SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ 656 તપાગચ્છાધિષ્ઠાયક અમારા સાધુ ઉપર ઉપદ્રવ કરે છે તેનું નિવારણ કરો. અમારા દસ સાધુઓનાં ચિત્ત ભ્રમિત કરી નાખી ભટકતા કરી મૂક્યા. અંતે કાળધર્મ પામ્યા છે. અગિયારમા ચિત્તભ્રમિત થયેલ છે. આ પ્રમાણે હકીકત સાંભળી અને માણિભદ્ર દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પોતાની સેનામાં રહેલા જ કાલા-ગોરા ભૈરવને ઉપદ્રવ કરતા જોયા. બન્નેને બલાવ્યા અને કહ્યું કે હે ભાગ્યશાળીઓ ! આ સાધુ-સંતોને શા માટે તમે ઉપદ્રવ કરો છો? એમની ભક્તિ-સ્તુતિ કરવી જોઈએ. તેમને ઉપદ્રવ કરવાથી, આવાં અકૃત્યો કરવાથી પાપબંધન થાય તેમ જ અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરવું પડશે–ભટકવું પડશે. આવું અકૃત્ય-ઉપદ્રવ કરવાનું છોડી દ્યો. ભૈરવોએ કહ્યું, હે સ્વામિનું! અમારી આરાધના કરીને અમારી પાસે વરદાન લીધેલું છે. મંત્ર અને વચનદાનથી કડવામતીના આચાર્ય અને અમે બંધાયેલા છીએ. આ કાર્ય અમારે કરવું જ પડશે. આપની આજ્ઞાનું પાલન અમો નહિ કરી શકીએ, માટે આ વાત છોડી દો! નહીંતર અમો આપની સાથે યુદ્ધ કરવા તૈયાર છીએ. યુદ્ધમાં વિજય શ્રી માણિભદ્રદેવ યુદ્ધ માટે તૈયાર થયા. કાલા-ગોરા ભૈરવ સાથે ભીષણ યુદ્ધ શરૂ થયું. ભૈરવોને આઠ ભુજાઓ હતી, જ્યારે શ્રી માણિભદ્રને છ ભુજાઓ હતી – પોતે ભૈરવોને દુરસ્ત કર્યા. પોતાનો જ્વલંત વિજય થયો. ભૈરવોએ ઇન્દ્રને કહ્યું, હવે અમો ઉપદ્રવ નહિ કરીએ; પરંતુ એક વિનંતી અમારી આપને માનવાની રહેશે કે જ્યાં આપનું સ્થાન હોય ત્યાં અમને આપની સેવા માટે સેવક તરીકે સ્થાન આપશોજી ! ભૈરવોનો ઉપદ્રવ શમી ગયો અને અગિયારમા સાધુ મહારાજ સાજા થઈ ગયા. માણિભદ્ર ઈન્દ્રની વિનંતી માણિભદ્ર ઇન્દ્ર ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ! આ જગ્યાએ મારા પગ પડ્યા છે, પગની પિંડીની સ્થાપના આપના હસ્તક કરો જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે અને આપની પાટ–પરંપરામાં તપગચ્છની પાટે જે જે આચાર્યો થશે અને તે અહીં આ સ્થાને આવીને અમનો તપ સર્વ પ્રથમ કરશે તેનાથી મારું આસન ચલાયમાન થશે, મને જાણ થશે કે આચાર્ય મહારાજ પધાર્યા છે. જલદી હું તેમની સેવામાં હાજર થઈશ. મને ધર્મલાભ રૂપી આશીર્વાદ આપશે. વળી ધર્મમાં સહાય કરીશ એથી મને પણ શાસનભક્તિનો લાભ પ્રાપ્ત થશે, સમકિત નિર્મળ રહેશે. જૈન શાસનની ઉન્નતિમાં પણ હું સહાયક બનીશ. પૂ. આ. શ્રી હેમવિમલસૂરિએ પગની પિંડીના આકારની સ્થાપના મહા સુદ પાંચમે મગરવાડા ગામની બહાર કરી. શ્રી માણિભદ્ર દેવનાં ત્રણ સ્થાનો ઃ (૧) માણિભદ્ર દેવનો જન્મ ઉજ્જૈનમાં છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોડમાં ધડ પૂજાય છે અને (૩) મગરવાડામાં પિંડી પૂજાય છે. આગલોડ ગામે ધડની સ્થાપના : શ્રી માણિભદ્ર વીરને પ્રત્યક્ષ કરવા અને જૈન શાસનની ઉન્નતિ કરવા માટે એકસો એકવીસ (૧૨૧) ઉપવાસ કર્યા. શ્રી માણિભદ્રવીર દેવ પ્રત્યક્ષ થયા અને માણિભદ્ર વીરની આજ્ઞાનુસાર વિ. સં. ૧૭૩૩માં મહા સુદ પાંચમના દિવસે આગલોડ ગામ બહાર વીરના બતાવેલા સ્થાન પર માટીના પિંડનું ધડ કર્યું અને પૂ. આ. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy