SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ 302 તપાગચ્છાધિષ્ઠાયક આ અધિષ્ઠાયકો કેમ પરચો આપતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં એ વાત ખાસ સમજવી કે કેટલાક નિશ્ચિત ભાવિભાવ હોય છે, જે ખુદ દેવેન્દ્રો વગેરે પણ બદલી શકતા નથી –જેમ કે ભગવાન મહાવીરસ્વામી પર ગોશાળાએ તેજોલેશ્યા ફેંકી ત્યારે ત્યાં કરોડો દેવો હાજર હતા, છતાં ભગવાન પર એ ઉપસર્ગ થયો જ. કેમ કે તેવો ભાવિભાવ નિશ્ચિત હતો. તેથી એ અંગે અધિષ્ઠાયકો દોષપાત્ર હોતા નથી. વળી આ પડતા કાળમાં દુષ્ટ તત્ત્વો અને દુષ્ટ દેવોનું જોર વધ્યું છે. એથી કો'ક પ્રબળ દુષ્ટ દેવના સાંનિધ્યવાળો દુષ્ટ પુરુષ આક્રમણ કરે ત્યારે અધિષ્ઠાયક દેવને પીછેહઠ કરવી પડે છે. અથવા દુષ્ટ કાર્ય કરવા ભેગા થયેલાઓનું સામુદાયિક દુષ્ટ પુણ્ય અને એમને સહાયક બનનારા દુષ્ટ દેવોના સમુદાયનું બળ વધી જાય, ત્યારે એકલવીર અધિષ્ઠાયકને પીછેહઠ કરવી પડે છે. સંઘનું ઓછું પડેલું પુણ્યબળ એ અધિષ્ઠાયકને બળવત્તર બનાવી શકે નહીં. અધિષ્ઠાયક દેવોને દુષ્ટ દેવોનાં ટોળેટોળાં આ રીતે આક્રમણ કરી રહ્યાં હોય, ત્યારે તીર્થરક્ષા આદિ કાર્યો માટે સંઘની આરાધના–પુણ્યબળની ખૂબ અપેક્ષા હોય છે. જ્યારે દુર્બળિકા પુષ્યમિત્ર આચાર્ય અને સાતમા નિતંવ ગોષ્ઠામાહિલ વચ્ચે વાદવિવાદ થયો, ત્યારે નિર્ણય કરવા સંઘે શાસનદેવીને યાદ કરી. શાસનદેવીએ કહ્યું " હું શ્રી સીમંધરસ્વામીને પૂછી આ બાબતનો નિર્ણય જાણી લાવીશ; પણ વચ્ચે મને દુષ્ટ બળવત્તર દેવો રંજાડે નહીં, એ માટે સંઘના પુણ્યબળની જરૂર છે. માટે હું જ્યાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી સંઘ કાયોત્સર્ગમાં રહે, જેથી મને બળ મળે." પછી શાસનદેવી શ્રી સીમંધરસ્વામી પાસેથી જાણેલો સત્યાસત્યનો નિર્ણય શ્રીસંઘને જણાવે છે. દુર્બળિકા પુષ્યમિત્ર સાચા અને ગોષ્ઠામાહિલ ખોટા. એ પછી સંઘે કાયોત્સર્ગ પાર્યો. આમ અધિષ્ઠાયક દેવોને સંઘની આરાધના–સાધનાના પુણ્યની અપેક્ષા પણ રહે છે. ઘણી વખત ઉગ્ર તપ વગેરે કરી નિયાણું કરી બનેલા દેવની ઉગ્ર તાકાત સામે પણ અધિષ્ઠાયકોનું ન ચાલી શકે. જયારે દ્વૈપાયન તપસ્વીએ દ્વારકાનગર બાળવાનું નિયાણું કરી દેવ બની દ્વારકાને બાળવા માંડી ત્યારે પોતાના હજારો અધિષ્ઠાયક દેવો હોવા છતાં કૃષ્ણ-બળરામ કશું જ કરી શક્યા નહીં. અરે ! માતાપિતાને પણ અગ્નિમાં મરતા બચાવી શક્યા નહીં. આ રીતે કોઈ જૈનધર્મદ્રષી કે તે–તે તીર્થક્વેષી પોતાના તપ, ત્યાગ આદિના બળે દેવ બની ઉપદ્રવ કરે, ત્યારે અધિષ્ઠાયક કશું કરી શકે નહીં. જ્યારે આશાતના–અવિધિઓ ખૂબ વધી જાય, ત્યારે અધિષ્ઠાયકોનું આકર્ષણ ઘટી જાય છે. એટલું નોંધી રાખવું જોઈએ કે અધિષ્ઠાયકો પોતે પગારદાર નોકર કે ફરજ બજાવનાર તરીકે રહ્યા નથી, પરંતુ ભક્તિભાવે રહ્યા હોય છે. તે તીર્થ કે મંદિરમાં થતી આશાતનાઓથી દેવી પ્રભાવ ઘટવા માંડે છે અને અધિષ્ઠાયકો એ સ્થાન છોડી જતા હોય છે. અહીં કોઈ પૂછે કે–તો અધિષ્ઠાયકો આશાતના કરતાં અટકાવે કેમ નહીં? એનો જવાબ એ છે કે એ કામ અધિષ્ઠાયકોનું નથી. હા, અધિષ્ઠાયકો ક્યારેક પોતાની હાજરીમાં અતિ આશાતનાદિ થતાં જુએ તો પ્રભુ પ્રત્યેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy