SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ 312 તપાગચ્છાધિષ્ઠાયક ફેલાઈ રહેલા અત્યાચારો, વ્યભિચારો, આર્થિક ભીંસ, જમાનાવાદનો વકરેલો વાયરો, ધર્મવિમુખતા જેવાં શાસનનાશક તત્ત્વો વગેરે વચ્ચે ડગુમગુ થતું શાસનનું નાવડું હજી બચી રહ્યું છે તેમાં દૈવી તત્ત્વોનો ફાળો માન્યા વગર છૂટકારો જ નથી. ક્યારેક દુષ્ટ દેવોનું જોર વધી જાય અને સાથે સાથે આપણાં પુણ્ય ઓછાં પડે ત્યારે આ અધિષ્ઠાયક દેવો શાસનની હાલત જાણવા છતાં કંઈ પણ કરવા માટે લાચાર હોય છે. અધિષ્ઠાયક દેવો આપણા પુણ્ય અને પુરુષાર્થ બંને દ્વારા આકર્ષાતા હોય છે. ક્યારેક આપણે શાસનની બાજી તેમના ઉપર જ છોડી દેતા હોઈએ છીએ. આપણે કશું ના કરીએ અને તેમના ઉપર છોડી દઈએ કે " અધિષ્ઠાયકો જાગૃત હશે તો કરશે"; તો તેઓ કશું જ ના કરે. આપણો પ્રબળ પુરુષાર્થ હોય ત્યારે ખૂટતી સહાય કરવા તેઓ આવતા હોય છે. તેમના ઉપર કળશ ઢોળી દઈએ અને પછી કાર્યસિદ્ધિ ના થાય ત્યારે બૂમો પાડીએ કે " અધિષ્ઠાયકો જાગતા નથી, અધિષ્ઠાયકો છે જ નહીં." તો તે ઉચિત નથી. સવાલ: અધિષ્ઠાયક દેવો નિયત (કાયમી) હોય છે કે અનિયત ? જવાબઃ અધિષ્ઠાયક દેવોનાં સ્થાન નિયત હોય છે પણ અધિષ્ઠાયકો નિયત હોતા નથી. તેમનાં આયુષ્ય પરિમિત હોય છે. દા.ત. ઋષભદેવ પ્રભુના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી છે. ઋષભદેવ પ્રભુનું શાસન અસંખ્ય વર્ષ સુધી ચાલ્યું; જ્યારે દેવીનું આયુષ્ય સીમિત હોવાથી ઋષભદેવ ભગવાનનું શાસન ચાલ્યું ત્યાં સુધીમાં તો અનેક ચક્રેશ્વરી દેવીઓ થઈ ગયાં. નામ નિયત, સ્થાન નિયત, ફરજ નિયત, કાર્યક્ષેત્ર નિયત પણ વ્યક્તિઓ અનિયત છે. આયુષ્ય પૂર્ણ થતાં તે વ્યક્તિઓની બદલી થતી જ રહે છે, છતાં તે સ્થાન કદાપિ ખાલી રહેતાં નથી. સવાલઃ સંકટ સમયે અધિષ્ઠાયક દેવતાઓને સહાય માટે બોલાવવાનો ઉપાય શું છે? જવાબઃ શાસન કે સંઘ ઉપર આવી પડેલી આકસ્મિક આફતોના નિવારણ માટે શાસન દેવતા વગેરેના પ્રણિધાન સહિત કાયોત્સર્ગ–ધ્યાન અને જાપ કરી તેમને હાજર કરવાના ઉલ્લેખો શાસ્ત્રોમાં ઘણા જોવા મળે છે. આપણી સંપૂર્ણ શક્તિ કામે લગાડ્યા પછી ખૂટતી પૂરક શક્તિ માટે કરાતી વિનવણી સ્વરૂપ નિઃસ્વાર્થ હાર્દિક પ્રાર્થના દ્વારા અધિષ્ઠાયકો અચૂક સહાય કરે છે. દેવતાઓ પણ કયારેક જાગૃત અવસ્થામાં હોય છે તો ક્યારેક પ્રમાદ અવસ્થામાં. કાયોત્સર્ગ વગેરે આમ્નાયયુક્ત વિધિ સહિતની ક્રિયાના પ્રભાવે પ્રમત્ત દેવતા જાગૃત થઈ સહાય કરવા દોડી આવે છે. કહેવાય છે કે ઉવસગ્ગહરની અંતિમ ગાથાકયના સ્મરણથી ધરણેન્દ્ર પદ્માવતીને અચૂક હાજર થવું પડતું. (દૈવી શક્તિના દુરુપયોગના ભયથી પૂર્વર્ષિઓએ સમજીને જ આ ગાથાઓને ભંડારી દીધી.) = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy