SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ 684 તપાગચ્છાધિષ્ઠાયક રોમેરોમ સિદ્ધગિરિની ભક્તિ પ્રસરી રહી છે. મહાપર્વ પર્યુષણની આરાધના અપૂર્વ થઈ. ગંગાના પ્રવાહની જેમ આરાધનાના દિવસો વહી રહ્યા છે. પરમાત્મા મહાવીરદેવનું નિર્વાણ કલ્યાણક દિવાળી પર્વ પણ પસાર થઈ ગયું. નવા વર્ષના પ્રારંભના દિવસો ચોમાસાને પરિપૂર્ણ કરવા પસાર થઈ રહ્યા છે. એક દિવસે માણેક શેઠે ગુરુદેવશ્રીને વિનંતિ કરી : " ગુરુદેવ ! ચોમાસું પૂર્ણ થઈ રહ્યું છે. કાર્તિક સુદ પૂનમે સિદ્ધગિરિની યાત્રાનો પ્રારંભ થાય છે. રાજરાજેશ્વર ગિરિરાજને ભેટવા મન ઉતાવળું બન્યું છે. કેવો અદ્ભુત આ તીર્થનો મહિમા છે ! ગુરુદેવ ! કાર્તિક સુદ પૂનમે જ હું યાત્રા કરવા પ્રયાણ કરીશ. આપ મને અભિગ્રહ આપો. જ્યાં સુધી પાવન ગિરિરાજને ભેટું નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. " ગુરુજીએ તેની ક્ષમતા નિહાળી, ભાવ જોયો અને શાસન માટે શ્રેય થવાનું જોયું. પચ્ચકખાણ આપી દીધું. કા.સુ. ૧૫ના પ્રભાતકાળે જ ગુરુજીના મંગળ આશીર્વાદ લઈ માણેકચંદ શેઠે પગપાળા યાત્રા ચાલુ કરી દીધી. ગિરિરાજના ધ્યાનમાં જ આગળ વધી રહ્યા છે. માર્ગ પસાર થઈ રહ્યો છે. દિવસ અને રાત રટણ ગિરિરાજનું જ છે. કાર્તિક વદ પસાર થઈ રહી છે અને માણેકચંદ શેઠ મગરવાડાના ઘનઘોર ભયંકર જંગલની વાટે આગળ વધી રહ્યા છે. અચાનક એક જંગલી ભીલોનું ટોળું આવ્યું. શેઠને કોઈ ભય નથી. નિર્ભય સિંહની જેમ એકલવીર બની ગિરિરાજના સ્મરણ સાથે આગળ વધતા શેઠને ભીલોએ અટકાવ્યા. લૂંટવા જેવું કંઈ જ ન મળ્યું અને છેવટે જંગલી ભીલો સાથેના યુદ્ધમાં આ શાસનભક્ત ખપી ગયા. તીર્થાધિરાજના ધ્યાનમાં જ આયુષ્ય પૂર્ણ કરી વ્યંતર નિકાયના ઉત્તર પંક્તિના અનેક દેવોથી સેવાતા એવા માણિભદ્ર ઇન્દ્ર તરીકે પોતે જન્મ ધારણ કર્યો. બાવન વીર અને છપ્પન જોગણીના નાયક ઇન્દ્ર તરીકે સુખ, સમૃદ્ધિ અને સાહ્યબીના સ્વામી જાજરમાન સુખમાં જીવન પસાર કરી રહ્યા છે. સમય સમયનું કામ કરી રહ્યો છે. એક દિવસની વાત છે. પૂ. આ. શ્રી આણંદવિમળસૂરિજી મ.સા.નાં અન્ન-જળ અને નીંદ હરામ થઈ ગયાં છે. સમગ્ર તપાગચ્છ ધરતીકંપની જેમ ધ્રૂજી ઊઠયો છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. જેને જે સૂઝયો તે ઉપાય કરી રહ્યા છે પણ સફળતા મળતી નથી. વાત એમ હતી કે તે કાળે કોક ખરતરગચ્છના સાધુએ સંયમજીવનની મર્યાદાઓ મૈત્રી અને માધ્યસીય ભાવની સીમાઓ ભૂલી ઉગ્ર ગચ્છ–મમત્વનાં દષ્ટિરાગના અંધકારમાં ફસાઈને ભૈરવની સાધ l કરી તપાગચ્છના સાધુઓને પીડા-ઉપદ્રવનો દોર ચાલુ કર્યો. સાધુને ! તઃકાળે મસ્તકની વેદના ચાલુ થાય. સૂર્ય જેમ જેમ ઊંચો ચઢે તેમ વેદના વધતી જાય. ભયંકર ચીસો સાથે માથું ભીંત સાથે અથાડે. કોઈ જ ઉપાય કામ ન આવે. ભૈરવનું ઝનૂન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy