SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 685 એવું કે મંત્ર-તંત્ર-સ્તોત્રને પણ ન ગણકારે. છેવટે સૂર્યાસ્ત સુધીમાં તો સાધુ કાળ કરી જાય. આ રીતે લગભગ પાંચસો મુનિરાજો થોડા સમયમાં કાળનો કોળિયો બની ગયા. ' સૂરિજીના બ્રહ્મસંયમ અને તપતેજની આજે પરીક્ષા થઈ રહી હતી. આના નિવારણ માટે સૂરિજી ઉપાયની શોધ કરી રહ્યા હતા. પોતે ગચ્છનાયક હતા. પ્રભુ વીરની છપ્પનમી પાટની જવાબદારી શિરે હતી. અચાનક એક તેજનો લિસોટો ત્યાંથી પસાર થયો. સૂરિજી એકદમ ઊભા થઈ ગયા. શિપ્યો કંઈક વિચારે તે પહેલાં તો આદેશ આપી દીધો : " ચાલો બધા જ મારી સાથે. શ્રી નવકારમંત્રનું સતત સ્મરણ ચાલુ રાખજો."શિષ્યો સાથે સૂરિજી વિહાર કરતા કરતા પાલણપુર પાસેના મગરવાડાના ઘોર જંગલમાં આવી પહોંચ્યા. સૂરિજીએ આસન જમાવ્યું. હજી તો પહેલો જ ઉપવાસ છે. ધ્યાનનો પ્રારંભ જ કર્યો અને.. સમગ્ર જંગલ પ્રકાશમય બની ગયું. સુગંધનો સાગર લહેરાવા લાગ્યો. જયજયકાર શબ્દથી આકાશ ગાજી ગયું. ઇન્દ્ર મહારાજા માણિભદ્ર ભોગવિલાસ અને સુખ–સાહ્યબીને તિલાંજલી આપી દોડતા આવ્યા. પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીના પગે પડ્યા. અનંતોપકારી ગુરુદેવશ્રીની અનિમેષ નયને ગદ્ગદ કંઠે સ્તુતિ-સ્તવના કરી. ગુરુદેવે આંખ ખોલી. " ગુરુદેવ! આપશ્રીના અગણિત ઉપકારને ભૂલ્યો. મોહમાયામાં મગ્ન બન્યો અને આપશ્રીને મારા પ્રમાદને દૂર કરવા ઘોર જંગલમાં આવવું પડ્યું." " ગુરુજી ! જલદી ફરમાવો, આ સેવકને શી આજ્ઞા છે?" બાવન વીર ચોસઠ જોગણી અને બીજા અનેક દેવદેવીઓથી પરિવરેલા માણિભદ્ર ઇન્દ્ર મહારાજાએ હાથ જોડી કાકલૂદી પૂર્વક વિનંતિ કરી. - ગુરુદેવે કહ્યું : " તમો સૌપ્રથમ ભૈરવના ઉપદ્રવને દૂર કરો. તેણે જૈનશાસનમાં કાળો કેર વર્તાવ્યો છે." રામગ્ર બીના સમજાવતાં જ ઇન્દ્ર મહારાજાએ તત્ક્ષણ ભૈરવને બાંધી દીધો. ભૈરવ ભયથી કાંપવા લાગ્યો. કયારેય આવું પાપ નહીં કરું એમ કહી ક્ષમા માંગી. સૂરિજીએ ક્ષમા આપી છૂટો કર્યો. ' સૂરિજીએ માણિભદ્ર ઈન્દ્રને આવા પ્રમાદ માટે ટકોર કરી. ઇન્દ્ર કહ્યું : " સૂરિજી! માયામાં ફસાઈ ગયો છું. અમારા ઉપયોગની જાગૃતિ માટે આપશ્રીને એક વિનંતિ કરું કે આપશ્રીના દરેક ઉપાશ્રયમાં મારી સ્થાપના કરી જે જે પૂજ્યો પધારે તે મને "ધર્મલાભ"ના મંત્ર દ્વારા જાગૃત કરી મારા પુન્યમાં વધારો કરે, જેથી પુનઃ આવું નહીં બને." ' સૂરિજીએ સંમતિ આપી. ઇન્દ્ર મહારાજા ગુરુજીની સેવા કરી. પોતાના પરિવાર સાથે સ્વર્ગલોકમાં પધારી ગયા. ઉપદ્રવ દૂર થયો. સૂરિજીએ આ મગરવાડાની મૂળ માણિભદ્ર યક્ષેન્દ્રની ઉત્પત્તિના સ્થળે તેમની સ્થાપના કરી. આ સંવત હતી લગભગ ૧૫૯૦ની. સૂરિજી ગામાનુગામ વિહાર કરવા લાગ્યા. અનેક દીક્ષાઓ આપી. ગામેગામ ઉપાશ્રય-દેરાસરોમાં શ્રી માણિભદ્ર મહારાજાની સ્થાપના ચાલુ થઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy