SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ 148 તપાગચ્છાધિષ્ઠાયક આચાર્યશ્રી વિહાર કરતા ગુજરાતમાં પાલનપુર પાસે મગરવાડા પધાર્યા. ત્યાં અટ્ટમપૂર્વક ધ્યાનમાં બેઠા. તેમના ધ્યાનથી યક્ષેન્દ્ર માણિભદ્રનું સિંહાસન ડોલી ઊઠ્યું. અવધિજ્ઞાન પ્રયોજી કારણ જાણી પોતે ગુરુદેવ સમક્ષ હાજર થયા. પોતાની ઓળખ આપી અને આ જ સ્થાનમાં પૂર્વભવે પોતાની વીરગતિ થઈવગેરેની જાણ કરી. ત્યાર બાદ ગુરુદેવશ્રીએ ઉપદ્રવની સર્વ હકીકત કહી. માણિભદ્રજીએ અવધિજ્ઞાનથી કારણ જાણી કાળા-ગોરા ભૈરવને પોતાની પાસે હાજર કરાવી ઉપદ્રવ બંધ કરવા આજ્ઞા કરી. પણ ભૈરવ પોતે મંત્રાધીન હોવાથી એ શક્ય નથી એમ જણાવતાં માણિભદ્ર ઇન્દ્ર તેમની સાથે ભયંકર યુદ્ધ કરી તેમને હરાવી ઉપદ્રવ બંધ કરાવી પોતાની ગુરુભક્તિ પ્રગટ કરી. માણેકચંદ શેઠના શરીરના ત્રણ ટુકડા પૈકી મસ્તકનો ભાગ ઉજ્જૈનમાં સિદ્ધવડ ખાતે, ધડનો ભાગ આગલોડ (વિજાપુર પાસે માં અને પગની પિંડીનો ભાગ પાલનપુર પાસે મગરવાડામાં આજે ય પૂજાય છે. સંવત ૧૭૩૩ (ઈ.સ. ૧૬૭૭)માં શ્રી શાંતિસોમસૂરિજીએ એકસો એકવીસ દિવસ ઉપવાસ કરી શ્રી માણિભદ્ર દાદાને સાધ્યા અને તેમની વિનંતીથી તેમણે નિર્દિષ્ટ કરેલા આગલોડ ગામની બહાર આવેલા સ્થાનમાં માટીના પિંડનું ધડ સ્વરૂપે મહા સુદ પંચમીએ સ્થાપન કરાવ્યું. શ્રી માણિભદ્ર દાદાએ પ્રત્યક્ષ થઈ આંખ મીંચીને ફરી ઉઘાડવાની વિનંતી કરી. શ્રી શાંતિસોમસૂરિજી મહારાજે આંખ ઉઘાડી. તેમને આશ્ચર્ય થયું, તેમણે પોતાની જાતને આગલોડને બદલે મગરવાડામાં જોઈ. સં. ૧૯૫૫ (ઈ.સ. ૧૮૯૯)માં ચૈત્ર સુદ છઠ ને મંગળવારે વિજાપુરના શ્રી અમૃતવિજયજી મહારાજે ૨૧ દિવસ અનુષ્ઠાન આગલોડમાં કર્યું હતું. શ્રી માણિભદ્ર દાદાનું દિવ્ય સ્વરૂપ પોતાના ગુરુ શ્રી હેમવિમલસૂરિજી મ. સા. પાસે જ્યારે યક્ષેન્દ્ર શ્રીમાણિભદ્ર પ્રગટ થયા ત્યારે તેઓએ સ્વમુખે પોતાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. તદનુસાર દાદાના મસ્તક ઉપર મહા–તેજસ્વી માણેકાદિ દિવ્ય રત્નોથી જડિત સોનાનો મુકટ છે. અન્ય અંગો અને ઉપાંગી પણ રત્નજડિત આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરનો વર્ણ મેઘશ્યામ છે. તેમના હાથ, પગ, મુખ, નાક, ઓષ્ઠ (હોઠ) અને જીભ લાલ છે. તેઓનું મુખ વરાહ (ગંડા)ના મુખ જેવું એક શીંગડાવાળું છે. કેટલાક તેમને અજ (બકરા)ના મુખવાળા કહે છે તે યોગ્ય નથી, કારણ કે બકરાને શીંગડું હોતું નથી. તે દંકૂશળ ઉપર જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા શોભી રહી છે. તેના ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે તેમાં શ્રી આદીશ્વરજી ભગવાન બિરાજમાન છે. તેમના દર્શન સતત થઈ શકે તે માટે તેઓ પોતાનું મુખ પ્રભુ સન્મુખ-ત્રાંસું રાખે છે. તેઓશ્રીના કંઠમાં મોતીની માળા છે અને પગમાં નૂપુર છે. હાથની સંખ્યા છે છે. પ્રત્યેક હાથમાં રત્નજડિત સોનાનાં કડાં ધારણ કર્યા છે. આયુધો અંગે જુદી જુદી મૂર્તિઓમાં નીચે જણાવ્યા પ્રમાણે ભિન્નતા જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy