SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 621 પ્રભો! મારા પુત્રને આજે સન્મતિ–સન્માર્ગ દર્શાવજે. જિનેશ....! મારા કુલદીપકને પુનઃ પ્રભુભક્તિનો રાહ દેખાડજે...! મધ્યાહ્નનો સમય થઈ ગયો છે. દરિદ્ર અને ભિક્ષુઓને અનુકંપાદાન અપાઈ ગયું છે. સાધુ-સાધ્વીજી મહારાજના સુપાત્ર દાનનો પાવન લાભ પણ મળી ગયો છે. અને માતા જિનપ્રિયા એકાસણું કરવા માટે ભોજનખંડમાં આવી ગયાં છે. આર્યસંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારના અમૃતપાને ઊછરેલ આનંદરતિ હૈયાના ભક્તિભાવથી માતા સમાન સાસુને જમાડવા માટે ઉત્સાહિત છે. કેસરવર્ણા કઢાયા દૂધના કટોરા ભરાયા છે. લીલાં શાક પીરસાયાં છે. અને જ્યારે સ્વહસ્તે બનાવેલ ગરમાગરમ રોટલી શુદ્ધ ઘીથી ચોપડવા આનંદરતિ તૈયાર થાય છેત્યારે જિનપ્રિયા આંખોમાં અશ્રુ સાથે બોલી ઊઠે છે : " બેટા ! આજ મારા ભાણામાં રોટલી લૂખી જ મૂકવાની છે. ઘીનો મારે સદંતર ત્યાગ છે. " " બા! આજે કોઈ પર્વ દિવસ નથી કે કલ્યાણક દિવસ નથી. શાને કાજે આપને ઘીનો ત્યાગ.? અને બા.....! આપની આંખે આ બોર જેવડાં આંસુ કાં? મારી કોઈ ભૂલ.... આપના પુત્રની કોઈ ભૂલ ! બા, કહો, જલદી કહો આપનાં આંસુ મારાથી જોવાતાં નથી." "બેટા રતિ! તું તો મારા કાળજા ની કોર છે. તારા જેવું સ્ત્રીરત્ન તો કોઈ ભાગ્યશાળીને જ લાધે. તું તો સર્વથા નિર્દોષ છે. તે આજ સુધી ક્યારેય મારું વચન ઉથાપ્યું નથી, તો સામે બોલવાનો, પ્રતિકારનો કે અપમાનનો તો પ્રશ્ન જ ક્યાં?" " તો, બા? આપના પુત્રે કોઈ ભૂલ કરી છે? કહો, કહો બા ! " "હા, રતિ ! મારા બાલે ભૂલ કરી છે, ગંભીર ભૂલ કરી છે, સહન ન થાય તેવી ભૂલ કરી છે, અને તેની અન ભૂલ ફૂલની જેમ મને ડંખ મારી રહી છે. હજાર હજાર મધમાખી એકસાથે ધસી આવે અને મારા પર તૂટી પડે છતાં જેવી વેદના ન થાય એથી ય વધુ વેદના મારા પુત્રનીકુલદીપકની ભૂલથી થઈ રહી છે." જિનપ્રિયાના એક એક શબ્દ આનંદરતિનો આશ્ચર્યભાવ વધતો જતો હતો. મારા નાથ પરમ માતૃભક્ત છે. માના એક જ શબ્દ બધું જ કરી છૂટવા તૈયાર થનાર એમણે ભૂલ. ગંભીર ભૂલ... અને તે પણ સહન ન થાય એવી કઈ ભૂલ કરી હશે! બા. પણ ક્યારેય અસત્ય બોલે તેવાં નથી. જરૂર, આજ કંઈક ગડબડ દેખાય છે. શું હશે? વિચારોની તંદ્રામાં આનંદરતિ શૂન્યમનસ્ક બની જવા લાગી. " બેટા....! તું બીજો કોઈ વિચાર ન કરીશ. સાંભળી લે, મારા પુત્રની ગંભીર ભૂલ કે જે એણે ધર્મપરિવર્તન કર્યું છે. પરમાત્મભક્તિનો પૂજારી આજે ભક્તિનો દુશ્મન બન્યો છે. ત્રિકાળ પૂજા કરનારો એ ભક્ત ભગવાનનાં દર્શન કરવા પણ તૈયાર નથી. રતિ ! અન્ય ભૂલોથી તો આ જનમ જ બગડવાનો. પરંતુ જિનપૂજાનો ત્યાગ કરવાથી તો એના જનમ જનમનું ભ્રમણ વધી જવાનું–અને એથી જ મારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી ઉન્માર્ગે ગયેલો મારો પુત્ર પુનઃ સન્માર્ગે ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy