SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ 686 તપાગચ્છાધિષ્ઠાયક તપાગચ્છના વિશાળ પ્રભાવ પાછળ આ મહાન ઘટનાનું તેજ રહેલું છે. નૂતન આચાર્યશ્રી પદવી પ્રાપ્તિ બાદ મગરવાડા શ્રી માણિભદ્ર મહારાજાને ધર્મલાભ આપવા જાય. આવો રિવાજ પણ સંભળાય છે. મગરવાડામાં શ્રી માણિભદ્ર ઇન્દ્રની સ્થાપના, મંદિર વિ. થયા બાદ આ. શાંતિસોમસૂરિજી મ. સાહેબે સં. ૧૭૩૩માં મગરવાડા પધારી શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની સાધના કરી. અને મગરવાડાની સ્થાપનામાંથી પિંડીનો અંશ લાવી આગલોડમાં શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની દેરીનું નિર્માણ કરાવી સ્થાપના કરી. આજે ઘણા યાત્રાળુઓ ત્યાં દર્શને જાય છે. આજે તો ભવ્ય જિનાલયનું પણ નિર્માણ ત્યાં થયું છે. યાત્રાળુઓ માટે સારી વ્યવસ્થા છે. ત્રીજું સ્થાન માલવાની ઉજ્જૈની નગરીમાં સિદ્ધવડ પાસે છે, જ્યાં શ્રી માણિભદ્ર યક્ષરાજનું મસ્તક પૂજાય છે. આ સ્થાન શ્રી માણિભદ્ર ઇન્દ્ર મહારાજા ઉનના શેઠ માણેકચંદ તરીકે શ્રાવક જીવન જીવતા હતા ત્યારે પોતે પોતાની હવેલીમાં જિનમંદિર બનાવેલ. આજે તે હવેલી જીર્ણશીર્ણ હાલતમાં ઊભી છે અને ત્યાં જિનાલય પણ છે. ત્યાં જાહેર ચોકનું નામ માણેક ચોક આજે પણ છે. ત્યાં શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની સ્થાપના પ્રાચીન સમયની છે. મારા પૂજયપાદ પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.સા.ની પ્રેરણાથી બીજી વિશાળ જગ્યા લઈ આ તીર્થના જીર્ણોદ્ધાર સાથે નૂતન નિર્માણકાર્ય ચાલુ છે. અનેક ભક્તોનાં મનોવાંછિત આ શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર પૂર્ણ કરી રહ્યા છે. આ રીતે વર્તમાન કાળે ત્રણ સ્થળ મહત્ત્વનાં છે. ચોસઠ ઇન્દ્રો અવશ્ય સમ્યત્વી જ હોય તે શાસ્ત્રપાઠ પ્રમાણે આપણા સાધર્મિક શ્રી માણિભદ્ર મહારાજના ઉપયોગની સતત જાગૃતિ માટે તેમની ભક્તિ-સેવા-સુશ્રુષા આ કાળમાં શાસન માટે ખૂબ જરૂરી છે. એમ પણ સંભળાય છે કે શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર સૂરિજીને એમ જણાવ્યું કે આપશ્રીના શિષ્યો વિજય અને સાગર બંને નામાંકિત છે. શાસન અને સમાચારી ઉપર આવતી આપત્તિથી રક્ષા કરવાનું કાર્ય સૂરિવર્થો વિશેષ કરી શકશે અને અન્ય મુનિઓ શાસન-પ્રભાવક બની શકશે. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રના પરપ ઉપકારી શાસન જ્યોતિર્ધર પૂજ્ય આ. શ્રી આણંદવિમળસૂરિજી મ.સાહેબે અમદાવાદમાં છેલ્લે નવ ઉપવાસ દ્વારા શરીરના મમત્વને સંપૂર્ણ ત્યાગી સં. ૧૫૯ના ચૈત્ર સુદિ ૭ના પ્રભાત સમયે કાળધર્મ પામી સ્વર્ગવાટે સંચર્યા. શ્રી માણિભદ્ર ઇન્દ્ર મહારાજાના પરમ ઉપકારી ગુરુદેવને અનંતશઃ વંદના. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રને ધર્મલાભ. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રને પ્રણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy