SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ 348 તપાગચ્છાધિષ્ઠાયક મંત્ર-સાધના, આદિ કરે તે બધું એના માટે, એનાં અશુભ કર્મોને ઢીલું પાડનારું બને છે. એ અશુભ કર્મ જેટલું ઢીલું પડે તે મુજબ તેના ઉદયથી આવનારી આપત્તિ પણ ઢીલી–હળવી જ આવવાની. તે સિવાય, અશુભ કર્મના ઉદયથી તેને જો કોઈક તકલીફ આવી ગઈ હોય તો તે પણ દયા–દાન આદિ ઉપર જણાવેલા ઉપાયો દ્વારા કર્મનો નાશ થઈ જાય, એટલે તેનાથી આવેલ તે આપત્તિ પણ આપોઆપ દૂર થઈ જાય. આ રીતે કર્મ-સિદ્ધાન્ત અને જ્યોતિષ એકબીજાના પરસ્પર વિરોધી નથી પરંતુ પૂરક કે સહાયક છે, એ બાબત સ્પષ્ટ થઈ જાય છે. આ વાત બરોબર સમજાઈ જાય તો પછી ભગવાનના શાસન ઉપર આવેલી આપત્તિઓ અને ઝંઝાવાતોથી રક્ષા કરવા માટે, દેવી ઉપદ્રવોનું નિવારણ કરવા માટે, અવસરે શાસનની પ્રભાવના કરવા માટે મંત્રસાધના–તપશ્ચર્યા–ધ્યાન આદિ દ્વારા શાસનસેવાના અભિલાષીશાસન સેવક–શાસન રક્ષક, એવા સમ્યગુ દષ્ટિ દેવી-દેવતાઓની સહાય લઈને આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ છીએ. આવાં જે દેવદેવીઓ છે તેમાં માણિભદ્રવીરનું પણ સ્થાન અત્યંત મહત્ત્વનું છે. આ વાત બરોબર સમજીને યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો અત્યારે પણ આપણને દેવી તત્ત્વોની સહાય મળી શકે તેમ છે. એ માટે આત્મલક્ષી બનીને ઉત્તમ એવો હિતકારી અને કલ્યાણકારી પુરુષાર્થ કરીને સૌ પોતાનું કલ્યાણ સાધો એ જ મંગલ કામના. - યુગોથી જિનભકિતને સંદેશ આપતાં આ જિત-મહિરો યા આત્મા પંરમા-ભકિતમાં તન્મય અને તામર બની જાય છે જ્યાં દશનાથ નું દિલ જડાઈ જતું હોય છે. છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy