SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 214 તપાગચ્છાધિષ્ઠાયક મગરવાડાના શ્રી માણિભદ્રજીનું મંદિર (૧) જિનશાસનની તપાગચ્છીય પદ્દમી પાટે આવેલા આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે, 'તપાગચ્છના અધિષ્ઠાયક દેવ'તરીકે શ્રીમાણિભદ્ર વીરની સ્થાપના વિ.સં. ૧૫૭૫માં (લગભગ) કરી અને તેમનું મંદિર બનાવ્યું. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ.નો સમય વિ. સં. ૧૫૪૭ થી સં. ૧૫૯૦ની વચ્ચે હતો. અને વિ. સં. ૧૫૪૭ શ્રી માણિભદ્રવીર પ્રગટ થયા હતા. (વિવિધ ગચ્છીય પટ્ટાવલિ સંગ્રહ.) (૨) પૂ. આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજીની પ્રેરણાથી શ્રી માણિભદ્રવીરનું જે મંદિર તૈયાર થયું તે શિખર વિનાનું હતું. વિ. સં ૧૬૬૦–૫ લગભગ, તપાગચ્છીય જૈનાચાર્ય – પટ્ટ–પરંપરામાં 9મી પાટે આવેલા પૂ. આચાર્યશ્રી વિનયદેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ મંદિરના શિખરનું નિર્માણ થયું. (૩) તપાગચ્છીય ૭૦મી પાટે આવેલા પૂ.આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી મગરવાડાના આ શ્રી માણિભદ્રજી વીરના મંદિરનો સભામંડપ તૈયાર કરવામાં આવ્યો. (૪) વિ. સં. ૧૭૩૩માં પૂ.આ. શ્રી વિજયશાંતિસોમસૂરીશ્વરજી મહારાજે મગરવાડામાં અખંડિત ૧૨૧ ઉપવાસની મહાન આરાધના કરી હતી, જેના પ્રભાવે શ્રી માણિભદ્ર વીર આચાર્યદેવશ્રી સમક્ષ પ્રત્યક્ષ થયા હતા. (૫) પૂ. આચાર્યશ્રી વિજયમુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી વિ.સં. ૧૯૭૩-૭૪માં શ્રી માણિભદ્ર વીરના આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. (૬) વિ.સં. ૧૭૩૩ પછી શ્રી માણિભદ્રજીના મગરવાડાના આ મંદિરની અંદર શ્રી વીરની પૂજા–સાધના માટે તપાગચ્છીય જૈન શ્રી પૂજ્યોને આ મંદિરનો કબજો અપાયો હોય તેમ જણાય છે. (૭) તે પછી શ્રીપૂજ્યોની આગળની પરંપરાના અન્ય શ્રીપૂજ્યો આ મંદિરની સેવા-પૂજા કરતા આવ્યા છે. અને આજ સુધી એ વંશપરંપરાગત ભારતના તપાગચ્છીય ઇન્દોર, ઉજ્જૈન, ભીંરા, બીકાનેર વગેરેના શ્રીપૂજ્યો હસ્તક આ મંદિરની સંભાળ રખાતી અને તે શ્રીપૂજ્યોના પ્રતિનિધિ–યતિ તેનો વહીવટ સંભાળતા હતા. (૮) શ્રી માણિભદ્ર વીરના મંદિરમાં અતિ સુંદર ચાંદીની છત્રીઓમાં ઢીંચણોની (પિંડીની) સ્થાપના કરવામાં આવી છે. દેરીમાં તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવનાં માતાજી શ્રી ત્રિશલાદેવીને આવેલાં ચૌદ સ્વપ્નો અને અન્ય સુંદર કોતરકામ કરવામાં આવ્યું છે. (૯) શ્રી માણિભદ્રજીના મંદિરના સભામંડપમાં ઘુમ્મટના ભાગમાં અતિ દર્શનીય ચિત્રકામ તૈયાર કરાયું છે, જેમાં માણેકશાહ શેઠના અને પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. ના વિભિન્ન પ્રસંગોનું નિદર્શન કરાયું છે, તથા પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુજી અને કમઠના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy