SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ 688 તપાગચ્છાધિષ્ઠાયક થતિઓ પરથી ઊઠી ગઈ. આ. અહંદવિમલસૂરિ ગંધર્વ મસાણમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. ત્યાં તેમણે એક માસોપવાસનું તપ આદર્યું હતું. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદની માતાએ પુત્રને કહ્યું કે, 'તું આ. આણંદવિમલસૂરિને વહોરવા માટે તેડવા જા.' માણેકચંદને શ્રદ્ધા નહોતી પણ તે માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયો. તેણે અંધારામાં મશાલ સળ ગાવી અને આ. આણંદવિમલસૂરિની દાઢી પર ધરી, તેથી તેમની દાઢીના વાળ બળી ગયા અને તેમનું મુખ દાઝયું. તો પણ તે મૌન અને શાંત રહ્યા. તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વ વિષે શ્રદ્ધા થઇ અને તે ગુરુના પગે પડ્યો. આ. આનંદવિમલસૂરિએ તેને બોધ આપ્યો તેથી તે ગૃભક્ત બન્યો. માણેકચંદ શેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આ. આણંદવિમલસૂરિ ચોમાસું રહ્યા. ત્યાં આ. આણંદવિમલસૂરિએ " શત્રુંજય માહાભ્ય" વાંચ્યું. તેથી માણેકચંદને સિદ્ધાચલના દર્શન કરવા ઘણો ભાવ થયો, અને તેણે "સિદ્ધાચલનાં દર્શન કર્યા વિના ભોજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી, તપ આદર્યું અને યાત્રા કરવા ચાલ્યો. તે સાતમા દિવસના ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની વચ્ચે મગરવાડામાં આવ્યો. ત્યાં તે વખતે ગામ ન હતું. ત્યાં તેને ભિલ્લોએ લૂંટી લીધો અને મારી નાખ્યો. મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં અને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં આરૂઢ થયો હતો, તેથી તે મરીને માણિભદ્રવીર તરીકે ઘણા દેવોનો ઉપરી થયો. એ સમયે ખંભાતમાં યતિઓમાં મતભેદ થતાં ઝગડો થયો અને યતિઓએ ભૈરવની આરાધના કરી તપગચ્છના યતિઓને મારી નંખાવ્યા. આથી ૫00 યતિઓ માર્યા ગયા. આથી આ.આણંદવિમલસૂરિએ પાલનપુર તરફ વિહાર કર્યો. તેઓ મગરવાડાની ઝાડીમાં ઊતર્યા. ત્યાં રાત્રે આ. આણંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા તેમની પાસે માણિભદ્રદેવ હાજર થયા. સૂરિએ તેને ઓળખ્યા. માણેકચંદ શેઠે પોતાના મરણનો વૃત્તાંત કહો, અને મણિભદ્રવીર તરીકે પોતાની ઉત્પત્તિ વિષેની હકીકત કહી. દેવે તેમની સેવા-ચાકરી કરવા યાચના કરી. આ. આણંદવિમલસૂરિએ કહ્યું, " યતિઓએ ભૈરવને આરાધી અમારા ગચ્છના સાધુઓનો નાશ કરવા તેને મૂક્યો છે, તેનું નિવારણ કરો. તપગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વગેરેને સહાય કરો. " માણિભદ્રવીરે કહ્યું, " હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવનો ઉપદ્રવ ટાળીશ; પણ મારી એક માગણી છે કે, તપગચ્છના ઉપાશ્રયોમાં તથા દેરાસરોમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. " સૂરિએ કહ્યું કે " " તમને તપગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે." તે જ જગ્યાએ માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવી. તે સ્થાન મગરવાડા તરીકે પ્રસિદ્ધ થયું. માણિભદ્રવીરે ભૈરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. માણિભદ્રવીરના કહેવા પ્રમાણે ભૈરવ શાંત થયો. તપગચ્છના આચાર્યો જે નવા " પાટ" પર બેસતા તે ત્યાં પ્રથમ જતા અને મગરવાડામાં જઈ અમ કરી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરતા હતા. તે પ્રમાણે તપગચ્છ સોમશાખાના દરમાં ભ. શાંતિસોમે મગરવાડામાં રહી માણિભદ્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy