SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 689 આરાધન કર્યું અને તેમના પગનો કે ઢીંચણનો કંઈક અંશ આગલોડમાં લઈ ગયા અને ત્યાં માણિભદ્રવીરના કહેવા પ્રમાણે દેરું બંધાવી ત્યાં સ્થાપના કરી. (પ્રક. ૫૩, પૃ. ૫૭) નોંધ : તપગચ્છના ઉપાશ્રયોમાં તથા દેરાસરોમાં પુર, નગર અને ગામેગામમાં માણિભદ્રવીરની સ્થાપના જ્યાં ત્યાં જોવામાં આવે છે. જૈન શાસનના અધિષ્ઠાયક તરીકે માણિભદ્રવીર જૈન સમ્યગુદષ્ટિ દેવ છે. વિ. સં. ૧૭૩૩માં આગલોડમાં માણિભદ્રવીરનું દેરું સંઘે બંધાવ્યું. સં. ૧૮૬૦માં આગલોડના ઠાકોર હરિસિંહના વખતમાં પં. મુક્તિવિજયજીના ઉપદેશથી આગલોડના જૈન સંઘે માણિભદ્રવીરના દેરાનો જીર્ણોદ્ધાર કર્યો. તે દેરાસરની પાસે આદીશ્વર ભગવાનની પાદુકા-દેરી છે. બીજી દેરીઓ પણ જૈનોની છે. તેની પાસે શ્રાવકસંઘની બંધાવેલી ધર્મશાળા છે તથા જૈન સંઘે બંધાવેલો કૂવો છે. આગલોડ જૈન સંઘની માલિકી તથા વહીવટ તળે માણિભદ્રવીરનું દેરું, દેરીઓ તથા ધર્મશાળા, બાગ, કૂવો વગેરે છે. આગલોડમાં શ્રાવકોનાં ૧૦૦ ઘર, બે શિખરબંધી દેરાસર છે. (-વિજાપુર બૃહદ્ વૃત્તાંતમાંથી ) માણિભદ્રવીર તે પૂર્વે માણેકચંદ શેઠ નામે વીસા ઓશવાલ શ્રાવક હતો તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, વિજાપુર વગેરે ઓશવાલો ત્યાં બાધા રાખવા-મૂકવા આવે છે. માણિભદ્રવીરના દેવળના પ્રાસાદના ગભારામાં આગળ કોઈ યતિએ (આજથી ૨૫-૩૦ વર્ષ પૂર્વે) ભૈરવની સ્થાપના કરી છે, પણ અમારો એવો મત છે કે ભૈરવની સ્થાપના ત્યાં ન રાખતાં પાસે દેરી કરી તેમાં કરવી જોઈએ. આગલોડ, ઈલોડ વગેરે ગામો ભીલ ઠાકોરે વસાવેલાં છે. આગલોડમાં શ્રી દોલતરુચિ યતિ તે દેરાસરોની તથા મણિભદ્રવીરના દેરાની સારી સંભાળ રાખે છે અને તેમણે શ્રાવકોને " દેવદ્રવ્ય"માંથી મુક્ત કર્યા છે, તેથી શ્રાવકો સુખી થયા છે. (૧). આ. હેમવિમલસૂરિ અને માણિભદ્રવીર : આ. શ્રી બુદ્ધિસાગરસૂરિએ માણિભદ્રવીરનો ઇતિહાસ આપ્યો છે તે પ્રસિદ્ધ છે. વિશેષ આ પ્રમાણે પણ મળે છે. માણેકચંદ શેઠ યતિઓનો શિથિલાચાર દેખી લોકાગચ્છનો શ્રાવક બની ગયો. છેવટે આ. હેમવિમલસૂરિની પૂરી પરીક્ષા કરી, બ્રારવ્રતધારી શ્રાવક બન્યો. લોંકાગચ્છના ત્યારના શ્રીપૂજે ભૈરવને સાધ્યો હતો. લોંકાગચ્છના ૬૮ યતિઓ આ. હેમવિમલસૂરિના શિષ્ય બન્યા. શેઠ માણેકચંદ પણ તેમનો શ્રાવક બન્યો. આથી તે શ્રીપૂજે ભૈરવને સાધી, ભૈરવ દ્વારા લોકાગચ્છમાંથી સંવેગી બનેલાઓને હેરાન કરવા પ્રયત્ન કર્યો. તેમાં ઘણા સંવેગી સાધુ ભપ્રિત થઈ કાળ કરી ગયા. માણેકચંદ શેઠ પણ મગરવાડાના જંગલમાં સિદ્ધગિરિના ધ્યાનમાં જ કાળ કરી મરણ પામી માણિભદ્ર નામે ઈન્દ્ર બન્યો. તે મગરવાડા આવ્યો અને તેણે ગુરુદેવ હેમવિમલસૂરિની આજ્ઞાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy