SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ 654 તપાગચ્છાધિષ્ઠાયક શ્રેષ્ઠીઓએ ભરાવેલ છે. વળી તીથોમાં પણ ભરાવેલ મૂર્તિઓનું વર્ણન શાસ્ત્રમાં ઇતિહાસનાં પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકિત છે. માણેકશાહ! લેશમાત્ર એ બાબતમાં શંકા રાખવી નહિ! માણેકશાહની શંકાનું ગુરુ મહારાજે સમાધાન કર્યું. મહા સુદ વસંતપંચમીના શુભ દિને શ્રી સમ્યકત્વમૂલ બાર વતાદિ ગ્રહણ કર્યા. દિન-પ્રતિદિન આરાધના-સાધના-જપ-તપ વગેરે અનુષ્ઠાનો એકાગ્રચિત્તે કરવા લાગ્યા. ગુરુ મહારાજ અન્યત્ર વિહાર કરતા કરતા આગ્રા નગરે ચાતુર્માસ રહ્યા. એકદા માણેકશાહને વ્યાપારાર્થે આગ્રા નગરે જવાનું થયું. નગરમાં આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સા. ચાતુર્માસસ્થિત બિરાજમાન હતા. આ સમાચાર જાણતાં પોતાનો મનમયૂર નાચવા લાગ્યો. | મુનીમોને વ્યાપારાદિ કાર્ય સોંપી ગુરુમહારાજ પાસે પહોંચી ગયા. એટલું જ નહિ, આવશ્યક વિધિ-વિધાનોમાં ઓતપ્રોત બની ગયા. ચાતુર્માસમાં ગુરુ મહારાજ ભાવુકોને શ્રી શત્રુંજય માહામ્ય સંભળાવતા હતા. અભિગ્રહ! જેમ જેમ કર્ણપટ પર વર્ણન સાંભળતા જાય છે તેમ તેમ અંતરની ઊર્મિઓ વામ-વામ ઊછળતી જાય છે કે હું આ પાવન–પવિત્ર તીર્થની સ્પર્શના ક્યારે કરીશ! સોલ્લાસ મુખાકૃતિ પર પથરાઈ ગયો! ગુરુ મહારાજને વિજ્ઞપ્તિ કરી, હે ગુરુ મહારાજ ! પગે ચાલીને ચઉવિહારો છઠ્ઠ કરી શ્રી શત્રુંજયની યાત્રા કરવાની મારી તીવ્ર ભાવના છે. આપ અભિગ્રહ કરાવો, શુભ આશિષ આપો, મારી ભાવના પૂરી થાય. ગુરુ મહારાજ કહે છે, આગ્રાથી (પાલીતાણા) શત્રુંજય ઘણું જ દૂર છે. પંથ લાંબો છે. પ્રતિજ્ઞા પાલન કરવામાં અનેકગણું સંકટ થશે. તમો કેવી રીતે પૂર્ણ કરશો? માણેકશાહ કહે છે, આપના દિવ્યાશિષથી જરૂર પૂર્ણ થશે. મને અભિગ્રહ આપો ! ગુરુ મહારાજે છરિ પાળતા યાત્રાનો અભિગ્રહ આપ્યો. દિવસ પણ અત્યુત્તમ-શુભ-શુભતર અશ્વિન માસ, શુક્લ પંચમી દિન. હૈયું થનગનતું હતું. ગુરુ મહારાજે પ્રતિજ્ઞા આપી. ચાતુર્માસ અને ગ્રંથ પણ પૂર્ણ. કાર્તિક માસ સુદિ પૂર્ણિમાના ઉજ્વલ ચંદ્ર પ્રભાતનો સમય, ગુરુ મહારાજના મુખે શ્રી નવકારમંત્રાદિ માંગલિક સાંભળી શ્રી શત્રુંજય તરફ શુભ પ્રસ્થાન-પ્રયાણ કર્યું. પદયાત્રા પ્રારંભી. આ પથ પર જ્યાં જ્યાં જિનમંદિર આવતાં ત્યાં ત્યાં દર્શન, પૂજા, ગુરુવંદનાદિ હરહંમેશ સાનંદોલ્લાસથી કરતા જતા હતા. અરે.... જરા પણ થાક નહિ, ગ્લાનિ પણ નહિ, જાય કૂદતા-દોડતા. - રાજસ્થાનની હદ પૂરી કરી, ગુજરાતની ધરા પર આવી પહોંચ્યા, જ્યાં પાલનપુરની સમીપે મગરવાડા ગામની બાજુમાં એક ગાઢ વન હતું તેમાં ડાકુની ટોળી રહેતી હતી. આ બાજુ એકલા અને નિર્ભય ઉતાવળે ઉતાવળે જતા જોઈને ડાકુએ રાડ પાડીને કહ્યું, એ વાણિયા ઊભો રહી જા ! કિન્તુ માણેકશાહે જાણે અવાજ સાંભળ્યો નહિ અને શ્રી નવકારમંત્ર અને તીર્થનું ધ્યાન-સ્મરણ જ જેના મનમાં હતું તેથી....... ડાકુ સમજ્યા કે નક્કી કોઈ કિંમતી માલ હશે તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy