SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 653 કરવી નહિ. આ વાત માણેકશાહના મગજમાં ઠસી ગઈ. શ્રાવકધર્મ છોડી એ લોંકાશાહના પંથમાં જોડાયા. ઘણા સમય બાદ માતાને આ વાતની જાણ થઈ. માતાને ઘણું દુઃખ થયું. હવે શું કરું? એણે મનોમન સંકલ્પ કર્યો, મારો માણેક સન્માર્ગે ન આવે ત્યાં સુધી ઘી-વિગઈ ન વાપરવી. સાસુએ કરેલ આવી કઠોર પ્રતિજ્ઞાની જાણ જ્યારે માણેકશાહનાં ધર્મપત્ની આનંદરતિને થઈ ત્યારે ઘણો જ ખેદ થયો અને પોતાના પતિદેવને એ પ્રતિજ્ઞાની જાણ કરી. માણેકશાહે પત્નીને ઉત્તર આપ્યો કે, જ્યારે ગુરુ મળશે અને મારી શંકાનું સમાધાન કરશે ત્યારે જ હું આ મત છોડીશ. આમ કરતાં કરતાં છ માસ પૂરા થયા. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તેની કોને ખબર હોય! જ્ઞાની જ જાણે. કોઈ અગમ્ય સંકેત જ કે, ઉગ્રાતિઉગ્ર વિહાર કરતા એકદા પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ ૧૭ સાધુઓથી પરિવરેલા ઉજ્જૈની નગરીની બહાર આમ્રવન નામના ઉધાનમાં પધાર્યા. આચાર્યશ્રી પધાર્યાના ખબર ઉજ્જૈનીનગરમાં પ્રસરી વળ્યા. સાયંકાળની આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ કરી કાઉસગ્ગ ધ્યાનમાં બધા મુનિવરો રહ્યા હતા. અવહેલના ને પ્રાયશ્ચિત્તઃ માણેકશાહને પણ આ ખબર પડતાં જ રાત્રે પોતાના સાથીઓને સાથે હાથમાં મશાલ લઈને ઉદ્યાનમાં આવ્યા. મશાલ લઈને એક–એક સાધુ પાસે જઈને તેમના મુખ સન્મુખ ધરવા લાગ્યા. મશાલ દ્વારા આવી વિડંબના-અવહેલના કરતાં એક સાધુની દાઢીના બાલ બાળી નાખ્યા ! છતાં સમતારસનું પાન કરતા ક્ષમાભાવને ધારણ કરતા સાધુને જોયા, જેથી માણેકશાહને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાની હવેલીમાં પાછા આવ્યા. શયનગૃહમાં પલંગ પર સૂતા છતાં ક્ષણભર નિદ્રા ન આવી. પોતાની ભૂલનો એકરાર અને પશ્ચાત્તાપ ખૂબ-ખૂબ કર્યો તેમ જ મનોમન સાધુની ક્ષમતાને અનુમોદવા લાગ્યા. પોતાના આત્માને ધિક્કારતા રહ્યા. પશ્ચાત્તાપનું વિપુલ ઝરણું : ધન્ય છે આવા ક્ષમાના સાગર મુનિવરને ! મુખ ઉપરની પ્રભા પ્રસન્ન-પ્રફુલ્લિત હતી. લેશમાત્ર ક્રોધ નથી ! અહો ધન્ય છે આવા મુનિવરોને ! આવા પંચમહાવ્રતના પાલનહાર સાધુઓ કયાં અને ગાદી ઉપર બેસીને ઉપદેશ દેનાર યતિઓ કયાં ! - સવારે ઉધાનમાંથી આચાર્ય ભગવંતને સંઘસહ મારી હર્મમાં પધરામણી કરાવું! મારી ભૂલની ક્ષમા માગું તેમ જ શંકાઓનું સમાધાન કરાવું. આવી મંગલ ભાવના અંતરમાંથી બહાર નીકળી. આખી રાત વ્યતીત કરી. સવારે સંઘને નિમંત્રણ આપ્યું – પૂરા ઠાઠમાઠથી સ્વાગત પૂર્વક આચાર્ય ગુરુ મહારાજને પોતાના ગૃહાંગણે પોતાની બનાવેલ પૌષધશાળામાં બિરાજમાન કર્યા. સંઘની સમક્ષ રાત્રે થયેલી પોતાની ભૂલની માફી માગી ક્ષમાયાચના કરી અને વિનંતી કરી કે હે પૂજ્ય ભગવંત ! મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો. શંકા-સમાધાનઃ હે પૂજ્ય ! શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે? ગુરુ મહારાજ કહે, હે માણેકશાહ ! અનેક શાસ્ત્રોમાં પૂજાનું વિધાન અને વિધિ છે. માણેકશાહ પૂછે છે, કયાં શાસ્ત્રોમાં? ખાસ તો ભગવતી સૂત્ર, રાયપસણી, એમ અનેક આગમોમાં છે. જિનમૂર્તિ પૂજ્યાના, જિનમૂર્તિ ભરાવ્યાના પણ રાજા-મહારાજા, ચક્રવર્તી દેવેન્દ્રો, શાહ–બાદશાહ, મંત્રીઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy