SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 281 Ex s 1 1 1 એના મહિમાનું વર્ણન કરનારને, એનું દર્શન, પૂજન, સ્પર્શના, સ્તવના કરનારને અને એના મહિમાનું દિવ્ય અમૃતપાન કરનારને. બીજાં બધાં તીર્થો કદાચિત અનિયત અને ક્ષેત્રની અપેક્ષાએ તથા અમુક કાળ માટેનાં તીર્થ ગણાય છે, જ્યારે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજ તો સદા–સર્વદા, ત્રણેય કાળમાં તીર્થરૂપ છે. આવા તીર્થનો મહિમા પંદર ક્ષેત્રના તીર્થકર દેવોના શાસનમાં પ્રભાવવંતો રહ્યો હતો, રહો છે. અને રહેશે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માથી માંડીને ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્મા સુધીના અરિહંતોએ સ્વમુખે શ્રી શત્રુંજય મહાતીર્થ, સિદ્ધાચલ, સિદ્ધગિરિ, વિમલગિરિ, પંડરીકગિરિ, સુભદ્રગિરિ, કંચનગિરિ આદિ ૧૦૮ નામો વડે જેના મહિમાનું વર્ણન કર્યું છે, એવા તથધિરાજ શ્રી શત્રુંજયગિરિના મહિમાનો પ્રભાવ અનાદિકાળથી આજ સુધી અતિશય વિસ્તારને પામ્યો છે. અત્યાર સુધીના અનેક ત્યાગી, જ્ઞાની ગીતાર્થ શાસ્ત્રોના જાણકાર એવા પ્રાચીન અને અર્વાચીન મહાત્માઓએ, પૂજ્ય આચાર્યાદિ શ્રમણ ભગવંતોએ, શ્રદ્ધાળુ શ્રાવકગણે સ્તવનો, સ્તુતિઓ, દુહાઓ, વિવિધ વર્ણનો પૂર્વક, કાવ્ય અને લેખો દ્વારા પોતાની વિદ્વતાપૂર્ણ પ્રભાવશાળી ભાષામાં શ્રદ્ધાપૂર્વક સ્તવ્યો છે, પૂજ્યો છે, ગાયો અનુમોદના કરી છે અને શ્રી શત્રુંજયનાં ચરણોમાં કોટી કોટી વંદના કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. એક કવિએ કહ્યું છે કે, " એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પાર" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy