SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ [,38 તપાગચ્છાધિષ્ઠાયક 'જૈનશાસનરક્ષામાં સદાકાળ જાગૃત દેવ-દેવીઓ અને 'શ્રી માણિભદ્રજીનો આછેરો પરિચય – શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ જેને શાસ્ત્રોમાં શાસનદેવીઓ ઉપરાંત શ્રુતદેવતા, શાંતિદેવતા અને સોળ વિદ્યાદેવીઓનાં વર્ણનો આપણને જોવા મળે છે. ઉપસર્ગોનું નિવારણ અને જનકલ્યાણ આ દેવદેવીઓનું મુખ્ય કાર્ય છે. આ લેખના લેખક પોતે જૈનેતર હોવાને કારણે જૈનશાસનની મૂળભૂત બાબતોથી અજાણ હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં લેખકની આ કૃતિ દરેક ધર્મનાં દેવદેવીઓની અગત્યતા વિષે સારો એવો પ્રકાશ પાડે છે. આ ગ્રંથશ્રેણીમાં વર્ષોથી તેઓ રસ લઈ રહ્યા છે. | તીર્થંકર દેવો ધર્મતીર્થના સ્થાપક હોય છે, સાક્ષાત્ પરમૈશ્વર્યના સ્વામી હોય છે અને આત્માના પૂર્ણ સ્વરૂપને પામી આત્મસાક્ષાત્કારનો જે માર્ગ બતાવે છે તે જ જૈનધર્મ છે. જૈનત્વને પામેલાં દેવીદેવતાઓ ભૌતિક સુખોને નગણ્ય ગણતાં હોય છે. કર્મ અને કાયાને તપાવે તે તપ તેના બાહ્ય અને અત્યંતર બે ભેદ શાસ્ત્રસિદ્ધ છે. કર્મના આંશિક વિનાશ જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવે છે અને સર્વનાશ આત્માને પુનિત બનાવે છે. જગતના કર્તાહર્તા રૂપ ઈશ્વરની માન્યતા જૈનજગતમાં નહીં હોવા છતાં પૂર્ણ આત્મસ્વરૂપને પામેલા પરમાત્માનું સ્વરૂપ જે રીતે વર્ણવાયેલું છે તે ખરેખર અલૌકિક છે. સમસ્ત દષ્ટિદેવતાઓ પણ તે સ્વરૂપને ઝંખે છે. આ બધી બાબતો ખાસ નોંધવા જેવી છે. – સંપાદક જીવનમાં ડગલે ને પગલે, વ્યવહારમાં અને અધ્યાત્મમાં, ઘરમાં અને બહાર, વ્યક્તિમાં અને સમષ્ટિમાં, બહિર્જગતમાં અને અંતર્જગતમાં સર્વત્ર સર્વકાળે દેવ-દેવીઓની સહાયની આવશ્યકતા રહે છે. આ પવિત્ર દેવ-દેવીઓનાંચિંતન, મનન, ધ્યાન, નિદિધ્યાસન દ્વારા મનુષ્યનું ચિત્ત પરમ શાંતિ, પરમ દિવ્યતા અને પરમ સંતોષ પામી મોક્ષાભિમુખ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy