SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ 438 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ............. જનનીની જોડ સખી..). સુણો શ્રાવકને સુણો શ્રાવિકા રે લોલ, વીતરાગનાં વચન છે ટંકશાળ જો... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ, કરવું સમકિત શુદ્ધ આપણું રે લોલ, ત્યારે ભવનો વિસ્તાર થાયે જો.. આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. ભવ અનંતા કર્યા આપણે રે લોલ, વળી ભમશું લાખ ચોરાશી બજાર જો... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. મળ્યું શાસન વીતરાગનું રે લોલ, ભૂલી માર્ગ એ બીજા માર્ગે ન જવાય જો.... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. પૂછે માણેકશાહ ગુરુવરને રે લોલ, મિથ્યાત્વ કામ કોને કહેવાય જો, દયા કરીને કહો અમને રે લોલ. સજ્જાતરપિંડ શ્રાદ્ધ ન કરવુંરે લોલ, વળી બારમા તેરમાનાં કીધાં પાપ જો.... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. પાણી ન રેડવું પીપળે રે લોલ, અન્ય દેવને શિર ન ઝુકાય જો.. આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. હોળી, નોરતાં, નાગપંચમી ન માનીએ રે લોલ, શીળસાતમનું વાસી ન ખવાય જો... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. મઢ–માંડી માતા તેડાવીએ નહીં રે લોલ, જૈન ધર્મ સિવાય કથા ન સુણાય જો...... આવું શાસન ફરી ફરી નહીં મળે રે લોલ. એમ અનેક મિથ્યાત્વો થયાં રે લોલ, જાણીને પછી છોડી દેવાય જો. આવું શાસન ફરી ફરી નહીં મળે રે લોલ. ગૌરી પૂજન ગ્રહણ ન માનીએ રે લોલ, બ્રહ્મભોજન કહ્યાં ન શાસ્ત્રમાંય જો આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. જૈન ભક્તિ દેવ-ગુરુ ધર્મ તણી રે લોલ, સાધર્મિક ભક્તિમાં પુણ્ય આપાર જો.... આવું શાસન ફરી ફરીને નહીં મળે રે લોલ. - દોહા – કોઈ જીવને ન મારીએ, બોલીએ જૂઠું ન લગાર; ચોરી કરીએ ન કદી બ્રહ્મચર્ય રીતે પળાય. પરિગ્રહનું પરિમાણ કરો, દિશિ-વિદિશી પરિમાણ; ભોગ ઉપભોગ અનર્થ દંડમાં બહુલાં કીધાં પાપ. સામાયિક શુદ્ધ મને કરો, વળી દેશાવમાસિક પ્રમાણ, પૌષધ કરો પૂર્ણ પ્રેમથી ભક્તિ અતિથિ સંવિભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy