SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 213 છે. હું શીધ્ર તેમની સેવા કાજે સમુપસ્થિત બનીશ. તેઓશ્રી મને ધર્મલાભ' રૂપી આશીર્વાદ આપશે તો હું મારા જીવનને કૃતાર્થ સમજીશ. મારું સમ્યગ્દર્શન નિર્મળ બનશે અને જિનશાસનની રક્ષા અને પ્રભાવનામાં હું સહાયક બનીશ." પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રવીરની વિનંતિનો સ્વીકાર કર્યો. ત્યારબાદ માણિભદ્રજી પુનઃ ગુરૂમુખે ધર્મલાભની આશિષ પામીને વિદાય થયા. મહા સુદ પાંચમના શુભ મુહૂર્ત અને શુભ ક્ષણે પૂ. આચાર્ય ગુરુદેવે મગરવાડા ગામની બહાર યોગ્ય સ્થળે શ્રી માણિભદ્રજીના પગની પિંડીની સ્થાપના કરાવી અને પ્રતિષ્ઠાવિધિ કરી. ત્યારથી આજ સુધી આ મગરવાડાની ભૂમિનું આ સ્થાન અત્યંત મહિમાવંતું અને મોંઘેરું બની ગયું છે. 'મગરવાડિયા વીર'ના નામે માણિભદ્રજીનો મહિમા સુપ્રસિદ્ધ બન્યો છે. સૂરિદેવે આ પ્રતિષ્ઠા-પ્રસંગ બાદ, જિનશાસનના અધિષ્ઠાયક માણિભદ્રદેવને "તપાગચ્છ-રક્ષક" તરીકેની પદવી અર્પણ કરી... અને માણિભદ્રજી તેથી પરમ પ્રસન્નતાને પામ્યા. શ્રી માણિભદ્રજીના કથનાનુસારે તેમનાં ત્રણ સ્થાનો છેઃ (૧) ઉજ્જૈનમાં તેમનો જન્મ છે. ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોડમાં તેમનું ધડ પૂજાય છે અને... (૩) મગરવાડામાં પિંડીની પૂજા થાય છે. પૂ. જિનશાસનના અન્ય મહાન આચાર્યશ્રી વિજયશાંતિસોમસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરવા કાજે અને જૈન શાસનના અભ્યદય કાજે " એકસો ને એકવીશ' ઉપવાસની સુદીર્ઘ તપશ્ચર્યા કરી હતી અને તેના પ્રભાવે શ્રી માણિભદ્રવીર પ્રત્યક્ષ થયા હતા. ત્યાર બાદ શ્રી માણિભદ્રજીના કથનાનુસારે વિ.સં. ૧૭૩૩ની સાલે મહા સુદિ પાંચમના શુભ દિવસે આગલોડ નગરની બહાર, શ્રી માણિભદ્રજીએ જ બતાવેલા સ્થાન પર માટીના બનેલા પિંડનું ધડ સ્થાપન કરાયું.પૂ.આ. શ્રી વિજયશાંતિસોમસૂરીશ્વરજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આગલોડમાં પણ શ્રી માણિભદ્રજીનો મહિમા અત્યંત વૃદ્ધિગત બન્યો. પૂ. આચાર્યશ્રી શાંતિસોમસૂરીશ્વરજી મ.ને માણિભદ્રજીએ કહ્યું હતું કે : " આચાર્ય પદવી પામ્યા બાદ જે સાધુ ભગવંતો મગરવાડા સુધી ન જઈ શકે, તેઓ જો આગલોડ આવીને પણ મારા આ સ્થાનકે આરાધના કરશે, તો તેમની ઇચ્છાઓ હું પૂર્ણ કરીશ અને મને " ધર્મલાભ"ની આશિષ આપશે, તેમને શ્રી જિનશાસનની પ્રભાવના કરવામાં હું સદૈવ સહાય કરતો રહીશ." આજે તો અનેક ગ્રામ-નગરોમાં શ્રી જિનમંદિરો–ઉપાશ્રયોમાં શ્રી માણિભદ્રદાદાની મૂર્તિની સ્થાપના થાય છે. શ્રી જિનભક્તો શ્રી જિનેન્દ્રદેવની પૂજા-ભક્તિ કર્યા બાદ શ્રી માણિભદ્રદેવની પૂજા કરે છે, તેમના મંત્રનો જાપ કરે છે. શ્રી માણિભદ્રવીર જૈનોના (તપાગચ્છના) રક્ષક દેવ માનવામાં આવે છે. તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ, શાંત, પ્રશાંત, વિવેકી અને સદાચારી છે. ધર્મપ્રેમી મનુષ્યોને મદદ કરે છે અને સાધકને પ્રત્યક્ષ થઈ દર્શન પણ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy