SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 403 આધુનિક સંશોધનકારો યંત્રને મૂલાકાશ (ARCHETYPAL SPACE) તથા મંત્રને પવિત્ર ધ્વનિ માને છે. એ સાથે તેઓ એમ પણ માને છે કે યંત્ર અને મંત્ર, બંને એકબીજાથી તદ્દન અભિન્ન છે અને યંત્ર એ મંત્રનું શરીર છે, તો મંત્ર એ યંત્રનો આત્મા છે.રપ એટલું જ નહિ, ભારતીય પરંપરા પ્રમાણે યંત્ર એ દેવદેવીઓને સૂક્ષ્મ સ્વરૂપે રહેવાનું સ્થાન છે. ખાસ કરીને અંબિકા, દુર્ગા, કાળી, મહાકાળી વગેરે દેવીઓની મુખ્ય શક્તિપીઠોમાં દેવીઓની મૂર્તિ કરતાં ય દેવીઓનાં યંત્રોનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વિભિન્ન યંત્રો-સ્વરૂપચિહ્નો મનઃશક્તિ (PSYCHIC ENERGY)નો અખૂટ ખજાનો છે. આ યંત્રો આપણામાં ખૂટતું એવું તત્ત્વ શોધી કાઢી, તેની પૂર્તિ કરે છે, જેનાથી આપણું જીવન આનંદિત, ફૂર્તિવાળું તેમ જ સાર્થક બની જાય છે. યંત્રો અત્યારે સામાન્ય રીતે બે પ્રકારનાં જોવા મળે છે. યંત્રોમાં આકૃતિઓનું સંયોજન તો હોય જ છે, પરંતુ તેમાં મંત્રાલરો પણ લખવામાં આવે છે. જો કે ઉપર બતાવ્યું તેમ યંત્ર-આકૃતિઓ જ મંત્રાક્ષરોનું દશ્ય સ્વરૂપ છે, છતાં તે યંત્રાકૃતિ કયા મંત્રાક્ષરોનું દશ્ય સ્વરૂપ છે તેની સામાન્ય મનુષ્યને જાણ થાય તે માટે, તેના જ્ઞાતા ઋષિમુનિઓએ યંત્રોમાં મંત્રાક્ષરો પણ લખ્યા હોય છે. અને એટલે જ યંત્ર અને મંત્ર બંને સંયુક્તપણે જોવા મળે છે. તો કેટલાંક યંત્રોમાં માત્ર ખાનાંઓ દોરીને અથવા વિભિન્ન આકૃતિઓ દોરી તેમાં આંકડાઓ લખવામાં આવ્યા હોય છે. આવાં સંખ્યા, આંકડાઓ સાથે સંબંધિત યંત્રોના જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો, વીશા યંત્રો, ચોત્રીશા યંત્રો, પાંસડિયા યંત્ર, એકસો સિત્તેરિયા યંત્ર. આ દરેક પ્રકારનાં યંત્રોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો. આ યંત્રોમાં ૧ થી ૯ સુધીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એને એ રીતે ગોઠવવામાં આવે છે કે આડા, ત્રાંસા એમ દરેક રીતે ગણતાં ત્રણ-ત્રણ અંકોનો સરવાળો પંદર આવતો હોવાથી તેને પંદરિયા યંત્રો કહે છે. યંત્ર-મંત્ર સંબંધી પુસ્તકોમાં ચાર પ્રકારનાં પંદરિયા યંત્રો બતાવવામાં આવ્યાં છે. તે દરેકનું તત્ત્વ, વર્ણ તથા અસરો જુદી જુદી હોય છે, એટલું જ નહિ તે યંત્રો કાગળ કે ભોજપત્ર ઉપર વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોથી લખતી વખતે એક જ પ્રકારના યંત્રમાં અંકો લખવાનો ક્રમ જુદો જુદો હોય તો તેની પણ અસરો જુદી જુદી થાય છે ૨૬ पर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy