SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ બત્તી કંઈ તેને અટકાવવા ન આવત. તો તે લાલ બત્તીએ કર્યું શું ? તેણે તો ગાડી ચલાવનારને ફક્ત એટલું સૂચન કર્યું કે – તું હવે અહીંથી આગળ વધતો નહિ. જો તું આગળ વધીશ તો ત્યાં ભય છે, એટલે તું મુશ્કેલીમાં મુકાઈશ, અને તને તકલીફ પડશે. એવી જ રીતે જન્મકુંડલી દ્વારા ગ્રહો આપણને સારાનું કે ખરાબનું સૂચન કરે છે. એનો અર્થ એ થયો કે તે જીવ એવી જાતનાં કર્મો કરીને આવેલ છે, કે તેને એની જન્મકુંડલી મુજબ અમુક અમુક સારું અને અમુક અમુક ખરાબ ફળ મળશે. તે તે ફળ મળવાનો સમય પણ જન્મકુંડલી ઉપરથી જાણી શકાય છે. અર્થાત્ જન્મકુંડલીમાં રહેલ ગ્રહો દ્વારા તે જાતકનાં કર્મો કેવાં છે ? તે કેવાં કેવાં કર્મો કરીને અહીં આવેલ છે ? એ વગેરેનું સૂચન તેમાંથી મળે છે. એવી રીતે મુહૂર્તકુંડલીમાં પણ તેમાં રહેલા ગ્રહો દ્વારા તે મુહૂર્તમાં થયેલ કામ અંગે કેવું ફળ મળશે, તે જોવાય છે. એનો અર્થ એ થયો કે – તે મુહૂર્તકુંડલીમાં રહેલા શુભ ગ્રહો દ્વારા તે મુહૂર્તમાં થયેલ કામના પ્રભાવે તેનાથી સંબંધિત જીવો એવાં એવાં સારાં કાર્યો કરશે કે જેના પ્રભાવે ભવિષ્ય સારું થશે; જો ખરાબ મુહૂર્ત હોય તો તેમાં રહેલા ખરાબ ગ્રહો દ્વારા એવું સૂચિત થાય છે કે – તે મુહૂર્તમાં થયેલ કામના પ્રભાવે તેનાથી સંબંધિત જીવો એવાં એવાં અશુભ કર્મો કરશે કે તેમાંથી તેઓ દુ:ખી થશે અથવા તો તે સ્થળમાં કે કંપની આદિમાં જેઓ સારાં કર્મો કરીને આવેલ હોય તેઓ એમાં જોડાશે અને ખરાબ મુહૂર્તમાં થયેલ કામમાં જેઓ અશુભ કર્મોવાળા હોય તેઓ એમાં જોડાશે, અને એ રીતે શુભ-અશુભ કર્મવાળા જીવોના કર્મના પ્રભાવે શુભ કે અશુભ ફળ મળે, ઉન્નતિ કે અવનતિ થાય, વિકાસ કે વિનાશ થાય. આ રીતે કર્મ—સિદ્ધાન્ત અને જ્યોતિષ પરસ્પર સહાયક કે પૂરક છે, તે આપણે જોઈ ગયા; પરંતુ મુદ્દાની વાત એ છે કે એમાંથી આપણને ફાયદો શું ? અને તે કઈ રીતે ? આપણે હવે આ વાત વિચારીએ. 347 કોઈ એક માણસને ૧૨ મહિના પછી સરકારી તકલીફ આવે તેમ છે, એવું જ્યોતિષ દ્વારા જાણવા મળે છે; પરંતુ તે જાણ્યા પછી શું ? જો તે એમ જ માનીને બેસી રહે કે – મા૨ે ૧૨ મહિના પછી જ સરકારી તકલીફ આવવાની છે, એમ જ્યોતિષ કહે છે; તો તે તકલીફ ભોગવવી જ પડશે. તો પછી એને માટે તો કાઈ ઉપાય નથી. પણ, જેને ૧૨ મહિના પહેલાં આ વાતની ખબર પડી ગઈ, કે હવે ૧૨ મહિના પછી મારું એવું અશુભ કર્મ ઉદયમાં આવશે કે એનાથી મારી ઉપર સરકારી તકલીફ આવશે. એટલે જો હું અત્યારથી જ કામે લાગી જાઉં અને એ આવનાર અશુભ કર્મનો નાશ કરી દઉં તો મારે એ તકલીફ ભોગવવી જ ન પડે. અથવા તો એ આવનાર અશુભ કર્મને જેટલું બને તેટલું નબળું કરી નાખું તો એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેનું અશુભ ફળ પણ ખૂબ જ નબળું—હળવું ભોગવવું પડે અને એટલી તો મને રાહત થાય. આ રીતે જ્યોતિષ તેને માટે સૈદ્ધાન્તિક રીતે ઉપયોગી થઈ શકે છે. અશુભ કર્મોનો નાશ કરવા માટે એ માણસ જે કંઈ દયા—દાન, તપ-જપ, વ્રત–નિયમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy