોવા મળે છે તે મૃત્યુ સમયે તેમને શત્રુંજયનું સ્મરણ હતું તે છે ! વરાહ જેવી મુખાકૃતિનું કારણ એ સમજાય છે કે સનાતન ધર્મમાં વિષ્ણુના વરાહાવતારની વાત છે. એમાં વરાહનું રૂપ ધરી વિષ્ણુએ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, એવી કલ્પનાને અનુરૂપ માણિભદ્રદાદાએ પણ કાળા-ગોરા ભૈરવના ત્રાસમાંથી સંઘનો ઉદ્ધાર કર્યો, તેથી વરાહનો આકાર રાખવામાં આવ્યો છે! શક્તિના ત્રણ પ્રકારો છે – માનવશક્તિ, દેવશક્તિ અને દેવાધિદેવશક્તિ. માનવશક્તિ જ્યારે પણ નિષ્ફળ જાય છે, ત્યારે દેવશક્તિના શરણમાં જાય છે. દેવાધિદેવશક્તિ તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રયોજિત હોય છે, પણ દેવશક્તિને મંત્રો યા ઉપાસના દ્વારા સક્રિય કરવી પડે છે. દેવશક્તિમાં પણ ભિન્ન-ભિન્ન પ્રકાર જોવા મળે છે. દરેક ધર્મોમાં આ શક્તિઓના ઉલ્લેખ જોવા મળે છે. પણ આ શક્તિઓને આસુરી એટલે કે મેલી શક્તિ-મેલી વિદ્યા તથા બીજી સુરી શક્તિ એટલે કે શુદ્ધ શક્તિ એમ બે પ્રકારમાં વહેંચી શકાય. જેનાં પૂજનદ્રવ્યો માંસલોહી-દારૂ વગેરે જેવા અશુદ્ધ હોય છે અને જેની ઉપાસના બીજાનું અહિત કરવા માટે Page #501 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 485 કરવામાં આવે છે તે આસુરી શક્તિ. જેનાં પૂજાદ્રવ્યો દૂધ-સાકર-ફળ-મીઠાઈ આદિ હોય છે અને બીજાનું ભલું કરવા જેની સાધના કરાય, તે સુરી શક્તિ તરીકે ઓળખાય છે. સુરી શક્તિમાં પણ કેટલીક શક્તિ રુદ્ર હોય છે. જો તેમની ઉપાસના-પદ્ધતિમાં જરા પણ ગફલત થાય તો તે સાધકને યા ભક્તને શિક્ષા કરે છે. માણિભદ્ર ઇન્દ્ર સુરી શક્તિમાં સૌમ્ય પ્રકૃતિના છે. તેમની ઉપાસના સાત્ત્વિક હોય છે અને ભૂલ કરનાર સાધકને ક્ષમા બક્ષવા જેટલા ઉદાર હોય છે. | લાલ કરેણનાં ફૂલ તેમને અતિ પ્રિય છે. ચમેલીનું તેલ–અત્તર પણ તેમની મનપસંદ સુગંધ છે. તેમાં યે ખાસ કરીને અગરનું અત્તર તેમની મનભાવન પસંદગી છે. ઐરાવત હાથી એમનું વાહન છે. ત્રિશૂલ–ગદા ખાસ શસ્ત્રો છે. તેમની ઉપાસના માટેનો શ્રેષ્ઠ વાર ગુરુવાર છે. ગુરુવારે ઘી ન ખાવું. ગુરુવાર તો અવશ્ય કરવા જ. સિદ્ધમંત્ર " ૐ નમો ભગવતે માણિભદ્રાય." – રોજ આ મંત્રની એક માળા અને ગુરુવારે દસ અથવા વીસ માળા કરવી. વિદ્યાર્થીવર્ગ માટે પણ દાદાની ઉપાસના છે અને તે ગુરુવારે કરવાની હોય છે. દાદા ભક્તોનું ભલું કરવા તત્પર છેજ– આવશ્યકતા છે તેમના શરણમાં સમર્પિત ભાવપૂર્વક જવાની ! કોઈ પણ સાધના માટે શ્રદ્ધા અને સબૂરી અનિવાર્ય છે! માણિભદ્રજીને માનવામાં કે તેનાં દર્શનાદિ કરવામાં, તેની માનતા રાખવામાં સમ્યકત્વને કોઈ બાધ આવતો નથી. મગરવાડા દાદાનું મુખ્ય અને મૂળ સ્થાન છે. ગમે તે કારણસર આજે તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. આ જગ્યાનો વિસ્તાર અને વિકાસ કરવાની તાતી જરૂર છે. - સૌરાષ્ટ્રની જનતાને નજીક પડે અને સારી રીતે સાધના કરી શકે તે હેતુથી શ્રી મહાવીરપુરમ્ તીર્થ સંકુલમાં શ્રી આનંદમાણિક્ય માણિભદ્ર સંસ્થાન દ્રારા દાદાનું મંદિર સ્વતંત્ર બનાવી રહેલ છે. તેમાં ૬૧ ઈચની રકતવર્ષીય ઊભી મૂર્તિ પધરાવવામાં આવશે. વિશ્વમાં સૌ પ્રથમ ઊભી મૂર્તિ પધરાવવાનું આયોજન છે. આવી મૂર્તિ બનાવવા પાછળની કલ્પના વરાહાવતારના અનુકરણની રહેલી છે. વરાહાવતારનાં પ્રાચીન શિલ્પો ઊભી આકૃતિનાં જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં સુરેન્દ્રનગર નજીક ચોટીલા પાસે મહાવીરપુરમમાં માણિભદ્ર શક્તિપીઠ જરૂર આકાર લેશે એવી શ્રદ્ધા છે. મારી ખાસ ભલામણ છે કે દરેક ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોવી જ જોઈએ. દરેક જૈનોએ ત્યાં દર્શન કરવા જવું જોઈએ. મહાવીરપુરમમાં હાલ પણ માણિભદ્રદાદા બિરાજમાન છે. ભાવિકો ભક્તો દર્શન કરવા જાય છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ 486. તપાગચ્છાધિષ્ઠાયક ' મગરવાડા જૈન તીર્થ : 'શ્રી માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન: ટુંકે પરિચય -પૂ. ગણિવર્ય શ્રી દિવ્યાનન્દસાગરજી મહારાજ ગુજરાતના પાલનપુર શહેરથી લગભગ અઢાર કિ.મી. દૂર મગરવાડા નામનું શ્રી માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન હોવાથી તે 'માણિભદ્ર-તીર્થ સ્વરૂપ બની ગયું છે. - શ્રી માણિભદ્રદેવના પૂર્વભવીય પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સાહેબને શાસનદેવીએદુષ્ટદેવોના ઉપદ્રવોના નિવારણના ઉપાયરૂપે જણાવેલું કે," આપ ગુજરાતના પાલનપુર પાસેના મગરવાડા ગામે પધારો. ત્યાં આપને શક્તિશાળી દેવની પ્રાપ્તિ થશે અને આપ દુષ્ટ દેવોના ઉપદ્રવોથી મુક્ત બનશો." ત્યાર બાદ પૂ. સૂરિદેવનિજ શિષ્યગણ સહિત ઝડપી વિહાર કરીને મગરવાડા પધાર્યા અને ત્યાં રાયણવૃક્ષ નીચે અદમની આરાધના સાથે કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. ત્યાં માણેકશાહમાંથી માણિભદ્રદેવ બનેલા દેવાત્મા સૂરિદેવ સમક્ષ હાજર થયા અને તેમના પ્રભાવે સૂરિદેવ દુષ્ટ દેવોના ઉપદ્રવોથી મુક્ત બન્યા. (આ સમગ્ર કથા મારા પરમ તારક ગુરુદેવશ્રી આ.શ્રી ચન્દ્રાનનસાગરસૂરિજી મહારાજના લેખમાં આ જ ગ્રન્થમાં વિસ્તૃત રીતે વર્ણવેલી હોવાથી અત્રે તેની પુનરુક્તિ જરૂરી નથી.) આમ મગરવાડા શ્રી માણિભદ્રજીના મૂળભૂત સ્થાન તરીકે આગવું મહત્ત્વ ધરાવે છે. શ્રી માણિભદ્રદેવના કહેવા મુજબ તેમનાં ત્રણ સ્થાનો છેઃ (૧) ઉજ્જૈનમાં જન્મ છે. ત્યાં તેમનું મસ્તક પૂજાય છે. (૨) મગરવાડામાં પિંડી પૂજાય છે અને (૩) આગલોડમાં ધડ પૂજાય છે. માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન મગરવાડા છે; કારણ કે ત્યાં વીર સ્વયં પ્રગટ થયા હતા. મારા પૂ. પરમ તારક દાદા ગુરુદેવ, સંયમ ત્યાગ તપોમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજા જૈન શાસનના એક પરમ આદરણીય અને પરમ શાસન પ્રભાવક સૂરિપંગવહતા. તેઓશ્રી પણ સમ્યગુષ્ટિએવા માણિભદ્રની વિશિષ્ટ સાધના કરતા હતા. જૈનશાસનની રક્ષા અને પ્રભાવના માટે શ્રી માણિભદ્રજી પરમ સહાયક છે અને તે માટેય તેમની સાધના કરવી આવશ્યક છે.' તેમ પૂ. ગુરુદેવશ્રીજી માનતા હતા. એટલું જ નહિ, પૂ. ગુરુદેવશ્રીજીના સુદીર્ઘ સંયમજીવનમાં જે અનેકવિધ જિનશાસનરક્ષક અને પ્રભાવક સત્કાર્યો થયાં હતાં, તેની પાછળ જેમ પૂ. તપોમૂર્તિ ગુરુદેવશ્રીનું સંયમબળ કારણ હતું, તેમ શાસનરક્ષક શ્રી માણિભદ્રદેવની સાધનાનું બળ પણ મહત્ત્વનું કારણ હતું. Page #503 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 487 મારા પૃ. પરમ તારક પ્રદાદાગુરુવર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજે પોતાના પ્રશિષ્યરત્ન અને મારા પરોપકારી ગુરુદેવ જાપ-ધ્યાન-તપોનિષ્ઠ આ. શ્રી ચન્દ્રાનનસૂરીશ્વરજી મહારાજને... (તે સમયે મુનિવરને) ખાસ પ્રેરણા કરીને શ્રી માણિભદ્રવીરની સાધના બતાવી. સુવિનીત શિષ્ય પોતાના પ્રગુરુદેવની આજ્ઞાને શિરસાવંધ કરીને તે સાધનાને ભક્તિપૂર્વક સાધી. મગરવાડામાં નવ દિવસ સુધી વિશિષ્ટતપત્યાગ અને આરાધના પૂર્વક સાધના કરી. મગરવાડાની આ સ્થિરતા દરમિયાન મારા પૂ. ગુરુદેવશ્રી (આ. ચન્દ્રાનનસાગરસૂરિ મ.)ને યતિશ્રી મૃગેન્દ્ર સોમજીનો પરિચય થયો. મગરવાડાનો સમગ્ર વહીવટ શ્રીપૂજ્યની પરંપરાના યતિઓ સંભાળે છે તેવી પરંપરા છે. આ શ્રીપૂજ્ય પરંપરાના યતિશ્રી શાન્તિસોમજીના શિષ્ય યતિશ્રી મૃગેન્દ્ર સોમજી વર્તમાનમાં “ગાદીપતિ તરીકે મગરવાડાનો વહીવટ સંભાળી રહ્યા છે. આ યતિ મહારાજ પૂજ્ય શ્રીની શક્તિ અને સાધનાથી ઘણા પ્રસન્ન થયા હતા. તેમના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે ભારે શ્રદ્ધાભાવ અને અહોભાવ જાગૃત થયો હતો. જુદા જુદા સમયે સાતથી આઠ વાર શ્રી માણિભદ્રજીની ઉપાસના કરવાના હેતુસર પૂજ્યશ્રી મગરવાડા પધાર્યા હતા અને વિશિષ્ટ સાધના તેઓશ્રીએ કરી હતી. આ બધા સમય દરમિયાન પૂજ્યશ્રીજીનો યતિ મહારાજ સાથે પરિચય પ્રગાઢ બન્યો. પરિણામે યતિશ્રીએ મગરવાડા તીર્થના રક્ષણ અને જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીને વારંવાર વિનંતિઓ કરી હતી. તેના શુભ પરિણામે સર્વપ્રથમ તો મગરવાડા તીર્થના રક્ષણ માટે મૃગેસોમજીના વારસદાર (ગાદીપતિ) તરીકે પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી અભયમુનિજીને સ્થાપવામાં આવ્યા. અભયમુનિજી શક્તિશાળી અને સમર્થથતિહતાવિરોધીઓનાં ઝંઝાવાતી આક્રમણોવચ્ચે દીવાદાંડીની જેમ અડીખમ રહીને તેઓ મગરવાડા તીર્થનું સંરક્ષણ અને સંચાલન કરતા હતા. આ બધાં કાર્યોની પાછળ અભયમુનિજી, પૂજ્યશ્રીનું સતત માર્ગદર્શન મેળવતા રહેતા હતા અને પૂજ્યશ્રીના માર્ગદર્શનનો યથાર્થ અમલ પણ કરતા હતા. પરંતુ દુર્ભાગ્યે અભયમુનિજીનું અકાળ અવસાન થવાથી, મગરવાડાના ગાદીપતિ તરીકે આજે પુનઃ યતિશ્રી મૃગેન્દ્ર સોમજી વહીવટ સંભાળી રહ્યા છે. વિ. સં.૨૦૪૩ની સાલમાં શ્રી માણિભદ્રવીરની ૨૧ દિવસની અખંડ આરાધના એક ધાનના આયંબિલ પૂર્વક અને વિધિપૂર્વક પૂજ્યશ્રીજીએ કરી હતી. શ્રી માણિભદ્રજીના મૂળભૂત સ્થાનરૂપ મગરવાડા તીર્થની રક્ષા અને વિકાસનું કાર્યપૂજ્યશ્રીજીની પ્રેરણાથી આજે પણ જોરદાર ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં સમગ્ર મગરવાડા તીર્થના સર્વાગીણ સમુદ્ધારનું સત્કાર્ય શરૂ થશે. શ્રી માણિભદ્રવીરની ૫ ફૂટની વિશાળ અને સુંદર મૂર્તિ બનાવવાનો ઑર્ડર પણ અપાઈ ગયો છે. પૂજ્યશ્રીજીએ પોતાના જીવનમાં શ્રી માણિભદ્રજીની કરેલી વિશિષ્ટ સાધનાના પ્રતાપે જિનશાસનનાં અનેકવિધ સત્કાર્યો કરવામાં સફળતા મેળવી છે. નહિ ધારેલા અને નહિ કલ્પેલા જટિલ કેસોમાં અને સમસ્યાઓમાં પૂજ્યશ્રીએ સચોટ સમાધાનો આપ્યાં છે, જેનું વર્ણન અત્રે કરવું અશક્ય હોવાથી માત્ર ઉલ્લેખ કરીને જ સંતોષ માન્યો છે. આ લેખમાં પૂજ્યશ્રી’ શબ્દ થી જ્યાં ઉલ્લેખ છે ત્યાં પૂજ્યશ્રી એટલેઆ. ચન્દ્રાનસાગરસૂરિ મ.સા. સમજવા. Page #504 -------------------------------------------------------------------------- ________________ 488 તપાગચ્છાધિષ્ઠાયક દાદાના દરબારે માણિભદ્રના દેહરા -પૂ. પંન્યાસપ્રવર શ્રી વીરરત્નવિજયજી મ. મંદિરોનું નગર શત્રુંજય-પાલીતાણા. શાસ્ત્રોમાં જેનો અપાર મહિમા ગવાયો છે, જેની અલૌકિકતા અને પવિત્રતા અદભૂત રહી છે, જેનો સોળ વખત પુણ્યાત્માઓના શુભ હાથે જિર્ણોદ્ધાર થયો છે, જ્યાં નાના મોટા એક હજારથી વધુ શિખરોથી શોભતા મનમોહક જિનમંદિરો આકાશ સાથે વાતો કરી રહ્યાં છે, જ્યાં સાડાબાર હજાર જેટલી જિનપ્રતિમાઓ બિરાજમાન છે, જ્યાં અનંત પુણ્યવંત આત્માઓના પવિત્ર પગલા મંડાયા છે એ સિદ્ધગિરિક્ષેત્રમાં શત્રુંજયના ધ્યાને દેવત્વ પામેલા શ્રી માણિભદ્રદાદાનું સ્થાન અને માન ક્યાં ક્યાં છે આવો એક વિચાર સૌ કોઈના મનમાં ઊભો થાય તે સ્વાભાવિક છે. મધ્ય પ્રદેશમાં દેવાસ જિલ્લામાં શિવપુર ગામે માણિભદ્રજી સાધના કેન્દ્રના સંસ્થાપક પૂ. પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજશ્રીનું ચાલુ સાલ ૨૦૧૩નું ચાતુર્માસ સ્થળ પાલીતાણા એટલે દાદાના પ્રભાવક સ્થાનો માટેની જિજ્ઞાસા અનેઆતુરતા પૂજય પંન્યાસશ્રીના મનમાં વધતા રહ્યાં. શહેરમાં અને ડુંગર ઉપર પૂજ્યશ્રીએ જે કાંઈ અનુભવ્યું તેનું સુંદર શબ્દ ચિત્ર ભાવોલ્લાસ સાથે અત્રે રજુ કર્યું - સંપાદક પૂર્વદિશાનાં પ્રાંગણમાં પ્રભુતામાં પ્રથમ પગલું માંડતા સૂર્યનારાયણનાં દિવ્ય દર્શન દિલનાં દરવાજે એક સહજ સમશ્યાએ દતક દીધી ગિરિરાજનાં ધ્યાને દેવત્વને પામેલાં શ્રીમાણિભદ્રનું અહીં કોઈ સ્થાન કેમ નહીં.. તીર્થાધિરાજને સ્પર્શતા લગભગ દરેક પ્રસંગોનાં પ્રતીક અહીં છે તો અધિષ્ઠાયકનું અને સ્થાન-માન કાં નહીં..? અનોખી યાત્રા.. એકલવીર યાત્રા..નાં ઈતિહાસ પુરુષ માણેકશાહનાં સ્મારક વિના તો ગિરિરાજમાં જાણે અપૂર્ણતા અને ન્યૂનતા દેખાદે છે. ત્યારે પાલીતાણાનાં મારાં એક ચાતુર્માસમાં શહેરમાં શોધ– ખોજ આદરી... ત્યારે આ. ક. પેઢીની પાસેનાં સોશિખરી ભવ્ય જિનાલયની પાસેનાં એક યતિભવનમાં દાદાની દિવ્ય પ્રતિમાંનાં ભવ્ય દર્શનથી મનનો મોરલો સપ્તરંગ ને સર્વકલાએ ખીલી ઉઠયો. સુંદર મજેનો ગોખલો.... સમુખ પ્રતિમાની નોખાં અનોખાં અદ્ભુત તેજ દિવ્ય મુખારવિંદ Page #505 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અને આલોકિત કરતી આંખો... જાપ-ધ્યાનમાં સ્થિરતા આવતાં જ વિવિધ રૂપ-સ્વરૂપમાં દાદાની ભવ્યતાનાં વિવિધ ચિત્રો જાણે દેખાં દેતાં હતાં... મનમાં તૃપ્તિને સંતોષનો ભાવ જાગ્યો. શહેરનાં જ બીજા એક જિનાલયમાં પણ શ્રી માણિભદ્રવીરની પ્રાચીન ને ભવ્યતમ પ્રતિમાનાં દર્શન આનંદ અસીમ બની ગયો... 489 ગિરિરાજ આરોહણનું પ્રથમ ચરણ હતું... બાબાનાં દેરાસરમાં મંગલપ્રવેશ હતો ત્યાંજ જમણી બાજુ અચાનક દ્રષ્ટી ગઈ.... ત્રણ-ચાર દેરીઓની સામે કેટલાંક ભાવુક ભક્તો હાથ જાડી દર્શન કરી રહ્યાં હતાં. સ્વાભાવિક તે બાજુ જવાની ભાવના જાગી..... યંત્ર-મંત્ર સંયુક્ત શ્રી પદ્માવતી દેવીનાં સ્થાનોથી આગળ વધતાં જ આશ્ચર્ય-ચકિત બની ગયો.. લગભગ ૧૦૦ વર્ષ પ્રાચીન શ્વેત આરસમાં બનેલી શ્રી માણિભદ્રજીની અલૌકિક મુદ્રા સાથેની પ્રતિમા હતી. શહેરમાં દર્શન થયા.. જય તલેટી પર દર્શન થયા.... પરંતુ શું ગિરિરાજપર દાદા આદેશ્વરના દેહરા સાથે બાબા માણિભદ્રની કોઈ દેહરી... સ્થાન પણ નહીં હોય.....? વણથંભી યાત્રા આગળ વધી... સિદ્ધાત્વને વરેલા પુણ્ય-પુરુષોનાં પાવન પગલાંને જુહારતાં અચાનક નજર પડી.... શ્રી પૂજ્ય—પદ્માવતીજીની ટુંકપર... જિનશાસન દેવીનાં દર્શન કરતાં અચાનક એક તરફ દ્રષ્ટી ગઈ.... દીર્ઘ સામમથી જેની ખોજમાં હતો એ અમૂલ્ય ખજાનો ત્યાં હતો. શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાની ડાબી બાજુ એક સ્થાનમાં શ્રી માણિભદ્રવીરની અતિ પ્રાચિન પ્રતિમા હતી. ભલે મૂર્તિ નાની હતી પરન્તુ એટલી ચિત્તાકર્ષક ને નયનરમ્ય છે કે ભક્તની ભાવનાઓમાં ભરતી આવ્યા વિના રહે નહી. અને હું પ્રતિમા-દર્શન પછી કલ્પનાલોકમાં ખોવાઈ ગયો. આ સ્થાન ગિરિરાજ પર જે જગ્યાએ છે ત્યાં પાલીતાણા શહેર-નવ ટૂકનાં દેરાસરો–સદાબહાર શેત્રુંજી નદી... નીલ આકાશને બધી દિશાઓનાં દર્શન થાય છે. સોનગઢને વલ્લભીપુર સુધી જાણે દ્રષ્ટિ દોડતી–ઉડતી રહે છે. શું... માણેકશાહની નજર પણ પાલિતાણાની યાત્રા આગળ વધતાં આ ગિરિશૃંગપર જ અટકી હશે...... તીર્થાધિરાજનાં સર્વોચ્ચ શિખર પર નહીંને અર્ધરસ્તે પ્રતિમાની સ્થાપના કેમ...? પ્રશ્ન જેમ વાસ્તવિક છે તેમ જવાબ પણ તેનો અકાટય છે. માણેકશાહની પદ યાત્રા તીર્થ યાત્રા અર્ધરસ્તે જ સમાપ્ત થઈ તો તેમનાં બેસણાં પણ યાત્રા અર્ધરસ્તે જ સમાપ્ત થઈ તો તેમનાં બેસણા ગિરિરાજનાં મધ્યમાં જ થયા.... ઉપર સુધી નહીં. શ્રી માણેકશાહ પ્રભુ પાર્શ્વનાથની સાથે માતા પદ્માવતીનાં પણ ઉપાસક હતાં. જન્મભૂમિસ્ચલ ઉજ્જૈન ભેરૂગઢનાં માણેકચોકમાં જે પ્રાચીન જિનાલય છે તેમાં પદ્માવતી યુક્ત શ્રી પાર્શ્વનાથની સામે સિદ્ધવડનું જે મૂળસ્થાન છે ત્યાંનું મુખારવિંદ અને હસમુખ દ્રષ્ટિ સતત આ તરફ મંડારાયેલી રહે છે. દેરાસરમાં પણ આ જ રીતે શ્રી માણિભદ્રજીની પ્રતિમા પિંડરૂપે વિરાજમાન છે. બસ... આવી જ સ્થિતિ ગિરિરાજની મધ્યમાં શ્રી પદ્માવતીજીની સાથે સુશોભિત બની રહ્યાં છે. દાદા શ્રી માણિભદ્રવીર... જોતી રહે અખિયન સદા એમને. Page #506 -------------------------------------------------------------------------- ________________ 490 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી સિદ્ધાચલજીની સાથે સાથે એના રોમ રોમ વણાઈ ગયાં હોય... શત્રુંજયનાં ધ્યાનથી જે વ્યક્તિત્વે દિવ્યત્વને પ્રાપ્ત કર્યું હોય... કરોડો ભક્તોની પરમ આસ્થાનાં જે કેન્દ્ર હોય એવાં શ્રી માણિભદ્રવીરની ગિરિરાજનછ મધ્યમાં વર્તમાન સ્થિતિ જોઈને મનમાં કોઈક પ્રદેશે તીખી વેદના જનમ્યા વિના રહેતી નથી. શ્રી પદ્માવતીજીની ટુંકમાં વિશાળ જગ્યા ખાલી પડી છે. આ. ક. પેઢી જો જાગૃત બને... પ્રયત્નશીલ બને. ઉત્સાહિત બને તો અહીં શ્રી માણિભદ્ર વીરનું નાનકડું પણ ભવ્ય મંદિર ઊભું થઈ જાય. વર્તમાનમાં જે સ્થળે વીરની પ્રતિમા છે ત્યાં કોઈપણ નવા માનવને બાબાનાં અસ્તિત્વનો ખ્યાલ પણ ન આવી શકે. હજારો વીરભક્તો ઉત્સાહિત છે અહીં દાદાનાં નવીન દેહરામાં દિવ્ય-દર્શન કાજે. - આપણે જાણીએ.... માનીએ... શ્રી માણિભદ્રવીર જે એકાવનારી છે. શુદ્ધ સમ્યદ્રષ્ટી છે. પોતાની પૂર્ણ યાત્રાને પામવા, સિદ્ધત્વને અપનાવવા આ અલૌકિકતીર્થપર જ આગમી ભવમાં ઉત્કૃષ્ટ સાધના કરી.. અધૂરી યાત્રા પૂર્ણ કરે અને પોતાનાં કરોડો ચાહકોને મુક્તિ મંઝિલને પ્રાપ્ત કરવાં કાજે સિદ્ધાઃ સિદ્ધ મમ દિશનું બને. જ આ 'ઉજ્જૈનમાં માણેકચોકનું વતમાન સ્વરૂપ કાટા પ્રાપ્તઃ શ્રીમામદ મન મંડળ -ઉર્જાનો. Page #507 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 491 ‘યક્ષરાજ શ્રી માણિભદ્રજીના અનન્ય ઉપાસક યતિરાજ શ્રી માલદેવજી પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.સા. શિષ્યરત્ન પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મહારાજ ભૂતકાળની ભીતરમાં નમ્રભાવે ડોકિયું કરીએ ત્યારે શાસનની રક્ષા અને સેવાના અનેક રોમાંચક પ્રસંગો અને અનોખી પ્રતિભાઓ ઈતિહાસનાં પાનાં ઉપર અંકિત થયેલી જોવા મળે છે. ઈતિહાસના આવા જ એક અપ્રગટ પૃષ્ઠને પ્રકાશિત કરતો આ લેખ જૈન શાસનની વિરાટ તાકાતનું દર્શન કરાવે છે. આજથી લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે શ્રી માણિભદ્રજીની ઉપાસના દ્વારા જિનશાસનની સેવા કરનાર શ્રી માલદેવજી મહાત્માના જીવનપ્રસંગ અને તેમના સાધના સ્થાનનો સામાન્ય ચિતાર અત્રે રજૂ કરાયો છે. આ મહાત્માના જન્મસંવત વગેરેનો તો કોઈ ઉલ્લેખ મળતો નથી; પણ જગદ્ગુરુશ્રીની સાનિધ્યમાં શાસનસેવાનાં કાર્યો કર્યાં હોવાની વિગતો ઊંઝા જૈન સંઘ તરફથી પ્રકાશિત શ્રી કુંથુનાથ જિનાલય શતાબ્દી ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. અત્રે બીજી પણ કેટલીક વિગતો-પ્રસંગો કર્ણોપકર્ણ સાંભળી તથા કેટલાંક સ્થાનની રૂબરૂ મુલાકાત લઈને પણ લેખકે હળવી ભાષાના માધ્યમે અત્રે સુંદર પ્રકાશ પાથર્યો છે. આ લેખના લેખક પૂ. મુનિશ્રી નયચન્દ્રસાગરજી મહારાજમાં મૃદુતા અને નમ્રતા વિશેષ જોવા મળી. થોડા સમય પહેલાં " વિવિધ તીર્થકલ્પ " અંતર્ગત પ્રથમ "શત્રુંજયકલ્પ"ના આધારે અપાયેલી વાચનાઓના સંગ્રહરૂપે પ્રગટ થયેલ” ગરવો ગિરિરાજ" પુસ્તકનું સફળ સંકલન-સંપાદન કરવા બદલ પૂજ્ય મુનિશ્રી નયચન્દ્રસાગરજી મહારાજ ખરેખર ધન્યવાદને પાત્ર બને છે. -સંપાદક " સાહેબજી! શાસનસેવાનું કાંઈ પણ કામ હોય તો સેવકને લાભ આપશો. આ સેવક હરઘડી તૈયાર છે. દિલ્હીના ગાદીપતિની વિનંતીથી પૂ.આચાર્યદેવ શ્રી હીરસૂરિ મ.સા.ઝડપભેર ગંધારથી દિલ્હી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતમાંથી પસાર થતા પૂ. જગદ્ગુરુ આ. દેવને યતિરાજે ઉપરોક્ત વિનંતી કરી. તે વિનંતી માત્ર ઔપચારિક ન હતી, પણ હૈયામાં Page #508 -------------------------------------------------------------------------- ________________ 492 તપાગચ્છાધિષ્ઠાયક શાસનની દાઝ અને સેવાની તમન્નાપૂર્વકની હતી. પૂ. આચાર્યદેવે મહાનગરી દિલ્હીમાં દબદબાભર્યા રજવાડી સામૈયા સાથે પ્રવેશ કર્યા પછી પ્રતિદિન ધર્મ સંભળાવવા રાજેશ્વરની વિનંતીથી સ્વયં રાજદરબારમાં હાજર રહેતા... અને ધર્મની મહાસત્તાના શાશ્વત સિદ્ધાંતોની સ્થાપના કરતા.. એકદા રાજદરબાર ભરાયેલ છે. પૂજ્ય સૂરિવર પધાર્યા છે. અનેક વાતો થઈ રહી છે અને કોઈ સમસ્યા ખડી થાય છે ત્યાં જ પૂ. સૂરિદેવનું મન વિચારોના અતીત ઊંડાણમાં ચાલ્યું જાય છે. તેઓશ્રીના માનસપટ પર તે યતિરાજને સ્મૃતિચિત્ર ખડું થાય છે અને વીજળીના ચમકારાની જેમ મનમાં વિચાર સ્ફરે છે: " તે યતિરાજ અત્યારે હાજર હોત તો..." ત્યાં જ પૂ. સૂરિદેવના કાને શબ્દો પડે છે, " સાહેબજી! ફરમાવો, સેવકનું શું કામ પડ્યું? સેવક સદાકાળ સેવામાં હાજર છે." આ શબ્દ કર્ણગોચર થતાં જ આચાર્ય ભગવંત એકદમ સ્વસ્થ થઈ જુવે છે તો પોતાની જ સામે તે યતિરાજ હાજર હતા. અને તે પણ ગોદોહાસન મુદ્રાએ. બે પગ વચ્ચે દૂધ દોહવાનું પાત્ર પણ સાથે જ છે. પોતાના જ સ્થાનમાં (ઊંઝા ઉ.ગુ.) દૂધ દોહવાની તૈયારી કરી રહેલા યતિરાજને હજારો માઈલ દૂર રાજસભામાં સૂરિવરે સ્મૃતિગોચર કરતાં તે જ અવસ્થામાં ક્ષણમાત્રમાં પહોંચી જનાર તે યતિરાજ હતા, યક્ષરાજ શ્રી માણિભદ્રજીના ઉપાસક" માલદેવજી મહાત્મા." પુનઃ વયોવૃદ્ધ પાસેથી કર્ણગોચર બનેલ એક પ્રસંગ સ્મૃતિગોચર થાય છે કે જગદ્ગુરુ આચાર્યદેવ પોતાના શિષ્ય-શ્રાવકગણ સાથે એકવાર જમુના નદીના કિનારે કાંઈક વિચારતા ઊભા છે. જમુનાની પેલે પાર જવું છે, શાસનનું જરૂરી કાર્ય છે; પણ જવું કેવી રીતે? ધસમસતા પાણીના પ્રવાહ ઉપર નથી કોઈ પુલ કે નથી કોઈ માર્ગ. કરવું શું? ગયા વિના ચાલે તેમ પણ નથી. પૂ. આચાર્યદેવ વિસામણમાં છે ત્યાં તેઓશ્રીને 'માલદેવજી યતિરાજ'ની યાદ આવી ગઈ. ત્યાં તો માલદેવજી મહાત્મા સાક્ષાત–પ્રત્યક્ષ હાજર." સાહેબજી ! ફરમાવો કાર્યસેવા." સરિવરે ચિંતાયુક્ત મને વાત કરી – જમુનાને પેલે પાર પહોંચવું જરૂરી છે. આ પ્રવાહમાં એક પણ ડગલું આગળ વધી શકાય તેમ નથી. " આચાર્યદેવની વાત સાંભળી માલદેવજીએ પોતાના વામ સ્કંધે (ડાબા ખભે) રહેલી ચાર-પાંચ હસ્ત પ્રમાણ પછેડી (ચાદર) હાથમાં લીધી. તેનો એક છેડો પકડી બાકીની છૂટી ફેંકી અને ચમત્કાર ! આંખના પલકારામાં તો એક છેડો માલદેવજીના હાથમાં તો બીજો છેડો જમુનાને પેલે પાર પહોંચ્યો. ક્ષણ માત્રમાં જાણે શ્વેત તુષારનો પુલ બની ગયો અને માલદેવજી બોલ્યા.. પધારો આચાર્યદેવ ! આપના માટે માર્ગ તૈયાર છે. આચાર્યદેવ સાથે બધા જ જાણે પુલ ઉપર ચાલતા હોય તે રીતે પછેડી પર ચાલીને જમુનાને પેલે પાર પહોંચ્યા.. મહાત્માજીનું સૂચન હતું...." ચાલતાં ચાલતાં પાછું વળી કોઈએ જોવું નહીં." આ સૂચનનો અમલ પેલે પાર પહોંચ્યા ત્યાં સુધી તો બરાબર કર્યો, પરંતુ નદી પાર થતાંની સાથે જ બધા તે પુલસ્વરૂપ પછેડી અને માલદેવજીને જોવા કૌતુક-ઉત્સુકતાથી પાછળ જુવે છે ત્યાં તો પુલ(પછેડી) પણ ગાયબ અને સામે કિનારે માલદેવજી પણ ગાયબ..!! સેવાનું કાર્ય પૂર્ણ થતાં શા માટે ઊભા રહેવું.. તેઓ માત્ર શાસનના સેવક હતા. પ્રશંસાના પૂજારી નહીં. આથી જ કાર્ય પૂર્ણ થતાં જ જે રીતે પધાર્યા તે જ રીતે અંતધ્યન થઈ વિદાય લઈ લીધી. ગમે તે સ્થાને, ગમે તે સમયે, ગમે તે સ્થિતિમાં શાસનના કાર્યોમાં સ્વદેહે સદાય હાજર રહેનાર આ માલદેવજી મહાત્મા માણિભદ્રજીના ઉપાસક હતા. ઊંઝાની ધરતી પર જન્મ ધારણ Page #509 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 493 કરી યતિધર્મ સ્વીકારી તપાગચ્છ અધિષ્ઠાયક–સંરક્ષક યક્ષરાજ શ્રી માણિભદ્રની ઉપાસના દ્વારા તેઓએ પોતાના જીવનમાં અનેક સિદ્ધિઓની હારમાળા હસ્તગત કરી હતી. તેના દ્વારા શાસન- પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાની દંતકથાઓ પણ શ્રવણગોચર થાય છે. મુખ્યત્વે તેમની ત્રણ સ્થાનોમાં ગાદી હતી. (૧) ઉમાપુર (હાલ ઊંઝા) (૨) મુજપુર (શંખેશ્વર પાસે) (૩) સતલાસણ. આ ઉપરાંત લણવા વગેરે સ્થાનોમાં પણ તેમના ઉલ્લેખ મળે છે. યતિરાજનાં જ્યાં જ્યાં સ્થાન છે તે દરેક જગ્યાએ દેરાસરની પાસે જ તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીનું સ્થાન આજે પણ જોવા મળે છે. ત્રણે ગામોમાં માણિભદ્રજીના સ્થાનની બાજુમાં યતિરાજ માલદેવજીની ગાદી પરમ શ્રદ્ધાથી પૂજાય છે. ત્રણે સ્થાનોમાંદેરાસર અને માણિભદ્રજીનાં સ્થાનો સાથે (સંયુક્ત) જ છે. અને લગભગ માલદેવજીની પોશાળ પણ હયાત છે. આ ત્રણે સ્થાનોમાં તેમની શિષ્યપરંપરા ચાલી આવતી હતી. ઊંઝામાં તેઓશ્રીની પરંપરામાં છેલ્લે શ્રી જોઈતારામજી મહાત્મા થઈ ગયા; જેઓએ ૧૦૦વર્ષ પૂર્વે ઊંઝા મંડણ શ્રી કુંથુનાથ ભગવાનના દેરાસરના જીર્ણોદ્ધાર સમયે દાદાની પ્રતિષ્ઠાનું મુહૂર્ત તૈયાર કર્યું હતું. સમગ્ર દેરાસરનો જીર્ણોદ્ધાર થવા છતાં તે માલદેવજી મહાત્માના સાધના સ્થાન સ્વરૂપ ૩૫૦-૪૦૦ વર્ષ પ્રાચીન પ્રતિષ્ઠિત શ્રી માણિભદ્રજીના સ્થાનને યથાવત્ રાખેલ જેથી તેઓની સાધનાશક્તિના પરમાણુઓની આજે પણ અનુભૂતિ થઈ શકે છે. શ્રી જોઈતારામજી પછી તેમની શિષ્યપરંપરા ઊંઝામાં લુપ્ત બની. તેનો વહીવટ વગેરે સંઘના હાથમાં આવ્યો. માલદેવજીની શિષ્યપરંપરા એક મુખ્ય ગાદી પર લુપ્ત બની પરંતુ મુજપુર અને સતલાસણ–એ બે ગાદી સ્થાનોમાં શિષ્ય પરંપરા ચાલુ રહી. જો કે ર-૩ પેઢીથી શિષ્યપરંપરા સંતાન-પરંપરામાં પરિવર્તન પામી જે આજે પણ બન્ને સ્થાનોમાં જૈન ગોરજી ના નામથી ગહસ્થ પરિવારો હયાત છે. તે પ્રભાવિક સ્થાનોમાં તેઓ માણિભદ્રજીની તથા શ્રી માલદેવજી મહાત્માની યથાયોગ્ય ઉપાસના કરી રહ્યા છે. આ ત્રણેય પ્રાચીન સ્થાપત્યસ્થાનોમાં આજે પણ પ્રભાવ દેખાઈ રહ્યો છે. ક્યારેક સપ્તસૂઢી શ્વેત હસ્તિ આરૂઢ માણિભદ્રજીના દર્શન કોઈક ભાવકને થાય છે તો કયારેક લાંબીલચ–નાભીને સ્પર્શ કરતી શ્વેત દાઢીવાળા શ્વેત વસ્ત્રધારી સપ્ત હસ્ત પ્રમાણ મહાકાય માનવી વૃદ્ધ પુરુષના દર્શન થાય છે. શ્રદ્ધાળુ ભાવિકો તે સ્થાનના દર્શન–અર્ચન-પૂજન દ્વારા પોતાની ઇચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે. મુજપુરના માણિભદ્રજીના સ્થાનનો આ પ્રસંગ છે. પ્રભાવિક આ સ્થાનને સુંદર બનાવવાના શુભ આશયે જયંતિલાલ (ગોરજી સંતાન) તે માલદેવજી દ્રારા પ્રતિષ્ઠિત શ્રી માણિભદ્રજીને તે Page #510 -------------------------------------------------------------------------- ________________ 494 તપાગચ્છાધિષ્ઠાયક જ સ્થળે ભોંયરું બનાવી ભોંયરામાં સ્થાપન કરવાની યોજના બનાવે છે. જો કે તેઓના પિતાજીએ આ માટે સ્પષ્ટ ના પાડી કે ૩૫૦-૪૦૦ વર્ષ પૂર્વે મહાત્મા દ્વારા થયેલી સ્થાપના આપણે નથી ઉત્થાપવી. આપણા માટે સારું નથી. આ માણિભદ્રજી સામે માલદેવજી મહાત્માએ જે સાધના કરી છે તેનું બળ પણ નષ્ટ થઈ જશે; માટે આપણે જે છે તે બરાબર છે, કાંઈ નવું કરવું નથી. પરંતુ આવા સ્થાનને શા માટે સુંદર ન બનાવવું? આવા પ્રબળ વિચારથી હાલ પૂરતી પિતાજીની આમન્યા સાચવવા માણિભદ્રજી તથા માલદેવજીની ગાદીનું ઉત્થાપન કર્યા વિના જ રૂમના અંદરના ભાગે ભોંયરું બનાવવા માટે ખોદકામ શરૂ કરાવ્યું. ૧૦ મિનિટ થતાં એકદમ મકોડાથી થોડા મોટા જીવો ખોદકામની જગ્યાએ ઊભરાવા લાગ્યા. બિચારા જીવો મરી જશે એમ સમજી દૂર કરવા પ્રયત્ન કર્યો પરંતુ પરિણામ કાંઈ ન મળ્યું. છેવટે તે સમયે કામ બંધ રાખી કારીગરોને રજા આપી કે માત્ર ૫-૧૦ મિનિટમાં તે કયાંય અલોપ થઈ ગયા. પુનઃ બપોરે કામ શરૂ કર્યું અને મહામકોડાની હારમાળા ચાલુ. આખી જગ્યા ચિક્કાર થઈ ગઈ. પગે ચટકા પણ ભરવા લાગ્યા. પુનઃ કામ બંધ થતાં થોડી જ ક્ષણોમાં બધું જ અદશ્ય થઈ ગયું. ભોયરું તો બનાવવું જ છે; પણ હવે શું કરવું? બીજા દિવસે મજૂરોને હાથે-પગે કપડાં બાંધ્યાં, ને પાટા ઉપર કેરોસીન છાંટયું, જેથી મકોડા ચડે નહીં. વળી જમીનમાં પણ કેરોસીન છાંટયું અને કામ શરૂ કર્યું. માત્ર ૩-૪ મિનિટ થઈ અને ડબલ જોરથી ઉપદ્રવ શરૂ થયો. જોતજોતામાં આખી જમીન ભરાઈ ગઈ. ૫-૬ ઈચનો થર જામી ગયો. જાણે એવું ન સૂચિત કરતા હોય કે આ જમીન-જગ્યા અમારી છે, તમોને ખોદવાનો કોઈ અધિકાર નથી. હવે કામ થઈ શકે જ નહીં. તેથી કામ બંધ કર્યું અને થોડી જ વારમાં સર્વે શાંત થઈ ગયું. આમ ને આમ ૩-૪ દિવસ ચાલ્યું. આટલી મહેનત અને ખર્ચ કરવાં છતાં માત્ર ૫-૭ ઈચ જેટલું પણ ખોદકામ થઈ શક્યું નહીં તો ૧૦–૧૨ ફૂટનું ઊંડાણ ક્યારે થાય? છેવટે પિતાજીએ પુત્રને સમજાવ્યો કે" જયંતિ! અહીં તો માણિભદ્રજી અને માલદેવજી મહાત્મા હાજરાહજૂર છે. તેમની ઇચ્છા વિરુદ્ધ કાંઈપણ ન થાય. જે છે તે બરાબર છે. હવે માફી માંગી બંધ કર, નહીં તો પરિવારમાં ઉપદ્રવ થશે." આ વાત ચાલે છે ત્યાં તો સાંતલપુરથી ગોરજીની ચિઠ્ઠી લઈમાણસ આવ્યો કે માલદેવજી અને માણિભદ્રજીનો છેલ્લા બે-ત્રણ દિવસથી અવાજ આવી રહ્યો છે કે મુજપુરના મારા સ્થાનમાં ખોદકામ ચાલી રહ્યું છે તે બંધ કરાવો." ચિટ્ટી વાંચતાંની સાથે જયંતિલાલ ગોરજી વિચારમાં પડી ગયા. આટલે દૂર ત્યાં કેવી રીતે ખબર પડી ! જે હોય તે, હવે મારે કાંઈ સુધારો નથી કરવો. ત્યાં સ્થિતિ યથાવત્ કરી દીધી. પછી કયારેય તે જગ્યાએ તે મોટા મકોડાનો ઉપદ્રવ થયો નથી. આ આકસ્મિક ઉપદ્રવ પાછળ શું કારણ હશે તે ક્યુવિજ્ઞાન હશે?તે તો શી ખબર પડે, પણ પરિસ્થિતિ જોતાં ભાવુક ભક્તજન શ્રી માણિભદ્રજી તથા શ્રી મહાત્માજીની માયાજાળ સિવાય બીજું શું માને? આજે પણ તે સ્થાને સાધના માટે, સુખ-સમાધિ કે કામનાઓની પૂર્તિ માટે જાગૃત છે, તેમ લોકમુખે ગવાઈ રહ્યું છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 495 ચાલો; ત્યારે ક્યારેક તપાગચ્છ સંરક્ષક યક્ષરાજ તથા તેમના ઉપાસક શાસનસેવક યતિરાજના સાધનાસ્થળોને નિહાળી અતીતના ઊંડાણમાં દબાયેલા શાસનરક્ષા તથા સેવાનાં કાર્યોની અનુમોદના દ્વારા ઉપબૃહણાના કર્તવ્યને અદા કરીએ. •••••• સાહિત્યસેવાની અનુમોદના • ધર્મપ્રેમી નંદલાલભાઈ દેવલુક જોગ ધર્મલાભ. માણિભદ્રવીર ઉપર ગ્રંથના કાર્યની વિગત જાણી ખૂબ જ આનંદ થયો. શ્રમણભગવંતો, શ્રમણીભગવતો, પદ્માવતી માતાજી, ગુરુ ગૌતમસ્વામી વિ. ઉપર તમે જે સંકલન કર્યું છે, જે માહિતીઓ, ઇતિહાસી–ફોટાઓનો સંગ્રહ કર્યો છે તે જિનશાસનનું ન ભૂલી શકાય એવું અદ્ભુત સેવાકાર્ય છે. આવિષયવાર સાહિત્યના સર્જન માટે તમે જે કમર કસી છે, તેની પાછળ જે મહેનત-ભોગ આપી રહ્યા છો. અને આવી પડતી ઘણી બધી પ્રતિકુળતાઓ વચ્ચે પણ ખંત અને ઉત્સાહને ટકાવી રાખી આગળ ને આગળ પ્રગતિ સાધતા રહો છો તેની અનુમોદના કરીએ એટલી ઓછી છે. ગૃહસ્થ જીવનની જવાબદારીઓ સાથે જિનશાસનની આવી સાહિત્યસેવા વર્ષો સુધી અમર રહેશે, શાસનદેવને પ્રાર્થના કરું કે તમને દીર્ધાયુ અર્પે અને હજી પણ તમે તમારી તમામ શક્તિનો ઉપયોગ કરી એકથી એક ચઢિયાતાં ગ્રંથરત્નો પ્રકાશિત કરી શાસનના ચરણે ધરો એ જ અભ્યર્થના. લિ. કલ્યાણબોધિ on છે. अनमो शिक्षण તન તો दंसस्स ૐ નમો , હતો. છે2િ, यारितस्सा વિત * દ) he Page #512 -------------------------------------------------------------------------- ________________ 496 તપાગચ્છાધિષ્ઠાયક શિવપુર તીર્થ:માલવપ્રદેશનું ચમત્કારી–સ્થાનઃ એક પરિચય પ્રસ્તુતિ – વિનોદ બાબલે, રૂપચંદ બહોરા, વિનય બોઘરા, ચંપાલાલ મરડીયા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલ શિવપુર સ્થળ વર્તમાનમાં આજે તો તીર્થરૂપ બની ગયું છે. વિશેષ કરીને શ્રી માણિભદ્ર વીરજેન સાધનાકેન્દ્ર-શિવપુરના નિર્માણકાર્ય પછી આ જગ્યામાં અજવાળાં પથરાયાં છે. આ તીર્થની સ્થાપના-વિકાસ-- વિસ્તારના પાયામાં માલવરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વીરરત્નવિજયજી મહારાજ " પૂજ્યશ્રીની જન્મભૂમિ પિંડવાડા-રાજસ્થાન છે, જ્યારે કર્મભૂમિ ખાસ કરીને માલવા પ્રદેશ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લા દોઢ દાયકામાં પચાસથી વધુ જિનાલય-ઉપાશ્રય આદિનું નિર્માણ થયું છે. ધ્યાન અને સાધના પ્રતિ પૂજ્યશ્રીની અભિરૂચિ સારા પ્રમાણમાં જોવા મળે છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, ૧૦૮ પાર્શ્વનાથ મંત્ર, માં સરસ્વતી દેવી, પ્રભાવી શ્રી મણિભદ્રવીર આદિની આરાધના–સાધના પૂજ્યશ્રીએ પૂરા વિધાન સાથે કરેલ છે. પ્રસ્તુત " જૈન તીર્થ શિવપુર" માં પૂજ્યશ્રીની પ્રબળ પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી માણિભદ્રવીર જૈન સાધના કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ નૂતન તીર્થ પ્રકૃતિથી પ્રભાવિત શાંત, સુંદર અને મનોરમ્ય સ્થાનમાં આવેલ છે. આ તીર્થ-પરિચય લેખથી એક નૂતન તીર્થની માહિતી આપણને ઉપલબ્ધ થાય છે. તેમ જ કલિકાલમાં શ્રી માણિભદ્રદેવની પ્રભાવકતાના આપણને સૌને દર્શન થશે. વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી શાસનસેવાનાં કાર્યો માટે દીર્ધાયુ પ્રાપ્ત કરે તેવી અભાર્થના. – સંપાદક પ્રકૃતિની સુરમ્ય છટા...વૃક્ષાવલીઓની જાનદાર ઘટા, આંબાનાં વૃક્ષોની ડાળો પર ટહુકતી કોયલ તથા નીલા આકાશમાં મુક્ત મને ઉડ્ડયન કરતાં પંખીઓ.... આકાશને સ્પર્શ કરવા ઇચ્છતી મનભાવન પહાડી તથા ચારે તરફ મનને લોભાવતી વનરાજિ. જેના મધ્યમાં લહેરાઈ રહી છે પ્રભાવશાળી દરેક ભક્તોના દાદા શ્રી માણિભદ્ર વીરની ઉત્તેગ ધજા. આત્મશાંતિ અને મનની પ્રસન્નતા માટે આ પાવન ધામમાં પ્રવેશ કરતાં જ સામે દેખાય Page #513 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 497 છે જૈન ગુરુકુળની ઇમારત અને તેની ઉપર આવેલી છે નગરશેઠ હુકમચંદજી સરદારમલજી જૈન ધર્મશાળા અને પિંડવાડા નિવાસી માતેશ્વરી લક્ષ્મીબાઈ છોગાલાલજી પુનમચંદજી મરડીયા જૈન આરાધના ભવન જે એકસાથે ૮૦૦ યાત્રિકોનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. બાજુમાં જ આવેલું છે કલાત્મક " શાંતિ જલપાન ગૃહ" જ્યાં નિર્મલ-ઠંડા પાણીની વ્યવસ્થા છે. ધ્રાંગધ્રા અને મકરાણાના આરસપહાણોથી નિર્મિત દાદાના ભવ્ય મંદિર પાસે વિશાળ ભૂ-ભાગમાં નિર્મિત થશે રથ આકારનો ત્રિભુવનભાનુ પ્રાસાદ. વર્તમાન શતાબ્દીમાં દીક્ષા પ્રદાનનો વિક્રમ સ્થાપિત કરનાર પૂજ્યપ્રવર, પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના નયનરમ્ય ગુરુમંદિરની આ શ્રદ્ધાભૂમિ છે. આ નિર્માણકાર્યમાં વ્યારા જૈન સંઘનું વિશેષ યોગદાન છે. પૂર્વ દિશા તરફ દષ્ટિપાત કરીએ તો શ્રી ચંપાલાલજી મનરૂપજી મુણોત તથા શ્રી બાબુલાલજી બોહરાના સહયોગથી બનેલ સંઘહિતચિંતક પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર. આ જ્ઞાનમંદિરના નીચેના ખંડમાં પ્રાચીન–અર્વાચીન વિશાળ ભંડાર તથા હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ રાખવામાં આવેલ છે. "વિજયજિતેન્દ્રસૂરિજી સ્વાધ્યાય ખંડ" માં ભવ્ય પ્રવચન હૉલ છે જે દરેકને આફ્લાદિત શ્રી માણિભદ્રવીર જૈન સાધના કેન્દ્ર, શિવપુર–માતમોરના આ બાહ્ય વૈભવનાં દર્શન કરી આપણે પહોંચીએ છીએ તીર્થનિર્માણની પાછળ નીવની ભૂમિમાં, જેમાં ગુંજી રહ્યા છે સંકલ્પ, નિર્ણય, દઢતા, શુભારંભ, સહયોગ, ચમત્કાર આદિના દિવ્ય નિનાદ. ટૂંક સમયમાં અને અલ્પ પ્રયાસથી કલ્પનાતીત સ્થાપત્યનું નિર્માણ દૈવી સહાય તથા સાત્ત્વિક શક્તિ સિવાય કદી સંભવિત નથી બનતું. શિવપુર આજે દરેક વ્યક્તિઓની જુબાન ઉપર છવાયેલ છે, તો તેના નિર્માણની રોચક કથા પણ એટલીજ અતિ હૃદયસ્પર્શી છે...! શિવપુર તીર્થના સંસ્થાપક માલવરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. નું ૧૫ વર્ષ પહેલાં રતલામ શહેરમાં ચાતુર્માસ હતું, પોતાના ગુરુદેવ મેવાડદેશોદ્ધારક પૂ.આ.ભ.શ્રી જિયજિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં શુક્લ પક્ષની મધ્યરાત્રિ બાદ મીઠી નીંદરમાં સૂતેલા પૂજ્યશ્રીએ આશ્ચર્યજનક એક સુંદર સ્વપ્ન જોયું: પૂજ્યશ્રી સ્વયં ગુજરાતી મંદિરમાં ચૈત્યવંદન કરી રહ્યા છે. ચૌમુખી પુલ પર સ્થિત શ્રી મોતીપૂજ્યજી મંદિરના ચમત્કારી સ્થાનમાંથી શ્રી માણિભદ્રવીર બાળક સ્વરૂપે બહાર પ્રગટ થઈ ચાલવા લાગ્યા, ગુજરાતી મંદિરમાં આવી કહેવા લાગ્યા: " આજથી હું તમારી સાથે છું, તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. તમારી પ્રેરણાથી અનેક નિર્માણ થશે. " જેમ આવ્યા તેમ પાછા ફર્યા. સ્વપ્નદર્શન સાથે જ પૂજ્યશ્રી દિવ્ય આનંદ અને અલૌકિક પ્રફુલ્લિતતા અનુભવવા લાગ્યા. સાથોસાથ જ ભવિષ્ય માટે એક દઢ સંકલ્પ દિલોદિમાગમાં જન્મ ધારણ કર્યો. ચાપડાના ચાતુર્માસ પછી બાગલી થઈ શિવપુરમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કર્યો. શિવપુર કોઈ ગામ કે શહેર નથી, માત્ર ચારે તરફ લહેરાતાં ખેતરો છે. પૂજ્યશ્રીની કલ્પના અનુસારનું Page #514 -------------------------------------------------------------------------- ________________ 498 તપાગચ્છાધિષ્ઠાયક અહીંનું આફ્લાદક વાતાવરણ જોઈ પૂજ્યશ્રીના રોમરોમમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. દિલની દુનિયામાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઊમટી પડ્યો. જ્યાં બે નદીઓ મળતી હોય તે સ્થાનને સંગમ કહેવાય છે, તેમ જ જ્યાં ત્રણ નદીઓનો સમન્વય થતો હોય તો તે તીર્થ બની જાય છે. અહીંયાં પણ એવી જ અનુભૂતિ થઈ. આંબાનાં ત્રણ વૃક્ષોનું એકસાથે મિલનપૂજ્યશ્રીએ જોયું... પહોંચ્યા. ધ્યાનમાં બેઠા... કોઈ અગમ્ય પ્રસન્નતાનો પ્રકાશપુંજ પ્રેરણા કરવા લાગ્યો. અદશ્ય શક્તિ દ્વારા ત્રણ વખત સંકેતનો સ્વર સંભળાયો : " તમારો સંકલ્પ અહીં પૂરો થશે, સહજતા સરળતા સાથે. આ સ્થાન સદા જાગૃત છે. પૂર્વકાળમાં આ સાધકોની સિદ્ધિની ભૂમિ હતી." વૈશાખમાસને શુકલપક્ષનો પાવન દિવસ હતો, આજે રવિવારની સાથે પુષ્પક્ષત્રનો પરમ સંયોગ હતો. સૌભાગી પલ ને દિવ્ય ક્ષણ હતી આજ ... આધ્યાત્મિક જ્ઞાનશિબિરનો આજે સમાપન દિન હતો. તે જ સમયે એક ચમત્કારી ઘટના બની, આશ્ચર્યજન અને ચમત્કારપૂર્ણ.. જે વૃક્ષની નીચે પૂજ્યશ્રી ધ્યાનસ્થાન બન્યા હતા સ્થાન ખોજના સમયે.. તે વૃક્ષની નીચેથી અચાનક પાષણખંડ સિંદૂરવર્ણનાં પ્રગટ થયા માનો.. હમણાં જ સિંદૂરનો ઉપયોગ ન કર્યો હોય.... લોકો પામી ન શક્યાં... આ શું છે? અને પાષાણખંડ આમથી તેમ નાંખવા માંડયા. અને તે સાથે જ ભયંકર તોફાન ચારે બાજુ ઊભું થઈ ગયું! પથરાઓ ઉડવા માંડયા બધે હાહાકાર પૂજ્યશ્રી ત્યાં પધાર્યા...! " આ શું કરી રહ્યાં છો તમે? જ્યારે શક્તિ સ્વયં પ્રગટ થવા ઈચ્છે છે! આ તો બાબાના સાક્ષાત્ દર્શન છે." સવિજય ક્ષમાપના સાથે પ્રગટિત પાષાણખંડ એકત્રિત કરીને તે જ વૃક્ષ નીચે સ્થાપિત કરવામાં આવ્યાં. અને તે જ સમયે તોફાન શાંત...! વિજયમુહૂતનો સમય સામે જ હતો. પૂજ્યશ્રીએ પૂર્ણ ગંભીરતા સાથે દેવ આહ્વાન આદિ નિધાન કરીને દિવ્યપલે માણિભદ્રવીરની ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરી. અને આશ્ચર્ય! દાદાના સ્થાનમાંથી તેજકિરણો પ્રસારિત થઈ રહ્યાં છે. અને પૂજ્યશ્રીની મુખાકૃતિને આલોકિત કરીને સહુના તન-મનને પ્રસન્નતા પ્રદાન કરી રહ્યાં છે. હજારો ભક્તો તે સમયે મૂલસ્થાનમાં સંપૂર્ણ આકારના દર્શન કરીને રોમાંચિત બની ગયા! જૈનશાસનના ઇન્દ્રોમાં શ્રી માણિભદ્રવીરનું એક વિશિષ્ટ સ્થાન છે. ઉજજૈન, આગલોડ, મગરવાડા, રાંદેર, પાબલ આદિ સ્થાનોમાં ચમત્કારી પ્રતિમાઓ બિરાજમાન છે. મહા સુદિ ૫ (વસંત પંચમી) શ્રી માણિભદ્રજીની સાધનાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે જૈનાચાર્યપ્રવર શ્રી શાંતિસોમસૂરીશ્વરજી મ.સા.એ સતત ૧૨૧ દિવસીય ઉપવાસ કરીને વીરને પ્રત્યક્ષ કર્યા હતા. પૂજ્યશ્રીની હાર્દિક ઇચ્છા હતી કે, આ દિવસે સ્વામિવાત્સલ્ય સહ વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે. વસંત પંચમીનો આજે પ્રથમ મેળો હતો. ભક્તજનોનો અવિરત પ્રવાહ ચારે તરફથી Page #515 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 499 શિવપુર તરફ ઊમટી રહ્યો હતો. શ્રી માણિભદ્રવીરનું મહાપૂજન પણ આજ અનોખા અંદાજમાં થઈ રહ્યું હતું. ગીત તેમ જ સંગીતનું સામ્રાજ્ય ચારે તરફ છવાઈ ગયું હતું. મહાપૂજનની બોલીઓ પણ જોરદાર રીતે બોલાઈ રહી હતી, ત્યારે એક જોરદાર ઘટના બની. બાબાની સામે મંડલરૂપમાં સમર્પિત ૧૦૮ શ્રીફળ એકસાથે સ્વયં વધેરાવા લાગ્યાં. જનતા આશ્ચર્યચકિત આંખોથી આ ઘટના જોઈ રહી હતી. એક ભક્તએ એક શ્રીફળ ઉઠાવ્યું... ૧–૨–૧૦- ૧૫– ર૫ વ્યક્તિઓને તેનું જલપાન કરાવ્યું પરંતુ તેમ છતાં જળ અખૂટ રહ્યું. આરતીના સમયે સેંકડો લોકોએ મૂલ સ્થાનમાં વિભિન્ન રૂપમાં બાબાનાં દિવ્ય દર્શન કરીને પોતાનાં નયન તેમ જ જીવનને ધન્ય બનાવી દીધું. એક દિવસ સવારની આ વાત....... શિવપુર પ્રાંગણનું વાતાવરણ કાંઈક ગમગીન હતું. એક તલસતી મા માણિભદ્ર બાબાને આદ્ર સ્વરમાં પ્રાર્થના કરી રહી છે – "દાદા ! મારા એકના એક દીકરાને ઈન્દોરની હોસ્ટેલમાં ભણવા માટે મોકલ્યો... ત્રણ દિવસ થઈ ગયા, તેનો ક્યાંય પત્તો નથી, તારા દ્વારે આવી છું... તારા સિવાય હવે મારે કોઈ સહારો નથી. આસ્થા તેમ જ વિશ્વાસ મારો અખંડ બની રહે એવી તમોને પ્રાર્થના છે." શિવપુરથી નીકળીને મા પોતાનાં અન્ય સગાં-સબંધીઓ સાથે ઇન્દૌર સ્ટેશન પર પહોંચી તો તેણે ભાવવિભોર બનીને સામે જ પોતાના લાડલા દીકરાને જોયો. દરેકની ખુશીની કોઈ સીમા ન રહી. બીજે જ દિવસે સપરિવાર સાથે આવીને માએ બાબાનાં ચરણોની પૂજા કરી. ઉપધાન તપનું આયોજન ચાલી રહ્યું છે, એ સમયની આ વાત છે. જ્યારે માતમીરથી શિવપુર સુધીનો ડામર રોડ કે કાચો રસ્તો પણ ન હતો. અનેક રસ્તાઓ પોતાની દિશા તરફ જઈ રહ્યા હતા. રાતના ૧૧ની આસપાસ ભોપાલના યાત્રિકોની ગાડી રસ્તો ભૂલી ગઈ. અંધારી રાતમાં કાંઈ દેખાતું ન હતું. દરેક યાત્રિકો ભયભીત હતા, ત્યારે એક સફેદ ઘોડેસવાર સામે આવી ઊભો રહ્યો. " શું શિવપુર જવું છે? મારી પાછળ ચાલ્યા આવો...." ઘોડેસવાર આગળ.. યાત્રિકોની ગાડી પાછળ જુઓ આ સામે શિવપુર. યાત્રિકોએ જોયું, ન ઘોડો કે નં અસવાર ! પદયાત્રા સંઘનો અવસર. કોઈકે કહ્યું – અહીંયાં શું ચમત્કાર? ત્યારે સંઘપતિના હાથમાં રહેલું શ્રીફળ આપોઆપ વધેરાયું. તેના સફેદ જળથી દરેક પ્રભાવિત. પૂનમ તથા અમાવસ્યાની રાત્રિએ અહીંયાં સંગીતના સ્વર, નૃત્યના ધ્વનિ તથા મંત્રોચ્ચારનો ગંભીર નાદ પણ સાંભળવા મળે છે. રાતના ૧૧ થી ૧ ની વચ્ચે શુદ્ધ બનીને ધ્યાન કરનાર સાધકને દાદાના અલભ્ય દર્શનની અનુભૂતિ પણ થઈ જાય છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વનો પ્રથમ શુભ દિવસ..ધાર્મિક અનુષ્ઠાનો સાથે દિવસ પૂરો થયો. સંધ્યાનાં સપ્તરંગી કિરણો ખીલ્યાં.... ખોવાયાં.. રાતના નવ વાગ્યાનો સમય હતો. તે સમયે અમે દરેકે જોયું - દક્ષિણ દિશાના આસમાનની તરફ એક અલૌકિક દિવ્ય જ્યોતિ ધરતી તરફ ઝૂકતી જઈ રહી છે. દરેકની આંખો તથા શ્વાસ સ્થિર વિશ્વાસ બેકરાર. બાબાના સ્થાનમાં જ્યોતિએ પ્રવેશ કર્યો. વગરતેશે જ્યોતિ જલતી રહી. પૂજ્યશ્રી પણ સ્થાન ઉપર પહોંચ્યા. આ આશ્ચર્યજનક ઘટનાને જોઈને દરેકના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. અને વધુ Page #516 -------------------------------------------------------------------------- ________________ 500 તપાગચ્છાધિષ્ઠાયક આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે એક સફેદ નાગદેવતાએ આવીને તે સ્થાન ઉપર આસન જમાવ્યું. આ રોમાંચક દશ્ય છએક કલાક ચાલતું રહ્યું. જેણે પણ જોયું તેણે પોતાને ભાગ્યશાળી માન્યું. વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં એક મારુતિએ આંગણામાં પ્રવેશ કર્યો. બાબાનાં દર્શન કરી મુનીમજીને કહ્યું, મારે ૧૦૮ શ્રીફળ વડે બાબાનું પૂજન કરવું છે. સાધનસામગ્રી મારી પાસે છે. કેમ ભાઈ! મહાપૂજનનું કોઈ કારણ? મારુતિના માલિકે કહ્યું – થોડા સમય પહેલાં હું ઘણી મુશ્કેલી સાથે અહીં આવ્યો હતો. ચારેય તરફથી ચિંતાઓએ હું ઘેરાઈ ગયો હતો, પરંતુ બાબાના આશીર્વાદથી ઘણા જ ટૂંકા સમયમાં હું સંપૂર્ણપણે સંતોષ પામ્યો છું – જે અહીંનો અલૌકિક પ્રભાવ છે. એક શુભ દિવસે પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં શ્રી માણિભદ્ર મહાપૂજન ચાલી રહ્યું હતું. પૂજ્યશ્રી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અચાનક અવાજ ધીમો થવા લાગ્યો, ચહેરા ઉપર એક અનોખી આભા નીખરતી ગઈ, આંખો બંધ થઈ ગઈ. બે મિનિટ પછી પુનઃ પૂર્વવત્ સ્થિતિ બની ગઈ. ભક્તોએ પ્રશ્ન કર્યો કે " આપને અચાનક શું થઈ ગયું હતું ગુરુદેવ ?" ગુરુદેવે હસતા મુખે જણાવ્યું કે " આજે તો માણિભદ્રવીરની અનુપમ ઝલક જોવા મળી, સાથે જ ભવિષ્યમાં અહીં નિર્માણ થનાર જિનાલયની તસવીર પણ જોવા મળી." આ પ્રસંગ પછી થોડા દિવસ બાદ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી અને તેમના ભક્તગણો ચર્ચામાં બેઠા હતા. ત્યારે મૌન.... પૂર્ણ એકાગ્રતા. બે જ પળોમાં પુનઃ યથાવત્ સ્થિતિ. સવાલનું સમાધાન કરવા પૂજ્યશ્રીએ કહ્યું " દાદાના મૂળ સ્વરૂપના દર્શનની આજે અનુભૂતિ થઈ." આદિવ્ય સાધનાસ્થળ પર સંવત ૨૦૫રવૈશાખ સુદ ૭ ગુરુવાર તા.૨૫ એપ્રિલ ૧૯૯હ્ના રોજ મહામહોત્સવ પૂર્વક ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. શ્રી માણિભદ્રવીરની પ્રતિષ્ઠા બાદ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા.ના આદેશ અનુસાર રથાકાર શ્રી ત્રિભુવનભાનું પ્રાસાદનું નિર્માણકાર્ય પ્રારંભ થયું છે. કોણાર્કના સૂર્યમંદિરની જેમ આ પ્રાસાદ પણ પોતાની આગવી ભારતીય સંસ્કૃતિની, સભ્યતા, શિલ્પસ્થાપત્યને સર્જનરૂપ આપશે. Page #517 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ શ્રી માણિભદ્રવીરદેવ સિદ્ધપીઠ પાવાગઢ તીર્થ : [પરિચય અને મહિમા 501 – મુનિ નવીનચંદ્રવિજયજી મ. સા. પૂ. મુનિશ્રી નવીનચંદ્રવિજય મહારાજશ્રીએ પાવાગઢની તળેટીમાં આવેલ માણિભદ્ર ઇન્દ્રદેવની શક્તિપીઠના પાયાથી લઈને શિખર સુધીની ઘટનાની યાદો અત્રે કંડારી છે. .સાથે સાધકને લયબદ્ધ ગાઈ શકાય તેવું સ્તોત્ર પણ આપેલ છે. ગચ્છાધિપતિ આ. શ્રી વિજયઇન્દ્રદિન્તસૂરીશ્વરજી મહારાજા દ્વારા કરાયેલ સાધનાનું સંક્ષિપ્ત દર્શન પણ આ લેખમાં કરાવ્યું છે. સંપાદક જે સ્થળના દર્શન માત્રથી આત્માને પરમ શાંતિનો અનુભવ થતો હોય, જે સ્થળ પર બેસવાથી મનની બધી ચિંતા અને વ્યગ્રતા દૂર થતી હોય, જે સ્થળની યાત્રા કરવાથી જીવન ધન્ય અને સફળ થતું હોય, જે સ્થળ પર આરાધના અને સાધના કરવાથી તેનું શીઘ્ર ફળ મળતું હોય, જે જગ્યા પર આવીને જે ઇચ્છાઓ અને મનોરથ કરવામાં આવે તે પૂર્ણ થતાં હોય,અને જે સ્થળ પર ઊભા રહીને પ્રાર્થના કરવામાં આવે તો તે પ્રાર્થના કદાપિ નિષ્ફળ ના જતી હોય – તંત્રવિજ્ઞાનના કથન મુજબ એવું કલ્પવૃક્ષતુલ્ય ચમત્કારિક સ્થળ સિદ્ઘપીઠ કહેવાય છે. આવું એક મહિમાવંતું શ્રીમાણિભદ્ર વીર દેવનું સિદ્ધપીઠ સ્થળ છે – પાવાગઢ તીર્થ. આ સિદ્ધપીઠના સ્થાપક છે પરમાર ક્ષત્રિયોદ્વારક પૂ. આચાર્યશ્રી વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મ.ના સહાયક ઇષ્ટદેવ શ્રી માણિભદ્ર વીર છે. તેઓએ શ્રીવીરના જાપ કરીને સાડા બાર હજાર આહુતિ અપાવી. શ્રાવણ સુદ એકાદશી અને સોમવારનો તે પવિત્ર દિવસ હતો. શ્રીમાણિભદ્રવીરદેવ મધ્યરાત્રિએ પોતાના મૂળ સ્વરૂપે આહુતિ કુંડમાં પ્રગટ થયા. આચાર્યશ્રીએ તેઓની આ સ્વરૂપની મૂર્તિ નિર્મિત કરાવીને પાવાગઢ તીર્થમાં પ્રતિષ્ઠિત કરવાની અનુમતિ માંગી અને આ સાથે તે મૂર્તિમાં દિવસના ગમે તે સમયે પોતાના ભવનપતિના આવાસથી પ્રત્યક્ષ આવીને બિરાજમાન થવાનું વચન માગ્યું. Page #518 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી વીરે પોતાના દેવલોકના આ મૂળ સ્વરૂપની મૂર્તિ પાવાગઢમાં પ્રતિષ્ઠિત કરવાની સહર્ષ અનુમતિ આપી અને સવારે ૯–૦૦ થી પોણા દસ સુધી ૪૫ મિનિટ પોતાના આવાસથી પ્રત્યક્ષ આવીને મૂર્તિ મધ્યે રહેવાનું વચન આપ્યું. આ દરમિયાન જે ભક્ત આવીને પંચોપચાર પૂજન કરશે, સ્તોત્રપાઠ અને પ્રાર્થના કરશે તેનું કાર્ય અવશ્ય પૂર્ણ થશે. શિલાન્યાસ અને પ્રતિષ્ઠા બાદ આ તીર્થસ્થળ સિદ્ધપીઠ ગણાશે. આ પ્રકારની વાણી આપીને તેઓ અદશ્ય થયા. પાવાગઢમાં તેઓએ તેમનો વાર સોમવાર અને તિથિ સુદ એકાદશીનો સ્વીકાર કર્યો. 502 પાવાગઢ તીર્થ પરિસરમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના મૂળ મંદિરની સામે દક્ષિણાભિમુખ શ્રીમાણિભદ્રવીરદેવનું જોધપુરી લાલ પથ્થરથી એક સ્વતંત્ર મંદિરનું નિર્માણ થયું જેનું ભૂમિપૂજન અને ખનન તા. ૧૩-૧૨–૧૯૯૪ના રોજ, શિલાન્યાસ તા. ૧૮–૧૨–૧૯૯૪ના રોજ અને પ્રતિષ્ઠા તા. ૧૦-૫-૧૯૯૫ના રોજ કરવામાં આવી હતી. શિલાન્યાસ-વિધાન સાથે અત્રે દીપદાન–વિધાન થયેલ છે. આ એક ગુપ્ત વિધાન છે, જેનું જ્ઞાન ઘણા ન્યૂન તજ્જ્ઞોને હશે. તામ્રના એક પૂર્ણ અને અખંડ દીપકમાં સ્તોત્રપાઠના આલેખન બાદ ઘીથી પૂર્ણ કરી દીપક પ્રગટ કરવામાં આવે છે. ત્યાર પછી આ દીપકની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. મંત્ર અને મુદ્રા કર્યા બાદ આ દીપક દેવાધિષ્ઠ બને છે. દીપકને એક અખંડ શિલાથી ઢાંકી દેવામાં આવે છે. આ દીપક અખંડ રૂપે પ્રજ્વલિત રહે છે. દીપકની સદા વર્ધમાન અખંડ જ્યોતની જેમ જિનશાસનની જ્યોત સદા અખંડિત રૂપે જગતમાં પ્રકાશ પાથરતી રહી તે નિમિત્તે આ દીપદાન વિધાન થાય છે. આ સંપૂર્ણ વિધાન કાર્યદક્ષ આચાર્ય શ્રીમદ્ વિજયજગચંદ્રસૂરિજી મહારાજ અને પંડિતરત્ન, યોગીરાજ મુનિ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજના માર્ગદર્શન અને નિર્દેશનમાં થયું હતું. અહીં શ્રી માણિભદ્રવીરદેવની પંચધાતુની એકતાળીસ ઈંચની મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલ છે. સમસ્ત ભારતમાં આવી અલૌકિક મૂર્તિ અન્યત્ર કોઈ પણ જગ્યાએ નથી. તેઓના વાહનનું પ્રતીક હાથી છે. અત્રે તેઓ હાથીની આગળ ઊભા છે. દેવો કદાપિ પોતાનો વિનય—વિવેક ચૂકતા નથી. જ્યારે કોઈ શ્રમણ આચાર્ય તેઓને પ્રત્યક્ષ કરે છે ત્યારે તેઓ હાથીથી નીચે ઊતરીને પ્રકટ થાય છે. ગુરુ ભગવંતને મળતાં શ્રાવક જેમ પોતાના વાહનથી નીચે ઊતરીને ગુરુનો વિવેક સાચવે છે અને વંદન કરે છે તેમ સકિતધારી દેવો પોતાના વાહનથી ઊતરીને પ્રત્યક્ષ થાય છે. સમકિતધારી દેવ–દેવીઓની આ એક મુખ્ય ઓળખ હોય છે. બાવન વીરોમાં શ્રીમાણિભદ્રવીરનું સ્થાન એકતાળીસમું છે. તેઓ સમકિતધારી અને કુમાર જાતીય ભવનપતિ દેવ છે. બાવીસ હજાર દેવો તેઓના અધીનસ્થ છે, એટલે બાવીસ હજાર દેવોનો તેમનો વિશાળ પરિવાર છે. તેમનું તેજસ્ શરીરસૌષ્ઠવ સપ્રમાણ અને હૃષ્ટપુષ્ટ પ્રચંડ ક્ષત્રિયત્વને પ્રકટ કરે છે. તેઓ અતીવ સુન્દર છે. સાધક સમક્ષ ધોતી અને ખેસ–ઉત્તરીય વસ્ત્રો પહેરીને પ્રકટ થાય છે. તેઓ લગભગ પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરે છે; પરંતુ કયારેક શ્વેત, લાલ, લીલાં ને ગુલાબી વસ્ત્ર પણ પહેરે છે. તેઓ મોજડી અને કયારેક ખડાઉ પહેરે છે. જ્યારે Page #519 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 503 સાધક સાધુઓ સમક્ષ પ્રકટ થાય છે ત્યારે ખુલ્લા પગે હોય છે. તેઓ જમીનથી અધ્ધર ઊભા રહે છે અને કયારેય તેઓનાં નેત્રપલક પડતો નથી. તેઓની બે ભુજાઓ છે. એક હાથ વરદ મુદ્રામાં છે અને બીજા હાથમાં નાગેન્દ્ર છે. તેઓ કયારેક પોતાની ચાર ભુજાઓ પણ બતાવે છે. તેઓના શરીરનો રંગ તપ્ત સ્વર્ણ-કાંતિતુલ્ય છે. તેઓના વાહનનું પ્રતીક શ્વેત ઐરાવત છે. આ ઐરાવતની સાત સૂઢ છે અને પ્રત્યેક સૂંઢમાં કમળપુષ્પ છે. પ્રત્યેક દેવ અને દેવીઓના ગુપ્ત મંત્ર–બીજાક્ષરો હોય છે, જે બીજાક્ષરોના જાપ દ્વારા તેઓનું આકર્ષણ થાય છે. શ્રીમાણિભદ્રવીરના પણ મંત્ર–બીજાક્ષરો છે જે તેઓની સાધનાની મંત્રદીક્ષા વખતે સાધકને અપાય છે. શ્રીવીરની મંત્રદીક્ષાની વિધિ ત્રણ કલાકની છે. તેઓના મંત્રોમાં અગ્નિતત્ત્વનું આધિક્ય છે જે સાધકના મનને ઉગ્ર કરે છે. મંત્રના બીજાક્ષરોની જેમ પ્રત્યેક દેવ-દેવીઓની મુદ્રા પણ જુદી-જુદી હોય છે. શ્રીવીરની મુદ્રા પણ ભિન્ન છે જે મંત્રદીક્ષા સમયે ગુરુ સાધકને મુદ્રાદાન કરે છે. મંત્ર અને મુદ્રાની અચિંત્ય શક્તિના પ્રભાવે શ્રીવીરનું સાધક સમક્ષ પ્રાગટય થાય છે. શ્રીમણિભદ્રવીર દેવની સાધનાનાં અનેક ગુપ્ત રહસ્યો છે જે જિજ્ઞાસુ સાધકે ગુરુથી પ્રાપ્ત કરી લેવાં જોઈએ. પછી જ તેઓની સાધનાનો પ્રારંભ કરવો જોઈએ. અત્રે એક અગત્યની વાત નોંધવી જરૂરી જણાતાં નોંધી છે. ઘણા માણસો પોતાના શરીરમાં શ્રીમાણિભદ્રવીર આવવાનો અભિનય-નાટક કરીને ધૂણે છે, લોકોને આશીર્વાદ આપે છે અને પૂછેલા પ્રશ્નોના જવાબો આપે છે. અજ્ઞાની લોકો એવા માણસને સાક્ષાત્ શ્રીમણિભદ્રવીરદેવ સમજીને તેના આશીર્વાદ લે છે. જ્યારે સત્ય હકીકત એ છે કે શ્રીમાણિભદ્રવીરદેવ કદાપિ કોઈના શરીરમાં પ્રવેશ કરતા નથી. દેવોનું શરીર તેજસુ હોય છે. તેમાં એટલું બધું તેજ અને અગ્નિતત્ત્વ હોય છે કે એ શરીર જો કોઈને સ્પર્શ પણ કરે તો તક્ષણ બળીને ભસ્મ થઈ જાય છે. શ્રીમાણિભદ્રવીર દેવ જેવા મહાન અચિંત્ય શક્તિશાળી દેવેન્દ્ર જેઓ બાવીસ દેવોના સુરેન્દ્ર છે, જેમનું દેદીપ્યમાન સ્વરૂપ ખૂબજ પ્રચંડ હોય છે; જેઓ દેવલોકની અનંત શક્તિ અને ઋદ્ધિના સ્વામી છે; જેઓ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક છે એવા મહર્ધિક દેવ મલમૂત્રના પિંડ જેવા સાંસારિક પાર્થિવ વાસનાના પૂતળા, શારીરિક મેલ-પરસેવાથી ગંધાતા માનવ શરીરમાં પોતાનું દિવ્ય સ્વરૂપ છોડીને આવે ખરા? આ વાત એક સામાન્ય માણસ પણ સમજી શકે તેવી છે. મંત્ર અને મુદ્રા અથવા કેટલીક સંખ્યામાં ઉચ્ચ સ્વરે સ્તોત્રપાઠ કરવા સિવાય શ્રીવીર પોતાના દેવલોકના આવાસથી આવતા નથી. તેઓનું આગમન મૂર્તિ મધ્યે અથવા છબી મધ્યે થાય છે. મંત્રશાસ્ત્રના વિધાન મુજબ અમુક લાખ જાપ, આહુતિ અને વાર્તાલાપ કરી શકવાનું વરદાન પ્રાપ્ત થયા બાદ તેઓ સાથે વાર્તાલાપ કરી શકાય છે. પરંતુ આ અત્યંત શ્રમસાધ્ય સાધના છે. ઘણાં વર્ષોની સાધનાના અંતે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. અત્રે પાવાગઢ તીર્થમાં પ્રતિષ્ઠિત શ્રી માણિભદ્રવીર દેવનું મંત્રગર્ભિત સ્તોત્ર આપવામાં આવ્યું છે, જેનો નિત્ય પાઠ કરવાથી અચિંત્ય ફળ મળે છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ 504 તપાગચ્છાધિષ્ઠાયક શ્રીમાણિભદ્રવીર સ્તોત્ર ૐ નમામિ માણિભદ્રમ્ વંદે વીરમ્ મહાબલીમ્ વિપત્તિકાલે માં રક્ષ, રક્ષ માં દેવ! માણિભદ્ર ભૂત પ્રેત શાકિની ચ રાક્ષસાદ યાંતિ જપાતુ ક્ષય શાકિની ડાકિની નશ્યતુ, રક્ષ માં દેવ! માણિભદ્ર વને રણે ગૃહે ગ્રામે, યત્રવં સર્વત્ર નામતઃ. માણિભદ્ર માં પશ્યન્તુ, રક્ષ માં દેવ! માણિભદ્ર H ઓ આ ક્રાં હ મંત્ર રૂપે, મહાબલી રક્ષ સદા ! માં શરણં તવ, રક્ષ માં દેવ! માણિભદ્ર II દુષ્ટાનું સ્તંભય સ્તંભય, શુદ્રોપદ્રવ શામ્યનું આપત્તિકાલે માં રક્ષ રક્ષ માં દેવ! માણિભદ્ર . ઓ આ ઈ ક્લીં મંત્ર રૂપે, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ. યાત્તિ દુર્જના બુદ્ધિ ચ, રક્ષ માં દેવ! માણિભદ્ર | જિનભક્તિ રતઃ સ્વામિન, ભદ્ર રક્ષ મહાવીરા નામસ્મરણ માત્રણ, રક્ષ માં દેવ! માણિભદ્ર | ભારતિ ભાતે માણિભદ્ર ૩ૐકારં વંદે મહાબલીં! યુદ્ધ મહાવીરં ભદ્ર, રક્ષ માં દેવ! માણિભદ્ર / બ્રાં શ્રી ભ્રઃ મંત્ર રૂપે, તવ ભક્તિ પ્રભાવતઃ | પ્રત્યક્ષ દર્શન દેહિ, રક્ષ માં દેવ! માણિભદ્ર નામ મંત્રોસિ નવ સિદ્ધ કાર્યસિદ્ધિ ભવેત્ ભુવઃ પદે પદે નિધાનાનિ, રક્ષ માં દેવ! માણિભદ્ર / 3ૐ હ્રીં શ્રીં ત્રિધાશક્તિ, ક્રાં કામિતાર્થ ફલં પ્રદા ક્લી બીજે કામદેવાય, રક્ષ માં દેવ! માણિભદ્ર | વરદમુદ્રા દક્ષિણ કરે વામ કરે નાગ શોભિતી દ્વિ ભૂજાં સંયુક્તદેવ, રક્ષ માં દેવ! માણિભદ્ર / ત્રિલોકે ત્રિલોચને ચ, કથિતા પૂર્વસૂરિભિઃ પાતાલવાસિનો દેવ રક્ષ માં દેવ! માણિભદ્ર / ધર્માર્થ કામ મોક્ષચ્ચેવ, કામદાતૃસુખસંપદા. મહાભીતિ વિનાશય, રક્ષ માં દેવ! માણિભદ્ર / ભદ્ર ભદ્ર માણિભદ્ર ઇન્દ્રદિનસૂરીશ્વરી પ્રત્યક્ષ દર્શનંદાતા, રક્ષ માં દેવ! માણિભદ્ર / Page #521 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 505 પાવાગઢ સુતીર્થેષ, સ્થાપિત ઇષ્ટ દેવતા ઇન્દ્રદિનસૂરીશ્વર, રક્ષ માં દેવ! માણિભદ્ર ! ઝાં ઝીં ઝૂ ઝઃ મંત્ર રૂપે તવ શરીરં સુશોભિત સૉ સઃ તે તુ પ્રત્યક્ષ, રક્ષ માં દેવ! માણિભદ્ર | સુખડી શ્રીફલંધેવ, કામદં મોક્ષદં તથા આર્ધિ વ્યાધિં વિપત્તિ ચ, રક્ષ માં દેવ! માણિભદ્ર / રાજભય ચોરભય નાસ્તિ, ન ચ સર્પણ સ્યતે. સર્વ મંગલકારક દેવ, રક્ષ માં દેવ! માણિભદ્ર | દિવ્ય સ્તોત્ર ચ, ત્રિસમય પદે ઈદ સાધકોત્તમે ભવેત, રક્ષ માં દેવ! માણિભદ્ર , પાવાગઢ તીર્થે કૃતં સ્તોત્ર ગુણાલંકૃતઃ અનેક સઃ | ત્રિકાલે આનંદીભૂત, રક્ષ માં દેવ! માણિભદ્ર ! જગચંદ્ર ચંદ્રોદયઃ સૂરીશ્વર ગુણાલંકૃતા. વિજય પદવી ધરા મુનિ, રક્ષ માં દેવ! માણિભદ્ર / સર્વ મંગલ માંગલ્ય, જૈન ધર્મોસ્તુ માંગલ્ય...! . ચિંતામણિ પાર્શ્વનાથેન, જૈન જયતિ શાસનમ્ . Page #522 -------------------------------------------------------------------------- ________________ 506 માણિભદ્રજીનાં વિશિષ્ટ પ્રભાવક સ્થાનો તપાગચ્છાધિષ્ઠાયક – ડૉ. કવિનભાઈ શાહ કલા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય અત્રે અભ્યાસરૂપે પ્રાપ્ત થાય છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળનાં વિવિધ સ્થળોનાં દેરાસરોના પરિસરમાં કે સાધુ–ભગવંતોના ઉપાશ્રયોમાં યક્ષરાજ શ્રી માણિભદ્રજીની મૂર્તિઓ જોવા મળે છે. વિભિન્ન સ્વરૂપો અને આકૃતિની સમજ સાથે ઇતિહાસ—સંદર્ભ આ લેખને અભ્યાસમય બનાવે છે. કોઈ કોઈ સ્થળે આ જાગૃત શાસનરક્ષક દેવના પ્રભાવનો મહિમા પણ વર્ણવાયો છે. દાદાના સ્વરૂપદર્શનથી માંડીને તેની પૂજા ભક્તિથી ખ્યાત બનેલા પ્રભાવક સ્થાનોનો પરિચય પણ કરાવ્યો છે. કોઈ કોઈ સ્થળના દાદાના ખ્યાત બનેલા દાદાના અનન્ય સાધકોની પણ માહિતી પ્રાપ્ત થાય છે. સંકલન કરનાર ડૉ. કવિનભાઈ શાહ ઇતિહાસ અને સાહિત્યાદિના મર્મજ્ઞ છે. જૈનધર્મના વિવિધ વિષયો ઉપરનું ઊંડું જ્ઞાન ધરાવે છે. ધાર્મિક વિધિ-વિધાનોમાં પણ એટલા જ શ્રદ્ધાસંપન્ન છે. – સંપાદક જૈન સમાજમાં માણિભદ્રવીરની ઉપાસના અન્ય અધિષ્ઠાયકો—શાસનદેવો સમાન બલ્કે તેથી અધિક પ્રમાણમાં થઈ રહી છે ત્યારે એમની કેટલીક વિશેષતાઓનો વિચાર કરતાં મહત્ત્વની વિગતો નીચે મુજબ છે ઃ માણિભદ્રવીરનાં મૂળભૂત ત્રણ તીર્થસ્થાનો છે. (૧) માળવામાં આવેલી ઉજ્જૈન નગરી એ માણેકશાહ (પછીના ભવે બન્યા માણિભદ્ર)ની જન્મભૂમિ છે. ત્યાં બાવન વીરોની રહેવાસભૂમિ છે. આ સ્થાન પાસે વડનું ઘટાદાર વૃક્ષ છે. અહીં માણિભદ્રના મસ્તકની પૂજા થાય છે. તે દૃષ્ટિએ ઉપરોક્ત નગરી માણિભદ્રની પૂજામાં વિશેષ નોંધપાત્ર ને પવિત્ર મનાય છે. (૨) જ્યાં તેઓ વીરગતિને પામ્યા 'મગરવાડા' ગામ. આ સ્થાનમાં એમનાં ચરણોની પૂજા થાય છે. (૩) ઉત્તર ગુજરાતમાં વિજાપુર પાસે 'આગલોડ' ગામમાં વડ નીચે એમનું સ્થાન છે. વિક્રમ સંવત ૧૭૩૩માં મહા સુદ પાંચમના રોજ શ્રી શાંતિસોમસૂરિ નામના જૈનાચાર્યએ ૧૨૧ ઉપવાસ Page #523 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 507 કરીને માણિભદ્રવીરનો સાક્ષાત્કાર કર્યો હતો. આ દેવના સૂચન અનુસાર ત્યાં એમના ધડની સ્થાપના કરવામાં આવી હતી. આથી આગલોડમાં માણિભદ્રજીના ધડની પૂજા થાય છે. આ સ્થાન પર માણિભદ્રવીરનું મંદિર પણ નિર્માણ થયેલું છે. વિજાપુરમાં પણ માણિભદ્રનું સ્થાન છે તે પણ ઉપરોક્ત ત્રણની માફક ચમત્કારવાળું મનાય ઉત્તર ગુજરાતમાં કંબોઈ તીર્થે રેલવેની નજીક, જંગલમાં, ગોરિયા વીરનું સ્થાન છે. એમ કહેવાય છે કે તે માણિભદ્રવીરનું પૂજનીય સ્થાન છે. કવિ શ્રી દીપવિજયજીએ માણિભદ્રના છંદની રચના કરી છે, તેમાં " ગોરિયા વીર" શબ્દપ્રયોગ થયો છે. - જ્યારે રેલવે લાઈન નાખવામાં આવી અને એન્જિન ત્યાંથી પસાર થતું હતું ત્યારે આ સ્થાન પાસે અટકી ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં એંજિન આગળ ન ચાલ્યું ત્યારે ડ્રાઈવરે આ સ્થાન પર જઈને નમસ્કાર ર્યા પછી ટ્રેઈન આગળ ચાલી. ત્યારપછી રેલવે તરફથી આ સ્થાનને વ્યવસ્થિત કરવામાં આવ્યું. અમદાવાદના શેઠ લાલભાઈ ઉમેદરામ લટ્ટાએ કંબોઈ તીર્થમાં મનમોહન પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે માણિભદ્રના સ્થાનનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કંબોઈ તીર્થ તરીકે વિખ્યાત છે. સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં યતિ શ્રી લાલચંદજી ઉપાશ્રય છે. ત્યાં આ યતિએ માણિભદ્રની ઉપાસના કરી હતી તે સ્થાન માણિભદ્રની પૂજા ભક્તિ તરીકે જાણીતું થયું છે. યતિશ્રીને માણિભદ્રની કૃપા પ્રાપ્ત થઈ હતી. એથી જનસમાજમાં આ સ્થાન પૂજનીય બન્યું છે. આ ઉપાશ્રયને " લીંબડાવાળો ઉપાશ્રય" કહેવાય છે. એક વખત રાજાએ ઉપાશ્રયમાંથી લીંબડો કઢાવી નાખવા માટે યોજના કરી. યતિશ્રીને આ વાતની જાણ થઈ. યતિશ્રીએ તે સ્થાન પર ડીથી લીંબડો ઢાંકી દીધો અને માણિભદ્રની ઉપાસના કરી. બીજે દિવસે તે સ્થાને વાંકોચૂકો લીંબડો ઊભો હતો. આ આશ્ચર્ય જોઈને અમલદારે લીંબડો દૂર કરવાનો વિચાર માંડી વાળ્યો. ત્યારથી " લીંબડાવાળો ઉપાશ્રય" જાણીતો થયો છે. અમદાવાદમાં વિજયાનંદસૂર ગચ્છના ઉપાશ્રયમાં માણિભદ્રવીરનું સ્થાન મહાન ચમત્કારવાળું ગણાતું હતું. ઘણી મોટી સંખ્યામાં લોકો તેની ઉપાસના કરતા હતા અને ચમત્કારનો અનુભવ થયો હતો. વહીવટકર્તાઓએ અન્ય દેવોની ત્યાં સ્થાપના કરી પછી માણિભદ્રનો પ્રભાવ–મહિમા ઘટી ગયો છે. મહારાષ્ટ્રમાં પાબલ મુકામે બિરાજમાન માણિભદ્રજીના ચમત્કારો ખૂબ જ ખ્યાતનામ બન્યા છે. જયપુરના ઘાટમાં ગુણી નીચે મુહતાના ભગવાન પદ્મપ્રભુસ્વામીના જિનાલયમાં માણિભદ્રનું સ્થાન છે. પૂના શહેમાં પણ માણિભદ્રજીનાં અનેક સ્થાનો હોવાની માહિતી મળે છે. અજમેર શહેરની લાખન કોટડીમાં તપાગચ્છના ઉપાશ્રયના પાછળના ભાગમાં એક કોટડીમાં માણિભદ્રનું સ્થાન છે તે આજે પણ ચમત્કારિક મનાય છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ 508 મોટા પોશીના (ઈડર પાસે) નેમિનાથ જિનાલયમાં માણિભદ્ર વીરનું પ્રભાવક સ્થાન છે. વિરમગામ પાસે ઉધરોજ પણ એક જ પ્રભાવક સ્થાન ગણાય છે. તપાગચ્છાધિષ્ઠાયક શંખેશ્વર તીર્થ પાસે વીર વનરાજની જન્મભૂમિ વણોદના જિનાલયમાં માણિભદ્રવીરનું સ્થાન છે. આ સ્થાન પણ ચમત્કારિક છે. અહીં અન્ય દેવ–દેવીઓને સ્થાન આપવામાં આવે તો તે ત્યાં રહી શકતાં નથી, તેનો નાશ થઈ જાય છે એમ કહેવાય છે. અમદાવાદ પાસે બારેજામાં શ્રી વિજયરાજસૂરિ પ્રતિષ્ઠિત માણિભદ્ર વીરનું સ્થાન છે. તદ્ઉપરાંત હવે તો લગભગ પ્રત્યેક ગામમાં જિનાલયનું નિર્માણ કે જીર્ણોદ્ધાર થાય એટલે માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવે છે. માણિભદ્રજીનું સ્વરૂપ દર્શન "હું ઇન્દ્રદેવ થયો છું. મારો શ્યામ વર્ણ છે. અજમુખ (સુદિલ) મનોહર પ્રિયદર્શન મનો—માન સહિત હાથ, પગ, નાક, નખ, જીભ અને હોઠ લાલ રંગના છે, અને તેજસ્વી મુગુટ મેં ધર્યો છે. જાતજાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ ઉપર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે અને તેમાં આદીશ્વર ભગવાનનું ચિહ્ન છે જેથી મારી આંખની સ્થિર દષ્ટિ શ્રી આદીશ્વર ભગવાનની ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગલ, અંકુશ અને નાગ ધારણ કર્યાં છે. ઐરાવત હાથી મારું વાહન છે. હું ચોસઠ જોગણી અને બાવન વીરોનો અધિપતિ બન્યો. વીસ હજાર મારા સામાનિક દેવતાઓ છે." (આણંદવિમલસૂરિને પ્રત્યક્ષ થયેલા માણિભદ્રવીરના આધારે વર્ણન.) નિગમમત પ્રભાવક પં. સિદ્ધાંતસાગર ગણિ લખે છે કે, તીર્થંકરોના જન્મોત્સવમાં ૪ ઇન્દ્રો આવે છે તેમાં યક્ષ જાતિના દેવોના બે ઇન્દ્ર માણિભદ્રવીર અને પૂર્ણભદ્રવીર આવે છે. માણિભદ્રવીર એ ચોસઠ ઇન્દ્રોમાંથી વ્યંતર જાતિના એક ઇન્દ્ર છે. તેના આઠ પ્રકાર છે. કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આ દેવો કેટલાંક ક્ષેત્રોનું રક્ષણ કરવા રહે છે એટલે ક્ષેત્રપાલ કહેવાય છે. પ્રાચીન તીર્થ આંતરોલીમાં આવેલ ચમત્કારિક શ્રી માણિભદ્રજીનું સ્થાનક ગુજરાતનાં પ્રાચીન તીર્થોમાંનું ખેડા જિલ્લામાં આવેલું આ એક ચમત્કારિક તીર્થ કપડવંજથી ૮, નડિયાદથી ૪૦, અમદાવાદથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે. અમદાવાદથી ઓઢવ, કઠલાલ કપડવંજ રોડ ઉપર દાસલવાડા સ્ટેન્ડે ઊતરી ત્યાંથી ૨ કિ.મી.ના અંતરે આંતરોલી રિક્ષા, બસ મારફતે જઈ શકાય છે. જૈનોનાં ૪ ઘર છે. આંતરોલી ગામની મધ્યમાં ટેકરીવાળા મહોલ્લામાં ઊંચું શિખરબંધી–મેડાબંધી આરસની Page #525 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 509 બાંધણીવાળું અને ખૂબ મોટું હોઈ જિનાલય ભવ્ય લાગે છે. દેરાસરની બાજુમાં મહાચમત્કારિક શ્રી માણિભદ્રવીર દાદાનું પ્રભાવિક સ્થાનક આવેલું છે તે પણ પુરાણું હોવાનો ઉલ્લેખ છે. તેઓની ચમત્કારિક શક્તિઓનો ઘણાને અનુભવ થયાનું ચર્ચાય છે. તેઓના દર્શને ઈતરકોમની વ્યક્તિઓ પણ આવે છે. આસો સુદિ પના રોજ શ્રી માણિભદ્રવીર દાદાનું હવન-પૂજન થાય છે તે પ્રસંગ પણ ભવ્ય રીતે ઊજવાય છે. આ તીર્થ સાત હજાર ચોરસ ફૂટ એરિયામાં પથરાયેલું છે. રાજકોટમાં માંડવી શેરી જૈન દેરાસર પાસે ઉપાશ્રયમાં પેઢીની સામે ભોંયતળિયે અત્યંત પ્રભાવિક અને ચમત્કારી શ્રી માણિભદ્રવીર બિરાજમાન છે. એ જ રીતે રાજકોટના મણિયારના દેરાસરમાં પણ માણિભદ્રવીર છે અને જાગનાથ પ્લૉટ દેરાસરજીમાં મૂળનાયક મહાવીરસ્વામી ભગવાન છે ત્યાં પણ માણિભદ્રવીરની દેરી છે. ભાવનગરમાં પણ શહેરના મોટા દેરાસરે તથા કૃષ્ણનગર, ક્રેસન્ટ અને શાસ્ત્રીનગરમાં પણ માણિભદ્રવીર બિરાજમાન છે. ત્રણસો વર્ષ પુરાણી પ્રતિમા ઃ મિયાગામ (તા. કરજણ, જિ. વડોદરા)ના ઉપાશ્રયમાં માણિભદ્રજીની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. સદર પ્રતિમા લગભગ ૩૦૦ વર્ષ આસપાસ પુરાણી છે. આ પ્રતિમા યતિઓએ ભરાવી પ્રતિષ્ઠિત કરાવેલી હોય તેવું જાણવા મળે છે. પ્રતિમા લાખ અને બીજાં દ્રવ્યોમાંથી બનાવેલી હોય એ પ્રમાણે જણાય છે. પ્રતિમાજી જે જગ્યાએ પ્રતિષ્ઠિત કરેલાં હતાં તે જગ્યા ઘણી જૂની પુરાણી થઈ ગયેલ હોવાથી તે જગ્યાનો ત્રણ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. લેસ્ટર જૈન મંદિરમાં ચમત્કાર : ઑક્સફર્ડ સ્ટ્રીટ, લેસ્ટરમાં આવેલ જૈન મંદિરમાં શ્રી માણિભદ્રવીર દાદાની પૂજા દરમ્યાન ચમત્કાર' થયો હતો. એક હજાર જેટલા ભક્તોની હાજરીમાં પૂજા થઈ હતી ત્યારે માણિભદ્રવીર દાદાની એક ફૂટ ઊંચી સંગેમરમરની મૂર્તિ અને તેના પરનું શિરછત્ર ડોલવા લાગ્યાં હતાં. લગભગ બે કલાક સુધી આ ચમત્કાર જોવા મળ્યો હતો. એશિયા ડેઈલીના ૨૫મી જાન્યુઆરી ૧૯૯૫ના અંકમાં આ સમાચાર પ્રગટ થયેલ છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર-દેવાસ પાસે શિવપુરમાં શ્રીમાણિભદ્ર દાદાનું એક વિશાલ કેન્દ્રધામ બની રહ્યું છે. સ્વયં પ્રકાશિત આ ચમત્કારિક સ્થાને હજારો યાત્રિકો આવતા-જતા રહ્યા છે પૂજ્ય પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજશ્રીએ આ ક્ષેત્રને સાધનાક્ષેત્ર બનાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત નગરીમાં રાંદેર ગામમાં પણ માણિભદ્રજીનું એક ભારે ચમત્કારિક સ્થાન ગણાય છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પવિત્ર તારંગાજી તીર્થની સાંનિધ્યમાં જૈનોની જાહોજલાલીથી ઝગમગતું વડનગર ઐતિહાસિક અને ધર્મપરાયણ નગર ગણાય છે, જ્યાં પૂર્વે શત્રુંજય મહાગિરિરાજની તળેટી હતી એમ કહેવાય છે. આ વડનગરમાં બાવન જિનાલયવાળા હાથીવાળા દેરાસરમાં ખૂબ જ પ્રાચીન તથા ચમત્કારિક (કાષ્ઠ) લાકડામાંથી કંડારાયેલી Page #526 -------------------------------------------------------------------------- ________________ 510 તપાગચ્છાધિષ્ઠાયક માણિભદ્રદાદાની પ્રતિમા ખૂબ જ પ્રભાવિક જણાય છે. દક્ષિણ મહારાષ્ટ્રના શત્રુંજય તીર્થના હુલામણા નામથી સુપ્રસિદ્ધ કુંભોજગિરિ તીર્થનો મહિમા પણ ન્યારો છે. સવાસો વર્ષ પહેલાંનું જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન જિનાલય – આ તીર્થની તળેટીમાં બિરાજમાન માણિભદ્રજીની પ્રતિષ્ઠા પાંચ વર્ષ પહેલાં જ થઈ; જ્યારે આ કુંભોજગિરિ ડુંગર ઉપરના માણિભદ્રજી ૧૩૦ વર્ષ પ્રાચીન છે, અત્યંત મહિમાવંત છે, જેનો ચમત્કાર અનેક ભાવિકોએ અનુભવ્યો છે. પૂનાથી લગાવીને મદ્રાસ સુધીમાં આ એક માત્ર ૧૩૦ વર્ષ પ્રાચીન તીર્થ છે. મહારાષ્ટ્રનાં અનેક સ્થળો જેવાં કે કોલ્હાપુર, સાંગલી, ઈચલકરંજી, વીટા આદિ સ્થળોએ માણિભદ્રજીની મૂર્તિઓ બિરાજમાન છે. કર્ણાટકમાં બેલગાંવ નગરે મારવાડી સ્થાપિત જૈન શ્વેતાંબર સંઘ સંચાલિત જિનાલયમાં ૧૫૦ વર્ષ પ્રાચીન મહાચમત્કારિક શ્રી માણિભદ્રજીએ અનોખો પ્રભાવ ઊભો કર્યો છે. મહારાષ્ટ્રમાં ૪૪ સ્તંભોથી યુક્ત નવજીર્ણોદ્ધારિત અને નવપ્રતિષ્ઠિત સંભવનાથ ભગવાનનું ત્રણ શિખરોવાળું ગગનચુંબી જિનમંદિર આખાય મહારાષ્ટ્રમાં અલૌકિક ગણાય છે. આ મંદિરમાં બિરાજમાન માણિભદ્રજીની પ્રતિષ્ઠા બે વર્ષ પૂર્વે જ થઈ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં મોટી મારડ ગામના માણિભદ્રજી પણ ખૂબ જ પ્રભાવિક મહારાષ્ટ્રના મીરજમાં સુમતિનાથનું જિનમંદિર દેવવિમાન તુલ્ય-સંપૂર્ણ પાષાણનું બે વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરવામાં આવી. અત્રે બિરાજમાન માણિભદ્રજી ખૂબ જ પ્રભાવિક છે. રાજસ્થાનમાં સાંચોર નગરના મહાવીરસ્વામી દેરાસરમાં પણ માણિભદ્રજી ૪૦૦ વર્ષ પહેલાંના પ્રાચીન છે. મધ્યપ્રદેશમાં રતલામ – મોતીબાપજી જૈન શ્વે. મૂ. મંદિરમાં બિરાજમાન મહાપ્રભાવક શ્રી માણિભદ્રજીનો પ્રભાવ પણ અનેરો જણાવાય છે. રતલામ શહેરના મધ્યભાગમાં ગગનચુંબી શિખરથી અલંકૃત પરમાત્મા શ્રી મલ્લિનાથ ભગવાનનું એક ભવ્ય મંદિર છે. તે મોતીબાપજી જાતિનું હોવાથી તે નામથી ખ્યાત છે. આ મંદિરના નિર્માતા અને તેના માલિક યતિશ્રી મોતીબાપજી હતા. વર્ષો સુધી તેમની માલિકીનું જ રહ્યું. તેઓ આ મંદિરની ખૂબ જ સંભાળ રાખતા હતા – આ મંદિરના બહારના ભાગમાં શ્રી માણિભદ્રદાદાની સ્થાપના થયેલી છે, જે ખૂબ જ ચમત્કારી અને પ્રભાવક ગણાય છે. શ્રી મોતીબાપજીને દાદાના પરમ ઉપાસક હતા. તેમની શ્રેષ્ઠ આરાધનાથી આ સ્થળ પ્રભાવશાળી બન્યું. મોતીબાપજીને તો જાણે સાક્ષાત્કાર થયો – તેમના કાળધર્મ બાદ પણ જનસમુદાય તેમના પ્રતિ એટલો જ શ્રદ્ધાવાન રહ્યો કે દર્શનાર્થીઓનાં દરેક કાર્યો દાદાના પ્રભાવથી પૂર્ણ થતાં રહ્યાં. શ્રદ્ધાભક્તિની આજે પણ એ જ પરંપરા ચાલુ જ છે. વાંછિતપૂરક એવા માણિભદ્રદાદાની આજે પણ ઘણા લોકો શ્રદ્ધાથી પૂજા આદિ કરી રહ્યાં છે. રતલામ શહેરમાં આ Page #527 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 511. મંદિર મુખ્ય ગણાય છે. દાદાના પ્રભાવથી આ મંદિરનો મહિમા વિશેષ રહ્યો છે. તેની જાહોજલાલી પણ ખૂબ જ છે. રતલામ શહેરની શોભા એટલે જ મોતીબાપજીનું મંદિર. પ્રગટ પ્રભાવી બીબડોદ તીર્થમંડન શ્રી માણિભદ્રજી રતલામથી પાંચ કિલોમીટર દૂર વિંધ્યાચલ પર્વતની શ્રેણિઓમાં શોભિત શ્રી આદીશ્વર ભગવાનનું એક અનેરું તીર્થધામ છે. મુનિસુવ્રતસ્વામી અને અન્ય પ્રતિમાઓ શોભિત છે. આ તીર્થમાં બિરાજમાન માણિભદ્રજીની પ્રાચીનતા અને પ્રભાવકતા ખ્યાતનામ છે. અનેક વખત અનેક ચમત્કારો દ્વારા દાદાએ પરચો આપ્યો છે. આ તીર્થના જીર્ણોદ્ધારમાં પૈસા ક્યાંથી આવી રહ્યા છે, તે જ જાણી શકાતું નથી. લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. સાધુ-સાધ્વીઓને સ્વપ્નમાં દર્શન આપી યાત્રા કરવાનો સંકેત આપે છે, તો ક્યારેક વિહારમાં પણ કોઈ અવનવું રૂપ લઈને સાથે ચાલતા હોવાનું પણ કહેવાય છે. દર રવિવારે મહાઆરતીમાં મોટા મહોત્સવ જેવું ભાસે છે. વિશેષ માહિતી માટે શ્રી કેશરિયાનાથ તીર્થ વ્યવસ્થાપક કમિટી – બીબડોદ (જિ. રતલામ) ૪૫૭૦૦૧ સરનામે પત્રવ્યવહાર કરવો. |F F F F F પ્રભાવક સ્થાનો અંગેની વિશેષ માહિતી સંકલનઃ પૂ. મુનિશ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ." કુંભોજગિરિ તીર્થ – આ તીર્થના મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ છે. આ તીર્થનું જિનાલય ૧૩૦ વર્ષ પ્રાચીન છે. ૧૨૫ વર્ષની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે હજારો ભાવિકગણની ઉપસ્થિતિ વચ્ચે થઈ હતી. તળેટીમાં બિરાજમાન શ્રી માણિભદ્રજીની પ્રતિષ્ઠા પાંચ વર્ષ પહેલાં થઈ છે. ગિરિરાજ ઉપર શ્રી માણિભદ્રજી ૧૩૦ વર્ષ પ્રાચીન છે. અત્યંત મહિમાવંત છે, જેનો ચમત્કાર અનેક ભાવિકોએ અનુભવ્યો છે. પૂનાથી છેક મદ્રાસ સુધીમાં આ એક માત્ર ૧૩૦ વર્ષ પ્રાચીન તીર્થ છે, જે દક્ષિણ મહારાષ્ટ્રના શત્રુંજય તીર્થના હુલામણા નામથી સુપ્રસિદ્ધ છે. દર વર્ષે કારતક સુદ ૧૫નો મેળો ભરાય છે. આજુબાજુનાં ગામો કોલ્હાપુર, સાંગલી, ઇચલકરંજી, કરાડ, આદિ અનેક નગરોથી વિશાળ ભાવિક ભાઈ–બહેનો અત્રે પધારે છે. અત્રે ભોજનશાળા ફી ચાલે છે. ધર્મશાળાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. અનુકંપા અર્થે હૉસ્પિટલ આદિની પણ વિશિષ્ટ સુવિધાઓ છે. મીરજ:- અત્રે સુમતિનાથ ભગવાનનું જિનમંદિર છે. દેવવિમાન તુલ્ય સંપૂર્ણ પાષાણના આજિનમંદિરની બે વર્ષ પૂર્વે શાસનપ્રભાવના પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મીરજ આરોગ્ય Page #528 -------------------------------------------------------------------------- ________________ 512 તપાગચ્છાધિષ્ઠાયક ધામ તરીકે જાણીતું છે. અહીંની હવા દર્દીઓ માટે અનુકૂળ હોવાથી અહીંયાં હૉસ્પિટલોની હારમાળા છે. અત્રે જૈનોને રોકાણ કરવા દહેરાસરની પાછળ સુંદર અતિથિગૃહની વ્યવસ્થા અત્રેના શ્રીસંઘ તરફથી કરવામાં આવેલી છે. આ તીર્થક્ષેત્રમાં પણ શ્રી માણિભદ્રજીની પ્રભાવકતા પણ ખૂબ જ જણાય છે. કરાડઃ- ૪૪ સ્તંભોથી યુક્ત નવજીર્ણોદ્ધારિત અને નવપ્રતિષ્ઠિત (નૂતન) શ્રી સંભવનાથ ભગવાનું ત્રણ શિખરોયુક્ત ગગનચુંબી જિનમંદિર સારાયે મહારાષ્ટ્ર રાજ્યમાં અલૌકિક છે. અહીં પણ શ્રી માણિભદ્રજીનું મંદિર આવેલું છે, જેની બે વર્ષ પૂર્વે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. અહીં પણ શ્રી માણિભદ્રજીની પ્રભાવકતા જણાય છે. પૂના-ગોડીજી પાર્શ્વનાથ :- પેશવા સરકાર દ્વારા ર૫૦ વર્ષ પહેલાં જિનાલય માટે વેતાલ પેઠમાં (વર્તમાનમાં ગુરુવાર પેઠ) ભૂમિ પ્રાપ્ત થતાં પૂના નગરમાં પ્રથમવાર જિનાલયનું નિર્માણ થયેલ. આ રીતે પૂના શહેરમાં સર્વપ્રથમ શ્રી ગોડીજી દાદાના જિનાલયનું નિર્માણ થયું. સંવત ૨૦૪૭ દ્વિ. વૈશાખ સુદ ૧૧ના નવીન જીર્ણોદ્ધારિત ભવ્ય જિનાલયમાં તેની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ તીર્થમાં પણ માણિભદ્ર યક્ષરાજની પ્રભાવકતા ખૂબ જ જોવામાં આવે છે. તાસગાંવ :- અહીંયાં ૧૦૦ વર્ષ પ્રાચીન માણિભદ્રવીરજીનું મંદિર આવેલ છે, જેની પ્રભાવકતા આજે પણ જાણીતી છે. શાહપુર (જિ.થાણા) – અત્રે શ્રી માણિભદ્રવીરનું મંદિર આવેલું છે, જેની પ્રભાવકતા ઘણી જ છે. બારામતી (મહારાષ્ટ્ર) – આ તીર્થક્ષેત્રમાં પણ માણિભદ્ર યક્ષરાજની પ્રભાવકતા ખૂબ જ જણાય છે. F F G H વંથલી (સોરઠ) :- આ એક પ્રાચીન તીર્થ છે. અત્રેના દેરાસરમાં મૂળનાયક ભગવાન શ્રી શીતલનાથ છે. એકદમ ચમત્કારિક ૬૪ ઈચના છે. સૂરજકુંડની બાજુમાં કૂવો ખોદતાં નીકળતાં સં. ૧૯૭૧માં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બીજા દેરાસરમાં મૂળનાયક પદ્મપ્રભુજી છે. સાથે ચંદ્રપ્રભુજી પણ છે. બન્ને પ્રતિમાજી અત્રેના કિલ્લાની રાંગ ખોદતાં નીકળ્યાં છે. બન્ને સાથે જીવતા નાગ-નાગણી નીકળેલ કે જે પૂજા કરતી વખતે વિનંતી કરતાં અદશ્ય થઈ જતાં. આ રીતે છ માસ સુધી ચાલેલ. જિનાલય ૧૫૦ વર્ષ પ્રાચીન છે. રાત્રે કયારેક ભાવના તથા નાટારંભ સંભળાય છે. સ્થાપના સંવત ૧૯૧૩માં થયેલ છે. અત્રે બિરાજતા શ્રી માણિભદ્રદેવ ઘણા જ ચમત્કારિક છે. બીજા માણિભદ્ર દેવ અને અત્રેના માણિભદ્ર દેવની મૂર્તિમાં ઘણો જ તફાવત છે. અત્રેના માણિભદ્રદેવ સન્મુખ છે. ઘણા જ ચમત્કારિક છે. અવારનવાર ઘણાને પરચા મળ્યા છે. ઘણાને માનતાઓ ફળી છે. સુખડી ધરાઈ છે. ઘણા મુનિભગવંતોને દેવનો ભાસ પણ થયેલ છે. જૂનાગઢથી ૧૫ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર સગવડ પણ છે. [ માહિતી પ્રાપ્ત ઃ શ્રી વંથળી (સોરઠ) છે. મૂ. તપગચ્છ જૈન સંઘ ] Page #529 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 5] 3 'માણિભદ્રજીનું અપ્રસિદ્ધ-અતિપ્રભાવક સ્થાન પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી માણિભદ્રજી એટલે..... તપાગચ્છના અધિષ્ઠાયક દેવ! પોતાના પ્રભાવક ઐશ્વર્ય તથા.. શાસનસેવા–રક્ષણની નિષ્ઠાના કારણે અનેક જગ્યાએ તેઓને સ્થાન મળ્યું છે ! મુખ્યત્વે તેના. મગરવાડા આગલોડ અને ઉજ્જૈન–આ ત્રણ સ્થાન પ્રસિદ્ર છે. આ ઉપરાંત પ્રાચીન જિનમંદિર તથા ઉપાશ્રયોમાં તેઓનું સ્થાન સ્થાપિત થયેલું દેખાય છે. માણિભદ્ર–માણભદ્ર કે માણેકચંદના નામથી અનેક જગ્યાએ પ્રાચીનકાળથી ર ન મેળવી સાધકો-ઉપાસકો-ભક્તોને સહાયક બને છે. આવું જ એક પ્રાચીન છતાં અપ્રસિદ્ધ માણિભદ્રજીનું સ્થાન ગોરૈયા વીર કે ગોરડિયા વીર તરીકે જંગલ જેવા પ્રદેશમાં છે, જે સ્થાનની મુલાકાત લેખકે સ્વયં લીધી છે. વૃદ્ધ પુરુષોના મુખેથી વાતો સાંભળેલી છે તથા પ્રાચીન ગ્રંથોના આધારો પણ મેળવ્યા છે. લેખકની આ સ્વાભાવિક સંશોધનવૃત્તિ આજે આપણને માણિભદ્રજીનું અતિ પ્રાચીન છતાં અપ્રસિદ્ધ ધામનું શબ્દદર્શન કરાવે છે. ચાલો, આપણે જઈએ.. એ જાગ્રતતીર્થની શબ્દ યાત્રા એ..... – સંપાદક ચાણસ્મા (ઉ.ગુ.)ની નજીકમાં ૯ કિ.મી.) કંબોઈ તીર્થ આવેલું છે. આ ગ્રામમાં પ્રવેશ કર્યા પૂર્વે રેલ્વે પાટા પાસે રોડથી થોડે દૂર ખેતરોમાં એકલી અટુલી એક દેરી–મંદિર, રોડથી પસાર થતા દરેક વ્યક્તિની નજરે ચડે છે. ગામડાના લોકોને પૂછતાં કેટલાંક ' ગોરડિયા વીરનું મંદિર તો કેટલાક ગયા વીરનું મંદિર' તરીકે પરિચય આપે છે. ગોરડિયા બોલો કે ગૌરયા બોલો.. અપભ્રંશ બને એક જ નામ છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિકોની ભીડને ભાંગનાર આ વીર છે. ગમે તેવી મુસીબત, આફત.. અસાધ્ય રોગ હોય તો વીર પાસે આવે. અને માનતા માને ટૂંક સમયમાં બધું જ થાળે પડી જાય. આવી ગ્રામ્ય જનોની માન્યતા અને શ્રદ્ધા છે. દીવો કરે. સુખડી ચઢાવે. શ્રીફળ ચટ વે. હાથ જોડી ભાવપૂર્વક વિનંતી કરે... તોરણ બાંધે.. માનતા માનવાની આ રીત છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ 514 તપાગચ્છાધિષ્ઠાયક જૈન શ્રાવકો પાસેથી માહિતી જાણવા મળી કે આજુબાજુનાં ગામોમાં એવી પરંપરા અને માન્યતા પરાપૂર્વકાલથી ચાલી આવે છે કે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય અર્થાત્ સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તે સમયે આ દેવળને ઓળંગે, અહીંથી પસાર થાય તો બાળકના જન્મ પછી તે બાળક કે બાળકીના લગ્ન પૂર્વે અહીં આવી શ્રીફળ–સુખડી–દીવો ચડાવવો જ પડે. આમાં પ્રમાદ, બેકાળજી કે અજાણતાથી ભૂલ થાય, સુખડી ચઢાવવાની રહી જાય તો તુરત તેનો પરચો મળે છે. પછી તેનો ઉપાય કોઈ ડૉકટર વૈદ્ય કે ભૂવો ન જ કરી શકે. તેનું નિવારણ તો માત્ર એક જ ઉપાય... પરિવાર સાથે વીર પાસે જઈ સુખડી ચડાવી માફી માંગવી પડે. આજે પણ જૈન-જૈનેતર ત્યાંથી પસાર થતાં તે ગોરડિયા વીરને ભૂલતા નથી. સુખડી ચડાવીને જ આગળ વધે છે. ભક્તોની ભીડને ભાંગનાર પ્રગટ પ્રભાવી ગોરડિયા દેવ.. બીજા કોઈ જ નહીં પરંતુ માણિભદ્રજી છે. વૃદ્ધ પુરુષો તેને માણિભદ્રજીના સ્થાન તરીકે જ માને છે. પ્રાચીન ગ્રંથોમાં પણ માણિભદ્રનાં અનેક નામોમાં એક નામ ગોરડિયા વીર તરીકે મળે છે. તપાગચ્છીય સોમશાખાના માણિભદ્રના ઉપાસક શાંતિસોમસૂરિએ સ્વરચિત માણિભદ્ર છંદમાં સાફ સૂથરું જણાવેલ છે કે ઉજ્જૈનમાં બાવન વીરોનું સ્થાન છે. તેમાં ગોરડિયા વીર તે જ માણિભદ્ર છે. આ સૂરિવરે ૧૨૧ દિવસ આયંબિલ કરી માણિભદ્રજીને પ્રત્યક્ષ કરી આગલોડમાં માણિભદ્રની સ્થાપના કરી. તેઓએ માણિભદ્રજી, માણભદ્ર, માણેકચંદ, ગોરડિયા વીર વગેરે નામો જણાવ્યાં " જૈન પરંપરાનો ઈતિહાસ" ત્રિપુટી મ.નો ગ્રંથ છે તે પણ આ ગોરૈયા વીરનું સ્થાન તે માણિભદ્રજીનું છે, તે હકીકતને પુષ્ટિ આપે છે. તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે..." કંબોઈતીર્થમાં રેલ્વે પાટા પાસે જંગલમાં ગોરિયા વીરનું સ્થાન છે તે માણિભદ્રવીરનું ચમત્કારી સ્થાન છે." તે સ્થાન મંદિરમાં ગોરૈયા દેવનો આકાર જોતાં જ મગરવાડાના માણિભદ્રજીની સ્મૃતિ કરાવે છે. (જુઓ ફોટો આ જ ગ્રંથમાં ફોટો નં. ૧૩ આસપાસ) આ બધી હકીકતો ગોરૈયા વીરના અપર નામ ધરાવતા આ સ્થાનને માણિભદ્રજીનું સ્થાન છે, એમ નિર્વિવાદિત સ્પષ્ટ થાય છે. જંગલમાં રહેલા માણિભદ્રજીના આવા પ્રભાવી સ્થાન પ્રત્યે જૈનોનું ધ્યાન કેન્દ્રિત ન થવાના કારણે વર્તમાન કાળમાં આજુબાજુના પ્રાદેશિક ગ્રામ્યજનો તેને સંભાળે છે. તેમાં બીજા ફોટાઓ પણ લાગી ગયા છે; પરંતુ પૂર્વકાળમાં કંબોઈ તીર્થના મનમોહન પાર્શ્વનાથ ભગવંતના જિનાલયનો જીર્ણોદ્ધાર થયો ત્યારે તે જીર્ણોદ્ધાર કરાવનાર અમદાવાદના શેઠ શ્રી લાલભાઈ ઉમેદરાય લઠ્ઠાએ આ સ્થાનનો પણ જીર્ણોદ્ધાર કરાવેલો. જૈન તપાગચ્છીય અધિષ્ઠાયકના મંદિર તરીકે તે જીર્ણોદ્ધાર થયેલો. પૂર્વે પણ જીર્ણોદ્ધારની એક ચમત્કારી ઘટના ત્યાંના વૃદ્ધ પુરુષોના મુખે સાંભળવા મળે છે. ચાણસ્મા-હારીજની રેલ્વે લાઈન ચાલુ થઈ ત્યારની બનેલી આ સત્ય ઘટના છે. મંદિરની નજીકથી જ રેલ્વે લાઈન પસાર થાય છે. ચાણસ્માં કે હારીજથી ઊપડેલી ટ્રેન-રેલગાડી આ Page #531 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મંદિર પાસે આવતાં જ અચાનક બંધ થઈ જાય. કોઈ બ્રેક નહીં.. કોઈ રેડ સિગ્નલ નહીં.. એંજિનની મશીનરીમાં કોઈ ખામી નહીં કે કોઈને સાકળ ખેંચવાની વૃત્તિ-પ્રવૃત્તિ નહીં... છતાં... આમ કેમ ? સતત ત્રણ–ત્રણ દિવસ આમ બન્યું, કલાક-અર્ધો કલાક ગાડી ઊભી રહી.. પછી આપો- આપ ચાલુ થાય. ગાડીનો નિશ્ચિત સમય ખોરવાયો તો ઉતારુઓને ભર જંગલમાં, ગરમીમાં અટવાવાનું થયું. ટ્રેન કેમ અટકી જાય છે ? આ પ્રશ્ન ઉતારુઓ તથા રેલખાતાના ઑફિસરો, ડ્રાઈવરો માટે જિટલ બની ગયો... કોઈ પગેરું ન મળ્યું. છેવટે ત્રીજા દિવસે ડ્રાઈવરનું ધ્યાન ગયું. ગાડીમાંથી નીચે ઊતરી માણિભદ્ર–ગોરૈયાના સ્થાનને નમસ્કાર કર્યો અને તુરંત ગાડીએ ગતિ પકડી. રેલ્વે—ટ્રેન અટકવાનું કારણ મળી ગયું. રેલ્વે ખાતાએ તે સ્થાનને સુધાર્યું. ત્યાર પછી રેલ્વે નિયમિત ચાલુ થઈ: કયારેય અટકી નથી. 515 રેલ્વે જોઈને શરૂ-શરૂમાં અગ્નિદેવનો ચમત્કાર માની ભોળા ગામડિયા એંજિન આગળ શ્રીફળ વધેરતા.. ત્યાં કદાચ અજ્ઞાનતા ગણી શકાય.. પણ એજ્યુકેટેડ અંગ્રેજ ઑફિસરોએ અટકેલી ગાડીને ધપાવવા શ્રીફળ વધેર્યાં તે તો ચમત્કાર જ કહેવાય... આજે પણ એ ચમત્કાર સ્થાન પ્રભાવિક છે. અનેક શ્રદ્ધાળુ–ભાવિકોના દિલમાં તેમનું સ્થાન છે. ચાણસ્મા અને કંબોઈ—બે તીર્થ વચ્ચે કંબોઈ જતાં આવતું આ સ્થાન છે. ત્યાંથી પસાર થાઓ ત્યારે એ ગૌરૈયા વીરના નામે પ્રસિદ્ધ જાગૃત માણિભદ્રના સ્થાનનું દર્શન રખે ચૂકતા. તેને જૈન યક્ષરાજ તીર્થ બનાવીએ. તેમની જાગૃતિનો શાસનસેવામાં ઉપયોગ કરીએ. Page #532 -------------------------------------------------------------------------- ________________ 516 તપાગચ્છાધિષ્ઠાયક 'માણેકશાહ અને માણિભદ્રના પરમ ઉપકારી જગદરશાસનશિરોમણિ. જંગમયુગપ્રધાન,શાસનસમ્રાટ, મહાનક્રિયોદ્ધારક, તપાગચ્છાધિપતિ, સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરિજી મહારાજ (વિ.સં. ૧૯૯૫માં પ્રગટ થયેલ પુસ્તિકાના આધારે ) અનુયોગાચાર્ય પંન્યાસપ્રવર શ્રી રંગવિમળજી મ.ના શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી કનકવિમળજી મહારાજ આ ગ્રંથરત્ન પૂજ્ય પ્રભાવક શ્રી માણિભદ્રજી દાદાના સર્વાગ પરિચય માટેનો હોઈ તેમાં શ્રી માણેકશાહ અને વર્તમાન યુગના શ્રી માણિભદ્ર દાદાજીના પરમ ઉપકારી જગદ્ગુરુ શાસન–પ્રભાવક આચાર્ય, ચકચૂડામણિ જંગમયુગપ્રધાન, શાસનસમ્રાટ મહાન ક્રિયોદ્ધારક વિદ્યાવાચસ્પતિ તપાગચ્છાધિપતિ સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજાના પ્રેરક પ્રકાશપુંજરૂ૫ ચરિત્રામૃતનું આ લેખમાં સવિસ્તર નિરૂપણ છે. પૂજ્યપાદ ભગવંતશ્રીના પૂર્વચરિત્ર અને શાસન-પ્રભાવક ઉપાધ્યાયપદ અને આચાર્ય ભગવંતના પદેથી પૂજ્યશ્રીએ જે અગણિત ઉપકારો કર્યા તેનું મધુર આકર્ષક અને પ્રભાવશાળી શૈલીમાં અહીં વર્ણન છે. આવા આવા શ્રેષ્ઠતમ આચાર્ય ભગવંતોના તપ-પ્રભાવથી જૈન શાસન પુણ્યવતું અને જોમવંતુ છે. આ લેખ વારંવાર વાચન-મનન કરવા યોગ્ય છે. -સંપાદક એ સમય રાજ્યક્ષેત્ર, વ્યવહારક્ષેત્ર અને ધર્મક્ષેત્રના વિવિધરંગી પડછાયાથી ચિત્રિત હતો. પરમાર, ચાવડા, સૂર્ય અને ચંદ્રના વંશના ગણાતા રાજાઓ વિવિધ ક્ષુદ્ર કલહોથી પરસ્પરનું હિત જોખમમાં નાંખી રહ્યા હતા. આંતરકલહોને લઈ પરરાજ્યને નોતરી બંનેના મોતનો ઘંટ પોતાના હાથે વગાડી રહ્યા હતા. યવનોનો પ્રચાર વિકૃત રીતે ફેલાતો હતો. હિંદુની આર્ય સંસ્કૃતિનું મુસ્લિમ સાથે મિશ્રણ થતું હતું. ક્ષત્રિયોની ક્ષત્રિયવટની, બ્રાહ્મણોના ધર્મમાનીપણાની અને વૈશ્યોની સંપત્તિની દેશ કાજે અને ધર્મ કાજે થતી કસોટીનો તે કાળ હતો. કારણ, એક બાજુ લાલચો, વાસના અને મોટાઈને રાજ્યાશ્રય હતો જ્યારે બીજી બાજુ ધર્મ, નીતિ અને કુલવટ કાજે દુઃખ, જંગલોમાં રખડવું, ધનમાલ વિનાના બનવું વગેરે હતું. પૃથ્વીરાજ ચૌહાણ અને રાયચંદ રાઠોડના Page #533 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 517 વૈમનસ્યથી પ્રવેશ પામેલા મોગલશાહીના પ્રતાપે કેટલાંક રાજ્યો મોગલોની હકુમત નીચે પોતાની ફાટફૂટથી પ્રવેશી ચૂક્યાં હતાં. કેટલાક કાયર રજપૂતો પોતાની રજપુતાઈ વટલાવી ચૂક્યા હતા, જ્યારે બાકી રહેલાઓને મોડાવહેલા પણ તેમના આક્રમણનો ભય સતાવી રહ્યો હતો. છતાં રાણા પ્રતાપ અને ભામાશાહથી પ્રસિદ્ધ થનાર ઉદેપુર પ્રદેશ અને ઈડર પ્રદેશ અણનમ હતો. તેની ક્ષત્રિયવટ તેવી ને તેવી હતી. અને કહેવાતું કે ઈડરિયો ગઢ જીતવો સહેલું નહોતું. નાના ગામથી તે મોટા શહેર સુધીની તમામ પ્રજામાં જૈન મહાજન તે અગ્રગણ્ય ગણાતો. ગામનો શેઠ તો જૈન મહાજન, ગ્રામપંચાયતનો ન્યાયાધીશ તો પણ જૈન મહાજન, દુઃખિયાનો તારણહાર તો જૈન મહાજન. મહાજન રૂઠે તો રાજા પણ કંપે, તેને મનાવવા વિનંતિ કરે અને તેની આણ તે સૌને શિરસાવંધ મનાતી. આ રીતની જૈન મહાજનની હાક મોગલશાહીમાં ધીમે ધીમે ઓસરવા લાગી હતી. છતાં તેનું ઓજસુ ઓછું થયું ન હતું. સૌને પોતાના ધન, માલ, મિલકત અને ધર્મનાં મંદિરોની વ્યવસ્થા જોખમમાં દેખાતી હતી. એક તરફ લંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમા–નિષેધનો ભારે પ્રચાર થઈ રહ્યો હતો. પ્રતિમા પ્રત્યે તિરસ્કાર અને અશ્રદ્ધાનું વાતાવરણ જામવા લાગ્યું હતું અને સમાજનું સંગઠન શિથિલ થઈ રહ્યું હતું. એક તરફ કડવા મતના અનુયાયીઓ વધવા લાગ્યા હતા ને તે મતની માન્યતા કે ' સાચા સાધુઓનો અભાવ છે, શાસ્ત્રોક્ત દીક્ષા પળાય તેમ નથી, માટે સાધુ વર્ગની જરૂર નથી; પણ શ્રાવકવેષે સંચરી ભાવસાધુપણે વર્તવું ઇષ્ટ છે. અને આવી બીજી અનેક રીતે સાધુસંસ્થાના વિનાશનાં બીજ વવાઈ રહ્યાં હતાં. વળી એક તરફ પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયનો શ્રી વલ્લભાચાર્યે ગુજરાતનાં મોટાં શહેરો તથા કાઠિયાવાડ અને સિંધમાં ફરી વ્યાપક પ્રચાર કર્યો હતો. આમ, પરિસ્થિતિ વિષમ હતી. - જિનેશ્વર ભગવંતની પ્રતિમાનિષેધ, સાધુપૂજન-નિષેધ, અને સાથેસાથે જૈન સમાજની ધર્મશિથિલતા અને સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સુમેળ ધીમે ધીમે ઘસાતો હતો. ગુરુઆજ્ઞાનું પાલન શાસ્ત્રીય રીતે થતું નહોતું. તપાદિનો ધીમે ધીમે હાર થઈ રહ્યો હતો. એકલવિહાર ખૂબ વધી ગયો હતો. પર્વતિથિમાં પણ તપશ્ચર્યાનું ઠેકાણું નહોતું. યોગોદ્વહન, સ્વાધ્યાય અને અભ્યાસ તથા ક્રિયા તરફ અરુચિ વધતી જતી હતી. અને જૈન જગત એક મહાન તપસ્વી, પ્રભાવક, ક્રિયોદ્ધારક, વિદ્વાન, પ્રતિભાસંપન્ન અને ચારિત્રચૂડામણિ સિતારાની રાહ જોઈ રહ્યું હતું. જૈન સમાજમાં જાગૃતિ, ધર્મનો ઉદ્યોત, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનું જ્ઞાન ઓછું થતું જતું હતું. સાધુ સમાજમાં પણ આ ઘસારો વધી રહ્યો હતો. સમાજનું ભાવિ અંધકારરૂપી કાળાં વાદળાંથી ઘેરાયેલું હતું. પૂર્ણિમાની ચાંદની નિરભ્ર આકાશમાંથી શીતળ કિરણો વરસાવી રહી હતી. તારાઓનાં વૃંદો ચમકારા મારતાં પ્રકાશી રહ્યાં હતાં. નગરના મહેલો અને પ્રાસાદો, મંદિરો અને હવેલીઓ, રાજમાર્ગો અને કિલ્લાનાં ભવ્ય મંદિરો ચંદ્રમાના ચારુ પ્રકાશમાં સુવર્ણનગરી સમાં દેદીપ્યમાન થઈ રહ્યાં હતાં. આવા ઇડર નગરમાં એક ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક શ્રેષ્ઠીના શયનખંડમાં એક Page #534 -------------------------------------------------------------------------- ________________ 518 તપાગચ્છાધિષ્ઠાયક પતિવ્રતા સુશીલા ગૃહિણી પથારીમાં પડ્યાં પડ્યાં નિઃશ્વાસ નાંખી રહી હતી. સુશીલા ઘડી પરમાત્માને યાદ કરતી તો ઘડી નિરાશાના નિઃશ્વાસ નાખતી હતી. શીતળ ચાંદની તે રમાને તો કાલરાત્રિ જેવી લાગતી હતી. "દેવી! આજે કેમ ઉદાસીન જણાય છે? શરીર બરાબર નથી?" પતિદેવે દેવીને ઉદાસીન જોઈને પૂછ્યું. " તમે જાણો છો ને, આપણે બધુંય છે,–લક્ષ્મી છે, વ્યાપાર છે, ઇજ્જત-આબરૂ છે. ખાવાને ભાતભાતનાં અન્ન અને પહેરવાને મનમાન્યાં વસ્ત્ર પણ છે. છતાં પરમાત્મા એક ફૂલ, કુળભૂષણ એક રત્ન, કંકુપગલી પાડનાર ને આનંદવૃદ્ધિ કરનાર બાલ નથી આપતો. હા! શાં શાં કર્મબંધન કર્યો હશે! " એમ બોલતાં બોલતાં તો દેવીને મૂર્છા આવી ગઈ. થોડીવારે જરા શાંતિ વળી એટલે મેઘાજી શેઠે માણેકદેવીને કહ્યું, "દેવી! આમ ચિંતા કરવાથી શું વળે? દેવ-ગુરુ-ધર્મનું શુદ્ધ રીતે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આરાધન કરીએ જેથી આપણું પુણ્ય ફળશે. ધીરજ ધર, ચિંતા ન કર, ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થા. સૌ સારું થશે." માણેકદેવી આજે ઉલ્લાસમાં છે. હર્ષમાતો નથી. પ્રાતઃકાળમાં ઊઠી જલદી જલદી પ્રાતઃક્રિયા પૂરી કરી, સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણ પહેરી પાસેના ગૃહમંદિરમાં પૂજન કરવા જાય છે. આજે તે પ્રફુલ્લ અને આનંદિત જણાય છે. પૂજાનો થાળ, પુષ્પહારો, ધૂપ-દીપ, નૈવેદ્ય વગેરે લઈને વિધિપૂર્વક પ્રભુપૂજન કર્યું. આજના દિવસને ધન્ય ધન્ય માનવા લાગી. ઘેર આવી પતિદેવને પ્રણામ કરી બોલી, " હે નાથ! મારું મન હર્ષથી ઊભરાઈ જાય છે, મારું હૃદય આનંદથી પ્રફુલ્લિત બન્યું છે. આજે રાત્રે મને એક મનોહર સ્વપ્ન આવ્યું ને તેમાં હું એક પુત્રરત્નની માતા બની અને તે પુત્રરત્ન મને સ્વર્ગનો માર્ગ દર્શાવ્યો. હે સ્વામિનાથ ! અવશ્ય મારું સ્વપ્ન ફળશે. હું પુત્રના મુખને જોઈ સૌભાગ્યવતી થઈશ. એ પુત્રરત્નથી આપણા કુંટુંબની કીર્તિ અમર થશે. મારા હૃદયમાં પરમાત્માની પૂજા, તીર્થોની યાત્રા, સાધુ-મુનિરાજોની ભક્તિ અને તપશ્ચર્યા કરવાના ભાવો ઉત્પન્ન થાય છે. આ પુત્ર કોઈ દેવી રત્ન હશે તેમ મને લાગે છે. " પુન્યની ભાગ્યદશા પલટાય છે ત્યારે બધા ગ્રહો અનુકૂલ થઈ જાય છે, શુભ અને મંગલમય પ્રસંગો જ આવે છે. ધર્મપરાયણ, પતિધર્મ ઉપાસક, સદ્ગણી, સુશીલા માણેકદેવીએ વિક્રમ સંવત ૧૫૪૭ના વર્ષે શુભ ગ્રહો, શુભ નક્ષત્રો ને શુભ યોગોથી સૂચવતા એવા એ પુત્રરત્નને પૂર્ણ માસે જન્મ આપ્યો. માનવી કોઈ પણ શુભ ક્રિયા કરતાં સારો દિવસ અને સારું મુહૂર્ત જુએ છે, પણ જન્મ એ માનવીના હાથની વસ્તુ નથી. છતાં ભવિતવ્યતાએ સારા દિવસે જન્મેલો બાળક સારો નીવડે છે તે જગપ્રસિદ્ધ છે. જન્મ થયો એટલામાં અભુત ચમત્કાર થયો. માતાના પલંગ પાસે શુદ્ધ મૌક્તિનો સાથિયો જોવામાં આવ્યો. કુટુંબીજનો તે જોઈ ચકિત થયાં, માતા-પિતા–કુટુંબીજનો બધાં આ ચમત્કારથી હર્ષિત થયાં અને પુત્રરત્નના ભાવિ વિષેનો આ ચમત્કાર નગરજનોના આનંદનો વિષય થઈ પડ્યો. બાળક પુત્રનું ભવ્ય લલાટ, ચકોર આંખો, પ્રતિભાશાળી ચહેરો, ગૌર વર્ણ અને લાંબા Page #535 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 519 હાથ, સુકોમળ શરીર, નમણું નાક, પહોળી છાતી અને કુમકુમથી જાણે રંગેલાં ન હોય તેવાં નાજુક પગલાં વગેરે જોઈ જોઈને માતા-પિતા અને કુટુંબીજનો તો ઉલ્લાસિત થવા લાગ્યાં, પોતાની જાતને, પોતાના ઘરને, પોતાના કુટુંબને અને પોતાના ગોત્રને ભાગ્યશાળી માનવા લાગ્યાં, પારણામાં સૂતેલા હસતા-રમતા-કલ્લોલ કરતા બાળકને જોઈ સૌ આંખો અને આંતરડી ઠારતાં હતાં. શુભ મુહૂર્ત સમારોહ પૂર્વક કુંવરનું શુભ નામ વાઘજી કુંવર પાડ્યું. મેઘાજી શેઠ તથા માતા માણેકદેવી ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામતા બાળકનું લાલનપાલન ઉત્તમ રીતે કરતાં હતાં. આજે માતા માણેકદેવી પુત્રને ઉસંગમાં લઈ રમાડે છે. બાળક વાઘજી કુંવરના તેજ અને પ્રભાવથી હાસ્ય અને આનંદથી માતા પુલકિત થઈ લાડ લડાવે છે. પુત્ર તો માતાના ખોળામાંથી વારંવાર ઊતરીને નાસી જવા પ્રયત્ન કરે છે. વારંવાર માતા ઉત્સંગમાં લે છે અને વારંવાર કુંવર નીચે ઊતરી જાણે ચાલ્યો જતો હોય તેમ ઘરના બીજા ભાગમાં સંતાઈ જાય છે. ભોળી અને ભલી માતા આવા નાના બનાવથી શંકિત થાય છે. માતાનો કેવો અજબ પ્રેમ! માતા તો પુત્ર માટે મોટી મોટી આશાની ઇમારતો બાંધે છે. પુત્ર મોટો થશે, શાળાએ ભણશે, કોઈ કુળવાન સુશીલ અને મનોરમ કન્યા સાથે તેનો વિવાહ કરીશ. બંનેને સુખી જોઈશ. વૃદ્ધાવસ્થામાં મારો લાડીલો પુત્ર અને પ્રેમાળ પુત્રવધૂ મારી સેવા કરશે. મારો વાઘજી મોટો વેપારી થશે, દેશ-પરદેશ ખેડશે અને ધર્મકાર્યથી મહાન કીર્તિશાળી થશે. મારી કૂખને ઉજ્વળ કરશે અને મારી જિંદગી પરમાત્માના ચરણમાં ગાળી અમે સુખી સુખી થઈ રહીશું. પણ અમારો આ પ્રિય કુમાર વારંવાર ખોળામાંથી કેમ નાસી જાય છે તે સમજાતું નથી. મારી સાથે વાતો કેમ કરતો નથી? અરે આ અમારા લાલને કોઈ મારી પાસેથી છોડાવી તો નહિ જાય ને! ના, પણ હું કેમ જવા દઈશ, મારો કુમાર મારો જ છે. માતા કયાં જાણે છે કે એ ખોળામાંથી નાસી જતો અને બીજા ઘરમાં સંતાઈ જતો બાળક ખરેખર નાસી જવાનો છે, જગતના બીજા જ ઘરમાં તે નાસી જઈ સ્થિર રહેવાનો છે, જગતના બીજા ઘરમાં તેનો વાસ છે, અને ધર્મનો ઝંડો ફરકાવનારો મહાકલ્યાણકારી મહાત્મા થવાનો છે, તેને તો દીક્ષાકુમારીને પરણવું છે, અને મોક્ષના વ્યાપાર કરવા છે. દેશોદેશના અનુભવને જીવનમાં રેડતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભવ્યાત્માઓને પ્રતિબોધ કરતા તપાગચ્છાધિપતિ સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજ ઈડર નગરમાં પધાર્યા. રાજાગમન કરતાં પણ ગુરુ-આગમનને વધુ મહત્ત્વ આપતી સકળ જનતા હર્ષઘેલી બની. સકળ જનતા ગુરુ-આગમનને જીવનશોધક, પ્રગતિકારક અને રક્ષક માનતી. કારણ, ગુરુ-આગમનથી તેમને અપૂર્વ જ્ઞાન, અપૂર્વ જીવનમાં ઉત્સાહ અને પોતાની જીવન–પ્રણાલિકામાં યોગ્ય ફેરફાર થતો. ગુરુનો ઉપદેશ સાંભળી તેને જીવનમાં ઉતારતી જનતા ઘર તરફવિદાય લેવા લાગી; પરંતુ મેઘાજી શેઠ પોતાના હૃદયમાં રહેલ શંકાને પૂછવાનો અવસર આજે ઘણે અવસરે પ્રાપ્ત થયેલો હોઈ સૌના ગયા પછી ગુરુ પાસે વિનયથી બેસી વિજ્ઞપ્તિ કરી. સંસારના માનવીઓના સંસારસંબંધથી ન્યારા રહી સંસારમાં ખૂંચેલ અમારા જેવાનો ઉદ્ધાર Page #536 -------------------------------------------------------------------------- ________________ 520 તપાગચ્છાધિષ્ઠાયક કરનાર ગુરુદેવ ! મારે એક આપને પૂછવાનું છે. દિવ્ય જ્ઞાની ગુરુ સિવાય બીજો કોણ ઉત્તર આપી શકે તેમ છે? તો આપ તેનો ઉત્તર આપવા કૃપા કરશો ? ગુરુદેવ! મારા પુત્રના જન્મ પ્રસંગે મોતીનો સાથિયો જણાયો તેનું શું રહસ્ય હશે! ગુરુએ ઉત્તર આપ્યો, તમારો પ્રશ્ન સંસારવૃદ્ધિના કારણ કે સંસારોત્તેજક નહિ હોવાથી મને જવાબ આપવામાં જરાયે પ્રતિકૂલ નથી."રતિક" એ પોતે કલ્યાણસૂચક છે, તેમાં પણ મોતીનો સાથિયો એટલે શું પૂછવું! આ પુત્ર સો કોઈને સ્વસ્તિ કરનાર થશે, ઉજ્જવળ મોતીનો સ્વસ્તિક હોવાથી તે પિતૃકુળ ઉજવાળશે, જ્ઞાતિ ઉજવાળશે; પોતાની જાતને અને ધર્મને પણ ઉજવાળશે. સ્વસ્તિક ચાર પાંખોનો હોવાથી તે ચતુર્ગતિક સંસારથી જરા પણ મૂંઝાશે નહિ. મોતી તે જગતને આનંદદાયક છે માટે તે પુત્ર જગતને આનંદદાયક બનશે. મોતી તે ઉત્તમ ધન સમાન મનાય છે. માટે આ પત્ર જગતના સુયોગ્ય માણસોમાં કિંમતી લેખાશે, અર્થાત આ તમારો પત્ર કોઈ સામાન જીવ નથી પણ કોઈ દેવાંશી ધર્માત્માનો જીવ છે, અને તે જૈન શાસનનો એક ચમકતો સિતારો છે ને જગતમાં ઉદ્યોત કરનારો મહાત્મા છે. જો એમ ન હોય તો કોઈ દિવસ આવી રીતે તારા ઘરમાં મોતીનો સ્વસ્તિક થાય નહિ, તેમ જ તે પુત્રને કોઈ દેવમિત્ર તેની સાંનિધ્યતાવાળો છે એટલે તે દેવ તેની રક્ષા પ્રગતિ અને તેના હિતની હરહંમેશ ચિંતા કરશે. તમે તમારા પુણ્યોદયે આ ઉત્તમ પુત્રરત્નને પ્રાપ્ત કરી શક્યા છો, માટે ધન્ય છે તેની સુશીલ માતાને ને ધન્ય છે તમોને. આ મહાપુરુષનું જતન કરજો, ધર્મ-પ્રેમથી તેના સંસ્કારમાં વૃદ્ધિ કરજો, જૈન સમાજના ઉદ્યોત માટે ઉચ્ચ જીવાત્માની રૂડી રીતે રક્ષા કરજો. ગુરુદેવના આ વચનથી કુટુંબીજનોને આનંદ થયો. આવા પુત્રરત્નથી માતા-પિતા ધન્ય માનવા લાગ્યાં, કુટુંબીજનોને પણ અત્યંત આનંદ થયો. બાળક વાઘજીકુંવરની પ્રત્યેક હિલચાલ અનોખી જણાવા લાગી, દેવદર્શન પ્રત્યે પ્રેમ, ગુરુવંદન પ્રત્યે મમતા ને જે મળે તેનાથી સંતોષ, રડવાનું નામ નહિ, હંમેશાં હસતો જ માલૂમ પડે, પડોશનાં બાળકો સાથે પણ ઉચ્ચ આસને બેસી ઉપદેશ આપતા હોય તેમ નિર્દોષ રમતો રમે. કેટલાક વખત બાદ ગુરુદેવ વિહાર કરવાના હતા, ત્યારે લોકો ગુરુદેવને વળાવવા ગયા. આપણા મેઘાજી શેઠ પણ વાઘજીકુંવરને સાથે લઈને ગયા. ગુરુમહારાજે અંતિમ દેશના આપી. મેઘાજી શેઠે ગુરુદેવને વંદન કર્યું, અને સાથે બાળકુંવરે પણ ગુરુદેવ પાસે હર્ષથી દોડી જઈ ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું. ગુરુ તો ચકિત થઈ ગયા. પિતાને ભારે આશ્ચર્ય થયું, લોકો વિસ્મિત થઈ ગયા. ગુરુદેવે માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા, 'હે વત્સ! તું જૈનશાસનનો ઉદ્યોત કરજે.' સમયના વહેણ સાથે દિવસો અને રાત્રિઓ પસાર થવા લાગી. પ્રભાતનો સમય થયો. ધીરે ધીરે સૂર્યદેવ પૃથ્વી પર પ્રગટ થયા, ભૂમિ માનવીઓના કોલાહલથી ગુંજવા લાગી, સૂર્યદેવ માનવલોકમાં રક્તવર્ણનાં સોનેરી કિરણો ફેંકી રહ્યા હતા. આકાશમાં સપ્તરંગી ધનુષ્યરેખાઓ તણાઈ રહી હતી. વનવગડામાં રખડી જીવન ગાળનાર, ધેનુને ચરાવવાવાળા સાદા ભલા ગોવાળીઆ સત્યનિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કરતા ગાયોના સમૂહને લઈ વનમાં જતા - - કે " """'" " Page #537 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 52 ] હતા, આજે ઈડરનગરના દરવાજેથી માનવીઓનાં ટોળેટોળાં પસાર થઈ રહ્યાં હતાં, આખું નગર ધ્વજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. આવા ભિન્ન ભિન્ન પ્રકારના ગગનભેદી વાતાવરણથી કોલાહલ થઈ રહ્યો હતો ને સૌ નાગરિકો પરમ તારક ગુરુદેવના દર્શને હર્ષભેર જઈ રહ્યા હતા. ગુરુદેવ બીજા કોઈ નહિ પણ આપણા ચરિત્રનાયક વાઘજી કુંવરના ગુરુદેવ હતા. રાજશાહી ભવ્ય સ્વાગત સાથે ગચ્છાધિપતિ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજે નગરપ્રવેશ કરી ઉપાશ્રય પધારતાં દેશનાનો પ્રારંભ કરતાં કહ્યું કે, ' માનવી માત્રની પ્રવૃત્તિ સુખની ઇચ્છા ને દુઃખના ત્યાગ રૂપે હોય છે. પણ સુખ અને દુઃખ તેની વ્યાખ્યા હંમેશાં જુદા જુદા માણસો પોતાને આશ્રયી ગણે છે. નિર્ધનને ધન, અપુત્રીયાને પુત્ર, રોગીને નીરોગી અવસ્થા, નિબુદ્ધિને બુદ્ધિ, પરાધીનને સ્વતંત્રતા – આ સૌ સુખ તરીકે મનાય છે. પણ એક માણસ જેને સુખ માને છે, તેને બીજો દુઃખ માને છે, જેને એક દુઃખરૂપ માને તેને બીજો સુખરૂપ માને છે, અપુત્રીયાને પુત્ર એ મહા સુખ મનાય છે; પણ તે જ પુત્ર બહુપુત્રીયાને જેને કમાવાની તાકાત નથી તેને કષ્ટ સ્વરૂપ હોય છે. આથી સુખ અને દુઃખનાં કેન્દ્ર સૌ સૌને આશ્રયી જુદાં હોય છે, પણ સુખનું ટૂંક સ્વરૂપ સ્વાધીન તે સુખ અને પરાધીન તે દુઃખ છે. આ સ્વાધીનતામાં પણ સૌથી પ્રગતિશીલ અવસ્થા તે જ ખરું સુખ. જમા મૂકેલ માણસ ગમે ત્યારે પૈસા લેવા જાય તો તેને તે મળી શકે છે, અને તે પૈસાથી અનાજ વગેરે ખરીદી રસોઈ કરી પોતાની ક્ષુધા વગેરે શાંત કરી શકે છે. આ રીતે તે સ્વતંત્ર હોવા છતાં રસોઈ વગેરેની પરાધીનતા, રાત્રે જરૂર પડે તો પરાધીનતા, શરાફ ભાગે તો પરાધીનતા. આ રીતે જેને માણસ સ્વાધીનતા માનતો હોય તે પણ પરાધીન છે. માણસ માતા, પિતા. સ્ત્રી-પુત્ર વગેરે કુટુંબીજનોને તે પોતાના માને છે; પણ દુઃખ આવે કે માંદગી આવે તો તેને તે પણ પર સ્વરૂપ બને છે. વધુ શું, જે શરીરને સાફસૂફ કરી તૈયાર રાખવામાં આવે તે શરીર પણ આત્માની અપેક્ષાએ પરસ્વરૂપ બને છે. આથી સુખ સ્વાત્મરમાણમાં હોય છે, અને આ સુખ માણસ ત્યારે જ મેળવી શકે છે કે જ્યારે પરસ્વરૂપ ધન, કુટુંબ, સ્નેહી, માબાપ અને શરીર સર્વના ત્યાગપ્રધાન જીવન જીવવાની તમન્ના હોય અને આ રીતે સુખદુઃખની વ્યાખ્યા સમજવામાં આવે તો માણસોની દુનિયાના સુખની પ્રવૃત્તિ પાછળ થતી ઘેલછા આપોઆપ અટકી જાય. આ ઘેલછાનો ત્યાગ થતાં માણસ પરિપક્વ વિચાર કરી આત્મરમણતામાં તૈયાર થાય. તેને માટે આદર્શ પુરુષનો આશ્રય લઈ જીવન સમર્પે તે દીક્ષા, અને જેને પામ્યા પછી આત્મરમણ સિવાય પછી કોઈ ઘટના પ્રત્યે તેનું સહજ પણ લક્ષ ન હોય, અને તે પ્રાસંગિક પણ જે જે પ્રવૃત્તિ કરે તે પણ પરંપરાએ આત્મરમણતાની અભિમુખ હોવી જોઈએ. આ પ્રમાણે ગુરુવચન સાંભળી વાઘજીકુંવરને સંસાર અસાર લાગ્યો. જેને દુનિયા સુખ માને છે તે ખરેખર પરિણામે ભયંકર દુઃખ સ્વરૂપ છે તે સમજાવા લાગ્યું અને સંસારના સુખની પ્રવૃત્તિ તૃષા સમાવવા માટે મૃગયાજળ પ્રત્યે દોડધામ સમાન લાગી, અને પોતાની જીવનનૌકા ખરાબ ચઢયા પછી વાળવી તેના કરતાં પ્રથમ જ શુભ માર્ગે વળે તો કેવું સારું, તે વિચારી પરમોપકારી માતપિતાને પરમ પાવન દીક્ષાને અંગીકાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. હંમેશાં પુત્રવત્સલ Page #538 -------------------------------------------------------------------------- ________________ 522 તપાગચ્છાધિષ્ઠાયક માતાપિતાનું હૃદય બાળકના પ્રત્યે ખૂબ જ મમતાવાળું હોય તે તો નિઃશંક છે, તેમને પુત્રની દીક્ષા લેવાની ભાવના તો ગમી પણ તેની પાછળ રહેલ ભયંકર યાતના અને ઉપસર્ગોનાં શિખરોની પ્રચંડતાનો વિચાર કરતાં. કમકમી ઊપજી. હેજે દુઃખી થઈ પુત્રને કહ્યું : 'પુત્ર! જે વસ્તુને તું માને છે તે વસ્તુ સર્વોત્તમ છે તે નિઃશંક છે; પણ મહાવિકટ છે. આદરવું સહેલ છે પણ ચારિત્ર પાળવું ઘણું કઠણ છે. તારો વિચાર ઉત્તમ છે છતાં તારી કોમળતા, અજ્ઞાનતા, અમને તારા આટલા પરાક્રમ માટે ખાતરી નથી પૂરી શકતું. છતાં બંને દંપતી પ્રિય પુત્રના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યાં ને કહેવા લાગ્યાં કે મારા વ્હાલા પુત્ર! આ શું? તું મારા વાત્સલ્યપણાને ઘડીભરમાં છોડીને ચાલતો થઈશ? શું તું આટલા માટે જ સર્જાયેલો હતો? હે દૈવ! એના કરતાં મને પુત્ર ન આપ્યો હોત તો સારું. શું મારી આશાની ઇમારતો ધૂળ ભેગી થઈ જશે? આ રીતે આજે બન્ને દંપતીઓના મુખમંડળ પર ચિંતારૂપી રાહુ ઘેરાયેલો હતો. તેઓના અંતરમાં અવનવા વિચારો ઉભવતા અને પલભરમાં પાણીના પરપોટાની જેમ સમાઈ જતા હતા. શોકાતુર થયેલા માતાપિતાને ફરીથી નમસ્કાર કરીને વાઘજીકુંવર બોલ્યા કે હે માતુશ્રી તથા પિતાશ્રી ! આપ વિનાવિલંબે સહર્ષ આજ્ઞા આપો; કારણ કે મારો એક દિવસ તે એક વર્ષ જેવો જાય છે અને જ્ઞાની મહારાજોનું પણ એ જ કથન છે કે કાલ કરવું હોય તે હમણાં જ કરવું. ક્ષણભંગુર જીવનનો શો ભરોસો? માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપો. આવા શબ્દ જે પાંચ વર્ષના બાળપુત્રના મુખમાંથી નીકળે તે શું સૂચવે છે? પૂર્વભવમાં તેણે જ્ઞાન અને ચારિત્રધર્મની અનહદ ઉપાસના કરી હશે ને તે ઉપાસનામાં કાંઈ ન્યૂનતા રહી હશે તે આ ભવમાં પૂરી કરવા માટે જાણે આ જન્મ ધારણ કર્યો હોય તેમ પુત્રના આવા શબ્દોમાં ભારે ગંભીરતા હતી. હૃદયભેદક વચનોથી માતાપિતાનાં હૃદય ભરાઈ ગયાં અને નયનોમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યાં. આજે એમનો આનંદ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો. વાત્સલ્યઘેલાં માતાપિતા પુત્રને એકદમ આજ્ઞા ન જ આપી શકે – છતાં પણ તેઓના અંતરમાં ચારિત્ર પ્રત્યેની સદ્ભાવના હતી કે તેઓ એની ઉપાદેયતા પણ સારી રીતે સમજતાં હતાં. આથી હર્ષના ઉમળકાથી પુત્રને ખોળામાં બેસાડીને કહ્યું કે–' હે પ્રિય પુત્ર ! સુખેથી ત્યાગના પુનિત પંથે સંચર અને સ્વ–પરનું કલ્યાણ કરી જગતનો મહાન્ વિજેતા થા. અમારા અંતરના આશિષ છે. પણ મોહ અમને તારી પ્રત્યે ખૂબ ખેંચે છે. આખરે આ રીતે પૂજ્ય માતાપિતાએ ભવ્ય મહોત્સવ પૂર્વક વાઘજીકુંવરને આચાર્યદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજની પાસે વિક્રમ સંવત્ ૧૫પરમાં દીક્ષા અપાવીને સૂરિજીના શિષ્ય બનાવ્યા અને આચાર્યશ્રીએ તેનું અમૃતમેરુમુનિ નામ રાખ્યું. હવે ભૂતકાળના વાઘજીકુંવર આજે અમૃતમેરુ મુનિ તરીકે ઓળખાવા લાગ્યા. ભગવાન મહાવીરનો પ્રતિપાદિત ધર્મ, સર્વધર્મ અને દેશધર્મ એ બે પ્રકારે છે, તેમાં સર્વધર્મ મુખ્ય માર્ગ અને દેશધર્મ એ મુખ્યની અશક્તિએ આદરવા યોગ્ય છે. સર્વધર્મના આરાધકોમાં મુનિવર્ગ ઉપાધ્યાય અને આચાર્ય મહારાજ છે, સ્વ અને પર ભાવના ત્યાગ સ્વરૂપ મુનિ અવસ્થામાં જીવનદઢ બન્યા પછી, ભગવાન–પ્રરૂપિત જ્ઞાન દઢ બને છે, અને એ જ્ઞાનસ્વજીવનમાં Page #539 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 523 દઢ બને એટલું જ નહિ પણ મહાન બુદ્ધિમાનો અને અર્ધદગ્ધ માણસોને અપવાદ અને ઉત્સર્ગને નહિ સમજવાથી જીવનમાં થતા વ્યામોહને દલીલ પૂર્વક દૂર કરવાની શક્તિ તેમ જ શબ્દોના અર્થો, તેનાં રહસ્યો, ફલિતાર્થ અને ગુરુગમથી થતી ગંભીર જ્ઞાનાવસ્થા પ્રગટ થાય છે. તેવા મહાપુરુષોને ઉપાધ્યાયપદ મળે છે. આ અવસ્થા શાસનના સ્તંભ સદેશ છે, અર્થાત્ શાસનપ્રાસાદ અરિહંતના અભાવે આચાર્ય મહારાજ સંભાળે છે અને આચાર્યના સદ્ભાવમાં પણ અંતરંગ વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉપાધ્યાયને શિર હોય છે. આવી મહાન જવાબદાર અવસ્થા થોડા જ વખતમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, છંદ, અલંકાર અને સ્વ–પર ધર્મશાસ્ત્રોમાં કુશલ બનેલ મુનિ અમૃતમેરુને પૂ. હેમવિમલસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત્ ૧૫૬૮માં લાલપુરનગરમાં આપી. ત્યારપછી તે ઉપાધ્યાય અમૃતમેરુ તરીકે જાહેર થયા. આ પદવી અંગેનો મહાન ઉલ્લાસથી મહોત્સવ સંઘવી ધીરજી શેઠે કર્યો હતો. આ પદ પામ્યા પછી ઉપાધ્યાય અમૃત મેરુ મુનિમંડળથી વીંટાઈ સાધુ વર્ગને જૈન સિદ્ધાંતનાં રહસ્યો, તેની પાછળ રહેલા તેના ગૂઢ મર્મો તેમ જ જૈનધર્મ ઉપર પાપીઓના થતા આક્ષેપો અને જૈન સિદ્ધાંતની અગાધતા સમજાવી વિરતિપરિણામમાં વધુ ને વધુ દઢાવસ્થામાં આગળ વધારતા હતા. માનવ માત્ર મહત્ત્વાકાંક્ષી હોય છે અને તે વાજબી પણ છે; પરંતુ મહત્ત્વાકાંક્ષાની દિશા બરાબર નક્કી કરવી તે જ ખરું કર્તવ્ય છે. ધન ઉપાર્જન કરનાર ધનાઢયો, સંગીત ગાનારા ગવૈયા, ઇમારત ચણનારા શિલ્પીઓ, અને રાજ્ય કરનારા રાજવીઓ – આ સૌ મહત્ત્વાકાંક્ષી હોય છે, અને તે પોતે પોતાના કાર્યમાં સૌ આગળ વધે છે. પરંતુ તેનું પરિણામ અને ફળ સત્તા–મદ–અભિમાન, વિષયલાલસાની પૂર્તિ અને વાહ વાહ સિવાય ભાગ્યે જ હોય છે. જેણે સત્તામદ, વિષયેલાલસા અને કીર્તિનો ત્યાગ કર્યો છે, જેણે સ્વદેહની દરકાર કે દેહની સાથે સંબંધ ધરાવનાર કુટુંબ-સ્વજન, માતાપિતા કે મિલકતને પણ પર અને સ્વહિતને પ્રતિબંધ માની ત્યાગ કર્યો છે તેના જીવનમાં પણ મહત્ત્વાકાંક્ષા હોય છે. પણ તે મહત્ત્વાકાંક્ષાનું ફળ જુદું, સ્વરૂપ જુદું અને તેનું મૂળ પણ જુદું હોય છે. - સાધુ જીવનમાં મહત્ત્વાકાંક્ષા, જીવનશુદ્ધિ, ગુણગ્રાહિતા પ્રાણીમાત્રની મૈત્રી અને શુદ્ધ ભાવના સ્વરૂપ હોય છે. સ્વજીવનશુદ્ધિના સૈનિક મુનિને પરની ચિંતા કરવાની કે પર માટે સમય વિતાવવાની દરકાર નથી હોતી, તેને તો સ્વજીવનશુદ્ધિના અસ્મલિત પ્રવાહમાં આગળ વધવાની અને તે શુદ્ધિમાં દઢ હસ્તગત થવાની જ તમન્ના હોય છે. આ તમન્નાની સચોટતા પરિપક્વ જ્ઞાનથી, વિકટ ઉપસર્ગોથી, મહાન લાલચોથી પણ અપ્રતિબદ્ધ જીવનથી પુરવાર થાય છે. - દુનિયામાં મહત્ત્વાકાંક્ષાના ફળ રૂપે સેનાપતિ, દીવાન કે કોષાધ્યક્ષ વગેરે પદવીની તે તે વ્યક્તિની ઇચ્છા હોય છે, જ્યારે મુનિજીવનમાં મહત્ત્વાકાંક્ષાના ફળરૂપે પદપ્રદાન એ વધુ જવાબદારીવાળી અને આવી પડેલ ગુરુની આજ્ઞાસમ મનાય છે. પદની ભાવના તે જૈન શાસનમાં પદ માટે અયોગ્ય સૂચવે છે, મહાપુરુષોનાં પદવીપ્રદાનો તેમની અનિચ્છામાં ગુરુની કે સંઘની આજ્ઞાને આધીન થઈને શાસનહિતદષ્ટિ ધ્યાનમાં રાખી તેઓને લેવાં પડે છે, અને તેઓ સમજે Page #540 -------------------------------------------------------------------------- ________________ 524 તપાગચ્છાધિષ્ઠાયક છે કે આ પદ જે મહાન પુરુષો ધારણ કરતા અને જેઓના આ મહાપદ ઉપર આખા શાસનની મદાર હતી તે મારા જેવા સામાન્ય માણસ ઉપર આવી પડે તે હું શી રીતે પાર પાડીશ અથવા મને ગુરુ મહારાજ તથા સંઘ અને શાસનદેવ તે વહન કરવાની શક્તિ આપો, ઇત્યાદિ ભાવનાથી પોતાનું જીવન ઉદાત્ત બનાવનારા હોય છે. જૈનશાસનમાં ભગવાન મહાવીરના સમગ્ર શાસનની, તેના ચતુર્વિધ સંઘની રક્ષા અને તેના પરિવર્લ્ડનની આખી જવાબદારી આચાર્ય મહારાજ ઉપર હોય છે. રાજાને દેશની જવાબદારી હોવા છતાં તેની પાસે પ્રધાનો, શિક્ષા કરવાનાં સાધનો, જેલો, સૈનિકો, હથિયારો વગેરે રાક્ષસી દમનનાં સાધનો હોય છે, જ્યારે શાસનના રાજા આચાર્ય પાસે ક્ષમા, ગંભીરતા, જીવનની શુદ્ધતા, સૌમ્યતા, દયા, વિશ્વપ્રેમ, નિરભિમાનતા વડે અનાદિ કાળથી વિષય અને કષાયની ભાવનાથી ટેવાયેલ જનતાને શુદ્ધ માર્ગે વાળવાની, તેમાં સ્થિર રાખવાની અને તેને પુનિતપંથે ટકાવવાની જવાબદારી હોય છે. આવી આચાર્યપદવી માટે યોગ્ય તે કાળે ઉપાધ્યાય અમૃતમેજી સિવાય કોઈ પૂ. હેમવિમલસૂરીશ્વરજી મહારાજને લાગ્યું નહિ. આથી પુણ્યકામથી પુનિત બનેલખંભાતમાં બિરાજતા પોતાના ગુરુ મહારાજના દર્શનાર્થે પધારતાં ઉપાધ્યાયજી અમૃતમેરુના આગમનથી માનવસાગર તેમના દર્શનાર્થે ઊમટયો. તેમની દેશના, મુખમુદ્રા ને કાર્યદક્ષતાને દેખી જૈન જનતા ખૂબ જ હર્ષ પામી અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજને શ્રીસંઘે વિનંતિ કરી કે હે પ્રભો! શાસનધુને વહન કરવા માટે આપ સદશ આ મહા પ્રભાવક ઉપાધ્યાયજી અમને લાગે છે માટે આપ એમને આચાર્યપદવી આપી એમને શાસનધુરા સોંપો, તેમાં એકાંતે શાસનનું હિત સમાયેલ છે. ગુરુમહારાજે પોતાની ઇચ્છાને અનુરૂપ જ સંઘની ઇચ્છા જોઈ વિ. સં. ૧૫૭૦માં પોતાના વરદ હસ્તે સૂરિમંત્રયુક્ત આચાર્યપદથી વિભૂષિત કર્યા અને તેઓશ્રીનું નામ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી પાડ્યું. આ પદપ્રદાનનો મહાન ઉત્સવ ધર્મનિષ્ઠ અત્યંત શ્રદ્ધાળુ શ્રેષ્ઠીવર્ય જીવરાજ સોનીએ કર્યો હતો અને તે ઉત્સાહની સુવાસ ઘણા વખત સુધી દરેક જનતાના હૃદયમાં ચિરસ્થાયી રહી હતી. આ સંકલ શાસ્ત્રવિશારદ તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છની પદમી પાટે બિરાજ્યા અને આચાર્યપદની જવાબદારીને ધારણ કરતા ક્રમે ક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા. આપણે પહેલાં જોઈ ગયા તેમ એ સમય જૈન સમાજને માટે ઘણો વિષમ હતો. એક તરફ લંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમાનિષેધનો પ્રચાર; એક તરફ કડવા મતનો સાધુસંસ્થાના નાશનો પ્રચાર; વળી પુષ્ટિસંપ્રદાયનો ગુજરાતમાં પ્રચાર. આ બધું હોવા છતાં ખાસ વાત તો એ હતી કે જૈન સાધુઓમાં પણ શિથિલાચાર પેસી ગયો હતો. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનાં તપ, ત્યાગ, અને કડક સંયમનો પાઠ શાસનના સ્તંભો ગણાતા ભૂલી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં ગુરુ-આજ્ઞાનો અનાદર જોવામાં આવતો હતો. શિષ્ય પોતાના Page #541 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 525 ગુરુની આમન્યા માનવા તૈયાર ન હતો. એ જ પ્રમાણે એકલવિહાર વધી પડ્યો હતો. દીક્ષાનો પણ કશો પ્રતિબંધ નહતો. અજ્ઞાન, અભણ અને અસંસ્કારી માણસોને દીક્ષા આપવામાં આવતી હતી અને તેથી દીક્ષાની મહત્તા કે સાધુવ્રતની ઉચ્ચતા બને રહાં નહોતાં. તપશ્ચર્યાની ભાવના લોપ થતી હતી, મોટી તિથિઓ અને પર્વતિથિઓમાં પણ તપશ્ચર્યાનું નામ ઓછું થઈ રહ્યું હતું. અભ્યાસ, પઠન-પાઠન, શાસ્ત્રજ્ઞાન કે ધર્મધ્યાનની વાત વિસારે પડી હતી, શાસ્ત્રવાર્તાના ધામ, અભ્યાસનાં કેન્દ્ર અને સાહિત્ય-લેખનનાં સ્થાનો માત્ર આળસુ લોકોના અખાડા બની રહ્યા હતા; પરિગ્રહ વધી પડ્યો હતો, વિહારમાં પોતાનાં ઉપકરણો નોકરો દ્વારા ઉપડાવવામાં આવતાં હતાં. આ અને આવા અનેક જાતના શાસ્ત્રના પ્રતિબંધોમાં ભારે શિથિલતા આવી ગઈ હતી. જૈનશાસનની ઉન્નતિના સાચા સ્તંભ સમાન મહાન શાસ્ત્રવેત્તા ગુરુવર્ય આનંદવિમલસૂરીશ્વરજી મહારાજા આ વિષમ પરિસ્થિતિથી ત્રાસી ઊડ્યા અને જેની સાચી સાધુસંસ્થાનો નાશ તેઓશ્રીને સમીપ દેખાયો. જો સંયમ, તપશ્ચર્યા, અને શાસનસેવાની ધગશથી ક્રિયોદ્ધારનું કામ હાથ લેવામાં આવે તો જ જૈનશાસન અને સાધુસંસ્થામાં શુદ્ધિ આવે અને તો જ ભગવંત મહાવીરસ્વામીના તપ અને ત્યાગને વફાદાર રહી શકાય. મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજને જૈન સમાજની આ પરિસ્થિતિ રાતદિવસ મૂંઝવતી હતી. શું જૈન શાસનની આ દશા ! ધર્મના નામે આ શાં ધતિંગો ! આ દંભ અને પાખંડ કેમ ચલાવી લેવાય! વગેરે તેમને ખૂબ વિમાસણમાં નાંખવા લાગ્યાં. કયાં રાજાઓને પ્રતિબોધ કરનાર કવિકુલગરુ સિદ્ધસેન દિવાકરસૂરિ ? કયાં સર્વ દર્શનોના રહસ્યને ગૂંથનાર મહાપ્રભાવક શ્રી હરિભદ્રસૂરિ ? ક્યાં જૈનધર્મનો વિજયવાવટો ફરકાવનાર શ્રી મલ્લિષેણસૂરિ? ક્યાં જેને ન્યાયશાસ્ત્રને જગતભરમાં પ્રૌઢ બનાવનાર શ્રી વાદિદેવસૂરિ? કયાં જગપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને ક્યાં જીવનભર અચામ્પતપ કરનાર ઉગ્ર ક્રિયાશીલ જગચંદ્રસૂરિ જેવા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરમારાધકો? અને કયાં આજે જ્ઞાન તરફ નિરપેક્ષ સેવનાર દર્શનની પ્રભાવનાથી વંચિત અને ચારિત્રની અણમોલતાની શ્રદ્ધાને કમી કરનાર આજનો તે જ પરંપરાનો શાસનરક્ષકપણાની જવાબદારીવાળો વર્ગ? પિતાની સોંપેલ પૂંજીને એશ-આરામ કરી ઉડાડી મૂકનાર ને કુળને જોખમ લગાડનાર શું સુપુત્ર મનાય ? રક્ષકપણા માટે નિમાયેલ રાજા પોતે જ લોકોને ત્રાસ આપી રંજાડે તો શું તે સુરાજા ગણાય? જૈનશાસનના રક્ષક તરીકેની જવાબદારી વહન કરનાર વર્ગે જ્ઞાનમાં પ્રમાદ અને ચારિત્ર તરફ બેદરકાર રહી સડતા ભાગની ઉપેક્ષા કરવી તે શું યોગ્ય છે? બસ નહિ જ. ગમે તે થાય; જેને માટે ઘર છોડ્યાં, કુંટુંબ છોડ્યાં, સંસાર છોડ્યા, દેહનાં મમત્વ છોડ્યાં ને તે વસ્તુ સિદ્ધ ન થાય તો ભણ્યા શા કામના? અને જીવન જીવ્યા શા કામના? પરમ પ્રભાવક ક્રિયોદ્ધારક શ્રી જગશ્ચંદ્રસૂરિજીએ કરેલ દિયોદ્ધાર મુજબ મારે ક્રિયોદ્ધાર કરવો જોઈએ; મારે કિયોદ્ધારમાં રસ લેનાર વર્ગ ઊભો કરવો જોઈએ. જ્ઞાન-આરાધનામાં યતદ્ધા અલના પૂર્વક ભણાતી પઠન પાઠન પદ્ધતિ, જ્ઞાનનો માન-મોહ અને ભોળા લોકને ચમત્કાર Page #542 -------------------------------------------------------------------------- ________________ 526 ઉત્પન્ન કરવા માટે થતો ઉપયોગ, દર્શનમાં કુદર્શનીઓનો સંપર્ક, તેઓનાં તત્ત્વોની મિશ્રણતા અને ચારિત્રમાં ભગવાનના વેષના નામે લોકો ઉપર આદરભાવ ઉત્પન્ન કરાવી તેમને સદ્માર્ગે નહિ જોડવાની રીતિ, તપનો અભાવ, ક્રિયામાં શિથિલતા– આ સર્વનો ત્યાગ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરમારાધકતાનું જીવન જીવવું, જીવન જિવડાવવું અને તેવા જીવન જિવાડવાનો પ્રચાર – આનું નામ ક્રિયોદ્વાર. આ ક્રિયોદ્ધાર એક હાથે ન બની શકે, માટે મારે તે જીવન જીવી તેમાં રસ ઉત્પન્ન કરનાર વર્ગને ઊભો કરી આખી પલટાયેલ સ્થિતિ પલટવી એ જ મારું મુખ્ય જીવનધ્યેય રહેવું જોઈએ. અને જો આ પ્રમાણે વ્યવસ્થા થશે તો સંઘમાં થનાર નવદીક્ષિતો પણ નવા પ્રવાહને જીવી જૈન શાસન–પ્રભાવના કોઈ અપૂર્વ કરી પૂર્વ મુજબ શાસનધુરાને વહન કરી અવિચ્છિન્ન જગત ઉપર પ્રભાવ પાડશે. - તપાગચ્છાધિષ્ઠાયક બસ ગમે તે થાય, જાય સાધવામિ વા વેદ પાતયામિની પ્રતિજ્ઞા લીધી અને પોતાના ગુરુદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજીને પોતાની ભાવના જણાવી. ગુરુદેવને તો ખૂબ આનંદ થયો ! ગુરુદેવની આજ્ઞા લઈને કુવાદીમતોચ્છેદક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મુનિવૃંદમાં ઉદ્ઘોષણા જાહેર કરી, ત્યારે ૫૦૦–પાંચસો મુનિમહારાજોએ તેમને સાથ આપવા વચન આપ્યું અને ૫૦૦ સાધુઓને લઈને વિક્રમ સંવત ૧૫૮૨ના વર્ષમાં ચાણસ્મા પાસે આવેલ વડાવલી ગામમાં ક્રિોદ્ધાર કર્યો. (૧ આજે પણ ચાણસ્મા સ્ટેશનથી વડાવલી પાંચ ગાઉ છે.) આ પહેલાં તપાગચ્છની શરૂઆત કરનાર મહાન ઉગ્ર તપસ્વી ધુરંધર મહાત્મા આચાર્યદેવેશ શ્રીમદ્ જગચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૨૦૦ની લગભગમાં ક્રિયોદ્ધાર કર્યો હતો. દરેક ધર્મમાં ધર્મની આપત્તિ વખતે તેના રક્ષક તરીકે કોઈ ને કોઈ માનવામાં આવે છે. ગીતા વગેરેમાં થવા થવા દિ ધર્મસ્ય....... . એ પદથી કૃષ્ણને પુનરવતાર લેવો પડે છે તેમ માન્યું છે, બૌદ્ધ ધર્મમાં તીર્થનિરિવર્ણનતઃ, . એ પદથી બૌદ્ધ પણ સ્વધર્મરક્ષા માટે ફરી અવતરે છે. જ્યારે જૈન ધર્મ તેથી પર છે, જૈન ધર્મમાં તેમના નાયકોને મોક્ષે ગયા પછી પ્રથમ જ્ઞાનીદશામાં રાગ કે દ્વેષ ન હોવાથી મમત્વ કે દુઃખના બીજ રૂપ પુનર્ભવની જરૂર રહેતી નથી; છતાં જૈનધર્મમાં પણ શાસનરક્ષક દેવદેવીઓ હોય કે જેઓ ધર્મતત્ત્વના પ્રેમથી મહાન તપસ્વી કે ગુણીઓના ગુણાકર્ષણથી શાસનની કે તપસ્વીઓની રક્ષા અને ઉદ્યોત કરે છે. આ રીતે જગતમાં ઉત્પન્ન થનાર મહાતપસ્વીઓ, તત્ત્વવેત્તાઓ અને દિર્ઘદષ્ટિપુરુષો દ્વારા શાસનની રક્ષા થાય છે; પરંતુ તેની રક્ષા માટે તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ પરમાત્માને નિર્લેપ હોવાથી ફરી આવવું પડતું નથી. એ જ પ્રમાણે શાસનની રક્ષા કરનાર દેવોમાંના માણિભદ્રવીર એક દેવ છે, તે મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી ઉપરના એકાન્ત રાગને લઈ સૂરિજીને માન્ય શાસનકાર્ય માટે હંમેશાં રત રહેનાર છે. આ દેવની શાસનભક્તિને લઈને જૂની પ્રણાલિકાના વિધમાન જૂનાં અને નવાં તમામ ક્ષેત્રોમાં માણિભદ્રવીર ન હોય તેમ નથી. શું ગામ અને શું શહેર, દરેક ઠેકાણે તપગચ્છના ઉપાશ્રય કે દહેરાસર વગેરે સર્વ ઠેકાણે તેમની સ્થાપના Page #543 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 527 જણાય છે અને તે દેવ એટલા હાજરાહજૂર મનાય છે કે વિધર્મી પણ તેમની આણને ઉલ્લંઘી શકતા નથી. ખરી રીતે આજે શાસન રક્ષા કરનાર દેવ તરીકે વધુ પ્રચાર પામેલ હોય તો માણિભદ્રવીર જ છે. આવા મહાન પ્રભાવશાળી, ઉગ્ર તપસ્વી, સમર્થ વિદ્વાન પોતાના શિષ્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજીને જોઈને કેમ તેમના ગુરુવર્યને આનંદ ન થાય! . આથી જ શ્રીમદ્ આચાર્યદેવ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૫૮૩માં પાટણમાં ગચ્છનાયકપદે પ્રતિષ્ઠિત કર્યા. શ્રી રૂષભદાસ કવિએ શ્રી હીરવિજયસૂરિ રાસમાં આ ક્રિયોદ્ધારનું અછું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે : સંવત પનર વ્યાપાસી જામ, કિયોદ્ધાર કરે નર તામ; કરુણા ઉપની લોકની ત્યાંહી; જીવ જચે એ બહુ દુર્ગતિમાંહી. તેણિ કારણે આણે વૈરાગ, ઉપધિ દ્રવ્યનો કીધો ત્યાગ; મીણ કપટ ઓઢે કલપડો, અસ્યો ચલોટો મૂલ નહિ વડો. પૂઠિ મુનિવર બહુ પરિવાર, સહન કરે કિયો ઉદ્ધાર. સૌભાગ્ય હરખ તસ થાપી દીધ, દુઃખ પંથ તે પોતે કીધ, સુગંધ સાર વિલેપણ નહિ, માંડી કિરીયા સાવલી તહિં. હે આનંદવિમલસૂરિ ! આજે મારું શરીર સ્વસ્થ નથી, અને હવે તો શરીરનું કામ પણ શું છે? તારા જેવો મહા પ્રભાવશાળી હીરો જૈન શાસનની સેવા માટે છે પછી મારે શાની ચિંતા ! હવે શરીર જીર્ણ થયું છે માટે અમે પરમાત્માનું ધ્યાન ધરીશું અને આત્મરમણ કરીશું. સાધુસમુદાયને સંભાળજો, સંઘની દિનપ્રતિદિન વૃદ્ધિ કરજો, મહા મંગલકારી કાર્ય કરજો, તપશ્ચર્યાનો તમારો ભાવ ચાલુ રાખજો, અને ઠામ ઠામ ધર્મકાર્ય કરી તીર્થધામોનો ઉદ્ધાર કરી ગચ્છની ને શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરજો. મને તમારી ભક્તિ અને શક્તિમાં ભારે શ્રદ્ધા છે. તમે જૈનશાસનના શિરોમણિ છો, શાસનહિતનાં કાર્ય કરી જીવન–સાફલ્ય કરજો. આ વચનો સાંભળી સાધુવંદ ગદ્ગદ થઈ ગયો. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી બોલ્યા, ગુરુદેવ ! આપનાં વચનો મને પ્રમાણ છે. હું તો પામર પ્રાણી છું પણ તીર્થંકરદેવ અને આપના નામસ્મરણ રૂપ મંત્રથી હું આપના પવિત્ર પગલે ચાલીશ. જિનશાસનની સેવા કરવા મારાથી બધું કરી છૂટીશ. સમુદાયની વૃદ્ધિ કરીશ અને ઉગ્ર તપશ્ચર્યા કરીને મારા જીવનનું સાર્થક કરીશ. સંઘ અને શાસનના ઉદ્યોત માટે, તીર્થસ્થાનોના ઉદ્ધાર માટે હું યથાશક્તિ પ્રયત્નો કરીશ. આ બધું આપના પ્રભાવ અને કૃપાથી મારામાં તે કરવાની શક્તિ આવે તેમ શાસનદેવને પ્રાર્થના છે. જીવન અને મરણની ઘટમાળથી વ્યાપ્ત સંસારમાં જીવન-મરણને સ્વાભાવિક માન્યા છતાં સાધુ-સાધ્વી અને શ્રાવકશ્રાવિકા સમુદાયનાં ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ નીકળવા લાગી, આખો સમુદાય દિલગીરીના વાતાવરણમાં ઘેરાઈ ગયો, ગુરુદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજ પરમાત્માનું ધ્યાન Page #544 -------------------------------------------------------------------------- ________________ 528 તપાગચ્છાધિષ્ઠાયક ધરતાં ધરતાં વિક્રમ સંવત ૧૫૮૪માં સ્વર્ગે સંચર્યા.આખા નગરમાં ગુરુવિરહના દુઃખથી ગંભીરતા છવાઈ ગઈ. શ્રીસંઘે ગુરુદેવની અંતિમ ક્રિયા મહાન સમારોહપૂર્વક કરી. જો કે મહાપુરુષોનાં મૃત્યુ મહાપુરુષને મન તો ઉત્સવ સમાન હોય છે; પરંતુ તેનો ઉપકૃત ભક્તવર્ગ તેમના ગુણના લાભ અને તેમના જીવન-સંસર્ગથી થતી ઉન્નતતાને સંભારી રડે તે સ્વાભાવિક છે. ગુરુદેવના સ્મારકચિહ્નરૂપે શત્રુંજય તીર્થ ઉપર પરમ પાવન રાયણનાં પગલાંની જોડે પુનિત પાદુકા આજે પણ તેમનું સ્મરણ કરાવી રહી છે. પગલાં છે ત્યાં જ તેમનો સ્તૂપ પણ છે, તેમ જ છાલા કુંડ નજીક યતિઓની ટૂકમાં પણ ગુરુદેવનો સ્તૂપ છે. બેટા માણેક ! તું નહિ જ માને કે ! ના માતાજી, હું નહિ જ માનું! હું જોઉં છું કે યતિઓમાં શિથિલાચાર ખૂબ વધી ગયો છે, સાચા સાધુ હું જોતો નથી. હું એવા દંભી અને ક્રિયાહીન યતિઓને નહિ માની શકું. મારો ધર્મ પવિત્ર ધર્મ છે. ચારિત્ર અને તપશ્ચર્યા એ ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે. આજે તો નથી ચારિત્રનું ઠેકાણું કે નથી તપ-જપનું. આવા સાધુઓ સમાજ અને ધર્મને ભારરૂપ છે. ભાઈ! તું મારું વચન એક જ વખત માન. મારે વર્ધમાન તપની ઓળીનું વ્રત છે, તપશ્ચર્યામાં કોઈ મુનિરાજનાં દર્શન કરવાની મારી ભાવના છે. હે વત્સ! તું જા તો ખરો. તને શ્રદ્ધા ન બેસે તો પાછો આવજે. કહે છે કે નદીકિનારે મહાન તપસ્વી આવ્યા છે, ઉગ્રધ્યાની છે અને મહાપ્રભાવશાળી છે. માતા !, ભલે! આપને દુ:ખી દેખી નથી શકતો; પણ જો મને તે સાચું સુવર્ણ લાગશે તો જ નમીશ. હા, ભાઈ! જેવી તારી ઇચ્છા. હે શાસનદેવ ! મારા પુત્રને સન્મતિ આપજો. બેટા ! તું જા. ગ્રામાનુ ગ્રામ વિહાર કરતા, જ્ઞાનધ્યાનથી જૈનધર્મનો ઉદ્યોત કરતા ગુરુદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી શિષ્ય-સમુદાય સાથે માળવામાં આવેલ ઉજ્જયિની નગરીમાં પધાર્યા. ત્યાં તેઓશ્રીએ એક માસની ઘોર તપશ્ચર્યા આરંભી અને ક્ષિપ્રા નદીના કાંઠે " ગંધર્વ સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા. ધ્યાનમાં એટલા બધા નિશ્ચલ હતા કે દેવો પણ તેમને ચલાયમાન ન કરી શકે. માણેકચંદ શેઠ ત્યાં આવ્યા, અને કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા પૂજ્ય આચાર્યદેવને જોઈ તેની પરીક્ષા કરવા કુતૂહલ થયું. મશાલ સળગાવીને ગુરુદેવની દાઢી આગળ ધરી. દાઢી સળગી, ગુરુદેવનું મુખ પણ દાઝયું; છતાં આચાર્ય ભગવંત મેરુ પર્વતની જેમ નિશ્ચલ રહ્યા અને માણેકચંદ શેઠની પ્રત્યે કરુણાદષ્ટિથી જોવા લાગ્યા. - ગુરુદેવ વિશ્વપ્રેમી હતા ને વિશ્વપ્રેમની ભાવનાથી ગુરુદેવના આત્મામાં અણુ અણુએ શુદ્ધ પ્રેમ જ ભરેલો હતો. માણેકચંદ શેઠના મન પર અજબ પરિવર્તન થયું. ગુરુદેવને આવી રીતે કષ્ટ આપવા બદલ માણેકચંદને પોતાના દિલમાં પશ્ચાત્તાપ થયો. આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે સુધાસિંધુ પાણી દ્વારા તેના બળતા અંતરમાં અમૃતસિંચન કર્યું ને કહ્યું કે ભાઈ ! જરા પણ Page #545 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 529 ગભરાવાની જરૂર નથી. તમારા જેવા અમારા તપની અને ધ્યાનની પરીક્ષા ન કરે તો અમારી કસોટી કઈ રીતે થાય! અમે તો આ ધ્યાન દ્વારા ઘોર ઉપસર્ગમાં પણ ઉપસર્ગ કરનાર ઉપર કેમ દયા ઉત્પન્ન થાય અને દોષ ન થાય તેનો અભ્યાસ કરીએ છીએ. આ શબ્દોએ માણેકચંદ શેઠને ગુરુદેવના અત્યંત ભક્ત બનાવ્યા. - ત્યારબાદ એ માણેકચંદ શેઠ કેટલાક વખતથી મારવાડમાં આવેલ પાલીગામમાં વાણિજ્ય વિકાસ માટે રહેતા હતા ત્યાં ગુરુ મહારાજને અતિ આગ્રહયુક્ત વિનંતિ કરી પાલી લઈ ગયા ને ત્યાં ચાતુર્માસ રાખ્યા. ચાતુર્માસ પૈકી પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે કલિકાળમાં પરમ આધાર સ્વરૂપ શ્રી શત્રુંજય મહાતીર્થની પરમ પવિત્રતા અને માહાભ્યને દર્શાવનારા ગ્રંથ વાંચ્યા. આથી રત્નશેખર જેવા ભગિનીભોગી મહાપાપીને પણ તારક અને જેના દર્શન માત્રથી પરમોલ્લાસ પ્રગટ થનાર શ્રી શત્રુંજયગિરિરાજને ભેટવા માણેકચંદ શેઠ ઉત્સુક બન્યા, અને ગિરિરાજના દર્શન કર્યા સિવાય અન્નપાણી કાંઈ નહિ લેવાની પ્રતિજ્ઞા કરી યાત્રા માટે પ્રયાણ કર્યું. સાગરમાં તરવા ઇચ્છનાર માણસને નાવ, હોડી વગેરેનું આલંબન જેમ આવશ્યક છે તેમ ભવસાગર તરવા ઇચ્છનારને ભગવાનની મુખમુદ્રા તેટલી જ આવશ્યક છે. ઘરમાં ઘોર પાપીઓ અને નિષ્ફર પરિણામી જીવો પણ પોતાના પાપ- વ્યાપાર તીર્થભૂમિની સ્પર્શના માત્રથી છોડી દે છે, અને જેની કલ્પના ન કરી હોય તેવા માણસો તીર્થે આવી તરી જાય છે. કારણ કે ઘણા મહાપુરુષોના પાદરેણુથી પવિત્ર થયેલ ભૂમિકાનો સ્પર્શ જ માણસના હૃદયમાં શુદ્ધ વ્યાપાર ઉત્પન્ન કરે છે. આ જ કારણે જિનમંદિરો પોતાના વતનમાં હોવા છતાં જિનેશ્વરની પાદુકાથી પવિત્ર થયેલ તીર્થભૂમિમાં ભવ્યો રહેઠાણ કરે છે અને ત્યાં થઈ ગયેલા મહાપુરુષોના જીવનપટને સ્મૃતિમાં લાવે છે, ને પોતાનું જીવન પવિત્ર કરે છે. આ જ કારણે ભાગ્યે જ કોઈ જેને સિદ્ધાચળતીર્થના દર્શન કર્યા વિના રહેતો હોય અને તેના દર્શનની વંચિતતાને પોતાનાં કમભાગ્ય ન માનતો હોય. આથી જ માણેકચંદ શેઠે તીર્થના દર્શન કર્યા વિના અન્નપાણી ન લેવાનો નિર્ણય કર્યો અને પ્રયાણ કરતાં સાત દિવસ વ્યતીત થતાં તેઓ સિદ્ધપુર પાસેના મગરવાડામાં આવ્યા. તે વખતે ત્યાં ગામ ન હતું, તે સ્થળ ઝાડીઓની ઘટાથી ભયંકર જંગલ હતું. ત્યાં આગળ રાત્રિના સમયે ભિલ્લ લોકોએ તેમને લૂંટી લીધા અને તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો. આથી તેઓ ગિરિરાજનું તે પરમ તારક પરમાત્મા ઋષભદેવનું સ્મરણ કરતાં મરણ શરણ થયા. આ પ્રમાણે મરણ વખતની ઋષભદેવ પરમાત્માની અને પંચપરમેષ્ઠિના ધ્યાનમાં મનોવૃત્તિ હોવાને લઈને તે મરી ઘણા વ્યંતરોના ઉપરી માણિભદ્રવીર નામે વ્યંતરનિકાયમાં જિનશાસનરાગી રક્ષક દેવ થયા. કેટલાક સમય બાદ ખંભાતમાં ખરતરગચ્છ તથા તપગચ્છના યતિઓમાં ભારે મતભેદનો ઝઘડો થયો, અને ખરતર ગચ્છના યતિઓએ તપાગચ્છના યતિઓને ભૈરવની આરાધના કરી મારી નંખાવ્યા. પાંચસો યતિ આ રીતે કાળધર્મ પામ્યા. મહાન તપસ્વી આચાર્યભગવંત શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ આ વાત સાંભળી અતિ દુઃખી હૃદયે જગતના હઠાગ્રહ ઉપર દા. Page #546 -------------------------------------------------------------------------- ________________ 530 તપાગચ્છાધિષ્ઠાયક વિમાસણ લાવી તેમણે પાલનપુર તરફ વિહાર કર્યો ને મગરવાડાની ઝાડીમાં આવીને ઊતર્યા. ત્યાં રાત્રિમાં શાસનસમ્રાટ શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ ધ્યાનમગ્ન રહ્યા ત્યારે રાત્રે તેમની પાસે માણેકચંદ શેઠે આવી દર્શન દીધાં. સૂરિજીએ તેમને ઓળખ્યા. માણેકચંદ શેઠે પોતાનું મરણવૃત્તાંત વગેરે સર્વ હકીકત કહી સંભળાવી તેમ જ માણિભદ્રવીર તરીકે પોતાની ઉત્પત્તિ કહી. પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પાસે સેવા માટે યાચના કરી. સૂરિજીએ કહ્યું કે ખરતરગચ્છના યતિઓએ આપણા સાધુઓને મારી નાખ્યા છે, તેમણે ભૈરવની સાધના કરી આ જુલમ વર્તાવ્યો છે, તમે તેનું નિવારણ કરો અને તપગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વગેરેને સહાય કરો. માણિભદ્રવીરે કહ્યું કે હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવનો ઉપદ્રવ ટાળીશ; પણ મારી માગણી એ છે કે તપાગચ્છના ઉપાશ્રયો તથાદેરાસરોમાં મારી સ્થાપના કરવામાં આવે. સૂરિજીએ જણાવ્યું કે તમોને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવશે. આથી પ્રથમ માણિભદ્રવીરની સ્થાપના મગરવાડામાં કરવામાં આવી અને આજે પણ મગરવાડાના વીર તરીકે તે સ્થાન પ્રસિદ્ધ છે. માણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યા. તપાગચ્છમાં નવીન થનાર આચાર્યો પ્રથમ મગરવાડા જતા અને મગરવાડામાં રહી માણિભદ્રવીરને અક્રમ કરી પ્રત્યક્ષ કરતા હતા. અનેક ચમત્કારોથી ભરપૂર જીવનવાળા શ્રીમદ્ સોમવિમલસૂરીશ્વરજી મહારાજની પાટ–પરંપરાએ થયેલા શ્રી શાંતિસોમસૂરિજીએ મગરવાડામાં રહી માણિભદ્રવીરનું આરાધન કર્યું અને તેમના પગનો કંઈક અંશ માણિભદ્રવીરના કથન પ્રમાણે આગલોડમાં ઠાકોર સમરસિંહજીના સમયમાં વિક્રમ સંવત ૧૭૩૩માં શાંતિસોમસૂરિએ તે ગામની બહાર દહેરું બંધાવી ત્યાં તેની સ્થાપના કરાવી હતી. તપાગચ્છના ઉપાશ્રયો અને દહેરાસરોમાં ગામેગામ અને શહેરે શહેર માણિભદ્રવીરની સ્થાપના જોવામાં આવે છે. જેનશાસનમાં અધિષ્ઠાયક દેવ તરીકે માણિભદ્રવીર ઠેર ઠેર પૂજાય છે. આજે આગલોડમાં માણિભદ્રવીરનું દેરાસર સુંદર છે. પૂર્વે માણિભદ્રવીર-માણેકચંદ શેઠ જ્ઞાતિએ વિશા ઓશવાળ હતા તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, વિજાપુર, પાલનપુર વગેરેના ઓસવાળો ત્યાં માનતા કરવા આવે છે, કેટલાક મગરવાડા અને કેટલાક ઉજ્જયિની પણ જાય છે. મારવાડ, મેવાડ અને માળવામાં ગામેગામ તેની સ્થાપના હોવાથી તે લોકો બહારગામ જતા નથી. શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ મહાન ક્રિયોદ્ધારક અને શાસનને દીપાવનાર હતા એટલું જ નહિ પણ તેઓ એક મહાન સમર્થ વિદ્વાન અને અજોડ વાદી પણ હતા. જૈન ધર્મ, સ્વશાસનરક્ષામાં ધર્મવાદપરાયણ હોય છે, તે વાદવિવાદથી હંમેશાં દૂર રહેનાર છે; કારણ કે વાદવિવાદો પરમતના નિરસન અને સ્વમત–સ્થાપન પરાયણ માત્ર ફળની ભાવનાવાળા હોય તો તેથી જેવો જોઈએ તેવો લાભ મળી શકે નહિ. આથી જ જો તેમાં તત્ત્વગવેષક બુદ્ધિ ન હોય તો તેવા વાદને પણ જૈનધર્મે વિતંડોવાદ કહ્યો છે. અને આવા વાદથી જૈન મુનિઓ હંમેશાં દૂર રહેનારા હોય છે. જૈન મુનિઓએ વાદનું આહ્વાન પ્રથમ આપવાનું ભાગ્યે જ સ્વીકાર્યું હોય છે. તેઓને ન છૂટકે અન્ય વાદીઓ તરફથી જ્ઞાનના અજીર્ણને લઈને જૈનધર્મની અપભ્રાજના થતી હોય Page #547 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 531 ત્યારે તે વાદીના વાદનો પ્રતિકાર ઇચ્છાએ કે અનિચ્છાએ કરવો પડે છે, ને જો તેમ ન કરવામાં કે મૌન સેવવામાં આવે તો પોતાના ધર્મની અપભ્રાજના થતાં ભદ્રિક જીવો વિમાસણમાં પડી ધર્મભ્રષ્ટ બને. આથી વાદીના વાદનો પ્રતિકાર કરવો એ તેઓને આવશ્યક થઈ પડે છે. આ જ રીતે પૂજ્ય ભગવંત આનંદવિમલસૂરીશ્વરજી મહારાજને પણ ધર્મ ઉપર થતા વાદવિવાદનો પ્રતિકાર કરવો પડતો હતો, કારણ કે તે વખતમાં યતિઓનો શિથિલાચાર દેખી અનેક અન્ય દર્શનીઓ જૈનશાસ્ત્ર ઉપર આક્રમણ કરવા લલચાતા અને આક્રમણ કરતા. આ આક્રમણોનો જવાબ તેમને પોતાને આપવાનો રહેતો હતો તેથી તેઓશ્રીને સ્વમતથી ભૂલેલા અને પરમતથી મદાંધ બનેલા વાદીઓના જ્ઞાન-અજીર્ણને દૂર કરવા વાદવિવાદમાં ઊતરવું પડતું હતું. આ પ્રમાણે તે વાદોમાં જય મેળવી સંશયાકુલ બનેલ જનતાના હૃદયને અતિવિશુદ્ધ કરી જૈન જનતા ઉપર ખૂબ જ ઉપકારપૂર્વક ધર્મની સુંદર છાપ પાડી હતી. શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજીએ જૈનધર્મના ઉદ્યોતને માટે અને કુમતીઓના ધર્મપર થતા આક્ષેપોના નિવારણ માટે કડવા, લોંકા આદિ ભિન્નભિન્ન મતોના ભ્રમ ખોલવા માટે અને લોકોને જૈનધર્મનું રહસ્ય સમજાવી ધર્મમાં સ્થિર રાખવાની દષ્ટિએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે દેશોમાં ઉગ્ર વિહાર કર્યો હતો. એક વખતે અવસર વિચારી મારવાડ જેવા ઊખર પ્રદેશમાં પાણીની મુશ્કેલી હોવાથી અને સાધુઓને ભારે મુશ્કેલી નડતી હોવાથી વર્ષોથી જે વિહાર શ્રીમદ્ સોમપ્રભસૂરીશ્વરજીએ નિષેધ કર્યો હતો તે વિહારની મુશ્કેલીનો સામનો કરીને શ્રીમદ્ ગુરુદેવ આનંદવિમલસૂરિજીએ મારવાડમાં વિહાર કરવાની શરૂઆત કરી મુશ્કેલીનો સામનો કરી વિહાર કરતાં સાધુઓને શીખવ્યું. મારવાડમાં પાણી ઉપરાંત કંટક, ભૂંડ વગેરે કષ્ટ પણ સહેવા પડતાં. ગોચરી માટે પણ મુશ્કેલી રહેતી કારણ કે ડુંગરાળ અને દૂરદેશનાં ગામોમાં તેનો યોગ વિરલ જ પ્રાપ્ત થતો. મારવાડમાં વિહાર બંધ હોવાને લીધે લોકોની ધર્મ પ્રતિ અશ્રદ્ધા તથા બીજા ધર્મ પ્રતિ વલણ ધીમે ધીમે ફેલાતું હતું. આથી પૂજ્ય આચાર્યશ્રીએ ગામેગામ વિહાર કરી લોકોને જૈનધર્મનો પ્રભાવ સમજાવી ફરી તે દેશને ધર્મમાં દઢ કર્યો. પૂ. આચાર્યશ્રીએ જેસલમેર તરફ પોતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાય શ્રી વિદ્યાસાગરજી મહારાજને મોકલ્યા ને ત્યાં તેમણે જેસલમેરમાં ખરતરગચ્છવાળાઓને અને મેવાડદેશમાં બીજા મતીઓને વાદવિવાદ કરીને હરાવ્યા. - શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજીએ માળવામાં અન્ય મતવાળાઓ અને કડવામતીઓની સાથે ને મોરબીમાં પકાદિ મતવાળાઓ સાથે તથા વિરમગામમાં પાઊઁચંદ્ર પોતાનો મત પ્રરૂપી જૈન લોકોનાં મન સંશયવાળાં કરેલાં તે બધાનો વાદવિવાદથી પરાજય કરી જૈનધર્મની ચારે દિશાએ ઉજ્વલ કીર્તિ ફેલાવી હતી. પૂ. આચાર્યશ્રીના પરમ ભક્ત તૃણસિંહ નામના શ્રાવકે જેમને બાદશાહે પાલખી આપી હતી ને મલિક શ્રી નગદલ એવું બિરુદ આપ્યું હતું તે તૃણસિંહ શ્રાવકની આગ્રહભરી વિનંતીથી સાધુ શ્રી જગર્ષિ ગણિને સાધુઓની સાથે સોરઠ દેશમાં વિહાર કરાવ્યો. ત્યાં પણ તે ઋષિમુનિએ Page #548 -------------------------------------------------------------------------- ________________ 532 તપાગચ્છાધિષ્ઠાયક જૈન ધર્મની ઘણી જાહોજલાલી કરી. પૂ.આચાર્યશ્રીએ મોરબી વગેરે સ્થળોમાં લંકાદિમતીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને તે લંકામતીના પૂજ્ય આનંદ ઋષિ તથા ભોજર્ષિ તથા બાલઋષિ આદિ પોતપોતાના શિષ્યોની સાથે લંકામત છોડી પૂ. સુવિદિત મુનિ ચૂડામણિ કુમત નાશ કરવાને સૂર્યસમાન મહાન વૈરાગી, ઉગ્ર તપસ્વી, ઉગ્ર વિહારી શ્રીમદ્ આચાર્યદેવ પૂ. આનંદવિમલસૂરીજી મહારાજા પાસે ૭૮ ઇઠ્ઠોતેર મહાત્માઓએ પુનઃ જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો તેમજ પૂ.વિદ્યાસાગરજી ગણિએ પણ લોકમતના કેટલાક સાધુઓને દીક્ષા આપી હતી. - પૂ. ગુરુદેવનો પ્રભાવ એટલો બધો હતો કે મહમ્મદ સુલતાન પણ તેઓશ્રીના ફરમાનને માન આપતો હતો. ખાન, વજીર, સુલતાનો પણ તેમને નમતા હતા. જગ્યાએ જગ્યાએ તેમને બહુમાન મળતું અને તેઓશ્રીની પ્રતિષ્ઠા ખૂબ વધતી જતી હતી અને તેઓની આજ્ઞા દરેક શહેર, દરેક ગામ ઝંખી રહ્યાં હતાં. મારવાડ, માળવા, મેવાડ, પાટણ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ચાંપાનેર, ખંભાત, દક્ષિણ, દેવગિરિ, માંડળ, ગાંધાર, સુરત, ભરૂચ, કુંકણ, કાંકરેચી, જાલોર, મંડોર, જોધપુર, નિવરી, નાગોર, અજમેર, આગ્રા, હંસાર, કોટ, રામસેન, કુંભલમેર, ટુંકટાંડા, ઢીલી, રાજગૃહી, સોપારૂ, વાગડ, વાંસવાડા, આહડ, જવાસા, વિસલનેર, નડુલાઈ, નવસારી, વલસાડ, અગાસી, ડભોઈ, મલબાર, દિવ, દમણ, માંગલોર, ઘોઘા, અને હરમન વગેરે ગામો ને પ્રદેશોમાં પૂ. આચાર્યશ્રીની આજ્ઞા શિરોધાર્ય મનાતી હતી તેમ જ તેઓશ્રીના વિષે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે: એહવો આનંદ વિમલસૂરિ રાય, નગલી મલિખ હુઓ તેણે ઠાય, મહમ્મદ હાથે ફરમાન કીધ, આનંદવિમલને હાથે દીધ. નમતા ખાન વજીર સુલતાન, ઠામ ઠામ ગુરુ પાવે માન, દીપે દેશના ગુરુજી સાર, ઘણા પુરુષનો કરે ઉદ્ધાર. મુનિ જગો રિષિ જે પંન્યાસ, ગુરુ ફરમાન દિયે નર તાસ, સોરઠ દેશ તેણે કર્યો વિહાર, કીધો લંકાનો ઉદ્ધાર. મારૂડિનો વિહાર વળી જેહ, સોમપ્રભે વાર્યો હુતો તેહ; વિદ્યાસાગર મોકલ્યા ધીર, યૂલિભદ્રનો લોઢો વીર. છઠ્ઠ પારણે આંબિલ કરે, કઠિન વળી તપ આદરે; મેવાત દેશે અણવર જ્યાં દિ, ખડતર પરદુખ વાલ્યાં તાંહિં. જેસલમેર ખડતરને ધીર, નવિ હાંડ્યો વહે શુભ પહિં; બાજઠ પૂજા હોય આજ, વિદ્યાસાગરની વાધી લાજ. તેણિ બાજઠિ નવિ બેઠો હીર, વિદ્યાસાગર મોટો ધીર; એહની વાત તુહે નવિ થાય, જિનશાસન જેણે આવ્યું ઠાય. Page #549 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 533 વીરમગામેં જેણે કીધો વાદ, પાસચંદ્રનો ઉતાર્યો નાદ; માલવદેશ ઉર્જાણી જ્યાંહિ, આનંદવિમલસૂરિ પુર્હતા ત્યાહિં. (ગુર્નાવલિ) પૂ. આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર જૈન જનતા ઉપર અનેકવિધ છે. આજે વિદ્યમાન ઘણાં મંદિરોમાં તેમના હાથે અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ ઉક્ત સૂરિ દ્વારા ને તેમના પરિવાર–સૂરિપુંગવોના હાથે થયેલી નજરે પડે છે. પરમ તારક પરમાત્માની પવનપાવની પ્રતિમાના ઉત્થાપક વર્ગના પ્રાદુર્ભાવ સાથે જ પરમ તારક પ્રતિમાનો પાવન પ્રચાર પણ પૂજ્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે અને તેઓના સંતાનીય શિષ્યોએ ખૂબ જ કર્યો ને જે બાળજનતા પૂર્વે થયેલ તીર્થંકર ભગવાનનો ઉપકાર, મુદ્રાકૃતિ અને જીવન પ્રતિમાનાં દર્શન સાથે પોતાના જીવનમાં લાવી જીવનપથને ઉજમાળવાની પુનિત ભાવના હૃદયમાં પામતાં શીખ્યો. ગુરુના ફોટા, દસ્તાવેજો, પુસ્તકોનાં લખાણો, ચલણી નાણા ઉપરના સિક્કાઓ અને જીવનમાં ડગલે ને પગલે વસ્તુની સ્વરૂપદર્શક આકૃતિઓનો ઉપયોગ માનવા છતાં પરમ તારક ભગવાનની વિદ્યમાનતા અને તેના વચને વચનને સત્ય માનવાની શ્રદ્યણારૂપ સમ્યકત્વના લક્ષણને સ્વીકારવાનું માનવા છતાં તેની જ પ્રતિમા યા સ્વરૂપદર્શક આકૃતિને ન માનવી તે કેટલી જડતા, બુદ્ધિહીનતા, પામરતા અને મહામિથ્યાત્વ છે તે હેજે સમજી શકાય છે. ભગવાનની પ્રતિમા ન માનનાર કે તેના સ્વરૂપને ન સ્વીકારનાર ભગવાનના શાસનનો કઈ રીતે આરાધક થઈ શકે? - હંમેશાં ગમે તેવા વિચક્ષણ પુરુષને પણ તદાકૃતિ રજૂ કરવાને અવલંબનની જરૂરિયાત હોય જ છે; તો બાળજનતાને તેની અપેક્ષા કેમ ન હોય? આજે જે જૈનધર્મના પૂજા, સેવા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપશ્ચર્યા કે બીજા ક્રિયાકાંડો બાળજીવનને ધર્મમાર્ગમાં જોડવામાં એટલા બધા ઉપયોગી છે કે જો તેવી વિચારણા પૂર્વાચાર્યોએ વિચારી ન હોત તો ધર્મની ઝાંખી પણ લાંબો વખત ન ટકત. જિનસારિખી જિનપડિમા – એ સૂત્રને જીવનમાં પચાવી સ્થળે સ્થળે જ્યાં જૈન ત્યાં જિનપ્રતિમાનો પાવન પ્રચાર ઉક્ત સૂરીશ્વરજીના હાથે થયો અને તેમાં પ્રભુત્વ આરોપણ કરી પ્રતિમાઓના પૂજનથી જનતાને જીવનપાવિત્ર્યમાં ઝૂલતી કરવાનો ઉપકાર આજે પણ ન ભૂલી શકાય તેવો તેમનો છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે અનેક ભવ્યાત્માઓને પોતાની અમૃતમય દેશના વડે પ્રતિબોધ કરીને અજમેરુ, સાંગાનયર, જેસલમેર, મંડોવેર, નાગોરી, નાડલાઈ, સાદડી, શિરોહી, પલિતાણા, જૂનાગઢ, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સુરત, વીસનગર, વડનગર, વિજાપુર,પેથાપુર, જોધપુર, આદિ અનેક નગરોમાં અંજનશલાકાઓ ને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. અને Page #550 -------------------------------------------------------------------------- ________________ 534 તપાગચ્છાધિષ્ઠાયક જેસલમેરમાં સાધુવિહારના અભાવને કારણે ત્યાંના દેરાસરોનાં બારણાં બંધ થઈ ગયાં હતાં ને તેથી ત્યાં મુમતીઓનો ઘણો પ્રચાર થવાથી દેરાસરે કાંટા નંખાવ્યા હતા તે પણ પૂ. સૂરીશ્વરજી મહારાજે ત્યાં ઉગ્ર વિહાર અને ઉગ્ર તપશ્ચર્યા કરીને મુમતીઓના મતનું ખંડન કરી તેઓને વાદમાં જીતી ૬૪ –ચોસઠ જિનપ્રસાદો ઉઘડાવ્યા ને તે તે જિનમંદિરોમાં પૂજા શરૂ કરાવી અનેક ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી સમ્યકત્વ પમાડી જૈનશાસનની વૃદ્ધિ કરી હતી. હજી પણ તે તે જગ્યાઓએ પૂ. આચાર્યદેવના હાથે થયેલાં મહાન કાર્યોના અવશેષો સાક્ષી પૂરે છે. આ રીતે શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ જેવા તપાગચ્છના ઉત્પાદક શ્રીમદ્ જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહા તપસ્વી હતા ને શ્રીમદ્ આચાર્ય વાદીદેવસૂરીશ્વરજી મહારાજ જેવા વાદી હતા. તે ઉપરાંત ઉગ્ર વિહારી, મહાન ક્રિયોદ્વારક, સંવેગરંગી અને મહાન પ્રભાવક હતા અને તેઓની સેવાને માટે દેવો પણ ઝંખના કરી રહ્યા હતા. ચિતોડમાં ઓસવંશની વૃદ્ધશાખામાં સારણદેવ નામનો પુરુષ થયો. તે જૈન આમરાજાનો વંશજ હતો, તેના સૌથી નાના પુત્ર તોલાશાહ મેવાડના મહારાણા શ્રી સાંગાજીના પરમ મિત્ર હતા. એક સમય સંઘવી ધનરાજનો સંઘ આબુ વગેરેની યાત્રા કરતો મેવાડ આવ્યો. તોલાશાહે શ્રી ધર્મરત્નસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે શત્રુંજય પર સમરાશાહે સં. ૧૩૭૧માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક સ્વેચ્છાએ પુનઃ કોઈ સમયે ખંડિત કરેલું તેનો ઉદ્ધાર કરવાનો મારો મનોરથ સિદ્ધ થશે કે નહિ. ગુરુદેવે કહ્યું, તારો પુત્ર કર્માશાહ તેનો ઉદ્ધાર કરશે. તું નહિ. ગુજરાતનો શાહજાદો બહાદુરખાન ચિતોડ જતાં ચિતોડગઢના મંત્રી દોશી કર્માશા શેઠને કાપડનો મોટો વેપાર હોવાથી તેમની પાસેથી પુષ્કળ કાપડ ખરીદતો અને આથી બન્ને વચ્ચે એક વખત મૈત્રી થઈ. એક વખત શાહજાદાને ખર્ચી ખૂટવાથી મંત્રી કર્માશાહે એક લાખ રૂપિયા બિનશરતે આપ્યા. - જ્યારે તે શાહજાદો અમદાવાદની ગાદીએ આવ્યો ત્યારે કર્માશાહ આદાવાદ આવ્યા. બાદશાહે તેમનું સન્માન કર્યું. શત્રુંજય તીર્થ મહા પુનિત ભૂમિ છે, અસંખ્ય આત્માઓ એ તીર્થયાત્રાથી કલ્યાણ સાધી ગયા છે, એ સિદ્ધાચલ મંદિરોનું મહાનગર છે, પૃથ્વી પરનું સ્વર્ગભવન છે. આવા પ્રભાવશાળી તીર્થની પ્રતિષ્ઠા અને તીર્થોદ્ધાર એ મહામૂલી વસ્તુ છે. ગુરુદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ આ પવિત્ર તીર્થસ્થાનની જીર્ણ દશાથી ભારે ચિંતિત હતા. તેઓશ્રી વારંવાર મંત્રી કર્માશાહને ઉપદેશ આપતા ને પ્રેરણા કરતા હતા. આ પ્રેરણા અને ઉપદેશને મનમાં ધારી મંત્રી કર્માશાહ બાદશાહને પવિત્ર તીર્થસ્થાનની વાત કરી એટલે બદશાહે તે તીર્થની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર માટેનું તુરત ફરમાન આપ્યું. ત્યારબાદ કેટલીક મદદ પણ માગી તે પણ તેમને મળી ને મંત્રી કર્માશાહે સંઘ કાઢ્યો. ગામેગામ જૈન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ, દરિદ્રીઓને દાન, સાધુસાધ્વીની સેવા, હિંસાનું નિવારણ કરતાં ખંભાત થઈ શત્રુંજય આવી પહોંચ્યા. ગૂર્જરવંશના રવિરાજ અને નૃસિંહ એ બને સૂબાના મંત્રી હતા. તેમણે પણ કસ્મશાહને ઘણી સહાય કરી. મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મમ્માણી ખાણના પાષાણખંડો Page #551 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ભૂમિગૃહમાંથી કઢાવી તેની શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિમા બનાવરાવી સર્વ સંઘોને આમંત્રણો મોકલી સંઘવી કર્માશાહે શ્રી સિદ્ધગિરિરાજનો સોળમો ઉદ્ધાર પોતાના પરમ ઉપકારી જગદ્ગુરુ શાસનસમ્રાટ જંગમ યુગપ્રધાન, સૂરિચક્રચક્રવર્તી વાદિમર્દન શાસ્ત્રવિશારદ પ્રાતઃસ્મરણીય તપાગચ્છાધિપતિ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજાધિરાજના હસ્તે વિક્રમ સંવત ૧૫૮૭ ના વૈશાખ વદ ૬ ને રવિવારે કરાવ્યો, તે હજુ સુધી ચાલ્યો આવે છે. સૂરિજીએ શાસન–ઉન્નતિનાં અનેક કાર્યો કર્યાં છે. પોતાના વરદ હસ્તે અનેક રાજકુમારો, શ્રેષ્ઠીપુત્રો અને બીજા અનેક અન્ય દર્શનીય ૫૦૦–પાંચસો ભવિ વિદ્વાનોને પ્રભુ મહાવીરના ત્યાગધર્મના પુનિત પંથવાળી દીક્ષા આપી હતી તે વખતે મહાપુરુષ તપાગચ્છાધિપતિ વાદિમદમર્દન શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની આજ્ઞામાં ૧૮૦૦–અઢારસો સાધુઓ વિચરતા હતા. સાધુપણાની બધી જવાબદારીઓ પૂરી કરી, આચાર્ય તરીકેની ફરજમાં હંમેશ પ્રવૃત્ત રહેવું, ગામેગામ વિહાર કરી ભવિજીવોને પ્રતિબોધવા, શાસન–ઉદ્ધારનાં કાર્યો કરવાં અને તે ઉપરાંત કુમતવાદીઓને જીતવા તથા લોકોને જૈનધર્મનો પ્રબોધ પમાડવો —તે બધું કરવા સાથે સાધુપણાને યોગ્ય જીવનશોધનને માટે અને જિતેંદ્રિય થવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરવી એ પણ મહા—ઉપયોગી કર્તવ્ય છે. 535 શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મહાન તપશ્ચર્યાઓ પણ કરી છે. ચૌદ વર્ષ સુધી જઘન્યથી નિયત તપો વિશેષ કર્યાં પછી છટ્ટના તપનો અભિગ્રહ લીધો એટલે છઠ્ઠને પારણે આયંબિલ યાવત્ જીવ સુધી કર્યાં. તે પહેલાં આચાર્યશ્રીએ ૧૮૧ ઉપવાસ, વીસ વાર વીસ સ્થાનક તપ, ૪૦૦ ચોથવળી સ્થાનક તપ કરી છ‰ કર્યા, વીસ વિહરમાનના ૨૦–વીસ છઠ્ઠ, પ્રભુના ૨૨૯--બસો ઓગણત્રીસ છટ્ટ કર્યા. તે ઉપરાંત પહેલા કર્મના ૧૨ વાર પાંચ ઉપવાસ, બીજા કર્મના નવ વારના ઉપવાસ, દશમા અંતરાયના ૧૨ વાર પંચ-ઉપવાસ, મોહનીયના ૨૮–અઠાવીસ અઠ્ઠમ વેદનીય, ગોત્ર અને આયુષ્યના આઠ આઠ દશમ કર્યાં અને એક નામકર્મનું તપ બાકી રહ્યું તે ન થઈ શકયું તેથી તેનું તેમને ભારે દુ:ખ રહ્યા કર્યું. એનો ઉલ્લેખ નીચે પ્રમાણે ( ગુર્વાવલીમાં ) મળે છે = એહવો આણંદ વિમળસૂરી જેહ,જયમલ છઠ તપ કરતો તેહ; ચોથ છઠ્ઠ તમેં ગહ ગહી, વીસ સ્થાનક આરાધે સહી. ચોથચ્યારસે છઠસેંચ્ચાર, વીસ સ્થાનક સેવ્યાં બે વાર; વિહરમાન ધાર્યા જગીસ, તેહના છઠ્ઠ કર્યા ગુરુ વીસ. એહવા આઠ કર્મ જે શિરે, ટાળવા તપથા ગુરુ કરે; પરિસહ બાવીસ પ્રેમે ખમે, રાત દિવસ જિન વચને રમે. ૧. આ જીર્ણોદ્ધાર સંબંધી ઉલ્લેખ વીરવંશાવળી, તથા પંડિતવર્યશ્રી ગુણવિજય ગણિકૃત કલ્પસૂત્ર લઘુ વૃત્તિમાં તથા જૈન તીર્થોનાં ઇતિહાસમાં છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ 536 તપાગચ્છાધિષ્ઠાયક વિગય પાંચનો કરે પરિહાર, વિગય એક વૃત કદી આહાર; લીલોતરી મીઠાઈ જેહ, ગુરુ વછરાગી ત્યાગ કરેહ. ધન્ય છે આવા મહાન ઉગ્ર તપસ્વી, ત્યાગી, વૈરાગી, ઉગ્રવિહારી, ક્રિયોદ્ધારક, શત્રુંજય તીર્થ સોલમોદ્ધારક, શાસનપ્રભાવક, શાસનસમ્રાટ આચાર્યશિરોમણિને! નામ તેનો નાશ – આ અટલ નિયમમાંથી કોઈ બચી શકતું નથી, છતાં જેનો નાશ થવા છતાં જેમનાં નામ વર્ષોનાં વર્ષો સુધી ગવાય, જેમનાં સંસ્મરણો ને ગુણાનુવાદ સંભાળી વારંવાર જેમના જીવનપથને તાજો કરવામાં આવે તે નાશ પામ્યા હોવા છતાં ખરી રીતે તેમનો કાર્યદેહ આજે પણ તેમના સાક્ષાત્ જીવન જેટલો જ પ્રભાવ પાડે છે. જેના જીવનપથ રૂપ પવિત્ર સ્થાનમાંથી અનેક પરમપાવની ગંગાસ્વરૂપ સત્કાર્ય પ્રવાહો અસ્મલિત વહેતા હોય અને જેના ગયા પછી પણ તે પ્રવાહો ચિરસ્થાયી વહન કરતા હોય; જેનું જીવનપવિત્ર અનેક જીવના આદર્શરૂપ હોય તે મહાપુરુષ મર્યા છતાં જીવંત જ ગણાય છે, કારણ કે તેનો આદર્શ સદાને માટે જગતમાં વિસરાતો નથી. ગમે તેટલી મોટી આયુષ્ય સ્થિતિવાળા મહાપુરુષો, ખુદ પરમાત્મા ઋષભદેવ અને મહાવીર પ્રભુ જેવા પણ આ જગતમાં કાયમી ટકી જગતને લાભ ન આપી શક્યા તો પછી આ મહાપુરુષ પણ જગતના પાપ-જીવનને વધુ વખત શા કારણે જોવા માટે રહી શકે ? તેઓશ્રીના શરીરને પણ દુનિયાના ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ તત્ત્વત્રયીએ પ્રભાવ દેખાડ્યો, અને તેમનું શરીર દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગ્યું. આખરે ગુરુ મહારાજ (રાજનગર) અમદાવાદમાં આવેલ નિજામપુરમાં પધાર્યા બાદ દિવસે દિવસે ખૂબ જ અશક્ત બન્યા. શ્રીસંઘે ગુરુભક્તિને લઈને ગુરુવર્યના ખૂબખૂબ ઉપચાર કરી ગુરુભક્તિ દેખાડી પણ અટલ નિયમ આગળ સૌ અશક્ત હતા અને આખરે જીર્ણ થયેલ દેહને છોડી તેમાં બિરાજતો ઝળહળતી જ્યોતવાળો આત્મા દેવલોકના દેવોને મનુષ્યલોકની માફક લાભ આપવા માટે નવ ઉપવાસના અનશન પૂર્વક વિક્રમ સંવત ૧૫૯ના ચૈત્ર સુદિ ૭ના પ્રભાત સમયે ચાલ્યો ગયો. પ્રકૃતિ અને વિકૃતિના સ્વરૂપને સારી રીતે સમજતો હોવા છતાં તેમનો શિષ્ય-પ્રશિષ્યાદિ વર્ગ અને શ્રી સકળ સંઘ મહાપુરુષના સ્વર્ગવાસથી લાભવંચિત થવાને લઈ ખૂબ ખૂબ તે મહાપુરુષની પ્રશંસા કરવા સાથે પોતાની નિંદના પૂર્વક દુ:ખી થયો. આખા રાજનગરમાં હાહાકાર વર્તાયો, શ્રીસંઘનાં નયનોમાંથી ચોધાર અશ્રુધારા વહી રહી હતી, સૌના મુખ આજે દુ:ખરૂપી વાદળથી ઘેરાયેલા જણાતા હતા. ગુરુદેવના વિરહથી તેઓ દુઃખના સાગરમાં ડૂળ્યા હતા. આજે જૈન શાસનનો સૂર્યદેવ અસ્ત થયો હતો ને સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો. જ્યારે ગુરુદેવના સ્વર્ગવાસની વાત દરેક દિશામાં દેશદેશોમાં ફેલાઈ ગઈ ત્યારે લોકોના એટલે જૈન જૈનેતર તમામનાં મન ઘણાં દુભાવા લાગ્યાં ને પૂ. ગુરુદેવના વિરહ માટે તેમને લાગી આવ્યું. પણ જ્યાં આયુષ્યની દોરી તૂટે ત્યાં શો ઉપાય ? પૂ. આચાર્યદેવનો નિર્વાણમહોત્સવ અમદાવાદ (રાજનગર)ના સકળસંઘે કર્યો. આજે તમામ આલમ પૂ. સૂરિદેવના નામને માનની લાગણીથી સંભારે છે. તેઓ આજ નથી છતાં પૂ. આચાર્યદેવનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરોમાં અંકિત છે. ધન્ય હો આવા ત્યાગી ગુરુદેવોને ! અસ્તુ. આટલું લખી વિરમીએ છીએ, ૩ૐ શાન્તિ !!! Page #553 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 537 प्रत्यक्ष-प्रभावी श्री माणिभद्रवीर अष्टप्रकारा पूजा रचयिता पू .आ. श्री चन्द्राननसागरसूरि जलपूजा दोहा जय कारक जयवंत है, महि मंडल के देव । व्यंतर नरनारी सभी, तुज पद करते सेव ॥१॥ इच्छा पूरण तु घणी, कल्पतरु सम वीर । जग जंजाली जीवने, ले जाय जल तीर ॥२॥ वरदायक वसुधा परी, समय सुधा आधार । व्यंतर भूत प्रेतादि भगे, प्रसरे प्रेम उद्धार ॥३॥ नगर उज्जैन बिराजिया, आगलोड आवास । मगरवाडे प्रमावसु, तीनों लोक प्रवास ॥४॥ जलचन्दन अरु पुष्पसु, धूप दीप मनोहार । अक्षत-नैवेद्य फलतणी, पूजा अष्ट प्रकार ॥५॥ जलपूजा ढाल पहेली राग - प्रभु तुज शासन अति भलुं कल्पतरु- चिंतामणि, इच्छा पूरणहारा रे । मणिभद्र सेवा करी, संपत्तिने वरनारा रे ॥ कल्पतरु ॥ अधिष्ठायक जिन देवना, समकितधारी देवा रे ।। आभ्यन्तर गुण ऊपजे, पावो अमीरस मेवा रे ॥ कल्पतरु ॥ (२) पंनरवी सदी में जनमिया, नगर उज्जैनी मांही रे ॥ माणकशाहना नामसुं, ख्याति जगमें पाही रे ॥ कल्पतरु ॥ धारानगरी परणिया, रतिप्रिया भरतार रे । वंश ओसवाल उजागरु, हीरारा व्यापारी रे ॥ कल्पतरु ॥ धर्मध्यान जिन पूजना, तप जप ध्यान योगो रे । माता विनय घणी नम्रता, सुर पेरे मोगे मोगो रे ॥ कल्पतरु ।। Page #554 -------------------------------------------------------------------------- ________________ 538 તપાગચ્છાધિષ્ઠાયક पूर्व पुन्य उदय थकी, सिद्धि रिद्धि भंडारो रे । दर्शन गुरु दर्शन दियो, चन्द्रानन आधारो रे ॥ कल्पतरु ॥ मंत्र : ॐ ह्रीं श्री माणिभद्राय सर्व मंगल कराय सर्व व्याधि दुष्ट ग्रहोपसर्ग हरणाय, महाभीति विनाशाय जलेन प्रक्षालयामि स्वाहा (जल चढाना) चंदन पूजा दूसरी ढाल दोहा सरस सुगंधी- चंदने, केसर केरी सुवास । माणिकभद्र पूजा करूं, मन आणी उल्लास ॥ ढाल राग - मन मोहनजी हेमविमलसूरि आविया, मनमोहनजी । नगर उज्जैन मझार, मनडे वसिया रे, मनमोहनजी ॥ काउसग्ग ध्याने देखिया, मनमोहनजी । धन्य तपस्वीराज, मनडे वसिया रे, मनमोहनजी ॥ . (२) ज्ञान ध्यान क्षमा आगरु, मनमोहनजी । . स्वाध्याये लयलीन, मनडे वसिया रे मनमोहनजी ॥ माणकशाह शंका हती, मनमोहनजी । उत्तर गुरु समाधान, मनडे वसिया रे मनमोहनजी ॥ (४) श्रद्धा अंतर उपनी मनमोहनजी । व्रती बन्या गुणवान मनडे वसिया रे मनमोहनजी ।। गुरुमुख वाणी सामले मनमोहनजी । धर्म ध्यान लयलीन, मनडे वसिया रे मन मोहनजी ॥ Page #555 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 539 गुरु दर्शन नित्यानंदसु, मनमोहनजी । चन्द्रानन आधार, मनडे वसिया रे मनमोहनजी ॥ मंत्र : ॐ ह्रीं श्री माणिभद्राय सर्व मंगल काय सर्व व्याधि, दुष्टग्रहोपसर्ग हरणाय, महाभीति विनाशाय, रिद्धि वृद्धि, कुरु चंदन समर्पयामि स्वाहा । पुष्पपूजा दोहा जाई, जुई, केतकी, पुष्प सुगन्धि लाय । भाव धरी चरणे धरूं, भक्तिरंग प्रगटाय ॥ तीसरी ढाल राग - ए व्रत जगमें दीवो सिद्धाचल की महिमा मोटी, हेमविमलसूरि भाषे । नगर आगरा - चातुर्मासे । आगमवाणी साखे, मेरे प्यारे, सिद्धाचल गिरि वंदो ॥ व्यापार हेतु माणकशाह पण, नगर आगरा आवे । गुरुजी चातुर्मास सुणीने, स्थिरता आनंद पावे, मेरे प्यारे, सिद्धाचल गिरि वंदो ॥ छरी पालित यात्रा करतां त्रीजे भव मोक्षे जावे । वाणी सुणी मनडो हरखाणो, भावना गुरुने बतावे । मेरे प्यारे, सिद्धाचल गिरि वंदो ॥ एकासणे बेला तेला करतां, पगपाले हैं चाले । भूमि संथारो स्वाध्याय करतां, जीवदया नित पाले । मेरे प्यारे, सिद्धाचलं गिरि वंदो । कार्तिक पूनमें यात्रा करवा, माणकशाह रे चाल्या । मगरवाडा जंगल माही, चोरे शेठने भाल्या । मेरे प्यारे, सिद्धाचल गीरी वंदो ॥ वन वगडा में चौर मल्या है शेठने देख हरखाया । दर्शन नित्यानंद प्रभावे । चन्द्रानन पद पाया । मेरे प्यारे, सिद्धाचल गिरि वंदो ॥ मंत्र ॐ ह्रीं श्री माणिभद्राय सर्व मंगल कराय सर्व व्याधि दुष्टग्रहोपसर्ग हरणाय महा भीति विनाशाय ऋद्धि सिद्धि कुरु पुष्पाणि यजामहे स्वाहा । Page #556 -------------------------------------------------------------------------- ________________ 540 धूपपूजा दोहा मनवांछित इच्छा फले, टले दुख और व्याध । धूप धूपावी सम्मुखे, माणिभद्र आराध ॥ चोथी ढाल राग - चिरमी बाबारी लाडली वन वगडा में आविया, शेठ मगरवाडे आप | धन धन धरती हुई ॥ (१) सिद्धाचल आदिनाथ का, नित मनमें धरता ध्यान । धन धन धरती हुई ॥ (२) वारकरी शिर कापियुं, धड काप्युं दूजी वार । धन धन धरती हुई ॥ (३) शिर उज्जैन, आगलोड में, धड पूजी जे आज । धन धन धरती हुई ॥ (४) मगरवाडे पिंडी पूजन, व्यंतरेन्द्र बने हैं आप । धन धन धरती हुई ॥ (4) यक्षेन्द्र माणिभद्रजी, पूजे हैं परचावंत । धन धरती हुई ॥ (६) दर्शन नित्यानंद गुरु, चन्द्रानन हाजर हजूर । धन धन धरती हुई ॥ તપાગચ્છાધિષ્ઠાયક मंत्र ॐ ह्रीं श्री माणिभद्राय सर्व मंगल कराय, हस्तिवाहनाय, सर्व सिद्धि कराय । सर्वोपद्रव विनाशाय वृद्धिं कुरु धूप आघ्राय स्वाहा ॥ Page #557 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 541 दीप पूजा दोहा करुं दीपकसुं पूजना, आतम जग प्रकाश ॥ मनोकामना फलवती, संपत्ति घर निवास ॥१॥ ढाल पांचमी राग-मत वावो मारा परण्या जीरो । यह अवसर कैसो आयो चित्त भ्रमित मुनि बनायोजी । भैरव उत्पात मचायो ॥ हेमविमलसूरि आराधन से, संकट सभी मिटायोजी । शासनरी शान बढाई ॥ (२) त्याग-तपस्या-मंत्र प्रभावे, वीर माणिभद्र आयाजी । निज आतमरा पर भावे ॥ (३) आधि व्याधि ने रोग निवारी. शासन विरुद धरायोजी । शुभ आनंद रंग वरसायो ॥ . वासक्षेप माणिभद्र नामसुं, कार्य सिद्ध उपजायोजी । इच्छित फल के दातारी ॥ माणिभद्र अभिषेक स्पर्शसु, बाधाये टल जावेजी । पृथ्वी पर तरल विहारी ॥ दर्शनसागर नित्योदयसुं, चन्द्रानन पद पायोजी । आनंदघन आप वरसायो । मंत्र ॐ ह्रीं श्रीं माणिभद्राय, सर्व विघ्न हराय, मंगलकराय सर्वव्याधि दुष्टारि हरणाय रिद्धि सिद्धिं कुरु दीपं दर्शयामि स्वाहा । Page #558 -------------------------------------------------------------------------- ________________ 542 अक्षत पूजा दोहा श्याम वरण अति शोभता, अजमुख आप प्रमान । प्रिय दर्शन मुझ मन वस्या, धरूं निरंतर ध्यान ॥१॥ छ राग - पहले डुंगरीये मै तो आदिनाथ वांदु ॥ रिद्धि सिद्धि का दाता, माणिभद्र गावं । रायणतरु शाखा मुखमें राखे, जिन शासन धोरी ॥ ध्यान लगावुं ॥ તપાગચ્છાધિષ્ઠાયક (2) मस्तक मुकुट हीरा मोतीनो सोहे । गले मोतियन माला मोहे, जिन शासन धोरी -ध्यान० (२) सिद्धाचल देरी धारी, छ भुजधारी ॥ त्रिशूल डमरू डम डम बाजे, जिन शासन धोरी ध्यान० (३) मुद्गल, अंकुश, नागने धारी । ऐरावत हाथी वाहन स्वारी जिन शासन धोरी ध्यान ० (४) चौसठ योगिनी बावन वीररा राजा । बीस हजार देव स्वामी, जिन शासन धोरी (५) पूर्व ज्योति आप पूर्ण प्रभावी । अवधिसम आतमज्ञानी, जिन शासन धोरी (६) - ध्यान ० ध्यान ० दर्शन नित्योदय समकितधारी, चन्द्रानन सरल परणामी जिनशासन धोरी - ध्यान ० मंत्र ॐ ह्रीं श्रीं श्री माणिभद्राय सर्व मंगल कराय सर्व दुष्ट ग्रह भूत पिशाच व्याधि हरणाय अक्षतं समर्पयामि स्वाहा । ( अक्षत का साथिया करना ) Page #559 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ फलपूजा दोहा फल पूजा करूं भावसु, फलसे फल निरधार । माणिभद्र मुझ मन वस्या, अर्पण फल उपहार ॥ ढाल सातम राग - सांभलजो मुनि संयम रागी ॥ कलियुग में चिंतामणि सरीखो, माणिभद्र जसवंतोजी । मालव देश वरदान देवतो, दुष्काल नहीं रे पडतोजी ॥ कलि० (२) तपगच्छ स्वामी देव प्रतापी, नगर उज्जैन विहारीजी । नरनारी मिल मंगल गावे, निर्धनिया आधारोजी ॥ कलि०. (३) मगरवाडे तीरथ स्थाप्यो, प्रत्यक्ष परचो दीधोजी । देश विदेशी यात्री आवे, निज कारज सब सिद्धोजी ॥ कलि० (४) तीन भुवन के तेजस्वी राजा, महियल मेरु समानाजी । भेरी - भुंगल - सरणाई वाजे, वाजिंत्र अपरंपाराजी ॥ कलि० (५) सुखडी चढे फल पूजा पूजी, मनवांछित फल पावेजी । कामकुंभ चिंतामणि सरीखो, चित्रावेल आलेखेजी ॥ कलि० (६) दादागुरु दर्शन कर पायो, नित्योदय गुणवंताजी । चंद्राननसूरि प्रत्यक्ष कीनो, अर्धरात्री अभिरामोजी ॥ कलि० मंत्र ॐ ह्रीं श्रीं श्री माणिभद्राय हस्तिवाहनाय, षष्ट मुजाय अजमुखाय, सर्व आनंद कराय, रिद्धि वृद्धि राय तपागच्छ अधिष्ठायक देवाय फलानि समर्पयामि स्वाहा । ( फल चढाना) 543 Page #560 -------------------------------------------------------------------------- ________________ 544 તપાગચ્છાધિષ્ઠાયક नैवेद्य पूजा दोहा नैवैद्य पूजा वीरनी, करतां आनन्द होय । माणिभद्र गुण गावतां, रिद्धि पावे सहु कोय ॥१॥ ढाल आठमी राग - पणिहारी आठमी पूजा प्रेमसु, भवि करीयेजी। निर्मल आतम होय, प्राणीजी ॥ संवत सतरे तेतीसमें, भवि करीयेजी । महासुद पांचम जाण, उद्धारीजी ॥ आगलोड नगरे स्थापना भवि करीयेजी । शांतिसोम सूरि जाण, प्राणीजी ।। प्रत्यक्ष कीधा माणिभद्रजी, भवि प्राणीजी । अट्ठम तप धरनार, प्राणीजी ॥ . मंत्र जपे सवालक्षसु भवि प्राणीजी । ॐ ह्रीं श्रीं युत जाण, प्राणीजी ॥ दर्शन नित्योदय मिले भवि प्राणीजी । चन्द्रानन आधार, प्राणीजी ॥ मंत्र ॐ ह्रीं श्रीं श्री माणिभद्राय क्षेमंकराय, कल्याणकराय अखंड सौभाग्य कराय सर्व सम्पत्ति वृद्धि कराय नैवेद्यं समर्पयामि स्वाहा । (नैवेद्य चढाना) Page #561 -------------------------------------------------------------------------- ________________ Cra યક્ષરાજશ્રી માણિભદ્રદેવ उ गायो गायो गायो रे माणिभद्रवीर गुण गायो । (2) अखंड प्रताप अद्भुत महिमा, आनंद धन वरसायो । आराधन कर इच्छित फलने, नरनारी सहु पायो रे ॥ माणि० (२) रवि - मंगल - गुरूवार मनोहर, सुद पांचम दिन ठायो । आठम चौदस आयंबिल करतां, वीर साधता छायो रे || माणि० (३) भूत-प्रेत- शाकन- अरिदल, शमन करे क्षण मायो । शत्रु ग्रह रोग टल जावे, सुरतरु सम सरसायो रे ॥ माणि० - (४) आगम उद्धारक आनंदसागरजी, ज्ञानी अध्यातम पायो । आचामल तपोनिधिपूरा चन्द्रसागर गुण गायो रे || माणि० (५) मालवदेश उद्धारक ज्ञानी, धर्मसागर गुरु रायो । व्याकरण विशारद धीर गम्भीरा, महोदयसागर दीपायो रे ॥ माणि० (६) शांत स्वभावी करुणासागर, दर्शनसागर हरखायो । संगठन प्रेमी अपूर्व उपदेशी नित्योदय वरसायो रे ॥ माणि० (७) मुंलुंड सर्वोदय नगरीमें, पार्श्वप्रभु सु पसायो । . स्वर्गतुल्य अरु देव विमानसम, मंदिर सुन्दर पायो रे ॥ माणि० (c) विक्रम संवत दो सहस्र अरु, त्रेपन वर्ष सुहायो । श्रावण शुक्ला पंचमी दिवसे, रचना रम्य रचायो रे ॥ माणि० (९) नाहर और शेठ परिवारे, रचना रम्य बनायो । सुखराज पृथ्वीराज माणकचंद, मांगीलाल हरखायो रे ॥ माणि० (१०) लक्ष्मी केरो लाहो लीधो उपधान तप है करायो । चन्द्राननसूरि चौमासामें, मंगल तूर बजायो रे ॥ माणि० 545 Page #562 -------------------------------------------------------------------------- ________________ 546 સંપાદકીય અત્રે બે મહાપૂજનોનો સમાવેશ કરેલ છે ઃ (૧) શ્રી માણિભદ્રવીર મહાપૂજન અને (ર) શ્રી માણિભદ્રવીર વિશિષ્ટ મહાપૂજન (આહુતિવિધાન). આ બંને મહાપૂજનો સ્વતંત્ર કક્ષાનાં છે અને આ રીતે સર્વપ્રથમ વાર જ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. આ એક નવું જ સંશોધન અને સંપાદનકાર્ય છે. હોમ-હવન—વિધાનોની દિશામાં આ રીતનો જાહેર પ્રયત્ન સર્વપ્રથમ વાર જ છે. જાહેરમાં આ વિધાનો ઓછાં પ્રચલિત હોવા છતાં પણ, ખાસ પ્રસંગો પર, આ પ્રકારનાં વિધાનોની અતિ અનિવાર્યતા અને આવશ્યકતાને સહુ કોઈ જાણે-અજાણે સ્વીકારતા જ હોય છે. આ પ્રકારનાં વિધાનો વિના મહત્ત્વની વિધિઓ અપૂર્ણ રહેતી હોય છે તે પણ સત્ય વાત છે. . શ્રી માણિભદ્રવીર મહાપૂજન —સંશોધક : સંપાદક— પૂજ્યપાદ યોગદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજયઆનંદઘનસૂરીશ્વજી મ. સા.ના શિષ્ય મુનિ પ્રદિપચંદ્રવિજય મહારાજ મારા પૂજ્ય ગુરુદેવશ્રીને બંન્ને પૂજનવિધાનો તેના કાચા રૂપમાં પ્રાપ્ત હતાં અને તેના આધારે તેઓશ્રી એ વિધાનો જાહેરમાં વર્ષોથી કરાવી રહ્યા છે. પ્રથમ વિધાન તેઓશ્રીને નાડોલના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી જૂની હસ્તલિખિત પ્રતમાંથી અને દ્વિતીય વિધાન મારવાડ જંકશને વયોવૃદ્ધ સ્વ. યતિ શ્રી લબ્ધિસાગરજી ( કે જેમના હસ્તે ૨૦૦થી વધુ પ્રતિષ્ઠાઓ થયેલી હતી) પાસેથી પ્રાપ્ત થયેલ. તેઓશ્રીએ જ મને પ્રેરણા કરી કે માણિભદ્રવીરનાં વિધાનો વ્યવસ્થિત રીતે છપાવ." અને મેં આ બંને કાચા રૂપમાં રહેલા વિધાનોમાં રહેલી અશુદ્ધિઓ, અવિધિઓ, અપૂર્તિઓ અને અસંકલનાઓને પ્રતિષ્ઠાકલ્પ" આદિના આધારે સંશોધિત કરીને દૂર કરી, જરૂર પડવાથી કેટલીક જગ્યાએ નવીન શ્લોકો, સ્તોત્ર આદિને ઉમેર્યાં અને એ રીતે યથામતિ શક્ય તેટલી પૂર્તિ કરી.. " તપાગચ્છાધિષ્ઠાયક સંપાદક દ્વારા પ્રગટ થયેલ પ્રત (પુસ્તક)માં ત્રણ મહાપૂજનો આપવામાં આવેલ છે. તેમાં ' શ્રી ધરણેન્દ્ર—પદ્માવતી વિશિષ્ટ મહાપૂજન ( આહુતિ વિધાન) " આપેલ છે, જે અત્રે પ્રગટ કરેલ નથી. Page #563 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 547 જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં નવી વિધિઓની રચનાઓ –સંકલનાઓ અને પૂર્તિઓ કરીને એક સંપૂર્ણ વિધાન બનાવવાનો યથામતિ પ્રયત્ન કરેલ છે. આમ છતાં પણ, સજ્જનોનાં સૂચનો આવકાર્ય છે. ‘અનિવાર્ય એવા ખાસ પ્રસંગો પર " આહુતિ વિધાન” આવશ્યક હોય છે. તેને જ " વિશિષ્ટ મહાપૂજન" તરીકે અત્રે સમાવવામાં આવેલ છે. શુભ હેતુ અર્થે પ્રસિદ્ધ થઈ રહેલાં આ વિધાનોનો વિનાકારણે, જરૂર વગર, અનુભવ-જાણકારી સિવાય ગમે ત્યાં ઉપયોગ થવાથી લાભને બદલે નુકસાનનો પણ સંભવ રહેલો હોય છે તે જાણવા લાયક છે. શુદ્ધિઓ જાળવવાનો શકય તેટલો પ્રયત્ન કરેલ છે. જેનું પરિણામ નિરવ વ્યાપારમાં ફલિત થયું હોય, તેવા સાવધ વ્યાપાર પણ ઉપચારથી નિરવધ વ્યાપાર તરીકે, એક સાધનરૂપે ગણાવી શકાય છે અને ભવ્યોને ઈષ્ટસિદ્ધિનું કારણ એવો ભગવાનનો પુણ્ય પ્રભાવ મોટે ભાગે દેવકૃત હોઈ શકે છે. અને એટલે જ, જાગૃત અધિષ્ઠાયકો જે તે જિનેશ્વરપ્રભુની ભાવથી ભક્તિ કરનારાઓને તેમના મોક્ષમાર્ગને અલ્પવિનરૂપ બનાવવામાં પ્રાયઃ સહાયક બનતા હોય છે. સુશેષ કિં બહુના? ગોપ્ય ચીજો ગોપ્ય રહે તે વધુ ઠીક છે. આ વિષયમાં વધુ જિજ્ઞાસાપૂર્તિ માટે પૂછપરછ કરવાની જરૂર હોય ત્યારે સંકોચ વિના સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. આ કાર્યમાં સહભાગી થનારા સર્વેનો હું સાધુવાદ કરું છું. શાસનપ્રભાવનાનાં કાર્યોમાં અપ્રતિમ વૃદ્ધિ થાય તે રીતે એના વ્યાપક ઉપયોગ દ્વારા વધુ ને વધુ બંને મહાપૂજનો વધુ ને વધુ સ્થળે થયા કરે અને તે રીતે જનકલ્યાણમાં નિમિત્ત બને એ જ સુભકામના સાથે – -મુનિ પ્રદીપચંદ્રવિજય () શ્રી માળિદ્રવીર મહાદૂનનમ્ | (२) श्री माणिभद्रवीर विशिष्ट-महापूजनम् (आहुतिविधानम्) ॥॥ સામાન્ય દિશાસૂચન પ્રસ્તુત છે બે વિધાનો : (૧) શ્રી માણિભદ્રવીર મહાપૂજન અને (૨) શ્રી માણિભદ્રવીર વિશિષ્ટ–મહાપૂજન (આહુતિ વિધાન). બંને વિધાનો સ્વતંત્ર રીતે આપેલાં છે, અને એકબીજાથી સ્વતંત્ર રીતે કરાવી શકાય છે. બંને વિધાનો સંપૂર્ણ દિવસ પયંતનાં છે. જ્યારે માત્ર નં (૧) મુજબનું મહાપૂજન જ કરાવવું હોય ત્યારે Page #564 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક તે અને જ્યારે વિશિષ્ટ મહાપૂજનવિધિનો ઉપયોગ હોય ત્યારે તે, એમ બંને અલગ અલગ કરાવી શકાય છે. બંને સાથે જ કરવાં ફરજિયાત નથી; છતાં કરાવવાં હોય તો તેમ પણ કરાવી શકાય છે. 548 પ્રથમ વિધાન, શ્રી પદ્માવતીદેવી મહાપૂજનની જેમ જ જાહેરમાં, સંપૂર્ણ દિનપર્યંત ભણાવી શકાય છે. તેમ જ, શ્રી માણિભદ્રવીરની નૂતન પ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગે, આસો સુદ ૫ ના દિવસે, પૂર્વપ્રતિષ્ઠિત પ્રતિમાના ચૈતન્યીકરણ પ્રસંગે, તેમ જ વિશિષ્ટ પ્રસંગો પર બંને વિધાનો એક જ દિવસે સાથે પણ કરી શકાય છે. અને, જ્યારે બંને વિધાનો સાથે જ કરવાનાં હોય ત્યારે નિમ્ન બાબતો લક્ષમાં રાખવી યોગ્ય છે ઃ (અ) વિધિઓનો ક્રમ સામાન્ય રીતે નિમ્ન અનુક્રમે રહેશે – પ્રથમ સ્નાત્રપૂજા, પછી કુંભ–દીપસ્થાપન, ન્યાસ અને શુદ્ધીકરણવિધિ, અભિષેકમાર્જનવિધિ, પ્રાણપ્રતિષ્ઠા, આહ્વાન, સ્તોત્રપાઠ, અષ્ટપ્રકારી પૂજા, વેદિકા સ્થાપન-પૂજન, ગ્રહશાંતિ સ્તોત્ર, તિજયપહુત્તસ્તોત્ર, આહ્વાન, આહુતિક્રિયા છેક પૂર્ણાહુતિ સુધી, શાંતિકલશ, આરતી અને વિસર્જનવિધિ. (બ) ૧. અષ્ટપ્રકારી પૂજાનો મંત્ર એક અથવા સાત વાર બોલવો ને તે । મુજબ જે તે પૂજા કરાવવી. ૨. શ્રી માણિભદ્રવીરે પૂર્વજન્મમાં (માણેકશાહના ભવમાં) આસો સુદ ૫ ના શત્રુંજયની યાત્રાની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી આસો સુદ ૫ ( આ દિવસે આગલોડમાં મૂળ સ્થળમાં, વર્ષમાં એકવાર, નિયમિત રીતે બંને વિધાનો સાથે થાય છે.) અખાત્રીજ (વૈશાખ સુદ ૩) મહાસુદ ૫ (આગલોડમાં માણિભદ્રની સ્થાપનાનો દિવસ), રવિવાર, મંગળવાર, ગુરુવાર, સુદ પાંચમ, આઠમ અને ચૌદશ – આટલા દિવસો આ બંને વિધાનો કરાવવા માટે શ્રેષ્ઠ ગણી શકાય. ૩. જીવદયાની ટીપ અવશ્ય કરાવવી. ૪. આ વિધાનો શ્રી માણિભદ્રવીરની પૂર્વપ્રતિષ્ઠિત કે પ્રતિષ્ઠિત થઈ રહેલી નૂતન પ્રતિમાઓ, યંત્ર અથવા ચલિત પ્રતિમાઓ ઉપર કરવામાં આવે છે. ૫. જ્યાં આ વિધાનો થઈ રહેલાં હોય ત્યાંના પ્રત્યક્ષ અનુભવ પછી જો આ વિધાનો કરવામાં આવે તો ખૂબ સરળતા રહેશે. ૬. પૂજાદ્રવ્યો મૂકવા કે રાખવા માટે સ્ટીલ કે લોખંડના પાત્રનો ઉપયોગ ન કરવો. ૭. પૂજનમંડપ તથા મંગલઘરમાં રજસ્વલા આદિ મલિન સ્ત્રીની દૃષ્ટિ કે હાજરી તથા કાળા રંગના વસ્ત્ર આદિનો નિષેધ હોય છે. આ ખાસ ધ્યાનમાં લેવું. ૮. પૂજન અથવા મહોત્સવ દરમ્યાન દુઃખ, વૈરાગ્ય, વિલાપ, શોક, પશ્ચાત્તાપ વગેરે ઉત્પન્ન ન થાય તેવા અને આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ આદિ ઉત્પન્ન થાય તેવા પ્રકારનાં ગીતો, સંગીત, સ્તવનો વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ૯. કોઈપણ શુભ વિધિ-પૂજનના પ્રારંભમાં ત્રણ નવકારમંત્ર અથવા વજ્રપંજર સ્તોત્ર Page #565 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 549 બોલીને શરૂઆત કરવી. ૧૦. આ મહાપૂજનમાં અષ્ટપ્રકારી પૂજા ૧, ૯, ૨૭, ૧૦૮ વાર કરી શકાય છે અને તે પ્રમાણે સામગ્રી મંગાવવી જોઈએ. (૧) શ્રી મણિભદ્રવીર – મહાપૂનનમ્ | ॥ अथ श्री माणिभद्रवीर महापूजनविधिविधानम् ॥ મહાપૂજનના દિવસે સવારે સ્નાત્ર પૂજા ભણાવવી તથા ભગવાનની યથાશક્તિ આંગી કરાવવી. પછી, પૂજનની સર્વ સામગ્રી એકઠી કરી શુદ્ધ કરવી, અને તે સર્વે સામગ્રી ઉપર નવકારમંત્ર તથા શ્રી માણિભદ્રવીરનું સ્મરણ કરીને વાસક્ષેપ કરવો. ત્યાર બાદ શુભ મુહૂર્ત કુંભસ્થાપના વિધિ અને દીપકસ્થાપના વિધિ કરવી. (૨) અથ શુંમસ્થાપનવિધિઃ | પ્રથમ સ્નાનવિધિ કરી પૂજાનાં વસ્ત્રો પહેરવાં. મંત્રેલા કેસરનું તિલક કરીને નાડાછડી અને મીંઢળ બાંધવાં. હવે સૌભાગ્યવતી બહેન દ્વારા નિમ્ન વિધિ આખી કરાવવી: સર્વપ્રથમ ત્રણ નવકાર અથવા વજપંજર સ્તોત્ર બોલવું. કુંભસ્થાપનભૂમિ શુદ્ધ કરીને તેના પર બહેન પાસે કંકુનો સાથિયો દોરાવવો અને તેના પર સવાશેર ડાંગર અથવા ચોખાનો સાથિયો કરાવવો. વાસચોખા-ફૂલ અભિમંત્રિત કરવાં, ને કુંભને ગ્રીવાસૂત્ર બાંધવું. નિમ્ન મંત્ર કુંભ ઉપર લખવો કેશર દ્વારા: a é સર્વોપદ્રવાન્ નાશય નાશય સ્વાહા ! કુંભમાં ચંદનનો સાથિયો કરાવીને તેમાં ૧ રૂપિયો રોકડો, ચોખા, સોપારી નંગ-૫, પંચરત્નની પોટલી આદિ મુકાવવું. ત્યારપછી થોડું કૂવાનું અને થોડું અલગ શુદ્ધ અબોટ પાણી લઈ તેના વડે અખંડ ધારાપૂર્વક શુભ મુહૂર્તે એક નવકાર, એક ઉવસગ્ગહરં સ્તોત્ર અને મોટી શાંતિ ભણતાં-ભણતાં થાળી, વેલણ વગડાવતાં કુંભ ભરાવવો. તેમાં થોડુંક ગુલાબજળ ઉમેરવું. પછી કુંભ ઉપર શ્રીફળ, પાંચ પાન, લાલ વસ્ત્ર, નાડાછડી, મીંઢળ, મરડાસીંગ બાંધી ફૂલહાર પહેરાવવો. ત્યારબાદ કુંભ ભરનાર બહેનના માથે તે કુંભ ઉપડાવી, ત્રણ પ્રદક્ષિણા દેવરાવી, થાળીડંકા સાથે કુંભસ્થાપનની જગ્યા પર આવીને " % હૈં ઢ: 4: 8: સ્વદા " મંત્ર સાત વાર બોલીને શ્વાસ સ્થિર કરાવીને, તે કુંભને સાથિયા પર સ્થાપન કરાવવો. Page #566 -------------------------------------------------------------------------- ________________ 55) તપાગચ્છાધિષ્ઠાયક પછી વરખ છાપી, ફૂલહાર ચઢાવીને હાથમાં કુસુમાંજલી વડે નીચેનો શ્લોક બોલીને ત્રણ વાર કુંભને વધાવડાવવો : पूर्ण येन सुमेरुशंगसदृशं, चैत्यं सुदेदीप्यते, यः कीर्तिं यजमानधर्मकथन-प्रस्फूर्जिता भाषते । यः स्पर्धा, कुरुते जगत्त्रयमहा-दीपेन दोषारिणा, सोऽयं मंगलरूपमुख्यगणनः कुम्भश्चिरं નન્દતાત્ II (શાર્દૂત) ખમાસમણ દઈ, " અવિધિ-આશાતના થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્" બોલવું. (૨) ૩૫થ લીપસ્થાપન-વિધઃ II કુંભની જમણી બાજુએ દીપ સ્થાપના કરવી. આ વિધિ કુંવારી કન્યા અથવા સુહાગન સ્ત્રી પાસે કરાવવી. તે ભૂમિ શુદ્ધ કરી તેના પર કંકુનો સાથિયો કરાવવો. પછી " ૩% સર્વોપદ્રવ નાચ નાશય સ્વા' મંત્ર વડે નાડાછડી મંત્રીને ત્રણ આંટા દઈને ફાનસને બંધાવવી. તેમ જ ફાનસના ઉપરના ભાગમાં પંચરત્નની પોટલી, મીંઢળ, મરડાસીંગ બંધાવવી. પછી ૭ નવકાર ગણી કંકુના સાથિયા પર તે ફાનસને મુકાવવું. પછી પાણીથી ધોયેલો સવારૂપિયો ધૂપ દઈને જીભવાળા ત્રાંબાના કોડિયામાં સાથિયો કરાવી, તેમાં મુકાવવો. તેમ જ તેમાં પંચરત્નની પોટલી નંગ ૧ અને સોપારી નં ૧ મુકાવવી, અને દિવેટ મુકાવવી. પછી નવકાર અથવા નીચેના શ્લોક (ત્રણ વાર) બોલી સ્થિર શ્વાસે કોડિયામાં ઘી પુરાવવું: ॐ घृतमायुर्वृद्धिकरं, भवति परं जैनदृष्टिसंपर्कात् । તત્સંયુત: પ્રાપ: પાતુ સવા ભાવ:વેગ: વાદા ! (આર્યા) પછી નીચેનો શ્લોક બોલીને દીપ પ્રગટાવવો : ॐ अहँ - पंचज्ञानमहाज्योतिर्मयोऽयं ध्वान्तघातिने । દ્યોતના પ્રતિયા, રીપો મૂયાત્ સર્ણિતઃ I (અનુષ્ટ્રપ) અથવા નિમ્ન મંત્ર બોલીને દીપ પ્રગટાવવો: ___ॐ ह्रीं श्रीं क्लीं ब्लूँ नमो, माणिभद्राय संघस्य । भक्तानां च कल्याणाय, दीप भव सिद्धये स्वाहा ॥ પછી તે દીપને ફાનસમાં માટીનું ખાણું કરી તેના પર સ્થાપન કરાવવો. આ આખી વિધિ કુંવારી કન્યા અથવા સુહાગન સ્ત્રી પાસે કરાવવી. પછી ફાનસ ઢાંકવું. ગુરુદેવ પાસે અંકુશમુદ્રા વડે નિમ્ન મંત્રપૂર્વક વાસક્ષેપ કરાવવો. . " ॐ अग्नयोऽग्निकाया ऐकेन्द्रिया जीवा निरवद्यदेवपूजायां निर्व्यथाः सन्तु, निष्पापा: સ[, સતયઃ સન્તુ, મે સંપટ્ટનહિંસા વેવાઈને ઃ " Page #567 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 551 ફાનસને ફૂલહાર કરાવીને પછી કુસુમાંજલીપૂર્વક દીપને વધાવવો. ત્યાર બાદ, શ્રી મણિભદ્રવીરની પ્રતિમા અથવા જે પ્રતીક હોય તેની સન્મુખ ધૂપ-દીપ ચાલુ કરવા. આ ધૂપ-દીપ પૂજનપર્યંત ચાલુ રાખવા. (३) ॥ अथ न्यास-शुद्धीकरणविधिः ॥ (१) त्रए वार ना२मंत्र प्रगट मोरवो. (२) त्रवार 6वस०७२ स्तोत्र पोसg. (3) पछी " वज्रपंजररस्तोत्र" (श्री मात्मरक्षा ना२मंत्र) जोस : ॐ परमेष्ठि नमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पंजराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ॥३॥ ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । एसो पंचनमुक्कारो, शिलावज्रमयी तले ॥४॥ सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका स्वाहान्तं च पदं ज्ञेयं, पढम हवई मङ्गलम् । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधिराधिश्चापि कदाचन ॥८॥ (૪) ત્યારબાદ નીચેના મંત્રથી વાસક્ષેપ અથવા સોનાવાણીથી ભૂમિશુદ્ધિ કરવી ॐ भूरसि भूतधात्री सर्वभूतहिते भूमिशुद्धिं कुरु कुरु स्वाहा ॥ ५छी " क्षि – प - ॐ- स्वा – हा" मे पाय जीरोनी ढीय-नामि-हय-भुમસ્તકે સ્પર્શ તથા ચિંતવન કરી સ્થાપના કરવી. આરોહ-અવરોહ ક્રમે કરવું. નિમ્ન મંત્રથી મંત્રસ્નાન ચિંતવવું : ॐ अमले विमले सर्वतीर्थजले पां पां वां वा अशुचिः शुचिर्भवामि स्वाहा ॥ નીચેના મંત્ર વડે કલ્મષદહન કરવું: | Page #568 -------------------------------------------------------------------------- ________________ 552 તપાગચ્છાધિષ્ઠાયક ॐ विद्युत्स्फुलिङ्गे महाविद्ये सर्वकल्मषं दह दह स्वाहा ॥ નિમ્ન મંત્ર વડે હૃદયશુદ્ધિ કરવી : ॐ विमलाय विमलचित्ताय / क्ष्वीं स्वाहा ।। (12 व हयस्पर्श ४२वी.) (५) क्षेत्रपाल पूजनम् શ્રીફળ પર નાડાછડી બાંધીને હાથમાં લઈને – ॐ क्षा क्षीं दूं क्षौं क्षः क्षत्रपालाय नमः स्वाहा ।। मोदीने स्थापन २.५छी ॐ ह्रीं क्षा क्षेत्रपालं गन्धाक्षतपुष्पतैलकुंकुमैर्दीपधूपौद्यैः पूजयामि ॥ मोमीने श्री३१ ५२ योगा, यमेवी-अत्तर, ४२९ नुस, यढावी धूप-दीपावi. હવે જો શ્રી માણિભદ્રવીરની પૂર્વપ્રતિષ્ઠિત પ્રતિમા હોય તો તેની સન્મુખ અને ન હોય તો, એક બાજોઠ પર મોટા થાળમાં નૂતન પ્રતિમા અથવા યંત્ર, જે હોય તે, પધરાવીને અને કુસુમાંજલિ હાથમાં લઈને વધાવવાની ક્રિયા કરાવવી. (४) अथ अभिषेक-मार्जनविधिः॥ . (१) प्रथम अमिषेत्र : ममिषे द्रव्य : ९५. पूनमंत्र : ॐ ह्रीं श्री माणिभद्राय गौरवर्णाय ऐरावणवाहनाय षड्भुजाय डाक-त्रिशूल-फूलमालादक्षिणत्रयभुजे पाश-अंकुश-दानवमस्तक वामत्रयभुजे एवं षडायुधाय सपरिकराय श्रीतपागच्छाधिष्ठायकाय रोगशोक इति उपद्रव निवारणाय धनधान्यकोशागारादिवृद्धिकराय उज्जैन आगलोड-मगरवाडास्थाननिवासनाय..... नगरे यजमानस्य वा संघस्य लाभार्थे क्षेमार्थे जयार्थे समस्तसंघमंगलार्थे शांतितुष्टिपुष्टिहेतवे अस्मिन् जंबूद्वीपे भरतक्षेत्रे दक्षिणार्धभरते.....देशे.....राज्ये.....नगरे..... स्थाने..... वर्षे..... मासे..... तिथौ..... नक्षत्रे..... .....वारे..... गुरुनिश्रायां आगच्छ-आगच्छ आसने उपविष्ट उपविष्ट, ऋद्धिं वृद्धिं कुरु कुरु यजमानस्य वा संघस्य सन्निहितो भव भव स्वाहा ॥" (નોંધ: આ પૂજનમંત્ર દરેક અભિષેક–માર્જન વખતે શરૂઆતમાં બોલી પછી શ્લોકમંત્ર બોલવાના હોય છે. જો સમય ઓછો હોય તો, અભિષેક-માર્જનવિધિના પ્રારંભમાં જ માત્ર એક વાર ઉપરોક્ત પૂજનમંત્ર બોલવો અને પછી દરેક અભિષેક–માર્જનના માત્ર શ્લોક–મંત્ર ४ मोबीने विधि ४२वी.) यो : क्षीराम्बुधेः सुराधीशैरानीतं क्षीरमुत्तमम् । स्नात्रे श्रीमाणिभद्रस्य दुरितानि निकृतन्तु ॥१॥ भंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्रवीराय समकितप्राप्त्यर्थे दुग्धेन अभिसिंचामि स्वाहा ॥ ઉપરનો પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલી થાળી ડંકો વગડાવીને, મૂર્તિ અથવા યંત્ર પર દૂધ વડે અભિષેક કરાવવો. Page #569 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 553 (૨) દ્વિતીય અભિષેક: અભિષેક દ્રવ્યઃ દહીં શ્લોક : ધન ધનવંતાધાર નૅપીવરમુqનમ્ | संदधातु दधिश्रेष्ठ, देवस्नात्रे सतां सुखम् ॥२॥ મંત્ર : ૩% ç શ્રી મદ્રવીરાય સતિપ્રાર્થે ધના રિસંવામિ સ્વાહા || પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલીને દહીંનો અભિષેક કરાવવો. (૩) તૃતીય અભિષેક: અભિષેક દ્રવ્યઃ ઘી શ્લોક : સ્નેદેષ મુરથમણે પવિત્ર સર્વતાપદK I __ घृतं माणिभद्रस्नात्रे, भूयादमृतमञ्जसः ॥३॥ મંત્ર: ૩% $ શ્રીમણિભદ્રવીરાય સંમતિપ્રન્ચર્થે વૃતન સિંઘામિ સ્વાહ ! પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલી ઘીનો અભિષેક કરાવવો. (૪) ચતુર્થ અભિષેક : અભિષેક દ્રવ્ય : શેરડીનો રસ કે સાકર. શ્લોક : સfધર સર્વરોમદત સર્વનનમ્ | क्षौद्रान्क्षुद्रोपद्रवान्हन्तु देवाभिसिंचनम् ॥४॥ મંત્રઃ ૩% દર્દ શ્રીમદ્રવીરાસતિપ્રાન્ચર્થે સુરસેન મિસિંગ સ્વીથી II પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર વડે અભિષેક કરાવવો. (૫) પંચમ અભિષેક: અભિષેક દ્રવ્ય : જલ (અબોટ જલ લેવું) તથા સર્વોષધિ. શ્લોક : સર્વોષધિયે નીર, વિરે સાળસંયુતમ્ | माणिभद्राभिषेकेऽस्मिन्नुपयुक्तं श्रियेस्तु वः ।।५।। મંત્ર : ૩% ફ્રીં શ્રીમrfrદ્રવીરાય સંમતિ પ્રાર્થે સર્વાધિના મન્નિવાખિ સ્વાદ | પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર વડે સર્વોષધિમિશ્રિત જલથી અભિષેક કરાવવો. હવે અહીંથી માર્જન (વિલેપન) વિધિ શરૂ થાય છે. માર્જન સંપૂર્ણ પ્રતીક (મૂર્તિ અથવા યંત્ર જે હોય તે) ઉપર સમગ્ર રીતે કરાવવાનું છે. (૬) છઠ્ઠું માર્જન (વિલેપન): માર્જન દ્રવ્ય : જટામાસી ચૂર્ણ. શ્લોક : સુધેિ રોકાશમન, સૌભાગ્ય પુરમ્ | इह प्रशस्तमस्यास्तु मार्जनं हन्तु दुष्कृतम् ॥६॥ મંત્ર: ૩$ શ્રી કવીરાય સતિપ્રાચર્થે ટામાસીયૂન સંર્નનું ર િવીહીં || પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલીને જટામાસી ચૂર્ણનું સંપૂર્ણ મૂર્તિ પર વિલેપન કરાવવું. Page #570 -------------------------------------------------------------------------- ________________ 554 તપાગચ્છાધિષ્ઠાયક (૭) સપ્તમ માર્જન (વિલેપન): માર્જન દ્રવ્યઃ ચંદન ચૂર્ણ. શ્લોક : શીતને શુશ્રમમત્તે શર્મતાપર નોટરમ્ | निहन्तु सर्वकल्मषं चन्दनेनांगमार्जनम् ॥७॥ મંત્રઃ ૩% દ્દ શ્રીમાળભદ્રવીરાય સ નત્તરીય વન્દ્રનગૂર્જીન સંમાર્ગ fમ વહિાં II પૂજનમંત્ર, શ્લોક અને મંત્ર બોલી આખી મૂર્તિ પર ચંદન ચૂર્ણનું વિલેપન કરાવવું. (૮) અષ્ટમ માર્જન વિલેપન) માર્જન દ્રવ્યઃ કેસર. શ્લોક: પીરજન્મનૈન્યૂ: સ્વમાન સુધfપર I प्रमााम्यहमिन्द्रप्रतिमा विध्नहानये ॥८॥ મંત્રઃ ૩ઝ દ્દ શ્રીમણિભદ્રવીરાય સવિતથિરી રખાય સરળ સંમાર્જ રોકિ વીદી II પૂજનમંત્ર, શ્લોક, અને મંત્ર બોલીને સંપૂર્ણ મૂર્તિ પર કેસર દ્વારા વિલેપન કરાવવું. () પ્રાણપ્રતિષ્ઠા વિધિઃ | હવે નૂતન પ્રતિમા અથવા યંત્ર ઉપર જો આ મહાપૂજન થઈ રહેલું હોય તો તેના ઉપર નીચેના પ્રાણપ્રતિષ્ઠા મંત્ર દ્વારા ગુરુ મહારાજ પાસે મંત્રિત વાસક્ષેપથી પ્રાણપ્રતિષ્ઠા કરાવવી. (અને જો પહેલાંથી જ પ્રતિષ્ઠિત કે સ્થાપિત થયેલી પ્રતિમા સન્મુખ હોય તો પ્રાણપ્રતિષ્ઠામંત્ર છોડીને સીધી આવાહનથી આગળની વિધિ ચાલુ કરાવવી.) प्राणप्रतिष्ठा मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं कुरु कुरु तुरु तुरु कुलु कुलु चुरु चुरु चुलु चुलु चिरिचिरि चिलिचिलि किरिकिरि किलिकिलि हरहर सरसर हूँ सर्वदेवेभ्यो नम : । व्यंतरनिकायमध्यगत व्यंतरजातियदेवपदे - शासनरक्षक श्रीमाणिभद्रवीर इह मूर्ति (यंत्र)स्थापनायां अवतर अवतर तिष्ठः तिष्ठः चिरं पूजकैर्दत्तां पूजां गृहाण गृहाण स्वाहा ॥ ઉપરનો મંત્ર ત્રણ વાર બોલી વાસક્ષેપ કરવો. પછી સૌભાગ્યમુદ્રા, પંચપરમેષ્ઠિ મુદ્રા, પ્રવચનમુદ્રા, ઘેનમુદ્રા, ચકમુદ્રા, ગરુડમુદ્રા, અંજલિમુદ્રાઓ બતાવવી. પછી આવાહન મંત્ર બોલવો, બે હાથ જોડીને : મહાન મંત્ર : भो यक्ष माणीक मुदा सुखदोऽसि नित्यम्, आह्वयामि खलु त्वं किल यक्षराज । त्वां नौमि नौमि सततं गजराजगामिन्, स्वानंदकंद भव तात च वरासनेषु ॥ ત્યારબાદ, આગળ આપેલું શ્રી માણિભદ્રવીરનું સ્તોત્ર પ્રગટ રીતે માટેથી બોલવું. સંગીત સાથે બોલવું વધુ શ્રેષ્ઠ છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 555 (६) श्री महाप्रभावशाली माणिभद्रवीरस्तोत्रम् ॥ ॥७॥ जयन्तु वीतरागाः सर्वा, जयति च शारदाम्बिका । सद्गुरवोऽपि देवदेव्यो, जयति वै जिनशासनम् ॥१॥ शिवंकरो भयहरश्च य, - स्तपागच्छाधिष्ठाता सः । जयतु माणिभद्र इन्द्रो, व्यंतरनिकायगतो देवः ॥२॥ सीतैरावणपृष्ठभागे च, विराजमानं नित्यम् । विद्युत्कांतिं कृष्णवर्ण, वन्दे वीरं माणिभद्रम् ॥३॥ अजमुखः प्रियदर्शनो, यो रक्ताभूषणमुकुटो । रक्तोष्टजिह्वाकरपादो, मुखादिजिनालयचिह्नितः ॥४॥ पाशांकुशदानवमस्तक - डाकत्रिशूलमालाभुजः । षडायुधो यः षड्भुजधरो, माणिभद्रोऽस्तु वो भद्राय ॥५॥ विंशतिसहस्रदेवपरिवृतो, यो जिनशासनसेवकः । त्रिनेत्रः पूर्णभद्रसंयुक्तो, नमः श्री माणिभद्राय ते ॥६॥ सेवितं वीरैर्नित्यं यो, योगिन्यैश्च चतुःषष्ठयै । भैरवैर्दिशतु सदा मे, सर्वसिद्धिं माणिभद्रः सम्यग्दृष्टि विध्नहरो, योगक्षेमविजयंकरः । सकलभयविनाशको यो, निर्विघ्नं कुरु मे सदा ॥८॥ यस्य नाम्ना पलायान्ति, दुष्टदेवदेव्यश्च दूरम् । माणिभद्रोऽस्तु रक्षकः सो, बालकस्य सर्वतो मम ॥९॥ एकावतारी जिनभक्तो यो, मोक्षमार्गे साहाय्यं कुरु । ___ माणिभद्र नमोऽस्तु ते, सर्वशांतिकरं भव भव ॥१०॥ माणेकशाहः पूर्वजन्मनि, योरासीतुज्जयन्याम् । धर्मिष्ठो ऽऽनंदरतिस्वामी, धर्मजिनप्रियासुपुत्रः ॥११॥ हैमसूररुपदेशतो धर्मे, प्रतिबुद्धः स्थितः सः । शत्रुजययात्राभिग्रहश्च, स्वर्गगाम्यभवत्मार्गे ॥१२॥ शुभध्यानेन माणिभद्रः, सो ऽजायतीन्द्रो वीरेश्वरो । रिद्धिसिद्धिस्वामी च, महाद्युतिसमन्वितश्च । ॥१३॥ प्रसन्नो भव प्रफुल्लितो-ऽऽविर्भवतु शक्तियुक्तो । ज्ञानेच्छाक्रियाशक्तिं, पूरय वर्द्धय मे सदा ॥१४॥ येन वरं प्रदतं पुरा च, श्रीशांतिसोममधुना तु । आनंदघनसूरीश्वरेभ्यो, नमोऽस्तु ते माणिभद्राय ॥१५॥ Page #572 -------------------------------------------------------------------------- ________________ 556 તપાગચ્છાધિષ્ઠાયક सदा तत्परो भक्तितश्च, जिनशासननिरतेभ्यः । ___ पूज्यो जिनभक्तिसहितैः, सर्वकांक्षीभिः सर्वदा ॥१६॥ मालामंत्ररूपं स्तोत्रं, महाप्रभाविकमिदम् । आनंदघनसूरिशिष्य - प्रदीपचन्द्रगुम्फितम् ॥१७॥ चतुः सन्ध्यं पठेत् नित्यं, जिनगुरुभक्तितो वै । यद् यद् वांछितमिहितं, लभते सर्वं तत्प्रभावेन ॥१८॥ वन्ध्याऽपि लभते पुत्रं, धनार्थी सुस्थिरं धनम् । भोगार्थी भोग रोगी, चाऽऽरोग्यं मोक्षं मुमुक्षु ॥१९॥ शाकिनीडाकिनीभूतप्रेता, अरिकरिसागरजलोदर -। हरियलाग्निबंधनाद्याः सर्वा, दोषा नश्यन्ति सुदूरात् ॥२०॥ विंशति - पंचाशत्तमे वर्षे, मंत्रितोऽयमागलोडग्रामे । सर्वजिनगुरुशक्तिश्च, चिरं फलतु सिद्धयोगः ॥२१॥ (७) अथ अष्टप्रकारी पूजा ॥ ત્યારબાદ, હવે પછીથી શ્રીમાણિભદ્રવીરની અષ્ટપ્રકારી પૂજા નિમ્નવિધિ મુજબ કરાવવાની શરૂઆત કરવી. (१) प्रथम ४८५ : सो : क्षीरदधि - जलनिधि - द्रहकुंडतोय, तीर्थप्रभासवरदं मनोज्ञनीरम् । कर्पूर - पूरशुभवासिताम्भोधैः, श्रीमाणिभद्रं वरदं स्नापयामि नित्यम् ॥१॥ मंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय वीराधिवीराय ऐरावणवाहनाय विजयंकराय राजाप्रजामोहनाय दुष्टशत्रुचूरणाय शाकिनीडाकिनी भूतप्रेतपिशाचछल-छिद्रदृष्टि-मुष्टि-सलिलादिविघ्नविनाशकाय षड्भुजायै षडायुधाय श्रीतपागच्छाधिष्ठायकाय संघस्य वा यजमानस्य कल्याणार्थे योगक्षेमार्थे जलं यजामहे स्वाहा ॥ ઉપરનો શ્લોક અને મંત્ર એક એક વાર બોલવો અને પછી નીચેનો જલપૂજામંત્ર બોલીને જલ ચઢાવવું. ४९मंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय जलं समर्पयामि स्वाहा । (નોંધ : આ જલપૂજામંત્ર અને અન્ય જે તે અષ્ટપ્રકારી પૂજાના મંત્રો, જેવો સમય હોય તે પ્રમાણે ૧ વાર, ૯ વાર, ૨૭ વાર કે ૧૦૮ વાર બોલીને જે તે પૂજાઓ કરી શકાય છે. જ્યારે આહુતિ વિધાન અને આ મહાપૂજન બંને સાથે જ કરવાનાં હોય ત્યારે આ મંત્ર ૧ વાર કે ત્રણવાર બોલીને જે તે પૂજા કરી આગળ વધી શકાય.) Page #573 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 557 - - (२) द्वितीय यंहन : यो : कस्तूरीकर्पूरपूराम्बरदिव्यचूर्णैः, कर्दमयक्षतगरमिलितैर्विचित्रैः । - स्वर्लोकचंदनबरासपरिपूटितैः श्रीमाणिभद्रशरीरमभिलेपयामि, ॥२॥ मंत्र : ॐ ह्रीं श्रीमाणि भद्राय वीराधिवीराय ऐरावणवाहनाय डाकत्रिशूलपुष्पमाला कुशपाशनागायुधधराय क्षेमंकराय विजयंकराय धनधान्यवृद्धिकराय श्रीतपागच्छाधिष्ठायकाय श्रीतपागच्छसूरीश्वरान्सन्निहिताय श्रीसमस्तसंघविध्नहराय यजमानस्य वा संघस्य कल्याणार्थे चन्दनं यजामहे स्वाहा ॥ ઉપરોક્ત શ્લોક અને મંત્ર એક એક વખત બોલીને પછી નિમ્ન ચંદનપૂજા મંત્ર વડે ચંદન અર્પણ કરાવવું. यंहनपूल मंत्र : ॐ ह्रीँ श्रीमाणिभद्राय चंदनं समर्पयामि स्वाहा । (3) तृतीय पुष्पपू : श्यो : जाईजुईकुवलयसहकारमल्ली, मंदारदामरमणीयविचित्रपुष्पैः । पुन्नागचंपकशतपत्रपारिजातैः, श्रीमाणिभद्रं वरदं प्रतिपूजयामि ॥३॥ भंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय तपागच्छसूरीश्वरान् – मुनिवरान् – सन्निहिताय श्रीगजेन्द्रवाहनाय सर्वोपद्रवविघ्नहराय श्रीजिनशासनोद्योतकराय षड् मुजे षडायुधधराय शाकिनीडाकिनीदानवासुरप्रमथनाय... यजमानस्य सकलसंघस्य वा श्रेयार्थे पुष्पं यजामहे स्वाहा। ઉપરોક્ત શ્લોક અને મંત્ર એક એક વખત બોલીને પછી નિમ્ન પુષ્પપૂજામંત્ર વડે પુષ્પો અર્પણ કરાવવાં. पूष्यपू" मंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय पुष्पं समर्पयामि स्वाहा । (४) यतुर्थ धूपपू : सो : कृष्णागरुमृगमदागरचन्दनैश्च, शैलारसेन सहितैश्च दशांगधूपैः । ___ कर्पूरपूरसूरशालसुगन्धधूपैः, श्रीमाणिभद्रं वरदं पूजायामि नित्यम् ॥४॥ मंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय पातालनिवासनाय गजेन्द्रवाहनाय षड्भुजे षडायुधधराय सपरिकराय दैत्यदानवप्रमथनाय धनधान्यकोशागारवृद्धिकराय श्रीतपागच्छसन्निहिताय यजमानस्य वा संघस्य सर्वविघ्नहरणार्थे श्रेयार्थे धूपं आघ्रापयामि स्वाहा ।। ઉપરોક્ત શ્લોક અને મંત્ર બંને એક એક વાર બોલીને નિમ્ન ધૂપપૂજામંત્ર વડે ધૂપ અર્પણ ४२२ववो. धू५५मंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय धूपं आघ्रापयामि स्वाहा ।। Page #574 -------------------------------------------------------------------------- ________________ 558 તપાગચ્છાધિષ્ઠાયક (५) पंथमही५४५ : दो : कृष्णासिता शिवंकरा शुचिकामधेनु वत्सेन युक्ता शुभदा धनधान्यकी । तस्या घृतेन शुचि करुते प्रदीप, श्रीमाणिभद्रं वरदं सततं यजामि ॥५॥ मंत्र : ॐ ह्रीं श्रीमाणि भद्रेश्वराय गजराजवाहनाय अजमुखाय वीराधिवीराय श्रीसूरिवरान्गणिवरान्सन्निहिताय अरिकरिसागरहरियलाग्निजलोदरबंधनादिसकलभयनाशंकराय सकलमनोरथऋद्धिलब्धिपूरणाय...यजमानस्य वा सकलसंघस्य मंगलार्थे दीपं दर्शयामि स्वाहा ॥ ઉપરોક્ત શ્લોક અને મંત્ર એક એક વાર બોલીને નિમ્ન દીપકપૂજામંત્ર વડે દીપક દર્શાવવો. ही५४पूलमंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय दीपं दर्शयामि स्वाहा ॥ () षष्ठम अक्षतपू : Page #575 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મંત્રઃ ૩૭ શ્રીમણિભદ્રાય યક્ષેશ્વરાય પાતાનિવાસનાય નાગવાનાય ષડ્યુને षडायुधधराय... यजमानस्य वा सकलसंघस्य कल्याणार्थे नैवेद्यं यजामहे स्वाहा ॥ ઉપરોક્ત શ્લોક અને મંત્ર બંને એક એક વાર બોલીને નિમ્ન નૈવેધપૂજામંત્ર વડે નૈવેધ સમર્પણ કરાવવું. નૈવેદ્ય પૂજામંત્ર : ૩ મૈં શ્રીમાણિભદ્રાય નૈવૈદ્ય સમર્પયામિ સ્વાહા । (૯) અર્થ પૂજા : શ્લોક : પોશીતલવન્તનપુરીપરત્નાક્ષતધૂપત્તશુદ્ધિનૈવેધૈયુÔ र्युक्तैः शुभैश्च विधानैः शुद्धाष्टविधैः, श्रीमाणिभद्राय समर्पयामि ॥९॥ મંત્ર : ૩ | શ્રીમાણિભદ્રાય પાતાનિવાસનાય ઘેરાવળવાદનાય ડાત્રિશૂલપુષ્પમાતાજીशनागधराय षड्भुजे षडायुधधराय भूतप्रेतपिशाचादि पीडाविघ्नहराय श्रीतपागच्छाधिष्ठायकाय सूरीश्वरान्पाठकान्वाचकान्शिष्यसमुदायान्सन्निहिताय ... यजमानस्य वा सकलसंघस्य श्रेयार्थे क्षेमार्थे નયાર્થે નાં ચન્દ્રનું અક્ષત ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ મુદ્રા યનામહે સ્વાહા । બોલી અર્ધ્ય અર્પણ કરાવવું. . ત્યારબાદ, શાંતિકળશ કરાવવો અને પછી નીચે મુજબની શ્રીમાણિભદ્રવીરની આરતી કરાવવી (૮) : શ્રીમાણિભદ્રવીરની આરતી (રાગ : હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી) જય જય નિધિ, જય માણિકદેવા, જય માણિકદેવા, હરિહરબ્રહ્મપુરંદર, કરતા તુજ સેવા, જયદેવ જયદેવ તું વીરાધિવીરા, તું વાંછિતદાતા, તું વાંછિતદાતા, માતાપિતા સહોદર સ્વામિ, છો પ્રભુ જગત્રાતા, જયદેવ જયદેવ ...2 હરિકરીબંધનઉદધિ, ફણીધરઅરિઅનલા, ફણિધરઅરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબળા, જયદેવ જયદેવ ડાકત્રિશૂળફૂલમાળા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાનવમસ્તક, એમ ષથ્થુજરાજે, જયદેવ જયદેવ તું ભૈરવ તું કિન્નર, તું જગ મહાદીવો, તું જગ મહાદીવો, કામકલ્પતરુધેનુ, તું પ્રભુ ચિરંજીવો, જયદેવ જયદેવ તપગચ્છપતિસૂરિ, ધ્યાવે તુજ ધ્યાન, ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ, જયદેવ જયદેવ 559 ...૧ ...૩ ...૪ ...4 ... Page #576 -------------------------------------------------------------------------- ________________ 560 તપાગચ્છાધિષ્ઠાયક સંવત અઢારસે પાંસઠ, શ્રી માધવમાસ, શ્રી માધવમાસ, દીપવિજય કવિરાયની, પૂરો સર્વ આશ, જયદેવ જયદેવ ...૭ ત્યારબાદ હવે વિસર્જન કરાવવું. (૧) ૩થ વિસર્જનવિધિઃ | | ઉપસ્થિત સર્વે ભાવિકોના હાથમાં ચોખા અપાવવા અને હાથમાં ચોખા રાખીને સર્વેને ઊભા થઈ જવા સૂચન કરવું અને પછી નીચેના બે શ્લોક ત્રણ વાર બોલીને ચોખા ઉછાળીને વધામણી કરાવીને વિસર્જન કરવું? आह्वानं नैव जानामि न जानामि विसर्जनम् । पूजानविधिं नैव जानामि त्वं गति परमेश्वर आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत्कृतम् । तत्सर्वं क्षमय देव त्वं गति परमेश्वर || ૨ || ॥ इति श्रीमाणिमद्रवीर महापूजनं संपूर्णम् ॥ શ્રી માણિભદ્રવીર મહાપૂજનની સામગ્રીનું લિસ્ટ (આશરે) દૂધ - ૨ લિટર દહીં – ૧ કિલો અગરબત્તી – ૨ પૅકેટ કંદરૂપ ધૂપ - ૧૦૦ ગ્રામ ઘી શુદ્ધ – ૩ કિલો સાકર – ૧ કિલો સર્વોષધિ – ૧ પૅકેટ જટામાંસીચૂર્ણ – ૫ તોલા ચંદનચૂર્ણ – ૫ તોલા સોપારી – ૧૫ નંગ પંડા-૧૧૦ નંગ ફળ (કોઈપણ) - ૧૧૦ નંગ નાગરવેલનાં પાન – ર૫ નંગ કપૂર (ભીમસેની)-૨ મોટીગોટી શ્રીફળ (લીલા) - ૧ નંગ દીવાનાં કોડિયાં – ૧૧૫ નંગ (માટીનાં) ગુલાબનાં ફૂલ – ૧૩૫ નંગ ચાંદીના વરખ – ૧ થોકડી કુંભસ્થાપનનો સામાન દીપસ્થાપનનો સામાન બાજોટ (ચલપ્રતિષ્ઠા હોય તો) ૧ નંગ (પરનાળિયો હોય તો સારું) અથવા નાળવાળો મોટો થાળ --૧ નંગ રૂ ની દિવેટો- ૧૫૦ નંગ કેસર – ૧ ગ્રામ અષ્ટગંધ – ૧ તોલો વાસક્ષેપ-૨ કિલો કસ્તુરી – અડધો વાલ કપૂર (નાની ગોટી)- ૨ પૅકેટ રૂપાનાણું -૫ અંગલૂછણાં –૧૦નંગ પાટલૂછણાં –૩ નંગ Page #577 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ અંબર – અડધો વાલ નૅપકીન –પ નંગ કંકુ –ર તોલા નાડાછડી –૧ દડો ગંગાજળ – પ્રાપ્ત હોય તેટલું ગુલાબજળ – ૧ શીશો સૂકો નાળિયેર ગોળો – ૧ નાનો ચોખા–ર કિલો ૦૧. પાણી ગાળવાનું ગરણું – ૨ નંગ પંચરત્ન પોટલી –૩ નંગ લવિંગ -૧ તોલો એલચી – ૧ તોલો શેલડી રસ – ૧ કિલો ચમેલીનું તેલ – ૧ શીશી (નાની) અત્તર (જુઈ અથવા મોગરા) –ર શીશી પીળા સરસવ – ૧૦૦ ગ્રામ રૂ ની પૂણી —પ નંગ દશાંગ ધૂપ —૧૦૦ ગ્રામ મીંઢળ, મરડાસીંગ અત્તર (ગુલાબ) – ૨ શીશી ફૂલહાર – ૧ ડઝન સુખડી – ૨૫૦ ગ્રામ શ્રીફળ – પ નંગ નોંધ : પેંડા, ફળ, દીવાનાં કોડિયાં, ગુલાબનાં ફૂલ આદિની સંખ્યા ૯, ૨૭, કે ૧૦૮ જે પ્રમાણે પૂજા કરવાની હોય તે મુજબ રાખીને મંગાવવાં. (૨) શ્રીમાણિભદ્રવીર વિશિષ્ટ - મહાપૂનનમ્ ॥ ( આહુતિવિધાનમ્ ) 561 પૂર્વતૈયારી અને અગત્યની સૂચનાઓ (૧) વેદિકાકુંડનિર્માણવિધિ ૧. જે દિવસે આ આહુતિવિધાન કરવાનું હોય તેના એક દિવસ પહેલાં, આગળના દિવસે, યથાસમયસંજોગ અનુસાર, આહુતિ આપવા માટેની વેદિકા (આહુતિકુંડ) વિધિ મુજબ તૈયાર કરાવવો. ૨. ઇષ્ટદેવ કે દેવીની મૂર્તિ (અથવા યંત્ર કે સ્થાપના) સન્મુખ બરાબર સામે જ વેદિકા માટેની યોગ્ય જગ્યા પસંદ કરવી. તે જગ્યાની ભૂમિને વાળીચોળીને સાફ કરાવવી અને તેના પર દૂધ –પાણી – અત્તર ગુલાબજળનું મિશ્રણ ત્રણવાર " ૐ ભૂર્ભુવ: સ્વ: મૂરતિ ભૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ બુરુ દ્ગુરુ સ્વાહા !' મંત્ર વડે મંત્રિત કરીને છાંટવું. પછી તે ભૂમિને ધૂપ દઈને શુદ્ધ કરવી. ૩. કાટી ઈંટો અને માટીનો ઉપયોગ કરીને વેદિકા બનાવવી. આ સાથે આપેલ આકૃતિ નં(૧) અને માપ મુજબ વેદિકા બનાવવી. ૪. કડિયા વેદિકા બનાવવાનું શરૂ કરે તે પહેલાં, સર્વપ્રથમ એક ઈંટ સૌભાગ્યવતી સ્ત્રી પાસે મુકાવવી. ૫. વેદિકા તૈયાર થતાં, તેને સફેદ કળી ચૂના વડે અંદરબહાર બધે જ ધોળાવવી (રંગાવવી). Page #578 -------------------------------------------------------------------------- ________________ 562 તપાગચ્છાધિષ્ઠાયક દ. વેદિકા તૈયાર થઈ ગયા બાદ, કોઈપણ વ્યક્તિ દ્વારા કે અન્ય કારણથી તૂટે નહિ તે માટે તેને વ્યવસ્થિત રીતે યોગ્ય વસ્તુઓ દ્વારા ઢંકાવી દેવી અને તેની આસપાસ આડશો મૂકી દેવી. (૨) આહુતિ માટેની સમિધા (કાષ્ઠ) ૧. આહુતિ માટેનાં કાષ્ઠ પાંચ જાતનાં દૂધાળાં (જેને છેદવાથી દૂધ નીકળે તેવાં) વૃક્ષો મંગાવવાં જેવા કે આંબો, ખીજડો, પીપળ, ચંદન, વડ, ઉંબરો આદિ. ૨. આ કા જ્યારે ઉપયોગમાં લેવાનાં હોય તે વખતે સૂકાં અને જીવજંતુથી રહિત હોય તે ખાસ જોવું જરૂરી છે. ૩. કાષ્ઠનાં નાના નાના ટુકડાઓ કરાવી લેવા, અને એક મોટા થાળ અથવા પરાતમાં મૂકવા. ૪. આહુતિની ક્રિયા શરૂ કરતાં પહેલાં આ કાષ્ઠોને પ્રવાહી ઘી વડે ભીંજવી દઈને તૈયાર રાખવાં. (૩) આહુતિ માટે ગાયના (અથવા ભેંસના) છાણના સૂકાં છાણાંનો ભૂકો એક મોટા થાળ કે પરાતમાં રાખવો. ક્રિયા શરૂ કરતાં પહેલાં પ્રવાહી ઘીથી તે ભૂકાને ભીંજવીને તૈયાર રાખવો. (૪) આહુતિ માટેની ગોળીઓ : દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, તગર, અગર, બરાસ, સુકાયેલાં ગુલાબનાં ફૂલો, બદામ, પિસ્તા, ચારોલી, અખરોટ, કાજુ, ખારેક, સૂકું કોપરું, કિસમિસ. ઉપરોક્ત દ્રવ્યોને ભેગાં (મિક્સ) કરીને, બરાબર ખંડાવીને, ચૂર્ણ બનાવવું અને તે ચૂર્ણમાં ઘી ઉમેરીને ચણાબોરની સાઈઝની કુલ ૧૦૮ ગોળીઓ વાળીને બનાવવી. (૫) કાળાં કપડાં ટાળવાં. શક્ય તેટલી અવિધિ અને આશાતનાઓ ટાળવી. (૬) આહુતિવિધાન વખતે વિધિકારક કે ગુરુ ભગવંત અને વેદિકા વચ્ચે, તેમ જ વેદિકા અને પ્રતિમા કે યંત્રની વચ્ચેની જગ્યામાં કોઈને બેસાડવા નહિ, તે જગ્યા ખાલી રાખવી. તેમ જ અંતરાય ન પડે તે પણ જોવું. (૭) આહુતિની ક્રિયા માટે વેદિકા આસપાસ સજોડાઓ (પતિ-પત્ની)ને બને તો બેસાડવાં. તેના અભાવમાં જે કોઈ શુદ્ધ વસ્ત્રોમાં ઉપસ્થિત હોય તેઓને બેસાડવા. (૮) પૂજાદ્રવ્યો મૂકવા કે રાખવા માટે સ્ટીલ કે લોખંડના પાત્રનો ઉપયોગ ન કરવો. (૯) (અ) ઈટ-માટીનો વેદિકાકુંડ (આકૃતિ મુજબનો) બનાવવો શ્રેષ્ઠ છે અને કુંડ જમીન પર ખુલ્લા આકાશ નીચે હોય તો તે સ્થિતિ સારી છે. (બ) જ્યાં બંધ મકાન હોય, ધુમાડાની નીકળવાની જગ્યા ન હોય, ખુલ્લું આકાશ ન હોય ત્યાં ઉપરોક્ત કુંડને બદલે ત્રાંબાની નાની ચતુષ્કોણ કુંડીમાં પણ આહુતિવિધાન કરી Page #579 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 563 શકાય. પરંતુ, શ્રેષ્ઠ તો નં (અ) છે. તેના અભાવમાં જ નં. (બ) કરવાનું છે. (ક) પ્રતિમા કે પ્રતીકની સન્મુખ જ વેદિકાકુંડ હોય તો શ્રેષ્ઠ છે. પણ જ્યાં સન્મુખ ન થઈ શકે તેવી પરિસ્થિતિ હોય, ત્યાં આગળ-પાછળ અથવા આસપાસમાં નજીકમાં ખુલ્લા આકાશ નીચે જમીન પર વેદિકાકુંડ અપવાદરૂપે બનાવી શકાય છે. (ડ) મકાનની છત પર, પ્રથમ માળે કે ગમે તેટલા માળે આ વિધાન નાછૂટકે અપવાદરૂપે થઈ શકે છે. (૧૦) આ સઘળા ઉપરાંત ગુરુગમન તથા અનુભવ અને કોઠાસૂઝનું મહત્ત્વ પણ છે. (૧૧) વેદિકાની દ્વિતીય મેખલા ઉપર, પેજ નં.( )પરની આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં સ્થાનો પર, કોડિયા જેવો આકાર અથવા કોડિયાં કુલ પાંચ સ્થાનો ઉપર કરવાના છે. ચારે ખૂણે એક–એક એમ ચાર તથા વચ્ચે એક એમ પાંચ કોડિયાં થશે. ॥ अथ श्रीमाणिभद्रवीर विशिष्ट-महापूजनम् (आहुतिविधानम्) । આ વિધાન કરાવવાના દિવસે શુભ મુહૂર્ત સ્નાત્રપૂજા ભણાવવી અને પ્રભુજીને યથાશક્તિ આંગી કરાવવી. પછી, પૂજાની સર્વ સામગ્રી એકઠી કરીને શુદ્ધ કરવી અને તે સર્વે સામગ્રી ઉપર નવકાર મંત્ર તથા શ્રીમાણિભદ્રવીરનું સ્મરણ કરીને વાસક્ષેપ કરવો. - ત્યાર પછી, શુભ મુહૂર્ત વિધિપૂર્વક પ્રથમ આપેલ શ્રી માણિભદ્રવીર મહાપૂજનમ્ અન્તર્ગત જે કુંભસ્થાપના અને દીપકસ્થાપના વિધિ છે તે મુજબ કરાવવી. પૂજાની સર્વ સામગ્રી અને દ્રવ્યો વ્યવસ્થિત રીતે અગાઉથી જ યોગ્ય જગ્યા પર, યોગ્ય પાત્રોમાં ગોઠવાવી દેવાં. પછી, વિધિકારકે તેમ જ પૂજામાં બેસનાર સર્વેએ પૂજાનાં વસ્ત્રો પહેરીને, હાથે મીંઢળ કે નાડાછડી કે રક્ષાપોટલી (જે પ્રાપ્ત હોય તે) બાંધીને કપાળે કેસર–ચંદનનું તિલક કરીને, ફૂલના હાર ગળામાં ધારણ કરીને પૂજામંડપમાં ઉપસ્થિત રહેવું તથા ધૂપ-દીપ ચાલુ કરવા, કે જે પૂજન પુરું થાય ત્યાં સુધી રહેવા જોઈએ. () અથ વેરાસ્થાપન-પૂનનમ્ II નિમ્ન વિધિથી વેદિકાનું સ્થાપન અને પૂજન કરવું: સર્વપ્રથમ ત્રણ નવકારમંત્ર અથવા વજપંજરસ્તોત્ર બોલવું. (૧) ૩% ભૂમિ મૂતધાત્રી સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ પુર શુરુ સ્વાહા || મંત્ર ત્રણ વાર બોલીને વેદિકાની અંદર,ઉપર અને આસપાસ વાસક્ષેપ કરવો. Page #580 -------------------------------------------------------------------------- ________________ : 564 તપાગચ્છાધિષ્ઠાયક (૨) વેદિકાની દ્વિતીય મેખલા પર, આકૃતિમાં બતાવેલા કોડિયા આકાર નં (૧)માં કંકુથી સાથિયો કરવો. એક સોપારી પર ચાંદીના વરખ છાપીને તેના પર અષ્ટગંધ વડે"ૐ હું શાં ક્ષ" એ બીજાક્ષરો લખવા અને પછી એક નાગરવેલના પાન ઉપર તે સોપારી અને એક ચાંદીની લગડી મૂકીને તે બધું કોડિયા આકાર નં. (૧)માં "૩% ક્ષો ક્ષ: ત્રસ્થ ક્ષેત્રપાલીય નમ:" મંત્ર બોલીને સ્થાપન કરવું. તેના પર કેસર, બરાસ, ચોખા, ફૂલ, ધૂપ, દીપ, પંડો, અત્તર ચઢાવવું. (૩) વેદિકાની ત્રણે મેખલાની આસપાસ ફરતી ત્રણતારી નાડાછડી (મીંઢળ-મરડાસીંગ સાથેની)ના નવ આંટા મારવા અને બાંધી દેવી. (૪) વેદિકાની તૃતીય મેખલાના ઉપરના ભાગમાં, ચારે દિશામાં વચ્ચોવચ્ચ, % $ શ્રી સ્ત્રી એ ચાર બીજાક્ષરો કંકુથી લખવા અને ચારે ખૂણામાં બનાવેલા કોડિયા જેવા આકારમાં કંકુથી સાથિયા કરવા. (૫) પીળા સરસવને ધૂપ આપીને, નીચેના મંત્રથી ત્રણ વાર મંત્રીને, ચારે દિશામાં જમીન પર છાંટી દેવા: ૩% હ્રીં શ્રીં ક્ષ સર્વોપદ્રવેખ્યો રક્ષ રક્ષ સ્વાહા || (૬) વેદિકાકુંડમાં બરોબર વચ્ચે, સેન્ટરમાં બનાવેલા કોડિયા જેવા આકાર (અ)માં કંકુ વડે ત્રિકોણ દોરવો અને તે ત્રિકોણમાં વચ્ચે " ઊં" એ બે બીજાક્ષરો લખવા. પછી એક સોપારી પર ચાંદીના વરખ છાપીને તે સોપારી અને પાંચ ચાંદીની લગડીને ઉપરોક્ત ત્રિકોણમાં વચ્ચે ૩ શ્રીurfભદ્રાય નમઃ | ૐ શ્રીમણિભદ્ર ! સંતfતોડતુ સ્વાહા ! બોલીને સ્થાપના કરવી. ત્યારબાદ, તે સ્થાપના ઉપર અષ્ટગંધ, બરાસ, ચોખા, કપૂર, અત્તર, કેસર, એક પેંડો ચઢાવવો. તેમ જ લવિંગ, સાકરનો ટુકડો, સુખડીનો ટુકડો, કરેણનાં ફૂલ ચઢાવવાં અને ધૂપદીપ કરવાં. (૭) હવે ચાર સોપારી લઈને તેના પર ચાંદીના વરખ છાપવા. પછી, વેદિકા સન્મુખ બેસતાં આપણું મુખ જે દિશામાં રહે તે દિશાને પૂર્વ દિશા ગણીને બાકીની દિશા-વિદિશાઓની ગોઠવણી કરી લેવી. ત્યારબાદ વેદિકાની દ્વિતીય મેખલા ઉપર, નૈêત્ય દિશા તરફના કોડિયા નં (૨)માં એક સોપારી, એક ચાંદીની લગડી અથવા સિક્કો "૩૪ ઈં જ નધિપાય નમ: II" બોલીને સ્થાપન કરવાં. • અગ્નિ ખૂણામાંના કોડિયા નં (૩)માં એક સોપારી અને એક ચાંદીની લગડી અથવા સિક્કો" ૐ હ્વીં શ્રદિપંતિવીરાય નમ: II" બોલીને સ્થાપન કરવા. • ઈશાન ખૂણામાંના કોડિયા નં (૪)માં એક સોપારી અને એક ચાંદીની લગડી અથવા સિક્કો " ૩ ફ્રીં શ્રી :ખિયાનીમ્યો નમ: " બોલીને સ્થાપન કરવા. • વાયવ્ય ખૂણામાંના કોડિયા નં (૫)માં એક સોપારી અને એક ચાંદીની લગડી, નાગરવેલના Page #581 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 565 પાન ઉપર મૂકીને "૩% ડ્રીં શ્રી સર્વવવીખ્યો નમ: II" બોલીને સ્થાપન કરવી. આટલું કર્યા બાદ, ઉપરની ચારે સ્થાપનાની ઉપર કેસર, અષ્ટગંધ, બરાસ, ચોખા, ફૂલ, અત્તર, ધૂપ, દીપ, પંડો ચઢાવીને પૂજા કરવી. (૮) ત્યારબાદ, હવે નિમ્ન મંત્રો વડે કેસર કે વાસક્ષેપ દ્વારા દશ દિકપાલોનું પૂજન કરવું. આ પૂજન વેદિકાની પ્રથમ મેખલાની ઉપરની પાળ ઉપર દિશા-વિદિશા મુજબ કરવું. (પૂર્વમાં) ૩% રૂદ્રાય નમઃ (દક્ષિણ માં) ૩% થાય નમ: (પશ્ચિમમાં) ૩૪ વણાય નમ: (ઉત્તરમાં) ૩% સુવેરાય નમ: (ઊર્ધ્વ દિશામાં) ૩ વ્રહાણે નમઃ | (અગ્નિમાં) ૩ નવે નમ: (નેત્રત્યમાં) ૩૪ મૈત્રત્યાય નમઃ | (વાયવ્યમાં) % વાયવે નમ: (ઈશાનમાં) ૩ શાનાય નમ: | (અધોદિશામાં) ૪ નાય નમ: (૯) હવે વેદિકામાં વાસક્ષેપ કરવો. પછી, આહુતિની સમિધાઓ અને છાણાના ભૂકા વડે વેદિકાકુંડને અડધે સુધી ભરી દેવો. કપૂરની ગોટીઓ પાથરી દેવી. પછી, તે સમિધાઓ પર ॐ ह्रीं ह्रीं वैश्वानर जातवेद इहावह लोहिताक्ष सर्वकार्याणि सर्वकर्माणि साधय साधय स्वाहा ॥ મંત્ર બોલીને વાસક્ષેપ કરવો. (૧૦) ત્યાર બાદ, છાણાના પ્રજ્વલિત અંગાર વડે કે અન્ય બીજી કોઈ રીતે સ્થિર સ્વાસે, ત્રણ નવકાર અને ઉવસગ્ગહરસ્તોત્રપૂર્વક "» વિવિંદન હનન હતું પવપવ સર્વજ્ઞાપથ સ્વાદ , % રરરÉ વૈશ્વાનનીય નમ: ૪ ીં શ્રીં ક્લીં સૌં: ર્ " આ મંત્ર બોલીને અગ્નિ પ્રગટાવવો. (૧૧) ત્યારબાદ, " % મર્દ દ્દ વિના મૂયાત્સા શાસનવવીનાં સન્નષદના जिनशासनोद्योतनाय इह । ॐ अग्नयोऽग्निकाया ऐकेन्द्रिया जीवा निरवद्या जिनशासनदेवदेवीपूजायां નિર્ચથા: સન્તુ નિષ્પાપ સહુ સતયઃ સન્ત તે છે કર્મ સંપટ્ટનહિં યુઃ રૂદાને " બોલીને અગ્નિજ્વાળામાં વાસક્ષેપ કરવો. (૨) અથ સ્તોત્રપટનમ્ II (૧) ત્યારબાદ, કોઈ છીંકન કરે તેવી જાહેરાત કરવી અને પછી વજપંજર સ્તોત્ર મોટેથી બોલવું. (૨) પછી એક નવકાર, એક ઉવસગ્ગહરસ્તોત્ર બોલવું અને પછી બોલવું " શ્રી પ્રહશાંતિ સ્તોત્રમ્" Page #582 -------------------------------------------------------------------------- ________________ 566 તપાગચ્છાધિષ્ઠાયક - जगद्गुरुं नमस्कृत्य, श्रुत्वा सद्गुरुभाषितम् । ग्रहशान्तिं प्रवक्ष्यामि, लोकानां सुखहेतवे ॥१॥ जन्मलग्ने च राशौ च, यदा पीडन्ति खेचराः । तदा संपूजयेद्धीमान् खेचरैः, सहितान्जिनान् ॥२॥ पुष्पगन्धादिभिधूपैर्नेवेद्यैः फलसंयुतैः । वर्णसदृशदानैश्च, वस्त्रैश्च दक्षिणान्वितैः ॥३॥ पद्मप्रभस्य मार्तंड-श्चन्द्रश्चन्द्रप्रभस्य च । वासुपूज्यस्य भूपुत्रो, बुधोऽप्यष्टजिनेषु च ॥४॥ विमलानन्तधर्मारा: शांति: कुंथुर्नमिस्तथा । वर्धमानो जिनेन्द्राणां, पादपद्मे बुधं न्यसेत् ॥५॥ ऋषभाजितसुपाा -श्चाभिनन्दनशीतलौ । सुमति: संभवस्वामि,, श्रेयांसश्चैषु बृहस्पतिः ॥६॥ सुविधेः कथित: शुक्रः, सुव्रतस्य शनैश्चरः । नेमिनाथस्य राहुः स्यात्, केतुः श्रीमल्लिपार्चयोः ॥७॥ जिनानामग्रतः स्थित्वा, ग्रहाणां शांतिहेतवे । नमस्कारस्तवं भक्त्या, जपेदष्टोत्तरं शतम् ॥८॥ भद्रबाहुरुवाचैवं, पंचमः श्रुतकेवली । विद्याप्रवादतः पूर्वाद्, ग्रहशांतिविधिं शुभमीम् ॥९॥ वे निम्न " श्री तिजयपहुत स्तोत्रम्" पोल. तिजयपहुत्त-पयासय, अटू-महापाडिहेरजुत्ताणं ।। समय-क्खित्त-ठिआणं, सरेमि चक्कं जिणिंदाणं ॥१॥ पणवीसा य असीआ, पनरस पन्नास जिण-वर-समूहो । नासेउ सयल दुरिअं, भविआणं भत्ति-जुत्ताणं ॥२॥ वीसापणयाला वि य, तीसा पन्नत्तरी जिण-वरिंदा । गह-भुअ-रक्ख-साईणि,- धोरुवसग्गं पणासंतु ॥३॥ सत्तरि-पणतीसा वि य, सट्ठी पंचव जिण-गणो एसो । ' वाहि-जल-जलण-हरि-करि, चोरारि महा-भयं हरउ ॥४॥ पण-पन्ना य दसेव य, पन्नट्ठी तह य चेव चालीसा । रक्खंतु मे सरीरं, देवासुर-पणमिआ सिद्धा ॥५॥ ॐ ह-र-हुं-ह: स-र-सुं-सः, ह-र-हुं-ह: तह य चेव स-र-सुं-सः । आलिहिय-नाम-गब्भं, चक्कं किर सव्वओ भदं ॥६॥ ॐ रोहिणि पन्नत्ती, वज्जसिंखला तह य वज्जअंकुसिआ । चक्केसरि नरदत्ता, कालिमहाकालि तह गोरी ॥७॥ गंधारी महज्जाला, माणवि वइट्ट तह य अच्छुत्ता । माणसि मह-माणसिआ, विज्जा-देवीओ रक्खंतु ॥८॥ पंच-दस-कम्मभूमिसु, उप्पन्नं सत्तरी जिणाण सयं । विविह-रयणाई-वन्नो,-वसोहिअं हरउ दुरिआई ॥९॥ चउतीस-अइसय-जुआ, अट्ठ-महा-पाडिहेर-कय-सोहा । तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं ॥१०॥ Page #583 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ ॐ वर - कणय - संख-विद्दुम, मरगय-धण- सन्निहं विगय- मोहं । सत्तरि सयं जिणाणं, सव्वामर- पूइअं वंदे स्वाहा ॥११॥ ॐ भवण - वइ - वाणवंतर, जोइस-वासी विमाण - वासी अ । जे के विदुट्ट देवा, ते सव्वे उवसमंतु मम स्वाहा ॥ १२॥ चंदनकप्पूरेण फलए, लिहिऊण खालिअं पीअं । एतराइ-गह - भूअ, साइणि मुग्गं पणासे ॥१३॥ इअ सत्तरि-सयं जंतं, सम्मं मंतं दुवारि पडिलिहिअं । दुरिआरि- विजयवंतं, निब्भतं निच्चमच्चेह ॥ १४ ॥ (३) अथ आह्वानम् ॥ आह्वान : ॐ ह्रीं श्रीमाणिभद्रदेव सपरिवारेण अत्र आगच्छ आगच्छ ॥ संवोषट् ॥ ( आवाहन मुद्राथी) संस्थापन : ॐ ह्रौ श्रीमाणिभद्रदेव सपरिवारेण अत्र तिष्ठः तिष्ठः ॥ ठः ठः ॥ ( स्थापना मुद्राथी) सन्निधान : ॐ ह्रौं श्रीमाणिभद्रदेव सपरिवारेण मम सन्निहितो भव भव ॥ वषट् ॥ ( संनिधान मुद्राथी) संनिरोध : ॐ ह्रौ श्रीमाणिभद्रदेव सपरिवारेण अत्र स्थातव्यं यजनावधि || (संनिरोध मुद्राथी) अवगुंठन पून: ॐ ह्रौं श्रीमाणिभद्रदेव सपरिवारेण परेषां अदिक्षितानामदृश्यो भव भव फट् इदं आहुतिं गृहाण गृहाण नमः स्वाहा ॥ ( भसि मुद्राथी) " પછી, અગ્નિમાં પંચોપચારી પૂજા કરવી તથા નૈવેધમાં સુખડી ધરવી અને પછી 'श्री महाप्रभावशाली माणिभद्रवीर स्तोत्रम् " भोटेथी जोसवु. ( हाथ भेडीने) ત્યારબાદ આહુતિની ક્રિયાનો પ્રારંભ કરવો. (४) अथ आहुतिक्रिया ॥ आहुतिनो नानो मंत्र : ॐ ह्रीं श्रीमाणिभद्राय पूर्णभद्राय द द ह्रौं सः सः स्वाहा ।। આહુતિ માટેનો મોટો મંત્ર : 567 ॐ ह्रीं श्रीमाणिभद्र इन्द्र सर्वमंगलकारक । प्रत्यक्षदर्शनं देहि सच्छ्रद्धाप्रीतिभक्तितः ॥ १ ॥ Page #584 -------------------------------------------------------------------------- ________________ 568 તપાગચ્છાધિષ્ઠાયક विद्यां देहि धनं देहि पुत्रं च पुत्रिकाम् । कीर्ति देहि यशो देहि प्रतिष्ठां देहि च श्रियम् ॥२॥ सर्व में वांछितं देहि सुखं शांति प्रदेहि मे । वादेविवादे युद्धे च, जयं मे कुरु सर्वतः ॥३॥ राज्यं च राज्यमानं च बलबुद्धिं प्रवर्द्धय । गर्भस्थबालकं रक्ष रोगेभ्यो रक्ष बालकान् ॥४॥ आधिं व्याधिं विपत्तिं च महाभीतिं विनाशय । घातकेभ्यश्च मां रक्ष रात्रौ दिवा च सर्वदा ॥५॥ अपमृत्युप्रयोगेभ्यो नाशतो रक्ष मे सदा । . दैवीसंकटतो रक्षाऽऽकस्मिकविपत्तितः ॥६॥ शाकिनीभूतवैतालानाक्षसांश्च निवारय । वने रणे गृहे ग्रामे रक्ष राज्यसभादिषु ॥७॥ इष्टसिद्धिं महासिद्धिं जयं लक्ष्मी विवर्द्धय । तपागच्छनायक ॐ ह्रीं श्रीं श्रीमाणिभद्रवीर ॥८॥ नमोस्तु ते मम शांतिं तुष्टिं पुष्टिं ऋद्धिं वृद्धिं । सिद्धिं समृद्धिं वश्यं रक्षां च कुरु कुरु स्वाहा ॥९॥ આહુતિ માટેના ઉપર પ્રમાણેના બે મંત્રો છે. સમયની અનુકૂળતા મુજબ સંયોગાનુસાર કોઈપણ એક મંત્ર વડે અથવા બંને મંત્રોની પુરવણી ગોઠવીને કુલ ૧૦૮ આહુતિ આપવાની હોય છે. - હવે પ્રતિમા તેમ જ વેદિકા પાસે પૂજકોને યોગ્ય રીતે ગોઠવી દેવા. જ્યારે ઉપરોક્ત મંત્રને અંતે " સ્વાહા " શબ્દ બોલાય ત્યારે થાળી ડંકો વગાડવો અને એ સાથે જ વેદિકાકુંડમાં વચ્ચોવચ્ચ બરાબર એક ગોળી (સૂકા મેવાની) અને ઘી (થોડુંક) અર્પણ કરાવવું અને તે જ વખતે પ્રતિમા અથવા યંત્ર ઉપર ફૂલ અને વાસક્ષેપ ચઢાવવો. તેમ જ ધૂપદીપ પણ કરાવવો. આ રીતે આટલું થાય એટલે એક આહુતિ પૂર્ણ થઈ ગણાય. ફરીથી મંત્રોચ્ચારણ સાથે ઉપર મુજબ જ આહુતિની ક્રિયા કરાવવી. એ રીતે કુલ ૧૦૮ વખત આહુતિ અર્પણ કરાવવી. વચ્ચે વચ્ચે કુંડમાં ચંદનકાષ્ઠ–પીપળ કાષ્ઠ આદિ સમિધા ગોઠવતા જવું. અગ્નિ પ્રજ્વલિત રહેવો જોઈએ. સાથે સાથે વચ્ચે વચ્ચે યથાસમયાનુસાર સંગીત ચાલુ રહે તેમ આયોજન કરાવવું. એ રીતે ગોળી અર્પણ કરનાર ગોળી સમર્પ, ઘી સમર્પનાર ઘી સમર્પે, ફૂલ ચઢાવનાર ફૂલ ચઢાવે અને વાસક્ષેપ પૂજા કરનાર વાસક્ષેપ ચઢાવે. Page #585 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 569 આમ કુલ ૧૦૮ આહુતિ પૂર્ણ થયા બાદ એક નાળિયેરના સૂકા ગાળામાં નાનું કાણું પાડીને ઘી ભરવું અને પછી તે ગોળો મુખ્ય ભાગ્યશાળીના હાથમાં અંજલિમાં અથવા ચીપિયા વડે લેવડાવીને તેમને વેદિકાકુંડ નજીક ઊભા રહેવા સૂચના કરવી. હવે, એક નવકાર, એક ઉવસગ્ગહરસ્તોત્ર અને મોટી શાંતિ પ્રગટ રીતે બોલવી, અને મોટી શાંતિ બોલતાં જ્યારે વચ્ચે" ૩ સ્વીદ ૩ઝ સ્વીહ % શ્રી પાર્શ્વનાથ સ્વાદ " બોલાય ત્યારે તે જ ક્ષણે તે પકડી રાખેલ ગોળાને વેદિકાકુંડમાં વચ્ચોવચ્ચ મુકાવવો. મોટી શાંતિ ચાલુ રાખવી. - જ્યારે મોટી શાંતિ પૂર્ણ થાય ત્યારે જ્યાં સુધી વેદિકાકુંડમાંથી અગ્નિજ્વાળાઓ શાંત ન પડે, ધીમી ન પડે ત્યાં સુધી શ્રીમાણિભદ્રવીરનાં સ્તોત્રો, છંદો, પદો, સ્તુતિઓ આદિ સંગીત સાથે ગવડાવતા રહીને સમય પસાર કરવો. જ્યારે અગ્નિજ્વાળાઓ ધીમી શાંત પડે ત્યારે મુખ્ય ભાગ્યશાળીના હાથમાં ગુલાબજળનો મોટો શીશો પકડાવી રખાવવો અને બાકીના સર્વેને વેદિકાકુંડથી થોડા દૂર જવા સૂચના કરવી અને પછી " નોડર્રત સિદ્ધી વીધ્યાય સર્વસાધુ:" બોલીને શ્રી ગ્રહશાંતિ સ્તોત્ર બોલવું અને પછી નીચે આપેલ પૂર્ણાહુતિ મંત્ર બોલવો. જ્યારે તે મંત્રના અંતિમ શબ્દો" સમતિ નિર્મતતાં ર દિ દિ સ્વાદા" બોલાય કે તરત જ શ્વાસ સ્થિર કરીને ગુલાબજળને વેદિકાકુંડમાં પધરાવી દેવડાવવું. અગ્નિજ્વાળાઓ સંપૂર્ણ રીતે શાંત થવી જોઈએ. (તે માટે પર્યાપ્ત માત્રામાં ગુલાબજળ તૈયાર રાખવું.) पूर्णाहुति मंत्र % સ્મિન ગંઠ્ઠી નાર્થે ભરતે મીંડે .....શે .... ....... સ્થાને વિમા ......... વર્ષે ....... માસોત્તમમા સે .....શુપક્ષે ...... શુમતિથી ..... નમીન) ગૃહે હૈ ..... પૂગનાથને .....निमित्ते.... महोत्सवे श्री श्री श्री जगदवंद्य - प्रत्यक्षप्रभावी- चमत्कारचडामणि प्रातःस्मरणीय तपागच्छनायक-अधिष्ठायकदेव- श्रीमाणिभद्रवीरविशिष्टमहापूजनाहुति विधाननिमित्ते सविधि सविनय सुगंधितपदार्थाश्च हवनपूजनं स्वाहा ॥ ॐ ह्रौं क्ी श्रौं मगरवाडामाणिभद्रवीर-कृपाकांक्षी-कृपाधिन-सर्वदुःखहर भोगं सुखं यशः संततिं ऋद्धिं वृद्धिं बुद्धिं सिद्धिं समृद्धिं आरोग्यं भोग व्यापारवृद्धि सहकुटुम्बस्यारोग्यं राज्यसुखं सर्वजनवश्यं सर्वममिहितं कल्याणं समकितनिर्मलतां च देहि देहि स्वाहा ।।। હવે, કુંડમાં ગુલાબજળ પધરાવ્યા પછી બધાએ ઊભા રહીને, બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા. પછી, આરતી તૈયાર કરાવવી. આરતીને સુગંધી ફૂલહાર ચઢાવવા, તિલક કરવું. આરતી ઉતારનારા ફૂલહાર પહેરે. પછી આગળ આપેલ આરતી બોલતાં બોલતાં આરતી ઉતારવી. : :૨ : ૪ કરે. Page #586 -------------------------------------------------------------------------- ________________ 570 તપાગચ્છાધિષ્ઠાયક (૫) શ્રીમાણિભદ્રવીરની આરતી (રાગઃ ૐ જય ૐ જય ૐ મા જગદંબે) જય જય નિધિ, જય માણિકદેવા, જય માણિકદેવા, હરિહરબ્રહ્મપુરંદર, કરતા તુજ સેવા, જયદેવ જયદેવ તું વીરાધિવીરા, તું વાંછિતદાતા, તું વાંછિતદાતા, માતાપિતા સહોદર સ્વામિ, છો પ્રભુ જગત્રાતા, જયદેવ જયદેવ હરિકરીબંધનઉદધિ, ફણીધરઅરિઅનલા, ફણીધરઅરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબળા, જયદેવ જયદેવ ડાક ત્રિશૂળ ફૂલમાળા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાનવમસ્તક, એમ પભુજ રાજે, જયદેવ જયદેવ તું ભૈરવ તું કિન્નર, તું જગ મહાદીવો, તું જગ મહાદીવો, કામકલ્પતરુધેનુ તું પ્રભુ ચિરંજીવો, જયદેવ જયદેવ તપગચ્છાતિસૂરિ, ધ્યાવે તુજ ધ્યાન, ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ, જયદેવ જયદેવ સંવત અઢારસે પાંસઠ, શ્રીમાધવમાસ, શ્રીમાધવમાસ, દીપવિજય કવિરાયની, પૂરો સર્વ આશ, જયદેવ જયદેવ (૬) અથ વિસર્જનમ્ II આરતી થઈ ગયા પછી, સર્વેના હાથમાં વધાવવાના ચોખા અપાવવા અને નિમ્ન શ્લોક ત્રણવાર બોલીને સર્વે પાસે ચોખા ઉછળાવીને વધામણી કરાવવી અને વિસર્જન કરવું. વિસર્જન પત્તો. आह्वानं नैव जानामि न जानामि विसर्जनम् । पूजाविधिं नव जानामि त्वं गति परमेश्वर ॥१॥ आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं च यत्कृतम् । तत्सर्व क्षमय देव त्वं गति परमेश्वर ॥२॥ માણિભદ્રવીર વિશિષ્ટ–મહાપૂજન સામગ્રીનું લિસ્ટ અગર – ૨૦ ગ્રામ સોપારી (સફેદ) – ૧૧ નંગ પીપળાનું કાષ્ઠ ટુકડા તગર - ૨૦ ગ્રામ સોપારી (લાલ) – ૫૦ ગ્રામ ૫૦૦ ગ્રામ કપૂર નાની ગોટી – ૨ પૅકેટ ગુલાબ અત્તર – ૨ શીશી ગુલાબનાં ફૂલ – ૧૫૦ નંગ કપૂર મોટી મોટી – ૫ ગોટી ચમેલી અત્તર – ૨ શીશી ચાટવો – ૧ છડ છબીલો – ૫૦ ગ્રામ ખસ અત્તર – ૧શીશી કરેણનાં ફૂલ – ૧૫૦ નંગ નાગરમોથ – ૫૦ ગ્રામ સુખડનું તેલ– ૧ શીશી ફૂલના હાર – ૧ ડઝન કેસર – ૧ ગ્રામ કોપરાનો ગોળો (સૂકો) – ૧ નંગ સોનાનો વરખ – ૧ પાનું અષ્ટગંધ - ૫ ગ્રામ વેદિકા માટે ઈટો (કાચી) રૂપાનો વરખ - ૧ થોકડી બરાસ - ૧ તોલો વેદિકા માટે ચૂનો અને માટી વાસક્ષેપ - ૫૦૦ ગ્રામ Page #587 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 571 ગોરોચન – ૧ ગ્રામ બદામ - ૧૦૦ ગ્રામ કાજુ – ૧૫૦ ગ્રામ દ્રાક્ષ (સફેદ) - ૧૦૦ ગ્રામ કોપરું (સૂકું) – ૧૦૦ ગ્રામ અખરોટનાં બીજ–૧૦૦ ગ્રામ સાકર ખડી – ૧૦૦ ગ્રામ પરાત (સામગ્રી રાખવા માટે ) થાળ (સામગ્રી રાખવા માટે) સુખડનું ચૂર્ણ- ૧૦૦ ગ્રામ પિસ્તાં- ૫૦ ગ્રામ ચારોળી – ૫૦ ગ્રામ મીંઢળ-૧ ડઝન રૂપાનાણું – ૧ ડાંગર – ૨૫૦ ગ્રામ પંચરત્નની પોટલી – ૩ નંગ નાડાછડી (ત્રણતારી) ૩દડા કંકુ - ૨૦ ગ્રામ ફાનસ (દીવા માટે) – ૧ નંગ ચમચા – ૨ નંગ ચીપિયો (તાંબાનો) – ૧ નંગ નૈવેધ પેંડા - ૨૫૦ ગ્રામ આરતી – ૧ નંગ ચોખા – ૧ કિલો ફળ – ૫00 ગ્રામ અંગલુછણાં- દબંગ ઘી (ગાયનું શુદ્ધ) – ૧ કિલો સરસવ(પીળા)-૫૦ ગ્રામ સુખડ કાષ્ઠ ટુકડા – ૧કિલો કુંભ સ્થાપનનો કુંભ-૧ નંગ ચાંદીની લગડી – ૧૦ પાન(નાગરવેલ)-૨ ડઝન અધેડાની કે દાડમની રોકડા રૂપિયાના સિક્કા–૧૦ કલમ – ૧ નંગ શ્રી ફળ – ૧ નંગ જીભવાળું કોડિયું -૧ લાલ કે લીલું રેશમી કાપડ માટીનાં કોડિયાં – ૬ નંગ ગુલાબજળ - ૧ મોટો શીશો અગરબત્તી -૧ પૅકેટ દિવેટ માટે રૂ– ૩ પૂણી ખારેક – ૨૦૦ ગ્રામ દશાંગ ધૂપ – ૫૦ ગ્રામ આંબો-પીપળ-વડ –ઉંબરો અડાયા છાણાં – દસેક નંગ ખીજડો–સર્વેનાં મળીને સુખડી (ઘીની) – 100 ગ્રામ કુલ ૨ કિલો (સૂકા) લાકડાં (નૈવેધ માટે) રક્ષાપોટલી ગુલાબનાં સૂકવેલાં ફૂલ – ૫૦ ગ્રામ લવિંગ – ૧૨ નંગ અંબર-સાધારણ કસ્તુરી – સાધારણ શ્રી દેવાલી પાર્શ્વનાથાય નમઃ પૂજ્ય આચાર્ય વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ જ્ઞાનમંદિર શ્રી ભુવન-સુદર્શનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા-ઉદયપુર (દવાલી–મેવાડ) ૦૧. સ્તવન ગડુલી સંગ્રહ ૦૨. પ્રકરણ સ્તોત્રાદિ સંગ્રહ ૦૩. પ્રકરણ માળા (મોટા ટાઈપ) ૦૪. જિનેન્દ્ર સ્તવનાવલી ૦૫. કર્મગ્રંથ સાર્થ (૧ થી ૪) ૦૬. વિહાર દર્શન દીપિકા ૦૭. પ્રકરણ માળા (નાના ટાઈપ) ૦૮. કર્મગ્રંથ મૂળ (૧ થી ૬) ૦૯. કર્મ પ્રકૃતિ મૂળ ૧૦. જિનગુણ સ્તવ મંજૂષા જિનેન્દ્ર ભક્તિ કર્ણિકા ગણિપદ મહોત્સવ ગુરુ ગુણ ગીત-સંગ્રહ ૧૪. સંસ્કાર સોપાન ૧૫. બારવ્રતની નોંધ ૧૬. સ્નાત્રપૂજા સાર્થ (હિન્દી) ૧૭. જિનેન્દ્ર ગુરુ ગુણ સરિતા ૧૮. જીવન ઝરમર (ગુજરાતી) ૧૯. સાતક્ષેત્ર અને ધર્મદ્રવ્ય વ્યવસ્થા જીવન જ્યોતિ શ્રી ધર્મદ્રવ્ય વ્યવસ્થા (હિન્દી) ૨૨. વીર વિરહમાન પટ (હિન્દી) ૨૩. શ્રી સંવત્સરી ક્ષમાપના ૨૪. જીવન કિરણ (ગુજરાતી) ૨૫. યશોધર ચરિત્ર (સંસ્કૃત) ૨૬. શાંતિસ્નાત્ર કાર્ડ ૨૭. નિર્વાણ કલિકા (સંસ્કૃત) . ૨૮. તપોરત્ન મહોદવિ ૨૯. ઉપમિતિ સાર સમુચ્ચય (સંસ્કૃત) ૩૦. ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વિધિ ૩૧. ધન્ય ચરિત્ર (હિન્દી) ૧૧. ૧૨. Page #588 -------------------------------------------------------------------------- ________________ 57 ) તપાગચ્છાધિષ્ઠાયક श्री माणिभद्र महापूजनम् संपादक : पू. आचार्यश्री विजयपद्मसूरीश्वरजी महाराज જૈનદર્શનમાં છેવટે તો અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંત ચારિત્ર્યના આત્માના વિભાવધર્મના સાક્ષાત્કારની જ સર્વોચ્ચ સ્થિતિ અનુભવવા બધી જ શક્તિસાધના અને વિવિધ અનુષ્ઠાનો છે; પરંતુ અવસર્પિણી કાળના આવતા-જતા વધુ ને વધુ વિષમ બનતા જતા સમયમાં વિશ્વ નિવારણ, બાહ્ય અને આંતર ઉપદ્રવોના શમન અને અધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક તાપત્રયમાંથી મુક્ત થઈ શ્રી જિનશ્વરભગવંતોના સકલ કલ્મષનાશક, પાવનતમ શ્રી પાદારવિંદમાં ચિત્તના ત્યંતિક લય માટેની ભૂમિકાઓનાં સોપાન ચઢવા ઘણી બધી વિવિધ પૂજાવિધિઓ અને સામગ્રી ભરપૂર જોવા મળે છે. શ્રી સિદ્ધાચલજીની યાત્રાનું ધ્યેય અને દઢ સંકલ્પ લઈ અન્નજળના ત્યાગપૂર્વક શ્રી ગિરિરાજજીનાં અને દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવાનનાં દર્શને નીકળેલા શેઠશ્રી માણેકચંદ ગુજરાતની ધરતીમાં જ ચોર-ડાકુ લોકોના હાથે પ્રભુશ્રીમાં તીવ્ર ભાવ સમારોપી દેહમુક્ત થયા અને વ્યંતરનિકાયના છઠ્ઠા યક્ષેન્દ્ર મહારાજાનું માનભર્યું સ્થાન પામ્યા. એમના આ વર્તમાન રૂપમાં પણ એકદાઢ પર જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા ધરી રહ્યાં છે અને દેવકુલિકામાં શ્રી આદીશ્વરદાદા વિરાજમાન છે. અને શ્રી માણિભદ્રદાદા હેજ ત્રાંસા મુખે અદ્યાપિશ્રી આદીશ્વર ભગવાનનાં દર્શન–ધ્યાન -સ્મરણમાં નિમગ્ન રહે છે. આવા મહાપ્રસાવી શ્રી માણિભદ્રદાદાના મહાપૂજનની સર્વ વિધિ અત્રે પ્રસ્તુત છે. તેનો લાભ લેવા અને કૃતાર્થ થવા નમ્ર અનુરોધ છે. આ માહિતી પ્રસ્તુતકર્તા શ્રી વિજયપઘસૂરીશ્વરજી મહારાજે મારવાડમાં અનેક અગણિત જિનાલયોના નિર્માણમાં માર્ગદર્શન આપ્યું છે. જ્યોતિષ અને શિલ્પકળામાં પારંગત છે. આ સૂરિવરને હાથે અનેકવિધ મહાન અમર શાસનપ્રભાવના થતી રહી છે. - સંપાદક | મત્તાવરણમ્ II शत्रुजय जगत्पूज्यं आदिनाथं जिनेश्वरम् सुरासुरनरैः । पूज्यं माणिभद्रं नमोऽस्तु ते ॥१॥ प्रणम्य परमात्मानं स्तुत्व जिनेन्द्र सद्गुरुम् । वीरं वाणी नमस्कृत्य कुर्वे 'माणिक' पूजनम् ॥२॥ Page #589 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 573 नौमि श्री नीतिसूरीशं, श्री हर्षसूरिशेखरम् । गुरु जिनेन्द्रसूरीशं, आचार्य पद्मसूरिपम् ॥ ३ ॥ भूमिशुद्धि मंत्र : ॐ भूरसि ! भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरु कुरु स्वाहा ॥ आ मंत्र त्रणवार भणी कलशमां शुद्ध जल भरी वास-पुष्प नाखी डाभ(दर्भ)नी पींछी वड़े जल छांटी भूमिशुद्धि करवी । जे स्थले पूजन भणाववानुं होय ते स्थाने त्रिगडुं गोठवीने सिंहासनमां चोवीसी या पंचतीर्थी अने श्री सिद्धचक्रजीनो गट्टो स्थापना मंत्र द्वारा करीने 'श्री वीरविजयजीकृत' स्नात्रपूजा भणाववी ।. अथ पीठमंत्र : ॐ ह्रीं अर्हत् पीठाय नमः ॥ आ मंत्र त्रणवार भणतां सिंहासन (पीठ )ने हस्तस्पर्श करवो ॥ श्री जिनबिम्ब स्थापना मंत्र : ॐ नमोऽर्हते परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिक्कुमारी परिपूजिताय, दिव्य शरीराय, त्रैलोक्य महिताय देवाधिदेवाय अत्राद्य भो जिनाधीश अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ आ मंत्र त्रणवार भणतां चोवीसी या पंचतीर्थी प्रतिमाजीने हस्तस्पर्श करवो ॥ अथ रक्षापोटली मंत्र : ॐ हुँ हूं फट् किरिटि-किरिटि घातय घातय परकृत विघ्नान्-स्फोटय-स्फोटय, सहनं खण्डान् कुरु-कुरु परमुद्रां छिन्द-छिन्द, परमंत्रान् भिन्द-भिन्द हुँ क्षः फुट् स्वाहा । आ मंत्र सातवार भणीने गुरु महाराज पासे रक्षापोटली मंत्राववी । ' अथ रक्षापोटली बन्धन मंत्र :- ॐ नमोऽर्हते रक्ष-रक्ष हूँ फुट् स्वाहा । आ मंत्र भणतां पूजन करनाराओओ परस्पर रक्षापोटली जमणा हाथे बांधवी । अथ वज्रपञ्जर-आत्मरक्षा स्तोत्रम् : ॐ परमेष्ठि नमस्कारं, सारं नवदात्मकम् । आत्मरक्षा करं वज्र-पञ्जराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ॥३॥ ॐ नमो लोओ सव्व साहूणं, मोचके पदयोः शुभे । एसो पञ्च नमुक्कारो,शिला वज्रमयी तले ॥४॥ सव्व पावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मङ्गलाणं च सव्वेसिं, खादिराङ्गर खातिका ॥५॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढम हवइ मङ्गलम् । वप्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठि पदोद्भुता, कथिता पूर्व सूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठि पदैः सदा । तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ आ स्तोत्रमा आत्मरक्षा माटे जे जे स्थानो आवे त्यां त्यां बन्ने हाथो द्वारा आत्मरक्षा स्तोत्र भणतां स्पर्शना करवी । पूजन करनाराओओ तो अवश्य करवी । D Page #590 -------------------------------------------------------------------------- ________________ 574 તપાગચ્છાધિષ્ઠાયક अथ कुंभस्थापना विधि: जे स्थळे पूजन करवानुं होय ते स्थानने धोई धूपी पवित्र बनावीने केसर-कंकुनो साथियो उपर चोखानो साथियो पूरी सवा रूपियो, सोपारी मूकी प्रभुजीनी सन्मुख या जमणी भुजामा स्थापना करवी । कुंभ उपर लखवानो मंत्र : कुंभने शुद्ध जलथी धोईने मंत्र लखवो । ॐ ह्रौं श्रौं सर्वोपद्रवान् नाशय-नाशय स्वाहा । कुंभनी अंदर केसरनो साथियो करी सवा रूपियो, सोपारी, कुसुमांजली पधरावीने पछी लखेल स्तोत्र भणीने कुंभ शुद्ध जलथी भरवो । नवकार, उवसग्गहरं, संतिकरं स्तोत्र अकवार भणतां कलश भरवो, पछी पाँच नागरवेलनां पान, श्रीफल मूकी उपर लीलुं रेशमी कापड बांधीने मीढळ या नाडाछडी (मोली) बांधीने रूपेरी-सोनेरी वरख छापी केसर, अत्तर, पूजा करी पुष्पहार पहेरावीने 'ॐ ह्रौं ठः ठः ठः स्वाहा श्वास रोकीने स्थापना करवी । हाथमां पुष्पांजली लईने काव्य नीचेनुं भणे : नमोऽर्हत् पूर्ण येन सुमेरु शृङ्ग सदृशं, चैत्यं सुदेदीप्यते, यः कीर्ति यजमान धर्मकथनः प्रस्फूर्जिता भाषते । यः स्पर्धा कुरुते जगत्त्रय महा, दीपेन दोषारिणाः, सोऽयं मंगलरूप मुख्यगणन:, कुंभश्चिरं नन्दतात् ॥१॥ त्रणवार आ काव्य भणीने कुंभने वधावे । अथ दीपस्थापना विधि तांबा, कोडियुं लई चार कलाक अंदाजे चाले तेटलुं घी लई रूईनी वाट या डोकावाट मूकीने, त्रण वार मंत्र भणतां कोडियामां ओ घी पूरवू । ____ ॐ घृतमायुर्वृद्धिकरं भवति परं जैनदृष्टि सम्पर्कात् तत्संयुक्त प्रदीप पातु सदा भाव दुखेभ्यः स्वाहा ॥१॥ दीपक प्रगटाववानो मंत्र : मंगल दीप वडे आ दीपक त्रणवार मंत्र भणतां प्रगट करवो । ॐ अर्ह पंचज्ञान महाज्योतिर्मयायन्त घातिने । द्योतनाय प्रतिमाया दीपो भूयात् सदाऽर्हते स्वाहा ॥ दीपक प्रगटावी काचना फानसमां मूकीने स्थापना करवी अने वासक्षेप तथा पुष्पांजलि वडे वधावी ले । अथ नवग्रह पूजनम् ओक पाटलो नव ईंचनो समचोरसनो लईने प्रथम कंकुनो साथियो पछी चोखानो साथियो पूरी सवा रूपियो ने सोपारी मूकीने आह्वान मंत्र भणवो । सूर्यादि नवग्रहा अत्राद्य आगच्छ-आगच्छ स्वाहा । ( आह्वान मुद्रा ) निजासने तिष्ठ-तिष्ठ (स्थापना मुद्रा) Page #591 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 575 पूजन मंत्र नमोर्हत् : सूर्येन्दु शुभ्रं भूमिपुत्र रक्तम्, सौम्यं बुधं देवपूज्यं सपीतम् । शुक्लं शुक्र सितशौरिं सराहु, केतु नवग्रहान् पूजये सदा ॥१॥ ॐ नमः सूर्यादि नवग्रहेभ्यो गन्धादिकं सर्वोपचारान् समर्पयामीति स्वाहा । साथिया उपर पान, सोपारी, श्रीफल नैवेद्य मूके, धूपदीपादि, केसर, पुष्पहार पूजन करे । प्रार्थना : श्री माणिभद्रवीरस्य पूजनेऽत्र सुपूजिताः । ग्रहाः सर्वे प्रसन्नः स्युः विघ्नहाः शान्तिदाः सदा 1। नवग्रह शांति स्तोत्रम् जगद्गुरुं नमस्कृत्य श्रुत्वा सद्गुरुभाषितम् । ग्रहशांतिं प्रवक्ष्यामि, लोकानां सुख हेतवे ॥१॥ जिनेन्द्रैः खेचरा ज्ञेयाः, पूजनीया विधिक्रमात् । पुष्पै विलेपनै धूपैर्निवेद्यैस्तुष्टिहेतवे ॥२॥ पद्मप्रभस्य मार्तण्ड श्चन्द्रश्चन्द्रप्रभस्य च । वासुपूज्यस्य भूपुत्रो, बुधस्याष्टौ जिनेश्वराः ॥३॥ विमलानन्त धर्मारा:, शांति: कुन्थुर्नमिस्तथा । वर्धमानोजिनेन्द्राणां, पादपद्मे बुधं न्यसेत् ॥४॥ ऋषभाजित सुपाद्म श्चाभिनन्दन शीतलौ । सुमति: संभवस्वामी श्रेयांसश्च बृहस्पतिः ॥५॥ सविधे कथित शक्रः सव्रतस्य शनैश्चरः । नेमिनाथो भवेद राहः केतः श्रीमल्लि पावयोः ॥६॥ जन्मलग्ने च राशौ च, यदा पीडन्ति खेचराः। तदा सम्पूजयेद् धीमान्, खेचरै सहितान् जिनान् ॥७॥ जिनेन्द्रभक्त्या जिनभक्तिभाजां, जुषन्तु पूजावलिं पुष्पधूपान् । ग्रहा गता ये प्रतिकूल भावं, ते मेऽनुकूला वरदाश्च सन्तु ॥ अथ दशदिक्पाल पूजनम् ॐ नमः इन्द्रादि दश दिक्पाला अत्राद्य आगच्छ आगच्छ स्वाहा (आह्वान मुद्रा) निजासने तिष्ठ तिष्ठ स्वाहा (स्थापना मुद्रा), सन्निहितो भव भव वषट् (सन्निहित मुद्रा) नवग्रह पाटलापूजननी जेम-प्रभुनी डाबी भुजामां स्थापना करवी । नमोऽर्हत् : नमो इन्द्रग्नि यम नैर्ऋताय, नमो वरुणवायु धनेशाय । नमो ईशान-ब्रह्म नागेन्द्राय, नमो स्वदिक्पालाय शं-भवाय ॥१॥ पूजनमंत्र : ॐ नमः इन्द्रादि दिक्पालेभ्यो गन्धादिकं सर्वोपचारान् समर्पयामीति स्वाहा । (अहीं नवग्रहनी जेम पूजन करवु) प्रार्थना : इन्द्रादि दशदिक्पालाः सम्यग्दृष्टि सुपालकाः। __. शान्तिं-तुष्टिं-महापुष्टिं सन्तु संघस्य शान्तये ।। २।। पुष्पांजली वडे वधावे । पछी दश दिक्पाल स्तोत्र भणदुं । Page #592 -------------------------------------------------------------------------- ________________ 576 તપાગચ્છાધિષ્ઠાયક अथ दशदिक्पाल स्तोत्रम् : (अनुष्टुपम्) गजेन्द्रवाहः हेमाभः पूर्वेशः शक्र वज्रकम् । भक्तानामभयं कर्ता देवाधीशं नमोऽस्तु ते ॥१॥ छागवाहो धनुर्हस्तो कपिलांगोऽगिन दिक्पतिः। पापानां दहनं कर्ता अग्निदेवं नमोऽस्तु ते ॥२॥ महिषवाह: कृष्णांगो दक्षिणेशः सदण्डदः । यमपाशभयं हर्ता तुभ्यं बलि नमोऽस्तु ते ॥३॥ शबारूढो धूम्रवर्णो गदाहस्तो सनिति । स्वदिशादमयं कर्ता नैर्ऋतीशं नमोऽस्तु ते ॥४॥ मत्स्यारूढो मेघवर्णो नक्रस्थः पाशधारकः । प्रतीची पतये तुभ्यं वरुणाय नमोऽस्तु ते ॥५॥ वायव्येशो मृगारूढो धूसरांगो ध्वजधारकः । भूतानां प्राणदाता च वायुदेव नमोऽस्तु ते ॥६॥ नरवाहो रत्न हस्तो उत्तरेशः कुबेरकः । सर्व कार्य प्रयोगार्थ कोषाधीश नमोऽस्तु ते ॥७॥ ईशानो वृषभारूढः श्वेत शूलौ स्वदिक्पतिः। खड्गहस्तं सदा ध्यायेत् ऐशान्यं च नोमऽस्तुते ॥८॥ हंसारूढो पद्मपाणि चोर्ध्व लोकैक ब्रह्माणः । चतुर्मुख श्वेतवर्ण जगत्कर्ता नमोऽस्तु ते ॥९॥ पद्मारूढो धृतधरा धन्याधोलोकेशनागः । ऋद्धिदायी वृद्धिकारी पद्मनागं नमोऽस्तु ते ॥१०॥ इन्द्राद्या दशदिक्पालाः, स्व-स्व वाहन सायुधाः । सर्व विध् विनाशाय भूयो भूयो नमाम्यहम् ॥११॥ श्री शत्रुजय तीर्थपति आदिनाथ जिनपूजनम् : (शार्दूल) श्री शत्रुजय तीर्थराजमनीशं, श्री नाभिराजात्मजम् । सर्वै, सूरि मुनीन्द्र संघ सहितैः भक्त्या नमामो नतम् ॥ ज्ञानं यस्य त्रिकाल वाद्य रहितं लोकोत्तरोद्योतकम् । वन्दे तं करुणाकरं जिनवरं सेवे मुदाऽऽदीश्वरम् ॥१॥ विविध पुष्प सुगन्ध जलाक्षतैः रचितं भाव धनैः कुसुमाञ्जलिम् । प्रभो स्वीकुरु पावन भक्तदम्, शत्रुञ्जयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥ पूजनमंत्र :- ॐ ह्री श्रौं शत्रुञ्जय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय पुष्पांजलिं अर्चयामीति स्वाहा । (पुष्पांजली वडे बधावे)। पंचामृत अभिषेक पंचामृतैः पञ्चविधान वस्तुभिः पयोदधि गोघृत शर्कराम्बुभिः । पवित्र भावै भवाब्धि तारणाय शत्रुञ्जयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्यु निवारणाय देवाधिदेवाय शत्रुजय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय पञ्जामृतं यजामहे स्वाहा ।( चार कलशो द्वारा पंचामृतनो अभिषेक प्रभुजीने करवो) Page #593 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 577 ॥ अष्टप्रकारी पूजा विधि ॥ १. जल पूजा नमोऽर्हत् । जलै जयति जिनरूप सौम्यकम्, जिनेन्द्र धर्म सुमंगलकारकम् । जन्म-जन्मनि पवित्र सुधामयै, शत्रुजयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥१॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्यु निवारणाय देवाधिदेवाय शत्रुञ्जय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय जलादिकं यजामहे स्वाहा । २. चन्दनपूजा नमोऽर्हत् । सुगन्धैः रम्य सुरमि भूषिताङ्गम् स्वात्मैक नैर्मल्य विशिष्ट हेतवे । समीहितं भक्तिवशात् सुसेवितम् शत्रुञ्जयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥२॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय शत्रुजयमहातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय चन्दनादिकं यजामहे स्वाहा । ३. पुष्पपूजा नमोऽर्हत् । पुष्पः सुवास अर्चित चंपकाद्यैः, पुन्नाग पंकरूह सपारिजातैः ।। पंच सुवर्णे ग्रंथितैः सुमातिलिकैः, शत्रुजयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥३॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय शत्रुजय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय पुष्पं यजामहे स्वाहा । ४. धूपपूजा नमोऽर्हत् । धूपैः सुसरिताङ्ग रूपममलम्, धुनोति कल्मष धूप मनोगतम् ॥ ___ धूप धूम्र सुगन्ध तनु दायकम्, शत्रुजयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥४॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय शत्रुजय महातीर्थाधिपतये श्रीमते आदिनाथजिनेन्द्राय धूपं यजामहे स्वाहा । ५. दीपकपूजा नमोऽर्हत् । दीपै र्दीप्ति तमापहं सुखकरम् । दिव्यद् ध्यानमयं प्रकाश धवलम् । ___ दीपो ज्योतिर्मयं विभाति भवनम् । शत्रुञ्जयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥५॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय ७3. Page #594 -------------------------------------------------------------------------- ________________ 578 તપાગચ્છાધિષ્ઠાયક शत्रुजयमहातीर्थाधिपतये श्रीमते आदिनाथजिनेन्द्राय दीपं यजामहे स्वाहा । ६. अक्षतपूजा नमोऽर्हत् । अक्षतैः स्वयमंगल स्वस्तिकम् । अखण्डनायक भाग्यविधायकम् । अक्षय पुण्य प्रभावक शाश्वतम् शत्रुजयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥६॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय शत्रुजय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय अक्षं यजामहे स्वाहा । ७. नैवेद्यपूजा नमोऽर्हत् । नैवेद्यैः सरसमिष्ट मोदकाद्यैः । निजात्म शोधनशक्ति प्रदायकम् ।। निवेद्य नानाविध सौख्य भाजनम् । शत्रुजयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥७॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय शजय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा । ८. फलपूजा नमोऽर्हत् । फलैरान रंभानारिङ्गी श्रीफलैः फलस्य लाभाय शिवफलप्रदम् । ___ फलं प्रभूतं श्रीमते निवेदितम् शजयाऽऽख्यमादिनाथं यजेऽहम् ॥८॥ ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने जन्मजरामृत्युनिवारणाय देवाधिदेवाय शत्रुजय महातीर्थाधिपतये श्रीमते आदिनाथ जिनेन्द्राय फलं यजामहे स्वाहा । पछी पुष्पांजली हाथमां लई : तीर्थैर्जलै र्गन्ध सुपुष्प धूपैः । दीपाक्षतै श्चारु नैवेद्य मोदैः । फलैरनेकैः परितो यजामि । शत्रुजयाऽऽख्यदिनाथं नमोनमः ॥१॥ पछी ईरियावहीथी लई चैत्यवंदनादि स्तुति सुधी पूर्ण करे । सकल संघ पूजन करनाराओ साथे । (इति-अष्टप्रकारी पूजा) अथ श्री माणिभद्रवीर महापूजन प्रारम्भ नमोऽर्हत् । वीरेन्द्रः स्वच्छ मूर्ति, जिनपति चरणा-ऽऽसेविनां सिद्धिदाता । आरूढो दिव्यनागं, मुनिपति विमला ऽऽनंद सेवा प्रवीणः ।। शुढाष्यो दिव्यरूपः सुरमणि-सुरभिकल्प कुंभैः समानः । वीरः श्री माणिभद्रः प्रदिशतु कुशलं बुद्धिं सिद्धिं समृद्धिम् ॥ Page #595 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 579 आह्वानम् भो यक्षराजेह पूजाविधाने समाह्वयामः माणिभद्रवीरम् । निजासने त्वमवतर्य देव सुरेन्द्रपूजा बलि मा गृहाण ॥१॥ श्री माणिभद्र वीर मन्त्रगर्भित स्तोत्रम् नमस्तुभ्यं माणिभद्रं क्षेत्रपाल शुभंकरम् । सर्वदा सर्व कार्येषु रिद्धि सिद्धिं प्रपूरकम् ॥१॥ नमस्तुभ्यं इन्द्रदेव! श्वेतारण सिताङ्गितम् । ॐ ओं ह्रौं मूलमन्त्रेः चतुर्भुजे सुशोभितम् ॥२॥ नमस्तुभ्यं गजारूढ ! कलौ कल्मष नाशकम् । क्षाँ क्षौं दूं क्षः क्षमामन्त्रैः र्जिनशासनरक्षकम् ॥३॥ नमस्तुभ्यं महाबल ! वराहे धृत मन्दिरम् । श्रीँ श्रीँ शृं श्रः श्रेयमन्त्रेः संघोदय शिवंकरम् ॥४॥ नमस्तुभ्यं सौम्यरूप ! प्रत्यक्षं देवदर्शनम् । द्राँ द्रौं द्रौं हूँ द्रः दिव्य मन्त्रैः तपागच्छ सुवर्धनम् ॥५॥ नमस्तुभ्यं आगलोड ! मगरवाडाऽवंति यम् । प्राँ प्रौं प्रूप्र: पूतमन्त्रैः सुखडी श्रीफलप्रियम् ॥६॥ नमस्तुभ्यं भक्तदेव ! भक्तानां भीडभंजकम् । भाँ भ्रौं यूं भ्रः भूतमन्त्रै-भूतप्रेतादि शाम्यकम् ॥७॥ नमस्तुभ्यं धर्मपाल ! श्री वीरस्य प्रभावतः। झाँ झौं झू झ: बीजमन्त्रै-धर्मो रक्षति रक्षितः ॥८॥ इदं स्तोत्र पढेन्नित्यं धमार्थ काम-मोक्षदम् । श्री नीति-हर्ष-जिनेन्द्र-पद्मसूरिभिः साधितम् ॥९॥ श्री माणिभद्रवीर मूर्ति-यंत्र स्थापना (सौभाग्यमुद्रा द्वारा) ॐ ह्रीं श्रीं क्लीं ब्लू कुरु-कुरु- तुरु-तुरु कुलु-कुलु चुरु-चुर चुलु-चुलु चिरि-चिरि चिलि-चिलि किरि-किरि, किलि-किलि हरहः सरहः हूँ सर्वदेवेभ्यो नमः। व्यन्तरनिकाय मध्यगत व्यन्तरयक्षजातिय देवपदे शासनरक्षक श्री माणिभद्रवीर इह मूर्ति(यन्त्र) स्थापनायां अवतर-अवतर तिष्ठ-तिष्ठ चिरं पूजकदत्तं पूजां गृहाण गृहाण स्वाहा । (सौभाग्य मुद्रा स्थापना) सुरभि मुद्रा द्वारा देव जागृत मुद्रा ॐ ह्रौं श्रौं क्लौं ब्लूँ तपागच्छाधिष्ठायक: श्री माणिभद्रवीरः साक्षात् स्थित: सञ्जीवित अमृतीभूत भवतु स्वाहा । (सुरभिमुद्रा कर्या पछी वासक्षेप करवो) संकल्प-आह्वानदिकम् । ॐ नमो माणिभद्रवीराय यक्षेन्द्राय चतुर्भुजाय गौरारुणसितवर्णाय शूकरमुखाय ऐरावत-वाहनाय विंशतिसहस्र देवसहिताय सम्यग्दर्शनप्राप्तये तपागच्छाधिष्ठायकाय जिनशासनभक्ताय क्षुद्रोपद्रवशमनाय धनधान्यकोशागार प्रपूरणाय, शान्ति तुष्टि हेतवे, लाभ क्षेम जयविजय मङ्गलार्थ, विश्वशान्त्यर्थ, अवंति-आगलोड-मगरवाडा स्थिताय श्री जैन सकल संघस्य श्रेयार्थे (यजमानस्य श्रेयार्थ) अस्मिन् जम्बूद्वीपे भरतक्षेत्रे दक्षिणाऽर्धभरते मध्यखण्डे..............नगरे जिनप्रासादे....................श्री....................मण्डपे....... वीराब्दे............ विक्रम वर्षे.............. मासे..................पक्षे. तिथौ...........वासरे............पुण्य प्रभाव...........साम्राज्ये............ तच्छिष्य.... Page #596 -------------------------------------------------------------------------- ________________ 580 सान्निध्ये श्री जैन सकल संघ कारिते ( श्रीमान्.. ..कारिते) श्री माणिभद्रवीर पूजनविधि महोत्सवे । अत्र अवतर - अवतर संवौषट् ( आह्वानमुद्रा ) । निजासने तिष्ठ तिष्ठ (स्थापनामुद्रा ) । मम सन्निहितो भव भव वषट् (सन्निधानमुद्रा ) । सपूजां - आहुतिं गृहाण - स्वाहा ( पूजनमुद्रा ) । अथ श्री माणिभद्रवीर पाञ्चाभिषेक विधि दुग्धाभिषेक ॥१॥ नमोऽर्हत् । दुग्धं दुग्धं कामधेन्वाभिजातम् । शुभ्रं शुभ्रं क्षीर सिन्धोर्हि नीरम् । दग्धं दग्धं दुरित कर्मपुञ्जम् । श्री माणिभद्रवीरस्य दुग्धाभिषेके ॥१॥ ॐ क्ष क्ष क्षू क्षौ क्ष: श्री माणिभद्रवीराय यक्षेन्द्राय सम्यग्दर्शनप्राप्त्यर्थे क्षीररसकलशेन स्नापयामि स्वाहा । ( अहीं मूर्ति - यंत्र उपर कलश वडे दूधनो अभिषेक करवो। केसर- पुष्प वगेरे चढावो) તપાગચ્છાધિષ્ઠાયક अथ दध्यभिषेक ॥२॥ नोत् । भक्त्या मयाहि मथितासु दध्नः नरेन्द्र भक्त्या परितो यजन्ति । नृत्यन्ति गायन्ति भजन्ति मंत्रान् । श्री माणिभद्रस्य दध्नाभिषेके ॥२॥ ॐ क्ष क्ष क्षू क्ष क्ष श्री माणिभद्रवीराय यक्षेन्द्राय सम्यग्दर्शन प्राप्त्यर्थे दधिरस कलशेन स्नापयामि स्वाहा । (दहींनो अभिषेक पूर्ववत् । ) धृताभिषेक ॥३॥ नमोऽर्हत् । संघर्ष तापोद्भवन गोघृतेन । विशुद्ध भावै र्दुरितो हराय । नैर्मल्य हेतो मङ्गलाय नित्यम् । श्री माणिभद्रस्य घृताभिषेके ॥३॥ ॐ क्ष क्ष क्षू क्ष क्ष श्री माणिभद्रवीराय यक्षेन्द्राय सम्यग्दर्शन प्राप्त्यर्थे घृतरसकलशेन स्नापयामि स्वाहा । (घीनो अभिषेक वगेरे पूर्ववत् । ) सर्वौषधि-शर्कराभिषेक ॥४॥ नमोऽर्हत् । सर्वौषधि मधुरस सुगन्धैः । सुरासुरैन्दितभक्तनीरम् ॥ त्रिविध ताप रोगोपशान्तये । श्री माणिभद्रस्य सुधाभिषेके ॥४॥ ॐ क्ष क्ष क्ष क्ष क्ष श्री माणिभद्रवीराय यक्षेन्द्राय सम्यग्दर्शन प्राप्त्यर्थे सर्वौषधि मधुरस मिश्रित कलशेन स्नापयामि स्वाहा । (पूर्ववत् ) तीर्थोदकाभिषेक ॥५॥ नमोऽर्हत् । नाकनदी नद सरांसि वाप्ये, क्षीराब्धि सुरेन्द्रैरानीतं नीरम् । भवोद्मवताप हराय नित्यम्, माणिभद्र तीर्थजलाभिषेके ॥२॥ Page #597 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 581 ॐ क्षाँ क्षौं दूं क्षौं क्षः श्री माणिभद्रवीराय यक्षेन्द्राय सम्यग्दर्शन प्राप्त्यर्थे तीर्थजल कलशेन स्नापयामि स्वाहा । इति पंचाभिषेकः ॥ अथ अष्टप्रकारी पूजा अथ जलपूजा ॥१॥ नमोऽर्हत् : क्षीराब्धि तीर्थाम्बू पवित्र नीरम्, संसार तापाहतये तुषारम् । ___आत्मैक नैर्मल्य विशुद्ध हेतौ, श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥१॥ ॐ आँ काँ हौं क्ष्वौं क्लौं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविध्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे, श्री जैन सकल संघस्य कल्याणार्थे (यजमानस्य श्रेयार्थ), जलादिकं यजामहे स्वाहा । (आ काव्य भणीने जलनो अभिषेक करवो). अथ विलेपन-गंधपूजा ॥२॥ नमोऽर्हत् : कर्पूरकेशर सुगन्ध मिथैः । कस्तूरि श्रीखण्ड दिव्य चन्दनैः। भक्तैः लिपन्तो प्रत्यंग पूजनम् । श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥२॥ ॐ आँ क्रॉ ह्रौं क्ष्वौं क्लीं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे, श्री जैन सकल संघस्य कल्याणार्थे (यजमानस्य कल्याणार्थे), गंन्धादिकं यजामहे स्वाहा । (काव्य मंत्र भणीने मूर्ति-यंत्रनुं विलेपन अने ललाटे तिलक करवू ।) __ अथ पुष्पपूजा ॥३॥ नमोऽर्हत् : पवित्र पुष्पाणि सुवासितानि । चिन्वन्ति धीरा परितोषयन्ति । __पुन्नाग परिजात स्वर्ण पुष्पैः । श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥३॥ ॐ आँ क्रॉ ह्रौं क्ष्वौं क्लौं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे, श्री जैन सकल संघस्य कल्याणार्थ (यजमानस्य कल्याणार्थे), पुष्पाणि यजामहे स्वाहा । (सुगंधी लाल गुलाब, कणेरनां पुष्पोनो हार चढाववो अने छूटा फूलथी पूजा करवी ।) ___ अथ धूपपूजा ॥४॥ नमोऽर्हत् । कर्पूर कस्तूरि सुचन्दनेन । कृष्णागरुमिश्र दशांग धूपम् । दुर्गन्ध दग्धाय सुगन्ध धूपैः । श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥४॥ पूजनमंत्र: ॐ आँ क्रॉ हौं क्ष्वौँ क्ली ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, Page #598 -------------------------------------------------------------------------- ________________ 582 તપાગચ્છાધિષ્ઠાયક चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे श्री जैन सकल संघस्य कल्याणार्थे धूपं यजामहे स्वाहा । (धूपपूजा करवी ।) अथ दीपक पूजा ॥५॥ नमोऽर्हत् । सिताऽसिता हारीमनोऽभिलाषी । सुज्ञानदायी जिन पद्मवाणी । ___ तेजोद्भवन मंगल दीप्त दीपैः । श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥५॥ पूजनमंत्र : ॐ आँ क्रॉ हौं क्ष्वाँ क्लौं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे श्री जैन सकल संघस्य कल्याणार्थ दीपक यजामहे स्वाहा । (दीपक पूजा करवी।) अथ-अक्षत पूजा ॥६॥ नमोऽर्हत् । शुक्लारुणा खण्ड पूर्ण मक्षतैः। दधे पुरे ते मंगल स्वस्तिकम् । सौभाग्य सौख्याय शुभोदयाय । श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥६॥ पूजनमंत्र : ॐ आँ क्रीँ ह्रौं क्ष्वौं क्लौं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे, श्री जैन सकल संघस्य कल्याणार्थे अक्षतं यजामहे स्वाहा । (चोखानो साथियो पूरवो ।) अथ नैवेद्य पूजा ॥७॥ नमोऽर्हत् । गोधूमः चूर्णघृतगुड मित्रैः। सुवासमोदक संचित भाजनम् । स्वनिर्मित नैवेद्य निवेदनम् । श्री माणिभद्रं वरदं यजऽहम् ॥७॥ पूजनमंत्र: ॐ आँ क्रौं ह्रौं क्ष्वौँ क्लौं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे, श्री जैन सकल संघस्य कल्याणार्थे नैवेद्यं यजामहे स्वाहा । (पाँच जातनी मीठाईओ सुखडी-चढावे ।) अथ फल पूजा ॥८॥ नमोऽर्हत् । श्रीफलनारिङ्गरंभाऽऽभ्र पुंगीम् । दाडिम जंबीरामृत सत्फलेः । संघाभ्युदय सौख्य फलार्पणम् । श्री माणिभद्रं वरदं यजेऽहम् ॥८॥ पूजनमंत्र : ॐ आँ क्रॉ हौं क्ष्वी क्लौं ब्लूँ श्री माणिभद्रवीराय यक्षेन्द्राय गौरारुण सितवर्णाय, चतुर्भुजाय, ऐरावतवाहनाय, सायुधाय, सपरिजनाय, तपागच्छाधिष्ठायकाय भूतप्रेतपिशाचादि सर्वविघ्न विनाशकाय, क्षुद्रोपद्रवशमनाय, विश्वशान्त्यर्थे, श्री जैन सकल संघस्य कल्याणार्थे फलानि यजामहे स्वाहा । (पाँच जातनां श्रीफल साथे ।) Page #599 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 583 अर्घ्य : तीर्थोदक चन्दन पुष्प धूपम् । दीपाक्षतं रम्य नैवेद्य देयम् । फलाष्टमं सुविहितो विधानम् । श्री माणिभद्राय ददेऽर्घ्यपूर्णम् ॥८॥ (इत्यष्टप्रकारी पूजा) । हवनकुंडमां अग्नि प्रगट मंत्र : ॐ रं रां री रै रौं र: नमो अग्नये नमो बृहद् भानवे नमोऽनन्ततेजसे नमोऽनन्तवीर्याय नमोऽनन्तगुणाय नमोऽनन्तहिरण्यतेजसे नमो छागवाहनाय नमो हव्याशनाय अत्र अग्निकुंडे अवतर-अवतर तिष्ठ-तिष्ठ प्रज्वलितो भव भव स्वाहा । हवन माटे : शमी वृक्ष = खीजडाना झाडनो चाटवो बनाववो । लम्बाई १७ इँचनो । विधि : अग्निकुंड समचोरस २१ x २१ इंच ऊंचाईमां नव (९) ईंचनो बनाववो । वच्चे कुंड समचौरस ईंच १३ x १३ चौडाई राखवी । कुंडमां कंकुनो साथियो करी चोखानो साथियो, उपर सोपारी, नागरवेलर्नु पान, केसर पुष्प द्वारा पूजन करी, कपूरनी गोटी मूकीने अगरबत्ती द्वारा उपरोक्त अग्नि प्रगटमंत्र भणतां करवी । लकडी पांच जातनी आँबानी, अशोकपालो, खीजडानी, पारसपीपली, वडनी लकडीना त्रणथी चार ईंचना टुकडा करीने राखवा । पाँच किलो लकडी हवन माटे तैयार राखवी, कुंडनी अग्नि मङ्गलदीपक द्वारा प्रगट करावी पछी कुंडमांथी अग्नि बहार आवे त्यारे आहुति आपवानी । ते पहेलां नहीं । १०८ मंत्रजापनी आहुति १०८ वार ज आपवी अने एक हजार उपरान्त जाप थाय तो दशांश भागे आहुति आपो । अंतमां पूर्णाहुति समये श्रीफलनो गोलो हजार उपरान्त आहुति आपो तो ज । आहीं तो मात्र १०८ वार आहुतिमां श्रुप (चाटवो-शुचि श्रुवा) इंच सत्तरनो लांबो जोई। चाटवाना आहुति आपो ते खानामां एक पान, सोपारी, पतासो, घीथी भरीने स्तोत्र श्री माणिभद्रवीरनुं बोलीने पछी कुंडमां पधरावे । सोपारी उपर सोना-चांदीनो वरख छापी केशर पुष्पथी पूजा करी पछी अग्निकुंडने समर्पित करे । पूर्णाहुतिनी छेल्ली सोपारी हवनकुंडमां पधराव्या पछी थोडीवार श्री माणिभद्रवीरनी धून मचाववी । गीत, गान, नृत्यादि कार्य करवां । आटली विधि पती गया पछी अग्निने शान्त करवा सारु अग्निने हलाववी नहि । मात्र गुलाबजल एक पुरुषे हथेलीमा लईने थोड़े-थोड़े छांटवू जेथी अग्नि शान्त थई जशे । गलाबजल छांटतां-छांटतां मंत्र त्रणवार भणवो । आरती चाल अथवा २१.१०८ दीपकनी पण उतारी शकाय । आरती उतार्या पछी क्षमापन प्रार्थना अने विसर्जनविधि करवी । हवनकुंडमां आहुति आपतां प्रथम श्री माणिभद्रवीरनी मूर्ति-यंत्र उपर वासक्षेप पुष्प (करेण-गुलाब) १०८ वार अगर लकडीना टुकडा १०८ करवा । ते पण आहुति पीठ हवनकुंडमां अकेक पधरावे । कोई विधिकारक पंचमेवानी १०८ गोळी बनावे पछी मंत्र १०८ वार भणतां आहुति साथे पण अकेक पधरावे । खीजडा या पलाश लकडीनो चाटवो (श्रुप) बनाववो । हवनकुंड : २१ x २१ ईंच समचौरस, ऊँडाई ९ ईंच । अन्दर १३ x १३ ईंचनी समचौरस । , Page #600 -------------------------------------------------------------------------- ________________ 584 તપાગચ્છાધિષ્ઠાયક नोट : कदाच कुंडनी व्यवस्था न थाय तो एक मोटा कुंडामां पण करी शकाय । चाटवो १ - १३ - ३ = १७ ईंचनो शमीवृक्ष-खीजडावृक्षनो चाटवो । __ पूजन-आहुति मंत्र ॐ आँ क्रॉ ह्रौं क्ष्वौं ब्लूँ द्राँ द्रौं द्रः ॐ नमो भगवते माणिभद्रवीराय क्षेत्रपालाय कृष्णरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय सर्वजीवहिताय हिलि-हिलि मिलि-मिलि किलि-किलि श्री विश्व शांत्यर्थ मम कार्य सिद्धिं कुरु कुरु स्वाहा । श्री माणिभद्रवीरनी मूर्ति-यंत्रादि उपर १०८ वार गन्ध-वासक्षेप, लाल गुलाब, कणेरनां पुष्पो चढाववां अने आहुति अग्निकुंडमां आपवी । धुमाडो कुंडनी अंदर न रहे, अग्निज्वाला कुंड उपर नीकळवी जोई तेनुं ध्यान आपq । पंचमेवानी गोळी अने अगरनी लकडीनो टुकडो प्रत्येक मंत्र बोली आहुतिमां आपवो । श्री माणिभद्रवीर स्तोत्रम् नमोऽर्हत् । श्री माणिभद्रं नमस्तुभ्यं चतुर्भुजम् । यक्षेन्द्र दक्षिणौ पाणी-चांकुश-वरदायकम् ॥१॥ गदाडाक करौ वामे वक्त्रं वराह शोभनम् । मस्तके छत्र सन्यस्तं अवन्तिपुर वासिनम् ॥२॥ आगलोडपुरं दिव्यं मगरवाडा चकासितम् । तपागच्छोद्भवं वीरं जिनशासनरक्षकम् ॥३॥ जिनेन्द्राऽभिषेक समये इन्द्रागत स्वरूपकैः । नृत्यं डमरू वाद्यन्तं, मोह्यन्तं भव्य भावुकम् ॥४॥ सितारुण शुभ्रवर्ण सम्यग्दृष्टि सुपालकाः । भवन्तु वरदाः नित्यं श्रीकरं वृद्धिदं सदा । डाकिनी-शाकिनी भूतप्रेताग्नि सिंहोपद्रवाः । चौर व्याधि सर्वरोगाः स्मरणेन विनश्यति ॥६॥ त्रिसन्ध्यं यः पठेन्नित्यं माणिभद्रस्य चाष्टकम् । तस्य कामना भवेत् सिद्धि: श्री वीरस्य प्रभावतः स्तोत्रार्थाः सिद्धिदाः सन्तु तपागच्छ विवर्द्धिकाः। संघस्य सन्तु सफला: गुरुकृपा मनोरथाः ॥८॥ सूरिणैव सदा ध्येयं श्रीसंघ शुभदाय च । श्रीनीति-हर्ष-जिनेन्द्र-पद्मसूरिभिः साधितम् ॥९॥ ॥७॥ Page #601 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 585 % D पूर्णाहुति काव्य मंत्रम् श्री माणिभद्र वीरेन्द्र तपागच्छाधिष्ठायकम् । संघाभ्युदय क्षेमार्थ पूर्णाहुतिं समर्पये ॥१॥ अंतिम मंत्र हवनॐ ह्रीं श्रीं क्लौ ब्लूँ श्री माणिभद्र वीरं नमोऽस्तुते कर्तुः करयितुश्च शान्तिं तुष्टिं वृष्टिं ऋद्धिं वृद्धि बुद्धि सिद्धिं समृद्धिं कुरु कुरु ॐ स्वाहा-ॐ स्वाहा । ___ॐ श्री माणिभद्रवीराय धृत-शर्करा-पुगीफलादिपूरित फलं समर्पयामीति स्वाहा । __ अहीं चाटवामां घी, पुगीफल (सोपारी), पतासो, लाल मौली सूतथी लपेटीने घीथी भरीने उपरोक्त काव्य-मंत्र भणीने अंतिम आहुति आपवी । पछी गीतगान गावां-गवडाववां, संगीतकारोओ धून मचाववी । हवनकुंडमां अग्नि शांत करवा गुलाबजल छांटतां-छांटतां मंत्र भणवो । ___ मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं ब्लूँ श्री मगरवाडा आगलोड, अवंतिपुर श्री माणिभद्रवीर कृपाकांक्षी कृपानिधान सर्वदुःखहर भोग-सुखं यश: संततिं ऋद्धिं वृद्धिं बुद्धिं सिद्धिं समृद्धिं द्रव्यं व्यापारवृद्धिं संघस्य सकुटुम्बस्य आरोग्यं राज्यसुखं सर्वजन वश्यं सर्व समीहितं देहि देहि स्वाहा । पछी आरती उतारवी । श्री माणिभद्रवीरनी आरती जय जय जय महावीर जय माणिभद्र देवा, सुरवर, नरवर, किन्नर करता तुज सेवा... जय जय जय देवा । त्रण भुवनना भूषण तमने पूजे सौ नरनार श्रद्धाथी जे समरे, तेनां दु:ख हरनार..... जय जय जय देवा । भूतप्रेतादि देवा तुम नामे, भागे भय पामी सप्त महाभय नावे, वंदु शिर नामी..... जय जय जय देवा । जिन शासनना रक्षक देवा छो अकावतारी समकित आपो अमने, छो आनन्दकारी.... जय जय जय देवा । श्याम सुवर्ण ने रक्त वरण छो, चार भुजा सारी गदा अंकुश ने डमरू, मुद्रा, अभय भारी.... जय जय जय देवा । जैन धर्म धोरी गुरुवर, जिनेन्द्रसूरि राजे पद्मसूरि तस शिष्य अमृत गुण गाजे... जय जय जय देवा । ___ अथ अपराध-क्षामणम् ॐ आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं च यत्कृतम् । तत्सर्व कृपया देवः क्षमतां स सुरेश्वरः ॥१॥ आह्वानं नैवं जानामि न जानामि विसर्जनम् । ७ . Page #602 -------------------------------------------------------------------------- ________________ 586 તપાગચ્છાધિષ્ઠાયક पूजाविधिं न जानामि प्रसीद स-सुरेश्वर ॥२॥ त्रणवार काव्य भणीने क्षमापना हाथ जोडीने मांगवी-पछी आमंत्रित करायेला देवोने सन्मानपूर्वक विदाय आपवी । अंतिम प्रार्थना श्री माणिभद्रवीरस्य पूजा कृता मया मुदा । तस्य प्रभावतः शान्तिः तुष्टिः पुष्टि भवेत् सदा ॥१॥ सौख्यं देहि जयं देहि राज्यमानं च देहि मे । देहि मे विपुलां लक्ष्मी सर्वाऽऽरोग्यं च देहि मे ॥२॥ सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणम । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् ॥३॥ विसर्जनविधि यान्तु सुरगणाः सर्वे पूजामादाय मामकीम् अभीष्ट काम सिद्धयर्थ पुनरागमनाय च ॥ (विसर्जन मुद्रा द्वारा-इति विसर्जनम्) श्री माणिभद्रवीर पूजन सामग्री लिस्ट कंकु २५ ग्राम लालचंदन अन अगरनील ककडा १०८ केसर २ ग्राम अगरबत्ती सुगन्धी १ पुडा बरास ५० ग्राम किंद्रुमं धूप १०० ग्राम कपूर भीमसेनी ५० ग्राम कापुस १०० ग्राम चन्दननुं तेल ५ ग्राम माचीस नंग १ अत्तर शीशी नंग ५ डोकाबार नंग १० (पाँच जातनुं ) गुलाबजल बाटली १ सोनेरी वरख पानां ४ गंगाजळ तीर्थजळ शीशी रूपेरी थोकडी ४ कापडनी यादीसोनाचांदीनां फूल १० ग्राम नेपकीन नंग ५ पंचरत्ननी पोटली नंग ५ धोती जोटो १ नंग २ सोनेरी बादलु १० ग्राम खेस नंग २ रूपेरी बादलु ५ ग्राम लालचोल २।। मीटर सर्वोषधि १० ग्राम लीलो शेरमी १।।। मीटर सुगंधी वासक्षेप १ किलो कटासण नंग ४ रक्षापोटली नंग ५०० मुहपत्ति नंग ४ नाडाछडी मौली एक किलो पुष्पनी यादी गूगळधूप २५० ग्राम पुष्पना हार नंग ७ दशांगधूप १०० ग्राम प्रभुजीने चढे तेवा हार ५ Page #603 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 587 गुलाब पुष्प नं. १२५ लाल कणेर नं. १२५ छूटा पंचरंगी (सुगंधी) नगरवेलनां पान २५ आसोपालवना पत्रानां तोरण ३० मी. मंडप सुन्दर शणगारवो रेशमी हार नंग १२ मुकुट इन्द्र-इन्द्राणी १२ लाउडस्पीकर नंग ३नी सुन्दर व्यवस्था करवी मंडलना सदस्यगणनी हाजरी विधि कारकनी उपस्थिति संगीतनी प्रसिद्ध पार्टी नैवैदनी यादी श्रीफल ११ लीलां श्रीफल ३ केळां २४ दाडम ६ सफरजन १२ मोसंबी १२ संतरा चीकु सीझन मुजब फल लाववां घेवर नंग ५ मैसूर ककडा २५ बेसननी चक्की नंग २५ बुंदीना मोदक लाडु २५ सुखड किलो ५ पेंडा नंग २५ पतासा नंग २५ खडी साकर कि. १ सोपारी २५ अखरोट २५ आखी बदाम २५ श्रीफल गोळा ५ पंचमेवा २५० ग्राम कमळकाकडी १२५ सुखडी मंदिरमा ०।। कि. लाववी, बाकी बहार वहेंची देवी. गायनुं घी २।। कि. दूध १।। कि. दही १ कि. चोखा-चावल २।। कि. त्रिगडु-सिंहासन पंचतीर्थी या चोवीसी,सिद्धचक्रजीनो गट्टो स्तात्रपूजा सामानमां पंखो चामर, घंटडी पाटला वगेरे अष्टमंगलनो घडो १ १०८ दीपकनी आरती मंगल दीपक फानस नंग ३ ताँबानां कोडियां ३ काचना ग्लास नंग १० जरमननी कंडी. बाजट नंग. पाटला नंग १० हांडो १ माटीनां मोटां कूडां २ नानां माटीनां कुंडां २ थाली नंग १५ वाटकी नंग १० पूजानी तासक नंग १५ नानी वाटकी नंग १५ वेलन नंग १८ (पातळु) काची ईंटो नंग ५१ माटी पीली कुंड २१ x २१ ईंचनो समचोरस बनाववो वचलो भाग ११५ ११ ऊँचाई नव ईंचनी रोकडा रूपिया नंग २१ नवा पच्चीस पैसा नंग २१ हवन माटे लकडी लकडी अंदरना भागनी सुकी लाववी पारसपीपल कि. १ आँबो कि. १ आसोपालव कि. १ खीजडो कि. १ वड कि. १ अगरनी लकडीना टुकडा १०८ दरेक लकडीना टुकडा १०८ त्रणथी चार इचना कराववा । Page #604 -------------------------------------------------------------------------- ________________ 588 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર મહાપૂજન ~: સંકલનકર્તા : વિધિકાર શ્રી મફતલાલ ફકીરચંદ ડભોઈવાળા યુવાવિધિકાર શ્રી મુકેશકુમાર મફતલાલ ડભોઈવાળા આત્માને પવિત્ર કરે તે પૂજા, ખાસિયત તો એ છે કે પૂજા ઉપાસ્ય તત્ત્વની કરવાની અને પાવન આપણે થવાનું. અધિષ્ઠાયકો તીર્થંકર પરમાત્માના ઉપાસકો છે. તેઓ સરાગી શાસનરક્ષક પણ છે. પૂજાવિધાન એ આવા અધિષ્ઠાયકોને સતતપણે જાગૃત રાખવા માટે સંઘ—શાસનના કાર્યાર્થે આહ્વાન કરાવવા માટે મહત્ત્વનું અંગ છે. ધૂપ-દીપ, હોમ આદિ મંત્રાધિષ્ઠિત વિધાન આમ્નાયસભર થતાં યક્ષેન્દ્રો અચૂક સહાયકભાવનો પરચો આપતા હોય છે. આજે ડગલે અને પગલે પૂજાવિધાનો થાય છે; પણ મોટે ભાગે ગતાનુગતિક, પૂજનો વધ્યાં છે પણ હાર્દ–આમ્નાય, ગર્ભિત રહસ્યો, પવિત્રતા દ્રવ્યોની ઉત્તમત્તા, વિશુદ્ધિ અને ભક્તિના અભાવે કયાંક અને કયારેક એવાં પૂજનો ખરેખર કાગળના પુષ્પ જેવાં ભાસે છે. પૂજા તો ખરેખર અંતરના ભાવથી કરવાની હોય છે. ભાવથી પૂજાથી પૂજાવિધાનો થતાં રહે તો આપણાં ચિત્ત નિર્મળ બની ધારેલાં કાર્યોમાં જરૂર સફળતા પ્રાપ્ત થાય છે. નિર્મળ હૃદયે પવિત્રતા અને વિશુદ્ધિપૂર્વક શાસનનાં કાર્યોની સિદ્ધિ માટે શ્રી માણિભદ્રદાદાનું પૂજનવિધાન અતિ લાભદાયી બની શકે તેમ છે. શબ્દશક્તિ એક પ્રચંડ તાકાત છે એવું વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી આપ્યું છે. પૂજાવિધાનના ભાવોને વિધિકાર શ્રી મફતલાલભાઈએ અત્રે સુંદર રીતે પ્રસ્તુત કરી ભક્તોને માટે ઘણું મોટું પાયાનું કામ કર્યુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંપાદક કોઈપણ જિનાલયમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા સમયે જિનબિંબોની વિધિના સમયે દેવ-દેવી વિધાન યોજેલ હોય તો દેવ-દેવીની નૂતન મૂર્તિની તમામ ક્રિયા થઈ જતી હોય, પછી તેને માત્ર -યાદીનશીન અર્થાત્ પ્રતિષ્ઠા કરવાની રહે છે. જ્યારે નૂતન જિનાલયોમાં પ્રભુપ્રતિમાની સાથોસાથ બક્ષ—યક્ષિણી દેવ-દેવીઓની મૂર્તિ બિરાજમાન કરવાની હોય છે ત્યારે પણ દેવ–દેવીઓની Page #605 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ થઈ જાય છે. પરંતુ સ્વતંત્રપણે કોઈ દેવકુલિકામાં અથવા કોઈ ગોખમાં માત્ર દેવ-દેવીની નૂતન મૂર્તિ લાવી બિરાજમાન કરવાનો પ્રસંગ થાય ત્યારે નૂતન મૂર્તિ પર શુભ દિવસે શુભ મુહૂર્તે નીચેનું વિધાન કરાવી મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ કરવી. અઢાર અભિષેકના તમામ મંત્રોચ્ચાર જિનેશ્વર ભગવંતને ઉદ્દેશીને હોર્દ દેવ-દેવી માટે નીચેના પાંચ અભિષેક – ત્રણ માર્જનનું વિધાન કરી પછી સમયની અનુકૂળતા મુજબ આપેલ પંચોપચાર પૂજન જે મરજિયાત છે પણ મહત્ત્વનું હોઈ - મૂર્તિ પર વિશિષ્ટ વિધાનĀરૂપ હોઈ – કરાવવું ઇચ્છનીય છે. (૧) સૌપ્રથમ જિનાલયમાં સ્નાત્રપૂજા ભણાવી, અષ્ટપ્રકારી પૂજા કરાવી અને શુભ સમયે કુંભસ્થાપન દીપકસ્થાપન શાંતિસ્નાત્રની વિધિ અનુસાર કરાવવું. (૨) શ્રી માણિ નદ્રજીની મૂર્તિ પરનાળિયા બાજોઠમાં અથવા મોટા બાજોઠ પર નાળચાવાળા થાળમાં પધરાવવી. (૩) સર્વ સામગ્રા સુવ્યવસ્થિતપણે આગળ એક પાટ પર લાલ કસુંબલ બિછાવી ગોઠવી દેવી. પૂર્વતૈયારીરૂપે સૂચનાઓ : પ્રથમ પૂજનસ્થળ તથા નૂતન દેવકુલિકા / નૂતન ગોખને સાફ-સફાઈથી સ્વચ્છ અને દૂધપાણીથી શુદ્ધ કરાવી તથા આસોપાલવ ને ફૂલોનાં તોરણોથી સુશોભિત બનાવી તેમ જ વાતાવરણને ધૂપથી સુગંધીમય પવિત્ર બનાવવું. ૨. પૂજનસ્થળનાં નૂતન દેવકુલિકામાં / નૂતન ગોખમાં ગાદીની પાછળ અષ્ટગંધયુક્ત કેસરથી ' ૐ મૈં નમ : ' લખવું. ૩. મૂર્તિ પ્રતિમાં ઠત કરવાનો હોય તો ગાદી નીચેની જગ્યામાં સોનું-ચાંદી વગેરે દ્રવ્યોથી ગાદી ભરી કેસરનો તથા અક્ષતનો સ્વસ્તિક કરવો. તે મધ્યે સોપારી ને ૧૧ રૂપિયો પધરાવવો. આજુબાજુ મંગળ દ્રવ્ય તરીકે અષ્ટગંધ, સર્વોષધિ, સરસવ, સાત ધાન્યના બાકુળા તથા સોનારૂપ નાં ફૂલ વેરવાં. સોપારી જ્યાં પધરાવેલ છે તેની નીચે ચાંદીનો સાથિયો પણ પધરાવ ૫. (ચાંદીના કૂર્મની જરૂર નથી, તેની આવશ્યકતા માત્ર જિનબિંબ માટે હોય છે. ) ગાદી પર શ્રી માણિભદ્રજીનો સિદ્ધ કરેલો અભિમંત્રિત યંત્ર પધરાવી શકાય. ૧. 589 ૪. મૂર્તિ પધરાવવાના ઉપ૨તા (છતના) મધ્યભાગે છત્ર લટકાવવાં, અગાઉથી પિત્તળનો હૂક ફિટ કરાવવો. ૫. ગોખના અથવા દેવકુલિકાના મુખ્ય દરવાજે શ્રીફળ-તોરણ લગાવવાં પણ બંને બાજુ પિત્તળના બે હૂક અગાઉથી ફિટ કરાવી રાખવા. ૬. પૂજન-સામગ્રી સર્વ શુદ્ધ, સારી, ઊંચી જાતની લાવવી. દેરાસરનાં સર્વ વાસણો અગાઉથી Page #606 -------------------------------------------------------------------------- ________________ 590 મંજાવી લેવરાવવાં. ૭. પૂજનની તૈયારી કરવા આવનાર ભાઈને તમામ સામગ્રી સુપ્રત કરી કામકાજ માટે બે ભાઈઓએ સાથે રહેવું. તપાગચ્છાધિષ્ઠાયક ૮. પૂજનકાર્ય એક લિંક સ્વરૂપ ચાલે, વચ્ચે વચ્ચે અવરોધ ન થાય તે અનુસાર સર્વ સામગ્રી અગાઉથી થાળમાં યથાયોગ્ય સ્થાને ગોઠવી દેવી. ૯. કુંભસ્થાન–દીપકસ્થાપનની જગ્યાએ કરવાની તૈયારી અગાઉથી કરી દેવી. ૧૦. શ્રીફળસ્થાપન માટે એક સારું મોટું પાણીવાળું શ્રીફળ આંખ ન દેખાય તે રીતે ચોટલી રાખી છોલાવવું. તેને લિસ્સું કરી તે પર સુખડનું તેલ લગાવી ચાંદીના વરખ છાપી તે ઉપર સોનાના વરખ છાપી સોનેરી બનાવવું. તે શ્રીફળ પર અષ્ટગંધયુક્ત કેસરથી ગુલાબની સળીથી આ મંત્ર લખવો. ॐ ह्रीं क्लीं ब्लूं ऐं श्री माणिभद्राय नमोस्तु ते ठः ठः ठः स्वाहा ॥ ત્યારબાદ એક પાનબીડું (પાનમાં સોપારી, સાકરની કણી, ઇલાયચી, લવિંગ, અક્ષત, વાસચૂર્ણ, ચાંદીની લગડી) એક જર્મન સિલ્વરના વાટકામાં મૂકી તે ઉપર આલેખેલ શ્રીફળ ઊભું રહે તે રીતે ગોઠવી આ વાટકો તૈયાર કરવો. ૧૧. શ્રીફળસ્થાપન સમયે આ વાટકો જ નિશ્ચિત સ્થાને સ્થાપન કરાવવો. પૂજન પૂર્ણ થયા બાદ આ શ્રીફળ પૂજનકારક સ્વગૃહે માંગલિક સ્વરૂપે, ગુરુભગવંત પાસે વાસક્ષેપ કરાવી, ઇષ્ટદેવના સ્થાનમાં પધરાવી શકે છે. ન રાખવાનું હોય તો વિધિકારે શ્રીફળ પર વિસર્જનમંત્ર પૂર્વક વિસર્જિત કરવું. ૧૨. પરનાળિયો બાજોઠ શુદ્ધ કરી તે ઉપર રેશમી લાલ સિલ્કનું કાપડ નાડાછડીથી બાંધી દેવું. વચ્ચેમધ્યમાંઅષ્ટગંધયુક્ત કેસરથી ષટ્કોણ આલેખી, ષટ્કોણ મધ્યે કાર લખીને ૧૫ રૂપિયો—સોપારી મૂકી તે પર દેવમૂર્તિ પધરાવવી. ૧૩. બાજોઠની નીચે મધ્યભાગમાં અગાઉથી કેસરથી ૐ કાર લખી રાખવો તથા બાજોઠના ચાર પાયા નજદીક દરેક પાયા પાસે કેસરના—અક્ષતના સ્વસ્તિક કરાવી તે પર ૧૫ રૂપિયો ને સોપારી મુકાવવાં. ૧૪. બાજોઠ નીચે મધ્યભાગમાં જે ૐ કાર આલેખેલ છે તે પર શ્રીફળસ્થાપન સમયે મંત્ર બોલવાપૂર્વક શ્રીફળયુક્ત જર્મન સિલ્વરનો વાટકો કુંવારિકા દ્વારા સ્થાપન કરાવવો. ૧૫. જો કોઈ પ્રાચીન દેવકુલિકા જ હોય, મૂર્તિ સ્થાપિત જ હોય અને આ પૂજનકાર્ય કરવાનું હોય તો દેવમૂર્તિની ડાબી બાજુ (આપણી જમણી બાજુ)ના ખૂણામાં આ શ્રીફળસ્થાપન વિધિ કરાવવી. ૧૬. જો કોઈ પ્રાચીન દેવકુલિકા કે ગોખ હોય તો બાજોઠ સ્થાપિત કરવાનો રહેતો ન હોવાથી અષ્ટગંધયુક્ત કેસરથી ષટ્કોણ આલેખન મૂર્તિની પાછળની ભીંતે ઉપરની બાજુ કરવું. Page #607 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 591 ૧૭. જો નૂતન દેવમૂર્તિની વિધિ ન હોય, માત્ર સ્થાપિત કે પ્રાચીન મૂર્તિ પર જ વિધિ કરવાની હોય તો પૂજનક્રમમાં પૂજન ક્રમાંક ચાર તથા આઠ કરવાની જરૂર નથી. તે સિવાય તમામ વિધિ કરવી. ૧૮. કુંભસ્થાપન-દીપકસ્થાપન માત્ર નૂતન મૂર્તિવિધાન હોય તો ફરજિયાત, અન્યત્ર અતિ આવશ્યક નથી. સમય-અનુકૂળતા અનુસાર કરાવવું. દેવની જમણી બાજુ (આપણી ડાબી બાજુ) અખંડ દીપકની જ્યોત, કુંભની સન્મુખતથાદેવની સન્મુખ રહે તે રીતે દીપક સ્થાપવો. દીપકસ્થાપનની વિશિષ્ટ વિધિ આગળ આપેલ તે અનુસાર કરાવવી. ૧૯. અષ્ટપ્રકારી પૂજા અષ્ટકર્મથી મુક્ત થવા માત્ર જિનેશ્વર ભગવંતોની હોય છે તેથી દેવદેવી માટે પંચોપચાર પૂજા, અષ્ટોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા શબ્દપ્રયોગ વાપરવો. (આ શબ્દ જૈન સમાજમાં પ્રચલિત ન હોઈ શબ્દપ્રયોગ થોડો અસ્થાનીય લાગશે, પણ આવશ્યક –ઉચિત છે.) ૨૦. પૂજનના દિવસે રાત્રિભોજનનો સર્વએ ત્યાગ કરવો. આયંબિલ થાય તેમ કરવું. જીવદયાની ટીપ કરવી. ૨૧. કુંભસ્થાપનામાં એક સજોડે, અખંડ દીપક સ્થાપનમાં એક સજોડે, શ્રીફળસ્થાપનમાં એક કુંવારિકા અને પંચોપચાર પૂજામાં – દરેક પૂજામાં ચાર વ્યક્તિ લાભ લઈ શકશે. પૂજન ક્રમાંકઃ ૧. પૂર્વવિધિઃ સ્થાનશુદ્ધિ, સોનાવાણી, વાસ ચોખા, તિલક મંત્ર, વસ્ત્રશુદ્ધિ મંત્ર. ૨. દેહશુદ્ધિ : મંત્રસ્નાન, હૃદયશુદ્ધિ, કલ્મષદહન, પંચભૂતશુદ્ધિ, કરન્યાસ, વજપંજરસ્તોત્ર દ્વારા આત્મરક્ષા. ૩. કુંભસ્થાપન : અખંડ દીપક સ્થાપન, શ્રીફળ સ્થાપન. ૪. પ્રાણપ્રતિષ્ઠા મંત્ર (નૂતન પ્રતિમા મધ્યે અવતરણ મંત્ર) ૫. પંચકમુદ્રા દ્વારા આહ્વાનાદિ ક્રિયા. ૬ સ્તુતિ-પ્રાર્થના દ્વારા કુસુમાંજલિથી વધામણાં. ૭. સંકલ્પવિનિયોગ ૮. પાંચ અભિષેક – ત્રણ માર્જન (નૂતન પ્રતિમા હોય તો.) ૮.૧ પૂજન વિધાન સંયુક્તપણે કરવાનું હોય તો માર્જન પૂર્ણ થયાં. અન્યથા જળપૂજાસ્વરૂપે ૨૭ અથવા ૧૦૮ વાર સમયાનુસાર ગુલાબજળમાં અષ્ટગંધ મિશ્ર કરી તે સુગંધી જળ દ્વારા કરવા. ૯. પંચોપચાર પૂજા પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, નૈવૈધપૂજા, શ્રીફળપૂજા. ૧૦. મંત્રજાપ. ૧૧. આરતી. Page #608 -------------------------------------------------------------------------- ________________ 592 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર પૂજન વિધાન (ગુરુકૃપાથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર) (૧) પૂર્વવિધિઃ સ્થાનશુદ્ધિ : પૂજનવિધિના સ્થળે નીચેનો મંત્ર વિધિકારકે બોલવો અને ઉત્તરસાધકે પ્રદક્ષિણાક્રમથી સુગંધી વાસક્ષેપ છાંટવો. ॐ अपवित्रः पवित्रोवा, सर्वावस्थां गतोपि वा । यः स्मरेत् जिनेश्वराणां, स बाह्याभ्यंतरं शुचिः ॥ . – થાળીડંકો ૨૭ વાર. (સંગીતકાર બે લીટી ભૂમિશુદ્ધિ અંગે ગાવી) સોનાવાણી એક કળશમાં ગુલાબજળ લઈ તેમાં થોડું અત્તર, કેસર, ચંદન તથા સોનાનું વરખ નાખી નવકારમંત્ર તથા નીચેના મંત્રથી વિધિકારકે તેને ધૂપ દઈ, તે પાણી અભિમંત્રિત ____ॐ ह्रीँ श्री जीराउली पार्श्वनाथ रक्षां कुरु कुरु स्वाहा । મંત્ર ફૂલગૂંથણીએ સાતવાર વાસક્ષેપથી મંત્રિત કરી સ્થળ પર ઉત્તરસાધક પાસે છંટાવી દેવું. વાસચોખા : સુગંધી વાતચૂર્ણયુક્ત અક્ષત એક થાળીમાં લઈ નીચેના મંત્રથી વાસક્ષેપથી મંત્રિત કરી ઉત્તરસાધક પાસે પૂજનસ્થળે છંટાવી દેવા. આ મૂરતિ મૃતધાત્રી સર્વભૂતે મિશુદ્ધિ સુઇ કુરુ સ્વાહા | તિલકમંત્ર : એક નાની થાળી, લાલ કેસરની વાટકી (તિલકાળે) તથા સોનેરી કાઢેલું બાદલું રાખવું. ૩૪ વ શ્રીં નમ: | આ મંત્ર ત્રણવાર ગણવાપૂર્વક કેસર મંત્રિત કરવું. કોઈ એક વ્યક્તિ પૂજનમાં બેસનાર તમામ વ્યક્તિઓને કેસર–બાદલાનું તિલક કરી દે. (રંગમંડપની બિહાર). વસ્ત્રશુદ્ધિમંત્રઃ આ મંત્ર બોલવા પૂર્વક પૂજનમાં બેસનાર સર્વેએ પોતાના વસ્ત્ર પર વાસક્ષેપ પ્રક્ષેપવો. __ॐ ह्रीं श्रीं आं कॊ वीं वीं पा पा ा ाँ स्वाहा । (૨) દેહશુદ્ધિ : મંત્ર સ્નાનઃ અંજલિ મધ્યે સર્વ તીર્થનું જળ એટલું છે તેવી કલ્પનાપૂર્વક મંત્રસ્નાન કરવું. Page #609 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 593 भंत्र :-ॐ ह्रीं अमले विमले विमलोद्भवे सर्वतीर्थजलोद्भवे पा पा वा वा अशुचिः शुचिर्भवामि ला वा स्वाहा । હૃદયશુદ્ધિ : ડાબો હાથ હૃદય પર મૂકવાપૂર્વક નીચેના મંત્રથી હૃદયશુદ્ધિ કરવી. ॐ ॐ विमलाय विमलचित्ताय ज्वी क्ष्वौँ स्वाहा । કલ્મષદહન : મંત્ર બોલવાપૂર્વક બંને ભુજાઓનો સ્પર્શ કરી પાપોનું દહન થઈ રહ્યું છે એમ ચિંતવવું. ॐ विद्युत् स्फुलिंगे महाविधे मम सर्वकल्मषं दह दह स्वाहा । સકલીકરણ: પંચમહાભૂતરૂપ મંત્રબીજો ત્રણ વખત આરોહ અવરોહ ક્રમથી સ્થાપી અનુક્રમે ढीय - नामि- हृय- भुज- मस्त ५२ न्यास. ४२वो. (आरोह) क्षि - प - ॐ- स्वा- हा (अवरोह) हा- स्वा- ॐ- प- क्षि કરન્યાસ : બંનેય હાથની આંગળીઓને શુદ્ધ, પવિત્ર, ચેતનામય બનાવવા મંત્રોચ્ચારપૂર્વક આંગળીના મૂળમાંથી સ્પર્શ કરી ટોચ સુધી લઈ જવી. ॐ हीं नमो अरिहंताणं - अगुष्ठाभ्यां नमः । ॐ ह्रीं नमो सिद्धाणं - तर्जनीभ्यां नमः । ॐ हूँ नमो आयरियाणं - मध्यमाभ्यां नमः। ' उवज्झायाणं - अनामिकाभ्यां नमः । ॐ हूँ: नमो लोएसव्वसाहूणं - कनिष्ठिकाभ्यां नमः । ॐ ह्रीं ह्रीं हूँ ह्रौं हुः सम्यग्ज्ञान - दर्शन-चारित्र तपोभ्यः करतल करपृष्ठाभ्यां नमः । બંને હથેળી એકબીજા પર ફેરવવી. વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા : આત્મરક્ષા સ્તોત્રથી શરીરને ફરતું કવચ–બખતર ધારણ કરવાનું, જેથી ક્ષુદ્ર–અનિષ્ટ શક્તિઓ અંદર પ્રવેશી ન શકે. વજપંજર સ્તોત્ર બોલતાં બોલતાં જે જે કલ્પનાપૂર્વક મુદ્રાઓ કરવાની છે તે કરવી-કરાવવી અને નિર્ભય બન્યા તેમ ધારવું અને સુરક્ષિત થયા તેમ અનુભવવું. ॐ परमेष्ठि नमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षा करं वज्र, पंजराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम्, ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरं ॥२॥ ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी, ॐ नमो उवझायाणं, आयुधं हस्तयोदृढं ॥३॥ ॐ नमो लोओ सव्व साहूणं, मोचके पादयो शुभे, असो पंच नमुक्कारो, शिलावजूमयी तले ॥४॥ ७५.. Page #610 -------------------------------------------------------------------------- ________________ 594 તપાગચ્છાધિષ્ઠાયક सव्व पावप्पणासणो, वप्रो वज्रमयो बहिः, मंगलाणं य सव्वेसिं, खादिरांगारखातिका ॥५॥ स्वा हान्तं च पदं ज्ञेयं, पढम हवइ मंगलं, वप्रोपरि वूमय, पिधानं देह-रक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी, परमेष्ठि पदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठीपदै सदा, तस्य न स्याद् भयं व्याधि-आधिश्चापि कदाचन ॥८॥ (૩) કુંભસ્થાપનઃ અખંડ દીપક સ્થાપન – શ્રીફળ સ્થાપન: કુંભસ્થાપનની સર્વ સામગ્રી એકઠી કરી શાંતિસ્નાત્રમાં કરાવવામાં આવતી વિધિ અનુસાર કુંભસ્થાપન કરાવવું. અખંડદીપક સ્થાપન: અખંડદીપક સ્થાપનની જગ્યાએ કંકુનો સાથિયો, તેના ઉપર અક્ષતનો સાથિયો કરી, સોપારી અને ૧ રૂપિયો મૂકી તે ઉપર ભીની માટીની લૂગદી બનાવી ખામણા જેવું બનાવી રાખવું. જીભવાળું ત્રાંબાનું મોટું કોડિયું લઈ કોડિયા મધ્યે કેસરથી ૐ આલેખવું. ૨૭ તારની લાલ સૂતરની દિવેટ ઘીવાળી કરી મૂકવી. અખંડ દીપકના ત્રાંબાના કોડિયામાં આલેખેલર બીજાક્ષર પર પૂજન મંત્રોચ્ચારપૂર્વક– ॐ ह्रां ह्रौं हूँ ह्रौं हू: णमो अरिहंताणं अर्हद्भ्यः । ॐ हाँ हाँ हूँ ह्रौं हु: णमो सिद्धाणं सिद्धेभ्यः । ॐ ह्रां ह्रौं हूँ हौं हु: णमो आयरियाणं आचार्येभ्यः । । ॐ ह्रां ह्रौं हूँ ह्रौं हुणमो उवज्झायाणं उपाध्यायेभ्यः । ॐ ह्रां ह्रौं हूँ ह्रौं हु: णमो लोएसव्वसाहूणं सर्वसाधुभ्यः। सर्वतत्त्व सहिताय त्रिकाल ज्ञानोदयाय ज्योतिर्मयाय पंचमहाज्ञान प्राप्त्यर्थे सर्वकार्याणि सिद्धयर्थे.. વં સમર્પયામિ પૂનમ નમ: - કોડિયામાં કેસર-કંકુનાં છાંટણાં કરાવવાં. પુખ્ત સમર્પયામિ પૂનમ નમ: - પુષ્પ ઉતારી થાળીમાં મૂકવું. નક્ષત સમર્પયામિ પૂનયામિ નમ: - અક્ષતના દાણા પધરાવવા. ક્ષનાં સમર્પયામિ પૂનમ નમ: - પંચરત્નની પોટલી, સોપારી તથા રૂપાનાણું પધરાવવું. ત્યારબાદ મીંઢળ બાંધેલી બે વાઢીમાં (અથવા કળશમાં) ગરમ ઘી ભરી યજમાને ઘીની ધાર કોડિયામાં કરવી. મંત્રઃ ઉપરોક્ત મંત્ર...... સર્વાળિ સિદ્ધયર્થ સુધી બોલી પૃતિમ્ પૂમિ સ્વદા | બોલી ઘી પુરાવવું. Page #611 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 595 દીપક પ્રગટાવવાનો મંત્ર: આડી વાટનો નાનો દીવો કરી તે જ્યોતથી અખંડ દીપકની દિવેટ પાસે ધરી પ્રગટાવવી. મંત્રઃ ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो अरिहंताणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो सिद्धाणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो आयरियाणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो उवज्झायाणं । ॐ ह्रीं श्रीं क्लौं अहं श्री पार्श्वनाथाय णमो लोएसव्वसाहूणं । ___ अणिहए सव्वट्ठसिद्धे ॐ ह्रीं ठः ठः ठः स्वाहा ॥ દેવમૂર્તિની તથા કુંભસ્થાપનની સન્મુખ જ્યોત રહે તે રીતે અગાઉથી તૈયાર કરેલ સ્થાને દેવની જમણી બાજુ સ્થિર સ્વાસે દીપક સ્થાપન કરાવવો. કોડિયા પર ફાનસ ઢાંકવું અથવા સરપોસ ગોઠવવું. આ મંત્ર બોલી ગુરુભગવંત પાસે વાસક્ષેપ કરાવવો. ॐ ह्रीं क्लौं ब्लूँ ऐं श्रौं माणिभद्राय चतुर्भुजाय हस्तिवाहनाय । ૩% ડ્રીં શ્રીં મણિભદ્રાય નમોસ્તુતે ઢ: 4: 8: સ્વાદ | દીપક સન્મુખ અ.સૌ. બહેન પાસે કંકુના પાંચ સાથિયા, તે ઉપર ચોખાની ઢગલી કરી એક એક એમ કુલ પાંચ શ્રીફળ મુકાવી દરેક શ્રીફળ પર ગુલાબનું એક એક પુષ્પ મુકાવવું. શ્રીફળસ્થાપનઃ દેવમૂર્તિની જમણી બાજુ ખૂણામાં પવાસન પર (જો સ્થાપિત મૂર્તિ હોય તો). પરનાળિયા બાજોઠ નીચે આલેખેલ કાર પર (જો નૂતન મૂર્તિ બાજોઠમાં પધરાવી વિધિ કરવાની હોય તો). કુંવારી કન્યા પાસે સાત નવકાર ગણાવવા તથા નીચેનો મંત્ર સ્થિર શ્વાસે બોલી અગાઉથી તૈયાર કરેલ શ્રીફળ વાટકા સહિત સ્થાપન કરાવવું. ॐ हाँ श्री माणिभद्राय पूजन निमित्यार्थे श्रीफलं स्थापयामि नमः ॥ (થાળી ડંકો વગાડવો) (૪) પ્રાણપ્રતિષ્ઠા મંત્ર (અવતરણમંત્ર) :નૂતન મૂર્તિ પર વિધાન કરવાનું હોય તો પૂજ્ય આચાર્ય ભગવંત આ મંત્રનું મનમાં ત્રણ વાર સૂરિમંત્રવિદ્યા ગણવાપૂર્વક લેલિહામુદ્રાથી વાસક્ષેપ પ્રકોપે. ॐ ह्रीं श्रीं क्लौं माणिभद्राय पूर्णभद्र उत्तुंगभद्र सहिताय । ofમતાર્થ પ્રીતિવાહિને : : : રત્ન સસઃ સ: સ્વાહા Page #612 -------------------------------------------------------------------------- ________________ 596 તપાગચ્છાધિષ્ઠાયક ॐ आं ह्रीं क्रॉ य र ल व शें ष स हँ हँसः सोहम् माणिभद्राय प्राण इह प्राण । ॐ आँ ह्रीं क्रॉ य र ल वँ सँ फँ सँ हँ हंसः सोहम् माणिभद्राय जीव इह स्थितः । ॐ आँ ह्रीं क्रौं रँ लँ सँ हैं हंसः सोहम् माणिभद्राय सर्व ईन्द्रियाणि इहस्थितानि । ॐ आँ ह्रीं क्रॉ य र ल वं शं ष स हैं हंसः सोङहम् माणिभद्राय वाऽग मन त्वक् चक्षुः श्रोत्र जिह्वा घ्राण । प्राणा पाणिपादप आयुष्यस्थितानि इहागत्य स्वस्तये सुखं चिरं तिष्ठतु तिष्ठंतु तिष्ठतु स्वाहा ॥ (५) ५५४मुद्रा द्वारा साड्वान :ॐ आँ क्रौं ह्रीं क्लौं ब्लू एँ श्री माणिभद्राय अत्र आगच्छ आगच्छ स्वाहा संवौषट् – -(भाड्यानभुद्राथी) ॐ आँ क्रौं ह्रीं क्लीं ब्लूँ ऐं श्री माणिभद्राय अत्र तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा - (स्थापनभुद्राथी) ॐ आँ क्रौं ह्रीं क्लीं ब्लूँ ऐं श्री माणिभद्राय मम संनिहितो भव भव वषट् (सनिलित भुद्राथी) ॐ आँ ों ही क्लौं ब्लूँ ऐं श्री माणिभद्राय पूजान्तं यावत् अत्रेव स्थातव्यम् (संनिरोध भुद्राथी) ॐ आं क्रौं ह्रीं क्लौं ब्लू ऐं श्री माणिभद्राय परेषाम् अदृश्यो भवन्तु । (अवगुंठन भुद्राथी) ॐ आँ क्रौं ह्रीं क्लीं ब्लूं ऐं श्री माणिभद्राय इमां सर्वोपचारान् पूजां गृहाण गृहाण स्वाहा (खि ... मुद्राथी) () स्तुति-प्रार्थना : (१) आरोहणै रावण पृष्ठभागे, विराजमानं विधुकान्तिकान्तम् । वरप्रदा तारमनन्तवीर्य, श्री माणिभद्रं शिरसा नमामि ॥ १ ॥ અર્થ:- ઐરાવણની પીઠ પર બેઠેલા ચંદ્રના તેજ સમાન સુંદર, બહુ પરાક્રમવાળા તેમ જ વરદાન આપવાવાળા શ્રી માણિભદ્રને મસ્તક નમાવી નમસ્કાર કરું છું. (२) वाराहवक्त्रेण सुशोभ मामम् , औरावणारूढमनेकशक्तिम् । ___ सर्वेश्वरं भद्रकरं वरेण्यं, श्री माणिभद्रं शिरसा नमामि ॥ २ ॥ અર્થ - વરાહ જેવા મુખથી શોભતા, ઐરાવણ ઉપર બેઠેલા બહુ શક્તિવાળા, શ્રેષ્ઠ, સર્વેશ્વર કલ્યાણકારક શ્રી માણિભદ્રવીરને હું મસ્તકથી નમસ્કાર કરું છું. (३) तपागच्छरक्षाकरं जैनधर्मे, नवोज्जीवनस्यामिकर्तारमीशं । प्रभामण्डलोद्भासि वक्त्रं विशालं, दयासागरं माणिभद्रं नमामि ॥ ३ ॥ અર્થ:- જૈનધર્મને વિષે તપાગચ્છની રક્ષા કરનાર તથા તેનું નવજીવન કરવાવાળા, વિશાળ તેજોમંડલથી ચળકતા મુખવાળા, દયાસાગર શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. ઊર્ધ્વધેનુમુદ્રા બતાવી ૩ વખત " જય જિનેન્દ્ર " બોલી કુસુમાંજલીથી પ્રતિમાને (છબીને) વધામણાં કરવાં ટિપ્પણી નોંધઃ સંપૂર્ણ વિધાન કર્યા બાદ નૂતન મૂર્તિને ગોખમાં કે દેરીમાં પ્રતિષ્ઠા કરવાની હોય તો ગાદીનશીન કરવા દેવાધિદેવનો મંત્ર છે तेनतi 'ॐ पुण्याहं पुण्याहं 'नो ना६४ावी माया माते सूरिमंत्रसहितनीयेना मंत्रमुंत्रावार मनमा स्म२९॥ ४हेवप्रतिमाने પ્રતિષ્ઠિત કરવાં. Page #613 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 597 प्रतिष्ठामंत्र (दीनशीन ४२॥ माटे): ॐ आं क्रों हाँ ह्रीं ज्वौं वीं क्लीं ब्लू ऐं ह्सौं नमो भगवते श्री माणिभद्र क्षेत्रपालाय रक्तवर्णाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि चक्षुर्भवाय ठः ठः ठः स्वाहा ॥ (७) संय-विनियोग : सं८५: ॐ ह्रौं अद्यमासोत्तमे संवत---- वर्ष----- मासे---- पक्षे-तिथौ--- वासरे मम आत्मनः श्रीसंघस्य श्री माणिभद्रवीरदेव प्रसान्नार्थ प्रीत्यर्थ पूजांगंविधानं क्रियाहं करिष्ये ।। – અંજલિમાં પાણી લઈ ઉપરોકત બોલ્યા બાદ પાણી પાત્રમાં મૂકવું. विनियोग - ॐ ह्रीं अस्य श्री माणिभद्रदेव मम सन्निहिताय सकल मनोकामना सिद्धयर्थे श्री वीरस्य प्रसन्नार्थे प्रीत्यर्थे पूजांगं कर्माणि न्यास विनियोग । - અંજલિમાં પાણી લઈ આ મંત્ર બોલ્યા બાદ પાણી જમીન પર છોડવું. ઉપરોક્ત સંકલ્પ–વિનિયોગ વખતે મનમાં જે કાર્ય સિદ્ધ કરવું હોય તેની પ્રાર્થના કરી મનમાં શુભ નિયમ ધારણ કરવો. (८) पायं अभिषे - त्र मार्डन જો દેવકુલિકામાં ગોખમાં નૂતન મૂર્તિ સ્થાપન કરવા લાગ્યા હોય ત્યારે જ આ વિધિ કરાવવી. પ્રથમ દૂધનો અભિષેક – Rels:- क्षीराम्बुधः सुराधीरौ, रानीतं क्षीरमुत्तमम् स्नात्रे श्री माणिभद्रस्य दुरितानि निकृन्ततु । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित प्राप्त्यर्थे दुग्धेन स्नपयामीति स्वाहा ॥ બીજો દહીંનો અભિષેક :ams :- धनं धनब्लाधारं, स्नेहपीवर मुज्ज्वलम्, संदधातु दधि श्रेष्ठ, देवस्नात्रे सतां सुसम् । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित प्राप्त्यर्थे दधिनां स्नपयामीति स्वाहा । ત્રીજો ઘીનો અભિષેક :ets :- स्नेहेषु मुखमायुष्यं, पवित्रं पाप तापहृत् , घृतं माणिभद्रस्नात्रे , भूयादमृतमज्जसा । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित प्राप्त्यर्थे घृतेन स्नपयामीति स्वाहा ॥ ચોથો શેરડીના રસનો અભિષેક – als :- सर्वौषधिरसं सर्व, रोगात् सर्वरंजनम्, क्षौद्रं क्षुद्रोपद्रवाणां, हन्तु देव्यभिषेचनात् । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित प्राप्त्यर्थे इक्षुरसं स्नपयामीति स्वाहा ।। પાંચમો સર્વોષધિમિશ્રિત જલ અભિષેક – Als :- सर्वौषधिमयं नीरं, नीरं सद्गुणसंयुतम् , माणिभद्राभिषेकेस्मि न्नुपयुक्तं श्रियेस्तु वः । मंत्र :- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित प्राप्त्यर्थे सर्वौषधिजलेन स्नपयामीति स्वाहा ।। Page #614 -------------------------------------------------------------------------- ________________ 598 તપાગચ્છાધિષ્ઠાયક (१) ४ामांसी यूएर्नु भाईन (विवेपन): cels:- सुगन्धं रोगशमनं, सौभाग्य गुणकारणम् , इह प्रशस्तं मास्यास्तु, मार्जनं हन्तु दुष्कृतम् । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित प्राप्त्यर्थे जटामांसीचूर्णेन संमार्जनं करोमि स्वाहा ॥ (२) यंहनयूथी मार्डन (विवेपन):cs:- शीतलं शुभ्रममलँ , धूत तापरजोहरम् निहन्तु सर्व प्रत्युह, चन्दनेनाङ्गमार्जनम् । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित निर्मलकरणाय चंदन चूर्णेन संमार्जन करोमि स्वाहा॥ (3) सरथी भाईन (विवेपन): als :- कश्मीर जन्मजैश्चूर्णैः स्वभावेन सुगन्धिभिः प्रमार्जयाम्यहं इन्द्र प्रतिमां विध्न हानये । मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रवीराय समकित स्थिरीकरणाय केसरेण संमार्जनं करोमि स्वाहा ॥ વિશિષ્ટ અભિષેક-વિલેપન આદિ કિયા - જળપૂજાસ્વરૂપે ૨૭ વાર અથવા ૧૦૮ વાર (સમય અનુસાર). પ્રથમ નવ અભિષેક પંચામૃતના કરાવવા. એ ૧૦૮ વાર કરવા હોય તો પ્રથમ ૨૭ અભિષેક પંચામૃતના ને ત્યારબાદના અભિષેક શુદ્ધ ગુલાબજળમાં અષ્ટમિમિશ્રિત સુગંધી જળના સ્તોત્ર-મંત્રપાઠ બોલવાપૂર્વક Rels:- क्षीरोदधि गुणनिधि द्रह कुंड तोयं, तीर्थ प्रभास वरदाम मनोज्ञनीरम् । कर्पूर पूर शुभ वासित अम्भओधैः, श्री माणिभद्र वरदे स्नपयामि नित्यम् ॥ स्तोत्र (संगीतमय स्तोत्रा6 ४२वो.) (राग : रघुपति राघव राम.... अथवा मा४ मारा रासमां भीती3 मेड....) ॐ ह्रौं श्रौं माणिभद्र इन्द्र सर्वमंगलकारक । प्रत्यक्ष दर्शनं देहि, मत्श्रद्धा प्रीति भक्तितः ॥ १ ॥ विद्यां देहि धनं देहि, देहि पुत्रं च पुत्रिकाम् । कीर्ति देहि यशो देहि, प्रतिष्ठां देहि च श्रियम् ॥ २ ॥ सर्व में वांछितं देहि, सुखं शांतिं प्रदेहि मे । वादे विवादे युद्धे च, जयं मे कुरु सर्वतः ॥ ३ ॥ राज्यं च राज्यमानं च, बलवुद्धिं प्रवर्द्धय । गर्भस्थबालकं रक्ष, रोगेभ्यो रक्ष बालकान् ॥ ४ ॥ - Page #615 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ आधिं व्याधिं विपत्तिं च, महाभीतिं विनाशाय । घातकेभ्यश्च मां रक्ष, रात्रो दिवा च सर्वदा ॥ ५ ॥ अपमृत्यु प्रयोगाणां नाशतो रक्ष मे सदा । दैवी संकटतो रक्ष, आकस्मिक विपत्तितः ॥ ६ ॥ शाकिनी भूत वैतालात्, राक्षसाश्च निवारय । वने रणे गृहे ग्रामे, रक्ष राज्य सभादिषु ॥ ७ ॥ इष्ट सिद्धिं महासिद्धिं जयं लक्ष्मीं विवर्द्धय । तपागच्छ नायक, ॐ ह्राँ श्री माणिभद्रवीर ॥ ८ ॥ नमोस्तु ते मम शांतिं तुष्टिं पुष्टिं ऋद्धिं वृद्धिं ॥ सिद्धिं समृद्धिं वश्यं च रक्षा च कुरु कुरु स्वाहा ॥ ९ ॥ (१) मंत्र :- ॐ ह्रीं श्री माणिभद्राय, वीराधिवीराय, ऐरावण वाहनाय, विजयंकराय, राजा प्रजा मोहनाय, द्रुष्टशत्रु चूरणाय, शाकिनी डाकिनी भूत-प्रेत-पिशाच चल छिद्र दृष्टि मुष्टि सलिलादि विघ्न विनाशकाय, षड्भुजायै षडायुधाय श्री तपागच्छाधिष्ठायकाय यजमानस्य वा संघस्य कल्याणार्थे जलं समर्पयामि पूजयामि नमः ॥ (२) मंत्र :- ॐ ह्रौं श्री माणिभद्राय जलं समर्पयामि स्वाहा ॥ - २७ / १०८ वा२. નોંધ : પ્રથમ આપેલ શ્લોક પ્રથમ અભિષેક વખતે જ માત્ર બોલવો. ત્યારબાદ સ્તોત્રપાઠ અને ઉપરોક્ત બંને મંત્રો બોલવા. પછી મંત્ર (૨) ૨૭ અથવા ૧૦૮ વાર બોલવો. અંતિમ અભિષેકમાં સ્તોત્ર અને ઉપરોક્ત બંને મંત્રો બોલવા. 599 મૂર્તિને કે છબીને અંગલૂછણા કરી નીચેનો શ્લોકમંત્ર બોલવાપૂર્વક અષ્ટગંધથી વિલેપન તથા ભાલપ્રદેશમાં અંગૂઠાથી કેસર+કંકુનું તિલક કરવું. सोड :- यस्याभिधान जगतः कनकादिशृंगे, सद्गन्ध शीतल वपुर्तरु चंदनाख्यः । कर्पूर पूरसद्वासित कंकुमाद्यैः, श्री माणिभद्र वरदं तनु लेपयामि । ( १ वजत) मंत्र :- ॐ ह्रीं श्री माणिभद्राय वीराधिवीराय, ऐरावणवाहनाय डाक त्रिशूल पुष्पमाल अंकुश पाशनाग आयुध धराय, क्षेमंकराय, विजयंकराय, धनधान्यवृद्धिकराय, श्री तपागच्छाधिष्ठायकाय, श्री तपागच्छ सूरीश्वरान् सन्निहिताय श्री समस्त संघस्य विघ्नहराय यजमानस्य वा संघस्य कल्याणार्थे गंधं समर्पयामि पूजयामि नमः ॐ ह्रीं श्री माणिभद्राय गन्धं समर्पयामि स्वाहा ॥ પંચોપચાર પૂજા આ શબ્દપ્રયોગ જૈન શાસનમાં અપ્રચલિત હોવાને કારણે નૂતન લાગશે; પણ દેવદેવીઓની વિશિષ્ટ ઉપચારોથી પૂજા કરવામાં આવે તેને ઉપચારપૂજા કહેવાય છે. પાંચ પ્રકારે થતી પંચોપચાર, આઠ પ્રકારે થતી અષ્ટોપચાર, સોળ પ્રકારે થતી ષોડશોપચાર પૂજા Page #616 -------------------------------------------------------------------------- ________________ 600 તપાગચ્છાધિષ્ઠાયક હોય છે. અષ્ટકર્મથી મુક્ત થવાના હેતુસ્વરૂપ જિનેશ્વર ભગવંતની જ માત્ર અષ્ટપ્રકારી પૂજા હોય છે. તેથી દેવ-દેવીની પૂજા માટે આ શબ્દપ્રયોગ ઇચ્છનીય અને આવશ્યક છે. દેખીતી રીતે આ પૂજનક્રમમાં લગભગ અષ્ટપ્રકારી જેમ આઠ ઉપચારોથી જ પૂજા થતી જણાશે; પણ જળ પૂજાને વિશિષ્ટ અભિષેક સ્વરૂપે દર્શાવેલ છે તથા વિલેપન કરવાની અંતર્ગત ચંદન આદિ ગંધપૂજા સમાવિષ્ટ કરવામાં આવેલ છે. અક્ષય સુખની પ્રાગણી સ્વરૂપ અક્ષતપૂજા માત્ર દેવાધિદેવને હોવાથી અત્રે અક્ષતપૂજા લેવામાં આવેલ નથી. પંચોપચર પૂજાનો ક્રમ ઃ (૧) પુષ્પપૂજા, (૨) ધૂપપૂજા (૩) દીપક પૂજા (૪) નૈવેદ્યપૂજા અને (૫) શ્રીફળપૂજા. પુષ્પપૂજા: ૨૭ ગુલાબના અખંડ સુગંધીદાર ફૂલની માળા ગળામાં આરોપણ કરવી તથા બે પુષ્પ ચરણકમળમાં, બે કરકમળમાં અને એક મસ્તકે-એમ કુલ પાંચ પુષ્પ તો એ સ્થાને ચઢાવવાં જ, અન્ય વિશેષ પુષ્પો ચઢાવી શકાય. શ્લોક:- નારૂ ગુરૂ સુવર્ય સદર મ7ની, મંવાર રામરમણીય વિવિત્ર પુથ્વ: | पुन्नाग चंपक तरु खलु पारिजातैः, श्री माणिभद्र वरदं प्रति पूजयामि ॥ મંત્ર :- ૩% હૈં શ્રી મણિભદ્રા તપાછુસૂરીશ્વરી મુનિવરન્ સન્નિહિતાય શ્રી નગેન્દ્ર વાદના सर्वोपद्रवविघ्नहराय श्री जिनशासन उद्योतकराय षड्भुजे-षड्-आयुधधराय शाकिनी डाकिनी असुर दानव प्रमथनाथ- यजमानस्य सकलसंघ श्रेयार्थे पुष्पं समर्पयामि नमः ॥ લઘુમંત્ર :- ૐ હ્રીં શ્રી મણિભદ્રાપુનું સમર્પયામિ સ્વીદી II ૧૦૮ પુષ્પપૂજાનું વિશિષ્ટ મહત્ત્વ હોઈ અત્રે અનુકૂળ હોય તો આ પૂજા વખતે લઘુમંત્ર ૧૦૮ વાર બોલી અથવા કોઈ સિદ્ધમંત્ર ઉચ્ચારી ૧૦૮ પુષ્પપૂજા કરવી અથવા પંચોપચાર પૂજા પૂર્ણ થયા પછી આ વિશિષ્ટ પુષ્પપૂજા કરાવવી. નોંધ :– સમય હોય ને પૂજન વિસ્તૃત કરવું હોય તો દરેક પૂજા વખતે જળપૂજામાં (૮/૧માં) આપેલ સ્તોત્રપાઠ તથા પંચોપચારની દરેક પૂજાનો શ્લોક, મંત્ર અને લઘુમંત્ર-એમ ચારેય ક્રમશઃ બોલી પૂજન કરાવી શકાય. ધૂપપૂજા: માટીના કૂંડામાં ધૂપપૂજાની થોડી ક્ષણો પહેલાં સળગતા કોલસા મંગાવી રાખવા. એક થાળીમાં કૂડું લઈ તેમાં દશાંગ ધૂપ નાખવો, થાળી માણિભદ્રવીર સમક્ષ લઈ ઊભા રહેવું. શ્લોક :- ઋTTI૬ મૃમર વતુ વન્દ્રન, શૈનાર તે સમયુક્ત વ શાં' ધૂપમ્ | कर्पूर पूर सुरशाल सुगन्ध धूपैः, श्री माणिभद्र वरदं पुरतोस्मि नित्यम् ॥ મંત્ર :- ૩% હૈં શ્રી મણિભદ્રાય, પાતાના નિવાસનીય નરેન્દ્ર વહિનાથ, પભુને, ઘડીયુધથરાય, सपरिकराय, चैत्य दानव प्रमथनाय, धनधान्य कोशागार वृद्धि कराय, श्री तपागच्छ सन्निहिताय, यजमानस्य वा संघस्य सर्वविघ्नहराय श्रेयार्थे धूपं आघ्रापयामि समर्पयामि नमः ॥ Page #617 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 601 सधुमंत्र :- ॐ ह्रौं श्री माणिभद्राय धूपं आघ्रापयामि स्वाहा ॥ દીપકપૂજા: માટીના અથવા ત્રાંબાના નાના કોડિયામાં અગાઉથી અષ્ટગંધયુક્ત કેસરથી ૩ કાર લખી રાખવો તથા તેમાં ઊભી દિવેટ બનાવી અને ગાયનું ઘી ભરી તૈયાર કરી પ્રગટાવી એક થાળીમાં વીર સમક્ષ ઊભા રહી મંત્ર બોલવો. Rels:- कृष्णासिता शिवकरा शुचिकामधेनुः, वत्सेन युक्त शुभदा धनधान्य की । तस्या घृतेन शुचिना कुरुते प्रदीपं, श्री माणिभद्र वरदं सततं यजामि ॥ मंत्र:- ॐ ह्रीं श्री माणिभद्रेश्वराय राजराज वाहनाय अजमुखाय वीराधिवीराय श्री सूरीश्वरान् गणिवरान् सन्निहिताय अरि करि सागर हरियल अग्नि जलादरबंधनादि सकल भय नाशंकराय सकल मनोरथ ऋद्धि सिद्धि लब्धि पूरणाय यजमानस्य वा सकल संघस्य मंगलार्थे दीपं दर्शयामि समर्पयामि नमः ॥ सधुमंत्र:- ॐ ह्रीँ श्री माणिभद्राय दीपं दर्शयामि स्वाहा ॥ नैवैद्य :- शुद्ध घी-गोमा पनावेस सुमहीनो थाMAS मा २3. pels :- पवित्र वेश्च विशुद्धभावो, नैवैद्य पात्रो घृत चार वेषः ॥ सगन्ध द्रव्याश्रित पक्व धान्यं, श्री माणिभद्रं पुरतो यजेहम् ॥ मंत्र:- ॐ ह्रीँ श्री माणिभद्राय यक्षेश्वराय पातालनिवासनाय नागवाहनाय षड्मुजे, षडायुधधराय, यजमानस्य वा सकल संघस्य कल्याणार्थे नैवैद्यं समर्पयामि पूजयामि नमः ॥ घुमंत्र :- ॐ ह्रीँ श्री माणिभद्राय नैवैद्यं समर्पयामि स्वाहा ॥ શ્રીફળપૂજા ઃ છોલેલા પાણીદાર પાંચ નાળિયેર ચોટલીયુક્ત રાખવા. એક થાળમાં એ પાંચે શ્રીફળ લઈ ઊભા રહેવું. સમય હોય તો સ્તોત્રપાઠ બોલી શ્લોક, મંત્ર બોલવા. als :- लक्ष्मीफलै मधुरदाडिम फोफलाद्यैः सुस्वादुकैः सरस तृप्तिकरैर्गुणाहयैः । नानाफलैः सुफलितो घृतचारुवेषः श्री माणिभद्र वरदं पुरतो यजामि ॥ भंत्र: ॐ ह्रीं श्री गौरवर्णाय श्री माणिभद्र क्षेमंकराय, शिवंकराय, षड्भुजाय, षड्आयुधधराय, असुरगण नर दुर्जन प्रमथनाय, धनधान्य वृद्धिकराय यजमानस्य वा सकल संघस्य श्रेयार्थे फलं समर्पयामि पूजयामि नमः ॥ सधुमंत्र : ॐ ह्रीँ श्री माणिभद्राय फलं समर्पयामि स्वाहा ॥ સર્વોપચારપૂજા શ્રી માણિભદ્રવીર માટે ચાંદીનું છત્ર, ચાંદીનું તોરણ કે શ્રીફળનું તોરણ તથા જે કાંઈ સુર્વણ-રીપ્ય દ્રવ્ય અર્પણ કરવા લાવ્યા હોય તે એક થાળીમાં લઈ ઊભા રહેવું. (સમય હોય તો स्तोत्रा6 ४२वो.) Rels : गंगोदकं चन्दन पुष्पदीपम् धूपाक्षतं चारु नेवैद्य भव्यम् । फलं शुभं चाष्टविधं विधानम् यक्षेश्वर देव प्रपूर पूज्य ॥ Page #618 -------------------------------------------------------------------------- ________________ 602 મંત્ર : ૐ હ્રીં શ્રી માણિભદ્રાય પાતાલ નિવાસનાય રાવળ વાહનાય ડાળ ત્રિશૂલ પુષ્પમાન-અબ્દુા नाग षड्भुजे षडायुध राय भूतप्रेतपिशाचादि पीडा विध्नहराय श्री तपागच्छाधिष्ठाय सूरीश्वरान् पाठकान् वाचकान् शिष्य समुदयान् सन्निहिताय यजमानस्य वा सकल संघस्य श्रेयार्थे लाभार्थे क्षेमार्थे जयार्थे विजयार्थे, सर्व मनोकामना सिध्यर्थे सर्वोपचारान् समपर्यामि पूजयामि नमः स्वाहा । સર્વેને અક્ષત વધાવવા અગાઉથી આપવા. ઉપરોક્ત મંત્રમાં 'સ્વાહા' બોલાય ત્યારે છત્રાદિ ચડાવનારે છત્ર, આભૂષણ આદિ જે દ્રવ્ય અર્પણ કરવાનું હોય તે 'શ્રી માણિભદ્ર યક્ષરાજાની જે ' બોલાવી ચઢાવવું. અન્ય લોકોએ અક્ષત વધાવવા. ગીતગાન કરવું; વાજિંત્રનાદ કરવો. (૧૦) મંત્રજાપ : ૐ હ્રી શ્રી માળિભદ્રાય નમ: । તપાગચ્છાધિષ્ઠાયક અથવા સંગીતમાં અથવા અનુકૂળ રીતે ૧૦૮ વાર ઉપરોક્ત મંત્રજાપ કરવો / કરાવવો. ॐ असिआउसा नमः श्री माणिभद्र दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् । આ મંત્રજાપથી સંકટોમાંથી બચી જવાય. રોગશોક, દુઃખ, દારિદ્રય ટળે છે. ઇચ્છાઓ પુર્ણ થાય છે. (૧૧) આરતી (રાગ :- હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી...... જય જય જય નિધિ, જય માણિકદેવા, જય માણિકદેવા હર હર બ્રહ્મ પુરંદર, કરતા તુજ સેવા.... જય દેવ...... જયદેવ........ તું વીરાધિવીરા, તું વાંછિતદાતા, તું વાંછિતદાતા, (૧) માતાપિતા સહોદર સ્વામી, છો પ્રભુ જગત્રાતા... જયદેવ... જયદેવ......(૨) હિર કરી બંધન ઉદધિ, ફણીધર અરિઅનલા, ફણીધર અરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબાળા..... જયદેવ..........જયદેવ.......... (૩) ડાક ત્રિશૂલ ફૂલમાલા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાર્ણવ મસ્તક, એમ ષટ્ ભુજરા......જયદેવ....... જયદેવ........(૪) તું ભૈરવ તું કિન્નર, તું જગમહાદીવો, તું જગમહાદીવો, કામ કલ્પતરુ ધનુ, તું પ્રભુ ચિરંજીવો...... જયદેવ....... જયદેવ...... તપગચ્છ પતિ સૂરિ, ધ્યાવે તુજ ધ્યાન, ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ.... જયદેવા......જયદેવ........ સંવત અઢારસે પાંસઠ, શ્રી માધવ માસે, શ્રી માધવ માસે, દીપવિજય કવિરાયની, પૂરો સર્વ આશ..... જયદેવા...... જયદેવ...... બોલિયે યક્ષેન્દ્ર શ્રીમાણિભદ્ર દેવ કી જય.......... (૫) (૬) (6) Page #619 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ (१२) क्षमाप्रार्थना પૂજનવિધિ દરમિયાન અવિધિ- આશાતના થઈ તેની ક્ષમા માટે. સર્વ ઉપસ્થિતજને કુસુમાંજલિ અક્ષત આપી પોતપોતાને સ્થાને ઊભા રહી સર્વ મંગલ થાય ત્યારે વીરને અક્ષતે वधाववा. ॐ आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम् पूजान विधि नैव जानामि त्वं गति परमेश्वर || ॐ आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत् कृतम् तत् सर्व क्षम्यतां देव, प्रसीद परमेश्वरः ॥ अविधि - आशातना भन-वयन-डायाने दुरी मिच्छामि हुई. सर्व मंगल मांगल्य, सर्व कल्याण कारणम् । प्रधानं सर्व धर्माणां, जैनं जयति शासनम् ॥ अस्तु ॥ श्री श्रमण संघस्य शांतिर्भवतु ॥ 卐 (13) विसन :- विसनमुद्रा रवा पूर्व विसन ५२. ॐ ॐ क्रीं ह्रीं क्लीं ब्लूं ऐं श्री माणिभद्रवीर पुनरागमनाय प्रसन्नानंदचित्ताय स्वस्थानं गच्छ गच्छ जः जः जः यः यः यः ॥ - वासक्षेप प्रक्षेपवी. 603 Page #620 -------------------------------------------------------------------------- ________________ 604 તપાગચ્છાધિષ્ઠાયક W BP booomoo hoooo 0000 Buy oooo000 pooo00o19 000000 Efte eos ODDDDDD Uuuda 11011 Page #621 -------------------------------------------------------------------------- ________________ વિભાગ – ૫ શ્રી માણિકચંદજીની જીવન ચર્યા : પ્રતિભા—પૂર્વભવઃ *યક્ષેન્દ્રશ્રી માણિભદ્રજીનો પરિચય * માણેકચંદ બને છે માણિભદ્રવીર ! *શાસનરક્ષક માણિભદ્રવીરના જીવનની યશોગાથા * શ્રી માણિભદ્રદાદાનું દર્લભ શાસન *શ્રી તપાગચ્છના અધિષ્ઠાક શાસન રક્ષક દેવ શ્રી માણિભદ્રજી નો ટૂંક પરિચય *શ્રી માણિભદ્રવીરનું ચરિત્ર *શ્રી માણિભદ્રવીર અને શાસનરક્ષા Page #622 -------------------------------------------------------------------------- ________________ 606 ? ઈ એક ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખીમત ગામમાં પ્રત્યેક શુભ કાર્યનો આરંભ કરતા પહેલા માણિભદ્રજીની આ ઉપરોક્ત પ્રતિમા ઉપર શ્રીફળનું તોરણે ચડાવવામાં આવે છે. સં. ૨૦૧૩માં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. આ. શ્રી શ્રેયાંસચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ખીમત મહાજન સંઘના સૌજન્યથી Page #623 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 607 શ્રી જિનશાસન સુરક્ષક - યક્ષે શ્રી, માણિભદ્રજીનો પરિચય -પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ [ ઓસિયાજી તીર્થના માર્ગદર્શનદાતા પરમોપકારી દેવાધિદેવ આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવ પરમાત્માના દીક્ષા–સ્વીકાર પછી 1000 વર્ષે પ્રભુશ્રીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં દિવ્ય ધર્મદેશના અનંતકોટિ જીવ સમુદાયના કલ્યાણ માટે વહી રહી. ભગવાનની મધુરાતિમધુર ૩૫નેવા વિનામેરૂંવા ધુવેરૂંવા " એવી ત્રિપદી શબ્દાવલીમાંથી સારગર્ભિત દ્વાદશાંગીની રચના પ્રાદુર્ભત થઈ. તેમાં બારમા અંગમાં પાંચ વિભાગ છે. તેમાંના એક વિભાગ રૂપે ચૌદ પૂર્વો હોય છે, જેમાંના દસમાં પૂર્વનું નામ વિદ્યાપ્રવાદ પૂર્વ છે અને તેમાં પરમ આશ્ચર્યકારક શ્રી વર્ધમાન વિધા આદિ સર્વકામદૂધા વિદ્યાઓ, પરમ ચમત્કારી શ્રી સૂરિમંત્ર સહિત સર્વ મહામંત્રો, અને તેમના અધિષ્ઠાતા સમ્યગુદષ્ટિ દેવી-દેવતાઓનાં સ્વરૂ૫ વિધાન અને ઉપાસના-પદ્ધતિઓ છે. એટલે આવાં દેવી-દેવતાઓનાં વર્ણન-ઉપાસના વગેરે લેભાગુ સ્વાર્થી લોકોની મનઘડંત વાતો નથી એમ ભારપૂર્વક સમજાવીને પૂજ્ય આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજા અહીં શાસ્ત્રીય દષ્ટિએ શ્રી માણિભદ્રજીનો સવિસ્તર પરિચય કરાવી આપણને શ્રી જિનશાસનની સુરક્ષાનો પણ મહિમા પ્રબોધી રહ્યા છે. પ્રસ્તુત લેખ પૂજ્યપાદ આચાર્ય-ભગવંતની ગહનગંભીર શાસ્ત્રીય પષણા અને શ્રાવક-શ્રાવિકાઓના કલ્યાણપથના કરુણામય ઉપદેશયુક્ત હોઈ સમાદરપૂર્વક વારંવાર પઠનીય–મનનીય છે. આ પૂજ્યશ્રીની પ્રેરણાથી દક્ષિણ ગુજરાતમાં ભીલાડ સ્ટેશન નજીક ઓસિયાજીનગર મહાતીર્થ આકાર લઈ રહ્યું છે. મહેસાણાના શ્રી સીમંધરસ્વામી જિનાલયના નિર્માણ અને વિકાસમાં પૂજ્યશ્રીની પ્રેરણા નોંધપાત્ર છે. શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં જાગૃત અને આગ્રહી છે. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પૂજ્યશ્રીના જીવનમંત્રો છે. અમારી પ્રકાશન–પ્રવૃત્તિમાં પૂજ્યશ્રી હંમેશાં બળ આપતા રહ્યા છે. ॥ सम्मदिट्ठि देवा दितु समाहिंच बोहिंच ॥ – સંપાદક Page #624 -------------------------------------------------------------------------- ________________ 608 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી જિનશાસનમાં સમ્યગ્દષ્ટિ શાસન સુરક્ષક દેવદેવીઓનું સ્થાન અને સ્થાપના કયારથી કોણે અને શા માટે કરી? આ અવસર્પિણીમાં અનન્નાનત્ત પરમ ઉપકારક, પરમ તારક, પ્રથમ તીર્થંકર પરમાત્મા દેવાધિદેવ શ્રી ઋષભદેવ સ્વામીજીએ દીક્ષા અંગીકાર કર્યા પછી એક હજાર (૧૦૦૦) વર્ષે તેમને કેવળજ્ઞાન પ્રગટયું. તે સમયે શ્રી સૌધર્મ આદિ ચોસઠ (૬૪) ઇન્દ્ર અને ચારે નિકાયના કોડો દેવતાઓએ દેવાધિદેવશ્રીની અનન્ત પરમ તારક સેવામાં ઉપસ્થિત થઈને સમવસરણની રચના કરી. દેવાધિદેવશ્રી ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ " નમો તિત્થસ્સ" કરી સમવસરણમાં વિરાજમાન થઈને, તેમની પાંત્રીશ ગુણયુક્ત મેઘગર્જના જેવી ગંભીર પરમ સુમધુર વાણીએ અપાતી ધર્મદેશનાના શ્રવણથી પ્રબળ ઉત્કટ વૈરાગ્યવંત થયેલ શ્રી ઋષભસેન પ્રમુખ અનેક રાજકુમારો સંસારનો ત્યાગ કરીને પરમાત્માના શુભ હસ્તે દીક્ષા અંગીકાર કરીને અણગાર થયા, જેઓએ પરમ સબહુમાન પરમાત્માને પ્રદક્ષિણા દઈને અવનત મસ્તકે ત્રણ વાર પ્રશ્ન કર્યા : " પર્વ ! વિ તત્ત!" પરમાત્માએ શ્રીમુખે પરમ સુમધુર ગિરાએ જણાવ્યું, "૩પ-નેવી, વિડુિ વા અને ધુફુ વા !"રૂપ ત્રિપદીના શ્રવણ માત્રમાં દ્વાદશાંગીની રચના કરી. બારમા અંગના પાંચ વિભાગ, તેમાંના એક વિભાગરૂપે ચૌદ પૂર્વો હોય છે. તેમાંના દશમા પૂર્વનું નામ " વિદ્યાપ્રવાદપૂર્વ" છે. તેનું પ્રમાણ મહાવિદેહક્ષેત્રીય એક પાંચસો ને બાર (૫૧૨) હસ્તિ પ્રમાણ મષિ એટલે શાહીના ઢગલાથી જેટલા ગ્રંથો લખી શકાય તેટલું વિશાળ છે. તે વિદ્યાપ્રવાદપૂર્વમાં પરમ આશ્ચર્યકારી " શ્રી વર્ધમાન વિદ્યા" આદિ વિશ્વભરની સર્વસ્વ મહાવિદ્યાઓ તેમ જ પરમાશ્ચર્યમુગ્ધ બનાવે તેવા પરમ ચમત્કારિક શ્રી સૂરિમંત્ર પ્રમુખ સર્વસ્વ મહામંત્રોનું, તેના અધિષ્ઠાતા મહાપ્રભાવક સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓનું અને તેમનાં કર્તવ્યોનું અતિ વિશદપણે સંપૂર્ણ વર્ણન હોય છે. એ ઉપરથી એટલું તો સોએ સો ટકા સિદ્ધ થાય છે, કે શ્રી જિનશાસનમાં સમ્યગ્દષ્ટિ દેવદેવીઓનું સ્થાન અને સ્થાપના એ કોઈ સ્વાર્થાન્ડ લેભાગુથી શરૂ થયેલી કુપ્રથા નથી, પરંતુ અનંતાનંત પરમ તારક દેવાધિદેવથી વિહિત થયેલ સુ–આચરણા છે, એમ અચૂક સ્વીકારવું જ રહ્યું. એ સુ–આચરણા નથી એમ જો કોઈ કહેતું હોય તો "શ્રી વર્ધમાનવિદ્યામાં જયા, વિજયા જયંતી અને અપરાજિતા એ ચાર શાસનરક્ષિકા દેવીઓનું સ્થાન, શ્રીસૂરિમંત્રમાં સરસ્વતી દેવીનું, ત્રિભુવનસ્વામિનીનું, લક્ષ્મીદેવીનું અને યક્ષરાજ ગણિપીટકનું સ્થાન, સંતિકરં" તિજય પત્ત" અને "બૃહત્ શાન્તિ" આદિ સ્તોત્રોમાં શ્રી લોકોત્તર જિનશાસન–માન્ય સોળ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ, દશ દિપાળ આદિ અનેક સમ્યગુદષ્ટિ દેવદેવીઓનું અને સ્કન્દ વિનાયક આદિ લૌકિક દેવોનું સ્મરણ કરીને તેમનાં નામો સ્તોત્રમાં ગૂંથવામાં આવ્યાં છે. ભૂતકાળમાં અનેક મહાપ્રભાવક પૂર્વાચાર્ય મહારાજોએ સમ્યગુદષ્ટિ દેવદેવીઓ દ્વારા શ્રી Page #625 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જિનશાસનની રક્ષા તેમ જ અજોડ મહાપ્રભાવના કરાવ્યાના અનેક ઉલ્લેખો ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. II અક્ષીણ – કોશ–કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા । શ્રી જિનશાસનની સુરક્ષા તેમ જ મહાચમત્કારિક અનેકવિધ અજોડ મહાપ્રભાવનાના કારણે વ્યંતરનિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજ શ્રી માણિભદ્રજીનું નામ શ્રી જિનશાસન સુરક્ષક અને મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે. ', વિક્રમ સંવતની પંદરમી શતાબ્દીની આ વાત છે. શ્રી ઉજ્જયિની નગરીમાં વીશા ઓસવાળ જ્ઞાતીય શેઠશ્રી ધર્મપ્રિય નામે ધર્મિષ્ઠ સુશ્રાવક હતા. તેમના ઘરેથી શ્રીમતી જિનપ્રિયા નામે ૫૨મ સંસ્કારી અતિ ધર્મિષ્ઠ સુશ્રાવિકા હતાં. તેમને માણેકચંદશા નામે સુપુત્ર થયેલ. તેઓ અતિ કુશાગ્ર બુદ્ધિશાળી અને અસાધારણ પ્રતિભાસંપન્ન હોવાના કારણે અલ્પકાળમાં ધાર્મિક તેમ જ વ્યાવહારિક શિક્ષણ સંપાદન કરી લીધું. બાલ્યકાળમાં પિતાજીનો દેહવિલય થવાથી પિતાજી સંચાલિત પેઢીનું કાર્યતંત્ર સંભાળીને ખૂબ સારી રીતે સંચાલન કરવા લાગ્યા. પ્રબળ પુણ્યના ઉદયે સંપત્તિ અને યશકીર્તિના પરમ યશોભાગી બન્યા. 609 યુવાવસ્થા પ્રાપ્ત થતાં ધારાનગરીના વિશ્વવિખ્યાન શ્રેષ્ઠિવર્ય સુશ્રાવક શ્રી ભીમશેઠની સુકન્યા આનંદરતિ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. શેઠશ્રી માણેકચંદશાનાં માતાપિતા સંવિજ્ઞપાક્ષિક તપાગચ્છીય પરમ પૂજ્યપાદ આચાર્ય– પ્રવર શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબના અસીમ ઉપકારથી ધર્મમાં ખૂબ જ આગળ વધ્યાં અને સ્થિર બન્યાં હતાં. પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવરશ્રીજીની આજ્ઞા એ જ આત્મા, એ જ પ્રાણ અને એ જ જીવન; એ જ તન, એ જ મન, એ જ ધન એવી અટલ શ્રદ્ધા ધરાવતાં હતાં. પરમ પૂજ્યપાદજીનાં પરમ અનુયાયી હતાં. પોતાના ઘરમાં જિનમંદિર અને પૌષધશાળા હતાં. પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા, ઉભય ટંક પ્રતિક્રમણ અને પર્વતિથિએ પૌષધ કરતા હતા. શેઠશ્રી માણેકચંદશાએ પણ પિતાજીના ધર્મ–આરાધનાના વારસાને ખૂબ સારી રીતે સાચવી રાખ્યો હતો અર્થાત્ અકાટય શ્રદ્ધાપૂર્વક ખૂબ જ ઉલ્લાસથી ધર્મ-આરાધના કરતાં હતાં. એક સમયે લોંકાયત યતિઓએ શ્રી માણેકચંદશા શેઠને ત્યાં સ્થિરતા કરી. રાત્રે ધર્મચર્ચા કરતાં યતિઓએ ઉટપટાંગ કુતર્કો અને કુયુક્તિઓથી શેઠશ્રી માણેકચંદને પરંપરાગત પરમ સુધર્મથી વિમુખ બનાવીને, પોતે આચરતા મહા—અધર્મને સાચા ધર્મરૂપે મનાવીને, પોતાના અંગત અનુયાયી બનાવ્યા. શ્રી માણેકચંદશા શેઠે પૂજા, સેવા, પ્રભુભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, નવકાર સહિઅં, ચોવિહાર આદિ તપ-જપ-વ્રત પચ્ચક્ખાણ આદિનો સર્વથા ત્યાગ કરીને મહાઅધર્મ સ્વરૂપ રાત્રિભોજન, અભક્ષ્ય, અનન્તકાય વાપરવાનું ચાલુ કર્યું. ધર્મનો ત્યાગ કર્યાની શેઠશ્રી માણેકચંદશાનાં સુપત્ની શ્રીમતી આનંદરતિને જાણ થતાં તેમણે પતિદેવને અધર્મનો ત્યાગ કરી પુનઃ સુધર્મની આરાધના કરવા અનેકવાર સમજાવવા છતાં માણેકચંદશા શેઠે કદાગ્રહ ન ૭૭. Page #626 -------------------------------------------------------------------------- ________________ 610 તપાગચ્છાધિષ્ઠાયક છોડ્યો. પતિદેવ પાપનો ત્યાગ કરી પુનઃ ધર્મ–આરાધના કરે તે માટે શ્રીમતી સુશ્રાવિકા આનંદરતિએ છ વિગઈનો ત્યાગ કર્યો. ત્રણ ત્રણ વર્ષ પર્યત છ વિગઈનો અભિગ્રહ ચાલ્યો, તો પણ સુશ્રાવિકાના હૈયે ન વલોપાત કે ન મુખ ઉપર ખેદ કે ગ્લાનિ. માણેકચંદશા શેઠના અધર્મની અને પુત્રવધૂના અભિગ્રહની જાણ માણેકચંદશા શેઠનાં માતાજીને થતાં પારાવાર દુઃખ થયું. તેમણે પણ મનોમન સંકલ્પ કર્યો પુત્ર માણેકચંદશા અધર્મ–ઉન્માર્ગનો ત્યાગ કરી પુનઃ સન્માર્ગે ન આવે ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ. એ વાતને પણ છ માસ વીત્યા. પરમ માતૃભક્ત શ્રી માણેકચંદશા શેઠને માતાજીને છ માસથી છ વિગઈના ત્યાગ છે, તેની જાણ થતાં તેમને હૈયે ભૂકમ્પ જેવો ભયંકર આંચકો લાગ્યો, પારાવાર દુઃખ થયું. માતાજીને છ વિગઈનો ત્યાગ અને તેમાં પણ અક્રમની તપશ્ચર્યા ! પારણું કરવા શ્રી માણેકચંદશા શેઠે માતાજીને સબહુમાન અત્યાગ્રહપૂર્વક ખૂબ ખૂબ વીનવ્યાં ત્યારે માતાજીએ જણાવ્યું, " પ.પૂ. ગુરુમહારાજ પાસે પુનઃ ધર્મ અંગીકાર કરીને ધર્મ આરાધના કરે અને પ.પૂ. ગુરુમહારાજને સબહુમાન ઘરે પધરામણી કરાવી પરમ પૂજ્યપાદશ્રીને પ્રતિલામે.(વહોરાવે), તો જ હું પારણું કરું." ત્યારે માણેકચંદશા શેઠે જણાવ્યું," પરમ પૂજ્યપાદ ગુરુમહારાજ મારી શંકાનું સમાધાન કરે, તો હું પુનઃ પ્રભુપૂજા અને તપાગચ્છીય આમ્નાય પ્રમાણે ધર્મ-આરાધના ચાલુ કરું." - યોગાનુયોગ એ જ સમયમાં પરમ પૂજ્યપાદ વીરપ્રભુની પંચાવનમી પાટને શોભાવનાર આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના પટ્ટધર શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રમુખ સત્તર (૧૭) મુનિવરો સાથે ઉજ્જયિની નગરીની બહાર ઉદ્યાનમાં મહાકાળવન (પ્રેતવન) (અપનામ ગંધર્વ સ્મશાન)માં પધાર્યા. સર્વે મુનિવરો રાત્રે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભા રહ્યા હતા. શેઠશ્રી માણેકચંદશા પ્રભાતે જાગૃત થઈને પૂજ્ય માતાજીને વંદન–નમસ્કાર કરીને વિગઈ વાપરવા પૂર્વક અઠ્ઠમની તપશ્ચર્યાનું પારણું કરવા આત્યાગ્રહપૂર્વક વિનંતી કરી. પૂજ્ય માતાજીએ એક જ આગ્રહ રાખ્યો કે, " તું પરમ પૂજ્યપાદ તારક ગુરુદેવેશ આચાર્યપ્રવરશ્રીને પરમ સબહુમાન ઘરે બોલાવી લાવીને તેઓશ્રીને ભક્તિપૂર્વક પ્રતિલાભે (વહોરાવે) તો જ હું પારણું કરીશ, અન્યથા હું તપશ્ચર્યા ચાલુ રાખીશ." માતાજીના મુખથી એટલું સાંભળતાં તો શ્રી માણેકચંદશા શેઠનું હૈયું હચમચી ગયું ને નેત્રોમાંથી દડદડ આંસુ સયાં. પૂજ્ય માતાજીની આશીર્વાદપૂર્ણ અનુમતિ લઈને શેઠશ્રી માણેકશા પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવરશ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબને સ્વગૃહે પધારવા માટે વિનંતી કરવા પ્રેતવન (ગંધર્વ સ્મશાન)માં ગયા. કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભા રહેલા પરમ પૂજ્યપાદશ્રીના દર્શન થતાં જ શ્રી માણેકચંદશા શેઠના મનમાં વિચાર ઉદ્ભવ્યો કે પરમ પૂજ્ય ગુરુમહારાજ કેવા સમતાના સાગર છે, તેની પરીક્ષા તો કરી લઉં. એમ વિચારીને સ્મશાનભૂમિમાં જ મૃતકની ચિતામાંથી સળગતું ઉંબાડિયું (લાકડું) લઈને કાઉસગ્નમાં સ્થિર ઊભા રહેલ પરમ પૂજ્યપાદ Page #627 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 611 ગુરુ મહારાજની હડપચીમાં ચાંપી દીધું. દાઢીના વાળ અને ચામડી દાઝી ગઈ તો પણ 'પ્રવાતે પિ નિઝNI પર્વ ઉરઃ' એ ન્યાયે પરમ પૂજ્યપાદ તારક ગુરુમહારાજ કાઉસગ્નમાં સ્થિર જ ઊભા રહ્યા. પરમ પૂજ્યપાદ તારક ગુરુમહારાજની વખાણવા જેવી ઉત્તમ કોટિની સમતાના પ્રત્યક્ષ દર્શન થવાથી શેઠશ્રીનો અપરાધી આત્મા હચમચી ઊઠ્યો. શેઠશ્રી થર થર ધ્રુજવા લાગ્યા. પરમ પૂજયપાદશ્રીનાં તારક ચરણોમાં શિર મૂકીને શેઠશ્રી ધ્રુસકે ધ્રુસકે રડતાં બોલ્યા : "ભગવન્! મારા જેવા પામર અધમાધમ મહામૂઢ ઘોર મહાપાપાત્માએ આ શું કર્યું? આપની દાઢી અને ચામડી બાળીને આપને તીવ્ર વેદના ઉપજાવનારું ઘોર અશાતાવેદનીય મહાપાપ બાંધ્યું. આપની ઘોરાતિઘોર મહા-આશાતના કરી. " અમ જેવા અધમોદ્વારક! પરમ ઉપકારક! તારક ગુરુદેવેશ! મારા ઉપર પરમ કરુણા કરીને મારા ઘોરાતિઘોર અક્ષમ્ય મહા-અપરાધની મને પરમ ઉદાર ભાવે ક્ષમા આપો. ભગવન્! મારાં પૂ. માતાજીને આજે અટ્ટમની તપશ્ચર્યાનું પારણું છે. આપશ્રીજી પધારીને પ્રતિલાભશો (લાભ આપશો) પછી જ પૂ. માતા પારણું કરશે." પરમ પૂજ્યપાદશ્રી એક અક્ષર જેટલો ઉપાલંભ આપ્યા વિના, રોષતોષ વિના સંયમની સુવાસનો સુસ્વાદ માણતા શેઠશ્રીના ગૃહ–આંગણે પધારે છે. "ધર્મલાભ' કહીને પરમ પૂજ્યપાદશ્રી ઊભા રહે છે. શેઠશ્રી, માતા અને સમસ્ત પરિવાર 'ભગવન્! પધારો પધારો કહે છે, એટલે પરમ પૂજ્યપાદશ્રીજી જયણાપૂર્વક ગૃહપ્રવેશ કરે છે. પરમ પૂજ્યપાદશ્રી સમક્ષ ગલી આલેખીને સમસ્ત પરિવાર વિધિવત્ વંદન કરે છે. પછી સમસ્ત પરિવારે પરમ ઉલ્લાસથી પરમ પૂજ્યપાદશ્રીજીને પ્રતિલાવ્યા. પરમ પૂજ્યપાદશ્રીજીની પરમ અનુમોદનીય આદર્શ કોટિની ક્ષમતાના પ્રત્યક્ષ દર્શનથી શેઠશ્રી માણેકચંદશા અતીવ પ્રભાવિત થયા. લોંકાયતનો પરમ અધર્મમય પાપમાર્ગનો સર્વથા ત્યાગ કરીને પુનઃ જિનેન્દ્ર પરમાત્માની પૂજા–સેવા-ભક્તિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચકખાણ, તપ, જપ, આદિ ધર્મ-આરાધના પરમ શ્રદ્ધાથી કરવા લાગ્યા. વેપાર અર્થે શેઠશ્રી માણેકચંદશા પાલી–મારવાડ આવીને વસવાટ કરે છે. યોગાનુયોગ પ.પૂ. આ પ્ર. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૭ મુનિવરો સાથે વિહાર કરતા પાલી–મારવાડ પધારે છે. શેઠશ્રી માણેકચંદશાહે અત્યાગ્રહથી ખૂબ ઠાઠમાઠથી પરમ પૂજ્યપાદશ્રીનું ચાતુર્માસ કરાવ્યું. શેઠશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાભ્યનું શ્રવણ કર્યું. મનન પૂર્વક શ્રવણ કરવાના કારણે તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા-કરાવવાના મંગળ કોડ જાગ્યા. તીર્થયાત્રા કરવા-કરાવવાની ભાવના તીવ્રાતિતીવ્ર થઈ. ચાતુર્માસ અંતે પ. પૂજ્યપાદશ્રીના વરદ શુભ હસ્તે આશીર્વાદરૂપ અભિમંત્રિત વાસક્ષેપ મસ્તકે લઈને પરમ પૂજ્યપાદશ્રીની પુણ્ય ઉપસ્થિતિમાં તેઓશ્રીના શ્રીમુખથી માંગલિક શ્રવણ કરીને તીર્થયાત્રાર્થે શ્રીસંઘ સાથે મંગળ પ્રયાણ કર્યું. અર્થાત્ વિશાળ ચતુર્વિધ સંઘ કાઢયો. તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર ઉપવાસ કરવાનો શેઠશ્રી Page #628 -------------------------------------------------------------------------- ________________ 612 તપાગચ્છાધિષ્ઠાયક માણેકચંદશાહે અભિગ્રહ કર્યો. પાલી–મારવાડથી પ્રયાણ કરી શ્રીસંઘ સાથે સાતમા દિવસે ઉત્તર ગુજરાતના શ્રી સિદ્ધપુરનગરથી પચ્ચીસેક માઈલના અંતરે મગરવાડા નામના ગામમાં પધાર્યા. તે ગામમાં માનવોનો વાસ નહિવત્ હતો. એકદમ ઘાટી વનરાજિના કારણે તે ગામ બીહડ વન જેવું ભયંકર ભાસતું હતું. વિશ્રામ કરતા શ્રીસંઘ ઉપર ચોરોએ આક્રમણ કર્યું. શેઠશ્રી માણેકચંદશાબ ઘવાયા. પરિણામે શ્રી સિદ્ધ ગિરિરાજમંડન શ્રી આદીશ્વરજી પરમાત્માના શુભ ધ્યાનમાં શેઠશ્રી કાળધર્મ પામીને શ્રી માણિભદ્રજી નામે વ્યંતરનિકાયના છઠ્ઠા યક્ષેન્દ્ર મહારાજા થયા. શેઠશ્રી માણેકચંદશા મહામિથ્યામતીઓના મહાપાપમય ઉન્માર્ગરૂપ અધર્મનો ત્યાગ કરીને પુનઃ સુધર્મનું આરાધન કરવા લાગ્યા હતા. તેના કારણે તેજોષી, મિથ્યાત્વી કડવામતી વેષવિડમ્બકોને લાગ્યું કે, આપણો પરમ ભક્ત આપણો મટીને તપાગચ્છીય આચરણ કરવા લાગ્યો. તેના મુખ્ય સૂત્રધારરૂપે પ.પૂ. આ. પ્રવરશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.અને પ.પૂ.આ.શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મ. સાહેબ છે. તેનો બદલો લેવા માટે કાળા-ગોરા ભૈરવદેવોની સાધના કરીને સિદ્ધ કર્યા. મંત્રથી બંધાયેલ શ્રી ભૈરવદેવોને કડવામતી વેષવિડંબકે આજ્ઞા કરી કે આ. શ્રી હેમવિમળસૂરીશ્વરજી સહિત સર્વ સાધુ પરિવાર ચિત્તભ્રમિત થઈને ભૂંડા હાલે મરે એવું કરો. મંત્રબદ્ધ કાળા-ગોરા ભૈરવદેવોએ પ.પૂ. આ. પ્ર. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. તેમ જ પ.પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ.સા.ના સાધુ મહારાજોને ચિત્તભ્રમિત કર્યા છે. તેમાંથી કાળક્રમે દશ (૧૦) સાધુઓ કાળધર્મ પામ્યા. પ્રસ્તુત મરણાંત ઉપદ્રવ કોના દ્વારા થઈ રહ્યો છે? તે જાણવા માટે પ.પૂજ્યપાદ આ. પ્ર. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. પદ્માસને બેસીને સૂરિમંત્રનું ધ્યાન કરવા લાગ્યા. સૂરિમંત્રના અધિષ્ઠાતા દેવે આકાશવાણી દ્વારા જણાવ્યું કે આપ ગુજરાતમાં પ્રવેશ કરો એટલે તત્કાળ અઠ્ઠમતપ કરવા કૃપા કરજો. ત્યાં મુનિવરો ઉપર કરેલ દેવકૃત ઉપદ્રવ ટળી જશે. શેષ સાધુ મહારાજ સાથે પ.પૂ. આ. શ્રી. હેમવિમળસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આ.શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ. આદિ મુનિવરો ગ્રામાનુગ્રામ વિહાર કરતા પાલનપુર પાસે મગરવાડા ગામે પધાર્યા. ગુજરાત દેશમાં પ્રવેશ થયેલ જાણી પરમ પૂજ્યપાદશ્રીજી અઠ્ઠમતપનું પચ્ચકખાણ કરીને રાયણવૃક્ષ નીચે કાઉસ્સગ્ગ ધ્યાનમાં પદ્માસને વિરાજમાન થયા. - અઠ્ઠમતપ અને ધ્યાનના પ્રભાવથી ત્રીજા દિવસની રાત્રીએ શ્રી જિનશાસન સુરક્ષક શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજનું સિંહાસન ચલિત થયું. શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અવધિજ્ઞાનથી જણાયું કે જેઓશ્રીના કલ્પનાતીત અસીમ ઉપકારથી હું માણેકચંદશામાંથી મહાસમૃદ્ધિવાન, મહાબલિષ્ઠ, એકાવતારી, વ્યંતરનિકાયના યક્ષ-યક્ષિણી ને દેવદેવીઓના અધિપતિરૂપ છઠ્ઠો ઇન્દ્ર થયો છું. શ્રી માણિભદ્રજી ઈન્દ્ર મહારાજા વિચારે છે કે ગુરુદેવેશ મારા પરમ ઉપકારક, પરમ Page #629 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 613 તારક તેમ જ મહાસમર્થ અજોડ મહાપ્રભાવક હોવા છતાં ગુજરાત પ્રદેશમાં પ્રવેશ કરતાં જ તેઓશ્રીને અઠ્ઠમતપ કરીને કાયોત્સર્ગમાં સૂરિમંત્ર જપમાં લીન બનવું પડ્યું. એમ વિચારીને એક ક્ષણમાં શ્રી માણિભદ્રજી મહારાજ વ્યંતરનિકાયથી પરમ પૂજ્યપાદ તારક ગુરુદેવશ્રીની સેવામાં ઉપસ્થિત થયા. પરમ પૂજ્યપાદશ્રીને સબહુમાન વંદન-નમસ્કાર કરીને વિનમ્રભાવે વિજ્ઞપ્તિ કરી કે, હે ભગવન્! આપે મને ન ઓળખ્યો? પરમ પૂજ્યપાદશ્રીજીએ જણાવ્યું, તમે પરમ શક્તિસમ્પન મહામહર્તિક દેવ છો. ભગવન્! હું દેવ થયો એ સર્વ આપના જ મહાઉપકારનું અને પરમ પ્રભાવનું જ ફળ છે. ભગવન્! વ્યંતરનિકાયના છઠ્ઠા ઈન્દ્ર શ્રી માણિભદ્રજીનું આયુષ્ય પૂર્ણ થતાં તેમનું ચ્યવન થયું અને તેમના સ્થાને હું માણેકચંદશાનો જીવ આપશ્રીના કલ્પનાતીત અસીમ ઉપકારથી આપશ્રીના શ્રીમુખે શ્રી શત્રુંજય માહાભ્યનું શ્રવણ કરીને તે પરમ પુષ્ટાવલંબનથી શ્રી શત્રુંજય મહાતીર્થની વિધિવત્ યાત્રા કરવાની મારી ભાવના અતિ સુદઢ થતાં આપશ્રીના તારક શ્રીમુખે અભિગ્રહ કરી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ પ્રત્યે યથાશય ભક્તિભાવપૂર્વક શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનું અને દેવાધિદેવ શ્રી આદીશ્વરજી પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં આપશ્રીની પુણ્ય ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ચતુર્વિધ શ્રીસંઘ સાથે ગ્રામાનુગ્રામ પ્રયાણ કરતાં આ મગરવાડા ગામની સમીપમાં વન હતું ત્યાં શ્રીસંઘે વિશ્રામ કર્યો. ત્યાં ચોરોના આક્રમણથી હું ભયંકર ઘવાયો. આપશ્રીજીના તારક શ્રીમુખે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ પૂર્વક ' તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થના ધ્યાનમાં લીન રહીને મહાતીર્થની યાત્રા કરવી.' એ પ્રમાણે અભિગ્રહ કરેલ હોવાના કારણે હું મૌન રહ્યો. ચોરોએ મને પડકાર્યો, પણ મારે મૌન હોવાના કારણે મેં પ્રત્યુત્તર ન આપ્યો. ચોરોને લાગ્યું કે આ શેઠ પાસે માલમતા ઘણી હોવાથી ઉત્તર આપતા નથી. ચોરોએ મારી પાસે આવીને મને બોલાવવા પ્રયત્નો કર્યા, પણ મારે મૌન હોવાના કારણે હું ન બોલ્યો એટલે ચોરોની શંકા સવિશેષ દઢ બની અને ચોરો મારા ઉપર એકસાથે તૂટી પડ્યા. શસ્ત્રના ઘા કર્યા. હું ભયંકર ઘવાયો – મસ્તક, ધડ અને પગની પિંડી છેદીને મારા શરીરના ત્રણ ટુકડા કરી નાંખ્યા. શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક શ્રી શત્રુંજય મહાતીર્થના ધ્યાનના પ્રબળ મહાપ્રભાવે વ્યંતરનિકાયના કાળધર્મ પામેલ છઠ્ઠા ઈન્દ્રના સ્થાને હું માણિભદ્ર નામે છટ્ટો ઇન્દ્ર થયો છું. હું એકાવતારી છું. આ ભવનું મારું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે કાળધર્મ પામી પરમ આદર્શ શ્રાવક કુળમાં અવતરીને, સંયમ અંગીકાર કરીને પરમ વિશુદ્ધપણે ચારિત્રનું પાલન કરતાં ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈને ચાર ઘાતિકર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન-કેવળદર્શન પામીશ. અંત સમયે શેલેષીકરણના પ્રભાવે ચાર અઘાતિકર્મનો આત્મામાંથી આત્મત્તિક (પૂર્ણ) અભાવ થશે અને મોક્ષપદને પામીશ. શ્યામવર્ણની ઝાંયવાળું મારું શરીર છે, મારે પભુજાઓ છે, શ્રી જિનેન્દ્ર પરમાત્માની જમણી ભુજા પ્રતિ (તરફ) સદૈવ રહે તે રીતનું એક દાઢાવાળું વરાહનું મુખ મેં ધારણ કરેલ છે. તે Page #630 -------------------------------------------------------------------------- ________________ 614 દાઢા ઉપર જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા ધારણ કરેલ છે. તે દેવકુલિકારૂપે શાખામાં શ્રી આદીશ્વરજી પરમાત્મા વિરાજમાન છે. પરમાત્માના અનંત પરમ પ્રભાવે તેઓશ્રીના પરમ તારક ધ્યાન અને સ્મરણથી યક્ષેન્દ્ર જેવા ઊંચા પદને પામ્યો એ અનંત ઉપકાર સદાય મારી સ્મૃતિમાં રહે અને પરમાત્માનાં દર્શન નિરંતર થતાં રહે તે માટે મેં સહેજ ત્રાંસી દષ્ટિવાળું વરાહનું મુખ ધારણ કરેલ છે. તપાગચ્છાધિષ્ઠાયક માનોન્માનયુક્ત મનોહર અને દર્શન કરનારને અતિ પ્રિય લાગે તેવા મારા હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ અને જીભ છે. તેનો વર્ણ રક્ત છે. મહાતેજસ્વી માણેકાદિ દિવ્ય રત્નોથી જડિત સુવર્ણમય મુગટ મારા મસ્તકે ધારણ કરેલ હોય છે. અન્ય અંગ-ઉપાંગ દિવ્ય રત્નોથી જડિત વિવિધ પ્રકારનાં અત્યાકર્ષક આભૂષણોથી વિભૂષિત હોય છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગર, અંકુશ, નાગપાશ, રત્નમાળા આદિ આયુધો મારા હાથમાં હોય છે. સાત સૂંઢવાળો ઐરાવણ ગજરાજ મારું વાહન છે. તેની પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કળશ હોય છે અને બીજી સૂઢોમાં રક્તવર્ણા પુંડરીક કમળ હોય છે. ઐરાવણ ગજરાજનું અંગ દિવ્ય રત્નજડિત સુવર્ણના અનેક પ્રકારના અલંકારોથી અલંકૃત હોય છે. બાવન વીર, ચોસઠ યોગિની અને મારા જેવા અચિત્ત્વ રિદ્ધિ-સિદ્ધિવાળા વીસ હજાર સામાનિક દેવો તેમ જ કાળા ગોરા અને બટુક ભૈરવ આદિ દેવોનો હું સ્વામી છું. નવ હજાર નાગ એટલે નવ હજાર ઐરાવણ ગજરાજ એટલું અચિત્ત્વ બળ મને પ્રાપ્ત થવામાં હે ભગવન્ ! આપના અનંત ઉપકારનો જ મહાપ્રભાવ છે. હે ભગવન્ ! હું આપની શી સેવા કરું ? 带 પૂ. ગુરુ મહારાજશ્રીએ પૂછ્યું : પરમ આદર્શ સંયમધર્મની આરાધના કરતા મુનિવરો ઉપર આ મહા અધમ પિશાચકૃત્ય અર્થાત્ મરણાંત ઉપદ્રવ કોણ કરે છે? અને તે ઉપદ્રવ સદંતર ટળવો જોઈએ. શ્રી માણિભદ્રજીએ તત્કાળ જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો. અવધિજ્ઞાનથી જાણ્યું, આ તો મારા આજ્ઞાંકિત દેવો કાળા–ગોરા ભૈરવો જ મહા-અધમ પિશાચકૃત્ય ઉપદ્રવ કરે છે. શ્રી માણિભદ્રજીએ કાળા–ગોરા ભૈરવને બોલાવીને પૂછ્યું, તમે મહા—અધમ પિશાચકૃત્ય રૂપ ઉપદ્રવો કરીને પરમ ત્યાગી સંયમી મુનિવરોને શા માટે ત્રાસ આપો છો ? પરમ યોગીશ્વર • મુનિવરોની તો તમારે સેવા–શુશ્રૂષા કરવી જોઈએ, તેના બદલે પ્રાણ ચાલ્યા જાય તેવો અક્ષમ્ય ત્રાસ આપો છો. એ મહા ઘોર પાપ છે. આ મહાપાપના કારણે તમારે અગણિત કાળ પર્યન્ત ભવભ્રમણ કરવું પડશે. માટે આ મહા અધમાધમ પાપકૃત્ય બંધ કરો. ભૈરવોએ કહ્યું, હે સ્વામિન્ ! કડવામતી આચાર્યે અમારી સાધના કરી અમને પ્રત્યક્ષ કરીને અમારી પાસેથી વચન લીધું છે. મન્ત્રાધિના લેવા એ ન્યાયે અમે મંત્ર અને વચનથી બંધાયેલ હોવાથી કડવામતી આચાર્યના આદેશાનુસાર અમારે કરવું પડે છે એટલે અમે લાચાર છીએ. મુનિઓ ચિત્તભ્રમિત થાય તેવો અમારાથી કરાયેલ અને કરાતો ઉપદ્રવ બંધ નહિ થાય. ઉપદ્રવ બંધ કરવાની આપની આજ્ઞાનું પાલન થવું અમારાથી શકય નથી. શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજાએ જણાવ્યું, મારી Page #631 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 615 આજ્ઞાનું પાલન ન કરનારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. કાળા-ગોરા ભૈરવે જણાવ્યું, યુદ્ધ કરવા અમે તત્પર જ છીએ. પરસ્પર ભયંકર યુદ્ધમાં ભૈરવોને ફાવટ ન આવતાં ભૈરવોએ બે રૂપ વિકુવ્યા, શ્રી માણિભદ્રજીએ ચાર રૂપવિકવ્ય, ભૈરવોએ આઠ રૂપ વિકવ્યા, ત્યારે શ્રી માણિભદ્રજી ઇન્દ્ર મહારાજે સોળ રૂપ વિકર્વીને ભૈરવને મર્મસ્થાનમાં આવા જોરથી કૂટયા કે ભેરવોને તેમના ૮૧ ભવની નાનીજી એકસાથે યાદ આવી ગઈ. અર્થાત્ એવા અસહ્ય તીવ્ર મારથી ભૈરવ મચ્છર અને મગતરા જેવા વામણા થઈ ગયા. માણિભદ્રજીને આજીજીભરી કાકલૂદી કરવા લાગ્યા, 'હે સ્વામિન્! હવે કદાપિ ઉપદ્રવ નહિ કરીએ. કરેલ ઉપદ્રવ સંહરી લઈએ છીએ ભૈરવોએ તરત જ ઉપદ્રવ સંહરી લીધો. કાળા-ગોરા ભૈરવોએ કડવામતી વેષવિડંબકોને કહી દીધું કે, હવે તમે અમને મંત્રથી બાંધીને બોલાવશો તો અમે તમારા પ્રાણ હરી લઈશું. કડવામતી વેષવિડંબકોના હાથ હેઠા પડ્યા. વેષવિડંબકો સાવ હતોત્સાહ થવા સાથે નિઃસહાય બની ગયા. કાળા-ગોરા ભૈરવોએ શ્રી માણિભદ્રજી ઈન્દ્ર મહારાજને વિનંતિ કરી કે, હે સ્વામિનું! જ્યાં આપનું સ્થાન હોય, ત્યાં આપે ઉદારતા કરીને અમને આપના સેવકરૂપે સાથે રહેવા માટે સ્થાન આપવા મહતી કૃપા કરવી, એ જ અમારી એકની એક હાર્દિક અભ્યર્થના. શ્રી માણિભદ્રજી મૌન રહ્યા. પ.પૂ. આ. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. તથા. ૫.પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મ.સા.ને સબહુમાન વિનમ્રભાવે વિનતિ કરી કે, ભગવન્! આ સ્થળ ઉપર ભૂમિથી ચાર આંગળ ઊંચે મારાં પગલાં પડ્યાં છે. તે સ્થળ ઉપર આપના વરદ શુભ હસ્તે મારા પગની પિંડીની સ્થાપના કરાવવા કૃપા કરો, જેના કારણે આ સ્થળનો પ્રભાવ વિશ્વવિખ્યાત થશે. આપની પાટ પરંપરા અર્થાત્ તપાગચ્છની પાટે જે જે પૂજ્ય આચાર્ય મહારાજ થશે, તે સર્વપ્રથમ આ સ્થાને આવીને મને ધર્મલાભરૂપ આશીર્વાદ આપીને અઠ્ઠમતપ કરશે તેના પરમ પ્રભાવે મારું સિંહાસન ચલિત થશે. એટલે મારાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મુકાશે. તેના બળે જાણી શકાશે કે આચાર્યપદથી વિભૂષિત થયેલ પૂજ્ય નૂતન આચાર્ય મહારાજ સાહેબ પધારેલ છે. તેઓશ્રીની તારક સેવામાં ઉપસ્થિત થઈશ. તેઓશ્રીના તારક શ્રીમુખે ધર્મલાભરૂપ આશીર્વાદ મને મળશે તેથી મને ખૂબ આનંદ થશે. પૂજ્યશ્રીની સેવામાં રહીને અનંત પરમ તારકશ્રી જિનશાસનની સુરક્ષા, સેવા-આરાધના અને પ્રભાવના આદિનો અપૂર્વલાભ મને મળતો રહેશે... જેના કારણે મારું સમ્યગ્દર્શન સ્ફટિકરત્ન જેવું નિર્મળ રહેશે. પરમ પૂજ્યપાદશ્રીએ મહા સુદિ ૫ ના દિને મગરવાડા ગામની બહાર શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજે કરેલ સંકેત અનુસાર પગની પિંડી આકારની સ્થાપના કરાવી. Page #632 -------------------------------------------------------------------------- ________________ 616 તપાગચ્છાધિષ્ઠાયક પોતાનાં ત્રણ સ્થાનો શ્રી માણિભદ્રજી ઇન્દ્ર મહારાજ સ્વયં જણાવે છે કે, મારાં મુખ્ય ત્રણ સ્થાનો છે: (૧) ઉજ્જયિની નગરીમાં મારો જન્મ હોવાથી ત્યાં ક્ષિપ્રા નદીના કાંઠે મારું મસ્તક પૂજાય છે. (૨) ઉત્તર ગુજરાતમાં વિજાપુર સમીપે આગલોડ ગામમાં મારું ધડ પૂજાય છે. (૩) મગરવાડા ગામના સીમાડે મારી પિંડી પૂજાય છે. શ્રી જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરાવવાના શુભ આશયથી પૂ.શ્રી શાન્તિસોમસૂરિજી મહારાજે એકસો એકવીસ (૧ર૧) ઉપવાસ કર્યા. તે ઉગ્ર તપના પ્રભાવે શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજ પ્રત્યક્ષ પ્રગટ થયા. શ્રી માણિભદ્રજીના સંકેતાનુસાર વિ.સં. ૧૭૩૩, મહા સુદિ પાંચમના દિને પૂ. આ. શ્રી શાન્તિસોમસૂરિજી મ.સા.ના શુભ હસ્તે આગલોડ નગરની બહાર માણિભદ્રજી યક્ષેન્દ્ર નિર્દિષ્ટ સ્થાને માટીનું પિંડ ધડરૂપે સ્થાપન કરાવ્યું. આચાર્યપદથી વિભૂષિત થયા પછી કોઈ કારણસર પૂજ્ય નૂતન આચાર્ય મ.સા.થી મગરવાડા જવું શક્ય ન હોય, તો આગલોડ જઈને ચિત્તોલ્લાસથી અઠ્ઠમતપ કરશે, તો પણ તેઓશ્રીના શ્રી જિનશાસનની સુરક્ષા, સેવા, આરાધના પ્રભાવનાદિના પ્રભાવક સર્વ મનોવાંછિત પૂર્ણ કરવા હું સદા કટિબદ્ધ ઉપસ્થિત રહીશ. અનંત પરમ તારક શ્રી જિનાજ્ઞાથી વિપરીત વિચારાયું કે આલેખાયું હોય, તો ત્રિવિધ રીતે મિચ્છામિ દુકકડે. સ્વ–પરના કલ્યાણ માટે સહાયભૂત જિનેશ્વર પરમાત્માનું શાસન ટકવાનું છે, જયવંતું રહેવાનું છે; છતાં દરેક જીવાત્માએ પોતાનો સ્વપુરુષાર્થ ફોરવીને શાસનની જયપતાકા ફરકાવવામાં તન મન ધનનો ઉપયોગ કરવો જોઈએ. ' શાસન અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરે તન મન ધનથી પૂર્વના ભવમાં શાસનની સેવા કરેલી. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ તેઓશ્રી નિષ્ઠાવાન, ચારિત્રશીલ આત્માઓને સ્વ-પરના કલ્યાણ માટે સહાયભૂત થાય છે. ભૂતકાળમાં પણ થયા હતા, ભવિષ્યમાં થશે – આવું અમારા ઉપકારી ગુરુદેવ પ.પૂ. આ. ભ. વર્તમાન ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. પાસેથી સાંભળેલું છે. અને સંપૂર્ણ શ્રદ્ધા છે તથા અનુભવ થયેલ છે પણ જાહેરાત કરવામાં રસ નહિ હોવાથી જણાવતા નથી. પણ જે કોઈ સ્વ–પરનું કલ્યાણ કરવાની ભાવના રાખતા હોય, શાસનની જાહોજલાલી કરવા માંગતા હોય તો આવતાં વિઘ્નોને ચૂરી નાંખવાની તાકાત શાસન-અધિષ્ઠાયક સમકિત દેવ શ્રી માણિભદ્રવીરની છે. દરેક જીવાત્માઓએ ૧ માળા અવશ્ય ગણવી જોઈએ. – ૩% અહં નમઃ, ૐ અસિઆઉસા નમ: શ્રી માણિભદ્ર દિશત મમ સદા સર્વે કાર્યેષ સિદ્ધિમ્ | શાસનઅધિષ્ઠાયક દેવોનું આત્મકલ્યાણ થાઓ. શાસન જયવંતું વર્તો. મુ: લીંચ, તા. ૧૦–૩–૯૭ પ્રસન્નકીર્તિના ધર્મલાભ Page #633 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 617 શ્રી સિદ્ધાચલજીના શુભ સ્મરણથી માણેકચંદ બને છે માણિભદ્ર વીર ! -પૂ. પંન્યાસપ્રવરશ્રી વીરરત્નવિજયજી મહારાજ માણેકચંદમાંથી બનેલા માણિભદ્રજીની આ એક પ્રેરક કથા છે. માત્ર કથા જ નથી પણ એક માતાની અને સાથે ગુરુની વ્યથા છે. રસાળ શૈલી, પ્રસંગને ઉપાડવાની કળાથી જાણે જીવંત દશ્ય ભજવાતું લાગે. દાચ આ જિનશાસન.. જેણે દેવી માતાનું સર્જન કર્યું કે જે માતાઓએ શાસનને જયવંતું બનાવ્યું. ધન્ય ધન્ય ગુરુવર્યોને કે જેમણે પ્રાણ ન્યોછાવર કરી શાસનને ચકચકિત બનાવ્યું. કંઈકોનાં અંધારા ઉલેચાવી સન્માર્ગ અને સદ્ધર્મનું સુરેખ દર્શન કરાવ્યું. ઈષ્યનો મહાનલ શું ન કરી શકે ? જ્યાં સુધી શાંત હોય ત્યાં સુધી હિમગંગા; પણ જ્યાં નાની સરખી ચિનગારી ભભૂકી ઉઠે છે ત્યારે એ કયા રાહે પહોંચે છે ? વિવેકબુદ્ધિનાં દ્વાર સદંતર બિડાઈ જાય છે. સંસારને લાત સરી નીકળેલા અવૈરના આરાધક સમતાના સાગરતટે લટાર મારતા ૧૦-૧૦ મુનિઓ એ આંધીનો ભોગ બન્યા પછી અગિયારમાં એ બાળમુનિ હાશ અને હળવાશ અનુભવે છે તે કેવી રીતે ? તેનું સુરેખ દર્શન પૂજયશ્રીએ અત્રે કરાવ્યું છે. - સંપાદક ૧. માતૃહૃદયની ઝંખના જેના વંદનથી દાનવમાંથી દેવ બનાય, માનવમાંથી મહામાનવ બનાય......... મહાત્મા જેના સ્મરણથી મુક્તિ મેળવે, પામર પરમાત્મા બને. આવા અનોખા ગુણોથી ઓપતો ગરવો ગિરિરાજ, જેની પાવની છાયા પશુને માનવ બનવાનું સૌભાગ્ય બક્ષે. માનવને મૃત્યુંજયી બનાવે. આવા એક અદ્ભુત ને અવર્ણનીય મહાતીર્થ શ્રી શત્રુંજયની ગૌરવગાથાને ગાતી આ દિવ્ય કથા છે, અને એ દિવ્ય કથાના નાયકનું જીવન પણ ઓજસ્વી, તેજસ્વી ને તપથી ભરપૂર છે. ૭૮. Page #634 -------------------------------------------------------------------------- ________________ 618 તપાગચ્છાધિષ્ઠાયક જિનશાસનના ગગનાંગણમાં જેનાં નામ, કામ ને ધામ મંત્રજાપની જેમ ગવાઈ રહ્યા છે એ દિવ્ય પુરુષ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની આ કથા છે. પતિતપાવના ઉજ્જૈન નગરી...ઇતિહાસની અનેકાનેક ધૂપછાંવથી આબાદ સુરક્ષિત રહી ગયેલી આ નગરી. સ્વનામધન્ય, શાસનજ્યોતિર્ધર મહાન આચાર્ય ભગવંતો અને પોતાની આન, બાન ને શાનથી વિખ્યાત બનેલા રાજવીઓની આ જન્મભૂમિ છે. અહીં કવિહૃદયનાં સ્પંદનો છે અને સવિતા-સરિતાનાં ભ્રમણ છે. જનવાદ ને જશવાદથી આલમ આખીમાં ખ્યાતનામ બની ગયેલા રાજરાજેશ્વર વિક્રમાદિત્યની પંદરમી શતાબ્દીની આ વાત છે. ભારતવર્ષમાં ત્યારે માળવાનું નામ સહુથી મોખરે હતું. શસ્ય શ્યામલા આ ધરતીના કણેકણને પ્રત્યેક રજકણે એક મહાકાવ્ય ગુંજતું હતું મહાકાવ્યની દરેક પંક્તિમાં પ્રશસ્તિ ને સ્વસ્તિનો લલકાર હતો. 'કમે શૂરા ધમ્મ શૂરા' એવા ધર્મપ્રિય શાહ ઉજ્જૈનના જ વતની. વિશાળ પ્રસિદ્ધિ ને દિવ્ય સમૃદ્ધિના એ સ્વામી, ન્યાય અને કૌશલ્યના નામે તો ડંકો વાગતો. ધર્માનુષ્ઠાનોમાં એ સદૈવ આગળ હોય અને સ્વજનપ્રેમમાં કયારેય એ પાછળ ન રહે. આવા નરવીર ધર્મપ્રિય શાહની ધર્મપત્ની બનવાનું સૌભાગ્ય મળ્યું છે જિનપ્રિયાને. કેવાં સુંદર નામ! એક ધર્મને પ્રિય તો બીજી જિનને પ્રિય... સમય વહેતો જાય છે. લગ્ન થયાને વર્ષોનાં વાણાં વાઈ ગયાં, પણ હજુ ઘરમાં શિશુનો મધુર પ્યારો સ્વર સંભળાયો નથી. દરેક સ્ત્રીને મન માતૃત્વ પામવાની તમન્ના હોય છે, તેમ જિનપ્રિયાને પણ પુત્રપ્રાપ્તિની ઝંખના હતી. પુણ્ય જ્યાં સહયોગી બને છે ત્યાં ન ધારેલ કાર્યો પણ થઈ જતાં હોય છે. તો ધારેલ કેમ સફળ ન થાય? ધર્મપ્રિયને જિનપ્રિયાના પુણ્યનો સિતારો પણ હવે ચમકતો હતો. એક સોભાગી પળે, અજવાળી રાતે, સુગંધી ગુલાબનો જન્મ થયો. માને આનંદ,પિતાને પ્રસન્નતા અને સ્વજનોને અપાર હર્ષ થયો. સેંકડોની ગોદમાં રમતો રમતો ખીલતો એ લાલ જ્યારે પોતાનાં પનોતાં પગલાં પાડવા માંડ્યો ત્યારે એનું નામ રાખવામાં આવ્યું માણેક. ધર્મપ્રિય અને જિનપ્રિયાને તો હીરા, પન્ના ને માણેક જ હોય ને! - જનમ પરણ ને મરણ, જગતનો અનાદિકાળથી ચાલ્યો આવતો આ નિયમ છે. માણસ જન્મે છે, પરણે છે ને મરે છે. આશ્ચર્ય... દુનિયામાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે રડતાં રડતા જન્મે છે, આશા-અરમાનો ને મનોરથો સાથે જીવે છે અને નિરાશ થઈને મરણ-શરણ બની જાય છે. પણ એવા ય વિરલા આ ફાની દુનિયામાં ચમકતા હોય છે જે જીવન જીવતાં જિન બની જાય છે. જગતમાં મૃત્યુ નામની જો વાસ્તવિકતા ન હોત તો દુનિયાનો ઇતિહાસ પણ કોઈ ઓર લખાયો હોત. માણેકચંદ હજુ તો સંસ્કારધામમાં પ્રવેશે છે ત્યાં જ અણધારી કોઈ વેદના આવીને ધર્મપ્રિય શાહને ઉઠાવી જાય છે. બાલ્યાવસ્થામાં પિતાનું શિરછત્ર ગુમાવતાં માણેકના દિલમાં Page #635 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 619 કારમો આઘાત લાગ્યો. પતિની વસમી વિદાયે જિનપ્રિયાનું હૃદય ખંડ–ખંડ બની ગયું. કર્તવ્યનો નાદ જ્યારે સાદ આપતો હોય ત્યારે તો વિપરીત પરિસ્થિતિ અને કરુણતાભર્યા સંયોગો વચ્ચે પણ માનવીએ હિંમતભેર ઊભા થઈ જવું પડે છે. અને આવા જ કર્તવ્યની પગદંડીએ આગળ વધવા જિનપ્રિયા પણ શોકની વાદળીઓને દૂર હડસેલીને માણેકના જીવનબાગને સજાવવા-સંવારવા તત્પર બની. માતાનું વાત્સલ્ય અને પિતાનું કર્તવ્ય–બંને કામો એકસાથે અને એક જ વ્યક્તિને કરવાનાં હતાં. જિનપ્રિયાએ આ જવાબદારી ખૂબ જ સરળતાથી ઉપાડી લીધી. જે બાલકને પ્રેમ અને કર્તવ્યનું જ્ઞાન એક સાથે ને એક સ્થાને લાધે છે તે બાલક ભવિષ્યમાં એક હોનહાર, અડીખમ અને જવાંમર્દ બની જાય છે. - વ્યાવહારિક જ્ઞાન સાથે ધાર્મિક વિજ્ઞાન ભળી જતાં એક ચમત્કારનું સર્જન થઈ જાય છે. માણેકચંદ પાસે તીવ્ર પ્રતિભા છે. તીક્ષ્ણ બુદ્ધિ છે. જ્ઞાનદાતા પ્રત્યે અપૂર્વ વિનય છે. જ્યાં આ ત્રિવેણી સંગમ હોય ત્યાં એક જ્ઞાનતીર્થ ઊભું થઈ જાય છે. ઉપાધ્યાયે માણેકને ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું, માતાએ સંસ્કારસિંચન કર્યું અને ગુરુવરોએ તત્ત્વજ્ઞાનનું અમૃતપાન કરાવ્યું, અને આ ત્રિભેટે માણેક સાચા ને સારા માનવીના સમસ્ત ગુણો મેળવી શક્યો. દેહની ડાળીએ યૌવનનાં વસંતગીત ગવાઈ રહ્યાં છે. રૂપ અને સૌન્દર્યનો સૂર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. અને ઊગતા નવયુવાન માણેકચંદના લગ્ન ધારાનગરીના કરોડપતિ પ્રખ્યાત શેઠ ભીમરાજની કુલદીપિકા આનંદરતિની સાથે થઈ ગયાં. માણેક અને આનંદરતિ બને એક બીજાના પૂરક બન્યાં છે. બંનેનાં દિલ એક છે અને ધર્મ-કર્મ પણ એક જ છે. ઓસવાળ વંશ અને તપાગચ્છની શાખાનાં આ રત્ન પૂજ્ય આચાર્યપ્રવરથી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનાં પરમ અનુયાયી છે. નવપરિણીત માણેકચંદ આનંદરતિ સાથે પ્રભુપૂજા કરે છે. પરમ વંદનીયા માતા જિનપ્રિયાનાં ચરણોની સેવા ને આજ્ઞાનો સ્વીકાર કરે છે. જિનપ્રિયાનું હૃદય હર્ષોલ્લાસથી ભરાઈ જાય છે. આવા લાખોમાં એક પુત્રને અને કરોડોમાં એક પુત્રવધૂને મેળવીને.. પરિચય .....! જગતની એક વિશિષ્ટ શક્તિ છે. સર્જન સાથે વિસર્જનનું કારણ પણ પરિચય છે. તેથી જ નીતિકારોએ અને શાસ્ત્રકારોએ આભે ચઢીને ગાયું છે, 'પરિચય કરવો જ હોય તો સજ્જનોનો કરજો કેમ કે તે સોનાનો ઘડો છે. પ્રાયઃ કરીને ફૂટશે જ નહિ. ફૂટી પણ જશે તો ઓછા પ્રયત્નોએ સંધાઈ જશે. દુર્જનોનો પરિચય કરશો જ નહિ; કેમ કે તે માટીનો ઘડો છે. ફૂટતાં વાર નહીં અને ફૂટયા પછી સંધાવાનું નામ નહિ.' - માણેકચંદના જીવનમાં પણ અગનઝાળ જેવો આવો જ એક દુર્જનનો પરિચય વિનાશ વેરી જાય છે. શ્રદ્ધાના ઝળહળતા દીપને બુઝાવી દે છે. આસ્તિક્યની અસ્મિતાને વિખેરી નાખે છે. પોતાના જ ગૃહમંદિરમાં પરમાત્મા-પૂજનની મસ્તી માણેકના જીવન–ઓરડે મિથ્યાત્વનો ગહન અંધકાર વ્યાપી જાય છે. ઉજ્જૈનના આંગણે એવા સાધુઓ–તિઓ ઊતરી પડ્યા છે કે જેઓ પરમાત્માનું નામ Page #636 -------------------------------------------------------------------------- ________________ 620 તપાગચ્છાધિષ્ઠાયક લેવા છતાં પરમાત્માની પ્રતિમા–પૂજનનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. પોતાના જીવન-વ્યવહારનાં અને આત્મકલ્યાણનાં દરેક અંગોમાં જડની શક્તિનો સ્વીકાર કરનારા પણ ચૈતન્યની વિરાટ શક્તિઓના પ્રાદુર્ભાવમાં અનન્ય આલંબનભૂત તીર્થંકર પરમાત્માની મૂર્તિઓનાં ચરણોની સેવા-પૂજામાં પાપ માને છે. દિવ્ય પ્રતિભા, પ્રચંડ સામર્થ્ય અને પ્રગલ્મ બુદ્ધિની સાથે સત્ય-સ્વીકારની જો તૈયારી ન હોય તો આંતરિક અને આધ્યાત્મિક ક્ષેત્રે એક મોટી હોનારત સર્જાઈ જતી હોય છે. ઉજ્જૈનમાં આવેલા મૂર્તિપૂજાના વિરોધી સાધુઓની લાક્ષણિક વ્યાખ્યાનશક્તિએ અનેકોને આકર્ષ્યા છે. જ્યાં શબ્દોનો વૈભવ અને વકતૃત્વની કળા ત્યાં માણસ તો કીડિયારાની જેમ ઊભરાઈ જાય છે. ધાર્મિક માનસ ધરાવતો માણેક પણ આ પ્રવચનસભાનો એક નિયમિત સભ્ય બન્યો. ચેતન જડનો આશક બની શકે? જડ શું ચૈતન્યને ઉપકારક બની શકે? ધ્યાન સાકારનું નહિ નિરાકારનું કરવાનું છે. આવા મદ્દાઓને લઈ ચાલતાં વ્યાખ્યાનોએ અનેક શ્રોતાઓના મનમાં શંકાઓની સળગતી સમસ્યાઓ ખડી કરી દીધી; શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણની ખળખળ નાદે વહેતી સરિતાને સૂકવી દીધી. પરમાત્મભક્તિના અનન્ય ઉપાસક માણેકચંદના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને તેણે સાધુઓ સામે નિર્ણય કર્યો કે ગૃહમંદિરેદર્શન-પૂજન ન કરવાં. માણેક એ વાત ભૂલી ગયો કે વાસનાના જડ આલંબન જો માનવીય વિચારોને અધોગામી બનાવી શકે છે તો ઉપાસનાના પણ જડ આલંબન માનવના વિચારોને ઊર્ધ્વગામી કેમ ન બનાવી શકે ? આભસ્પર્શી ઈમારતના જે ભવ્ય ખંડમાં પ્રક્ષાલની પવિત્રતા હતી, ચંદનની શીતળતા ને પુષ્પની સુવાસ વરસતી હતી, સ્તુતિ, સ્તવનના લલકાર ને આરતી–ઘંટારવના રણકાર હતા, પ્રાર્થના-અભ્યર્થના જ્યાં આંતરસ્વર ગુંજતા હતા એ ભવ્ય ગૃહમંદિરમાં જાણે આજે શૂન્યવકાશનું મહાસામ્રાજ્ય છવાઈ ગયું. જગતના બાહ્ય સ્વરૂપમાં માતાનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, કેમ કે માતા જેટલું વિશાળ હૃદય આ દુનિયામાં બીજે ક્યાંય દેખા દેતું નથી. પરમાત્મભક્તિમાં આવેલ પરિવર્તન અને તેના કારણભૂત માણેકના વિચારપરિવર્તનને લીધે માતા જિનપ્રિયાને ભારે આઘાત લાગ્યો. મારી કૂખનું આ લાખેણું મોતી પ્રભુપૂજાથી વંચિત રહે! જે ગૃહમાં પ્રભુપૂજા નહિ, ગુરુભક્તિ નહિ, સાધર્મિક વાત્સલ્ય નહિ એને ગૃહ પણ શી રીતે કહેવાય? એ તો સદા જાગતું સ્મશાન જ છે! આથી જિનપ્રિયાએ મનોમન એક ભારે પ્રતિજ્ઞા સ્વીકારી લીધી. * - ઇન્દ્રની પ્રિય દિશાને મંડન કરતું સૂર્યનારાયણનું પ્રથમ કિરણ ધરતીને ભેટી પડ્યું. પંખીઓનો કલરવ પ્રારંભાઈ ગયો. ચારે દિશામાં જંગલની વાટે ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં દોડી રહ્યાં છે. આવા સોહામણા સમયે માતા જિનપ્રિયા ને પુત્રવધૂ આનંદરતિ ભાવપૂર્ણ સ્વરે પ્રભુને પ્રાર્થી રહ્યાં છે, દિલની વેદના ઠાલવી રહ્યાં છે, અંતરની આરઝૂ વ્યક્ત કરી રહ્યાં છે, હૃદયના ભાવ પાઠવી રહ્યા છે : Page #637 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 621 પ્રભો! મારા પુત્રને આજે સન્મતિ–સન્માર્ગ દર્શાવજે. જિનેશ....! મારા કુલદીપકને પુનઃ પ્રભુભક્તિનો રાહ દેખાડજે...! મધ્યાહ્નનો સમય થઈ ગયો છે. દરિદ્ર અને ભિક્ષુઓને અનુકંપાદાન અપાઈ ગયું છે. સાધુ-સાધ્વીજી મહારાજના સુપાત્ર દાનનો પાવન લાભ પણ મળી ગયો છે. અને માતા જિનપ્રિયા એકાસણું કરવા માટે ભોજનખંડમાં આવી ગયાં છે. આર્યસંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારના અમૃતપાને ઊછરેલ આનંદરતિ હૈયાના ભક્તિભાવથી માતા સમાન સાસુને જમાડવા માટે ઉત્સાહિત છે. કેસરવર્ણા કઢાયા દૂધના કટોરા ભરાયા છે. લીલાં શાક પીરસાયાં છે. અને જ્યારે સ્વહસ્તે બનાવેલ ગરમાગરમ રોટલી શુદ્ધ ઘીથી ચોપડવા આનંદરતિ તૈયાર થાય છેત્યારે જિનપ્રિયા આંખોમાં અશ્રુ સાથે બોલી ઊઠે છે : " બેટા ! આજ મારા ભાણામાં રોટલી લૂખી જ મૂકવાની છે. ઘીનો મારે સદંતર ત્યાગ છે. " " બા! આજે કોઈ પર્વ દિવસ નથી કે કલ્યાણક દિવસ નથી. શાને કાજે આપને ઘીનો ત્યાગ.? અને બા.....! આપની આંખે આ બોર જેવડાં આંસુ કાં? મારી કોઈ ભૂલ.... આપના પુત્રની કોઈ ભૂલ ! બા, કહો, જલદી કહો આપનાં આંસુ મારાથી જોવાતાં નથી." "બેટા રતિ! તું તો મારા કાળજા ની કોર છે. તારા જેવું સ્ત્રીરત્ન તો કોઈ ભાગ્યશાળીને જ લાધે. તું તો સર્વથા નિર્દોષ છે. તે આજ સુધી ક્યારેય મારું વચન ઉથાપ્યું નથી, તો સામે બોલવાનો, પ્રતિકારનો કે અપમાનનો તો પ્રશ્ન જ ક્યાં?" " તો, બા? આપના પુત્રે કોઈ ભૂલ કરી છે? કહો, કહો બા ! " "હા, રતિ ! મારા બાલે ભૂલ કરી છે, ગંભીર ભૂલ કરી છે, સહન ન થાય તેવી ભૂલ કરી છે, અને તેની અન ભૂલ ફૂલની જેમ મને ડંખ મારી રહી છે. હજાર હજાર મધમાખી એકસાથે ધસી આવે અને મારા પર તૂટી પડે છતાં જેવી વેદના ન થાય એથી ય વધુ વેદના મારા પુત્રનીકુલદીપકની ભૂલથી થઈ રહી છે." જિનપ્રિયાના એક એક શબ્દ આનંદરતિનો આશ્ચર્યભાવ વધતો જતો હતો. મારા નાથ પરમ માતૃભક્ત છે. માના એક જ શબ્દ બધું જ કરી છૂટવા તૈયાર થનાર એમણે ભૂલ. ગંભીર ભૂલ... અને તે પણ સહન ન થાય એવી કઈ ભૂલ કરી હશે! બા. પણ ક્યારેય અસત્ય બોલે તેવાં નથી. જરૂર, આજ કંઈક ગડબડ દેખાય છે. શું હશે? વિચારોની તંદ્રામાં આનંદરતિ શૂન્યમનસ્ક બની જવા લાગી. " બેટા....! તું બીજો કોઈ વિચાર ન કરીશ. સાંભળી લે, મારા પુત્રની ગંભીર ભૂલ કે જે એણે ધર્મપરિવર્તન કર્યું છે. પરમાત્મભક્તિનો પૂજારી આજે ભક્તિનો દુશ્મન બન્યો છે. ત્રિકાળ પૂજા કરનારો એ ભક્ત ભગવાનનાં દર્શન કરવા પણ તૈયાર નથી. રતિ ! અન્ય ભૂલોથી તો આ જનમ જ બગડવાનો. પરંતુ જિનપૂજાનો ત્યાગ કરવાથી તો એના જનમ જનમનું ભ્રમણ વધી જવાનું–અને એથી જ મારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી ઉન્માર્ગે ગયેલો મારો પુત્ર પુનઃ સન્માર્ગે ન Page #638 -------------------------------------------------------------------------- ________________ 622 તપાગચ્છાધિષ્ઠાયક આવે ત્યાં સુધી મારે મન ઘીનો સર્વથા ત્યાગ છે." " ઓહ, બા..! તમે કેટલાં મહાન છો ! પુત્રના આત્મકલ્યાણની કેવી ઊંચી ઊર્મિઓ આપના અંતરમાં નાચી રહી છે! બા, હું ઇચ્છું કે આપનાં અરમાનો જલદી પૂર્ણ થાય! આપની પ્રતિજ્ઞાના સ્વર તેમના રોમરોમને ધણધણાવી મૂકશે. અને હા.... હું પણ આજે જ ઘીના ત્યાગની પ્રતિજ્ઞા લઉં છું." " ના આનંદરતિ ના! તારે એવી કઠોર પ્રતિજ્ઞા લેવાની ન હોય." " બા, આપ ચિંતા ન કરો. આપ મારા પ્રેરણાપથ છો, મારો નિર્ણય દઢ છે." ૨. ધર્મપત્ની તો આનંદરતિ ! અર્તગત દિવાનાથની વિદાય અને સંધ્યારાણીના સપ્તરંગી આગમને ધરતી મરક મરક હસી રહી હતી, પણ આ હાસ્ય ક્ષણિક હતું. ટમટમતા તારલાની આકાશી ચાદર ઓઢીને રજનીદેવીનું પદાર્પણ થઈ ગયું હતું અને આવા સમયે શયનખંડનમાં એક જાજરમાન વ્યક્તિ પ્રવેશ કરે છે અને સામેથી શાંત આવકાર મળે છે બીજી વ્યક્તિનો. " આજે આખું વાતાવરણ કાં શુષ્ક દેખાઈ રહ્યું છે? ક્યાં હાસ્ય નહીં, સ્મિત નહીં, પ્રસન્નતા નહીં, અંતરનો આદર નહીં અને ઉમળકાભર્યો આવકાર નહીં. સદા હસતી આ દીવાલો જાણે ગમગીન બની ગઈ છે. સુવાસ ને સૌંદર્યથી ભીના બાગમાં ફૂલો પણ જાણે આજે અબોલા લઈ રહ્યાં છે!" " આનંદ....! આજે તારા ચહેરા પર આ ઉદાસીનતા કેમ? તારી આંખોના પેલા ખૂણે “આંસુ શાને દેખાઈ રહ્યાં છે? રતિ...! કેમ આજે આટલી વેદના ...? શું અણચિંતવ્યો કોઈ ધડાકો થઈ ગયો છે? કોઈ ગંભીર સ્થિતિ–પરિસ્થિતિનું નિર્માણ થયું છે? કહે, જલદી કહે, તારી આ પીડા મારાથી જોઈ શકાતી નથી." " નાથ! શું કહું આપને.... ઓહ... બા..." " આનંદ તું રડે છે? તારા રુદનનું કોઈ કારણ? શું તારા દિલની વ્યથા-કથા મને નહીં સંભળાવે...? આટલાં વર્ષોમાં કયારેક તારા મુખડા ઉપર વિકૃતિ પણ નથી દેખાઈ તો આજે આટલું આજંદ! તું નહીં જ બોલે રતિ ! શાંત થા, અને તારા મનની વાત જણાવ." અંતરનું દુઃખ જ્યારે આંસુ વાટે બહાર નીકળી જાય છે ત્યારે માનવમન કાંઈક હળવું ફૂલ જેવું બની જાય છે. આનંદરતિ પણ સ્વસ્થ બની બેઠી અને પતિ સામે નજર મેળવીને કહ્યું: " આર્યપુત્ર ! જેના દિલમાં માતા તીર્થરૂપે બિરાજમાન હોય તે ક્યારેય માના દિલને દૂભવે ખરા?" " આનંદ ...! શું બોલી રહી છે તું? મારી મા મહાન છે. એની રગેરગમાં અથાગ પુત્રવાત્સલ્ય ભર્યું પડ્યું છે. હું તો સદાય માના આશીર્વાદને ઝખું છું, અભિશાપ કે આહને નહીં. Page #639 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 623 મન, વચન ને કાયા ત્રણે માનાં ચરણોમાં પૂર્ણ રૂપે સમર્પિત છે ત્યારે હું શી રીતે માતાના કોમળ અંતઃકરણને વ્યથિત કરી શકું?" " સ્વામી ! માણસના જીવનમાં ક્યારેક એવી પ્રવૃત્તિ થઈ જતી હોય છે જેના કારણે પોતાની કલ્પનામાં પણ ન હોય તે રીતે એ પ્રવૃત્તિ બીજાને વેદનાનું કારણ બની જાય છે. આપની આવી જ કો'ક અનુચિત પ્રવૃત્તિએ વાત્સલ્યભીની જનનીના દિલને આઘાત પહોંચાડ્યો છે, અને તેનું અંતિમ પરિણામ માતા દ્વારા સર્વથા ઘીનો ત્યાગ કરવામાં આવ્યો છે." "પ્રભો! આ હું શું સાંભળી રહ્યો છું! સંભળાતું નથી, સમજાતું નથી; કંઈ જ ખ્યાલ નથી આવતો મને, મારાથી અનુચિત પ્રવૃત્તિ અને તેના કારણે માતાને સર્વથા ઘીનો ત્યાગ કરવો પડ્યો." આનંદરતિના ઉર–બોલ સાંભળીને માણેકચંદ વિચારોના મહા-આવર્તમાં અટવાઈ ગયો. સંજ્ઞા-પ્રજ્ઞાનો ખૂબ ઉપયોગ કર્યો પણ ક્યાંય ભૂલ ન દેખાઈ. " આનંદ ! તારી વાતો સાંભળ્યા પછી મારું માથું ભમી રહ્યું છે. તારે જે કહેવાનું હોય તે જલદી કહી દે.... સ્પષ્ટ કહી દે." " નાથ! આપની માતૃભક્તિનો લાખ લાખ વંદન અને અભિનંદન, પણ મારે હવે સ્પષ્ટ જ કહી દેવું છે સ્વામી! જન્મથી આપણને ઉચ્ચ કોટિના પરમાત્મભક્તિ પાવન સંસ્કાર મળ્યા છે. બા અને બાપા બંને પ્રભુભક્ત તેથી જ ગૃહમંદિરનું નિર્માણ થયું. વર્ષો સુધી આપણે સહુએ તન, મન, ધનથી પ્રભુની પૂજા ને સ્તવના કરી છે. હવે આપ ભગવદ્ ભક્તિથી વિમુખ બન્યા છો. આ સમાચારે દુઃખી થયેલાં બાએ અફર પ્રતિજ્ઞા કરી છે. જ્યાં સુધી મારો પુત્ર સન્માર્ગે પાછો ન આવે ત્યાં સુધી ઘીનો સર્વથા ત્યાગ છે." " આશ્ચર્ય! આ તો ધાર્મિક પ્રશ્ન છે. માતાએ મારી સાથે આ વિષયમાં જરા પણ વાત ન કરી! હું પ્રાતઃકાલ થતાં જ માતાને વંદનાર્થે જઈશ ત્યારે સમાધાન કરી લઈશ. ચાલો. હવે તો શાંતિને." " અને હા...! જ્યાં સુધી બા ઘીનો ઉપયોગ નહિ કરે ત્યાં સુધી મારે પણ ઘીના ત્યાગની પ્રતિજ્ઞા છે." આનંદરતિએ અવસર જોઈને પોતાની પ્રતિજ્ઞાની વાત સ્વામીનાથને કહી સંભળાવી, અને આ વાત સાંભળતાં તો માણેક વધુ ચકિત બની ગયો : " એટલે તમે બંને એક ને? મને જુદા પાડવાનું કાવતરુ તો ગોઠવ્યું નથી ને?" હસતાં માણેકચંદે વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા મધુર વચન વહેતાં મૂક્યાં. "કાવતરાને નાબૂદ કરવું હોય તો પૂજા કરતા થઈ જાઓ ને! જે નિર્ણય થશે તે સવારે બાની સામે થશે." ૩. આલબન અનિવાર્ય છે. સહસ્ત્રકિરણના આગમનની આલબેલ સાથે ઉષાદેવીનું મધુર હાસ્ય પૂર્વાકાશના પ્રાંગણે Page #640 -------------------------------------------------------------------------- ________________ 624 તપાગચ્છાધિષ્ઠાયક પ્રગટયું. મહામંત્ર નવકારના પુણ્ય-સ્મરણ સાથે માણેકચંદ શયનખંડમાંથી બહાર આવ્યો. શૌચાદિ નિત્યકર્મથી નિવૃત્ત થઈને તે પહોંચે છે માતા જિનપ્રિયાના ખંડમાં ઉન્નત મસ્તકે ચાલતા માણેકનું શિર આજે નીચે ઝૂકેલું છે. પગમાં કંપન છે. હૃદયમાં ધડકન છે. અંતરમાં કંઈક ભય અને ગભરાટ છે. માતાનાં ચરણોમાં વંદન કરતાં આજે તેની વાચા નિ:શબ્દ બની ગઈ છે. વાત્સલ્યભરી માતાના ચરણારવિંદમાંથી માણેકચંદનું માથું ઊંચું થતું નથી–જાણે સવા મણનો ભાર પથરાઈ ગયો છે. માણેક પાસે શબ્દ નથી, માત્ર ભાવ છે. માતા પાસે સ્વર નથી; માત્ર સભાવ છે. બંને બાજુથી મૌનનું એક અપ્રતિમ વાતાવરણ સર્જાઈ ગયું હતું અને આ વાતાવરણને તોડવા અંતે જિનપ્રિયાએ જ્યારે માણેકચંદના મસ્તકને બે હાથે ઊંચું કર્યું ત્યારે તે પોતે સ્તબ્ધ બની ગઈ. અનવરત વહી જતાં અશ્રુઓથી માણેકનું આખું મોટું રિક્ત બની ગયું હતું. જગતની કંઈ મા પોતાના વહાલસોયા સંતાનની આંખોમાં આંસુ જોઈ શકે? પુત્ર ગમે તેટલો મોટો થઈ જાય પણ માતાને મન તો એ એક નાનકડો બાલક જ હોય છે. જિનપ્રિયાએ માણેકના માથે હાથ ફેરવતાં કહ્યું : " બેટા માણેક, તારા જેવાની આંખે આંસુ શોભે? ઊઠ ઊભો થા. તારી વેદનાનું કારણ હું સમજું છું, પછી શાંતિથી વિચારીશું." મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો છે. માણેકચંદ પણ આજે માતાની સાથે જ જમવા માટે આવી ગયો છે. વચ્ચે જિનપ્રિયાને માણેકે કહ્યું : " બા, હું તારી મનોવ્યથા સમજી શકું છું પરંતુ મને સાધુઓના પરિચયથી જણાયું છે કે મોક્ષમાર્ગની સાધનામાં, સિદ્ધપદની પ્રાપ્તિમાં મૂર્તિપૂજા અનિવાર્ય નથી. મૂર્તિપૂજાનો ઉલ્લેખ કેટલાંક શાસ્ત્રોમાં પણ નથી. છતાં મારો કોઈ દુરાગ્રહ નથી. જ્ઞાની શ્રમણોના સત્સંગે જો મારી માન્યતા સત્યવિહીન લાગશે તો એ જ ક્ષણે એનો ત્યાગ કરીશ." " બેટા! શાસ્ત્રો મેં વાંચ્યાં નથી કે વાંચવાનું સામર્થ્ય પણ નથી; છતાં અનુભવસિદ્ધ છે કે માણસના વિચાર અને આચારની શુદ્ધિ માટે મૂર્તિપૂજા અનિવાર્ય છે. આગમ પણ શબ્દની મૂર્તિ છે અને એ દષ્ટિએ તો આગમને પણ તિલાંજલી આપવી પડે. જિનબિંબ અને જિનાગમ તો વિષમકાળનાં સર્વશ્રેષ્ઠ આલંબન છે. જિનાગમ જ્ઞાનીગમ્ય છે જ્યારે જિનબિંબનો પ્રભાવ તો સર્વસાધારણ ગમ્ય છે. જિનાગમનુજ્ઞાન તો વડેરા લઈ શકે; પરંતુ પ્રભુદર્શન તો નાનકડું બાલક પણ કરી શકે. આટલી બધી સીધી, સાદી અને સ્પષ્ટ વાતને પણ તું કેમ વીસરી જાય છે? છતાં મારો નિર્ણય અફર છે, ઘીનો સર્વથા ત્યાગ. મારી કૂખનું રતન પ્રભુપૂજા ન કરે એ હું જોઈ પણ ન શકું." વહાલસોયી માતાની સામે એક હરફ પણ ઉચ્ચારવાની હિંમત માણેકચંદમાં ન હતી, અને તેથી તે પણ આજે ઘી–રહિત ભોજન લઈને પેઢીએ ચાલ્યો ગયો. માતાને મન પુત્રના પરિવર્તનથી જબ્બર દુઃખ હતું તેમ આવો મર્યાદાશીલ પુત્ર મળ્યાનું ગૌરવ પણ હતું. Page #641 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 625 ૪. પશ્ચાત્તાપનો પાવક ધન્ય ધરા ઉજ્જૈનના આંગણે આજે ધર્મધુરંધર સૂરિપુરંદરનું પાવન પદાર્પણ થયું છે, અને આ શુભ સમાચારે આખું ઉર્જન હર્ષના મહાસાગરમાં ડૂબી ગયું છે. એમાંય જૈન જગતના આબાલ-ગોપાલ સહુના દિલમાં તો આનંદની કોઈ સીમા જ નથી. સાધુનામ્ સર્શન પુષ, તીર્થ भूता हि साधवः। જૈન જગતમાં ત્યારે સૂરિસમ્રાટ આચાર્યપ્રવર શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજનું આગવું સ્થાન હતું. શાસનની સળગતી સમસ્યાઓની વિચારણામાં પૂજ્યશ્રીનું સમાધાન સર્વમાન્ય થતું.આચાર અને વિચારની સાથે પ્રચારના કારણે તેમનાં નામ-કામ, માન અને સન્માન ચોતરફ ફેલાઈ ગયાં હતાં. આવા સૂરિવર પોતાના ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીજી મહારાજ અને ૧૭ શિષ્યો સાથે ઉજ્જૈનના ઉધાનમાં પધાર્યા હતા. માણેકશાહને સમાચાર મલ્યા છે, આચાર્યભગવંતના શુભાગમનના. " ગુરુ કીજે જાનકર, પાની પીજે છાનકર." આજે રાત્રે સૂરીશ્વરના નપત્યાગ, તિતિક્ષા, ચારિત્રપાલન, પરિષહસહન આદિની કસોટી કરવાનો તેણે મનોમન નિર્ધાર કર્યો અને થયું કે ઉત્કૃષ્ટ દેખાતું બાહ્ય વ્યકિતત્વ ક્યારેક અંદરથી નિકૃષ્ટ પણ હોઈ શકે છે. રીત્રની કાળી ચાદર આખી ધરતી પર છવાઈ ગઈ છે, વાતાવરણમાં નીરવ સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે; જગતનાં પ્રાણી,પંખી ને માનવ સહુ પ્રકૃતિની ગોદમાં આરામની નીંદ માણી રહ્યા છે ત્યારે માણેકશાહ પોતાના ૪-૫ મિત્રો સાથે ઉદ્યાન ભણી આગેકદમ માંડી રહ્યા છે. માણેકના હાથમાં જલતી મશાલ છે. ઉદ્યાનની મધ્યમાં નિર્દોષ ભૂમિ પર દષ્ટિ પડતાં જ માણેકચંદ ચકિત બની જાય છે. ઓહ, કેટલું અદ્ભુત દૃશ્ય ! જિંદગીમાં ક્યાંય આવું દશ્ય નીરખવા પણ ન મળે. બધા મુનિવરો જાગૃત છે. આચાર્યભગવંત પણ સાધનામાં સ્થિર છે. ત્રણ મુનિઓ કાયોત્સર્ગ ધ્યાનમાં છે. ત્રણ મુનિઓ વૃદ્ધ–ગ્લાનની સેવામાં તત્પર છે. ચાર મુનિઓ અન્યોન્યચિંતનની ચાંદનીમાં ચમકી રહ્યા છે, પાંચ મુનિઓ અરસપરસ પુનરાવર્તન કરી રહ્યા છે અને એક બાલમુનિ આચાર્યભગવંતની પડખે વિશ્રામ લે છે. ઓહ! આવા સંયમના શણગાર સજેલા અણગારોની મારે પરીક્ષા લેવાની? હા, પરીક્ષા તો કંચનની જ હોય, કથીરની નહિ, જો આ મુનિઓ કંચનની જેમ ચમકદમક ધરાવશે તો પુનઃ તેમનાં ચરણોમાં સમર્પિત થતાં હું પલની ય રાહ નહિ જોઉં. આમ વિચારી માણેકશાહ મશાલ સાથે ધ્યાનસ્થ મુનિની પાસે જાય છે અને મશાલ તેમના મુખ નજીક રાખે છે. ધ્યાનની પ્રચંડ અગ્નિ સામે આ દુન્યવી શી તાકાત? માણેકશાહ એક કદમ આગળ વધે છે અને ધ્યાનસ્થ મુનિવરોની દાઢીની પાસે મશાલને ધરી દે છે. ભડભડ લપટો ઊઠે છે અને દાઢી Page #642 -------------------------------------------------------------------------- ________________ 626 તપાગચ્છાધિષ્ઠાયક બળીને ખાખ થઈ જાય છે. છતાં મુનિવરો પોતાના ધ્યાનથી ચલિત થવા તૈયાર નથી. મુખ પર એનુ એ ઓજ ને તેજ... એનો એ પ્રભાવ ને સ્વભાવ.. સમતારસભીના આ મહામુનિઓની અજબ સહિષ્ણુતા જોઈને માણેકશાહ વિસ્ફારિત નયને ચકિત બની જાય છે. આવો ત્યાગ ! આવો વૈરાગ્ય ! આવી સહિષ્ણુતા ને ગંભીરતા ! ધિક્કાર થાઓ મને, શ્રાવકકુલમાં ઉત્પન્ન થઈને આવું નીચમાં નીચ વ્યક્તિ પણ ન કરે તેવું ભયંકર દુષ્કૃત્ય મેં કર્યું.....! માણેકશાહનું માથું ભમી જવા લાગ્યું અને મનોમન મહામુનિઓને વાંદીને મિત્રો સાથે ઝડપભેર શહેર ભણી દોડી ગયો. એના મિત્રો પણ આજે દુઃખી હતા. એમને કલ્પના પણ નહીં કે માણેક આવા મુનિઓને આ રીતે પરેશાન કરશે! રાત્રિના બારના ટકોરા પડી ગયા છે. દુનિયા આખી સૂઈ ગઈ છે, પરંતુ આવતો મંદમંદ પવન પણ આજે માણેકશાહને અગનઝાળ જેવો સતાવી રહ્યો છે. તેની બંધ નજરની સામે મહામુનિઓને આપેલ કષ્ટનું દશ્ય ઊભું થાય છે અને તે કમકમી ઊઠે છે. કેવું નિર્લજ્જ કાર્ય મેં કર્યું! મુનિઓને શાતા આપવાનું સુકૃત જ્યાં કરવાનું હોય ત્યાં મેં અશાતા આપીને કેટલું દારુણ દુષ્કૃત સ્વજીવનમાં કરી નાખ્યું છે ! | દિલમાં ઊઠેલો દાવાનળ વરાળનું રૂપ ધારણ કરી જાય છે. પશ્ચાત્તાપનાં આંસુથી માણેકચંદ અનન્ય સ્થિતિમાં પહોંચે છે અને મનોમન નિર્ણય કરે છે. આવતી કાલે પૂજ્ય આચાર્ય ભગવંત, મુનિગણ અને ચતુર્વિધ સંઘને મારા ઘરે આમંત્રિત કરવા, પૂજ્યપાદ આચાર્યવર્યની ક્ષમા માગવી અને સકળ સંઘની વચ્ચે મારા પાપનું જાહેરમાં પ્રાયશ્ચિત્ત કરવું. સંકલ્પ અને સિદ્ધિ બે સામસામા કિનારા છે, પરંતુ વચ્ચે જો સાધના અને પુરુષાર્થનો પુલ બની જાય તો સંકલ્પ સિદ્ધિને વર્યા વિના રહેતો નથી. શુભ સંકલ્પ પુણ્યથી જાગે છે અને તેની સિદ્ધિ પુરુષાર્થથી જ થતી હોય છે. રાત વીતી ગઈ છે અને સોનેરી પ્રભાત પ્રગટી ગયું છે તે સાથે જ માણેકશાહ આજે વહેલા નિત્યકર્મથી નિવૃત્ત થઈ ગયા છે. આજે એમનામાં કોઈ અગમ્ય ઉત્સાહનાં દર્શન થઈ રહ્યા છે. સહુ કોઈ એમના ચહેરા-મહોરાને જોઈ સહજ આશ્ચર્ય અને આનંદને અનુભવી રહ્યા છે. "પ્રાણનાથ ! આજે કેમ આટલા વહેલા! ક્યાં જવાનું છે? રાતના ખૂબ મોડેથી આવ્યા તે શું કોઈ વિશિષ્ટ કાર્ય આવી ગયું છે? ઉત્સાહ જોતાં લાગે છે કે વ્યાપારમાં વિશિષ્ટ લાભનો કોઈ પ્રસંગ આવ્યો છે." "દેવી! આજે તારા, મારા ને બાના આનંદનો દિવસ છે. પૂજ્ય આચાર્યભગવંતશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજને સસ્વાગત અહીં પદાર્પણ કરાવવાનો નિર્ણય કર્યો છે. પજ્યશ્રીનું વ્યાખ્યાન પણ આજે અહીં જ થશે. મારી શંકાઓનું સમાધાન પણ જાહેરમાં જ થશે." પ્રતિમાવિરોધી વ્યક્તિ દ્વારા પ્રતિમાપૂજક આચાર્યશ્રીના સ્વગૃહે શુભાગમનના આ સમાચારે આનંદરતિનો આનંદ નિરવધિ બની ગયો હતો, સતત જિનપ્રિયા પણ અતિ ઉલ્લાસિત Page #643 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 627 બની હતી અને ઉજ્જૈની ધર્મપ્રિય જનતા પણ આનંદ-આશ્ચર્યચકિત બની હતી. હજારો નરનારી સાથે માણેકશાહ માતા જિનપ્રિયા ને ધર્મપત્ની આનંદરતિ સાથે વાજતે-ગાજતે ઉદ્યાનમાં આવી ગયા છે. એક બાજુ તાજાં પુષ્પોની પરિમલ ને બીજી બાજુ મહાન શ્રમણના સંયમની સુવાસે ચોતરફનું આંતર-બાહ્ય વાતાવરણ સુવાસિત હતું. માણેકશાહની આગ્રહભરી અભ્યર્થના મહામના આચાર્યપ્રવરશ્રીએ સ્વીકારી લીધી. અને આચાર્યશ્રીના નેતૃત્વમાં સકળ સંઘ માણેકશાહની હવેલીમાં પધાર્યો. હૉલ.આજે વ્યાખ્યાનસભા રૂપે પરિવર્તિત બની ગયો. માણેકશાહે પૂજ્યશ્રીનાં સ્વાગત-સન્માન અપૂર્વ કોટિનાં કર્યાં. મંગલકારી મંગલાચરણ સાથે સરસ્વતીના સાક્ષાત્ સ્વરૂપ જેવા આચાર્યશ્રીની ધીરગંભીર શાસ્ત્રસમ્મત દેશના પ્રારંભાઈ. સૂરિપુરંદરના ઉદ્ગાર હતા કે જીવનમાં પાપ થવાની સંભાવનાઓ તો ઊઠતી જ હોય છે અને કયારેક પાપના ગંજાવર ઢગ પણ ખડકાઈ જતા હોય છે. પરંતુ અજ્ઞાનવશ થઈ ગયેલાં એ પાપનું જો ગુરુ સામે પશ્ચાત્તાપનાં અશ્રુ સાથે પ્રાયશ્ચિત કરવામાં આવે તો ગમે તેવાં ખતરનાક પાતકોનો પણ સફાયો થયા વિના રહી શકતો નથી. પાપીઓના પાપને પખાળનાર આ જિનશાસન છે. ચોર, હત્યારા, ભ્રષ્ટાચારી કે વ્યભિચારી નરાધમોનું પણ આ શાસન તારક બન્યું છે. ગંગાધારાની જેમ અખ્ખલિત વહી જતી આ ઉપદેશધારાના એક એક શબ્દ માણેકશાહનું આત્મનિરીક્ષણ ગંભીર બનતું જતું હતું. નાસ્તિકને પણ લજાવે તેવાં આસ્તિકે કરેલાં પાપો જાણે નજર સમક્ષ ભૂતાવળની જેમ ધસી આવતાં હતાં. પાતકોની આ સ્મૃતિએ માણેકચંદના રોમેરોમમાં કંપારી છૂટી ગઈ હતી. અંતરનો અવાજ ઊઠ્યો જાહેરમાં કરેલા પાપોનું પ્રક્ષાલન-પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત પણ જાહેરમાં જ થશે. અને માણેકશાહ હજારોની મેદની વચ્ચે ઊભા થઈ જાય છે. વિનમ્ર વદને આચાર્યશ્રીને કહે છે: " પૂ. આચાર્ય ભગવંત! એક ભયંકર દુષ્કૃત મેં કર્યું છે. આપના જેવા સંયમ શ્રેષ્ઠ ક્ષમાશ્રમણોને પણ મેં અધમ પરિતાપ આપ્યો છે. ગઈ રાત્રે મુનિપરીક્ષાના નામે મેં મશાલથી ધ્યાનસ્થ મુનિઓને ક્લેશ પમાડ્યો છે. પ્રભો ! મૂર્ખતાવશ થઈ ગયેલું આ દુષ્કૃત્ય મને હજાર હજાર વીંછીના ડંખની જેવી વેદના આપી રહ્યું છે. હું જાહેરમાં મારા પાપની માફી માગું છું. મારા શરમજનક દુષ્કતની નિંદા કરું છું. મને પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કરો." . " માણેકશાહ! તમે પુણ્યશાળી છો....." " પ્રભુ! હું પુણ્યશાળી....! ના... ના. પાપીઓમાં શિરદાર છું. મારાં એ પાપો યાદ આવતાં જ મારું હૃદય રડી રહ્યું છે." " ભાઈ.પાપી પાપને કરે છે અને પુણ્યશાળી જ તે પાપનું પ્રાયશ્ચિત કરે છે. પાપની શુદ્ધિ માટે પશ્ચાત્તાપનો પાવક પ્રગટાવવો પડે છે અને પાવકમાં જ્યારે પાપ રાખ બની જાય છે ત્યારે પ્રાયશ્ચિત્ત તેની શુદ્ધિ કરે છે. તમે પણ પશ્ચાત્તાપનો સ્વીકાર કરી રહ્યા છો તેથી તમે ચરમ અને પરમ પદની નિકટ શીધ્રાતિશીધ્ર પહોંચી શકશો." પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંતે માણેકશાહને પ્રાયશ્ચિત્ત પ્રદાન કર્યું અને તેમણે પણ Page #644 -------------------------------------------------------------------------- ________________ 628 તપાગચ્છાધિષ્ઠાયક સહર્ષ સ્વીકાર કર્યો. ચતુર્વિધ સંઘ, માતા જિનપ્રિયા અને પત્ની આનંદરતિ પણ પશ્ચાત્તાપના આ ધગધગતા પાવકને અભિનંદી રહ્યાં... સભામાં શાંતિ છે ત્યારે માણેકશાહ વિનંતી કરે છે : " ભગવંત! મૂર્તિપૂજા વિષયક મારી શંકાઓનું સમાધાન હું ઇચ્છું છું. આપ આજનો દિવસ અત્રે જ સ્થિરતા કરો. અહીં અલાયદું સ્થાન છે, આરાધનામાંવિક્ષેપ ન પડે તેવી શાંતિ છે. કૃપા કરી મારી વિનંતી સ્વીકારો."કરુણાસાગર સૂરીશ્વરે પણ માણેકશાહની હાર્દિક વિનંતીનો સ્વીકાર કર્યો અને તે સાથે જિનશાસન દેવ કી જય'નો ગગનસ્પર્શી નાદ ગુંજી ઊઠ્યો. માણેકશાહે ચતુર્વિધ સંઘનું વસ્ત્રાદિથી બહુમાન કર્યું અને પૂજ્યશ્રીના " સર્વમંગલ" સાથે સભાનું વિસર્જન થયું. એ સ્થાન કેટલું મહાન છે કે જ્યાં આવા પૂજ્યોનાં પદાર્પણ હોય! વ્યક્તિ કેટલો મહાન જેને આવા ગુરુવરનો સત્સંગ મળે ! તે હૃદય કેટલું મહાન, આવા ગુરુદેવની માનસ–પ્રતિમા સ્થાપિત થયેલી હોય! ૫. પ્રતિમાપૂજન શાશ્વત છે. " ભગવંત ! મૂર્તિપૂજા શાસ્ત્રસંમત છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે?" " માણેકશાહ ! આગમોના અવલોકનમાં, ઇતિહાસનાં પાનાંઓમાં સ્થળે સ્થળે મૂર્તિપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ભગવતી સૂત્ર જેવા સર્વશ્રેષ્ઠ આગમગ્રંથમાં પણ મૂર્તિના ઉલ્લેખ સાથે પરમાત્માની પૂજાના વિધાનનું સ્પષ્ટ અને વિશદ વર્ણન જોવા મળે છે. રાયપસણ પ્રમુખ ગ્રંથોમાં પણ દ્રૌપદી સૂર્યાભદેવના વર્ણનમાં મૂર્તિપૂજાના માધ્યમને ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે. જ્ઞાતાસૂત્રના મૂલાગમમાં પણ શ્રી શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામેલ થાવસ્ત્રાપુત્રનું વર્ણન આ રીતે છે : तण्णं से थावत्यापुत्ते अणगार सहस्सेणं सद्धि संपरिपुडे नेण्णेव पुंडरसण से पव्वअं सण्णियर दुरुहति तेणे से सुऐ अणुगारे तेणं अणगार सहस्सेण सिठ સપરિવુડે... નેવિ પુરણ પુષ્ય નાવ સિદ્ધ . (જ્ઞાતાસૂત્ર . સં. ૧૦-૧૦૮-૨.૨)" " પ્રભો! વર્તમાન અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ પ્રતિમા નિર્માણ ક્યારે થયું? " માણેકશાહ! પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પુત્રરત્ન ભરત ચક્રવર્તીએ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો, જે શાશ્વતગિરિ છે. અષ્ટાપદ પર્વત પર ભરતેશ્વરે શ્રી આદિનાથથી શ્રી મહાવીરસ્વામી પર્યત ૨૪ તીર્થકરોની તેમના કાયપ્રમાણ રત્નમય પ્રતિમાઓ સમહોત્સવ પ્રતિષ્ઠિત કરી હતી. " વર્તમાન ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં જિનશાસનના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા અનેક તેજસ્વી તારલાઓ નજરે પડે છે. મહારાજા સંપ્રતિએ સવાલાખ જિનમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું અને સવા કોડ પ્રતિમાઓ ભરાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આજે પણ ભારત Page #645 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 629 વર્ષના સેંકડો જિનાલયોમાં સત્તર સત્તર શતાબ્દી પૂર્વની એ દિવ્યકાલીન પ્રતિમાઓ ભક્તોના પાપોને હરી લે છે. " ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના જીવનકાળમાં તેમના જ વડીલબંધુ નંદિવર્ધને પ્રભુ મહાવીરની પ્રતિમાઓ ભરાવીને જુદા જુદા સ્થાને બિરાજમાન કરી હતી. નાદિયા તીર્થની એ પ્રતિમાજીને નિહાળતાં તો ઘડીભર એમ લાગે કે સાક્ષાત્ પરમાત્મા આપણી સામે બિરાજમાન છે. દીયાણા તીર્થના જીવિતસ્વામી આજે પણ ડુંગરાઓની હારમાળા વચ્ચે પણ ચમત્કારોની સૃષ્ટિ સર્જી રહ્યા છે. નાણા અને મહુવા નગરે તેમ જ રાતા મહાવીર અને મુછાળા મહાવીરના પ્રાસાદે બિરાજમાન પ્રાચીન પ્રતિમાઓ પણ અલૌકિક ને અદભત છે. "શંખેશ્વર તીર્થે બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમાજી આજે પણ કેવો પ્રભાવ પાથરી રહ્યાં છે ! દેવલોક, મૃત્યુલોક અને પાતાલલોક... ત્રણેયમાં આ પ્રભુપ્રતિમાની પૂજા થઈ છે. મૂર્તિનિર્માણનો ઇતિહાસ પણ કેટલા યુગ જૂનો. ગૌરવભર્યો. ભગવાન યુગાદિનાથના જન્મથી પણ પહેલાં ગત ચોવીસીના નવમા તીર્થંકર દામોદર ભગવાનના શાસનમાં આષાઢી શ્રાવકે પ્રભુની પ્રતિમા નિર્મિત કરી હતી..... " રૈલોકનાથ પરમાત્મા મહાવીરસ્વામીના અનન્ય સેવક મહારાજ શ્રેણિકે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન પદ્મનાભ ભગવાનની કરુણારસભરી પ્રતિમા ભરાવી હતી..... જેનો પ્રભાવ અને પ્રતાપ જગજાહેર છે તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુ અને ઉજ્જૈનમાં બિરાજમાન શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીનતાનાં આજે પણ ગીત ગવાઈ રહ્યાં છે. "આબુન્દેલવાડા અને અચલગઢના એ સૌ શિખરી જિનમંદિરો પ્રતિ આંખ ધરો.કેવાં કલાત્મક ! આ જિનાલયોની અદ્ભુત કલાકૃતિ અને રચનાપદ્ધતિ જોઈને વિશ્વના વૈજ્ઞાનિકોને પણ કહેવાનું મન થઈ ગયું , આ પણ એક જગતનું આશ્ચર્ય છે. અને આવા અલૌકિક સર્જના કર્તા-ધર્તા વસ્તુપાલ તેજપાલ ને વિમલશાહને કેમ ભૂલી શકાય? " ધરણાશાહ પોરવાળ તો સદાય યાદ રહી જાય તેવું કામ કરી ગયા છે. ૧૪૪૪ સ્તંભ સાથે નલિની ગુલ્મ વિમાન આકારનો વૈલોક્યદીપક મહાપ્રાસાદ” તસ્મિનું કાલે.... તસ્મિનું સમયે જિનાલયના નિર્માણમાં ૯૯ કોડ દ્રવ્યનો વ્યય થયો હતો. વિચારજો...કેવી ઉદારતા અને ઉદારતાને દીપાવનારું સર્જન... " રાજસ્થાન – કેસરિયાજી તીર્થમાં બિરાજમાન કેસરિયાનાથજી, દેવ ભગવાન. જેને અને અર્જુન બધાંના એ આરાધ્ય દેવ..... ભગવાન મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં પણ આ પ્રતિમાની પૂજા-ભક્તિનાં ઉદાહરણો આજે પણ ઇતિહાસના પાનાઓમાં ઉપલબ્ધ છે. માણેકશાહ! પ્રતિમા–પૂજનનાં આવાં તો કેટલાંય દષ્ટાંતો આગમોના મૂલપાઠોમાં મળે છે. તમે મનમાંથી શંકાના વાદળોને નેસ્તનાબૂદ કરી દો અને પુનઃ તમારા દિલ–દેવળમાં પ્રભુપ્રતિમાની આસ્થાનો દીપ પ્રગટાવી દો." પૂ. આચાર્ય ભગવંત શાસ્ત્રપાઠ અને ઇતિહાસના ઉલ્લેખ-તર્ક-યુક્તિ સાથે નિરૂપતા, Page #646 -------------------------------------------------------------------------- ________________ 630 તેના અજવાળે માણેકશાહનું મિથ્યાત્વ વિલુપ્ત થઈ ગયું. પુનઃ સમ્યગ્દર્શનનો દીપ ઝળહળવા લાગ્યો. તપાગચ્છાધિષ્ઠાયક મહા સુદ પાંચમનો પાવન દિવસ.... વસંતપંચમી.... શ્રી પંચમી.... કેટલાં કેટલાં એના નામ ! જ્યોતિષ શાસ્ત્રમાં જેને સદૈવ શુભ દિવસ રૂપે માન્ય કરવામાં આવ્યો છે. આનંદન..... સાધનાનો.... આરાધનાનો.... નવીન જ્ઞાન-સંપાદનનો...... આ મંગલકારી દિવસ છે. અને આવા શુભ દિને માણેકશાહે પૂ. આચાર્ય ભગવંતશ્રીના તારક સાંનિધ્યે અને શ્રીમુખે સમ્યક્ત્વમૂલક બાર વ્રતનો સ્વીકાર કર્યો. પુનઃ પરમાત્માની અષ્ટ પ્રકારે પૂજા કરવાનો નિર્ણય ધોષિત કર્યો. અનુકંપાદાનની સરવાણી વહેતી મૂકી. જિનપ્રિયાને મન આજે ખુશીના બારે મેઘ વરસી રહ્યા હતા. આનંદરિતના મુખડા પર પ્રસન્નતાના ચાર ચાર ચાંદ દીપી રહ્યા હતા અને આજે માણેકશાહની સાથે બંનેએ ઘીનો સ્વીકાર કર્યો. ૬. ગિરિવર દર્શન વિરલા પાવે વ્યાપારના કાર્યો માણેકશાહનું આગમન આગ્રા શહેરમાં થયું છે. સાચો શ્રદ્ધાવંત જ્યાં પગ મૂકે ત્યાં પ્રથમ સમાચાર જિનમંદિર અને ગુરુ ભગવંતના જ મેળવે. માણેકશાહે જિનાલયમાં પ્રશમરસનિમગ્ન પરમાત્માનાં દર્શન કર્યા અને ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે પૂજ્ય આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. ભ. શ્રી આનંદવિમલસૂરિજી મ. સા. ચાતુર્માસ માટે આગ્રામાં પધાર્યા છે. બાજુના ઉપાશ્રયમાં જ બિરાજમાન છે. અવકાશના આંગણે વાદળાંઓની ધીંગામસ્તી થતી હોય, વીજળીના ચમકારા ધરતીનાં ઓવારણાં લેતા હોય, કડાકા ને ભડાકાથી આકાશી ગર્જનાઓ ગુંજતી હોય ત્યારે મયૂરને મન કેટલો આનંદ ! વસંતનાં વધામણાં આવ્યાં હોય, પાનખરના સ્થાને પારિજાત પ્રગટયા હોય, લીલી વનરાજિથી ધરતીએ સોળ શણગાર સજ્યા હોય, બાગ ને બગીચાઓ મધુર સોડમભર્યા હોય ત્યારે કોયલને મન કેટલો આનંદ ! એથીય વધુ આનંદ આજે માણેકશાહને ગુરુદર્શનથી થયો. ' ગુરુદેવ ! ગુરુદેવ ! મત્સ્યેણ વંદામિ." ' ' ધર્મલાભ !' ગુરુવરે પણ પૂર્ણ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા. પારસમણિના સ્પર્શે લોઢું સુવર્ણ બની જતું હોય છે. ચિંતામણિના સંગે ચિંતાઓ ભાગી જતી હોય છે. કામધેનુની પ્રાપ્તિએ ઇચ્છાઓ સફલ બની જતી હોય છે. કામકુંભની ઉપલબ્ધિએ વિપદાઓ દૂર હડસેલાઈ જતી હોય છે. જ્યારે માણેકશાહને તો ગુરુદર્શને ચારેય સિદ્ધિઓની પ્રાપ્તિ એકસાથે જ થઈ ગઈ છે. આગ્રા શહેરમાં આચાર્યપ્રવરશ્રીના વ્યક્તિત્વ, કૃતિત્વ અને વક્તૃત્વનો ખૂબ જ સારો Page #647 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 631 પ્રભાવ પડ્યો છે. હજારો શ્રોતાઓ પૂજ્યશ્રીના મુખારવિંદમાંથી વરસતાં શબ્દમોતીઓને પામવા દોડી આવતા હતા. જિનવાણીનાં પાન પણ મુક્ત મને લ્હાણી કરતાં હતાં અને પરિણામ સ્વરૂપ પાપીઓએ પાપ તજ્યાં, ધર્મના શણગાર સજ્યા.... આવો પુનિત પાવન અવસર જીવનમાં ફરી ક્યારે આવવાનો? માણેકશાહે સંપૂર્ણ વ્યાપાર મુનિમોને સુપ્રત કરી દીધો અને પોતે ગુરુભગવંતના સાંનિધ્યમાં સામાયિક, પ્રતિકમણ, મહામંત્ર, સ્મરણ, ધ્યાન-ચિંતન, સ્વાધ્યાય અને વૈયાવચ્ચથી સ્વયંને ધન્ય બનાવવા લાગ્યા. આજે વ્યાખ્યાનમાં ઘોષણા થઈ છે, આવતી કાલથી પ્રવચનમાં 'શત્રુંજય માહાભ્ય' ગ્રંથ આધારિત વ્યાખ્યાનો થશે. સહુને આ ધોષણાથી અપાર આનંદ થયો. જેન જગતનું જાજ્વલ્યમાન જ્યોતિ સ્વરૂપ તીર્થ એટલે શત્રુંજય સિદ્ધાચલ, મુક્તિનિલય! એની પ્રભાવકથા સાંભળવી કોને ન ગમે? સહુ ઉત્સાહિત થયાં. તારે તે તીર્થ! તીર્થ તો ભારતવર્ષમાં અનેક છે; પણ સિદ્ધાચલની બરાબર તો એકેય તીર્થ નથી. જેના કાંકરે અનંતા સિધ્યા છે, એ તીર્થના કણેકણમાં સિદ્ધિ ને સિદ્ધાત્માઓનું એક મહાકાવ્ય ધબકી રહ્યું છે. એટલે જ સહુ તીર્થસ્થાનોમાં મોખરે છે 'સિધ્ધાચલજી'. ઘોર પાપ આચરનારાઓ પણ આ તીર્થની સ્પર્શનાએ પાવન થયા છે. આગમના અભ્યાસીને, આગમના શ્રોતાઓને ખ્યાલ જ છે કે આ પતિતપાવન તીર્થને જીવનમાં એક વાર પણ જુહારનાર, નિયમો ભવ્ય જ હોય છે. મનુષ્યજન્મ મેળવીને જે વ્યક્તિ આ તીર્થની સ્પર્શના નથી કરતો તે ખરેખર હજી ગર્ભાવાસમાં જ છે. અરે..! પશુપંખીઓ પણ જો આ તારક તીર્થને અવલંબે તો ત્રીજા ભવે સિદ્ધ થઈ જાય છે. પ્રાયે એ ગિરિ શાશ્વતો.. અનાદિકાળથી આ તીર્થનું અસ્તિત્વ અને અસ્મિતા રહેલાં છે અને અનન્તકાળ સુધી ટકવાનાં છે. જગતની કોઈ શક્તિ, પ્રકૃતિની કોઈ તાકાત નથી કે જે આ મહાતીર્થના મૂળને નેસ્તનાબૂદ બનાવી શકે. એનું સ્મિત સદાય જીવંત રહેશે..... ગરવા ગિરિરાજ પર સ્થાપિત જિનાલયોનો ઉદ્ધાર સમયે સમયે થતો જ રહ્યો છે. ઈશનેન્દ્ર, મહેન્દ્ર, બ્રહ્નન્દ્ર, અમરેન્દ્ર અને વ્યંતરેન્દ્ર જેવી દૈવી શક્તિઓએ આ તીર્થના ઉદ્ધારનું સૌભાગ્ય મેળવ્યું છે તો ભરતેશ્વર, દંડવીર્ય રાજા, સગરચક્રી ચંદ્રયશારાજા, ચકાયુધ, રામચંદ્રજી અને પાંડવ જેવી મહાન વ્યક્તિઓએ તીર્થોદ્ધારનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વર્તમાન સમયમાં પણ જાવડશા, બાહડમંત્રી, સમરાશા ઓસવાળ અને કર્માશાહ દ્વારા ઉદ્ધારની દિવ્યકથાઓ આલેખાઈ છે. ભવિષ્યમાં વિમલવાહન રાજા આ તીર્થના અંતિમ ઉદ્ધારનું પુણ્ય ઉપાર્જિત કરશે. સિદ્ધિપદ અને સિદ્ધાચલ જાણે એકમેક બની ગયાં છે. જે સિદ્ધાચલનું શરણ સ્વીકારે એ સિદ્ધિપદને મેળવી જ જાય. જુઓ! પુંડરીક ગણધર ૫ ક્રોડ અને દ્રાવિડ વારિખિલ્લજી ૧૦ ક્રોડ સાથે મોક્ષે ગયા. શામ્બ ને પ્રધુમ્ન ૮ ક્રોડ ૫૦ લાખ સાથે તો પાંડવ ૨૦ ક્રોડ સાથે મોક્ષે પધાર્યા. નમિ, વિનમિ ૨ ક્રોડ અને રામભરત ૩ ક્રોડ સાથે શિવસુંદરીને વર્યા. નારદજી ૯૧ લાખ સાથે તો સોમયશા ૧૩ ક્રોડ સાથે પરમપદને પામ્યા. થાવથ્યાપુત્ર, શુકપરિવ્રાજક, કદંબગણધર, શેલકાચાર્ય Page #648 -------------------------------------------------------------------------- ________________ 632 તપાગચ્છાધિષ્ઠાયક વગેરે અનેક મહાપુરુષો વિશાળ સંખ્યા સાથે મોક્ષે પધાર્યા છે. શ્રી સિદ્ધાચલજીનો મહિમા અપરંપાર છે. શ્રી સીમંધરસ્વામી જેવા તીર્થંકરના શ્રીમુખે પણ જેનાં પ્રશસ્તિગાન, સ્તુતિગાન અને મહિમાગાન ગવાયાં હોય એ તીર્થની કમનીયતામાં શું કમી હોય! જ્યાં પાપ પખાળતી શેત્રુંજી નદી હોય અને ઇચ્છાપૂરક રાયણવૃક્ષ હોય, નવ ટૂંકના રૂપમાં જ્યાં મંદિરોનું નગર ઊભું હોય તેનું સાચું વર્ણન તો સાક્ષાત્ સરસ્વતી આવીને ઊભી રહે તોય ન કરી શકે ! | વિશ્વનું સર્વશ્રેષ્ઠ તારક તીર્થ શત્રુંજય છે. અહીં નેમનાથ સિવાય ૨૩ તીર્થંકર પરમાત્મા વિચર્યા છે. આવતી ચોવીશીના શ્રી પદ્મનાભાદિ દરેક તીર્થકરોનું શુભાગમન આ ગિરિરાજ પર થશે. મહાતીર્થનાં રૂપ-સ્વરૂપ પણ જુદા જુદા સ્થળેથી જુદી જુદી રીતે થતાં હોય છે. વલભીપુર તરફથી ગિરિરાજનાં દર્શન કરો, જાણે મદમસ્ત ગજરાજ સૂંઢને ફેલાવીને વિશ્રામ લઈ રહ્યો છે. શેત્રુંજી નદીના પૂર્વ વિભાગમાંથી ગિરિરાજનાં દર્શન જાણે એક પ્રવાહણ જેવાં થાય છે અને ત્યાં ઊભેલા દેરાસરો જાણે પ્રવહણની ધ્વજા જેવાં લાગે છે. જેવો મહિમા તીર્થાધિરાજનો છે તેવો જ મહિમા ગિરિરાજની ટોચ પર વિબરાજમાન તીર્થનાયક ભગવાન ઋષભદેવનો પણ છે. છેલ્લો ઉદ્ધાર કરનાર ધર્મવીર કમશાહે ત્રલોયનાથનું આ બિંબ એવા અપૂર્વ હર્ષોલ્લાસ ને વર્ષોલ્લાસ સાથે ભરાવ્યું છે કે આજે પણ જગતમાં આવી પ્રતિમાનાં પાવન દર્શન ક્યાંય ન થાય. પૂજય આચાર્યપ્રવર શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે જે પ્રભુની સ્થાયી પધરામણી થઈ હોય એ પ્રતિમાના ઓજ–તેજનો તો પ્રશ્ન જ કયાં ઊઠે ! . ભાગ્યશાળીઓ ....પૂજ્ય આચાર્યભગવંતશ્રી તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના મહિમાનું આખ્યાન માણેકશાહ જેવા નરવીરોથી સુશોભિત ધર્મસભામાં વિશદ રીતે કરી રહ્યા છે. આખી સભા દેશનામૃતનું પાન લયલીન બનીને કરી રહી છે. સુંદર શબ્દ... સુંદર ભાવ પ્રભાવ...! અપ્રતિમ વક્નત્વનો વૈભવ. કેવળજ્ઞાન અને કેવળદર્શન સાથે સર્વજ્ઞપદ શોભાવતા અતિમુક્ત મહામુનિએ અને નારદજીએ ગિરિરાજનો મહિમા કંઈક આ રીતે ગાયો છે: (૧) અન્ય તીર્થોમાં બ્રહ્મચર્યપાલન અને ઉગ્ર તપસ્યાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી અધિક પુણ્ય સિદ્ધાચલજીમાં માત્ર વસવાથી પ્રાપ્ત થાય છે. (૨) એક કોડ મનુષ્યને ભોજન આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય ગિરિરાજની છાયામાં એક જ ઉપવાસથી થાય છે. (૩) શત્રુંજય તીર્થની સ્પર્શનાથી બધાં તીર્થોના દર્શનનું પુણ્ય મળી જાય છે. (૪) શત્રુંજયની યાત્રાએ જતાં વચ્ચે ચતુર્વિધ સંઘની જે પુણ્યશાળી વસ્ત્ર, પાત્ર અને ભોજનથી ભક્તિ કરે છે તેને કોટિગણું પુણ્ય મળે છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 633 (૫) અષ્ટાપદ, સમેતશિખરજી, પાવાપુરી, ગિરનાર, ચંપાપુરી વગેરે તીર્થોના દર્શન– વંદનના લાભ કરતાં શતગણો લાભ સિદ્ધગિરિ– દર્શનથી થાય છે. પૂજન કરવાથી હજારગણું પ્રતિમા ભરાવવાથી તથા તીર્થના રક્ષણથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિમા ભરાવવાથી તે ચક્રવર્તીપદ, દેવગતિ અને ક્રમશઃ મુક્તિપદને પામે (૬) જે પુણ્યશાળી ચઉવિહાર છઠ્ઠ કરીને તીર્થરાજની સાત યાત્રાઓ કરે છે તે ત્રીજા ભવે મોક્ષની પ્રાપ્તિ કરે છે. (૭) આ તીર્થના સ્મરણ, ભજન, સ્તવન ને ધ્યાનથી સિંહ, વાઘ, સર્પ વગેરે હિંસક ભયો નાશ પામે છે, ભૂતપ્રેતના વળગાડ દૂર થાય છે અને આધિ-વ્યાધિ-ઉપાધિ ટળે છે. (૮) તીર્થની સ્પર્શનાથી સમ્યગુ દર્શનનું નિર્મલીકરણ થાય છે. (૯) ૯૯ યાત્રા કરનાર ભાગ્યશાળી સંસારથી મુક્ત બની જાય છે. (૧૦) બ્રહ્મચર્યપાલન, એકાસણવ્રત, ધરતી પર શયન, સચિતત્યાગ અને આવશ્યક પ્રતિક્રમણાદિ ક્રિયા-આ છ વિશેષતાઓ સાથે જે ભાગ્યશાળી પગે ચાલતાં ચાલતાં તીર્થાધિરાજની યાત્રા કરે છે તેના પુણ્યનો તો કોઈ પાર રહેતો જ નથી. "ધન્યવાણી... ધન્યગિરિરાજ....ધન્યાતિધન્ય જય શત્રુંજય" પૂજ્ય પ્રવર... આચાર્ય મહારાજની વાણીના પાવન શ્રવણ કરતા સહુ શ્રોતા એકસાથે બોલી ઊઠયા, સેંકડો-હજારોના–મનમંદિરમાં પાલીતાણાની પ્રતિકૃતિ સ્થાપિત થઈ ગઈ. " ગિરિવર દર્શન વિરતા પાવે "નું ગીત છેડાઈ ગયું. ગરવા ગિરિરાજની ગૌરવભરી ગાથા-કથા સુણીને માણેકશાહનો મનમયૂર તો સોળે કળાએ નાચી ઊઠ્યો હતો. ભર સભાની વચ્ચે તેમણે આચાર્ય ભગવંતને પ્રાર્થના કરીઃ " ભગવંત! મને પ્રતિજ્ઞા આપો. કાર્તિક પૂર્ણિમા પછી ચઉવિહાર ઉપવાસ, સંપૂર્ણ મૌન વ્રત, નવકાર મહામંત્ર ને શત્રુંજયનું ધ્યાન, સંપૂર્ણ આવશ્યક ક્રિયા અને પદયાત્રા સાથે શ્રી સિદ્ધાચલજીનાં પાવન દર્શન કરીને ધન્ય બનીશ. ત્યાં સુધી આહાર–પાણી ત્યાગ" માણેકશાહની પ્રતિજ્ઞાના આ સ્વર સુણીને આખી સભા સ્તબ્ધ બની ગઈ. આટલી કઠોર પ્રતિજ્ઞા...! આટલું દુષ્કર કાર્ય...! આટલી મહાન સાધના ...! ધન્ય ધન્ય ધન્ય....! હજારો શ્રોતાઓ માણેકશાહની પ્રતિજ્ઞાની મુક્ત મને પ્રશંસા કરવા લાગ્યા. દીર્ઘદૃષ્ટા ગુદેવે માણેકશાહને સાવધાન કર્યા..."ભાગ્યશાળી....!આવી મહાન પ્રતિજ્ઞા સ્વીકાર કરતાં પૂર્વ બધો વિચાર કરી લો. પાલીતાણા અહીંથી અતિ દૂર છે. આગ્રા.. મારવાડ... ગુજરાત અને પછી સૌરાષ્ટ્રનું પાલીતાણા. અન્ન-જળ વિના તમે શી રીતે પહોંચી શકો ગિરિવરની ગોદમાં રસ્તામાં વિદનો પણ કેટલાં? માણેકશાહ...! તમારી ભાવના ઊંચી છે પણ વિચારણા માંગી લે તેવી છે." " ગુરુદેવ! આપ જેવા સમર્થ સૂરિદેવના હૃદયના આશીર્વાદ મારી સાથે હોય પછી મારે શેની ચિંતા....! ભોજન અને પાણી તો જન્મોજન્મ આ જીવાત્માએ ગ્રહણ કર્યો છે. ગિરિરાજની CO, Page #650 -------------------------------------------------------------------------- ________________ 634 તપાગચ્છાધિષ્ઠાયક યાત્રાએ આગળ વધતાં અને તીર્થાધિરાજનું ધ્યાન ધરતાં આ પ્રાણ પણ ચાલ્યા જાય તો મને કોઈ વ્યથા નથી. ગિરિરાજ.. સિદ્ધાચલ આદીશ્વર દાદા.... ઓહ! મારી ભવોભવની ભ્રમણા ભાંગી જશે. ગુરુદેવ....! પ્રતિજ્ઞા આપો...!” સંકલ્પ દઢ સંકલ્પ... સાત્ત્વિક વ્યકિતના સંકલ્પમાં શક્તિ પ્રસરે છે, ત્યાં સિદ્ધિનું સ્મિત ઝળકે જ છે. પેલા કવિની કવિતાના આ શબ્દો કેવી રીતે ઊચી પ્રેરણા પૂરી પાડે છે. હું ઇચ્છું તો પથ્થરને પણ ઓગાળી શકું છું. હું ઇચ્છું તો હવાને રોકી શકુ અને હું ઇચ્છું તો મુર્દાને ઉપાડી ઉપાડીને અક્ષર શિખાવી શકું છું. માણેકશાહના દઢ સંકલ્પને નીરખીને–પારખીને પૂજ્ય આચાર્યપ્રવરશ્રીએ સકલ સંઘ વચ્ચે તીર્થાધિરાજની પદયાત્રાની પ્રતિજ્ઞા આપી. પ્રતિજ્ઞા સ્વીકાર કરતાં જ માણેકશાહનો ચહેરો કોઈક અનોખા, અદ્ભુત તેજ–ઓજથી દીપી ઊઠ્યો. આજનો આ મંગલકારી શુભ દિન હતો આસો સુદ પાંચમ......! કાર્તિક પૂર્ણિમાના શુભદિને આચાર્ય ભગવંત પાસે મંગલાચરણનું શ્રવણ કરીને માણેકશાહે ગિરિરાજ ભણી મંગળમય પ્રસ્થાન કર્યું. સંઘે સ્નેહભરી વિદાય આપી. સાહસવીર આ સાધક અપૂર્વ ઉલ્લાસ સાથે આગળ વધવા લાગ્યો. કહેવાનું મન થઈ જાય છે: કમ્મર પાણીમાં ઊભા રહીને રેતીના ટોપલા કાઢનારો મોતી ન પામે, એ માટે તો મરજીવા બનીને સાગર–તળિયે ડૂબકી જ મારવી પડે. માણેકશાહ પણ મરજીવા બન્યા હતા આજે...! | તીર્થસ્થાનોના પ્રભાવ માનવમન માટે જબરજસ્ત ઔષધ પુરું પાડે છે. આવાં તીર્થો સર્ચલાઈટ બનીને આપણા જીવનમાર્ગ પર અજવાળું પાથરે છે અને વળી દીવાદાંડી બનીને દૂર રહ્યા પ્રત્યેક ક્ષણે જીવનનૌકાને વાસનાના ખડક સાથે અથડાતી રોકે છે. ઇતિહાસના કોઈ પણ પાને ન જડે એવી યાત્રાના પંથે માણેકશાહનાં કદમ આગે બઢતાં જાય છે. લાખો તીર્થયાત્રીઓના સંઘની વાતો તો સાંભળી છે. એકાસણા સાથે છરી પાળતા યાત્રાની વાતો પણ સાંભળી છે ને વાંચી છે; પણ અન્નજળ વિના પદયાત્રાયુક્ત આ તીર્થયાત્રાનો ભીષ્મ પ્રસંગ દુનિયામાં શોધવા જાઓ તો યે મળે તેમ નથી. તીર્થોની તવારીખમાં પ્રાયઃ માણેકશાહ સદાય આશ્વર્યના રૂપે જ દેખાશે....... ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે. પાલનપુરથી નજીક મગરવાડાની પાસેના જંગલમાંથી માણેકશાહ ઝડપભેર આગળ વધી રહ્યા છે. મનમાં ગિરિરાજનું ધ્યાન છે. દુનિયાનો કોઈ ખ્યાલ તેમને નથી. કેટલાક દિવસો વીતી ગયા. ભોજન લીધું નથી. પાણી સ્વીકાર્યું નથી, છતાં અજબ મસ્તી સાથે તેમનાં કદમ ધરતી પર પડી રહ્યા છે. વન.... ધનઘોર વન... ચોર અને ડાકુઓનો જ્યાં સદા ત્રાસ... આ વનમાંથી પસાર થતાં માણેકશાહને ડાકુઓએ જોઈ લીધા. એક જ વ્યક્તિ આવા ગહન જંગલમાંથી ઝડપભેર ચાલ્યો જાય, જરૂર એની પાસે માલમિલકત છુપાયેલી હશે – એમ માની ડાકુના સરદારે ત્રાડ પાડી: "વાણિયા! ઉભો રહે... એક ડગ પણ આગળ ન વધીશ." Page #651 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 635 મુક્તિનિલયગિરિના ધ્યાનમાં એકલીન બનેલા માણેકશાહ ડાકુના પડકારને સાંભળી ન શક્યા. એ જ ગતિ સાથે તેઓ ચાલ્યું જવા લાગ્યા. તસ્કરોને થયું કે જરૂર માલામાલ છે. ચાર તસ્કરો નાગી તલવાર સાથે માણેકશાહ તરફ ધસ્યા. તડ...તડતડ.... તલવારો માણેકશાહ પર ઝીંકાઈ. 'જય શત્રુંજય' ના નિર્દોષ સાથે માણેકશાહની કાયા ત્યાં ને ત્યાં ઢળી પડી, પ્રાણ પંખેરૂ ઊડી ગયું. શરીરના એકી સાથે ત્રણ ભાગ–મસ્તક, પગ ને ધડ.! ' 'ઐસી દશા હો ભગવન, જબ પ્રાણ તનસે નીકલે... ગિરિરાજ કી હો છાયા..મનમેં ન હો માયા... તપ સે હો શુદ્ધ કાયા... જબ પ્રાણ તન સે નિકલે..." આવી જ શુદ્ધ ભાવનાથી જવાંમર્દ નરરત્ન-ધર્મરત્ન માણેકશાહના પ્રાણ છુટયા હતા અને શત્રુંજયના પાવન ધ્યાનથી, સ્મરણોથી, રટણથી ધરતીનું આ સુવાસિત ગુલાબ વ્યંતરનિકાયના યક્ષજાતિના ઇન્દ્ર બનવાનું સૌભાગ્ય મેળવી લે છે. નામ... માણિભદ્ર..... ૭. મગરવાડાના માણિભદ્ર ઈષ્ય...! ભડભડની અચરજભરી અગન વાળા...! દુઃખી તો પોતાના દુઃખે દુઃખી હોય છે; પરંતુ સુખી સદા બીજાના સુખે દુઃખી હોય છે. અન્યના સુખની ઈર્ષા માનવને સદૈવ જલાવતી હોય છે. જંગલમાંથી જતા પેલા વ્યાપારીને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો. પ્રશ્નનો જે જવાબ મળ્યો તે ખરેખર ચોંકાવનાર હતો. " તમો શાનો વ્યાપાર કરો છો ?" "ઈર્ષાનો....!" તમારા ગ્રાહક કોણ કોણ બન્યા?" " સ્ત્રી વર્ગ, વ્યાપારી અને ધર્મના ઠેકેદાર....!" કેટલો સણસણતો જવાબ હતો આ વ્યાપારીનો. કલ્પના અંધારિત આ રૂપક પણ આપણને કેટલું બધું સમજાવી જાય છે ! સ્ત્રીઓ અને વ્યાપારીઓમાં તો ઈષ્યવૃતિ હોય એ જગજાહેર છે; પરંતુ એ એટલી ખતરનાક નથી જેટલી ધર્મના ઠેકેદારમાં રહેલી ઈર્ષ્યા છે. ધર્મના સ્વાંગમાં પોતાની ઇચ્છાપૂર્તિ માટે જે કરવાનું હોય તે કરી છૂટે છે. પોતાની સામે આવનાર અન્ય ઠેકેદારને તે ક્યારેય સહી શકતો નથી. માણેકશાહના જીવનમાં પરમાત્મભક્તિના વિરોધનાં વાવઝોડાં ફૂંકનાર કડવામતી સાધુઓને જ્યારે સમાચાર મળ્યા કે માણેકશાહ પુનઃ પ્રભુના શ્રેષ્ઠતમ ભક્ત બન્યા છે, ત્યારે તેમના અંતરમાં ઈર્ષ્યાનું જીવલેણ વિષ ઉત્પન થયું. માણસના વિચારો જ્યારે નિકૃષ્ટ બને છે ત્યારે આચારોમાં હીનતા આવ્યા વિના રહેતી નથી. સાધુઓએ નિર્ણય કર્યો. અમારા ભકતના મનપરિવર્તન કરનાર મુનિઓને કાળઝાળની જાળમાં સપડાવવા પડશે. સત્તા, શક્તિ અને સંપત્તિ સાથે જો વિવેકની વિશાળતા ન હોય તો ત્રણેય તાકાત માનવને Page #652 -------------------------------------------------------------------------- ________________ 636 તપાગચ્છાધિષ્ઠાયક ઊંડી ગર્તામાં ફેંકી દે છે. તેથી જ તો એક વિચારકે ભગવાનને વીનવતાં કહ્યું, " પ્રભુ..... મારે સંપત્તિ ન જોઈએ. સન્મતિ જોઈએ. સંપતિ વિના સન્મતિ ચાલી શકે. સન્મતિ વિના સંપત્તિ હરગિજ ન ચાલે." - સૂર્યનારાયણની સામે ધૂળ ફેંકનારનાં જ તનબદન ગંદા થતાં હોય છે, પરંતુ દુર્જન આ સત્યને સ્વીકારવા કયારેય તૈયાર નથી. સાધુઓએ સાધના આરંભી; પણ સિદ્ધિ-મોક્ષની પ્રાપ્તિ માટે નહિ. તપસ્યા પ્રારંભી પણ કર્મનાશ માટે નહિ. જાપ શરૂ કર્યો પણ ભગવાનની ભક્તિ માટે નહિ. ધ્યાન ચાલુ કર્યું પણ મનશુદ્ધિ માટે નહિ. આશયની વિકૃતિ સાથે સાધના પણ વિકૃત બની ગઈ. ભૈરવદેવની પ્રસન્નતા માટે તાંત્રિક-માંત્રિક–યાંત્રિક પ્રયોગો ચાલુ થયા અને અંતે ભૈરવદેવ હાજરા હજૂર થયા. " શાને યાદ કર્યો મને મુનિઓ....! જે હોય તે કહી દો" " આચાર્ય હેમવિમલસૂરિના સાધુઓને નષ્ટ કરી દો, ખતમ કરી દો." કડવામતી સાધુઓના આ આદેશને સાંભળીને બે ક્ષણ તો ભૈરવદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલી નિમ્ન કક્ષામાં ઊતરી પડ્યા આ સાધુઓ...! પોતાની માન્યતાઓથી વિપરીત માન્યતાઓવાળા તરફ આટલો બધો ખતરનાક દ્વેષ..! અને આવા રાગ-દ્વેષ વચ્ચે સાધુતા..! પણ માંત્રિક શક્તિથી બંધાયેલ ભૈરવદેવે તથાસ્તુ' કહી વિદાય લીધી. સાધુઓએ હાશ સાથે શાંતિનો શ્વાસ ગ્રહણ કર્યો. - જ્ઞાન, ધ્યાન અને તપ-ત્યાગના ઓજ–તેજથી દીપતા સૂરિસમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. ભ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં આગ્રાની આસપાસનાં ક્ષેત્રોને લાભ આપીને મરુધર તરફ વિહારનાં વહેણ માંડવા નિર્ણય કર્યો પણ તે સાથે જ - એક નવજુવાન મુનિવર... માત્ર અઢાર વર્ષની ઉંમર, દેહની ડાળીઓમાં તો હજુ યૌવનનો નવપ્રવેશ છે, હૃદયના આંગણે હજુ તો વૈરાગ્યરંગની રંગોળીઓ નવી જ શણગારાયેલી છે. દિલના દ્વારે હજુ તો સંયમના સ્વસ્તિક તાજા જ મંડાયા છે–અને આવા હજારોમાં એક મુનિવર અચાનક એક ચીસ સાથે ઢળી પડે છે. મુનિનો કરુણ અવાજ સાંભળતાં જ બધા મુનિઓ દોડી આવ્યા. આચાર્ય ભગવંત તરત જ મુનિ પાસે પહોંચી ગયા. શ્રીસંઘના કાને સમાચાર મળતાં જ હજારો શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉપાશ્રયમાં આવી ગયાં. આગ્રા શહેરના રામબાણ ઇલાજ કરનાર સિદ્ધહસ્ત વૈદ્યોએ આવીને મુનિની નાડી પરીક્ષા કરી, પણ બધા સ્તબ્ધ... રોગ પકડમાં જ આવતો ન હતો. ઔષધોપચારનો પ્રયોગ કર્યો, કિંમતી દવાઓ આપવામાં આવી; પણ કોઈ અસર નહિ. મુનિની સ્વચ્છતા માટે ચતુર્વિધ સંઘમાં જાપ પણ પ્રારંભાયો. છતાંયે અશાન્તિ વધતી ગઈ અને એક દિવસ....એ મુનિવરે સદાને માટે આંખો બંધ કરી દીધી. સાથી મુનિવરની અચાનક વસમી વિદાય. ત્યાગ ને વૈરાગ્યના રંગમાં રંગાયેલા Page #653 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 637 મુનિવરોની આંખો પણ આંસુભીની થઈ ગઈ. ખુદ આચાર્યદેવ પણ શૂન્યમનસ્ક બની ગયા. અચાનક આ શું બની ગયું...! કેમ થઈ ગયું? નખમાં પણ રોગ નહીં. કોઈને કાંઈ સમજાતું નથી. કોઈને આ પ્રશ્નનો જવાબ જડતો ન હતો. શોકના મહાસામ્રાજ્ય સાથે આ કરુણાંતિકાની વાતો સાથે હજુ તો બે દિવસ પણ વીત્યા નથી ત્યાં જ સમુદાયના એક વિદ્વાન યુવાન મુનિરાજ પણ આ જ રીતે ઢળી પડ્યા. શ્રમણ સંઘમાં હાહાકાર મચી ગયો. સાંજ થતાં તો આ મુનિરાજ પણ સહુની વચ્ચેથી વિદાય લઈ ચૂકયા હતા. કારણને શોધવાનો પ્રયાસ થાય એટલામાં તો ૩.૪.......................૭.......૮.૯....૧૦ મુનિરાજો આ રીતે મરણને શરણ બની ગયા હતા. આખા સંઘમાં ભયનું એક અતિકરુણ વાતાવરણ છવાઈ ગયું હતું. સાત્ત્વિક શિરોમણિ પૂજ્ય આચાર્યભગવંતને આ હકીકત સમજતાં વાર ન લાગી. જરૂર આમાં કોઈક દૈવી શક્તિનો પ્રકોપ થયો લાગે છે, અન્યથા આ રીતે ૧૦-૧૦ મુનિવરો આપણી વચ્ચેથી ન જાય. ભવિષ્યની સુરક્ષાની દષ્ટિએ કંઈક યોગ્ય ઉપાય શોધવો પડશે, અન્યથા સકલ સંઘ વિપરીત આક્રમણમાં અટવાઈ જશે. પૂજ્યશ્રીએ મનોમન નિર્ણય કરીને બધા મુનિવરોને બોલાવ્યા." સાધનાપ્રિય મુનિઓ.....તમારા બધાના અંતરની અકથ્ય વેદના હું સમજી શકું છું. એક પછી એક.. લગાતાર થયેલ દશ-દશ મુનિઓના ભોગે આપણા સહુને હચમચાવી દીધા છે. મારા અંતરનો અવાજ છે કે આ પરિષહ સ્વાભાવિક નથી, જરૂર દેવીકૃત હોવો જોઈએ. આ સ્થૂલ શક્તિને પડકારવા આપણે સૂક્ષ્મ શક્તિને જગાવવી પડશે. એટલે આજથી જ હું સાધનામાં સ્થિર થઈ જવા માગું છું. શાસન દેવને પ્રત્યક્ષ કરવાના છે. ગમે તે ભોગે... ગમે તે પ્રયાસે... જ્યાં સુધી શાસનશક્તિઓ જાગે નહીં ત્યાં સુધી મારે નિર્જળા ઉપવાસ છે. આરામ હરામ છે. નિદ્રાનું નામનિશાન લેવાનું નથી. અને સાધુઓ ! તમે પણ આ સમય દરમ્યાન તપ-જપ -સાધનાના ધ્યાનમાં તન-મન પરોવી દેજો. જરૂર પ્રકાશનું કિરણ પથરાશે અને અંધકારનાં વાદળાં દૂર થશે." જિનશાસન જ્યોતિર્ધર ધર્મધુરંધર–સૂરિપુરંદરની ભીષ્મ પ્રતિજ્ઞાના આ ગંભીર શબ્દો સુણીને બધા મુનિવરોનાં નયન વિસ્ફારિત બની ગયાં. શાસ્ત્રોએ આચાર્યના ઉપર સંઘરક્ષાની જે જવાબદારી મૂકી છે ; શિષ્યોના યોગક્ષેમનું જે કર્તવ્ય અદા કરવાનું રાખ્યું છે, તેના પૂજ્યપાદ ગુરુદેવશ્રી પૂર્ણપણે વળગી રહ્યા છે. સહુ પૂજ્યપાદશ્રીના દિવ્ય મુખારવિંદને નીરખી રહ્યા. સૂર્યશા તેજસ્વી, ચંદ્રશાશીતળ, સાગરશા ગંભીર–સૂરિસમ્રાટ ઉપાશ્રયના એક અલાયદા ખંડને સાધનાખંડ બનાવી દીધો. આવશ્યક ક્રિયાઓ સાથે જપ ને ધ્યાનનું મંડાણ થઈ ગયું. ચતુર્વિઘ સંઘ પણ પૂજ્યશ્રીની સાધનાની સફળતા માટે દિનરાત ધાર્મિક ક્રિયાઓમાં પરોવાઈ ગયો. આખા સંઘમાં તપત્યાગ સાથે બ્રહ્મચર્યનું અખંડ પાલન, પરમાત્માની વિશિષ્ટ પૂજાભકિત, હજારોની સંખ્યામાં ઉપવાસ, દુકાનો સદંતર બંધ...! એક ઉપવાસ....બે....ત્રણ... પાંચ... સાત અને દશ-દશ ઉપવાસ સુધી આચાર્ય ભગવંત – Page #654 -------------------------------------------------------------------------- ________________ 638 પહોંચી ગયા છે. આખો સંઘ ચિંતિત છે. શિષ્યોમાં વેદના વધી રહી છે. આચાર્યશ્રીની આ વૃદ્ધ કાયા શી રીતે આટલી કઠોર સાધનાને સહી શકશે ? જ્યારે પૂજ્યશ્રીના મુખ મંડળ પર તો એક અલૌકિક આભા ને પ્રભા પથરાતી ચાલી છે. અગિયારમા દિવસની રાત્રે સાધના સિદ્ધિનું સ્વરૂપ ધરી લે છે, શાસનદેવી સાક્ષાત્ પધારે છે. " જિનશાસન નભોમણિ ... ! ફરમાવો. શાને યાદ કરી છે મને ?" તપાગચ્છાધિષ્ઠાયક '' " શાસનદેવી ! પ્રભુશાસનનાં તમે સદાય જાગૃત અધિષ્ઠાયિકા છો; પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સમુદાયના ત્યાગી તપસ્વી અનેક મુનિવરો કોઈ મેલી શક્તિને વશ બનીને મરણશરણ બની ગયા છે. આજે પણ સ્થિતિ એવી જ છે, છતાં તમારું ધ્યાન આ તરફ જતું નથી. ચતુર્વિધ સંઘ ભયાક્રાન્ત છે... કહો તમે, આ ઉપદ્રવ કોણ કરે છે ? શાથી શાંત થશે... ?" '' ' ભગવન્ ! શાંત થાઓ, મારા અપરાધને માફ કરી દો. આ ઉપદ્રવની પાછળ દૈવી શક્તિ ને પ્રેરિત કરનાર માનવીય શક્તિની મંત્રસાધના છે. આપ ચિંતા ન કરો. આપ આવતી કાલે સવારે અહીંથી વિહાર કરો.... ગુજરાત નજીકમાં જ છે. ગુજરાતના પાલનપુરની નિકટ પધારતાં આપને એક અદ્ભુત શક્તિધારી મળશે. આપના પ્રભાવક પુણ્યે અને એ શક્તિધારીના સાહસે આ ઉપદ્રવ શાંત થઈ જશે.” " ભવિષ્યના ભાવ ભાખીને અધિષ્ઠાયિકા શાસનદેવી અદશ્ય બની અને તે સાથે પૂજ્યશ્રીએ પણ પોતાની સાધનાની ઇતિશ્રી કરી. રાત્રિ પૂર્ણ થવા આવી હતી. ધ્યાન ધરીને પૂજ્યપાદશ્રી નીચે પધાર્યા. સહુ શિષ્યો જુદી જુદી સાધનામાં–જાપમાં–ધ્યાનમાં સ્થિર બન્યા હતા. પોતાના આ ઉદાત્ત શિષ્યોની ધર્મનિષ્ઠા જોઈને સૂરિવરના હૈયામાં અપાર પ્રસન્નતા છવાઈ. અગિયાર દિવસના ઉપવાસ છતાં એ જ સ્વાસ્થ્યભાવે અને વાત્સલ્યભાવે પૂજ્યશ્રીએ કહ્યું : " શ્રમણો... શાસનદેવીના માધ્યમથી ઉપદ્રવનું કારણ સમજાઈ ગયું છે, પરંતુ તેનું નિરાકરણ ગુજરાત પ્રવેશ પછી જ થશે. તેથી આવતી કાલે જ આપણે અહીંથી ગુજરાત તરફ વિહાર લંબાવવાનો છે. ' ગુરુવચનહતિ' ના નિર્દોષ સાથે સહુ શિષ્યો પ્રસન્ન ચિત્તે ઊભા થઈ ગયા. મહાન ગુરુવરનાં ચરણોમાં નતમસ્તકે વંદન કર્યું અને સહુ પ્રતિક્રમણાદિ ક્રિયા કરીને વિહાર માટે તૈયાર થઈ ગયા. શ્રીસંઘના આગેવાનોને બોલાવીને પૂજ્યશ્રીએ માર્મિક શબ્દોમાં બધી વાત કરી દીધી અને જ્યાં સુધી ઉપદ્રવનું સંપૂર્ણ નિવારણ થયાના સમાચાર ન મળે ત્યાં સુધી બધાએ તપ– જપાદિ આરાધના ચાલુ જ રાખવાની છે એવી સૂચના પણ કરી. વિહારયાત્રા પ્રારંભાઈ ગઈ. આચાર્યશ્રીના નેતૃત્વ નીચે મુનિભગવંતો ઉત્સાહભેર આગળ વધવા માંડ્યા. જલદીથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે, ઉગ્ન વિહાર થવા લાગ્યા. શ્રીસંઘના જોશીલા ૫૦ નવયુવાનો પણ આ યાત્રામાં જોડાઈ ગયા હતા. પાલનપુરથી આગળ વધ્યા. મગરવાડાના એ જ વનક્ષેત્રમાં પૂજ્યશ્રી આદિ શ્રમણભગવંતો પધારી ગયા. રાયણવૃક્ષ નીચે પૂજ્યશ્રીએ અઠ્ઠમતપની આરાધના પ્રારંભ કરી અને ત્યાં જ ધ્યાનસ્થ બની ગયા. જય શત્રુંજયના ધ્યાનથી માણેકચંદમાંથી માણિભદ્રવીર બનેલાં વ્યંતરેન્દ્ર પોતાના Page #655 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 639 સિંહાસન પર બિરાજમાન છે. અદ્ભુત તેમનો વૈભવ છે, કમનીય તેમની કાન્તિ છે, વિશાળ તેમનો પરિવાર છે. ચાલો, આપણે માણિભદ્ર ઇન્દ્રનો એક બાહ્ય પરિચય જોઈએ. પરમ પ્રભાવશાળી શ્રી માણિભદ્ર વીર... એમનો વર્ણ શ્યામ છે, પણ સહુને લાગે છે સોહામણો. મસ્તક પર તેજસ્વી લાલ વર્ણનો મુકુટ તેજલિસોટા પાથરી રહ્યો છે. મુખ ઉપર મંદિરનો આકાર બનેલો છે અને દષ્ટિ આ મંદિરની સૃષ્ટિને નિહાળી રહી છે. મંદિર શ્રી સિદ્ધાચલજીનું પ્રતિક છે. દિનરાત તેનું જ ધ્યાન છે. ત્રિશૂળ, ડમરૂ, મુગર, અંકુશ અને નાગનાં ચિત્ર સાથે છ ભુજાઓ દીપી રહી છે. સ્વેત રંગના ઐરાવત હાથી પર બિરાજેલ કાળા રંગના માણિભદ્રની પ્રતિભા કોઈ ઓર લાગે છે. બાવન વીર અને ચોસઠ જોગણી તેમની સેવામાં તદાકાર બની છે. વિશ વીશ હજાર સામાનિક દેવતાઓની મધ્યમાં માણિભદ્ર ઈન્દ્રનો પ્રતાપ ઝળાંહળાં થઈ ઊઠે છે. દેવાંગનાઓનાં નૃત્ય ને દેવતાઓના સંગીતે વાતાવરણ સંગીન બની રહ્યું છે. આવા અદ્ભુત, અનોખા ને અલૌકિક મહાસામ્રાજ્ય વચ્ચે બિરાજેલા શ્રી માણિભદ્રવીરનું રત્નમઢયું સ્વર્ણસિંહાસન અચાનક ચલિત બની જાય છે. અણચિંતવ્યા આ બનાવે આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે. સેનાપતિ દેવતાઓ તાતી તલવારો સાથે ધસી આવે છે. અંગરક્ષક દેવો શ્રી માણિભદ્રને ચોતરફથી ઢાલરૂપે ઘેરી વળે છે. અપાર આશ્ચર્ય વચ્ચે શ્રી માણિભદ્રવીર પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અને જે આ જ્ઞાનમાં લાધેલા વિજ્ઞાને તેઓ તરત જ સિંહાસનનો ત્યાગ કરીને ઊભા થઈ જાય છે. કોઈને કિંઈ સમજાતું નથી. સ્વામીના મો પર આવતા-જતા બદલાતા વિભિન્ન ભાવોને જોઈને સહુ મનમાં શંકા-કુશંકાઓ ફેલાતી જાય છે. " મારા વહાલા સાથીઓ ! જેમની પાવની પ્રેરણા ને ઉત્તમ ઉપદેશે મારા જીવનમાંથી અંધકાર ઉલેચાયો અને પ્રકાશ પથરાયો, દુર્ગતિના પથથી દૂર કરીને સદ્ગતિના રાહે જેમણે મને ચઢાવ્યો, એ પૂજય આચાર્યપ્રવર ગત જન્મના મારા અનંતોપકારી શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ અને શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ આદિ મારા મૂળ સ્થાને પધાર્યા છે. ધ્યાનસ્થ બન્યા છે. કોઈ અગમચિંતાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે એમના ચહેરા ઉપર. મારે જવું છે... શીધ્ર જવું છે. એ તારકનાં ચરણોમાં " માનવ કલ્પના ન કરી શકે એવી, અકલ્પનીય શક્તિઓને સ્વામી દેવાત્માઓ હોય છે. મનમાં ચિંતન થયું મગરવાડાના જંગલમાં જવા માટે અને તે સાથે જ માણિભદ્રવીર ગુરુવરના ચરણે પહોંચી જાય છે. ધ્યાનસ્થ ગુરુદેવને વંદન કરીને અપરંપાર ભક્તિભર્યા હૃદયે શ્રી માણિભદ્ર ઇન્દ્ર અભ્યર્થના કરી : " ઉપકારી ગુરુ ભગવંત ! આંખ ઉઘાડો.... આપની અભિયભરી નજરે સેવકોને નિહાળો." મધુર શબ્દોના શ્રવણે આચાર્યદેવે પોતાની આંખો ખોલી. ઓહ..! સામે એક અદ્ભુત તેજપૂંજભર્યો વ્યક્તિ ઊભો છે. જીવનમાં આવું દશ્ય ને આવી વ્યક્તિ પ્રથમ વાર જ જોવામાં આવ્યો હતો. સૂરિપ્રવરે 'ધર્મલાભ' ના દિવ્યાશીર્વાદથી તેને પ્રસન્ન કર્યા." ભગવંત! આ સેવકને Page #656 -------------------------------------------------------------------------- ________________ 640 તપાગચ્છાધિષ્ઠાયક પિછાણો છો? ઓળખ પડે છે?" " તમારા રૂપ-સ્વરૂપથી દેખાય છે, તમે જરૂર એક દેવાત્મા છો" * " પ્રભો! આવો પરિચય નહીં, ગત જન્મનો પરિચય સમજાય છે?" સૂરિપુરંદર આ દિવ્ય પ્રભાવવંતી વ્યક્તિને સાંગોપાંગ નિરખતા જ રહ્યા. વિચારતા રહ્યા. ત્યાં જ શ્રી માણિભદ્ર ઇન્દ્ર કહ્યું "ગુરુદેવ! આપનો અદકો સેવક હું માણેકશાહ આપની પ્રેરણાનાં અમૃતપાન કરીને, નિર્જળા ઉપવાસ સાથે શ્રી સિદ્ધાચલજીને ભેટવા હું જઈ રહ્યો હતો. જે સ્થળે આપ બિરાજમાન છો ત્યાં જ ચોરોએ મને મરણશરણ બનાવ્યો. પરંતુ આપની મહતી કૃપા અને તીર્થાધિરાજના સ ધ્યાનથી હું વ્યંતરનિકાયમાં શ્રી માણિભદ્ર નામનો ઇન્દ્ર બન્યો છું. આ બધો પ્રભાવ આપનો જ છે. ફરમાવો, મારા યોગ્ય જે કોઈપણ આદેશ હોય..." માણેકશાહ થયા માણિભદ્ર. લગભગ સમાન નામ અને સરખી રાશિ. શ્રી સિદ્ધાચલજીનો જીવતો જાગતો પ્રભાવ કે જેની યાત્રા તો દૂર, જેના માત્ર ધ્યાનથી પણ ન દેવ બની જાય છે. "ઇન્દ્રરાજ....મને પ્રસન્નતા છે કે તમે દેવેન્દ્ર બન્યા છો. આવા ઉચ્ચ પદે પ્રતિષ્ઠિત થયા પછી સમ્યગુદર્શનની નિર્માતા અને પરમાત્માની ભક્તિમાં તનમનને એવા જોડી દો કે આગામી ભવે તમારી મુક્તિ થાય." " પ્રભો! આપના આશીર્વાદથી મારી મુક્તિ જલદી થાય એવું હું પણ ઇચ્છું છું." " માણિભદ્ર ઇન્દ્ર ! હવે મૂળ વાત પર જઈએ. આગ્રાથી ગિરિરાજ ભણી પ્રસ્થાન થયા પછી અમારા સાધુ-સમુદાય પર દૈવી આફતના ઓછાયા ઊતરી પડ્યા છે. એક પછી એક એમ દશ સાધુઓ ચિત્તભ્રમિત બનીને ચિર નિદ્રામાં પોઢી ગયા છે. જુઓ, સામે અગિયારમાં શ્રમણની પણ વિકટ પરિસ્થિતિ. હજુ તો આની બાલ્યાવસ્થા છે. કેટકેટલા ઉલ્લાસભર્યા દિલે એણે સંયમના સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો છે! પણ આજે આ સ્થિતિ જોતાં અમારું અંતર પણ દ્રવી ઊઠે છે, કકળી જાય છે. ઇન્દ્રરાજ ! તમે તમારા જ્ઞાનથી આપત્તિનું મૂળ કારણ શોધીને તેનું નિરાકરણ કરો , " ભગવંત ! આપ નિશ્ચત રહો. આજે જ વિઘ્નો દૂર થઈ જશે. અવધિજ્ઞાનના અજવાળે શ્રી માણિભદ્ર વીરે જોયું : આ ઉપદ્રવ કરનાર અન્ય કોઈ નથી, મારી સેનાના જ મારા સેવક કાળા-ગોરા ભૈરવદેવ છે. માણિભદ્ર ભૈરવોને બોલાવીને કહ્યું : " ભાગ્યશાળીઓ ! દેવતાના લેબાશમાં દાનવને પણ ન છાજે તેવાં અધમ કૃત્યો તમે શીદને કરી રહ્યા છો? તપ, ત્યાગ સંયમથી ઓપતા આ મહામુનિઓની તો અંતરથી ભક્તિ કરવી જોઈએ, ત્યાં તમે એમને ઉપદ્રવ કરીને મરણશરણ કરી રહ્યા છો ! હવે આ પ્રવૃત્તિ છોડી દો." " સ્વામી ! અમે આપના સેવક છીએ. આપની આજ્ઞા માન્ય કરવી અમારી ફરજ છે; પરંતુ કડવામતી આચાર્યે અમને મંત્રશક્તિથી વચનબદ્ધ કર્યા છે તેથી આ અનુચિત પણ કાર્ય અમારાથી છોડી શકાય તેમ નથી. તે માટે કદાચ અમારે આપના કોપનું પણ ભાજન થવું પડે. આગળ વધતાં આપની Page #657 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 641 કળ જયાં કામ ન લાગે ત્યાં બળપ્રયોગ જરૂરી હોય છે. શ્રી માણિભદ્રઇન્દ્ર પણ જોયું કે વચનથી બંધાયેલ આ ભૈરવ દેવોને પરાસ્ત કર્યા વિના મુનિ મહારાજો પર ઉપદ્રવ દૂર થઈ શકે તેમ નથી. અને તે સાથે જ શ્રી માણિભદ્ર ભૈરવોને યુદ્ધ માટે લલકાર્યા. વિવિધ શસ્ત્ર અસ્ત્ર ને બાહુબળ રાણે મેરવો પોતાના જ સ્વામી સામે આવી ઉભા. બળવાની સામે નિર્બળની લડાઈ ક્યાં સુધી ટકી શકે? અલ્પ સમયની લડાઈમાં જ માણિભદ્રની સામે પરાસ્ત મૈરવદેવોએ પોતાનો પરાજય કબૂલ કરવો પડ્યો. " રામી ! આપની સામે પરાજય પામતાં અમે આપના શરણાગત થયા છીએ. આજથી જ મુનિએ ! એ ઉપદ્રવ દૂર થઈ જશે. સાથે જ અમારી પણ એક વિનંતી છે કે જ્યાં જ્યાં આપની ' ' ન થાય, તે આપના સેવકોરૂપે અમારી પણ સ્થાપના થાય " સસ્મિત વદને શ્રી માણે છે. રે ભૈરવ ની પ્રાર્થના મંજૂર કરી અને તે સાથે જ અનિવારમાં બાલમુનિવરની કાયા નિરોગી બની ગઈ. તે ઓ પૂર્ણ સ્વસ્થ થયા. ઉપદ્રવની શાન્તિ થી માણિભદ્ર ઇન્દ્ર પૂજ્યપ્રવર 4 સ્મરણીય આચાર્ય ભગવંતનાં ચરણોમાં વિનમ્ર વંદ ! ને : ' ગુરુદેવ! જ્યાં બિરાજમાન છે તે જ સ્થળે મારો પૂર્વ માનવદેહ ઢળી પડ્યો હતો ભવે હું આપની કૃપાથી ઇન બન્યો છું. આપ આ સ્થળે મંત્રાક્ષરોથી પિંડીની સ્થાપન - 5 : સ્થાનનો મહિમા વધી જશે ત એ છિની પાવન પરંપરાના જે સાધુ ભગવંતો સૂરિ , 1 પછી મારા સ્થાને આવીને જ કરશે તે સમયે મારું સિંહાસન ચલાયમાન છે, . નૂતન સૂરિદેવની સેવાભ ' પસ્થિત 2 ઇશ. તેમનો ધર્મલાભ મેળવીને હું એ સમજીશ. છે : હે પૂજીએ શ્રી મારે મંદ્ર વીરની હાર્દિક કર્મ સ્વીકાર કરીને તેજ છે ! જ રો થી 1 :ણિભદ્રજી. પગની પિંડીની સ્થાપન, રેસમ્રાટે પિંડીની સ્થાપના કરી છે, ઇન્દ્રને જિ- ર ! અધિષ્ઠાયકની સ , . / છરક્ષકની પદવી પણ ભાવ તો કદ જી. આ પદ પામીને ઇન્દ્ર પરમ હર્ષ વ્ય, , થી માણિભદ્રજીના પગની પિડા રથ ના 1 સ્થાન આજે પણ શ્રી મગરવાડિયા 1 પે પ્રખ્યાત છે. જિ- પરમ પ્રભાવક પૂજય આચાર્ય ભગવં છે. ગત સોમસૂરીશ્વરજી મહારાજા ઉપવા. તે ઉગ્ર તપટ કરીને શ્રી મણિભદ્ર છે નક્ષ કર્યા હતા અને તેમનાં કરક, , , ' ાંડમાં સં.૧૩૩માં મહા સુદ પાંચમ અને દેવસે શ્રી મણિભદ્ર વીરના . ! ! ; માં આવી. જેમાં તેમના મસ્તી " સવા લાગી. આ મુખ્ય કણ સ્થા. . . . . . . અનેક સ્થળોમાં ગામેગામમાં શ્રી મy Jરની મૂર્તિની સ્થાપના થવા પા દિન દિન તેમની સેવાભક્તિનો વ્યા; છે ' દન...ધય '' ગુરુ રક્ષણહાર.. . 'નારી તું વીર સાચો....! Page #658 -------------------------------------------------------------------------- ________________ 642 તપાગચ્છાધિષ્ઠાયક 'શાસનરક્ષક માણિભદ્રવીરના જીવનની યશોગાથા –મુનિ કલ્યાણબોધિ વિજયજી મ. વજન ઊંચકવા માટે શારીરિક સ્ટેમિના જોઈએ છે જ્યારે અણગમતા બે શબ્દો કે અણગમતું વર્તન જોયા પછી એને ગળી જવા માટે માનસિક સહિષ્ણુતા અને ધીરજ જોઈએ છે. શેઠ માણેકચંદ ડાયનેમિક બન્યા તો ગુરુદેવ આનંદવિમલસૂરિજી મહારાજ સ્ટેટિક બન્યા. સહન કરો.. શુદ્ધ બનો. આવાં નાનકડાં વાકયોને જીવનમંત્ર બનાવી દેવામાં આવે તો ન ધારેલાં પરિણામો આવી શકે છે. વિચારોમાં પણ આવી ગયેલી નાસ્તિકતાને હટાવવા નાનકડું નિમિત્ત પણ પુનઃ શ્રદ્ધાસભર બનાવી દે છે. માતાની શ્રદ્ધા, ગુરુદેવનો અનુગ્રહ, શત્રુંજય પ્રત્યેનો ભાવ અને દઢ આત્મવિશ્વાસની આ માણિભદ્રવીરની કથા મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજશ્રીએ ખૂબ જ સુંદર શૈલીમાં રજૂ કરી છે. વચ્ચે વચ્ચે માર્મિક વાક્યોમાં આપેલા ઉપદેશનો બોધ પણ જીવનમાં કાંઈક નવી શોધ કરાવી દે છે. આ લેખના લેખક પૂ. મુનિશ્રી સારા અભ્યાસુ છે. જૈન ગ્રંથભંડારોને સમૃદ્ધ કરવામાં તેમના ગુરુદેવ પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ. સા. સાથે રહીને ઘણી જહેમત લીધી છે. લેખન–પ્રવચનની સાથે સંશોધનક્ષેત્રે પણ પૂજ્ય મુનિશ્રીએ લાંબી દષ્ટિ દોડાવી - સંપાદક માલવદેશમાં અવંતી નગરી જે જે ઉજ્જૈન તરીકે પ્રસિદ્ધ છે તેમાં ૫00 વર્ષ પૂર્વે પંદરમી સદીમાં એક ધાર્મિક કુટુંબ વસતું હતું. શ્રાવકનું નામ ધર્મપ્રિય હતું. શ્રાવિકા પણ સાન્વર્થ 'જિનપ્રયા' નામના ધારક હતાં. તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. માણેકશા તેનું નામ રખાયું. આ માણેકશા એ જ ભાવિના માણિભદ્રવીર... બધી જ અનુકૂળતાઓ મળી જતી હોત તો સંસારને દુઃખમય કહેવો વ્યર્થ થઈ જાત. કર્મને વક્રી પણ ન કહી શકાત. કરોડો-અબજોની સંપત્તિ છે. સેંકડો દાસદાસીઓ છે. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય Page #659 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 643 છે. દુઃખ કે વ્યથા સ્વપ્રમાં પણ દેખા દેતી નથી. પરિવાર પણ અનુકૂળ છે. દોગંદકદેવ જેવા ભોગસુખની સામગ્રીનો ભોગવટો માણતા આ પરિવાર ઉપર એકાએક કાળભૈરવ ત્રાટક્યો. એક ગોઝારી ક્ષણે પિતા ધર્મપ્રિયનો આકસ્મિક દેહાંત થયો. માણેકશા બાળ છે છતાં તેની ચતુરાઈનો પાર નથી.બુદ્ધિપ્રતિભા ગજબની હતી. ઓજસ્વી નૂર ભલભલાને આકર્ષે એવું હતું. પતિના આકસ્મિક અવસાનથી વ્યથિત પત્ની જિનપ્રિયાને કારમો આઘાત લાગ્યો છતાં કુદરત, કર્મ અને ભવિતવ્યતાના તત્ત્વજ્ઞાનને સમજેલી શ્રાવિકાએ મન મનાવી લીધું. શોકમય અવસરને શ્લોકમય બનાવી પુત્ર પ્રત્યે માતાપિતા ઉભયની ફરજ બજાવવામાં એવી લાગી પડી કે પુત્રને છાપરું ઊડી ગયાનો ખ્યાલ જ ના આવે. કાળના પ્રવાહની સાથે માણેકશા મોટો થતો ગયો. પિતાની ગેરહાજરીનું ભાન થતાં ઘરનો કારભાર માથે લઈ લીધો. પ્રતિભા, પુણ્ય અને પરાક્રમના ત્રિવેણી સંગમ માણેકશાએ ટૂંક સમયમાં સર્વક્ષેત્રે અણધારી સિદ્ધિઓ હાંસલ કરી. ધંધાનો વિકાસ, સમૃદ્ધિનો વિકાસ, સાંસારિક વ્યવહારોનો વિકાસ! પુણ્ય જાણે સોળે કળાએ ખીલી ઊઠ્યું. સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે પણ માણેકશાએ માતા–પિતાએ પ્રગટાવેલા ધર્મ–સંસ્કારના દીવડાને ઝાંખો પડવા દીધો ન હતો. ઉપરથી ઉત્તરોત્તર ધર્મકાર્યો દ્વારા સંસ્કારદીપકને વધુ પ્રજ્વલિત કર્યો હતો. ધન વધતાં ધર્મ વધે એ એક આશ્ચર્ય જ ગણાય. જમાનાવાદના ચક્કરમાં કે સમૃદ્ધિના કેફમાં વ્હાલસોયો દીકરો સર્વતોમુખી પાયમાલી નોતરી ના બેસે એ માટે માતા જિનપ્રિયા સજાગ હતી. ધંધાનો વિકાસ ઉજ્જૈનથી પાલી સુધી વિસ્તર્યો હતો. શરીર ઉપર યુવાનીના તેજલિસોટા ઊભરાતા હતા. સમય પારખુ માતાએ ધારાનગરીના હીમાશેઠની પુત્રી આનંદરતિ સાથે તેનું લગ્ન કરાવી આપ્યું. મોક્ષને નજર સમક્ષ રાખી ધર્મ, અર્થ અને કામ - ત્રણે પુરુષાર્થો એકબીજાને બાધક ના બને એ રીતે સ્પર્ધાથી પ્રગતિ કરી રહ્યા હતા. મહાસંયમી આનંદવિમલસૂરિ આ કુટુંબના ઉપકારી ગુરુ હતા, માણેકશાને આનંદરતિ ઉપર જેવો નિર્મળ પ્રેમ હતો તેવી જ નિર્મળ શ્રદ્ધા આ family ગુરુ ઉપર હતી. તેમની જ પ્રેરણા પામીને ધર્મની જ પ્રધાનતા રહે અને સંસારમાં રહીને પણ આત્મશુદ્ધિ અને પુન્યવૃદ્ધિ થતી રહે એ હેતુથી ઘરમાં એક ભવ્ય ગૃહમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પરમાત્મા નિકટ આવતાં માણેકશાનો આત્મા વિશેષ ધર્મોન્મુખ બન્યો. એક બાજુ ગુરુદેવોના પ્રવચન-અમૃતનું પાન કરી શાસ્ત્રજ્ઞાનને આત્મસાત્ કર્યું તો બીજી બાજુ કાલોચિત પૌષધ-પ્રતિક્રમણ–પરમાત્મભક્તિ – પાંચ અણુવ્રતોના પાલન વિ. ધર્માનુષ્ઠાનોનાં આચરણ કરી ક્રિયારુચિ પણ આત્મસાત્ કરી. Page #660 -------------------------------------------------------------------------- ________________ 644 તપાગચ્છાધિષ્ઠાયક સંસારના ક્ષેત્રે અર્થ-કામની પરાકાષ્ઠા હતી. સંસારની દુઃખદ અસારતાનું ભાન જાગૃત હોવાથી હૃદયમાં દેવગુરુ વજવતું અંકિત થઈ ગયા હતા. જીવનમાં કેન્દ્રસ્થાને ધર્મ જ પ્રધાન હતો. સાંસારિક સિદ્ધિઓ સાથે જીવનનૈયા અધ્યાત્મના લક્ષ્ય ભણી આગળ વધી રહી હતી. ન હતી કોઈ પ્રતિકૂળતા કે ન હતી કોઈ ઊથલપાથલો, ન હતી કોઈ ચિંતા કે ન હતી કોઈ હૈયાહોળીઓ. પણ કર્મની વિચિત્રતાથી કોણ અજાણ છે? સોહામણા સંસારમાં વિપબિંદુઓનો પ્રક્ષેપ ના કરે ત્યાં સુધી તેને ચેન કેમ પડે ? બન્યું એવું કે ગુરુનો અન્યત્ર વિહાર થયો. જ્ઞાનવૃષ્ટિના વિયોગે વિવેક–ખેતર ઉજ્જડ. બનવા લાગ્યું એટલું જ નહીં પણ કુવૃષ્ટિનું ભોગ બન્યું. લોકાગચ્છના યતિઓએ તકનો લાભ લઈ માણેકશાના મન ઉપર કબજો જમાવ્યો. સરળહૃદયી અને નિષ્કપટ મનવાળા માણેકશાની શ્રદ્ધાની ઉન્નત ઇમારતોને કકડભૂસ કરવામાં યતિઓને વાર ન લાગી. પ્રતિમા ખોટી છે. પરમાત્માની સ્થાપના એક બનાવટ છે. પથ્થરમાં તે વળી પરમાત્મા શે સંક્રાંત થઈ શકે? હૃદયમાં જ પરમાત્માને બિરાજમાન કરવાના છે, પથ્થરનાં મંદિરોમાં નહીં. પથ્થરને પૂજવાથી પુણ્ય શે ઊભું થાય? પૂજા તો આત્મતત્ત્વની થાય, ધ્યેય અને ઉપાસ્ય તત્ત્વ તો આત્મા છે, પથ્થરનાં ઢેફાં નહીં, જાપ-ધ્યાન-સ્વાધ્યાય વિ. નિરારંભ યોગસાધના દ્વારા જ આત્માની નિકટતા સાધી શકાય છે. પથ્થરને ભગવાન માનવામાં કેટલી મૂર્ખામી ? જડ તત્ત્વમાં ચેતનત્વ જ નહીં, પરમાત્મતત્ત્વ માનવાનું ગાંડપણ, પથ્થરની પ્રતિમા સાચવવા કરોડો-અબજો રૂપિયાનો ધુમાડો, જડ એવી પ્રતિમાને પૂજવા પૃથ્વી, પાણી, ફૂલ, અગ્નિ જેવા જીવતત્ત્વનો નૃશંસ સંહાર, અંધશ્રદ્ધાનો ભ્રામક ફેલાવો. લીંકાયતિઓએ રોજરોજના સંપર્કમાં માણેકશાના મગજમાં પ્રતિમા વિરુદ્ધ શંકાનો કીડો એવો ઘુસાડી દીધો કે તેને બધી જ વાત સાચી લાગી, તાત્ત્વિક લાગી. " પ્રતિમા એ સાક્ષાતુ પરમાત્મા જ છે" એવી આનંદવિમલસૂરિએ જગાવેલી શ્રદ્ધાની જ્યોત યતિઓની કાનભંભેરણીના વાવાઝોડામાં બુઝાઈ ગઈ. સાચું સમજવા માટે આખી જિંદગી પણ ઓછી પડે અને ખોટું સમજવા માટે એક ક્ષણ કાફી છે. - હવે પ્રતિમામાં પથ્થર દેખાય છે. ગૃહમંદિર કર્યાનો અફસોસ થાય છે. ધર્માનુષ્ઠાનો અને ક્રિયાયોગમાં જડતા ભાસે છે. મિથ્યા યતિઓમાં સાચા ગુરુતત્ત્વનાં દર્શન થાય છે. પૂજા – પૌષધ – ધર્મક્રિયાઓ તરફથી માં ફેરવી ધ્યાનાભ્યાસ દ્વારા આત્માની નિકટ પહોંચવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. બુદ્ધિ સદ્ હોય ત્યાં સુધી જ જીવન પ્રકાશમય હોય છે. બુદ્ધિમાં વિકૃતિનો પગપેસારો થતાંની સાથે જીવન ભડકે બળે છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 645 માણેકશાના આંતર જીવનની આ એક મોટી ઊથલપાથલ કહી શકાય. મળેલા સાચા દેવ-ગુરુ-ધર્મ-તત્ત્વની યથાર્થ પર્યાપાસનાને તરછોડી મિથ્યા–ભ્રામક મતમાં મન સમર્પિત કરી જીવન પાયમાલ કરવાનો એક ખતરારૂપ આ અખતરો હતો. અમર બનવા માટે વિશ્વના પ્યાલાને હસતાં હસતાં ગટગટાવવાનું દુઃસાહસ હતું. માણેકશા માર્ગશ્રુત થયા પણ માતા અને પત્ની સ્થિતપ્રજ્ઞ હતાં. પુત્ર જિનકથિત શાસ્ત્રમાર્ગથી ટ્યુત થઈ રહ્યો છે તેનું પૂર્ણ ભાન માતાને હતું; પણ પરિસ્થિતિ એવી હતી કે ન તો તે પુત્રને કુગુરુની માયાજાળમાંથી છોડાવી શકે કે ન પુત્રને સમજાવી શકે. જિનપ્રિયા જિનધર્મની કટ્ટર અનુરાગિણી જનેતા હતી તેથી જ પુત્રના મોતનું દુઃખ હજી તે સહી શકી હોત; પણ પુત્રના મિથ્યાત્વગમનનું દુઃખ તે સહી ન શકી. મોત એક જીવન ખૂંચવી શકે, મિથ્યાત્વનું વિષ જનમોજનમ બરબાદ કરી શકે. બેચેન માતા નિરુપાય હતી. પુત્રની નાસ્તિકતા જોઈ તેનું અંતર ફાટી જતું હતું. અકળ વ્યથાથી અકળાઈને એક ભીષ્મ અભિગ્રહ લઈ લીધો કે " જ્યાં સુધી પુત્ર પુનઃ સન્માર્ગે આવે નહીં ત્યાં સુધી છએ વિગઈનો ત્યાગ.” માતાના આ ત્યાગમાં પુત્રના પારમાર્થિક હિત સહિતનું અપરંપાર વાત્સલ્ય ઝળહળતું હતું. મોક્ષમાં સ્થિર ના થવાય ત્યાં સુધી આવી કલ્યાણકારી જનેતાના ખોળે જન્મ મળતો રહે એવી માંગણી કરવાનું મન થઈ જાય. દોમદોમ સાહાબીની રેલમછેલ વચ્ચે માતા વ્યથિત છે. પત્ની દુઃખી છે. તેણે પણ છે વિગઈનો ત્યાગ કરેલ છે. કારણ, માણેકશા ભાવપ્રાણ સમાન સદ્ધર્મથી ભ્રષ્ટ થઈ રહ્યા છે. કથળતે હૈયે માતાએ તપાગચ્છીય હેમવિમલસૂરિને (કે જેઓ આનંદવિમલસૂરિના ગુરુ હતા) સઘળી હકીકત જણાવી. નાના માણસની મોટી ભૂલો એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન મોટા માણસોની નાની ભૂલ કરે છે. માણેકશા જેવી સમર્થ વ્યક્તિ માર્ગભ્રષ્ટ થતાં તેના આલંબને અનેક ભદ્રિક જીવો બોધિદુર્લભ થાય તેવી શકયતા જણાતાં ગુરુદેવશ્રી એક આત્માને મિથ્યાત્વના કારાવાસમાંથી મુક્ત કરવા આવી પહોંચ્યા. બહાર ઉદ્યાનમાં ઊતર્યા છે. આ બાજુ પ્રિયા આનંદરતિએ માણેકશાને માતાના છ વિગઈત્યાગની વાત કરી સમજાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા છતાં હજી કુમતની પકડ છે. કુગુરુના કદાગ્રહથી વાસિત મન છે એટલે હેમવિમલસૂરિ આવ્યાના સમાચાર સાંભળી આનંદના બદલે દ્વેષ થયો." મને ઠેકાણે લાવવા આવતા સાધુને જ ઠેકાણે લાવી દઉં " –એવી દુર્ભાવનાથી સાધુઓની સમતાની પરીક્ષા કરવા રાત્રીના સમયે મશાલ લઈ સાધુના ઉપાશ્રયમાં ગયા, રાત્રીની નીરવ શાંતિ છે, ઉપાશ્રયમાં સહાયક શ્રાવકોનો અભાવ છે, સાધુઓ તો ધ્યાનમાં મગ્ન છે. ધસમસતા માણેકશાએ રાળગતી મશાલ સાધુની દાઢી નીચે મૂકી, દાઢીના વાળ બળવા છતાં મુનિઓ ન તો ધ્યાનમુકત થયા, ન તો કષાયયુક્ત થયા. ન કોઈ હાયહોય કરી કે ન કોઈ Page #662 -------------------------------------------------------------------------- ________________ 646 - તપાગચ્છાધિષ્ઠાયક પ્રતિકાર. શ્રમણોની ક્ષમતાપૂર્ણ સમતા જોઈ માણેકશા ઠંડાગાર થઈ ગયા. હવે અંતરમાં વલોપાત થયો. વિશ્વવંદ્ય સંતોને સતામણી કરવાની ભયંકર ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ થયો. ભડભડતી મશાલ સામે સાધુઓએ છોડેલા સમતાપૂર્ણ મૌનના કામણગારા શસ્ત્રથી ઘવાયેલ માણેકશાને કયા મોઢે માફી માંગવી તે સમજાતું ન હતું. કયા ભવના કુકર્મએ આવી કુબુદ્ધિ કરાવી, તેની કલ્પના તે ન કરી શક્યા. સાધુને સળગાવવા નીકળેલ માણેકશાનું અંતર ભૂલના પશ્ચાત્તાપમાં સળગી રહ્યું હતું. અશ્રુઓની ધારાથી પાપના ડાઘોને સાફ કરવાનો પ્રયત્ન આખી રાત ચાલ્યો. મૌન અને સમતાના અમોઘ શસ્ત્રથી શત્રુ પરાસ્ત થઈ જ ગયો હતો. હવે તો આશ્વાસનના મલમપટ્ટા કરી ઘા રૂઝવવાનું કામ જ કરવાનું હતું. અવસર જાણી ગુરુએ કરુણાદ્ધ સ્વરે કહ્યું – વત્સ ! જે થયું તે ભૂલી જા. પશ્ચાત્તાપની આગમાં તારાં પાપો સાફ થઈ ગયાં છે. જીવનમાં આવેલા આત્મઘાતક અવરોધમાંથી ઊગરવાનો અવસર પ્રતીક્ષા કરી રહ્યો છે. ઊજળી ભવિતવ્યતાના સહારે ખૂંખાર મિથ્યાત્વનો ખાત્મો બોલાતાં કુગ્રહનો ત્યાગ થઈ ગયો છે. વિવેકચક્ષુનો ઉઘાડ થઈ ચૂક્યો છે, વત્સ! પુનઃ સન્માર્ગે પ્રવૃત્ત થા.. મિથ્યાત્વથી અંધ નાસ્તિકને જ પરમાત્મામાં પથ્થર દેખાય છે. જો આ પથ્થર જ હોત તો બુદ્ધિનિધાન દેવતાઓ તેને પૂજવાની મૂર્ખામી કેમ કરે? અબજો રૂપિયાનો સદ્વ્યય મંદિર-મૂર્તિઓના સર્જન પાછળ પૂર્વજો કેમ કરે? ભક્તિઘેલા અવધૂતો પ્રતિમા જોઈ ગાંડાઘેલા કેમ બની શકે ? પરમાત્મતત્ત્વના આરોપણથી પ્રતિમા પરમાત્મસ્વરૂપ બની જાય છે. ઉંદરના ફૂંફાડામાં પણ સર્પની શંકા થતાં લોહી ઝેરી બની જતાં મોતને ભેટી પડાય છે. આ તાકાત છે ભાવની. ભાવસૃષ્ટિમાં સંચરવા બુદ્ધિ નહીં, શ્રદ્ધાનો સથવારો જોઈએ. શ્રદ્ધા શિખર ઉપર પહોંચાડે છે. શંકા તળીએ બેસાડી દે છે. શ્રદ્ધાપૂર્ણ સમર્પણ વિના ઉત્થાન શક્ય નથી. પતન નિશ્ચિત છે. કુગુરુનો ભેટો થયો એ તારો પાપોદય કહી શકાય; પણ તેમણે બતાડેલો કુમત તને આત્મસાત્ થઈ ગયો એ મહા પાપોદય કહી શકાય. ગુરુના મુખમાંથી નિઃસ્મરતા કરુણાપૂર્ણ બોધના ધોધમાં માણેકશા પ્લાવિત થઈ ગયા. મિથ્યા મતની અશુદ્ધિ દૂર થતાં આત્મા નિર્મળ થયો. પ્રલયકાળનો ઝંઝાવાતી વંટોળિયો પણ શ્રદ્ધાના મેરુ પર્વતની કાંકરી ન ખેરવી શકે એવી અચલતા અને અડગતા પુનઃ આત્મસાત્ કરી લીધી. રત્નની પ્રાપ્તિ થતાં કાચના ટુકડા સહજ છૂટી જાય છે. સત્યના સૂરજનો ઉદય થતાં અસત્યના અંધકારને ભાગ્યે જ છૂટકો છે. ગુરુમાતા અને જનેતાના આનંદનો પાર ન રહ્યો. જીવનમાં અને ઘરમાં ધર્મ પુનઃ ધબકતો Page #663 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ = , 647 થઈ ગયો. કાર્યસિદ્ધિ થતાં હેમવિમલસૂરિએ આગ્રા તરફ વિહાર કર્યો. - હવે બે મહત્ત્વની ઘટનાઓ બને છે. માણેકશા જેવી સંપન્ન અને સમર્થ વ્યક્તિ પોતાની પક્કડમાંથી હેમવિમલસૂરિએ મુક્ત કરાવી એ વાતની જાણ થતાં યતિઓ સમસમી ગયા. સત્ય તો સુવર્ણ જેવું છે, તેને નહીં, અસત્યના પિત્તળિયા ચળકાટને જ કાટનો ભય હોય છે. કાલાગોરા ભૈરવની અઘોર સાધના કરી તેને પ્રગટ કર્યો. હેમવિમલસૂરિનો શિષ્ય પરિવાર સાથે સર્વનાશ નોતરવા આદેશ કર્યો. પોતાના જેવા ગુરુથી ઉપદિષ્ટ અને મંત્રશક્તિની પરાધીનતાથી આદિષ્ટ ભૈરવે સૂરિજીનો સત્યાનાશ કાઢવા એક પછી એક શિષ્યના શરીરમાં પ્રવેશ કર્યો. અનેકમાં ગાંડપણ ઊભું કર્યું. અરે! આ આસુરી શક્તિના દુષ્ટ ભરડામાં દસ શિષ્યો મરણને શરણ થઈ ગયા. આસુરી શક્તિનો સજ્જડ સામનો કરવા, વ્યથિત છતાં નિર્ભય સૂરિજીએ સૂરિમંત્રની સાધના શરૂ કરી. મંત્રબળથી સૂરિમંત્રના અધિષ્ઠાયક શાસનદેવતા આકૃષ્ટ થયા – હાજર થયા. દેવી શક્તિના આવિષ્કારની વાત સૂરિએ પ્રસ્તુત કરી. દેવતા કહે, આપની સતામણી કરતા ભૈરવની દુષ્ટ શક્તિની સફળતામાં આ ક્ષેત્ર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપ વિહાર કરી ગુજરાત પધારો. ગુજરાતની હદમાં આવી અઠ્ઠમની આરાધના કરશો તો નિશ્ચિત નિરુપદ્રવ થઈ જશો. દિવ્ય સંકેત થતાં નિરૂપાય સૂરિજીએ ગુજરાત ભણી ડગ માંડ્યાં. આ બાજુ માણેકશાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મનો ચળકાટ ચમકતો હતો. મનમાં નિશ્ચય અને જીવનમાં વ્યવહાર ધબકતો હતો. ઉત્સર્ગ અને અપવાદ, લાભ અને નુકસાન, હેય અને ઉપાદેય- આ બધું સૂક્ષ્મબુદ્ધિગમ્ય શાસ્ત્રજ્ઞાન તેની રગેરગમાં વ્યાપી ગયું હતું. પ્રવચન-શ્રવણનું જાણે વ્યસન પડી ગયું હતું. વૈપારાર્થે પાલીમાં વસતા માણેકશાએ ગુરુદેવશ્રીને અત્રે જ ચાતુર્માસ કરવા ભાવપૂર્ણ વિનંતી કરતાં ગુરુજીએ તેનો સ્વીકાર કર્યો. તેઓ પણ ચાતુર્માસ ત્યાં જ રહ્યા. શાસ્ત્રજ્ઞાનના અમીપાન કરતાં કરતાં તેમનો આત્મા ધરાતો ન હતો. જેના અણુએ અણુએ અનંતા આત્માઓ અજર અમર બન્યા છે, જેની સ્પર્શના માત્રથી અગણિત મહાપાપીઓ પણ મુક્ત થયા છે; ચૌદ ક્ષેત્રમાં જેના જેવું પાવન ધામ એકે નથી, પૂર્વ નવાણું વાર જે પુનિત ભૂમિ ઉપર પ્રથમ તીર્થપતિ ઋષભદેવ પધાર્યા હતા, જેના દર્શન માત્રથી ભવ્યત્વની છાપ નિશ્ચિત થઈ જાય છે, સાક્ષાત્ સીમંધરસ્વામી જે તીર્થભૂમિનાં વખાણ કરી રહ્યા છે, એવા તરણતારણ શત્રુંજય તીર્થાધિરાજના માહાભ્યના વર્ણનની સરિતા સૂરિજીના મુખમાંથી ખળખળ વહેતી હતી. માહાભ્ય સુણી માણેકશાનો મનમોરલો શત્રુંજયની જાત્રા કરવા થનગની ઊઠ્યો. કષ્ટસાધ્ય ઉત્કૃષ્ટ સાધના સાથે સિદ્ધગિરિની સ્પર્શના કરવાની ભાવના થઈ. ચોવિયાર ઉપવાસ કરી ઉઘાડા પગે મૌન પાળી સંઘ સહિત યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. પાલીસ્થિત ગુરુ આનંદવિમલસૂરિની આશિષ સાથે પ્રયાણ શરૂ કર્યું. લાંબું અંતર આવી ઘોર Page #664 -------------------------------------------------------------------------- ________________ 648 તપાગચ્છાધિષ્ઠાયક સાધના સાથે કાપવાનું ઘણું કઠણ જરૂર હતું, પણ ગુરુદેવના આશિષ સાથે હતા. અંતરમાં શત્રુંજયની રટના હતી. દિનપ્રતિદિન ભાવોલ્લાસ ઉછાળા મારતો હતો. શત્રુંજય પહોંચી આંતરશત્રુઓ ઉપર જય કરવાની અદમ્ય ઝંખના હતી. સાતમા દિવસે પાલનપુર નજીક મગરવાડા ગામે પડાવ થયો. ચોર-લૂંટારા-ભીલોએ માણેકશાને ઘેરી લીધા. જે હોય તે માલ-મિલકત સોંપી દેવા જણાવ્યું. માણેકશા મૌન હતા. શત્રુંજયના ધ્યાનમાં લીન હતા. મિલકત લૂંટાઈ જાય તેની ચિંતા ન હતી, કે મોત આવે તેનો ભય ન હતો. મિલકત તો ઠીક પણ સામો જવાબ કે લેશમાત્ર પ્રતિભાવ ન મળવાથી લૂંટારાઓ અકળાયા, માણેકશાના મનમાં તેમને પોતાનું હળાહળ અપમાન થતું લાગ્યું, અને ક્રોધાંધ બની તલવારના એક ઝાટકે માણેકશાના ત્રણ ટુકડા કરી નાખ્યા. અણસણ અને શાશ્વતગિરિના ધ્યાનમાં મૃત્યુ પણ મહોત્સવ બની ગયું. મંગલ મરણં ય સફલ તસ્ય જીવન જીવન તેનું સફળ છે જેનું મોત મંગલકારી છે. જે મોત વખતે પીડાનો અભાવ નહીં પણ હાયહોયતનો અભાવ હોય, ધ્યાન-સમાધિની વસંત ખીલી ઊઠી હોય તે મોતને જ મંગલકારી કહી શકાય. શેઠ માણેકચંદ મૃત્યુ પામી તપાગચ્છના શાસનરક્ષક અધિષ્ઠાયક માણિભદ્ર વીર બન્યા, ગુરુદેવ આનંદવિમલસૂરિને રાત્રીના સમયે મગરવાડાની ઝાડીમાં પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે – જૈન ધર્મ ઉપર આવતી આફતો સામે હું તપાગચ્છની રક્ષા કરીશ. આપના ઉપાશ્રયોમાં મારી પ્રતિષ્ઠા કરાવજો. - તપાગચ્છના કોઈપણ નૂતન આચાર્ય પ્રથમ ધર્મલાભ મને પાઠવશે અને અહીં આવી અમ કરી સાધના કરશે તો તેના પ્રભાવે મારું સિંહાસન કંપશે અને હું સેવામાં હાજર થઈશ. ' તપાગચ્છ પટ્ટાવલી' નામના ગ્રંથમાં આ ઐતિહાસિક ઘટનાના પુરાવા છે. આ બાજુ હેમવિમલસૂરિ ગુજરાતની સરહદ ઉપર પધાર્યા. ઉપદ્રવથી મુક્ત થવા મગરવાડામાં અઠ્ઠમ તપની આરાધના કરી. માણિભદ્ર વીરનું આસન કંપતાં અવધિજ્ઞાનથી જાણી પરિવાર સાથે પધારી ઓળખાણ આપી કાર્યપૃચ્છા કરી. સૂરિજીએ ઉપદ્રવ શાંત કરવા જણાવ્યું. અવધિજ્ઞાનથી કાલાગોરા ભૈરવનો ઉપદ્રવ જોઈ તેને બોલાવ્યો – સમજાવ્યો. છતાં ના માનતાં યુદ્ધ છેડ્યું. તેને જીતી ઉપદ્રવ શાંત કર્યો. માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક શાસનરક્ષક સમ્યગ્દષ્ટિ દેવ છે. વ્યંતરના છઠ્ઠા ઈદ્ર છે. એકાવનારી છે. દેવલોકમાંથી ચ્યવી મનુષ્યભવ પામી ચારિત્ર લઈ મોક્ષ પામનાર છે. બાવન વીર, ચોસઠ યોગિનીઓ, ૨૦ હજાર સામાનિક દેવો જેમની સેવામાં છે, સાત સૂંઢવાળો ઐરાવત હાથી તેમનું વાહન છે, પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો કળશ છે; બીજી છ સૂંઢમાં રક્તવર્ણનાં પુંડરીક કમળો છે, કપાળે સુવર્ણમય લાલ મુગટ. ગળામાં રત્નનાં આભૂષણ છે. વટવૃક્ષની Page #665 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 649 શાખાવાળું છ ભુજાવાળું ત્રિશૂળ – ડમરૂ – મૃગદળ – અંકુશ- નાગપાશ- રત્નમાળા વિ. ચિહ્ન ભિન્ન ભિન્ન હાથમાં રહેલાં છે. જે તીર્થાધિરાજ શત્રુંજય અને આદીશ્વર પરમાત્માના પ્રભાવે પોતે માણિભદ્ર થયા તેમની કાયમી સ્મૃતિ અંકિત કરવા વરાહના મુખના અગ્રભાગે જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા ધારણ કરીને તેમાં આદીશ્વર પ્રભુનાં પ્રતિમાજી સ્થાપિત કરેલ છે. તેના દર્શન માટે જ દષ્ટિ હેજ ઊંચી રાખેલ છે. આજે તેમનાં ત્રણ વિશિષ્ટ સ્થાનો વિધમાન છે – (૧) ઉનમાં ક્ષિપ્રા નદીના કિનારે સિદ્ધવડ નામથી પ્રસિદ્ધ સ્થાન છે ત્યાં તેમનું મસ્તક પૂજાય છે. (૨) પાલનપુર-સિદ્ધપુરની વચ્ચે આવેલ મગરવાડામાં ઢીંચણ (પિંડી) પૂજાય છે. (૩) આગલોડમાં ધડ પૂજાય છે. ॐ आसिआउसा नमः श्री माणिभद्र दिसतु मम सदा सर्वकार्येषु सिद्धिं ॥ અનેક મંત્રો પૈકી આ ચમત્કારી મંત્ર વીરની સાધના માટે સર્વશ્રેષ્ઠ છે. સુદ પાંચમ – આઠમ – કે ચૌદસે, રવિ-મંગળ કે ગુરુવારે આયંબિલના તપ સાથે એકાગ્ર ચિત્તે નિર્મળ હૃદય અને નિઃસ્વાર્થભાવે ર૧ દિવસ સુધી લગાતાર વીરનો ઉક્ત મંત્ર દ્વારા ઉક્ત સ્થાનોમાં જાપ કરવાથી નિશ્ચિત ઇષ્ટફળની સિદ્ધિ થાય છે. આસો સુદ ૧૦, મહા સુદ ૧૦ અને વૈશાખ સુદ ૩ વીરની સાધના માટેના મહત્ત્વના દિવસો છે. પૂર્વભવમાં આસો સુ. ૫ ના તેમણે શત્રુંજયની યાત્રા માટેની દઢ પ્રતિજ્ઞા કરી હતી તેથી એ દિવસે વિશિષ્ટ સ્થાનોમાં વીરના મહાપૂજન સ્વરૂપ બૃહત્ હોમની વિધિ થાય છે. વ્યંતર માટે " વનોમાં રહે તે વ્યંતર" એવી સ્કૂલ વ્યાખ્યા કરાઈ છે. મધ્યલોક અને અધોલોકમાં તેઓનું આવાગમન હોય છે. મિત્રભાવે સહાય કરે અને વેરભાવે છોતરાં ઉખેડી નાખે. ભક્તિ કરનારને વરદાન આપી ન્યાલ કરી દે તો અપમાન કરનારને શાપ આપી પાયમાલ કરી દે. | વ્યંતરના (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંપુરુષ (૭) મહોરગ (૮) ગાંધર્વ –આ આઠ ભેદ બતાડ્યા છે. તેમાંનો ત્રીજો ભેદ યક્ષ' છે. તેના ૧૩ પ્રકાર છે. (૧) પૂર્ણભદ્ર (૨) માણિભદ્ર (૩) શ્વેતભદ્ર (૪) હરિભદ્ર (૫) સુમનોભદ્ર (૬) વ્યતિપાકભદ્ર (૭) સુભદ્ર (૮) સર્વતોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૧૦) ધનાધિપ (૧૧) ધનાહાર (૧૨) રૂપયક્ષ (૧૩) યક્ષોત્તમ. આમાં બીજા ભેદમાં માણિભદ્રવીરનું સ્થાન છે. યક્ષોનો વર્ણ શ્યામ હોય છે. ધજામાં વટવૃક્ષનું ચિહ્ન હોય છે. આઠે વ્યંતરના બે-બે મુખ્ય ઇન્દ્રો હોય છે. તેમાં પક્ષના બે ઇન્દ્રો Page #666 -------------------------------------------------------------------------- ________________ 650 તપાગચ્છાધિષ્ઠાયક પૂર્ણભદ્ર અને માણિભદ્ર છે. માણિભદ્રવીર જાગૃત છે. સાધના કરનારને અચૂક સહાય કરે છે. – શાંતિસોમસૂરિએ ૧ર૧ ઉપવાસ કરી વીરને પ્રત્યક્ષ કર્યા હતા. – મુલુંડના આરાધક ભાઈઓ પાબલ મુકામે (મહારાષ્ટ્રમાં) ગયા હતા. રાત્રે મોડું થતાં દેરાસર માંગલિક થઈ ગયું હતું. સવારે વહેલા નીકળી જવાનું હતું. યાત્રાળુઓએ વીરને યાદ કરતાં જ દેરાસરનાં દ્વાર આપોઆપ ઊઘડી ગયાં. સૌના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. પરચાઓને પુરવાર કરનારાં આવાં તો ઢગલાબંધ દષ્ટાંતો મળે છે. WASWAVIVA VIVA ર *HINA . . - - ..* * * * * ક . , , * . TV . * : I દિન. . III Page #667 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ શ્રી માણિભદ્રદાદાનું દુર્લભ શાસન * પૂ.સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ સાવ સરળ અને સાદી ભાષામાં લખાયેલ આ લેખ સાધ્વી—સમુદાયમાંથી સંપ્રાપ્ત થયેલ આ એક વિરલ લેખ છે, જે પ્રાયે લેખિકાની નાની ઉમ્ર-પર્યાયથી શ્રી માણિભદ્રદાદા પ્રતિ શ્રદ્ધા-બહુમાનની અભિવ્યક્તિની જરૂર પ્રતીતિ કરાવે છે. માણેકશાહના જીવનચરિત્રને વાર્તારૂપે વહાવતો આ લેખ આબાલગોપાળ સૌને ગમે તેવો છે. આ કથાલેખના વાંચન પછી અન્ય વિદ્વાનોના લેખો જે પણ્યશાળી પુરુષનાં જીવન–રહસ્યો માટે પ્રકાશિત થયા છે, તે સમજવા વધુ સુગમ અને સરળ બનશે. તપાગચ્છના સંરક્ષણની જવાબદારી સ્વીકારનાર તથા તેને અદા કરનાર યક્ષરાજ શ્રી માણિભદ્રજી છે. આથી જ તપાગચ્છીય સર્વ સ્થાનોમાં તેઓશ્રીની સન્માનનીયતા જોવામાં આવે છે. 651 મહાપુરુષોના આવા જીવનકવનમાંથી આપણે હંમેશાં આત્મગુણો મેળ વવા પ્રયત્ન કરીએ. ભાવકરુણાના સાગરસમાં આવા જ્ઞાની સાઘ્વીરત્નો પોકારી પોકારીને આપણને જીવનમા હરપળે સાવધ રહેવાનું કહે છે. શુભનિષ્ઠા અને શુભ ભાવનાથી શરૂ કરેલા દરેક શુભ કાર્યોમાં હમેશા કોઈ અદશ્ય શક્તિ સહાયક બની જ રહે છે તેમાં કોઈ શંકા નથી. - સંપાદક ઉજ્જૈનીનગર : માળવા નામનો વિખ્યાત દેશ છે. તેમાં ઉજ્જૈની નામે સુવિખ્યાત નગરી આવેલી છે. તેની આજુબાજુ ઘણાં તીર્થો આવેલાં છે. હતી. તે વાણિજ્ય—વેપારથી ધમધમતી હતી. આ નગરીની ભવ્યતા, જાહોજલાલી અપૂર્વ Page #668 -------------------------------------------------------------------------- ________________ 652 તપાગચ્છાધિષ્ઠાયક અનેક રાજાઓ જનતા–પ્રજાના પાલક હતા. જિનમંદિરો, ઉપાશ્રયો, જૈનેતરનાં મંદિરો, હવેલીઓ વગેરે ધર્મસ્થાનોથી મંડિત આ નગર વિભૂષિત હતું. તેમ જ હાટ, હવેલી, ગવાક્ષ-મહેલોથી આ નગર શોભતું હતું. આ નગરના રાજા પ્રજાપાળ રાજા (શ્રી શ્રીપાળ રાસમાં મયાણાસુંદરીના પિતા તે) સિંહાસને બિરાજતા હતા. પંદરમા સૈકાનો એ સમય હતો. અનેક શ્રાદ્ધગુણસંપન શ્રેષ્ઠિઓ ત્યાં વસતા હતા. તેમાં જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મની આરાધનામાં ઓતપ્રોત રહેતા ઓસવાલ વંશના ધર્મપ્રિય જેનું નામ છે તેવા જ ગુણસંપન્ન શ્રેષ્ઠી અને જિનપ્રિયા નામે તેમનાં ધર્મપત્ની વસતાં હતાં. પતિપત્ની બને સંસ્કારી, સદાચારી, સદ્ગુણી, પરોપકારી વગેરે ગુણોથી સંસારમાં જીવન વ્યતીત કરતાં હતાં. સંસારના પથ પર ચાલતાં એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ માણેક પાડ્યું. કુટુંબ વિશાળ હોવાથી પુત્રનો લાડકોડથી ઉછેર થતો હતો. માતા તેને જોઈ હરખઘેલી થતી તો પિતાના આનંદની અવધિની સીમા ન હતી. માતાપિતાને એકનો એક પુત્ર રાજસાહ્યબી જેવા સુખમાં ઊછરતો, હૈયાના હિંડોળે ઝૂલતો તેમ જ ઉત્સંગમાં આળોટતો આ બાળ બીજના ચંદ્રમાની જેમ મોટો થતો ગયો. પણ પિતાનાં વહાલસોયાં લાડ કુદરતને મંજૂર ન હતાં. પુત્રની શિશુવયમાં જ પિતા અનંતની યાત્રાએ ઊપડી ગયા. આ લોકમાંથી વિદાય લીધી. માતા જિનપ્રિયા સમજુ શાણી-સુશીલ સન્નારી શ્રાવિકા હતી. ધર્મતત્ત્વને પામેલી અનિત્યાદિ બાર ભાવનાના સ્વરૂપને વાગોળતી. દેવદ્રવ્ય, ધર્મની આરાધના–સાધનામાં મગ્ન રહેતી. પુત્રના લાલનપાલન તેમ જ સંસ્કારસિંચનમાં ખૂબ જ ચીવટ રાખતી. કાળજીથી માતાએ માણેકને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અને વ્યાવહારિક શિક્ષણ વગેરે આપી પિતા જેવો જ શાહ સોદાગર બનાવ્યો. માણેકશાહે પિતાનો વહીવટ, કારોબાર સંભાળી લીધો. એટલું જ નહિ; આખા નગરમાં કુશાગ્ર બુદ્ધિ, ઉદારતા, સરળતા વગેરે અનેક ગુણોથી નગરના લોકોએ શાહ સોદાગર પદવીથી નવાજ્યો. વ્યાપારમાં અન્યાય, અનીતિ, અપ્રમાણિકતા જેવા અનિષ્ટ દુર્ગુણોને લવલેશ જીવનમાં રાખ્યા નહિ. દાન, શીલ, તપ, ભાવ – આ ચાર પ્રકારના ધર્મનું યથોચિત પાલન કરતા હોવાથી નગરજનોને પ્રિય થઈ ગયા હતા. રાજાને પણ પ્રિય એવા આપણા માણેકશાહ હતા. જીવનયાત્રા બાલ-શિશુવયાવસ્થામાંથી યૌવનાવસ્થામાં આવતાં ધારાનગરીના જગમશહૂર અને સત્યપ્રિય ધર્માનુરાગી ભીમશેઠની સુપુત્રી આનંદરતિ સાથે માતાએ તેમના પ્રભુતામાં પગલાં પડાવ્યાં. પત્ની સાથે સંસારનાં સુખ ભોગવવા છતાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ : આ કર્તવ્યનું બરાબર પાલન કરતા હતા. જિનપ્રિયા માતાપુત્રના સુખમાં પોતાનું સુખ માનતાં હતાં. માણેકશાહનાં માતા-પિતા જૈન ધર્મ તપાગચ્છની શાખામાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિ મહારાજનાં અનુયાયી હતાં. માણેકશાહ પણ એ જ ગચ્છની પ્રણાલિકા મુજબ ધર્મારાધના કરતા હતા. પોતાની હવેલીમાં જ જિનમંદિર અને પૌષધશાલા હતાં. એક દિવસ ઉજ્જૈનમાં વિહાર કરતા લોંકાશાહના મતના યતિઓ પધાર્યા. માણેકશાહ પણ ધર્મ-શ્રવણાર્થે યતિઓ પાસે જતા હતા. યતિઓએ એક જ વાત કરી કે મૂર્તિ-પ્રતિમાની પૂજા Page #669 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 653 કરવી નહિ. આ વાત માણેકશાહના મગજમાં ઠસી ગઈ. શ્રાવકધર્મ છોડી એ લોંકાશાહના પંથમાં જોડાયા. ઘણા સમય બાદ માતાને આ વાતની જાણ થઈ. માતાને ઘણું દુઃખ થયું. હવે શું કરું? એણે મનોમન સંકલ્પ કર્યો, મારો માણેક સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘી-વિગઈ ન વાપરવી. સાસુએ કરેલ આવી કઠોર પ્રતિજ્ઞાની જાણ જ્યારે માણેકશાહનાં ધર્મપત્ની આનંદરતિને થઈ ત્યારે ઘણો જ ખેદ થયો અને પોતાના પતિદેવને એ પ્રતિજ્ઞાની જાણ કરી. માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે, જ્યારે ગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ. આમ કરતાં કરતાં છ માસ પૂરા થયા. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તેની કોને ખબર હોય! જ્ઞાની જ જાણે. કોઈ અગમ્ય સંકેત જ કે, ઉગ્રાતિઉગ્ર વિહાર કરતા એકદા પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ ૧૭ સાધુઓથી પરિવરેલા ઉજ્જૈની નગરીની બહાર આમ્રવન નામના ઉધાનમાં પધાર્યા. આચાર્યશ્રી પધાર્યાના ખબર ઉજ્જૈનીનગરમાં પ્રસરી વળ્યા. સાયંકાળની આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ કરી કાઉસગ્ગ ધ્યાનમાં બધા મુનિવરો રહ્યા હતા. અવહેલના ને પ્રાયશ્ચિત્તઃ માણેકશાહને પણ આ ખબર પડતાં જ રાત્રે પોતાના સાથીઓને સાથે હાથમાં મશાલ લઈને ઉદ્યાનમાં આવ્યા. મશાલ લઈને એક–એક સાધુ પાસે જઈને તેમના મુખ સન્મુખ ધરવા લાગ્યા. મશાલ દ્વારા આવી વિડંબના-અવહેલના કરતાં એક સાધુની દાઢીના બાલ બાળી નાખ્યા ! છતાં સમતારસનું પાન કરતા ક્ષમાભાવને ધારણ કરતા સાધુને જોયા, જેથી માણેકશાહને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની હવેલીમાં પાછા આવ્યા. શયનગૃહમાં પલંગ પર સૂતા છતાં ક્ષણભર નિદ્રા ન આવી. પોતાની ભૂલનો એકરાર અને પશ્ચાત્તાપ ખૂબ-ખૂબ કર્યો તેમ જ મનોમન સાધુની ક્ષમતાને અનુમોદવા લાગ્યા. પોતાના આત્માને ધિક્કારતા રહ્યા. પશ્ચાત્તાપનું વિપુલ ઝરણું : ધન્ય છે આવા ક્ષમાના સાગર મુનિવરને ! મુખ ઉપરની પ્રભા પ્રસન્ન-પ્રફુલ્લિત હતી. લેશમાત્ર ક્રોધ નથી ! અહો ધન્ય છે આવા મુનિવરોને ! આવા પંચમહાવ્રતના પાલનહાર સાધુઓ કયાં અને ગાદી ઉપર બેસીને ઉપદેશ દેનાર યતિઓ કયાં ! - સવારે ઉધાનમાંથી આચાર્ય ભગવંતને સંઘસહ મારી હર્મમાં પધરામણી કરાવું! મારી ભૂલની ક્ષમા માગું તેમ જ શંકાઓનું સમાધાન કરાવું. આવી મંગલ ભાવના અંતરમાંથી બહાર નીકળી. આખી રાત વ્યતીત કરી. સવારે સંઘને નિમંત્રણ આપ્યું – પૂરા ઠાઠમાઠથી સ્વાગત પૂર્વક આચાર્ય ગુરુ મહારાજને પોતાના ગૃહાંગણે પોતાની બનાવેલ પૌષધશાળામાં બિરાજમાન કર્યા. સંઘની સમક્ષ રાત્રે થયેલી પોતાની ભૂલની માફી માગી ક્ષમાયાચના કરી અને વિનંતી કરી કે હે પૂજ્ય ભગવંત ! મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો. શંકા-સમાધાનઃ હે પૂજ્ય ! શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે? ગુરુ મહારાજ કહે, હે માણેકશાહ ! અનેક શાસ્ત્રોમાં પૂજાનું વિધાન અને વિધિ છે. માણેકશાહ પૂછે છે, કયાં શાસ્ત્રોમાં? ખાસ તો ભગવતી સૂત્ર, રાયપસણી, એમ અનેક આગમોમાં છે. જિનમૂર્તિ પૂજ્યાના, જિનમૂર્તિ ભરાવ્યાના પણ રાજા-મહારાજા, ચક્રવર્તી દેવેન્દ્રો, શાહ–બાદશાહ, મંત્રીઓ, Page #670 -------------------------------------------------------------------------- ________________ 654 તપાગચ્છાધિષ્ઠાયક શ્રેષ્ઠીઓએ ભરાવેલ છે. વળી તીથોમાં પણ ભરાવેલ મૂર્તિઓનું વર્ણન શાસ્ત્રમાં ઇતિહાસનાં પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકિત છે. માણેકશાહ! લેશમાત્ર એ બાબતમાં શંકા રાખવી નહિ! માણેકશાહની શંકાનું ગુરુ મહારાજે સમાધાન કર્યું. મહા સુદ વસંતપંચમીના શુભ દિને શ્રી સમ્યકત્વમૂલ બાર વતાદિ ગ્રહણ કર્યા. દિન-પ્રતિદિન આરાધના-સાધના-જપ-તપ વગેરે અનુષ્ઠાનો એકાગ્રચિત્તે કરવા લાગ્યા. ગુરુ મહારાજ અન્યત્ર વિહાર કરતા કરતા આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા. એકદા માણેકશાહને વ્યાપારાર્થે આગ્રા નગરે જવાનું થયું. નગરમાં આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. ચાતુર્માસસ્થિત બિરાજમાન હતા. આ સમાચાર જાણતાં પોતાનો મનમયૂર નાચવા લાગ્યો. | મુનીમોને વ્યાપારાદિ કાર્ય સોંપી ગુરુમહારાજ પાસે પહોંચી ગયા. એટલું જ નહિ, આવશ્યક વિધિ-વિધાનોમાં ઓતપ્રોત બની ગયા. ચાતુર્માસમાં ગુરુ મહારાજ ભાવુકોને શ્રી શત્રુંજય માહામ્ય સંભળાવતા હતા. અભિગ્રહ! જેમ જેમ કર્ણપટ પર વર્ણન સાંભળતા જાય છે તેમ તેમ અંતરની ઊર્મિઓ વામ-વામ ઊછળતી જાય છે કે હું આ પાવન–પવિત્ર તીર્થની સ્પર્શના ક્યારે કરીશ! સોલ્લાસ મુખાકૃતિ પર પથરાઈ ગયો! ગુરુ મહારાજને વિજ્ઞપ્તિ કરી, હે ગુરુ મહારાજ ! પગે ચાલીને ચઉવિહારો છઠ્ઠ કરી શ્રી શત્રુંજયની યાત્રા કરવાની મારી તીવ્ર ભાવના છે. આપ અભિગ્રહ કરાવો, શુભ આશિષ આપો, મારી ભાવના પૂરી થાય. ગુરુ મહારાજ કહે છે, આગ્રાથી (પાલીતાણા) શત્રુંજય ઘણું જ દૂર છે. પંથ લાંબો છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં અનેકગણું સંકટ થશે. તમો કેવી રીતે પૂર્ણ કરશો? માણેકશાહ કહે છે, આપના દિવ્યાશિષથી જરૂર પૂર્ણ થશે. મને અભિગ્રહ આપો ! ગુરુ મહારાજે છરિ પાળતા યાત્રાનો અભિગ્રહ આપ્યો. દિવસ પણ અત્યુત્તમ-શુભ-શુભતર અશ્વિન માસ, શુક્લ પંચમી દિન. હૈયું થનગનતું હતું. ગુરુ મહારાજે પ્રતિજ્ઞા આપી. ચાતુર્માસ અને ગ્રંથ પણ પૂર્ણ. કાર્તિક માસ સુદિ પૂર્ણિમાના ઉજ્વલ ચંદ્ર પ્રભાતનો સમય, ગુરુ મહારાજના મુખે શ્રી નવકારમંત્રાદિ માંગલિક સાંભળી શ્રી શત્રુંજય તરફ શુભ પ્રસ્થાન-પ્રયાણ કર્યું. પદયાત્રા પ્રારંભી. આ પથ પર જ્યાં જ્યાં જિનમંદિર આવતાં ત્યાં ત્યાં દર્શન, પૂજા, ગુરુવંદનાદિ હરહંમેશ સાનંદોલ્લાસથી કરતા જતા હતા. અરે.... જરા પણ થાક નહિ, ગ્લાનિ પણ નહિ, જાય કૂદતા-દોડતા. - રાજસ્થાનની હદ પૂરી કરી, ગુજરાતની ધરા પર આવી પહોંચ્યા, જ્યાં પાલનપુરની સમીપે મગરવાડા ગામની બાજુમાં એક ગાઢ વન હતું તેમાં ડાકુની ટોળી રહેતી હતી. આ બાજુ એકલા અને નિર્ભય ઉતાવળે ઉતાવળે જતા જોઈને ડાકુએ રાડ પાડીને કહ્યું, એ વાણિયા ઊભો રહી જા ! કિન્તુ માણેકશાહે જાણે અવાજ સાંભળ્યો નહિ અને શ્રી નવકારમંત્ર અને તીર્થનું ધ્યાન-સ્મરણ જ જેના મનમાં હતું તેથી....... ડાકુ સમજ્યા કે નક્કી કોઈ કિંમતી માલ હશે તેથી Page #671 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ આ દોડ્યો જાય છે ! ડાકુ ભેગા થઈ એના પર તૂટી પડ્યા. તેને આંતરી એક જ તલવારના ઝાટકે મસ્તક, પગ અને ધડ જુદાં કરી નાખ્યાં. માણેકશાહ લેશમાત્ર ડગ્યા નહિ, શત્રુંજયના ધ્યાનમાં જ અને પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં જ સમાધિભાવમાં મૃત્યુ પામીને યક્ષોના ઇન્દ્રદેવ શ્રી માણિભદ્ર દેવ થયા ! જૈન શાસનમાં ચોસઠ ઇન્દ્રો માન્ય છે. આ ચોરઠ ઇન્દ્રો જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્માઓનાં પાંચ કલ્યાણકો થાય છે ત્યારે ભક્તિ કરવા નંદીશ્વર દ્વીપે આવે છે. તેઓ એકાવતારી હોય છે, પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જિત કરે છે, પરમાત્માની ભક્તિ દ્વારા. વ્યંતરદેવની આઠ જાતિ પૈકી ચોસઠ ઇન્દ્રોમાંથી વ્યંતરના એક ઇન્દ્ર છે. બીજા દસ, ત્રીજા પણ દસ પ્રકારના, ચોથા બાર પ્રકારના, પાંચમા યક્ષેન્દ્ર તેર પ્રકારના છે, છઠ્ઠા સાત પ્રકારના, સાતમા નવ પ્રકારના અને આઠમા પંદર પ્રકારના છે. રૂપ-રંગ-ચિહ્ન સ્વભાવ અને શરીર–આકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. વ્યંતરોના સોળ ઇન્દ્ર પૈકી તેમાંના એક શ્રી માણિભદ્ર ઇન્દ્ર છે. 655 આ પ્રમાણે માણેકશાહ મૃત્યુ પામી દેવગતિને પામ્યા. એક ભવ પછી દેવગતિથી પુનઃ મનુષ્ય ગતિમાં આવી શુદ્ધ ચારિત્રાચારનું પાલન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ–પરમ પદને વરશે. હવે પેલા જ્યારે ગુરુ મહારાજે જૈન શ્વેતાંબર તપાગચ્છ મૂર્તિપૂજામાં સ્થિર કરેલ તે કડવામતીના સાધુએ ભૈરવ દેવને આજ્ઞા કરી કે જાઓ, હેમવિમલસૂરિ સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરી ભટકતા કરી દો ! ભૈરવદેવ મંત્રશક્તિથી બંધાયેલ હોય, તેને તો કાર્ય કરવું જ પડે. હેમવિમલસૂરિ બાહિર ભૂમિ તે દરમ્યાન ચિત્તભ્રમિત થતાં ભટકતાં ભટકતાં સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ મૃત્યુ પામ્યા. આચાર્યના હૃદયને જબ્બર આઘાત લાગ્યો. આવો ઉપદ્રવ પરિષહ જોતાં જ આચાર્ય હેમવિમલસૂરિજી સૂરિમંત્રના ધ્યાનમાં બેસી ગયા. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવ હાજર થયા. બોલ્યા કે ગુજરાતમાં પ્રવેશ કરો ત્યાં અઠ્ઠમ તપ કરજો. તમારો કોઈ દેવકૃત ઉપદ્રવ છે તે દૂર થશે. એક ગામની ભાગોળે રાયણવૃક્ષ તળે અટ્ટમતપ કરી કાયોત્સર્ગે રહ્યા. • અઠ્ઠમ તપના પ્રભાવથી શ્રી માણિભદ્ર ઇન્દ્રદેવનું આસન ચલાયમાન થયું. શ્રી માણિભદ્ર દેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે અહો ! મારા પરમોપકારી શ્રદ્ધેય વંદનીય ગુરુદેવ પધાર્યા છે. મારા પર જેની અસીમ કૃપા અને ઉપદેશ દ્વારા મારા જીવનને ધન્ય બનાવનાર છે, જેની અમીવર્ષાથી હું આ ઇન્દ્રપણાની રિદ્ધિસિદ્ધિ પામ્યો છું. ખરેખર હું ધન્યાતીત થયો છું. ગુરુ મહારાજના કૃપાબળનું આ ફળ છે. ગુરુ મહારાજના ઉપકારોનું સ્મરણ કરતાં તરત જ શ્રી માણિભદ્ર દેવ મગરવાડા ગામની સીમાએ હાજર થયા, બંને અંજલિબદ્ધ હસ્ત જોડી પૂજ્ય ગુરુદેવ સમીપે ઊભા રહ્યા. ગુરુદેવને પૂછે કે આપે મને ઓળખ્યો ? ગુરુ કહે, તમે કોઈ દેવ છો ! શ્રી માણિભદ્ર દેવ બોલ્યા કે હે ગુરુદેવ ! આપનો શિષ્ય છું ! માણેકશાહ હું પોતે જ છું ! આપની કૃપાથી અભિગ્રહ પ્રતિજ્ઞા કરી યાત્રાર્થે નીકળ્યો અને આ જગ્યા પર ડાકુઓએ મારા દેહનો નાશ કર્યો. શુભાવસ્થાથી મૃત્યુ પામી માણિભદ્રદેવ તરીકે ઉત્પન્ન થયો છું. આપ ફરમાવો, શી આજ્ઞા છે ? ગુરુએ કહ્યું, Page #672 -------------------------------------------------------------------------- ________________ 656 તપાગચ્છાધિષ્ઠાયક અમારા સાધુ ઉપર ઉપદ્રવ કરે છે તેનું નિવારણ કરો. અમારા દસ સાધુઓનાં ચિત્ત ભ્રમિત કરી નાખી ભટકતા કરી મૂક્યા. અંતે કાળધર્મ પામ્યા છે. અગિયારમા ચિત્તભ્રમિત થયેલ છે. આ પ્રમાણે હકીકત સાંભળી અને માણિભદ્ર દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પોતાની સેનામાં રહેલા જ કાલા-ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા. બન્નેને બલાવ્યા અને કહ્યું કે હે ભાગ્યશાળીઓ ! આ સાધુ-સંતોને શા માટે તમે ઉપદ્રવ કરો છો? એમની ભક્તિ-સ્તુતિ કરવી જોઈએ. તેમને ઉપદ્રવ કરવાથી, આવાં અકૃત્યો કરવાથી પાપબંધન થાય તેમ જ અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરવું પડશે–ભટકવું પડશે. આવું અકૃત્ય-ઉપદ્રવ કરવાનું છોડી દ્યો. ભૈરવોએ કહ્યું, હે સ્વામિનું! અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે. મંત્ર અને વચનદાનથી કડવામતીના આચાર્ય અને અમે બંધાયેલા છીએ. આ કાર્ય અમારે કરવું જ પડશે. આપની આજ્ઞાનું પાલન અમો નહિ કરી શકીએ, માટે આ વાત છોડી દો! નહીંતર અમો આપની સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ. યુદ્ધમાં વિજય શ્રી માણિભદ્રદેવ યુદ્ધ માટે તૈયાર થયા. કાલા-ગોરા ભૈરવ સાથે ભીષણ યુદ્ધ શરૂ થયું. ભૈરવોને આઠ ભુજાઓ હતી, જ્યારે શ્રી માણિભદ્રને છ ભુજાઓ હતી – પોતે ભૈરવોને દુરસ્ત કર્યા. પોતાનો જ્વલંત વિજય થયો. ભૈરવોએ ઇન્દ્રને કહ્યું, હવે અમો ઉપદ્રવ નહિ કરીએ; પરંતુ એક વિનંતી અમારી આપને માનવાની રહેશે કે જ્યાં આપનું સ્થાન હોય ત્યાં અમને આપની સેવા માટે સેવક તરીકે સ્થાન આપશોજી ! ભૈરવોનો ઉપદ્રવ શમી ગયો અને અગિયારમા સાધુ મહારાજ સાજા થઈ ગયા. માણિભદ્ર ઈન્દ્રની વિનંતી માણિભદ્ર ઇન્દ્ર ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ! આ જગ્યાએ મારા પગ પડ્યા છે, પગની પિંડીની સ્થાપના આપના હસ્તક કરો જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે અને આપની પાટ–પરંપરામાં તપગચ્છની પાટે જે જે આચાર્યો થશે અને તે અહીં આ સ્થાને આવીને અમનો તપ સર્વ પ્રથમ કરશે તેનાથી મારું આસન ચલાયમાન થશે, મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે. જલદી હું તેમની સેવામાં હાજર થઈશ. મને ધર્મલાભ રૂપી આશીર્વાદ આપશે. વળી ધર્મમાં સહાય કરીશ એથી મને પણ શાસનભક્તિનો લાભ પ્રાપ્ત થશે, સમકિત નિર્મળ રહેશે. જૈન શાસનની ઉન્નતિમાં પણ હું સહાયક બનીશ. પૂ. આ. શ્રી હેમવિમલસૂરિએ પગની પિંડીના આકારની સ્થાપના મહા સુદ પાંચમે મગરવાડા ગામની બહાર કરી. શ્રી માણિભદ્ર દેવનાં ત્રણ સ્થાનો ઃ (૧) માણિભદ્ર દેવનો જન્મ ઉજ્જૈનમાં છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોડમાં ધડ પૂજાય છે અને (૩) મગરવાડામાં પિંડી પૂજાય છે. આગલોડ ગામે ધડની સ્થાપના : શ્રી માણિભદ્ર વીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે એકસો એકવીસ (૧૨૧) ઉપવાસ કર્યા. શ્રી માણિભદ્રવીર દેવ પ્રત્યક્ષ થયા અને માણિભદ્ર વીરની આજ્ઞાનુસાર વિ. સં. ૧૭૩૩માં મહા સુદ પાંચમના દિવસે આગલોડ ગામ બહાર વીરના બતાવેલા સ્થાન પર માટીના પિંડનું ધડ કર્યું અને પૂ. આ. શ્રી Page #673 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 657 શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. માણિભદ્રજીએ કહ્યું કે જે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તે આગલોડ નાના માણિભદ્રવીરના સ્થાનકે આવીને અટ્ટમ કરશે તેની ઇચ્છા પૂર્ણ કરીશ અને મને ધર્મલાભ આશીર્વાદ આપશે તેમને જૈન શાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ. આ પ્રમાણે કહીને વીર અદશ્ય થયા. તે જગ્યાએ પૂ. આચાર્ય મહારાજના ઉપદેશથી શિખરબંધી જૈન શાસનરક્ષક દેવનું દેરાસર શ્રીસંઘે બંધાવ્યું. જે રીતે બૃહ સંગ્રહણી સૂત્રમાં છે તે રીતે બંધાવેલ છે તે આજે પણ મોજૂદ છે. - શ્રી માણિભદ્રવીર દેવ સાક્ષાત્ હાજરાહજૂર છે. આપણાં મનોવાંછિત પૂરક, સંકટમોચક, વિધિ–નિવારક, વિધિ અને શાંતિ–પુષ્ટિદાયક છે. આપણે સહુએ શાસન–સંરક્ષક દેવની તન-મનની એકાગ્રતાથી પ્રસન્નચિત્તે આરાધનાસાધના કરવાની છે. જિનશાસનના સંરક્ષક દેવ છે. ચતુર્વિધ સંઘના કોઈ પણ કાર્યમાં હાજરાહજૂર છે. ભારતભરનાં જિનમંદિરોમાં અગ્ર ભાગમાં શ્રી માણિભદ્રવીર દેવની મૂર્તિ સ્થાપિત નજરે ચડે છે. જિનમંદિરના રખેવાળ ગજરાજ પર બિરાજતા, તેના દર્શન-નમન કરતાં આગળ દાખલ થવાય છે. અનેક જગ્યાએ ચમત્કારિક પ્રસંગો અદ્ભુત અનુપમ ન વર્ણવી શકાય તેવા જોવા-સાંભળવામાં આવે છે. મારો પોતાનો અનુભવ છે. કાઠિયાવાડ, ઝાલાવાડ, ગુજરાત, કચ્છ, મહારાષ્ટ્રનેમ જ મારવાડ – બીજાં પણ અનેક સ્થળો આપણને હેરત પમાડે છે. ગજરાજ ઊભા બેઠેલા ઉપરની મૂર્તિઓ તો છે જ; પણ બીજા અનેક સ્વરૂપોમાં તેમ જ વિસ્તરેલી ફણાઓવાળી સ્થાપના વીર દેવની છે! ઘણાં શહેરો-ગામોમાં અલગ શ્રી માણિભદ્રવીરનું મંદિર જોવામાં આવેલ છે. પૂ. આચાર્ય ભગવંતાદિ આ યક્ષરાજની આરાધના–સાધના કરાવે છે. પોતે પણ કરે છે. મારી જીવનયાત્રા દરમ્યાન શૈશવવયથી આજ પર્યત અખંડ, અવિરત આરાધના-સાધના, ધ્યાન, જાપ, તપાદિ અનુપમ–અદ્ભુત ચાલે છે. અખૂટ શ્રદ્ધાબળ, સબહુમાન ભક્તિ કરવા હૈયાના ઉમંગ-ઉત્સાહ–આનંદથી તરબતર થઈ જવાય છે! અહોભાવથી શિર ઝૂકી પડે છે ! જ્યાં જ્યાં અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે તેમની મૂર્તિની સ્થાપનાનો પ્રસંગ હોય ત્યારે હૈયું નાચવા-કૂદવા માંડે છે! વળી બૃહ નંદાવર્તપૂજન હોય ત્યારે પ્રારંભથી જ બેસી જાવ! શાસનનાં કોઈપણ કાર્યો સીદાતાં હોય, ખોરંભે પડ્યાં હોય ત્યારે અચૂક તેમના સ્મરણ દ્વારા એ કાર્યો અવશ્ય પૂરાં થાય જ ! ખરેખર આ વાત ચોક્કસ છે. અણચિંતવ્યું, અચાનક, અણધાર્યું થઈ જાય. ઘડીભર આશ્ચર્ય થાય કે આ શું? બાવન વીર ઇન્દ્ર પૈકી મોખરે તેનું નામ અને કામ. શ્રાવક જીવનમાં ધર્મ પ્રત્યે, આરાધના પ્રત્યે અજોડ શ્રદ્ધાએ કેવું કામ કર્યું! આપણે વિચારવા જેવું છે ! અત્યુત્તમ ઈન્દ્રપણું પ્રાપ્ત થવામાં પુણ્યબળ જોરદાર. આવા પુણ્યસંચયના થોકના થોક આપણા જીવનમાં થઈ જાય તો આપણે પણ અવશ્ય એ પદ પ્રાપ્ત કરી શકીએ ! (3. Page #674 -------------------------------------------------------------------------- ________________ 658 તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી તપગચ્છના અધિષ્ઠાયક શાસન રક્ષક દેવ 'શ્રી માણિભદ્રજીનો ટૂંક પરિચય -: સંકલનકર્તા:પ.પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.સા.શ્રી વિપુલયશાશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સા.શ્રી રમ્યશીલાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી ભવ્યશીલાશ્રીજી મ. જૈનધર્મમાંચોવીશે તીર્થંકર ભગવંતોનાં જેમ અધિષ્ઠાયક દેવદેવીઓ છે તેમવિવિધ ગચ્છ–સંપ્રદાયોના અધિષ્ઠાયક દેવદેવીઓની માહિતી પણ પ્રાપ્ત થાય છે. તપાગચ્છમાં શ્રી માણિભદ્રજીનું સ્થાન અનુપમ રહ્યું છે. મોટાભાગના ઉપાશ્રયોમાં કે દેરાસરોના પરિસરોમાં માણિભદ્રજીની સ્થાપના થયેલી જોવા મળે છે. જૈન સમાજના પ્રત્યેક ઘરની પ્રત્યેક વ્યક્તિ આ દેવની ઉપયોગી માહિતીથી વાકેફ બને તેમ જ અન્ય સ્થાનોમાં માનતા કરવા જવાને બદલે આ દેવની જ સેવાભક્તિ કરી ઇચ્છિત ફળ મેળવે તે આ લેખનો સારાંશ છે. રાજકોટ સ્થળનો ખાસ પરિચય કરાવ્યો આનંદસાગરસૂરિ સમુદાયમાં પૂ.પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીને માણિભદ્રજીના સ્થાન અને ગૌરવ માટે ભારે મોટું માન અને આદર હતાં તેવું મારા પોતાના પૂજ્યશ્રી સાથેના કેટલાક સમયના સાંનિધ્યને કારણે અનુભવાયું છે. પોતાનાં વ્યાખ્યાનોમાં માણિભદ્રજીની વાત આવે ત્યારે ગળગળા થઈ જતા, જેની શ્રોતાઓના માનસ ઉપર ખૂબ જ ઊંડી અસર જોવા મળતી. ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મહારાજશ્રી આ ગ્રંથ–પ્રકાશનમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. -સંપાદક દરેક ગચ્છને અધિષ્ઠાયક દેવ હોય છે. જેમ અંચળગચ્છનાં અધિષ્ઠાયિકા મહાકાળી દેવી છે. તેવી જ રીતે તપગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રજી છે. પ્રાચીન સમયમાં તપગચ્છના ઉપાશ્રયોમાં તથા મંદિરના બહારના ભાગમાં આ માણિભદ્રજીની સ્થાપના કરવામાં આવતી હતી અને અત્યારે પણ લગભગ ઘણે ઠેકાણે તેમની મૂર્તિ અને બીજી રીતે પણ સ્થાપના કરેલી જોવામાં આવે છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 659 શ્રી માણિભદ્રજીનો પૂર્વભવ તેઓ આગલા ભવમાં માણેકશાહ નામના શેઠ હતા. તેમનો જન્મ ઉજ્જયિની નગરીમાં થયો હતો. તેમની માતાનું નામ કસ્તુરબા હતું. માણેકશાહ ઉજ્જયિની નગરીના નગરશેઠ બન્યા હતા. તેઓ જૈન ધર્મ પ્રત્યે ઘણી જ શ્રદ્ધા ને પ્રેમ ધરાવતા હતા. - પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમવિમલસૂરિજીએ તેમને સચોટ ધર્મોપદેશ દઈ જૈન ધર્મમાં સ્થિર કર્યા હતા. એક વખત ગુરુ મહારાજ આગ્રા શહેરમાં ચોમાસુ હતા. માણેકશાહ વેપાર કરવા ત્યાં ગયા હતા. પછી તેમને ખબર પડતાં ગુરુ મહારાજને વંદન કરવા ગયા ને વ્યાખ્યાનમાં બેઠા. ગુરુ મહારાજ શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રાના મહિમાનું ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. માણેકશાહને આ વર્ણન સાંભળતાં દર્શન-યાત્રા કરવાની તીવ્ર ઉત્કંઠા જાગી અને એકદમ ઊભા થઈને અભિગ્રહ કર્યો કે, " મારે પગે ચાલીને શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરવી. તેમાં કોઈ પણ જાતનો ઉપસર્ગ થાય તો પણ સહન કરી યાત્રા કરવી." પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ શ્રી માણેકશાહ શેઠે કારતક મહિનાની અમાસના દિવસે સવારના પહોરમાં આગ્રાથી જ પગે ચાલતાં શ્રી સિદ્ધાચલ તીર્થ તરફ પ્રયાણ શરૂ કર્યું. માણેકશાહશેઠ ધીમે ધીમે આગ્રાથી ચાલતાં ચાલતાં ડીસા-પાલનપુર પ્રદેશમાં મગરવાડા ગામના ભયંકર જંગલ સુધી આવી પહોંચ્યા. આ જંગલ લૂંટારા-ચોર-ડાકુનું મુખ્ય મથક હતું. ચોરોએ જંગલમાં હથિયાર સહિત માણેકશાહ ઉપર હુમલો કર્યો ને મારામારીમાં શેઠના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. આ મારામારીમાં અંત સમય સુધી હૃદયમાં પવિત્ર એવા શ્રી સિદ્ધગિરિરાજનું ધ્યાન ચાલુ રહ્યું, તે શુભ ભાવનાને પ્રતાપે શેઠ મરીને ભુવનપતિ દેવોમાં માણિભદ્ર નામે ઇન્દ્ર થયા. આચાર્ય મહારાજ શ્રી હેમવિમલસૂરિજીના શિષ્યો ઉપર કાળભૈરવ દેવનો ઉપસર્ગ થતાં સૂરિજીએ અઠ્ઠમ તપની આરાધના કરી તપના પ્રભાવથી શ્રી માણિભદ્રને પ્રત્યક્ષ કરી તેમની સહાયથી તે ઉપદ્રવ સદાને માટે દૂર કર્યો. ત્યારથી આજ સુધી પરંપરાએ આપણે ત્યાં આપણા સંઘોમાં તેમનું સ્થાન બનાવી શાસનદેવ તરીકે પૂજાય છે. - સાધુઓનો ઉપસર્ગ દૂર કર્યા પછી શ્રી માણિભદ્રવીર ગુરુ મહારાજને કહે છે કે, તપગચ્છની પાટે જે આચાર્ય થશે તેમનું હું રક્ષણ કરીશ. જે વખતે જે દેશમાં આચાર્ય વિચરે, તે વખતે પહેલાં મારા સ્થાને જઈ પછી દેશમાં વિચરશે તો પૂજા વગેરે સારી પામશે, એમ કહી પોતાના પરિવાર સાથે દેવલોકમાં ગયા. છેલ્લામાં છેલ્લી સંવત ૧૭૩૩ની સાલમાં શ્રી શાંતિસોમસૂરિજીએ ૧૨૧ ઉપવાસ કરી પઘાસને બેસી આરાધન કર્યું તે વખતે પ્રગટ થઈને પોતે પોતાનાં ત્રણેય સ્થાનકો ચપટી વગાડતામાં દેખાડી પ્રભાવ બતાવી અદશ્ય થયા હતા. હાલના જમાનામાં જે કોઈ ખરા અંતઃકરણથી, સચ્ચાઈથી સ્મરણ કરે તો આવેલી આપત્તિઓમાં રક્ષણ કરે છે. રોગ-શોક-દુઃખ ઉપાધિઓ–ગમે તેવા આકસ્મિક ભયોને પણ હઠાવે છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ 660 તપાગચ્છાધિષ્ઠાયક આજે માણિભદ્ર વીરના શરીરની ત્રણ સ્થાને પૂજા થાય છે. (૧) ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદીના કાંઠે વડના ઝાડ નીચે મસ્તકપૂજા થાય છે. (૨) મગરવાડા તીર્થમાં ઢીંચણ પૂજાય છે. (૩) ઉત્તર ગુજરાતમાં વિજાપુર નજીક 'આગલોડ' ગામમાં ધડ પૂજાય છે. સામાન્યથી આપણા જૈન ધર્મમાં એવી માન્યતા પ્રચલિત છે કે, કોઈપણ મૂર્તિ–મંદિર–સ્થાન હોય તે સો વર્ષે તીર્થસ્વરૂપ બને છે. પછી તેને તીર્થ કહેવાય છે. એ જ રીતે આપણા સુપાર્શ્વનાથ પ્રભુ અને આ સ્થાનના રખેવાળ શ્રી માણિભદ્રજીને ૧૭૦ વર્ષ થવાથી તીર્થ બની ગયેલ છે, જેના કારણે તીર્થની જેમ પૂજનીય અને પ્રભાવિક બની ગયેલ છે. અહીંયાં બિરાજમાન માણિભદ્રજીની મૂર્તિનો પરચો ને દર્શન આસો મહિનામાં કોઈ કોઈ માણસને થાય છે. વૃદ્ધ માણસો તેના ચમત્કાર અને પ્રભાવની વાતો જાણે છે અને કરે છે. ત્યારે અહીં કેટલાક માણસોને ગમે તેવાં કઠિન અઘરાં ને અસંભવિત કામોમાં પણ સહાય થાય છે તેવા દાખલાઓ અને અનુભવો મોજૂદ છે. એટલે અહીંયાં બિરાજમાન શ્રી માણિભદ્રજીની માનતા જુદી જુદી રીતે કરીને તેંઓ પોતાનાં કાર્યોની સફળતા મેળવે છે. - અત્યારના જમાનામાં જ્યારે આપણા જૈન ભાઈઓ બીજે બધે ઠેકાણે બીજા દેવ પાસે જાતજાતની માનતા કરવા જાય, બાધા-પ્રતિજ્ઞા અને આખડીઓ રાખે તેના કરતાં શાસનદેવ શ્રી માણિભદ્રજી પાસે આવે તો ઘણું સારું કહેવાય. સોનામાં સુગંધ ભળે તેવું થાય. અહીં આવનાર શ્રાવક ભાઈ એમ માંગશે કે, હે શાસનદેવ! મને ધર્મમાં અને મારાં બીજાં કાર્યોમાં સહાય કરજો. અને ગમે તે ભાવનાથી આવેલો આત્મા જરૂર પ્રભુદર્શન અને ગુરુ સમાગમ મેળવશે જ. અહીંયાં શ્રી માણિભદ્રજીની માનતામાં શ્રીફળ વધેરાય છે. ગોળપાપડી-સુખડી ચડાવાય છે. આ સિવાય અમુક કાર્ય પતશે તો અમુક વસ્તુ અર્પણ કરીશ વગેરે જાતની ધારણા કરીને કામ કરે છે અને ફળે પણ છે. આસો મહિનામાં ધનતેરસ, ચૌદસ અને અમાસ—એ સિવાય દર બેસતે મહિને, દર રવિવારે, દર ગુરુવારે પણ માનતા રાખી ફળ મેળવાય છે. આ સિવાય સારા કામો કરવાના દિવસે અને તકલીફના દિવસોમાં શ્રી માણિભદ્રદેવની પ્રતિજ્ઞા–બાધા–ધારણા રખાય છે. એક વખત અહીં પધારી શાસનરક્ષક શ્રી માણિભદ્ર દેવનાં દર્શન કરી પાવન થઈ તેમના પ્રભાવ-પ્રતાપ ને મહિમાનો પ્રત્યક્ષ અનુભવ લો. -- હS ST મ છે . . A Pr છે. NA CER 7 . Page #677 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 661 'શ્રી માણિભદ્રવીરનું ચરિત્ર – પ્રા. જે.સી.દેસાઈ, મોડાસા. રસોડામાં સ્વિચ ઑન થતાંની સાથે જ ઉંદરો નાસી જાય, ગુફામાં સિંહની હાજરી હોય તો એક પણ શિયાળ ત્યાંન ડોકાય; એમ એક વાર હૃદયમાં સમકિતનો તેજલિસોટો ઝળહળી જાય તો પછી મિથ્યાત્વરૂપ અંધકારને અદશ્ય થતાં જરા પણ વાર નથી લાગતી. આ માટે અત્યંત જરૂરી છે જ્ઞાની ગુરુના સંગની. અત્રે માણિભદ્રજીની કથામાં આપણને આ દર્શન થાય છે. અણસમજ અને ગેરસમજ–બને કરતાંયે ભયંકર છે મિથ્થા સમજ. અને એ મિથ્યાત્વનો ગ્રંથિભેદ શક્ય બને છે સત્સંગથી, સત્યાચરણથી, સદ્ભાવનાથી. આ લેખના લેખક શ્રી જે. સી. દેસાઈ મોડાસાની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેની સેવા આપે છે, જૈન ધર્મ અંગેનો તલસ્પર્શી અભ્યાસ કરેલો છે. એમણે માણેકશાહમાંથી માણિભદ્ર સુધીની રોમાંચક યાત્રા-ઘટનાના હેમ-હસ્તાક્ષરો અત્રે સુંદર રીતે અંકિત કર્યા છે. પ્રત્યેક યુગે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થયો છે અને અધર્મની વૃદ્ધિ થઈ છે ત્યારે ત્યારે પ્રત્યેક યુગે જન્મેલા મહાપુરુષોએ આગવી રીતે અને યોગ્ય સમયે સમાજને નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને આવા મહાપુરુષો કાળક્રમે દેવતાઈરૂપે પૂજાયા છે, અને જનમાનસમાં ભારે મોટું માન આદર પામ્યા છે. – સંપાદક શ્રી માણિભદ્રવીર રૂપે પૂજાતા વ્યંતરદેવ પૂર્વભવમાં ઉજ્જૈનમાં માણેકશાહ શેઠ નામે પ્રસિદ્ધ હતા. તે કાળ હતો વિ. સં.નું પંદરમું સૈકું. ધનાઢય પરિવારમાં જન્મેલા માણેકશાહનો જન્મોત્સવ માતાપિતાએ ખૂબ ધામધૂમથી ઊજવેલો. ઓશવાળ જૈન જાતિના માણેકશાહના પિતા ધર્મપ્રિય શાહ અને માતા જિનપ્રિયા ખૂબ સરળ સ્વભાવના અને દયાવાન હતાં. સંતાનમાં માત્ર એક જ પુત્ર હોવાથી તેમણે માણેકશાહને ખૂબ લાડકોડમાં ઉછેરેલા. માણેકશાહ યુવાન થાય તે પહેલાં જ તેમના પિતા ધર્મપ્રિય શાહ મૃત્યુ પામ્યા. તેમને શિક્ષણ અને વ્યાવહારિક જ્ઞાનથી સંપન્ન કરવાનું કાર્ય તેમનાં માતુશ્રી જિનપ્રિયાએ કર્યું. માતાના Page #678 -------------------------------------------------------------------------- ________________ 662 તપાગચ્છાધિષ્ઠાયક સંસ્કારથી પોષાયેલા માણેકશાહ દાન, શીલ, તપ અને વિવેકના ગુણો ખીલવી લોકપ્રિય અને રાજપ્રિય થયા.પિતાનો વહીવટ તેમણે સંભાળી લીધો. તે પ્રમાણિક શાહ સોદાગર તરીકે યશસ્વી બન્યા. માણેકશાહનાં માતાપિતા તપાગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય આણંદવિમલસૂરિના અનુયાયી હતાં. તેમણે પોતાની હવેલીમાં જિનાલય અને પૌષધશાલાની રચના કરાવી હતી. માણેકશાહ પણ માતા-પિતાની ઉજ્જવળ પરંપરાને અનુસરતા હતા. કાળક્રમે માણેકશાહના જીવનમાં એક દુર્ઘટના બની. લોકાશાહના યતિઓના સંપર્કમાં તે આવ્યા. આ યતિઓ પાસે તે ધર્મશ્રવણ કરવા જવા લાગ્યા. યતિઓએ કુતર્ક દ્વારા માણેકશાહના મનમાં મૂર્તિપૂજા પ્રત્યે દ્વેષભાવ જગાવ્યો. પરિણામે કાળક્રમે તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવક માણેકશાહ સ્વધર્મ છોડીને લૉકામતી બન્યા. માણેકશાહના સ્વધર્મત્યાગની વાત સાંભળીને તેમનાં માતુશ્રી જિનપ્રિયા ક્ષુબ્ધ થયાં. તેમના આત્માને ખૂબ દુઃખ થયું. તેમણે માણેકશાહ મૂળ પરંપરામાં પાછા ન ફરે ત્યાં સુધી ઘી-વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા કરી. માણેકશાહ પુખ્ત વયે ધારાનગરીના ભીમશેઠની આનંદરતિ નામની કન્યાને પરણ્યા હતા. તે પોતાની ધર્મપત્ની સાથે સુખપૂર્વક સંસાર ભોગવતા હતા. માણેકશાહની ધર્મભાવનાના ફેરફારની અને તેમની માતાની પ્રતિજ્ઞાની જાણથી આનંદરતિ ખેદ પામી. આનંદરતિએ માણેકશાહને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોતાની શંકાનું સમાધાન કરનારા સદ્ગુરુ મળે તો લોકોમતીને ત્યજવાની સંમતિ આપી. આ દરમિયાન છ માસ પસાર થઈ ગયા. એક દિવસ પ્રખર જ્ઞાની આચાર્ય હેમવિમલસૂરિજી ૧૭ સાધુઓ સાથે ઉગ્ર વિહાર કરતાં કરતાં ઉજ્જૈન નગરમાં પધાર્યા. અનેક જીવોને ઉપદેશતા તેઓ ઉજ્જૈનના આમ્રવન નામના ઉદ્યાનમાં રોકાયા. રાત્રે પ્રતિક્રમણ વગેરે ધાર્મિક અનુષ્ઠાનમાંથી નિવૃત્ત થઈ સૌ કાઉસ્સગ્ગ ધ્યાનમાં પ્રવૃત્ત થયા. આચાર્ય મહારાજના આગમનના સમાચાર સાંભળી માણેકશાહ પોતાના સાગ્રીતો સાથે મશાલ લઈ તે ઉદ્યાનમાં આવ્યા. તેમણે મશાલ દ્વારા એક સાધુની દાઢીના વાળ બાળી નાખવાનું અધમ દુષ્કૃત્ય કર્યું. આમ છતાં, સાધુ ભગવંતો શાંતભાવે સ્થિર રહ્યા. સાધુને સમતારસમાં રમમાણ થયેલા જોઈ માણેકશાહને ખૂબ પશ્ચાત્તાપ થયો. તે ભોંઠા પડીને ઘેર પાછા ફર્યા. તેમને રાત્રે નિદ્રા ન આવી. તે પોતાના દુષ્કર્મને નીંદવા લાગ્યા અને સાધુની સમતાને આદરભાવ આપવા લાગ્યા. માણેકશાહને સાધુઓની સમતા અને સહનશીલતાએ જાગૃત કર્યા. તેમનો અક્રોધ, ઉદાસીનતા અને પ્રસન્નતા જોઈ તે ભાવવિભોર થયા. તેમણે પોતાની ભૂલની માફી માગવાનો અને શંકાઓનું સમાધાન પામવાનો નિર્ધાર કર્યો. ગાદી ઉપર બેસી ઉપદેશ આપનારા યતિઓની જાળમાંથી તે બહાર આવ્યા. પ્રાતઃકાળે માણેકશાહે વાજિંત્રોના નાદ સાથે સદ્ગુરુઓનું ભવ્ય સ્વાગત કર્યું. તેમણે પોતાની પૌષધશાળામાં ગુરુમહારાજોને બિરાજમાન કરી, સકળ સંઘની સમક્ષ ક્ષમાયાચના કરી. Page #679 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 663 આચાર્ય હેમવિમલસૂરિજીએ પ્રતિમાપૂજા અંગેના શાસ્ત્રોક્ત આધારોથી માણેકશાહની શંકાઓનું સમાધાન કર્યું. અગિયાર અંગમાંના પાંચમા અંગ 'ભગવતી સૂત્ર'માં તથા રાયપસણી' નામના ગ્રંથમાં આ અંગે ઉલ્લેખ છે. જિનપ્રતિમા દ્રૌપદીએ અને સૂર્યાભદેવે પૂજી હોવાનું આચાર્યશ્રીએ જણાવ્યું. ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જિનબિંબરૂપ ર૪ તીર્થકરોની પ્રતિમાજી પધરાવ્યાં છે. તે ઉપરાંત સંપ્રતિ મહારાજા, નંદિવર્ધન, શ્રેણિક મહારાજ, શ્રીપાલરાજા વગેરે અનેક મહાનુભાવોએ આવાં કાર્યો કર્યા છે. આચાર્ય હેમવિમલસૂરિજી દ્વારા અપાયેલા ઉપદેશથી શંકાનું સમાધાન પામેલા માણેકશાહે મહા સુદ પાંચમના શુભ દિવસે સમકિતમૂલક બારવ્રતો ઉચ્ચાર્યા. ગુરુની વસ્ત્રાપાત્રથી ભક્તિ કરી. શ્રીસંઘમાં પ્રભાવના કરી તેમ જ યાચકોને દાન આપ્યું. માણેકશાહ આઠમ, ચૌદશે પૌષધદ્રત કરવા લાગ્યા. નિત્ય અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. એક વખત વ્યાપારકામ માટે આગ્રા ગયેલા માણેકશાહે ત્યાં ચાતુર્માસ માટે આચાર્ય હેમવિમલસૂરીશ્વરજી મહારાજ પધાર્યાનું સાંભળ્યું. આથી તેમનું હૈયું નાચી ઊયું.તે વ્યાવહારિક કામમાંથી નિવૃત્ત થઈ ગુરુ સમક્ષ સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચખાણ, દેવપૂજા, ગુરુ-વૈયાવચ્ચ અને વ્યાખ્યાનશ્રવણમાં ડૂબી ગયા. આચાર્ય હેમવિમલસૂરિજી પાસેથી શત્રુંજયની વિવિધ પ્રકારની યાત્રાનું માહાલ્ય સમજીને તેમના મનમાં તે ભાવના જાગી. તેમણે ચૌવિહાર ઉપવાસે, મૌનપણે, અડવાણે પગે, નવકારમંત્ર ગણતાં, પગપાળા શત્રુંજયની યાત્રા કરવાનો દઢ સંકલ્પ કર્યો. પોતાનો અભિગ્રહ પરિપૂર્ણ બનાવવા ગુરુના શુભ આશિષ પ્રાપ્ત કર્યા. શત્રુંજયયાત્રા દરમિયાન કષ્ટોની પરવા કર્યા વગર દેવદર્શન, પૂજા, ગુરુવંદનાદિ ધર્માનુશાસનનું ઉલ્લાસપૂર્વક પાલન કરતા શ્રી માણેકશાહ પળવાર પણ નવકારમંત્રનું વિસ્મરણ કરતા નહિ. આસો સુદ પાંચમને દિવસે શત્રુંજય તરફ યાત્રાનો આરંભ કરનારા શ્રી માણેકશાહ પાલનપુર પાસેના મગરવાડા ગામની બાજુના વનમાંથી પસાર થયા. ત્યાં ડાકુઓની ટોળી રહેતી હતી. આ ડાકુઓ વણિકપુત્રને ઉતાવળે અને નિઃશંકપણે જતો જોઈ નવાઈ પામ્યા. તેમણે તેને બોલાવવા રાડ પાડી; પરંતુ નવકારમંત્રના સ્મરણમાં અને શત્રુંજયની યાત્રાના ધ્યેયમાં મગ્ન ચિત્તવાળા શ્રી માણેકશાહને અવાજ સંભળાયો નહિ. આથી ડાકુઓને તેની પાસે કિંમતી માલ હોવાની શંકા થઈ. તેઓ માણેકશાહ પર તૂટી પડ્યા. તેમણે તલવારના ઝાટકાથી તેમના મસ્તક, પગ અને ધડ જુદાં કરી દીધાં. માણેકશાહ સમતાપૂર્વક શત્રુંજયના ધ્યાનમાં જ મગ્ન હતા. તેના પ્રભાવથી તે મરીને માણિભદ્રદેવ થયા. જૈનશાસનમાં ૬૪ ઇન્દ્રો માનવામાં આવ્યા છે. માણિભદ્રદેવ ૬૪ ઇન્દ્રોમાંથી વ્યંતર ઇન્દ્ર છે. આ જ ઇન્દ્રો તીર્થંકર પરમાત્માઓના પંચકલ્યાણકોમાં ભક્તિ કરવા ઉપસ્થિત થાય છે. પરમાત્માની ભક્તિ દ્વારા તેઓ મહાન પુણ્ય મેળવે છે. આ બાજુ માણેકશાહ શુદ્ધ તપાગચ્છીય પરંપરામાં આવ્યા. તેથી લોકાશાહના યતિઓમાં આચાર્ય હેમવિમલસૂરિ પ્રત્યે તે જોષ જાગ્યો. યતિઓએ ભૈરવની સાધના દ્વારા શ્રી Page #680 -------------------------------------------------------------------------- ________________ 664 તપાગચ્છાધિષ્ઠાયક હેમવિમલસૂરિજીના સાધુઓનાં ચિત્ત ભ્રમિત કર્યો. ૧૭ સાધુઓમાંથી ૧૦ સાધુઓ તો કાળધર્મ પામ્યા. આ ઉપદ્રવની જાણકારી માટે શ્રી હેમવિમલસૂરિ ધ્યાનમગ્ન બન્યા. તેમણે ધ્યાનમાં ગુજરાત-પ્રવેશ વખતે અઠ્ઠમ તપ કરવાનો આદેશ સાંભળ્યો. પાલનપુર પાસેના મગરવાડામાં રાયણવૃક્ષ નીચે ગુરુ મહારાજ અઠ્ઠમ તપ કરી કાઉસ્સગ્નમાં બેઠા. માણિભદ્રદેવને અવધિજ્ઞાનથી આ વાતની જાણ થઈ. પોતાના પ્રેરક ગુરુ મહારાજ સમક્ષ માણિભદ્ર પ્રગટૅ થયા. તેમણે ગુરુ મહારાજને પોતાના સ્વરૂપનો ખ્યાલ આપ્યો. પોતાની ડાકુઓ દ્વારા થયેલી હત્યાની વાત કહી. ગુરુની આજ્ઞાથી માણિભદ્રજીએ ભૈરવનો ઉપદ્રવ શાંત કર્યો, પરંતુ તેમના સ્થાનક પાસે ભૈરવને સ્થાન આપવાની વિનંતી સ્વીકારી. જૈનશાસનની સેવા કરતા રહેવાનો તેમણે ગુરુમહારાજને સધિયારો આપ્યો. માણિભદ્રવીરે ગુરુ હેમવિમલસૂરિજીને વિનંતી કરી," ગુરુદેવ! આ જગ્યાએ મારા પગ પડ્યા છે. આથી પગની પિંડીની સ્થાપના આપના હસ્તે કરો, જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે. આ સ્થાને આપની પાટ–પરંપરાના તપાગચ્છના જે જે નૂતન આચાર્યો આવીને અટ્ટમ તપ કરશે, તેનાથી મારું આસન ચલાયમાન થશે. મને આચાર્ય મહારાજ આવ્યાની જાણ થતાં હું તેમની સેવામાં હાજર થઈશ. જે એ પ્રમાણે મને ધર્મલાભરૂપી આશીર્વાદ આપશે તેની સેવામાં રહી ધર્મમાં સહાય કરીશ. એથી મને શાસનભક્તિનો ધર્મલાભ પ્રાપ્ત થશે. સમકિત નિર્મલ રહેશે. જૈનશાસનની ઉન્નતિમાં હું સહાયક બનીશ." પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીએ મહા સુદિ પાંચમે મગરવાડામાં માણિભદ્રવીરની પગની પિંડીની સ્થાપના કરી. આગલોડનું સ્થાનક પૂ. આચાર્ય શાંતિસોમસૂરિજીએ આ સ્થાને જૈન શાસનની ઉન્નતિ માટે ૧૨૧ ઉપવાસ કર્યા. આથી શ્રી માણિભદ્રવીર પ્રત્યક્ષ થયા. શ્રી માણિભદ્રવીરની આજ્ઞાનુસાર વિ. સં. ૧૭૭૩માં મહાસુદ ૫ ના દિવસે આગલોડ ગામની બહાર વીરના સૂચવેલા સ્થાને માટીના પિંડનું ધડ સ્થાપન કર્યું. પૂ. શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. માણિભદ્રવીરે કહ્યું, " જે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તે આગલોડના માણિભદ્રના સ્થાનકે આવી અઠ્ઠમતપ કરશે તેમની ઇચ્છા પૂર્ણ કરીશ." આ સ્થાને આચાર્ય મહારાજના ઉપદેશથી શિખરબંધી જૈનશાસનના રક્ષક દેવનું મંદિર છે. માણિભદ્રના કહેવા મુજબ તેમનાં ત્રણ સ્થાનકો છેઃ (૧) ઉજ્જૈનમાં જન્મ છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોડમાં ધડ પૂજાય છે અને (૩) મગરવાડામાં પગની પિંડી પૂજાય છે. Page #681 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 665 'શ્રી માણિભદ્રવીર અને શાસનરક્ષા -શ્રી જશુભાઈ જુગલદાસ શાહ શ્રી જશુભાઈ શાહ દાદાના અનય ભક્ત છે. દાદાની પૂજા એ એમનો ધર્મ છે. તેઓ દાદાના સાહિત્ય, ઇતિહાસ, પૂજા, મંત્ર-તંત્રના અનુયાયી છે. તેમની સિદ્ધ કલમે દાદાનું સ્વરૂપ બતાવેલ છે અને દાદાના ગુણ ગાયા છે. ધારેલું સહુ સિદ્ધ કરતા છો દેવ સાચા તમે, એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદું ઘણા ભાવથી. – સંપાદક જૈન શાસનમાં અનેક દેવદેવીઓનું સ્વરૂપ અને વર્ણન આવે છે. સમ્યગુદષ્ટિ દેવ-દેવીઓનું સ્થાન અને સ્થાપના શ્રી અરિહંત પરમાત્માથી વિહિત થયેલ સુઅચરણા છે. આ વાતની સાક્ષી અનેક આગમગ્રંથો, સ્તોત્રો વગેરેમાં આવે છે. જેમકે, શ્રી વર્ધમાનવિદ્યામાં જયા, વિજયા, જયંતિ અને અપરાજિતા એ ચાર શાસનરક્ષિકા દેવીઓનું સ્થાન આવે છે. શ્રી સૂરિમંત્રમાં શ્રી સરસ્વતીદેવીનું, શ્રી લક્ષ્મીદેવીનું, શ્રી ત્રિભુવન સ્વામિનીનું અને યક્ષરાજ ગણિપીટકનું સ્થાન છે તો નવસ્મરણમાં સંતિકરમુ, તિજયપહૃત્ત અને બૃહ શાંતિ આદિ સ્તોત્રોમાં જિનશાસન–માન્ય સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, નવ ગ્રહ આદિ અનેક સમ્યગ્દષ્ટિ દેવદેવીઓનાં નામો ગૂંથવામાં આવ્યાં છે. આમ, અનેક સમ્યગદર્શી દેવ-દેવીઓની હકીકતો અનેક પ્રાચીન ગ્રંથો અને સ્તોત્રોમાં ગૂંથાયેલી જોવા મળે છે. આ સમ્યગુદષ્ટિ દેવ-દેવીઓ દ્વારા શ્રી જિનશાસનની રક્ષા તેમ જ અજોડ મહાપ્રભાવના કરાવ્યાના અનેક ઉલ્લેખો ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ છે. શ્રી જિનશાસનની રક્ષા કરનાર શ્રી આદીશ્વર પરમાત્માનાં ચરણોના પૂજારી, શ્રી શત્રુંજય મહાતીર્થના પરમ આરાધક, મહાચમત્કારિક અનેકવિધ શાસન-પ્રભાવના કરનાર વ્યંતર નિકાયના છઠ્ઠા મહારાજા શ્રી માણિભદ્રદેવનું નામ જૈન શાસનના ઇતિહાસમાં મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે. અનેક ભક્તોની મનની ઇચ્છા પૂર્ણ કરનાર તેમ જ વિધ વિધ પ્રકારની સહાય કરનારા શ્રી માણિભદ્રવીર જૈનશાસનના સન્માનનીય દેવ છે. જૈન શાસનના રક્ષક તરીકે શ્રી માણિભદ્રજીનું સ્થાન અજોડ, અનન્ય કક્ષાનું મનાય છે. એક કવિએ લખ્યું છે કે, (જ. Page #682 -------------------------------------------------------------------------- ________________ 666 . . તપાગચ્છાધિષ્ઠાયક ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે, ને વિનો સઘળાં વિનાશ કરવા, છો શક્તિશાળી તમે, સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી, એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદું ઘણા ભાવથી.. (૧) મનની સઘળી ઇચ્છા પૂર્ણ કરનારા, વિનોનો વિનાશ કરનારા, એવા શાસનરક્ષક શ્રી માણિભદ્રદેવનાં ચરણોમાં સાચા હૃદયથી વંદના કરવાથી, ભક્તિ કરવાથી જીવનમાં કદી પણ ઉપાધિ આવતી નથી. જૈન શાસનમાં સદાયે જાગૃત દેવ તરીકે જેમની ગણના થાય છે એવા શ્રી માણિભદ્રની સ્તુતિ કરતાં કવિ લખે છે કે – "દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા, સેવાના કરનારના પલકમાં, કષ્ટો બધાં કાપતા, સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ, એવા શ્રી માણિભદ્ર દેવ નમતા આનંદ થાયે અતિ".... (૨) ભક્તજનોનાં સઘળાં દુઃખો કાપી, સુખ આપવા માટે સદાયે જે જાગૃત છે અને જેના નામ-સ્મરણથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એવા શ્રી માણિભદ્ર દેવનાં ચરણોમાં મારી કોટિ કોટિ વંદના. શ્રી માણિભદ્ર દેવનાં પ્રખ્યાત ત્રણ સ્થાન છે. (૧) ઉજ્જૈની નગરી જ્યાં માણિભદ્રજીનો પૂર્વ જન્મમાં માણેકચંદ શેઠ તરીકે જન્મ થયો હતો. એ ઉજ્જૈની નગરીમાં ક્ષિપ્રા નદીના કિનારે શ્રી માણિભદ્રજીની મસ્તક રૂપે પૂજા થાય છે. (૨) ઉત્તર ગુજરાતમાં આગલોડ ગામમાં ધડ પૂજાય છે. (૩) ગુજરાતમાં આવેલા મગરવાડામાં પિંડી પૂજાય છે. આ ઉપરાંત અનેક જગ્યાએ, અનેક જિનમંદિરોમાં શ્રી માણિભદ્રની સ્થાપના છે અને ત્યાં આજે પણ હજારો ભક્તો શ્રી માણિભદ્રદાદાનાં દર્શન કરી, ભક્તિ કરી, પોતાનાં દુઃખોને દૂર કરી આનંદપૂર્વક શ્રી માણિભદ્રદાદાનાં ગુણગાન ગાતા જણાય છે. તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે શ્રી માણિભદ્રદાદાની સ્થાપના થઈ છે. શ્રી માણિભદ્રદાદાની સ્થાપના તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે આચાર્ય ભગવંત શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે કરી છે, એમ કેટલાયે ગ્રંથોમાં વાંચવા મળેલ છે. પરિણામે આજે પણ તપાગચ્છીય દેરાસરો–ઉપાશ્રયોમાં ઘણી જગ્યાએ શ્રી માણિભદ્રદેવની મૂર્તિની સ્થાપના થયેલી જોવા મળે છે. શ્રી માણિભદ્રજીના સ્વરૂપનું વર્ણન કરતાં એવી હકીકત જાણવા મળે છે કે, શ્યામવર્ણનું શરીર છે, ચાર ભુજાઓ છે. શ્રી અરિહંત પરમાત્માની જમણી ભૂજા તરફ સદા રહે તે રીતનું એક દાઢાવાળા વરાહનું મુખ છે. તે દાઢા ઉપર જિનાલયના આકારની રાયણવૃક્ષની શાખા ધારણ કરેલી છે. તે દેવકુલિકા રૂપે શાખામાં શ્રી આદીશ્વર પરમાત્મા બિરાજમાન છે. શ્રી માણિભદ્રજીએ મહા તેજસ્વી દિવ્ય રત્નોથી જડિત દિવ્ય મુગટ મસ્તક પર ધારણ કરેલ છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગલ, અંકુશ, નાગપાશ આદિ આયુધો ધારણ કરનાર છે. સાત સૂંઢવાળા ઐરાવત ગજરાજ ઉપર તેઓ બિરાજમાન છે. તે ગજરાજની પ્રથમ સૂંઢમાં પરમાત્માને Page #683 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 667 અભિષેક કરતો પૂર્ણ કળશ છે. બીજી સૂઢોમાં રક્તવણાં પુંડરીક કમળો છે. ઐરાવત ગજરાજનું અંગ દિવ્ય રત્નજડિત અલંકારોથી શોભેલું છે. બાવન વીર, ચોસઠ યોગિની, અનેક રિદ્ધિસિદ્ધિના સ્વામી એવા વીસ હજાર સામાનિક દેવો તેમ જ કાળા-ગોરા બટુક ભૈરવ આદિ દેવોના તે સ્વામી છે. આવા દિવ્ય સ્વરૂપવાળા અનેક શક્તિના સ્વામી શ્રી માણિભદ્રદેવ યક્ષેન્દ્ર જૈનશાસનના મહાન શાસન-રક્ષક દેવ છે. શ્રી જૈનશાસનમાં શાસનદેવ તરીકે અનેક દેવદેવીઓની સ્થાપના થયેલી છે, જેમાં મોખરાનું સ્થાન શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રનું છે. શ્રી આદીશ્વર પરમાત્મા પૂર્વ નવ્વાણુંવાર શ્રી શત્રુંજય તિર્થાધિરાજ પર સમોસર્યા છે એવા મહાતીર્થના પરમ ભક્ત યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજી છે. શ્રી માણિભદ્ર દાદાનું નામસ્મરણ પણ તમામ મશ્કેલીઓનો નાશ કરનાર છે. દ:ખોને ભગાડનાર છે લીઓનો નાશ કરનાર છે, દુઃખોને ભગાડનાર છે, રિદ્ધિસિદ્ધિને આપનાર છે અને પરમાત્મ-ભક્તિમાં સહાય કરનાર છે. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે ગણાય છે, જેમની ઉત્પત્તિનો ઇતિહાસ આ પ્રમાણે છે : પૂ. આચાર્યભગવંત શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે ઉજ્જૈન નગરમાં રહેતા માણેકચંદ નામના શ્રેષ્ઠીને જૈન ધર્મપરાયણ બનાવ્યા. આ માણેકચંદ શેઠ વ્યાપાર અર્થે પાલીમાં રહેતા હતા. ગુરુ ભગવંતને ખૂબ આગ્રહ કરી માણેકચંદ શેઠે પાલીમાં ચાતુર્માસ કરાવ્યું. એ ચાતુર્માસ દરમિયાન શ્રી શત્રુંજય માહાભ્યનો દિવ્ય મહિમાગાન ગુરુ ભગવંતના મુખે સાંભળતાં માણેકચંદ શેઠને એ તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરવાના મનમાં કોડ જાગ્યા અને ગુરુ ભગવંત સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગિરિરાજનાં દર્શન ન કરું ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. અને તરત જ તીર્થયાત્રા માટે પ્રયાણ શરૂ કર્યું. માણેકચંદ શેઠના હૃદયમાં એક જ ભાવ છે જ્યારે હું સિદ્ધગિરિ ભેટું! કયારે એ પવિત્ર ગિરિરાજની છાયામાં બેસી મારા આત્માને નિર્મળ બનાવું! એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા અને સાતમા દિવસે ઉત્તર ગુજરાતના સિદ્ધપુર નજીકના મગરવાડા નામના ગામ પાસે માણેકચંદ પધાર્યા. મગરવાડામાં માનવોનો વાસ ખૂબ ઓછો હતો. ગાઢ વનરાજિના કારણે ગામ ભયંકર લાગતું હતું. શેઠ માણેકચંદ પર ડાકૂઓએ શસ્ત્રનો ઘા કર્યો અને શરીરનાં મસ્તક, ધડ અને પગની પિંડી છેદીને ત્રણ ટુકડા કરી નાખ્યા. શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક, શ્રી શત્રુંજય મહાતીર્થના ધ્યાનના દિવ્ય પ્રભાવે માણેકચંદ શેઠ વ્યંતર નિકાયના માણિભદ્ર નામે ઇન્દ્ર બન્યા. એ સમયમાં પૂ. આચાર્યભગવંત શ્રી આનંદવિમળસૂરિજી મ.સા.ના કેટલાક સાધુઓ ઉપર મંત્રપ્રયોગો થવા લાગ્યા. ગુરુભગવંતે સૂરિમંત્રનું ધ્યાન કર્યું ત્યારે સૂરિમંત્રના અધિષ્ઠાતા દિવે જણાવ્યું કે, આપ ગુજરાત બાજુ વિહાર કરીને જાઓ. ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી અમનો તપ કરજો. ગુરુ ભગવંતે પોતાનો વિહાર ગુજરાત તરફ કર્યો અને વિહાર કરતાં કરતાં મગરવાડા ગામે પધાર્યા અને ત્યાં અમનો તપ કર્યો. અક્રમના પ્રભાવથી યક્ષેન્દ્ર માણિભદ્રદેવનું આસન કંપાયમાન થયું અને પોતાના ઉપકારી ગુરુદેવને જોઈ પોતે પ્રગટ થયા અને પોતાનું દિવ્ય દર્શન ગુરુભગવંતને આપ્યું. ગુરુ ભગવંતે ઉપસર્ગોનું નિવારણ કરવા માટે વિનંતી કરી અને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે તેમની સ્થાપના કરી. શ્રી માણિભદ્ર યક્ષેન્ને આ વાત સ્વીકારી ત્યારથી તપાગચ્છ અધિષ્ઠાયક તરીકે શ્રી માણિભદ્ર દેવ શાસનની રક્ષા કરે છે. Page #684 -------------------------------------------------------------------------- ________________ 668 તપાગચ્છાધિષ્ઠાયક ન કરીદર ૭ Page #685 -------------------------------------------------------------------------- ________________ ર S વિભાગ – ૬) દ જ છે. રોજ શ્રી માણિભદ્રજીનો મહિમા 'સ્વરૂપ-ચમત્કારો : કરી શક છે મહાચમત્કારિક શ્રી માણિભદ્રવીર 'કસોળમાં સૈકાની એક મહાન ઘટનાનો તેજ લિસોટો *ઇતિહાસનો ઉજાસ : તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રદાદા *વિવિધ મુદ્રાઓમાં માણિભદ્રજીનું સ્વરૂપ દર્શન *શ્રી માણિભદ્રનો મહિમા ન્યારો *જ્યાં જ્યાં નવકાર ત્યાં ત્યાં ચમત્કાર * શ્રી માણિભદ્રજીનું પ્રાગટ્ય *શ્રી માણિભદ્રદાદાનું દિવ્ય સ્વરૂપ 91 છે પ ::: Page #686 -------------------------------------------------------------------------- ________________ 670 શ્રી જિનશાસન આરાધના ટ્રષ્ટ પૂજ્યપાદ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશીર્વાદ – પ્રેરણાથી છેલ્લાં ત્રેવીસ ત્રેવીસ વર્ષથી જિનશાસનનાં સાતે ક્ષેત્રોનીઅવિચ્છિન્ન ભાવભક્તિ દ્વારા યત્કિંચિત ઋણમુક્ત થયાનો આત્મસંતોષ અનુભવતું "શ્રી જિનશાસન આરાધના ટ્રષ્ટ' ભક્તિના પંથે હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે. અનેક સંઘો તથા પુન્યાત્માઓના સહકારથી આજ સુધી ઢગલાબંધ જિનમંદિરોનાં નિર્માણ તથા જીર્ણોદ્વારો,ઉપાશ્રયનાં નિર્માણો, દીક્ષાર્થીઓનાં બહુમાન અનેક જ્ઞાનશાળાઓના સંચાલન, વિહારમાં પૂ.ગુરુભગવંતોને પડતી તકલીફોના નિવારણો,સાધર્મિકોના ઉદ્ધારો વિ. અનેકાનેક કાર્યો શ્રી સંઘના અપૂર્વ સહકાર થી થઈ રહ્યાં છે. શ્રુતના શ્રેત્રમાં લગભગ ૨૦૦ શાસ્ત્રગ્રંથો (પ્રત્યેકની ૪૦૦ નકલ) છપાવી ભારતભરના ભંડારોમાં ભેટ આપી અપૂર્વ શ્રુતોદ્ધારનું કાર્ય થઈ રહ્યું છે. તપાગચ્છાધિષ્ઠાયક શાસનદેવોની સહાયથી- અરિહંતાદિના અનુગ્રહથી અને પૂ. ગુરુભગવંતોના અંતરના આશિષથી ટ્રસ્ટને વિશિષ્ટ શક્તિ મળે અને સંઘભક્તિને શાસનસેવાના કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ સધાય એવી ભાવના રાખીએ છીએ. ટ્રષ્ટીઓ ચંદ્રકુમારભાઈ જરીવાલા – લલીતભાઈ આર. કોઠારી પુંડરીકભાઈ એ. શાહ – નવીનચંદ્ર બી. શાહ – શોપ નં. ૫ બદ્રિકેશ્વર સોસા. મરીન ડ્રાઈવ 'ઈ' રોડ મંબઈ – ૨ Page #687 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 671 'મહા ચમત્કારિક શ્રી માણિભદ્રવીર – પૂ. આચાર્યશ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ શ્રી માણિભદ્રવીરને પ્રસન્ન કરવા ચૈતન્યના તારમાં ઉર્જાનો ઉજાસ પાથરતા મંત્રોના સંગ્રહ સાથે પૂજનવિધિ જીવનચરિત્ર સાથે મૂકી છે. મગરવાડા, આગલોડ કે ઉજ્જૈનમાં જ્યાં માણિભદ્રજીની પીઠ છે ત્યાં સાધક મન વચન અને કાયાનું પ્રણિધાન કરી પલાંઠી લગાવે છે. તપ સાથે બ્રહ્મચર્યનું આલંબન હોય અને ગુરુનો અનુગ્રહ મેળવી મંત્રવિજ્ઞાનની કૂંચી લઈ સાધના કરે તો અગમ નિગમનાં તાળાં આજના આવા ભીષણકાળ ખૂલ્યા વગર રહેતાં નથી. ' સાધકો માટેની વિધિ પણ આ લેખમાં પ્રસ્તુત છે. માણિભદ્રવીરની અથથી ઇતિ સુધીની રોમાંચક કથા, સ્થાન, વર્ણ અને સ્વરૂપનું સુરેખ વ્યવસ્થિત દર્શન આ લેખમાં પૂજ્યશ્રીએ કરાવ્યું છે. આવો – અંતરથી કરીએ આરાધના ! ટાળીએ વિરાધના ! અને કરીએ......... સાધના ! - સંપાદક * ભરતક્ષેત્રઃ આ જંબૂદ્વીપની અંદર દક્ષિણાર્થે ભરતક્ષેત્ર છે. તેમાં અનેક નાનામોટા દેશો છે અને તેમાં અનેક જાતની ભાષાઓ બોલાય છે. અનેક પર્વતો અને નદીઓ આવેલી છે. અઢી દ્વિીપની અંદર પાંચ મહાવિદેહ ક્ષેત્રો છે; તેમાં સદૈવ ધર્મસ્થાપક તીર્થંકર પરમાત્માઓ વિચરતા હોય છે અને ભાવિક આત્માઓ ઉપદેશ ગ્રહણ કરીને અહિંસા, સંયમ અને તપનું પાલન કરીને મોક્ષે જાય છે. એવી જ રીતે અઢી દ્વીપની અંદર પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ ભરતક્ષેત્ર આવેલ છે. ત્યાં ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ હોય છે અને કાળની અંદર ચોવીસ તીર્થંકર હોય છે. શત્રુંજય તીર્થ: તેમાંના જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં શત્રુંજય એ મહાતીર્થ છે. તે પ્રાયઃ શાશ્વત તીર્થ છે અને સોરઠ દેશમાં આવેલું છે, જેનાથી આ ભરતક્ષેત્રની શોભા અધિક મહિમાવંત બની છે; કારણ કે બાકીનાં ૧૪ ક્ષેત્રોની અંદર શાશ્વત શત્રુંજય તીર્થ જેવું કોઈ ત્યાં નથી, માટે ત્યાંના લોકો પણ ભાવના કરે છે કે અમો દક્ષિણાર્ધ ભારતમાં જન્મ્યા હોત તો એ મહાન તીર્થની સ્પર્શના કરી શકત. કારણ, એ તીર્થ ઉપર કાંકરે કાંકરે અનંતા અનંત મોક્ષે ગયા Page #688 -------------------------------------------------------------------------- ________________ 672 તપાગચ્છાધિષ્ઠાયક છે, જન્મ-મરણના ફેરા મટાડ્યા છે. એ શત્રુંજય મહાપર્વતમાં અનેક રસકૂંપી, ઔષધિ અને જડીબુટ્ટીઓ છે તેમ જ અનેક ગુફાઓ છે. એ પર્વત પહેલા આરામાં ૮૦ યોજનાના વિસ્તારવાળો અને અવસર્પિણી કાળમાં છઠ્ઠા આરાના અંતે કેવળ સાત હાથનો રહેશે. પર્વત ઉપર પૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે, જેઓએ નવ્વાણું પૂર્વ વખત પધારીને સ્પર્શના કરી છે. આ કાળની અંદર ૨૩ તીર્થંકરોએ આ ભૂમિને સ્પર્શ કરીને પર્વતને પવિત્ર બનાવ્યો છે, જેની ૧૦૮ ટૂંકો છે. નવ્વાણું યાત્રા કરીને અને છ'રી પાળતા સંઘ સાથે આવીને જે શત્રુંજયગિરિની સ્પર્શના કરે છે તેનાં પાપ રહી શકતાં નથી. વર્તમાન કાળે શત્રુંજય પર્વત ઉપર શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. મરુધર : જેમ ભરતક્ષેત્રમાં સોરઠ દેશમાં શત્રુંજય પર્વત છે તેમ મરુધરમાં આબૂ, સુવર્ણગિરિ, રાઉલી, નાકોડા પાર્શ્વનાથ અને ચૌદશેં ચુંમાલીસ (૧૪૪૪) સ્તંભયુક્ત રાણકપુર વગેરે તીર્થ આવેલ છે. મગધદેશઃ મગધ આદિમાં આવેલ સમેતશિખર, ચંપાપુરી, પાવાપુરી, રાજગૃહી, કાકંદી, સૌરિપુર, પ્રયાગ, અયોધ્યા આદિ તીર્થોથી એ દેશો પવિત્ર થયા છે. ઉજ્જૈની નગરી : તેવી જ રીતે માલવ નામનો વિખ્યાત દેશ છે. તે દેશની અંદર માંડવગઢ, મક્ષીજી અને અવંતી પાર્શ્વનાથ વગેરે તીર્થ આવેલ છે અને અવંતી પાર્શ્વનાથ નામથી અવંતી નામની નગરી છે. એ નગરી હાલ ઉજ્જૈની નામથી પણ ઓળખાય છે. એ ઉજ્જૈનીમાં અનેક રાજાઓ થઈ ગયા. ઉજ્જૈનીની જનતા રાજપ્રિય હતી. તેમાં અનેક શેઠ–શાહુકાર થયા છે. મોટી મોટી હવેલીઓ અને હાટોથી એ નગર અલંકૃત છે. માણેકશાહનો જન્મઃ એ જ ઉજ્જૈનમાં માણેકશાહ નામના એક શેઠ સોદાગર વસતા હતા. વિ.સં. પંદરનો સૈકો હતો. માણેકનો જન્મ થતાં માતાપિતાએ ખૂબ આનંદપૂર્વક જન્મોત્સવ ઊજવેલ હતો. દીન-હીન-દુઃખીને ઘણું દાન આપી સંતોષ પમાડ્યો હતો. ઓસવાલ તેમની જાતિ હતી. માણેકશાહના પિતાનું નામ ધર્મપ્રિય અને માતાનું નામ જિનપ્રિયા હતું. તેમને એ એક જ પુત્ર હોવાથી લાડકવાયો હતો અને કુટુંબ વિશાળ હોવાથી ખોળેથી ખોળે પ્રમદાઓ રમાડતી હતી. એવા લાડકવાયા પુત્રને જોઈને માતાપિતા ખૂબ જ આનંદ અનુભવતાં હતાં. બાળક થોડોક મોટો થયો ત્યારે પિતા ધર્મપ્રિય નશ્વર દેહ છોડી આ લોકથી વિદાય થયા (મૃત્યુ પામ્યા) હતા. | શિક્ષણ ને શાખઃ માતા જિનપ્રિયાએ માણેકને જૈન ધર્મનું શિક્ષણ-સંસ્કાર આપી અને વ્યાવહારિક જ્ઞાન અપાવી પિતા જેવો જ શાહ સોદાગર બનાવ્યો. તેણે પિતાનો વહીવટ સંભાળી બજારમાં શાહ સોદાગરની પદવી પ્રાપ્ત કરી. વ્યાપારમાં અનીતિને દેશવટો પોતે આપેલ. દાન, શીલ, તપ અને ભાવના – એ ચારે ધર્મોનું યોગ્ય રીતે પાલન કરતા હોવાથી માણેકશાહ લોકપ્રિય અને રાજપ્રિય બન્યા હતા. લગ્ન : પુખ્ત વય થતાં માતાએ ધારાનગરીના જગમશહૂર ભીમશેઠની આનંદરતિ Page #689 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 673 નામની કન્યા સાથે લગ્ન કરાવ્યાં. તે ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે કર્તવ્યો અબાધિતપણે પાળતાં સંસારસુખ ભોગવતાં હતાં. મનપરિવર્તન : જૈન ધર્મમાં તપાગચ્છ શાખાના લાડીલા માણેકશાહનાં માતા-પિતા ઓસવાલ વંશે અને જૈન ધર્મે તપાગચ્છની શાખામાં પૂ.આણંદવિમલસૂરિ આચાર્યના અનુયાયી હતાં. માણેકશાહ પણ એ જ ધર્મનું પાલન કરતા હતા. પોતાની હવેલીમાં જિનમંદિર અને પૌષધશાલા હતી. એક વખત લોંકાશાહના યતિઓ ત્યાં આવેલા હતા. ભદ્રિક પરિણામી માણેકશાહ ધર્મશ્રવણ કરવા તેમની પાસે જતા હતા. તેમણે કુયુક્તિઓથી માણેકશાહના મનમાં પ્રતિમાપૂજા નહીં કરવી એવું ઠસાવી દીધું. આથી કુળક્રમથી આવેલ તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવકધર્મ છોડીને માણેકશાહ લૉકામતી બન્યા. માણેકચંદનો સંકલ્પ : એ વાતની જ્યારે તેમનાં માતુશ્રી જિનપ્રિયાને ખબર પડી ત્યારે તેમના આત્માને ઘણું દુઃખ થયું, અને પ્રતિજ્ઞા કરી કે ' જ્યાં સુધી મારો માણેક પાછો સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘી વિગઈ ખાવી નહિ.' માતા જિનપ્રિયાની પ્રતિજ્ઞાની જ્યારે માણેકશાહનાં ધર્મપત્ની આનંદરતિને ખબર પડી ત્યારે તેમને પણ ઘણો જ ખેદ થયો ને પોતાના પતિદેવને માતાની એ પ્રતિજ્ઞાની જાણ કરી. માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે, "જ્યારે કોઈ સદગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ!" એ વાતને છ માસ વ્યતીત થઈ ગયા. આચાર્યની પધરામણી : એક દિવસે આચાર્ય હેમવિમલસૂરિજી તથા આચાર્ય આનંદવિમલસૂરિજી-સત્તર સાધુઓથી પરિવરેલા–ઉગ્ર વિહાર કરતા કરતા ભવિજીવોને ગામોગામ ઉપદેશ આપતા ઉજ્જૈની નગરીની બહાર આમ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. રાત્રે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પતાવીને બધાએ મુનિવરો કાઉસ્સગ્ય ધ્યાનમાં લીન બન્યા હતા. અવહેલના ને પશ્ચાત્તાપ ઃ તે દિવસે આચાર્ય મહારાજ આવેલા છે એ ખબર પડતાં માણેકશાહ રાત્રે પોતાના સાથીઓની સાથે હાથમાં મશાલ લઈને ઉદ્યાનમાં આવ્યા. ધ્યાનમગ્ન એક એક સાધુ પાસે જઈને તેણે મશાલ દ્વારા અવહેલના કરતાં એક સાધુની દાઢીના બાલ પણ બાળી નાખ્યા. ધ્યાનમગ્ન એ સાધુ ભગવંતને સમતારસ અને નમ્ર ભાવમાં નિમગ્ન જોઈને માણેકશાહને ઘણો જ પશ્ચાત્તાપ થયો. આ સાધુ ભગવંત હતા તપાગચ્છની પાટને શોભાવતા ગચ્છાધિપતિ આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ. માણેકશાહ પોતાની હવેલીમાં આવી પલંગ ઉપર સૂતા, પણ નિદ્રા ન આવી. પોતાની ભૂલનો પશ્ચાત્તાપ ખૂબ ખૂબ કરવા લાગ્યા અને તે સાધુની સમતા ને ક્ષમાને અનુમોદવા લાગ્યા. વિપુલ ઝરણું : ધન્ય છે આવા ક્ષમાના સાગર ગુરુપ્રવરને ! જરા માત્ર ક્રોધ નથી. મુખ કેવું પ્રફુલ્લિત હતું! અહો ! ધન્ય છે આ સાધુ ભગવંતોને ! આવા પંચમહાવ્રતધારી સાધુઓ કયાં અને ગાદી ઉપર બેસીને ઉપદેશ દેનાર યતિઓ કયાં!બન્નેના આચરણમાં મેરુ અને સરસવનું (૫, Page #690 -------------------------------------------------------------------------- ________________ 674 તપાગચ્છાધિષ્ઠાયક અંતર છે. સવારે ઉદ્યાનમાંથી આચાર્યભગવંતની પધરામણી મારે ત્યાં સંઘ સહિત કરાવું, ભૂલની માફી માગું, શંકાઓનું સમાધાન કરું અને આવા સમતાસાગર મુનિવરોની પવિત્ર રજથી આંગણું પવિત્ર કરું.' આવી આવી ભાવનાઓથી આખી રાત્રિ વ્યતીત કરી સવારે સંઘને ભેગો કર્યો. વાજિંત્રોના નાદ અને સ્વાગત પૂર્વક ગુરુમહારાજને પોતાને આંગણે પોતાની પૌષધશાલામાં બિરાજમાન કર્યા. સંઘની સમક્ષ રાત્રે થયેલી પોતાની ભૂલની માફી માગી, ક્ષમાયાચના કરી અને વિનંતી કરી કે, "હે પૂજ્ય ગુરુ ભગવંત ! મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો." જિજ્ઞાસુની શંકા ને તેનું સમાધાન : પ્ર. ૧........ હે પૂજ્ય ! શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે? ઉ. ૧ ... હે માણેકશાહ! ઘણાં શાસ્ત્રમાં પૂજાનું વિધાન અને તેની વિધિ છે. પ્ર. ૨...... હે ભગવંત! કયા શાસ્ત્રમાં છે? ઉ. ૨.... અગિયાર અંગમાંથી પાંચમું અંગ જે મહાન ભગવતી સૂત્ર છે, તેમાં એનું વિધાન છે. ' રાયપાસણી' સૂત્રમાં છે, એમ અનેક આગમોમાં છે. પ્ર. ૩. કોઈએ જિનપ્રતિમા પૂછે છે? ઉ. ૩. હા, દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી છે. સૂર્યાભદેવે જિનપ્રતિમા પૂજી છે.' પ્ર. ૪. આ પાંચમા આરામાં કોઈ શ્રાવકે જિનબિંબ ભરાવ્યાં છે અને પૂજ્યાં છે? ઉ.૪... હા. (૧) મહારાજા ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર તે તે તીર્થકરોના શરીર પ્રમાણથી ૨૪ તીર્થકરોની પ્રતિમાજી ભરાવીને સ્થાપન કરેલ છે. (૨) સંપ્રતિ મહારાજાએ ભગવાન મહાવીર પછી બસો નેવું વર્ષે સવા કરોડ જિનપ્રતિમા ભરાવી છે અને સવા લાખ જિનમંદિર બનાવ્યાં છે. (૩) ભગવાન મહાવીરના સંસારી ભાઈ નંદિવર્ધન રાજાએ મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવેલ તે હાલના નાંદિયા, દિયાણા અને નાણામાં છે. (૪) શ્રેણિક મહારાજે આવતી ચોવીસીમાં થનાર પદ્મનાભ નામના તીર્થંકરની પ્રતિમા ભરાવી છે. (૫) વસ્તુપાલ–તેજપાલે અને વિમલશાહે આબૂદેલવાડાનાં દેરાસર કરાવ્યાં છે. (૬) ધરણાશાહે ૧૪૪૪ સ્તંભયુક્ત રાણકપુરનું દેરાસર સ્વર્ગલોકનો વાદ કરતું હોય તેવું બનાવ્યું છે. (૭) કેસરિયાજી તીર્થમાં આદિનાથજીની પ્રતિમાજી છે, જેની મુનિસુવ્રતસ્વામીના વખતમાં - શ્રીપાલ અને મયણાસુંદરીએ પૂજા કરી હતી અને તેથી શ્રીપાલ રાજાનો કોઢ ગયો હતો. (૮) ઉજ્જૈનમાં અવંતી પાર્શ્વનાથ અતિ પ્રાચીન છે. Page #691 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 675 (૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા બધા જ દેવલોકમાં ને ભૂલોકમાં પૂજાણી છે અને અષાઢી શ્રાવકે ગઈ ચોવીસીમાં ભરાવી છે. શ્રીકૃષ્ણજીના વખતમાં એનું નવણ છાંટવાથી ' જરા' નામની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. (૧૦) અંતરિક્ષ પાર્શ્વનાથ અતિ પ્રાચીન છે. શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે અનેક તીર્થોનો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે. એમ અનેક શાસ્ત્રોની શાખ છે. પ્રત્યક્ષ અને પરંપરાસિદ્ધ દાખલાઓ છે. માટે હે માણેકશાહ! જરા માત્ર એ બાબતમાં શંકા રાખવી નહિ. વ્રત સ્વીકારઃ આ પ્રમાણે માણેકશાહની શંકાનું નિવારણ થયું અને મહા સુદ પાંચમના શુભ દિવસે સમકિત મૂલ બારે વ્રતો ઉચ્ચાય. સંઘમાં લહાણી કરી ગુરુદેવોની વસ્ત્રપાત્રથી ભક્તિ કરી. દીનહીન-દુઃખીને અનુકંપાદાન કર્યું. ઉપરાંત, આઠમ–ચૌદશે પૌષધ કરવા લાગ્યા. હંમેશાં અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. સુપાત્રની ખૂબ ખૂબ ઉત્સાહથી ભક્તિ કરવા લાગ્યા. આચાર્ય મહારાજે પણ માણેકશાહને શ્રાવકપણામાં સ્થિર કરી-જાણી અન્યત્ર વિહાર કર્યો. ગામેગામ વિહાર કરતા કરતા આચાર્ય ભગવંતાદિ આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસમાં વ્યાપાર સ્થગિતઃ માણેકશાહને એક વખત વ્યાપારાર્થે આગ્રામાં જવાનું થયું. ત્યાં સાંભળ્યું કે પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરિજી તથા પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી આદિ સાધુ ભગવંતો અહીં ચાતુર્માસ માટે પધારેલા છે. એ સાંભળીને જેમ મેઘધ્વનિ સાંભળી મયૂર નાચી ઊઠે તેમ ગુરુમહારાજ પધાર્યાના સમાચાર સાંભળી માણેકશાહનું પણ હૈયું નાચી ઊઠયું. બધો જ વ્યવહાર અને કામકાજ પતાના મુનીમોને સોંપી દીધો. પોતે નિવૃત્ત થઈને ગુરુ સમક્ષ સવારે ઊઠી સામાયિક, પ્રતિક્રમણ, પચ્ચકખાણ, દેવપૂજા, ગુરુ-વૈયાવચ્ચ, વ્યાખ્યાનશ્રવણ અને આત્મધર્મની ચર્ચાઓમાં આખો દિવસ વ્યતીત કરવા લાગ્યા. શત્રુંજય માહાભ્ય શ્રવણની અસર : વ્યાખ્યાનમાં શત્રુંજય માહાભ્ય' નામનો ગ્રંથ ગુરુદેવ વાંચતા હતા. એ ગ્રંથમાં શત્રુંજયની યાત્રા છ'રી પાળતાં જે કરે, ત્યાં જઈને નવ્વાણું યાત્રા કરે; ચૌવિહારો, છઠ્ઠ કરી સાત યાત્રા કરે ને રાયણ વૃક્ષ નીચે ધ્યાન કરે અને તે દરમિયાન જો તેના ઉપર દૂધ ઝરે તે મનુષ્યનો ભવ પરિમિત બને છે. ત્રીજે, સાતમે કે આઠમે ભવે તેમની મુક્તિ થઈ જાય છે. શત્રુંજયની સ્પર્શના કરનાર માનવ ટૂંક ભવમાં જ મુક્તિએ પહોંચી જાય છે, સર્વ કર્મોનો અંત આવે છે. અભિગ્રહની ભાવનાઃ જેમ જેમ શત્રુંજયયાત્રાનું વર્ણન માણેકશાહ સંભાળતા જાય છે તેમ તેમ એમના અંતરમાં યાત્રાની ભાવના ઉત્તરોત્તર વધતી જાય છે. પ્રાંતે એમના મનમાં એવો ઉમંગ અને દઢ સંકલ્પ જાહેર કર્યો કે, " મારે પણ ચૌવિહાર ઉપવાસ, મૌનપણે, અડવાણે પગે નમસ્કાર ગણતાં શત્રુંજય-યાત્રા કરવી છે. માટે પૂજ્ય ગુરુદેવ! મારી આ ભાવના સફળ કરવા મને અભિગ્રહ અને આપશ્રીની શુભ આશિષ આપો, જેથી મારી આ ભાવના પૂર્ણ થાય." ગુરુ મહારાજે કહ્યું, " હે માણેકશાહ ! એ પ્રતિજ્ઞામાં ઘણું જ કષ્ટ ઉત્પન્ન થાય તેવું છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ 676 તપાગચ્છાધિષ્ઠાયક સિદ્ધાચલજી પણ ઘણું દૂર છે, માટે એ પ્રતિજ્ઞા તમે કેવી રીતે પાળી શકશો? માટે સમજી-વિચારીને નક્કી કરો તો વધારે ઉચિત છે." માણેકશાહે વિનંતી કરી કે, "હે ગુરુદેવ! આપશ્રીના શુભ આશિષ મારે માટે બસ છે. આપશ્રી મને અભિગ્રહ આપો." ગુરુ મહારાજના આશિષ : પૂજ્ય ગુરુદેવે ત્રણ નમસ્કાર ગણવાપૂર્વક સિદ્ધાચલની છ'રી પાળતી યાત્રાની પ્રતિજ્ઞા માણેકશાહને કરાવી. આસો સુદિ પાંચમનો એ દિવસ હતો. એ દિવસ ઘણો જ ઉત્તમ હતો અને લગ્નબલ પણ શુભ હતું. આમ શુભ લગ્ન શુભ દિવસે પ્રતિજ્ઞા લીધી. ચાતુર્માસ પૂર્ણ થયું અને કાર્તિક પૂર્ણિમા આવી.' શત્રુંજય માહાભ્ય' ગ્રંથ પણ શ્રવણમાં પૂર્ણ થયો. ગુરુમહારાજના શુભ આશીર્વાદરૂપી માંગલિક સાંભળીને માણેકશાહે શત્રુંજય-યાત્રાના સંકલ્પ પૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રયાણ કર્યું. યાત્રાની દિનચર્યા : બન્ને ટંક આવશ્યક ક્રિયાઓ, માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર હોય ત્યાં ત્યાં દેવદર્શન – પૂજા–ગુરુવંદન આદિ ધર્માનુશાસનના પાલન પૂર્વક હરહંમેશ ઉલ્લાસપૂર્વક એ પ્રયાણ કરતા હતા. જરાય થકાવટ નહિ, જરાય ઉદાસીનતા પણ નહિ. સંગરંગ વધતો જતો હતો. પલમાત્ર પણ શત્રુંજય મહાતીર્થ અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચૂકતા ન હતા. ' ચોરોના હાથમાં: એમ કરતાં ગુજરાતમાં પાલનપુરથી નજદીક મગરવાડા ગામની બાજુમાં એક ગાઢ વનમાં એ આવી પહોંચ્યા. ત્યાં ડાકુ-લૂંટારાઓની એક ટોળી નીકળી. એકલા એ વણિકપુત્રને ઉતાવળે ઉતાવળે નિઃશંકપણે જતો જોઈને એક ડાકુએ ત્રાડ પાડી : " એ વાણિયા ! ઊભો રહી જા." પરંતુ માણેકશાહે એ અવાજ સાંભળ્યો નહીં. કારણ કે એનું ચિત્ત નવકાર મંત્રમાં એકાકાર હતું અને ધ્યેય એક માત્ર શત્રુંજય-યાત્રાનું હતું. એમનાં ડગ આગળ ને આગળ વધી રહ્યાં હતાં. સ્મરણમાં મૃત્યુઃ ડાકુઓ સમજયા કે નક્કી એની પાસે કંઈક કિંમતી માલ હશે તેથી એ આગળ ચાલ્યો જ જાય છે. ડાકુઓ એને રોકી એકદમ તૂટી પડ્યા અને તલવારના એક ઝાટકે મસ્તક, પગ અને ધડ જુદાં કરી નાખ્યાં. પરંતુ માણેકશાહ જરા માત્ર પણ ક્ષોભાયમાન થયા નહીં. નવકારના અને શત્રુંજયના ધ્યાનમાં જ હતા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને યક્ષના ઇન્દ્ર માણિભદ્ર નામે દેવ થયા. ચોસઠ ઇન્દ્રો : જૈન શાસનમાં ચોસઠ ઇન્દ્રો માન્યા છે, તો તે ક્યા કયા છે? તો બાર વૈમાનિક દેવલોકના દસ ઈન્દ્રો, ભવનપતિમાં વીસ ઈન્દ્ર, સોળ વ્યંતરના અને સોળ વાણવ્યંતરના ઇન્દ્રો, એક સૂર્યના અને એક ચંદ્રના એમ એકંદર ચોસઠ ઇન્દ્રો છે. એ ચોસઠ ઇન્દ્રો જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્માઓનાં પાંચ કલ્યાણકો થાય છે ત્યારે ભક્તિ કરવા આવે છે અને તેઓ એકાવતારી હોય છે. પરમાત્માની ભક્તિ કરીને મહાન પુણ્ય ઉપાર્જન કરે છે. વ્યંતર દેવની આઠ જાતિ : માણિભદ્ર ઇન્દ્ર એ ચોસઠ ઇન્દ્રોમાંથી વ્યંતરના એક ઇન્દ્ર Page #693 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ છે. વ્યંતરદેવ આઠ જાતના હોય છે. (૧) કિન્નર, (૨) કિંપુરુષ, (૩) મહોરગ, (૪) ગંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત, (૮) પિશાચ. એ સર્વે સ્વર્ગ, મૃત્યુ, પાતાલ– બધી જગ્યાએ સ્પર્શ કરતાં સ્વતંત્રપણે અનેક ગુફા, નદી, પર્વત, ગિરિકન્દરામાં ભ્રમણ તેમ જ નિવાસ કરે છે. આથી એને વ્યંતરદેવ કહેવાય છે. કેટલાંયે ક્ષેત્રોમાં ક્ષેત્રદેવતા તરીકે રક્ષણ કરતા રહે છે, તેથી તેઓ ક્ષેત્રપાલ પણ કહેવાય છે. કિન્નર ઃ ઉપર જે આઠ જાતિ વ્યંતરોની બતાવી તેમાં પહેલી જાતિના દેવ દસ પ્રકારના હોય છે : (૧) કિન્નર, (૨) કિંપુરુષ, (૩) કિંપુરુષોત્તમ, (૪) કિંનરોત્તમ, (૫) હૃદયંગમ, (૬) રૂપશાલી, (૭) અગ્નિદંત, (૮) મનોરમ, (૯) રતિપ્રિય, (૧૦) રતિશ્રેષ્ઠ. કિંપુરુષ : બીજી પણ દસ પ્રકારની છે : (૧) પુરુષ, (૨) સંત્પુરુષ, (૩) મહાપુરુષ, (૪) પુરુષવૃષભ, (૫) પુરુષોત્તમ, (૬) અતિપુરુષ, (૭) મરુદેવ, (૮) મરુત, (૯) મેરુષભ, (૧૦) યશસ્વત. મહોરગ : ત્રીજા પણ દસ પ્રકારના છે : (૧) ભુજંગ, (૨) ભોગશાલી, (૩) મહાકાય, (૪) અતિકાય, (૫) સ્કન્દુશાલી, (૬) મનોરમ, (૭) મહાવેગ, (૮) મહેશ્વર, (૯) મેરુકાંત, (૧૦) ભાસ્યાન. ગંધર્વ : ચોથા બાર પ્રકારના છે : (૧)હા હા, (ર) તુમ્બરું, (૩) હું હું (૪) નારદ, (૫) ફળવાદિક, (૬) ભૂતવાદિક (૭) કાદમ્બ, (૮) મહા કાદમ્બ, (૯) રૈવત, (૧૦) વિશ્વાસુ, (૧૧) ગીતરતિ, (૧૨) ગીતપ્રસરી. 677 યક્ષ : પાંચમા તેર પ્રકારના છે : (૧) પૂર્ણભદ્ર, (૨) મણિભદ્ર, (૩) સ્વભદ્ર, (૪) હરિભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) વ્યતિપાત ભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતોભદ્ર, (૯) મનુષ્યક્ષ, (૧૦) વનાધિપતિ, (૧૧) વનહાર, (૧૨) રૂપયક્ષ, (૧૩) યક્ષોત્તમ. : બ્રહ્મરાક્ષસ : છઠ્ઠા સાત પ્રકારના છે : (૧) ભીમ, (ર) મહાભીમ, (૩) વીન્ધ, (૪) વિનાયક, (૫) મહાવિનાયક, (૬) જલરાક્ષસ, (૭) બ્રહ્મરાક્ષસ. ભૂત : સાતમા નવ પ્રકારના છે : (૧) સુરૂપ, (૨) પ્રતિરૂપ, (૩) અતિરૂપ, (૪) ભૂતોત્તમ, (૫) સ્કન્દિક, (૬) મહાસ્કન્દિક, (૭) મહાવેગ, (૮) પ્રતિછન્ન, (૯) આકાશમ. પિશાચ : આઠમા પંદર પ્રકારના છે : (૧) કુસ્માન્દ, (૨) પટક, (૩) જોષ આહ્વક, (૪) કાળ, (પ) મહાકાળ, (૬) ઊક્ષા (૭) અચૌક્ષ, (૮) તાલ, (૯) પિશાચ, (૧૦) મુખ્ખર પિશાચ, (૧૧) અધર તારક, (૧૨) દેહ, (૧૩) મહાવિદેહ, (૧૪) તૃષ્ણીક, (૧૫) વનપિશાચ. વ્યંતરદેવોના રૂપ–રંગ–ચિહ્ન તથા સ્વભાવ અને શરીર જાત–જાતનાં હોય છે, તે બધું અહીં લખતા નથી. શ્રી માણિભદ્ર ઇન્દ્ર ઃ વ્યંતરોના સોળ ઇન્દ્ર બતાવ્યા છે, તેમાંના એક શ્રી માણિભદ્ર ઇન્દ્ર છે અને તેની આરાધના કરવા માટે અલગ અલગ રીતે વર્ણન શાસ્ત્રોમાં મળે છે. એ પ્રમાણે માણેકશાહ શેઠ શુભધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા અને એક ભવ Page #694 -------------------------------------------------------------------------- ________________ 678 તપાગચ્છાધિષ્ઠાયક પછી દેવગતિથી પાછા મનુષ્યગતિમાં આવી શુદ્ધ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. ઈર્ષાની આગ : હવે બીજી બાજુ, જ્યારે માણેકશાહ લૉકામતી પંથ છોડી પાછા પવિત્ર શુદ્ધ તપાગચ્છીય ક્રિયાઓ સ્વીકારીને પૂજા આદિ ધર્માનુષ્ઠાન કરવા લાગ્યા એ જોઈ લોંકામતી – કડવામતીના પતિના હૈયામાં પૂ. આચાર્ય હેમવિમલસૂરિજી તથા પૂ. આચાર્ય આનંદવિમલસૂરિજી ઉપર તેજોદ્વેષ ઉત્પન્ન થયો. એમણે ભૈરવદેવ સિદ્ધ કર્યો અને કડવામતીના યતિએ ભૈરવ દેવને આજ્ઞા કરી કે, 'જાઓ, હેમવિમલસૂરિ સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરીને ભટકતા (નાશ) કરી દો." ભૈરવદેવથી ભ્રમિત સાધુઓ : ભૈરવ પણ મંત્રશક્તિથી બંધાયેલો હોવાથી, તેના મંત્રબળે આચાર્યશ્રીના કેટલાક સાધુઓ ચિત્તભ્રમિત થઈ ભટકતા ભટકતા મૃત્યુ પામે છે. એમ સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ કાળધર્મ પામતાં, એ ઉપદ્રવ જોઈને આચાર્યદેવશ્રી સૂરિમંત્રના ધ્યાનમાં પદ્માસને બેઠા. સૂરિમંત્રના અધિષ્ઠાયકે અવાજ કરી કહ્યું કે, ગુજરાતમાં તમારો પ્રવેશ થતાં જ તમો અઠ્ઠમતપ કરજો અને ત્યાં તમારો દેવકૃત ઉપદ્રવ છે તે મટી જશે." એ સાંભળી પૂ. આચાર્યમહારાજ શેષ રહેલા સાધુઓ સાથે વિહાર કરતાં કરતાં પાલનપુર પાસે મગરવાડા ગામે આવ્યા. ઉપદ્રવ નિવારણ તપશ્ચર્યા : ત્યાં ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે એમ સમજીને આચાર્યશ્રી ગામની ભાગોળે એક રાયણવૃક્ષ નીચે અક્રમ તાપૂર્વક કાઉસ્સગ્ગ ધ્યાનમાં પદ્માસને બિરાજમાન થયા. એ અઠ્ઠમતપ અને ધ્યાનના પ્રભાવથી માણિભદ્ર ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. માણિભદ્રદેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂર્વના મારા અંતિમ સ્થાને પધારેલા છે. તેમના જ ઉપદેશથી હું ઇન્દ્રની રિદ્ધિસિદ્ધિ પામ્યો છું. મારી પહેલાંના માણિભદ્ર ઇન્દ્ર અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય મનુષ્યગતિમાં જતાં તેમના સ્થાને હવે હું આવ્યો છું. (કારણ કે) દેવલોકની સ્થિતિ છે કે જે પહેલાંના ઇન્દ્રો અહીંથી અન્ય ગતિ પામે ત્યારે બીજા અહીં ઉત્પન્ન થાય તેનું પણ માણિભદ્રદેવ તરીકે જ નામ રહે છે. તે રીતે હું પણ ગુરુમહારાજની કૃપાથી જ વ્રતોનું પાલન કરીને અહીં ઉત્પન્ન થયો છું. માણિભદ્રનું સ્વરૂપઃ હું ઇન્દ્રદેવ થયો છું. મારું શ્યામ વર્ણ અજમુખ (તુદિલ) મનોહર પ્રિયદર્શન મનોન્માન સહિત હાથપગ, નાક, નખ, જીભ અને હોઠ લાલ રંગના છે. લાલ અને તેજસ્વી મુગટ મેં ધર્યો છે. જાતજાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ ઉપર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે અને તેમાં આદીશ્વર ભગવાનનું ચિહ્ન છે, જેથી મારી આંખની સ્થિર દષ્ટિશ્રી આદીશ્વર ભગવાનની ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશૂલ, ડમરૂ, મુગલ, અંકુશ અને નાગ ધારણ કર્યા છે. ઐરાવત હાથી મારું વાહન છે અને હું ચોસઠ જોગણી અને બાવન વીરોનો અધિપતિ બન્યો છું. વીસ હજાર મારા સામાનિક દેવતાઓ છે. એ બધી જ રિદ્ધિસિદ્ધિ પૂજ્ય ગુરુમહારાજની કૃપાથી અહિંસા, સંયમ - Page #695 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 679 અને તપવ્રતના પાલનના આલૌકિક ફલરૂપે છે. અને ગુરુમહારાજની કૃપાથી અવશ્ય મારો મોક્ષ થશે. આમ ગુરુમહારાજના એ ઉપકારોનું સ્મરણ કરતા માણિભદ્ર દેવ તરત જ મગરવાડા ગામની નજદીક, જે જગ્યાએ ગુરુ મહારાજ છે ત્યાં પ્રત્યક્ષપણે હાથ જોડીને ગુરુ સન્મુખ ઊભા રહ્યા. ગુરૂદેવને ઋણમુક્તિ માટે પ્રાર્થના માણિભદ્ર દેવ સૌપ્રથમ ગુરુદેવને પૂછે છે કે, "હે પૂજ્ય ગુરુદેવ! આપ મને ઓળખો છો?" ગુરુએ કહ્યું કે, "તમો કોઈ દવ લાગો છો." "હા, પૂજ્ય ગુરુદેવ ! હું માણિભદ્ર દેવ છું. પૂર્વે આપનો ભક્ત માણેકશાહ પણ હું પોતે જ છું. હું આપની પાસે અભિગ્રહ કરી શત્રુંજય-યાત્રા માટે નીકળ્યો હતો અને અહીં આ જગ્યાએ જ ડાકુઓએ મારા દેહ ઉપર સખત વાર કરતાં હું ધ્યાનમાં મૃત્યુ પામી માણિભદ્ર દેવ તરીકે ઉત્પન્ન થયો છું. ફરમાવો, શું આજ્ઞા છે?" આચાર્યશ્રીએ કહ્યું કે " અમારા ઉપર કોઈ ઉપદ્રવ કરે છે. તે કોણ છે, એ જાણી તેનું નિવારણ કરો. અમારા દસ સાધુઓ ચિત્તભખ્રિત થઈભટકી ભટકીને મૃત્યુ પામ્યા છે. અગિયારમા ચિત્તભખ્રિત થયેલ છે. " એ વાત સાંભળીને માણિભદ્ર દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પોતાની સેનામાં જ રહેલા કાળા-ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા. બન્નેને બોલાવ્યા અને કહ્યું કે ભાગ્યશાળીઓ ! આ સાધુ સંતોને શા માટે તમે ઉપદ્રવ કરો છો? એમની તો ભક્તિ અને સ્તુતિ કરવી જોઈએ. આવાં અધમ કાર્યોથી પાપબંધન થાય છે. સંસારમાં ભટકવું પડશે, માટે એ અકૃત્ય–ઉપદ્રવ કરવાનું છોડી દો." ભૈરવોએ કહ્યું કે, " હે સ્વામિનું! કડવામતીના યતિએ અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે. મંત્રથી અને વચનદાનથી કડવામતીના યતિથી અમે બંધાયેલા છીએ. આથી આ કાર્ય અમારે કરવું પડશે. અમો આપની આજ્ઞાનું પાલન નહીં કરી શકીએ માટે આપ એ વાત કૃપા કરી છોડી દો. છતાં આપ યુદ્ધ કરવા ઇચ્છતા હો તો આપની સાથે યુદ્ધ કરવાને પણ તૈયાર છીએ. . યુદ્ધ ને વિજય : માણિભદ્ર સાથે કાળા-ગોરા ભૈરવનું યુદ્ધ થયું. ભૈરવો આખરે તેમના સેવકો જ હતા. માણિભદ્રએ છ ભુજાએ યુદ્ધ કરીને ભૈરવને વશ કર્યા. આથી ભૈરવોએ ઇન્દ્રને શરણે જઈને કહ્યું કે, " હવે અમે ઉપદ્રવ નહીં કરીએ; પરંતુ અમારી એક વિનંતી આપને માનવાની રહેશે કે જ્યાં જ્યાં આપનું સ્થાન હોય ત્યાં ત્યાં અમને આપની સેવા માટે સ્થાન આપશો ." ભૈરવનો ઉપદ્રવ શાંત થઈ ગયો. અગિયારમા સાધુ સાજા થઈ ગયા. માણિભદ્ર ઈન્દ્રની વિનંતી : માણિભદ્ર ઇન્દ્ર ગુરુદેવને વિનંતી કરી કે, " સાહેબ! આ જગ્યાએ મારા પગ પડ્યા છે. અહીં પગની પિંડીની સ્થાપના આપના હસ્તકે કરો, જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે. આપની પાટ–પરંપરામાં, તપગચ્છની પાટે, જે જે નવા આચાર્યો થશે Page #696 -------------------------------------------------------------------------- ________________ 680 અને તે અહીં આ સ્થાને પ્રથમ આવીને અટ્ટમનો તપ કરશે તો તેનાથી મારું આસન ચલાયમાન થશે. મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે. તરત હું તેમની સેવામાં હાજર થઈશ, તેમના ધર્મલાભરૂપી આશીર્વાદ મેળવીશ અને તેમની સેવામાં રહીને ધર્મમાં સહાય કરીશ. એથી મને શાસનભક્તિનો ધર્મલાભ પ્રાપ્ત થશે. સમકિત પણ નિર્મલ રહેશે. આમ જૈન શાસનની ઉન્નતિમાં સહાયક બનવાની મને એક ઉત્તમ તક-લાભ પ્રાપ્ત થશે." તપાગચ્છાધિષ્ઠાયક ત્યારબાદ પૂ. હેમવિમલસૂરિજી તથા પૂ. આનંદવિમલસૂરિજીએ માણિભદ્રની વિનંતી સ્વીકારી. મહા સુદ પાંચમે મગરવાડા ગામની બહાર પગની પિંડીના આકારની સ્થાપના કરી. માણિભદ્ર દેવનાં ત્રણ સ્થાનો : માણિભદ્ર દેવના કહેવા મુજબ તેમનાં ત્રણ સ્થાનો છે. (૧) ઉજ્જૈનમાં જન્મ છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) મગરવાડામાં પિંડી પૂજાય છે. અને (૩) આગલોડમાં ધડ પૂજાય છે. આગલોડ નગરે ધડની સ્થાપના : પૂ. આચાર્ય શાંતિસોમસૂરિજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે એકસો એકવીસ (૧૨૧) ઉપવાસ કર્યા. શ્રી માણિભદ્ર વીર દેવ પ્રત્યક્ષ થયા અને શ્રી માણિભદ્રના કહ્યા મુજબ વિ.સં. ૧૭૩૩માં મહા સુદ પાંચમના દિવસે આગલોડ નગર બહાર તેમના બતાવેલ સ્થાને માટીના પિંડનું ધડ સ્થાપન કર્યું અને પૂ. આ. શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. આ સમયે માણિભદ્રજીએ કહ્યું કે, " આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી જે મગરવાડા સ્થાનકે ન જઈ શકે તેઓ આગલોડના આ સ્થાનકે આવીને અટ્ટમ કરશે તો પણ તેની ઇચ્છા પૂર્ણ કરીશ. જેઓ મને ધર્મલાભરૂપી આશીર્વાદ આપશે તેમને જિનશાસનની પ્રભાવનામાં હું નિરંતર સહાય કરીશ." એ પ્રમાણે કહીને વીર અદશ્ય થયા. તે જગ્યાએ પૂ. આચાર્ય મહારાજશ્રીના ઉપદેશથી શિખરબંધી જૈનશાસનરક્ષક દેવનું મંદિર શ્રીસંઘે બંધાવ્યું. જે રીતે બૃહત્ સંગ્રહણી સૂત્રમાં છે તે રીતે બંધાવેલ છે, આજે એ મોજૂદ છે. શ્રી માણિભદ્ર દેવની સાધના : ૧. શ્રી માણિભદ્રવીર કે જે પૂર્વેના માણેકચંદ શાહના ભવમાં આસો સુદ ૫ના દિવસે શત્રુંજયયાત્રાની પ્રતિજ્ઞા લીધી તેથી આસો સુદ ૫ ના શ્રી માણિભદ્રવીરનું મહાપૂજન (હવન) થાય છે. ૨. જે દિવસે આગલોડમાં સ્થાપના થઈ તે મહા સુદ ૫ નો દિવસ છે. ૩. ત્રીજો અખાત્રીજનો દિવસ અતિ મંગલરૂપ હોવાથી તે દિવસ પણ સાધના માટે ઉત્તમ છે. ૪. રવિ-મંગળ-ગુરુ એ માણિભદ્રવીરના વાર છે. ૫. સુદ પાંચમ, આઠમ અને ચૌદસ એ તિથિઓ વીરની સાધના માટે શ્રેષ્ઠ છે. એ તિથિએ આયંબિલનું તપ કરે, પંચ પરમેષ્ટિયુક્ત શ્રી માણિભદ્રવીરના મંત્રનો જાપ કરે. Page #697 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 681 સોળમા સૈકાની એક મહાન ઘટનાનો તેજલિસોટો - પ.પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીનો મહિમા જાગતી જ્યોત સમાન અને પ્રગટ પ્રભાવી આરાધ્યદેવ તરીકેનો રહ્યો છે. ગામેગામ ભક્તોનો મોટો પ્રવાહ ભાવપૂર્વક ભક્તિ કરી રહેલ છે. શ્રદ્ધાળુ આત્માઓને તેમની અલૌકિક અનુભૂતિ થયાના સેંકડો દાખલા સાંભળવા મળે છે. તપાગચ્છના વિકાસક્રમના પાયામાં સોળમી સદીની આ મહાન ઘટનાનું તેજ પ્રકાશી રહ્યું છે. આ યક્ષરાજના ઉપયોગની સતત જાગૃતિ માટે તેમની ભક્તિસેવા આ કાળમાં શાસન માટે જરૂરી હોવાનું પણ પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ આ લેખમાં ખાસ ખ્યાન આપે છે. આગમ વિશારદ પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટધર, જંબૂદ્વીપ સંકુલના વર્તમાન માર્ગદર્શક પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ સાગર સમુદાયમાં ચાલીશથી વધુ શિષ્ય-પ્રશિષ્યોનું સફળ ઉત્તરદાયિત્વ ધરાવે છે. પોતાના ગુરુદેવનું સંશોધનકાર્ય આગળ ધપાવી રહ્યા છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે, સમર્થ સાહિત્યકાર અને સુમધુર વક્તા છે. પોણોસો જેટલાં પુસ્તકો પ્રગટ કર્યો છે. નિખાલસ અને નીડર વ્યક્તિત્વ છે, સ્વસ્થ ચિંતક અને અજોડ આરાધક રહ્યા છે. કટોકટીની પળોમાં ઉકેલ શોધનારા આ સાધુપુરુષ પોતાના સમુદાયમાં અને શાસનકાર્યોમાં દાદા ગુરુદેવ ધર્મસાગરજી મહારાજની જેમ હંમેશાં અગ્રેસર રહ્યા છે. . ગુરુદેવની પ્રેરણાથી જ પૂજ્યશ્રીએ ઉજ્જૈનમાં દાદાની મૂળ જગ્યા પાસે બીજી વિશાળ જગ્યા લઈએ તીર્થના જીર્ણોદ્ધાર સાથે નૂતન નિર્માણકાર્યની ઘણી મોટી હરણફાળ ભરી છે. પૂજ્યશ્રીને હાથે આવાં અનેક કાર્યો યશસ્વી બન્યાં છે. વધુ ને વધુ શાસનસેવા તેમના હાથે થતી રહે એ જ શુભકામના. - સંપાદક વિક્રમની સોળમી સદીની આ વાત છે. સોળમી સદી અંધકારયુગને લઈ આવી હતી. નવા નવા ગચ્છો–સંપ્રદાયો બિલાડીના ટોપની (૬. Page #698 -------------------------------------------------------------------------- ________________ 682 તપાગચ્છાધિષ્ઠાયક જેમ ફૂટી નીકળ્યા હતા. જેને જેમ ફાવે તે રીતે મનઘડંત શાસ્ત્રોના અર્થ કરી ચાલી આવતી શુદ્ધ સમાચારી પરંપરાઓના ભુક્કા બોલાવી રહ્યા હતા. શુદ્ધ આત્માના ચૈતન્યનો મૂળ માર્ગ અહિંસા, સંયમ અને તપની ખરી કસોટી હતી. બારમી સદીમાં પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજીએ શુદ્ધ કરેલ તપાગચ્છ ઉપર પુનઃ મિથ્યાત્વનાં વાદળાં અંધકાર પ્રસરાવી રહ્યાં હતાં. કડવામતી લુપકો આદિ પોતાના નવા મતોની પ્રરૂપણા જોરશોરથી કરી ભવિ આત્માઓને સ્વમાર્ગેથી દૂર કરી રહ્યા હતા. આવા સમયે ઉજ્જૈન નગરનાં નગરશેઠાણીએ સન્માર્ગની રક્ષા માટે સાક્ષાત્ સંયમની મૂર્તિ સમા પૂજયપાદ આ.શ્રી આણંદવિમલસૂરિજી મ.સા.ને ઉજ્જૈન નગરમાં પધારવા વિનંતી કરી. દયાના સાગર સૂરિજી પધાર્યા. સામૈયાપૂર્વક શેઠાણીએ પોતાની હવેલીમાં વિશાળ સમુદાય સાથે સૂરિજીની પધરામણી કરી. ઉજ્જૈન નગરીના વાતાવરણમાં ધર્મની સુવાસ પુનઃ પ્રસરવા લાગી. હવેલી ધર્મમય બની ગઈ. તપ, ત્યાગ અને તિતિક્ષાને વરેલા આ સૂરિજીના શિષ્યગણની સુગંધ ઝપાટાભેર માળવામાં પ્રસરવા લાગી. સૂરિજી સ્વયં મહાન તપસ્વી હતા. તપ સાથે વૈરાગ્ય અને ત્યાગ ઝગારા મારતો હતો. એકસો ચાર ઉપવાસની ઘોર તપસ્યા આદરી હતી. સાધુઓ પણ માસક્ષમણ, સોળ ઉપવાસ, અઠ્ઠાઈ વગેરે ઉલ્લાસથી કરી રહ્યા હતા. ચારે બાજુ વાતાવરણ ધર્મમય બની ચૂકયું હતું. ચાતુર્માસની પણ ત્યાં જ જય બોલાવી હતી. એક દિવસની વાત છે. શેઠાણીને આજે વર્ધમાન તપનું પારણું હતું. શેઠાણીનો એકનો એક પુત્ર માણેકચંદ પોતાનાં માતુશ્રીને પારણું કરાવવાની રાહ જોઈ બેઠો હતો. પુત્રવધૂએ પારણાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. માં દર્શન-પૂજન-પ્રવચન વગેરે પતાવી પારણું કરવા પધાર્યા. પુત્ર માણેકે બહુમાન પૂર્વક પારણું કરાવવાની તૈયારી કરી. " બેટા માણેકે માની કટોરીમાં રાબડી પીરસી પણ તેમાં ઘીનો છાંટોય ન હતો. બેટાએ ઘીની વાઢી હાથમાં લીધી. માએ ઘી લેવાની મનાઈ કરી. " કેમ મા ! ઘી વગર પારણું થતું હશે? આટલા દિવસ તો લૂખું ખાધું, હવે તો લ્યો." ખૂબ આગ્રહ કર્યો, પણ માએ ઘી લેવાની સ્પષ્ટ મનાઈ કરી. હતાશ થયેલા બેટાએ પૂછ્યું: " કેમ મા! ઘી નથી લેતી?" પરાણે રાબડીમાં ઘી નાંખવાનો પુનઃ પ્રયત્ન કર્યો. માએ બેટાને હાથ પકડીને કહ્યું : " બેટા ! મારે નિયમ છે, જ્યાં સુધી તું આપણી હવેલીમાં પધારેલા પૂજ્ય આ. ભ. શ્રી આણંદવિમલસૂરિજી મ.ના દર્શન ન કરે, પ્રવચન ન સાંભળે ત્યાં સુધી ઘી મારે બંધ છે." " મા ! તને કેટલીવાર કહ્યું, તું આ જીદ છોડી દે. આજે આડંબર અને સ્વ–પૂજા સિવાય સાધુઓમાં શું રહ્યું છે? નાહકની તું જીદ કરી દુઃખી થાય છે. આજના કોઈ સાધુ કે આચાર્યમાં મને રસ જ નથી." Page #699 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 683 વાત્સલ્યમયી માએ કહ્યું, " બેટા! આ જ તારી ભૂલ છે. આ ચાચાર્ય મ. તો સાક્ષાતુ સંયમની મૂર્તિ સમા ત્યાગી તપસ્વી અને સંયમના સાગર છે. તું એકવાર પરિચય કર, પછી મને કહેજે. નવા નવા મૂર્તિલુપકોના ખોટા ચક્કરમાં ફસાઈ તું અનંતપુજાઈથી મળેલ માનવભવને વેડફી રહ્યો છું. એકવાર તું મારી વાત માન." છેવટે તો માણેક દીકરો હતો ને માનાં વાત્સલ્ય અને મમત્વને ક્યાં સુધી ટાળી શકે? " બસ મા ! હમણાં જ હું તેમના દર્શને જાઉં છું." માની રાબડીમાં ઘીની વાઢી ઊંધી કરી માણેક ચાલી નીકળ્યો. - સાધુઓની વસતીમાં આવ્યો. સમાચાર મળ્યા કે પૂજ્યશ્રી તો ક્ષિપ્રા નદીના કિનારે ગંધર્વ સ્મશાનમાં કાયોત્સર્ગ કરવા પધાર્યા છે. વિશ્વાસ ન બેઠો. કુમતિઓના સંસર્ગના કારણે સાચા સાધુઓ ઉપર અશ્રદ્ધાનાં વાવેતર મજબૂત હતાં. ખરેખર આચાર્યશ્રી કાયોત્સર્ગ કરવા ગયા છે કે નહીં તેની તપાસ કરવા સ્મશાને પહોંચ્યો. મેરુની જેમ અડોલ કાયોત્સર્ગ કરતા આચાર્યશ્રીને જોઈ પરીક્ષા કરવાનું મન થયું. સ્મશાનમાં બળતી એક ચિતામાંથી લાકડું લઈ સુરિજીની સફેદ દૂધ જેવી દાઢીમાં ચાંપી દીધું. દાઢી સળગી, મોટું દામ્યું; પણ સૂરિજી પહાડની જેમ નિષ્કપ રહ્યા. તુર્ત દાઢીને બુઝાવી પરીક્ષામાં પાસ થયેલા સૂરિજીના પગમાં પડી ગયો. પશ્ચાત્તાપથી આંખો ભીની થઈ ગઈ. વારંવાર ક્ષમા માંગવા લાગ્યો. દયાના સાગર સૂરિજીની આંખો તો કરુણાથી છલકાતી હતી." ભાઈ! જરા પણ ખેદ ન કર. મને કર્મની નિર્જરા કરવામાં તું સહાયક બન્યો." સૂરિજીની વાણીએ મિથ્યાત્વનાં વાદળાં વીખરાઈ ગયાં. ધન્ય બની સૂરિજીનો પરમ ભક્ત બન્યો. ધીરે ધીરે પ્રતિક્રમણ, પૂજા, પ્રવચનનો દઢ રાગી બન્યો. માના આનંદનો પાર ન રહ્યો. છેવટે દીકરો સન્માર્ગે વળ્યો. માના વાત્સલ્યનો વિજય થયો. દીકરો શુદ્ધ શ્રાવક બન્યો. આરાધનામય ચાતુર્માસ પૂર્ણ થયું. પૂજ્યશ્રી ગ્રામાનુગ્રામ વિહરવા લાગ્યા. માણેકચંદ શેઠની એક પેઢી પાલીમાં પણ હતી. ધંધો બરાબર જામ્યો હતો. ધર્મમય જીવન પસાર થઈ રહ્યું હતું. વર્ષોનાં વહાણાં વ્હાયાં. પૂ. સૂરિજી મારવાડમાં વિહરી રહ્યા છે. વિહાર કરતાં પાલી પધાર્યા. માણેકચંદ શેઠ ઉપકારી સૂરિજીના સમાચાર સાંભળી ગુરુજીની પાસે પહોંચ્યો. હૃદયમાં આનંદ માતો નથી. સૂરિજીને પાલી નગરે ચાતુર્માસ કરવા વિનંતિ કરી. લાભાલાભ જોઈ સૂરિજીએ સ્વીકાર કર્યો. પાલી સંઘમાં જયજયકાર થઈ ગયો. માણેકચંદે ધંધો મુનીમને સોંપ્યો. ધર્મધ્યાન વધુને વધુ કરી રહ્યા છે. સકળ શ્રીસંઘ તપ-ત્યાગ જ્ઞાન–ધ્યાન અને આરાધનામાં આગળ વધી રહ્યો છે. સૂરિજી શત્રુંજય માહાભ્યનું પ્રવચન પ્રતિદિન સંઘને સંભળાવી રહ્યા છે. શ્રોતાઓનાં Page #700 -------------------------------------------------------------------------- ________________ 684 તપાગચ્છાધિષ્ઠાયક રોમેરોમ સિદ્ધગિરિની ભક્તિ પ્રસરી રહી છે. મહાપર્વ પર્યુષણની આરાધના અપૂર્વ થઈ. ગંગાના પ્રવાહની જેમ આરાધનાના દિવસો વહી રહ્યા છે. પરમાત્મા મહાવીરદેવનું નિર્વાણ કલ્યાણક દિવાળી પર્વ પણ પસાર થઈ ગયું. નવા વર્ષના પ્રારંભના દિવસો ચોમાસાને પરિપૂર્ણ કરવા પસાર થઈ રહ્યા છે. એક દિવસે માણેક શેઠે ગુરુદેવશ્રીને વિનંતિ કરી : " ગુરુદેવ ! ચોમાસું પૂર્ણ થઈ રહ્યું છે. કાર્તિક સુદ પૂનમે સિદ્ધગિરિની યાત્રાનો પ્રારંભ થાય છે. રાજરાજેશ્વર ગિરિરાજને ભેટવા મન ઉતાવળું બન્યું છે. કેવો અદ્ભુત આ તીર્થનો મહિમા છે ! ગુરુદેવ ! કાર્તિક સુદ પૂનમે જ હું યાત્રા કરવા પ્રયાણ કરીશ. આપ મને અભિગ્રહ આપો. જ્યાં સુધી પાવન ગિરિરાજને ભેટું નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. " ગુરુજીએ તેની ક્ષમતા નિહાળી, ભાવ જોયો અને શાસન માટે શ્રેય થવાનું જોયું. પચ્ચકખાણ આપી દીધું. કા.સુ. ૧૫ના પ્રભાતકાળે જ ગુરુજીના મંગળ આશીર્વાદ લઈ માણેકચંદ શેઠે પગપાળા યાત્રા ચાલુ કરી દીધી. ગિરિરાજના ધ્યાનમાં જ આગળ વધી રહ્યા છે. માર્ગ પસાર થઈ રહ્યો છે. દિવસ અને રાત રટણ ગિરિરાજનું જ છે. કાર્તિક વદ પસાર થઈ રહી છે અને માણેકચંદ શેઠ મગરવાડાના ઘનઘોર ભયંકર જંગલની વાટે આગળ વધી રહ્યા છે. અચાનક એક જંગલી ભીલોનું ટોળું આવ્યું. શેઠને કોઈ ભય નથી. નિર્ભય સિંહની જેમ એકલવીર બની ગિરિરાજના સ્મરણ સાથે આગળ વધતા શેઠને ભીલોએ અટકાવ્યા. લૂંટવા જેવું કંઈ જ ન મળ્યું અને છેવટે જંગલી ભીલો સાથેના યુદ્ધમાં આ શાસનભક્ત ખપી ગયા. તીર્થાધિરાજના ધ્યાનમાં જ આયુષ્ય પૂર્ણ કરી વ્યંતર નિકાયના ઉત્તર પંક્તિના અનેક દેવોથી સેવાતા એવા માણિભદ્ર ઇન્દ્ર તરીકે પોતે જન્મ ધારણ કર્યો. બાવન વીર અને છપ્પન જોગણીના નાયક ઇન્દ્ર તરીકે સુખ, સમૃદ્ધિ અને સાહ્યબીના સ્વામી જાજરમાન સુખમાં જીવન પસાર કરી રહ્યા છે. સમય સમયનું કામ કરી રહ્યો છે. એક દિવસની વાત છે. પૂ. આ. શ્રી આણંદવિમળસૂરિજી મ.સા.નાં અન્ન-જળ અને નીંદ હરામ થઈ ગયાં છે. સમગ્ર તપાગચ્છ ધરતીકંપની જેમ ધ્રૂજી ઊઠયો છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. જેને જે સૂઝયો તે ઉપાય કરી રહ્યા છે પણ સફળતા મળતી નથી. વાત એમ હતી કે તે કાળે કોક ખરતરગચ્છના સાધુએ સંયમજીવનની મર્યાદાઓ મૈત્રી અને માધ્યસીય ભાવની સીમાઓ ભૂલી ઉગ્ર ગચ્છ–મમત્વનાં દષ્ટિરાગના અંધકારમાં ફસાઈને ભૈરવની સાધ l કરી તપાગચ્છના સાધુઓને પીડા-ઉપદ્રવનો દોર ચાલુ કર્યો. સાધુને ! તઃકાળે મસ્તકની વેદના ચાલુ થાય. સૂર્ય જેમ જેમ ઊંચો ચઢે તેમ વેદના વધતી જાય. ભયંકર ચીસો સાથે માથું ભીંત સાથે અથાડે. કોઈ જ ઉપાય કામ ન આવે. ભૈરવનું ઝનૂન Page #701 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 685 એવું કે મંત્ર-તંત્ર-સ્તોત્રને પણ ન ગણકારે. છેવટે સૂર્યાસ્ત સુધીમાં તો સાધુ કાળ કરી જાય. આ રીતે લગભગ પાંચસો મુનિરાજો થોડા સમયમાં કાળનો કોળિયો બની ગયા. ' સૂરિજીના બ્રહ્મસંયમ અને તપતેજની આજે પરીક્ષા થઈ રહી હતી. આના નિવારણ માટે સૂરિજી ઉપાયની શોધ કરી રહ્યા હતા. પોતે ગચ્છનાયક હતા. પ્રભુ વીરની છપ્પનમી પાટની જવાબદારી શિરે હતી. અચાનક એક તેજનો લિસોટો ત્યાંથી પસાર થયો. સૂરિજી એકદમ ઊભા થઈ ગયા. શિપ્યો કંઈક વિચારે તે પહેલાં તો આદેશ આપી દીધો : " ચાલો બધા જ મારી સાથે. શ્રી નવકારમંત્રનું સતત સ્મરણ ચાલુ રાખજો."શિષ્યો સાથે સૂરિજી વિહાર કરતા કરતા પાલણપુર પાસેના મગરવાડાના ઘોર જંગલમાં આવી પહોંચ્યા. સૂરિજીએ આસન જમાવ્યું. હજી તો પહેલો જ ઉપવાસ છે. ધ્યાનનો પ્રારંભ જ કર્યો અને.. સમગ્ર જંગલ પ્રકાશમય બની ગયું. સુગંધનો સાગર લહેરાવા લાગ્યો. જયજયકાર શબ્દથી આકાશ ગાજી ગયું. ઇન્દ્ર મહારાજા માણિભદ્ર ભોગવિલાસ અને સુખ–સાહ્યબીને તિલાંજલી આપી દોડતા આવ્યા. પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીના પગે પડ્યા. અનંતોપકારી ગુરુદેવશ્રીની અનિમેષ નયને ગદ્ગદ કંઠે સ્તુતિ-સ્તવના કરી. ગુરુદેવે આંખ ખોલી. " ગુરુદેવ! આપશ્રીના અગણિત ઉપકારને ભૂલ્યો. મોહમાયામાં મગ્ન બન્યો અને આપશ્રીને મારા પ્રમાદને દૂર કરવા ઘોર જંગલમાં આવવું પડ્યું." " ગુરુજી ! જલદી ફરમાવો, આ સેવકને શી આજ્ઞા છે?" બાવન વીર ચોસઠ જોગણી અને બીજા અનેક દેવદેવીઓથી પરિવરેલા માણિભદ્ર ઇન્દ્ર મહારાજાએ હાથ જોડી કાકલૂદી પૂર્વક વિનંતિ કરી. - ગુરુદેવે કહ્યું : " તમો સૌપ્રથમ ભૈરવના ઉપદ્રવને દૂર કરો. તેણે જૈનશાસનમાં કાળો કેર વર્તાવ્યો છે." રામગ્ર બીના સમજાવતાં જ ઇન્દ્ર મહારાજાએ તત્ક્ષણ ભૈરવને બાંધી દીધો. ભૈરવ ભયથી કાંપવા લાગ્યો. કયારેય આવું પાપ નહીં કરું એમ કહી ક્ષમા માંગી. સૂરિજીએ ક્ષમા આપી છૂટો કર્યો. ' સૂરિજીએ માણિભદ્ર ઈન્દ્રને આવા પ્રમાદ માટે ટકોર કરી. ઇન્દ્ર કહ્યું : " સૂરિજી! માયામાં ફસાઈ ગયો છું. અમારા ઉપયોગની જાગૃતિ માટે આપશ્રીને એક વિનંતિ કરું કે આપશ્રીના દરેક ઉપાશ્રયમાં મારી સ્થાપના કરી જે જે પૂજ્યો પધારે તે મને "ધર્મલાભ"ના મંત્ર દ્વારા જાગૃત કરી મારા પુન્યમાં વધારો કરે, જેથી પુનઃ આવું નહીં બને." ' સૂરિજીએ સંમતિ આપી. ઇન્દ્ર મહારાજા ગુરુજીની સેવા કરી. પોતાના પરિવાર સાથે સ્વર્ગલોકમાં પધારી ગયા. ઉપદ્રવ દૂર થયો. સૂરિજીએ આ મગરવાડાની મૂળ માણિભદ્ર યક્ષેન્દ્રની ઉત્પત્તિના સ્થળે તેમની સ્થાપના કરી. આ સંવત હતી લગભગ ૧૫૯૦ની. સૂરિજી ગામાનુગામ વિહાર કરવા લાગ્યા. અનેક દીક્ષાઓ આપી. ગામેગામ ઉપાશ્રય-દેરાસરોમાં શ્રી માણિભદ્ર મહારાજાની સ્થાપના ચાલુ થઈ ગઈ. Page #702 -------------------------------------------------------------------------- ________________ 686 તપાગચ્છાધિષ્ઠાયક તપાગચ્છના વિશાળ પ્રભાવ પાછળ આ મહાન ઘટનાનું તેજ રહેલું છે. નૂતન આચાર્યશ્રી પદવી પ્રાપ્તિ બાદ મગરવાડા શ્રી માણિભદ્ર મહારાજાને ધર્મલાભ આપવા જાય. આવો રિવાજ પણ સંભળાય છે. મગરવાડામાં શ્રી માણિભદ્ર ઇન્દ્રની સ્થાપના, મંદિર વિ. થયા બાદ આ. શાંતિસોમસૂરિજી મ. સાહેબે સં. ૧૭૩૩માં મગરવાડા પધારી શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની સાધના કરી. અને મગરવાડાની સ્થાપનામાંથી પિંડીનો અંશ લાવી આગલોડમાં શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની દેરીનું નિર્માણ કરાવી સ્થાપના કરી. આજે ઘણા યાત્રાળુઓ ત્યાં દર્શને જાય છે. આજે તો ભવ્ય જિનાલયનું પણ નિર્માણ ત્યાં થયું છે. યાત્રાળુઓ માટે સારી વ્યવસ્થા છે. ત્રીજું સ્થાન માલવાની ઉજ્જૈની નગરીમાં સિદ્ધવડ પાસે છે, જ્યાં શ્રી માણિભદ્ર યક્ષરાજનું મસ્તક પૂજાય છે. આ સ્થાન શ્રી માણિભદ્ર ઇન્દ્ર મહારાજા ઉનના શેઠ માણેકચંદ તરીકે શ્રાવક જીવન જીવતા હતા ત્યારે પોતે પોતાની હવેલીમાં જિનમંદિર બનાવેલ. આજે તે હવેલી જીર્ણશીર્ણ હાલતમાં ઊભી છે અને ત્યાં જિનાલય પણ છે. ત્યાં જાહેર ચોકનું નામ માણેક ચોક આજે પણ છે. ત્યાં શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની સ્થાપના પ્રાચીન સમયની છે. મારા પૂજયપાદ પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સા.ની પ્રેરણાથી બીજી વિશાળ જગ્યા લઈ આ તીર્થના જીર્ણોદ્ધાર સાથે નૂતન નિર્માણકાર્ય ચાલુ છે. અનેક ભક્તોનાં મનોવાંછિત આ શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર પૂર્ણ કરી રહ્યા છે. આ રીતે વર્તમાન કાળે ત્રણ સ્થળ મહત્ત્વનાં છે. ચોસઠ ઇન્દ્રો અવશ્ય સમ્યત્વી જ હોય તે શાસ્ત્રપાઠ પ્રમાણે આપણા સાધર્મિક શ્રી માણિભદ્ર મહારાજના ઉપયોગની સતત જાગૃતિ માટે તેમની ભક્તિ-સેવા-સુશ્રુષા આ કાળમાં શાસન માટે ખૂબ જરૂરી છે. એમ પણ સંભળાય છે કે શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર સૂરિજીને એમ જણાવ્યું કે આપશ્રીના શિષ્યો વિજય અને સાગર બંને નામાંકિત છે. શાસન અને સમાચારી ઉપર આવતી આપત્તિથી રક્ષા કરવાનું કાર્ય સૂરિવર્થો વિશેષ કરી શકશે અને અન્ય મુનિઓ શાસન-પ્રભાવક બની શકશે. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રના પરપ ઉપકારી શાસન જ્યોતિર્ધર પૂજ્ય આ. શ્રી આણંદવિમળસૂરિજી મ.સાહેબે અમદાવાદમાં છેલ્લે નવ ઉપવાસ દ્વારા શરીરના મમત્વને સંપૂર્ણ ત્યાગી સં. ૧૫૯ના ચૈત્ર સુદિ ૭ના પ્રભાત સમયે કાળધર્મ પામી સ્વર્ગવાટે સંચર્યા. શ્રી માણિભદ્ર ઇન્દ્ર મહારાજાના પરમ ઉપકારી ગુરુદેવને અનંતશઃ વંદના. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રને ધર્મલાભ. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રને પ્રણામ. Page #703 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 687 'ઇતિહાસનો ઉજાસ : તપાગચ્છના 'અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજી સંકલનઃ પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીજીથી વર્તમાન તપાગચ્છીય સમુદાયના પ્રાયઃ સર્વ ગચ્છાધિપતિઓના ગુરુના ગુરુ એવા પરમ પૂજ્ય મુનિપ્રવરશ્રી મણિવિજયજી દાદા સુધીનો કડીબદ્ધ ઇતિહાસ અપાર જહેમત, સંશોધન અને અવલોકનપૂર્વક ખરેખર આલેખાયો છે, જે આજના વર્તમાન સમયના સાક્ષરો અને ઇતિહાસ-તજ્ઞો માટે ખૂબ જ આધારસ્તંભ રહ્યો છે અને જે જૈન પરંપરાનો ઈતિહાસ નામે ચાર ભાગમાં અંકિત થયો છે. તેના સંપાદક પૂજ્ય મુનિવરશ્રી દર્શનવિજયજી ત્રિપુટી મહારાજ છે. આ ગ્રંથના ત્રીજા ભાગમાં પંચાવનમાં પ્રકરણમાં તપાગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રજી સંબંધે જે જે માહિતીનોંધો પ્રગટ થઈ છે તે સર્વ પૂજ્ય પ્રવર્તક મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજે સંકલિત કરી આપતાં, અત્રે તે ઐતિહાસિક સંદર્ભો પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. વિશેષ આનંદ એ છે કે પૂજ્ય મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજશ્રીની પ્રેરણા, પ્રોત્સાહન અને સીધા માર્ગદર્શનથી તેઓશ્રીના સાંનિધ્યે, છેલ્લાં કેટલાંક વર્ષોથી, દર વર્ષે શ્રી માણિભદ્રવીરનો હવન ભવ્ય મહોત્સવપૂર્વક સંપન્ન થાય છે. પૂજયપાદ ગુરુદેવો શ્રી ત્રિપુટી મહારાજના અનન્ય ઉપકારો અને તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીની સ્મૃતિને ચરિતાર્થ કરવામાં સદાય તત્પર એવા પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ પ્રસ્તુત લેખ–સંકલન દ્વારા પણ ઉક્ત બંનેય વાતની અહીં પ્રતીતિ કરાવે છે. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ આમેય ખૂબ જ ભદ્રિક છે એ વાત પણ નોંધવી જ જોઈએ. – સંપાદક પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ લખે છે કે – તપાગચ્છમાં ચૌદમા (સોળમા) સૈકામાં શ્રી આણંદવિમલસૂરિ થયા. તેમણે યતિઓમાં શિથિલાચાર દેખી પાંચ હજાર યતિઓની સાથે કિયોદ્ધાર કર્યો. તે વિહાર કરતા કરતા માળવામાં ગયા. તે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધર્વ મસાણમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. ઉજ્જૈનમાં માણેકચંદ ઓસવાલ જૈન બાર વ્રતધારી શ્રાવક વસતો હતો. તેની માતાએ " વર્ધમાન આયંબિલ તપ આદર્યું હતું. યતિઓ શિથિલ થવાથી માણેકચંદની શ્રદ્ધા Page #704 -------------------------------------------------------------------------- ________________ 688 તપાગચ્છાધિષ્ઠાયક થતિઓ પરથી ઊઠી ગઈ. આ. અહંદવિમલસૂરિ ગંધર્વ મસાણમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. ત્યાં તેમણે એક માસોપવાસનું તપ આદર્યું હતું. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદની માતાએ પુત્રને કહ્યું કે, 'તું આ. આણંદવિમલસૂરિને વહોરવા માટે તેડવા જા.' માણેકચંદને શ્રદ્ધા નહોતી પણ તે માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયો. તેણે અંધારામાં મશાલ સળ ગાવી અને આ. આણંદવિમલસૂરિની દાઢી પર ધરી, તેથી તેમની દાઢીના વાળ બળી ગયા અને તેમનું મુખ દાઝયું. તો પણ તે મૌન અને શાંત રહ્યા. તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વ વિષે શ્રદ્ધા થઇ અને તે ગુરુના પગે પડ્યો. આ. આનંદવિમલસૂરિએ તેને બોધ આપ્યો તેથી તે ગૃભક્ત બન્યો. માણેકચંદ શેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આ. આણંદવિમલસૂરિ ચોમાસું રહ્યા. ત્યાં આ. આણંદવિમલસૂરિએ " શત્રુંજય માહાભ્ય" વાંચ્યું. તેથી માણેકચંદને સિદ્ધાચલના દર્શન કરવા ઘણો ભાવ થયો, અને તેણે "સિદ્ધાચલનાં દર્શન કર્યા વિના ભોજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી, તપ આદર્યું અને યાત્રા કરવા ચાલ્યો. તે સાતમા દિવસના ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે મગરવાડામાં આવ્યો. ત્યાં તે વખતે ગામ ન હતું. ત્યાં તેને ભિલ્લોએ લૂંટી લીધો અને મારી નાખ્યો. મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં અને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં આરૂઢ થયો હતો, તેથી તે મરીને માણિભદ્રવીર તરીકે ઘણા દેવોનો ઉપરી થયો. એ સમયે ખંભાતમાં યતિઓમાં મતભેદ થતાં ઝગડો થયો અને યતિઓએ ભૈરવની આરાધના કરી તપગચ્છના યતિઓને મારી નંખાવ્યા. આથી ૫00 યતિઓ માર્યા ગયા. આથી આ.આણંદવિમલસૂરિએ પાલનપુર તરફ વિહાર કર્યો. તેઓ મગરવાડાની ઝાડીમાં ઊતર્યા. ત્યાં રાત્રે આ. આણંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા તેમની પાસે માણિભદ્રદેવ હાજર થયા. સૂરિએ તેને ઓળખ્યા. માણેકચંદ શેઠે પોતાના મરણનો વૃત્તાંત કહો, અને મણિભદ્રવીર તરીકે પોતાની ઉત્પત્તિ વિષેની હકીકત કહી. દેવે તેમની સેવા-ચાકરી કરવા યાચના કરી. આ. આણંદવિમલસૂરિએ કહ્યું, " યતિઓએ ભૈરવને આરાધી અમારા ગચ્છના સાધુઓનો નાશ કરવા તેને મૂક્યો છે, તેનું નિવારણ કરો. તપગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વગેરેને સહાય કરો. " માણિભદ્રવીરે કહ્યું, " હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવનો ઉપદ્રવ ટાળીશ; પણ મારી એક માગણી છે કે, તપગચ્છના ઉપાશ્રયોમાં તથા દેરાસરોમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. " સૂરિએ કહ્યું કે " " તમને તપગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે." તે જ જગ્યાએ માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવી. તે સ્થાન મગરવાડા તરીકે પ્રસિદ્ધ થયું. માણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. માણિભદ્રવીરના કહેવા પ્રમાણે ભૈરવ શાંત થયો. તપગચ્છના આચાર્યો જે નવા " પાટ" પર બેસતા તે ત્યાં પ્રથમ જતા અને મગરવાડામાં જઈ અમ કરી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરતા હતા. તે પ્રમાણે તપગચ્છ સોમશાખાના દરમાં ભ. શાંતિસોમે મગરવાડામાં રહી માણિભદ્રનું Page #705 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 689 આરાધન કર્યું અને તેમના પગનો કે ઢીંચણનો કંઈક અંશ આગલોડમાં લઈ ગયા અને ત્યાં માણિભદ્રવીરના કહેવા પ્રમાણે દેરું બંધાવી ત્યાં સ્થાપના કરી. (પ્રક. ૫૩, પૃ. ૫૭) નોંધ : તપગચ્છના ઉપાશ્રયોમાં તથા દેરાસરોમાં પુર, નગર અને ગામેગામમાં માણિભદ્રવીરની સ્થાપના જ્યાં ત્યાં જોવામાં આવે છે. જૈન શાસનના અધિષ્ઠાયક તરીકે માણિભદ્રવીર જૈન સમ્યગુદષ્ટિ દેવ છે. વિ. સં. ૧૭૩૩માં આગલોડમાં માણિભદ્રવીરનું દેરું સંઘે બંધાવ્યું. સં. ૧૮૬૦માં આગલોડના ઠાકોર હરિસિંહના વખતમાં પં. મુક્તિવિજયજીના ઉપદેશથી આગલોડના જૈન સંઘે માણિભદ્રવીરના દેરાનો જીર્ણોદ્ધાર કર્યો. તે દેરાસરની પાસે આદીશ્વર ભગવાનની પાદુકા-દેરી છે. બીજી દેરીઓ પણ જૈનોની છે. તેની પાસે શ્રાવકસંઘની બંધાવેલી ધર્મશાળા છે તથા જૈન સંઘે બંધાવેલો કૂવો છે. આગલોડ જૈન સંઘની માલિકી તથા વહીવટ તળે માણિભદ્રવીરનું દેરું, દેરીઓ તથા ધર્મશાળા, બાગ, કૂવો વગેરે છે. આગલોડમાં શ્રાવકોનાં ૧૦૦ ઘર, બે શિખરબંધી દેરાસર છે. (-વિજાપુર બૃહદ્ વૃત્તાંતમાંથી ) માણિભદ્રવીર તે પૂર્વે માણેકચંદ શેઠ નામે વીસા ઓશવાલ શ્રાવક હતો તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, વિજાપુર વગેરે ઓશવાલો ત્યાં બાધા રાખવા-મૂકવા આવે છે. માણિભદ્રવીરના દેવળના પ્રાસાદના ગભારામાં આગળ કોઈ યતિએ (આજથી ૨૫-૩૦ વર્ષ પૂર્વે) ભૈરવની સ્થાપના કરી છે, પણ અમારો એવો મત છે કે ભૈરવની સ્થાપના ત્યાં ન રાખતાં પાસે દેરી કરી તેમાં કરવી જોઈએ. આગલોડ, ઈલોડ વગેરે ગામો ભીલ ઠાકોરે વસાવેલાં છે. આગલોડમાં શ્રી દોલતરુચિ યતિ તે દેરાસરોની તથા મણિભદ્રવીરના દેરાની સારી સંભાળ રાખે છે અને તેમણે શ્રાવકોને " દેવદ્રવ્ય"માંથી મુક્ત કર્યા છે, તેથી શ્રાવકો સુખી થયા છે. (૧). આ. હેમવિમલસૂરિ અને માણિભદ્રવીર : આ. શ્રી બુદ્ધિસાગરસૂરિએ માણિભદ્રવીરનો ઇતિહાસ આપ્યો છે તે પ્રસિદ્ધ છે. વિશેષ આ પ્રમાણે પણ મળે છે. માણેકચંદ શેઠ યતિઓનો શિથિલાચાર દેખી લોકાગચ્છનો શ્રાવક બની ગયો. છેવટે આ. હેમવિમલસૂરિની પૂરી પરીક્ષા કરી, બ્રારવ્રતધારી શ્રાવક બન્યો. લોંકાગચ્છના ત્યારના શ્રીપૂજે ભૈરવને સાધ્યો હતો. લોંકાગચ્છના ૬૮ યતિઓ આ. હેમવિમલસૂરિના શિષ્ય બન્યા. શેઠ માણેકચંદ પણ તેમનો શ્રાવક બન્યો. આથી તે શ્રીપૂજે ભૈરવને સાધી, ભૈરવ દ્વારા લોકાગચ્છમાંથી સંવેગી બનેલાઓને હેરાન કરવા પ્રયત્ન કર્યો. તેમાં ઘણા સંવેગી સાધુ ભપ્રિત થઈ કાળ કરી ગયા. માણેકચંદ શેઠ પણ મગરવાડાના જંગલમાં સિદ્ધગિરિના ધ્યાનમાં જ કાળ કરી મરણ પામી માણિભદ્ર નામે ઈન્દ્ર બન્યો. તે મગરવાડા આવ્યો અને તેણે ગુરુદેવ હેમવિમલસૂરિની આજ્ઞાથી Page #706 -------------------------------------------------------------------------- ________________ 690 તપાગચ્છાધિષ્ઠાયક લોકાગચ્છના શ્રીપૂજે મોકલેલા કાળા-ગોરા ભૈરવને હઠાવી તેનો ઉપસર્ગ દૂર કર્યો અને તેણે ગુરુદેવ પાસે માંગણી કરી કે હવે પછી તપગચ્છના નાયકોના નામમાં વિજય શબ્દ રાખવો અને મને " તપગચ્છનો દેવ" માનવો. આચાર્યદેવે તેની આ માગણીઓનો સ્વીકાર કર્યો. તપગચ્છના નાયકોમાં ત્યારથી વિજય' શબ્દ રખાય છે અને તપગચ્છનો ગચ્છરક્ષક દેવ માણિભદ્રવીર મનાય છે. ત્યારથી તપગચ્છનાં મંદિરો, ઉપાશ્રયમાં માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવે છે, બીજા ગચ્છવાળા પણ માણિભદ્રવીરને મોટો દેવ માને છે. -. જયપુરના તપગચ્છના ઉપાશ્રય તરફથી સં. ૧૧૭માં પ્રકાશિત વાર્ષિક 'મણિભદ્ર' પત્રનો વાર્ષિક અંક; માસ્તર રતિલાલ બાદરમલ તરફથી વીર સં. ૨૪૭૭માં પ્રકાશિત ભક્તવીર શ્રી માણિભદ્રવીર ચરિત્ર (૨) વિજયદાનસૂરિ અને માણિભદ્રવીર : વૃદ્ધો કહે છે કે આ. વિજયદાનસૂરિએ ગીતાર્થોની વિનંતીથી અને માણિભદ્રવીરની સંમતિથી આ. વિજયહીરસૂરિને ગચ્છનાયક બનાવ્યા હતા. તેમણે સાથોસાથ એવી આજ્ઞા કરી હતી કે હવે પછી બધા ગચ્છનાયકોનાં નામોમાં 'વિજય' શબ્દ રાખો. આ અંગે છૂટક ઉલ્લેખ આ રીતે મળે છે :(૧) પહેલું એ કારણ, વિજયદાનસૂરીશ, નિજ પાટી સ્થાપ્યા, હિરવિજયસૂરિશ. ૪૫ તેણિંવાર કહિઉ એકવચન, સુણો સાવધાન, જેહનઈ પદ આપો, તેહનઈ દેઈ બહુમાન. ૪૬ એ વિજયની શાખા, જયકારી જગિ જાણી; પદ દીધો તેહનું વિજય નામ મનિ આણી. ૪૭ [– આ. વિજયતિલકસૂરિ રાસ; ઐતિહાસિક રાસ સં. ભા. ૪] (૨) "વીર વંશાવલી"માં લખ્યું છે કે યક્ષ મણિભદ્ર આ. વિજયદાનસૂરિને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે, 'તમારી પાટે વિજય શાખા સ્થાપજો. હવે પછી તમારી પાટપરંપરામાં બીજી શાખા રાખશો મા, માટે જે નામ સ્થાપો ત્યારે તેમાં મારા નામનો એક યક્ષરાજ તેમનું નામ રાખજો. વિજયશાખા રાખવાથી પાટ વિજયવાળી બનશે.' [ આજ સુધી તપાગચ્છમાં દર ત્રીજી પેઢીએ શાખા બદલાતી હતી તે હવેથી બંધ થઈ વિજયશાખા કાયમ બની છે.] (વિવિધ ગચ્છીય પટ્ટાવલી રૂ. ૧૨૨) દોહરો ગુરુવરકી સેવા કરે, મણિભદ્ર મહાવીર, કરે સમૃદ્ધિ ગચ્છમેં કાટે સંઘકી પીર. (૩) માણિભદ્રવીર આ. વિજયદાનસૂરિનો એવો ભક્ત હતો કે તેમનું નામ જપનારનેય સહાય કરતો હતો. આથી જ પાટણની એક જૈન કન્યા સરસ્વતી નદીમાં બૂડતી હતી, ત્યારે તેણે આ. વિજયદાનસૂરિનું શરણું લીધું અને માણિભદ્રવીરે તેને ત્યાંથી બચાવી લીધી. [– સં ૧૯૦ ની મહો કીર્તિવિજય ગણિવર ક્ત વિચારરત્નાકર પ્રશસ્તિ શ્લોક ૮મો, પ્રક. ૫૭, ગુરુનામ મંત્ર પ્રભાવ Page #707 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 691 (૩) આ. શાંતિસોમસૂરિ (ખાખી) અને માણિભદ્રવીર : વિજાપુરથી ૫ કોશ દૂર આગલોડ ગામ છે. ગામની બહાર નૈઋત્ય ખૂણામાં આ. શાંતિસોમસૂરિએ સં. ૧૭૩૩માં પ્રતિષ્ઠા કરાવેલ માણિભદ્રનું મોટું જૈન દેરાસર છે. [– વિજાપુર બૃહદ્ વૃત્તાન્તમાંથી ] આગલોડ ગામમાં જ્યાં ભ. સુમતિનાથનો પ્રાસાદ હતો, ત્યાં સહસ્રમલ રાજાના યુવરાજનો પુત્ર રાજા રામસિંગ હતો, ત્યારે સં. ૧૭૩૩માં આ. શાંતિસોમે ચોમાસું કર્યું હતું. તે મોટો તપસ્વી હતો. તેમણે ૧૨૧ દિવસ સુધી આયંબિલનું તપ ચાલુ રાખી માણિભદ્રવીરની આરાધના કરી. માણિભદ્રવીરે ૧૨૧મા દિવસે પ્રત્યક્ષ થઈ આચાર્યને કહ્યું, ' મુનિવર ! હું તમારા જાપથી સંતુષ્ટ થયો છું, જે જોઈએ તે માગો.' | મુનિવરે કહ્યું, "હે ક્ષેત્રપાલ ! આગલોડમાં સિદ્ધવડ જેવો વડ છે, ત્યાં તમે પધારી તમારું સ્થાન જમાવો અને એ સ્થાનનો સર્વ રીતે મહિમા વધારો. તમને છએ દર્શનવાળા માને છે, તો અહીં આવી વસો અને ભક્તોની કામનાઓ પૂરી કરો." માણિભદ્રવીરે આ. શાંતિસોમની માગણીથી આગલોડમાં વડ નીચે આવી વાસ કર્યો અને ત્યારથી સૌને તેનો પરચો થવા લાગ્યો, એટલે આ. શાંતિસોમસૂરિએ સં. ૧૭૩૩માં રાજા રાયસિંગના સમયે આગલોડ વડ નીચે માણિભદ્રવીરને વસાવી, તેનું તીર્થ સ્થાપન કર્યું. (૪) કવિરાજ પં. અમૃતવિજયજી (ઓલિયા) અને માણિભદ્રવીરઃ વૃદ્ધો કહે છે કે, વિજાપુરમાં તપગચ્છના વિજયદેવસૂરિ સંઘના (૬૦) ભ. દેવવિજયસૂરિ, (૬૧) વિજયસિંહસૂરિ, (૨) વિજયપ્રભસૂરિ, (૩) પં. મુક્તિવિજય ગણિ, (૬૪) પં. ભક્તિવિજય ગણિ, (૫) પં. વિદ્યાવિજય ગણિ, (૬) પં. રૂપવિજયગણિ, (૭) પં. રંગવિજય ગણિ, (૬૮) ઉ. વલ્લભવિજય ગણિ થયા હતા. [ – જે. સ. પ્ર. ક્ર. ૯૭] (૬૭) પં. રંગવિજય ગણિવરના મોટા શિષ્ય પં. યતિવર અમૃતવિજયજી હતા (પ્રક. ૧) તે વૈદું, મંત્ર, તંત્ર અને કાવ્યકળામાં નિષ્ણાત હતા. તે દર ગુરુવારે આગલોડમાં માણિભદ્રવીરની યાત્રા કરવા જતા હતા. તેમણે વૃદ્ધ થયા બાદ આગલોડ જવાની તાકાત ન રહેવાથી વિજાપુર અને આગલોડના રસ્તા વચ્ચે મસાણેશ્વર મહાદેવ (મસેશ્વર મહાદેવ)ના દેરા પાસે એક ખેતરમાં દેરી બનાવી, માણિભદ્રવીરની સ્થાપના કરી હતી. તે સાગર શાખાના ભટ્ટારક શાંતિસાગરની આજ્ઞામાં રહેતા. તેમણે સં. ૧૯૦૧માં વાઘણ પોળના જિનપ્રાસાદોમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે વિજાપુરમાં બ્રાહ્મણોના માઢ પાસે સરસ્વતીની દેરી પણ બનાવી હતી. તેમણે ૧૨ ભાવનાના અધિકારના ગુજરાતી સવૈયા ૨૮ રચ્યા છે. તેમાંથી તેમની કવિત્વ શક્તિ અને ઉચ્ચ જીવનનો પરિચય મળે છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ 692 તપાગચ્છાધિષ્ઠાયક (૫) ભટ્ટારક ભુવનતિલકસૂરિ (તપાવૃદ્ધ પોષાળ) અને મણિભદ્રવીર : અમે પહેલા (પ્રક. ૪૪ પૃ. ૮ થી ૨૮માં) " તપાગચ્છની વૃદ્ધ પોષાળ " ના ભટ્ટારકોની પટ્ટાવલી આપી છે. તેમાં ૫ મા ભ. ભુવનતિલકસૂરિ થયા હતા. તે સૂરિમંત્રના પાઠી હતા. તેમને " યક્ષરાજ મણિભદ્રવીરનું ઇષ્ટ" હતું. તેમણે તે ઇષ્ટથી "શાસન પ્રભાવના" કરી છે. તીર્થ : માણિભદ્રવીરનાં ત્રણ તીર્થસ્થાનો છે. (૧) માળવામાં " ઉજ્જૈન" તેની જન્મભૂમિ છે. બાવન વીરો સાથેની રહેવાસભૂમિ છે. ત્યાં મોટા વડ નીચે માણિભદ્રવીરનું મસ્તક પૂજાય છે. (૨) ગુજરાતમાં પાલનપુર પાસે તેની વિજયભૂમિ" મગરવાડા" છે. ગુરુની આજ્ઞાથી તેણે ત્યાં નિવાસ કર્યો છે, ત્યાં માણિભદ્રવીરનાં ચરણો પૂજાય છે. (૩) ગુજરાતમાં વિજાપુર પાસે " આગલોડ" ગામમાં વડ નીચે તેણે પોતાનું સ્થાન માગ્યું, ત્યાં માણિભદ્રવીરના ચરણ ઉપરનો ભાગ ધડ પૂજાય છે, વિજાપુરમાં પણ તેનું સ્થાપનાતીર્થ છે. (૪) કંબોઈ તીર્થમાં રેલવેના પાટા પાસે જંગલમાં ગોરિયાવીરનું સ્થાન છે. માણિભદ્રવીરનું ચમત્કારી સ્થાન છે. ત્યાંના વૃદ્ધો કહે છે કે, જ્યારે ત્યાં રેલવે લાઈન નીકળી, ત્યારે તે સ્થાન પાસે રેલગાડી' આવતાં એન્જિન બંધ થઈ જતું. ત્રણ દિવસ આ પ્રમાણે બન્યું, પછી તેના ડ્રાઇવરે નીચે ઊતરી તે સ્થાને નમસ્કાર કર્યા અને રેલવેખાતાએ તે સ્થાનને સુધાર્યું. તે પછીથી ત્યાં રેલવે બરાબર ચાલુ થઈ છે. અટકી નથી. અમદાવાદના શેઠ લાલભાઈ ઉમેદરામ લટ્ટાએ કંબોઈ તીર્થના મનમોહન પાર્શ્વનાથના તીર્થપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારે આ સ્થાનનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ કંબોઈ તીર્થસ્થાન છે; પણ માણિભદ્રનું સ્થાન તીર્થ તરીકે વિખ્યાત નથી. બીજાં પ્રભાવક સ્થાનો : માણિભદ્રવીરનાં બીજાં પણ ચમત્કારી સ્થળો છે, તે આ પ્રમાણે : (૧) સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરમાં યતિ લાલચંદજીના ઉપાશ્રયમાં સ્થાન છે. યતિ લાલચંદને માણિભદ્રવીરનું ઇષ્ટ હતું. તે બહુ ચમત્કારી હતા. શેઠ છગનલાલ જેરાજ વગેરે માનતા હતા કે એક દિવસે રાજાએ ઉપાશ્રયના એક સારા લીંબડાને કાઢી નાખવાનો મનસૂબો કર્યો. યતિવરે મૂંડી ઢાંકી સીધી ડાળવાળા તે લીંબડાને છુપાવી દીધો. બીજે દિવસે લોકોએ જોયું કે તે સ્થાને વાંકોચૂંકો લીંબડો ઊભો છે. અમલદાર નિરાશ થયો. આ ઉપાશ્રયના "યતિ લાલચંદજીનો ઉપાશ્રય" અને "લીંબડાવાળો ઉપાશ્રય " એમ બે નામો છે. Page #709 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ (૨) અમદાવાદમાં વિજયાનંદસૂરિ ગચ્છના ઉપાશ્રયમાં વીરનું સ્થાન છે. આ માણિભદ્રવીર બહુ ચમત્કારી મનાતા હતા. જૈનોને તેનો પરચો મળતો હતો, તેથી તેના પ્રત્યે મોટી શ્રદ્ધા હતી. હવે પછી તો, વહીવટદારોએ તે સ્થાનમાં જેવા તેવા " દેવ ચેટકોને " બેસાડી દીધા. આથી આ સ્થાનનું માહાત્મ્ય ઘટયું અને આરાધકોની એકનિષ્ઠા ચલવિચલ થાય તેવાં નિમિત્તો ઊભાં થવાથી પરચો ઘટવા લાગ્યો. '' (૩) શ્રીપુરમાં અંતરિક્ષ પાર્શ્વનાથના ભોંયરામાં વી૨નું સ્થાન છે. (૪) જયપુરના ઘાટમાં ગુણી નીચે મુહતાના ભ. પદ્મપ્રભના જિનાલયમાં વીરનું સ્થાન છે. (૫) અજમેરમાં લાખન કોટડીમાં તપગચ્છના ઉપાશ્રયના " પાછલ ઉપાશ્રય"માં એક કોટડીમાં વીરનું સ્થાન છે, જે આજે પણ ચમત્કારી મનાય છે. આ સ્થાનમાં રહેલા મનુષ્ય ઉપર બીજા કોઈની મૂઠ ચાલી શકતી નથી. (૬) મોટા પોસીના તીર્થમાં ભ. નેમિનાથના જિનલયમાં ચમત્કારી માણિભદ્રવીર છે. [ - પ્રક. ૫૦ પૃ. ૪૫૦ ] (૭)શંખેશ્વર તીર્થ પાસે રાજા વનરાજ ચાવડાની જન્મભૂમિ " વણોદ"ના જિનાલયમાં વીરનું સ્થાન છે. ત્યાંના જૈનો જણાવે છે કે, તેની પાટ ઉપર કોઈ સૂઈ શકતો નથી. મણિભદ્રના સ્થાનમાં જેવા તેવા ચેટક દેવની મૂર્તિ કે ફોટો રાખો તો, રાતોરાત ત્યાંથી ગુમ થઈ જાય છે. (૮) અમદાવાદ પાસે બારેજામાં ભ. વિજયરાજસૂરિ પ્રતિષ્ઠિત માણિભદ્રવીરનું સ્થાન છે. (૯) સૂઇગામના ઉપાશ્રયમાં માણિભદ્રવીરનું સ્થાન છે. 693 સ્વરૂપવર્ણન : માણિભદ્રવીર સાધકને પ્રસન્ન થાય ત્યારે તેની સામે પોતાના મૂળ સ્વરૂપમાં બાલક રૂપે આવે છે. માણિભદ્રવીર ક્ષેત્રપાલ છે. તેને ઐરાવત હાથીનું વાહન હોય છે. સૂકરના જેવું મુખ, કાળો રંગ અને તેના દાંત ઉપર કેશરિયાજીનો જિનપ્રાસાદ હોય છે. તેને બે ચાર કે છ હાથ છે. તેને છ હાથ હોય ત્યારે તેમાં ૧ ઢાલ ૨ ત્રિશૂલ ૩ માળા ૪ નાગ ૫ પાશ અને ૬ અંકુશ હોય છે. માણિભદ્રવીરના ૧ મણિભદ્ર ૨ માનભદ્ર ૩ માણેકચંદ ૪ ગોડિયો વીર, વગેરે નામો મળે છે. છંદકારો લખે છે કે – તપગચ્છી સોમશાખાના શાંતિસોમસૂરિ કહે છે કે – ઉજ્જૈનમાં બાવન વીરોનું સ્થાન છે, તેમાં ગોરડિયો વીર એ જ માણિભદ્ર, એટલે માણિભદ્ર બાવન વીરોમાંનો એક વીર છે, જેમાં તે " ગોરડિયા " નામથી પ્રસિદ્ધ છે. અને કંબોઈ તીર્થમાં માણિભદ્રવીરનું જે સ્થાન છે તે ગોરડિયા નામે પ્રસિદ્ધ છે. પરંતુ માણિભદ્રવીરનો રંગ કાળો છે. નિગમમત પ્રભાવક પં. સિદ્ધાંતસાગરગણિ લખે છે કે – તીર્થંકરોના જન્મોત્સવમાં ૪ Page #710 -------------------------------------------------------------------------- ________________ 694 તપાગચ્છાધિષ્ઠાયક ઇન્દ્રો આવે છે. તેમાં યક્ષની જાતિ તરફથી બે ઇન્દ્રો (૧) માણિભદ્રવીર અને (૨) પૂર્ણભદ્રવીર આવે છે. (દર્શન રત્નાકર લહેરીરજી, તરંગ- ૧લો તથા પ્ર. ૫૩–પૃ. ૫૭૭) વીરની આરાધના : (૧) માણિભદ્રની આરાધના અને પૂજા માટે સાધારણ રીતે આઠમ તથા ચૌદશ તિથિઓ અને ગુરુવાર તે ઉત્તમ દિવસો છે. (૨) બાધા – તેની બાધા મહા સુ. ૫, વૈ. ૧ કે આસો સુ. ૧૦ ના રોજ અથવા આઠમ કે ચૌદશ, રવિવાર કે સોમવારે મુકાય છે. - અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજો સિસોદિયા ઓસવાલ જૈનો મગરવાડા અથવા આગલોડમાં" માહેત" માટે જાય છે. જે બાળકનું લગ્ન થવાનું હોય તે લગ્ન કર્યા પહેલાં ત્યાં કુટુંબ સાથે જાય છે, સારા દિવસે માણિભદ્રવીરની સામે ઘીનો દીવો કરી સુખડીનો થાળ પોતાને માથે ધરી ચોટીએ અડાડી વીરની સામે મૂકે છે. ત્યાર પછી આ સુખડી ત્યાં હાજર રહેલા દરેકને વહેંચે છે. આ સુખડી ત્યાંથી પાછી લવાય નહીં. લગ્ન થવાનું હોય તે છોકરા માટે વિધિ કરાય છે. પણ કોઈ કોઈ તો લગ્ન પહેલાં છોકરી માટે પણ આવી માહેત કરે છે. નોંધ: સ્વાભાવિક બનવાજોગ છે કે અમદાવાદના ઓસવાલ જૈનોનાં ઘણાં સગાં-સંબંધી વિજાપુરમાં છે. આથી વિજાપુર થઈ આગલોડ જવાનું સરળ પડે છે. પં. અમૃતવિજયજી (ઓલિયા)એ મગરવાડા જેટલું જ આગલોડ વીરનું માહાભ્ય બતાવ્યું હોય, આથી અમદાવાદના જૈનો આગલોડ જવાનું વધુ પસંદ કરતા હોય! (૩) માણિભદ્રવીરની મોટી સાધના દિવાળીના રોજ કે ગ્રહણ અવસરે કરાય છે. (૪) ધ્યાન રાખવું કે – માણિભદ્રવીર શુદ્ધ સમકિતી, શાન્ત, વિવેકી, સદાચારી અને ધર્મપ્રેમીને જ મદદ કરે છે, તથા પ્રત્યક્ષ થઈ દર્શન આપે છે. (૫) જે સમકિત વગરનો હોય, સ્વચ્છંદી હોય તથા બીજા જે તે દેવોને માનતો હોય તેને માણિભદ્રવીર પ્રસન્ન થતા નથી. દઢશીલે કરી થાપે મન, નિશિએ વિધિજયો પ્રસન્ન, પછે જે ચિતે તે પાવે, ઘર બેઠા સુખ સંપત આવે – ૧૫ (સં. ૧૭૦૮ પં. ઉદયવિજયગણિ કૃત છંદ) () એક નોંધપાત્ર સુમેળ મળે છે કે –આ. આણંદવિમળસૂરિવિજયશાખાના આદ્ય આચાર્ય વિજયદાનસૂરિ અને આ. વિજયદેવસૂરિ વગેરે તથા તપગચ્છ સાગરશાખાના મહો. ધર્મસાગર ગણિવર તેમ જ તપગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભટ્ટારક રાજસાગરસૂરિ અને શેઠ શાંતિદાસ ઝવેરી વગેરે મૂળ ઓસવાલ જ્ઞાતિના હતા. વિજયદેવસૂરિ ગચ્છનું બીજું નામ ઓસવાલ ગચ્છ પણ મળે છે. મણિભદ્રવીર પહેલા ઓસવાલ જૈન હતા અને અત્યારે સમકિતી જૈન દેવ છે. આ સુમેળમાંથી સહેજે તારવી શકાય છે કે – તે સૌના વંશ-વારસદારોનો રક્ષક દેવ-ઇષ્ટદેવ માણિભદ્રવીર જ હોય એ સ્વાભાવિક વસ્તુ છે. Page #711 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 695 છંદો-સ્તોત્રો : માણિભદ્રવીરના વર્ણન માટે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં વિવિધ છંદો-સ્તોત્રો મળે છે. (૧) તપાગચ્છની સોમશાખાના દર મા ભ. શાંતિસોમસૂરિએ સં. ૧૭૩૩માં આગલોડમાં " મણિભદ્રસ્તોત્ર શ્લો ૪૧ " બનાવ્યા. (– પ્રક. ૫૫ પૃ. ૯૦, સોમશાખા પટ્ટાવલી ) (૨) ભ. હેમવિમલસૂરિના શિષ્ય પં. હર્ષકુલગણિની પરંપરાના પટમાં પં. ઉદયકુશલ ગણિવરે " મણિભદ્ર છંદ કડી ર૧" બનાવ્યો (જુઓ પ્રક. ૫૫, કુશલશાખા) (૩) ૫. લક્ષ્મીકીર્તિ ગણિના પં. હર્ષકુલગણિની પરંપરાના શિષ્ય શિવકીર્તિએ " મણિભદ્ર ચોપાઈ – ૯" બનાવી. (પ્ર. ૫૮) (૪) તપગચ્છના ૫૯મા ભ. વિજયસેનસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય પં. કનકવિજય ગણિવર (આ. વિજયસિંહસૂરિ)ના આજ્ઞાધારી મહો. કલ્યાણવિજયગણિની પરંપરાના પં. રામવિજયગણિના શિષ્ય પં. ઉદયવિજયગણિએ સં. ૧૭૦૮માં મગરવાડામાં ગુજરાતી ભાષામાં "માણિભદ્ર છંદ ચોપાઈ૨૫" બનાવ્યો હતો. તેમણે તેમાં કોઈ કોઈ વિશેષતા પણ બતાવી છે તે આ પ્રમાણે : તું જિનશાસનનો રખેવાલ, તુઝ કર ઝલકે દંડ વિશાલ, તપાબિરુદ જગિ જાસ પ્રસિદ્ધ, તેહને તે ઉપગારહ કીધ. | / ૨ // ૐ " યોગિણી ચઉસટ્ટી" સિરતાજ," વીર બાવન" મોટા યક્ષરાજ એક લાખ ને એંશી હજાર, પીર પીગામ્બર કરે જુહાર. | ૭ ||. ૐ નમો મણિભદ્ર ! તું ચેડા તુજ સમરણ તે નાવે કેડા, " ચોરાશી ચેટકોનો રાય" હાથી દંડ, પાવડી તુઝ પાય. // ૧૦ || દઢશીલે કરી થાપો મન્ન, નિશાઈ વિધિ જ્યો પ્રસન્ન પછે જે ચિતે તે પાવઈ, ધરિ બેઠા સુખ સંપત્તિ આવઈ. || ૧૫ || તું સુરત રૂસમ પૂરણ ચિંતિત " માધત" દૂરિ થકી લીએ વાંછિત " મગરિવાડી" કીધ વાસરસાલ, " જેન વાસિત સુર" તું હી દયાલ; શ્રી વિજયદેવ ગુરુરાજ પસાય, તવિયો મણિભદ્ર સુર રાય. || ૧૯ II સંવત્ સત્તર આઠ ઉદીર, મૃગશિર સુદિ આઠમ શશિવાર કલશ સકલ સિદ્ધ જયકાર, મંત્ર મનમંદિર ગણતાં. | ૨૩ // ઋષિ વૃદ્ધિ કલ્યાણ ભાવે કરી ભણતાં, શ્રી વિજયસેનસૂરિ શિસ, સાધુ ગુણ પરા કહિએ " કનક વિજય કવિરાય" પ્રણમતાં યશ લહિએ. પંડિત રાજવિજયતણો, ભલે શિશ સુણયો મુદા ઉદય અધિક ચઢતી કલા, જે મણિભદ્ર સેવે સદા. ૨૫ //. પુષ્પિકા-ઇતિશ્રી માણિભદ્ર છંદ0 મિતિ શ્રેયઃ Page #712 -------------------------------------------------------------------------- ________________ 696 તપાગચ્છાધિષ્ઠાયક તપાગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રદાદા –પૂ. મુનિશ્રી ચારિત્રવિજયજી મહારાજ સને ૧૯૪રમાં પૂ. મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજશ્રીને ઉત્તર ગુજરાતના પાટણ શહેરના જ્ઞાનભંડારમાંથી એક પુરાણી પ્રત ઉપલબ્ધ થતાં પૂજ્યશ્રીએ માંગરોળ તપાગચ્છ સંઘની સહાયથી જે પુસ્તિકા સાડાપાંચ દાયકા પહેલાં પ્રગટ કરાવી હતી તેનો સારભાગ ટૂંકાવીને અત્રે રજૂ કરીએ છીએ. – સંપાદક આદિનિવેદન ... જુદા જુદા ગચ્છોના પ્રસંગવશાત્ જુદા જુદા દેવો અધિષ્ઠાયક તરીકે નિર્મિત થયા છે. તપગચ્છના અધિષ્ઠાયક માણિભદ્ર, ખરતરગચ્છના અધિષ્ઠાયક કાળભૈરવ, અચલગચ્છના અધિષ્ઠાયક મહાકાળી – એમ દરેક ગચ્છોના અધિષ્ઠાયક દેવો છે. જ્યાં જ્યાં તપગચ્છના ઉપાશ્રય જૂના વખતના છે ત્યાં ત્યાં દરેક ઠેકાણે ઘણા ભાગે ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોય છે. આ રીતિ જાળવી રાખવા માટે આપણા તપગચ્છના યતિઓનો ઉપકાર માનવામાં આવે છે. યતિઓએ લાંબા કાળ સુધી જાહોજલાલી ભોગવી રાજા-મહારાજાઓને વશ કર્યા, ગામ ગ્રાસે મેળવ્યા અને સંઘને પણ કુશળતામાં રાખી સંઘનો અભ્યદય કર્યો. એ બધો પ્રતાપ તપગચ્છના મહાન અધિષ્ઠાયક દેવ માણિભદ્રનો છે. આજે પણ માણિભદ્રજીની માન્યતાઓ (માનતાઓ) ચાલે છે અને તે માન્યતાઓ ફળીભૂત પણ થાય છે. જ્યાં સુધી યતિઓનો ઉપાશ્રયમાં વાસ હતો ત્યાં સુધી માણિભદ્રની પૂજા, સેવાભક્તિ સારા પ્રમાણમાં થતી હતી. હજુ ભક્તિવત્સલ શ્રાવકો પણ એમની સેવાપૂજા કરી રહ્યા છે, પરંતુ દિલગીરી સાથે લખવું પડે છે કે આધુનિક (વર્તમાન) સાધુ સમુદાયે માણિભદ્રજીનું માહાભ્ય ભુલાવ્યું છે. શ્રાવકોમાં પણ તેથી હાલમાં બંધાતા નવા નવા ઉપાશ્રયોમાં માણિભદ્રજીની સ્થાપના બિલકુલ કરવામાં આવતી નથી. એનું પરિણામ એ આવશે કે ભાવિતપગચ્છાનુયાયીઓ માણિભદ્રજીનું નામનિશાન પણ ભૂલી જશે. જ્યાં જ્યાં જે જે ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોય તે ઉપાશ્રય તપગચ્છનો છે એ સજ્જડ પુરાવો પણ હવે નાશ થવા બેઠો છે. દંતકથા (એક) એવી ચાલે છે કે બીજા ગચ્છના આચાર્યે તપગચ્છમાં પોતાના અધિષ્ઠાયક દેવ દ્વારા ઉપસર્ગ શરૂ કર્યા. તેથી તપગચ્છના ઘણા શ્રાવકોનાં સાધુઓનાં પણ) મરણ થવા માંડ્યાં. આ ઉપરથી તપગચ્છના આચાર્ય મહારાજ ખૂબ અફસોસમાં પડ્યા છે, તે Page #713 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 697 વખતે એક વૃદ્ધ માણિભદ્ર શેઠ આવ્યા છે. આચાર્ય મહારાજને અફસોસમાં બેઠેલા જોઈ પોતે કારણ પૂછે છે. આચાર્ય મહારાજ તેનું કારણ કહે છે ત્યારે શેઠ કહે છે કે, મહારાજ ! આનો ઉપાય ન થઈ શકે? એના ઉત્તરમાં જ્ઞાની ગુરુ ભગવંત કહે છે કે, એનો ઉપાય તમારા હાથમાં છે. શેઠ કહે છે કે, મારા હાથમાં હોય તો ફરમાવો. ગુરુ મહારાજ માણિભદ્ર શેઠને કહે છે કે, શેઠ! તમારું આયુષ્ય હવે ત્રણ દિવસનું છે. એ આયુષ્ય પૂર્ણ થયે તમારું મૃત્યુ તો અવશ્ય છે જ; પણ જો તમે સંસાર–વ્યવહારનો ત્યાગ કરી અટ્ટમનું તપ કરી મારી પાસે ઉપાશ્રયમાં અનશન કરો અને હું તમને ખૂબ ધર્મધ્યાનમાં અંતરધ્યાન બનાવું તો શુભ ધ્યાન પૂર્વક તમો મરીને દેવગતિમાં જાઓ અને તે પછી આ ઉપસર્ગ તમે દેવ થઈને ટાળો. શેઠ કહે છે કે, ગુરુવર ! એક તો મારું કલ્યાણ થતું હોય અને મારા હાથે સંઘનું ભલું થતું હોય તો હું તેમ કરવા તૈયાર છું. આ પછી માણિભદ્ર શેઠે અનશન કર્યું અને ત્રીજે દિવસે તે સ્વર્ગવાસ પામીને દેવ થયા. (દેવગતિમાં આવ્યા પછી) અવધિજ્ઞાનથી જોઈ તરત જ આચાર્ય મહારાજ પાસે હાજર થયા અને ગુરુની આજ્ઞાથી પરગચ્છનાદેવને હાંકી મૂકેલ (પરાજિત કરી) અને તપાગચ્છને નિરુપદ્રવ બનાવેલ. તે પછી ગુરુ મહારાજે માણિભદ્ર દેવને તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યા છે. -(આમ) આવી દંતકથા ચાલે છે. પરંતુ આ જીવનચરિત્રમાં તો લોકાગચ્છના આચાર્યે ધોળા ભૈરવ અને કાળા ભૈરવની આરાધના કરી તપાગચ્છના આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીના શિષ્યોને મારી નાખવા એવી ભેરવોને આજ્ઞા કરેલ તેથી આગ્રામાં (તેમના) ઘણા શિષ્યો મરી ગયા. તે પછી ગુરુ મહારાજે શાસનદેવીની આરાધના કરી છે. શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું છે કે તમો ગુજરાત તરફ જાઓ, ત્યાં પાલનપુર નજીકમાં આ ઉપદ્રવને શાંત કરનાર તમોને એક દેવ મળી રહેશે. ----આવી હકીકત આ જીવનચરિત્રમાં આવે છે. દંતકથા કરતાં આ વાત પુસ્તક પરથી લખાયેલ હોવાથી આધારભૂત મનાય એ સ્વાભાવિક છે. " (આ હાથલખાણ પુસ્તકની પ્રસ્તાવનારૂપે પ્રગટ થયું છે.) —— માલવભૂમિ માલવભૂમિની મહત્તા ભારતવર્ષના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. માલવભૂમિ એ ભારતની ભૂતકાલીન ભવ્યતાના કીર્તિકળશ સમાન છે. વિદ્યા અને કળાની ઉપાસનાથી પરમ પ્રખ્યાતિ પામેલા તેમ જ એક વખત સમસ્ત ભારતવર્ષના આકર્ષણ રૂપ બનેલા રાજા ભોજ એ જ માલવભૂમિના અમૃતમય અંકમાં ઊછર્યા હતા. પંડિતપ્રવર કાલિદાસ જેવા વિનોદી અને વિદ્યાચતુર સાક્ષરો આ ભાગ્યશાળી ભૂમિના ખોળામાં ખેલી ગયા છે. જેના પવિત્ર નામનો સંવત્સર ચલાવીને ભારતભૂમિએ જેનું સ્મરણ પોતાના હૃદયમાં સદાને માટે કોતરી રાખ્યું છે એવા મહાપરાક્રમી અને પરદુઃખભંજન રાજા વીર વિક્રમાદિત્ય પણ એ જ માલવદેશના એક તેજસ્વી નરવીર હતા, જ્યાંનું ગંધર્વી સ્મશાન અને અનેક પ્રકારની મંત્રસાધનાઓની દિલ ધડકાવનારી CK, Page #714 -------------------------------------------------------------------------- ________________ 698 હૃદયભેદક કથાઓ આજ પણ આપણા અંતરના તારને ઝણઝણાવી રહે છે. ચિત્રવિચિત્ર સંસ્મરણોના સ્તૂપ સમી ચોરાશી ચૌટા અને બાવન બજારોથી ધમધમતી રહેતી ઉજ્જયિની નગરી એ જૈનધર્મના પણ પરમ ધામ સમાન હતી. ઉજ્જયિનીની શોભારૂપ અનેક જૈન શેઠ શાહુકારોનો ત્યાં ઘણા પુરાતનકાળથી વસવાટ હતો. એમાં ધર્માવતાર સમા માણેકશાહ શ્રેષ્ઠી ઉજ્જયિની નગરીના નગરશેઠ હતા. માણેકશાહ શેઠ ભક્તિના ભંડાર અને ધર્મ પ્રત્યે અપાર મમતા ધરાવનાર હતા. ધર્મભાવનાનો પાઠ એમની માતા કસ્તુરબાએ એમને ગળથૂથીમાં જ આપ્યો હતો. એમની માતા કસ્તુરબાની સુવાસ ખરેખર કસ્તુરીની માફક ચારે તરફ ફેલાએલી હતી. પતિના અવસાન પછી એમણે પોતાનું સમસ્ત જીવન ધર્મધ્યાનમાં અને ત્યાગવૈરાગ્યમાં જ વિતાવ્યું હતું. આની પ્રબળ અસર અનાયાસે માણેકશાહ શેઠમાં ઊતરી આવી હતી. માણેકશાહ એમની માતાના એકના એક સંતાન હોવાથી તે અત્યંત લાડકોડમાં ઊછરેલા હતા. આમ છતાં પણ તે માતાની આજ્ઞાનું કદી પણ ઉલ્લંઘન કરે એવા ન હતા. માતાની આજ્ઞા એમને મન દેવ—આજ્ઞા હતી. આ માતાપુત્રનો પ્રેમ સમસ્ત ઉજ્જયિનીના આદર્શરૂપ હતો. માણેકશાહ શેઠ અઢળક વડીલોપાર્જિત મિલકતના માલિક હતા. એટલું જ નહિ પરંતુ તે પોતે પણ વ્યાપારી કુનેહના પૂરેપૂરા જાણકાર હોવાથી પોતાના ધંધામાં દિવસે દિવસે ફાવતા જતા હતા. એમની વ્યાપારી કુનેહનો પાયો સત્ય પર ચણાયલો હોવાથી એમના ઘરની અંદર પણ સતયુગનો જ વાસો હતો. તપાગચ્છાધિષ્ઠાયક પરિવર્તન ઉજ્જયિની નગરીની બરાબર મધ્યભાગમાં જૈન લોંકાગચ્છનો એક વિશાળ ઉપાશ્રય આવેલ હતો. આ ઉપાશ્રય આજે ઉજ્જયિનીવાસીઓનું લક્ષ્યબિન્દુ બન્યો હતો. તેનું કારણ એ હતું, કે આજે લોંકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિનું ત્યાં જાહેર વ્યાખ્યાન હતું. આચાર્યશ્રી હમણાં થોડા દિવસ થયા જ ઉજ્જયિનીમાં પધાર્યા હતા. આ અલ્પ સમયમાં જ એમણે પોતાની વાક્છટાથી ઉજ્જયિનીવાસીઓને મુગ્ધ કરી દીધા હતા. આજે પણ એમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે લોકસમુદાય પ્રભાતથી જ કીડીઓની માફક ઊભરાઈ રહ્યો હતો. એક તરફ પુરુષો અને બીજી બાજુ સ્ત્રીવર્ગથી આખો ઉપાશ્રય ચિક્કાર ભરાઈ ગયો હતો. આગલી હરોળમાં રાજ્યના જ્ઞાનપિપાસુ કર્મચારીઓ પણ દષ્ટિગોચર થતા હતા. આચાર્યશ્રીની બરાબર સન્મુખે શહેરના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પોતાનું સ્થાન લીધું હતું. સૂરિજીની વાક્છટાએ માણેકશાના મન પર અજબ ભૂરકી છાંટી હતી. શક્તિવંત વાણીપ્રવાહ મહાન મનુષ્યોને પણ પોતાના વેગમાં ઘસડી જાય છે. ત્યાં માણેકશાહ સમાન અતિ સુકોમળ અને ભાવનાવાહી માણસનું શું પૂછવું ! આ સમયમાં જૈનોમાં પક્ષભેદનું વાતાવરણ અતિ ઉગ્ર બન્યું હતું. એક થાપે અને બીજો ઉથાપે એવી સ્થિતિ ચોતરફ ચાલી રહી હતી. તપગચ્છ અને લોંકાગચ્છ વચ્ચેની ખેંચતાણ પ્રબળ સ્વરૂપમાં પ્રવર્તમાન હતી. આ કારણથી જ આજે લોંકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિ Page #715 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જિનવચનની આજ્ઞા લોપીને પોતાના પક્ષને પ્રબળ બનાવવાનો પ્રતિબોધ કરવામાં પોતાની તમામ શક્તિ વાપરી રહ્યા હતા. માણેકશાહ શેઠ ઘણા ધર્મપ્રેમી હતા. નિત્ય ભક્તિભાવે જિનમંદિરે પ્રભુદર્શન-પૂજા તથા આવશ્યક ધર્મક્રિયાઓ કરતા. તેમાં કદી પણ કશી ઊણપ આવવા દેતા નહિ. તેઓ શુદ્ધ શ્રાવકધર્મ અને કુળાચારનું પાલન કરતા. પદ્મનાભસૂરિની વાણી હમણાં હમણાં એમને એમના કુળાચારના ધર્મથી દૂરદૂર ઘસડી જતી હતી અને એમાં એમનો દોષ ન હતો. શક્તિશાળી વાણીનો વેગ એટલો પ્રચંડ હોય છે, કે ઘણી વાર ઘણી વ્યક્તિઓ જાણે—અજાણે અને પરાણે પણ એ વાણીના વેગમાં ઘસડાઈ જાય છે. આ પ્રમાણે માણેકશાહ શેઠ પણ આચાર્યશ્રીની વાક્છટા અને શક્તિના તેજમાં અંજાઈને ઊલટે માર્ગે આકર્ષવા લાગ્યા હતા. આ વસ્તુ પદ્મનાભસૂરિની ચકોર દષ્ટિથી બહાર ન રહી. માણેકશાહ શેઠ જેવા ઉજ્જયિની નગરીના એક અગ્રગણ્ય ગૃહસ્થ પર પોતાની ધારેલી અસર થતી જતી જોઈને સૂરિજીના આનંદનો પાર રહ્યો નહિ. આથી તેમણે પોતાની તમામ શક્તિ કુશળતા પૂર્વક માણેકશાહ શ્રેષ્ઠી પર ઠાલવવા માંડી. આચાર્યશ્રીના મુખપ્રદેશમાંથી વહેતી વાધારાના વહેણમાં માણેકશાહ શેઠનો કુળાચારધર્મ વહી જવા લાગ્યો. વ્યાખ્યાન પરિપૂર્ણ થયું. માણેકશાહના અંતરમાં ચાલતા ધર્મયુદ્ધનો નિર્ણય આવી ગયો. તેમણે તે જ વખતે ઊભા થઈ, પોતાના કુળધર્મને વીસરી જઈને દેરાસરમાં જિનદર્શન-પૂજન આદિનો ત્યાગ કરી લોંકાગચ્છનો સ્વીકાર કર્યો. પોતાનું નિશાન બરાબર કારગત લાગેલું જોઈને સૂરિજીનું અંતર આનંદાવેશથી નાચી ઊઠ્યું. 699 માતાનું હેત ઃ પુત્રનું હિત ઃ પ્રતિજ્ઞાનું પ્રાગટય ઉજ્જયિની નગરના આ ઉપાશ્રયથી થોડા જ અંતરે સુંદર અને સ્વચ્છ રાજમહાલયસમી એક વિશાળ હવેલી ઊભી હતી. એના પ્રવેશદ્વારમાં દાખલ થતાંની સાથે જ આંખ ઠરી જાય એવો એક નાનકડો રમણીય બગીચો દષ્ટિગોચર થતો હતો. બે માળની એ સાદી સુંદર અને સુશોભિત ઇમારત સમસ્ત ઉજ્જૈયિનીમાં એક અનેરા નમૂના રૂપ ગણાતી. એ હવેલીને ઉપલે માળે આવેલા એક રમ્ય ઓરડામાં આજે એક માતાનું હૃદય રડી રહ્યું હતું. જે પુત્રરત્નને આ માતૃહૃદયે બાલ્યાવસ્થાથી જ ધર્મનાં ધાવણ પાયાં હતાં, જે બાલહૃદયની સુકોમળ જમીનમાં એણે ધર્મભાવનાનાં અમૂલ્ય બીજ વાવ્યાં હતાં, જે પુત્રના જીવનમાં ઉમદા સંસ્કારોનું સિંચન કરવામાં એણે પોતાનો આત્મા નિચોવી નાખ્યો હતો, તે જ પુત્રને આજે ધર્મના સાચા માર્ગમાંથી ચ્યુત થયેલો જાણીને એ માતૃહૃદય પર જાણે વજ્રપાત થયો હતો. એ માતૃહૃદય હતું, માણેકશાહ શ્રેષ્ઠીની માતા કસ્તૂરબાનું. કસ્તુરબાનું હૃદય આજે ભયંકર વાવાઝોડાથી ખળભળી ગયું હતું. માણેકશાહ પ્રત્યેનો એનો પુત્રપ્રેમ અથાગ હતો. જિંદગી દરમિયાન એને એક પણ કઠોર શબ્દ કહેવાનો કોઈ પ્રસંગ આવ્યો ન હતો. દેશના ડાહ્યા માણસો જેના ડહાપણનો લાભ લેવા ઇચ્છતા, એવા ડાહ્યા અને Page #716 -------------------------------------------------------------------------- ________________ 700 તપાગચ્છાધિષ્ઠાયક કહ્યાગરા પુત્રની અચળ ધર્મભાવનામાં આજ અચાનક આવો ગંભીર પલટો કેમ આવી પડ્યો તે એક કોયડો હતો. આ કોયડાનો ઉકેલ અશક્ય લાગતો હોવાથી માતાના અંતરની મૂંઝવણનો પાર રહ્યો ન હતો. એની ઉભય આંખોમાંથી શ્રાવણ અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પોતાના માર્ગભૂલ્યા પુત્રને પાછો સત્યમાર્ગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિનેશ્વર પરમાત્માને પ્રાર્થી રહી હતી. એટલામાં દાદર પર પડતાં કોઈનાં પગલાંનો અવાજ એના કર્ણપટ પર અથડાયો. શારીરિક સ્વસ્થતા જાળવવા તેણે તરત જ આંખોમાં ઊભરાઈ આવેલાં અશ્રુ પાલવની કોર વડે લૂછી નાખ્યાં. તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી ઊભી. લક્ષ્મીવહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શન કરી શકતી અને સાસુ તેને પોતાના પેટની પુત્રી પ્રમાણે જ ગણતી. આથી આ સાસુ-વહુ વચ્ચેનો સ્નેહ માતાપુત્રી જેવો જ હતો. " બેટી લક્ષ્મી ! શું આવી? કશું કામ છે?" – સાસુએ ચહેરા પર છવાયેલી શોકની રેખાઓને સ્થાને કૃત્રિમ હાસ્ય આણવાનો વ્યર્થ પ્રયાસ કરતાં કહ્યું. ચાલાક વહુ સાસુના શોકનો સઘળો ભેદ પામી ગઈ હતી. માણેકશાહશેઠની ધર્મભાવનામાં અચાનક આવી પડેલું પરિવર્તન સાસુના ભાવિક હૃદય પર કાતિલ અસર કર્યા વગર નહિ રહે, એ વાત વહુની ચકોર દષ્ટિથી છૂપી ન હોવાથી તે સાસુને ભોજન માટે બોલાવવા આવી હતી. " માતુશ્રી ! રસોઈ કયારની તૈયાર છે એ વાત તમે વીસરી ગયાં કે શું? મને થયું કે તમે કોઈ જરૂરી કામમાં ભોજનની વાત પણ ભૂલી ગયાં લાગો છો, એટલે અહીં બોલાવવા આવી. આપના કાર્યમાં કંઈ હરકત તો નથી આવી ને? " વહુએ જાણે કંઈ જ બન્યું ન હોય એવી રીતે કહ્યું. સાસુની ભોજનની ભૂખ તો ક્યારનીયે ભાગી ગઈ હતી, પરંતુ આ વાત વહુ પાસે શી રીતે વ્યક્ત કરવી તે તેને સૂઝતું ન હતું. " હા, ચાલો." – આટલું કહેતાં જ તે વહુ સાથે ભોજનગૃહમાં આવી અને પાટલા પર પોતાનું સ્થાન લીધું. વહુએ પીરસેલી થાળી સાસુના પાટલા પર મૂકી. "વહુ બેટા! આજે મેં એક પ્રતિજ્ઞા લીધી છે. " સાસુએ વાતની શરૂઆત માંડી. " પ્રતિજ્ઞા ! એ વળી કેવી ! " વહુએ આશ્ચર્યચકિત થઈ પૂછયું. " એ પ્રતિજ્ઞા એવી છે કે આજથી મેં ઘી-દૂધનો સદંતર ત્યાગ કર્યો છે." સાસુની આ વાત સાંભળી વહુનું હૃદય જાણે ઠરી ગયું. તેનું પ્રકાશમાન મુખમંડળ પ્રભાતના ચંદ્ર સમાન ફીકું પડી ગયું. સાસુની આ ઉગ્ર પ્રતિજ્ઞા સાંભળીને વહુનું અંતર દુઃખના દર્દથી દ્રવી ઊડ્યું. તેની બંને આંખો આંસુથી છલકાઈ ગઈ. Page #717 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 701 " ઘી-દૂધનો ત્યાગ અને તે પણ સદંતર ! આવી ઉગ્ર પ્રતિજ્ઞા શા માટે?" વહુએ આખો . લૂછતાં પ્રશ્ન કર્યો. " બિચારા ગરીબ લોકો જેમને જિંદગીમાં ઘી-દૂધનાં ભાગ્યે જ દર્શન થાય છે, તેઓ કેમ જીવી શકે છે એ મારે જવું છે." સાસુએ મુખ્ય મુદ્દાને દૂર કરતાં કહ્યું. "સાસુજી! એ લોકો બાપડાં ઘી-દૂધ વગર ચલાવી લેવાને ટેવાએલાં હોય, એટલે એમને ચાલી શકે, પરંતુ...." " એ લોકો ટેવાઈ જાય છે, તેમ આપણાથી પણ શા માટે ન થાય?" સાસુએ વહુની વાતને અધવચમાંથી જ તોડી નાખતાં કહ્યું. "બાઈજી! આવી વૃદ્ધાવસ્થામાં આપ ઘી-દૂધનો ત્યાગ કરશો, તો શરીર શી રીતે ટકી શકશે?" વહુએ દીનતા પૂર્વક નવી વાત રજૂ કરી. "વહુ બેટા! આ શરીર તો માટીના ઘડા જેવું ક્ષણભંગુર છે. ઉપરવાળાને તે ટકાવવું હશે તો ટકાવશે. શરીર–સંપત્તિને ટકાવી રાખવાનો મારો મોહતો ક્યારનોયે ચાલ્યો ગયો છે." સાસુએ અડગપણે ઉત્તર આપતાં જણાવ્યું. સાસુને પ્રતિજ્ઞા ન લેવાનું સમજાવવાના વહુના તમામ પ્રયત્નો આખરે નિષ્ફળ નીવડ્યા. સાસુની અતિ સુકોમળ ધર્મભાવના પર એમના પ્રિય પુત્રના હાથે જ લાગેલો ઝેરી જખમ ઝટવારમાં રૂઝાય એવો ન હતો. એટલે વહુની બધી સમજાવટ વ્યર્થ જાય એમાં નવાઈ નહિ. વહુની આવી અસીમ લાગણી અને અનહદ ભક્તિભાવ જોઈને સાસુનો અંતરાત્મા સંતુષ્ટ થયો અને એણે પોતાની તમામ હદયવ્યથા વહુની પાસે સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરી દીધી. માણેકશાહના હાલના વલણથી એમનાં ધર્મપત્નીના મનને પણ ઓછો આઘાત નહોતો લાગ્યો. એટલે સાસુવહુ બંનેનું દર્દ એક જ હતું. આ દર્દનો યોગ્ય ઇલાજ ન મળી આવે ત્યાં લગીને માટે માણેકશાહનાં ધર્મપત્નીએ પણ, સાસુ ન જાણી શકે તેમ, સાસુની પ્રતિજ્ઞાનું પોતે પણ પાલન કરવાનો મન સાથે દઢ નિશ્ચય કરી લીધો. શુભાગમન રાત્રિદેવીએ પૃથ્વીના પટ પર પાથરી દીધેલો અંધારપિછોડો ગુપચુપ ખસેડી લેવા માંડ્યો હતો. ટપોટપ ફૂટતા પરપોટાઓ અદૃશ્ય થઈ જઈને જેમ સમુદ્રની અસીમ શ્યામતામાં એકાકાર થઈ જાય, તેમ આકાશના તારલાઓ એક પછી એક અનંત આકાશની શૂન્યતામાં ફરી એકવાર અદશ્ય થતા જતા હતા. અંધકારના અનંત આવરણને ભેદી દઈને દેવ પ્રભાકરનાં પ્રકાશકિરણો કોઈ વિજેતા સેનાધિપતિના આગળ ધસતા સૈન્યની માફક વધુ ને વધુ વિસ્તરતાં જતાં હતાં. આ સમયે સૂર્યકિરણોને પોતાના તેજથી વધુ ઓપ આપતું એક મુનિમંડળ ઉજ્જયિની નગરીને માર્ગે પ્રયાણ કરી રહ્યું હતું. તમામ સાધુઓ શરીરે મજબૂત હતા. જૈન સાધુઓને Page #718 -------------------------------------------------------------------------- ________________ 702 તપાગચ્છાધિષ્ઠાયક પગપાળા વિહાર કરવાનું ધાર્મિક બંધારણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. આમ અનાયાસે મળી જતો વ્યાયામ લગભગ દરરોજના કાર્યક્રમમાં નિયમિતપણે નિયત થયેલો હોવાથી એમના શરીરનો બાંધો સર્વ પ્રકારે સુદઢ બનેલો હતો. વળી ચાલવાનું હંમેશાં ખુલ્લા પગે જ થતું હોવાથી, તેમના પગનાં તળિયાં એવાં તો મજબૂત બની ગયાં હતાં કે રસ્તે ચાલતાં કોઈ કાંટાને ભોગજોગે એમના પગ સાથે ભટકાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો તેને પગની અંદરના પ્રદેશમાં પ્રવેશ કરવાનો માર્ગ મળવાને બદલે ભાંગીને ભુક્કો થયે જ છૂટકો થતો. પગે ચાલવાની આ નિયમિત કસરતને લઈને તેમ જ બ્રહ્મચર્યને લઈને એમના આરોગ્ય પર એક પ્રકારની અદ્ભુત અસર થયેલી જોવામાં આવતી હતી. શરીરની અંદર સોંસરા પેસી જાય એવા શિયાળાના શીતળ પવનો અને મોઢાને બાળી નાખે એવી ઉનાળાની ધગધગતી લૂના પ્રચંડ ઝપાટા તેઓ હંમેશા પોતાના શરીર પર ઝીલતા હોવાથી પલટાતી ઋતુઓના શીતોષ્ણ પ્રવાહો એમના વજ જેવા દેહ પર સહેજ પણ અસર કરી શકે એમ ન હતું. કડકડતી ટાઢ અને ધગધગતા તાપ જેમ એમના દેહ પર અસર કરવાને અસમર્થ હતાં, તેમ સંસારનાં સુખદુઃખ અને મોહમાયા, તપત્યાગ અને વૈરાગ્યના તાપથી શુષ્ક બની ગએલા એમના માનસિક પ્રદેશમાં ભાગ્યે જ કદી પ્રવેશ કરી શકતાં. દરેક સાધુ મહારાજની પાસે જૈનધર્મની અહિંસક વૃત્તિનું સૂચન કરતું રજોહરણ, મજબૂત જેષ્ઠિકા અને મુહપત્તી હતાં. અતિ સૂક્ષ્મ અહિંસા સુધી ઊંડા ઊતરવાની જૈનધર્મની ઝીણવટ જોઈને કોઈના પણ હૃદયમાં તેને માટે માન ઉત્પન્ન થયા વિના રહે તેમ ન હતું. - દરેક સાધુના પૃષ્ઠભાગ પર સ્કંધ પાસે જ્ઞાનની પરબ સમાં ધર્મપુસ્તકો અને એનાં પાનાં એક કપડા વડે લપેટીને મજબૂત બાંધી લેવામાં આવ્યાં હતાં. આ જોઈને જાણે એક જીવતું પુસ્તકાલય જ ચાલ્યું આવતું હોય એવો ઘડીભર વિચાર આવ્યા વિના રહેતો નહિ. જરા ઝીણી દષ્ટિથી જોનાર તરત જ સમજી જાય એમ હતું, કે એ મુનિમંડળમાં એક આચાર્યશ્રી હતા અને અન્ય સૌ એમના શિષ્યો હતા. પ્રત્યેક મુનિભગવંતના મુખમંડળ પર ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યાની ઉત્કૃષ્ટ લાગણીઓ દષ્ટિગોચર થતી હતી. ઉપરાંત, આચાર્યશ્રીની આંખમાં ચમકી રહેલી જ્ઞાન અને બુદ્ધિની ચમક પણ જોનારને પ્રથમ દષ્ટિએ જ મુગ્ધ કરી નાખે એવી અજબ હતી. એમનું મોટું ચશ્ચકતું કપાળ ઊંડા અભ્યાસ અને પરિશીલનની સાબિતી આપી રહ્યું હતું. નાકનો વળાંક વિચારોની દઢતાનું સૂચન કરી રહ્યો હતો. ધર્મપ્રેમની પ્રખર તેજસ્વિતા એમના મુખમંડળની રેખાએ રેખાએ રમી રહી હતી. આચાર્યશ્રીનું નામ શ્રી હેમવિમલસૂરિજી હતું. શ્રી હેમવિમલસૂરિ આચાર્ય થયા. તેઓશ્રી શ્રી સુધર્માસ્વામીજીની પંચાવનમી પાટ શોભાવી રહ્યા હતા. પોતાના શિષ્યવૃંદ સહિત ઉજ્જયિની પધાર્યા હતા. Page #719 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ આ મુનિમંડળ થોડો દિવસ ચડતાં જ ઉજ્જયિનીને પાદરે આવેલા એક ઉપવનમાં આવી પહોંચ્યું. અહીં એક શાન્ત–એકાંત સ્થળમાં એમણે થોડા દિવસ સ્થિરતા કરવાનો નિશ્ચય કર્યો. તપાગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના શુભાગમનના સમાચાર વાયુવેગે ઉજ્જયિની નગરીમાં ફરી વળ્યા. આચાર્યશ્રીની શાન્ત, સૌમ્ય મુખમુદ્રા, એમની વાણીમાં વહેતો અખંડ ઉપદેશપ્રવાહ, તેમ જ એમના ત્યાગ, વૈરાગ્ય, અને જ્ઞાનની ચર્ચા ઉજ્જયિની નગરીની ગલીએ ગલીએ ચાલવા લાગી. મહારાજશ્રીની શક્તિ અને ભક્તિની પ્રશસ્તિ કર્ણોપકર્ણ સારાયે શહેરમાં પ્રસરી ગઈ. આથી આચાર્યશ્રીનાં વંદન અને પ્રવચનશ્રવણ માટે ભાવિક શ્રાવક—શ્રાવિકાઓનાં ટોળેટોળાં ઊમટવા લાગ્યાં. ઘટસ્ફોટ " સાસુજી ! વધામણી ! વધામણી !" માણેશાહનાં ધર્મપત્ની લક્ષ્મીવહુ અતિ ઉમળકાભેર પોતાની સાસુ સમક્ષ ઉપરોક્ત શબ્દોચ્ચાર કરતી આવી ઊભી. 11 વહુ બેટા ! શાની વધામણી ? શું મારો પુત્ર..." 11 ના માજી ! એવું તો હજુ કંઈ નથી, પણ આજે આપણા ધન્યભાગ્ય કે ઉજ્જયિની નગરીને આંગણે મહાપ્રતાપી આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીનું આગમન થયું છે. મને તો એમાં ઈશ્વરી સંકેતનાં જ દર્શન થાય છે." વહુએ સાસુના વાક્યને અધવચ્ચેથી ઉડાવી દઈને વધામણીનું સાચું કારણ વ્યક્ત કરતાં કહ્યું. " 'વહુ બેટા ! તમારી વધામણી તો શુદ્ધ સોના જેવી છે પણ..... એ પણની વાત પછી. પ્રથમ તો આપણે આચાર્યશ્રીની આપણે ઘેર પધરામણી કરાવીએ, એટલે એમની કૃપાવડે પાણીને રસ્તે પાણી થઈ જશે એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે." " બેટા ! એ બધી વાત તો સાચી છે; પણ જ્યાં ઘરનો મુખ્ય માણસ તારો પતિ જ ફરી બેઠો છે, ત્યાં પધરામણી પણ શી રીતે થઈ શકે ?" 703 11 " માજી ! એમ નહિ બોલો. મારા પતિ તો પછી; પ્રથમ એ આપના પુત્ર છે, એ વાત કેમ વીસરી જાઓ છો ? આપનું વચન એ ઉથાપવાના નથી, એવી મને તો પૂરેપૂરી ખાતરી છે.” "દીકરી ! મને તો એમ થવું અતિ મુશ્કેલ લાગે છે. મારી આજ્ઞાની જ્યાં ખુલ્લી અવગણના જ દેખાતી હોય, ત્યાં ફરી એ જ આજ્ઞા કરવાનો અર્થ પણ શો ?" 11 " માજી ! ઘી–દૂધના ત્યાગથી થોડા દિવસમાં જ આપનું શરીર અર્ધું થઈ ગયું છે, અને આવી સ્થિતિ વધુ વખત લંબાય તો કોણ જાણે શું થાય ?' વહુની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. 'મને કશું નહિ થાય દીકરી ! મારી ચિંતા બિલકુલ કરીશ નહિ. આખી સૃષ્ટિને કયાં ઘી-દૂધ મળી શકે છે ! છતાં એ તમામ લોકો જીવી રહ્યાં છે ને ! હું કાંઈ એમ ઓછી જ મરી જવાની છું !" " કેમ કોણ મરી જવાનું છે ? માતાજી ! આમ કેમ બોલો છો ?" માતાના શબ્દો સાંભળી આશ્ચર્યચકિત થઈને માણેકશાહ શેઠે આવતાં વેંત જ પ્રશ્ન કર્યો. Page #720 -------------------------------------------------------------------------- ________________ 704 તપાગચ્છાધિષ્ઠાયક " કશું નહિ બેટા! એ તો અમસ્તું જ." માતાએ મૂળ વાતને ઉડાવી દેતાં કહ્યું. " એમ તો નહિ જ બને સાસુજી ! આ વાતો હવે વધુ વખત ગુપ્ત રાખવી યોગ્ય નથી. પૂછવાવાળા જ્યારે મોઢામોઢ આવી પૂછે, ત્યારે આવી વાત દબાવી દેવામાં શો સાર છે તે સમજાતું નથી. માટે કાં તો સાચી વસ્તુસ્થિતિથી એમને વાકેફ કરો, અથવા તો મને તેમ કરવાની અનુજ્ઞા આપો."લક્ષ્મીવહુએ આવી અમૂલ્ય તકનો લાભ જતો ન કરવાનો નિર્ણય કરી પોતાનો અભિપ્રાય ખુલ્લી રીતે પ્રકટ કરતાં કહ્યું. સાસુની પરિસ્થિતિ હવે વિષમ થઈ પડી. આવા ધર્મસંકટના સમયે શી રીતે માર્ગ કાઢવો તેનો વિચાર કરતાં તે મૂંઝાઈ પડ્યાં. માણેકશાહ શેઠ પણ પોતાની ધર્મપત્નીના ઉપરોક્ત શબ્દોથી દિંગ થઈ ગયા. એ પણ સમજી ગયા, કે અવશ્ય કંઈક અઘટિત ઘટના બની છે. માતાના મુખમંડળ પર વિષાદ અને વ્યગ્રતા જોઈને, માણેકશાહની માનસિક મૂંઝવણોનો પાર રહ્યો નહિ. માતાને ચરણે પડી એમણે ગળગળા અવાજે કહ્યું : " માજી! જે હોય તે સુખેથી કહો. આપની આજ્ઞા મસ્તક પર ચઢાવવાને સેવક હાજર છે." માતાની આંખમાંથી દડદડ કરતો અશ્રુપ્રવાહ એકધારો વહી રહ્યો. અંતરમાંથી બહાર નીકળવા મથતો અવાજ એમના ગળામાં જ ગૂંગળાઈ જઈને ત્યાં જ વિલીન બની ગયો. એક પણ શબ્દ માતાના મુખમાંથી બહાર આવી શક્યો નહિ. માતાના ચહેરા પર ઊભરાઈ રહેલું દર્દ વ્યાકુળ હૃદયે નિહાળતા માણેકશાહ શેઠ જડવતું ઊભા હતા. હવે જે ખરેખરી તક હાથમાં આવી છે, એ જોઈને લક્ષ્મીવહુએ સમય પર સોગઠી મારવાનો નિરધાર કરી લીધો. " બા પ્રત્યેનો આજે આટલો બધો ભક્તિભાવ ઊભરાઈ જાય છે, પણ કદી જોયું છે, બાનું શરીર અધું થઈ ગયું છે તે ?" આ શબ્દોએ માણેકશાહ શેઠના અંતરમાં ધરતીકંપ જગાવી દીધો. માતાનું શરીર આટલું બધું લેવાઈ ગયું છે એવો કદી ખ્યાલ પણ માણેકશાહ શેઠને આજ લગી આવ્યો ન હતો. આજે જ એકાએક માતાના મુખમંડળનું નિરીક્ષણ કરવાનો અવસર આવતાં તે એકદમ ધ્રૂજી ઊઠ્યા. આનો ભેદ જાણવાની એમના અંતરમાં તાલાવેલી લાગી. એમણે તરત જ બધી વાત સ્પષ્ટપણે જણાવી દેવાની એમની ધર્મપત્નીને દર્દગંભીર હૃદયે આજ્ઞા કરી. " પરંતુ એથી બાના મનને માઠું લાગશે તો !" વહુએ વાતમાં વધુ મોણ નાખવા માંડ્યું. " હવે જે ક્ષણ વ્યતીત થાય છે તે પણ મારે માટે અસહ્ય થઈ પડે છે. માટે સાચી વસ્તુ સ્પષ્ટ કરવામાં વધુ વિલંબ કરવો હવે ઉચિત નથી." માણેકશાહ શેઠે પોતાના હૃદયની અકળામણ વ્યકત કરતાં કહ્યું. " જુઓ, સાંભળો ત્યારે ! તમે હમણાં કોઈપણ દિવસ બાને ભોજનમાં ઘી કે દૂધ લેતાં મા કી Page #721 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 705 જોયાં છે ખરા ?" " એટલે? " માણેકશાહ શેઠની અધીરતા પળે પળે વધવા લાગી." એટલે એ જ કે બા એક ગરીબમાં ગરીબ માણસની માફક આજ કેટલાએ દિવસ થયાં બાજરાનો રોટલો અને મીઠાની કાંકરી પર પોતાના દેહને ટકાવી રહ્યાં છે." માણેકશાહ શેઠને જાણે પગ નીચેથી ધરતી સરી જતી હોય તેવું લાગ્યું. માતાએ આ ઐચ્છિક ગરીબી વહોરી લેવાનું કારણ એ બરાબર સમજી શક્યા નહિ. " બા ઘી-દૂધ નથી ખાતાં, એ વાત તમે પણ આજ દિવસ લગી મારાથી શા માટે છુપાવી રાખી?" " બાની અનુજ્ઞા વિના એમની કોઈ પણ વાત આપની પાસે ખુલ્લી કરવાનો મને શો અધિકાર હોઈ શકે?" " આ તો ગજબ કહેવાય! " માણેકશાહ શેઠ પોકારી ઊઠ્યા. "ગજબ જ વળી. જુઓ, હમણાં માત્ર તમારા ભોજનમાં અને સાધુ-સાધ્વીજી મહારાજને વહોરાવવા પૂરતું જ ઘી અને ઘીની વાનીઓ આપણા ઘરમાં વપરાય છે. " ચાલાક વહુએ એવો જ બીજો ધડાકો કર્યો. "શું ત્યારે તે પણ ઘી-દૂધનો ત્યાગ કર્યો?" લક્ષ્મીવહુના છેલ્લા વાકયથી કસ્તુરબા પણ એકાએક ચમકી ગયાં."વહુ! ત્યારે તો તે પણ હદ કરી. શું મારી સાથે તે પણ ઘી-દૂધ તજી દીધું? " " પણ આ બધી શી ખટપટ ચાલી રહી છે, અને અંતે તમે શું કરવા બેઠાં છો તે હું તો કશું સમજી શકતો નથી." માણેકશાહે વ્યગ્ર હૃદયે જણાવ્યું. " જે વસ્તુના ખાસ કારણભૂત ખુદ તમે જ છો, તે તમે પોતે જ જો ન સમજી શકો, તો બીજું કોણ સમજી શકે ?" લક્ષ્મીદેવીએ મૂળ વાત પર આવતાં જણાવ્યું. "શું હું જ કારણભૂત? લક્ષ્મી ! આ તું શું બોલે છે? " " તમે નહિ તો બીજું કોણ? જે દિવસથી તમે દેવ-દેરાસરનાં દર્શન-પૂજનથી દૂર થયા છો, તે જ દિવસથી તમારો ધમતરભાવ જોઈને માતાજીએ ઘી-દૂધનો સદંતર ત્યાગ કર્યો છે." " મારો ધમાંતરભાવ થયો જ નથી. જિન ભગવાનથી હું લેશ પણ વિમુખ નથી. માત્ર પ્રતિમાપૂજન અને આંગી–ઉત્સવમાં મને હવે આત્મકલ્યાણ નથી દેખાતું. " માણેકશાહે પોતાની વર્તણૂક સ્પષ્ટ કરતાં કહ્યું. " એ તો જેવી ભાવના તેવી સિદ્ધિ." માણેકશાહનાં માતુશ્રી બોલી ઊઠ્યાં. " દેવ-દેરાસર અને પૂજન-અર્ચનની અવગણના કરીને પછી આત્મકલ્યાણ શોધવા ક્યાં જવું? " " પૂજય માતુશ્રી ! આપની વાત ઠીક છે, પરંતુ હકીકત એ છે, કે મતમતાંતરના વાદવિવાદથી મારું મન સત્ય વસ્તુની પ્રાપ્તિ નથી અનુભવતું. " માણેકશાહે પોતાના મનનો ભાર ખાલી કરતાં જણાવ્યું. C૯. Page #722 -------------------------------------------------------------------------- ________________ 706 તપાગચ્છાધિષ્ઠાયક " ભાઈ, માનવપ્રાણીને જ્યાં સુધી બે આંખો છે, ત્યાં સુધી તે પ્રતિમાપૂજનથી કદી પણ અલગ થઈ શકવાનો નથી. વાડા જુદા છે, રસ્તા એક છે. પરંતુ જિનભગવાન એક અને અખંડ છે. શ્રી જિનેશ્વર પ્રભુની સાધના-આરાધના એ જ એક સત્ય માર્ગ છે." માતાએ માર્ગભૂલેલા પુત્રને ધર્મનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાવતાં કહ્યું. " માતુશ્રી ! આપની આજ્ઞા મને સદા-સર્વદા શિરોમાન્ય છે. " માણેકશાહે સંક્ષેપમાં જ પતાવ્યું. પુત્રના પ્રેમભર્યા શબ્દોથી માતાના આનંદનો પાર રહ્યો નહિ. તેના શુષ્ક શરીરમાં નવજીવનનો સંચાર થયો. " તો આજે જ આપણા પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમલસૂરિની આપણે ત્યાં પધરામણી કરાવીએ, એટલે માતાજીના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જશે એવી મને પૂરી ખાતરી છે. " લક્ષ્મીદેવીએ તક જોઈને નવી દરખાસ્ત રજૂ કરી. " બસ, એ જ ને! એમાં તે શી મોટી વાત છે? હું આજે જ એ માટે યોગ્ય તજવીજ કરું અટલું કહેતાં જ માણેકશાહ શેઠ માતુશ્રી કસ્તુરબાનાં ચરણોમાં ફરી એકવાર વંદન કરીને વિદાય થયા. કસોટી જૈનધર્મ એ જગતના મહાન ધર્મોમાંનો એક મનાય છે. દેશવિદેશના અનેક ધર્મજિજ્ઞાસુઓએ જૈનધર્મના સર્વોત્કૃષ્ટ સિદ્ધાંતો અને અનેરા આદર્શો આગળ પોતાનું મસ્તક ઝુકાવ્યું છે. જૈનધર્મની શ્રેષ્ઠતા અને મહત્તાનું મુખ્ય કારણ એ છે કે, તેનું મંડાણ ત્યાગ અને વૈરાગ્યના મજબૂત પાયા પર થયેલું છે. જૈન ધર્મગુરુ એટલે ત્યાગ અને વૈરાગ્યની તાદશ મૂર્તિ. તપ અને ત્યાગ એ તો એમની રગેરગમાં વણાઈ ગયેલા હોય છે. ધર્મગુરુ એ હરકોઈ ધર્મનું એક અમોલું ધન છે. જૈનધર્મની વ્યાપકતા પણ મુખ્યત્વે એ ધર્મગુરુઓની તપત્યાગની શક્તિને આભારી છે. આચાર્યશ્રી હેમવિમલસૂરિજી પણ એવા જ એક મહાન શક્તિશાળી ધર્મગુરુ હતા. એઓશ્રી તપગચ્છમાં એક સમર્થ વિદ્વાન હતા. જેવા વિદ્વાન હતા તેવા જ ત્યાગી અને તપસ્વી હતા. તપ અને ત્યાગથી તાવી તાવીને તેમણે તન મન પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એમનો શિષ્યસમુદાય બહોળો હતો અને અનુયાયીઓનું પ્રમાણ તો અતિશય વિશાળ હતું. એમના વ્યક્તિત્વની તેજસ્વિતા, વાણીની મૃદુતા અને ધર્મપ્રિયતાને લીધે તેઓ જ્યાં જ્યાં પગ મૂકતા, ત્યાં ત્યાં રાજામહારાજાને પણ દુર્લભ એવા અનેરા આદરસત્કારને પ્રાપ્ત કરતા. જૈન અને જૈનેતર સમાજમાં પણ એમનું સ્થાન અત્યંત ઉચ્ચ અને અદ્વિતીય હતું. આચાર્યશ્રી હેમવિમલસૂરિ ભાવિક જીવોને પ્રતિબોધ આપતા, અને જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાનતિમિરને દૂર હટાવતા. આજે એઓશ્રી ઉજ્જયિની નગરીમાં આવીને સમોસર્યા છે. Page #723 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 707 આચાર્યશ્રીનાં વંદન માટે આખો દિવસ ઊમટેલી જનમેદની સંધ્યા સમય થતાં ઓછી થતી જતી હતી. થોડો વધુ વખત વ્યતીત થતાં ત્યાં નીરવ શાન્તિ પથરાઈ ગઈ. આચાર્યશ્રી અને એમનો સાધુસમુદાય-સૌ કોઈ આ વખતે ધ્યાનમગ્ન હતા. આ સમય સાધીને ઉજ્જયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી આચાર્યશ્રીના સ્થાનમાં આવી પહોંચ્યા. એઓ આજે આચાર્યશ્રી હેમવિમલસૂરિજીના સત્ત્વની કસોટી કરવાનો નિશ્ચય કરીને આવ્યા હતા. માણેકશાહે પ્રથમથી જ કપડાના બે કાકડા તેલમાં ભીંજવીને તૈયાર કરી રાખ્યા હતા. આ બંને કાકડા સળગાવ્યા. આચાર્યશ્રી જેમના તેમ શાન્ત બેઠા હતા. બંને હાથમાં ભડભડ બળતા બે કાકડા લઈને માણેકશાહ શેઠ મહારાજશ્રીની સમીપમાં આવી પહોચ્યા. ઉભય હસ્તમાં જલતા રહેલા કાકડા આચાર્યશ્રીના મુખમંડળ સમક્ષ ધરીને એમની મુખાકૃતિનું બારીકપણે એ નિરીક્ષણ કરવા લાગ્યા. આ રીતે વારાફરતી કેટલીય વાર તે તમામ સાધુઓની સન્મુખ પ્રકાશ સહિત ફરી વળ્યા. સદાનું અંધકારમય સ્થાન આજે એકાએક તેલિયા કાકડાના તેજસ્વી પ્રકાશ વડે પ્રકાશી ઊઠયું. ભડકે બળતા કાકડાઓનો પ્રકાશ અનેકવાર આંખો સમક્ષ આવવા છતાં ધ્યાનમગ્ન આચાર્ય અને એમના શિષ્યમુદાયને માણેકશાહની આ ઉપહાસક્રિયા તેમ જ આવી અવહેલનાયુક્ત પરિચર્યા યત્કિંચિત્ પણ ધ્યાનભંગ કરવાને સર્વથા અશક્ત નીવડી, માણેકશાહે કરેલી આ કપરી કસોટી તો પરિપૂર્ણ થઈ, પરંતુ તેની સાથે તે પશ્ચાત્તાપની એક તીવ્ર વેદના માણેકશાહના અંતઃકરણમાં મૂકતી ગઈ. - આજની રાત માણેકશાહ શેઠને માટે કાળરાત્રિ સમાન નીવડી. નિદ્રાદેવી આજે એમનાથી રિસાઈને દૂર દૂર નાસી ગઈ હતી. પશ્ચાત્તાપનો કીડો આજે એમના અંતરને ઊંડે ઊંડેથી કરડી કોરીને ખાતો હતો. અનેક જાતના વિચારતરંગો એમના હૃદયપટ પર ચિત્રપટની પેઠે ચાલતા હતા. " અહો! આજે મને આ કેવી કુમતિ સૂઝી ! આવા સમતામગ્ન સપરિણામી સમદષ્ટિ મહાત્માની મેં આજે કેવી ભયંકર મશ્કરી કરી ! રાગદ્વેષાદિરહિત તેમ જ વિષયકષાયથી પર એવા જિતેન્દ્રિય સાધુમહારાજના સૌમ્ય સમ્યગુભાવની મેં મૂર્ખશિરોમણિએ આજે આ કેવી હાંસી કરી ! ધિક્કાર હજો, મારી એ અધમ વૃત્તિને ! આવી અવળી મતિ કોણ જાણે મને ક્યાંથી આવી ! હું આજે આમ અધોગતિને આરે કેમ આવી ઊભો !" માણેકશાહની આંખોમાંથી પસ્તાવાનો અવિરત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. એમનું મનપંખી ઊડી ઊડીને શાન્તિસ્વરૂપ આચાર્યશ્રી હેમવિમલસૂરિનાં ચરણોમાં આળોટવા લાગ્યું. જ્યારે સવાર પડે અને જ્યારે એ મહાપુરુષની ક્ષમા માંગું એવી અતિ તીવ્ર તાલાવેલીથી માણેકશાહનું અંતર તલપાપડ થવા લાગ્યું. આજની રાત્રી માણેકશાહ શેઠને માટે જુગના જુગ જેવી અતિ લાંબી થઈ પડી. માખણ * . - ર Page #724 -------------------------------------------------------------------------- ________________ 708 તપાગચ્છાધિષ્ઠાયક જેવી સુકોમળ તળાઈઓ આજે એમના અંગેઅંગમાં બાણશય્યાની માફક ખૂંચવા લાગી. આમ ને આમ પશ્ચાત્તાપના અતિ વેગવાન પ્રવાહમાં તરફડતા માણેકશાહ શ્રેષ્ઠીના કર્ણપટ પર પ્રભાતના ચોઘડીઆનો અવાજ આવીને અથડાયો. પ્રતિબોધ પ્રભાતનો પ્રકાશ પૃથ્વીના પટ પર પથરાતાં પહેલાં જ માણેકશાહ શ્રેષ્ઠી પોતાના નિત્યકર્મથી પરવારી રહ્યા. ગઈ કાલના પોતાના નિમ્ન પાપકર્મનું નિવારણ કરવા માટે એમનું મન આજે તલપી રહ્યું હતું. સર્વ સ્વધર્માવલંબી શ્રેષ્ઠી સમુદાયને આમંત્રણ આપી, મોટા સમારંભથી જ્ઞાનોપકરણભેટયું લઈ માણેકશાહ શેઠ સૌ સાથે આચાર્યશ્રી હેમવિમલસૂરિજીના સ્થાને આવી પહોંચ્યા. શ્રી સદ્ગુરુદેવને ભાવસહ ભેટમું ધરી, પાંચ અભિગમ સાચવી, સપ્રેમ ભાવોર્મિથી વંદના કરીને ધર્મોપદેશની દેશના આપવા માણેકશાહ શેઠે મહારાજશ્રીને નમ્ર ભાવે વિનતિ કરી. પરમ તપ સિદ્ધ શ્રી આચાર્યદેવે સમસ્થિત ચિત્તથી સહુનું મંગળકુશળ વાંળ્યું અને આશીર્વાદાત્મક ધર્મલાભ આપ્યો. આચાર્યશ્રીજીનો ધર્મોપદેશ :- . वुद्धेः फलं तत्त्वविचारणं च देहस्य सारो व्रतधारणं च । वित्तस्य सारः किल पात्रदानं वाचः फलं प्रीतिकरं नराणाम् ।। તત્તાતત્ત્વ, સત્યાસત્ય, ગુણાવગુણ, હિતાહિત, લાભાલાભ, ભક્ષ્યાભર્યા, પેથાપેય, ઉચિતાનુચિત વગેરેનો જ્ઞાનપૂર્વક વિચાર કરીને, સારભૂત તત્ત્વનું ગ્રહણસેવન કરવું એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ધર્મનું મૂળ દયા છે, અને દયાને અનુસરીને સર્વ શુભ અનુષ્ઠાન પ્રવર્તે છે. આ જિન-આગમનો એક મુખ્ય સિદ્ધાંત છે. તેથી જ સર્વજ્ઞભાષિત સત્યધર્મનું યથાર્થ આરાધન કરવાને દયાળુ હોવાની ખાસ જરૂર છે અર્થાત્ ધર્મરત્નને યોગ્ય છે. દયાહીન કોઈ રીતે ધર્મને યોગ્ય નથી. કેમકે એવા નિર્દય પરિણામવાળાનું સર્વ અનુષ્ઠાન નિષ્ફળ જાય છે. આ રીતે દયા સહિત શ્રી જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહેવું. મન, વચન અને કાયા વડે શુદ્ધ સમકિત પાળવું, મનથી શ્રી જિન અને જૈન માર્ગ વિના સર્વ અસાર છે એમ નિરધાર કરવો. દેવગુરુને યથાવિધિ વંદન કરીને યથાશક્તિ વ્રત-પચ્ચખાણ કરવાં. ઉત્તમ તીર્થસેવા, દેવગુરુની ભક્તિ પ્રમુખ સુકૃત એવી રીતે કરવાં, કે જેથી અન્ય દર્શનીજનો પણ તે સુકૃત કર્મોને અવશ્ય અનુમોદના કરી બોધિબીજ વાવી, ભવાંતરમાં સુધર્મફળ પામવા સમર્થ થાય. યાવત્ મોક્ષાધિકારી થાય. વીતરાગનાં વચન પ્રમાણ કરવાં. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ ત્રણ કાળના જે જે ભાવ કહ્યા તે સર્વ સત્ય છે એવી દઢ આસ્થાવાળાં ઉત્તમ લક્ષણો વડે લક્ષિત સમકિતરત્નને ધારી ત્રણ કાળ જિનદર્શન કરી, ત્રણ કાળ જિનની સેવા કરી સુખી થાય છે. અસ્તુ." : ઉપરોક્ત દેશના શ્રવણ કરીને માણેકશાહ શેઠ તથા સર્વ શ્રોતા શ્રાવકસમુદાયે પરમ Page #725 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 709 સુધાપાનની તૃપ્તિ અનુભવી, અને નવચેતન વ્યાપ્તિ સમાન દરેક હૃદયમાં ધર્મપ્રાણની અલૌકિક સ્કૃતિ થઈ. આચાર્યશ્રીનાં જ્ઞાન, વિદ્વતા અને વક્નત્વશક્તિથી ઉજ્જયિનીવાસીઓ વિમુગ્ધ બની ગયા. એમની વાણીમાં વહેતો શબ્દસુધારસનો અવિરત પ્રવાહ શ્રોતાજનોના અંતરપટ ઉપર કાયમને માટે કોતરાઈ જાય એવો સચોટ અને અસરકારક હતો. વ્યાખ્યાન સંપૂર્ણ થતાં જ ઉજ્જયિનીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી ઉભય હસ્ત જોડીને ઊભા થયા. ગુરુદેવ પાસે જઈને તેમનાં ચરણોમાં એમણે પોતાનું મસ્તક ઝુકાવી દીધું. તેમની નસેનસમાં વહેતો પશ્ચાત્તાપનો પ્રવાહ વાણી વાટે બહાર આવવા લાગ્યો. " પરમ પૂજ્ય ગુરુદેવ ! ગઈ કાલે સંધ્યા સમયે જ્યારે આપ સહુ કાઉસગ્ગ ધ્યાનમાં બિરાજમાન હતા, ત્યારે મેં અભાગીએ આપની સાથે એકદમ અયોગ્ય અને નિમ્ન વર્તન ચલાવીને આપનો જે અક્ષમ્ય અપરાધ કર્યો છે, તે માટે ઉજ્જયિનીના આ તમામ શ્રાવકસંઘ સમક્ષ આજે મારા ખરા અંતઃકરણથી આપનાં ચરણોમાં ક્ષમાયાચના કરું છું." માણેકશાહની ઉભય આંખોમાંથી અખંડ અશ્રુધારા એકસરખા વેગથી વહેવા લાગી. અવાજ ગળગળો થઈ ગયો. કંઠ રૂંધાઈ ગયો. હૃદયમાં ડૂમો ભરાઈ આવવાને લીધે આથી વધુ એક પણ શબ્દનો ઉચ્ચાર એમનાથી થઈ શક્યો નહિ. " ઉજ્જયિની નગરીના ઓ નિર્મળહૃદયી નરવીર ! ભૂલ કબૂલ કરવાની તમારી હિંમત, ધર્મપ્રેમ અને ખરા અંતરનો પશ્ચાત્તાપ જોઈને મને અનહદ આનંદ થાય છે. તમારી ગઈકાલની વર્તણૂક ગમે તેવી હોય, પરંતુ અમારા મનમાં એ વિષે લેશ પણ રોષને સ્થાન નથી. એમ છતાં પણ તમારા મનના સમાધાન માટે તમારા કોઈપણ વર્તન વિષે અમારા તરફથી તમને સાચા હૃદયે સંપૂર્ણ ક્ષમા આપવામાં આવે છે. ભૂલ એ તો માનવ માત્રનો સ્વાભાવિક ધર્મ છે. પરંતુ પોતાની ભૂલને પકડી પાડવી, અને તેનો ખુલ્લા હૃદયે સ્વીકાર કરવો, એમાં જ સાચી મહત્તા અને માનવતા છે ! ઓ ન્યાયમાર્ગી નગરશેઠ! એક વસ્તુ નિઃશંક યાદ રાખજો કે આજથી તમારા શુભકર્મોનો ઉદય થવા માંડ્યો છે, એવું મારો અંતરાત્મા મને સૂચવે છે. " આચાર્યશ્રીએ માણેકશાહના અપરાધની માફી આપવા સાથે આશીર્વચનોનો ઉચ્ચાર કરતાં કહ્યું. " પૂજ્ય ગુરુવર ! મારા અઘોર અપરાધને ક્ષમા કરવાની આપની ઉદારતાથી હું ભવોભવનો આપનો ઋણી થયો છું. હવે મારી એક જ વિનંતિ છે. " " સદ્ગણી શ્રાવક! તમારે જે કંઈ કહેવાનું હોય તે સુખેથી કહી દો! તમારા જેવા ઉચ્ચ કોટિના આત્માના સમાગમથી અમને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે. " " દયાળુ દેવ ! મારાં પૂજ્ય માતુશ્રીની એવી ઉત્કટ અભિલાષા છે, કે આજે આપશ્રી સહપરિવાર અમારા ગૃહાંગણે પગલાં કરશો તો આપનો અતિ અનુગ્રહ થશે." " અસ્તુ, તમારા જેવા ધર્મપ્રમીને ત્યાં આવવામાં અમને શી હરકત હોય? " આચાર્યશ્રીએ વિનંતિનો સ્વીકાર કરવાથી માણેકશાહનું હૈયું હર્ષાવેશથી ફૂલી ઊયું. Page #726 -------------------------------------------------------------------------- ________________ 710 તપાગચ્છાધિષ્ઠાયક એમણે પ્રથમથી જ તમામ જાતની તૈયારી કરી રાખેલી હતી. સકળસંઘ પણ સાથે જ હતો. ઘણા જ ભવ્ય સમારંભથી અને અત્યંત આદરસત્કારથી આચાર્યશ્રીની પોતાને ત્યાં પધરામણી કરાવી. ઉજ્જયિની નગરીમાં જાણે એક મોટો ઉત્સવ હોય તેવો દેખાવ થઈ રહ્યો. માણેકશાહનાં માતુશ્રી કસ્તુરબાને મન તો આજે સોનાનો સૂરજ ઊગ્યો હતો. એમના ત્યાગ અને તપ આજે ફળીભૂત થયાં હોવાથી એમના હૃદયનાં દુઃખદર્દ આજે આનંદસાગરમાં ફેરવાઈ ગયાં હતાં. એક જ રાતમાં માણેકશાહના જીવનમાં આવો સુંદર પલટો આણી દેનાર પરમ શક્તિશાળી મહાત્માની પધરામણી થવાથી આખા કુટુંબમાં અપૂર્વ ઉત્સાહ છવાઈ રહ્યો હતો. આમ પરમપૂજ્ય આચાર્યશ્રીની પરમ કૃપાથી એક ધર્મપ્રેમી કુટુંબ પુનઃ પરમ આનંદ અને ઉલ્લાસમાં મહાલવા લાગ્યું. આગ્રામાં ચતુર્માસ પૂજ્યપાદ આચાર્યશ્રી હેમવિમલસૂરિ, માણેકશાહ શેઠના મનનું સંપૂર્ણ સમાધાન કરીને ઉજ્જયિનીમાંથી વિહાર કરી ગયા. આ ઘટના પર કેટલોક સમય વ્યતીત થઈ ગયા બાદ એક વખત તેઓ આગ્રા શહેરમાં પધાર્યા. આચાર્યશ્રીની પ્રશસ્તિ ચારે તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હોવાથી આાનિવાસી નરનારીઓ એમના આગમનથી અત્યંત આનંદિત થયાં. સૌએ મળીને આચાર્યશ્રીનો સુંદર સત્કાર કર્યો. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતું, કે એમની સેવા કરવામાં જ સૌ પોતાનું અહોભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિંસાનું મહાન બળ હોવાથી, એમનો એક જ શબ્દ અનેક જીવોના જીવનવિકાસ માટે પૂરતો હતો. ચાતુર્માસ તરત જ શરૂ થવાનો સમય હોવાથી આગ્રાની ભાવિક જનતાએ આચાર્યશ્રીને આગ્રામાં જ ચાતુર્માસ કરવાનો અત્યંત આગ્રહ કર્યો. અતિ ભાવભરી વિનંતિ સ્વીકારાતાં, આચાર્યશ્રીના આ અનુગ્રહથી આગ્રાનાં શ્રાવક-શ્રાવિકાઓના અને અન્ય વર્ગના આનંદનો પાર રહ્યો નહિ: આગ્રામાં જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેમ લોકોના ટોળેટોળાં આચાર્યશ્રીનો સદુપદેશ શ્રવણ કરવાને ઊભરાવા લાગ્યાં. જે અરસામાં આચાર્યશ્રી હેમવિમલસૂરિએ આગ્રામાં ચાતુર્માસ ગાળવાનો નિર્ણય કર્યો, એ જ અરસામાં માણેકશાહ શેઠ પણ વ્યાપાર અર્થે ફરતા ફરતા અનાયાસે આગ્રામાં આવી ચડ્યા. અહીં તો એ વખતે જાણે કોઈ મોટો ઉત્સવ હોય એવી તૈયારીઓ ચાલી રહી હતી. તપાસ કરતાં જણાયું કે જે ગુરુદેવે એમને અવળે માર્ગેથી ઉતારીને ધર્મનો સાચો રાહ બતાવ્યો હતો, તે જ આચાર્યશ્રી હેમવિમલસૂરિના આગ્રાના ચાતુર્માસને લીધે જ આ તમામ પ્રવૃત્તિઓ યોજવામાં આવેલી હતી. આ સમાચાર સાંભળતાં જ માણેકશાહ શેઠનું અંતર હર્ષાવેશથી નાચી ઊઠ્યું. આજે કેટલાએ લાંબા સમય બાદ એ જ પરમપૂજય ગુરુદેવનાં દર્શન થશે એ આશાએ એમનું હૃદય પુલકિત બની ઊઠ્યું. જરા પણ સમય ન ગુમાવતાં તે જ વખતે માણેકશાહ ગુરુદેવના ચરણમાં Page #727 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 711 ઉપસ્થિત થયા. ગુરુદેવને વંદનાદિ કરીને માણેકશાહે યોગ્ય આસન લીધું. માણેકશાહના આજના એકાએક આગમનથી આચાર્યશ્રી પણ અતિ સંતુષ્ટ થયા. એમણે શ્રાવકના મૂળ બારવ્રત અધિકાર સંભળાવ્યો, અને માણેકશાહે બારવ્રત ઉચ્ચર્યા પછી ગુરુદેવના આદેશથી પોતાની સાથેની માલની તમામ પોઠોને બીજે જ દિવસે પાછી ઉજ્જયિની તરફ રવાના કરી દીધી. પોતે શ્રી સરુચરણમાં ચાતુર્માસ ગાળવાનો નિશ્ચય કરીને ત્યાં જ રોકાઈ રહ્યા. ગુરુદેવનાં દર્શન માત્રથી જ એમની વ્યાપારી અને વ્યવહારી વૃત્તિ, ત્યાગ અને વૈરાગ્યની વાડે વળી ચૂકી. માણેકશાહ શેઠે શ્રી સરુના સામીપ્યમાં દિનપ્રતિદિન સામાયિક બે વખત, પ્રતિક્રમણ, પોષહ વગેરે ધર્મકરણી ઉગ્ર અને એકાગ્રભાવે કરવા માંડી. વ્યાખ્યાનમાં વાંચવા ગુરુદેવે શરૂ કરેલું શ્રી સિદ્ધાચળ માહાભ્ય પણ એમણે પરમ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું. આ માહાભ્ય ભાવિક જીવને એકાવતારી કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરાવે એવી અનંત શક્તિ ધરાવનાર છે એ વાત માણેકશાહની રગેરગમાં ઊતરી ગઈ. સંસારનાં આધિ, વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપમાં તવાયેલા માણેકશાહ શેઠના પવિત્ર અંતરમાં શ્રી સરુની શીતળ છાયાથી અને શ્રી સિદ્ધાચળ જિનદેવભૂમિના માહાભ્યના અમૃતસિંચનથી શ્રી જિન આગમ-શ્રવણથી પ્રભુનાં દર્શનવંદનની અતિ ઉત્કંઠા જાગી ઊઠી. પૂર્વજન્મના અનેક પ્રબળ શુભ સંસ્કારોનો એકાએક ઉદય થવા માંડ્યો. માણેકશાહ શેઠે શ્રી ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થઈને પોતાની એ અભિલાષા અતિ વિનમ્ર ભાવે વ્યક્ત કરી. " પરમ પૂજ્ય ગુરુવર! મારે નજળનો ત્યાગ કરી પગપાળા ચાલી ટાઢ, તાપ આદિથી શરીરને જે કંઈ ઉપસર્ગ થાય તે તમામ સહન કરીને શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાનો અભિગ્રહ ધારણ કરવો છે. માટે મારો આ અભિગ્રહ નિર્વિને પાર પડે એવો આપ અનુગ્રહ કરીને મને આશીર્વાદ આપો." માણેકશાહના આ શબ્દો શ્રવણ કરીને આચાર્યદેવના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. માણેકશાહ શેઠનું ખીલતા કુસુમ સરખું કોમળ શરીર આવી અતિ કપરી કસોટીમાંથી પાર ઊતરી શકશે કે કેમ એ શંકાએ ગુરુદેવનું મન ચિંતાગ્રસ્ત બની ગયું. આવો જોખમી અભિગ્રહન કરવા એમણે માણેકશાહ શેઠને અનેક રીતે સમજાવવા માંડ્યું. આગ્રાથી છેક સિદ્ધગિરિ સુધીનું અત્યંત લાંબું અંતર, લાંબા સમયનો પ્રવાસ, માર્ગની વિકટતા, નદી, નાળાં તેમ જ ઝાડ, પહાડ અને જંગલોમાં પગપાળા ચાલતાં વાઘ, સિંહાદિ હિંસક પશુઓનો ભય, તેમ જ અન્નજળ ત્યાગના મહા ઉપસર્ગને લીધે શરીરમાં આવતી અનહદ શિથિલતામાંથી પ્રાણરક્ષા કરવાની અનિવાર્ય આપત્તિનું બહુ જ સૂચક ભાવથી સમર્થન કર્યું. પરંતુ ભાવિના કોઈ અકળ ભેદથી માણેકશાહ શેઠનું ધર્મપ્રેમી હૃદય અભિગ્રહ ધારણ કરવાના પોતાના નિશ્ચયમાં મેરુ સમાન મક્કમ રહ્યું. એમનો અડગ નિશ્ચય કોઈ પણ રીતે મિથ્યા નહિ થઈ શકે એવું જોવામાં આવતાં આચાર્યશ્રીએ એમને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. Page #728 -------------------------------------------------------------------------- ________________ 712, તપાગચ્છાધિષ્ઠાયક માણેકશાહ શેઠે બરાબર કાર્તિક માસની કૃષ્ણ પ્રતિપદાના દિને પ્રાતઃકાળમાં આગ્રાથી શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ આદર્યું. ખરેખર, ભાવિના ભેદ ઉકેલવા કોણ સમર્થ છે? મંત્રસાધના ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદી પરનું ગંધર્વી સ્મશાન દિવસના સમયમાં તો બીજા હરકોઈ સ્મશાન જેટલું જ ભયંકર હતું, પરંતુ રાત્રિના સમયે એ એટલું તો ભયંકર બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ ભીડે ! એ વખતે તો નદી, ભેખડો અને ઝાડનાં ઠૂંઠાં પણ જાણે ભૂતનો આકાર ધારણ કરી લેતાં. અને આજે તો કાળીચૌદશની કાળી રાત એટલે ગંધર્વી સ્મશાનની ઘોર ભયાનકતામાં પૂછવું જ શું! લોકમાન્યતા મુજબ પણ ગંધર્વી સ્મશાનની કાળી ચૌદશની રાત્રિ અન્ય રાત્રિઓ કરતાં અનેકગણી ગંભીર ગણાતી. મેલી વિદ્યા તેમ જ મંત્ર-સાધના સાધતા સાધકો અને હાડકાંઓને શોધતા કાપાલિકો સિવાય આજની રાત્રે અહીં ભાગ્યે જ કોઈ નજરે ચડતું. સમય બરાબર મધ્યરાત્રિનો હતો. આ વખતે ઓળા જેવી એક વ્યક્તિ આ ભયંકર સ્મશાનની અઘોર ભયાનકતા વચ્ચે કંઈક મંત્રસાધના સાધવામાં મશગૂલ હતી. એની ડોકે બોખી ખોપરીઓની એક બિહામણી માળા લટકતી હતી. એણે મેલી સાધના માટે ઉપયોગી થાય એવા કેટલાક અભક્ષ્ય અને અપેય પદાર્થો પોતાની ચારે બાજુએ ગોઠવી રાખેલા હતા. વારંવાર તેના મ્હોંમાંથી કંઈક મંત્રોચ્ચારના ઝીણા શબ્દો બહાર આવતા અને બહારની ભયાનક શૂન્યતામાં ભળી જતા. આવી કાળી અંધારી રાતે ઉજ્જયિનીના ગંધર્વ સ્મશાનમાં આ કોણ હશે એવો પ્રશ્ન કોઈને પણ ઉપસ્થિત થાય એમાં નવાઈ નહીં. એ માણસ પેલા લોકાગચ્છના જૈન યતિ પદ્મનાભસૂરિનો મોકલાવેલ એક કાપાલિક હતો. કાળા-ગોરા ભૈરવને વશ કરવા માટે તે કાળી ચૌદશની રાતે આ ગંધર્વી સ્મશાનમાં આવ્યો હતો. હરકોઈ મોટી સાધના માટે મહાન સાધકોને કાળી ચૌદશની રાતે દૂર દૂરથી છેક ગંધર્વ સ્મશાનમાં આવવું પડતું. આ કારણથી એ કાપાલિક પણ આજે અહીં પોતાની મેલી સાધના સાધી રહ્યો હતો. છેક સવાર પડતાં લગી જુદી જુદી ક્રિયાઓ કરતા રહીને એણે પોતાનો મેલો પ્રયોગ સિદ્ધ કરી લીધો. લોકાગચ્છના જૈન યતિ પદ્મનાભસૂરિ વાચકની જાણ બહાર નહિ હોય– જેણે એક વખત માણેકશાહ શેઠનું મન દેવદેરાસરનાં પૂજન-અર્ચનમાંથી ફેરવી નાખ્યું હતું તે જ એ પદ્મનાભસૂરિ. માણેકશાહ જેવા પ્રતિષ્ઠિત નગરશેઠને પોતાના મત તરફ ફેરવી નાખવા માટે તે મગરૂર હતો. એક માણેકશાહ બીજા હજારોને ફેરવી શકશે એવી આશા એ સેવી રહ્યો હતો. પરંતુ તપાગચ્છના સમર્થ જૈનાચાર્ય શ્રી હેમવિમલસૂરિજીની અભુત શક્તિએ તે તમામ આશાઓ પર એક જ ઝપાટે પાણી ફેરવી દીધું હતું. પોતાની સઘળી જહેમત આમ એકાએક ધૂળધાણી કરી નાખનાર આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી ઉપર તે ઝેરી નાગ જેવો ક્રોધાયમાન બની ગયો Page #729 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 713 હતો. કોઈ પણ રીતે આ વેરનો બદલો લેવા તે તલપી રહ્યો હતો. આ કારણથી કાળાગોરા ભૈરવને વશ કરવા માટે તેણે મેલી સાધનાના પ્રયોગ અજમાવવા માંડ્યા હતા અને કાળી ચૌદશની રાતે એ મેલી સાધનાના એક સાધકને ઉજ્જયિની નગરીના ગંધર્વી સ્મશાનમાં મોકલાવીને એણે પોતાના એ પ્રયોગને પરિપૂર્ણપણે સાધી લીધો હતો. પ્રયોગ સિદ્ધ થતાં હવે તેણે એ પ્રયોગ આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીના સાધુ–સમુદાય પર અજમાવવા માંડ્યો હતો. કાળાગોરા ભૈરવ મંત્રસાધના વડે વશ થઈ જવાથી હવે તેઓ તેની આજ્ઞા ઉઠાવવા ખડે પગે તૈયાર હતા. અને એની આજ્ઞાથી જ તેઓ દરરોજ આચાર્ય શ્રી હેમવિમલસૂરિના પરિવારના એક સાધુના શરીરમાં પ્રવેશ કરતા. સાધુના શરીરમાં પ્રેતયોનિનો પ્રવેશ થતાં જ તે આખો દિવસ ચારે તરફ ઘૂમવા મંડી જતા. આમ નિર્દય રીતે ઘુમાવી ઘુમાવીને કાળાગોરા ભૈરવ બીજે દિવસે આ નિર્દોષ સાધુના શરીરનો અંત આણતા. આમ દરરોજ અકેક સાધુનું અતિ કરુણ રીતે મૃત્યુ થવા લાગ્યું. આચાર્યશ્રી હેમવિમલસૂરિજીને માટે પોતાના સાધુ–પરિવારની આ યાતના એકદમ અસહ્ય થઈ પડી. એક રીતે વિચારતાં મૃત્યુ તો મોડુંવહેલું દરેક પ્રાણી પર નિર્માણ થએલું જ છે, પરંતુ દરરોજ એકેક સાધુનો આવી ભયાનક રીતે અંત આવતો એમનાથી જોઈ શકાતો ન હતો. સાધુઓના આ ભેદી અને ભયંકર મૃત્યુ માટે એક પણ ઇલાજ કે એક પણ દવા કારગત નીવડ્યા નહિ. મૃત્યુના આ ઘોડાપૂરને રોકવાનું સર્વથા અશક્ય થઈ પડ્યું, તેમ તેનો ભેદ પણ કોઈ જાણી શક્યું નહિ, આખરે આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીએ જ્ઞાન-નિમિત્તથી વિચાર કરીને આ ઉપદ્રવ ટાળવા માટે શાસનદેવીનું આરાધન કર્યું અને એ વખતે એમને પ્રત્યુત્તર મળ્યો કે, "તમે વિહાર કરતાં કરતાં જ્યારે ગુજરાત તરફ જશો, ત્યારે તમને એ ઉપદ્રવ ટાળનાર દેવનો પ્રત્યક્ષ પરચો થશે. " : આ પ્રત્યુત્તરથી આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીના મનનું ઘણે અંશે સમાધાન થયું; પરંતુ પોતાના પરિવારના દશ દશ સાધુઓનો જ્યાં નિર્દય રીતે વાત કરવામાં આવ્યો હતો, એવું આગ્રા શહેર હવે સૂરિજીને જાણે ખાવા ધાતું હોય એવું લાગવા માંડ્યું. આગ્રાની તમામ જનતા પણ આ ભયંકર ઘટનાથી અત્યંત ઉચાટમાં પડી ગઈ હતી. આચાર્યશ્રીના અંતર પર લાગેલી ચોટ જેટલી જ આગ્રાવાસીઓના હૃદય પર પણ લાગી હતી. આગ્રાના ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ પોતાના પરમપૂજ્ય ગુરુદેવની આવી દુઃખદ દશા જોઈને બાવરા બની ગયાં હતાં. શેરી, ચૌટે અને ગલીએ ગલીએ આ એક જ વાત ચર્ચાઈ રહી હતી. પરંતુ આ દુઃખદાયક દર્દનું ઔષધ ક્યાંય પણ અસ્તિત્વ ધરાવતું ન હતું. ' શાસનદેવીના નિર્દેશને ધ્યાનમાં લઈ બીજા જ દિવસે આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીએ પોતાના દસ દસ શિષ્યોના દુઃખદ અને દારુણ અવસાનનું દર્દ હૃદયમાં લઈને, અને અગિયારમાં શિષ્યને મરણપથારી પર મૂકીને ખિન્ન હૃદયે ગુજરાતને માર્ગે વિહાર શરૂ કર્યો. ૯૦. Page #730 -------------------------------------------------------------------------- ________________ 114 તપાગચ્છાધિષ્ઠાયક - આચાર્યશ્રી હેમવિમલસૂરિજીના વિહાર પૂર્વે શ્રેષ્ઠી માણેકશાહે પોતાની ભીષણ પ્રતિજ્ઞા સાથે શ્રી સિદ્ધગિરિ તરફ પ્રયાણ કર્યું હતું, જેની વાચકને જાણ હશ જે. આત્મબલિદાન સમસ્ત જગતને પોતાના પ્રચંડ તાપથી તપાવતા સવિતા દેવ આસ્તાચળે સિધાવવાની તૈયારીમાં હતા. સંધ્યાદેવી ભાસ્કર ભગવાનને વધાવવા માટે કુમકુમનો થાળ લઈને ધીમે પગલે ચાલી આવતી હતી. આ સમયે એક અવધૂત યોગી જેવો લાગતો મસ્ત માનવી ઘનઘોર જંગલની અંદર વાયુવેગે વિચરી રહ્યો હતો. નથી એને ભૂખનું ભાન કે નથી એને પ્યાસની પિછાન. ભૂખ અને તરસ જાણે એનાથી સદાને માટે દૂર થઈ ગયાં હતાં. આ ઘટાટોપ જંગલ અલ્પ સમયમાં જ રાત્રિના કાળા અંધકારથી વ્યાપ્ત બની જશે એ વાત એના લક્ષમાં ઊતરી હોય એમ લાગતું ન હતું. વિકરાળ વાઘ, વરુ વગેરે હિંસક પ્રાણીઓ એના દુર્બળ બનેલા દેહને પલવારમાં જ ફાડી ખાશે એવો એને સ્વપ્ન પણ ભાસ ન હતો. એને એનું પોતાનું ભાન હતું કે કેમ એ વસ્તુનો નિર્ણય કરવાનું કામ પણ મુશ્કેલ હતું. આત્મધ્યાનમાં જ ધ્યાનમસ્ત બનેલો આ ધૂની જેવો જણાતો માનવી એકસરખી ગતિએ જંગલનો માર્ગ કાપી રહ્યો હતો. એનું લક્ષ્યબિન્દુ શું છે તે કોઈ પણ માણસની કલ્પનામાં ઊતરી શકે એવો વિષય ન હતો. વાચક! આ વનવિહારી વ્યક્તિને હવે કદાચ ઓળખી શક્યા હશો. એ અન્ય કોઈ નહિ, પરંતુ ઉજ્જયિની નગરીનો નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી પોતે જ હતો. શ્રી સિદ્ધાચળનાં દર્શન થતાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની એની ભીષણ પ્રતિજ્ઞાએ એના આત્માની અંદર અજબ શ્રદ્ધાનું સિંચન કર્યું હતું. અને એ અખૂટ શ્રદ્ધા જ એને છેક આગ્રાથી અહીં અને પાલણપુર પ્રદેશના મગરવાડા ગામનાં ગાઢ જંગલો સુધી ખેંચી લાવી હતી. શ્રી સિદ્ધગિરિના અવિરત રટણ વચ્ચે તેઓ આ અઘોર જંગલના માર્ગને તીરના વેગે વધી રહ્યા હતા. પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોણ જાણી શક્યું છે ! ભાવિના ભેદ કોણ ઉકેલે ! જગતમાં મહાપુરુષોનું જીવન પરિવર્તન અચાનક અને અદ્ભુત રીતે થાય છે. કુદરત જે વ્યક્તિનો જીવનપલટો કરવા ધારે છે, તેને જાણે હાથ પકડીને જ નવે રસ્તે ચઢાવી દે છે. ઇતિહાસના પટ પર આવાં અનેક ઉદાહરણો મોજૂદ છે. ઉજ્જયિની નગરીના માણેકશાહ શ્રેષ્ઠીનું જીવન પરિવર્તન પણ આવા જ કોઈ અનેરા સંજોગોને આભારી હતું. કારણ કે, કયાં ઉજ્જન કયાં આગરા, કયાં સિદ્ધગિરિવર સ્થાન ! કયાં માનવ માણેકશાહ, કયાં માણિભદ્ર મહાન ! Page #731 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 715 મહાપુરુષોના જીવનપલટા સમયે કુદરત વેરાઈ ગએલા મણકાને એકઠા કરીને તેની માળા કોઈ અકળ કળા વડે પોતાના હાથ પરોવી દે છે. માણેકશાહ શેઠનું જીવનપરિવર્તન પણ આવા અનેરા સંજોગોના અણધાર્યા એક્યથી થવા પામ્યું હતું. એક શ્રી સિદ્ધગિરિના આત્મધ્યાન સિવાય એમને બાહ્ય જગતનું બિલકુલ ભાન ન હતું. રાતદિવસ સિદ્ધાચળ-સ્મરણ એમના અંતરપટ પર રમી રહ્યું હતું. એમના હૃદયના પ્રત્યેક ધબકારમાં સિદ્ધગિરિ શબ્દ ધડકી રહ્યો હતો. એમની રક્તવાહિનીઓમાંનું રક્ત સિદ્ધગિરિ—સ્મરણે વહી રહ્યું હતું. એમનાં અંગેઅંગ, અણુએ અણુ અને રોમેરોમ શ્રી સિદ્ધગિરિના મહામંત્રનો અખંડ ઉચ્ચાર ઉચ્ચારી રહ્યાં હતાં. જે મહાપુરુષનાં જ્ઞાન અને બુદ્ધિ આવી ઉચ્ચતમ ભૂમિકામાં વિચરી રહ્યાં હોય, તે દેહ જેવી એક તુચ્છ વસ્તુની દરકાર પણ કેમ કરે ! દેહ તો એમને મન એક પરપોટો જ હોય. એ રહે તોય શું અને જાય તોય શું! જે જંગલમાં આજે માણેકશાહ શેઠ એક રણશૂરા રણવીરની માફક આગળ ધપી રહ્યા હતા, એ જંગલ ચોર, ડાકુ અને લૂંટારાઓનું મુખ્ય ધામ હતું. આ લોકોનું એક મંડળ આજ સવારથી જ કોઈ શિકારની શોધમાં આ જંગલમાં ભટકી રહ્યું હતું પરંતુ કમનસીબે આજે આખા દિવસમાં કોઈ માલદાર શિકાર એમના હાથમાં ઝડપાયો ન હતો. આથી આજે તેઓ નિરાશ બની ગયા હતા. સાંજ પડતાં હવે એ બધા અહીંથી ઊપડી જવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં જંગલ અને ઝાડીમાંથી પવનવેગી ગતિએ પુરપાટ ચાલ્યા આવતા માણેકશાહ શેઠ પર એમની દૃષ્ટિ પડી. " કર્મ છુપે ન ભભૂત લગાયો." એ સૂત્રાનુસાર માણેકશાહ શેઠના વ્યક્તિત્વની તેજસ્વિતા આજની અવ્યવસ્થિત સ્થિતિમાં પણ એમના ચહેરા પર ચમકી રહી હતી. કમળપુષ્પ સમાન એમની સુકોમળ મુખમુદ્રા મહાન શ્રીમંતોને પણ દુર્લભ હતી. એમના અંગેઅંગમાં ખાનદાનીનું ઓજસ ઊભરાઈ રહ્યું હતું. આવા શ્રીમંત જણાતા શાહ પુરુષને આ અઘોર જંગલમાં એકલો આવી ચડેલો જોઈને, ચોરમંડળની નિરાશામાં આશાનો સંચાર થયો. ઝડપી ગતિએ ઝપાટાબંધ પસાર થઈ જતા આ મહાપુરુષને તેમણે તરત જ ઊભા રહેવાને પડકાર કર્યો, પરંતુ અહીં માણેકશાહ શેઠ ક્યાં હતો, જે એમના પડકારની પરવા કરે ! આ તો એક મહા અવધૂત યોગીરાજ પોતાના આત્મધ્યાનમાં જ મસ્ત હતો. એના બહારના કાન બંધ થઈ ગયા હતા. ચોરોના પડકારને શ્રવણ કરી શકે એવી એમની સ્થિતિ રહી ન હતી. ચોરોનો પડકાર એ બહેરા કાનો પર અથડાઈ પાછો ફર્યો. એમની ગતિ જેમની તેમ એકસરખા વેગથી ચાલુ હતી. માણેકશાહ શેઠની આવી વિલક્ષણતા જોઈને ચોરોના અંતરમાં શંકાનો ઉદ્દભવ થયો. આવો શ્રીમંત જણાતો માણસ આટલો ગમાર હોઈ શકે ખરો? ચોરો વિચારમાં પડ્યા. એમના પડકારની દરકાર ન કરે એવી એક પણ વ્યક્તિ આજ લગી એમની નજરે ચડી ન હતી. એમણે વિચાર્યું કે આ શ્રીમંત માણસ લૂંટારાના ભયથી જ દીવાનાપણાનો પાઠ ભજવી રહ્યો છે. માણેકશાહની મસ્ત દશાને એક ઢોંગ માની લઈને આ લોકો એકદમ ક્રોધાયમાન બની Page #732 -------------------------------------------------------------------------- ________________ 716 તપાગચ્છાધિષ્ઠાયક ગયા. આખા દિવસની શિકારની તલપ હવે ક્રોધની પરાકાષ્ટાએ આવી પહોંચી. એણે પોતાનાં તમામ હથિયારો સાથે માણેકશાહ પર એકસામટો ધસારો કર્યો. આ મહાપુરુષના મહાન આત્માએ એના દેહ સાથેનો સંબંધ તો કયારનોએ તજી દીધો હતો; પરંતુ સ્થૂલ દષ્ટિએ દેખાતો સંબંધ પણ આ દયાહીન ડાકુઓએ અનેક ભયંકર જખોથી દૂર કરી દીધો. ક્રોધાવેશમાં એમણે માણેકશાહ શેઠના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. ઉજ્જયિનીના નગરશેઠનો અમર આત્મા એમના દેહરૂપી ઘટને ભેદીને અનંતજ્યોતિમાં એકાકાર થઈ ગયો. અંત સમય સુધી એમના હૃદયમંદિરમાં શ્રી સિદ્ધગિરિના રટણનો ધ્વનિ અખંડ અને અભંગ રહ્યો. ધર્મધ્યાનમાં તરબોળ બની રહેલા આત્માની અંદર વૈર, વિરોધ, શોક, દુઃખ કે ભયને સ્થાન હોતું નથી. એ તો ઈષ્ટસિદ્ધિના પોતાના લક્ષ્યબિન્દુમાં જ લીન હોય છે, તતૂપ હોય છે. માણેકશાહ શેઠની વિહ્વળ ઉન્માદદશા પણ આવી જ તદ્રુપતાના પ્રતીક રૂપ હતી. શ્રી જિનશાસન ધર્મધર જીવ વીરગતિમાં વિરામ્યો. દેહ ઢળી પડ્યો અને આત્મા પરમાત્માની પરમ વિભૂતિરૂપ દેવકોટિમાં પ્રવેશ પામ્યો. મહામૂલી માલવભૂમિ ઉજ્જયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીનો પવિત્ર આત્મા આ અદ્ભુત આત્મબલિદાનથી ભુવનપતિ દેવોમાં વ્યંતર માણિભદ્રના નામે મશહૂર થયો. વિર માણિભદ્ર આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ અનેક શહેરો, નગરો અને ગામોમાં વિચરતા અને ભાવિક જીવોને પ્રબોધતા, કેટલાક દિવસોના અવિરત વિહાર બાદ ગુજરાતની ધરા પર જે ઠેકાણે માણેકશાહ શેઠનો દેહાંત થયો હતો, તે પાલનપુર નજદીકના પ્રદેશમાં આવી પહોંચ્યા. આ સ્થળે એમને એકાએક એવી આત્મફુરણા થઈ કે શાસનદેવીના સૂચન અનુસાર આ સ્થાનમાં અવશ્ય કંઈક દિવ્ય દર્શનની પ્રાપ્તિ થવી જોઈએ. આ આત્મપ્રેરણા મુજબ એમણે આગળ વધવાનું છોડી દીધું અને એ જ સ્થળે અઠ્ઠમનો તપ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં બેસી રહ્યા. આચાર્યશ્રીના આ તપના પ્રભાવે વ્યંતર ઈદ્ર માણિભદ્રનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી એમને જાણવામાં આવ્યું, કે એમને ભવસમુદ્રથી તારનાર મહાન ઉપકારી આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી અહીં કાઉસગ્ગ ધ્યાનમાં બિરાજેલા છે. આચાર્યશ્રીને વંદના કરવા અર્થે વીર માણિભદ્ર બાવન વીર અને ચોસઠ જોગણીની પોતાની દેવસેના સહિત આવીને ઘેરા ગંભીર ધ્વનિથી અંતરિક્ષમાંથી પોતાના આગમનનું સૂચન કર્યું. " જ્ઞાનોપકારી પરમપૂજ્ય ગુરુદેવશ્રીને હું સપ્રેમ વંદના કરું છું." " ધર્મલાભો ભવ. " આચાર્યના મુખમાંથી અનાયાસે આ શબ્દો બહાર નીકળી ગયા. પરંતુ આસપાસ નજર કરતાં કોઈ પણ વ્યક્તિ દષ્ટિગોચર ન થવાથી તે આશ્ચર્ય પામ્યા. " આ શું?" અંતરિક્ષમાંથી વંદન કરનારને ઉદ્દેશીને ગુરુપ્રવરશ્રીએ કહ્યું, "હે ધર્મપ્રિય Page #733 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 717 ધીર વીર ! સત્ય સ્વરૂપે પ્રકટ થાઓ." " ગુરુ મહારાજ ! આપે મને ન ઓળખ્યો? " માણિભદ્ર વીરે દેવસ્વરૂપે પ્રગટ થઈ, સન્મુખ આવીને વંદન કર્યું. " ઓળખું છું જગતના વંદનીય દેવોને કોણ ન ઓળખે? આપ તો દેવકોટિના દેવ જ છો ને? " ગુરુદેવે પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરતાં કહ્યું. " આપ મને દેવસ્વરૂપમાં જોઈને એમ જ કહો એમાં નવાઈ નહિ. પરંતુ આપણી ઓળખાણ કંઈ એટલેથી જ અટકતી નથી." માણિભદ્ર દેવે જણાવ્યું. "તો તેથી વિશેષ શી રીતે જાણી શકું? હું તો એક મનુષ્ય કોટિનો જીવ છું." આચાર્યશ્રીએ પોતાની યથાસ્થિત સ્થિતિ વ્યક્ત કરતાં કહ્યું. " આપ અનુષ્ય કોટિના હોવા છતાં અનેક જીવોને દેવ કોટિમાં મૂકી શકવાનું સમર્થ્ય ધરાવનાર એક મહાન આત્મા છો." દેવે આચાર્યશ્રીના અજબ સામર્થ્યની સ્તુતિ કરતાં કહ્યું. " હું તો અધિકારી જીવોને ધર્મબોધ આપીને સત્ય માર્ગ બતાવનાર નિમિત્ત માત્ર છું. ગુરુએ પોતાની માનવસહજ અશક્તિ વ્યક્ત કરતાં કહ્યું. " ખરેખર, આપ તો ધર્મના મહાન સંરક્ષક છો. ભૂલેલા જીવોને સત્ય માર્ગ બતાવીને તેમના ધર્મની રક્ષા કરો છો. " માણિભદ્રએ ગુરુમહારાજની પુનઃ પ્રશંસા કરતાં કહ્યું. " સાધુવેશ એ લોકકલ્યાણ સાધવામાં અને ધર્મની રક્ષામાં જ સાર્થક થાય છે. " આચાર્યશ્રીએ સાધુત્વની સાર્થકતા શામાં છે તે જણાવતાં ઉચ્ચાર્યું. " ધન્ય છે ! આપની નમ્રતા, નિઃસ્પૃહતા અને સત્યતાને! " દેવે ગુરુદેવ પર ધન્યવાદ વરસાવ્યા. " હવે આપ કૃપા કરીને કહેશો કે દેવકોટિમાં આપનું સ્થાન કયા દેવ સ્વરૂપે છે?" ગુરુએ પ્રશ્ન કર્યો. " અત્યારે મને જે સ્થાન પ્રાપ્ત થયું છે તે આપ મહોદયનું જ અપાવેલું છે. " " મારું અપાવેલું? આપ શું કહો છો? " ગુરુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. " હું ઉજ્જયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીનો જીવ આજે વ્યંતર ઈંદ્ર વીર માણિભદ્રના નામે ઓળખાઉં છું." " માણેકશાહનો જીવ! " ગુરુના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. " હા, ગુરુદેવ એ જ ! આગ્રામાં ચાતુર્માસ કરવા આપના શરણમાં રહેલો, અને ત્યાં શ્રી સિદ્ધાચળ માહાભ્યનું શ્રવણ કરાવીને આપે જેનો ઉદ્ધાર કર્યો તે જ આ માણેકશાહ. " માણિભદ્રવીરે પોતાની પૂર્વકાળની પિછાન આપતાં જણાવ્યું. " ત્યારે શું માણેકશાહનો....." ગુરુનું વાક્ય અધૂરું રહ્યું. "હા, દેહાંત થયો." અધૂરું વાક્ય માણિભદ્ર દેવે સંપૂર્ણ કરતાં કહ્યું. " ઓહ ! કેવી રીતે દેહાંત થયો તે કહેશો?" ગુરુએ ઊંડી ઉદ્વિગ્નતાથી પ્રશ્ન કર્યો. Page #734 -------------------------------------------------------------------------- ________________ 718 તપાગચ્છાધિષ્ઠાયક "પગપાળા પ્રવાસ કરીને શ્રી સિદ્ધાચળનાં દર્શન-વંદન કરવાનો આપની પાસે અભિગ્રહ ધારણ કરીને આ સ્થળે આવતાં ચોર-લૂંટારાઓએ દ્રવ્યની લાલસાએ મારો અર્થાત્ માણેકશાહ શેઠના શરીરનો ઘાત કર્યો. "– દેવે માણેકશાહ શેઠના દેહાંતનું કારણ રજૂ કરતાં કહ્યું. "શ્રી જિનશાસન દેવની એવી જ ઇચ્છા હશે?" ગુદેરુવ ઉદાસીનતાથી ગદ્ગદ કંઠ થઈ ગયા. "હા, દેવની એ ઇચ્છાના પ્રતિફળ રૂપે જ મને આજે દેવસ્વરૂપે જોઈ શકો છો. હવે આજ્ઞા કરો કે હું આપ ગુરુદેવની શી સેવા કરી શકું?" દેવે ઉભય હસ્ત જોડી ઉચ્ચાર કર્યો. આ વખતે આચાર્યશ્રીએ પોતા પર વીતેલી તમામ હકીકત રજૂ કરતાં જણાવ્યું કે, " આગ્રામાં કોઈ અકળ અને અતિ ગૂઢ કારણને લઈને મારાદશશિષ્યો ન સમજાય એવી દીવાનાની દશામાં ઘણા જ રિબાઈને મરણને શરણ થયા છે, અને અગિયારમો શિષ્ય પણ હાલતનો ભોગ બની કટોકટીભરી સ્થિતિમાં પડેલો છે. આ અતિ ગંભીર ઘટનાના ભેદના ઉકેલ માટે જ શ્રી શાસનદેવીની સૂચના અનુસાર અમો અત્રે આવેલા છીએ. અને અમોને હવે તો પરિપૂર્ણ પ્રતીતિ થઈ છે કે એ દુઃખદ દશાનું નિવારણ આપ જ કરી શકશો." આચાર્યશ્રીની આ વાણી સાંભળીને વીર માણિભદ્ર પણ સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર તેઓ મૌન રહ્યા. અવધિજ્ઞાન વડે જોતાં એમને તરત જ પ્રત્યક્ષ થયું, કે આ ઉપદ્રવ લોકાગચ્છના આચાર્યે સાધેલા કાળાગોરા ભૈરવનો જ છે. માણિભદ્રએ ગુરુદેવને આશ્વાસન આપ્યું અને પોતાની સેનાના બાવન વીરોમાંના એક વીરને કાળાગોરા ભૈરવને હાજર કરવા આજ્ઞા કરી. વીર તરત જ વિદાય થયો અને અલ્પ સમયની અંદર કાળાગોરા ભૈરવને શ્રી માણિભદ્ર પાસે લાવીને હાજર કર્યા. ભૈરવ હાથ જોડીને આજ્ઞાની રાહ જોતા માણિભદ્ર દેવ સમક્ષ ઊભા રહ્યા. " ભૈરવદેવ! પોતાના ધર્મધ્યાનમાં જ પ્રવૃત્ત એવા સંત પુરુષોને ઉપદ્રવ કરીને તમે મહા અનિષ્ટ કર્યું છે. આવા અધમ કર્મના ઉપાર્જનથી તમારું કોઈ કાળે કલ્યાણ થવાનું નથી. માટે તરત જ જૈન સાધુઓને સતાવવાનો તમારો ઉપદ્રવદૂર કરો."માણિભદ્ર વીરે કાળાગોરાએ ભૈરવને એમનો ઉપદ્રવ દૂર કરવા આજ્ઞા કરી. " પ્રભુ ! આપની આજ્ઞા અમોને સર્વદા શિરસાવંદ્ય જ હોય; પરંતુ આમાં તો અમે મંત્રબળ વડે બંધાએલા છીએ. એટલે અમારી ઇચ્છા હોવા છતાં પણ એ બંધનમાંથી છૂટી શકવાને અસમર્થ છીએ." કાળાગોરા ભૈરવે દેવની આજ્ઞાનો અમલ કરવાની પોતાની અશક્તિનું કારણ રજૂ કરતાં કહ્યું. " તમે સીધી રીતે નહિ માનો તો સખત હાથે કામ લેવું પડશે." દેવે જરા ઉગ્ર અવાજે ઉચ્ચાર કર્યો. " મહારાજ ! આપ અમારા સ્વામી છો , પરંતુ અમે પરાધીન છીએ. આપ જો બળજબરીથી આપની આજ્ઞાનું પાલન કરાવવા ઇચ્છતા હશો, તો આપની સામે પણ અમોને Page #735 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 719 યુદ્ધમાં ઊતરવાની ફરજ પડશે." કાળાગોરા ભૈરવે પોતાના નિશ્ચયની અગતા દઢતાપૂર્વક જણાવી દીધી. માણિભદ્ર દવે હવે વિચાર્યું કે આ લોકો શાન્તિપૂર્વકની સમજાવટને કદી પણ વશ થાય એમ નથી. એમના અતિ ઉગ્ર તામસી સ્વભાવને પહોંચી વળવા માટે દેવ માણિભદ્ર પોતાના દેવત્વને આધારે વૈક્રિયલબ્ધિ ફોરવી, સોળ ભુજાઓને ધારણ કરી કાળાગોરા સાથે યુદ્ધ કરી તેમને નમાવ્યા, અને આચાર્યશ્રી હેમવિમલસૂરિજી પરિવાર પરનો એમનો ઉપદ્રવ સદાને માટે દૂર કર્યો અને અગિયારમા સાધુ મૃત્યુમુખમાંથી ઊગરી ગયા. આ રીતે ઉજ્જયિની નગરીના એક વખતના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પોતાના અપૂર્વ ધર્મપ્રેમ અને અદ્ભુત આત્મબલિદાનને લીધે દેવ કોટિનું અતિ દુર્લભ સ્થાન પ્રાપ્ત કરીને પોતાનું યશસ્વી નામ સદાને માટે અમર કર્યું. હજારો ધન્યવાદ હો ! એ ધર્માત્માના પરમ પવિત્ર આત્માને ! imli TUDIIIIII, ( દાર Page #736 -------------------------------------------------------------------------- ________________ 720 તપાગચ્છાધિષ્ઠાયક 'વિવિધ મુદ્રાઓમાં માણિભદ્રજીનું સ્વરૂપદર્શન - પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજ દેવદેવીઓની મૂર્તિઓના દર્શનમાં તેઓની વિરાટ-અચિંત્ય શક્તિઓની આપણને હંમેશાં અનુભૂતિની પ્રતીતિ થાય છે. જ્ઞાનપ્રાપ્તિ ઉપરાંત પરમ શાંતિ પણ અનુભવાય છે અને સાધકની સૌમ્યતામાં વૃદ્ધિ કરે છે. પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજશ્રીએ અત્રે શ્રી માણિભદ્રજીની વિવિધ મુદ્રાઓની સુંદર સમીક્ષા કરી છે. ઘણી આકૃતિઓ સૌમ્ય અને ચિત્તાકર્ષક નજરે પડે છે. ભારતનાં વિવિધ તપાગચ્છીય સ્થાનોમાં છેલ્લા દોઢ–બે દાયકામાં જે મૂર્તિઓ પ્રતિષ્ઠિત થયેલી છે એ મોટે ભાગે અર્વાચીન જણાય છે; જ્યારે ઘણી મૂર્તિઓ સો-દોઢસો વર્ષ પહેલાની પ્રાચીન નજરે પડે છે. મહારાષ્ટ્રમાં માણિભદ્રજીની મૂર્તિઓથી કોઈક જ મંદિર કે ઉપાશ્રય વંચિત હશે. માનભદ્ર કે માણિભદ્રને નામે ખ્યાતિ ધરાવનાર આ યક્ષરાજની મૂર્તિઓ ઘણી જગ્યાએ કયાંક મૂળમાં જાડી અને ઊંચી, કયાંક પાતળી પડતી શિખા જેવા કદની, કયાંક રક્ત યા સિંદૂરીઆ રંગની આકૃતિ જોઈ, કયાંક ઝાડની ડાળી માફક વૃદ્ધિ પામતી ને મૂળ ગોખલા કે સ્થાનકમાંથી બહાર નીકળી ઠીક વિસ્તાર પામેલી આકૃતિઓ પણ જોઈ, કયાંક મૂર્તિઓ ઉપર વરખ ચોડેલા અને સમીપમાં જ દીપક પ્રજ્વલતો હોય તેમ પણ જોયું. અત્રે દર્શાવેલ સ્વરૂપોમાં કયાંક ગજરાજ ઉપર બેઠેલા કે કયાંક ઊભેલા જણાય છે. કયાંક આરસશિલ્પમાં, કયાંક પંચધાતુમાં કે કયાંક કાષ્ઠ કે પથ્થરમાંથી બનાવેલ નજરે પડે છે. આ બધી પ્રસન્ન મુદ્રાઓના દિવ્ય દર્શન સાધકને ધ્યાન માટે પણ અનિવાર્ય બને છે. મૂર્તિઓના હાથ પગ આદિના આકાર પ્રકાર તથા હાથમાં દર્શાવેલ ભિન્ન ભિન્ન વસ્તુઓ અને પ્રતીકો પણ હેતુલક્ષી સમજવાના. બંગાળમાં પણ કયાંક કયાંક ભિન્નતા જોવામાં આવે છે. સ્વરૂપદર્શનનો આ વિભાગ સંસ્કૃતિના મહિમાનું મંગું ગીત અને શાંતિનું સંગીત સમજવું. – સંપાદક ओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्टाणं परिवडियंपि हु जायइ पुणोवि तस्भावqड्किरं ॥ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં " જિનમુદ્રા – પ્રણિધાન મુદ્રા – યોગમુદ્રા, ડાબો પગ ઊંચો Page #737 -------------------------------------------------------------------------- ________________ ૯૧, યક્ષરાજશ્રી માણિભદ્રદેવ કરવો" વગેરે ભિન્નભિન્ન મુદ્રાઓની આવશ્યકતા શું છે ? અનુષ્ઠાન કરવું જ છે તો એક આસને એક મુદ્રામાં પણ થઈ શકે ! આ વેધક પ્રશ્નનો જવાબ સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મ. પંચાશક નામના ગ્રંથમાં ઉક્ત શ્લોકથી આપે છે કે આપણા દ્વારા અનુષ્ઠાનોની આરાધના ક્ષાયોપશમિક ભાવે જ થવાની અને આ ભાવમાં દઢ યત્નપૂર્વક કરેલા એવા પણ અનુષ્ઠાનમાં અધ્યવસાયના પતનની પૂરેપૂરી શકયતા છે. કારણ, ક્ષાયોપમિક ભાવમાં અધ્યવસાયોની ઊથલપાથલ રહેવાની જ, શુભ ભાવોની વર્ધમાનતા કે સ્થિરતા શકયતા ઘણી ઓછી છે. તે તો ક્ષાયિક ભાવનું કાર્ય છે. ક્ષાવિકભાવમાં એકાગ્રતા જોરદાર, સ્થિરતા અપ્રતિમ, ભાવવૃદ્ધિ કમાલની હોય છે. તેથી ક્ષાયોપમિક ભાવે કરાએલા અનુષ્ઠાનમાં કર્મયોગે કદાચિત પતન થાય તો પુનઃ તે ભાવોને વૃદ્ધિગત કરવાનું કાર્ય કરે છે મુદ્રાઓ. મુદ્રાની એ તાકાત છે કે સુષુપ્ત ભાવોને સજીવન કરે છે અને જાગૃત ભાવોને વૃદ્વિગત કરે છે. વળી દિવ્ય તત્ત્વ સાથે ઓછા સમયમાં સીધું અનુસંધાન કે લય સાધવા માટે મુદ્રાઓ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 721 આજનું વિજ્ઞાન પણ શરીરના ભિન્નભિન્ન અવયવોમાં ભિન્ન ભિન્ન પ્રકારનો ઊર્જાસ્રોત સિદ્ધ કરે છે. માટે જ પૂજા ' અનામિકા'થી થાય. વંદિત્તામાં જમણો પગ ઊંચો કરવાનો, ચૈત્યવંદનમાં ડાબો, જયવીયરાય સૂત્રમાં ' સેવણા આભવમ ખંડા' સુધી હાથ ઊંચા રાખવા પછી નીચા, ગુરુના જમણા અંગૂઠે ચરણનો સ્પર્શ કરવો, વાંદણામાં ઊભડક પગે બેસવું. આ બધા મુદ્રાવિધાન પાછળ ઘણાં ઘણાં ગર્ભિત રહસ્યો સાથે SCIENTIFIC REASONS સમાએલાં છે. ટૂંકમાં તેના મુખ્ય ફાયદાઓ છે, • તનની સ્થિરતા • મનની એકાગ્રતા • ધ્યેય તત્ત્વનું શીઘ્ર અનુસંધાન • અધ્યવસાયની શુદ્ધિ અને વૃદ્ધિ • શરીરની સ્વસ્થતા. ધ્યેયસિદ્ધિના અનુષ્ઠાનમાં વિવિધ મુદ્રાભેદના જેમ વિશિષ્ટ ફાયદાઓ છે તેમ જ ધ્યેયતત્ત્વ સ્વરૂપથી સમાન હોવા છતાં નામભેદથી – સ્થાપનાભેદથી- ક્ષેત્રભેદથી-દ્રવ્યભેદથીમુદ્રાભેદથી– ઉપાસ્ય તત્ત્વનિમિત્તક પેદા થતાં ભાવોમાં પણ વૈવિધ્ય સ્પષ્ટ અનુભવાય છે. નામભેદ : અતીત કે અનાગત ચોવીશીના તીર્થંકર કરતાં આ ચોવીશીના તીર્થંકરોના નામસ્મરણમાં અને તેમાં પણ આદિનાથ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ કે મહાવીરસ્વામીના નામસ્મરણમાં ભાવોલ્લાસ વિશેષ ઉછાળા મારે છે. સ્થાપનાભેદ : નાની પ્રતિમા કરતાં મોટીમાં, અર્વાચીન કરતાં પ્રાચીનમાં ભાવ સહજ વધે છે. ક્ષેત્રભેદ : નાના જિનાલય કરતાં મોટા ભવ્ય જિનાલયના દર્શને, સ્વસ્થાનગત મંદિર કરતાં તીર્થસ્થાનોમાં હૈયું વિશેષ હિલોળે ચઢે છે. દ્રવ્યભેદ : ધાતુના પ્રતિમા કરતાં પાષાણમાં, પાષાણ કરતાં રત્નની પ્રતિમાના દર્શનમાં Page #738 -------------------------------------------------------------------------- ________________ 722 તપાગચ્છાધિષ્ઠાયક આનંદ વિશેષ થાય છે. મુદ્રાભેદ : કાયોત્સર્ગ મુદ્રા – પદ્માસન મુદ્રા, અર્ધપવાસનમુદ્રા વગેરે મુદ્રાવૈવિધ્ય ભાવોલ્લાસનું કારણ નિશ્ચિત બને જ છે. રસને ટકાવવા ભોજનમાં વિવિધતા જરૂરી છે. આનંદને ટકાવવા પ્રસંગનું વૈવિધ્ય આવશ્યક છે. આંખના પ્રમોદ માટે દર્શનની ભિન્નતા અનિવાર્ય છે. જીવનની મોજ માણવા માટે ભાતભાતના સંયોગો જરૂરી છે તેમ અધ્યાત્મિક સામ્રાજ્યમાં આનંદધનની છોળો ઉછાળવા માટે મુદ્રાનું વૈવિધ્ય જરૂરી છે. આ મુદ્રાભેદ ક્યારેક સકારણ હોય છે, ક્યારેક કાળકૃત હોય છે તો ક્યારેક કલ્પનામૃત.... શાસનરક્ષક તપગચ્છના અધિષ્ઠાયક દેવ માણિભદ્રવીર આજથી ૫૦૦ વર્ષ પૂર્વે પંદરમી સદીમાં થઈ ગયા. અવંતીનગરીના એ સુશ્રાવક શ્રેષ્ઠિવર્ય માણેકશા ગુરુ આનંદવિમલસૂરિના પ્રભાવે અંત સમયે શત્રુંજય તીર્થાધિરાજનું ધ્યાન કરતાં કરતાં સંકટ સમયે પણ અદ્ભુત સમાધિમૃત્યુ પામી તપાગચ્છના અધિષ્ઠાતા બન્યા. કોઈ પણ મોટું કામ સરળ નથી હોતું, તેની પાછળ સૂક્ષ્મ સાધનાનું પ્રચંડ બૅકિંગ હોય જ છે. મરણાંત કષ્ટ સમયે અખંડ સમાધિ જાળવી રાખવા લોખંડનાં હાડકાંને પોલાદી ફેફસાં જોઈએ જે માણેકશા પાસે હતાં. તેથી જ સમસ્ત તપાગચ્છના સન્માનનીય અધિષ્ઠાયકના સત્તાસ્થાને તેઓ બિરાજમાન થઈ શક્યા. અધિષ્ઠાયક તો થયા પણ વાયદા આપીને વીસરી જનાર નહીં, તપાગચ્છની રક્ષાનો CALL આપી ઊંઘી જનાર નહીં, આચાર્યોને સહાય કરવાનું વચન આપી વિલાસમાં ડૂબી જનાર નહીં.. સદા જાગૃત... સદા ઉધત. સદા સજાગ... ( નિઃસ્વાર્થ ભાવે શાસનની સેવા કરતા સૂરિઓને અચૂક SUPPORT કરનાર, નિસ્પૃહભાવે તપ-ત્યાગાદિ સાધનામગ્ન સાધકોને સૂક્ષ્મ બળ કરનાર, સંઘ-શાસનના પ્રત્યેનીકોનો પૂરી તાકાત લગાડી સામનો કરનાર..... પરમાત્માના ભક્તને, તપાગચ્છના ઉપાસક અને અણધારી સહાય કરનાર..... ૫૦૦ વર્ષ પૂર્વ તેમની જીવનલીલા સમેટાઈ ગઈ. જિનશાસનના એક ઉપાસક સમસ્ત સંઘ • માટે ઉપાણ બની ગયા. શાસનપ્રભાવક સૂરિઓ માટે પણ ધ્યેયસ્વરૂપ બની ગયા. સાકાર સ્વરૂપી તેમની ભાવોપાસનાના અવલંબનાર્થે ૫૦૦ વર્ષમાં માણિભદ્રજીની ભિન્નભિન્ન મુદ્રાઓ અસ્તિત્વમાં આવી ભારતવર્ષમાં પ્રાપ્ત પ્રાચીન અર્વાચીન મુદ્રાઓના સૂક્ષ્માવલોકન બાદ ખ્યાલ આવે છે કે વીરનું આ મુદ્રાવૈવિધ્ય કેટલુંક સકારણ, કેટલુંક કાળકૃત અને કેટલુંક કલ્પનાકૃત છે. ઉપલબ્ધ થતા ગ્રંથાનુસાર સામાન્યથી માણિભદ્રજીની બાહ્ય આકૃતિ, વાહન, શસ્ત્રો વગેરે આ પ્રમાણે છે : Page #739 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ સાત સૂંઢવાળો ઐરાવત હાથી વાહન તરીકે છે, જેમાં ઉપરની સૂંઢમાં અભિષેક કરતો કળશ છે અને અન્ય છ સૂંઢમાં રક્તવર્ણનાં પુંડરીક કમળોની હારમાળા છે. વરાહનું મુખ છે. તેના અગ્રભાગ ઉપર શત્રુંજયની સ્મૃતિ સજીવન રાખવા જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા છે જેમાં આદીશ્વર પરમાત્માની સ્થાપના છે. દષ્ટિ સહેજ આકાશ તરફ ઊંચી છે. કપાળમાં સુવર્ણમય લાલ મુગટ છે. ગળામાં વૈવિધ્યપૂર્ણ રત્નના અલંકારો સર્જેલા છે. 723 છ ભુજાઓમાં એક બાજુની ત્રણ ભુજામાં અંકુશ, નાગપાશ અને ત્રિશૂળ છે, જ્યારે બીજી બાજુની ભુજામાં રત્નની માળા, ડમરુ અને મૃગદળ છે. ભિન્ન ભિન્ન બિંબોમાં આ હાથનું તથા લાંછનોનું ઓછું–વત્તાપણું અચૂક જણાય છે. વળી આ લાંછનો અને તેના હસ્તસ્થાનની નિયતતા પણ જણાતી નથી... કયાંક એક હાથે આશીર્વાદ આપતી મુદ્રા છે. [ કાંકરેજનાં પ્રતિમા ] નિપાણી તથા ઈચલકરંજી પ્રતિમાના વૈવિધ્યમાં અંકુશના સ્થાને તલવારનું ચિહ્ન અંકિત છે. હાલાર આરાધનાધામનાં પ્રતિમામાં ભિન્નતાસૂચક તલવાર અને ઢાલનાં ચિહ્ન બતાવાયાં છે. પ્રાચીન બિંબોમાં છ હાથ અને તેમાં ઉક્ત ચિહ્નો મહદંશે ગ્રહણ કરાયાં નથી..... એટલે કાળકૃત ભેદ સમજી શકાય. કેટલીક પ્રતિમામાં મુખ સન્મુખ હોય છે, કેટલીક પ્રતિમામાં મુખ જમણી તરફ હોય છે તો કેટલીક પ્રતિમામાં મુખ ડાબી તરફ હોય છે. સન્મુખ મુખાકૃતિવાળાં વીરબિંબો જામનગર ( હાલાર તીર્થ), રાજકોટ, નિપાણી (એમ.એસ.), ઈચલકરંજી (એમ.એસ.), કુંભોજગિરિ, વિજાપુર, કાંકરેજ (બનાસકાંઠા), જામનગર (પાઠશાળા), પૂના (આદિનાથ સોસા. ), કોલ્હાપુર, વડગાંવ, ઝીંઝુવાડા, આદિ અનેક સ્થાને જોવા મળે છે. ડાબી–જમણી બાજુ મુખાકૃતિવાળાં વીરબિંબો પ્રતિમામાં મુખાકૃતિ કોઈ જમણી તરફ હોય છે, કોઈ કાબી તરફ. કઈ તરફ હોવી જોઈએ તેનો ચોક્કસ નિર્ણય જાણવા મળતો નથી; પણ ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે એટલું જાણવા મળ્યું કે મંદિરમાં વીરબિંબની સ્થાપના કરવાની હોય ત્યારે પરમાત્મા સન્મુખ તેમનું મુખ રહે (તેની વિરુદ્ધ દિશામાં—એટલે કે દરવાજા બહાર મુખ જાય તેમ નહીં) તેમ બિરાજમાન કરવા. સાંચોર : આ બિંબ પ્રાચીન છે, મુખ્ય સૂંઢમાં કળશના સ્થાને વિંઝાતું ચામર છે. ભાવનગર : ( શાસ્ત્રીનગર) સૂંઢમાં કળશના સ્થાને ચામર અને એક હાથમાં સુદર્શનચક્ર જોવા મળે છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ 724 તપાગચ્છાધિષ્ઠાયક વાસણા ગોદાવરી : ધાતુનું બિંબ અદ્ભુત છે. મુદ્રા અલૌકિક છે, આગળ કહેલા મુદ્રા–ચિહ્નની પૂર્ણતા સ્પષ્ટ જણાઈ આવે છે. માટુંગા-મુંબઈ: જામનગર (દેવબાગ): રત્નની માળાના સ્થાને આશીર્વાદ આપતો હાથ બતાવાયો છે. મોટીમારડ : ભાવનગર મોટું દેરાસર ઃ બિંબ પ્રાચીન–પ્રભાવશાળી છે. ગોવાલિયા ટેન્ક : વાંકી : અર્વાચીન મુદ્રાઓમાં માળા-ત્રિશૂળ-નાગપાશ વિગેરેના સ્થાને બીજોરું-કમળ–આશીર્વાદ મુદ્રા વગેરે બતાવાયાં છે. [ આનો ઉલ્લેખ કયાંય જોવામાં આવ્યો નથી. ] અથણી-કર્ણાટકઃ મૃગદળના સ્થાને તલવાર ધારણ કરેલ છે. . કુંભોજગિરિ ઃ ૧૩૦ વર્ષ પ્રાચીન આ વીરબિંબ છે. મુખ ઉપર શત્રુંજયનો પહાડ સ્પષ્ટ વિશાળકાય છે. ત્રણને બદલે ચાર-પાંચ હસ્ત અને બિન લાંછન બતાવાયાં છે. [ પ્રાચીન પ્રતિમાઓમાં લગભગ સાત સૂંઢના સ્થાને એક—બે સુંઢ જ હોય છે.] મીરજ ઃ છના બદલે ચાર હસ્ત અને ચક્રનું લાંછન છે. નવસારી-આદિનાથ : પ્રથમ સૂંઢમાં કળશના સ્થાને કમળ છે. સાતે સૂંઢ નીચે તરફ ઢળતી છે. હાથમાં ઢાલ-તલવાર છે. પૂના ગોડી પાર્વેનાથ: ત્રણ સૂંઢવાળો હાથી, શત્રુંજયનું સ્પષ્ટ દર્શન, દષ્ટિ નીચી, આ વિશેષણતાવાળી પ્રાચીન અને ભવ્ય પ્રતિમા છે. નવસારી – મધુમતીઃ એક સુંઢ, ચતુર્કસ્ત, દષ્ટિ ઉન્નત, પ્રાચીન–પ્રભાવક મુદ્રા છે. લોહાવલા : મૂર્તિ પ્રાચીન–ભવ્યતમ છે. સાંચોર ઃ ચાર સૂંઢ નીચે ઢળતી-ત્રણ ઉપર તરફ ઢળતી, મુખ્ય ચૂંઢમાં ચામર, અદ્ભુત પ્રાચીન અને પ્રભાવક મૂર્તિ છે. ભિન્ન ભિન્ન આકૃતિયુકત વીરબિંબો આ ભિન્ન આકૃતિયુક્ત બિંબો તે તે કાળે તે તે પુન્યાત્માઓની માનસ કલ્પનાથી સર્જિત હોય છે. તે બે પ્રકારે જોવા મળે છે. કાં તે મનુષ્યની મુખાકૃતિ સ્વરૂપ હોય છે, કાં પિંડી સ્વરૂપ. આ મુદ્રાઓમાં નથી જોવા મળતી વરાહની મુખાકૃતિ, નથી જોવા મળતી પભુજાઓ કે તેનાં ચિહ્નો કે નથી જોવા મળતું હાથીનું વાહન. મહારાષ્ટ્રમાં મહદ્ અંશે શ્રીફળની સ્થાપના કરી રોજ સિંદૂર લગાડતાં લગાડતાં વૃદ્ધિ પામતી સ્થાપના મુદ્રા વિશેષ જોવા મળે છે. રતલામઃ માત્ર મુખાકૃતિ સ્વરૂપ પ્રાચીન પ્રભાવશાળી બિંબ છે. પાબલઃ એક ભાઈને સ્વપ્નમાં અમુક મુખાકૃતિનું દર્શન થયું. બીજે દી શ્રીફળના માધ્યમે માણિભદ્રની સ્થાપના કરી. રોજ સિંદૂર લગાડતાં પ્રતિમા મોટી થતી ગઈ. નીચે પિંડ સ્વરૂપ Page #741 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 125 ઉપરથી મનુષ્યની મુખાકૃતિ સ્વરૂપ પ્રતિમાનું કુદરતી સર્જન થઈ ગયું. (જેવું તે ભાઈએ સ્વપ્નમાં જોયું હતું, આ બિંબ આજે તેવું જ) અત્યંત પ્રભાવશાળી ગણાય છે. આંતરોળી તીર્થ : પ્રતિમા પ્રાચીન અને પરતાપૂરણ છે. ઉધરોજ : મૂર્તિ ભવ્ય, અતિ પ્રાચીન અને પ્રગટ પ્રભાવી છે. મનુષ્ય શરીરની આકૃતિ અંકિત છે. કરજણ સિંદૂર સર્જિત હસ્તિ અંકિત માનવ આકૃતિયુક્ત પ્રતિમાં પ્રાચીન છે. શંખેશ્વર : લાલ પથ્થરમાં ઉત્કીર્ણ નાની છતાં મોહક પ્રતિમા ચમત્કારી છે. બાર્લી : માત્ર મુખાકૃતિ સ્વરૂપ પ્રાચીન પ્રતિમાજીના દર્શનથી હૈયું ડોલી ઊઠે છે. વંથલી તીર્થ : લાલ પથ્થરમાં કોતરેલ, તમામ ચિહ્નોથી અંકિત, સન્મુખ મનુષ્ય મુખાકૃતિવાળી, ઉસ્યારૂઢ, દાદાવીરની પ્રતિમા પ્રાચીન અને ઈષ્ટસિદ્ધિદાયક છે. લતીપુરઃ મનુષ્ય મુખાકૃતિ હસ્તિ આરૂઢ મુદ્રા પ્રાચીન હોઈ કામિતપૂરણ છે. પૂના-ગોડી પાર્શ્વનાથ : શ્રીફળ સિંદૂરથી વૃદ્ધિ પામેલ પિંડી સ્વરૂપ મુદ્રા પ્રભાવક છે. શીવપુર સ્વયંભૂ પ્રગટિત છે એવી કિંવદત્તી છે. સ્થાપના સ્વરૂપ મુદ્રા પ્રભાવક છે. ઊંઝા : શ્રી પૂજ્યની ગાદીની બાજુમાં બિરાજમાન નાની છતાં પ્રભાવશાળી મૂર્તિ છે. જાવરા : રાજા-મહારાજાની જેમ હાથી ઉપર બિરાજમાન પ્રાતિહાર્યથી ચામર વીંઝતી અલૌકિક મુદ્રા છે.' બારામતીઃ શ્રીફળની સ્થાપનાથી ક્રમશઃ વૃદ્ધિ પામી ઊભી પિંડી રૂપ મુદ્રા પ્રાચીન અને શક્તિસંપન્ન છે. શાહપુર (એમ. એસ.) શ્રીફળ-સિંદૂરથી મોટી થતી પિંડી સ્વરૂપ મુદ્રા ધ્યાન કરવા યોગ્ય છે. આગલોડ : અત્યંત પ્રભાવશાળી, મૂળ સ્થાનમાં બિરાજમાન, મગરવાડાથી આવેલી, સેવક ભૈરવથી સતત સેવાતી, અતિ પ્રાચીન નાના પિંડ સ્વરૂપ વીર જૈન-જૈનેતરો માટે હાર્દિક આસ્થાનું સ્થાન છે. પૂના-ખડકી : શ્રીફળ ઉપર સિંદૂર લગાડવાથી વૃદ્ધિગત સ્થાપના સ્વરૂપ પિંડી પ્રશસ્ય છે. બિબડોદ (રતલામ): મોટા હાથી ઉપર નાનું રૂપ ધારણ કરી શોભતા વીરની મુદ્રા અને પ્રભાવ અવર્ણનીય છે. મોરબી: મુદ્રા અતિ પ્રાચીન શ્રદ્ધેય છે. ઉદયપુરઃ દેવસુરસંઘના સ્થાપક તપગચ્છાધિપતિ દેવસૂરિ મ. જે નારિયેળના તાંતણામાંથી મંત્રિત કરીને સ્થાપેલ BUST આકારની સ્થાપનાવાળી મુદ્રામાં સાક્ષાત્ વીરનો વાસ હોય તેમ અચૂક ભાસે છે. રાંદેર (સુરત): લાંબી સૂંઢવાળા હાથી ઉપર બિરાજમાન સન્મુખ વરાહ મુખાકૃતિવાળા Page #742 -------------------------------------------------------------------------- ________________ 726 તપાગચ્છાધિષ્ઠાયક વીર અત્યંત શોભાયમાન પ્રાચીન અને સાક્ષાત્ છે. રતલામઃ મોતિપૂજયજી મંદિરમાં ચમત્કારી સ્થાન છે. ચાણસ્માઃ ઊભી મનુષ્યાકૃતિવાળા, સાઈડમાં નાના હસ્તિના લાંછનવાળા વીર ભટેવા પાર્શ્વનાથના સાંનિધ્યમાં અખૂટ શક્તિસંપન્ન છે. બેલગાંવઃ ૧૫૦ વર્ષ પ્રાચીન, માત્ર મુખાકૃતિને ધારતી લાંબી મૂછના વળથી શોભતી મુદ્રા પ્રભાવક છે. પૂના-શુક્રવાર પેઠઃ મૂછાળી મુખાકૃતિ BUST આકૃતિવાળી પડછંદકાય લાલ ભરાવદાર મુદ્રા દેવતત્ત્વનું આકર્ષણ સ્થાન છે. પાવાગઢ: આધુનિક હોવા છતાં અત્યંત આકર્ષક, ફલ સાઈઝની પંચધાતુની, આશીર્વાદની હેલી વરસાવતી પ્રતિમા ચકમકતી અને મોહક છે. મહાવીરપુરમ : ૧ ઈંચ ઊંચી, નવ નવ હાથી ઉપર ઊભી, નવગ્રહયુક્ત, રક્તવર્ણ, શભુજાયુક્ત મૃગદળના સ્થાને તલવારને ધારણ કરતી પ્રતિમાજી ખૂબ શ્રદ્ધેય અને મનોહર છે. ઉજ્જૈનઃ જયાં વીરનું મૂળ સ્થાન છે. મસ્તક પૂજાય છે. તે સિંદૂર પૂર્ણ, ગોળ મુખાકૃતિમાં વચ્ચે ચક્ષુઓથી દીપ્યમાન સ્થાપના સ્વરૂપ પિંડ પ્રગટ પ્રભાવી અને કામિત–પૂરણ છે. જૈન જૈનેતરો માટે પરમ આસ્થાસ્થાન છે. મગરવાડા જ્યાં માણેકશાહનો અંતિમ શ્વાસ છૂટયો હતો, જ્યાં માણેકશાહમાંથી માણિભદ્ર બનેલા વીરે આનંદવિમલસૂરિને દર્શન દીધાં હતાં, ભારતવર્ષનું સૌપ્રથમ અને શ્રેષ્ઠ આસ્થાસ્થાન, વીરનું મૂળ પ્રાચીનતમ અને ઓરીજીનલ સ્થાન છે. ક્રમસર બિરાજિત નાના-મોટા પs પિંડોમાંથી મધ્યનું પિંડ મૂળ મનાય છે. હજારો જેને જૈનેતરોની માનતા અહીં પૂર્ણ થાય છે. કમનસીબી છે કે આજે જે રીતે વીરનાં પૂજન-અર્ચન થવાં જોઈએ તેવી ભક્તિ થતી નથી. આરાધના કરતાં આશાતનાનું પ્રમાણ વિશેષ જણાય છે. જૈન ધર્મના તપાગચ્છના અધિષ્ઠાયક દેવ હોઈ, પરમ આરાધ્ય અને ઉપાસ્ય તત્ત્વ છે તેના બદલે લૌકિક દેવ-દેવી જેવો વ્યવહાર ત્યાં થતો જોવા મળે છે. એક માત્ર સાંસારિક મનોકામનાને પૂર્ણ કરવાનું ને લૌકિક વ્યવહારનું સ્થાન બનવાથી વીરની પૂજ્યતા અને સ્થાનની પવિત્રતા ઘટવા પામી છે. ભાવિમાં શીધ્ર પવિત્રતાની સ્થાપના થાય એવી ભાવના જ હાલ ભાવવી રહી. ખંભાતઃ ઓસવાળ ઉપાશ્રયસ્થિત વીર સાક્ષાત્ છે. શુદ્ધભાવની સાધના દ્વારા હાજરાહજૂર સહાયક બને છે. મૂર્તિ અલૌકિક છે. લેસ્ટર-લંડનઃ મૂર્તિ આર્વાચીન છતાં પૂજન વખતે બે કલાક ડોલતી રહ્યાનું અનેક લોકોએ સાક્ષાત્ નિહાળેલ. પરમાત્માની નીચેના ભાગમાં બિરાજમાન મૂર્તિ અલૌકિક છે. પાટણઃ પંચાસરાના પટાંગણમાં પ્રતિષ્ઠિત આ મૂર્તિ ખૂબ જ પ્રભાવક ને પ્રાચીન છે. મનુષ્યની મુખાકૃતિ સમાન મુદ્રા રૌદ્ર ઉપદ્રવોને હરનારી છે. ફાલનાઃ સુદર્શનચક્રાંકિત મુદ્રા ભવ્ય છે. Page #743 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 727 કોશેલાવઃ શ્રીફળની સ્થાપનાથી ક્રમશઃ વૃદ્ધિ પામેલ પિંડ દ્વયાત્મક ચક્ષુ અન્વિત મુદ્રા વૈવિધ્યસભર ને પ્રભાવક છે. ખંડાલા : શ્રીફળની સ્થાપનાથી વૃદ્ધિ પામેલ પિંડીસ્વરૂપ – ભરાવદાર લાક્ષણિક ચક્ષુ-નાસિકા-ઓષ્ઠયુક્ત પ્રતિમા અલૌકિક પ્રભાવશાળી છે. ખીમાડા : શ્રીફળમાંથી ક્રમશઃ વૃદ્ધિ પામેલ, પહોળાઈમાં ઓછી-લંબાઈમાં વિશાળ ચક્ષુયુક્ત-સ્થાપના સ્વરૂપમુદ્રા બેનમૂન પ્રભાવશાળી છે. બોરીવલી (દોલતનગર) સન્મુખ હસ્તી ઉપર બિરાજમાન પભુજાવિત સન્મુખ મુદ્રા દર્શનીય છે. સાંડેરાવઃ શ્રીફળની સ્થાપનાથી વૃદ્ધિગત-વિશાળ ને ભરાવદાર પંચ પિંડ સ્થાપના સ્વરૂપ બિંબ ઉન્નતિકારક છે. તળેગામ-(દાભાડે) : શ્રીફળમાંથી કાળક્રમે મોટી થએલ–ચક્ષયુક્ત–ગણપતિ જેવો આભાસ કરાવતી પિંડ સ્વરૂપની મુદ્રા પ્રાચીન-ભવ્ય છે. ધાંગધ્રા : વિશાળકાય હાથી ને નાનકડું પ્રાચીન બિંબ જોતાં જ આંખ ઠરી જાય છે. થાણાઃ સાઈડ પોઝવાળા વિશાળકાય હતિ ઉપર બિરાજમાન સન્મુખ પોઝવાળી પ્રાચીન કલાકૃતિ યુક્ત-ચતુર્ભુજાન્વિત આકૃતિ બધા કરતાં વિલક્ષણ ને અતિશય દર્શનીય છે. પ્રાચીન છે ને પ્રભાવક છે. આદરિયાણા : આ બિંબનાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. પ્રાયઃ કાષ્ટમાં ઉકીર્ણ છે. સન્મુખ હતિ ઉપર નાની સન્મુખ મુદ્રા જોતાં જ પ્રભાવકતા અનુભવાય છે. મહુધા: આ બિંબ અત્યંત અલૌકિક છે. સંગેમરમરમાં ઉત્કીર્ણ-ચાર ભુજા યુક્ત પ્રાચીનતા ને પ્રભાવકતાના પુરાવા સ્વરૂપ મુદ્રા છે. પાર્લા (ઈસ્ટ) : એક પિંડમાં અંતર્ગત ઊપસેલા પાંચ પિંડાત્મક સ્થાપના સ્વરૂપ બિંબ શ્રીફળમાંથી વૃદ્ધિગત છે, કામનાપૂરક છે, પ્રાચીન છે. સામાન્યત : રાજસ્થાનનાં ગામોમાં તથા મહારાષ્ટ્રમાં પણ માણિભદ્ર પ્રત્યેની આસ્થાનાં મૂળિયા ઊંડાં જોવા મળે છે, ત્યાં રહેલાં બિંબો બધા પ્રાચીન અને સ્થાપના સ્વરૂપ વિશેષે કરીને જોવા મળે છે. વરાહાકૃતિ ને પભુજાવાળી અર્વાચીન મૂર્તિ આ ગામોમાં લગભગ જોવા મળતી નથી. શ્રીફળની સ્થાપના કરી સિંદૂરનાં પડો થતાં કાળક્રમે વૃદ્ધિગત થયેલી વિભિન્ન આકૃતિવાળી સ્થાપના મુદ્રાનાં જ દર્શન સર્વત્ર થતાં હોય છે. આ તો ભારતવર્ષીય માણિભદ્રની મુદ્રાઓનું આછું દિગ્દર્શન જ થયું: નામીઅનામી જાણ્યા-અજાણ્યાં હજી તો ઘણાં સ્થાનો-મુદ્રાઓ છે જેમાં વીરનો દશ્ય-અદશ્ય પ્રભાવ જોવા-જાણવા મળે છે, વિભિન્ન મુદ્રાઓની જાણકારી તથા દર્શન–વંદનથી ભાવોલ્લાસ પ્રબળ બને, વીર પ્રત્યેની આસ્થા સફળ બને, તેમના જાપ–ધ્યાનથી તેઓ જાગૃત બની સંઘ-શાસનની રક્ષા કરે એવી શુભ ભાવના સાથે લેખ સમાપન કરું છું. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ // Page #744 -------------------------------------------------------------------------- ________________ 728 શ્રી માણિભદ્રનો મહિમા ન્યારો – પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મહારાજ '' વર્ષો પહેલાં " કલ્યાણ" માસિકમાં પ્રગટ થયેલ એક રહસ્યમય કથાને નવા શબ્દદેહનું રૂપ આપીને પ્રભાવ અને મહિમાગાન લેખકશ્રીએ રજૂ કરેલ છે. પ્રવચનની પીઠ પરથી સદાય જાગૃતિ બનાવતા પૂજ્ય મુનિવરશ્રી સંશોધનક્ષેત્રે પણ અચ્છા કસબી છે. નવું નવું જાણવાની, સમજવાની અને યોગ્ય રીતે રજૂ કરવાની તેમની શૈલી પણ મજાની છે. જૈન મુનિઓનું જીવન જ ચમત્કારી હોય છે. એની સિદ્ધિ, સાધના અને સફ્ળતા લોકેષણા માટે હોતી જ નથી. તપાગચ્છાધિષ્ઠાયક વિશ્વમાં ઘણી બધી શક્તિઓ કામ કરી રહી છે. ચૈતન્યશક્તિ અને પૌદ્ગલિક શક્તિ બન્ને એકબીજાના પાયા ઉપર સહયોગી રહ્યાં છે. માણિભદ્રજીની સાધના સાધકને ચૈતન્યશક્તિનો વિકાસ કરાવી આપે છે અને તે પછી આત્મિક શક્તિનું ઉત્થાન પણ કરાવી આપે છે. રજૂ થયેલી કથામાં અત્રે મયાવિજયજી મહારાજશ્રીનું કરુણાસભર હૈયું જીવનરક્ષાના ઉત્તમ વિચારે મંત્રશક્તિનું પ્રત્યક્ષીકરણ કરાવી આપે છે. સાધના હંમેશાં કૃતજ્ઞતા, ઉદારતા, પરોપકાર અને પરમાર્થવૃત્તિથી વાસિત બનેલી હોય તો જૈન જયિત શાસનમ્નો બુલંદ જયનાદ વિશ્વમાં હંમેશાં ગુંજતો જ રહેશે. સંપાદક વિ.સં. ૧૯૫૬ની સાલમાં ઉત્તર ગુજરાતના એક નાના ગામડામાં બનેલી આ સત્ય ઘટના છે. એ સાલમાં કારમો દુષ્કાળ પડયો હતો જે છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાયો. ચોમાસું બેસી ગયું હોવા છતાં આકાશમાં કયાંય મેઘરાજાનાં દર્શન થતાં ન'તાં. કયારેક આકાશમાં વાદળીઓ દે ખાતી. લોકો હમણાં વરસે ... હમણાં વરસે... એવી ભાવનાથી આકાશની સામું જોતાં, પણ ક પવનનો ઝપાટો આવતો અને બધી વાદળી વિખેરાઈ જતી. બપોરનો સૂરજ જાણે આગ ઓકંતો હતો. રાતનો-મધરાતનો પવન જાણે લ જેવો લાગતો હતો. ગામનાં નરનારીઓ ગરમીથી ત્રાસી ગયાં હતાં. ગામનું તળાવ પણ સુકાઈ ગયેલું. થોડુંઘણું જે પાણી બચેલું તેમાં કેટલાય જળચર જીવો તરફડી રહ્યા હતા. દેડકા, કાચબા, મોટાં નાનાં માછલાંઓનો તરફડાટ ગામના જીવદયાપ્રેમી જૈનો વડે જોયો ન'તો જતો. સહુ ભેગા થયા. Page #745 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 729 તળાવના એક ભાગમાં મોટો હોજ બનાવડાવ્યો, અને બધા જલજંતુઓ એમાં મુકાવી દીધા. સવાર-સાંજ એ હોજમાં પાણી ભરાવતા. એક દિવસની વાત છે. પરગામના કોઈ વિધર્મીઓને સમાચાર મળ્યા કે સામેના ગામના હોજમાં અસંખ્ય જળચર જીવો છે. નિર્દોષ જીવો ઉપર તેમની બુદ્ધિ બગડી. મધરાતે આવી આવીને તેઓ માછલાં પકડવા લાગ્યા. જૈનોને ખબર મળતાં એમણે આ નિર્દોષ જીવોની રક્ષા માટે હોજ ઉપર બેચાર ચોકીદારો ગોઠવ્યા. પણ આ તો માથાભારે વિધર્મીઓ હતા. ચોકીદારોને મારી મારીને પણ તેઓ માછલાં પકડી જવા લાગ્યા. જેનોએ એ લોકોને ખૂબ સમજાવ્યા. તેઓ ન માન્યા, બલ્ક જૈનોનું અપમાન કર્યુ. એ વર્ષે ગામમાં એક મહાત્મા ચોમાસુ રહ્યા હતા. એમનું નામ હતું શ્રી મયાવિજયજી મહારાજ. તેઓ ઉત્કૃષ્ટ સંયમી હતા. એમના કપાળ પર બ્રહ્મચર્યનું તેજ તગતગી રહ્યું હતું. એમની આંખોમાં અપૂર્વ સાધનાની દીપ્તિ ઝગમગી રહી હતી. જેનોએ તેમને વંદન કરીને માંડીને વાત કરી જળચર જીવોની હિંસા અટકાવવા માટે કંઈ ઉપાય કરવાની કરગરીને વિનંતી કરી. શ્રી મયાવિજયજીનું કરુણાભીનું હૈયું આ વાત સાંભળીને દ્રવી ઊઠ્યું. તેઓ ચિંતામાં પડી ગયા. થોડી વારમાં જ મનોમન તેમણે કંઈક નિર્ણય કરી લીધો. થોડા ગાભા મંગાવ્યા અને તેનો એક અગ્ધ બનાવ્યો. પછી એ અશ્વ ઉપર મંત્ર ભણીને વાસક્ષેપ કર્યો. દેવાધિષ્ઠિત એ વસ્ત્રના ઘોડાને આપતાં એમણે જણાવ્યું કે – આ અશ્વને હોજના કાંઠે રહેલા પીપળાના ઝાડ ઉપર બાંધજો અને તેની નીચે બે-ચાર જણને સુવડાવજો. આવેલા શ્રાવકો મહાત્માને વંદન કરી પાછા ફર્યા. મુનિએ જણાવ્યા મુજબની બધી વિધિ કરી અને ચોકીદારોને ત્યાં સૂવાનું જણાવી દીધું રાત પડી, અધરાત–મધરાતનો સમય થયો. નીરવ શાંતિ ચોમેર પથરાઈ ગઈ હતી. હોજમાં પડેલા જળજીવો કયારેક ક્યારેક અવાજ કરીને નીરવતાનો ભંગ કરતા હતા. જગત આખું ઊંઘી ગયું હતું. અચાનક તળાવમાં બે કાળા પડછાયા ઊતર્યા. તેઓ માછલાં પકડવા આવેલા વિધર્મીઓ હતા. ધીમે ધીમે તેઓ આગળ વધ્યા અને હોજ પાસે આવ્યા. જાળ તૈયાર કરી. જ્યાં હોજમાં જાળ નાખવા ગયા ત્યાં સામેથી અવાજ આવ્યો : 'ખબરદાર! એક ડગલું આગળ વધ્યા છો તો. જ્યાં છો ત્યાં એમ ને એમ જ ઊભા રહી જાવ.' આવનારા બંને એક પળ તો આ અવાજ સાંભળીને ડઘાઈ ગયા. શું કરવું તેની તેમને સમજણ જ ન પડી. કંઈ વિચાર કરે ત્યાં તો સામેથી શસ્ત્રસજ્જ પાંચસાત ઘોડેસવારો ધસી આવતા દેખાયા. અચાનક જ આવી પડેલા હુમલાથી બંને જણા ગભરાયા અને જાળ ત્યાં જ પડતી મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા. પાછળ ઘોડેસવારો આવે છે કે નહિ તે જોયા વગર તેઓ બંને જણા પોતાના ગામ તરફ ભાગ્યા. ઘરનું બારણું ઉઘાડી બેય જણા ઘરમાં ઘૂસી ગયા, ઘરનાં બારણાં બંધ કર્યા અને ચડી -2 . Page #746 -------------------------------------------------------------------------- ________________ 130 તપાગચ્છાધિષ્ઠાયક ગયેલો શ્વાસ ઉતારવા થોડીવાર શાંતિથી બંને જણા બોલ્યા વગર મૌન બેસી રહ્યા. થોડી વારે થાક ઊતર્યો પછી બંને જણા અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યા. પાંચાએ કહ્યું : " આલ્યા છગન ! આ વાણિયા તો જબરા નીકળ્યા. સિપાઈઓ રાખ્યા લાગે છે. " છગને કહ્યું ' નારે ના, સિપાઈઓને તો પહોંચી વળાય. આ તો ઘોડેસવારો હતા, ઘોડેસવારો.' પોંચાનું માં પડી ગયું. એણે કહ્યું, 'છગન ! તો કાલે શું કરશું? આજે તો આપણે પાછા આવ્યા. હવે આવતી કાલનો કાંઈક વિચાર કર. મને તો કાંઈ સૂઝતું નથી. જો કાલનો આજે કાંઈ વિચાર નહિ કરીએ તો પછી આવતીકાલે પણ આજની જેમ વીલા મોંઢે પાછા આવવું પડશે.' થોડીવાર વિચાર કરીને છગન બોલ્યો : ' જો પોચા ! મને એમ લાગે છે કે આજની રાત વીતી જવાદે. સવાર પડવા દે. કાલે આપણા સાથીદારોને આપણે ભેગા કરીએ અને વાત કરીએ. પછી બધાયનો જે મત પડશે તે કરશું. બોલ પાંચા! તને મારી વાત કેમ લાગે છે?" મારી મતિ તો અત્યારે બેર મારી ગઈ છે. તે કહે છે તો આપણે સવારે બધાની સાથે વિચારશું. અત્યારે તો મને ઊંઘ આવે છે એટલે એક ઊંઘ ખેંચી લઉં.' પોંચાએ કહ્યું. ' 'મનેય ઊંઘ આવે છે. હું પણ ઊંઘી જાઉં છું. ઊંઘશું તો થાક ઊતરશે. થાક ઊતરશે તો સવારે કાંઈક બુદ્ધિ ચાલશે'. એમ કહી છગને ખાટલા પર જ લંબાવી દીધું. સવાર પડી. પૂર્વાકાશમાં સૂર્યનારાયણે દર્શન દીધાં. એકાદ પ્રહર જેટલો સમય વીતી ગયો. પોંચો અને છગન ઊઠ્યા. પ્રાતઃ કાર્યની વિધિ પતાવીને ગામમાં રહેતા બધાને એક જગ્યાએ ભેગા કર્યા. રાતની બધી વાત કરી. બધા હેબતાઈ ગયા, અને બોલ્યા : ' આ વાણિયા તો ભારે નીકળ્યા. આપણને તો આવી કલ્પના ય ન હતી.' અંદર અંદર ચર્ચા-વિચારણા કરીને અંતે સહુએ એમ નક્કી કર્યું કે હમણાં ચારપાંચ દિવસ સુધી કોઈએ માછલાં પકડવા જવું નહિ. ચારપાંચ દિવસ પછી પંદરવીસ જણાએ સાથે મળીને ત્યાં જવું અને ત્યાં શું થાય છે એની તપાસ કરવી. ચાર-પાંચ દિવસ વીતી ગયા. પછી એક મધરાતે સરખે સરખા પંદર-વીસ જણા ભેગા થયા અને હોજ ઉપર જવા ઊપડ્યા. કોઈને ખબર ન પડે એટલી ચૂપકીદીથી તેઓ હોજ પાસે પહોંચી ગયા, જાળ સરખી કરીને માછલાં પકડવા જેવી હોજમાં નાંખી કે સામેથી ' પકડો ! પકડો! મારો! મારો!' કરતા ચાલીસથી પચાસ ઘોડેસવારો છૂટટ્યા. વિધર્મીઓ તો મુઠ્ઠી વાળીને જાય ભાગ્યા. માંડ માંડ ગામના ગોંદરે પહોંચ્યા. ભયને લીધે સહુને આખા શરીરમાં પરસેવો વળી ગયો. સવાર પડતાં તો બધા વિધર્મીઓ ભેગા થઈ ગયા. આજે અભિમાની ગણાતી આ કોમના અભિમાન ઉપર જબરી ચોટ પડી હતી. અભિમાનને ચોટ લાગ્યા પછી સીધા દોર થઈ જવાને બદલે તેઓ વધારે વૃદ્ધ બન્યા. એમના કપાળે કરચલીઓ વળી ગઈ. એમની આંખો મરચાં જેવી લાલઘૂમ થઈ ગઈ. શરીર થરથર ધ્રૂજી રહ્યું હતું. આખા શરીરમાં કયાંય કોઇ માતો ન'તો. કાંઈક ઊંચુંનીચું કરી નાખવા તેઓ તૈયાર થઈ ગયા હતા, પણ મોટેરાઓએ એમને શાંત પાડ્યા. કહ્યું : Page #747 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 731 'આમ ઉતાવળા ન થાવ, જરા શાંત થાવ. જે પગલું ભરો તે વિચારીને ભરો.' સહુને આ વાત ઠીક લાગી. બધાએ ભેગા મળીને વિચારણા કરી. વિચારણાને અંતે એવું નક્કી થયું કે આ વાણિયાઓ પાસે કેટલા ઘોડા છે? કેટલા ઘોડેસવારો છે? આ બધું તેઓ ક્યાં રાખે છે તેની તપાસ કરીએ. પછી આગળ પગલું ભરીએ. ' ઘોડેસવાર અંગે છગન કે પોંચાને ખબર હોય તો પહેલાં એને પૂછી લો ને !' એમ ઘરડાઓએ કહ્યું પણ એ બંનેએ આ વાતથી બિલકુલ અજાણ છે તેમ કહેતાં વડીલોએ જુવાનિયાઓને ઉદ્દેશીને કહ્યું: ' જુવાનો! તમે એક વખત તપાસ કરી આવો. આ વાતની પાક્કી જાણકારી મેળવો. પછી શું કરવું તે અંગે વિચારશું. તપાસ કરીને ચાર દિવસ પછી આ સમયે તમે બધા અહીં આવજો. અને બીજી એક વાત ધ્યાનથી સાંભળી લ્યો. ત્યાં સુધી કોઈએ પણ માછલાં પકડવા જવું નહીં.' વાત પૂરી થતાં બધા વીખરાઈ ગયા. જુવાનો, ઘોડા કયાં છે? ઘોડેસવારો કેટલા છે? એ લોકો ક્યાં રહે છે? આ બધું શોધવાના કામમાં લાગી પડ્યા. એમણે આખું ગામ ફેંદી નાંખ્યું. ત્યાં પત્તો ન લાગતાં ગામના છેવાડેનાં ખંડિયેરો જોયાં. ત્યાંય પત્તો ન લાગતાં વન અને જંગલો જોઈ વળ્યા. અરે ! રાતે તળાવના કાંઠે વૃક્ષો ઉપર છુપાઈને તપાસ પણ કરી. ન તો ઘોડાના સગડ મળ્યા કે ન મળ્યા ઘોડેસવારનાં કોઈ ચિહ્નો. આસપાસના ગામવાળાઓને પણ પૂછી જોયું પણ કાંઈ મેળ પડ્યો નહિ. આમ ને આમ ચાર દિવસ વીતી ગયા. પાંચમા દિવસનું પ્રભાત થયું. સહુ નિર્મીત સ્થળે ભેગા થયા. ગામ-ગામના સેંકડો જણ આવી ગયા. વડીલોએ જુવાનિયાઓને સોંપેલા કામ અંગે જ્યારે પૂછ્યું ત્યારે સહુ જુવાન વિધર્મીઓનાં મુખ શરમથી નીચે નમી ગયાં. ધીમા અવાજે તેઓએ જ્યારે કહ્યું કે કોઈ પત્તો નથી' ત્યારે વડીલો પણ આશ્ચર્યમાં પડી ગયા.. 'પણ તમારે આજુબાજુના ગામના લોકોને તો પૂછવું હતું, તો કાંઈ નિશાની મળી જાત. એક વડીલ બોલ્યા. એના જવાબમાં એક જુવાનિયાએ કહ્યું: ' અમે પૂછ્યું ય ખરું ને આટલા બધા ઘોડેસવારો આવતા હતા છતાં આસપાસના ગામના લોકોને એની ગંધ સુધ્ધાં પણ નથી. અરે, બીજાની વાત જવા દો. હોજના જીવોની રક્ષા માટે જે ચોકીદારો આવે છે તેનેય ખબર નથી કે રાતના અહીં ઘોડેસવારો આવે છે!' આ વાત સાંભળીને વૃદ્ધો પણ વિચારમાં પડી ગયા. કોઈને કાંઈ ગમ પડતી ન હતી. જુવાનિયાઓ પણ અત્યંત ઉશ્કેરાઈ ગયા હતા. દાળભાત-ખાઉ વાણિયાઓએ એમને સખત હાર આપી હતી. યુદ્ધ કર્યા વગર વિધર્મીઓથી આ અપમાન સહન થઈ શકે તેમ ન હતું. આખરે ' કરેંગે યા મરેંગે'ના નિર્ણય પર તેઓ આવી ગયા. બધાએ નક્કી કર્યું કે આજે રાત્રે સવાસો જુવાનિયા સાથે હોજ પર જવું, માછલાં પકડવાં અને ઘોડેસવારો આવે તો જરાય ગભરાયા વગર એમનો સામનો કરવો – એમના ઉપર તૂટી પડવું. એવા નિર્ણય સાથે સહુ વીખરાઈ ગયા. Page #748 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક દિવસ પૂરો થયો. આકાશમાં સૂર્યાસ્ત થયો. સંધ્યા ઢળી. રાત પડી..એક પ્રહર વીતી ગયો. બીજા પ્રહરની શરૂઆત થઈ. સર્વત્ર શાંતિ હતી. ગામના સહુ લોકો જંપીને સૂઈ ગયા હતા ત્યારે સોથી સવાસોનું એક ટોળું તળાવના રસ્તા તરફ આગેકૂચ કરી રહ્યું હતું. કંઈ કરી નાંખવાના મૂડમાં હતા. જાતભાતનાં શસ્ત્રો હાથમાં રમાડતા તેઓ હોજની નજીકમાં આવી ગયા. હોજના ચોકીદારો આટલું મોટું ટોળું જોઈ ગભરાઈ ગયા અને ઝાડ ઉપર ચડી ગયા. સહુની નજર ચોતરફ ફરતી હતી. કયાંય ઘોડેસવાર દેખાય છે કે નહીં ? જો દેખાય તો હમણાં જ લડી લઈએ. લડવાની તૈયારી સાથે તેઓ હોજના કિનારે આવેલા એક આંબલીના ઝાડ નીચે બેઠા. કોઈ ચલમ ફૂંકતું હતું, કોઈ પોતાની બડાશ હાંકતું હતું. કોઈ પોતાનાં શસ્ત્રો તલવાર, ભાલા, ચપ્પુ, છરી, અણિયાળી ડાંગોને હવામાં ફેરવી રહ્યા હતાં. આમ ને આમ એકાદ કલાક વીતી ગયો. કોઈ ઘોડેસવાર તો શું, એક ચકલું પણ ત્યાં ફરકતું દેખાણું નહીં. પહેલી વખત આવેલા આ લોકોને થયું કે અહીં તો કોઈ ઘોડેસવાર દેખાતો નથી. લાગે છે, અગાઉ ગયેલા જુવાનિયાઓને ભ્રમ થયો હશે, અથવા તો આજની આપણી તૈયારી જોઈને એ બધા ગભરાઈને ભાગી ગયા હશે. નહિ તો કયારના સામે આવી ગયા હોત. 732 હોજનાં મોટાં મોટાં માછલાંઓનો સળવળવાનો અવાજ આવતો હતો. આ અવાજ સાંભળતાં વિધર્મીઓની જીભ પણ સળવળવા લાગી. આજે લગભગ દશ દિવસથી એક માછલુંય એમના હાથમાં આવ્યું ન હતું. આજે એકીસાથે એમને બધું સાટું વાળી નાંખવું હતું. સહુના મોંમાંથી લાળ ટપકી રહી હતી. હવે ધીરજ બધાની ખૂટી રહી હતી. ઘોડેસવારની ચિંતા કર્યા વગર સહુ ઊઠયા. તળાવના કિનારે કોરા ભાગમાં બધાએ વસ્ત્રો ઉતાર્યાં, હથિયારો હેઠા મૂકયા. પોતડી પહેરીને સહુ હોજ તરફ દોડયા. જેટલા માછલાં લેવાય એટલાં લઈ લેવાં એ ગણતરીથી હોજની અંદર પડ્યા. આજે તો ઘોડેસવારો સાથે લડવા આવેલા એટલે હાથમાં જાળ તો હતી જ નહિ, શસ્ત્રો જ લાવેલા. એ પણ હોજમાં પડતી વખતે સાથે ન'તા. બંને હાથે ખાલી હોવાથી બેય હાથે તેમણે માછલાંઓ પકડવાનું ચાલુ કર્યું. માછલાં પકડતી વખતે તેઓ આજુબાજુનું બધું ભાન ભૂલી ગયા હતા. પાંચદશ મિનિટ જ્યાં પસાર થઈ હશે ત્યાં તો ચારે બાજુથી મારો ! મારો ! કાપો ! કાપો ! કરતા બસોથી સવાબસો જેટલા ઘોડેસવારો હોજ તરફ ધસી આવ્યા. તેઓ સફેદ ઘોડા ઉપર બેઠેલા હતા. સહુના હાથમાં વિવિધ આયુધો હતા. અચાનક આવી પડેલી આપત્તિથી સહુ ધ્રૂજવા લાગ્યા. હાથમાં પકડેલાં બધાંય માછલાં નીચે પડી ગયાં. અભિમાનનાં પૂર તો ક્યાંય ઓસરી ગયાં. એમના પગ નીચેથી ધરતી જાણે સરકવા લાગી. ગભરાઈને તેઓ એકદમ મોટેથી ' બચાવો બચાવો'ની બૂમો પાડવા લાગ્યા. ઘોડેસવારો એકદમ નજીકમાં આવી ગયા. એકેકને પકડી પકડીને ખૂબ માર્યા. પછી છોડી દીધા. જેવા છૂટયા એવા જ બધાય દુમ દબાવીને ભાગ્યા. કોઈને પોતાનાં વસ્ત્ર કે શસ્ત્ર લેવાના પણ Page #749 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 733 હોશ ન રહ્યા. સહુએ મનોમન નિર્ણય કર્યો... હવેથી આ જગ્યાએ આ જનમમાં તો ક્યારેય ન આવવું. આ બાજુ ઝાડ પર ચોકીદારો છુપાઈને આ તમાશો જોઈ રહ્યા હતા. જેવા આ વિધર્મીઓ ભાગ્યા એટલે એમણે દબાવી રાખેલું હાસ્ય બહાર ઊછળી આવ્યું. તેઓ ખૂબ ખૂબ હસ્યા. આમ ને આમ સવાર પડી ગઈ. બધા ચોકીદારો નીચે ઊતર્યા. પેલા લોકોનાં કપડાં અને શસ્ત્રો ભેગાં કર્યા. એનાં પોટલાં બાંધ્યાં અને ઉપાડીને ગામમાં લાવ્યા, અને શ્રી મયાવિજયજી મહારાજ સામે લાવીને ઢગલો કર્યો. તમાશાને વળી તેડું કયાંથી? આખું ગામ ઉપાશ્રયમાં આ તમાશો જોવા ભેગું થઈ ગયું. ચોકીદારોએ બધી માંડીને વાત કરી. લોકો તો પેટ પકડીને ખૂબ હસ્યા. ત્યાં તો એક જણે ચોકીદારોને પૂછ્યું: 'પણ ભાઈઓ! એ તો બતાવો, આ ઘોડેસવારો છૂટયા ક્યાંથી ?' ચોકીદારોએ કહ્યું, ' આ બાપજીએ એક મંત્રેલો ઘોડો આપ્યો હતો. એ જે ઝાડ પર બાંધેલો ત્યાંથી ઘોડેસવારો છૂટતા હતા. શ્રી મયાવિજયજી મહારાજે કરેલો આ દૈવી ચમત્કાર આખા ગામમાં ફેલાઈ ગયો. પવને આ વાત પોતાની પાંખમાં લીધી અને આસપનાં બીજાં ગામોમાં પણ આ સમાચાર પહોંચી ગયા. ગામમાં પણ આ વાત આવી ગઈ. સાંભળીને તે સૌ એવા બીઈ ગયા કે હવે ક્યારેય તળાવને કાંઠે ન જવું એવો ઠરાવ કરી નાંખ્યો. આમ કાયમ માટેની હિંસા બંધ થઈ ગઈ. જૈનોના ઘરે ઘરે આનંદ છવાઈ ગયો. આખું ગામ પણ રાજી રાજી થઈ ગયું. છતાં સાવધાની માટે હોજ ઉપર એક—બે ચોકીદારો તો રખાતા હતા. થોડા દિવસો પસાર થઈ ગયા. ગામમાં ચોરે ને ચૌટે શ્રી મયાવિજયજી મહારાજના ચમત્કારની વાત ચર્ચાઈ રહી છે. કોઈ આને સાચી વાત માને છે તો કોઈ આને ગપ માને છે. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. લગભગ ચારેક વાગ્યા હશે. ઉપાશ્રયની સામે એક ઓટલો હતો. આ ઓટલા પર ગામના કેટલાક જુવાનિયાઓ બેસીને અલકમલકની વાતો કરી રહ્યા હતા. વાત દેવી-દેવતાઓની નીકળી. સૌ પોતપોતાનો મત જણાવતા હતા. કોક દેવી-દેવતાની સિદ્ધિ કરતા હતા, તો વળી કોક અશ્રદ્ધાળુ આ જમાનામાં દેવદેવી જેવું કશું છે જ નહિ એવું સિદ્ધ કરવા મથતા હતા. આમ દેવદેવીઓની સિદ્ધિ–અસિદ્ધિની ચર્ચા ઠીક ઠીક ચાલી. પછી તો બોલવામાંય મર્યાદા ઓળંગાવા લાગી. ગાંગજી નામના એક જુવાનિયાએ તો ખૂબ ઠેકડી ઉડાવી. એણે કહ્યું : આજના કાળમાં વળી દેવ કેવા ને દેવી કેવી? આ બધું તો ધતિંગ છે ધતિંગ. આજના જમાનામાં આવાં ધતિંગો ન ચાલે. બીજા કેટલાક જુવાનિયાઓએ પણ આમાં ટાપસી પુરાવી. સાંજ પડવા આવી. જમવાનો સમય થઈ ગયો. સહુ પોતપોતાના ઘર તરફ વળ્યા. આકાશના આંગણે સંધ્યાએ સુંદર રંગોની રંગોળી ભરી. પંખીઓ પોતાના માળા ભણી મધુર કલરવ સાથે પાછા ફર્યા. ખેડૂતો ગોધનને લઈને સીમથી ઘર તરફ ચાલ્યા. પ્રકૃતિ આખી Page #750 -------------------------------------------------------------------------- ________________ 734 સૌમ્ય-સુંદર દીસતી હતી. ત્યાં તો ગાંગજીના ઘરમાં ધમાલ ધમાલ મચી ગઈ. , ખુદ ગાંગજીને કંઈક થઈ ગયું હતું. તેની વાચા હણાઈ ગઈ હતી. ગામના લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ સહુ ગાંગજીના ઘર તરફ જવા લાગ્યા. ધીમે ધીમે ગાંગજીનું આખું ઘર ભરાઈ ગયું. જે આવતા તે સહુ ઉપચાર બતાવતા. ' ડૂબતો માણસ તરણું ઝાલે' એ ન્યાયે સહુના ઉપચારોનો પ્રયોગ ગાંગજી ઉપર થતો રહ્યો પણ વેદના ઘટવાને બદલે વધતી જ ચાલી. સહુ મૂંઝાઈ ગયા. હવે કોઈ ઉપચાર પ્રાયઃ બાકી રહ્યો ન હતો; પણ બધું પથ્થર પર પાણી હતું. નવા ઉપચારો વિચારાઈ રહ્યા હતા ત્યાં એક જણે કહ્યું : ' ભાઈ ! ગામમાં શ્રી મયાવિજયજી મહારાજ બિરાજે છે. તેઓ બહુ ચમત્કારી કહેવાય છે. એમને વિનંતી કરો. તેઓ કરુણાવંત છે. કદાચ આમાં તેઓ મદદ કરશે.' તપાગચ્છાધિષ્ઠાયક સવાર પડતાં બે ભાઈઓ ઉપાશ્રયમાં ગયા. મહારાજને માંડીને વાત કરી. પછી વિનંતી કરી. શ્રી મયાવિજયજી મહારાજ બંને ભાઈઓની સાથે ગાંગજીના ઘરે આવ્યા. કાંઈ મંત્ર બોલી વાસક્ષેપને મંત્રિત કર્યો. ગાંગજીના મસ્તક પર એ વાસક્ષેપ નાંખ્યો, ઓઘો ફેરવ્યો. થોડી જ વારમાં ગાંગજી બેઠો થઈ ગયો. પહેલાં જેવો થઈ ગયો. સહુ સ્વજનો આનંદમાં આવી ગયાં. શ્રી મયાવિજયજીનો મહાન ઉપકાર માની એમના પગમાં પડી ગયા. ગાંગજી પણ ગળગળો થઈ ગયો. પગમાં પડીને તેણે કહ્યું,' આપે મને જીવતદાન આપ્યું છે. આપનો ઉપકાર કદી નહિ ભુલાય. શ્રી મયાવિજયજીએ ત્યાં બેસીને થોડો ધર્મ-ઉપદેશ સંભળાવ્યો. પ્રાંતે ધીર ગંભીર સ્વરે તેમણે ગાંગજીને કહ્યું : ' જો ગાંગજી ! દેવીદેવતા એ આપણા માતાપિતા સમાન છે. એમની મશ્કરી કરવાથી, એમના વિષે જેમતેમ બોલવાથી એમની આશાતના થાય. માટે જીવનમાં કયારેય દેવી—દેવતા માટે આડું અવળું બોલીશ નહિ. ગાંગજી નીચું જોઈ ગયો. શરમથી એનું મસ્તક નમી ગયું. એણે મનોમન નિશ્ચય કર્યો, હવેથી કયારેય હું દેવદેવીની મશ્કરી નહિ કરું. ગાંગજીએ આજે શ્રી મયાવિજયજી મહારાજના ચમત્કારનો અનુભવ કરી લીધો હતો. શ્રી મયાવિજયજી ઉપાશ્રયે પધાર્યા અને અન્ય સહુ મહારાજના ચમત્કારની વાતો કરતા પોતપોતાના ઘરે પહોંચ્યા. ગાંગજીના ઘરે આવેલા ભાઈઓમાંથી કેટલાક જુવાનિયાઓને દેવી—દેવતાની સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી. એ લોકો આખો દિવસ ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. શ્રી મયાવિજયજીના સતત સહવાસથી તેઓને મહારાજ સાથે ગાઢ સ્નેહ સંબંધ બંધાઈ ગયો. આ જુવાનિયાઓમાંથી નગીનદાસ નામનો એક જુવાનિયો તો મહારાજનો અનન્ય ભક્ત બની ગયો. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. શ્રી મયાવિજયજી મહારાજ જુવાનિયાઓ સન્મુખ બેઠા હતા. જુદી જુદી વાતો ચાલતી હતી. ત્યાં એક જણે ધીમે રહીને પૂછ્યું : ' મહારાજ સાહેબ !' આપશ્રી જે ચમત્કારો બતાવો છો, તેની પાછળ કોની સાધનાનું બળ છે ?' Page #751 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 735 શ્રી મયવિજયજીએ પૂછનારની સામે વેધક નજરે જોયું, પછી મંદ મંદ હસ્યા, પણ એમણે કોઈ જવાબ ન આપ્યો. કોઈ જવાબ ન મળતાં ઉત્સુકભાવે બધાએ ભેગા મળીને આ જ પ્રશ્ન ફરીથી દોહરાવ્યો. સહુના અંતરમાં આ પ્રશ્ન અનેક દિવસોથી ઘોળાઈ રહ્યો હતો. આજે જ્યારે વાત નીકળી જ છે તો હવે ઉત્તર લીધા વિના અહીંથી જવું જ નથી એવો મક્કમ નિર્ણય સહુએ કરી લીધો. સહુએ અત્યંત આગ્રહ સાથે વારંવાર પૂછ્યું ત્યારે શ્રી મયવિજયજીએ કહ્યું : 'યક્ષાધિરાજ માણિભદ્રની સાધના કરી છે. એના બળે જ આ બધું સિદ્ધ થાય છે.' નગીનદાસને આ સિદ્ધિ પામવાની અંતરમાં અદમ્ય ઇચ્છા હતી, એણે તરત જ પૂછ્યું : " આપે એમની સંપૂર્ણ સાધના કરી છે કે અપૂર્ણ? ' " સંપૂર્ણ.' શ્રી મયાવિજયજી બોલ્યા. ત્યાં તો બધા એકીસાથે બોલ્યા : 'તો તમે અમને માણિભદ્રવીરનાં દર્શન કરાવી શકો ?" 'હા.' શ્રી મયાવિજયજીએ એકાક્ષરી ઉત્તર આપ્યો. 'તો પછી અમને એમનાં દર્શન કરાવો ને.' સહુ બોલ્યા. શ્રી મયાવિજયજીની મુદ્રા થોડી ગંભીર થઈ ગઈ. તેઓ ગંભીર સ્વરે બોલ્યા : ' જુઓ ભાઈઓ ! આમાં તમારું કામ નહિ. માણિભદ્રજીનું તેજ એટલું બધું હોય છે કે તમે એ તેજ ખમી નહીં શકો. નકામું ક્યાંક ન બનવાનું બની જાય તો મારા પર કલંક આવે.' ' ના મહારાજ સાહેબ ! ગમે તે ભોગે અમારે દર્શન કરવાં છે. અમારી ઉત્કટ ઇચ્છા છે. ભલે અમને જે થવાનું હોય તે થાય, પણ અમારે તો દર્શન કરવાં છે.' બધાએ પોતાનો દઢ નિશ્ચય જણાવ્યો. સહુની માણિભદ્રવીરનાં દર્શન કરવાની અતૂટ ભાવના જોઈને શ્રી મયાવિજયજીએ કહ્યું : 'ભાઈઓ! તમારી ખૂબ જ ભાવના છે તો જેને દર્શન કરવાની ભાવના હોય તેણે હું કહું તેમ કરવું પડશે.' ' આપ કહો તે બધું કરવા અમે તૈયાર છીએ.' સહુ હર્ષમાં આવી બોલ્યા. ' તો સહુ પહેલાં તો આવતી કાલથી અઠ્ઠમનો તપ શરૂ કરવો પડશે. જ્યાં મહારાજશ્રી આટલું બોલ્યા ત્યાં તો બધા ઢીલા ઈંસ બની ગયા. સહુનો હર્ષ પળભરમાં વિલીન થઈ ગયો. કોઈએ અટ્ટમ કરવાની ભાવના ન બતાવી. એક માત્ર નગીનદાસ અક્રમ કરવા તૈયાર થયો. બીજા દિવસથી નગીનદાસે અટ્ટમ શરૂ કર્યો. શ્રી મયાવિજયજીના શ્રીમુખે પચ્ચષ્માણ લઈ તેણે સાધના શરૂ કરી. બે દિવસ નિર્વિને પસાર થયા. ત્રીજા દિવસની સવાર પડી. સૂર્ય મધ્યાકાશમાં આવ્યો ત્યારે શ્રી મયાવિજયજી મહારાજ નગીનદાસને લઈને ઉપાશ્રયના નીચેના ખંડમાં ગયા. બેય જણા સામસામે બેઠા. શ્રી મયાવિજયજીએ નગીનદાસની પરીક્ષા કરવા ફરીથી ચીમકી આપી : 'નગીનદાસ ! Page #752 -------------------------------------------------------------------------- ________________ 736 આમાં બહુ મજા નથી. આ વિચાર તું છોડી દે. મારું કહ્યું માની જા. દર્શનનો આગ્રહ રહેવા દે.’ નગીનદાસ આશ્ચર્યમાં પડી ગયા. એણે કહ્યું, ' કમાલ છે, સાહેબજી ! આપશ્રીએ કહ્યું તેમ મેં અક્રમ કર્યો. તમે બતાવ્યાં તે બધાં વિધિવિધાનો પણ કર્યાં. અને હવે તમે કહો છો કે પાછા ફરી જાવ. ના, એ નહિ બની શકે. આપ મને દર્શન કરાવો ને કરાવો જ.' તપાગચ્છાધિષ્ઠાયક નગીનદાસ શ્રી મયાવિજયજીની પરીક્ષામાંથી પસાર થઈ ગયા. પૂ. મયાવિજયજીને મનમાં આનંદ થયો. એમણે કહ્યું : ' જો નગીન ! હવે હું મંત્રધ્યાન શરૂ કરું છું. થોડી જ વારમાં યક્ષાધિરાજ માણિભદ્રજી બાળસ્વરૂપે પ્રગટ થશે. જ્યાં સુધી તમે એમના અનિમેષ નયને દર્શન કરશો ત્યાં સુધી તેઓ તમારી સામે રહેશે. જેવી તમારી આંખ મિચાઈ જશે તેવા જ તે અદશ્ય થઈ જશે. આટલી સૂચના કરીને મહારાજશ્રી પદ્માસનમુદ્રામાં બેઠા. બે નયનોને ભવાંના મધ્યભાગમાં સ્થિર કર્યાં. હાથમાં રક્ત પરવાળાની માળા ગ્રહણ કરી. પૂરક કર્યો. કુંભક કર્યો. મંત્રજાપનો પ્રારંભ થયો. નગીનદાસ અપલક નયને, અધીર નયને મહારાજની સામે જોઈ રહ્યા. જપમાલા સતત ચાલુ હતી. એક પૂરી થઈ. બીજી અને ત્રીજી પણ પૂરી થઈ. ચોથી માળાનો પ્રારંભ થયો. અને... ખંડના મધ્યભાગમાં એક સુવર્ણરંગી તેજવર્તુળ પ્રગટ થયું. ચોમેર એની સોનેરી આભા ફેલાઈ રહી હતી. એ તેજવર્તુળ સુદર્શનચક્રની જેમ ચક્કર ફરતું હતું. ધીમે ધીમે નાનું થતું ગયું. મયાવિજયજીની માળા ચાલુ હતી. ચોથી માળાના થોડા મણકા બાકી હતા. અેજવર્તુળ એકદમ નાનું થઈ ગયું. એમાંથી એક નાનકડા બાળકનો સ્પષ્ટ આકાર પ્રગટ થયો. માંડ દોઢ-બે વર્ષની એમની ઉંમર હશે. સૂર્ય જેવું તેજસ્વી એમનું વદન હતું. એમના સોનલવર્ણા દેહમાંથી ફૂટતાં તેકિરણો વડે અંધારિયા ખંડના ખૂણાઓ પણ પ્રકાશથી ઝળહળી રહ્યા. એમના મસ્તક ઉપર સોનેરી વાળ હતા. કમળની પાંખડી જેવી મનોહર એમની આંખડી હતી. પૂર્ણિમાના ચંદ્ર જેવું એમનું મુખ મીઠું મીઠું હસી રહ્યું હતું. એમના પગમાં બાંધેલા ઘૂઘરામાંથી મધુર સંગીત રેલાતું હતું. સહુને ગમી જાય, ઉપાડીને એમને ચૂમવાનું મન થઈ જાય એવું અદ્ભુત એમનું બાલસ્વરૂપ હતું. ખંડના મધ્યભાગમાં તેજવર્તુળ ઘૂમી રહ્યું હતું, તેજનાં કુંડાળાં વેરી રહ્યું હતું. નગીનદાસ અત્યંત પ્રસન્ન નેત્રે એના રૂપમાધુર્યનું પાન કરતો હતો. એમ ને એમ... એક... બે... ચાર... આઠ ... દશ ક્ષણ વીતી ગઈ. એ બાળક વધુ ને વધુ દેદીપ્યમાન બનતું ગયું. નગીનદાસથી આ તેજ ઝીલવું હવે અસહ્ય બની ગયું અને..... નગનદાસની આંખો એકદમ મીંચાઈ ગઈ. બેભાન બનીને ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા. Page #753 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 737 માણિભદ્રજી એમના ઉપર એક પ્રસન્નતાભર્યું હાસ્ય વેરી અદશ્ય થઈ ગયા. શ્રી મયાવિજયજીએ માળા મૂકી દીધી. મંત્રોપચાર વડે નગીનદાસને જાગૃત કર્યા. શ્રી મયાવિજયજી શ્રાવક નગીનદાસની ઉપર પ્રસન્ન થઈ ગયા હતા. એમણે પોતાની સાધના નગીનદાસને આપવાનો મનોમન નિર્ણય લઈ લીધો. અલ્પ સમય બાદ શુભ મુહૂર્ત પ્રસન્નચિત્તે શ્રી મયાવિજયજી મહારાજે સામે ચડીને નગીનદાસને માણિભદ્રનો મંત્ર આપ્યો. નગીનદાસ પણ પોતાની મનોકામના પૂર્ણ થવાથી ખૂબ જ આનંદિત બની ગયો. નગીનદાસની સાધના સફળ થઈ. સાધનાની સફળતા નિમિત્તે ચતુર્થ વ્રત ઉચ્ચર્યું. જીવનભરના બ્રહ્મચર્યનો નિયમ લીધો. શ્રી મયાવિજયજી મહારાજના હાથ નીચે જ એમણે મંત્રસાધના શરૂ કરી. મોટાભાગે એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. જોકે માણિભદ્રજીને પ્રત્યક્ષ કરી શકાય એટલી સિદ્ધિ તો પ્રાપ્ત થઈ ન શકી; તો પણ એમની પરોક્ષ સહાયથી દુષ્ટ દેવોનું દમન વગેરે ગમે તેવાં અશક્ય કાર્યો કરી શકાય એટલી સિદ્ધિ તો નગીનદાસ પ્રાપ્ત કરી શકયા... અને એટલેથી જ એમણે સંતોષ માન્યો. કથા-આધાર : વર્ષો પૂર્વે કલ્યાણ માસિકમાં ત્રણ હપ્તામાં આ કથા પ્રગટ થયેલી. શ્રીકલકંઠના ઉપનામે લેખકે આ કથા લખેલી. તેના આધારે આ કથાનું આલેખન કર્યું છે. ત્રીજો હપ્તો અત્રે અપ્રસ્તુત હોવાથી પ્રથમ બે હપ્તાને જ અહીં ટૂંકમાં આલેખેલ છે. AAVAVAAMAAVAA 11::: 11 10.xxxxxx x x s urrounhapiroshan | ' 11111.111111111 LY.Y YVAVVAVAVVVVVVVVVV ૯3. Page #754 -------------------------------------------------------------------------- ________________ 738 તપાગચ્છાધિષ્ઠાયક જ્યાં જ્યાં નવકાર ત્યાં ત્યાં ચમત્કાર ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. ના પ્રશિષ્ય જયદર્શનવિજયજી મહારાજ નવકારનો જપ, આયંબિલનો તપ અને બ્રહ્મચર્યનો ખપ – આ ત્રણમાંથી એક અનુષ્ઠાન પણ જો આત્મસાત્ થાય તો તે આત્મા, પુણ્યાત્મા, મહાત્માથી પરમાત્મા સુધી પ્રગતિ પામી શકે અને પછી સિદ્ધાત્મા પણ બની શકે જે સત્ય પણ રહસ્યમય હકીકત છે. તેમાંએ નમસ્કાર મહામંત્રના ચમત્કારોની સત્ય ઘટનાઓ એક નહીં અનેક બની, બને છે અને બનશે. તે જ કારણની લૌકિકઉક્તિ કે જ્યાં જ્યાં ચમત્કાર ત્યાં ત્યાં નમસ્કારને બદલે એક અલૌકિક પંકિત પ્રસિદ્ધિ પામી છે કે "જ્યાં જ્યાં નમસ્કાર ત્યાં ત્યાં ચમત્કાર." ભાગ્યે જ કોઈ ભાગ્યશાળી જાણે છે કે તપાગચ્છીય શ્રીસંઘના ક્ષેમકુશળકર્તા વીર માણિભદ્ર ઇન્દ્રને પણ તે પ્રગતિ નવકાર સ્મરણ સાથે થયેલ આકસ્મિક મરણને કારણે મળી હતી અને માણેકશાહ શેઠનું કમોત—મોત પણ મહામંત્રના મહાપ્રભાવે સમાધિમૃત્યુ જેવું સુંદર થયું. આ જ પ્રસ્તુતિ એટલે પ્રસ્તુત લેખનો સાર. લેખકશ્રીએ પણ પોતાની કિશોરાવસ્થામાં વિ.સં. ૨૦૨૭માં તા. ૨૦–૧૦–૧૯૭૧ના શુભ દિવસે શ્રી ગુરુના મુખે પ્રતિજ્ઞા ઉચ્ચરી નમસ્કાર મહામંત્રનો નવલખો જાપ પ્રારંભ્યો જે ધાર્યા કરતાં પહેલાં જ કૉલેજ અવસ્થામાં જ પૂર્ણતા પામ્યો. તે પછી સાંસારિક અવસ્થામાં નવકારના નાના—મોટા અનેક ચમત્કારો પૂજ્યશ્રીએ જાણ્યા- અનુભવ્યા. તેમાંયે ત્રણ વખત તો મોતના મહામુખમાં પ્રવેશી જવા છતાંયે આબાદ રક્ષણ નવકારના પ્રતાપે મળ્યું... તે પછી વિરાગનો ચિરાગ વધુ ને વધુ પ્રકાશવા લાગ્યો અને દેશવિરતિથી સર્વવિરતિ સુધીની સુખદ સફરમાં પણ નવકારનો સથવારો હંમેશા સાથે જ રહ્યો. નવકારમંત્રના પ્રભાવ અને રહસ્યોને વિસ્તારથી જાણવા માણવા સમજવા અને આચરવા લેખકને જ સ્વયં મળવું. -સંપાદક ઉત્તર પ્રદેશમાં આવેલ મહાનગર આગ્રા કયાં ને કયાં તે પ્રદેશની સીમાએ રહેલ મારવાડ તે પછી ગુજરાતની સરહદમાં પ્રવેશી સૌરાષ્ટ્ર દેશના મહાતીર્થ પાલીતાણાની જાત્રા. લગભગ આગ્રા અને શત્રુંજય વચ્ચે ખાસ્સા દોઢસો ગાઉનું અંતર. છતાંય જેના મનમાં તીર્થયાત્રાપ્રેમ પાંગરી ઊઠે છે તેવા ધન્યાત્માના પગમાં જોમ માનસિક Page #755 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 739 ભાવોનો જુસ્સો લઈ આવે છે. ઉજ્જૈનનિવાસી શેઠ માણેકશાહ વિવિધ કરિયાણાની પોઠો ભરી વ્યાપાર કરવા આગ્રા આવ્યા હતા. સારો નફો થાય તેમ લેતીદેતી પતાવી પાછા પોતાના નિવાસ–નગર તરફ વળવાનો વિચાર કરતા હતા, તેટલામાં જ તેમના પુણ્યોદયે સમાચાર સાંપડ્યા કે પોતાના ઉપકારી ગુરુ આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. ચાતુર્માસ માટે આગ્રામાં પધાર્યા છે. કંઈક વરસ પહેલાં તે આચાર્ય ભગવંતે જ તેમની પ્રતિમાપૂજા વિષે રહેલી વિપરીત માન્યતાને દૂર કરી ફરીથી પ્રભુપૂજાપ્રેમી બનાવ્યા હતા અને ધર્મમાર્ગે સ્થિર કર્યા હતા. તે જ સાધુસમુદાય યોગાનુયોગ ઉજ્જૈનથી વિચરી અન્ય ક્ષેત્રોની સ્પર્શના કરતો કરતો આગ્રા, આવેલ. ધર્મના વેપારી મુનિઓનો વિહાર જ સૌને ધર્મનો લાભ કરાવે અપાવે. આ તરફ ધનના વેપારી શેઠ માણેકશાહ પણ જોગાનુજોગ ઉજ્જૈનથી આગ્રા આવ્યા, તેમાં કુદરતનો કૃપા સંકેત નોખો-અનોખો હતો. પરમાત્માના દર્શન-પૂજન પછી તરત જ ગુરુ મહારાજના દર્શનાર્થે શેઠે પગ માંડ્યા ને ઉપાશ્રયે આવી ગયા. વંદનવિધિનો વ્યવહાર સારો સાચવી તેઓએ ગુરુવરની સાથે વાણીનો વાર્તાલાપ આદર્યો. આચાર્યશ્રીએ પણ લક્ષણવંતા માણેકશાહને યોગ્ય ધર્મોપદેશ આપ્યો. ગુરુદેવના ગુરુત્વાકર્ષણમાં આવેલા શેઠે પણ ઝડપી નિર્ણય લઈ ચાતુર્માસ આગ્રામાં જ ગાળવા નિર્ધાર કર્યો. તેમનો આત્મા સંતોષી હતો તેથી ધનલાલસા નજીવી હતી. ધર્મપ્રાપ્તિની અભિલાષાએ તે લાલસાને પણ ઓગાળી નાખી અને તેથી તેમના આદેશનો અમલ કરી પોઠો પાછી ઉર્જન વાળી અને મુનિઓ તથા માણસોએ વ્યાવહારિક જિમેદારીઓ માથે લઈ લીધી. માણેકશાહે ગુરુનિશ્રા ગ્રહણ કરી સામાયિક, પ્રતિક્રમણ, જ્ઞાન, ધ્યાન ને વૈયાવચ્ચમાં મન પરોવી દીધું. આચાર્યશ્રીએ અલૌકિક જ્ઞાનબળે માણેકશાહની યોગ્યતા પારખી લીધી હતી. તેઓ એકાવતારી આત્મા છે માટે જ ધર્મોલ્લાસ પણ અજબગજબનો છે તેવું નિમિત્તજ્ઞાનથી જાણી ખાસ શત્રુંજય મહાસ્ય ઉપર પ્રવચનો ગોઠવ્યાં. એટલું જ નહીં, આચાર્યશ્રીએ ગિરિરાજની ગૌરવગાથાનું વિસ્તારથી વર્ણન વાંચી શેઠની તીર્થયાત્રાની ભાવના જાગૃત કરી દીધી. જીવનમાં ક્યારેક ન થયેલ દર્શન અને ગુરુમુખે મળેલ માર્ગદર્શન મુજબ માણેકશાહે અચાનક એક દિવસ ભરસભામાં પોતાની ભાવના પ્રાર્થના સાથે પ્રસ્તુત કરી, અને સાથોસાથ તેમણે પ્રતિજ્ઞાબદ્ધ બનવા રજૂઆત પણ કરી દીધી "હે ગુરુવર્ય! મને પ્રતિજ્ઞા પ્રદાન કરો કે ચાતુર્માસ પૂર્ણ થતાં જ હું આગ્રાથી શત્રુંજય અડવાણા પગે, સંપૂર્ણ મૌન સાથે, નમસ્કાર મહામંત્રના ધ્યાન- જાપ સાથે બધીય આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં, ખાસ ચૌવિહારા ઉપવાસ સાથે પાર ઉતારું સિદ્ધાચલની યાત્રા કર્યા પછી જ મોઢામાં અન–પાણી નાખવાં, તે પૂર્વે નહિ." સભાજનો તથા સાધુજનો પણ આવી કઠોર અને ભીષ્મપ્રતિજ્ઞાની ભાવના સુણતાં જ સ્તબ્ધ બની ગયા. સૌએ ગુણાનુરાગથી શેઠને પ્રશંસાથી નવાજ્યા. આચાર્યશ્રીએ પણ માણેકશાહ શેઠની પ્રતિજ્ઞાભાવનાને વધાવી તેમને વિઘ્નોની વિગતોથી વાકેફ કર્યા, વિવિધ પ્રશ્નોથી ચકાસ્યા અને Page #756 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક ખાસ તો ચૌવિહાર ઉપવાસ સાથે જાત્રાએ જવામાં જોખમો જણાવી અવગત કર્યા. છતાંય જવાંમર્દીના બોલ અફર રહ્યા, તેથી પૂ. હેમવિમલસૂરિજીએ પણ વધુ એક ઉપકારનું દુર્લભ નિમિત્ત વધાવી લઈ સમસ્ત સભા સમક્ષ પ્રતિજ્ઞા પ્રદાન કરી. મંગળકારી તે દિવસ હતો આસો સુદ પાંચમ. ઠીક ચાલીસ દિવસ પછી કાર્તિક પૂર્ણિમા આવી ને ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ. તેટલા દિવસોમાં શેઠની ભાવનાનો જુવાળ જાગતો રાખવા આચાર્યશ્રીએ પણ દરકાર કરી અને તીર્થદર્શનની ભાવના ભાવતાં ભાવતાં જ ન જાણે શુભલેશ્યાના બળે માણેકશાહે કેટલાંય અશુભ કર્મોનો ભુક્કો બોલાવી નાખ્યો. અનેક ભવો ચાલે તેવી લાંબી લચક કર્મ–સ્થિતિઓને ફક્ત પ્રશસ્ત—અધ્યવસાયે ટૂંકાવી દઈ, કારતક વદ એકમના શુભ દિવસે જ આચાર્ય ભગવંતના શ્રીમુખે મંગલાચરણ શ્રવણ કરી ગિરિરાજની દિશા તરફ પગ માંડ્યા. 740 પ્રતિજ્ઞાપ્રાપ્તિ વખતે ત્રણ નવકાર ગુરુવરના મુખે હતા. શુભ પ્રસ્થાન વેળાએ પણ તે જ નવકાર માંગલિક રૂપે મળ્યો ને સફરમાં પણ સાચા સાથી તરીકે તે જ નવકાર મહામંત્રનો જાપ માણેકશાહના મુખમાં રમતો રહ્યો. પાણીના પાન વગર પગની પાનીઓના બળે શેઠ ધપી રહ્યા હતા. વહેલાં વહેલાં દર્શન ગિરિરાજના કેમ થાય અને કયારે થાય તેની જ એક લગનીમાં તેઓ દુનિયાને જાણે વીસરી ગયા હતા. પગનો વેગ અને મનનો આવેગ વધવા લાગ્યા, ઉપવાસ ઉપર ઉપવાસ ચડવા લાગ્યા તેમ તેમ પ્રશસ્ત ભાવો પણ વધવા લાગ્યા. આમેય અઠ્ઠમ પછીના ઉપવાસોમાં દેવો અધિષ્ઠિત થઈ શકે, જ્યારે શેઠ તો સ્વયં ચોવિહારા ઉપવાસમાં વધતા વધતા સ્વયં દેવગતિ પામી શકે તેવી ભાવના ભાવતા ભાવતા નવકારમય બની બધુંય ભૂલી ગયા હતા, અને ગિરિરાજ દર્શનની એક માત્ર ઝંખનામાં સઘળુંય ભૂલી ઝડપી ગતિથી પ્રગતિ પામી રહ્યા હતા. ઉત્તરપ્રદેશ અને મારવાડની હદો વટાવી ગુજરાતની સરહદમાં સુખદ પ્રવેશ પામી ગયા. હવે માર્ગ હતો પાલનપુર નિકટ રહેલ મગરવાડાના વિસ્તારનો, જ્યાં ચારે તરફ જંગલ-ઝાડીઓથી ગીચ રસ્તે ચાલવાનું હતું. ધીરતા, વીરતા ને શૌર્યતાના શણગાર પહેરેલા શેઠશ્રી તે જ વનના ડાકુઓ અને ચોરોની નજરે ચડી ગયા. તેમના ગુણરૂપી ખજાનાને ખાલી કરી લૂંટ ચલાવવા ડાકુઓની ટોળકી અચાનક તેમના ઉપર ત્રાટકી પડી. લૂંટારાના સરદારે ત્રાડ નાખી, પણ જેના હૈયે શ્રી નવકાર તેને ન હોય ભય–કંપાર. હકીકતમાં માણેકશાહનું પૌદ્ગલિક મન મરી ગયું હતું અને તેથી હૈયે નમસ્કરણીય મહાગિરિ ને હોઠે નમસ્કાર મહામંત્ર, બસ આ બે જ તત્ત્વો તાણાવાણાની જેમ એકાકાર બની ગયા હતા. ધૂનમાં ને ધૂનમાં સૂમસામ સ્થાનમાં આવેલી અણધારી વિપત્તિને તેઓ ખાળી ન શકયા. ડાકુઓના પગરવ ને સરદારની બૂમરવ તેમને ન સંભળાણી. બસ તેઓ ચાલતા ગયા ને ચાલતા જ રહ્યા. તેમની વેગીલી ગતિમાં લગીર ક્ષતિ ન જોઈ ડાકુઓની શંકામાં વધારો થયો, કે કોઈક નબીરો સંપત્તિ સંતાડી નાસી રહ્યો છે. તેની મૂડી ઝૂંટવા કરતાં ડાકુઓને પ્રાણ લૂંટવામાં વધુ નફો દેખાયો, Page #757 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ તેથી તે સૌ ખુલ્લી તલવાર સાથે ધસમસી આવ્યા ને ધ–ધડ્–ધક્ એમ ત્રણ પ્રહાર કરી આઘાપાછા થઈ ગયા. ગતિ તેવી મતિ અને મતિ તેવી ગતિ. મરણતોલ ત્રણ ફટકા તલવારના એક નિર્દોષ વટેમાર્ગુ ઉપર પડી ગયા હતા. પણ જ્યાં નમસ્કાર (મહામંત્ર) ત્યાં ચમત્કારનો સનાતન સત્ય સિદ્ધાંત કેમ નિષ્ફળ જાય ? જે નવકારના સ્મરણથી સમડી મરી રાજકુંવરી બની શકે, અડધો બળેલો નાગ ધરણેન્દ્ર દેવ થઈ શકે, જટાયુ જેવો પક્ષી માહેન્દ્ર દેવલોક જઈ શકે, બળદો પણ તત્ક્ષણો મરી કંબલ–શંબલ દેવ બની શકે તે જ શ્રવણ કરતાં શક્તિપ્રદ સ્મરણથી મરણ પણ શું મહોત્સવ ન બની શકે ? તલવારના ત્રણ ઘા થતાં પાર્થિવ દેહના ત્રણ ટુકડા થઈ ગયા. મસ્તક, ધડ તથા પગના ભાગ છૂટા પડી ગયા, પણ તેવું કમોત પણ કમાલ કરી નાખનાર નવકાર ધ્યાન સાથે થયું તેથી અશુચિ ભરેલ કાયા ઢળી પડતાં જ નવો દેહ દેવનો મળ્યો. માણેકશાહનું મરણ પણ વ્યંતરનિકાયના પાંચમા પ્રકારના યક્ષેન્દ્ર માણિભદ્ર થવામાં કારણ બન્યું. શુભ ધ્યાનના મ્યાનમાં મહાલતા મનને મ્યાનમાંથી નીકળેલ તલવાર મહાત ન કરી શકી. સમાધિમરણને પ્રતાપે માણેકશાહ મરીને પણ અમર બનવા જાણે એક કદમ આગળ આવી ગયા. કારણ કે ધર્મપ્રેમી તેઓ હવે ધર્મરક્ષક શાસનદેવ, એકાવતારી વ્યંતરોમાં ઇન્દ્ર બની ગયા હતા. પરમાત્મા તીર્થંકરોનાં પાંચેય કલ્યાણકો ઊજવવા, પ્રખર પુણ્યોપાર્જન કરવા ને પોતાના સમકિતને વધુ નિર્મળ કરવા પુરુષાર્થ કરનાર ૬૪ ઇન્દ્રો પૈકીના એક અદાવાળા ઇન્દ્ર બનવાનો લહાવો શેઠ માણેકશાહને મળી ગયો હતો. માટે જ જ્યારે આ સત્ય ઘટના પાછળથી તેમના ઉપકારી આચાર્યદેવ દ્વારા પ્રકાશમાં આવી ત્યારે લોકો મનોમન ભાવવા લાગ્યા – 741 કર્યાં ઉજ્જૈન, કાં આગરા, કયાં સિદ્ધિગિરિવર સ્થાન, કયાં માનવી માણેકશાહ, કયાં દેવેન્દ્ર માણિભદ્ર મહાન. ધન્ય ધન્ય તે જીવોને, જેઓના મનમાં મહાગિરિ-મહામંત્રનું સદા રહે છે ધ્યાન.... 茶茶茶茶茶茶茶茶茶茶茶茶茶茶 02/02/201 /////////////// 201 Page #758 -------------------------------------------------------------------------- ________________ 742 તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી માણિભદ્રજીનું પ્રાકટય ડો. પી.જી. પટેલ M.A. Ph.D., વડનગર ડૉ. પી. જી. પટેલે Ph.D. કરેલ છે. સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય તેમનો મુખ્ય વિષય છે. . " જે કંઈ કષ્ટ ઉત્પન્ન થાય તે સર્વે સમભાવ પૂર્વક સમ્યગ રૂપે સહન કરીશ." એવા ભગવાન મહાવીરસ્વામીના બોધને મૂર્તિમંત કર્યા – આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજી મહારાજ સાહેબે. માણેકચંદ શાહે જ્યારે કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુરુવર્યની દાઢીને ચિતાનું બળતું લાકડું ચાંપ્યું ત્યારે મુખ દાઝી ગયું છતાં ગુરુએ આ કૃત્યને સમભાવથી સહન કર્યું અને વાત્સલ્યનાં અમીઝરણાં વહાવ્યાં. અને માણેકચંદ શાહને પશ્ચાત્તાપ થયો – અને આ સમભાવ અને સમ્યગુ રૂપે માણેકચંદ શાહને છેલ્લે છઠ્ઠા ઈન્દ્ર બનાવ્યા. ધર્મો ધારયતિ પ્રજા ધારણાતું ધર્મ: ડૉ. પી. જી. પટેલે આ પશ્ચાત્તાપનું અને તેનાથી માણેકચંદ શાહના જીવનનો જે ફેરફાર થયો તેનું વિવરણ તેમની કુશળ શૈલીમાં કરેલ છે. - સંપાદક ઉજેણી નગરી પવિત્ત, તિહાં રાજ્ય કરે વિક્રમાદિત્ય, બાવન વીર રમે તિહાં રાસ, માણિભદ્ર તણો તિહાં વાસ. પ.પૂ. ગુરુદેવ આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યા બાદ ગચ્છાધિપતિ બનેલા પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ.સા. માલવદેશ તરફ વિહાર કરીને ઇતિહાસપ્રસિદ્ધ ઉર્જની નગરીમાં પધાર્યા. ઉજ્જૈની નગરી જેન, બ્રાહ્મણ તથા બૌદ્ધ ધર્મ-પરંપરામાં ઐતિહાસિક તથા ધાર્મિક નગરી તરીકે અતિ પ્રસિદ્ધ છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના શાસનના ' અતિમુક્તક મુનિએ અહીં સ્મશાનમાં તપશ્ચર્યા કરેલી. અહીં અકંપનાચાર્યનું આગમન થયેલું. 'તત્વાર્થધિગમસૂત્ર' પર ટીકા લખનાર સિદ્ધસેનદિવાકરની ' તિલક મંજરી 'ના સર્જક કવિ ધનપાલની એક માન્યતા પ્રમાણે ભર્તુહરિની આ ભૂમિમાં એક કાળે પ.પૂ. આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજી મ. પધાર્યા ત્યારે તેમના સાધુજીવનની એક નોંધપાત્ર ઘટના બની. Page #759 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 743 આ પ્રાચીન નગરીનું "મહાકાલવન" નામે પ્રસિદ્ધ સ્મશાન ઇતિહાસવિદિત છે. તે રીતે ક્ષિપ્રા નદીને તીરે તેનું ગંધર્વ સ્મશાન પણ એટલું જ જાણીતું છે. પ.પૂ. આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજી આ સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં લીન થયા. આત્મોન્નતિની ચરમ સીમારૂપ પરિષદો સહન કરવાની પરિસીમારૂપ એક બનાવ આ ગંધર્વ સ્મશાનવાસ દરમિયાન બન્યો. માણિભદ્રની ઉત્પત્તિના મૂળમાં આ બનાવ છે. ઉજ્જૈનમાં માણેકચંદશા નામે એક શ્રેષ્ઠી વસતા હતા. આમ તો તે શરૂઆતમાં જૈનધર્મી હતા, પરંતુ કેટલાક–યતિવર્ગના ધર્મ પ્રત્યેના શિથિલાચારો જોઈધર્મમાંથી તેની શ્રદ્ધા ઊઠી ગઈ અને તે સાધુવર્ગ તરફ અશ્રદ્ધાળુ અને કંઈક અંશે ધૃણા કરનારો બન્યો. પરંતુ માણેકચંદની માતા ભગવાન મહાવીરના શાસનમાં અપાર શ્રદ્ધા ધરાવતી સુશ્રાવિકા હતી. ગન્ધર્વ સ્મશાનમાં વસતા ગુરુદેવે એક માસની (માસક્ષમણની) તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો ત્યારે માણેકચંદને માતાએ આજ્ઞા કરી કે પારણાના દિવસે ગુરુદેવને ઘરે તેડી લાવજે. આમ તો ધર્મ–વિમુખ થઈ ગયેલો નાસ્તિક જ હતો, પરંતુ કંઈક શેષ રહેલા સંસ્કારના પ્રભાવે માતા માટેનો પૂજ્યભાવ ગુમાવી ચૂક્યો ન હતો. પરિણામે 'માતૃદેવો ભવ' માનનાર માણેકચંદ માતૃ-આજ્ઞા ઉલ્લંઘી શક્યો નહીં. પારણાને દિવસે તે ગુરુ મહારાજને તેડવા તો ગયો; પરંતુ સાધુઓના શિથિલાચારની ગ્રંથિ તેના મનમાં સાધુઓ તરફ દુર્ભાવનું નિમિત્ત બની ચૂકી હોવાથી તેને સ્મશાનમાં જ ગુરુદેવની પરીક્ષા કરવાની કુમતિ સૂઝી. કુતૂહલ અને મજાકના મિશ્ર ભાવે તેણે એક ધૃણાસ્પદ પિશાચકૃત્ય માણેકચંદે સ્મશાનમાંથી બળતી ચિતાનું બળતું લાકડું લાવીને કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુરુદેવની દાઢીને ચાંપ્યું. ગુરુનું મુખ અગ્નિજ્વાળાથી દાઝી ગયું, પરંતુ " પ્રવાતેfપ નિક્કM Uવ શિરઃ" એ ન્યાયે આચાર્યશ્રીના મુખ ઉપર વેદનાની નાની રેખા પણ ન ઊપસી. સમતાભાવના અગાધ વારિધિમાં ડૂબેલા સાધકનું ચિત્ત તો પ્રશાંત ભાવ જ ધારણ કરી રહ્યું હતું; કારણ કે ઘોર તપ-ઉપસર્ગો સહન કરનાર સંસારના સર્વોતમ તપસ્વી ભગવાન મહાવીરના તેઓ પરમ અનુયાયી હતા. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, " દેહની મમતા છોડીને એ ગાળામાં દેવ, મનુષ્ય યા તિર્યંચ જીવો તરફથી જે કાંઈ ઉપસર્ગો-કષ્ટો ઉત્પન્ન થશે તે સર્વે સમભાવપૂર્વક સમ્યગુરૂપે સહન કરીશ." આવા વિશ્વવંદ્ય પ્રભુના શાસનમાં થયેલ આચાર્યશ્રી આનંદવિમલસૂરિજીએ માણેકચંદના આ અધમ કૃત્યને સમભાવથી સહન કર્યું, આથી માણેકચંદનો અંતરાત્મા જાગૃત થયો અને તેના હૃદયનું પરિવર્તન થયું. મોહનો પ્રભાવ અને કષાયોની કુટિલતાને સમજતા ગુરુદેવે તો તેના તરફ પણ વાત્સલ્યનાં અમીઝરણાં જ વહાવ્યાં. તેથી તેના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. ગુરુદેવના પ્રેમવશીકરણે વશ થયેલો માણેકચંદ તે દિવસથી ગુરુદેવનો અનન્ય ભક્ત બની ગયો. Page #760 -------------------------------------------------------------------------- ________________ 744 તપાગચ્છાધિષ્ઠાયક વેપાર અર્થે પાલીમાં વસતા માણેકચંદે આગ્રહપૂર્વક ગુરુદેવને પાલીમાં ચાતુર્માસ કરાવ્યું. આ સમયગાળામાં તેણે ગુરુમુખેથી શત્રુંજય માહાભ્ય’ સાંભળ્યું અને તેના ભવિ આત્માને આ ગિરિરાજની યાત્રા કરવાની અભિલાષા જાગી. ઉત્કૃષ્ટ ભાવનાના યોગે તે પ્રતિજ્ઞા પણ કરી ચૂકયો " જ્યાં અનંત આત્માઓ સિદ્ધગતિએ ગયા છે, તેવા પરમ પવિત્ર ગિરિરાજના દર્શન કર્યા વિના અન્નજળનો ત્યાગ." સદ્ભાવનાની કોઈક પવિત્રતમ ક્ષણે તેણે આ પ્રતિજ્ઞા લીધી. સસ્તુ નીતા પ્રોક્ત શિત્રિવિતમક્ષરમ્ ! – ગિરિરાજની યાત્રા માટે તેણે સંઘ કાઢયો. વિશાળ સંઘ, વિશાળ માર્ગ, સુદૂર સિદ્ધગિરિરાજનાં ધામ છતાં એ સત્ય પ્રતિજ્ઞક અને ધર્મમાં સ્થિર માણેકચંદને ઉપવાસ ઉપર ઉપવાસો થવા લાગ્યા. પ્રત્યેક દિને આત્મશુદ્ધિ વધતી જતી હતી. એવા સાતમા દિવસે સમગ્ર સંઘ ઉ. ગુજરાતના સિદ્ધપુર નજીકના મગરવાડા સ્થળે પહોંચ્યો. આ દિવસોમાં મગરવાડામાં માનવવાસ ન હતો, પરંતુ ઘેઘૂર વનરાજિને ભયંકર લાગતું બીહડ વન હતું. અહીં પડાવ નાંખી વિશ્રામ કરતા સંઘ ઉપર ચોર-લૂંટારાઓએ હુમલો કર્યો, તેમાં માણેકચંદ ખૂબ ઘવાયો. તેનું ચિત્ત તો સિદ્ધગિરિના ધ્યાનમાં જ લીન હતું. પરિણામે શુભ ધ્યાનમાં મૃત્યુ પામી તે વ્યંતરનિકામાં માણિભદ્ર નામે છઠ્ઠા ઇન્દ્ર મહારાજા થયા. હવે પ.પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિજીના સમયમાં ગચ્છ–કલહોની કટુતા પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી હતી. ધર્મારાધના કરતાં કાળબળે દરેકને સ્વમત અને સ્વગચ્છની સર્વોપરિતા પુરવાર કરવાનો રસ પ્રગટવા લાગ્યો. તેથી શુદ્ધ ધર્માચરણને બાજુએ મૂકીને તત્કાલીન એક ગચ્છ–મતના કેટલાક સાધુઓ પ્રતિસ્પર્ધીઓનો પરાભવ કરવામાં જ જીવનની ઇતિશ્રી માનવા લાગ્યા. ' વિશ્રણનાં મવતિ વિનિપાત: તિમુરવ:' એ ન્યાયે કેટલાક સાધુઓ આ કલહમાં કાર્યાકાર્યનો વિવેક ચૂકીને, અધમાધમ માર્ગો અપનાવીને એકબીજાનો વિનાશ કરવાની હદ સુધી વિષમ કાળના પ્રભાવે ઊતરવા લાગ્યા. કહેવાય છે કે અમુક ગચ્છ – મતના સાધુઓએ ભૈરવની આરાધના કરીને તપાગચ્છીય અનેક સાધુઓનો વિનાશ કરાવ્યો. કોઈ પણ જીવોનો નાશ એ ધર્મનું લક્ષણ નથી, તેમાંય વળી અહિંસા જેના પ્રાણ અને જિનાજ્ઞા એ જ પરમ ધર્મ માનનાર જૈન શાસન માટે આ કૃત્ય નિંદનીય હતું.. ' ધ ધાતિ પ્રજ્ઞા ધારા ધર્મ:' ધર્મ તો આત્માને અહિંસા, સંયમ, તપ દ્વારા ગરિમામંડિત કરે. વળી મહાવીર ભગવાને તો કહ્યું છે કે – એવં ખુણાણિણો સાર જે ણ હિંસઈ કિંચણ / કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. આવા મહાન ઉપદેખાના અનુયાયીઓએ માત્ર તુચ્છ મહત્તા ખાતર પરસ્પરની આ દુષ્ટતાભરી પ્રપંચલીલા જાણીને ૫.પૂ. આ. શ્રી આણંદવિમલસૂરિજીનું હૈયું વલોવાઈ ગયું. પ્રશાંત જળભર્યા સરોવરશા શાંત હૈયામાં ગંભીર Page #761 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 745 વ્યથોર્મિઓની હારમાળા ઊઠી. તપાગચ્છની સમગ્ર સંભાળની જવાબદારી પોતાના શિરે હોવાથી આ ધુરાવાહકનું હૈયું ખિન બની ગયું. પરંતુ આટલેથી ચાલી શકે તેમ ન હતું. તેમણે પોતાનો વિહાર પાલનપુર તરફ ફેરવી મગરવાડાની વિશિષ્ટ ભૂમિની ઝાડીમાં વાસ કર્યો. શાસનનું હિત જેને હૈયે વસ્યું છે તેવા ખમતીધર તપાગચ્છના ગચ્છ ઉપરના સંકટને નિવારવા વિચારણા કરીને રાત્રિએ ધ્યાનસ્થ થયા ત્યારે માણિભદ્રદેવ તેમની સમક્ષ પ્રકટ થયા અને શાસનહિતાર્થે વિશ્વકલ્યાણની ભાવના માટે આજ્ઞા ફરમાવવા કહ્યું. આચાર્યશ્રીએ ગચ્છ–કલહોમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અને તેના પરિપાકરૂપે અમુક ગચ્છના સાધુઓના જુલ્મનું નિરૂપણ કર્યું. તેમ જ તેનું સત્વરે નિવારણ કરવા જણાવ્યું. માણિભદ્રદેવે આચાર્યશ્રીનું કથન શાસનભક્તિની ભાવનાથી સ્વીકાર્યું અને સત્વરે નિવારણ કર્યુંને સાથે સાથે પોતાના કાર્યના સ્મરણરૂપે તપાગચ્છીય ઉપાશ્રયોમાં પોતાની પ્રતિષ્ઠા થાય અને "ધર્મલાભ મળે એવી ભાવના વ્યક્ત કરી. પરિણામે, આજે પણ તપાગચ્છીય દેરાસરો–ઉપાશ્રયમાં માણિભદ્રદેવની મૂર્તિની સ્થાપના થયેલી જોવા મળે છે. જો તારામની 'ભેરૂગઢ(ઉજ્જૈન) માં શ્રી માણિભદ્રજીના , ઘર દેરાસરમાં અલક્ષ પાર્શ્વનાથ ધરણેન્દ્ર પદ્માવતિ દર્શનાર્થે આજે પણ મોજુદ છે. -૪ Page #762 -------------------------------------------------------------------------- ________________ 146 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રદાદાનું દિવ્ય સ્વરૂપ – ડો. અરુણોદયન. જાની યક્ષેન્દ્ર માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. આ દેવની સાધનાઉપાસના તમામ પ્રકારના ઉપસર્ગોને દૂર કરે છે તેવી વાતો જૈન મુનિવર્યો પાસેથી સતતપણે જાણવા માણવા મળે છે. માણિભદ્રજીના દિવ્ય સ્વરૂપનું સુરેખ વર્ણન તથા તેમની ઉપાસના-હવનના મંત્રો આ લેખમાં રજૂ થયા છે. આ લેખના લેખક શ્રી જાની સાહેબ સંસ્કૃત વિષયમાં સાક્ષર ગણાયા છે.૧૯૮૭માં તે વખતના ભારતના રાષ્ટ્રપતિના હાથે તેમને નૅશનલ ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે. વડોદરા યુનિવર્સિટીમાં સંસ્કૃત-પ્રાકૃત અને પાલી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તથા ઓરિયેન્ટલ ઇન્સ્ટીટયુટના ડાયરેકટર તરીકે તેમની સેવાઓ જાણીતી છે. ક્યા, વ્યાખ્યાન, વાંચન અને સંગીત તે એમના શોખના વિષયો રહ્યા છે. – સંપાદક જૈન ધર્મમાં કાલક્રમે અનેક ર્ભિન્ન ભિન્ન મતો અને સમાચારીઓ અસ્તિત્વમાં આવ્યા, તે ગચ્છના નામે ઓળખાય છે. દરેક ગચ્છ પોતાના રક્ષણ અને કલ્યાણ માટે પોતાના ઇષ્ટદેવની સ્થાપના કરી છે. તે દેવ તે ગચ્છનો અધિષ્ઠાયક દેવ કહેવાય છે, જેમ કે ખરતરગચ્છના અધિષ્ઠાયક દેવ કાળભૈરવ છે, અંચલગચ્છના અધિષ્ઠાયક મહાકાલી માતા છે. તેવી રીતે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ યક્ષેન્દ્ર શ્રી માણિભદ્ર દાદા છે. આ માણિભદ્ર દેવની ઉત્પત્તિ વિષે દંતકથા જ પ્રચલિત હતી; પરંતુ પાટણના એક જૈન ભંડારમાંથી મળી આવેલી એક પ્રાચીન હસ્તપ્રત ઉપરથી મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજે સોનગઢ (સૌરાષ્ટ્ર)થી ઈ. સ. ૧૯૪રમાં શ્રી માણિભદ્ર ચરિત્ર પ્રગટ કરી પ્રામાણિક વૃત્તાન્ત આપવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. (આ ગ્રંથમાં જે પ્રગટ કરેલ છે.) ઉજ્જૈનના માણેકચંદ શેઠ તપાગચ્છના અનુયાયી હતા. ખૂબ ધનાઢય હોવા છતાં ધાર્મિક પણ ખૂબ હતા. તેમની હવેલીમાં જિનમંદિર તેમ જ પૌષધશાળા પણ હતી. તેઓ પ્રતિમા–પૂજનમાં શ્રદ્ધાવાળા હોવાથી પ્રતિદિન દેરાસરમાં જઈદેવાધિદેવની પૂજા-ભક્તિ, આંગી અર્ચાદિ કરતા હતા. ' પરંતુ એક વખત લોકાગચ્છના શ્રી પદ્મનાભસૂરિનું પ્રવચન સાંભળી મૂર્તિપૂજા પ્રત્યે તેમને નફરત થઈ અને દેરાસરમાં જવાનું બંધ કર્યું. Page #763 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 747 તેમનાં માતુશ્રીને આની જાણ થતાં પારાવાર દુઃખ થયું. પોતાના એકના એક લાડકવાયા પુત્રને ફરીથી સન્માર્ગે લાવવા તેમણે ઘી-દૂધનો ત્યાગ કર્યો. સાસુની જાણ બહાર વહુએ પણ એવો જ અભિગ્રહ સ્વીકાર્યો. થોડા મહિના પછી ઉજ્જૈનમાં તપાગચ્છના આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા.નું શુભ આગમન થયું. એ દરમિયાનમાં સાસુનું શરીર અડધું થઈ ગયેલું જોઈને વહુને ખૂબ ચિંતા થઈ. તેણે કહ્યું કે, " આ વ્રત વધુ સમય ચાલે તે ઈષ્ટ નથી." સાસુએ કહ્યું, "બીજા ગરીબ લોકો ઘી-દૂધ વગર જીવે છે તો હું શું મરી જવાની છું?" એકાએક આવી પહોંચેલા માણેકચંદ શેઠે આ શબ્દો સાંભળ્યા. માતાજી તથા પત્નીએ લીધેલા કઠિન વ્રત વિષે જાણી તેમણે કારણ પૂછ્યું. માતાજીએ કહ્યું "દેવદર્શન બંધ કરી તું ઉન્માર્ગગામી થયો છે, તેથી તને સન્માર્ગે વાળવા મેં આ અભિગ્રહ લીધો છે." માણેકચંદ શેઠે કહ્યું : " માતાજી! મેં ધર્મત્યાગ કર્યો નથી. માત્ર મૂર્તિપૂજામાં મને આત્મકલ્યાણ દેખાતું નથી." માતાજી બોલ્યાં : " બેટા! એ વાત સાચી નથી. દેવપૂજન વગર આત્મકલ્યાણ શક્ય જ નથી." માતૃભક્ત માણેકચંદ શેઠે માની વાત સ્વીકારી આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજીને પોતાની હવેલીમાં આમંત્રી એમનો ઉપદેશ સાંભળ્યો અને તેમની વાણીથી પ્રભાવિત થઈ ફરીથી દેરાસર જવા માંડ્યું. વેપારાર્થે નીકળેલ માણેકચંદ શેઠ રાજસ્થાનમાં પાલીમાં આવ્યા. ત્યાં આચાર્ય હેમવિમલસૂરીશ્વરજી મ.સા.નું ચતુર્માસ ચાલતું હતું. આચાર્યશ્રી પાસે તેઓ રોકાઈ ગયા. તેમાં શત્રુંજય માહાસ્ય ઉપરનાં વ્યાખ્યાનો સાંભળી તેમને તે સિદ્ધાચલની યાત્રા કરવાની તીવ્ર ભાવના થઈ. ચાતુર્માસ પૂર્ણ થયે આચાર્યશ્રીના આશીર્વાદ મેળવી માણેકચંદ શેઠ એકલા યાત્રા માટે નીકળ્યા. રસ્તામાં પાલણપુર પાસેના મગરવાડા ગામ નિકટના જંગલમાંથી પસાર થતાં લૂંટારાઓએ તેમને પડકાર્યા, પરંતુ પોતે ધર્મધ્યાનમાં તલ્લીન હોવાથી ઊભા ન રહ્યા. લૂંટારાઓએ હુમલો કરી તેમના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. ધર્મધ્યાનમાં શરીર છૂટવાથી તેમનો આત્મા વ્યંતરોના સોળ ઇન્દ્રો પૈકી યક્ષેન્દ્ર માણિભદ્ર બન્યો. બીજી બાજુ લોંકાગચ્છના પદ્મનાભસૂરિને ખબર પડી કે તેમના ભક્ત માણેકચંદ શેઠને આચાર્ય હેમવિમલસૂરિજીએ પોતાના તપાગચ્છમાં પાછા વાળી દીધા છે. તેથી તેમણે વેર વાળવા કાળા-ગોરા ભૈરવની મંત્રસાધના કરી હેમવિમલસૂરિજીના દશ શિષ્યોને મરાવી નખાવ્યા. છેલ્લો અગિયારમો શિષ્ય પણ મરણપથારીએ હતો. આચાર્યશ્રીને શાસનદેવીએ ધ્યાનમાં સૂચવ્યું: " ગુજરાત તરફ તમારો વિહાર થશે ત્યારે આ ઉપદ્રવનો અંત આવશે." Page #764 -------------------------------------------------------------------------- ________________ 148 તપાગચ્છાધિષ્ઠાયક આચાર્યશ્રી વિહાર કરતા ગુજરાતમાં પાલનપુર પાસે મગરવાડા પધાર્યા. ત્યાં અટ્ટમપૂર્વક ધ્યાનમાં બેઠા. તેમના ધ્યાનથી યક્ષેન્દ્ર માણિભદ્રનું સિંહાસન ડોલી ઊઠ્યું. અવધિજ્ઞાન પ્રયોજી કારણ જાણી પોતે ગુરુદેવ સમક્ષ હાજર થયા. પોતાની ઓળખ આપી અને આ જ સ્થાનમાં પૂર્વભવે પોતાની વીરગતિ થઈવગેરેની જાણ કરી. ત્યાર બાદ ગુરુદેવશ્રીએ ઉપદ્રવની સર્વ હકીકત કહી. માણિભદ્રજીએ અવધિજ્ઞાનથી કારણ જાણી કાળા-ગોરા ભૈરવને પોતાની પાસે હાજર કરાવી ઉપદ્રવ બંધ કરવા આજ્ઞા કરી. પણ ભૈરવ પોતે મંત્રાધીન હોવાથી એ શક્ય નથી એમ જણાવતાં માણિભદ્ર ઇન્દ્ર તેમની સાથે ભયંકર યુદ્ધ કરી તેમને હરાવી ઉપદ્રવ બંધ કરાવી પોતાની ગુરુભક્તિ પ્રગટ કરી. માણેકચંદ શેઠના શરીરના ત્રણ ટુકડા પૈકી મસ્તકનો ભાગ ઉજ્જૈનમાં સિદ્ધવડ ખાતે, ધડનો ભાગ આગલોડ (વિજાપુર પાસે માં અને પગની પિંડીનો ભાગ પાલનપુર પાસે મગરવાડામાં આજે ય પૂજાય છે. સંવત ૧૭૩૩ (ઈ.સ. ૧૬૭૭)માં શ્રી શાંતિસોમસૂરિજીએ એકસો એકવીસ દિવસ ઉપવાસ કરી શ્રી માણિભદ્ર દાદાને સાધ્યા અને તેમની વિનંતીથી તેમણે નિર્દિષ્ટ કરેલા આગલોડ ગામની બહાર આવેલા સ્થાનમાં માટીના પિંડનું ધડ સ્વરૂપે મહા સુદ પંચમીએ સ્થાપન કરાવ્યું. શ્રી માણિભદ્ર દાદાએ પ્રત્યક્ષ થઈ આંખ મીંચીને ફરી ઉઘાડવાની વિનંતી કરી. શ્રી શાંતિસોમસૂરિજી મહારાજે આંખ ઉઘાડી. તેમને આશ્ચર્ય થયું, તેમણે પોતાની જાતને આગલોડને બદલે મગરવાડામાં જોઈ. સં. ૧૯૫૫ (ઈ.સ. ૧૮૯૯)માં ચૈત્ર સુદ છઠ ને મંગળવારે વિજાપુરના શ્રી અમૃતવિજયજી મહારાજે ૨૧ દિવસ અનુષ્ઠાન આગલોડમાં કર્યું હતું. શ્રી માણિભદ્ર દાદાનું દિવ્ય સ્વરૂપ પોતાના ગુરુ શ્રી હેમવિમલસૂરિજી મ. સા. પાસે જ્યારે યક્ષેન્દ્ર શ્રીમાણિભદ્ર પ્રગટ થયા ત્યારે તેઓએ સ્વમુખે પોતાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. તદનુસાર દાદાના મસ્તક ઉપર મહા–તેજસ્વી માણેકાદિ દિવ્ય રત્નોથી જડિત સોનાનો મુકટ છે. અન્ય અંગો અને ઉપાંગી પણ રત્નજડિત આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરનો વર્ણ મેઘશ્યામ છે. તેમના હાથ, પગ, મુખ, નાક, ઓષ્ઠ (હોઠ) અને જીભ લાલ છે. તેઓનું મુખ વરાહ (ગંડા)ના મુખ જેવું એક શીંગડાવાળું છે. કેટલાક તેમને અજ (બકરા)ના મુખવાળા કહે છે તે યોગ્ય નથી, કારણ કે બકરાને શીંગડું હોતું નથી. તે દંકૂશળ ઉપર જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા શોભી રહી છે. તેના ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે તેમાં શ્રી આદીશ્વરજી ભગવાન બિરાજમાન છે. તેમના દર્શન સતત થઈ શકે તે માટે તેઓ પોતાનું મુખ પ્રભુ સન્મુખ-ત્રાંસું રાખે છે. તેઓશ્રીના કંઠમાં મોતીની માળા છે અને પગમાં નૂપુર છે. હાથની સંખ્યા છે છે. પ્રત્યેક હાથમાં રત્નજડિત સોનાનાં કડાં ધારણ કર્યા છે. આયુધો અંગે જુદી જુદી મૂર્તિઓમાં નીચે જણાવ્યા પ્રમાણે ભિન્નતા જોવા મળે છે. Page #765 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 749 (૧) જમણા હાથમાં (નીચેથી) ડમરુ, માળા અને ગદા તથા ડાબા હાથમાં (નીચેથી) ત્રિશૂલ, નાગપાશ અને અંકુશ છે. (ર) જમણા હાથમાં (નીચેથી) વરદ, અંકુશ અને ગદા તથા ડાબા હાથમાં (નીચેથી) ડમરુ, નાગપાશ અને કપાલ છે. (૩) આત્મવલ્લભજી રચિત " શ્રી માણિભદ્ર યક્ષ કી સ્તુતિ" પ્રમાણે, ચતુર્ભુજ સ્વરૂપ) " મંજર, અંકુશ, નાગ, વજર ભુજ ગુરજ મુખધારા; રૂપ અવતાર વરાહ સરીખા, ગજ પર અસવારા. (૪) માણિભદ્રના એક છંદ પ્રમાણે ખડ, ભુજા ભયહર ખગ્ન, વિષધર પાશ, પાણી પીઠાકએ, ખગ્ન, શૂલ, કપાલ, માલા, ડમક ડમરુ ડાક એ. (૫) શ્રી દીપવિજયજી કૃત આરતી અનુસાર ડાક, ત્રિશૂલ, ફૂલમાલા પાશાંકુશ છાજે. એક કર દાનવ મસ્તક એમ ષડૂ ભુજ રાજે – જયદેવ (રચના સંવત ૧૮૬૫ = ૧૮૦૯ ઈ. સ.), (૬) શ્રી આનંદસોમસૂરિ રચિત આરતી પ્રમાણે – ખગ્ર ત્રિશૂલ, ડમરુ ગાજે મગદળ, અંકુશ, નાગ બિરાજે, આમ, આયુધોની બાબતમાં મૂર્તિભેદે ભિન્નતા જણાય છે. માણિભદ્ર છંદમાં " આગીઆ હામિ ઠામિ પીઠ પર સિદ્ધ તુજ ખરા " એ પંક્તિથી દાદાજીની પીઠ પર ઠામે ઠામે આગીઆ હોવાનું વર્ણન છે. આગલોડમાં આવેલ ' આગ' શબ્દ ઉપરથી આવી કલ્પના થઈ હશે એમ અનુમાન કરી શકાય. ત્યાં પડેલા ધડમાંથી તેજના તણખા નીકળ્યા હોય તે આગિયા જેવા લાગતા હશે. વાહન – દાદાનું વાહન સાત સૂંઢવાળો ઈન્દ્રનો ઐરાવત હાથી છે. તેની પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કુંભ છે અને બાકીની સૂંઢમાં લાલ કમળો છે. હાથીના શરીર ઉપર પણ સુવર્ણના રત્નજડિત અલંકારો શોભે છે. તેમની સેવામાં બાવન વીર, ચોસઠ જોગણીઓ, વીસ હજાર સામાનિક દેવો, કાળા-ગોરા ભૈરવ અને બટુક ભૈરવ ઇત્યાદિ દેવો હાજર હોય છે. નવ હજાર ગજરાજ જેટલું એમનું અકણ બળ છે. શ્રી માણિભદ્ર દાદાનું આવું દિવ્ય સ્વરૂપ છે. મહા સુદ પાંચમે સોમસૂરિજીએ આગલોડમાં સ્થાપના કરી હોવાથી તે પાટોત્સવનો દિવસ છે. વૈશાખ સુ.૩ (અખાત્રીજ) પણ સાધના માટે અનુકૂળ મનાય છે. વિધિ- આ શુભ દિવસોએ સાધકે આયંબિલનું તપ કરવું. ધૂપ-દીપ, અષ્ટક દ્રવ્યથી Page #766 -------------------------------------------------------------------------- ________________ 750. તપાગચ્છાધિષ્ઠાયક દાદાનું પૂજન કરી મંત્રજપ કરવો. શ્રી દાદાને તેલ, સિંદૂર ચઢાવી લાલ પુષ્પોથી અર્ચન કરવું. સુખડી (ગોળપાપડી), લાડુ કે લાપશીનું નૈવેદ્ય ધરાવવું. પૂ. દાદાને પ્રસન્ન કરવા તે તે કાર્યની સિદ્ધિ માટે નીચે જણાવેલા નવા મંત્રો પૈકી કામનાનુસાર તે તે મંત્રનો જપ કરવો. જપમાં સાવધાની રાખવી. ગુરુની નિશ્રામાં સાધના કરવી તે ઈષ્ટ છે. . યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજીના મંત્રો (૧) પાપનાશ માટે गजरत्न समारूढस्तपगच्छसुरक्षकः। यक्षेन्द्रमाणिभद्रोऽयं हन्तु पापमहर्निशम् ॥ અર્થ-શ્રેષ્ઠ હાથી (ઐરાવત) ઉપર બેઠેલા તપગચ્છના રક્ષક (અધિષ્ઠાયક) આ યક્ષેન્દ્ર માણિભદ્ર (અમારા) પાપનો સદા નાશ કરો. (૨) આધિ, વ્યાધિ, વિપત્તિ અને મહાભયના નાશ માટે ॐ ह्रीं श्रीं क्लीं महावीर माणिभद्र महाबल । आधि व्याधि विपत्तिंच महाभीतिं विनाशय ॥ અત્યન્ત બળવાળા, મહાવીર, હે માણિભદ્ર ! મારી આધિ (માનસિક રોગ), વ્યાધિ (શારીરિક રોગ), વિપત્તિ અને મારા મહાભયનો નાશ કરો. (૩) સમૃદ્ધિ તથા કુશળ માટે यक्षेन्द्रः स्वच्छमूर्तिर् जिनपतिचरण सेविनां सिद्धिदाता । . आरूढो दिव्यनागं मुनिपतिविमलानन्दसेवाप्रवीणः । क्रोडास्यो दिव्यरूपः सुरमणि - सुरभि कामकुम्भैः समानो यक्षः श्रीमाणिभद्रः प्रदिशतु कुशलं सिद्धि-बुद्धिं समृद्धिम् ।। અર્થ – યક્ષોના રાજા, સુંદર સ્વરૂપવાળા જિનપતિ ( તીર્થંકરો)ના ચરણની આરાધના કરનારાઓને સિદ્ધિ આપનાર, દિવ્ય (ઐરાવત) હાથી ઉપર આરૂઢ, મુનિ પતિ હેમવિમલાનન્દ સૂરિજીની સેવામાં પ્રવીણ, વરાહના મુખવાળા સુરમણિ (ચિંતામણિ) સુરભિ (કામધેનુ) અને કામકુંભ (કલ્પવૃક્ષ) જેવા, શ્રી માણિભદ્ર યક્ષ મને કુશળ, સિદ્ધિ, બુદ્ધિ અને સમૃદ્ધિ આપો. Page #767 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 151 (૪) સર્વકાર્યની સિદ્ધિ માટે ॐ अहँ नमः । ॐ असिआउसा नमः। श्रीमाणिभद्रः दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् । (नाप : भूण मंत्र यक्षेन्द्रो माणिभद्रो दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् । – मावो शे એમ સમજાય છે.) (५) सभी तांत्रि मंत्र ॐ ह्रीँ श्रीँ भगवते श्रीमाणिभद्राय हौं श्रौं कण कण क्लौं कण कण फट फट् स्वाहा । પ્રતિપક્ષ દ્વારા કરવામાં આવેલ આભિચારિક પ્રયોગોનાનિવારણ માટે આ મંત્રની ઉપાસના विहित छ. () ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ___ॐ ह्रीं श्रीं क्लीं क्लीं की श्री माणिभद्रवीराय . चतुर्भुजाय, हस्तिवाहनाय मम कामार्थ सिद्धिं कुरु कुरु स्वाहा । (૭) શ્રી માણિભદ્ર માલામંત્ર ॐ नमो भगवते माणिभदाय, क्षेत्रमालाय, कृष्णरूपाय, चतुर्भुजाय, जिनशासनभक्ताय, नवनागसहस्रबलाय, किंनर किंपुरुष - गन्धर्व - यक्ष - राक्षस- भूत-प्रेत- पिशाच सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा, मां रक्ष रक्ष स्वाहा । सामंत्र बोलतां पडेनां श्री माणिभद्रदेव, एष योगः फलतु । मेवी प्रार्थन। उ२वी. અં મંત્રના જપથી ભૂતપ્રેતાદિ દુષ્ટ તત્ત્વના ઉપદ્રવમાંથી રક્ષણ મળે છે. (૮) ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ વિ.ના સ્વપ્નમાં દર્શન માટે. ॐ ह्रीं श्रीं क्लीं क्लीं क्लीं माणिभद्र च्टकाय सर्वसिद्धिकराय, मम स्वप्ने अमुकं दर्शय दर्शय स्वाहा । मा येटविद्यानो मंत्र छ. तेमा 'अमुक 'सन्यु छ तेनी ४२याणे साप पोताने हे घट વસ્તુ કે વ્યક્તિને જોવાની ઇચ્છા હોય તેનું નામ મૂકવું. (૯) શ્રી માણિભદ્રવીરને સિદ્ધ કરવાનો ચેટકમંત્ર ॐ ह्रीं माणिभद्र चेटकाय रुद्राय मम अन्तरात्मने आगन्तुक सर्व सृष्टिं दर्शय दर्शय स्वाहा । Page #768 -------------------------------------------------------------------------- ________________ 752 તપાગચ્છાધિષ્ઠાયક આ મંત્રની ઉપાસના ગુરુની હાજરીમાં કરવી. જાતે કરવામાં જોખમ છે. (૧૦) હોમમાં આહુતિનો મંત્ર ૩% ડ્રીં શ્રીમાળમદ્રાય પૂર્ણમદ્રાય ઢ: 8: દ્રૌં સ: : સ્વાહી | ઉપર્યુક્ત મંત્રોની સાધનાવિધિ, હોમવિધિ, કલશ સ્થાપન વિધિ, મહાપૂજન વિધિ ઇત્યાદિ વિધિઓ અને અનુષ્ઠાન માટે પૂ. આનંદઘનસૂરિજી મ. સા. દ્વારા સંયોજિત " શ્રી માણિભદ્ર વીર મહાતીર્થ આગલોડ" – એ પુસ્તિકા જોવી. સંદર્ભ ગ્રન્થો. (૧) મુનિ શ્રી ચારિત્રવિજયજી – શ્રી માણિભદ્ર ચરિત્ર, સોનગઢ (સૌરાષ્ટ્ર) સં. ૧૯૯૮ (ઈ.સ. ૧૯૪૨). (૨) કલ્યાણ સાગર – યક્ષેન્દ્ર માણિભદ્રજીનો પરિચય, શ્રી સીમંધર સ્વામી જિનમંદિર પેઢી, મહેસાણા, સં. ૨૦૫૧(ઈ. સ. ૧૯૫) (૩) શ્રી વિજય આનંદધનસૂરિ, શ્રી માણિભદ્ર વીર મહાતીર્થ, આગલોડ. श्री भाशिम द्रष्ठाना भन्त्रो गजरत्न सामारुढस्तपगच्छ सुरक्षकः ।। यक्षेन्द्रमाणिभद्रोडयं,हन्तु पापमहर्निशम् ॥१॥ ॐ ह्रीं श्रीं क्ली महावीर माणिभद्र महाबल ! । आधिं व्याधि विपत्तिं च,महाभीतिं विनाशय ।। यक्षेन्द्रः स्वच्छमूर्तिर् जिनपतिचरणासेविनां सिद्धिदाता, - आरुढो दिव्यनागं मुनिपतिविमलानन्दसेवाप्रवीणः । कौ ण्डास्यो दिव्यरुपः सुरमणि - सुरभिकामकुम्भैस्समानः, यक्षः श्री माणिभद्र ! प्रविशतु कुशलं सिद्धि बुद्धि समृद्धिम् ॥३॥ Page #769 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 753 હાલાર તીર્થ – આરાધના ધામ. ભરતી ઓટથી ધમધમાટ કરતા અરબી સમુદ્રના કાંઠે.. હાલારની અદ્ભુત હૈસિયત ધરાવતી ધરા ઉપર સિંહણ નદીના કિનારે ડેમના લહેરાતા... જળના તરંગોના ઓથારે અત્યંત લીલીછમ વનરાજી અને હરિયાળીથી સૌના મનને મોહી લેતા વિવિધ ફળોના બગીચાઓની વચ્ચોવચ્ચ ભવ્ય ઉત્તુંગ જિનાલય... તેમાં છે.... આંખોમાં અમી ઊભરાતી નયનરમ્ય, મનમોહક, શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા....! હાં... કે જેના દર્શનથી આંખોને ઠંડક મળે છે. હૈયાને હાશકારો મળે છે; ચિત્ત આનંદના પૂરથી ઊભરાઈ જાય છે. આવા આ તીર્થસ્થાનમાં, તીર્થયાત્રા જુહારતાં... જુહારતાં.....થશે કે ખરેખર....! આ ૨૧મી સદીનું તીર્થસ્થાન જે 9 k રે આ તીર્થસ્થાન પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાની પુન્ય સ્મૃતિમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના સદુપદેશથી પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મ. સાહેબજીના પાવનીય માર્ગદર્શનપૂર્વક.......... મહામાનવ, શ્રેષ્ઠિવર્યશ્રી વાઘજીભાઈ નાગપાર શાહનાં પુન્ય પુરુષાર્થ દ્વારા હાલારી વિશા–ઓશવાળોનાં તથા સકળસંઘોના સહકારથી અસ્તિત્વને પામેલું છે..... અહીં ધર્મશાળા, ભોજનશાળા વગેરે ખુબ જ ભવ્ય છે..... અનાથ અબોલ જીવોના આશ્રય રૂ૫ પાંજરાપોળ પણ છે. તથા અહીંથી અનેક પુચકાર્યો પણ થાય છે.... જેમ કે...... ૧. હાલારનાં ગામોમાં રહેલાં દેરાસરોમાં ત્યાંની જરૂરિયાતોને પૂરી કરાય છે. બાવન ગામોમાં સામાન્ય શક્તિવાળા જેન–અર્જનોને રોકડ-અનાજ-કાપડ વગેરે સહાય. પક્ષીઓને ચણ વિતરણ. બાળકોને ભણવા માટેની આવશ્યક વસ્તુઓ–પેન-નોટબુક-ફૂટપટ્ટી–લંચબોક્ષ- વગેરેનું વિતરણ. નાનાં-નાનાં બાળકોની આવતી ટ્રિપ, તે બાળકોને અવસરે ચોકલેટની પ્રભાવના...: ૬. સર્વરોગ નિદાન કૅમ્પ. પશુરોગ નિદાન કૅમ્પ. ગામ કે શહેરમાં કોઈપણ મહોત્સવ પ્રસંગ હોય તો તેમાં શણગાર માટેની સામગ્રી અપાય છે.... હાલાર તીર્થની આસપાસ જામનગર એટલે અર્ધશત્રુંજયની ઉપમાને વરેલું તીર્થધામ. ત્યાં ૨૨-૨૨ જિનમંદિરો છે. ત્યાં ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે.... જામખંભાળિયામાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાનું સ્મૃતિમંદિર છે. ત્યાં શ્રી આદિનાથ ભગવાનનું ખૂબ જ મનોહર જિનાલય છે. જામનગર શ્રી રાસંગપરાના પાટિયાથી મોડપર તીર્થ પાકી સડક છે, ત્યાં પ્રાચીન શ્રી સુપાશ્ર્વનાથ ભગવાન છે. અહીંથી પોરબંદર ૮૧ કિ.મી. છે. ત્યાં પ્રાચીન ત્રણ જિનાલય છે. અને ત્યાંથી ૪૫ કિ.મી.ના અંતરે વેરાવળ રોડ ઉપર શ્રી બળેજ તીર્થ આવેલ છે. ખૂબ જ ચમત્કારિક પ્રાચીન ભવ્ય પ્રતિમાજી છે. જિનાલય પણ ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. તેનું જીર્ણોદ્ધાર ટૂંક સમયમાં જ થયેલ છે. છે : (ku Page #770 -------------------------------------------------------------------------- ________________ 754 તપાગચ્છાધિષ્ઠાયક પંચતીર્થી માટે ગામો નજીક-નજીક છે, જિનાલયો ખૂબ જ સુંદર-સોહામણાં છે. પરમાત્મા પણ નયનરમ્ય છે. આવા આત્મિક આરાધના માટે, શાંત-પ્રશાંત વાતાવરણવાળા તીર્થમાં આજ સુધી વા વર્ષના ટૂંકા ગાળામાં ૫ લાખથી વધુ ભાવિકો પધારી ચૂકયા છે અને નિત્ય દિન-પ્રતિદિન વધુને વધુ ભાવિકો પધારી રહ્યા હાલારતીર્થ આરાધના ધામ જવા માટે મુંબઈ, અમદાવાદથી જામનગર-જામખંભાલિયા ટ્રેઈન દ્વારા તથા જામનગરથી હાઈવે રોડ ઉપર ૪૫ કિ.મી.ના અંતરે અને જામખંભાળિયા થી... જામનગર તરફ ૧૧ કિ. મી. અંતરે રહેલું છે ... આવવા જવા માટે બસ-રિક્ષા-ટેમ્પો-ટેક્ષી આદિ સાધનો મળે છે. ' પરમ પૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય, પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય – સંપાદિત-સંશોધિત શાસ્ત્રીય – ભાષાંતર ગ્રંથો * પ્રવચન રારોદ્ધાર ભાષાંતર ભાગ-૧. ભાગ-૨. કર્તા પૂજય આચાર્યશ્રી નેમિચંદ્રસૂરિજી. અનુવાદક :- પૂજ્ય મુનિરાજ શ્રી અમિતયશવિજય મહારાજ. ૨૭૬ દ્વારો, ૧૦૦ ગાથાનો ગ્રંથ બે ભાગ- ક્રાઉન ૮ પેજી સાઈઝનાં ૧૦૦૦ જેટલાં પેજમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, વિધિ, આરાધના, સમ્યકત્વ, શ્રાવકધર્મ, સાધુધર્મ, જીવ સ્વરૂપ, કર્મસાહિત્ય, તીર્થકર, સિદ્ધને લાગતાં લગભગ પાસાંઓને આવરી લેતું આ ભાષાંતર આગમ ખજાનો છે. * પ્રકરણ રત્નાવલી . કર્તા વિવિધ પૂર્વાચાર્યો. ૧) શ્રી જીવાભિગમ, ૨) શ્રી નિગોદ પદ્ગિશિકા, ૩) શ્રી સમ્યકત્વ સ્તવ, ૪) શ્રી કામ સ્થિતિ, ૫) શ્રી વિચાર પંચાશિકા, ૬) શ્રી સિદ્ધ પંચાશિકા, ૭) શ્રી સિદ્ધ દંડિકા, ૮) શ્રી વિચાર સપ્તતિકા, ૯) શ્રી લોકનાલિકા, ૧૦) શ્રી પુદ્ગલ પરાવર્ત, ૧૧) શ્રી કાલ સપ્તતિકા, ૧ર) શ્રી ભાવ પ્રકરણ, ૧૩) શ્રી લઘુ પ્રવચન સરોદ્ધાર, ૧૪) શ્રી સમયસાર. આ ૧૪ પ્રકરણોનાં મૂળ તથા અનુવાદ–ચિત્ર-યંત્રો સહિત. * સુત્તમ વારિત્રાળ . કર્તા પૂજ્ય પૂર્વાચાર્યો. સંસ્કૃતની બુકોના અભ્યાસ પછી વાંચનમાં પ્રવેશ કરવા માટે વિવિધ મહાપુરુષો તથા પ્રસંગો નાં ગદ્ય ચરિત્રો એકત્રિત કરીને તેના સમાસો–અઘરા શબ્દોની ટિપ્પણ કરીને તૈયાર કરેલ આ ગ્રંથ, સંસ્કૃત વાંચન માટે અત્યંત સુબોધ છે. * ચૌદ ગુણ સ્થાનક:- કર્તા પૂજ્ય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા આત્મવિકાસક્રમનાં ચૌદ પગથિયાં રૂપ ચૌદ ગુણસ્થાનક શ્રેણીને સમજાવતી ભાષાંતર પુસ્તિકા. Page #771 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 755 * પ્રાકૃત વ્યાકરણમ્ કર્તા : શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પ્રાકૃતના અભ્યાસીઓ માટે અષ્ટમ અધ્યાય, પહેલી આવૃત્તિ પૂર્ણ થતાં ટૂંક સમયમાં જ આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. * લોકપ્રકાશ :- પરમ ઉપકારી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ આગમોમાંથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપે ચાર વિભાગમાં ૨૧૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથરચના કરી, તેનું ભાષાંતર આ ચાર ગ્રંથોમાં વિવિધ સંઘોના સહકારથી પ્રકાશિત થયેલ છે. ટૂંક સમયમાં બીજી આવૃત્તિ છપાઈ છે. * શ્રી સિદ્ધહેમ બ્રહવૃત્તિ – લઘુન્યાસસહિત. અઢાર હજાર શ્લોક પ્રમાણ - ટીકા સહિત ત્રણ ભાગમાં આ વ્યાકરણનો ગ્રંથ પ્રકાશિત થયેલ છે. * વિશેષાવશ્યક ભાગ – ૧-૨. આ ગ્રંથ મલ્લાધારી શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતે વૃત્તિ સહિત કરેલ છે..... પાંચજ્ઞાન–સામાયિક-ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી– દ્રવ્યાનુયોગ- સુશિષ્ય-શિષ્ય જેવા વિવિધ વિષયો ઉપરાંત પરમાત્મા આદિનાથ ભગવાન- મહાવીરસ્વામી ભગવાન- ઉપસર્ગો, સમવસરણમાં પર્ષદાને બેસવાની રીતિ વગેરેનું વર્ણન છે. બીજા ભાગમાં ગણધરવાદ-નમસ્કાર નિયુક્તિ એટલે નમસ્કારમંત્ર કરેમિ ભંતે સુત્રનું સવિસ્તર વર્ણન છે. આ ગ્રંથ આગમગ્રંથ પછીનો ન્યાયથી પરિપૂર્ણ વિશિષ્ટ ગ્રંથ છે. તેનો અનુવાદ સ્વ. ચુનીલાલ હકમચંદે કરેલ છે. * સુલભ કાવ્ય પ્રવેશિકા : સંસ્કૃતની બે-ત્રણ બુકો કે વ્યાકરણનો અભ્યાસ થયા પછી કાવ્ય-વાંચન આદિમાં પ્રવેશ કરવા માટે પ્રારંભિક ખંડાન્વય-દંડાન્વય, સમાસ, પદચ્છેદ-વિગ્રહ આદિ કેવી રીતે કરવા તે માટે સકલાઈ, તથા શ્રી ભક્તામર સ્તોત્રનું સંકલન પ્રેક્ટિકલ રૂપે કરેલ છે. આ પાઠ્યપુસ્તક રૂપે મહાત્માઓને ઉપયોગી ગ્રંથ છે. * પાર્શ્વનાથ ચરિત્ર–મૂળ : પરમ પૂજ્ય ભાવદેવસૂરિ કૃત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ. તેમાં દેશનામાં ધનાદિ ધર્મો બાર વ્રતો, તેનો ઉપદેશ તથા કથાનકો ખૂબ જ રોચક છે. * આત્મા-ઉત્થાનનો પાયો : પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના આત્મા–મૈત્યાદિ ભાવો– સમ્યગુદર્શન–ભક્તિ આદિ વિષયો ઉપર લખેલા સેંકડો ચિંતાનોનાં પુસ્તકોનું સંકલન કરીને આ બીજા વૉલ્યુમ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. પરમ પૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી.. ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં.. નમસ્કારમંત્ર મૌલિક-શાસ્ત્રસાપેક્ષ-ચિંતન-મનન-અનુપ્રેક્ષાથી ભરપૂર ખજાના રૂપ * શ્રી કૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં નવકારનાં બધાં જ પુસ્તકોનું એક સંકલન રૂપ, ભવ્ય-વિરાટ વૉલ્યુમ. * આરાધના-સાધના માટે પ્રેરક હિતશિક્ષા, હિતચિંતા, પ્રેરણાઓથી ભરપૂર... વિવિધ મહાત્માઓ તથા શ્રાવકો ઉપરના પૂજ્યશ્રીના ૧૦૦૦ જેટલા પત્રોથી સંકલન રૂપ દશ પુસ્તકો... ! ૧. આશીર્વાદની અમીવૃષ્ટિ પ્રેરણાપત્રનો સોનેરી પ્રકાશ ૪. ગુરુદેવનો પત્રપ્રકાશ. તાત્ત્વિક પત્રવેલી. ૨. અમીદ્રષ્ટિથી સંયમસૃષ્ટિ કલ્યાણકારી પત્રમાળા. ૫. આધ્યાત્મિક પત્રમાળા. શાંતિ-સમાધાનકારી પત્રો. ૩. પ્રેરણાનું અમૃતપાન. પ્રેરક પત્ર-પરિમલ. Page #772 -------------------------------------------------------------------------- ________________ 756 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી મહાવીરાય નમઃ શ્રી સર્વોદય પાર્શ્વનાથાય નમઃ શ્રી ગણધરાય નમઃ શ્રી ચારિત્રરત્ન ફા. ચે. ટ્રસ્ટની શુભ પ્રવૃત્તિઓ વિ.સં. ૨૦૪૭માં આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે. ૨૦ વર્ષ બાદ ટ્રસ્ટનું વિસર્જન કરવાની ભાવના છે. ટૂંક સમયમાં થયેલ કાર્યોની સંક્ષિપ્ત નોંધ ગૃહમંદિર યોજના:- શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવ્યું છે, દરેક શ્રાવકના ઘરે ગૃહમંદિર હોવું જોઈએ. એ વાતને લક્ષમાં રાખી ટ્રસ્ટે ૨ ફૂટવાળા ૧૫૧ ગૃહમંદિર તૈયાર કરી વિતરણ કરેલ. જિન પ્રતિમાજી :- પંચધાતુના કમલાકારે સાત ઈચ સુધીના પ્રભુજી ૧૮ અભિષેક કરાવીને ૧૫૧ જેટલા શ્રાવકોના ઘરોમાં સબહુમાન ભેટ અપાયેલ. ગુરુમૂતિ :- અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિઓનું નિર્માણ કરાએલ છે. તાપ્રયંત્ર:-- ૨૪ તીર્થંકર પ્રભુજીના, ૧૧૧ પાર્શ્વનાથ પ્રભુજીના, ૨૦ વિહરમાન વગેરે ૧૭૦ જેટલાં તાપ્રયંત્રોનું * સંકલન થયેલ છે. દેરાસર માટે આ તાપ્રયંત્રો નકરાથી યા ભેટ રૂપે અપાય છે. પ્રાચીન સાહિત્ય:- સંસ્કૃતમાં શ્લોક–અન્વય-વિવરણ-સરલાર્થ સાથે હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી એમ પાંચ ભાષા અને આઠ વિભાગમાં ૧૩૫ બુકો પ્રકાશિત થઈ રહી છે. પૂજ્ય સાધુ સાધવજીને તથા જ્ઞાનભંડારોને આ સાહિત્ય ભેટ અપાય છે. ૪૫ આગમ યોજના :- મૂળ અર્થ – સચિત્ર પ્રકાશિત કરવા ભાવના છે. અર્વાચીન સાહિત્ય:- ગુણમંજૂષાના અન્વયે ૧ થી ૫૧ વિભાગમાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયેલ હાલ અપ્રાપ્ય છે. પૂ. આ. ગુણસાગરસૂરિ પ્રાકૃત વિદ્યાપીઠ :- પૂર્વ મહારાષ્ટ્રમાં ૯ કૉલેજોમાં પ્રાકૃત શિક્ષણ અપાઈ રહ્યું છે. છેલ્લાં ૪ વરસમાં વિદ્યાપીઠે ૨૩૪૫ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી છે. પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિ જ્ઞાન સંસ્કાર શિબિર:-છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ ૧૨ જ્ઞાનસંસ્કાર શિબિરોનું આયોજન થયેલ છે. સેંકડો બાળકોએ લાભ લીધેલ છે. દેવગુરુની પરમકૃપાએ ટ્રસ્ટ તરફથી ઉપરોક્ત આયોજનો થઈ રહ્યાં છે. ભવિષ્યમાં વિસ્તૃત કરવા ભાવના છે. આપ સૌના સહકારની અપેક્ષા. લિ. ટ્રસ્ટ મંડળ કાર્યાલયનું સરનામું : ફકત પત્ર સંપર્ક:ટ્રસ્ટી સોમચંદ ભાણજી લાલકા, મુંબઈ ગલી, પૂ. મુનિ શ્રી સર્વોદય સાગર મ. પો. અમલનેર જિ. જલગામ, મહારાષ્ટ્ર - ૪૨૫ ૪૦૧ C/o ધીરજ દામજી ગંગર, રમેશ અપાર્ટમેન્ટ અહિલ્યાબાગ સામે, થાણા – ૪૦૦ ૪૦૧ ફોન : પ૩૪૮૬૯૦ Page #773 -------------------------------------------------------------------------- ________________ જ વિભાગ - ૭ અનુભૂતિ આદિ વૈવિધ્ય દર્શનઃ કવિમલશાખા અને માણિભદ્રજી *શ્રી માણિભદ્રજી યક્ષરાજ કે વીર....? *પ્રાચીન હસ્તપ્રતોમાં શ્રી માણિભદ્રવીર *શ્રી માણિભદ્રવીરની સહાય : મારા બાલ્યકાળના અનુભવો * સ્વાનૂભૂત પ્રસંગો *ચમકારાઓ અને ચમત્કારો * ભક્તવત્સલ દાદા *હાજરાહજૂર શ્રી માણિભદ્રજી * પૂણ્યશાળીની પારલૌકિક પીછાનું વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જૈન ધર્મનો મર્મ *શ્રી માણિભદ્રાય નમ: મ fee જ Page #774 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિભદ્રજીની પૂજા–પૂજન અનુષ્ઠાનાદિ સંબંધી ઉપયોગી નોંધ પ્રસ્તુતકર્તા : ગચ્છાધિપતિ પૂ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ ૧. શ્રી માણિભદ્રવીર હાલે દેવેન્દ્ર છતાંય શ્રાવકો માટે ધર્મસંબંધથી સાધર્મિક ગણાય છે, માટે તેમના બહુમાનરૂપે તેમની અંગપૂજા અંગૂઠા વડે ફક્ત તેમના મસ્તકે તિલક કરીને કરી શકાય; પણ પરમાત્માની જેમ નવાંગી પૂજા ન થાય. ૨. તેમની પંચોપચાર પૂજા પણ પ્રથમ દહેરાસરમાં રહેલ પ્રભુ–પરમાત્માની સેવાપૂજા સંપન્ન થઈ ગયે જ કરાય; જેથી ક્રમના આધારે પ્રથમ અરિહંત, સિદ્ધોની પ્રતિમાઓ, ગણધરોની પૂજા થઈ ગયે તેઓની પૂજા તે જ ચંદન-કેસરથી થાય પણ તેમની કરેલ પૂજા પછી તે જ ચંદન-કેસરથી પરમાત્માની પૂજા ન થઈ શકે. ૩. પ્રભુ પરમાત્માની આરતી વગેરેના ઠાઠ કરતાં માણિભદ્રજીની આરતીમાં વધુ શ્રદ્ધા–ભક્તિ સમયનું યોગદાન એ હકીકતમાં અજ્ઞાનતા કહેવાય. કારણ કે તેઓશ્રી જે પ્રભુ પૂજ્ય છે અને તેઓ હાલની ઉચ્ચાવસ્થા છતાંય પ્રભુના પૂજક-સેવક છે. ૪. માણિભદ્રજીને ચડાવેલ સુખડી વગેરેનો ઉપયોગ–ઉપભોગ શ્રાવકો કરે છે; પણ તે જ ચડાવેલ નૈવેધ વગેરે જો પરમાત્માની દષ્ટિમાં પણ પડતું હોય તો તેનો ઉપયોગ–ઉપભોગ ન કરી શકાય. ૫. અન્ય મિથ્યાત્વી દેવદેવીઓની બાધા–માનતા રાખી કલ્ય–અકલ્પ્ય વસ્તુઓનું તર્પણ ન કરી, ખૂબ ઊંચા ઉદ્દેશ્યો ને અધ્યવસાયોથી માણિભદ્રજીની માનતાઓ ફળે જ છે. છતાંય તુચ્છ નજીવી સંસારસુખની આશા-અપેક્ષાઓ માટે બાધા-માનતા રાખવા કરતાં વિઘ્નરહિત, ધર્મવૃદ્ધિમાં પડતા અંતરાયો કે શાસનસેવાના કાર્ય માટે શ્રી માણિભદ્રજીની સાધના, બાધા, માનતા ઉપાદેય જણાય છે. ૬. મૂર્તિ કે સ્થાપનાની સામે અક્ષતનો સાથિયો, શોભા શણગાર કે વિવિધ ઉપચારો તે ફક્ત પરમાત્મા પ્રતિ અષ્ટપ્રકારી પૂજા કે સત્તરભેદી પૂજાને લક્ષમાં રાખીને જ ગોઠવી શકાય. દેવદેવીઓની અષ્ટપ્રકારી પૂજા-આરાધનાને બદલે આશાતના જેવું ગણાય. ૭. શ્રમણ ભગવંતો માણિભદ્રજીને ધર્મલાભ પાઠવી શકે. શ્રાવકો સાધર્મિકતાના સંબંધથી ફકત મસ્તક ઝુકાવી વંદન કરી શકે. ૮. માણિભદ્રજીના જાપ, પૂજા, પૂજન કે અનુષ્ઠાનોના સમયે પુરુષ તથા સ્ત્રીઓના અધિકાર – કર્તવ્યમાં જે ભેદો છે તે સમજવા તથા માણિભદ્રજી સંબંધી ઉપયોગી અનેક માહિતીઓ પ્રાપ્ત કરવા પ્રસ્તુત ગ્રંથ સાદ્યંત વાંચવો. Page #775 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 750. ' તપાગચ્છની તવારિખમાં એક તેજસ્વી પ્રકરણ : 'વિમલશાખા અને માણિભદ્રજી –પૂ.આ. શ્રી. પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મહારાજ સોળમી સદીમાં થયેલા વિમલશાખાના પ્રભાવક સૂરિવર્યોના તપ ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી સંગમથી અને માણેકશાહના પ્રબળ પુણ્યયોગે યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજીનું અદ્ભુત પ્રાગટય થયું ત્યાર પછી ઉત્તરોત્તર જિનશાસનનો વિકાસક્રમ બળવત્તર બનતો રહ્યો; શાસનનાં વિરાટ આયોજનો નિર્વિને સુસંપન્ન થતાં રહ્યાં. આ સંદર્ભમાં ઘડીભર મનને મનાવવું જ પડશે કે કોઈ અદશ્ય શક્તિ પ્રસંગોપાત્ત સહાયક બળ આપતી રહી છે. . વર્તમાન સમાજજીવન ઉપર જે રીતે દૂષિત હવાએ ઝેરી ભરડો લીધો છે એવા આ વિષમ કાળમાં પણ શ્રદ્ધાવાનોને દાદાએ પરચો આપ્યાની વાતો પ્રસંગોપાત્ત વારંવાર સાંભળવા મળે છે. સ્વાનુભૂતિના હૃદયસ્પર્શી પ્રસંગો આ લેખના લેખક પૂ. આચાર્યશ્રી પાસેથી પણ જાણવા-માણવા મળશે. શ્રી માણિભદ્રજીના વધતા જતા પ્રભાવને અનુલક્ષીને પૂ. આચાર્યશ્રી પ્રધુમ્નવિમલસૂરિજી મહારાજને છેલ્લા ઘણા સમયથી કોઈ ગૂઢ સંકેતો મળતા રહ્યાની પ્રતીતિરૂપે તેમના જ સીધા પ્રેરણા–માર્ગદર્શન નીચે પવિત્ર સિદ્ધગિરિની તળેટીમાં જ જંબુદ્વીપ જવાના રસ્તાના કૉર્નર ઉપર દાદાની એક નયનરમ્ય મૂર્તિ અને મંદિરનું સુંદર આયોજન આકાર લઈ રહ્યું છે. આયોજનપ્રેરક પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મહારાજ હમણાં જ તા. ર૦-ર-૯૭ના રોજ મુંબઇમાં આચાર્યપદવીથી વિભૂષિત થયા. યોગીરાજ ગુરુદેવ શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના સંગથી વૈરાગ્યનો રંગ વધુ દઢ બન્યો. ૧૮ વર્ષની નાની વયે વિમલ શાખાના ગચ્છનાયક બન્યા, ધ્યાન-ધારણા અને મંત્રવિજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા, ગુરુનિશ્રામાં રહીને સંસ્કૃત, જ્યોતિષ અને આગમશાસ્ત્રોની જ્ઞાનોપાસનામાં પણ મગ્ન રહ્યા. તેમની નિશ્રામાં અનુષ્ઠાનો પણ સંપન્ન થયાં. " ભાઈ મહારાજ "ના હુલામણા નામથી ખ્યાતિ પામેલા પૂ. સૂરિજી મહારાજ શાસનસેવામાં ઉત્તરોત્તર આગળ વધતા રહે એવી પ્રાર્થના. – સંપાદક Page #776 -------------------------------------------------------------------------- ________________ 760 તપાગચ્છાધિષ્ઠાયક તપાગચ્છનો ઉજ્વળ ઇતિહાસ બહુ જ પ્રાચીન અને પ્રભાવક રહ્યો છે. તપની તેજસ્વિતાને કારણે જ ગચ્છને આવું બિરુદ મળેલ છે. જેમણે બાર વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલની મહાન તપશ્ચર્યા કરી હતી; મેવાડના રાણાએ જેમને હીરલાનું બિરુદ આપ્યું હતું તે પૂ. આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાવીર પરમાત્માના પંચમ ગણધર સુધર્માસ્વામીની ૪૪મી પાટે શોભાયમાન હતા. સં. ૧૨૮પથી પૂ.આ.શ્રી જગચંદ્રસૂરિજી મહારાજની શિષ્ય-પરંપરાને તપાગચ્છ નામે પ્રસિદ્ધિ મળી. મહાવીર પ્રભુજીની આ ઉજ્વળ પાટ-પરંપરાએ પપમી પાટે યુગપ્રધાન કલિકાલ કલ્પતરુ પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરિજી મહારાજ થયા. પાંચ વર્ષની નાની ઉંમરમાં જ વિ.સં. ૧૫૩૮માં તેમણે દીક્ષા લીધી. તે પછી આચાર્યપદ સુધી પહોંચીને સં. ૧૫૪૮માં ક્રિયોદ્ધાર કરીને તપાગચ્છનો ભારે મોટો જયજયકાર પ્રવર્તાવ્યો હતો. તે સમયે તેઓશ્રીની આજ્ઞામાં ૧૮ થી વધુ શાખાઓના ૧૮૦૦ સાધુઓ તપાગચ્છમાં હતા. સકલ સંઘમાં ચૂડામણિ સમાન પ્રખર પ્રભાવશાળી તપસ્વી રત્ન હતા. એવી જ પ્રભાવક તેમની શિષ્યપરંપરા. તપાગચ્છની પદમી પાટે મહાતપસ્વી, મહાવેરાગી, ઉગ્ર વિહારી, મહાન ક્રિયોદ્ધારક, જંગમ યુગપ્રધાન અને શત્રુંજયના સોળમા ઉદ્ધારક પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ થયા. તેમના સમયમાં જ વિમલ શાખાના મૂળ રૂપે વિજય, વિમલ અને સાગર શાખા ખૂબ જ વિસ્તાર પામી. આ ત્રણેય શાખાઓએ જિનશાસનના ચરણે સમર્થ મહાન આચાર્યો અને સાધુઓની મહામૂલી ભેટ ધરી છે. આ ત્રણેય શાખામાં વિમલશાખાનો પણ ગૌરવવંતો ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અને અનેક જ્ઞાની, ધ્યાની મુનિપુંગવો થયા. વિમલશાખામાં થયેલા આચાર્યોમાં જ્ઞાનવિમલસૂરિજી મહારાજનું નામ ખાસ ઉલ્લેખનીય છે. આ શાખાના અન્ય સિતારાઓમાં પં. શ્રી હર્ષવિમલજી મહારાજ, પં શ્રી જયવિમલજી મહારાજ, પં.શ્રી મુક્તિવિમલજી મહારાજ, પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજ, મુનિપ્રવરશ્રી દેવવિમલજી મહારાજ, પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજ, આદિએ સમગ્ર જિનશાસનને દીપાવ્યું છે. પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની પાટે વિજય શાખામાં શાસન પ્રભાવક પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, જગદ્ગુરુપૂ.આ.શ્રી વિજયહરસૂરીશ્વરજી મહારાજ આદિ થયા. પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મહારાજે સંસ્થામાં પ્રવેશેલા શિથિલાચાર સામે ૧પ૮રમાં ચાણસ્મા પાસે વડાવલી ગામમાં ક્રિયોદ્ધાર કર્યો, ગચ્છનાયકપદે ૧૫૮૩માં આરૂઢ થયા. ૫. આ. શ્રી હેમવિમલસૂરિજી મહારાજ, પૂ.આ. શ્રી. આનંદવિમલસૂરિજી મહારાજ પોતાના શિષ્યવૃંદ સાથે ઉજ્જૈન-માલવા વગેરે સ્થળે પણ વિચારતા હતા. - ઉજ્જૈનમાં એ સમયે જૈનધર્મીઓનો વસવાટ ઠીક ઠીક હતો. ધર્મપ્રિય અને જિનપ્રિયા નામના શ્રાવક દંપતી ધર્મમય જીવન સુખચેનથી વ્યતીત કરી રહ્યાં હતાં. તેમને માણેકચંદ નામે એક પુત્રરત્ન.આનંદરતિ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. માણેકચંદ અને પરિવાર દેવદર્શન અને જિનભક્તિમાં હંમેશાં મગ્ન હતા. અચાનક લોકાશાહના યતિઓનું એક દિવસ શહેરમાં - ---- -- Page #777 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 761 આગમન થયું. તેમનાં વ્યાખ્યાનો સાંભળી માણેકશાહની મતિ બદલાઈ ગઈ, મૂર્તિપૂજા સામે બંડ પોકાર્યું. ન કરવા જેવાં કાર્યો પણ તેનાથી થયાં. છેવટે સમય જતાં પસ્તાવો પણ થયો અને ફરીને સેવાપૂજા તથા સાધુસંતોની વૈયાવચ્ચમાં મન પરોવ્યું. પાલી-મારવાડમાં તપાગચ્છના વિમલશાખાના પૂજ્યોની સ્થિરતા દરમ્યાન માણેકચંદ શ્રાવકે શત્રુંજયના માહાભ્ય વિષે પણ ગુરુવર્યો પાસેથી રરપૂર્વક જાણ્યું. શત્રુંજયના દર્શન કર્યા વિના અન્નપાણી સુધ્ધાં ન લેવાની પ્રતિજ્ઞા કરી. અડવાણે પગે યાત્રા આરંભી. સિદ્ધપુર પાસે મગરવાડાનાં જંગલોમાં લૂંટારુઓએ જીવલેણ હુમલો કર્યો. માણેકશાહ સિદ્ધગિરિના શુભ ધ્યાનમાં સમાધિમરણ પામ્યા. અહીંથી ચકેશ્વરીના માધ્યમ દ્વારા માણિભદ્રજીનું પ્રાગટ્ય થયું. ઈન્દ્ર મહારાજા માણિભદ્રદેવ જિનશાસનના રક્ષક બન્યા. પાલિતાણાની તળેટીમાં જ કેસરીઆનગર સામે ૩૦૦ વાર જમીન ઉપર દાદાનું મનોહર મંદિર આકાર લઈ રહ્યું છે. આ મંદિરમાં માણિભદ્રજીની ૫૧ ઈંચની ભવ્ય મૂર્તિનું સ્થાપન થશે. સંઘ અને શાસનની રક્ષા માટે આવું આ આયોજન જરૂરી બન્યું છે. શ્રી માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. શ્રી માણિભદ્રવીરને માનવાવાળાએ જાણવું જોઇએ કે માણિભદ્રવીર કેવી રીતે બન્યા? તેઓ ખૂબ ચુસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છની માન્યતાવાળા શ્રાવક હતા. કોઈ વિરુદ્ધ માન્યતાવાળા સાધુનાં પ્રવચનોથી ખોટી અસરમાં તણાઈ ગયા. શુદ્ધ અને સુંદર માર્ગથી ચલિત થયા. ઘરમાં માતા વિચારે છે કે આ શું થઈ ગયું? બહુ દુઃખ થાય છે. દીકરો ધર્મ હારી જાય તે કેમ ગમે ? માતા પણ હોશિયાર, ધાર્મિક, ભણેલી ગણેલી હતી, દીકરાને ખૂબ સમજાવે છે પણ દીકરામાં કોઈ પરિવર્તન આવતું નથી. માતાને થયું, ત્રિકાળ પૂજા કરવાવાળા, સામાયિક અને પ્રતિક્રમણ કરવાવાળા આ દીકરામાં કેવો મિથ્યાત્વનો ઉદય થયો? પાછો પુણ્યોદય જાગૃત થયો. શ્વેતામ્બર તપાગચ્છના કોઈ ગુરુભગવંતના મુખે શત્રુંજય માહામ્ય સાંભળવાની સૂવર્ણ તક મળી. પોતાને સમજાયું કે વિરુદ્ધ મતની ખોટી ચુંગાલમાં હું ફસાઈ ગયો. ખોટું થઈ ગયું; પણ પછી સંકલ્પ કર્યો કે ઉપવાસ કરતાં કરતાં ચાલીને શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી, મારવાડમાં ઉપધાન કર્યા. ત્યારબાદ પાલીતાણા તરફ પ્રયાણ શરૂ કર્યું. પાલનપુર પાસે મગરવાડાના જંગલમાં લટારૂઓ મળ્યા, અથડામણ થઈ, પ્રાણ નીકળી ગયા પણ મનમાં શુભ ધ્યાન શત્રુંજયનું 4t મરીને શાસનના અધિષ્ઠાયક દેવ માણિભદ્રવીર બન્યા. આવું દષ્ટાંત સાંભળ્યા પછી માણિભદ્રજીના ભક્તોને થવું જોઈએ કે મારે ત્રિકાળ તિ કરવી જોઈએ, મારે સામાયિક અને પ્રતિક્રમણ નિયમિત કરવાં જોઈએ, મારે સાધર્મિક ભક્તિ અને ગરઃ . કરવી જોઇએ. –પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ. સા. Page #778 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી માણિભદ્રજી : યક્ષરાજ કે વીર ... ? – પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી માણિભદ્રજીનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ શું છે, વીર કે યક્ષરાજ? તેની જાણકારી પ્રસ્તુત લેખમાં રજૂ કરવામાં આવી છે. શ્રી માણિભદ્રજીનો જે જાતનો રુઆબ અને પ્રચંડ પ્રભાવ પ્રવર્તે છે, જે રીતે તેમની બાહ્ય અને આંતરિક સમૃદ્ધિ પ્રકાશે છે, જે રીતે એમનું વિરાટ વ્યક્તિત્વ ખીલી ઊયું છે અને જેમનામાં સૂર્ય જેવું સમ્યગુદર્શન ઝળહળી રહ્યું છે એ શક્તિને આપણે સાચી રીતે ઓળખીએ તે આ લેખનો સારાંશ છે. આ સંશોધનાત્મક લેખના લેખક પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજશ્રી હમણાં થોડા રામય પહેલાં સુરતમાં આચાર્ય પદવીથી વિભૂષિત થયા. તેમની સાથે તેમના વડીલ બંધુ પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજશ્રીની પણ આચાર્ય પદવી ભવ્ય મહોત્સવ પૂર્વક સંપન્ન થઈ. આ બંને પૂજ્યો (બંધુ બેલડી) રામલક્ષ્મણની જોડી તરીકે જૈન જગતમાં પ્રસિદ્ધ છે. સ્કૂલમાં ભણવાનું સાથે, રમવાનું પણ સાથે, જમવાનું પણ સાથે, દીક્ષા પ્રસંગ પણ બનેનો સાથે જ, ગણિ પદવી અને પંન્યાસ પદવી પણ બન્નેની સાથે જ. છેલ્લે આચાર્ય પદવી પણ બન્નેની સાથે જ. આ બતાવે છે કે બન્ને વચ્ચે કેવો સ્નેહ છે. પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મહારાજ સંગીતના પ્રખર જ્ઞાતા અને અચ્છા ગાયક છે તો પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મહારાજ પ્રખર વ્યાખ્યાનકાર છે, જેમની વાણીમાં વૈરાગ્યનો અને વીરતાનો અનુપમ સુમેળ જોવા મળે છે. પૂજ્યશ્રી સમર્થ લેખક પણ છે. વીશેક પુસ્તકો પૂજ્યશ્રીની તેજસ્વી કલમે આલેખાયાં છે. તેમાં વિશેષ પૂજા કરીએ સાચી સાચી, સમજવા જેવું સામાયિક, વિરાગના દર્પણમાં વગેરે પ્રકાશનોમાં પૂજ્યશ્રીની મૌલિકતા અને દક્ષતાનાં દર્શન થાય છે. સંસ્કૃતિના પણ એવા જ દઢ આગ્રહી રહ્યા છે. ઉપધાન અને ચારિત્ર્યધર્મના વિશેષ અનુરાગી પણ છે. થોડાં વર્ષો પહેલાં ઈદોરમાં તેમના ચાતુર્માસ દરમ્યાન જીવદયા માટે તેમણે આપેલ ઉપદેશ પ્રમાણે દશેક હજારથી વધુ જીવોની હિંસા થતી અટકાવી અને તીર્થરક્ષા માટે પણ હરહમેશ જંગ ખેલતા રહ્યા છે. – સંપાદક 'છી માણિભદ્રજીને શી રીતે ઓળખવા? ઘણાને સમસ્યા છે ! કેમકે ભિન્ન ભિન્ન સ્થાને ભિન્ન ભિન્ન ઓળખાણ મળે છે ! Page #779 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 763 કયાંક માણિભદ્ર વીર તરીકે ઓળખ મળે છે. કયાંક ' યક્ષ શ્રી માણિભદ્ર સ્વરૂપે જોવા મળે છે. તો વળી ક્યાંક યક્ષ શ્રી માણિભદ્ર વીર' એમ યક્ષ અને વીર તરીકે પણ પહેચાન મળે છે. આમાં સાચી ઓળખ કયી ? એ મેળવવી બહુ જરૂરી છે. ઓળખ સાચી હોય અને એ મુજબ વ્યક્તિને નવાજવામાં આવે, તો વ્યક્તિની સાચી કદર થઈ શકે ... અન્યથા કયારેક લેવાના બદલે દેવા થઈ જાય. 'પ્રાઈમ-મિનિસ્ટર ( Prime Minister ) ચીફ મિનિસ્ટર (Chief Minister) છે બંને મિનિસ્ટર છતાં બંને વચ્ચે ઘણો મોટો ફર્ક છે. ' પ્રાઈમ મિનિસ્ટર' સાંભળતાંની સાથે જ સમસ્ત ભારતના વડાપ્રધાન તરીકેનું વ્યક્તિત્વ સમજગોચર બને છે. અને ચીફ મિનિસ્ટર સાંભળતાં ગુજરાત કે અન્ય રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેનું વ્યક્તિત્વ મગજમાં ઊપસી આવે છે. હોય પ્રાઈમ મિનિસ્ટર અને એને સંબોધન કરીએ ચીફ મિનિસ્ટર, તો કેવું બેહૂદું લાગે? એટલું જ નહિ, આમ બોલવામાં ક્યારેક માર ખાવાનો ય મોકો આવે. અને એ જ રીતે ચીફ મિનિસ્ટરને પ્રાઈમ મિનિસ્ટર તરીકે સંબોધન કરવામાં આવે તો ય મૂર્ખતામાં જ ખપીએ કે કેમ? ' યક્ષ' અને 'વીર' વચ્ચે આવો જ તફાવત છે. યક્ષ બહુ ઊંચી જાતનો હોદો છે. વીર એનાથી બહુ નીચી જાતનો હોદ્દો છે. જૈન દર્શને મૂલતઃ ચાર પ્રકારના દેવ માન્યા છે. ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક. આ રીતનો ક્રમ દેવલોકની ઉત્તરોત્તર સ્થાન વ્યવસ્થા આ ક્રમથી જ છે માટે આપ્યો છે. સૌથી નીચે એટલે કે મનુષ્યલોકથી પણ નીચે ભવનપતિ દેવ આવે છે. એની ઉપર વ્યત્તર દેવ આવે છે. Page #780 -------------------------------------------------------------------------- ________________ 764 તપાગચ્છાધિષ્ઠાયક એનાથી ઉપર એટલે કે મનુષ્યલોકની ઉપર જ્યોતિષ્કદેવ આવે છે. અને એનાથી પણ ઉપર વૈમાનિક દેવ આવે છે. જગતમાં જેટલા પણ યક્ષ, યક્ષિણી, અધિષ્ઠાયક, અધિષ્ઠાત્રી કે વીરનાં નામો સંભળાય છે; આ બધા જ બીજા પ્રકારના વ્યત્તરનિકાયના દેવ રૂપે છે. વ્યન્તરનિકાયના દેવ આઠ પ્રકારના છે. (૧) કિન્નર (૨) કિંપુરુષ (૩) મહોરગ (૪) ગાંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ આમાં પાચમા વ્યત્તર તરીકે યક્ષ' છે. એના તેર પ્રકાર પૈકી બીજા પ્રકારના યક્ષનું નામ છે 'માણિભદ્ર.' "માણિભદ્ર' એ વ્યક્તિગત નહિ પરંતુ હોદ્દાનું નામ છે – પોસ્ટનું નામ છે ! એટલે 'માણિભદ્ર' નામની પોસ્ટ શાશ્વતી છે, સર્વકાલીન છે. એના હોદેદાર બદલાયા કરે, હોદો સદા માટે એકસમાન છે. 'માણિભદ્ર' નામના હોદ્દા ઉપર અત્યારે માણેકચંદ શેઠનો આત્મા હોદ્દેદાર તરીકે છે. ' સિદ્ધચક્ર પૂજન'માં માણિભદ્રનું પૂજન એ પોસ્ટનું – હોદ્દાનું પૂજન છે. આ માણિભદ્ર યક્ષ ખૂબ જ પ્રભાવવંત અને મહિમાવંત છે. એની આન્સર અને બાહ્ય સમૃદ્ધિ-વૈભવ છલોછલ ભરેલાં છે. આ માણિભદ્રજી પોતે શ્રી શત્રુંજય ગિરિરાજના અને આદિનાથ પરમાત્માના પરમ ભક્ત છે. એમનામાં સમ્યગ્દર્શન સૂર્ય જેવું ઝળહળતું છે. સ્વભાવથી ભદ્રિક પરિણામી છે. તપાગચ્છના સંરક્ષક અને અનુયાયી છે. અને મોટો એ ગુણ છે કે તેઓ એકાવતારી છે. આ એમની આંતરિક સમૃદ્ધિ જોઈ. બાહ્યા સમૃદ્ધિ પણ એમની આંખે ચઢે એવી છે. એમના હાથ નીચે બાવન વીર અને ચોસઠ જોગણીઓ તહેનાતમાં રહે છે અને એમની સાથે વીશ હજાર સામાનિક દેવતાઓ રહેતા હોય છે. પંદરમી શતાબ્દીમાં થયેલા આચાર્યપુરંદર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીની પરંપરામાં આવેલા મુનિ શ્રી ચતુરસાગરજીએ શ્રી માણિભદ્રજીનું સ્તોત્ર બનાવ્યું છે. એમાં સુસ્પષ્ટ જણાવ્યું છે કે Page #781 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 765 માણિભદ્રજી વીર અને જોગણીઓના સ્વામી છે. અને ક્યાંક શ્રી માણિભદ્રજીની પ્રતિમામાં પણ એવાં દશ્યો જોવા મળે છે, કે કાલા ભૈરવ, ગોરા ભૈરવ માણિભદ્રજીની સેવા કરી રહ્યા છે. શ્રી માણિભદ્રજીનું સુપ્રસિદ્ધ સ્થાન આગલોડમાં મૂળભૂત સ્થાનમાં પણ જોવા મળે છે કે માણિભદ્રજીનું પિંડ (ધડ) એક તરફ બિરાજમાન છે અને ભૈરવજી એની રક્ષા હેતુ તહેનાત છે. એટલે 'વીર'ની પોસ્ટ 'ભૈરવ'ની પોસ્ટ શ્રી માણિભદ્રજીના હાથ નીચેની પોસ્ટ છે. માણિભદ્રજી એ મહારાજા જેવા છે. વીર અને ભૈરવ એમના ચોકીદાર સમાન છે. મહારાજાને ચોકીદાર તરીકે સંબોધવા એ જેમ મૂર્ખતા છે એ જ રીતે માણિભદ્રજીને વીર તરીકે સંબોધવા એ પણ નરી મૂઢતા છે. ટૂંકમાં માણિભદ્રજી યક્ષરાજ છે. એમને વીર તરીકે સંબોધાય નહિ, બોલાય નહિ, લખાય નહિ ને નવાજાય નહિ ! આવા વૈભવશાળી માણિભદ્રજીનું જો અવતરણ થાય ત્યારે ભારે રૂઆબથી થાય, ધરતી ધમધમી જાય. વાતાવરણમાં ખુશનુમા ફેલાય અને રંગ-ઢંગ બદલાઈ જાય... પ્રાઈમ મિનિસ્ટરના હોદ્દા પર રહેલી વ્યક્તિ ગમે ત્યાં જાય ત્યારે કેવી રૂઆબભરી અદા ને છટા હોય એની ! શું એ વ્યક્તિ હાથ હલાવતી એકલ-દુકલ કયાંય પહોંચે ખરી ? આવા માણિભદ્રજી શું સામાન્ય એકલ-દુકલ અને સાધારણ મનુષ્યના શરીરમાં અવતરી ધૂણે ખરા ? ના...... નહિ જ ! Page #782 -------------------------------------------------------------------------- ________________ 766 તપાગચ્છાધિષ્ઠાયક 'એક ત્યાગી—વૈરાગી અને વૈયાવચ્ચ-પરાયણ ' મુનિવરશ્રીને શ્રદ્ધાંજલિ સૌભાગ્યવંતો સોરઠ દેશ. તેમાં મોટીમારડ (ધોરાજી) ગામ. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી શિખરબંધી દહેરાસરમાંબિરાજે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતિમાં દોશી સોમચંદ જગજીવનદાસ તથા શ્રીમતી કપૂરબેનનો વસવાટ, બંને સિધા-સાદા અને ધર્મી જીવ. તેમના ત્રીજા પુત્ર રૂપે વિ. સં. ૧૯૬૧ના કા.સુ. ૫-જ્ઞાનપંચમીનાંશુભદિને જન્મેલા જીવનલાલભાઈ એ જ આપણા પૂ. મુનિરાજ શ્રી જયભૂષણવિજયજી મ.સા. તેઓને નાનપણથી જ માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારોનો વારસો મળેલ. અભ્યાસ તો ગુજરાતી બે ધોરણનો જ, પણ કોઠાસૂઝ એવી કે વેપારધંધાના હિસાબકિતાબ અને સરકારી કામકાજમાં પણ પાછા ન પડે. ધાર્મિક અભ્યાસ પાંચ પ્રતિક્રમણનો પુરો. એટલે વતનમાં હોય ત્યારે પોતે ઉપવાસ કે છઠ્ઠ કરેલો હોય તો પણ આખા સંઘને પખી પ્રતિક્રમણ આદિની આરાધના કરાવે. સંઘનાં નાનાંમોટાં સી એમનું માન સાચવે. - વડીલબંધુના પગલે ચૌદ વર્ષની વયે વ્યવસાય અર્થે તેઓ કલકત્તા ગયા. ત્યાં ધંધો સારો વિકસાવ્યો, તેની સાથે સાથે ધર્મમાં પણ ખૂબ જ આગળ વધ્યા. પિતાશ્રીની બધી અંતિમ ઇચ્છાઓ પૂરી કરી. મનડું તો સંસારમાંન માને, તેમ છતાં પણ લગ્ન કરવા પડ્યાં અને પરિવાર પણ થયો. સાંસારિક જવાબદારીઓ એક પછી એક આવતી ગઈ અને ઉચિત કર્તવ્યરૂપે તેઓએ બધી પૂરી કરી. સિદ્ધગિરિની શીતળ છાયામાં સં. ૧૯૯૮માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ચોમાસુ–ઉપધાનતપ–માળ વખતે સજોડે ચતુર્થ વ્રતનો સ્વીકાર, આદિ આરાધનાઓ કરીને દીક્ષા લેવા માટે સજ્જ થયા. તે વખતે જ અચાનક ટૂંકી માંદગીમાં ધર્મપત્ની છબલબેનનો સ્વર્ગવાસ થયો, જેના પરિણામે નાની ઉંમરના બન્ને પુત્રો રમેશચંદ્ર અને છબિલદાસની જવાબદારી એમના ઉપર આવી પડી અને દીક્ષા લઈન શકયા. આ બંને પુત્રોને પણ સંયમમાર્ગે વાળવાની તેઓની ભાવના પ્રબળ બની અને તે માટેનો પ્રષાર્થ પણ તેઓએ ચાલુ રાખ્યો. સં. ૨૦૦રમાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જૂનાગઢમાં થયું. તે વખતે આખું ચોમાસું અખંડ પૌષધ, વચમાં લોચ, તપશ્ચર્યા આદિ આરાધનાસભર પૂરું કર્યું ત્યારબાદ ફરીથી કલકત્તા જવાનું થયું. સં. ૨૦૦૯માં પૂજ્યપાદશ્રીનું ચોમાસું કલકત્તા થયું અને મોટા પુત્ર રમેશચંદ્રની દીક્ષાની ભાવના થઈ. માતુશ્રી કપૂરબેનના સમાધિમય સ્વર્ગવાસ પછી સં. ૨૦૧૩ના અષાડ સુદિ-૩ના જબલપુર મુકામે પૂ. ગણિવર શ્રી માનતુંગવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ જયભૂષણવિજયજી મ.સા.ના રૂપે દીક્ષિત બન્યા. ચોમાસા બાદ સં. ૨૦૧૪નાંમાગશર વદિ-૯ના નરસિંગપુ (મ.પ્ર.) ગામમાં તેઓની વડી દીક્ષા થઈ. દીક્ષાદિનથી જ મૂળથી બે વિગઈનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ, વર્ધમાન તપની ઓળીઓ ૬૪ સુધી પહોંચ્યા. Page #783 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 767 જ્ઞાનપંચમી – નવપદજીની ઓળી- કલ્યાણકની આરાધના તો એમનો જીવનપ્રાણ બની ગઈ. મોટી ઉંમર હોવા છતાં ગ્લાનની વેયાવચ્ચ-અંતિમ સમાધિ આપવી, વગેરેમાં પણ તૈયાર જ હોય. ભગવાનની ભક્તિ - જીવદયા – જયણા– આ બધાંમાં પણ તેઓ અપ્રમત્તભાવે લયલીન બની જતા. દીક્ષા પહેલાં પણ વરસો સુધી ચોસઠ પહોરી પૌષધ સાથે અઠ્ઠાઈ કરી હતી. આ સાથે જ્ઞાનની આરાધના પણ ચાલુ જ હતી. આ બધામાં શરીરની પરવા પણ ન કરી. પરિણામે સં. ૨૦૦૧માં જામનગરમાં આખા શરીરે જીવલેણ વ્યાધિ થયો. તે સમાધિથી ભોગવીને કર્મનિર્જરા કરી. યોગ્ય સારવારથી રોગમુક્ત બન્યા પરંતુ અવસ્થાએ પોતાનો પરચો બતાવા માંડ્યો. તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેઓના પગલે મોટા પુત્ર રમેશચંદ્ર સં ૨૦૧૪માં પૂ. ગણિવર શ્રી મૃગાંકવિજયજી મ.સા.ના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રત્નભૂષણ વિજયજી મ.સા. બન્યા અને નાના પુત્રછબિલદાસપૂ.મુ રત્નભૂષણવિજયજી મ.ના શિષ્ય મુનિકુલભૂષણવિજયજી મ.સા.બન્યા. જીવનભર પોતે ભાવેલી ભાવનાઓની સફળતા નજરે જોઈને તેઓના સહારે સંયમની સાધનામાં આગળ વધતા ગયા. વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ સ્થિરવાસ કરવો પડે એવી ૮૩ વર્ષની પાકટ વયે પૂજ્ય દાદાગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ ભારતનો ઉગ્ર વિહાર કર્યો. ત્યાંના પાંચ વર્ષના વિચરણ દરમ્યાન છરી પાલિત સંઘ, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, શિખરજીનું યાદગાર ચોમાસું, અંજનશલાકાના બે મહોત્સવો, ૧૫ પ્રતિષ્ઠાઓ, કલકત્તાના ભવ્ય ચાતુર્માસો, આદિ શાસન-પ્રભાવનાનાં અનેક– વિધ કાર્યો થયાં. તે સૌમાં તેઓએ અપ્રમત્તપણે હાજરી અને નિશ્રા આપી. સં. ૨૦૪૯માં કલકત્તાથી ર00 કિ.મી.નો ઉગ્ર વિહાર કરીને મુંબઈ પધાર્યા અને ચોપાટી - શ્રી કલ્યાણ પાર્શ્વનાથમાં ચોમાસું કર્યું. ચોમાસા બાદ સં. ૨૦૫૦માં પૂ. ગચ્છાગ્રણી માલવદેશ સદ્ધર્મસંરક્ષક આ. શ્રી. વિજયસુદર્શસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ. પંન્યાસજી મ. શ્રી રત્નભૂષણવિજયજી ગણિવરને આચાર્યપદ પ્રદાન કર્યું. તે વખતે બોરીવલી-કાર્ટર રોડમાં ભવ્ય શાસન-પ્રભાવના થઈ, માનવમેદની પણ હજારોની હતી. એ ચોમાસું ત્યાં જ કર્યું તે પછી વડાલામાં ભવ્ય અંજનશલાકા મહોત્સવમાં પણ ચાર-ચાર કલાક બેસતા. શેષ કાળમાં પરાંઓમાં વિચરીનેવાલકેશ્વર -શ્રી સુપાર્શ્વ જૈન સંઘમાં ચોમાસાનો પ્રવેશ કર્યો. પ્રવેશ–દિને અને સૌમાસી દિને તેઓએ ઉપવાસ કર્યો.૯૨ વર્ષની આ વૃદ્ધાવસ્થામાં પણ પ્રતિક્રમણ– જિનદર્શનવ્યાખ્યાનશ્રવણ આદિ આરાધનાઓ છેલ્લે સુધી બરોબર અપ્રમત્તપણે ચાલુ હતી. તેઓની સમગ્ર સાધનાઓમાં મુ. શ્રી કુલભૂષણવિજયજી મ.સા.ની અખંડ વૈયાવચ્ચ એ અજોડ સહાયક પરિબળ હતું. માનવ જીવનમાં જન્મ અને મરણ– એ બે આપણા હાથની વાત નથી. તેમ છતાં પણ તેઓનું સૌભાગ્ય એવું કે – જન્મ જ્ઞાનપંચમીએ અને મૃત્યુ પર્યુષણના પ્રથમ દિને. બંને ઉત્તમ દિવસો. સમય પણ વિજય મુહૂર્ત પરમ સમાધિપૂર્વક કોઈપણ જાતની પીડા વિના આયુષ્ય પૂરું કરીને પરલોકપંથે પ્રયાણ કર્યું. જીવનભરની ઉચ્ચ કોટિની આરાધનાના પ્રભાવે પંડિતમરણ પામ્યા. એવી જ રીતે એમની પાછળ પણ જિનભક્તિના મહોત્સવો- જીવદયા- અનુકંપા આદિનાં કાર્યો પણ અનુપમ થયાં. - સદ્ગતિને પામેલો તેઓનો આત્મા ક્રમશઃ આગળ વધીને વહેલું વહેલુંશિવપદ પામે, એવી શુભ ભાવના વ્યક્ત કરીએ છીએ. શ્રી જયનગર ગ્વ.મ. જૈન સંઘ-વાપી. તથા અ. સૌ.શ્રીમતી દમયંતીબેન પ્રવિણભાઈ મહેતા કિલકત્તાના સૌજન્યથી. Page #784 -------------------------------------------------------------------------- ________________ 768 તપાગચ્છાધિષ્ઠાયક પ્રાચીન હસ્તપ્રતોમાં શ્રી માણિભદ્રવીર - પ.પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા.ના શિષ્ય મુનિ નંદિઘોષવિજયજી મહારાજ જૈનાચાર્યોએ જૂના ગ્રંથોને હસ્તલેખન દ્વારા નવજીવન બક્ષીને જ્ઞાનભંડારોને જે સમૃદ્ધિ આપી છે તે વિશ્વમાં અજોડ ગણાય છે. જેસલમેર, ખંભાત, પાટણ અને અમદાવાદના જ્ઞાનભંડારોમાંની પુરાણી હસ્તપ્રતોના વાચન-સંશોધનમાં પૂ. પુણ્યવિજયજી મહારાજે ઘણો પરિશ્રમ લીધો. તે પછી પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજશ્રીએ આ કાર્ય સારી રીતે સંભાળ્યું. જૈનધર્મના લાખો-કરોડો ગ્રંથોમાંના હજુ ઘણા અપ્રગટ સ્થિતિમાં, પ્રાચીન તાડપત્રો ઉપર વિવિધ શાહીમાં લખાયેલા પડયા છે. લીંબડીમાં, પાટણમાં, ભાવનગરમાં, સુરતમાં, રાજસ્થાનમાં, અમદાવાદ ભો. જે. વિદ્યાલયમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, મહાવીર જૈન વિદ્યાલયમાં, બધે મળીને વીસેક લાખ હસ્તપ્રતો હોવાનો સંભવ છે. પાલીતાણામાં આગમમંદિર, જંબુદ્વીપ, જૈન સાહિત્ય મંદિર, વીરબાઈ પાઠશાળા-વડોદરા, ડભોઈ, ઈડર, વિરમગામ, જામનગરના જ્ઞાનભંડારો ખરેખર અમદાનું પાન કરાવનારા સાચા વિશ્રામસ્થાન સમાં પરબો છે. ઉદયપુરના મટ્ટારક છે યશકીતિ જૈન જ્ઞાનભંડાર, દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોડા ઉપરાંત હસ્તાતાની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોર પાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર અને મદ્રારામાં છે. તિરૂ પતિ ની સરકૃત યુનિવર્સિટી પાસે, મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ ઈન્સટીટયૂટ પારો પણ હસ્તપ્રતોમાં સારો એવો સંગ્રહ છે. મુંબઈમાં સાધવબાગ, (તમાં હકમજી નો ભંડાર, ડડમોઈમાં, છાણીમાં, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ખોરી એટલ ઈ-ટીટયુટ પાસે હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાંતિનાથજી નો ભંડાર, અમદાવાદમાં ડેલાના ભંડારમાં, પાલડીમાં જૈન પ્રાચ્ય વિદ્યામંદિરમાં અને ગુજરાત વિદ્યારામા પાસે કચ્છ-કોટડાનો સંગ્રહ, ઉદેપરમાં. જોધપરમાં મહારાજાનો સંગ્રહ. ઉત્તરમાં વારાણસી પાસે સંસ્કૃત યુનિવર્સિટીમાં, બિહારમાં નાલંદા-દરભંગા આદિ સ્થળોમાં, પટણાની યુનિવર્સિટીમાં, બંગાળમાં કલકત્તાની યુનિવર્સિટીમાં તા શાંતિનિકેતનમાં, પંજાબમાં હોશિયારપુર અને લાહોરમાં અને કાશ્મીર-જમાં પણ હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. અને માત્ર છ હસ્તપ્રતોને હાથ ઉપર લઈને શ્રી નેમિસૂરિ સમુદાયના પૂ. આચાર્યશ્રી દયસૂરિજી મહારાજશ્રીના શિષ્યરત્ન જે ઓ પ્રાચીન હસ્તપ્રતોના સંશોધનમાં વિશેષ રસ ધરાવે છે, તેવા પૂ. મુનિશ્રીએ પ્રાચીન હસ્તપ્રતોમાં માણિભદ્રજીના રાંદર્ભોનું સુંદર નિરૂપણ કર્યું છે. –સંપાદક Page #785 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 769. શ્રી માણિભદ્રવીર, તપાગચ્છની પરંપરા પ્રમાણે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. શ્રી માણિભદ્રવીરની આરાધનાનાં મુખ્ય ત્રણ સ્થાનકો પ્રસિદ્ધ છે. ૧. ઉજ્જયિની નગરી (ઉન) ૨. આગલોડ ૩. મગરવાડા. આ સિવાય પણ અન્ય સ્થાનોમાં શ્રી માણિભદ્રવીરની સ્થાપના પ્રાચીન કાળથી થતી આવી છે. આરાધકોને તેમનો પરચો પણ મળે છે. આવા બાવન વીર પૈકીના એક વીર ગણાતા શ્રી માણિભદ્રજીની ઉત્પત્તિ અંગે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં આવતા છંદો સિવાય કોઈપણ સંદર્ભ પ્રાપ્ત થતા નથી. તેમાંએ શ્રી માણિભદ્રજી અંગેની પ્રાચીન સંસ્કૃત કૃતિ તો બહુ જ ઓછી પ્રાપ્ત થાય છે. આ સંજોગોમાં શ્રી માણિભદ્રજીની ઉત્પત્તિ અંગે ઐતિહાસિક આધારભૂત માહિતી મેળવવી અને તે અંગેનો કાળનિર્ણય કરવો ખૂબ જ મુશ્કેલ છે. - શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક હોવાની પરંપરા પ્રમાણે તેઓ આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરિજી મહારાજ કે જેઓની તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ ચિત્તોડના રાણાએ તેઓને મહાત્માનું બિરુદ આપેલું, તેમના સમય જેટલા જ પ્રાચીન હોવાની સંભાવના છે. અત્યારે તો મારી પાસે લા. દ. ભારતીય વિદ્યામંદિર, અમદાવાદ-૩૮૦૦૦૯ માં સંગૃહીત પ્રાચીન હસ્તપ્રતોની છ પ્રતિઓની ઝેરોક્ષ નકલ છે. બધી પ્રતિઓ પ્રાયઃ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલ છંદ સાહિત્ય સિવાય અન્ય કશી જ માહિતી પ્રાપ્ત નથી. આ છએ પ્રતિઓમાં સૌથી વધુ પ્રાચીન પ્રતિ વિ. સં. ૧૭૭૪ શાકે ૧૩૯માં લખાયેલ છે. લેખકે તેની શરૂઆત આ પ્રમાણે કરી છે : | સ | શ્રીમતે મણિભદ્રાય નમઃ | सरसति भगवति भारती, सुमति मुगति दातार । मुझ मुखमंदिर तूं रमई, समयसुधा आधार ॥१॥ જ્યારે શ્રી માણિભદ્રજીના આ છંદની પૂર્ણાહુતિ કરતાં નીચે પ્રમાણે નોંધ કરી છે : છે અથ પર્વઃ माणिभद्र सुखकरण, सयल संसार वदीतो, दोलति दीयई दयाल । दैत्यपति जेणइ जीतो, जयकारक जयवंत, जगतपति पातिक नासई । तनुपेजइ झलकंत, सतत संत तिसु विलसइ, यक्षराज नरराजनत । नयनिपुण निसणो सही, गणगण गणतां गोरीयां लाल | भ| कशल लिखमी लही ॥२१॥ इति श्री माणिभद्र यक्षराज छंदं ॥ समाप्तं ॥ श्रीः ।। संवत् १७७४ वर्षे शाके १६३९ प्रवर्तमानें श्रावणसित षष्टी कर्मवाटयां, गुरुवासरे लि. उदयपुरे ॥ આ છંદમાં કુલ એકવીશ કડીઓ છે. તેની રચના, તેની અંતે આવેલ કડીમાં જણાવ્યા પ્રમાણે તાત | | એ કરી હોય તેમ લાગે છે. આ છંદ સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી - ૭, Page #786 -------------------------------------------------------------------------- ________________ 170 તપાગચ્છાધિષ્ઠાયક એમ ત્રણ ભાષામાં મિશ્રિત જણાય છે. આ જ પ્રતિમાં, આગળ એક શ્રી માણિભદ્રજી અંગેનું સંસ્કૃત સ્તોત્ર લખાયેલ છે. અલબત્ત, તે અપૂર્ણ છે. અને ઉપરોક્ત છંદના અક્ષર મરોડ કરતાં તેના અક્ષર મરોડ જુદા પડે છે. તેથી બીજા કોઈકે એ સ્તોત્ર આ પ્રતિમાં લખેલ હોય તેવું જણાય છે. તેમ છતાં ઉપરોક્ત છંદ લખાયા પછી થોડાક જ સમયમાં તે લખાયેલ હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ સંસ્કૃત સ્તોત્રની શરૂઆત લેખકે આ પ્રમાણે કરી છે : || શ્રી શક્તિ નંતિ | શ્રી ગુરુશત નમો નમ: समेहि हे मातरूदारशक्ते, सती स्मृता महृदयं सति त्वं ।। સુર્વે ઋત્તિ સ્પષ્ટતરાં ...... ર :, કૃપાપ્રસાવિત્તવ માણિભદ્ર it? II मुक्त्वा सबं कश्चन कालधर्मा-दणुव्रती श्रीतपगच्छवत्सः । ની વેદન: .... ની .... ધર્મો, વપૂર્વ વક્ષ: નિ માનદ્રા //રા આ પ્રતના અંતે તૃતીય પાનામાં છેલ્લે ૧૮મો શ્લોક પૂર્ણ છે પરંતુ ઓગણીસમો શ્લોક અધૂરો છે અર્થાત્ આ સ્તોત્રમાં ૧૯ મા શ્લોકથી પણ આગળ ચાલુ છે; પરંતુ પત્ર નંબર-૪ પ્રાપ્ત ન હોવાથી અપૂર્ણ જ રહે છે. અન્ય કોઈક સ્થળેથી આ જ સ્તોત્રવાળી પ્રતિ પ્રાપ્ત થાય તો તેનું શુદ્ધીકરણ કરી, છેલ્લા શ્લોકો મેળવી પૂર્ણ કરી શકાય. પ્રસ્તુત પ્રતિમાં ૧૮ મો અને ૧૯ મો શ્લોક નીચે પ્રમાણે પ્રાપ્ત છે. पात्रांकशंसयशय? द्वये च. त्रिशलचक्रं त्वपरे दधानं । शुभ्रेभमारुह्य पथे चरन्तं, यक्षाधिराजं प्रणमन्तु सन्तः ॥१८॥ चतुर्विधे संघवरे सुभक्तिं, कुर्वन्कृपाल: [लुः । सकले स्वाभावात् । स माणिभद्रः परिपूर्णभद्रो, भ લા. દ. વિદ્યામાંદિરની ઉપરોક્ત પ્રતિનો ક્રમાંક લા. દ. ભેટ સૂ. ૩૦૨૪૪ છે. તેના કુલ પત્ર-૩ છે. પ્રતિના પ્રથમ તથા તૃતીય પત્રમાં જ્યાં અનુક્રમે ગુજરાતી છંદ તથા સંસ્કૃત સ્તોત્રની શરૂઆત થાય છે, ત્યાં શ્રી માણિભદ્રનું ચિત્ર દોરવા માટેની જગ્યા પણ છોડવામાં આવી છે, પરંતુ ચિત્રકાર ન મળવાથી કે એવા જ કોઈક કારણસર ચિત્ર દોરી શકાયું નથી. આ સંસ્કૃત સ્તોત્ર થોડાક અક્ષરોને બાદ કરતાં લગભગ સંપૂર્ણ ઉકેલી શકાય તેવું છે અને પ્રાયઃ તે શુદ્ધ છે. એટલે કોઈક વિદ્વાન મુનિરાજના હસ્તે જ તે લખાયું હશે, એવું અનુમાન થઈ. શકે છે. લા. દ. વિદ્યામંદિરની બીજી એક પ્રતમાં શ્રી માણિભદ્રવીર સંબંધી બે છંદ પ્રાપ્ત થાય છે. આ પ્રતનો ક્રમાંક લા. દ. ભેટ સૂ. ૨૭૭૪૪ છે. આ પ્રતમાં પ્રથમ છંદની શરૂઆત આ પ્રમાણે Page #787 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 771 ॥ द । अथ मांणिभद्रजीनो छंद लख्यते ।। सूर संपति नित सेवीत सुभ खांणी, विबुधवृंद वंदीत ब्रह्माणी । अद्धिकानंद उदयस्युं आंणी, प्रणमी स सारद सुपरांणी ॥१॥ આ છંદનો અંત આ પ્રમાણે છે : परगुणन बोले सीस डोलें, लुंडी परे भमता भमे । परऋद्धी देखे दू:ख अलेखे, साधु जनने जें दमें ।. बल बलें बोकड सादें बरके, हरामी हरकत करा ॥२०॥ श्री माणिभद्रसु भद्रं जयक सत्रु सिहर माहरा ॥ ॥ कलश ॥ खत्तपाल भुपाल आप जे माग्या मुझने समर | थ ] साहेब जाणं । याचना कीधी तुझने, करतले करग्रही त्रिसुलकंठ कापे कंटकना ।। सिद्ध सिद्ध घर आण कोड पुरे मुझ मनना, मगरवाडा पुर मंडणो । अतुलीबल असरणसरण राजरत्न पाठक विनवें माणिभद्र जय जय करण ॥२१॥ इति श्रीमाणीभद्रजीनो छंद संपूरणं ॥ सुभं भवतु ॥ कल्याणमस्तु ॥ श्री श्री घासू - ॥ ઉપરોક્ત છંદની રચના રનરત્ન પડે નામના મુનિરાજે કરી છે તેમ તેના ' કલશ'ની અંતિમ પંક્તિના આધારે કહી શકાય. આ જ પ્રતમાં આગળ એક બીજો છંદ છે, તેની કુલ ૪૧ કડી છે. તેની શરૂઆત નીચે પ્રમાણે કરવામાં આવી છે. ।। र्द ॥ छंद लख्यते । सरसति सामनी पाय प्रणमेवं, सुहगुरुकेरी सारे सेवं । गुण गाउं माणिभद्र विरं, विसर सवेमां साहस द्धीरं ॥ १ ॥ उजेणी नयरी पवीत्तं राज करे विक्रमादित्तं । . बावन वीर तीहां रमे रासं, माणिभद्र तणो तिहाँ वासं ॥ २ ॥ ॥छनो संतमा नीये प्रभारी छ. : ॥ कलश ॥ श्री माणिभद्र तुठा देव शवमें ताहरी कीद्धी, दुख दालीद्र जेह लेह । ? | मे सीख दीधी । दिव मोहे सिर्ताज, काज मुझ सघलां सारे, मम शत्रु जे होय, तेहने उपजतां वारे ॥४०॥ तपे तारा ग्रह चंद्र, तपे मेरु महीधर, तिहाँ लगे तपे हो विर, तपे तेजे दिनकर । जागति जोत जगमा सही श्री मांणिभद्र तं साचो सदा. Page #788 -------------------------------------------------------------------------- ________________ 772 શાંતિસૂરિ દે વી, આપો મુજ્ઞ સુવ્ સા ॥ ૪ ॥ इति श्री माणिभद्रजीनो छंद संपूर्ण ॥ संवत १९१४ना मासोत्तम मासे कृष्ण पक्षे षष्ठी दिने लख्युं छे. सा. अमृतलाल नीहालचंद्रने भणवा सारु लखी छे । लखितं मुनी लक्ष्मीरत्नने लपीकृत्यं गांम नावलीमध्ये श्री नागेश पार्श्वनाथ सुभं भवतु कल्याणमस्तु ॥ श्री ॥ श्री ॥ श्री ॥ श्रीं ॥ શ્રી માણિભદ્રના આ છંદની રચના શ્રી શાંતિસૂરિએ કરી છે. શ્રી માણિભદ્રનો આ જ છંદ લા. દ. વિદ્યામંદિરની લા.દ. ભેટ સૂ. ૨૮૧૫૨ પ્રતમાં પણ છે અને તે પં. વિધાવિજયે લખેલ છે. લેખન સંવત નથી પરંતુ અક્ષરના મરોડ જોતાં તે વિક્રમની વીસમી સદીમાં લખાયેલી હોવી જોઈએ, એવું અનુમાન થઈ શકે. લા. દ. વિદ્યામંદિરની લા. દ. ભેટ સૂ. ૩૦૨૪૫, ૨૭૭૮૯ અને ૨૫૦૬૦માં શ્રીમાણિભદ્રના એક એક છંદ છે પરંતુ તે પૂર્વે બતાવેલી લા. દ. ભેટ સૂ. ૨૭૭૪૪ ક્રમાંકવાળી પ્રતિમાં છે, તે જ છે. ક્રમાંક ૩૦૨૪પવાળી પ્રતિ વિ. સં. ૧૯૧૦માં ૫. માનસોમે ભાઈ રતનસોમને ભણવા માટે ગોલ ગ્રામે લખી છે. બાકીની બે પ્રતોમાં લેખન સંવત્ નથી પરંતુ ક્રમાંક ૨૭૭૮૯વાળી પ્રતિ મુનિ ખેમાવિજયે લખી છે. તપાગચ્છાધિષ્ઠાયક આમ મારી પાસે અત્યારે મોજૂદ લા. દ. વિધામંદિર (અમદાવાદ)ની છ પ્રાચીન હસ્તપ્રતોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. આવા બીજા જ્ઞાનભંડારોમાં પ્રાપ્ત હસ્તપ્રતોનો પણ પરિચય આપી શકાય; પરંતુ વિવિધ જ્ઞાનભંડારોના કાર્યવાહકો પાસેથી તેની ઝેરોક્ષ નકલો મેળવવામાં ઘણો સમય પસાર થઈ જાય તેમ હોવાથી ફક્ત આટલાથી જ સંતોષ માનવો પડે છે. અંતે આ હસ્તપ્રતોના આધારે શ્રી માણિભદ્ર વીરની સ્તુતિ તથા સ્તોત્રપાઠ દ્વારા આરાધના કરી સૌ જીવો શાસન પ્રભાવના દ્વારા આત્મકલ્યાણ કરે એ જ શુભ ભાવના. Page #789 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 773 શ્રી માણિભદ્રવીરની સહાય: 'મારા બાલ્યકાળના અનુભવો – રમણલાલ ચી. શાહ અનેકના જાતજાતના સ્વાનુભવો સાંભળીએ કે વાંચીએ છતાંય સ્વાનુભવની સુખદ સફર સૌથી શ્રેષ્ઠ હોય છે. શ્રદ્ધાભક્તિ અને બહુમાનના સથવારે સંકલ્પ સાથે આદરેલું નાનું પણ કામ જ્યારે સફળ બને છે ત્યારે અત્યંત આનંદ સાથે સૌ કોઈ પોતાના ઈષ્ટદેવનો ઉપકાર માથે ચડાવી ઋણાનુબંધ વધ્યાનો અહેસાસ કરે છે. આવો જ એક સ્વાનુભવ પ્રસ્તુત લેખના લેખકશ્રીને થયો છે, જેઓએ પણ પ્રાપ્ત થયેલ માણિભદ્રજીની કૃપાને રજૂ કરવા સવિસ્તૃત પ્રસંગોલેખ કર્યો છે, જે દ્વારા પોતાના બાલ્યકાળના એ દિવસોને સ્મૃતિમાંલઈ આ ગ્રંથની શોભામાં વધારો કર્યો છે. એટલું જ નહીં પણ મુંબઈથી પ્રગટ થતા 'પ્રબુદ્ધ જીવન સામયિકમાં પણ આ જ લેખ થોડા સમય પહેલાં પ્રગટ કરીને દાદાના મહિમાગાનમાં પણ વૃદ્ધિ કરી છે. ચમત્કારોને નમસ્કાર તો સૌ કરે; પણ એવા ચમત્કારો માત્ર અંધશ્રદ્ધાની એક માત્ર ઊપજ ન બની રહે તેવી કાળજી સૌને ન પણ હોય જ્યારે લેખકશ્રી તે દૂષણથી પર રહી પોતાના નાનામોટા અનુભવોને વિવિધ દષ્ટિકોણથી રજૂ કરી રહ્યા છે. આવા જ સ્વાનુભવવાળા અન્ય લેખો પણ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજો તથા ગૃહસ્થો પાસેથી પણ આવેલ છે. તેનું વાંચન અને મનન માણિભદ્રજી પ્રતિ આસ્થા વધારે તેવું છે. લેખક શ્રી રમણભાઈ અમારા પરમ માર્ગદર્શક રહ્યા છે. બોમ્બે યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે, મુંબઈ જૈન યુવક મંડળ અને અનેક સંસ્થાઓમાં મોભી તરીકેની તેમની સેવા નોંધપાત્ર બની છે. પ્રવચનક્ષેત્રે પૂર્ણ પટુતા ધરાવે છે. માનવસેવાનાં અનેક સત્કાર્યોમાં સાથીઓ સાથેનું ઘણું મોટું તેમનું યોગદાન છે. - સંપાદક Page #790 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિષ્ઠાયક દેવદેવીઓ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. દેવદેવીઓ સહાય કરી શકે છે અને કરે છે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને પોતાને એવા કેટલાક અનુભવો થયા છે. જીવોની શુભાશુભ કર્મ અનુસાર ગતિ અને દેવદેવીઓની સહાય એ બંનેનો મેળ કેવી રીતે બેસે એ વિષયને સૂક્ષ્મ દૃષ્ટિથી જો સમજવામાં ન આવે તો ગેરસમજ થવાનો સંભવ છે. 774: સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ, દેવદેવીઓ–દેવતાઓ છે કે નહિ એ વિષે ભગવાન મહાવીર સ્વામીના સાતમા ગણધર શ્રી મૌર્યપુત્રને શંકા થઈ હતી અને ભગવાને એમની શંકાનું સમાધાન કરાવ્યું હતું. એથી શ્રી મૌર્યપુત્રને પ્રતીતિ થઈ હતી કે સ્વર્ગ છે અને દેવતાઓ પણ છે. 'ગણધરવાદ' ગ્રંથ જોઈ જવાથી આ વાતની ખાતરી થશે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ ચાર ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. દેવગતિમાં ઉદ્દભવતાંની સાથે દેવોને અવધિજ્ઞાન હોય છે. દેવોને વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય લબ્ધિ હોય છે. એ વડે તેઓ ઝડપથી ગતિ કરી શકે છે, અદશ્ય થઈ શકે છે, વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને ચમત્કારિક રીતે સહાય પણ કરે છે. એટલે અંશે દેવગતિમાં મનુષ્યગતિ કરતાં વિશેષતા રહેલી છે; પરંતુ દેવગતિમાં ત્યાગવૈરાગ્ય નથી. કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું ફકત મનુષ્યગતિમાં જ શક્ય છે. એ દષ્ટિએ મનુષ્યગતિ દેવગતિ કરતાં ચડિયાતી છે. એટલે જ દેવો પણ માનવભવને ઝંખે છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. એમાં અભિલાષા માત્ર મોક્ષની હોવી જોઈએ. એમના જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની લાગવી જોઈએ. તીર્થંકર પરમાત્માની ભક્તિ પુણ્યબંધનું કારણ પણ બની શકે છે અને કર્મનિર્જરાનું કારણ પણ બની શકે છે. કેવી રીતે એ ભક્તિ થાય છે એના ઉપર એનો આધાર રહે છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષ-યક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ પ્રકારની હોય છે. એમની સહાય પણ અધ્યાત્મસાધના માટે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષ-યક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય છે. વર્તમાન કાળમાં શ્રી માણિભદ્રવીર (દિગંબરોમાં માનભદ્ર પણ બોલાય છે) શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમિકતી છે અને કયા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ ભગવંત સિવાય કોણ આપી શકે ? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો 'હે દેવ ! તમે સમિકતી છો, એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા અજ્ઞાનને લીધે જો કોઈ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાર્થુ છું '—આવા ભાવ સાથે જો કોઈ ભકિત કરે તો તેને લાભ થવાનો સંભવ છે. સામાન્ય લોકોને ઇષ્ટવિયોગ અને અનિષ્ટ યોગના દુઃખમાંથી મુક્ત થઈ, ઇષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય ધર્મ, Page #791 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 775 લોકો મુખ્યત્વે ઐહિક–ભૌતિક આશયથી જ દેવદેવીની ભક્તિ-આરાધના કરે છે. અલબત્ત શાસનનાં કાર્યો માટે કે અધ્યાત્મસાધનામાં દેવદેવીની સહાય યાચનારા પણ હોય છે; ભલે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય. ' આપણે મનુષ્ય છીએ અને દેવો આપણા કરતાં ઊતરતી કોટીના છે. એવાં દેવદેવીની સહાય આપણે કેમ લેવી? સાધુભગવંતો સર્વવિરતિમય છે. એમનાથી અવિરતિમય દેવોની ઉપાસના કેમ થઈ શકે?' આવા આવા મત પણ પ્રવર્તે છે. પરંતુ આવા મતોને પણ એકાંતે ન પકડી રાખતાં ભિન્નભિન્ન અપેક્ષાએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. • દેવદેવીઓએ સહાય કરી હોય એવી ચમત્કારિક ઘટનાઓ વિષે વારંવાર સાંભળીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ પૂર્વપ્રયોજિત હોય છે. બીજાને ભરમાવવા માટેની બનાવટ હોય છે, દૃષ્ટિભ્રમ રૂપે હોય છે. ભોળાં લોકોને છેતરવા માટે જાદુગરો કે લેભાગુ સાધુ-સંન્યાસીઓ એવા ચમત્કારો બતાવે છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓ કાકાલીય ન્યાયે આકસ્મિક જેવી હોય છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓના મૂળમાં તપાસીએ તો તેની પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે. અને એ જાણનારા સર્વ કોઈ ધારે તો એવો ચમત્કાર બતાવી શકે છે. આમ સકારણ સમજાવી શકાય એવી ચમત્કારરૂપ દેખાતી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પણ એવી કેટલીયે ઘટનાઓ બને છે કે જેમાં દેવદેવીની સહાય છે એમ માનવા માટે મન પ્રેરાય છે. મારા જીવનમાં શ્રી મણિભદ્રવીરનું સ્થાન ઠેઠ બાલ્યકાળથી અનાયાસ રહ્યું છે. ત્યાર પછી અન્ય દેવદેવીનું સ્થાન પણ રહેલું છે.) અહીં શ્રી માણિભદ્રવીરના અનુભવો મને બાલ્ય કાળમાં જે થયા હતા તે વિષે થોડીક વાત કરીશ. - ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો રહ્યો હતો, જે આજ દિવસ સુધી ઓછેવત્તે અંશે ચાલુ જ રહ્યો છે. પાદરામાં માણિભદ્રવીરનું જુદું સ્થાનક હતું. પાદરામાં ત્યારે જૈનોની વસતી પ્રમાણમાં ઘણી સારી હતી. જૈનોનો વસવાટ મુખ્યત્વે નવઘરી, લાલ બાવાનો લીમડો, દેરાસરી વગેરે વિસ્તારમાં હતો. લોકો એકંદરે બહુ સુખી હતાં અને જાહોજલાલીનો એક કાળ હતો. દેરાસરી નામની શેરીમાં શાન્તિનાથ ભગવાનનું ઊંચા શિખરવાળું, લગભગ બસો વર્ષનું પ્રાચીન દેરાસર છે. નવઘરીના નાકે ત્યારે જૂનો ઉપાશ્રય હતો (હાલ ત્યાં નવો ઉપાશ્રય થયો છે.) આ ઉપાશ્રયને અડીને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક હતું. આ સ્થાનકમાં એક ભોંયરું હતું જે સીધું દેરાસરમાં નીકળતું. અમે નાના હતા ત્યારે આ ભોંયરું જોયેલું. ભોંયરું ત્યારે વચ્ચેથી પુરાઈ ગયું હતું એટલે બંને છેડેથી થોડે સુધી જવાતું. હાથમાં દીવો લઈ થોડે સુધી જઈએ ત્યાં હવાની અવરજવર ન રહી હોવાથી, ગૂંગળામણ અનુભવાતી. આગળ જવામાં જોખમ રહેતું. મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે એમના બાલ્યકાળમાં એમણે આ સ્થાનકમાં રહેતા શ્રી ધનરાજજી નામના મારવાડી યતિને જોયેલા. (પિતાશ્રીને હાલ ૧૦૦ વર્ષ પૂરાં થાય છે.) યતિ આહારશૌચાદિ માટે બહાર જતા, પરંતુ રહેતા આ સ્થાનકના વિશાળ ઓરડાના એક ભાગમાં. Page #792 -------------------------------------------------------------------------- ________________ 776 તપાગચ્છાધિષ્ઠાયક તેઓ આરાધના કરતા. કાળી ચૌદસની રાતે મોટો ઉત્સવ થતો. થાળ ધરાવવામાં આવતા. ભક્તિ થતી, પૂજન થતું. આ સ્થાનકને સાચવનારા એ છેલ્લા યતિ હતા. એમના સ્વર્ગવાસ પછી સ્થાનકનો ઓરડો સંઘની માલિકીનો થયો. આ સ્થાનક જ્યારે સ્થપાયું હશે એનો સવિગત ઇતિહાસ મળતો નથી; પરંતુ અઢારમા–ઓગણીસમા સૈકામાં જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુસાધ્વીઓની અવરજવર વધુ હતી અને જ્યારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હશે ત્યારે આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું એ વાતની સાબિતીરૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય પછી રોજ સવારસાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. વીજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ થતો. ઉત્સવ પ્રસંગે ઘણા દીવા થતા કે જેથી ચારે બાજુ પ્રકાશ પથરાયેલા રહેતો. હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી એટલે અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે અંદર ઘોર અંધારું થઈ જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય. રાત્રે તથા દિવસે ઘણુંખરું બંધ રહેવાને કારણે અંધારાને લીધે એમાં ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ચામાચીડિયાંની બીક લાગતી નહિ. જે કોઈને શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવાં હોય તે બારણું ખોલી દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ લગાડેલા હોય. પાસે નીચે બાજોઠ ઉપર ધૂપ, દીપ વગેરે હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહીં, એટલે કશું ચોરાઈ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો. સાંકળ વાસવી રહી ગઈ હોય તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય. સ્થાનકના બારણાને તાળું કયારેય મારવામાં આવતું નહિ. એવી જરૂર પડતી નહિ. શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રૉનક હતી તેટલી પછી રહી નહોતી, તો પણ શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો હતો. પાદરામાં કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે. ગોરજી ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદાનીમાંથી રાખ આપતા જે તેઓ માથે ચડાવતા. અમારું વતન પાદરા ગાયકવાડી રાજયના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ધદષ્ટિવાળા, પ્રગતિશીલ રાજવી હતા. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ Page #793 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 777 મફત અને ફરજિયાત બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં કર્યો હતો. અમારા વખતમાં પહેલા ધોરણને લોકો એકયુિં' કહેતા. પછી બીજી ચોપડી', 'ત્રીજી ચોપડી' અને ચોથી ચોપડી' એમ ધોરણનાં નામ બોલાતાં. અમારે એકડિયામાં વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા એમને ચકલી જેવું નાક હોવાને કારણે ' ચકલી માસ્તર' કહેતા. તેઓ પોતે પણ પોતાને માટે 'ચકલી માસ્તર' તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું. શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ એમ લાગે છે, કારણ કે પહેલાં ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટયા પછી ઘરે ક્યારેય ભણવાનું રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઈ રિવાજ નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંક બોલી જવાની પદ્ધતિ હતી. અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષે પહેલા નંબરે અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોશિયાર તો હતો જ, પણ એના કાકા શાળામાં શિક્ષક હતા એટલે તેનો પહેલો નંબર જ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલ નામનો વિદ્યાર્થી આવતો. મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતાં નંબર વિષેની એવી કોઈ સભાનતા મારા બાળસહજ મનમાં આવી નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ રસ પડતો. અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબહેન (રેવાબા)ને બહુ સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઈએ. ત્રીજા ધોરણમાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, " કેમ પાછો ફરીથી ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઈએ.’ 'પણ પરીક્ષામાં બધું આવડે તો ને?' 'કેમ ના આવડે ? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ. અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું, અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે મને કહ્યું, 'રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી, દીવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની.' બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટ તૈયાર કરી વાટકીમાં આપી. હું સ્થાનકે જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ પૂછ્યું, ' દીવો કરી આવ્યો ?' (- , Page #794 -------------------------------------------------------------------------- ________________ 779 તપાગચ્છાધિષ્ઠાયક 'હા.' 'બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.' 'ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.' 'કેમ એમ કર્યું?' 'પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે એટલે. પછી કયાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર માગ્યો.” 'સારું, તો હવે કાલથી રોજ બીજો નંબર જ માગજે, ઘડીકમાં પહેલો અને ઘડીકમાં બીજો એમ ન કરાય.' મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ તો ફકત એક જ નંબર ઉપર ચડવાનું હતું પણ મને એ સહેલું લાગતું ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં એવું ઠસી ગયું કે મને કોઈ દિવસ પહેલો કે બીજો નંબર મળે જ નહિ; પણ માતાના આગ્રહથી રોજ રોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું હતું. રોજ સવારે રેવાબા એક વાટકામાં ગરમ ઘીમાં પલાળેલી વાટ તૈયાર કરી આપે. હું નવઘરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાની સાંકળ સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું. બાજુના મકાનમાં એક વડીલ રહે. તેઓને પણ શ્રી માણિભદ્રવીરમાં બહુ શ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઈ તેઓ કહે, ' અલ્યા, ઊભો રહે. તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું.' એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા જ હોય. મને નવઘરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે. ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક ઉપરાંત હાઈસ્કૂલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી હાઈસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથે પગે થઈ ગયું હતું. કુટુંબના ગુજરાતની જ તકલીફ પડવા લાગી હતી ત્યાં સંતાનોને ભણાવવા માટે પૈસા કયાંથી લાવવા? પિતાશ્રી કંઈક નોકરીધંધો મેળવવા માટે અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા પણ કંઈ મેળ પડતો નહિ. ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઈ ગઈ. કેટલીક પરીક્ષા Page #795 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 779 સરકારી હાઈસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબજારની નિશાળના ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. વડોદરાથી કોઈક અમલદાર ઇનામવિતરણ માટે આવતા. શાળાના બધા શિક્ષકો અને બધા વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા. દરેક ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ અપાતાં-ઇનામમાં પુસ્તકો અપાતાં. અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, બીજા અને ત્રીજા ધોરણના પહેલા ત્રણ વિદ્યાર્થીઓનાં નામ અનુક્રમે બોલાયાં. દરેક વિદ્યાર્થી ઊભો થઈ સરકારી અમલદારના હાથે ઇનામ લઈ બેસી જાય. એ દિવસોમાં વિદ્યાર્થીનું આખું નામ (લાલ, દાસ, ચંદ, ચંદ્ર વગેરે સહિત) અને એના પિતાશ્રીનું નામ બોલવાનો રિવાજ હતો. અટક બોલવાનો રિવાજ નહોતો. શાળાના મુનીમ એક નોટબુકમાં નામો લખીને લાવ્યા હતા. ત્રણ ધોરણના નામો પૂરાં થયાં. હવે ચોથા ધોરણનાં નામો શરૂ થયાં. પહેલું નામ ધાર્યા પ્રમાણે જ હતું. બીજું નામ બોલાયું : રમણલાલ ચીમનલાલ. મારું નામ સાંભળી હું આશ્ચર્યચકિત થઈ ગયો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઇનામ લેવા હું હસતો હસતો અમલદાર પાસે પહોંચ્યો. ત્યાં અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ ઊભા થયા અને બોલ્યા, 'નામ લખવામાં કાંઈ ભૂલ થઈ લાગે છે. બીજો નંબર મૂળચંદ નાનાલાલનો છે. દર વર્ષે એ છોકરો જ બીજા નંબરે આવે છે. અને આ છોકરો તો ત્રીજા નંબરે આવે છે.' મુનીમે કહ્યું, ' પણ સાહેબ, આમાં બીજા નંબરે રમણલાલ ચીમનલાલનું નામ લખ્યું છે. પરિણામના રજિસ્ટરમાંથી જ આ ઉતારવામાં આવ્યું છે.' 'એમાં ચોક્કસ કંઈક ભૂલ લાગે છે. પરીક્ષા તો મેં લીધી છે ને ?' ત્યાં અમલદાર બોલ્યા, 'પરિણામનું રજિસ્ટર જ મંગાવોને, એટલે વાતનો ફેંસલો આવે, અમલદારે મને આપવાનાં પુસ્તકો પાછાં ટેબલ પર મૂક્યાં. પોતે બેસી ગયા. હું પણ મારી જગ્યાએ જઈને બેઠો. કાર્યક્રમ થોડીક વાર માટે સ્થગિત થઈ ગયો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ ચાલુ થયો. તરત પટાવાળાને રજિસ્ટર માટે દોડાવવામાં આવ્યો. રજિસ્ટર આવ્યું. મુનીમે તે વિષ્ણુભાઈને બતાવ્યું. એ જોઈને વિષ્ણુભાઈ વિચારમાં પડી ગયા. અમલદારે પણ રજિસ્ટર જોયું. જાહેર થયેલું પરિણામ સારું હતું. વિષ્ણુભાઈ બોલ્યા, બરાબર છે. બીજે નંબરે આ છોકરો જ આવે છે.' ફરી મારું નામ બોલાયું. ઊભા થઈ, અમલદાર પાસે જઈ તેમને પ્રણામ કરી મેં ઇનામનાં પુસ્તકો લીધાં. દર વર્ષ કરતાં આ વર્ષે ક્રમ જુદો આવ્યો એટલે વિદ્યાર્થીઓમાં પણ માંહોમાંહે વાતો થવા લાગી. મેળાવડો પૂરો થયો. ઇનામ લઈ હું ઘરે આવ્યો. મારા હરખનો પાર નહોતો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઘરે આવીને રેવાબાને વાત કરી. એ સાંભળી એને પણ બહુ હરખ Page #796 -------------------------------------------------------------------------- ________________ 780 તપાગચ્છાધિષ્ઠાયક થયો. તે બોલી, 'મેં નહોતું કહ્યું કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે. આટલું બોલતાં બોલતાં તો તેની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઈ આવ્યો. બા મને શ્રી માણિભદ્રવીરના સ્થાનકે લઈ ગઈ. દીવો કર્યો. શ્રીફળ વધેર્ય, ઈંડા ધરાવ્યા: મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગઈ. એનાં સંસ્મરણો મારા ચિત્તમાં દઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ સ્થાનકે દીવો કરવા જવું, પરીક્ષા આપવી, ઇનામનો મેળાવડો, વિષ્ણુભાઈ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર મંગાવવું વગેરે દશ્યો નજર સામે તરવરે છે. શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે. તે રોજ સવારે શ્રી માણિભદ્રવીરને દીવો કરવા જાય ત્યારે અમને છોકરાંઓને પણ સાથે લઈ જાય. એ દિવસોમાં રેવાબાએ બીજો એક પ્રયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકના ચાંલ્લા સુચના પ્રમાણે હં કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા હાથન અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની મેંશ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો. પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો. ઓરડો બંધ રાખવામાં આવતો એથી ઉજાસ ઓછો થઈ જતો. અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી વાળી હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે મને બોલવાનું કહેતાં, હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.' પછી બા મને પૂછતી, ' તને અંગૂઠામાં કંઈ હાલતું ચાલતું દેખાય છે ?" જો દેખાય તો હું હા કહું અને ન દેખાય તો ના કહું. હા કહું તો પૂછે કે ' હાથી ઉપર બેસીને કોઈ આંવતું દેખાય છે?" જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, 'હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.' એ પ્રમાણે થયા પછી બા કહે ' હવે બોલ –હે માણિભદ્ર દાદા ! અમારા ઉપર પરસન થાઓ ! અમારું દાળદર (દારિદ્રય) દૂર કરો. મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા)ને સારી નોકરી અપાવો. આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઈ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાંજે પાછા ફર્યા ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી થઈ ગયું છે. Page #797 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 781 આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે. પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે. પાછા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. ઈ.સ ૧૯૩ની આ વાત છે. મુંબઈ જવાનું નક્કી થતાં પાદરાની સરકારી હાઈસ્કૂલમાં ભણવાને બદલે, પ્રાથમિક ચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ભણવાનું ચાલુ થયું. મુંબઈમાં આવી રોજ સવારે નાહી સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મૅટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ ક્લાસ પણ શ્રી માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મૅટ્રિકની પરીક્ષા પછી હૉસ્ટેલમાં રહેવા જતાં કેટલાંક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી ગઈ હતી. શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એ સ્થાનકનો પ્રભાવ કંઈક જુદો જ હતો: બે સૈકા અગાઉ કોઈ આરાધક યતિશ્રીએ એની સ્થાપના કરેલી, એ એનું એક મહત્ત્વનું કારણ હતું. કેટલાંક વર્ષ પછી મુંબઈમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઈક રાતને વખતે શ્રી માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઈ ગયું. હાહાકાર થઈ ગયો. અમને પણ બહુ આઘાત લાગ્યો. કોણ લઈ ગયું? કયાં લઈ ગયું? એનું શું કર્યું? આ વાતનો ભેદ કયારેય ઊકલ્યો નહિ. પણ ત્યારથી નવઘરીની જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઈ ગયું. ત્યાર પછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી સ્થાપના થઈ. સાથે ઘંટાકર્ણવીરની પણ સ્થાપના થઈ. એમ બે દેરીઓ બાજુ બાજુમાં થઈ. નવઘરીના નાકે આવેલો ઉપાશ્રય અને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યો. આમ, પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી આરાધના પાછી વેગવાળી થઈ, પરંતુ મૂળ સ્થાન અને મૂળ મૂર્તિનો મહિમા કંઈક જુદો જ હતો. મારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણિભદ્રવીરની એ મૂર્તિ મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઈ. શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે? શું દેવદેવીઓની આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે? શું વિશુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને? શું કોઈ એક જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઈએ કે એક કરતાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ઘણા પ્રશ્નો ઊઠી શકે, તત્ત્વસિદ્ધાંતની વિશદ સમજ, વર્તમાન જીવનમાં સુખદુઃખના સમવિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દેઢમૂલ શ્રદ્ધાની નિર્મળતાની તરતમાતા, અંગત અનુભવ દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે. અકારણ અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને, એ પોતાની જાતને જ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઈએ. Page #798 -------------------------------------------------------------------------- ________________ 782 તપાગચ્છાધિષ્ઠાયક શ્રદ્ધા સાધના અને શુભેચ્છા મારી === છે. = હું તો = જ હું === * . . = . = == મહાપ્રમાવિક ચમત્કારી અન વાંછતપૂરક આગલાડ ગામ બિરાજિત શ્રી માણિભદ્રદેવના આ ફોટા સામે પાંચ વર્ષ સુધી પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજશ્રીએ જાપ કરેલ છે. પૂજ્ય સાધ્વીશ્રી કરોડો મંત્રજાપના આરાધક છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક ગામોના સંઘમાં પણ ભક્તિભાવથી જાપ થયેલ છે. અમરેલી શ્રી નેમિનાથ જૈન સંઘની આરાધના, સાધના. જાપ, તપ, સંઘપૂજન, પ્રભાવના અત્યુત્તમ થયેલ છે. પૂજ્યશ્રીની કાયમિક આરાધના પૂના, ધ્રાંગધ્રા, જેતપુર, મહાવીરપુરમ્ અને બીજાં અનેક સ્થળે અનેક ભાવકો તરફથી તેમ જ ખાસ કરીને પૂજ્યશ્રીના સંસારી પરિવાર તરફથી પૂજા, સ્નાત્ર, તપ, જાપ, અખંડ દીપ, અંગરચના, શ્રીફળ, તોરણ, સુખડી વગેરે ખાતે પ્રેરણા દ્વારા સારો લાભ આપેલ છે. પૂ. સા.શ્રી પદ્મયશાશ્રીજી મહારાજશ્રીની યલેન્દ્ર માણિભદ્રજી દેવની આરાધનાની અનુમોદનાર્થે તથા આ ગ્રંથરત્નમાં ફોટો, સૌજન્ય-ગ્રંથની આગોતરા નકલો તેમ જ અન્ય રીતે સહયોગી બનેલા શુભેચ્છકોની શુભ નામાવલિ આ પ્રમાણે શેઠ શ્રી પરેશકુમાર નંદલાલ દેવચંદભાઈ–મુંબઈ, શ્રી જેતપુર તપાગચ્છીય સંઘ, ભાવુકો તરફથી, શેઠ હેમેન્દ્રકુમાર નંદલાલભાઈ–મુંબઈ, ભક્તવર્ગ તરફથી, સ્વ. જમનાદાસ દેવચંદ શેઠના સ્મરણાર્થે મુક્તાબેન જમનાદાસ-કલક્તા તરફથી, મહેતા પ્રભુદાસ કાળીદાસરાજકોટ, શ્રી નેમિનાથ જૈન દેરાસર સંઘ, શ્રાવિકા સંઘનાં બહેનો તરફથી–અમરેલી; ભીમાણી ખુશાલભાઈ મણિલાલભાઈ, અમરેલી, દોશી મહેન્દ્રકુમાર શાંતિલાલ, વેચાણવેરા અધિકારી (સુરેન્દ્રનગરવાળા); ધામી ગુણવંતીબેન જયંતિલાલભાઈ, મહુવા; અમરેલીના ભાવુકો તરફથી; મહેતા વસંતરાય હરગોવિંદદાસ, અમરેલી; મહેતા ચંદ્રકાન્ત હરગોવિંદદાસ-અમરેલી, મહેતા રજનીકાન્ત હરગોવિંદદાસ-અમરેલી, મહેતા ભૂપેન્દ્રકુમાર તલકચંદ–અમરેલી, મહેતા નવનીતરાય રાયચંદ-અમરેલી, મહેતા મહેન્દ્રકુમાર રૂગનાથ-અમરેલી, શાહ સૌભાગ્યચંદ રૂગનાથ-અમરેલી, દોશી શશીકાન્ત છબીલદાસ–અમરેલી, મામાણી ખુશાલભાઈ મણિલાલ અમરેલી, ભીમાણી ભારતીબેન અનંતરાય-અમરેલી, ભીમાણી શારદાબેન દીનુભાઈ અમરેલી. Page #799 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ સ્વાનુભૂત પ્રસંગો જે જે મહાનુભાવ સંતોના અનુભૂતિ પ્રસંગો એક યા બીજા માધ્યમ દ્વારા અમને મળ્યા છે તે સૌનો અમે ભાવથી અને શ્રદ્ધાથી આદર કરીએ છીએ. સમયકાળ ઝડપથી બદલાઈ રહ્યો છે. એકવીસમી સદીમાં પ્રવેશવાની તૈયારીમાં છીએ, જીવનના રંગઢંગ નવી જ દિશા પકડી રહ્યા છે. જમાનાની દૂષિત હવાએ સમગ્ર માનવજીવન ઉપર ઝેરી ભરડો લીધો છે ત્યારે પણ માનવીની ધર્મશ્રદ્ધાનો દીવડો વધુ વધુ પ્રકાશ પાથરી રહ્યો છે. 783 હૈયાના સાચા ભાવથી અને શ્રદ્ધાથી ઇષ્ટ દૈવી તત્ત્વોની ભક્તિ-ઉપાસનામાં માનવીનું મન જો લગાતાર લાગી જાય તો એવા જીવોને દૈવી કૃપાનો અવશ્ય સાક્ષાત્કાર થાય છે જ... અને એવા સાધકોના અનુભૂતિ–પ્રસંગોનું આલેખન એમના પોતાના જ શબ્દોમાં અત્રે રજૂ કરીએ છીએ. –સંપાદક પ્રગટ પ્રભાવ માણિભદ્રવીરનો.. -પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સોરઠની ધરતી તો સ્વાભાવિક રીતે જ મહિમાવંતી. તેમાં ગોંડલ સ્ટેટના ધોરાજી ગામથી ૧૦ કિ.મી. દૂર મોટી મારડ ગામ આવેલ છે. ત્યાંથી મજેવડી થઈને જૂનાગઢ જઈ શકાય છે. એવા આ મોટી મારડ ગામમાં વિ. સં. ૧૯૫૨ના ફા.વ.૨ ના રોજ શિખરબંધી દહેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનેશ્વર ભગવંતોની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ, તેની સાથે જ ત્યાં શ્રી માણિભદ્ર વીરની પણ સ્થાપના કરવામાં આવી હતી. તે વખતે ત્યાં જૈનોની વસ્તી સારી અને ગામની જાહોજલાલી પણ સારી હતી. અત્યારે પણ આ ગામની જાહોજહાલી ખૂબ જ છે. તે પ્રતિષ્ઠા થયા બાદ લગભગ ૨૫ થી ૩૦ વર્ષના સમયગાળામાં એક મધ્યરાત્રિએ ચોરોએ દહેરાસરનાં તાળાં તોડ્યા અને મૂલ્યવાન મુગટ-આંગી-વગેરેનાં પોટલાં બાંધ્યાં. તે લઈને તેઓ બહાર પણ નીકળ્યા. જેવા તેઓ દહેરાસરથી નીકળીને બસો--અઢીસો ગલાં આગળ વધ્યો ? તુરત જ તેઓ ત્રણેય આંધળા થઈ ગયા. કંઈ જ દેખાય નહિ. પછી આગળ તો વધે જ શી રીતે ક Page #800 -------------------------------------------------------------------------- ________________ 784 તપાગચ્છાધિષ્ઠાયક તેઓ ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે, આ તો આપણે આંધળા થઈ ગયા છીએ તો હવે જીવશું કઈ રીતે? નક્કી આ પરચો જૈનોના ભગવાનનો જ લાગે છે....... એમ વિચારીને ચોરીનો એ બધો જ માલ પાછો મૂકી દેવાનું નક્કી કર્યું. એ મુજબ નક્કી કરતાં જ તેઓ દેખતા થઈ ગયા. તે પછી સંકલ્પ મુજબ ચોરીનો એ બધો જ માલ દહેરાસરના ઓટલે મૂકીને તેઓ નાસી છૂટયા. સવારે ગામમાં બધાને ખબર પડી કે ચોરી. કરવા માટે ચોરોએ તાળાં તોડ્યાં અને ચોરીના માલનાં પોટલાં પણ બાંધ્યાં, પરંતુ તે પછી ગમે તે કારણે તેઓ એ બધું જ છોડીને જતા રહ્યા. જૈનોએ એ બધું ઠીકઠાક કરીને વળી પાછું યથાસ્થાને મૂકી દીધું. આ બાજુ ચોરોએ પોતાના ગામમાં પોતાના ભેરુઓને પોતાને જે પરચો મળેલ તેની વાત કરી. એ વાત ફેલાતી ફેલાતી મોટી મારડ ગામમાં પણ આવી ત્યારે જ બધાને ખબર પડી કે ચોરી કરવા આવેલ ચોરો ચોરીનો માલ લઈને જતા હતા તે વખતે તેઓ આંધળા થઈ ગયા અને ચોરીનો માલ પાછો મૂકી દેવાનો સંકલ્પ કર્યો કે ત્યાં જ તેઓ દેખતા થઈ ગયા અને દહેરાસરના ઓટલે બધું મૂકીને ભાગી છૂટ્યા ... વગેરે. • આ સંભળીને ગામના લોકો તો ઠીક પરંતુ ખુદ જૈનો પણ અચંબામાં પડી ગયા. ખરેખર ! આવા કલિકાળમાં પણ માણિભદ્ર વીરનો આવો પરચો પ્રગટપણે જોવા મળે છે, એનાથી ભાવિક ભક્તજનોની શ્રદ્ધા વધે છે અને હૈયું પુલકિત થાય છે. આ સિવાય બીજા પણ નાનામોટા પરચાઓ ત્યાંના શ્રદ્ધાનંત આત્માઓને મળેલા છે. (નોંધ :- આચાર્યશ્રી વિજયરત્નભૂષણસૂરિજીએ આજથી (સં. ૨૦૫ર થી) લગભગ ૪૮ વર્ષ પહેલાં પોતાના વડીલોના મુખેથી સાંભળેલ એવો આ સત્ય બનાવ અહીં ઉપર મુજબ રજૂ કરેલ છે. – સંપાદક) સોરઠનાં ત્રણ ચમત્કારી સ્થાન - તપસ્વી આ. શ્રી વારિષેણસૂરિજી મહારાજ પૂ. ગુરુદેવ શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા.ના સાંનિધ્યમાં શાસનરક્ષક શ્રી માણિભદ્ર દેવના અવનવા સમાધિદાતા પ્રસંગો અનુભવવા મળેલા. ધર્મરક્ષાના ભેખધારી શ્રી માણિભદ્ર દેવ તપાગચ્છના સૂરિપ્રવરોને અચૂક સહાય–પ્રત્યક્ષ દર્શન આજે પણ શ્રદ્ધાનુંસાર આપે છે, જે અનેકોને અનુભવસિદ્ધ છે. સાધના-સિદ્ધિ ને આરાધના આત્માને સમકિતની નિર્મળતા ને સમાધિભાવની પ્રાપ્તિ આર્તધ્યાનથી મુક્તિ માટે કરવાનું ધ્યાન અને વિવેક અવશ્ય જરૂરી છે. સોરઠ–વંથલી, જૂનાગઢ મોટા મંદિર અને જામનગર શેઠના મંદિરે સાક્ષાતુ અનુભવો અનેક આત્માઓએ અનુભવ્યા છે. ભંડારમાં ૫00–300ની નોટો દર મહિને કેટલીય નીકળે છે જે દાદાની પ્રભાવિકતાની પ્રતીતિ કરાવે છે. શ્રી નવકાર મંત્રની ૧૧ માળા સાથે શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની માળાના જાપ આજે અનેકને આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરીને સમાધિનાં મંગલ દાન કરે છે. તપગચ્છના રક્ષક શ્રી માણિભદ્ર ઇન્દ્ર પૂર્વ જીવનમાં નવકાર મંત્રનું ધ્યાન અને શત્રુંજય-યાત્રાના Page #801 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 785 ભાવે ને દઢ શ્રદ્ધાના બળે અનેક સિદ્ધિઓ સર કરી છે. ઉપરોક્ત સોરઠનાં ત્રણ નગરોમાં ભાવિકોની ભીડને ભાંગનારા માણિભદ્રદેવ પાસે ભાવિક આવીને કહે – અરે, દાદા ! તારા દર્શને રોજ આવું છું. ૪00 વર્ષ પ્રાચીન જિનાલયોમાં પ્રાચીન જિનબિંબોના દર્શને જાઉં છું. ભાવ ઉત્તમ છે પણ દર્શન દુર્લભ છે. માટે દાદા ! જો તારી ઇચ્છા મને દર્શને બોલાવવો હોય તો તું મને બાહ્ય ચક્ષુથી દર્શન આપ. બુવા શેઠની ભાવનાની બંસી વાગી ઊઠી. આજે પણ સૂર્ય તેજ રેલાવે છે, ગંગા પાવન વહે છે, વૃક્ષ ફળે છે તો દાદાના દર્શનની ભાવનાના દીપકમાં શ્રદ્ધાનું તેલ મળે પછી જ્યોતિ ન પ્રકાશે તે બને જ કેમ ? બુવા શેઠ બહાર નીકળતાં જ નયન ખૂલી ગયાં, તેજજ્યોતિ વિકસી ગઈ ને શેઠે દાદાનો ઉપકાર લળી લળીને માન્યો. તે દિનથી માણિભદ્ર વીરના ચમત્કારો અનેક રીતે લોકો અનુભવવા લાગ્યા. લૌકિક મિથ્યાત્વના પ્રકારને સમજીને, શ્રદ્ધા ને સમર્પણભાવે નવકારમંત્રના જપ, બ્રહ્મચર્યના ખપ ને આયંબિલ તપને શરણે ભાવ સમર્પિત થાય તો દેવ-ગુરુ-ધર્મની આરાધનામાં અધિષ્ઠાયક દેવો સહાય અવશ્ય કરે છે. વિવેકભાવ જિનેશ્વરદેવની ભક્તિ ને અધિષ્ઠાયકની ભક્તિમાં જાગૃત ન રહે તો આશાતનાના ભાગીદાર ન બની જવાય તે જોવું જરૂરી છે. રાજા કરતાં ચપરાશી—ચોકીદારને માન વધુ ન અપાય તેમ માણિભદ્ર ઈન્દ્ર પણ ઇચ્છે છે. માણેકચંદમાંથી માણિભદ્ર ઈન્દ્ર બનનારા ચમત્કારી દેવ આપણી પાસે વીતરાગની શ્રદ્ધા-ભક્તિ જ માગે છે. તે આત્મધ્યાનની પ્રભુભક્તિ ને દેવભક્તિ સૌને મુક્તિના પુનિત પંથે પ્રસ્થાન કરવામાં આશિષરૂપ બને તે મંગલ ભાવના સાથે તપાગચ્છના અધિષ્ઠાયકના મહિમાને સૌ સમર્પિત બનો. શ્રદ્ધા એ જ શક્તિ છે, મુક્તિ છે. ચમત્કાર આજે પણ બને છે વાચકો જોગ ધર્મલાભ. પરમાત્માની પરમ કૃપાથી આનંદિત છું. વિશેષમાં વિદિત કરવાનું કે શ્રી સ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘમાં શ્રી માણિભદ્રવીરનો ઇતિહાસ બહુ જાણીતો છે. આજથી ૪૫૦ વર્ષ પૂર્વે અન્ય દેવોના ઉપદ્રવના કારણે તપાગચ્છના કુલ દશ સાધુ ભ્રમિત થઈને કાળધર્મ પામ્યા હતા. અન્ય કેટલાક સાધુઓ પાગલની જેમ જંગલોમાં ગમે તેમ ભટક્યા કરતા હતા. આ દેવકૃત ઉપદ્રવને જાણીને પૂર્વાચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજીએ અમનો તપ કરી શ્રી મણિભદ્ર વીરને પ્રત્યક્ષ કર્યા હતા. તેમની સહાય માગી હતી. પાગલ થઈ ગયેલ સાધુઓને સાજા કરવા માટે વિનંતી કરી હતી અને ભવિષ્યમાં તપાગચ્છની સુરક્ષા માટે વચન માગ્યું હતું. ત્યારે શ્રી માણિભદ્રવીરે પોતાની કેટલીક ઇચ્છાઓ વ્યક્ત કરી હતી. (૧) હવે પછીથી જ્યાં પણ તપાગચ્છનો ઉપાશ્રય બને ત્યાં ઉપાશ્રયમાં મારી સ્થાપના કરવી જેથી મને ત્યાં આવતા સાધુઓના શ્રીમુખે ધર્મલાભ પ્રાપ્ત થાય. (૨) જે પણ નવા આચાર્ય બને તે મારા મૂળ સ્થાનકે (ઉજ્જૈન, મગરવાડા કે આગલોડ) Page #802 -------------------------------------------------------------------------- ________________ 786 આવીને ધર્મલાભ આપે. (૩) જે નૂતન આચાર્યોં મારા મૂળ સ્થાનકે આવી અક્રમનો તપ કરી જાપ કરશે તેમને હું સદાને માટે સહાયક થઈશ. તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીરની આ વાતોનો પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે સ્વીકાર કર્યો અને એ વાતો અમલ મૂકી. ભ્રમિત થઈ ગયેલા સાધુઓ તત્કાળ સાજા થઈ ગયા. આટલો ઇતિહાસ આપણા શ્રીસંધમાં ખૂબ સારી રીતે પ્રસિદ્ધ થયેલો છે. પ્રવચનોમાં, પુસ્તકોમાં પીરસાયેલો છે. આમ છતાં છેલ્લા ઘણા વખતથી ઉપાશ્રયમાં શ્રી માણિભદ્રવીરને સ્થાપન કરવાની અને નૂતન આચાર્યોએ મૂળસ્થાનકે જઈ ધર્મલાભ આપવાની પરંપરા વિસારે પડી ગઈ છે. છેલ્લા કેટલાય વખતથી કોઈ આચાર્યોએ મૂળ સ્થાનકે જઈને ધર્મલાભ પાઠવ્યા હોય એવું જાણમાં નથી. આસો માસમાં આચાર્યપદવીઓનાં મુહૂર્તો જાહેર થતાં મારા એક આત્મીય મુનિવરે મને સૂચના કરી કે વીરને ધાલાભ આપવા જવાની પરંપરા સાવ બંધ પડી ગઈ છે. આપ આચાર્યપદ ગ્રહણ કર્યા પછી તરત મગરવાડા કે આગલોડ પધારો તો સારું. તેમની સૂચના મને ગમી. મેં તેમને સમયસર યાદ દેવડાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા. વિ. સં. ૨૦૫૩ કા. વ. ૯ના ભુવનભાનુનગર-અમદાવાદમાં આચાર્યપદ પ્રદાન થયા બાદ મેં બીજાં પ્રવચન, મહોત્સવ, સામૈયાં આદિ બધાં કાર્યો મુલતવી રાખી સીધો આગલોડ પ્રતિ વિહાર કર્યો. મા. વ. ૧ બુધવાર તા. ૨૫-૧૨-૯૬ના આગલોડ પહોંચી માણિભદ્રવીરને ધર્મલાભ પાઠવ્યા. બીજા દિવસથી અટ્ટમતપની આરાધના અને રોજ છ કલાક જાપની સાધનાનો આરંભ કર્યો. બીજા દિવસનો ઉપવાસ જરા વધારે કઠણ પડયો હતો. જાપમાં પણ શરીર ખૂબ દુઃખતું હતું. તેમ છતાં સંકલ્પ દઢ રાખી સાધના ચાલુ રાખી. બીજા દિવસની સંધ્યાએ શ્રી માણિભદ્રવીરજીના મંદિરમાં તેમને વિનંતી કરી કે આપે પૂર્વે જે જે માગ્યું હતું તે બધું અમે આપને આપ્યું. હજુ કંઈ જોઈતું હોય તો માગો, પણ આપ અમને જિનશાસનની સેવા માટે સહાયક બનો એવી અમારી પ્રાર્થના છે. આપે જે માગ્યું તે અમે આપી દીધું. હવે અમે માગેલું આપ ન આપો તો ન્યાય કયાં રહ્યો ? માટે અમને પ્રત્યક્ષ થાવ અને સહાયક થવા માટે વચન આપો અથવા અમને કો'ક સંકેત દ્વારા ખાતરી કરાવો. આવી પ્રાર્થના બાદ મેં સાંજનું પ્રતિક્રમણ કર્યું, જાપ કર્યો અને સંથારો કર્યો. છેલ્લી રાત્રે સ્વપ્નમાં દેવે જણાવ્યું કે તમે શંકા--કુશંકા ન કરશો, હું તમને સહાયક થઈશ. મેં કહ્યું કે એની ખાતરી શું ? ત્યારે દેવે જણાવ્યું કે જામમાં તમારી સમક્ષ જે શ્રીફળ સ્થાપવામાં આવેલ છે, તે આજે જાપ કરતાં આપોઆપ ફાટી જશે. આટલા વાર્તાલાપ બાદ આંખ ઊઘડી ગઈ. પ્રાતઃ આવશ્યક ક્રિયાઓ પતાવી જિનાલયે દર્શન કરી જ્યારે મેં જાપકક્ષમાં પ્રવેશ કર્યો ત્યા પ્રથમ નજર શ્રીફળ પર ગઈ. પણ શ્રીફળ તો બિલકુલ અખંડ હતું. મારી સાથે અદ-પપૂર્વક જાપમાં જોડાયેલા અન્ય ૩ મુનિઓ અને એક શ્રાવક–અમે બધા પ્રાર્થના, Page #803 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 787 સફલીકરણ આદિ પૂર્વસેવાવિધિ કરીને જાપમાં બેસી ગયા. સૂરિમંત્રની પાંચમી પીઠની બીજી માળા પૂર્ણ થતાં સામે પડેલ શ્રીફળ એકાએક ફાટયું. કાચલી ઉપર ચીરચીરા દેખાવા લાગ્યા. નાના મુનિઓ બધા જાપમાંથી જોવા માટે ઊભા થઈ ગયા. જોતજોતામાં તિરાડો મોટી થવા લાગી. રોકડો રૂપિયો અંદર જઈ શકે એવી ફાટો પડવા લાગી. સંકેત પ્રમાણે દેવે આ ચમત્કાર દર્શાવ્યો હતો. હજુ અમારે ચાર કલાકનો જાપ બાકી હતો. એ ડોળાઈ ન જાય એટલે કોઈને પણ જાણ કર્યા વિના અમે જાપ પરિપૂર્ણ કરી દીધો. પછી બીજા મુનિઓ-શ્રાવકો વગેરેને જાણ કરી. સહુએ આ ચમત્કારને પોતા નજરે નિહાળ્યો. અમદાવાદ ઍલર્ટ યંગ ગ્રૂપના યુવાનોને સમાચાર મળતાં ઘણી મોટી સંખ્યામાં આવીને તે લોકો પણ નજરે નિહાળી ગયા. ત્યાર બાદ શ્રીફળને અમદાવાદ લઈ જવામાં આવ્યું હતું. ત્યાં અનેક સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાઓએ દર્શનનો લાભ લીધો હતો. આ હળાહળ કલિયુગમાં દેવો પ્રત્યક્ષ થતા નથી, પણ સંકેત દ્વારા આજે પણ ચમત્કારો દર્શાવે છે અને ધર્મ જીવાત્માઓને મોક્ષમાર્ગની આરાધનામાં અચૂક સહાયક બને છે. આપની શ્રદ્ધાને મજબૂત બનાવીને દેવાધિદેવ શ્રી જિનેટ પર પરમાત્માના ચરણકમળમાં આપણા ચિત્તને સ્થિર કરીએ તો દેવાત્માઓ પરચો પૂર્યા વિના રહેતા નથી. -લિ. આચાર્ય વિજયહેમરત્નસૂરિના ધર્મલાભ. તા. ૬-૧-૯૭. ["પ્રેરણાપત્ર, માંથી સાભાર"] રાંદેર (સુરત) ગામના શ્રી માણિભદ્રવીરનો ચમત્કાર... –મુનિ પ્રશાંતવલ્લભવિજયજી મ.સા. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન, વર્ધમાન તપની ૧૦૦ ઓળી શીધ્ર પરિપૂર્ણ કરવાના મનોરથ સેવનાર અને ૮૯ ઓળી પરિપૂર્ણ કરનાર સ્વર્ગસ્થ સહજાનંદી સૂરિમંત્રારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ સાહેબનું વિ.સં.૨૦૪૨નું ચાતુર્માસ શાંતિનગર (અમદાવાદ) સોસાયટીમાં હતું. તે વખતે પૂ. આ. ભ.ને ૮૮મી ઓળી ચાલી રહી હતી... સાથે રોજનો સેંકડો નવકારમંત્રનો અજપાજાપ તો ચાલુ જ હતો. એકવાર પ્રાત:કાળે દૈનિક સમય કરતાં વહેલા ઊઠીને શ્રી નવકારમંત્રના જાપમાં બેસી ગયા. સવારે પોતાના પ્રશિયને બોલાવીને જણાવ્યું કે આજે મને એક સુંદર સ્વપ્ન આવ્યું, તે જોઈને મને અનહદ આનંદ થયો છે. તેઓશ્રીને સ્વપ્નમાં અવારનવાર જિનબિંબનાં દર્શન તો થતાં જ હતાં. પણ આજે એક ભિન્ન પ્રકારના જ સ્વપ્નનો અનુભવ થયો. સ્વપ્નમાં તેઓશ્રીએ જોયું કે- શ્રી માણિભદ્રવીર ઘોડેસ્વારની જેમ હાથીના હોદ્દે બેસીને પોતાની સન્મુખ આવી રહ્યા છે. પૂ. આ. ભ.ને જોતાં જ અત્યંત ખુશ થઈ ગયા અને પોતે હાથી પર બેઠા બેઠા જ નાચવા Page #804 -------------------------------------------------------------------------- ________________ 788 તપાગચ્છાધિષ્ઠાયક લાગ્યા. હાથી સહિત શ્રી માણિભદ્રવીરે પૂ.આ.ભ.ને પ્રદક્ષિણા આપી. શ્રી માણિભદ્રની સ્થૂળ શરીરવાળા એક ભાઈ સેવા કરી રહ્યા હતા.... આ દશ્ય જોઈને પૂ.આ.ભ. જાગી ઊઠયા. આ રીતે ઘોડેસ્વારની જેમ હાથીના હોદ્દે બેઠેલા સન્મુખ આવતા માણિભદ્રની મૂર્તિ ક્યાં? તેનો વિચાર કરવા લાગ્યા...તેઓશ્રીને જિનદર્શનનો ભારે ભાવ હોવાથી વિહારમાં પણ આજુબાજુના પરિસરમાં કે વિહારમાર્ગથી ૫-૧૦ કિ.મી. અંદરના ગામમાં પણ જિનમંદિર હોય તો ચૈત્યને જુહારવાનું ચૂકતા નહિ. ઉપરોક્ત શ્રી માણિભદ્રજીના સ્વપ્નદર્શન બાદ જે પણ જિનમંદિરમાં દર્શનાર્થે જતા ત્યાં માણિભદ્ર અંગે પૃચ્છા કરતા. ઘણા ગામમાં ઘણી જગ્યાએ માણિભદ્રની મૂર્તિ જોવામાં આવી પણ હજુ સ્વપ્નમાં જોયેલ માણિભદ્ર જેવી મૂર્તિ ક્યાંય જોવામાં ન આવી. વિહાર કરતાં કરતાં અમદાવાદથી સુરત આવવાનું થયું. સુરતથી કિ.મી. અંતરે રાંદેર ગામમાં જિનમંદિરને જુહારવા પધાર્યા. ત્યાં પૂછપરછ કરતાં માણિભદ્રજી હોવાની જાણકારી મળી. તુરન્ત તે સ્થાને પહોંચ્યા અને માણિભદ્રજીને જોતાં જ તેઓ અત્યંત ખુશ થઈ ગયા. દિવસોથી જે પદ્ધતિના માણિભદ્રજીની મૂર્તિની ખોજ કરી રહ્યા હતા તે મૂર્તિનાં દર્શન થયાં અને મુખમાંથી શબ્દો સરી પડ્યા 'હા... હા...... આ જ મૂર્તિ... આ એ જ માણિભદ્રજી જે મેં સ્વપ્નમાં જોયા હતા.' ભાવવિભોર બનેલા આ ભગવંતે ધર્મલાભ આપ્યા.. બોલી ઊઠ્યા આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિતવંત ઠયા. આજ સફળ દિન મુજ તણો. ' મહોપાધ્યાય યશોવિજય મ.સા.ના સ્તવનની આ પંક્તિ યથાર્ય થયેલી જણાઈ. શ્રી માણિભદ્રજીની આ મૂર્તિ આજે સુરતના જૈનોનું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. દર ગુરુવારે સેંકડો ભાવકો ત્યાં જાય છે અને ' જય જિનેન્દ્ર- પ્રણામ ' બોલવા દ્વારા તપાગચ્છાધિષ્ઠાયક શાસન દેવ શ્રી માણિભદ્રજીનું શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે. પૂ. મુનિશ્રી નવભદ્રવિજયજી મહારાજ એક નોંધમાં લખે છે કે – સત્ય હકીકત... આને પરચો ગણો.. પ્રભાવ ગણો.. કે ચમત્કાર કહો.. વાત છે સંવત ૨૦૩રના ચૈત્ર માસની.. સ્વ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો વિહાર મુરબાડથી પૂના નક્કી થયો. તે વખતે હું તલેગામ (દાડે) હતો... પૂજ્યપાદશ્રીનો વિહાર કાર્યક્રમ... ધસઇનો ઘાટ ચડી... જુન્નર મચર થઈ પૂનાનો હતો... રોજેરોજનો મુકામ નક્કી થયા મુજબ જે–તે ગામમાં જણાવવા એક ભાગ્યશાળી રવાના થયા.. મને પણ સમાચાર પૂનાથી મળ્યા... મને વિચાર થયો છે. ધસઈનો ઘાટ ચડવો અતિ મુશકેલ છે. તેથી... ખંડાળા ઘાટ ચડવો અને પૂના જવું.... આ માટે પૂજ્યપાદશ્રીને સમાચાર જણાવવા કોઈ શ્રાવકને મુરબાડ મોકલવો જેથી સાહેબજી સમજાવી ફેરફાર કરી શકે. તલેગાંવના ૪-૫ શ્રાવકોને વાત કરી પણ કોઈ તૈયાર ન થયા.. Page #805 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 18) વિહારને ત્રણ દિવસ જ બાકી રહ્યા. મારી પાસે કોઈ સહાયક ન હતો. સિવાય શ્રી માણિભદ્રજી. રાત્રે ૧૨-૪૩મિનિટે મેં અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીનો મંત્ર-જાપ શરૂ કર્યો. એક માળા ૯-૧૦ મિનિટની છે. મારી એક જ ભાવના હતી કે પૂજ્યપાદશ્રીની સાથે બાળ મુનિરાજો, વયોવૃદ્ધ મુનિરાજો અને મુમુક્ષુ યુવકો પણ હોય માટે તેઓનો વિહાર સુખશાંતિ પૂર્વક થાય. અને ધસઈના ઘાટને બદલે ખંડાળાનો ઘાટ ચડી પૂના પધારે. અને મારી ભાવના સફળ થઈ. બીજા જ દિવસે વિહારક્રમ ખંડાળા ઘાટ નક્કી થયો. ગામેગામ કાર્યક્રમ જણાવવા એક ભાગ્યશાળી કાર સાથે રવાના થયા. બપોરે ૩ વાગે તલેગામમાં નક્કી કરેલ દિવસ જણાવ્યો. મને પણ લાગ્યું કે જાગૃત અધિષ્ઠાયક દેવ કહેવાય છે તે બરાબર જ છે. અને પૂજ્યપાદશ્રી ખંડાળા ઘાટ થઈ પૂના પધાર્યા. સંવત ૨૦૩ર ચેત્ર માસ ધસઈનો ઘાટ ન ચડવાનું કારણ કે સંવત ૨૦૨૧માં મારા પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. સાથે મુરબાડથી સંગમનેર ધસઈનો ઘાટ ચડીને ગયા તે વખતે મારી ૪૧ વર્ષની ઉમર.. શ્રી સ્થૂલભદ્ર વિ.મ. ૩૧ વર્ષની ઉંમર જ; એટલે પૂરતી યુવાન વય, સશક્ત દેહ છતાં ઘાટ ચડતાં આંખે પાણી આવી ગયાં. છેક ઉપર ચઢી ગયા પછી લાગ્યું કે હાશ! બચી ગયા. તે જ વરસમાં સ્વ. પૂ.પં. ચરણ વિ.મ.સા. મચર જુન્નરથી મુંબઈ પધાર્યા. ભાંડપમાં હું મળ્યો. મેં પૂછયું, સાહેબ! કયા રસ્તેથી પધાર્યા? મને કહે ભાઈ! ધસઈનો ઘાટ ઊતરીને. મેં મારી ભાવનામાં કહ્યું, સાહેબ ! ભલા જીવતા આવ્યા ! તેઓશ્રીએ કહ્યું કે અમે ત્રણેય સાધુ ડોલીમાં હતા છતાં કેટલો ત્રાસ થયો એ અમે જ જાણીએ. તમારા શાસનપ્રભાવના કાર્યમાં શુભેચ્છા. -લિ. નયભદ્ર વિ. ના. ધર્મલાભ રાધનપુરમાં દાદાનો ચમત્કાર સંવત ૨૦૪૯માં રાધનપુરથી પાલીતાણા શ્રીસંઘ છરી પાળતો પદયાત્રાથી શ્રી નવીનભાઈ ગાંધી પરિવાર તરફથી નીકળવાનો હતો. તે વખતે તોફાની વાતાવારણ ઘણું જ ખરાબ હતું એટલે સંઘે આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજ તેમ જ સંઘપતિને વિનંતિ કરી કે આ સંઘ અત્યારે મુલત્વી રાખી આગળ ઉપર વિચારો. જ્યારે આચાર્યદેવશ્રીએ શ્રી દાદાની સન્મુખ સાધના કરી, તેમને ચમત્કાર થયો અને આભાસ થયો કે સંઘ સુખરૂપે નિર્વિધ્ધ પાલીતાણા પહોંચશે. એટલે સંઘ શુભ મુહૂર્ત નીકળી તોફાની વાતાવરણમાં ક્ષેમકુશળથી પાલીતાણાજી પહોંચી ગયો જે એક ચમત્કાર છે. શ્રદ્ધાબળ વધ્યું મુંબઈ–પાયધુની ઉપર શ્રી નેમિનાથ મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી સુબોધભાઈ બી. ઝવેરી જણાવે છે કે – કળિયુગમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રજી દાદાનો પ્રત્યક્ષ પ્રભાવ મેં પોતે મારી જાતે નજરોનજર અમારા સંઘના દેરાસરમાં જ જોયેલો છે. સંઘના Page #806 -------------------------------------------------------------------------- ________________ 790 તપાગચ્છાધિષ્ઠાયક દેરાસરના ભોંયતળિયે શ્રી માણિભદ્રવીરનો અતિ પ્રભાવશાળી ગોખલો છે. ૧૯૯૪માં એક ગુરુવારે શ્રદ્ધાળુ શ્રાવકો ૫ થી ૭ ળિયેરનું તોરણ બંધાવે. તે સાંજના લગભગ ૪ થી પ વાગ્યાના સમયે દર્શન કરવા હું ગયો ત્યારે બે નાળિયેર બરોબર ત્રિશુળ આકારે એક સરખા એંગલમાં ફૂટ્યા અને અંદરથી દૂધનો પ્રક્ષાલ થયો. તે જ વખતે અંત:કરણની શ્રદ્ધાથી દાદાને વંદન-પ્રણામ કર્યા. આ નિશાની ઉચ્ચ અને સારી સંકેત ઘણા ઊજળા છે તેવો ભાસ થયો. વર્ષોથી દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પાછું ઠેલાતું હતું. તે i વિદન વિના આ કામ સરળતાથી પતી જશે એવી એક શ્રદ્ધા મનમાં દઢ બની ગઈ. વિવિધ સ્થળોએ દાદાના પરચા ભાવનગર પાસે વ ાજમાં ભવ્ય અને સુંદર જિનાલય છે; જ્યાં માણિભદ્રદાદાએ રાતના સમયે ૧૯૯૭ જાન્યુઆરી માસમાં પડછો આપ્યાનો અણસાર અને કેટલીક વાતો જિનાલયના પૂજારી પાસેથી જાણવા મળે છે. પાલીતાણાનિવાસી અને હાલ વિરારમાં રહેતા પ્રતાપરાય એમ. શેઠ અને તેના પિતાશ્રીને દાદા ઉપર અનન્ય શ્રદ્ધા હતી. પ્રસંગોપાત્ત જીવનમાં જે જે તાણાવાણામાંથી પસાર થયા, તેમાં સ્વપ્નસંકેત દ્વારા દાદાએ હમેશા કૃપા વરસાવી છે એવી દઢ શ્રદ્ધા સાથે તેમના અનુભૂતિ-પ્રસંગો સાંભળવા જેવા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આદરિયાણા ગામ જે પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની જન્મભૂમિ છે. આ ગામમાં પણ માણિભદ્રજીના અતિ પ્રાચીન પહેલાના ગોરજી મહારાજશ્રીની સાધેલી મૂર્તિનાં દર્શન થાય છે, જ્યાં સાધના કરનારને ચમત્કારિક અનુભૂતિ થતી હોવાનું કહેવાય છે. ભરૂચ જિલ્લામાં આવેલું આમોદ જ્યાં શ્રી જૈન શ્વેતામ્બર દેરાસર પંચના દેરાસરના નામે ઓળખાય છે. ત્યાં બિરાજમાન માણિભદ્રજી મૂર્તિ ઘણાં જ પ્રાચીન અને પ્રભાવક છે. આરસના પથ્થરમાં ઉપસાવેલી છે. પહેલા ગોરજી મહારાજના નામે ઓળખાતા ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તે ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવતાં ત્યાંથી સં. ૨૦૩૩ માં નજીકના ઉપરના દેરાસરમાં મુખ્ય પ્રવેશદ્વારના ઓટલા ઉપર ઓરડીમાં આરસના મોખમાં બિરાજમાન કર્યા છે. પ્રભાવક છે અને હાજરાહજૂર છે. આ ઘટના ત્યાંના ટ્રસ્ટીઓ જણાવે છે. રાધનપુર શંખેશ્વર મહાતીર્થની બાજુમાં રાધનપુર નગરી પચીસથી વધુ શિખરબંધી જિનાલયોથી શોભાયમાન છે. ત્યાં પાંજરાપોળ શેરીમાં આવેલ માણિભદ્રદાદાનું સ્થાનકમૂર્તિ ૪૧૮ વર્ષ પહેલાંની અતિ પ્રાચીન છે. સાગરગચ્છના ઉપ્રાશ્રય પાસ છે. શ્રદ્ધાવતો આ જગ્યામાં દાદાને દર્શનાર્થે નિયમિત રીતે આવે છે. Page #807 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિત પનોકામનાપૂરક માણિભદ્રદેવ —પુણ્યાનંદ શિશુ (શિરપુર) કલિયુગમાં કલ્પવેલી રેયાન માણેકશાહમાંથી શત્રુંજય ને નવકારના ધ્યાને માણિભદ્ર નામે દેવેન્દ્ર બનનાર મહાન ચમત્કારી ધર્મપુરુષ તરીકે જગખ્યાતિ પામ્યા છે. 791 તપાગચ્છના સર્વ સૂરિવા તેમને ધર્મલાભ આપવા આગલોડ, મગરવાડા ને ઉજ્જૈન વર્ષોથી જતા આવ્યા છે. હાલ પણ પ્રણિધાનપૂર્વકની સાધના કરતા કરતા અનેક મુનિપુંગવોના માંગલિક સાંભળવા માણિભદ્ર છ લાલાયિત રહ્યા છે. ધર્મલાભ માંગે છે. મહારાષ્ટ્રના યેવલાનગરના માણિભદ્રજી, ઈંદોરના પીપલીબજાર ઉપાશ્રય મંદિરના માણિભદ્રજી (મોટા બાબા)ને ગોલમાં સંકલ્પ છોડવા અજૈનો પણ દોડીને મોટી સંખ્યામાં આવે છે. તપોવન સંસ્કારધામનું અને શ્રી શંખેશ્વર આગમ મંદિરનું નિર્વિઘ્ને સંચાલન પણ માણિભદ્રજીનો પુણ્ય પ્રતાપ છે. ખરગોન ગામના વેલજીભાઈ કચ્છી અને સેંધવાના કટારિયાજીના ચમત્કારી બચાવને સમયે સમયે પ્રશ્નોના ઉત્તર મેળવવાના પ્રસંગો અનેરા આશ્ચર્યકારી બનેલા છે. અનેકોનાં ઉપાધિના વાદળાને તે શ્રાવકોના સાધનાબળે દૂર થાય છે. દુર્ગના રાવતમલજી મણિ પણ માણિભદ્રજીના એક અનન્ય સાધક છે. તેમના દ્વારા મેં પણ માણિભદ્રજીના બાલરૂપે દર્શન કર્યા ને માંગલિક સંભળાવલ છે. શ્વેત ગજરાજની સવારી અનેક વાર સાધકોને દર્શન આપે છે. વિઘ્નોને કાપે છે, સુખ સમાધિ સ્થાપે છે. તપાગચ્છનાં સમસ્ત મંદિરોમાં તેમનું આગવું સ્થાન શોભાવે છે ને સમય ૧૨ સકળ સંઘને રક્ષણ આપે છે. તપાગચ્છની રક્ષા કરવા માણિભદ્રદેવ પ્રત્યક્ષ થયા ને આજ સુધી સેવાભક્તિ અને રક્ષાની જવાબદારી સંભાળ છે. અંતરિક્ષજીમાં માણિભદ્રજીનું સ્થાન છે. જાલનામાં શ્વેતામ્બરના માણિભદ્રજીનું સ્થાન દિગમ્બરની જગ્યામા આજે પણ પ્રભાવિક છે. સંઘને માણિભદ્રજીનો ઉપકાર મહત્ત્વનો છે તે કયારેય પણ ભુલાશે નહિ. અન્ય સ્થાનોમાં ભટકવા કરતાં સમ્યગદષ્ટિ માણિભદ્રજીને શરણે આવો. ભાવાંજલિ ધૂપસળીની જેમ ચોગરદમ સુવાસ પ્રસરાવી જનાર મનીષ, દેવગુરુ અને ધર્મ પ્રત્યેની તારી અડગ શ્રદ્ઘા અને યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રદેવ પ્રત્યેની તારી આસ્થા અજોડ હતી. જૈનધર્મ પ્રત્યેની તારી અતૂટ ભક્તિભાવનાની સ્મૃતિ નિમિત્તે અમારા સૌની ભાવાજલી. માતા હીરાબહેન, પિતા ખુશાલભાઈ, બંધુ રાકેશ, ભગિની જાગૃતિ અને માધુરી, પુત્ર સ્વ. મનીષ ખુશાલભાઇ ભીમાણી હાર્દિક, સસરા જયંતિલાલભાઈઅને સારુ મંછાબેન સંઘવી. Page #808 -------------------------------------------------------------------------- ________________ 792 તપાગચ્છાધિષ્ઠાયક ''ચમકારાઓ અને ચમત્કારો પ્રસ્તુતકર્તા – ગચ્છાધિપતિ શ્રી જયધોષસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી જયદર્શન વિ. મ. ચમત્કારો આજે પણ થતા જ રહ્યા છે, જે ફક્ત આગમ પુરાણ કે પોથીની કથાવાર્તા કે પરીકથા જેવી હકીકત-અહકીકતના સંભ્રમ કરાવે તેવા નથી હોતા; પણ જેણે જેણે જીવનમાં જે જે ચમત્કારો અનુભવ્યા હોય તેઓ તે તે અનુભવોને લખી જણાવે તે ખરેખર તો યોગ્ય જ છે. માણસ ધર્મમય જીવન પૂર્ણ રીતે જીવે એટલે એને એવા અનુભવો સ્વાભાવિક થતા જ રહે છે. જે અનુભવથી માનવી આત્માનો અંદરનો વિલક્ષણ વિકાસ પામે, અધ્યાત્મજ્ઞાનની ખોજનો અદમ્ય તરવરાટ જાગે, એ બધા આમ તો ધર્માનુભવો જ ગણી શકાય. ધર્મ અને સાહિત્યમાં જેમની ચિંતનધારાએ હું વિશેષ આકર્ષાયો એવા પંડિતવર્ય પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ અમારી વિનંતીનો સ્વીકાર કરી વિલંબથી પણ છેલ્લે જે એક મહત્ત્વનો લેખ પાઠવ્યો તેમાં સ્વાનુભવ ઉપરાંત વિવિધ જૈનાગમો, કથાસાહિત્યના અવલોકન-સંશોધન વગેરેનો શ્રમ લઈ એક નહિ પણ એકાવન દષ્ટાંતો સાથે દેવતાઈ ચમત્કારોની જૂની ઘટનાઓ અત્રે સંક્ષેપમાં ઉદ્ઘાટિત કરી છે. વિવિધ પ્રસંગોનું આ સુંદર સંકલન છે. પ્રસ્તુત લેખના લેખક સ્વયં સિદ્ધહસ્ત કલમના કસબી છે. અનેક સામયિકોમાં તેઓશ્રી પોતાના કથાલેખો, ચિંતનાત્મક લેખો કે જિનાલય આધારિત લેખો પાઠવે છે. અમારા આ અગાઉના ગૌતમસ્વામી ગ્રંથમાં પણ તેમના વિશિષ્ટ લેખો અગ્રસ્થાને રહ્યા છે. આ મહામૂલા ગ્રંથમાં પણ પાંચ લેખો રચી આપી અમને લાભાન્વિત કર્યા છે જે બદલ અરિહંત પ્રકાશન વતી અમારે આભાર અભિવ્યક્ત કરવો જ ઘટે. વર્તમાન શ્રમણ સંસ્થાના ઘણા સંતો અને સાક્ષરોનો મારી જીવનવિકાસયાત્રામાં ઘણો મોટો ઉપકાર રહ્યો છે. તેમાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીનો પણ અત્યંત કૃતજ્ઞતાપૂર્વક આનંદ વ્યક્ત કરી આભાર માનું છું. – સંપાદક અગાઉ પણ અનેક ગ્રંથોના સર્જક સફળ સાહિત્યપ્રેમી શ્રી નંદલાલભાઈ દેવલુકનું પ્રસ્તુત Page #809 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 793 પ્રકાશન પણ અથક પુરુષાર્થના પુણ્યફળ જેવું છે, જે બાબતની સાક્ષી આ પૂર્વેના પ્રકાશિત ગ્રંથોના વિહંગાવલોકન માત્રથી સંપ્રાપ્ત થઈ શકે તેમ છે. એક ગૃહસ્થ પણ અનેક પ્રકારી જંજાળો વચ્ચે ધન-પુરુષાર્થને ગૌણ કરી ધર્મ-પુરુષાર્થ આદરી શકે તેનો જ્વલંત નમૂનો એટલે " શ્રી અરિહંત પ્રકાશન " ભાવનગરના ભાગ્યશાળી તરફથી સમાજને સાંપડી રહેલ "યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રવીર "નો મહામૂલો ગ્રંથ. જો કે આ ગ્રંથના ભગીરથ સંકલનમાં સમાવેશ કરેલ વિગતો અને માહિતીઓ મહદ્ અંશે તપાગચ્છીય શાસનદેવનું માહાસ્ય વધારે તેવી છે, છતાંય ગ્રંથની ખૂબી એ છે કે તેના સર્જનના મુખ્ય પ્રણેતાએ સંપ્રદાયની સંકુચિતતાને સ્થાન-માન ન આપી સૌ સારા લેખક-ચિંતકોને સન્માન આપવા એક અપૂર્વ પ્રયાસ આદર્યો છે. લગભગ બે વરસથી પણ કંઈક વધુ સમયગાળાની સાહિત્યિક સફરે સંચરતા આ ગ્રંથને સંપાદિત કરવામાં વિવિધ સ્થાનોના ફોટાઓ, વિવિધ વિભાગોમાં વિદ્વાનોના વિવિધતા ભરેલા લેખો તથા વિધવિધ વિધાનો દ્વારા પુણ્યપુરુષ માણેકશાહ શેઠના જીવન-કવનનો પરિચય અનેક પાસાંઓથી કરાવવામાં ઉઠાવેલ મહેનત દાદ માંગી લે તેવી છે. ગ્રંથમાં શું શું છે, કયાં છે, કેટલું છે, કેવું છે તે બધું તો સાહિત્યકાર સ્વયં પોતાના પુરોવચનના લેખમાં પ્રસ્તુત કરે છે, પણ તે ઉપરાંત સારભૂત તત્ત્વ હોય તો તે એ છે કે તેઓએ દરેક સર્જનની જેમ આ ગ્રંથને પણ પોતાની ઢબથી રચવામાં" ઝાઝા હાથ રળિયામણા "ના ન્યાયને જ પ્રધાનતા બક્ષી છે, જે કારણે તેઓ પોતે જાતજાતનાં ને ભાતભાતનાં ફૂલો ભેગાં કરી ફક્ત માળીની અદાથી પુષ્પોને ગૂંથી લઈ સાહિત્યની એક વધુ માળા સમાજને સમર્પિત કરી શાસનસેવાની હારમાળામાં એક અપૂર્વ ઉમેરો કરી રહ્યા છે. નાદુરસ્ત શારીરિક સ્થિતિમાં પણ તંદુરસ્ત માનસિક પરિસ્થિતિની સમતુલા રાખી અનેક VARIETIES પૈકી આગવી NOVELTY જેવું આ સર્જન સ્વયં કંઈક કહેવા માંગે છે, જે માટે સચોટ સમયનો સ 1 લખાણના ઊંડાણ સુધી આરામથી પહોંચી શકાશે. આ ગ્રંથની વિશેષતા એ પણ છે કે તેના માધ્યમે જૈન ધાર્મિક તીર્થ, મહામંત્ર, ચમત્કારો, મંત્રશક્તિઓ, ચિત્રપરિચયો તથા રંગબેરંગી સાહિત્યિક કળાકૃતિઓ ઉપર પણ યથાશક્ય પ્રકાશ પાથરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ભસ્મગ્રહના ઉતરાણ પછી જિનશાસનની જાહોજલાલીમાં ફરી ચઢાણની વાતો સાંભળીએ છીએ જ, પણ તે બધાયના પાછળ કોઈક છૂપું પણ શાસનરક્ષક બળ સહાયક બની પોતાનો પુણ્યભાગ ભજવી રહ્યું હોય તેમ આ ગ્રંથને સાધત વાંચ્યા-વિચાર્યા વગર સમજવું મુશ્કેલ છે, માટે પણ શાસનસેવા'ના પરમાર્થ પ્રેમી પુંગવ પુરુષ માણેકશાહનું હાલનું દેવતાઈ જીવન જાણવા-માણવા જેવું લાગ્યા વગર નહિ રહે. તેમની જીવનધારાના પ્રવાહમાંથી સારભૂત તત્ત્વનું જો દોહન કરવામાં આવે તો તત્ત્વનું જરૂરી ૨૦૦, Page #810 -------------------------------------------------------------------------- ________________ 794 તપાગચ્છાધિષ્ઠાયક નવનીત એ જ પ્રાપ્ત થાય કે પ્રતિમા–પૂજાનું ખંડન કરનાર પણ મંડનની રીતિ-નીતિને અપનાવીને જ સર્વતોમુખી પ્રગતિ સાધી શકે છે. કારણ કે જિનભક્તિ તે તો મુક્તિની દૂતી છે. માટે જ 'જિનસારિખી જિનપડિમા' માટે કહેવાણું છે કે... ' વિષમકાલ જિનબિંબ જિનાગમ, ભવિયણ કું આધારા.' રખે કોઈ માને કે આ ગ્રંથ દ્વારા દેવ-દેવીઓનું ગૌરવ વધારી સુદેવ તેવા તીર્થકર પરમાત્માઓની ગૌરવગાથાને ગૌણ કરી ગુણવાનોની ગરિમા ગાવાનો જ પ્રયાસ કર્યો છે. પણ સત્ય એમ સમજવું કે સર્વશ્રેષ્ઠ જિનેશ્વર-શાસનમાં કેવા કેવા પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ પેદા થઈ શાસનને શોભાવે છે અને શાસનસેવા કરી તે જ શાસનને શોભાવવામાં પોતાનું પુણ્ય યોગદાન પ્રદાન કરે છે, તેનું જ પ્રસ્તુતીકરણ છે.. સંપૂર્ણ ગ્રંથને અવલોક્યા પછી એવું લાગ્યા વગર નહિ રહે કે." ઢાને તપસ શૌર્વે , विज्ञाने विजये नये । विस्मयो नैव कर्तव्यो, बहुरत्ना वसुंधरा । " । વીર માણિભદ્ર દેવ સાથે બાળપણથી કોઈ અગમ સંબંધ રહ્યો હતો તે બધીય વિગતોનું બયાન પણ મુશ્કેલ છે, છતાંય શાસનદેવની શ્રદ્ધા–બહુમાન રાખતા જીવાત્માઓને જરૂર અવનવું મળી રહેશે, તેવા શુભ ઉદ્દેશ્યો સાથે સંક્ષેપમાં ભૂતકાળના ભવ્ય દિવસો સ્મરણમાં લઈ વર્તમાનની વાટ સુધી આવી જવા જણાવવું જરૂરી છે કે .... આત્માનુભૂતિનાં અજવાળાં ઘણી જ નાદાન વય હતી ત્યારે શ્રી સમેતશિખરજી તીર્થ સમીપના ઝરિયા નગરના દહેરાસરમાં રમત-ગમ્મત કરવા ને ધમાચકડી મચાવવા જવાનું થતું હતું. તે જ દહેરા સાથે સંકળાયેલી હતી ચમત્કારિક માણિભદ્રજીની દહેરી. સાંસારિકાવસ્થામાં ને કિશોર વય પૂર્વે ધર્મ સાથે ધાર્મિક અનુબંધો ન હતા, તેથી પુણ્યશાળી માણિભદ્રને ઓળખવા કદાચ દરકાર પણ ન હતી. પણ એક વખત તે જ નગરના નિવાસી કંદોઈ શ્રેષ્ઠી શ્રી શામજીભાઈ કેશવજી શેઠે શિખરજીની જાત્રા માટે આયોજન ગોઠવ્યું, જેના પ્રવાસી તરીકે જવાનો મોકો મળ્યો. જાત્રામાં પ્રસ્થાન પૂર્વે માણિભદ્રની મૂર્તિ સામે શ્રીફળ ધરી કંઈક વિધિ-માનતાઓ કરવામાં આવી, અને તે દશ્ય નિહાળ્યા પછી લોકપ્રવાહમાં તે મૂર્તિને હું પણ નમી ગયો. શ્રેષ્ઠીએ મારી નમન-અદા જોઈ અને તે પછી જાત્રામાં બસ ખોટવાઈ જવાના કે વસ્તુઓ ખોવાઈ જવાના નાના પ્રસંગો બન્યા ત્યારે શ્રી શામજીભાઈએ શ્રદ્ધાપૂર્વક તે જ માણિભદ્રને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે યાદ કર્યા કે છૂટાંછવાયાં વિપ્નો ઉપશમી ગયાં. બસ પછી તો ' જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર'ના ન્યાયે હું પણ મૂર્તિમાં શ્રદ્ધાવાળો થઈ મસ્તકે તિલક કરી પૂજા કરતો થઈ ગયો. તેમાંય મારા સ્થાનકવાસી મિત્રને પ્રભુપૂજાનો રંગ લાગ્યો, અને વિધિ વગેરે બરોબર નહોતી આવડતી તેથી તે મિત્ર, અશોક એલ. ઉદાણી પ્રભુપૂજા ઘણી જ તન્મયતાથી કરી છેલ્લે માણિભદ્રની પૂજા પણ ભૂલથી, ઉમંગથી Page #811 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 795 અને ભક્તિ-શ્રદ્ધાના અતિરેકથી નવ અંગે કરવા લાગ્યો. લોકોએ ફક્ત મસ્તકે જ કરવાનું વિધાન સમજાવ્યું પણ તે મિત્રને તો મારા કરતાંય માણિભદ્રની શ્રદ્ધા સવિશેષ હોવાથી એકાંગી પૂજાને બદલે અતિભક્તિના જોશમાં નવાંગી કરતો રહ્યો. આ પછી તો અનેક વાર જાત્રા વગેરે ધાર્મિક કે પરીક્ષા વગેરે વ્યાવહારિક પ્રસંગે હું પણ માણિભદ્રની માનતા માનતો થઈ ગયો. ઉપરાંત પરમાત્મભક્તિનું ઘેલું પણ એવું લાગ્યું કે ત્રિકાળ પૂજાઓ કરવા લાગ્યો. સાંજે પરમાત્મા મહાવીરની આરતી ઉતારી છેલ્લે માણિભદ્રની આરતી પણ રાગ-રાગિણી સાથે ઉતારવાનો ક્રમ નિત્યક્રમ બની ગયો. તે જ પ્રમાણે SCHOOL LIFE ની પૂર્ણાહુતિ પછી MEDICAL LINEમાં TRAINING લેવા જવાનું થતું ત્યારે ગીત-સંગીતાદિ વિધાર્જન કરવામાં સફળતા માટે પણ નવી નવી બાધાઓ રાખી વસ્તુઓનો ત્યાગ કરવાનો અખતરો સફળ સાબિત થતાં તથા વિધ-વિધ ક્ષેત્રોમાં મનધાય કામો પાર ઊતરતાં માણિભદ્રજી મનમાં વસી ગયા. લાભો થયા તેમ લોભ વધ્યો ને તેમાંય શ્રી શામજીભાઈ શેઠ તો રમૂજ કરી કહેતા કે " મારા મોટા શેઠ તો દહેરીવાળા દાદા માણિભદ્ર છે; બસ કોઈ EMERGENCY આવે ત્યારે તેમનો દરવાજો ખટખટાવવાનો, બસ કામ થઈ જશે. " - વાણીમાં વિશ્વાસનું વજન અને રમૂજનો રણકાર હતા, તે મને બહુ ગમી ગયા ને શેઠના શેઠ પ્રતિ મારું બહુમાન વધતાં શેઠ શામજીભાઈને હું બહુ ગમી ગયો. ઉંમરનું આંતરું પિતા-પુત્ર જેટલું પણ તે વિષમ અંતર માણિભદ્રના માધ્યમે મૈત્રીના મહોરામાં ભેરાઈ ગયું. તે પછી તો ઝરિયાવાસી તે શ્રેષ્ઠી સાથે અનેક તીર્થોની જાત્રાઓ અનેક વાર કરી, અને તેમની અખૂટ શ્રદ્ધાના કારણે કે કુદરતી અનેક નાના-મોટા ચમત્કારો સાક્ષાત્ થવા લાગ્યા, આવેલાં વિદ્ગો ફક્ત માણિભદ્રના સ્મરણથી હરણ થવા લાગ્યાં ને પ્રતિકૂળતાઓ અનુકૂળતામાં ફેરવાઈ જવા લાગી. જાણે માણિભદ્ર મિત્ર બની ગયા. આ પછી COLLEGE LIFE માં વૈરાગ્ય વધવા લાગ્યો ત્યારે જ ઝરિયા નગર છોડી મુંબઈ–મદ્રાસ તથા બેંગ્લોર તરફ વ્યાવસાયિક સ્થાપનાદિ પ્રયોજનથી જવાનું થયું, છતાંય મનથી માણિભદ્ર ન હટયા. સર્વત્ર પ્રભુપૂજા પછી તેમની મૂર્તિઓ હોય તો પૂજા કરતો, માનતાઓ રાખતો અને વ્યવસાયમાં પણ વિકાસ પામ્યો. તેથીય વધારે આશ્ચર્યો ત્યારે થવા લાગ્યાં જ્યારે SAFARI BRAND | SUIT CASE CO. HL MANAGER-AUDITH YWU 4È yola મળી ત્યારે ALL OVER INDIAની TOURS દર ત્રણ-ચાર માસમાં ઝડપી સાધનોથી થતી. તેમાંય પાંચેક વર્ષમાં અનેક વાર વિવિધ પ્રાંતોની મુખ્ય OFFICEમાં મુલાકાત વખતે ન ઉકેલી શકાય તેવી અટપટી આંટીઘૂંટીઓ વચ્ચે પણ AUDITમાં સાહજિક સફળતાઓ મળવા લાગી. કયારેક ક્યારેક તો પૂર્વસંકેતો પણ થવા લાગ્યા ને તેના આકારો સાવ સાકાર પણ થતા, તેથી લોક અને ઓઘસંજ્ઞાના પ્રવાહમાં હું પણ અનાયાસ આકર્ષાતો જ રહ્યો હતો. " પુષ્યને ઢીને પુરુષો ને માતિ " – પુણ્ય વગરનો પુરુષ શોભતો નથી તેવી લોકજગતની રીતિનીતિની પ્રીતિમાં ઓછો વિશ્વાસ હતો છતાંય પુરુષાર્થના બળે પણ ઉત્તમ ઉત્પન થતા Page #812 -------------------------------------------------------------------------- ________________ 796. તપાગચ્છાધિષ્ઠાયક નો ન્યાય પણ પુણ્યવંતાની પદ કે પંથસેવા દ્વારા જ સફળ બને છે તેવો દઢ વિશ્વાસ પૂર્વે પણ હતો, અને આજે પણ છે. દેવગુરુની કૃપાએ સફળતાનાં સોપાનોમાં એક અપૂર્વ અગ્ર કદમ ભરતાં સજોડે દેશવિરતિમાંથી સર્વવિરતિ સુધીની સંપ્રાપ્તિ થઈ, તેટલી ઉપલબ્ધિ પછી પણ આજેય શાસન રક્ષક દેવ સાથેના અગમ્ય સંબંધોનો મેળ-જોડ જો કે મર્યાદિત થયો છતાંય કુદરતની કરામતી કળાઓ અજબ-ગજબની હોય છે, તેવો અદ્ભુત અનુભવ અત્યારે પણ થયો, જેની નોંધ લઈ નિમ્નલિખિત બયાન રજૂ કરવા ન જાણે કોઈ અપૂર્વ ફુરણાઓ થતી રહી. - મગરવાડા તીર્થ હાલે જૈનો કરતાંય જૈનેતરોની સવિશેષ શ્રદ્ધાનું કારણ બન્યું છે. ગામ-પરગામના અને દેશ-વિદેશના પણ અનેક અજેનો માણિભદ્રની માનતા માની મીઠાઈઓ વગેરેનો ત્યાગ રાખે છે, અને લગભગ સૌની બાધાઓ પાર ઊતરે છે તેથી દૂર દૂરનાં ક્ષેત્રોથી આવી પોતાની શ્રદ્ધાનું સમર્પણ ત્યાગેલી વસ્તુઓની ભેટ ચઢાવી કે નૈવેદ્ય ધરી પ્રગટ કરે છે. આગલોડ સાવ શાંત ક્ષેત્ર છે; જ્યારે મગરવાડા ગુંજતું ને ગાજતું. ત્યારે તો રાત્રે બાર-બાર વાગ્યા સુધી બહેનો રાસડા-ગરબા લે છે અને પરોઢના ચાર વાગતાં જ પાછો લોકપ્રવાહ માણિભદ્રનાં દર્શન કરવા આવે છે. વિવિધ વાસીઓના આંશિક INTERVIEW થકી જાણવા મળ્યું કે તેઓ પણ પોતાની ઇચ્છાઓ-આકાંક્ષાઓ પૂર્ણ થઈ માટે પહેલી જ વાર દર્શનાર્થે પધાર્યા હતા. છેલ્લાં ત્રીસ વરસથી ત્યાંનો કારોબાર જૈન યતિ મૃગેસોમ નામના ગૃહસ્થ સંભાળી રહ્યા છે, તથા જૈન તીર્થ છતાંય જૈનેતરોનું હોય તેવું ત્યાંના વાતાવરણ કે વસવાટ થકી લાગ્યા વગર ન રહે. - દેવતાઈ ચમત્કારો થતા હતા તેનાં અનેક શાસ્ત્રીય પ્રમાણો છે જ. ઉપરાંત આજેય પણ થાય છે તેવું જાણવા-માનવા માટે મગરવાડાની મુલાકાત પર્યાપ્ત છે. જૈનો અને જૈનેતરો સાથે વાર્તાલાપ કરીને પણ મગરવાડાના માલિક માણિભદ્ર પ્રતિ શ્રદ્ધા–બહુમાનનાં સુમનોનું અર્પણ કરી શકાય છે. કડ કડડ ભૂસ, કડડાટ કરી ભડવીર ભૈરવ ચૂરતો. ધમધમ અવાજે ગાજતો, જિનભક્ત પડચા પૂરતો .... ચારિત્ર દર્શન વિન ભંજન, ધર્મરક્ષા તત્પરો .. માણિભદ્રજી કલ્યાણમાળા, સંઘને કંઠે ઠવો .... ઉપરોક્ત પંક્તિઓમાં રહેલ ઉક્તિ જ જણાવે છે કે માણિભદ્ર વીર તેને પરચો આપે છે, જે જિનેશ્વરનો ભક્ત છે, કારણ કે તે દેવેન્દ્ર સ્વયં પૂર્વભવમાં ઘણી જ નિષ્ઠાપૂર્વક જિનભક્તિમાં ઓતપ્રોત હતા, અને તેમની જીવન-જીવનીનું મુખ્ય સૂત્ર હતું ' મન: પૂત સમારેત્ '. આત્મસાક્ષીએ આદરેલો તેમનો ધર્મમાર્ગ કદાચ નિષ્ફટક બની સિદ્ધાચલ સુધી તેમને પહોંચાડી દેત, પણ હાય ! આ હુંડા અવસર્પિણીનો કપરો કાળ ન જાણે કેટલાય નિષ્ઠાવાનોની Page #813 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ નિષ્ઠાનો કોળીઓ કરી સાધના-આરાધનાઓમાં ક્ષતિઓ–કલંકો—અતિચારો અને અધૂરાશો આપવામાં ધરાર સફળ બન્યો છે. અતિ ઉત્તમ ભાવધારી જીરણ શેઠની ભાવધારા જેમ તે જ કાળે તોડી પાડી છે, તેમ તે જ કાળે માણેકશાહની મનોકામનાઓને જ કાળધર્મ પમાડવા મેલી રમત રમી લીધી છે. માણેકશાહના મનમાં ગજગજ ઊછળતી શ્રદ્ધા–ભાવનાનો અખૂટ ઝરો કહેતો કતો કે, नक्कारसमो मंतो, सत्तुंजयसमो गिरि, आइनाहसमो देवो, न भूओ न भविस्सइ । માટે જ ' બુદ્ધિ કર્માનુસારિણી'ના ન્યાયે તેઓને તે તીર્થ જ પરમ તારણહાર લાગવા લાગ્યું હતું. કર્મો હળુ પડયાં હતાં તેથી બુદ્ધિમાં તરણ-શરણ તીર્થ શ્રી શત્રુંજય અને તીર્થાધિપતિ આદિનાથ વસી ગયા. 'ગુરોર્વધન પ્રમાળમ્' કરી તેઓએ તે તીર્થની સ્પર્શના સાવ એકલા રહી કરવા ઇચ્છી. 797 एगो वच्चइ जीवो, एगो देदुववज्जइ । एगस्स होइ मरणं, एगो सिज्झइ नीरओ || પણ કાળના ઝપાટામાં આવી ડાકુઓના પ્રહારોથી પ્રાણ ખોયા ને તીર્થયાત્રાની મનોઝંખના મનમાં જ રહી ગઈ; છતાંય સદ્ભાવનાના સંગાથે ૬૪ ઇન્દ્રો પૈકીના ૧ ઇન્દ્રપણું પામી ગયા, જેમની શક્તિઓ પૃથ્વીલોકના ચક્રવર્તીથી પણ સવિશેષ હોય તે સ્વાભાવિક છે. તેઓએ પ્રાયે પોતાની શક્તિનો પૂરતો પરિચય પ્રાપ્ત કરાવ્યો જ નથી અથવા હજુ પરમાર્થની પરાકાષ્ઠાવાળી શાસનસેવાની તાતી જરૂરિયાત તેમના સુધી પહોંચાડનાર તકો જ લાધી નથી; માટે સાવ છિલ્લર ને છીછરી માંગણીઓની માનતા પુરાતાં ચમત્કારોમાં ખતવી દઈ કદાચ માણિભદ્રની દેવતાઈ શક્તિઓનું અવમૂલ્યન જ કરાઈ રહ્યું છે, કારણ કે તેવી નાની-નજીવી ઘટનાઓની પૂર્તિ તો તેમના આશ્રિત અન્ય દેવો રમતરમતમાં પૂરે તેવા સમર્થ છે; જ્યારે બહોળોઁ વર્ગ ઉચ્ચ સ્થાને બિરાજિત ચક્રવર્તી પાસે ઝાડુ માંગી વરદાન ફેડી નાખવાની ભૂલો કરે છે, તેવું જણાય છે. ચોક્કસ કોઈ સંકલ્પશાળી શુદ્ધાત્માએ યક્ષેન્દ્રને શાસનસેવાના પરમાર્થી કાર્યમાં યોજવા ને શાસનનાં વિઘ્નો દૂર કરી અપૂર્વ શાસન-પ્રભાવનાનો પુણ્ય-પ્રકાશ પાથરી દેવામાં ઉપયોગી કરવા જોઈએ, ન કે સ્વાર્થના સંકુચિત ઘેરાબંધનોમાં. જરૂર તેમની દેવતાઈ શક્તિ તે નિષ્ઠાવાનને ખૂટતું બળ પૂરું પાડી ચમત્કારોની હારમાળા સર્જી દે તો આશ્ચર્ય નહિ. કદાચ પ્રશ્નો ઊઠે કે શું દેવતાઓ ગંધાતી પૃથ્વીને પાવન કરી શકે ? સ્વાર્થ સાધવામાં ઉપયોગી થઈ શકે ? આવા કલિકાળમાં પણ પ્રત્યક્ષ થઈ શકે ? ભલભલાનાં ભેજાંબાજ ભેજાંઓને પણ આશ્ચર્યમાં નાખી અદ્ભુત શાસનસેવા કરી શકે ?, તો આવા અનેક પ્રશ્નોના એકમાત્ર સમાધાનમાં જણાવી શકાય કે શાસ્ત્રોમાં દેવતાઈ અવતરણોની અનેક માહિતીઓ ધરબાયેલી પડી છે. અતીતથી લઈ આજ સુધી આવી ચમત્કારી જણાતી અનેક ઘટનાઓના સાક્ષી પાઠો જૈન–અજૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. આ ગ્રંથના માધ્યમે Page #814 -------------------------------------------------------------------------- ________________ 798 તપાગચ્છાધિષ્ઠાયક જ એવા એક નહિ પણ એકાવન પ્રસંગોને પ્રસ્તુત કરી દેવતાઈ બળોનો પરિચય પ્રાપ્ત કરાવી શકાણો છે, જે માટે આ પછીનું આગમિક-શાસ્ત્રીય અને વિવિધ માહિતીપ્રદ લખાણ ખાસ અવગાહવા જેવું લાગે છે. પણ તે પૂર્વે એક અગત્યની ઘટના સ્મૃતિમાં આવે છે. વિ. સં. ૨૦૩૦ ચાલુ હતી, ત્યારે પરમાત્મા વીરની ર૫૦૦મી નિર્વાણતિથિની ઉજવણી ઠેર ઠેર વિધવિધ રૂપે ચાલુ હતી. ઠીક વીર પ્રભુના જન્મ-કલ્યાણકનો દિવસ ચૈત્ર સુદ તેરસ આવ્યો. ઝરિયાના મૂળનાયક પ્રભુ વીરની અંગરચના તે દિવસે મારો સંસારી મિત્ર કિરણકુમાર કે. શાહ ચડતા પરિણામે કરવા લાગ્યો, અને હું પણ પ્રથમ વાર જ આંગી રચવામાં મદદ કરવા જોડાયો. ઉમંગ-રંગ ને શુભ્ર ભાવોના સત્સંગ સાથે પરમાત્માની આંગી રચાણી, અને તે પછી તો ન જાણે કેટલીય વાર ઘરથી દહેરાસર આવી આંગીનાં દર્શન કરી કરી મનમાં સુકૃતની અનુમોદના કરવા લાગ્યો. દિવસ આખોય આમ આંટાફેરામાં પસાર થઈ ગયો, ત્યાં સાંજ પડી ને સમાચાર મળ્યા કે પરમાત્મા વીરના મસ્તક ઉપર રહેલ છત્ર ચાલે છે. તમાશાને તેડું તે શું હોય? ગામ આખુંય ભેગું થયું. ખરેખર છત્ર બહુ જ વ્યવસ્થિત રીતે ગોળ-ગોળ ફરતું હતું, જે ઘટના સગી આંખે સતત ૪-૫ કલાક નિહાળી, દૂરદૂરના ભાવિકોએ પણ દર્શન કર્યો, જે સત્ય ઘટના પછી તે ચમત્કારને કારણે સૌની શ્રદ્ધાના નમસ્કાર માણિભદ્રને થવા લાગ્યા. તે સમય પછી નવલખા જાપના પ્રતાપે દેવતાઈ ચમત્કાર રૂપે ત્રણ વખત મોતના મુખમાં પ્રવેશ કરી આબાદ બચી ગયો. પ્રથમ વાર ઑફિસમાં ગુંડાઓએ કરેલ સશસ્ત્ર આક્રમણ, બીજી વખત ઠીક ૬૮ તીર્થોની જાત્રા પછી ૬૯મા તીર્થ નાકોડા તરફની બસ દ્વારા જાત્રામાં નડેલ અકસ્માત ને ૯ જાત્રાળુઓનાં મરણ તથા ત્રીજી વખતે ગૌહાટીથી કલકત્તાની પ્લેન–સફરમાં લાગેલ આગ ને ચમત્કારિક રીતે બચવાનું થયેલ. જો કે ત્રણેય દુર્ઘટનાઓ વખતે કુદરતી નવકારસ્મરણ થઈ ગયેલ, છતાંય જાણે કોઈ છૂપી દેવતાઈ સહાયનો પ્રતાપ–પ્રભાવ હોય તેમ આજેય મનમાં વસેલું બેઠું છે. પુણ્ય પ્રબળ હોય ત્યારે કનિમિત્તો પણ દુર્બળ પુરવાર થાય છે અને પુણ્ય પાંગળું પડતાં જ નાનાં નિમિત્તો પણ નધાર્યાં તોફાનો મચાવી શકે છે તેમાં શંકા નથી. જે હોય તે, પણ ' સાંચને આંચ ન આવે તેમાં પણ દૈવી સહાય હોઈ શકે. દેવસ્ય દુર્લભં દર્શનમ્ અનેક તીર્થોના મૂળનાયક પ્રભુની પધરામણીમાં થતી દેવતાઈ ઘટનાઓ, પ્રતિષ્ઠા પછી દહેરાસરમાં રાત્રે નાચગાન-ગીત-સંગીતના અવાજો, છત્રોનું ચાલવું, કેસરવર્ણ જ્યોત વગેરે દેવતાઈ ચમત્કારો આજના દુર્લભ દેવતા-દર્શનના કાળમાં વિસ્મયકારી લાગે તો આશ્ચર્ય નહિ, પણ પૂર્વના કાળમાં તો પુણ્યશાળી પુરુષોત્તમ તીર્થપતિઓની રોવામાં દેવો અવારનવાર આવી વ Page #815 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 799 સૌની સમક્ષ પોતાની લીલાઓ દેખાડતા હતા. આગમગ્રંથોએ આવા અનેક પ્રસંગોની નોંધ લીધી છે, જે જાણતાં જ શંકા-કુશંકાઓનાં વાદળાંઓ વિલાઈ જાય, અને અનુભવીઓની આગમવાણી અવશ્ય હૈયામાં હરખ સાથે વસી જાય. વિશ્વાસ છે. ધર શ્વાસ હેઠો બેસી જાય અને માકડું મન માનતું થઈ જ જાય કે દેવોની પણ એક દિવ્ય દુનિયા હોય છે અને તે દેવો થકી ભૂતમાં ચમત્કારો થયા, આજે થાય છે ને ભાવિમાં પણ થનારા છે. - જો કે સુખ-સવલતોના સંગાથી દેવાત્માઓને મૃત્યુલોકની દુર્ગધીનો ભયંકર ત્રાસ હોય છે, ઉપરાંત પોતાના વિલાસી વાતાવરણ વચ્ચે પરોપકારની બુદ્ધિ પણ ભાગ્યે જ જાગે છે; છતાંય અનેક અગમ્ય કારણોથી જ્યોતિષ, વ્યંતર, ભુવનપતિ તથા વૈમાનિક દેવો પણ પૃથ્વીને પાવન કરે છે. તે વિવિધ કારણો પૈકી મુખ્ય ચાર કારણો શાસ્ત્રકથિત આ પ્રમાણે છે.... (૧) અતિરાગવશ (૨) અતિ કેષવશ (૩) પૂર્વસંકેત પૂર્વક (૪) પરમાત્મભક્તિ તથા શાસનસેવાનાં કારણોથી.... તો ચાલો, આપણે પણ અવલોકન કરીએ કે શાસનદેવોથી લઈ સામાન્ય સૌ દેવ-દેવેન્દ્રો, ચારેય દેવનિકાય થકી ચારેય કારણોથી કઈ કઈ રીતે અહીં અવતરણ કરી આવે છે. તેવા અનેક પ્રસંગો પૈકી અતિ જૂજ ઘટનાઓ પણ અતિ સંક્ષેપમાં અત્રે રજૂ કરેલ છે, જે સ્વયં નાની-નાની કથા-વાર્તા જેવી પણ સત્યકથાઓ છે, જે દ્વારા અતિ દૂરના કાળથી લઈ અત્યાર સુધીના સમયકાળને સ્પર્શવા એક નાનો ને નવલો અખતરો કરેલ છે. ૧- પ્રથમ તીર્થપતિ ઋષભદેવ જ્યારે સાવ નાના બાળ હતા ત્યારે દેવના ઈંદ્ર જેઓ સ્વયં તેમના પુણ્ય થકી ત્યાં આવેલ તેમના હાથમાંથી શેરડીનો સાંઠો ખેંચી લીધેલ, જેથી ઇન્દ્ર ઈક્વાકુ કુળ તથા કાશ્યપ ગોત્ર સ્થાપ્યું. આ ઉપરાંત પણ રાજા ભરતને સાધર્મિક ભક્તિની પ્રીતિ શિખવાડવા, યુદ્ધ નિહાળવા વગેરે પ્રસંગે દેવતાઓ આવેલ. ૨– ત્રીજા પ્રભુ સંભવનાથ પાસે દીક્ષા લઈ ઓઘો લઈ નાચતો બાળ તે જ વખતે કાળધર્મ પામ્યો ને દેવ બન્યો, તરત જ પોતાના પિતાના દુઃખને દૂર કરવા દેવ રૂપે દીક્ષાસ્થળે જ આવી સૌ સમક્ષ દર્શન દીધાં. ૩- પાંચ પાંડવ જયારે સરોવરમાં ફસાણા ત્યારે તેમને બચાવવા અબળા એવી કુંતી અને દ્રૌપદીએ તરત કાઉસગ્ગ કરી સૂક્ષ્મ બળ પેદા કર્યું, જેથી સવારે સૌધર્મેન્દ્રનું વિચરતું વિમાન ખલના પામ્યું, તેઓ પૃથ્વી ઉપર આવ્યા ને સતીઓના શીલ-પ્રભાવે પાંડવો મુક્ત થયા. ૪– ધનમિત્ર વણિકની દીક્ષા ધનશર્મા પુત્ર સાથે થઈ. ઉનાળાના તાપમાં તૃષાતુર પુત્રે પિતામુનિના આગ્રહ છતાંય સચિંત પાણી ન પી પ્રાણ ગુમાવ્યા ને શુભ ભાવના પ્રભાવે દેવ બન્યો. પોતાના જ કલેવરમાં પ્રવેશ કરી ગોકુલો વિકર્થી ને પિતાની વીંટીઓ ગુમ કરી દેવતાઈ માયાથી પિતાને પ્રતિબોધ્યા. પ- રાજા મેઘરથને છેતરવા બે દેવો આવ્યા ને તેમાંથી કબૂતર બનેલા દેવના પ્રાણ બાજપક્ષી રૂપી દેવથી બચાવવા રાજવીએ પોતાની જાંઘનું માંસ કાઢી આપ્યું ને જીવદયા માટે પોતાના Page #816 -------------------------------------------------------------------------- ________________ 800 તપાગચ્છાધિષ્ઠાયક સંપૂર્ણ શરીરને પણ સોંપી દઈ તીર્થંકર નામકર્મ બાંધ્યું ને ૧૬મા પ્રભુ શાંતિનાથ બન્યા. – પ્રભુ નેમિનાથના શાસનકાળમાં પતિના ભયથી પ્રભુ નેમિનાથનું શરણું લઈ કૂવામાં આપઘાત કરનાર પત્ની માટી અધિષ્ઠાયિકા દેવી અંબિકા બની છે, જે દેવી સ્વપ્ન-દર્શન દ્વારા સજ્જનમંત્રી પાસે આવી અને ગિરનારમાં નેમિનાથજીનું દહેરાસર કરાવ્યું. તે જ દેવીને વિસલદંડ નાયકે સાધનાઓથી સાધી ત્યારે તેને આબુના પર્વતો વચ્ચે સુંદર જિનાલય સંપન્ન કરવામાં સહાય બક્ષી છે. ૭– પરમાત્મા પાર્શ્વનાથને સાધનાકાળમાં તાપસ મટી કમ્મટ્ટ બનેલો દુષ્ટ દેવ ઉપસર્ગ દેવા લાગ્યો, ત્યારે નાગ મટી ધરણેન્દ્ર દેવ બનેલ જીવે પ્રભુની રક્ષા દ્વારા ભક્તિ કરી તે જગજાહેર ઘટના છે. ૮- પ્રભુ વીરના સાડાબાર વર્ષીય તપોસાધનાના કાળમાં, કેવળજ્ઞાન પછી અને નિર્વાણ પશ્ચાતું પણ અનેક દેવતાઈ ઘટનાઓ ઘટી જે નોંધનીય છે. તેમાંય વ્યંતરી કટપૂતના તથા એક જ રાત્રિમાં ૨૦-૨૦ ઉપસર્ગો વરસાવી દેનાર અભવ્ય સંગમદેવ પૃથ્વી ઉપર સ્વયં જ આવ્યા હતા ને? ૯- સાધનાકાળ વખતે પ્રભુ વરને તો મૌન સાધના જ ભલી હતી; પણ તેમના સંસારી પક્ષનો માસિયાત ભાઈ મરી જે વ્યંતર થયો હતો તે વ્યંતરદેવ સિદ્ધાર્થે પ્રભુના કાયપ્રવેશ પછી અનેક વાર અનેકોને આડા-અવળા જવાબ આપી–અપાવી અનેક દુર્ઘટનાઓ ઊભી કરી દીધી હતી. ૧૦– સ્વયંહરિણેગમેષી દેવ પ્રભુના ઘેર આવી તેમના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણોની કુક્ષીમાંથી રાણી ત્રિશલાદેવીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં સફળ બન્યો હતો. તે પછી તો પ્રત્યેક તીર્થંકરોને હુલરાવવા છપ્પન દિકકુમારીઓ આવે, મેરુ ઉપર મહોત્સવ માટે ઇન્દ્ર પાંચ રૂપો કરે વગેરે ઘટનાઓ તો લોકવિખ્યાત છે જ. ૧૧- કેવલી પ્રભુ વીરને વાંદરા અને ભક્તિ કરવા માનિક દેવલોકની બહુપુત્રિકા દેવી આવી, નાટક કર્યું ને નાનાં નાનાં અનેક બાળકો વિકુવ્યાં, જે દશ્ય સમવસરણમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ૧૨– કેવળી પ્રભુવીરના દર્શનાર્થે અનેક દેવો દેવવિમાન સાથે આકાશમાંથી ઊતરવા લાગ્યા, તે જોઈ બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ગણધર ગૌતમને આશ્ચર્ય થયું કે આ દેવો ભૂલા પડ્યા લાગે છે, જેથી મારા યજ્ઞને વધાવવાને બદલે આગળ નીકળી રહ્યા છે. ૧૩- કંબલ-સંબલ નામના બે દેવો જે પૂર્વ ભવમાં બળદ છતાંય મરતાં નવકાર પામ્યા હતા, તેઓએ દેવરૂપે પ્રત્યક્ષ હાજર થઈ નદી ઓળંગતાં થયેલ વ્યંતરીના ઉપદ્રવથી પ્રભુવીરને મુક્ત કર્યા હતા. ૧૪– વાવડીઓના મોહમાં મરી દેડકો બનેલ નંદમણિયાર શ્રેષ્ઠીનો જીવ ફરી શ્રેણિકરાજના ઘોડાના ડાબલા નીચે કચડાઈ મર્યો પણ શુભ ધ્યાને દુર્દરાંક દેવ બન્યો. સમવસરણમાં આવી Page #817 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 801. ચંદનના વિલેપન વડે પ્રભુની ભક્તિ કરી, પછી સૌને માયાજાળથી છેતરી શ્રેણિકની કસોટી કરતો આકાશમાં અદશ્ય થયો. ૧૫– જ્યોતિષ દેવલોકના સૂર્ય અને ચંદ્રના દેવોનું મૂળ વિમાન સાથે ઊતરવું અને તે પ્રસંગ પછી મૃગાવતીનું કેવળજ્ઞાન પામવું વગેરે ઘટના એક વિલક્ષણ ઘટના તરીકે આગમોમાં ઉલ્લિખિત - ૧૬- ભવનપતિ દેવલોકના ચમરેન્દ્રનું વૈમાનિક દેવલોક તરફ ઉપપાત અને પછી સૌધર્મેન્દ્રના વજપાતથી બચવા સાધક શ્રી પ્રભુ વીરના ચરણનું શરણ ગ્રહણ અચ્છેરું છતાંય સત્ય ઘટના છે જ ને? ૧૭– જંબૂકુમારનો જીવ જે અતિ રૂપવાન દેવ હતો તે જ્યારે વીરપ્રભુને વાંદવા આવ્યો હતો ત્યારે તેના પૂર્વ-પશ્ચાત્ ભવોનું વિસ્મયકારક વર્ણન વીરમુખે સૌએ સમવસરણમાં સાંભળ્યું જ હતું ને? ૧૮– એક જ રાતના ફક્ત એક જ પ્રહરમાં પૂર્વસંકેત પ્રમાણે દેવમિત્રોએ ઈન્દ્રજાળ રચી કામગજેન્દ્રને મહાવિદેહના સીમંધરસ્વામી સમક્ષ મૂકી પાછા દેવી માયાથી જંગલના તંબૂમાં ગોઠવી દીધો, જે પ્રસંગની ખાતરી અને સચ્ચાઈ જાણવા સ્વયં કામગજેન્દ્ર પ્રભુ વીરને પૃચ્છા કરી. પ્રભુએ દેવમાયાને સત્ય ઠેરવી. ૧૯- ગોભદ્ર શેઠ મૃત્યુ પામી દેવગતિ પામ્યા ને પુત્રમોહવશ રાગથી રોજ રાજગૃહીના શાલિભંદ્રજીને ત્યાં ૯૯ પેટીઓ આભૂષણો વગેરેની ઉતારતા હતા, તે કથાનક તો સાવ સુપ્રસિદ્ધ છે. - ૨૦– પ્રભુકાળના ૧૦ધનવાન ને વિશિષ્ટ શ્રાવકોની પોતાની પૌષધશાળાઓ હતી, સાધના કરતાં તેમાંના અનેકને ચાલુ પૌષધમાં રાત્રિકાળે દુષ્ટ દેવોના ઉપદ્રવો સહેવા પડેલ હતા. - ૨૧- ચાર બુદ્ધિના નિધાન અભયકુમારને અનેક દેવોનું સાંનિધ્ય હતું, જેમની મદદથી એકદંડિયો મહેલ બનાવ્યો, ઘણાં જ સફળ પરાક્રમો દેખાડ્યાં અને એક વિદ્યાધર જે ઊડી ઊડી પાછો પડી જતો હતો, તેને ઘટતાં વ્યંજનો પદાનુસારી બુદ્ધિથી બોલી આપી ઊડતો કરી દીધો હતો. રર- રાજા શ્રેણિકને દેવે દિવ્ય કુંડલો અને દેવતાઈ વસ્ત્રો આપેલ જે પોતાની પ્રિયા નંદારાણીને ભેટ આપ્યાં, દેવતાઈ અને ચમત્કારિક વસ્તુઓ પોતાને ન મળ્યાની ઈષ્યમાં ચરમાવતારી છતાં બીજી રાણી થેલણા છોભાણી અને આત્મહત્યા કરવા અગાસીએ ગઈ હતી, તે વખતે તેની પાસે દેવતાઈ હારનો પીછો હતો જ. ૨૩– પ્રભુ વીરના કાળે જ થયેલ ચેડા રાજા પાસે દેવતાઈ બાણો હતાં જે અમોઘ લક્ષ્યને વીંધી નાખતા હતા, છતાંય અશોકચંદ્ર પણ દેવને સાધી પ્રતિપક્ષે લડાઈ આદરી અને દેવતાઈ સહાયતાથી જ વિજય મેળવ્યો. ૨૪- ઉદયન રાજર્ષિને વિષમ રોગના ઉપચાર રૂપે દહીં લેવું પડ્યું જે વિષમય હતું, છતાંય ૨૦૧ . Page #818 -------------------------------------------------------------------------- ________________ 802 તપાગચ્છાધિષ્ઠાયક હિતકારી દેવે તે વિષથી તેમને બચાવ્યા; ફરી વાર પણ રક્ષા કરી, છતાંય જ્યારે છેલ્લી વાર પ્રમાદમાં પડેલ દેવ ચૂકયો ત્યારે ગોચરીમાં આવેલ વિષમય દહીંથી મરણ પામ્યા, દેવને પોતાના પ્રમાદનો પારાવાર પશ્ચાત્તાપ થયો. ર૫– ગૌતમ ગણધર ગગનગામિની લબ્ધિથી સૂર્યનાં કિરણો ઝીલી અષ્ટાપદે જાત્રાર્થે ગયા, રાત્રિવાસો ત્યાં કર્યો ત્યારે ત્યાં પધારેલ વજસ્વામીના જીવાત્મા દેવને તથા અન્ય વિદ્યાધર વગેરેની સમક્ષ પુંડરીક-કંડરીક કથન કર્યું. અનેક દેવોના મનના ગૂઢ પ્રશ્નો પોતાની આગવી સૂઝથી ઉકેલી આપ્યા. ર– ઐશ્વર્યનો મદ મનમાં રાખી પરમાત્માને વાંદવા જનાર રાજા દર્શાણભદ્ર ત્યારે માનભંગ પામ્યો જ્યારે વિમાનવાસી દેવેન્દ્ર તેનાથી કંઈ ગણી ઋદ્ધિ-સમૃદ્ધિવાળી દેવાયા વડે ઐરાવણ હાથી, તે ઉપર પધ, પાંખડીઓ ને દેવીઓ વિફર્વી પ્રભુ વીરને વંદન કર્યા. દેવથી પરાજિત રાજાએ દીક્ષા લીધી. ૨૭- સુદર્શન શેઠ પૌપધવ્રતમાં પણ ડગ્યા નહિ ને રાણી અભયાનો અનુકૂળ ઉપસર્ગ સહન કર્યો. શૂળીની સજા વિરુદ્ધ શીલવતી પત્ની મનોરમાએ કાઉસગ્ન કર્યો, ને દેવતાઈ ચમત્કારોથી શૂળીનું સિંહાસન થયું. ૨૮- હરિદ્વૈગમૈષી દેવે રથિકની પત્ની સુલસાની પ્રાર્થના સાંભળી ૩૨ ગોળીઓ આપી જે એકીસાથે ખાઈ જતાં એકસામટા ૩ર પુત્રોનો ગર્ભ રહ્યો જેની પ્રસૂતિ–વેદના પૂર્વની સ્થિતિ પણ ગંભીર થતાં સતી સુસાની સચ્ચાઈ ઉપર ઓવારેલ દેવે તેની વેદના હરી પ્રસવ કરાવ્યો હતો. ર૯- રાજાના વ્યામોહથી ભાઈને ભગિની પુષ્પચૂલ–પુષ્પચૂલા ભાર્યા-ભર્તા બન્યા, જે પાપથી બચાવવા દેવી બનેલી માતા પુષ્પાવતીએ પુત્રને પ્રતિબોધ કરવાના રાગવશ નરક અને સ્વર્ગનાં સાક્ષાત્ સ્વપ્નો દેખાડી વેરાગ્ય પમાડ્યો અને પુષ્પચૂલાએ પણ પાપ ધોવા દીક્ષા લઈ મોક્ષ સાધ્યો. ૩૦– જંબૂસ્વામીના ઘરે લૂંટવા આવનાર ૫૦૦ ચોરોનું સ્થંભન, સ્વપ્ન દ્વારા કે દેવતાઈ સાંનિધ્યો દ્વારા પ્રતિમાજીઓનું ભૂગર્ભથી પ્રગટ થવું વગેરે અનેકે નજરે નિહાળેલી બીનાઓ છે. ૩૧- આવી તો અનેક દેવતાઈ અવતરણો–સહાયોની–ઉપસર્ગોની ઘટના પ્રભુ વીરના સમયકાળમાં થઈ છે, જે કદાચ જૂની માનીએ તોય તે પછી પણ ચમત્કારિક અનેક ઘટનાઓ દેવ સાંનિધ્યની સાક્ષીપક્ષે ઊભી જ છે. વાનર નવકાર પ્રભાવે દેવ થયો, જ્ઞાનના ઉપયોગે જાણ્યું કે ફરી નવો જન્મ વાનર રૂપે જંગલમાં થશે, તેથી દેવતાઈ શક્તિથી તે જ સ્થળની શિલાઓ પર નવકાર કોતરી નાખ્યા. ચ્યવન પછી ફરી વાનર થયો, ત્યારે તે જ નવકાર તેના જાતિસ્મરણનું કારણ બન્યા અને સદ્ગતિ થઈ. ૩ર- ચિત્રકાર ચિત્રાંગદ પુત્રીના મુખે મરણ વખતે જ નવકાર પામી દેવ થયો. પુત્રી મરી દેવ થઈ ફરી દઢશક્તિની પુત્રી કનકમાલા બની ત્યારે વાસવ નામના ખેચરના અપહરણથી ને Page #819 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 803 પુત્રી પ્રેમથી વ્યંતરપિતાદેવે બચાવી રક્ષા કરી અને પ્રત્યેક બુદ્ધ નગગતિ સાથે પરણાવી પ્રત્યુપકાર વાળ્યો. ૩૩– આયંબિલ તપના પ્રતાપે તપતપતો દ્વૈપાયન દેવ દ્વારિકાનો નાશ ૧૨ વરસો સુધી ન કરી શક્યો પણ એક દિવસ સૌને તપ વગરના પ્રમાદમાં પડેલા જાણી તક ઝડપી નગરી બાળી નાખી. - ૩૪-નિઃસ્પૃહી તપસ્વી ક્ષેમર્ષિ મુનિના કક્કાવારી પદાર્થોના અભિગ્રહો દેવતાઈ ચમત્કાર રૂપે એક પછી એક પૂર્ણ થયા અને જે જે ઇચ્છયું તેની જ ગોચરી મળતાં અનેક દિવસોના ઉપવાસનું પારણું થયું. ૩પ- વર્ધમાન તપની ચાલુ છેલ્લી સોમી (૧૦૦ મી) ઓળી દરમ્યાન જ પૂ.આ. વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા ને શુભ ધ્યાનથી શંખેશ્વરજીના અધિષ્ઠાયક દેવ બન્યા છે, જેઓનો પ્રગટ પ્રભાવ અનેકોને થયો ને થાય છે. અધિષ્ઠાયક દેવ જાગૃત છે, તેવી લોકોક્તિ પ્રચલિત છે. - ૩૬-દેવચંદ્રસૂરિજી, હેમચંદ્રસૂરિજી તથા મલયગિરિ મ. સા.એ મુનિ અવસ્થામાં બ્રહ્મચર્યની પ્રખર સમૂહ–સાધના કરી, સ્ત્રીના નગ્ન દેહ સામે જ આરાધના છતાંયે ત્રણેય નિર્વિકારી રહ્યા તેથી ૧૧મા દિવસે જ દેવે દર્શન આપ્યા, અને તેના વરદાનથી કમથી ત્રણેય મહાત્માઓને બાવન વીરો વશ થયા, રાજપ્રતિબોધક શક્તિ મળી અને મલયગિરિજીને સિદ્ધાંતોની વૃત્તિ રચવાની અનુકૂળતાઓ. - ૩૭– બાળ સુરપાળ વૈરાગ્યથી દીક્ષિત થયા અને વિદ્યાદેવીને સાધવા સંકલ્પપૂર્વક જાપ કરવા લાગ્યા. શુદ્ધિના પ્રકર્ષથી થયેલ ઉપલબ્ધિઓ વચ્ચે સરસ્વતી દેવી સ્વયં નિર્વસ્ત્રાવસ્થા જેવી અવસ્થામાં સામે આવ્યાં ને મુનિવરે લજ્જા વ્યક્ત કરી. દેવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં જ મુનિને વાદમાં અજેય બનવાનું વરદાન આપ્યું, જેથી તેઓ વાદવિજેતા બપ્પભટ્ટસૂરિ બન્યા ને અનેક શ્લોકો–શાસ્ત્રો ભણ્યા. - ૩૮- વીર પ્રભુની ૧૯મી પાટે થયેલ માનદેવસૂરિજીની આચાર્ય પદવી વખતે તેમની નિઃસ્પૃહતાને કારણે લક્ષ્મી-સરસ્વતી બંને પ્રગટ થયાં, ગુરુને ચારિત્રમાં પતનનું કારણ લાગતાં જ તેઓએ સ્વેચ્છાએ આજીવન વિગઈઓનો ત્યાગ કરી દીધો. વિવિધ તપ કરતાં નાડોલ ગામે પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા પ્રગટ સેવા કરવા લાગી, દેવી–સાધનાથી ચમત્કારો થયા, લઘુશાંતિ રચાણી. - ૩૯– આહાર–સંજ્ઞાને વશ પડેલ આચાર્ય છતાંય મરણ પામીને મંગુસૂરિજી તે જ નગરની ખાઈની બાજુના મંદિરમાં વ્યંતર યક્ષ થયા, ને તેમને જીભ કાઢતાં તેમના શિષ્યોએ જોયા. ૪ - સ્થૂલભદ્રસૂરિજીનાં વ્હેન સાધ્વી યક્ષાએ સંઘ સહિત કાયોત્સર્ગ કર્યો ને શાસનદેવીએ પ્રગટ થઈ તેમની ઇચ્છા પ્રમાણે સીમંધરસ્વામીનાં દર્શન કરાવ્યાં, તેમની પાસે પોતાના ભાઈ શ્રીયક મુનિને આરાધક જાણી ઉપયોગી સૂત્રો સંપ્રાપ્ત કયાં જે દશવૈકાલિકની ચૂલિકા રૂપે આજેય Page #820 -------------------------------------------------------------------------- ________________ 804 તપાગચ્છાધિષ્ઠાયક જાણવાભણવા મળે છે. ૪૧- પૂર્વસંકેત પ્રમાણે કાળધર્મ પામી દેવ બનેલ પદ્માવતીના જીવે પૂર્વભવના પતિને પ્રતિબોધવા વિવિધ ઉપાયો કર્યા; છેલ્લે તાપસી પાસે માર મરાવી શ્રાવક બનાવ્યા ને ક્રમે વૈરાગ્ય પ્રગટાવ્યો. અંતે પતિ ઉદાયન રાજવીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. ૪૨– સંયમી મુનિવરથી સંધ્યા સમયે માત્રાની ભૂમિ જોવી રહી ગઈ. રાત્રે ચૂંકો આવે તેવી લઘુશંકા વધતાં મરણાંત કષ્ટવાળી થઈ, છતાંય માગું કરી કયાં પરઠવવું–ની ચિંતામાં મુનિ વ્યગ્ર હતા તેટલામાં સમ્યગુદષ્ટિ દેવ પ્રગટયા ને પ્રકાશ વેરી દીધો. મુનિવરનું કાર્ય પાર ઊતર્યું. ૪૩- નાગકેતુની શિશુ અવસ્થા છતાંય પૂર્વભવનો અધૂરો રહેલ અટ્ટમ કર્યો, શાસનદેવને પ્રગટ થવું પડ્યું, ને મૃત જાહેર થયેલ બાળકની રક્ષા કરી. તે જ નાગકેતુ તે જ ભવે મોક્ષે ગયા. ૪૪– સૂર્યવંશના પ્રણેતા અયોધ્યામાં થયા, નામ સૂર્યયશ રાજા, તેમની ધર્મપરીક્ષા કરવા બે દેવીઓ રૂપી સ્ત્રી બની પરણી, તિથિના પૌષધ વખતે અંતરાયો કર્યા, રાજાની અડગતા હતી તો છૂટાછેડા માગ્યા, પતિએ બીજું માંગવા કહ્યું તો પુત્રનું માથું કાપી આપવાની માગણી કરી. તેને બદલે પાષધ ટકાવવા પોતાનું માથું કાપી દેવા તૈયારી દેખાડતાં જ દેવીઓ પ્રત્યક્ષ થઈ. ૪૫– ભરૂચમાં શકુનિકા વિહાર બાંધવા ભૂમિખનન વખતે ક્ષેત્રદેવતાએ કારીગરોને પળમાં દાટી દીધા, તેમના ઉપદ્રવને વારવા આમદેવે પત્ની અને પુત્ર સાથે તે જ આગકાંડ પૃપાપાત કરી લેવા નિર્ધાર કર્યો, ત્યારે તેના શૌર્ય ઉપર વારી ગયેલ ભૂદેવી પ્રગટ થઈ અને વરદાન માગવા કહ્યું. આ પ્રદેવે કારીગરોની પ્રાણરક્ષા માંગી, ને દહેરું બંધાણું–જેની પ્રતિષ્ઠા પણ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ દેવતાઈ સાંનિધ્યથી સંપન કરી આપી. ૪૬- મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ના સમકાલીન મહાત્મા મુનિ મણિઉદ્યોત મ. સા. ની પીઠમાં પાછું થયું, રસી થઈ, જિવાતો ભરાણી. તેની કારમી વેદના વદન ઉપર છવાઈ ગઈ, છતાંય સહન કરી, રાત્રે કાયોત્સર્ગ વખતે ક્ષેત્રદેવ પ્રગટ થયો ને દર્દ દૂર કરી આપવા તૈયારી દેખાડી, છતાંય મહાત્માએ બસ, સહન જ કર્યું, પણ ઉપચાર ન કરાવ્યો, કારણ કે તેઓ વિપત્તિને કર્મનિજરાની સંપત્તિ માનતા હતા. ૪૭– રસનેન્દ્રિય ઉપરના જબ્બરદસ્ત કાબૂ દ્વારા બ્રહ્મચર્યમાં સ્થિત યક્ષ વજસ્વામી ઉપર પૂર્વભવના મિત્ર દેવો ઓવારી ગયા હતા અને રાજી થઈ વૈક્રિય રૂ૫ તથા વિદ્યાઓ આપી હતી. ૪૮– રાજા દંડવીર્ય આંગણે આવેલ તમામ સાધર્મિકો જમી લે પછી ભોજન-ગ્રહણની પ્રતિજ્ઞાવાળા હતા. તેમની કસોટી કરવા ઇન્દ્ર કોડો સાધર્મિકોને વિકર્વીને તેમના મહેલે મોકલ્યા. રાજાએ સોલ્લાસ આઠ ઉપવાસ રાખી સૌની સાધર્મિક ભક્તિ કરી, ત્યારે ઇન્દ્ર પ્રગટ થઈ દિવ્ય ધનુષ-કુંડલ ભેટમાં આપ્યાં. ૪૯- જિનપ્રભસૂરિજી પદ્માવતી દેવી દ્વારા વરપ્રાપ્ત આચાર્ય થયા. તે જ દેવીની સહાયતાથી બ્લેછોને પ્રતિબોધિત કર્યા. ચમત્કારોથી રાજાને વશ કર્યો, વટવૃક્ષને રસ્તે ચાલવા આજ્ઞા આપી તો વૃક્ષ સાથે ચાલવા લાગ્યો. મુનિના ઘડાની દોરી ચોરનાર ઉંદરડાને જાણવા, Page #821 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 805 ત્યાંના બધાય ઉંદરોને આકર્ષ અપરાધીને પકડી પાડ્યો. ચમત્કાર દેખાડી પછી બધાયને મુક્ત પણ કર્યા. અન્યલિંગી આવ્યો ને ટોપી આકાશમાં અધ્ધર કરી, ત્યારે રજોહરણથી ખેંચી નીચે ઉતારી. બીજા દિવસે પાણી ભરેલો ઘડો આકાશમાં બિનાધાર કર્યો, તો ઘડો ઉતારી પાણીને અલગ કરી દેખાડ્યું, ૫૦- ઈર્ષાવશ સાધુતા ખોઈ મરણ પામેલ ભાઈ વરાહમિહિર વ્યંતરદેવ થયો ને ગામમાં મરકી ફેલાવી, જેનું વારણ કરવા ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી છે. પ૧- આ જ પ્રમાણે ધર્મભાવના અને નિષ્ઠામૃત્યુ મેળવી જનાર શેઠ માણેકશાહ મટી યક્ષેન્દ્ર બનનાર માણિભદ્ર દેવ પણ આજે જાગૃત છે, અનેકોને પરચાઓ આપ્યા છે, આજેય આપે છે. ઉપવાસાદિ દ્વારા જાપ દ્વારા કે વિશિષ્ટ પુણ્યના બળે તેઓને સાધી શાસનરક્ષા ને પ્રભાવનાનાં અનેક કાર્યો કરી શકાય છે તેવી સત્ય ઘટનાઓ સાક્ષીમાં છે. જાણવા મુજબ આજે પણ અનેક દેવતાઓ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ ન દેખાવા છતાંય ગેબી અવાજો, સંકેતો, સ્વપ્નાંઓ અથવા પ્રેરણા દ્વારા પોતાનાં ઇચ્છિત કાર્યો ઇચ્છિત વ્યક્તિઓ પાસે કરાવતા હોય છે અને તેવાં કાર્યો પણ નિર્વિજ્ઞ પાર ઉતારે છે. જ્ઞાનીઓ શ્રુતબળે સહાયક તત્ત્વોને પિછાણી લે છે, પણ અલ્પજ્ઞાની કે અજ્ઞાનીઓ સાથે ચર્ચા કે વાદ-વિવાદ ટાળવા સત્ય પ્રરૂપણા કર્યા પછી પણ " વં તુ હુશ્રુતા વિન્તિ " કહી પૂર્વપુરુષોનું ગૌરવ વધારે છે. માણિભદ્રવીરનો પૂર્વભવ માણેકશાહ શેઠની જીવનજ્યોતિના પ્રકાશતત્વને પામવા પ્રખર પુરુષાર્થ કર્યા પછી એવું લાગ્યા વગર ન રહે કે વિશ્વનાં અનેક આશ્ચર્યો આંખ સામે આવ્યા પછી પણ આશ્ચર્ય જેવું કશુંય ન લાગે, કારણ કે..... " पए पए निहाणाइं जोयणे रस-कुविगा भग्गहीणा न पासंति, बहुमणी बसुंधरा " - અસ્તુ Page #822 -------------------------------------------------------------------------- ________________ 806 તપાગચ્છાધિષ્ઠાયક '" ભક્તવત્સલ દાદા " -ગણિશ્રી રાજયશવિજયજી મહારાજ શ્રી તપાગચ્છાધિષ્ઠાયક યક્ષરાજ શ્રી માણિભદ્ર દેવનું સદાકાળ અદેશ્ય સાંનિધ્ય માણીને તેમના પ્રત્યે અપૂર્વ પ્રેમભાવ ધરાવનાર આ લેખના લેખક પૂ. ગણિશ્રી રાજયવિજયજી મહારાજશ્રી શ્રી કેસરસૂરિ સમુદાયના સૌરાષ્ટ્રકેશરી-શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય છે, ખૂબ જ ભાવુક આત્મા છે. દુનિયાદારીની બાહ્ય પ્રસિદ્ધિમાં જરા પણ રસ નહીં છતાં પણ માણિભદ્રદાદા પ્રત્યેની અનન્ય પ્રીતિ સ્વાનુભૂતિથી લાગણીસભર બે શબ્દો લખવા પ્રેરાયેલા પૂજ્ય ગણિવર્યશ્રી પોતાની સાદી સરળ ભાષામાં આત્મિક સંવેદન રજૂ કરે છે. ટૂંકી પણ હૃદયસ્પર્શી વાતો મનને ખરેખર સ્પર્શી જાય છે. - સંપાદક નમો જક્ષ ઈન્દો, જે નમો શ્રી જક્ષ ઇન્દો જક્ષરાજ અમરપતિ શ્રી માણિભદ્રાય નમઃ શ્રી જિનશાસનના સ્થાપક કર્ણધાર એવા સર્વે અરિહંત પરમાત્માઓ જેમ અનંત ઉપકારી, અનંત કરુણાળુ અને સર્વભયહારક હોવા છતાં આસન ઉપકારીના રૂપમાં આપણે ચોવીસમા તીર્થપતિ શ્રી વીરપ્રભુને ગણીએ છીએ. સર્વ પરમાત્મા સર્વ પ્રકારના ભયહારક હોવા છતાં વિદ્ગનિવારક રૂપે મુખ્યતયા શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પરમાત્મા નજર સામે આવે છે, તેવી જ રીતે સર્વ પરમાત્માઓને નિર્વાણ પામવાને હજારો વર્ષ વીતવાથી–બધા જ આપણા દાદા સ્વરૂપ જગતુપિતા સ્વરૂપ હોવા છતાં જ્યારે પણ દાદારૂપે અરિહંત પરમાત્માને યાદ કરવા હોય ત્યારે અવસર્પિણીકાળના પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ પરમાત્મા જ આદિનાથ દાદારૂપે નજરે-હોઠે હૈયે આવે છે. તેવી જ રીતે શ્રી જિનશાસનના પરમ ભક્ત અને શાસનસેવક દેવદેવીઓ અનેક હોવા છતાં અત્યારના કલિકાલના પ્રભાવે-જાગતી જ્યોતિ સ્વરૂપ અને તુરંત ફલદાતા રવરૂપ જેનાં નામ સ્મરણપટલમાં આવે તેમાં જેમ એક તરફ માતૃસ્વરૂપા ભગવતી પદ્માવતી માતાનું નામ વિશેષ પ્રચલિત છે, તેમ જ દેવ તરીકે ભક્તવત્સલ અને દાદા તરીકે તુરંત જ નજરમાં આવતું નામ શ્રી વીર માણિભદ્ર મહારાજાનું છે. Page #823 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 807 ઉજ્જૈની નગરીના શ્રાવકમાણેકચંદ શેઠમાંથી શ્રી જિનશાસનરક્ષક યક્ષેન્દ્ર વીર માણિભદ્ર બનવાની પ્રક્રિયા અત્યંત અદ્ભુત, આશ્ચર્યકારી, હૃદયદ્રાવક અને દિલધડક એવી છે. શ્રી માણિભદ્રજીની પૂર્વજીવની જાણવાથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે નાસ્તિકપાપી એવા જીવો પણ સદાને માટે નાસ્તિક જ રહેતા નથી – ઊલટ દરેકના જીવનમાં એક ટર્નિંગ પૉઈન્ટ આવે છે. અને શાસ્ત્રોમાં પણ આવે છે કે " કર્મો સૂરા તે ધર્મો સૂરા "– જે જીવો કર્મો (દુષ્કર્મો) કરવામાં શૂરા હોય છે, તેવા જ જીવો સમય આવ્યે ધર્મકાર્યોમાં પણ અત્યંત શૌર્ય દાખવીને જગતને આશ્ચર્ય પમાડી શકે છે. તેથી જ મહાપુરુષો કહે છે કે તિરસ્કાર–ધૃણા કરવી હોય તો " પાપની ધૃણા કરો પરંતુ પાપીની ધૃણા ન કરો" કારણ, પાપી સદા પાપી જ રહે એવું બનતું નથી. પરમ ભક્તવત્સલ શ્રી માણિભદ્ર દાદાની સાધના અને તેમની અનુભૂતિ વિષે જણાવવુંલખવું એ ઘણું જ આનંદદાયી છતાં અતિશય અઘરું કાર્ય છે. કારણ, સંપૂર્ણપણે સમર્પિત સાધક જ અનુભૂતિની કક્ષાએ પહોંચી શકે છે અને એવો ઈષ્ટને સમર્પિત સાધક પોતાના જીવનના દરેક કાર્યમાં-દરેક પ્રસંગમાં પોતાના ઈષ્ટની જ કૃપા નિહાળતો હોય છે. હું તો એક પ્રાથમિક કક્ષાનો શ્રી માણિભદ્રજીનો સાધક–પ્રશંસક છું. તેથી તેમની પ્રત્યક્ષ અનુભૂતિ તો આ કલિકાલે અતિ દુર્લભ વસ્તુ છે. પરંતુ અતિશય અલ્પ નાની એવી સાધના-આરાધનાથી પણ શ્રી માણિભદ્ર દાદા પ્રસન્ન થઈ જાય છે, રીઝી જાય છે અને અપ્રત્યક્ષ છતાં પ્રત્યક્ષની જેમ જ સહાયકારી બને તેનો વારંવાર અનુભવ મેં કર્યો છે. સંવત ૨૦૫૦ની સાલમાં અમો કાંદિવલી (વેસ્ટ) મહાવીરનગર સંઘના આંગણે ચાતુર્માસ હતા તે વખતે અમોને વર્ષીતપની આરાધના ચાલતી હતી. વર્ષીતપ પ્રારંભ કર્યો તે દિવસથી મારી ભાવના પારણું હસ્તિનાપુર તીર્થે કરવાની હતી; પરંતુ કોઈ રીતે સંજોગો અનુકૂળ ન હતા. એવામાં એક પરિચિત હિતમિત્રે મને સૂચન કર્યું કે, બપોરે વિજય મુહૂર્તે શ્રી માણિભદ્ર દાદાની આરાધના–માળાજાપ શરૂ કરો. કોઈક શુભ પળે નીકળેલી તે વાણી મેં સ્વીકારી અને જાપના પ્રારંભના ૨૪ દિવસમાં જ વાતાવરણ બદલાવા માંડ્યું. અલ્પ સમયમાં જ અચાનક એક જયપુરી કારીગર અતિ સુંદર એવા શ્રી માણિભદ્રજીનો એક નાનો ફોટો–પેઈન્ટિંગ લઈને આવ્યો. મેં પણ અતિ ઉલ્લાસથી મોં-માંગ્યાં દામ અપાવીને તે છબી સ્વીકારી. ત્યારપછી બધી પ્રતિકૂળતાઓ અનુકૂળ થવા માંડી. જ્યાં હસ્તિનાપુર જવા વિષે કોઈ વાત જ ન હતી તેને બદલે મારા શિષ્ય સામેથી વારંવાર હસ્તિનાપુર જવાની વાત છેડવા માંડ્યા અને મુશ્કેલીથી પણ હસ્તિનાપુર જવાની રજા પૂજ્ય ગુરુદેવની ન મળે તે રજા પણ અતિ સહેલાઈથી મળી. જીવનમાં ગુરુનિશ્રા વિના પ્રથમ વાર જ દૂરસુદૂરના પ્રદેશમાં વિચારવાનું – જ્યાં કોઈ પરિચય–ઓળખાણ નહિ – અને અમોને બંનેને વર્ષીતપ. અત્યારે સાધુપણામાં વિહાર માટે સહાયક માણસ ગોતવો એ એક મોટો યક્ષપ્રશ્ન છે અને તેમાં પણ ૧૫00 કિ.મી.થી વધારે એકધારા વિહાર માટે વિશ્વાસુ મજબૂત માણસ મુંબઈ મહાનગરીમાં ઉપાશ્રયમાં બેઠાં બેઠાં ગોતવો તે કેટલું મુશ્કેલ છે તે સહેલાઈથી સમજી શકાય છે. પરંતુ ઈષ્ટની Page #824 -------------------------------------------------------------------------- ________________ 808 કૃપા કોને કહેવાય ? ચાતુર્માસ પહેલાં જ સામેથી ૨ માણસો અમોને પૂછતા આવ્યા કે મહારાજ ! વિહાર કરવો છે ? – તો અમે આવવા તૈયાર છીએ. એ બંને માણસો હિંમતનગર 1 તરફના સાવ અણજાણ છતાં અમોએ રાખ્યા અને આ પણ ઇષ્ટની જ કૃપા છે – આવો મોટો– લાંબો વિહાર, સવાર—સાંજનો વિહાર અને મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ – રાજસ્થાન – હરિયાણા – દિલ્હી થઈને હસ્તિનાપુર સુધી તે માણસો સાથે અત્યંત આનંદપૂર્વક – કોઈપણ તકલીફ, કોઈપણ તકરાર – કોઈપણ વિઘ્ન વિના આ બધા જ અણજાણ પ્રદેશોમાં અમે અત્યંત આનંદપૂર્વક વિચર્યા. જંગલોમાં, એકાંતમાં રહેવાના પ્રસંગો આવ્યા છતાં કયાંયે લેશમાત્ર પણ વિઘ્ન – ભય તપાગચ્છાધિષ્ઠાયક – સંકટ – તકલીફનું નામનિશાન નહીં. જ્યાં જ્યાં જે જે આવશ્યકતા ઊભી થઈ ત્યાં ત્યાં જાણે કે પહેલેથી જાણ હોય તે રીતે સર્વ સાધનસામગ્રી હાજર જ હોય. આવી લાંબી તપસ્યા, આવા ઉગ્ર નિરંતર વિહારો, છતાં લેશ પણ થાક નહીં. લેશપણ કંટાળો નહીં – લેશ પણ પ્રતિકૂળતા નહીં – લેશ પણ બીમારી–નબળાઈનું નામ નહીં. એવું જોતાં મનમાં એમ જ લાગે કે જાણે આપણે જમીન પર વિહાર કરતા નથી – આકાશમાં તરી રહ્યા છીએ. મારી સંસારી જન્મભૂમિમાં શ્રીસંઘની એક વિકટ સમસ્યા જે ૨૫ વર્ષથી સંઘના મનમાં ભય કરી ગઈ હતી તેનું એટલું સુંદર સમાધાન શ્રી વીરની કૃપાથી પ્રાપ્ત થયું, ત્યારે શીરપુર શ્રીસંઘમાં પ્રથમ વાર જ શ્રી માણિભદ્રવીરનું અનુષ્ઠાન હવન કરવાપૂર્વક અત્યંત ઉલ્લાસથી ઊજવવામાં આવ્યું. શ્રી વીર માણિભદ્રદાદાની પ્રત્યક્ષ સહાય – અમોને શીરપુર – નાગેશ્વર તીર્થ અને રાજસ્થાનની રાજધાની જયપુરમાં અનુભવવા મળી. સાધક–આરાધકને માટે પોતાના ઇષ્ટની અનુભૂતિઓ જેટલી આનંદકારક, આસ્વાદ્ય અને સ્મરણીય હોય છે તેટલી જ શબ્દાતીત હોય છે. ઘણીવાર ઘણી વસ્તુઓ આપણે અનુભવી શકીએ પરંતુ તેને શબ્દાંકિત કરવું મુશ્કેલ હોય છે. મેં તો મારા જીવનમાં ત્યારબાદ દિલ્હી ચાતુર્માસમાં અને દિલ્હીથી પાછા ગુજરાત સુધીના અતિ લાંબા વિહારમાં વારંવાર — ક્ષણ ક્ષણ વીર માણિભદ્ર દાદાનું સાંનિધ્ય માણ્યું છે. તેથી જ મારા મનમાં એ વાત નિશ્ચિત થઈ છે કે જ્યારે આ પડતા કલિકાલમાં શુભ દૈવી તત્ત્વો ઘણા પ્રયત્ને પણ સહાયભૂત થતા નથી તેવા આ કુંડા અવસર્પિણી કાળમાં અતિ અલ્પ પ્રયાસે પ્રસન્ન સહાયભૂત થતા દેવોમાં યક્ષેન્દ્ર માણિભદ્રદાદા શિરમોર છે. શ્રી માણિભદ્રવીરની આરાધના કરતી વેળાએ એક ખાસ ખ્યાલ રાખવો કે શ્રી માણિભદ્ર યક્ષ જાતિના દેવોનું ઇન્દ્રપણું જે પામ્યા તેમાં મુખ્ય ફાળો તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું સ્મરણ છે. આ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની જ મહત્તા છે કે તેને જોનારા – ભેટનારા – સ્પર્શનારા તો પાવન થાય જ છે પરંતુ તેને ન ભેટવા છતાં તેનું માત્ર સ્મરણ કરનારા પણ પરમ પાવન અને માનવમાંથી મહાન બને છે. તેથી માણિભદ્રજીની આરાધના કરનારે પ્રથમ ખાસ શ્રી શત્રુંજય તીર્થાધિરાજનું સ્મરણજાપ કરવો જ જોઈએ. અત્યંત ભોળા અને ભક્તવત્સલ શ્રી માણિભદ્ર મહારાજા જયવંતા બનો. Page #825 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ હાજરાહજૂર શ્રી માણિભદ્રજી – મુનિ શ્રી હર્ષબોધિવિજયજી મહારાજ જીવનને યશસ્વી બનાવનારા ધર્મશ્રદ્ધા, પુરુષાર્થ, જિનભક્તિ અને ગુરુ ભગવંતોના આશીર્વાદ વગેરે પરિબળોમાં દેવકૃપા પણ કયારેક મહત્ત્વનું પરિબળ બની રહે છે. દેવકૃપાને પ્રાપ્ત કરનારા અનેક સાધકોના સાક્ષાત્ સ્વાનુભૂતિના શ્રદ્ધાભક્તિને સંવર્ધનારા પ્રેરણાદાયી પ્રસંગો કયારેક ચોક્કસ માર્ગ બતાવી આપે છે. આ લેખના લેખક મુનિ શ્રી હર્ષબોધિવિજયજી મહારાજશ્રીએ પોતાને થયેલા સ્વાનુભવનો નિચોડ અત્રે રજૂ કર્યો છે. ઉપરાંત દેવની આરાધનામાં આશાતનાઓથી બચવા માટે નક્કર સૂચનો પણ કર્યાં છે જે ધ્યાન ઉપર લેવા જેવા છે. મુનિશ્રીનો જન્મ વિક્રમ સંવત ૨૦૨૪ અષાડ સુદ ૨ અમદાવાદ પાસે હીરાપુરમાં થયો. ૨૦૪૦માં ચૈત્ર વદિ પના રોજ મહારાષ્ટ્રના સંગમનેર મુકામે દીક્ષા અંગીકાર કરેલ. ગુરુજી પૂ. પંન્યાસ વર્ધમાનતપસ્વી શ્રી વરબોધિવિજયજી મહારાજશ્રી, દાદાગુરુ ભીષ્મતપસ્વી પૂજ્ય સ્વ. મુનિપ્રવરશ્રી મણિપ્રભવિજયજી મહારાજશ્રી, પ્રદાદાગુરુ ન્યાયવિશારદ સકલસંઘ હિતચિંતક ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની તાત્ત્વિક વિચારધારાઓ પૂજ્યશ્રીના સંયમજીવનમાં ઘણો મોટો ફાળો રહ્યો છે. da 809 શ્રી માણિભદ્રવીર વર્તમાનકાળે હાજરાહજૂર છે અને શ્રમણોને સવિશેષ મદદનીશ છે. વાત મારી પોતાની છે. વિક્રમ સંવત ૨૦૪૭માં મહા મહિને ઈરોડ–સેલમ (તામિલનાડુ) વચ્ચે ટ્રકથી મને ઍક્સિડન્ટ થયો ત્યારે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી સકલસંઘ હિતચિંતક આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ ૩૫ જેટલા સાધુ ભગવંતો સાથે હતા. સહુએ મારી બચવાની આશા છોડી દીધી; પણ કુદરતી બચી જવાનું થયું. તાત્કાલિક સેલમ સંઘે જબ્બર સેવા કરી અને સાધુ ભગવંતો તો હતા જ. તે સમયે માથામાં ભયંકર ઘા પડેલો. લોહી બંધ થાય નહિ. ટાંકા લીધા તો પણ બે દિવસ સુધી આંખની પાંપણ અને માથાનું લોહી ટપકતું રહેવાથી ચિંતા હતી. છતાંય શ્રી વીર માણિભદ્રજીના મનઃજાપે રાહત થઈ ગઈ. બધું સારું તો થયું પણ માથામાં કાયમી દુ:ખાવાનું ઊભું જ રહ્યું. શ્રમણજીવનની સામાચારી પરમાત્માની આજ્ઞાપાલનતામાં છે, અને અમારે વર્ષમાં બે વખત કેશલુંચન (લોચ) કરવાનો હોય. પણ મારે માથાના દુઃખાવાને લીધે લોચ કરવો મુશ્કેલ બન્યો. લગભગ ૪૪ વર્ષ લોચ ન · સંપાદક Page #826 -------------------------------------------------------------------------- ________________ 810 કરી શકયો, તેનું દુઃખ મનને અસહ્ય રીતે કોરી ખાતું હતું. વિ. સં. ૨૦૫૧ના મહા મહિને અમો ખંભાત હતા. ત્યાં વિશા ઓસવાલના ઉપાશ્રયે અમારો મુકામ હતો. લોચના દિવસો આવ્યા. મને થયું કે હમણાં હમણાં માથાનો દુઃખાવો લગભગ રહેતો નથી, તો આ વખતે લોચ કરાવવા હિમ્મત કરું ! અને ત્યાં ખંભાતના આ ઉપાશ્રયમાં બિરાજમાન વિશિષ્ટ રૂપધારી શ્રી માણિભદ્રવીરને ધર્મલાભ પાઠવવા પૂર્વક માંગણી કરી કે, મારે લોચ કરાવવો છે. તે માટે તમો સહાય કરો અને માથામાં લેશમાત્ર દુઃખાવો ન થાય એવી ખાતરી આપો. તપાગચ્છાધિષ્ઠાયક તમોને આશ્ચર્ય થશે, પણ હકીકત જ એવી બની કે રાત્રે સ્વપ્નમાં શ્રી વીર માણિભદ્રે આવીને લોચ કરાવવા માટે પૂર્ણ સહયોગ આપવા સાથે વાતો કરતાં કહ્યું કે, હવે લોચ કાયમી સ્વરૂપે થશે. ઈજાનો દુઃખાવો નહિ થાય. અને મારો બંધ પડેલો લોચ ત્યાંથી શરૂ થયો. ઠેકઠેકાણેના માણિભદ્રજી હાજરાહજૂર છે. ભક્તોનાં ઇચ્છિતોને પૂરે છે, એવું તે તે વ્યક્તિના મુખેથી સાંભળું છું. મહારાષ્ટ્રમાં પાબલ તીર્થમાં પણ માણિભદ્રવીર જાગતા છે. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહે ત્યાં જઈને માણિભદ્રજીને પૂજ્યા ને ભેટણું ધર્યું હતું. મુંબઈ–પાર્લાના એક શ્રાવક કહે છે કે, મારી પાસે કાંઈ જ ન હતું. ઝીરોમાંથી હીરો બન્યો છું. જે કાંઈ પામ્યો છું તેમાં માણિભદ્રજીનો જ પ્રભાવ છે. ખડકી (પૂના) જ્યાં હું ચાતુર્માસ હતો ત્યાંના ટ્રસ્ટી જયંતિભાઈ કહેતા કે, માણિભદ્રજી ચિંતાના સમયે હાજર થઈ (સ્વપ્નમાં આવી) દર્શન આપી, માર્ગ બતાવી જાય છે. આવા અનેક પ્રસંગો અનેક ભક્તોના જીવનમાં બને છે, તે માણિભદ્રવીરની મહત્તાને સૂચવે છે. મોક્ષમાર્ગની આરાધના કરતાં પરમાત્માના ભક્તોને સહાય કરવા સાધર્મિક ભક્તિ રૂપે વિશિષ્ટ સહાયક શક્તિને ધારણ કરતા એવા શ્રી માણિભદ્રવીર હરઘડી–હ૨૫ળ સાક્ષાત્ થઈને જિનશાસનની દીર્ઘકાળ સુધી રક્ષા કરનારા બનો એવી મંગલ કામના. આશાતના સંબંધની એક વિચારણીય વાત એક સાવધાની રાખવાની વાત છે. જે જે જિનમંદિરોમાં કે મંદિરોની બહારના ભાગમાં માણિભદ્રની મૂર્તિની સ્થાપના હોય ત્યાં ભક્તો બેસતા મહિને કે રવિવારે સુખડીનો થાળ ધરાવે છે. હવે જો થાળમાંથી નૈવેધ ધરાવ્યા બાદ બાકીની સુખડી મંદિરના દરવાજા આસપાસ વહેંચાય તો શકય છે કે નાનાં બાળકો આદિ તે લઈને ખાઈ લે અને ખાતાં ખાતાં મંદિરમાં પણ ચાલ્યાં જાય. તો જ્યાં આવી પ્રથા ચાલતી હોય ત્યાં સુખડીનો પ્રસાદ વહેંચવાનું કાર્ય જિનમંદિરમાં મુખ્ય દરવાજા બહાર થાય તો પરમાત્માની આશાતના થતી અટકી જાય. હાલમાં ઉપાશ્રયોમાં માણિભદ્રવીરની સ્થાપના થતી હોય તેવું ખાસ જોવામાં નથી આવતું. તપોવન (નવસારી)માં ઉપાશ્રયની નજીકમાં શ્રી માણિભદ્રજીનું અલગ મંદિર કરી તેમાં તેમની સ્થાપના થઈ છે. જો કે, જિનાલયોમાં તો હવે માણિભદ્રવીરની પ્રતિષ્ઠાઓ થાય છે જે એક અનુમોદનીય વાત છે. Page #827 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 811 'પુણ્યશાળીની પારલૌકિક પીછાના ચિંતક – ગચ્છાધિપતિ પૂ. જયધોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિજયજી મહારાજ સુખ સમૃદ્ધિ કે દોમ દોમ શ્રીમંતાઈ પુન્યથી જ મળે છે. સિધ્ધિની ટોચ ઉપર પહોંચવામાં પણ એક માત્ર પુન્ય જ મૂખ્ય બળ બની રહે છે. આ પુણ્ય બળથી જ મળે છે વિવિધ કળાઓમાં કુશળતા, ન્યાયોપાર્જિત દૈવી સંપત્તિ વિશુદ્ધ ચારિત્ર્ય અને નિર્મળ બુદ્ધિ અને ધર્મોપાસના. શેઠશ્રી માણેકશા સ્વયં પુણ્યાનુબંધી પુણ્યના ધારક હતા, જેથી પુણ્યશાળીના પગલે પગલે નિધાનની ઉક્તિ સાર્થક કરે તેવી તેમની હરણફાળ પ્રગતિ થઈ અને હજુ પણ થતી રહેવાની તે હકીકત છે. પુણ્યના ગુણાકાર સમા તેમના જીવનનો જે રીતે વિકાસક્રમ થયો અને જીવનમાંડણીનાં વિવિધ પાસાઓને કાંઈક વિવિધતા સાથે પ્રસ્તુત કરતો આ લેખ ધર્મપુરુષાર્થ માણેકશાના જીવનબાગનો ચિતાર કંઈક અલગ રીતે જ રજૂ કરે છે. ખાસ મનનીય અને સાત્વિક નિચોડ એ છે કે વિભાગ નં. ૫ માં પ્રસ્તુત થયેલ સાહજિકતાની વિશિષ્ઠતા દર્શાવતુ તત્વચિંતન જે એક સનાતન સત્યતત્વને પ્રકાશમાં લાવી જણાવવા ઇચ્છે છે કે જગતમાં જે જે ધર્મવીરો, દાનવીરો, કર્મવીરો અને નરવીરો જે કાંઈ માન પ્રતિષ્ઠા પામ્યા છે તેમના જીવનની પ્રગતિ–ગતિ કૃત્રિમ નહિ બલ્ક કુદરતી હોય છે, તેવા અવતારી પુરુષોનાં જીવનકવન જગતને કાંઈક સ્પષ્ટ સંકેત આપતા હોય છે. પણ આપણે પામર જીવો કાંઈપણ સમજી શકતા નથી. મહાપુરુષોના જીવનની રહસ્યમય ઘટનાઓના વાંચનથી મનને શુભ અધ્યવસાયોમાં રમતુ તો જરૂર રાખે છે. પ્રાસાદિક શૈલીમાં પ્રસ્તુત થયેલ આ લેખના લેખક મુનિપ્રવર શ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ માણેકશાને કેન્દ્રમાં રાખીને પુન્ય બળના મહિમાનું અત્રે હૃદયસ્પર્શી નિરૂપણ કર્યુ છે. આ લેખના અંતમાં પૂ. મુનિશ્રીએ રજુ કરેલ આ તાત્ત્વિક વાતો વારંવાર વાગોળવા જેવી છે. " જે જે શુભ તત્ત્વો સહજતાથી સિદ્ધ થાય તે પ્રાંતે સિદ્ધગતિનાં સુખો પણ બક્ષી શકે છે. જિનશાસનમાં જે જે આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા દેખાય-જણાય-ઓળ ખાય તે સર્વેને સપ્રેમ વધાવી, પ્રોત્સાહિત કરી, પુણ્યના અનુબંધો ગાઢ કરવામાં સાર છે, ઉભય પક્ષે લાભ છે અને પરંપરાએ શાસન-પ્રભાવના દ્વારા પરમાત્માના ઉપકારની યત્કિંચિત ઋણમુક્તિ છે. " – સંપાદક Page #828 -------------------------------------------------------------------------- ________________ 812 તપાગચ્છાધિષ્ઠાયક (૧) ગતિ અને પ્રગતિ મહાન શક્તિવાળા બાવન વીરો જેમની સેવામાં સદા રહે છે તથા ચોઠસ યોગિનીઓ જેમની પાસે નિત્ય નાટારંભ કરતી રહે છે; વ્યંતરદેવોની આઠ નિકાયમાં યક્ષેન્દ્ર માણિભદ્ર તરીકે જેઓનાં નામ-કામ ખ્યાતનામ છે, ક્ષેત્રપાલ દેવોના જેઓ અધિપતિ છે. દેવતાઈ વૈક્રિય શરીર શ્યામ વર્ણનું છે પણ સુંદરતા સૌને આકર્ષે તેવી છે. મસ્તકે રક્તવર્ણ મુગટ શોભે છે. ભૂજાઓ છે છે, જેમાં ક્રમથી ત્રિશૂળ, ડમરૂ, અગર, અંકુશ, નાગ, ખગ્ન શોભી રહ્યાં છે. પોતે શ્યામવર્ણ પણ વાહન છે શ્વેતવર્ણ ઐરાવણ હાથી. મુખનો આકાર વિલક્ષણ છે અને તેમાંય જેમની મૂર્તિઓમાં મુખ ઉપર જ મંદિરનો આકાર છે, જે ઉપર તેમની પડી રહેલી સતત દષ્ટિ–સૃષ્ટિના શ્રેષ્ઠ સ્થાન સિદ્ધાચલજીના પ્રતીક રૂપે યાદ દેવડાવી રહી છે. સામાનિક દેવો વીસ હજાર છે, છતાંય પ્રભાવ અને પ્રતાપનો તાપ તેમનો જ તગતગી રહ્યો છે. એકાવતારી સમ્યગુષ્ટિ દેવેન્દ્ર તરીકે જેઓ વિખ્યાત છે અને દબદબા તથા ઠાઠમાઠથી જેઓ રત્નજડિત સુવર્ણ સિંહાસન ઉપર બિરાજી રહ્યા છે તેવા અલૌકિક, અનોખી અને અદ્ભુત આલમના આલયમાં લયલીન બની જ્યારે એક દિવસ તેઓ દેવીઓના નાટારંભ અને દેવોના સંગીત-સંગમાં રંગ માણી રહ્યા હતા, ત્યાં તો.... અચાનક તેમનું સિંહાસન કંપી ઊઠ્ય, કોઈ અકસ્માત થવાનો હોય તેવી નાજુક ક્ષણોમાં માણિભદ્રજીની કાયા પણ કંપનનો આંચકો ખાઈ ગઈ. ધરા ધ્રુજી ન હતી પણ ફક્ત પોતાનું સુખાસન જ ડગી ઊઠ્યું હતું. કંઈક અજુગતું થયું તેવા ભય સાથે જ સેનાપતિ તથા અંગરક્ષકદેવો સાવધાન થઈ ગયા, દોડી આવ્યા ને પોતાના અધિપતિને ઘેરી લીધા. ક્ષણમાં જ અસ્વસ્થતા અને અકળામણથી સ્વસ્થ થઈ દેવેન્દ્ર જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને અવધિજ્ઞાનના બળે એક અપૂર્વ દશ્ય દેખી તેઓએ સ્વયં સિંહાસનનો ત્યાગ કર્યો અને તેમની મુખમુદ્રાના ભાવો ઝપાટાભેર પલટાવા લાગ્યા. સૌ સાથી દેવો વિસ્મયાનુભવ કરી રહ્યા હતા ત્યાં જ સ્વયંના શ્રીમુખે ખુલાસો કર્યો : " હે મિત્રદેવો! સિંહાસન-કંપનનું મૂળ કારણે મારા ભવોપકારી ગુરુવરની અઠ્ઠમ તપની ધ્યાનસાધના છે. તેમની કૃપાથી જ હું માનવી માણેક મટી માણિભદ્ર બન્યો છું. અપૂર્વ જો કે તેઓ હજુ મને ઓળખતા નથી, છતાંય શ્રીમદ્ હેમવિમલસૂરિજી નામના આચાર્ય, તેઓએ સંકલ્પ સાથે સાધના કરી છે અને તેમની આ મૌન અખંડ અન્નપાનત્યાગ સાથેની અનુસાધનામાં સ્વાર્થ નહિ પણ પરમાર્થ છે. તેઓ પગપાળો વિહાર કરી મારા મૂળ મૃત્યુસ્થાને આવી ગયા છે અને કોઈ અગમ ચિંતાથી વ્યગ્ર છે. મારે તેમની પાસે તત્કાળ પહોંચવું ખૂબ જરૂરી છે." બસ, આટલું કહી તેઓએ દેવતાઈશક્તિ ઉપયોગમાં લીધી અને ક્ષણના આંતરે જ પોતાના ગુરુવર આચાર્યશ્રીની અડોઅડ આવી પહોંચ્યા, વિનમ્ર ભાવે વિનંતિ કરી અને તેમની પ્રેમાળ પ્રાર્થનાથી શ્રી હેમવિમલસૂરિજીએ પણ ધ્યાન ત્યાગ કરી પ્રાર્થના ઉપર પ્રેમાળ દષ્ટિનો પાત કર્યો. સામે તેજપુંજનો અંબાર કોઈદેવ જ ઊભો છે, તેવું અનુમાનથી જાણી લીધું અને ધર્મલાભના Page #829 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 813 આશીર્વાદથી ઈન્દ્રને પ્રસન્ન કરી દીધો. વાર્તાલાપ થયો અને સૂરિજીને ખ્યાલ આવી ગયો કે માણેક શેઠ જેઓ પોતાની નિશ્રામાં આગ્રા મુકામે ચાતુર્માસ પૂર્ણ કરી સિદ્ધગિરિ તરફ ધપી રહ્યા હતા, તેઓ જ અકાળે કાળનો કોળિયો બની શુભભાવમાં જ મૃત્યુ મેળવી વીર માણિભદ્ર બન્યા છે. પુરુષાર્થ પોતાનો હતો છતાંય દેવેન્દ્ર તરીકેની પદવી મળ્યાનું ગૌરવ મને આપવા અહીં આવ્યા છે. સૂરિજી તેમના જ્ઞાનબળથી તે રૂડા આત્માના ભાગ્યોદયની ભૂરિ–ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા, કારણ કે સાધુ જીવનની સૂક્ષ્મ સાધના વડે પોતે કે પોતાના શિષ્યો જેટલું આત્મહિત કષ્ટ–ઉપસર્ગો સહીસહીને પણ સાધી નહોતા શક્યા, તેથી અનેકગણું આત્મોત્થાન એક ગૃહસ્થ જીવ શુભ પરિણામના બળે પામી એકાવતારી બની ગયા હતા. ભોગમાં પણ ભાવથી ન્યારા જીવો અગમ્ય યોગ કેવી રીતે સાધી શકે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સામે ઊભેલ માણિભદ્ર હતા. ભાવોની ગતિ ભવમાં પ્રગતિ પમાડી શકે છે, તે નીતિવાક્ય સત્ય ઠર્યું હતું. (૨) મૂર્તિપૂજાનાં ખંડન–મંડન અન્ય વિલક્ષણતા માણિભદ્રના જીવનમાં એ જાણવા જેવી છે કે તેઓ પોતાના પૂજ્ય ગુરુદેવ શ્રી હેમવિમલસૂરિજીના પરિચય પૂર્વે પ્રતિમા પ્રતિ અતૂટ આસ્થાવાળા હતા અને પોતાની પ્રિયા આનંદરતિની સાથે સજોડે પૂજા કરવા જતા પણ હતા. તેમાં મૂળ કારણ માતાના સંસ્કાર ને પૂર્વભવોની નાનીમોટી સાધનાઓ થકી પેદા થયેલ ધર્માભિમુખતા હતી. જીવનધારા અસ્મલિત વહી રહી હતી, પણ વચ્ચે પાપોદય કાળ આવ્યો જેથી લોકાગચ્છના મુનિઓના મોઢે મૂર્તિપૂજાની વિરુદ્ધ વાતો-વાર્તાઓ સાંભળી તેમનું મન ફરી ગયું, આસ્તિકાત્મા નક્કર નાસ્તિક બની ગયો. મૂર્તિપૂજાના મંડનની વાત તો દૂર પણ ખંડન કરવામાં તેમના મનનું રંજન થવા લાગ્યું. પૂજા કરવાના નિયમ લેતા પુણ્યાત્મા જોવા મળે પણ માણેકશાહે તો પ્રભુપ્રતિમાના પૂજન કે દર્શન પણ ન કરવાનો સંકલ્પ સાબિત કર્યો. અબળા ગણાતી બે નારીઓ–માતા અને ભાર્યા તેમના વિરુદ્ધ સબળા બની. બેઉએ ઘીનો મૂળથી ત્યાગ કરી નાખ્યો, જે કારણે માણેકશાહની અફરતાને આંચકો આવ્યો. સત્યની શોધ માટે સાબદા બની ગયા અને પુણ્યોદયે પવિત્રાત્મા સૂરિજીનો પ્રથમ પરિચય પ્રભાવિત કરી ગયો, તેથી બીજે દિવસે પોતાના ઘર-આંગણે પ્રવેશ કરાવી પૂજા વિધાનની દલીલો કરી. - પથભ્રષ્ટ પુણ્યાત્માને પેખી પૂજ્ય હેમવિમલસૂરિજીનું હૈયું પણ હચમચી ગયું. તેથી ફરી તેમને પંથે ચડાવવા પ્રવચનના માધ્યમે મૂર્તિપૂજાનાં વિધાનો વિષે વિવિધ માહિતીઓ આપી. ભગવતી સૂત્રના સંદર્ભો સમજાવ્યા. દ્રોપદી–સૂર્યાભદેવના વર્ણનની વિગતો જે મૂર્તિપૂજાના સમર્થનમાં રાયપસણી પ્રમુખ ગ્રંથમાં ધરબાયેલી પડી હતી તે પણ જણાવી, પ્રતિમાજીઓના પ્રતિષ્ઠાનપુર જેવા પાલીતાણાની પૂર્વકથા કહી જણાવ્યું કે કઈ રીતે અવસર્પિણીમાં શ્રી શત્રુંજય તીર્થે પ્રથમ પ્રભુ આદિનાથજીના પુત્રરત્ન ભરત ચક્રવર્તીએ ઉદ્ધાર કરાવી પ્રતિમાઓ ભરાવી. Page #830 -------------------------------------------------------------------------- ________________ 814 તપાગચ્છાધિષ્ઠાયક સવા લાખ જિન ચૈત્યો તથા સવાકોડ જિનબિંબની સ્થાપનાનો લાભ લેનાર રાજા સંપ્રતિ ક્યારે થયો અને કેવી શાસનની જાહોજલાલી કરી-કરાવી, તેની સત્ય કથાથી સત્ય ઉપર પ્રકાશ પાથર્યો. નાણા–દીયાણા અને નાદિયા ગામે ચરમ તીર્થપતિ પ્રભુ વીરની હૈયાતીમાં જ તેમના સાંસારિક મોટાભાઈનંદિવર્ધને કેવી સુંદર મૂર્તિઓ મહાવીર પ્રભુની ભરાવી તેની હકીકત જણાવી. ઉપરાંત શંખેશ્વર, અવંતિ, અંતરિક્ષ, આબુ, અષ્ટાપદનાં ઉપર રહેલ કલાકૃતિયુક્ત જિનાલયો -જિનબિંબોનો સાચો ઇતિહાસ પણ મૂર્તિપૂજાના સમર્થનમાં સંભળાવ્યો. વધુમાં રાણકપુર, કેસરિયાજી, ભરૂચ, ભીલડિયાજીનાં તીર્થોના ભગવાનની વાતો-વાર્તાઓ, દાખલા-દલીલોથી માણેકશાહનું દિલ હરી લીધું અને હળુકર્મી તેઓ ફરી મૂર્તિપૂજાના મંડનમાં સહમત થયા. વસંતપંચમીના શુભ દિવસે તો સમ્યકત્વ મૂળ બાર વ્રતો ને ઉચ્ચર્યા અને પૂર્વની જેમ પ્રભુપૂજાને અખંડ રીતે કરતા થઈ ગયા. આમ આસ્તિકતાથી વળેલી નાસ્તિકતા અને ફરી પ્રાપ્ત થયેલ આસ્તિકતામાં પુણ્ય-પાપ, ફરી પુણ્યોદયના પલટાઓથી ચિત્ર-વિચિત્ર કાળ જીવનના નાના ગાળામાં આવ્યો. (૩) પુણ્યોદયે પૂજ્યોની પધરામણી પાપોદયકાળ આવ્યો ને અમુક કુમતવાદીઓનાં વ્યાખ્યાનો આખ્યાનો અને બયાનોથી પોતે પ્રભુપૂજાની શ્રદ્ધા ગુમાવી પ્રતિમા-દર્શનના પણ વિરોધી બની સ્વહિતમાર્ગ ભૂલ્યા; પણ તેવી પાપપળોની પછડાટ પછી પણ ફરી પુણ્યનો ઉદયકાળ થયો જેથી ઉજ્જૈનમાં જ પૂજ્ય હેમવિમલસૂરિજીની પાવન પધરામણી થઈ અને પરમાર્થ પામવા મૂળ માર્ગે વળવાનું થયું. ' સાધુ તો ચાલતા ભલા 'ના ન્યાયે વિહરી ગયા ને સમયાન્તરે છેક આગ્રા સુધી પહોંચી ગયા. જોગાનુજોગ તે જ વરસે, તે જ દિવસોમાં તેવા જ પ્રકારના વ્યવસાયના અર્થે માણેકશાહનું આગ્રા જવું, ત્યાં પોતાના જ ગુરુની સ્થિરતા, ચતુર્માસની ગોઠવણી વગેરેના સમાચાર મળવા, વ્યાપારને ગૌણ કરી ધર્મનો ધંધો અને આત્મિક નફો કરવાની બુદ્ધિથી ધંધાકીય પ્રવૃત્તિઓ મુનીમોને ભળાવી માતા કે ભાર્યાની અનુમતિની પરવાહ કર્યા વગર આગ્રામાં ગુરુનિશ્રા લઈ ધર્માચરણ કરવું વગેરે પુણ્યયોગનો ઉદય થયા વગર શી રીતે સંભવે ? આમેય જ્યારે પુણ્યનો પ્રકર્ષ ઉદય પ્રવર્તતો હોય ત્યારે અનુકૂળતાઓ સાહજિક હોય છે, કારણિક કે પ્રયત્નસાધ્ય નહિ. (૪) પુણ્યોદયની પરાકાષ્ઠા સરળતાના સથવારે પેદા કરેલ પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવ્યું છતે તેના સુખકાળમાં અટવાઈ—લેવાઈ ન જઈ જીવ વધુ અને સાચા સુખ માટે જ છલાંગ લગાવવા લાગે છે. આગ્રામાં તેમનું તપતપતું પુણ્ય પારખી ગુરુવરે પણ ગ્રંથ લીધો શત્રુંજય માહાભ્ય' નામનો અને વેધક વ્યાખ્યાનોના માધ્યમે માણેકશાહનું મન જાણે હરી લીધું. તે પછી સિદ્ધાચલજી-દર્શનની એક લગની, વ્રત-પચ્ચખાણ સાથે વિહરણ, વિદ્ધ વખતે પણ શુભ ધ્યાનમાં પંડિત-મરણ, એક Page #831 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ એકથી વધે એવી પુણ્યવેળાઓ પથરાઈ રહી. મરણ પછીનો જન્મ પણ દેવલોકમાં તે પણ દેવોના ઇન્દ્ર તરીકે દઢ સમકિત સાથે તે પ્રકર્ષ પુણ્યની પ્રતીતિ કરાવે છે. યક્ષેન્દ્ર બન્યા પછી પણ પોતાના પરમોપકારી ગુરુના અક્રમ સાથેના ધ્યાનને કારણે સિંહાસન ડગવું અને તેમના ઉપકારનો બદલો વાળવા જ સામે ચડી વિનંતિ કરવી, ગુરુ દ્વારા મળેલ નિર્દેશ મુજબ સેવાનો લાભ, કાળાગોરા ભૈરવ સાથેના યુદ્ધમાં આબાદ જીત અને શાસનદેવનું મહંતું ગૌરવ મળવું વગેરે વિગતો જ પુણ્યની પરંપરાઓની ચાડી ખાય છે— કારણ કે આવો પુણ્યોદય પાછો પુણ્યના અનુબંધથી જોડાયેલો છે તેથી જ શાસનસેવા હેતુ જાગૃત રહી પોતાનું કર્તવ્ય અદા કરી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવી મનુષ્યલોકમાં શુભ જન્મ લઈ તે જ ભવને છેલ્લો ભવ બનાવી જવાના છે. આજે પણ પુણ્યશાળીની પ્રતિમા–પ્રતિષ્ઠા ઠેર ઠેર સોલ્સાસ થતી જોવામાં આવે છે, કારણ કે તેઓ અપ્રમત્ત અધિષ્ઠાયક દેવ તરીકે ઓળખાય છે. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કારના ન્યાયે નાનામોટા આશ્ચર્યકારી પ્રસંગો તેમના પુણ્ય પ્રભાવે થઈ ગયા, થાય છે ને થવાના. આમેય પુણ્યવાનોનાં પડખાં સૌ સેવે. કદાચ તેથી જ શ્રમણોપાસકો અને શ્રમણોને ધરપત છે કે કોઈ વિકટ વિઘ્ન પ્રભુ વીરના શાસનને તરતમાં આવશે નહિ. આવશે તો ટકશે નહિ. જૈનોને દુઃખ-દારિદ્રય કે દીનતાવસ્થામાં દયાપાત્ર બની જૈનેતર દેવ–દેવીઓ, બાવા—ભૂવાની શરણાગતિ સ્વીકારી મિથ્યાત્વ–મોહમાં મરણને શરણ બનવાનું ટળી શકશે. 815 (૫) સહજતાનો સુભગ સમન્વય પ્રકૃતિનો એક સદા સનાતન સત્ય નિયમ છે કે જે જે 'સુ' તત્ત્વોની સાધનાઓ અન્યના અભિયોગ વિનાની, ઉલ્લસિત નિર્દોષ ભાવ સાથેની તથા કૃત્રિમતાથી દૂર સાવ સ્વાભાવિક–સાહજિક હોય તે તે આરાધનાઓ-સાધનાઓ સફળતાની સવળી દિશાએ ધપે છે ને તેનું અંતિમ ફળ સર્વાંગી સુખ–મોક્ષ હોય છે તેમાં શંકા ન હોય. પુણ્યાત્મા માણેકશાહના જીવન સાથે સંકળાયેલી સાહજિક ઘટનાઓ ખાસ સમજવા વિચારવા તથા વધાવવા જેવી છે. (૧) અવંતી પાર્શ્વનાથ પ્રભુની પ્રખર નિશ્રાવાળી ઉજ્જૈની નગરીમાં જન્મ સાહજિક, જે ધર્મનગરીમાં કોઈ પ્રયત્ન કર્યા વગર જ વસવાટ થયો, પ્રગતિ થઈ અને પરિવર્તનો પણ. (૨) જન્મથી જ સુખ-સાહ્યબીઓનો સંગ્રહ સંપ્રાપ્ત થયો, જે કારણે તેમનાં વચનોનું વજન સજ્જનોથી લઈ સાધુ–સમુદાય ઉપર પણ પ્રવર્તતું રહ્યું. આ ઘટના પણ સાહજિક હતી. (૩) જે શ્રદ્ધાળુ શેઠ આસ્થા ગુમાવી બેઠા ત્યારે ઘરના બે સદસ્યોએ બંડ પોકાર્યો, પણ તેવા જ ભાવમૃત્યુના ઝોલા વખતે ભાવપ્રાણદાતા ગુરુવરનું ઉજ્જૈનીમાં પધારવું સાવ સહજમાં થયું, પરિચય પછી આચાર્ય જેવા પરમેષ્ઠિને સપરિવાર ઘરે પધારવા કરેલી વિનંતિની સફળતા પણ સાવ સાહિજક હતી. વિશેષ પ્રયત્ન વગર થયેલ મનપલટાઓ પણ સાહજિક હતા કારણ કે Page #832 -------------------------------------------------------------------------- ________________ 816 માણેકશાહ સાવ સરળ હતા, હળુકર્મી હતા અને સૌભાગી પણ. (૪) જે ગુરુવરના સંપર્ક પછી ભાવની શુદ્ધિ-વૃદ્ધિ સાહજિક હતી, ગુરુને પણ ઝાઝી મહેનત તે માટે કરવી ન પડી. ઉજ્જૈનીથી વિહાર પછી ગુરુવરનો સંપર્ક છૂટયો, પણ પાછા આગ્રામાં અચાનક મેળાપ થવો પણ ઔદેશિક નહિ પણ સાવ સાહિજક હતો. (૫) ખુમારી અને ખેવનાઓના ખેવૈયા જેવા તેમના ભાગ્યોદયને જ્ઞાનબળું પારખી લેનાર ગુરુવર પણ સહજમાં જે થાય તેટલો જ વિશ્વાસ રાખી તેમને પ્રોત્સાહિત કરતા હતા. આગ્રાના ચાતુર્માસમાં ચાલેલાં સિદ્ધગિરિ–મહિમાનાં પ્રવચનો સાંભળી ઝળકી ઊઠેલી ઉમદા ભાવનાઓ, વિવિધ અભિગ્રહો સાથે જાત્રા કરવાના મનોરથો, દુષ્કર કાર્યને પણ પાર ઉતારવા ગુરુ મ. સા. તરફથી મળેલી અનુમતિ, અને પછી ગુરુવચનને તહત્તિ કરી યાત્રા-પ્રવાસની પ્રગતિ સાવ સાહજિક, દંભરહિત હતી. તપાગચ્છાધિષ્ઠાયક (૬) વિલાક્ષણિક મરણ પછી માણિભદ્ર દેવ તરીકેનો દેવતાઈ જન્મ એષણા વગરનો સાહજિક હતો. ૧૦–૧૦ સાધુઓના અકાળ કાળધર્મ પછી ચતુર્વિધ સંઘ સાથે વિશિષ્ટ આરાધના કરવાની સદ્ભાવના સૂરિજીની સાહજિક હતી. ૧૧ ઉપવાસ પછી તેમને પ્રત્યક્ષ થઈ શાસનદેવીએ કરેલી આગાહી પણ સાહજિક બની અને મગરવાડા પાસે રાયણવૃક્ષ નીચે ફક્ત અક્રમની સાધનાથી પ્રત્યક્ષ થયેલ માણિભદ્રજી પણ સાહિજક ઘટના જેવી બની, ગુરુના ઉપકારની ઋણમુક્તિ માટે દેવેન્દ્ર દ્વારા થયેલ પ્રાર્થના, કાળા–ગોરા ભૈરવ સાથેના યુદ્ધમાં તેમની આઠ ભુજાને પહોંચી વળવા છ મૂળ ભુજાઓને વૈક્રિય લબ્ધિથી સોળ બનાવવાની મતિ પણ સાહજિક બની. તેથી ઉપદ્રવને વશ કરવામાં સફળતા સહજતાથી સિદ્ધ થઈ. આ બધુંય ઊંડાણથી ચિંતવન કરતાં એટલું સહજ સિદ્ધ થાય છે કે જે જે શુભ તત્ત્વો સહજતાથી સિદ્ધ થાય તે પ્રાંતે સિદ્ધગતિનાં સુખો પણ બક્ષી શકે છે. જિનશાસનમાં જે જે આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા દેખાય—જણાય–ઓળખાય તે સર્વેને સપ્રેમ વધાવી, પ્રોત્સાહિત કરી, પુણ્યના અનુબંધો ગાઢ કરવામાં સાર છે, ઉભય પક્ષે લાભ છે અને પરંપરાએ શાસન-પ્રભાવના દ્વારા પરમાત્માના ઉપકારની યત્કિંચિત ઋણમુક્તિ છે. *** આભારી છીએ તેમના પ. પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી ભદ્રસેનસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર્શનવિભાગમાં ફોટો ક્રમ નં. ૮૩ ફોટો સૌજન્યનો લાભ લઈ સહયોગ આપનાર શ્રી વીરચંદ સમરથમલ મંડારવાલા Page #833 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 817 'પૂજ્ય ગુરુદેવને અંતરની શુભકામનાઓ વિદુષી સાધ્વીજી પૂ.પ્રિયંવદાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ન, કરોડો મંત્રજાપના આરાધક, સરલ સ્વભાવી, શાસન પ્રભાવિકા, જીવદયાપ્રેમી અમારા સહુના આદરણીય ગુરુદેવ પૂ.સાધ્વીશ્રી પવયશાશ્રીજી મ.સા.ને અમારા વંદન હો. અમારા જીવનમાં આપ કલ્યાણમાર્ગના ભોમિયા બની અમને ધર્મના માર્ગે ચડાવ્યા. અમારા જીવનબાગના માળી બની ધર્મના સંસ્કારનું સિંચન કર્યું. જીવનના રાહબર બન્યાં, વાત્સલ્યનો ધોધ વહાવતાં રહ્યાં જ, દેવ-ગુરુ અને ધર્મની પ્રીતિ–ભક્તિ જગાડી, હૃદયમાં સેવા અને સમર્પણનો ભાવ જગાડ્યો. આપનાં અનેક કાર્યો, શાસન પ્રત્યેની ધગશ, જીવદયાપ્રેમી વાંચન, સ્વાધ્યાય, ધ્યાન, શ્રાવિકાબેનોના જીવનઘડતર, બાળકોને અભ્યાસાદિ આપના દ્વારા થઈ રહેલાં વિશિષ્ટ ધર્માનુષ્ઠાનોના પાયાના પથ્થર બનવાનું સૌભાગ્ય અમને સદાય પ્રાપ્ત થતું રહે. આપ શતાયુ બની સર્વત્ર જિનશાસનનો નાદ ગજાવતાં રહો. આપના જન્મદિને (પોષ સુદ પૂર્ણિમા) આપશ્રીનાં ચરણોમાં અનંતશઃ વંદના. આપના સંયમદિને (આષાઢ સુદ પાંચમ) સંયમ જીવનની અનુમોદના સહ ભૂરી ભૂરી વંદનાવલી.... -: આપના આપ્તજનોની સહદયની વંદના : - એક સ્વ. દિવાળીબેન દેવચંદ શેઠ – જેતપુર સ્વ. દેવચંદ તળશીભાઈ શેઠ – જેતપુર દોશી વિજયાલક્ષ્મી પૂનમચંદ – ઉના સ્વ. મોહનલાલ દેવચંદ શેઠ – જેતપુર મહેતા હર્ષાબેન વિજયકુમાર - મુંબઈ સ્વ. જમનાદાસ દેવચંદ શેઠ – જેતપુર સંઘવી રસીલાબેન કાંતિલાલ – જૂનાગઢ સ્વ. નંદલાલ દેવચંદ શેઠ – જેતપુર મહેતા માનકુંવરબેન હિંમતલાલ - રાજકોટ સ્વ. ચંદુલાલ દેવચંદ શેઠ – જેતપુર શેઠ પાબેન મહાસુખભાઈ – મુંબઈ સ્વ.જયાકુંવરબેન જેઠાલાલ શેઠ – પાનેલીમોટી ડૉ.લલિતકુમાર હરગોવિંદદાસ-ન્યૂયોર્ક (અમરેલી) સ્વ. ચંચળબેન રતીલાલ ભીમાણી – ચિત્તલ ડૉ. નૌતમલાલ સંઘવી - મોરબી ડૉ. પ્રતિભાબેન શાહ – અમદાવાદ મહેતા હરકુંવબબેન હરગોવિંદદાસ – અમરેલી મહેતા કાંતાબેન ચિમનલાલ – મુંબઈ વોરા માનકુંવરબેન તલકચંદ – અમરેલી મહેતા વસંતરાય હરગોવિંદદાસ – અમરેલી મહેતા વસંતબેન મોહનલાલ – અમરેલી, મહેતા ચંદ્રકાન્ત હરગોવિંદદાસ - અમરેલી મહેતા રમણીકલાલ ખીમચંદ– અમરેલી દોશી જ્યોતિબેન અનંતરાય - કલકત્તા મહેતા ચંપાબેન પ્રભુદાસ – રાજકોટ દોશી ઇન્દુબેન શશીકાંત – કલકત્તા શાહ ઇન્દુબેન નીતિલાલ – આકોલા મહેતા રાજેશકુમાર હરગોવિંદદાસ - મુંબઈ શાહ ઉષાબેન રમેશકુમાર – કલકત્તા મહેતા રજનીકાંત હરગોવિંદદાસ - મુંબઈ શાહ પુષ્પાબેન જયસુખલાલ – મદ્રાસ સૌજન્ય : સ્વ. દિવાળીબેન દેવચંદ તળશીભાઈ, જેતપુર Page #834 -------------------------------------------------------------------------- ________________ 818 તપાગચ્છાધિષ્ઠાયક પૂ. વિદુષી સાધ્વીજી પ્રિયવદાશ્રીજી મ.સા.ના શિષ્યા કરોડો મંત્રજાપના આરાધક સ્વાધ્યાયના ઉપાસક પૂ. સાધ્વીરત્ના સરલ સ્વભાવી પદ્મયશાશ્રીજી મ. સા.ની સંયમ જીવનની અનુમોદના જાપ સ્વાધ્યાય શ્રી નવકાર મંત્રપદનો જાપ નવ લાખ ઉપર શ્રી નામસ્તવનો જાપ એક લાખ ઉપર શ્રી ઉવસગ્ગહરનો જાપ બે લાખ ઉપર શ્રી અરિહંતપદનો જાપ નવ લાખ ઉપર શ્રી સિદ્ધપદનો જાપ પાંચ લાખ ઉપર શ્રી જ્ઞાનપદનો જાપ પાંચ લાખ ઉપર શ્રી ચારિત્રપદનો જાપ આઠ લાખ ઉપર શ્રી નવપદનો જાપ નવ લાખ ઉપર શ્રી માણિભદ્રદેવ નો જાપ પંદર લાખ ઉપર શ્રી પદ્માવતીદેવીનો જાપ નવ લાખ ઉપર શ્રી શ્લોકો–ગાથાઓનો જાપ લાખો ઉપર પૂજ્યશ્રી, સાડાચાર દાયકા પૂર્વેઝાલાવાડના ધ્રાંગધ્રા શહેરમાં આપશ્રીએ ચારિત્રજીવન સ્વીકારી સાધ્વાચારનું ઉત્તમોત્તમ પલન કરી રહ્યાં છો. પૂર્વકૃત કમોઈયે ચારેક દાયકાથી અનેક પ્રકારની જીવલેણ અસહ્ય બીમારી સમત્વભાવે સહી રહ્યાં છો. અકથ્ય વેદનામાં પણ આપનું ચિંતન, મનન, લેખન, વાંચન, અદ્ભુત છે. તેમાં સ્વાધ્યાય અને જાપમાં તો આપે એવું ઝુકાવ્યું છે કે આત્મસાત્ કરેલ જીવનમંત્ર છે. જ્યારે આપને જોઈએ ત્યારે આપશ્રી કાંઈક વાંચન-સ્વાધ્યાય જાપમાં જ હો. અનેક નામાંકિત સર્જન ડૉકટરો ભાઈબહેનો પણ આપની વેદના સમતાભાવે સહો છો તે જોઈ આશ્ચર્ય અનુભવે છે. અમો નત મસ્તકે અંતરના ભાવભર્યા હૃદયે વંદન કરીએ છીએ. આપના સંયમજીવનની અનુમોદનાર્થે અમો કુટુંબીજનો તરફથી શ્રી પદ્માવતીદેવી પૂજન પંચાહ્નિકા મહોત્સવ, જિનેન્દ્ર ભક્તિ કરવા ધન્યતીત બન્યા છીએ. અમારું સૌભાગ્ય છે. અમો તથા અમારા જેતપુર શહેરના સંઘમાં આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે. અમારાં નયનો હર્ષાશ્રુથી સજળ બની ગયાં છે. મનમયૂર નાચી રહ્યા છે. આપની સંયમયાત્રાની ભૂરિ–ભૂરિ અનુમોદના-શુભેચ્છા-અનેક કલાકોના મૌનથી આપશ્રીની અનુપમ અભુત સાધનાને કોટિ-કોટિ વંદના હો. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, આપની સંયમયાત્રા સુખપૂર્વક શાંતિમય પૂર્ણ થાઓ. અમારી મંગલ ભાવના. લિ. સ્વ.દિવાળીબેન, સ્વ. દેવચંદ તળશીભાઈ સહપરિવાર તથા જેતપુર ò. મૂર્તિ. તપગચ્છ સંઘ. યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રવીર દેવને અમારી વંદના કરોડો મંત્રજાપનાં આરાધિકા સાધ્વીરના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા. ના સંયમ જીવનની આરાધનાની અનુમોદનાર્થે શ્રી જેતપુર તપગચ્છ સંધ. શ્રી વેરાવળ તપગચ્છ સંઘ. શ્રી જેતપુર તપગચ્છ સંઘ સંચાલિત જૈન પાઠશાળા શ્રી પ્રભાસ પાટણ તીર્થ સંઘ, ચંદ્રપ્રભુ સ્વામી દેરાસર શ્રી જેતપુર આદિનાથ મહિલા મંડળ, સામાયિક મંડળ, તપગચ્છ સંધ. સ્નાત્ર મંડળ શ્રી અમરેલી નેમિનાથ દેરાસર તપગચ્છ સંઘ, શ્રી ધ્રાંગધ્રા ઢેબરિયા ગચ્છ સંઘ. મહિલા મંડળ, સામાયિક મંડળ. શ્રી હિંમતનગર તપગચ્છ સંઘ શ્રી અમરેલી મહેતા ખીમચંદ મૂળચંદ જૈન બોર્ડિંગ. શ્રી તળેગાંવ (ઢમઢેરા) તપગચ્છ સંઘ, જિ. પૂણે, મહારાષ્ટ્ર. શ્રી પૂનાગડાપીનાથ શ્રી પૂના ગોડી પાર્વેનાથ ટેમ્પલ તપગચ્છ સંઘ. શ્રી પૂના વિદ્યાપીઠ જૈન તત્તવજ્ઞાન પરીક્ષક મનુભાઈ કે. શાહ. ભક્તિવંત ભાવુકો:- શ્રી અમરેલી જૈન બોર્ડિંગ ગૃહપતિ વિજયકુમાર કે દોશી (સાવરકુંડલા) શ્રી ધનવતરાય ઈશ્વરલાલ શાહું પારવા – જતપુર શ્રી જાગૃતિબેન ખુશાલભાઇ ભીમાણા - અમરલા શ્રી નરેન્દ્રકુમારૂ ધારશીભાઈ મહેતા – જેતપુર શ્રી મહેન્દ્રકુમાર દેવચંદ શાહ – અમરેલી શ્રી જેઠાલોલ હીરાચંદ વ - જેતપુર શ્રી મંગળદસ બી. શાહ - અમરેલી શ્રી ડો. પી. વી. જોષી - જેતપુર શ્રી નવતનરાય રામચંદ મહેતા - અમરેલી શ્રી ડ્રો. દમયંતીબેન દીપકકુમારે શાહ - જેતપુર શ્રી શશીકત છબીલદાસૂદોશી (સાવરકુંડલા – વાળા)- અમરેલી શ્રી કિશોરકુમાર સામળજી મહેતા – જેતપુર શ્રી ધીરજબેન સુરેશભાઈ શાહ -વેરાવૂળ શ્ર પમાન રમણલાલ શાહ - પૂના શ્રી ચંપકલાલ ભગવાનજી ધ્રુવ - મુંબઈ શ્રી પુષ્પાબેન ચિમનલાલ શાહ – પૂના શ્રી સૌભાગ્યચંદ રૂગનાથ શૉહ (શુભારવાળા)- અમરેલી શ્રી પ્રેમાકુંવરબેન કાંતિલાલ શાહ – પૂના શ્રી ભારતીબેન અનંતરાય ભીમાણી - અમરેલી શ્રી લીલાબેન પોપટલાલ શાહ – પૂનાં શ્રી શારદાબેન દિનુભાઈ ભીમાણી – અમરેલી શ્રી સાધનાબેન શાહ (તુળગાંવવાળી) – પૂના શ્રી ભૂપેનકુમારૂતલકચંદ મહેતા - અમરેલી શ્રી ડો. એ. ડી. શાહ - વેરાવળ શ્રી ખુશાલભાઈ મણિલાલ ભીમાણી - અમરેલી શ્રી જૂસકુંવરબેન જયંતિલાલ મહેતા - અમરેલી શ્રી શતાબેન અંબાલાલ શાહ – પૂના શ્રી લીલૉવતીબેન મગનલાલ શાહ - મુંબઈ શ્રી કંચનબેન શાંતિલાલ શાહ- દસાડા Page #835 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 819 ‘વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જૈનધર્મનો મર્મ કુમારપાળ દેસાઈ શ્રી કુમારપાળ દેસાઈ જૈન દર્શનના મર્મજ્ઞ અને પારદર્શી તજ્ઞ વિદ્વાન છે. રમતગમતના આધિભૌતિક વિશ્વના તેઓશ્રી જેમ સર્વસારસંગ્રહ છે તેમ જૈન દર્શનના અનેક આકરરૂપ શાસ્ત્રાગમોના સારગર્ભના ભૃગરાજ વક્તા અને લેખક છે. જેમ નાનામોટા વિવિધ રંગરૂપનાં પુષ્પો પર બેસીને ભ્રમરો પુષ્પોને નુકસાન કર્યા વિના સર્વના સારભાગને સ્વયં સંગ્રહી પછી અન્યોને તે વિતરિત કરે છે તેમ કુમારપાળભાઈ એક મધુભિત્તિ રચનારા પપદ છે. ભ્રમરને સંસ્કૃતમાં ષપદ-છ ચરણવાળો કહે છે. શ્રી કુમારપાળભાઈનાં છ ચરણ છે આ પ્રમાણે ૧. વિદ્યાનું ગંભીર પરિશીલન ર. વિદ્યોચિત વિનમ્ર દાક્ષિણ્ય ૩. વાણીમાધુર્ય૪. સર્વભૂતહિતકારિતા ૫. સૌશલ્ય . પ્રાચીન–અર્વાચીન જ્ઞાનની પ્રભાવશાળી હિફાજત... તો આ વિધામધુના સંચયી વિદ્વાન " વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જેનધર્મનો મર્મ" કેવી સરળતાથી સમજાવે છે તે જરૂર વાંચવા વાંચકોને અમારો નમ્ર અનુરોધ છે. – સંપાદક એકવીસમી સદી આવી રહી છે ત્યારે મનુષ્યજાતિના ભાવિ વિષે શુભ અને અશુભ શક્યતાઓ કલ્પવામાં આવે છે. ટેકનોલોજીની હરણફાળને કારણે માનવીનું જીવન ઓછું કષ્ટપ્રદ બન્યું હશે તેમ કહેવાય છે તો બીજી બાજુ માનવજીવન વધુ ને વધુ કુંઠિત થતાં માનસિક કુંઠાઓ અને શારીરિક સમસ્યાઓ વધી ગઈ હશે. આવે સમયે ભગવાન મહાવીરના સિદ્ધાંતોની યથાર્થતાની ચર્ચા ચાલી રહી છે. એમના સિદ્ધાંતોનાં કયાં કયાં તત્ત્વો સમગ્ર માનવજાતિને અહિંસા, સત્ય અને અપરિગ્રહની ભાવના તથા વિશ્વબંધુત્વના આદેશને ઉપયોગી બને તેમ છે? આજના માનવીએ વિજ્ઞાનની અદ્દભુત શોધો કરી છે. ભૌતિક સિદ્ધિ પાછળ પુરપાટ દોડતી માનવજાત એના જીવનના આનંદને કે આધ્યાત્મિક ઊંચાઈને વીસરતી જાય છે. ઔદ્યોગિક કારખાનાંઓમાંથી નીકળતાં કેમિકલ્સને પરિણામે આવતી સદીમાં આકાશમાંથી પાણીને બદલે ઍસિડની વર્ષા થશે. વૃક્ષોનો નાશ અને સંહારક શસ્ત્રોની દોટ માનવજાતિના અસ્તિત્વ પર ખતરારૂપ બની રહ્યા છે. સમગ્ર વિશ્વનો દોઢસો વખત સંહાર કરી શકે એટલો શસ્ત્રસરંજામ એકઠો થયા પછી હવે માનવી સંહારની દોડ અને હોડનો ત્યાગ કરવાનું વિચારે છે. જગતમાં યુદ્ધ અને શાંતિ એવા બે સમયગાળા ગણાતા હતા; પરંતુ હવે યુદ્ધનો સમય અને યુદ્ધની તૈયારીનો કાળ એવા બે જ Page #836 -------------------------------------------------------------------------- ________________ 820 સમયગાળા રહ્યા છે. "1 છેલ્લાં ત્રણ હજાર વર્ષમાં પંદર હજાર જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પોતાના જાતભાઈઓનો સૌથી વધુ નાશ કરવાનું " ગૌરવ" મનુષ્યજાતિ ધરાવે છે ! હવે જો યુદ્ધ થાય તો અણુશસ્ત્રોને પરિણામે આ પૃથ્વી પર ' ન્યુક્લીયર વિન્ટર" સર્જાશે અને એવો શીતયુગ વ્યાપી જાય કે આજનો આપણો એક નહીં પણ આવા એકસો સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં. ' તપાગચ્છાધિષ્ઠાયક ભગવાન મહાવીરે ધર્માચરણમાં સહુથી ઊંચું સ્થાન અહિંસાને આપ્યું. આજે જગત હિંસાના શિખરે બેઠું છે ત્યારે ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતની અગાઉ કરી નહોતી તેટલી પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. વ્યક્તિના અંગત જીવનથી માંડીને વિશ્વના વ્યાપક ફલક પર એક યા બીજા રૂપે હિંસા વધતી જાય છે. કારમા ભૂખમરાથી ઘેરાયેલી માનવજાતના કરમાંથી દર છ રૂપિયે એક રૂપિયો ખર્ચાય છે. લશ્કર પાછળ અને તેના બદલામાં મળે છે ભય, આતંક અને અસલામતી. પ્રજાના કરવેરામાંથી જંગી શસ્ત્રસામગ્રી ઊભી કરનારી સત્તાઓને હવે એ શસ્ત્રસામગ્રીના નાશ માટે કચરા કરવા પડે છે. આજે રાષ્ટ્રો વાતો કરે છે શાંતિની—ઝંખનાની અને તૈયારી કરે છે યુદ્ધની. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી બલ્કે સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશૈલી છે. જૈનધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરની વાણી મળે છે. તેમાં કહેવાયું છે કે, ' કોઈ પણ પ્રાણી જીવ કે સત્ત્વની હિંસા ન કરવી એ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે. ' આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યાયમાં હિંસાનાં કારણો અને સાધનોનો વિવેક બતાવ્યો છે. ભગવાન મહાવીરની અહિંસા-વિચારણાનો અર્ક એમની આ વાણીમાં મળે છે. ' જેને તું હણવા માંગે છે તે તું જ છે. જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે. જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે તું જ છે. જેને તું મારી નાખવા માંગે છે તે પણ તું જ છે. આમ જાણી, સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતો નથી. ' આ અહિંસાનો સિદ્ધાંત એ ભગવાન મહાવીરના સિદ્ધાંતનું મૂળ તત્ત્વ છે. અને એની સૂક્ષ્મ વિચારણાના પરિણામે સર્વ જીવોની સમાનતાનો સિદ્ધાંત પ્રગટે છે. અસત્ય વાણી અને અભદ્ર વર્તન એ પણ હિંસા છે. બીજાને આઘાત આપવો કે સ્વયં ભ્રષ્ટાચાર કરવો એ પણ હિંસા છે. વળી, ભગવાન મહાવીરની અહિંસાની ભાવના એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રાણીમાત્રને આવરી લે છે. જે પ્રાણી પ્રત્યે ઘાતકી હોય તે માનવી પ્રત્યે પણ ઘાતકી થઈ શકે. આજના પશુબળના સમયમાં પોતાની નવી બંદૂક બરાબર ચાલે છે કે નહિ તે જોવા માટે થોડાક લોકોને ફૂંકી દેતાં એનું રૂંવાડુંય ફરકતું નથી. " વી કિલ ફોર ધ સેઈક ઓફ કિલિંગ. " આમ માનવીના જીવનમાં, એના આહારમાં તેમ જ અખબાર, ચલચિત્ર કે ટેલિવિઝન જેવાં સમૂહ—માધ્યમોથી ને હિંસાવૃત્તિને ઉશ્કેરતાં પુસ્તકોથી એનું દિમાગ હિંસાથી ખદબદે ખળભળે છે ત્યારે આ અહિંસાની ભાવના પથદર્શક બનશે. જેના હૃદયમાં કરુણા હશે એ બધાં પ્રાણી પ્રત્યે કરુણાભર્યું વર્તન કરશે. અહિંસાનું મહત્ત્વ દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે – Page #837 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 1 મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી. ' 821 ભગવાન મહાવીરની અહિંસાની કૂંચી હજાર વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે એની તાકાત બતાવી. સને ૧૯૪૬ના ઑગસ્ટ મહિનામાં શસ્ત્રધારી ઉશ્કેરાયેલા ટોળા સામે નિઃશસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાને આ અનુકંપાની અડગ શિલા સમે નમવું પડ્યું. અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયમાં ઉદ્ભવેલો વિચાર મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિમાં પ્રગટ થયો. ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ આજના યુગને માટે વિશેષ મહત્ત્વનો બન્યો છે ત્યારે અહિંસાના આચારની દષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સંબંધી ઊંડી વિચારણાએ પ્રાણીની હત્યા અને શાકાહાર જેવી બાબતો પર વિશેષ લક્ષ કેંદ્રિત કર્યું છે. એમાં ઉપવાસ અને મિતાહારનો મહિમા કહ્યો છે. આજે સ્વાસ્થ્ય અને આરોગ્યના ક્ષેત્રમાં ઉપવાસનું મહત્ત્વ એટલું જ સ્વીકારાયું છે. સૂર્યાસ્ત પહેલાં ભોજન, ઉકાળેલું પાણી કે આયંબિલ જેવી ક્રિયાઓમાં રહેલી વૈજ્ઞાનિકતા વધુ ને વધુ પ્રચારમાં આવી છે. ભગવાન મહાવીરે પ્રબોધેલી ધ્યાનની પ્રણાલી માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. એ જ રીતે મનની શક્તિ માટે પચ્ચક્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ અપનાવવાથી જ આવતી કાલે આપણે ધબકતો માનવી મેળવી શકીશું. પ્રસિદ્ધ અમેરિકન ચિંતક હેનરી થૉરોએ એક માણસનો હાથ પકડ્યો અને એની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં ! કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા જેવો જડ અને નિશ્ચેતન લાગ્યો. માનવીને ઊર્ધ્વગામી અને ચેતનવંતો બનાવવા માટે જૈન ધર્મ દાન, શીલ, તપ અને ભાવની ચાર ભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે. એક સૂત્રમાં છે : ' માળુરૂં વુ સુવુત્ત્તદ। ' 'હે . મનુષ્ય ! મનુષ્ય થવું કઠિન છે. ' મનુષ્ય જન્મતો નથી પણ ભીતરમાંથી મનુષ્યને જગાડવાનો છે. ભગવાન મહાવીરે કહ્યું કે જન્મથી નહીં પણ કર્મથી માનવીની ઓળખ થવી જોઈએ. આજની માનવજાતની એ કલ્પના છે કે માનવીની પહેચાન માનવી તરીકે થવી જોઈએ. જુદા જુદા વિભાગો, જૂથો, વલણો કે ઘટકોમાં માનવી વહેંચાઈ જાય છે ત્યારે માનવતાને ખતરો ઊભો થાય છે. એ જ રીતે વ્યક્તિ મહત્ત્વની નથી પણ ભાવના મહત્ત્વની છે. વ્યક્તિ તરફનો સ્નેહ મહત્ત્વનો નથી પણ એના સિદ્ધાંતોની સાધના જરૂરી છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું કે, મારે શરણે નહિ પણ ધર્મના શરણે આવવાથી મુક્તિ મળશે. આજે દુનિયા આખી પ્રદૂષણથી ઘેરાઈ ગઈ છે. વૃક્ષોનો નાશ કરીને વનને રણમાં ફેરવનાર માનવજાતને દુષ્કાળનો અભિશાપ મળ્યો છે ત્યારે ભગવાન મહાવીરની જયણા સંભારવા જેવી છે. જૈન શ્રાવકો તિથિએ લીલોતરી ખાતા નથી અને જૈન સાધુના આચારમાં પર્યાવરણની ઘણી ખેવના જોવા મળે છે. Page #838 -------------------------------------------------------------------------- ________________ 822 તપાગચ્છાધિષ્ઠાયક ભગવાન મહાવીરે કહ્યું કે, સત્ય એ જ ઈશ્વર છે. સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતો નથી અને પાણી ડુબાડી શકતું નથી. ભગવાન મહાવીરે સત્યની વ્યાપક વિચારણા કરીને અહિંસા પછી બીજા મહાવ્રત તરીકે એની પ્રતિષ્ઠા કરી. સત્યની શોધ માટેના અવિરત પ્રયાસમાંથી એકાત્તવાદની વિચારસરણી નીપજી આવી. આ એકાત્તવાદ એટલે મારું જ સાચું એમ નહીં પરંતુ સાચું તે મારું-ની ભાવના. આમ, ભગવાન મહાવીરે એકાન્તવાદથી માનવીને બીજાની દૃષ્ટિથી વિચારવાનો નૂતન સંદેશ આપ્યો. પોતાનો મત, વાદ, વિચાર કે માન્યતાને કોઈપણ ભોગે સાચી ઠેરવવાનો પ્રચાર કરવા જતાં જગતમાં ઘર્ષણો, આગ્રહો અને વિવાદોનું યુદ્ધ મચ્યું હતું ત્યાં એકાન્તની વિચારસરણી સમન્વય અને વિરોધ પરિહારની ભાવના દર્શાવે છે. આઈનસ્ટાઈને ભૌતિક જગતમાં સાપેક્ષવાદની શોધ કરી. ભગવાન મહાવીરે પચીસસો વર્ષ પહેલાં વ્યવહારજગતનો સાપેક્ષવાદ બતાવ્યો. આમ એક બાજુ વિચારોના સમન્વયની વાત અને બીજી બાજુ અન્ય ધર્મો પ્રત્યે આદરની વાત પણ મળે છે. ભગવાન મહાવીરે માનવ ગૌરવની વાત કરી. એમણે કહ્યું કે તું જ તારો ભાગ્યવિધાતા છે.' પોતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ સામે એમણે જેહાદ ચલાવી. જડ પરંપરાનો ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર હોય તો જ નિગ્રંથ થવાય. વર્ધમાન એટલે પ્રગતિશીલ. એ પ્રગતિશીલનું પૂર્વગ્રહથી મુક્ત એવું ખુલ્લી કિતાબ જેવું જીવન એ જ નિગ્રંથનો સાચો અનુયાયી; અને આથી જ જીવનને ધર્મભાવનાની પ્રયોગભૂમિ બનાવવાનું કહ્યું. મહાવીરની પાસે હતો માત્ર પ્રકાશ. આજે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારોનાં આવરણ દૂર થવા લાગ્યાં છે અને માત્ર પ્રકાશની શોધ અને પ્રાપ્તિના માર્ગ તરીકે ધર્મ રહ્યો છે. ભગવાન મહાવીરના સંદેશામાં વિજ્ઞાન સમાહિત છે. ડૉ. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી પાનારો મળી આવતાં વૃક્ષ હસે છે અને કઠિયારો આવતાં ધૃજે પણ છે! ભગવાન મહાવીર અને પહેલા ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના માઈક્રોસ્કોપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જીવો વિષેનું જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પોતે જ વિજ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તર્ક અને પ્રયોગનું સત્ય છે. આવી વિજ્ઞાનની દષ્ટિએ ધર્મની શૈલી પારખવામાં આવે તો ઘણા અનુભવનાં સત્યોને તર્કનું પીઠબળ મળે. નારી પ્રતિષ્ઠાનો પ્રબળ ઉદ્યોષ આ ધર્મમાં સતત સંભળાય છે. ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી. ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ બનાવી. મલ્લિનાથ સ્વામી સ્ત્રી હોવા છતાં તીર્થકર થયાં. શ્રેણિક રાજાની પત્ની ચલ્લણા ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને એનું શું થશે?' એવા શબ્દો બોલ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર વિષે શંકા થઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું, ' તમને ચેલ્લણા જેવી પતિવ્રતા સ્ત્રી તરફ ખોટી શંકા છે. આથી ચેલ્લણા Page #839 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 823 સાથે જ નહીં, આખી નારીજાતિ પ્રત્યે અન્યાય કર્યો. ' આવી નારીપ્રતિષ્ઠા જૈનધર્મમાં પહેલેથી ભગવાન મહાવીરે અપરિગ્રહનો સંદેશ આપ્યો. એમણે કહ્યું કે પરિગ્રહને કારણે જે પાપ થાય છે. હિંસા થાય છે અને અસત્યનો આશરો લેવાય છે. હકીકતમાં આપણે જોઈએ છીએ કે ધનની આસક્તિ અને ભૌતિક સુખસામગ્રીની ઘેલછાએ માનવીને કેટલો બધો ભૂલ્યહીન બનાવી દીધો છે! પ્રસિદ્ધ ચિંતક એમરસને કહ્યું કે ભૌતિક ચીજવસ્તુઓ અને એષણાઓ માનવજાતની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે. આવે સમયે પરિગ્રહની મૂછમાં ડૂબેલા જગતને અપરિગ્રહનો સંદેશ નવી આશા અને વિશ્વ-સમાનતા તરફ દોરી જાય તેવો છે. આ રીતે સાંપ્રત સમયમાં ભગવાન મહાવીરની અહિંસાની ભાવનાના આફ્લેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરી શકીએ. અપરિગ્રહ, અનેકાનત, માનવીય ગૌરવ અને નારી–પ્રતિષ્ઠાનો સંદેશ આવતીકાલ માટે માનવજાતને માટે મૂલ્યવાન છે. Page #840 -------------------------------------------------------------------------- ________________ 824 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રાય નમઃ શ્રી જસુભાઈ જગજીવનદાસ કપાશી સુરેન્દ્રનગર પાસે મૂળ ચૂડાના વાતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરને કર્મભૂમિ બનાવનાર શ્રી જસુભાઈ જગજીવનદાસ કપાશીના પરિવારમાં પેઢી દર પેઢીથી જૈનધર્મનો મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો અકબંધ જળવાઈ રહ્યો છે. જિનભક્તિ સાથે યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રના ભક્તિગાનમાં રાચતા રહેલા આ પરિવાર પાસે એક ઊંચી વિચારધારા જોવા મળી. માણિભદ્રનાં આ પ્રગટ રહસ્યોને પામવા સમય–શક્તિના ભોગે ગમે ત્યાં પહોંચવાની તત્પરતા જોઈ. આ યક્ષરાજ વિષેનું વાસ્તવિક ચિત્ર સમાજ સમક્ષ મૂકવા માટે તેમની તાલાવેલી ખરેખર તો દાદ માંગી લ્ય છે. સંયુક્ત કુટુંબમાં ચાર ભાઈઓ અને એક બહેન – ખૂબ જ શિક્ષિત સાધનસંપન્ન આ પરિવારમાં નાનામોટા સૌની પાસે જૈન સમાજના કલ્યાણ માટેની ઘણી ઊંચી દષ્ટિ જોવા મળી. વર્તમાન પરિસ્થિતિથી પૂરા વાકેફ એવા આ લેખના લેખક શ્રી જસુભાઈ કપાશીની નિખાલસતા, ઉદારતા અને સૌજન્યતાનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તેમના પિતાશ્રી જગજીવનભાઈએ લખેલી આઠેક જેટલી ઐતિહાસિક નવલકથાઓને ઘણો જ સુંદર આવકાર મળ્યો. પરિવારમાંથી વિવિધ પ્રસંગે પ્રગટ થયેલાં પ્રકાશનો ધાર્મિક જ્ઞાનસંસ્કાર અને નીતિમય જીવન બનાવવા ઘણું જ પ્રરેક બળ આપી રહે તેવાં છે. લંડનમાં વસતા ભાઈશ્રી વિનુભાઈ કપાશી પણ ખૂબ જ ધર્માનુરાગી છે. અને લંડનમાં જૈન ધર્મના ૧૭ પુસ્તકો ઈગ્લીશ / ગુજરાતીમાં લખ્યા છે. મનુષ્યજીવનની સાર્થકતા માટે, કર્મનિર્જરા માટે, શીઘ્ર વીતરાગતા પામી સિદ્ધશિલાવાસિત બનવા શું કરવું જરૂરી છે તે સંબંધે પ્રગટ થયેલાં પ્રકાશનોમાં સુંદર પ્રકાશ પથરાયો છે. વડોદરાથી શ્રી નગિનભાઈ કપાશી પણ સાહિત્ય-સંશોધનમાં સારો રસ લે છે. મુંબઈથી શ્રી રમણીકભાઈ કપાશી પણ ખૂબ જ ધર્માનુરાગી છે. શ્રી જસુભાઈએ વિવિધ સ્થળોએ પ્રથમ વર્ગના એક બાહોશ સરકારી અધિકારી (ઈજનેર) તરીકેની ફરજો પૂરી કરીને હાલમાં ભાવનગરમાં કોમ્યુટર લાઈનમાં સારી પ્રગતિ કરી છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર એમના શોખનો વિષય છે. શ્રી માણિભદ્રદાદા પરત્વે શ્રદ્ધાભક્તિનો દીવડો આ પરિવારમાં કેવો પ્રકાશી રહ્યો છે, તે તેમના આ લેખમાં પ્રગટ થયેલ સ્વાનુભૂત પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે. – સંપાદક Page #841 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ શ્રી માણિભદ્ર સમકિતધારી છે. શ્રી માણિભદ્ર સાચા ઇન્દ્રદેવ કહેવાય છે. શાસન–અધિષ્ઠાયક દેવ કહેવાય છે. શાસનરક્ષક દેવ છે. શ્રી માણિભદ્રનાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. શ્રી માણિભદ્રના પરચા ચમત્કારિક છે. મનુષ્યનાં દુઃખ–દર્દ વખતે સહાય કરે છે. મારે ત્યાં, ચૂડા (જિલ્લા સુરેન્દ્રનગર)માં સોથી પણ વધુ વર્ષ પહેલાં શ્રી માણિભદ્રવીરની સ્થાપના તળાવની નજદીકના ઉપાશ્રયમાં હતી. ત્યાં યતિ શ્રી હીરવિજયસૂરિ રહેતા. તેઓ માણિભદ્રના આરાધક હતા. મારા દાદા માણિભદ્રની પૂજા કરવા જતા ત્યારથી દાદા-દાદીના સ્વપ્નમાં શ્રી માણિભદ્રવીર આવતા હતા અને સંકટ સમયે સહાય કરતા. 825 આ દેરાસરને ગામમાં સારી જગ્યા મેળવી ફેરવવાનું નક્કી કરવામાં આવેલ. તે માટે નવા દેરાસરની બહારના ભાગમાં નાની દેરી, મૂર્તિના માપ મુજબ કરવામાં આવેલ. ત્યાં જૂના ઉપાશ્રય માંથી શ્રી માણિભદ્રવીરની મૂર્તિને ફેરવવાનું નક્કી થયા મુજબ, વાજતેગાજતે નવા દેરાસર પહોંચી દેરીમાં પધરાવવાની વિધિ શરૂ કરી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ દેરીમાં જઈ શકી નહીં. દેરી સાંકડી થઈ હતી. સૌને કાંઈ અમંગલ થયાનો ભાસ થયો અને દાદાની મૂર્તિને કામચલાઉ બીજે વિધિપૂર્વક પધરાવી. હવે સમાજને થયું કે માવજીદાદા(મારા દાદા)ને બોલાવો. રાત્રે મારાં દાદીને સ્વપ્નમાં શ્રી માણિભદ્રદાદા આવ્યા. તેમણે ફરીથી બીજા સારા દિવસે વિધિપૂર્વક પધરાવવા કહ્યું. તે મુજબ ફરીથી આ જ દેરીમાં મૂર્તિ પધરાવવા લાગ્યા અને સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ બરોબર માપસર પધરાવાઈ. દાદાના પરચાથી સૌએ દાદાનો જય જયકાર બોલાવ્યો. માણિભદ્ર દાદા મારા બાપુજીનાં માતુશ્રીને સ્વપ્નમાં આવતા અને વાત કરતા. નવા દેરાસરમાં દાદાની બીજી પ્રતિમા મારા દાદાએ પધરાવવાનું નક્કી કર્યું; પરંતુ એક જ દેરીમાં એક મૂર્તિ હતી તેથી બીજી મૂર્તિ પધરાવવા સમાજે ના કહી. આ સમયે દાદીના સ્વપ્નમાં માણિભદ્ર આવ્યા અને કહ્યું, ' તમે મૂર્તિ ઘરેથી લઈ દેરાસરમાં પધરાવશો. કોઈ વિરોધ થશે નહિ.' અને ખરેખર, મહા સુદિ ૧૦નાં મૂર્તિ પધરાવી. કોઈ વિરોધ થયો નહિ. ઘણાં વર્ષો પછી નવા દેરાસરનો ફરીથી તે જ જગ્યાએ જીર્ણોદ્ધાર કરી મોટું બનાવવાનું નક્કી થયું. શ્રી માણિભદ્રની દેરીને પણ નવેસરથી બનાવવાનું નક્કી થયું. દાદાની મૂર્તિને તે દેરીમાંથી બહાર લાવી બાજુની જગ્યામાં કામચલાઉ પધરાવવાનું નક્કી થયું. વાજતેગાજતે વિધિપૂર્વક મૂર્તિને મૂળ જગ્યાએથી લેવા પ્રથમ કડિયા પૂજારી વગેરેએ શરૂ કર્યું અને પાછળથી અચાનક સર્પ એકીસાથે નીકળ્યા. સૌ દૂર થઈ ગયા. આવેલા સૌએ શ્રી માણિભદ્રના નાગ સ્વરૂપનાં દર્શન કરી, જય જયકાર કર્યો અને મૂર્તિ ત્યાં જ રાખી. દાદાનો પરચો મળી ગયો. ફરીથી અમારા ઘરનો સંપર્ક થયો; પરંતુ મારાં દાદા-દાદી તો હૈયાત ન હતાં. મારા પિતાશ્રીને પૂછ્યું. દાદા-દાદી સાથે તો સ્વપ્નમાં શ્રી માણિભદ્રદાદા વાત Page #842 -------------------------------------------------------------------------- ________________ 826 કરતા; પરંતુ મારા પિતાશ્રીએ રાત્રે દાદાનું સ્મરણ કર્યું. દાદા તો આવ્યા નહીં, પરંતુ વિચાર મૂકયો – પહેલાંની જેમ જ ફરીથી દાદાની પૂજા કરી, માફી માગી દાદાની મૂર્તિને એ જ પૂજારી --શ્રાવકોએ ત્યાંથી લીધી અને બાજુમાં પધરાવી. બધું કાર્ય સુગમતાથી પૂર્ણ થયું. ત્રીજો બનાવ તો તેથી પણ અદ્ભુત છે. દેરાસરની સામે શ્રી છોટુભાઈ વાણંદની દુકાન હતી. તેને વારંવાર દાદા વિષે પૂછવાની ટેવ. મારા બાપુજીને કાયમ આ બાબત પૂછે. છોટુભાઈને મનમાં એવું થાય કે દાદાના મને દર્શન કેમ થતા નથી ? અને દાદાએ તેની ઇચ્છા કેવી રીતે પૂરી કરી તે વાંચો. એકવાર સાંજે મોડેથી છોટુભાઈ દુકાન બંધ કરી, પોતાના ઘેર જવા નીકળ્યા. દેરાસરના પગથિયા પર એક નાનો છોકરો બેઠો હતો. છોટુભાઈએ તેને પૂછ્યું, એ છોકરા ! તું કોનો દિકરો છે? કયાં રહે છે ? જો અંધારું થઈ ગયું; હવે ઘેર જા. છોકરો તો છોટુભાઈ સાથે ઘેર જવા નીકળ્યો. છોટુભાઈ રસ્તામાં શિખામણ આપે છે કે અંધારામાં બહાર ન નીકળવું. છોટુભાઈને ઘર તરફ વળવાનું આવ્યું એટલે છોકરાને પૂછવા જાય છે; પરંતુ નાનો બાળ તો ગાયબ. છોટુભાઈને દર્શન દેવા શ્રી માણિભદ્ર આવ્યા હતા. વર્ષોની તેની ઇચ્છાને માનીને દાદા આવ્યા હતા. છોટુભાઈએ તો હરખના માર્યા સમાજને વાત કરી અને દાદાનો જય જયકાર કર્યો. આવા નાનામોટા અસંખ્ય પરચા છે. માણિભદ્ર તો હાજરાહજૂર છે. કોઈપણ સંકટ આવ્યે દાદાનું સ્મરણ કરો, દાદા હાજર થશે. નામ : પિતા :માતા : ધર્મ :વ્યાપાર : જન્મ : જન્મ સમય : પત્ની : પત્નીના પિતા :– પત્નીનું ગામ :– ગુરુ : ગુરુના ગુરુ – : શ્રી માણિભદ્રનો પૂર્વ જન્મ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણેકશાહ શ્રી ધર્મપ્રિય જિનપ્રિયા વિશા—ઓસવાળ પાલી (મારવાડ) ઉજ્જૈન વિ. સં. ૧૫૪૧, મહા સુદ ૫, વસંત પંચમી. આનંદરિત શ્રી ભીમશેઠ ધારાનગરી તપાગચ્છ શાખાના ૫મા આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ. વિ.સં. ૧૫૪૭ થી ૧૫૯૬ તપાગચ્છ શાખાના ૫૫મા આચાર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ. વિ. સં. ૧૫૫૨ થી ૧૫૮૪ Page #843 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 827 ' માણેકશાહના જીવનના મુખ્ય બનાવ સંવત ૧૫૪૧ ૧૫૩ ૧૫૬૪ વિગત ગામ જન્મ ભૈરવગઢ, ઉર્જન મૂર્તિપૂજાના ઉજ્જૈન વિરોધી થયા વાદવિવાદ ઉર્જન દાઢી બાળી શત્રુંજય ચાલીને આગ્રા જવાની બાધા શત્રુંજય પગપાળા આગ્રા પ્રયાણ દેવલોક મગરવાડા દેરાસર મગરવાડા રિમાર્ક્સ મહાસુદ ૫, વસંત પંચમી મહારાજ શ્રી પદ્મનાભસૂરિએ મન ફેરવ્યું. ક્ષિપ્રા નદીને કાંઠે ગંધર્વ સ્મશાન પાસે આસો સુદ ૫, શ્રી આનંદવિમલસૂરિજીના પ્રવચનથી. કારતક વદ-૨ ૧૫૬૪ ૧૫૬૫ ૧૫૬૫ ૧૫૮૫ પોષ વદિ ૧૪ પિંડીની સ્થાપના શ્રી આનંદવિમલસૂરિજી માટીના ધડની સ્થાપના શ્રી શાંતિસોમસૂરિ. દેરાસર આગલોડ ૧૭૩૩ માણિભદ્રનું સ્વરૂપ તત્ત્વ:- ૯ છે. તેમાં પહેલું તત્ત્વ જીવ છે. જીવ ર છેઃ- બદ્ધ, મુક્ત. બદ્ધ બે છે:- સ્થાવર અને ત્રસ. ત્રણ ચાર છે :-- બેઈદ્રિય, તેઈદિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવ ચાર છે :- નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. દેવ૪ પ્રકારના છેઃ- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક. વ્યંતરના આઠ પ્રકાર છે :- કિન્નર, જિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. યક્ષ ૧૨ જાતના છે:- માણિભદ્ર જે દક્ષિણેન્દ્ર કહેવાય છે. ઉત્તરેંદ્ર પૂર્ણભદ્ર કહેવાય છે. તે સિવાય શલભદ્ર, મનોભદ્ર, ભદ્રક, સુભદ્ર, સર્વભદ્ર, મનુષ, ધનપાલ, સ્વરૂપયક્ષ, યક્ષોત્તમ અને મનોહરણ છે. વ્યંતરદેવ :- વિક્રિય શરીરધારી હોય છે. તે સ્વર્ગ, મૃત્યુલોક, પાતાળ બધી જગ્યાએ સ્પર્શ કરતા સ્વતંત્રપણે અનેકગિરિ–નદી પર્વત ગિરિકન્દરામાં ભ્રમણ કરે છે અને નિવાસ કરે તેઓ તેમની ઇચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગ્યાએ જાય છે. એમાંથી કેટલાક મનુષ્યની સેવા પણ કરે છે. Page #844 -------------------------------------------------------------------------- ________________ 828 તપાગચ્છાધિષ્ઠાયક દેવ :રહેઠાણ : તત્વ / જીવ | ત્રસ | દેવ | વ્યંતર | યક્ષ, દક્ષિણેદ બીજા માણિભદ્ર ભવન આવાસ માણિભદ્ર એક ઇન્દ્ર છે. એકાવતારી, વ્યંતર નિકાયના છઠ્ઠા ઈન્દ્ર મહારાજા જિનશાસનરક્ષક છે. શ્યામ, હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ, જીભ રક્ત છે. વર્ણ: ભુજા – મુખ :- જમણી ભુજા તરફ સદા રહે એ રીતે વરાહનું મુખ છે.- દાદાના દર્શન થઈ શકે માટે પોતાનું મુખ પ્રભુ સન્મુખ રાખે છે. દાઢી ઉપર :- રાયણ વૃક્ષની શાખાવાળું જિનાલય છે, જેમાં આદીશ્વર દાદા બિરાજમાન છે. અલંકાર :- કિંઠમાં મોતીની માળા છે. પગમાં નૂપુર છે. હાથમાં રત્નજડિત સોનાનાં કડાં છે. જમણા હાથમાં નીચેથી, ડમરુ, રત્નમાળા અને ગદા છે. ડાબા હાથમાં નીચેથી ત્રિશૂલ, નાગપાશ, અંકુશ છે. (બીજા મત મુજબ જમણા હાથમાં નીચેથી વરદ, અંકુશ, ગદા છે. ડાબા હાથમાં નીચેથી ડમરુ, નાગપાશ, કપાલ છે.) વાહન :- સાત સફેદ સૂંઢવાળો ઐરાવત ગજરાજ-હાથી. પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કળશ છે. બીજી સૂઢોમાં રક્તવણી પુંડરીક કમળ હોય છે. ગજરાજ રત્નજડિત સુવર્ણના અલંકારથી સજ્જ છે. મુગટ :- લાલ, દિવ્ય રત્નો | આભૂષણોથી વિભૂષિત છે. તેમની સેવામાં – પ્રતીન્દ્ર સામાનિક ૪૦૦૦ આત્મરક્ષક ૧૬૦૦૦ અત્યંતર પર્ષદા ૮૦૦૦ મધ્ય પર્ષદા ૧0000 બાહય પર્ષદા ૧૨૦૦૦ અનિક પ્રત્યેક અનિકની પ્રથમ કક્ષા ૨૮૦૦૦ દ્ધિ આદી કક્ષા દુનો દુનો હાથી ૩૫૫૬૦૦૦ સાતે અનિક ૨૪૮ ૨૦૦૦ પ્રકીર્ણક અસંખ્ય અભિયોગિક અસંખ્ય Page #845 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 829 સ્થાપના : મગરવાડા – પિંડી પૂજાય છે. આગલોડ – માટીનું ધડ પૂજાય છે. ઉજ્જૈન –મસ્તક પૂજાય છે. પૂજા : મસ્તક ઉપર કેસરનું તિલક આપણા અંગૂઠાથી કરવું. ફોટા ઉપર તિલક ન કરવું. યતિ–પરંપરામાં ગચ્છનાયક ૨૧ ઉપવાસ કરી માણિભદ્રને પ્રત્યક્ષ કરતા હતા, પછી ઉદયપુરની ગાદી ઉપર બિરાજમાન થઈ શકતા. તપાગચ્છના ઉપાશ્રયમાં તેમની સ્થાપના જોવા મળે છે. ફૂલ :- લાલ કરેણ તેલ :- ચમેલી અત્તર :- અગર થાળ :– શ્રીફળ-વધેરાય ગોળપાપડી / સુખડી ચઢાવાય. દર બેસતે મહિને / દર રવિવારે / દર ગુરુવારે સુખડી ચઢાવાય (આસો માસ, ધન તેરસ- ચૌદશ – અમાસ સિવાય) ગ્રંથરત્નોનો સંપૂટ કિંમત રૂપિયા ૩૦૦=૦૦ આપને ત્યાં અવશ્ય વસાવી લેજો ગ્રંથનું નામ શાસનપ્રભાવક શ્રમણભગવંતો (દ્વિતિય આવૃત્તિ, બે ભાગ) જિન શાસનનાં શ્રમણીરત્નો શ્રી પાર્શ્વનાથોપસર્ગ–હારિણી શાસનદેવી શ્રી પદ્માવતીમાતા મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી જૈન પ્રતિભા દર્શન શ્રી અરિહંત પ્રકાશન ૩૦૦=૦૦ ૩૦૦=૦૦ ૩૦૦=૦૦ ૩૦૦=૦ ૦ પપ્રાલય', ૨૨૩/B/1, હિલડ્રાઈવ, સરકીટ હાઉસ પાસે, વાઘાવાડી રોડ, પોર્ટ કોલોની પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૨. Page #846 -------------------------------------------------------------------------- ________________ 830 તપાગચ્છાધિષ્ઠાયક ક કરો છોકરી આ કલિયુગમાં ચમત્કારિક અધિષ્ઠાયક દેવ અદશ્ય રીતે ભક્તજનો ઉપર આશીર્વાદ વરસાવે છે જ એવી તળાજા પાસેના સાંગાણાના જૈન પરિવારને અનુભૂતિ થયેલ છે. શુભ સંકલ્પથી ધારેલાં કાર્યો પૂર્ણ કરવામાં અત્યંત રીતે સહાયક બને છે. સુરતમાં ત્રિકમનગરમાં જ્યાં કોઈ પણ જાતની સગવડતા હતી નહીં તે જગ્યાએ આકસ્મિક રીતે જ દૈવયોગે તુરત જમીનની પ્રાપ્તિ થઈ. કારણકે સૌથી પ્રથમ આદેશ માણિભદ્રવીર દેવમૂર્તિ ભરાવવાનો કે જેણે છરિ પાલીત સંઘ કાઢ્યો હોય તેને જ આપવાનો આગ્રહ સંઘનો હતો તે તેમની કૃપાથી વોરા અમૂલખ હઠીચંદ સાંગાણાવાળાને પ્રાપ્ત થયેલ. તેમ જ તેમની કૃપાથી પ્રતિષ્ઠા તેમ જ દેરીનો આદેશ પણ દેવગુરુ ધર્મની કૃપાથી મળેલ. દેરાસર માટેની જમીન પણ બહુ સરળતાથી મળી ગઈ. આ બધા પ્રસંગોની પ્રતિષ્ઠા પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા નૂતન આચાર્ય ભગવંત શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં થયેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, ત્રિકમનગર નં. ર, રાધાકૃષ્ણ મંદિરની સામે સુરત – ૨ સૌજન્ય : વોરા અમૂલખ હઠીચંદ પરિવાર (સાંગાણાવાળા) હાલ મુંબઈ. Page #847 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 83] યક્ષેન્દ્રના દર્શનનો પ્રથમ અને પ્રત્યક્ષ અનુભવ, -પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિ મ.સા. ચાર રૂપના અનુભવથી નામ પડ્યું ચારુપ. શામળા પાર્શ્વનાથજીનાં જ્યાં બેસણાં છે. આ ચારુપ તીર્થ ચમત્કારોની હારમાળા સર્જે છે. ચૈત્ર સુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આગમ વિશારદ પૂજ્યપાદ પં. ગુરુદેવશ્રી બિરાજમાન છે. સિદ્ધચક્ર આરાધક સમાજ તરફથી શાશ્વત ઓળીની આરાધનાનો રંગ જામ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના ત્રીસ ઉપરાંત શિષ્ય-પ્રશિષ્યોથી પરિવરી આરાધનામાં વ્યાખ્યાન અને વાચના દ્વારા પ્રેરણાનાં પીયૂષપિવડાવી રહ્યા છે. આ ચારુપ તીર્થમાં માણિભદ્ર યક્ષરાજની પ્રતિષ્ઠાનું આયોજન છે. ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈની એક જ ઇચ્છા છે કે ૧૬ વિધાદેવી તથા શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રનું વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં થાય. સાક્ષાત્ દેવોએ આવીને સોળે વિધાદેવીનું પૂજન કર્યું. જેણે જોયું-જાણ્યું અને સાંભળ્યું તે આશ્ચર્યવિભોર બની ગયા. રાતના ૧રનો સમય છે. અરવિંદભાઈઅનુષ્ઠાનમાં બેઠા છે. ગુરુદેવે પ્રથમથી જ કહી રાખેલ કે નાગરાજ આવે તો ચલિત ન થતા. ગભરાતા નહીં, વિધિવિધાન ચાલુ રાખજો. બરાબર ૧રને ૫ મિનિટ થઈ ને પૂજ્યશ્રીએ ફરમાવ્યા મુજબ નાગરાજ કહ્યા પ્રમાણેની દિશામાંથી જ પધાર્યા. અરવિંદભાઈને ગુરુજી પર ભારે શ્રદ્ધા. ચલિત થયાવિના ગુરુજી પ્રદત્ત શ્રી નવકાર મંત્રનો જાપ ચાલુ જ રાખ્યો. નાગરાજે પોતાનું કાર્ય પૂર્ણ કરી વિદાય લીધી. હવે શ્રી માણિભદ્ર ઇન્દ્ર મહારાજાનું વિધાન શરૂ કરવાનું હતું. પૂ.ગુરુદેવશ્રીએ મને કહ્યું, તું ચાલ મારી સાથે ! શ્રી પાર્શ્વનાથ દાદાની જમણી બાજુના રૂમમાં અરવિંદભાઈ વિધિ-વિધાનની સામગ્રી લઈ હાજર થઈ ગયા. પૂજ્યપાદશ્રીની સાથે હું વાસક્ષેપનો વટવો લઈ સાથે ચાલ્યો. રૂમમાં આવ્યા. દરવાજો બંધ કરી દીધો. મને જમણા હાથે બેસાડ્યો. પૂજ્યશ્રી મંત્રોચ્ચાર પૂર્વક વિધિવિધાન કરાવી રહ્યા છે. પૂજ્યશ્રીની સૂચના મુજબ અરવિંદભાઈ કેશર ચંદન કસ્તુરી બરાસ દ્વારા ફૂલધૂપદીપકનૈવેદ્ય ફળવિ. કિયા કરતા જાય! હું તો બધું જોયા કરતો અને મનમાં શ્રી નવકાર મંત્રનું સતત સ્મરણ કરતો હતો. અચાનક પૂજ્યશ્રી ઊભા થયા અને શ્રી માણિભદ્ર યક્ષરાજનું આવાહન કર્યું. અને જ્યાં મંત્રોચ્ચાર પૂર્વક વાસક્ષેપ કર્યો અને ઝળહળાટ ભૂરા બ્લપ્રકાશથી સારા રૂમમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. આવો પ્રકાશ ક્યારેય કયાંય જોયો ન હતો. Page #848 -------------------------------------------------------------------------- ________________ 832 તપાગચ્છાધિષ્ઠાયક વિધિવિધાન નિર્વિદને આનંદથી પૂર્ણ થયું. પૂજ્યપાદશ્રીની સાથે અમો બહાર આવ્યા. સહસા પૂજ્યપાદશ્રીને મેં પૂછ્યું, આ ઝળહળાટ કરતો બ્લ પ્રકાશ શાનો હતો? પૂજ્યશ્રીએ ફરમાવ્યું, ઈન્દ્ર મહારાજા માણિભદ્ર સાક્ષાત્ પધાર્યા. પૂજ્યશ્રીની અમોઘ શક્તિને હું વંદી રહ્યો. તુર્ત શ્રી પાર્શ્વનાથદાદા પાસે ગયા. ત્યાં પ્રકાશ ઝળહળતા પ્રકાશનાં દર્શન થયાં. જીવનમાં માણિભદ્ર યક્ષરાજના ચમત્કારોની વાતો તો ઘણીવાર સાંભળેલ; પણ સાક્ષાત્ દર્શનનો આ પ્રથમ અને પ્રત્યક્ષ અનુભવ હતો. પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે બીજા દેવો અને ઇન્દ્રો કરતાં શ્રી માણિભદ્ર ઈન્દ્ર ભદ્રિક અને ભોળા છે. જલદી દર્શન દે તેવા છે. માટે જ તપગચ્છની શાન માટે તેમનું વિધાન જરૂરી છે. ધન્ય ગુરુદેવશ્રી ! ધન્ય માણિભદ્ર ઇન્દ્રરાજજી ! - લુણાવા જૈન ઉપાશ્રય (રાજસ્થાન) પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અસ્મિતા ગ્રંથ ભાગ-૨ન, વિમોચન સમારોહમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાડીના હાથે સંપાદક શ્રી નંદલાલ દેવકનું થયેલું જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે. Page #849 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 833 શ્રી માણિભદ્રજી હાલ કર્યો? પૂ.પાદ આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી અનંત લોકાકાશમાં આ સમગ્ર વિશ્વ બે પગ પહોળા રાખી, બે હાથ કેડ ઉપર રાખી ઊભા રહેલા મનુષ્યના આકારે ૧૪ રાજલોક પ્રમાણ છે. તે અધોલોક (નારકલોક) મધ્યલોક (તીછલોક) અને ઊર્ધ્વલોક (દેવલોક) એમ ત્રણ ભાગમાં વિભાજિત થયેલ છે. આ ચૌદ રાજલોકની મધ્યમાં સમભૂતલોભૂમિ તીર્થોલોકમાં આવેલ છે. આ સમભૂલાથી ઉપર ૯૦૦ યોજન અને નીચે ૯૦૦ યોજનમળી કુલ ૧૮૦૦યોજનનો તીછલોક છે. તીર્થાલોકની નીચે ૯૦૦યોજનપૂન ૭ રાજલોક પ્રમાણનો અધોલોક તેમ જ તીછલોકની ઉપર ૯00 યોજન ન્યૂન ૭ રાજલોક પ્રમાણનો ઊર્ધ્વલોક રહેલ છે. પ્રાસંગિક રાજલોક અને યોજનના માપનું વિહંગાવલોકન કરી લઈએ. કોઈ દેવ આંખના પલકારામાં ૧ લાખ યોજનની ઝડપે ચાલે, તે દેવ છ મહિનામાં જે અંતર કાપે તેને ૧ રાજલોક કહેવાય છે. વળી ૧ યોજન બરાબર આજના ૩૬૦૦ માઈલ જેટલું અંતર થાય. આ અંગેની વિશેષ હકીકત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિ ગ્રંથોથી જાણવી–સમજવી. ઉપર જે અધોલોકની વાત કરી તેમાં એકની નીચે એક એમ રત્નપ્રભાદિ ૭ નરક–આવાસો રહેલ છે. તેમાં પ્રથમ રત્નપ્રભા નરકની જાડાઈ ૧,૮૦,000 યોજન છે. તે રત્નપ્રભા નરકના પડના ઉપર અને નીચેના ૧૦૦૦ યોજન છોડી દેતાં વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવોના આવાસો (મોટાં નગરો) ઉત્તર તેમ જ દક્ષિણ દિશામાં, રાજમાર્ગ ઉપર દુકાનો અને મકાનોની પંક્તિ હોય તેમ બંને દિશામાં શ્રેણીબદ્ધ રહેલા છે. ભવનપતિ ઉત્તર અને દક્ષિણ દિશાનો અલગ અલગ ઇન્દ્ર નિકાયનું નામ મુકુટમાં ચિહ્ન પ્રત્યેક ભવનપતિઓને હોય છે એટલે કુલ ભવનપતિના ૨૦ ઇન્દ્રો છે. આ ભવનપતિનાં અસુરકુમાર મણિનું ભવનો (આવાસો) જઘન્યથી જંબુદ્વીપ જેટલાં નાગકુમાર સર્પનું (૧ લાખ યોજન) પ્રમાણવાળાં, મધ્યમથી વિધુતકુમાર વજનું સંખ્યાતકોટી યોજના પ્રમાણવાળાં અને સુવર્ણકુમાર ઉત્કૃષ્ટથી અસંખ્યાતકોટી યોજન પ્રમાણવાળ ૫ અગ્નિકુમાર હોય છે. તેઓનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વાયુકુમાર અશ્વનું વર્ષનું હોય છે. ઉપરાંત દેહવર્ણ, વસ્ત્રવર્ણ, ૭ સ્વનિતકુમાર વર્ધમાનનું સામાનિક દેવો તથા આત્મરક્ષક દેવોની ઉદધિકુમાર મકરનું દીપકુમાર સંખ્યા વગેરે ઉત્તર તથા દક્ષિણના ઈન્દ્રોની નાગવૃક્ષનું ૧૦ દિશિકુમાર નીચે મુજબ - હિંદૂકવૃક્ષનું ક્રમ ગરુડનું ઘંટનું Page #850 -------------------------------------------------------------------------- ________________ 834 તપાગચ્છાધિષ્ઠાયક ભવનપતિ નિકાયના દક્ષિણ દિશાના ઇન્દ્રોની વિગત નિકાયના દક્ષિણેન્દ્રનું | ભવન | નામ સંખ્યા | દેહવર્ણ વસ્ત્રવર્ણ | સામાનિક | આત્મરક્ષક દેવસંખ્યા | દેવસંખ્યા | ઉત્કૃષ્ટ આયુષ્ય કેમ અમરેન્દ્ર ૩૪ લાખ શ્યામ રાતો } ૬૪ હજાર ધરણેન્દ્ર ૪૪ લાખ | ગૌર | નીલો ૬ હજાર હરિકાન્તન્દ્ર ૪૦ લાખ ૨ક્ત | નીલો ૬ હજાર વેણુદેવેન્દ્ર ૩૮ લાખ ઉજ્જવલ | ૬ હજાર અગ્નિશિખેન્દ્ર ૪૦ લાખ રક્ત નીલો | |૬ હજાર વેલેબેન્દ્ર ૫૦ લાખ નીલ | સંધ્યાજેવો ૬ હજાર ઘોષેન્દ્ર | સુવર્ણ | ઉજ્વલ ૬ હજાર જલકાંતેન્દ્ર ૪૦ લાખ ગૌર નીલો | ૬ હજાર ૪૦ લાખ રક્ત નીલો | ૬ હજાર અમિતગતીન્દ્ર | ૪૦ લાખ સુવર્ણ | ઉજ્જવલ ૬ હજાર ૨ લાખ ૫૬ હજાર ૧ સાગરોપમ ૨૪ હજાર ના પલ્યોપમ ૨૪ હજાર ના પલ્યોપમ ૨૪ હજાર ના પલ્યોપમ ૨૪ હજાર ૧ પલ્યોપમ ૨૪ હજાર ૧ પલ્યોપમ ૨૪ હજાર ૧ પલ્યોપમ ૨૪ હજાર ૧૫ પલ્યોપમ ૨૪ હજાર ના પલ્યોપમ ૨૪ હજાર ના પલ્યોપમ ૪૦ લાખ ભવનપતિ નિકાયના ઉત્તર દિશાના ઈન્દ્રોની વિગત નિકાયનો ઉત્તરેન્દ્રનું ક્રમ નામ ભવન સંખ્યા દેહવર્ણ વસ્ત્રવર્ણ | સામાનિક આત્મરક્ષક દેવસંખ્યા | દેવસંખ્યા ઉત્કૃષ્ટ આયુષ્ય ભૂતાનેન્દ્ર બલીન્દ્ર ૩૦ લાખ | શ્યામ | રાતો ૬૦ હજાર | ૨ લાખ ૨૪ હજાર ૧ સાગરોપમાં થી કાંઈ અધિક ૪૦ લાખ ગૌર | નીલો ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો હરિસ્સહેન્દ્ર ૩િ૬ લાખ { રક્ત | નીલો | ૬ હજાર ૨૪હજાર દેશઉણ બે પલ્યો વેણુદાલીન્દ્ર ૩૪ લાખ સુવર્ણ | ઉજ્જવલ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો. અગ્નિમાનવેન્દ્ર ૩૬ લાખ રક્ત | નીલો ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો પ્રભજનેન્દ્ર ૪૬ લાખ નીલ | સંધ્યાવર્ણ ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો મહાઘોષેન્દ્ર ૩િ૬ લાખ સુવર્ણ | ઉજ્વલ ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો જલપ્રત્યેન્દ્ર ૩િ૬ લાખ | ગૌર | નીલો | ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો વિશિષ્ટ ૩૬ લાખ | રક્ત | નીલો ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો અમિતવાહનેન્દ્ર ૩ લાખ | સુવર્ણ | ઉજ્જવલ ૬ હજાર ૨૪ હજાર દેશઉણ બે પલ્યો હવે રત્નપ્રભાભૂમિનો ઉપરનો ૧,000 યોજનાનો જે ભાગ છે તેમાંથી ૧00 યોજન ઉપર અને ૧૦૦યોજન નીચે છોડી દેતાં વચ્ચેના ૮00 યોજનમાં વ્યંતરનિકાયના દેવોનાં અસંખ્ય ભૂમિનગરો બહારથી ગોળ અંદરથી ચોખ્ખણ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકા જેવા આસપાસ ઊંડી ખાઈ અને સુંદર કોટ યુક્ત શોભી રહયા છે. વળી આ નગરો તોપ આદિ મહાયંત્રોથી યુક્ત દુઃપ્રવેશ્ય, અયોધ્ય, ગુપ્ત અને સમૃદ્ધિપૂર્ણ તથા ચકચકિત પૂર્ણ કળશ, તોરણોવાળા દરવાજા ઉપર દંડધારી ૧૦. Page #851 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 835 દેવર્કિકરો દ્વારા કાયમ રક્ષણ કરાય છે. ત્યાં પંચરંગી પુષ્પોની સુગંધ તથા અગરૂ-કિંદરૂ આદિના ધૂપની સુવાસ સતત ફેલાયા કરે છે. વ્યંતરના આવાસો(નગરો)ઉત્કૃષ્ટબૂદ્વીપ જેટલા, મધ્યમ મહાવિદેહ જેટલા અને જઘન્યભરતક્ષેત્ર જેટલા માપના જાણવા. આ આવાસોમાં નીચે જણાવ્યા મુજબ આઠ જાતિના વ્યંતરો ઉત્તર અને દક્ષિણ દિશાના ઇન્દ્રો સહિત શ્રેણીબદ્ધ સુભગ, સ્વરૂપવાન, સૌમ્ય, હસ્ત–કંઠ આદિને વિષે રત્નમય અલંકારોથી વિભૂષિત, ગાંધર્વગીતને વિષે પ્રીતિવાળા, કૌતુકપ્રિય, કીડાહાસ્ય-નૃત્ય વિષે આસક્તિવાળા, અનવસ્થિત ચિત્તવાળા આમતેમ ભટકતા ફરે છે. પોતાની વૈકિય શક્તિ દ્વારા સુંદર વનમાળાઓ, મુકુટ, કુંડળ આદિ ઉત્પન્ન કરી ધારણ કરી યથેષ્ટ આલાપ–સંલાપ કરી ઇચ્છા મુજબ રૂપ કરી, વિવિધરંગી વસ્ત્રોના શોખીન, અવનવા દેશોનો પોશાક પહેરનાર, મગર, ખગ, આદિ શસ્ત્ર ધારણ કરી સ્વેચ્છાચારી છે. તેઓ જુદાજુદા પ્રકારનાં વન–પર્વત-ગુફાઓ વગેરેના આંતરાઓમાં આશ્રયરૂપે વિશેષ કરીને રહેનારા તે વ્યંતરો અથવા મનુષ્યપણે વર્તતા ચક્રવર્તી આદિની સેવામાં દેવપણે હોવા છતાં રહેવું પડતું હોવાથી જેઓને મનુષ્ય અને દેવસંબધી આંતરૂ (ભેદ) જેઓને ચાલ્યું ગયું છે તે વ્યંતરો. તેનું શરીર ઉત્કૃષ્ટથી ૭ હાથનું અને જઘન્યથી પ્રથમ સમયે અલના અસંખ્યાતમાં ભાગનું, બાકીનું મધ્યમ હોય છે. ઉત્તરવૈક્રિય શરીર કરવાની શક્તિ ઉત્કૃષ્ટ લાખ યોજનની અને જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની જાણવી. બે દિશાના મળી ૧૬ ઇન્દ્રો હોય છે અને પ્રત્યેક ઇન્દ્રને ચારચાર પટ્ટરાણીઓ હોય છે, એ ચોસઠે પટ્ટરાણીઓ હજાર હજાર દેવીના પરિવારવાળી તેમ જ હજાર દેવીઓ વિફર્વવાની શક્તિવાળી હોય છે. ૧૬ એ ઇન્દ્રોને ઈષા, ત્રુટિતા, અને દઢરથા એ નામની ૩ સભાઓ હોય છે, અંદરની સભામાં ૮ હજાર દેવો, મધ્યસભામાં ૧૦ હજાર દેવો અને બહારની સભામાં ૧૨ હજાર દેવો હોય છે અને દરેક સભામાં સો-સો દેવીઓ હોય છે. વળી સોળે ઇન્દ્રોના સામાનિક દેવો અને તેઓની પટ્ટરાણીઓને પણ ઉપર મુજબની ત્રણ સભાઓ હોય છે. આમ પ્રત્યેક ઈન્દ્ર ચાર હજાર સામાનિક દેવો, હજારના પરિવારવાળી ચાર પટ્ટરાણીઓ, ત્રણ પ્રકારના પર્ષદાના દેવો, ગંધર્વ – નટ – હસ્તિ – અશ્વ – રથ – પાયદળ અને પાડા રૂપ સાત સૈન્યો, સાત સેનાપતિઓ, ચારે દિશામાં રહેલા ચાર હજાર આત્મરક્ષક દેવો આટલા પરિવારવાળા અને પોતાનાં લાખો નગરોમાં અભુત ચક્રીત્વ ધારણ કરનાર તથા પોતાની દિશામાં પોતાની નિકાયમાં ઉત્પન્ન થયેલ અસંખ્યાત વ્ય ભોગવે છે. ઉપરાંત બીજી કેટલીક વિગતો નીચે કોઠામાં દર્શાવ્યા મુજબ જાણવી. વ્યંતરો સંબંધી વિગતો - હ બ ક્રમ | | નિકાયનું નામ | ધ્વજમાં ચિત્ર દેહવર્ણ | દક્ષિણેન્દ્રો | ઉત્તરેન્દ્રો પિચાશ નિકાય | કદંબવૃક્ષ શ્યામ | કાલેન્દ્ર મહા કાલેન્દ્ર ભૂત નિકાય ! સુલસવૃક્ષ કૃષ્ણ સ્વરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર યક્ષ નિકાય વટવૃક્ષ શ્યામ || પૂર્ણભદ્રન્દ્ર | માણિભદ્રન્દ્ર રાક્ષસ નિકાય | તાપસપાત્ર ઉત્પલ ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર કિન્નર નિકાય | અશોકવૃક્ષ શ્યામ | કિન્નરેન્દ્ર કિપુરુષેન્દ્ર કિંપુરુષ નિકાય ચંપકવૃક્ષ ઉજ્વલ. સત્પરુષેન્દ્ર | મહાપુરુષેન્દ્ર મહોરગ નિકાય નાગવૃક્ષ શ્યામ | | અતિકાયેન્દ્ર મહાકાલેન્દ્ર ગાંધર્વ નિકાય ! તુંબરૂવૃક્ષ શ્યામ ગીતરતિ ઇન્દ્ર ગીતયશેન્દ્ર જ ૨ ૧ ૭ Page #852 -------------------------------------------------------------------------- ________________ 836 તપાગચ્છાધિષ્ઠાયક ઉપરના કોઠામાં દર્શાવ્યા મુજબ શ્રીમાણિભદ્ર એ કોઈ સામાન્ય કોટીના દેવ નથી પરંતુ ઉપરોક્ત વિગતમાં જણાવ્યા મુજબ અસંખ્ય દેવ-દેવીઓના સ્વામી, સાત સેનાઓ અને અસંખ્ય નગરો તેમ જ આપણે ન ચિંતવી શકીએ તેવા સામર્થ્યયુક્ત નિયમા સમકિતી અનુપમ પ્રભાવશાળી યક્ષેન્દ્ર છે માટે તેઓને માણિભદ્રવીર, માણિભદ્રયક્ષ જેવા સામાન્ય શબ્દોથી સંબોધવું તે ઉચિત ન ગણાય. આવી રીતે તેમને સંબોધવું-પ્રચારવું તે એક પ્રકારની તેમની (ડીવેલ્યુએશન) અવગણના કરવા રૂપ છે. વળી હાલ જે શ્રીમાણિભદ્ર ઇન્દ્ર તરીકે છે તે તો આજથી ૪૦૦ વર્ષ પૂર્વે પૂ.આ.શ્રી આનંદવિમલસૂરિ મ. દ્વારા પ્રતિબોધ પામેલ ઉજ્જૈન (મ.પ્ર.)ના આગેવાન શ્રાવક શ્રી માણેકચંદશેઠનો જીવ છે. તેઓશ્રી શાશ્વત શ્રી સિદ્ધગિરિરાજની ઉગ સંકલ્પયુક્ત છ'રિપાલિત યાત્રા કરવા પાલી મારવાડથી નીકળે છે. રસ્તામાં પાલનપુરથી આગળ નીકળતાં મગરવાડા પાસેના જંગલમાં લુટારૂઓ સાથે ઝપાઝપીમાં પ્રાણ છોડે છે પરંતુ સિદ્ધગિરિની યાત્રાદિના સંકલ્પબળે તરનિકાયના ઉત્તર દિશાના યક્ષેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. જ્ઞાનબળે પોતાનો પૂર્વભવ જાણી અહીં પૂ.આ.શ્રી આનંદવિમલસૂરિ મ. ને પ્રત્યક્ષ થઈ શાસનસેવાર્થે યોગ્ય કાર્ય જણાવવા વિનંતિ કરે છે, તત્કાલીન જે કાર્ય હતું તે હોંશભેર સંપન્ન કરી, ફરી સૂરિજી સન્મુખ પ્રત્યક્ષ થઈ અન્ય સેવાકાર્યની પૃચ્છાપૂર્વક દરેક ઉપાશ્રયમાં પોતાનું સ્થાન કરાવવા આચાર્ય ભગવંતને વીનવે છે કે જેથી ઉપાશ્રયમાં પધારતા પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો મને ધર્મલાભ! ના આશિષ આપે જેથી મારું પુણ્ય વધે. વળી આજથી પરમાત્માના શાસનમાં કોઈપણ આપત્તિમાં પોતાને યાદ કરવાની સેવાનો કોલ આપી પોતાને સ્થાને ગયા. હવે તે શ્રી માણેકચંદ શેઠનો સ્વર્ગવાસ થતાં તેમના દેહના ત્રણ ટુકડા થયા જેમાંથી માથું ઉજ્જૈનમા ક્ષિપ્રા નદીના કિનારે, પિંડી આગલોડમાં તેમ જ ધડ મગરવાડામાં પડ્યું. જેથી આજે પણ આગલોડા તથા મગરવાડા બે તીર્થો પ્રસિદ્ધ છે તેમ જ ઉજ્જૈનમાં પણ હવે તેઓશ્રીનું તિર્થ વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે. આજે પણ આચાર્યપદે બિરાજતા અને અન્ય પદસ્થો તથા સાધુ-સાધ્વીજી ભગવંત સહિત શ્રાવક-શ્રાવિકાઓ તેઓશ્રીની સાધના-ઉપાસના કરી તેઓશ્રીના પ્રભાવને અનુભવે છે. * ધર્મસ્નેહી શ્રી નંદલાલદેવલુક જોગ, ધર્મલાભ! તમો તપાગચ્છાધિષ્ઠાયક શ્રી યક્ષરાજ માણિભદ્રવીરનો ગ્રંથ બહાર પાડીને જૈન સંઘનું એક અભુત અને મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છો તે પ્રસંશનીય છે. શ્રીસંઘને આવા અલભ્ય ગ્રંથો હજા પણ તમે તૈયાર કરી અર્પણ કરતા રહો અને એ માટે શાસનાધિષ્ઠાયકો તમને સહાયબળ આપતા રહે એવી પરમાત્માને પ્રાર્થના. - મુનિ હર્ષબોવિવિજય Page #853 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 837 માણેક ગડી' માણેકશાની જગ્યા - ચારે બાજુ પથ્થરની દિવાલ, દિવાલમાં આર્ચવાળા ગોખલા જ્યાં ૧૭/૫/૧૯૯૩ ના રોજ કેશરવર્ષા થઈ. અને નાગે દર્શન દઈ, પૂરી કાંચળી ઉતારી. (૧) - સામેનું મુખ્ય દ્વાર (૨) – અંદરની જગ્યા (૩) - નાગની કાંચળી સંકલન- ફોટોગ્રાફી : શ્રી જશુભાઈ જે. કપાશીe Page #854 -------------------------------------------------------------------------- ________________ 838 | તપાગચ્છાધિષ્ઠાયક દિર કહી આમ્રવન ૦ આમવન, જ્યાં હેમવિમલસૂરીશ્વરજી ૧૭ સાધુઓ સાથે આવ્યા. મહા સુદ ૪ સંવત ૧૫૫૮ ની રાત્રે મશાલ લઈ માણેકશા આમ્રવનમાં ગયા અને સાધુની દાઢી બાળી. (૧) આમવન (૨) આમ્રવનમાં વચ્ચે અહીં ચારે બાજુ નાની દેરી છે. ગણપતી અને બીજી મૂર્તિ છે. o હેમવિમળસૂરીશ્વરજી મ.સા.ના ૧૦ શીષ્યોને ભૈરવે ચિત્તભ્રમિત કરી ને માર્યા તેથી માણિભદ્ર તેમની સાથે લડાઈ કરી અને વશ કર્યા તે (૩) કાલા ભૈરવ (૪) ગોરા ભૈરવ , ઉજ્જૈન- ફોટોગ્રાફી ઃ શ્રી જશુભાઈ જે. કપાશી Page #855 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 839 ન Rા અવંતિનગરી (ઉજ્જૈન) ભૈરવગઢ, માણેકચોકમાં માણેકશાનું ઘર (૧) – ઘરનું મુખ્ય પાછળનું દ્વાર | (૨) – ઘરનું દ્રશ્ય (૩) – ઘરમાં ઘર દેરાસર અને પૌષધશાળા (૪) – ઘરનું મુખ્ય દ્વારા સંકલન- ફોટોગ્રાફી : શ્રી જશુભાઈ જે. કપાસી Page #856 -------------------------------------------------------------------------- ________________ 840 તપાગચ્છાધિષ્ઠાયક અવંતિનગરી (ઉજ્જૈન) ભૈરવગઢમાણેકચોકમાં માણેકશાનું ઘર પૌષધશાળા- ઘર દેરાસરના ખૂણે નાગ રૂપે દર્શન ઘર દેરાસરમાં બિરાજમાન ધરણેન્દ્ર પદ્માવતી’ પદ્માવતી માતાના દર્શન કરે તે રીતે સામે જ શ્રી માણિભદ્રજી નુ મસ્તક માણેકશા અને તેમના પત્નીના ફોટા સંકલન- ફોટોગ્રાફી : શ્રી જશુભાઈ જે. કપાશી (૪) Page #857 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય તીર્થાય નમઃ | I શ્રી નેમિ અમૃત સદ્ગુરુભ્યો નમઃ ! - પ.પૂ. શાસન સમ્રાટ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિશ્રી યોગશ્રમણવિજયજી મ.ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે શ્રી શત્રુંજયતીર્થ અમૃત આરાધના ટ્રસ્ટના ઉપક્રમે શ્રી શત્રુંજય તીર્થ આદિનાથ ભગવાન ગૃહજિનમંદિર, ભોજનશાળા, ધર્મશાળા, તેમજ શ્રી નેમિઅમૃત આરાધના ભવન વગેરે તૈયાર થાય છે. તેમાં લાભ લેનારા ભાગ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક સાધવો.-ગ્રાઉન્ડ ફ્લોર વિભાગ પૂર્ણ થવામાં છે. શ્રી શત્રુંજયતીર્થ અમૃત આરાધના ટ્રસ્ટ, કે.પી. સંઘવી ધર્મશાળાની બાજુમાં, પાલિતાણા (સૌરાષ્ટ્ર) શ્રી કીર્તિકુમાર રામજીભાઈ શાહ ચંદ્રપુષ્પ બિલ્ડીંગ, પહેલા માળે, મયુર ફર્નીચરની ઉપર, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ –૮૬ | (ઉપરોક સંસ્થાના ટ્રસ્ટીઓ ) શ્રી બાબુ લાલ ફુલચંદ શાહ, શ્રી જશવંતલાલ મોહનલાલ શાહ, શ્રી વિનયચંદ્ર એન. શાહ, શ્રી મહાસુખલાલ ભીખાલાલ શાહ, શ્રી ગોખમલજી વીરચંદજી શાહ, કિતકુમાર રામજીભાઈ શાહ પાલિતાણા (સૌરાષ્ટ્ર) Page #858 -------------------------------------------------------------------------- ________________ _ શાશનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના - સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરીજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરીજી મ. સા. તથા પૂ. મુનિશ્રી વિનય ધર્મ વિજયજી મ. સા.ની પ્રેરણાથી. Jain Euucation meational e Personal use only સૂરજબેન જેચંદભાઈ વિઠ્ઠલદાસ શાહ- રાજકોટવાળા જિતેન્દ્રકુમાર રમણીકલાલ બાવચંદ - ભંડારીયાવાળા હોલ-મુલુનું | દેવચંદ રામજીભાઈ ગાલા - કચ્છ રતિલાલ કુંવરજી ઠાર - પાલીતાણા બાબુલાલ મણિલાલ શાહ - સીતાપુરવાળા હાલ - અમદાવાદ વાળાના સૌજન્યથી Page #859 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ફળ ચાખ્યા પછી, ધર્મ ન છોડે કોય, ધર્મ ધુરન્ધર ધર્મ તો, ફળે જો ધીરજ હોય ! જમ તો મિત્ર બને નહિ ભય જો જમનો જાય ખરેખરુ ખાટી ગયો ધુરન્ધર ધર્મ સહાય ધર્મીને ધર્મજ ગમે ગમે કર્મીને કર્મ ધર્મ ધુરન્ધર વાતથી ટળે કર્મનો મર્મ વાત ભલે વહેતી રહે જો હોય હિતકર વાત ધર્મ ધુરન્ધર વાતથી ટળે અન્ધારી રાત - ભલું વિચારો વિશ્વનું ભલુ કરશે ભગવાન બધુરન્ધર ધર્મ ભલાઈમાં કરે પરમ કલ્યાણ પ્રા. શ્રી વિજય બધુથર સુરીશ્વરજી મ.સા. પ્ર.ઓમ જયનેમિરરીશ્વરજી મ.સા. પૂ. આ. શ્રી વિજય અમૃતસરીશ્વરજી મ સા | Page #860 -------------------------------------------------------------------------- ________________ - TGSSC COD PICS.DED ) JAI પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ દર્શનસાગરજી મ. સા. | પૂ આ. નિત્યોદયસાગરજી મ. સા. પૂ. આ. ચંદ્રાનનસાગરજી મ. સા. પૂ. આચાર્યદેવશ્રી ચન્દ્રાનનસાગરસૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી નયનરમ્ય નજરાણું - પાલીતાણા સિધ્ધક્ષેત્રની પાવનધરા પર નોખી અનોખી જિનમંદિર ભોજનશાળા સર્વવિધા યુક્ત | ધર્મશાળા એટલે શ્રી નિત્યચંદ્ર દર્શન ધર્મશાળા તળેટી રોડ - પાલીતાણા ફોન : (02848) 2181 : મુંબઈ સંપર્ક : Serving Jin Shasan શ્રી માણેકચંદજી . ફોન : 3853929/ 2 6727 | શ્રી પુષ્પસેન પી. ઝવેરી 174832 ફોનઃ 3827056 / 38838 gyanmandir@kobatath.org e : સૌજન્ય : - સ્વ. અંબાલાલ દલસુખભાઈ શાહે પૂનાવાળાના શ્રેયાર્થે હ. વિનોદભાઈ તથા જયોત્સનાબેન - સર્વોદય નગર, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ. Wala