SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 303 ભક્તિથી પ્રેરાઈ દંડાત્મક અનુભવ કરાવે. પણ પછી એમની ગેરહાજરીમાં વારંવાર મોટા પ્રમાણમાં આશાતના થતી જાણે ત્યારે ખિન્નતા અનુભવી ઉદાસીન ભાવ ધારણ કરે છે. શ્રી અંતરિક્ષજી તીર્થ વગેરે સ્થાનોએ વારંવાર ભગવાનનાં ચક્ષુ ઉખેડવા વગેરે થતી ઘોર આશાતનાઓથી ખિન્ન બનેલા અધિષ્ઠાયકો ઉદાસીન બન્યા હોય, તેમ સંભવે છે. વળી એમ પણ બને કે અધિષ્ઠાયક દેવો પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હોય, અથવા તીર્થકરોની દેશના સાંભળવા ગયા હોય કે શાશ્વત તીર્થોની યાત્રા કરવા ગયા હોય; એ વખતે તીર્થો પર આપત્તિ આવે. વળી અવધિજ્ઞાનનો ઉપયોગ તો જ્યારે મૂકે ત્યારે જ શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે. ભગવાન મહાવીરસ્વામીએ જ્યારે જ્યારે ઉપસર્ગ આવ્યા ત્યારે ત્યારે એમની સેવામાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બહાર રખડવા નીકળી ગયેલો હોય. ઉપસર્ગ પતે પછી એ આવે. આવાં તો ઘણાં કારણો સંભવી શકે છે કે જ્યાં અધિષ્ઠાયક દેવો હોવા છતાં તીર્થાદિ પર આક્રમણ આવે. એમ પણ નહીં સમજવું કે અધિષ્ઠાયક દેવો આક્રમણ આદિ સામે કશું કરતા નથી. ઘણાં એવાંદૈવિક કે માનવિક આક્રમણો અધિષ્ઠાયકોની જાગૃતિના કારણે આવતાં પહેલાં જ વિખેરાઈ જાય છે. પણ એ બધાની આપણને ખબર નથી પડતી એટલે નોંધ લેવાતી નથી અને તે આક્રમણો એમની અનુપસ્થિતિ આદિના કારણે કે આપણી નિષ્ક્રિયતા, બેદરકારી, આશાતનાઓના કારણે આવે, એમાં હોબાળો મચાવીએ છીએ. રમેશ-મહેશ-નરેશ રસ્તા પર ચલતા હતા. વાતોમાં મગ્ન હતા. એમાં મહેશનો પગ કેળાની છાલ પર આવતો જોઈ રમેશે વાતો કરતાં કરતાં જ મહેશને સાઈડ પર ખસેડી લઈ લપસતાં બચાવ્યો; પણ વાતોમાં મગ્ન મહેશે એ વાતની નોંધ પણ લીધી નહીં, આભાર પણ માન્યો નહીં. પછી રમેશની ગેરહાજરીમાં મહેશ-નરેશ આગળ વધી રહ્યા હતા. નરેશે જોયું, મહેશનો પગ ખાડામાં પડી રહ્યો છે, છતાં આંખમિચામણાં કર્યા. મહેશ ખાડામાં પડયો. ખાસું વાગ્યું. તરત જ નરેશે બહાર કાઢયો, પાટાપિંડી કરી, સાચવીને ઘરે લઈ ગયો. મહેશને પૂછો, તારી સાચી સેવા કોણે કરી – રમેશે કે નરેશે? મહેશ કહેશે નરેશે. પણ તમે જ વિચારો કે સાચી સેવા કોની? લપસતાં બચાવનાર રમેશની, કે પડવા દઈ પાટાપિંડી કરનાર નરેશની ? આપણે બધા મહેશ જેવા છીએ. અધિષ્ઠાયકો પોતાની પ્રભુભક્તિના કારણે જે આપત્તિઓ–આક્રમણો થવા દેતા જ નથી, આવતાં પહેલાં જ અટકાવે છે તે જોઈ શકતા નથી, અને એઓની અનુપસ્થિતિના કારણે અને આપણાથી થતી અવિધિ-આશાતના–ઉપેક્ષાઓના કારણે આવતાં આપત્તિ–આક્રમણ માટે અધિષ્ઠાયકો નકામા છે, અથવા છે જ નહીં" વગેરે ફરિયાદો કરીએ છીએ. અસ્તુ! અધિષ્ઠાયકો કે બીજા દેવો (૧) વૈયાવચ્ચ, (૨) શાંતિ અને (૩) સમાધિ – આ ત્રણમાં મહત્ત્વનાં નિમિત્તો છે. ગુણવાન, તપસ્વી, વિશિષ્ટ આરાધક સાધુ કે સંઘની વૈયાવચ્ચ–સેવા કરવાનો તે-તે અધિષ્ઠાયકોને આનંદ આવતો હોય છે. અહીં વૈયાવચ્ચનો અર્થ માત્ર સેવા નહીં, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy