SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 337 પરીક્ષાથે હાથમાં મશાલ લઈ પૂજ્યપાદ ગુરુદેવના દાઢીના વાળ ચામડી બાળ્યાં. છતાં પણ ગુરુદેવ ધ્યાનમાંથી ચલિત ન થતાં, સમતારસમાં રહેલા ગુરુ પ્રત્યે માણેકશાહને અહોભાવ પ્રગટયો અને પોતાના દુષ્કૃત્યની ક્ષમા પ્રાર્થના સાથે સ્વઘરે પધારવાની વિનંતી કરી. ત્યારબાદ સ્વગૃહે ગુરુમુખે માણેકશાહની શંકાઓનું નિવારણ થતાં લોકાયત–મતનો ત્યાગ કરી મહા સુદિ પાંચમના દિવસે બાર વ્રત ઉચ્ચરી ધર્મનિષ્ઠ બન્યા. વેપાર અર્થે શેઠ માણેકચંદ પાલી–મારવાડ હતા ત્યારે યોગાનુયોગ પૂ. ગુરુભગવંતો શ્રી હેમવિમળસૂરિજી મ. તથા પૂ. આ. શ્રી આનંદવિમળસૂરિજી મ.સા. વિહાર કરતાં ત્યાં પધાર્યા. પાલીમાં ઠાઠમાઠથી પૂજ્યપાદશ્રીનું ચતુર્માસ કરાવી નિયમિત ધર્મચર્ચાઓમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા.' શ્રી શત્રુંજય માહાસ્ય' ઉપરના વ્યાખ્યાન-શ્રવણથી તેઓશ્રીમાં શત્રુંજય તીર્થની યાત્રાનો મનોરથ જાગ્યો અને ગુરુ સન્મુખ સંકલ્પ કરી, ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ સંઘ સાથે મંગળ પ્રયાણ કર્યું. શ્રી શત્રુંજયગિરિની તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી ઉપવાસનો નિયમ લીધો. તેઓ નવકારમંત્ર અને શત્રુંજયતીર્થના ધ્યાનમાં લીન બની ઉદાસીનતા ને થકાવટ વગર, ઉલ્લાસપૂર્વક સંવેગરંગે માર્ગ કાપતા લગભગ સાતમા દિવસે પાલનપુર પાસે મગરવાડા ગામ નજદીક પધાર્યા. તે ગામમાં વસ્તી અતિ અલ્પ હતી. ગામની નજીક ઘાટી વનરાજિમાં ભયંકર ઉજ્જડતા ભાસતી હતી. ત્યાં ચોર-લૂંટારાનો ઉપદ્રવ સતત તોળાઈ રહેતો. બન્યું પણ એવું જ. ત્યાં વિશ્રામ કરી રહેલા સંઘ પર ચોરોએ આક્રમણ કર્યું. ચોરો સાથેની ઝપાઝપીમાં માણેકચંદના તલવારથી ત્રણ ટુકડા થઈ ગયા.... મસ્તક, ધડ અને પગ જુદાં થઈ ગયાં. પણ શત્રુંજયના ધ્યાનમાં મગ્ન એવા પરમાત્માના પ્રભાવથી શુભ ધ્યાનમાં મૃત્યુ પામી માણેકચંદ વ્યંતરનિકાયના છઠ્ઠા ઇન્દ્ર શ્રી માણિભદ્રજી થયા. શ્રી માણિભદ્રદેવે પ.પૂ. આ. ભ.શ્રી હેમવિમળસૂરિજી મહારાજને વિનમ્ર ભાવે વિનંતી કરી કે, " આ સ્થળ (મગરવાડા) પર ભૂમિથી ચાર આંગળ ઊંચા મારાં પગલાં પડ્યાં છે તે સ્થળ પર આપના વરદ હસ્તે પગની પિંડીની સ્થાપના કરશો, જેના કારણે સ્થળનો પ્રભાવ વિસ્તરશે. આપશ્રીની પાટ પરંપરા અર્થાત્ તપાગચ્છની પાટે જે જે નૂતન આચાર્યભગવંતો આ સ્થાને આવીને અઠ્ઠમ તપ કરશે તેઓશ્રીની સેવામાં રહી ધર્મકાર્યોમાં સહાય કરીશ; જેથી જિનશાસનની સુરક્ષા–સેવાનો મને લાભ પ્રાપ્ત થશે અને સમકિત નિર્મળ રહેશે–જિન શાસનની ઉન્નતિમાં હું સહાયક બનીશ." ત્યારબાદ પૂજ્યપાદશ્રીએ યક્ષેન્દ્રના સંકેત અનુસાર પગની પિંડી આકારની સ્થાપના મહાસુદ ૫ ના દિને મગરવાડા ગામના સીમાડે કરાવી. શ્રી જિનશાસનની ઉન્નતિ કરાવવાના આશયથી પ.પૂ.આ.શ્રી શાંતિસોમસૂરિજીએ ૧૨૧ ઉપવાસ કરી દેવને પ્રત્યક્ષ કર્યા અને યક્ષેન્દ્રના સંકેત અનુસાર મહા સુદ ૫ ના દિવસે આગલોડ નગરની બહાર વીરના બતાવેલ સ્થાને માટીના પિંડનું ધડ સ્વરૂપે સ્થાપન કર્યું. શ્રી માણિભદ્રએ કહ્યું કે, " જે આચાર્ય આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તો આગલોડ સ્થાને આવી ઉલ્લાસ પૂર્વક અઠ્ઠમતપ કરશે તો પણ તેઓશ્રીના જિનશાસન સુરક્ષાના સેવાના–પ્રભાવનાના કાર્યમાં સહાય કરીશ. એવા તપાગચ્છના અધિષ્ઠાયક, શાસનરક્ષક શ્રી માણિભદ્રવીરનાં ચરણોમાં કોટી કોટી વંદન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy