SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ મોક્ષ આપે છે. ધર્મનું અંતિમ ફળ મુક્તિ છે. મુક્તિ એટલે સર્વદુઃખોથી, સર્વ પાપોથી અને સકળ સંસારથી છુટકારો. આવી મુક્તિનું અનન્ય કારણ ધર્મ જ છે. તેથી ધર્મને પ્રથમ પુરુષાર્થ કહ્યો છે અને મોક્ષને અંતિમ એટલે કે ચરમ અને પરમ પુરુષાર્થ કહ્યો છે. મુક્તિ માટે ધર્મની સાધનાના અનેકવિધ યોગો છે. જેને જે યોગ વધુ અનુકૂળ આવતો હોય તેની આરાધના આરાધકે કરવી તે ઉચિત છે. પરમાત્મભક્તિનો યોગ, નવકાર આદિ મહામંત્રનો જપયોગ, અરિહંતના ગુણોની ચિંતવના ઈત્યાદિ રૂપ ધ્યાનયોગ; સામાયિક, પ્રતિક્રમણ, વિરતિની ઉપાસના આદિ ક્રિયાયોગ. મોક્ષમાર્ગની આરાધનાને સફળ અને સફળ બનાવવા માટે અમુક કક્ષા સુધી પુણ્યતત્ત્વની આવશ્યકતા રહે છે. અને પુણ્યતત્ત્વની અનુકૂળતા હોય તો પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, શારીરિક આરોગ્ય અને કૌટુમ્બિક સાનુકૂળતા આદિ પ્રાપ્ત થાય છે. આ બધાની અનુકૂળતા હોય તો ધર્મમાર્ગની આરાધનામાં ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે છે. સમ્યગ્દષ્ટિ દેવોની ઉપાસના અને આરાધના કરવાથી તેઓ સાધકને મુક્તિમાર્ગની આરાધનામાં સહાયક બને છે. ક્યારેક આ સહાય પ્રત્યક્ષ પણ હોય, અને ક્યારેક પરોક્ષ રૂપે પણ હોય છે. ગૃહસ્થ શ્રાવકો તો ધર્મમાર્ગમાં સહાયક સમ્યગ્દષ્ટિદેવોની ઉપાસના કરે તે તો ઉચિત છે, પરંતુ સાધુઓ પણ વિશિષ્ટ શાસનરક્ષા અને શાસન-પ્રભાવનાના હેતુસર સમ્યગુદૃષ્ટિ દેવોની આરાધના કરતા હોય છે. કોટિગણના સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધ નામનાપૂજ્ય આચાર્ય ભગવંતોએ એક કરોડવાર સૂરિમંત્રની સાધના કરી હતી અને સિદ્ધિવૈભવને પ્રાપ્ત કર્યો હતો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કંટકેશ્વરી દેવી દ્રારા રાજા કુમારપાળને કોઢરોગયુક્ત કરી દેવાતાં તેના નિવારણ માટે અંબિકાદેવીની સાધનાના બળે કોઢમુક્ત કર્યા હતા અને જિનશાસનની પ્રભાવના કરી હતી. પૂ. આ. દેવ શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે શ્રી માણિભદ્રદેવની સહાયથી કાળભૈરવના પોતાનામુનિઓ ઉપરના મરણદાયકઉપસર્ગોનું નિવારણ કર્યું હતું. આવાંતો સંખ્યાબંધદષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે કે અધિષ્ઠાયકદેવોની અથવા અન્ય સમ્યગૃષ્ટિદેવોની સહાય મેળવીનેવિશિષ્ટ સાધકસાધુઓએ જિનશાસનની રક્ષા અને પ્રભાવના કરી હતી. આપણા સર્વ પ્રથમ આરાધ્ય વીતરાગ છે. પછી બીજા નંબરમાં આરાધ્ય પંચ મહાવ્રતધારી શ્રમણ-શ્રમણીઓ છે અને ત્રીજા નંબરમાં સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓ છે. વીતરાગ સંપૂર્ણ કર્મમુક્ત છે. તેથી રાગાદિ દોષોથી મુક્ત છે. તેથી તેમને કોઈ પ્રશ્નો કે પ્રોબ્લેમો સતાવતા નથી જ. પરંતુ પંચમહાવ્રતધારી શ્રમણો હજી કર્મયુક્ત છે. હા. તેઓ આત્મગુણોની કે સાધના-આરાધનાની અપેક્ષાએ દેવો કે દેવીઓ કરતાં જરૂર આગળ છે; પરંતુ અમુક પ્રકારની ભૌતિક પુણ્યાઈની બાબતમાં દેવો કે દેવીઓ, શ્રમણો કરતાં પણ વધુ સમર્થ હોય છે. તેથી શ્રમણોને પણ શાસનરક્ષા–પ્રભાવના આદિ કારણોસર સમ્યગુદૃષ્ટિ દેવ-દેવોની સહાય મેળવવી પડે તે સુશક્ય છે અને અમુક પ્રસંગોમાં અતિ આવશ્યક પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy