SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 305. આરાધના કરી જે જીવ દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પણ તે નામે જ ઓળખાય. દા. ત. વડાપ્રધાનની ખુરસી પર આવેલા બધા વડાપ્રધાન તરીકે ઓળખાય; પણ તે એક નહીં પણ બદલાતા હોય છે. તેથી ઋષભદેવ ભગવાનના વખતમાં ચક્રેશ્વરીદેવી તરીકે જે જીવ હશે, તે તો તે પછી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી માનવ બની મોક્ષે પણ ગઈ હોય, એમ સંભવે છે. હાલ જે ચક્રેશ્વરી છે, તે અન્ય જીવ છે. આમ દરેક પ્રસિદ્ધ યક્ષો–ઇન્દ્રો-અધિષ્ઠાયકો માટે પ્રાયઃ સમજી લેવાનું. અહીં એ વાત પણ સમજી લેવી કે માણિભદ્ર વગેરેની દરેક સ્થાને સ્થાપના કરવાની શી જરૂર? એવી શંકા થાય, તો એનું રહસ્ય એ છે કે સારા મુહૂર્તાદિ પ્રબળ સંયોગથી જો સ્થાપના થાય, તો તેને દેવ તે સ્થાન પ્રત્યે પણ આકર્ષાય છે, અથવા એ જ દેવનો ઉપાસક તેથી ઓછો બળવાન દેવ પણ તે–તે દેવના અધિષ્ઠાયકરૂપે ત્યાં હાજર થાય છે. દરેક એરિયાની પોલીસચોકી હોય, તો પોલીસને પણ કામ કરવું ફાવે. ટેલિફોન એસ્ટૅજ પણ દરેક સ્થળે હોય તો ફોનની સુવિધા રહે છે ને! અને આપણને પણ એ દેવોની સ્થાપના હોય તો એમનાં કાર્યોની કદરરૂપે બહુમાનથી અને આપત્તિમાં સહાયક બની શકે એવા ભાવથી તિલક આદિ કરી યાદ કરવા ફાવે. સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયધર્મજિતસૂરિ મહારાજને સ્વપ્નમાં માણિભદ્ર દેવે પીઠ થાબડેલી અને પછી ખરેખર તેઓશ્રીને એક વિશિષ્ટ અનુભવ થયેલો. વીતરાગવચન વિરુદ્ધ લખાણ માટે મિચ્છામિ દુક્કડમ્. Milk પ. પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ શ્રી શત્રુંજય મહિમાનું વર્ણન મધુર વાણીમાં કરી રહ્યાનું અને શેઠશ્રી માણેકશા અને અન્ય ધર્માજનો જિનવાણીનો લાભ લઈ રહ્યાનું આ ચિત્રમાં નજરે પડે છે. એજ રીતે પૂ. આ.શ્રી. આનંદવિમલસૂરિજી મહારાજશ્રીના પ્રસંગોપાત વિસ્તૃત વિવેચન વખતે માણેકચંદ શેઠ, જિનપ્રિયા અને આનંદરતિ ભારે પ્રભાવિત થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy