SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ આ દોડ્યો જાય છે ! ડાકુ ભેગા થઈ એના પર તૂટી પડ્યા. તેને આંતરી એક જ તલવારના ઝાટકે મસ્તક, પગ અને ધડ જુદાં કરી નાખ્યાં. માણેકશાહ લેશમાત્ર ડગ્યા નહિ, શત્રુંજયના ધ્યાનમાં જ અને પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં જ સમાધિભાવમાં મૃત્યુ પામીને યક્ષોના ઇન્દ્રદેવ શ્રી માણિભદ્ર દેવ થયા ! જૈન શાસનમાં ચોસઠ ઇન્દ્રો માન્ય છે. આ ચોરઠ ઇન્દ્રો જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્માઓનાં પાંચ કલ્યાણકો થાય છે ત્યારે ભક્તિ કરવા નંદીશ્વર દ્વીપે આવે છે. તેઓ એકાવતારી હોય છે, પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જિત કરે છે, પરમાત્માની ભક્તિ દ્વારા. વ્યંતરદેવની આઠ જાતિ પૈકી ચોસઠ ઇન્દ્રોમાંથી વ્યંતરના એક ઇન્દ્ર છે. બીજા દસ, ત્રીજા પણ દસ પ્રકારના, ચોથા બાર પ્રકારના, પાંચમા યક્ષેન્દ્ર તેર પ્રકારના છે, છઠ્ઠા સાત પ્રકારના, સાતમા નવ પ્રકારના અને આઠમા પંદર પ્રકારના છે. રૂપ-રંગ-ચિહ્ન સ્વભાવ અને શરીર–આકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. વ્યંતરોના સોળ ઇન્દ્ર પૈકી તેમાંના એક શ્રી માણિભદ્ર ઇન્દ્ર છે. 655 આ પ્રમાણે માણેકશાહ મૃત્યુ પામી દેવગતિને પામ્યા. એક ભવ પછી દેવગતિથી પુનઃ મનુષ્ય ગતિમાં આવી શુદ્ધ ચારિત્રાચારનું પાલન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ–પરમ પદને વરશે. હવે પેલા જ્યારે ગુરુ મહારાજે જૈન શ્વેતાંબર તપાગચ્છ મૂર્તિપૂજામાં સ્થિર કરેલ તે કડવામતીના સાધુએ ભૈરવ દેવને આજ્ઞા કરી કે જાઓ, હેમવિમલસૂરિ સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરી ભટકતા કરી દો ! ભૈરવદેવ મંત્રશક્તિથી બંધાયેલ હોય, તેને તો કાર્ય કરવું જ પડે. હેમવિમલસૂરિ બાહિર ભૂમિ તે દરમ્યાન ચિત્તભ્રમિત થતાં ભટકતાં ભટકતાં સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ મૃત્યુ પામ્યા. આચાર્યના હૃદયને જબ્બર આઘાત લાગ્યો. આવો ઉપદ્રવ પરિષહ જોતાં જ આચાર્ય હેમવિમલસૂરિજી સૂરિમંત્રના ધ્યાનમાં બેસી ગયા. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવ હાજર થયા. બોલ્યા કે ગુજરાતમાં પ્રવેશ કરો ત્યાં અઠ્ઠમ તપ કરજો. તમારો કોઈ દેવકૃત ઉપદ્રવ છે તે દૂર થશે. એક ગામની ભાગોળે રાયણવૃક્ષ તળે અટ્ટમતપ કરી કાયોત્સર્ગે રહ્યા. • અઠ્ઠમ તપના પ્રભાવથી શ્રી માણિભદ્ર ઇન્દ્રદેવનું આસન ચલાયમાન થયું. શ્રી માણિભદ્ર દેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે અહો ! મારા પરમોપકારી શ્રદ્ધેય વંદનીય ગુરુદેવ પધાર્યા છે. મારા પર જેની અસીમ કૃપા અને ઉપદેશ દ્વારા મારા જીવનને ધન્ય બનાવનાર છે, જેની અમીવર્ષાથી હું આ ઇન્દ્રપણાની રિદ્ધિસિદ્ધિ પામ્યો છું. ખરેખર હું ધન્યાતીત થયો છું. ગુરુ મહારાજના કૃપાબળનું આ ફળ છે. ગુરુ મહારાજના ઉપકારોનું સ્મરણ કરતાં તરત જ શ્રી માણિભદ્ર દેવ મગરવાડા ગામની સીમાએ હાજર થયા, બંને અંજલિબદ્ધ હસ્ત જોડી પૂજ્ય ગુરુદેવ સમીપે ઊભા રહ્યા. ગુરુદેવને પૂછે કે આપે મને ઓળખ્યો ? ગુરુ કહે, તમે કોઈ દેવ છો ! શ્રી માણિભદ્ર દેવ બોલ્યા કે હે ગુરુદેવ ! આપનો શિષ્ય છું ! માણેકશાહ હું પોતે જ છું ! આપની કૃપાથી અભિગ્રહ પ્રતિજ્ઞા કરી યાત્રાર્થે નીકળ્યો અને આ જગ્યા પર ડાકુઓએ મારા દેહનો નાશ કર્યો. શુભાવસ્થાથી મૃત્યુ પામી માણિભદ્રદેવ તરીકે ઉત્પન્ન થયો છું. આપ ફરમાવો, શી આજ્ઞા છે ? ગુરુએ કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy