SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ • · • ધન નામનો મંત્રી ૫૦૦ ભટો સાથે શત્રુંજયે આવ્યો ત્યારે પ્રથમ પ૦૦ ભટો કેવલી બન્યા પછી મંત્રીને કેવલજ્ઞાન થયું. • પધુમ્ન વિ. સાડાત્રણ કરોડ કુમારો રાયણવૃક્ષને પ્રદક્ષિણા દેતાં કેવલી બન્યા. • ભરત ચક્રવર્તી પાંચ કરોડ, એમનો પુત્ર ૧ લાખ અને બાહુબલીજીનો પુત્ર ૧૩ કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયેલ. • • • • • • • શાંતિનાથ ભ.ના ચાતુર્માસમાં ૧,૫૨,૫૫,૭૭૭ મુનિવરો કેવલી બની મોક્ષે ગયેલ. દંડવીર્ય રાજા સંઘ લઈ આ તીર્થે આવેલ તે વખતે તેમના સંઘમાં રહેલ સાત કરોડ શ્રાવક—શ્રાવિકાઓ આ તીર્થના ધ્યાનથી મોક્ષ પામેલ. • 263 • આ તીર્થ ઉપર આદિનાથ ભગવાન ૬૯,૮૫,૪૪,૦૦,૦૦,૦૦,૦૦ વાર સમવસર્યા. • ભરત ચક્રવર્તીના સંઘમાં વારાણસીથી શત્રુંજયનાં દર્શન થાય છે એ વખતે આદિનાથ પ્રભુની દેશના સાંભળીને ૧૦,૦૦૦ ભવ્ય જીવોને કેવલજ્ઞાન થાય છે. અજિતનાથ ભ. આ ગિરિ ઉપર ૩૦૦૦ વાર આવેલ. આવતી ચોવીશીના બધા તીર્થંકરો અહીં વિચરશે. ચંદ્રયશ રાજાએ ચંદ્રપ્રભસ્વામીના વખતમાં અહીં નવમો ઉદ્ધાર કરાવેલ. આ રાજા ૫૦,૦૦૦ જિનાલયો અને ૫ કરોડ જિનબિંબો ભરાવી સંયમ લઈ મોક્ષે ગયેલ. · નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ (ચૈત્ર વ. ૧૪ ) ને મોક્ષે ગયેલ. વાસુદેવની ૩૫૦૦૦ સ્ત્રીઓ શત્રુંજય ઉપર, બાકીની ૩૭,૦૦૦ સ્ત્રીઓ અન્ય તીર્થે મોક્ષ પામેલ. દેવકીના છ પુત્રો, જાદવપુત્રો, સુવ્રત શેઠ, મંડક મુનિ, સેલક મુનિ, અઇમુત્તા મુનિ, આ તીર્થે મોક્ષ પામેલ. નેમિનાથ ભ.ના શિષ્ય ગૈાતમ અણગાર એક માસનું અણસણ કરી આ તીર્થે મોક્ષે ગયેલ. સુધર્મા ગણધરના શિષ્ય ચિલ્લણ મુનિ સંઘ સાથે ગિરિ ચઢતાં સંઘ અતિ તૃષાતુર થયો તેથી મુનિએ વિદ્યાશક્તિથી પાણી મંગાવ્યું ત્યારથી ચંદન તળાવડી પ્રસિદ્ધ થઈ. અજિતનાથના શિષ્ય સુવ્રતાચાર્ય ગ્લાન હોવાથી પાણી લઈને ગિરિ ઉપર આવ્યા. પાણી એક બાજુ મૂકી કાઉસગ્ગ કરતા હતા તે વખત કાગડાએ પાણી ઢોળી નાખ્યું તેથી આચાર્યે ગુસ્સે થઈને કહી દીધું કે આજથી તારા વંશનુ આગમન બંધ. ત્યારથી આ ગિરિ ઉપર પ્રાયઃ કાગડાઓ આવતા નથી. [શત્રુંજય કલ્પવૃત્તિ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy