SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માણિભદ્રદેવ તપાગચ્છના અધિષ્ઠાયક છે. ધર્મમાં સહાયક છે. સમર્થ શક્તિસમ્પન છે. શ્રીનવકાર મહામંત્રના અને શ્રી શત્રુંજય તીર્થાધિરાજના તેઓ પરમ ભક્ત પણ છે. શ્રી માણિભદ્રજીની પૂર્વકથા, ઇતિહાસ, તેમનો પ્રભાવ અને મહિમાનું ગાન આ ગ્રંથમાં અનેક લેખકો દ્વારા વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવેલું છે, તેથી તેની પુનરુક્તિ કરવી એ અનાવશ્યક છે. ઘણા ભાવિકોનો એવો પ્રશ્ન હોય છે કે અધિષ્ઠાયક દેવો આપણને સહાયક કેમ થતા નથી? અથવા થાય છે તો જલદી સહાયક કેમ નથી થતા? અથવા તેઓ દ્વારા વિશિષ્ટ પરચા કેમ અનુભવાતા નથી? આ પ્રશ્નોના જવાબ, આ જ ગ્રંથમાં વિદ્વાન પૂ. મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી મહારાજે " અધિષ્ઠાયકોની આવશ્યકતા" નામના લેખમાં ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે, તે વાંચી જવાની ખાસ ભલામણ કરું છું. શ્રી માણિભદ્રજીની સ્થાપનાહવેતો લગભગ બધાંજિનાલયોમાંગોખલાઓમાં અથવાજિનાલયની બાજુમાં જ સ્વતંત્ર દેરીમાં કરાય છે, જે અત્યંત ઉચિત છે. મારી દષ્ટિએ શ્રી માણિભદ્રજીની સ્થાપના અને ઉપાસનાનો પ્રચાર આપણા શ્રીસંઘોમાં વધુ ને વધુ વ્યાપક બનવો જોઈએ. કેમકે શ્રી માણિભદ્રદેવ તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે, જિનશાસનના પરમ ભક્ત છે અને શ્રી શત્રુંજય તીર્થના મહાન અનુરાગી છે. આથી તેમની વિશિષ્ટ સાધના-ઉપાસના કરનારાને તે અચૂક ફળ આપનાર બને છે. શાસન અને સંઘના જટિલ પ્રશ્નોમાં, તીર્થરક્ષા અને સંઘરક્ષાના પ્રસંગોમાં તેમની સામૂહિક પૂજા–ભક્તિ અને ઉપાસના શીઘ્ર ફળદાયક છે. તે નિઃશંક છે. શ્રી માણિભદ્રદેવનો નવકારપ્રેમ અને શત્રુંજય પ્રેમ તેમના જીવનની પૂર્વકથાનો અભ્યાસ કરતાં આપણા હૈયામાં અનેરો આદર ઉપજાવ્યા વગર રહેતો નથી. પરમ સમ્યગૃષ્ટિ અને એકાવતારી માણિભદ્રદેવની ભક્તિ અને ઉપાસના આપણા શ્રીસંઘમાં વૃદ્ધિગત બને, તે વ્યક્તિગત રૂપે સાધકના અને સમૂહગતરૂપે શ્રીસંઘના પણ પરમ હિતમાં છે તેવો મારો સ્પષ્ટ મત છે. પ્રસ્તુત ગ્રંથ અંગે ભાવનગરનિવાસી શ્રી નંદલાલભાઈદેવલુક છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈનશાસનને ઉપયોગી વિશિષ્ટ ગ્રંથોનું સુંદર સંકલન-સંપાદન કરીને સાહિત્યસેવા અને શાસનસેવા બજાવી રહ્યા છે. જુદા જુદા જાણકાર અને વિદ્વાન લેખકોના લેખોથી સમૃદ્ધ તેમના વિભિન્ન વિષયક ગ્રન્થો સાધકો અને આરાધકો માટે પ્રેરણાનો પુનિત સ્ત્રોત બની જાય તેમ છે. તેમણે જે અથાગખંત અને પરિશ્રમથી આવા વિશાળ ગ્રંથોનું કાર્ય આજ સુધી સફળતાથી પાર પાડ્યું છે, તે ખરેખર અભિનંદનીય અને અનુમોદનીય પણ છે. શ્રી દેવલુકનું આ નવતર નજરાણું આપણે સૌ અંતરના ઉંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ સ્વીકારીએ અને વધાવીએ. શાસનદેવ તેમના દ્વારા આવા અનેક જુદા જુદા વિષયોને લગતા ગ્રંથો તૈયાર કરવાની શક્તિ-સામર્થ્ય આપે તે જ મારા અંતરની અભિલાષા વ્યક્ત કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy