SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ 690 તપાગચ્છાધિષ્ઠાયક લોકાગચ્છના શ્રીપૂજે મોકલેલા કાળા-ગોરા ભૈરવને હઠાવી તેનો ઉપસર્ગ દૂર કર્યો અને તેણે ગુરુદેવ પાસે માંગણી કરી કે હવે પછી તપગચ્છના નાયકોના નામમાં વિજય શબ્દ રાખવો અને મને " તપગચ્છનો દેવ" માનવો. આચાર્યદેવે તેની આ માગણીઓનો સ્વીકાર કર્યો. તપગચ્છના નાયકોમાં ત્યારથી વિજય' શબ્દ રખાય છે અને તપગચ્છનો ગચ્છરક્ષક દેવ માણિભદ્રવીર મનાય છે. ત્યારથી તપગચ્છનાં મંદિરો, ઉપાશ્રયમાં માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવે છે, બીજા ગચ્છવાળા પણ માણિભદ્રવીરને મોટો દેવ માને છે. -. જયપુરના તપગચ્છના ઉપાશ્રય તરફથી સં. ૧૧૭માં પ્રકાશિત વાર્ષિક 'મણિભદ્ર' પત્રનો વાર્ષિક અંક; માસ્તર રતિલાલ બાદરમલ તરફથી વીર સં. ૨૪૭૭માં પ્રકાશિત ભક્તવીર શ્રી માણિભદ્રવીર ચરિત્ર (૨) વિજયદાનસૂરિ અને માણિભદ્રવીર : વૃદ્ધો કહે છે કે આ. વિજયદાનસૂરિએ ગીતાર્થોની વિનંતીથી અને માણિભદ્રવીરની સંમતિથી આ. વિજયહીરસૂરિને ગચ્છનાયક બનાવ્યા હતા. તેમણે સાથોસાથ એવી આજ્ઞા કરી હતી કે હવે પછી બધા ગચ્છનાયકોનાં નામોમાં 'વિજય' શબ્દ રાખો. આ અંગે છૂટક ઉલ્લેખ આ રીતે મળે છે :(૧) પહેલું એ કારણ, વિજયદાનસૂરીશ, નિજ પાટી સ્થાપ્યા, હિરવિજયસૂરિશ. ૪૫ તેણિંવાર કહિઉ એકવચન, સુણો સાવધાન, જેહનઈ પદ આપો, તેહનઈ દેઈ બહુમાન. ૪૬ એ વિજયની શાખા, જયકારી જગિ જાણી; પદ દીધો તેહનું વિજય નામ મનિ આણી. ૪૭ [– આ. વિજયતિલકસૂરિ રાસ; ઐતિહાસિક રાસ સં. ભા. ૪] (૨) "વીર વંશાવલી"માં લખ્યું છે કે યક્ષ મણિભદ્ર આ. વિજયદાનસૂરિને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે, 'તમારી પાટે વિજય શાખા સ્થાપજો. હવે પછી તમારી પાટપરંપરામાં બીજી શાખા રાખશો મા, માટે જે નામ સ્થાપો ત્યારે તેમાં મારા નામનો એક યક્ષરાજ તેમનું નામ રાખજો. વિજયશાખા રાખવાથી પાટ વિજયવાળી બનશે.' [ આજ સુધી તપાગચ્છમાં દર ત્રીજી પેઢીએ શાખા બદલાતી હતી તે હવેથી બંધ થઈ વિજયશાખા કાયમ બની છે.] (વિવિધ ગચ્છીય પટ્ટાવલી રૂ. ૧૨૨) દોહરો ગુરુવરકી સેવા કરે, મણિભદ્ર મહાવીર, કરે સમૃદ્ધિ ગચ્છમેં કાટે સંઘકી પીર. (૩) માણિભદ્રવીર આ. વિજયદાનસૂરિનો એવો ભક્ત હતો કે તેમનું નામ જપનારનેય સહાય કરતો હતો. આથી જ પાટણની એક જૈન કન્યા સરસ્વતી નદીમાં બૂડતી હતી, ત્યારે તેણે આ. વિજયદાનસૂરિનું શરણું લીધું અને માણિભદ્રવીરે તેને ત્યાંથી બચાવી લીધી. [– સં ૧૯૦ ની મહો કીર્તિવિજય ગણિવર ક્ત વિચારરત્નાકર પ્રશસ્તિ શ્લોક ૮મો, પ્રક. ૫૭, ગુરુનામ મંત્ર પ્રભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy