SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 687 'ઇતિહાસનો ઉજાસ : તપાગચ્છના 'અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજી સંકલનઃ પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીજીથી વર્તમાન તપાગચ્છીય સમુદાયના પ્રાયઃ સર્વ ગચ્છાધિપતિઓના ગુરુના ગુરુ એવા પરમ પૂજ્ય મુનિપ્રવરશ્રી મણિવિજયજી દાદા સુધીનો કડીબદ્ધ ઇતિહાસ અપાર જહેમત, સંશોધન અને અવલોકનપૂર્વક ખરેખર આલેખાયો છે, જે આજના વર્તમાન સમયના સાક્ષરો અને ઇતિહાસ-તજ્ઞો માટે ખૂબ જ આધારસ્તંભ રહ્યો છે અને જે જૈન પરંપરાનો ઈતિહાસ નામે ચાર ભાગમાં અંકિત થયો છે. તેના સંપાદક પૂજ્ય મુનિવરશ્રી દર્શનવિજયજી ત્રિપુટી મહારાજ છે. આ ગ્રંથના ત્રીજા ભાગમાં પંચાવનમાં પ્રકરણમાં તપાગચ્છના અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રજી સંબંધે જે જે માહિતીનોંધો પ્રગટ થઈ છે તે સર્વ પૂજ્ય પ્રવર્તક મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજે સંકલિત કરી આપતાં, અત્રે તે ઐતિહાસિક સંદર્ભો પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. વિશેષ આનંદ એ છે કે પૂજ્ય મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજશ્રીની પ્રેરણા, પ્રોત્સાહન અને સીધા માર્ગદર્શનથી તેઓશ્રીના સાંનિધ્યે, છેલ્લાં કેટલાંક વર્ષોથી, દર વર્ષે શ્રી માણિભદ્રવીરનો હવન ભવ્ય મહોત્સવપૂર્વક સંપન્ન થાય છે. પૂજયપાદ ગુરુદેવો શ્રી ત્રિપુટી મહારાજના અનન્ય ઉપકારો અને તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીની સ્મૃતિને ચરિતાર્થ કરવામાં સદાય તત્પર એવા પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ પ્રસ્તુત લેખ–સંકલન દ્વારા પણ ઉક્ત બંનેય વાતની અહીં પ્રતીતિ કરાવે છે. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ આમેય ખૂબ જ ભદ્રિક છે એ વાત પણ નોંધવી જ જોઈએ. – સંપાદક પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિ લખે છે કે – તપાગચ્છમાં ચૌદમા (સોળમા) સૈકામાં શ્રી આણંદવિમલસૂરિ થયા. તેમણે યતિઓમાં શિથિલાચાર દેખી પાંચ હજાર યતિઓની સાથે કિયોદ્ધાર કર્યો. તે વિહાર કરતા કરતા માળવામાં ગયા. તે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધર્વ મસાણમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. ઉજ્જૈનમાં માણેકચંદ ઓસવાલ જૈન બાર વ્રતધારી શ્રાવક વસતો હતો. તેની માતાએ " વર્ધમાન આયંબિલ તપ આદર્યું હતું. યતિઓ શિથિલ થવાથી માણેકચંદની શ્રદ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy