SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ 726 તપાગચ્છાધિષ્ઠાયક વીર અત્યંત શોભાયમાન પ્રાચીન અને સાક્ષાત્ છે. રતલામઃ મોતિપૂજયજી મંદિરમાં ચમત્કારી સ્થાન છે. ચાણસ્માઃ ઊભી મનુષ્યાકૃતિવાળા, સાઈડમાં નાના હસ્તિના લાંછનવાળા વીર ભટેવા પાર્શ્વનાથના સાંનિધ્યમાં અખૂટ શક્તિસંપન્ન છે. બેલગાંવઃ ૧૫૦ વર્ષ પ્રાચીન, માત્ર મુખાકૃતિને ધારતી લાંબી મૂછના વળથી શોભતી મુદ્રા પ્રભાવક છે. પૂના-શુક્રવાર પેઠઃ મૂછાળી મુખાકૃતિ BUST આકૃતિવાળી પડછંદકાય લાલ ભરાવદાર મુદ્રા દેવતત્ત્વનું આકર્ષણ સ્થાન છે. પાવાગઢ: આધુનિક હોવા છતાં અત્યંત આકર્ષક, ફલ સાઈઝની પંચધાતુની, આશીર્વાદની હેલી વરસાવતી પ્રતિમા ચકમકતી અને મોહક છે. મહાવીરપુરમ : ૧ ઈંચ ઊંચી, નવ નવ હાથી ઉપર ઊભી, નવગ્રહયુક્ત, રક્તવર્ણ, શભુજાયુક્ત મૃગદળના સ્થાને તલવારને ધારણ કરતી પ્રતિમાજી ખૂબ શ્રદ્ધેય અને મનોહર છે. ઉજ્જૈનઃ જયાં વીરનું મૂળ સ્થાન છે. મસ્તક પૂજાય છે. તે સિંદૂર પૂર્ણ, ગોળ મુખાકૃતિમાં વચ્ચે ચક્ષુઓથી દીપ્યમાન સ્થાપના સ્વરૂપ પિંડ પ્રગટ પ્રભાવી અને કામિત–પૂરણ છે. જૈન જૈનેતરો માટે પરમ આસ્થાસ્થાન છે. મગરવાડા જ્યાં માણેકશાહનો અંતિમ શ્વાસ છૂટયો હતો, જ્યાં માણેકશાહમાંથી માણિભદ્ર બનેલા વીરે આનંદવિમલસૂરિને દર્શન દીધાં હતાં, ભારતવર્ષનું સૌપ્રથમ અને શ્રેષ્ઠ આસ્થાસ્થાન, વીરનું મૂળ પ્રાચીનતમ અને ઓરીજીનલ સ્થાન છે. ક્રમસર બિરાજિત નાના-મોટા પs પિંડોમાંથી મધ્યનું પિંડ મૂળ મનાય છે. હજારો જેને જૈનેતરોની માનતા અહીં પૂર્ણ થાય છે. કમનસીબી છે કે આજે જે રીતે વીરનાં પૂજન-અર્ચન થવાં જોઈએ તેવી ભક્તિ થતી નથી. આરાધના કરતાં આશાતનાનું પ્રમાણ વિશેષ જણાય છે. જૈન ધર્મના તપાગચ્છના અધિષ્ઠાયક દેવ હોઈ, પરમ આરાધ્ય અને ઉપાસ્ય તત્ત્વ છે તેના બદલે લૌકિક દેવ-દેવી જેવો વ્યવહાર ત્યાં થતો જોવા મળે છે. એક માત્ર સાંસારિક મનોકામનાને પૂર્ણ કરવાનું ને લૌકિક વ્યવહારનું સ્થાન બનવાથી વીરની પૂજ્યતા અને સ્થાનની પવિત્રતા ઘટવા પામી છે. ભાવિમાં શીધ્ર પવિત્રતાની સ્થાપના થાય એવી ભાવના જ હાલ ભાવવી રહી. ખંભાતઃ ઓસવાળ ઉપાશ્રયસ્થિત વીર સાક્ષાત્ છે. શુદ્ધભાવની સાધના દ્વારા હાજરાહજૂર સહાયક બને છે. મૂર્તિ અલૌકિક છે. લેસ્ટર-લંડનઃ મૂર્તિ આર્વાચીન છતાં પૂજન વખતે બે કલાક ડોલતી રહ્યાનું અનેક લોકોએ સાક્ષાત્ નિહાળેલ. પરમાત્માની નીચેના ભાગમાં બિરાજમાન મૂર્તિ અલૌકિક છે. પાટણઃ પંચાસરાના પટાંગણમાં પ્રતિષ્ઠિત આ મૂર્તિ ખૂબ જ પ્રભાવક ને પ્રાચીન છે. મનુષ્યની મુખાકૃતિ સમાન મુદ્રા રૌદ્ર ઉપદ્રવોને હરનારી છે. ફાલનાઃ સુદર્શનચક્રાંકિત મુદ્રા ભવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy