SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 781 આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે. પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે. પાછા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. ઈ.સ ૧૯૩ની આ વાત છે. મુંબઈ જવાનું નક્કી થતાં પાદરાની સરકારી હાઈસ્કૂલમાં ભણવાને બદલે, પ્રાથમિક ચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ભણવાનું ચાલુ થયું. મુંબઈમાં આવી રોજ સવારે નાહી સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મૅટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ ક્લાસ પણ શ્રી માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મૅટ્રિકની પરીક્ષા પછી હૉસ્ટેલમાં રહેવા જતાં કેટલાંક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી ગઈ હતી. શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એ સ્થાનકનો પ્રભાવ કંઈક જુદો જ હતો: બે સૈકા અગાઉ કોઈ આરાધક યતિશ્રીએ એની સ્થાપના કરેલી, એ એનું એક મહત્ત્વનું કારણ હતું. કેટલાંક વર્ષ પછી મુંબઈમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઈક રાતને વખતે શ્રી માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઈ ગયું. હાહાકાર થઈ ગયો. અમને પણ બહુ આઘાત લાગ્યો. કોણ લઈ ગયું? કયાં લઈ ગયું? એનું શું કર્યું? આ વાતનો ભેદ કયારેય ઊકલ્યો નહિ. પણ ત્યારથી નવઘરીની જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઈ ગયું. ત્યાર પછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી સ્થાપના થઈ. સાથે ઘંટાકર્ણવીરની પણ સ્થાપના થઈ. એમ બે દેરીઓ બાજુ બાજુમાં થઈ. નવઘરીના નાકે આવેલો ઉપાશ્રય અને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યો. આમ, પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી આરાધના પાછી વેગવાળી થઈ, પરંતુ મૂળ સ્થાન અને મૂળ મૂર્તિનો મહિમા કંઈક જુદો જ હતો. મારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણિભદ્રવીરની એ મૂર્તિ મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઈ. શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે? શું દેવદેવીઓની આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે? શું વિશુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને? શું કોઈ એક જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઈએ કે એક કરતાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ઘણા પ્રશ્નો ઊઠી શકે, તત્ત્વસિદ્ધાંતની વિશદ સમજ, વર્તમાન જીવનમાં સુખદુઃખના સમવિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દેઢમૂલ શ્રદ્ધાની નિર્મળતાની તરતમાતા, અંગત અનુભવ દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે. અકારણ અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને, એ પોતાની જાતને જ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy