SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ 304 તપાગચ્છાધિષ્ઠાયક ભક્તિ-પૂજા-શોભા. એમનો પ્રભાવ વધે એવાં કાર્યો કરવાં વગેરે પણ અર્થો સમજી લેવા. જેમ કે અરિહંતોની આઠ પ્રાતિહાર્ય, સમવસરણ આદિથી પૂજા કરી દેવો જબરદસ્ત શાસનસેવા કરે છે. શાસનપ્રભાવનાના નિમિત્ત બને છે. પ્રાયઃ વિશિષ્ટ આરાધક સાધુઓ વગેરે આવા દેવોથી અધિષ્ઠિત બનતા હોય છે, પછી એ દેવો એમનો મહિમા વધારતા હોય છે. સંઘમાં અન્ય દેવો વગેરેથી થતા ઉપદ્રવ વગેરે વખતે શાંતિ માટે પણ એ સમ્યકત્વી દેવો ઉપયોગી બને છે. વ્યંતર બનેલા વરાહમિહિરે સંઘમાં ઉપદ્રવ કરવા માંડ્યો ત્યારે ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવ્યું. આ સ્તોત્રના પ્રભાવે સમ્યકત્વી દેવો આકર્ષાતા અને વરાહમિહિર દેવના ઉપદ્રવોને દૂર કરતા. અત્યારે પણ સંઘશાંતિ માટે પ્રતિક્રમણના અંતે શાંતિ, નવસ્મરણો વગેરે પ્રભાવક સ્તોત્રો ગણવામાં આવે છે અને પ્રભાવ પણ દેખાય છે. એ જ પ્રમાણે દેવો સમ્યકત્વ સમાધિ, શ્રુતસમાધિ અને ચારિત્રસમાધિ માટે સહાયક બન્યાના પણ ઘણા દાખલાઓ નોંધાયા છે. કેટલાક નિહ્નવોને પ્રતિબોધ આપી સમ્યકત્વ-સમાધિમાં સ્થિર કરવાનું કામ દેવોએ કર્યું છે. જેમ કે એકનિતવ (સાચા સૂત્રાર્થનો નિષેધ કરનાર) એકસાથે બે ઉપયોગ હોય એવી સ્થાપના કરતો હતો. એક વખત એક મંદિરમાં આ પ્રમાણે એ સ્થાપના કરતો હતો ત્યારે ત્યાંના યક્ષે એ નિદ્ભવ સાધુને મુગર બતાવી કહ્યું – અરે, અહીં સાક્ષાત્ મહાવીરસ્વામીના મુખે મેં એકસાથે બે ઉપયોગ ન હોય એવું સાંભળ્યું છે અને તમે ભગવાનથી પણ વધુ ડાહ્યા બનવા જાવ છો. તમારી ખેર નથી! અને એ નિદ્ભવ સાધુએ ભૂલ કબૂલી લીધી. પૂર્વે દષ્ટાંત આવ્યું તેમ વાદવિવાદમાં શ્રી સીમંધરસ્વામી પાસેથી સાચો જવાબ લાવી શાસનદેવીએ સંઘને શ્રુતસમાધિમાં સહયોગ આપ્યો. મેતારજ મુનિ, બળદેવ વગેરે ઘણા મહાપુરુષોને દેવોએ પ્રતિબોધ કરી ચારિત્રસમાધિ માટે પ્રેર્યા. જ્યાં ઘણીવાર પ્રભુ મહાવીરસ્વામી પધારેલા એવા ગુણશીલચૈત્ય વગેરે સ્થળોના અધિષ્ઠાયક દેવો પ્રાયશ્ચિત્તના વિષયમાં પણ સહાયક બન્યાના દાખલા શાસ્ત્રોમાં ઢંકાયેલા છે. આ બધા અધિષ્ઠાયક દેવોમાં શ્રી તપાગચ્છના અધિષ્ઠાયક માણિભદ્રનું પણ એક ગૌરવભૂત સ્થાન છે. માણેકચંદ શેઠમાંથી બીજા ભવમાં માણિભદ્ર બનેલા આ દેવની વિગત પ્રસિદ્ધ છે. આ અધિષ્ઠાયક દેવનું સ્થાન મુખ્યતયા ઉપાશ્રય છે. સાધુ ભગવંતોના મુખેથી માંગલિક સાંભળવાની રુચિવાળા આ દેવના પરચા ઘણે સ્થળે ઘણાએ અનુભવ્યા છે, અનુભવે છે. સ્થાનાંગસૂત્રમાં એવું જોવા મળે છે કે શ્રેણિક મહારાજાનો જીવ પ્રથમ નરકમાંથી નીકળી પદ્મનાભ રાજકુમાર થશે, ત્યારથી પૂર્ણભદ્ર દેવ અને માણિભદ્ર દેવ એમના સાંનિધ્યમાં રહેશે. અહીં એક ખુલાસો ખાસ સમજી લેવો કે ચકેશ્વરી કે પદ્માવતી કે માણિભદ્ર – આ બધા તે–તે સ્થાન કે પદને આશ્રયીને શાશ્વત નામો છે. તે–તે સ્થાને આવેલો જીવ ચક્રેશ્વરી દેવી આદિ નામે ઓળખાય. તેથી તે–તે શાસન અધિષ્ઠાયક દેવ કે દેવીના જીવો તો પોતપોતાનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચ્યવી બીજા ભવમાં જાય. પછી તે ખાલી પડેલા સ્થાને પૂર્વભવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy