SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ 336 તપાગચ્છાધિષ્ઠાયક આમ જૈન ધર્મની અત્યંત ભાવભરી ભક્તિ કરવા દ્વારા મનુષ્યભવને સાર્થક કરી, જિનેશ્વર ભગવંતની નિર્મળ આરાધનાના પ્રભાવથી, જૈન શાસનના અત્યંત અનુરાગથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા એવા દેવો શાસનના અધિષ્ઠાયક દેવો તરીકે રક્ષા કરી રહેલ છે, તેમાં હાલ મુખ્ય ચાર દેવોની આરાધના વ્યાપકપણે થાય છે. (૧) ક્ષેત્રપાળદેવ, (૨) શ્રી ઘંટાકર્ણ મહાવીર, (૩) શ્રી માણિભદ્રવીર અને (૪) નાકોડા ભૈરવ. • ૧. કોઈ પણ મંગળ કાર્યનો પ્રારંભ થાય ત્યારે તે ક્ષેત્રની રક્ષાની પ્રાર્થના સ્વરૂપ સૌપ્રથમ ક્ષેત્રપાળ દેવની સ્થાપના કરવામાં આવે છે. અને તે ક્ષેત્રમાં થતાં શુભ કાર્યોમાં વિઘ્ન ન થાય અને કાર્ય સરળતાથી પૂર્ણ થાય તેમ વિનંતી કરવા પૂર્વક તેઓશ્રીનું સ્થાપન થાય છે. ૨.શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની પૂજા-અર્ચનાનો અધિકાર પણ શાંતિસ્નાત્ર-અષ્ટોત્તરીમાં અષ્ટગંધથી કાંસાની થાળીમાં મંત્ર–આલેખન દ્વારા નિર્દેશ કરવામાં આવેલ છે. ૩. શ્રી માણિભદ્રવીર તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે, જે દેવના ક્ષેત્રમાં રહીને સર્વ તપાગચ્છ સાધુ ભગવંતો મોક્ષમાર્ગની આરાધના કરે છે તે સહુને સહાયભૂત થવા દ્વારા શાસનની રક્ષા કરે છે–જેઓશ્રીનો વિસ્તૃત ઇતિહાસ–વૃત્તાંત આપશ્રીને આ જ ગ્રંથમાં અન્ય લેખકો દ્વારા આપવામાં આવેલ છે, તેનું વાંચન કરી લેવું. ૪. શ્રી નાકોડા ભૈરવ રાજસ્થાન-મારવાડમાં ખૂબ જ પ્રસિદ્ધ ઉપાસ્ય દેવ છે. તેઓશ્રી પણ સર્વ શાસનભક્તોને સહાય કરનારા છે. આ સર્વપ્રચલિતદેવોમાં પ્રાચીન કાળથી આજ દિન પર્યંત સૌથી વધારેમાં વધારે વ્યાપક– પણે સ્થાપના-આરાધના શ્રી માણિભદ્ર દેવની છે. શ્રી માણિભદ્રવીર માલવ નામના દેશમાં ઉજ્જૈન નગરીમાં માણેકશાહ નામના શેઠ સોદાગર હતા. વિ.સં. પંદરના સૈકામાં જિનપ્રિયાની કુક્ષિએ આ પુત્રનો જન્મ થયેલ. બાળક થોડો મોટો થયેલ ત્યારે તેના પિતા ધર્મપ્રિય શાહે આ લોકથી વિદાય લીધેલ. માતાએ તેના પિતા જેવો કુશળ સોદાગર બનાવેલ. નીતિપર્ણ વેપાર કરી તેઓ લોકપ્રિય બનેલ. તેઓનાં માતાપિતા તપાગચ્છીય શાસન-શિરોમણિ પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ.સા.ના અનુયાયી હતાં. માણેકશાહ પણ તે પ્રમાણે જ ધર્મક્રિયા આચરતા. એક વખત લોકાશાહના યતિઓ આવેલ. તેઓના ધર્મોપદેશ સાંભળી તે લીંકામતી બન્યા. આ વાત જાણી તેઓનાં માતુશ્રી તથા ધર્મપત્ની વ્યથિત થયાં અને જ્યાં સુધી પુત્ર-પતિદેવ સુધર્મને પુનઃ ન આરાધે ત્યાં સુધી છવિગઈનો ત્યાગ કર્યો. આ પ્રતિજ્ઞાની જાણ થતાં માણેકશાહે કહ્યું કે, જો સદ્ગુરુ મારી શંકાનું સમાધાન કરે તો હું તપાગચ્છીય આમ્નાય પ્રમાણે ધર્મારાધના પુનઃ શરૂ કરીશ. છ માસ બાદ પૂ. આ. શ્રી. હેમવિમળસૂરિજી તથા પૂ. આ. શ્રી. આનંદવિમળસૂરિજી મહારાજ વિહાર કરતાં ઉજન નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા. સર્વે મુનિવરો કાઉસગ્ગ-ધ્યાનમાં લીન હતા ત્યારે, માણેકશાહે રાત્રે આવી મુનિવરોની સમતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy