SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ 622 તપાગચ્છાધિષ્ઠાયક આવે ત્યાં સુધી મારે મન ઘીનો સર્વથા ત્યાગ છે." " ઓહ, બા..! તમે કેટલાં મહાન છો ! પુત્રના આત્મકલ્યાણની કેવી ઊંચી ઊર્મિઓ આપના અંતરમાં નાચી રહી છે! બા, હું ઇચ્છું કે આપનાં અરમાનો જલદી પૂર્ણ થાય! આપની પ્રતિજ્ઞાના સ્વર તેમના રોમરોમને ધણધણાવી મૂકશે. અને હા.... હું પણ આજે જ ઘીના ત્યાગની પ્રતિજ્ઞા લઉં છું." " ના આનંદરતિ ના! તારે એવી કઠોર પ્રતિજ્ઞા લેવાની ન હોય." " બા, આપ ચિંતા ન કરો. આપ મારા પ્રેરણાપથ છો, મારો નિર્ણય દઢ છે." ૨. ધર્મપત્ની તો આનંદરતિ ! અર્તગત દિવાનાથની વિદાય અને સંધ્યારાણીના સપ્તરંગી આગમને ધરતી મરક મરક હસી રહી હતી, પણ આ હાસ્ય ક્ષણિક હતું. ટમટમતા તારલાની આકાશી ચાદર ઓઢીને રજનીદેવીનું પદાર્પણ થઈ ગયું હતું અને આવા સમયે શયનખંડનમાં એક જાજરમાન વ્યક્તિ પ્રવેશ કરે છે અને સામેથી શાંત આવકાર મળે છે બીજી વ્યક્તિનો. " આજે આખું વાતાવરણ કાં શુષ્ક દેખાઈ રહ્યું છે? ક્યાં હાસ્ય નહીં, સ્મિત નહીં, પ્રસન્નતા નહીં, અંતરનો આદર નહીં અને ઉમળકાભર્યો આવકાર નહીં. સદા હસતી આ દીવાલો જાણે ગમગીન બની ગઈ છે. સુવાસ ને સૌંદર્યથી ભીના બાગમાં ફૂલો પણ જાણે આજે અબોલા લઈ રહ્યાં છે!" " આનંદ....! આજે તારા ચહેરા પર આ ઉદાસીનતા કેમ? તારી આંખોના પેલા ખૂણે “આંસુ શાને દેખાઈ રહ્યાં છે? રતિ...! કેમ આજે આટલી વેદના ...? શું અણચિંતવ્યો કોઈ ધડાકો થઈ ગયો છે? કોઈ ગંભીર સ્થિતિ–પરિસ્થિતિનું નિર્માણ થયું છે? કહે, જલદી કહે, તારી આ પીડા મારાથી જોઈ શકાતી નથી." " નાથ! શું કહું આપને.... ઓહ... બા..." " આનંદ તું રડે છે? તારા રુદનનું કોઈ કારણ? શું તારા દિલની વ્યથા-કથા મને નહીં સંભળાવે...? આટલાં વર્ષોમાં કયારેક તારા મુખડા ઉપર વિકૃતિ પણ નથી દેખાઈ તો આજે આટલું આજંદ! તું નહીં જ બોલે રતિ ! શાંત થા, અને તારા મનની વાત જણાવ." અંતરનું દુઃખ જ્યારે આંસુ વાટે બહાર નીકળી જાય છે ત્યારે માનવમન કાંઈક હળવું ફૂલ જેવું બની જાય છે. આનંદરતિ પણ સ્વસ્થ બની બેઠી અને પતિ સામે નજર મેળવીને કહ્યું: " આર્યપુત્ર ! જેના દિલમાં માતા તીર્થરૂપે બિરાજમાન હોય તે ક્યારેય માના દિલને દૂભવે ખરા?" " આનંદ ...! શું બોલી રહી છે તું? મારી મા મહાન છે. એની રગેરગમાં અથાગ પુત્રવાત્સલ્ય ભર્યું પડ્યું છે. હું તો સદાય માના આશીર્વાદને ઝખું છું, અભિશાપ કે આહને નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy