SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 727 કોશેલાવઃ શ્રીફળની સ્થાપનાથી ક્રમશઃ વૃદ્ધિ પામેલ પિંડ દ્વયાત્મક ચક્ષુ અન્વિત મુદ્રા વૈવિધ્યસભર ને પ્રભાવક છે. ખંડાલા : શ્રીફળની સ્થાપનાથી વૃદ્ધિ પામેલ પિંડીસ્વરૂપ – ભરાવદાર લાક્ષણિક ચક્ષુ-નાસિકા-ઓષ્ઠયુક્ત પ્રતિમા અલૌકિક પ્રભાવશાળી છે. ખીમાડા : શ્રીફળમાંથી ક્રમશઃ વૃદ્ધિ પામેલ, પહોળાઈમાં ઓછી-લંબાઈમાં વિશાળ ચક્ષુયુક્ત-સ્થાપના સ્વરૂપમુદ્રા બેનમૂન પ્રભાવશાળી છે. બોરીવલી (દોલતનગર) સન્મુખ હસ્તી ઉપર બિરાજમાન પભુજાવિત સન્મુખ મુદ્રા દર્શનીય છે. સાંડેરાવઃ શ્રીફળની સ્થાપનાથી વૃદ્ધિગત-વિશાળ ને ભરાવદાર પંચ પિંડ સ્થાપના સ્વરૂપ બિંબ ઉન્નતિકારક છે. તળેગામ-(દાભાડે) : શ્રીફળમાંથી કાળક્રમે મોટી થએલ–ચક્ષયુક્ત–ગણપતિ જેવો આભાસ કરાવતી પિંડ સ્વરૂપની મુદ્રા પ્રાચીન-ભવ્ય છે. ધાંગધ્રા : વિશાળકાય હાથી ને નાનકડું પ્રાચીન બિંબ જોતાં જ આંખ ઠરી જાય છે. થાણાઃ સાઈડ પોઝવાળા વિશાળકાય હતિ ઉપર બિરાજમાન સન્મુખ પોઝવાળી પ્રાચીન કલાકૃતિ યુક્ત-ચતુર્ભુજાન્વિત આકૃતિ બધા કરતાં વિલક્ષણ ને અતિશય દર્શનીય છે. પ્રાચીન છે ને પ્રભાવક છે. આદરિયાણા : આ બિંબનાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. પ્રાયઃ કાષ્ટમાં ઉકીર્ણ છે. સન્મુખ હતિ ઉપર નાની સન્મુખ મુદ્રા જોતાં જ પ્રભાવકતા અનુભવાય છે. મહુધા: આ બિંબ અત્યંત અલૌકિક છે. સંગેમરમરમાં ઉત્કીર્ણ-ચાર ભુજા યુક્ત પ્રાચીનતા ને પ્રભાવકતાના પુરાવા સ્વરૂપ મુદ્રા છે. પાર્લા (ઈસ્ટ) : એક પિંડમાં અંતર્ગત ઊપસેલા પાંચ પિંડાત્મક સ્થાપના સ્વરૂપ બિંબ શ્રીફળમાંથી વૃદ્ધિગત છે, કામનાપૂરક છે, પ્રાચીન છે. સામાન્યત : રાજસ્થાનનાં ગામોમાં તથા મહારાષ્ટ્રમાં પણ માણિભદ્ર પ્રત્યેની આસ્થાનાં મૂળિયા ઊંડાં જોવા મળે છે, ત્યાં રહેલાં બિંબો બધા પ્રાચીન અને સ્થાપના સ્વરૂપ વિશેષે કરીને જોવા મળે છે. વરાહાકૃતિ ને પભુજાવાળી અર્વાચીન મૂર્તિ આ ગામોમાં લગભગ જોવા મળતી નથી. શ્રીફળની સ્થાપના કરી સિંદૂરનાં પડો થતાં કાળક્રમે વૃદ્ધિગત થયેલી વિભિન્ન આકૃતિવાળી સ્થાપના મુદ્રાનાં જ દર્શન સર્વત્ર થતાં હોય છે. આ તો ભારતવર્ષીય માણિભદ્રની મુદ્રાઓનું આછું દિગ્દર્શન જ થયું: નામીઅનામી જાણ્યા-અજાણ્યાં હજી તો ઘણાં સ્થાનો-મુદ્રાઓ છે જેમાં વીરનો દશ્ય-અદશ્ય પ્રભાવ જોવા-જાણવા મળે છે, વિભિન્ન મુદ્રાઓની જાણકારી તથા દર્શન–વંદનથી ભાવોલ્લાસ પ્રબળ બને, વીર પ્રત્યેની આસ્થા સફળ બને, તેમના જાપ–ધ્યાનથી તેઓ જાગૃત બની સંઘ-શાસનની રક્ષા કરે એવી શુભ ભાવના સાથે લેખ સમાપન કરું છું. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy