SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 335 આપે છે તેમ નથી, તેઓને પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવો હોઈ મોક્ષમાર્ગના આરાધકોને સ્વભાવથી પણ સહાયક બની પોતાનું કર્તવ્ય દર્શાવે છે. શાસ્ત્રોમાં મોક્ષમાર્ગના આરાધકોને સમ્યગુદષ્ટિ દેવોએ સહાય કર્યાના સંખ્યાતીત પ્રત્યક્ષ બનાવો વર્ણવેલ છે. માટે જ ચતુર્વિધ સંઘના શિરતાજ, નાયક સમાન શાસનસુકાની હાલના વર્તમાન તમામ આચાર્ય ભગવંતોના તપ-ત્યાગ- ચારિત્રના પ્રભાવે દેવો આકૃષ્ટ થઈને પરોક્ષ યા પ્રત્યક્ષ રૂપે સહાયભૂત થતાં શ્રી ગૌતમ ગણધરથી પ્રકટ થયેલી ગણધરવિદ્યા અર્થાત્ સૂરિમંત્રની આરાધના કરે છે. તે સૂરિમંત્રની પંચપીઠની આરાધના કરતાં વિદ્યાની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવી, સૌભાગ્યપ્રદાયિની શ્રી ત્રિભુવન સ્વામિની દેવી, શ્રી લક્ષ્મીદેવી અને શ્રી ગૌતમસ્વામી પ્રત્યે અતિ ભક્તિવંત શ્રી ગણિપીટક યક્ષરાજ, જયા, વિજયા, અપરાજિતા અને જયંતિ દેવીઓની આરાધનાનો પણ સૂરિમંત્રની આરાધનામાં સમાવેશ થઈ જાય છે અને આ જ આરાધનાના પ્રભાવથી પણ સૂરિવર ભગવંતો શાસનપ્રભાવનાનાં સુંદર કાર્યો અભૂતપૂર્વપણે વિશેષ સ્વરૂપે કરાવી શકે છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવંત પ્રત્યે પૂર્ણ ભક્તિવંત દેવો કેટલીકવાર મોક્ષમાર્ગી આરાધકની મનોકામનાઓ તૃપ્ત કરે છે, તો કેટલીકવાર આવી આરાધનાની પૂર્ણતાની અનુમોદના કરી મહોત્સવોમાં અદશ્યરૂપે કૃપા વરસાવતા હોય છે. જેમ આરાધકનું લક્ષ્ય દેવના જાપ-પૂજા-અર્ચના દ્વારા પરંપરાએ મોક્ષ હોવો જરૂરી છે તેમ પ્રસન્ન થયેલ કે આરાધ્ય બનેલ દેવનું સહાયક થવું એ પરંપરાએ મોક્ષમાર્ગ છે. સાધર્મિક વાત્સલ્ય એ સમ્યગુદર્શનનો આચાર છે. દેવદેવીઓ અપેક્ષાએ આપણા સાધર્મિક બંધુ, સાધર્મિક માતા સમ છે. વિશિષ્ટ જિનપ્રતિમાઓના – સ્તોત્રોના – યંત્રોના – મંત્રોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે. તે તે યંત્ર-મંત્રના આરાધકોને પ્રત્યેક ક્ષેત્રે સહાય કરે છે. સમ્યગૃષ્ટિ દેવોથી થતી આ સહાયપ્રદાન પાછળ મોક્ષપ્રાપ્તિનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોવો આવશ્યક હોય છે. સમ્યગુદષ્ટિ દેવોની આરાધનાનો ક્રમ આપણે ત્યાં નિર્ધારિત કરવામાં આવ્યો છે, તે ખૂબ જ આનંદદાયક છે. સંસાર દાવાનલ કલ્યાણકંદ' સ્તુતિ જેવી સ્તુતિઓની રચના જોતાં આપણને ખ્યાલ આવે છે કે પ્રથમ આરાધ્ય વીતરાગ દેવાધિદેવ'ની સ્તુતિ હોય છે. ક્રમશઃ આગમશ્રતની પ્રાર્થના કર્યા બાદ શાસનરક્ષક દેવદેવીઓને પ્રાર્થના હોય છે. આ અંગે હરિભદ્રસૂરિ મહારાજા પણ જણાવે છે કે, 'प्रतिबध्नाति हि श्रेय पूज्यपूजाव्यतिक्रम ' અર્થાતુ પૂજ્યની પૂજાને ઓળંગી જવાય તો ચોક્કસ મંગળ રોકાય છે, માટે અધિષ્ઠાયકોનો ગમે તેટલો ઉપકાર હોય કે ગુરુભગવંતોનો ગમે તેટલો પ્રભાવ ચમત્કાર હોય પણ મહા ઉપકારી વીતરાગ પરમાત્માની ભક્તિનો ક્રમ અને જિનેશ્વર પ્રત્યેનો આદર તો સર્વોપરી જ રાખવો. તાત્પર્ય અધિષ્ઠાયક દેવોનો આદર વીતરાગ પરમાત્માના અનાદર સુધી તો ન જ પહોંચવો જોઈએ. આ સર્વને લક્ષમાં લઈ આપણે સૌએ અધિષ્ઠાયક દેવદેવીઓની આરાધના કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy