SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 409 રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય) મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય પ્રાપ્ત થાય છે. તે ત્રીજા વલય-ચક્રના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આદર્શ પ્રાણોને સંસારી જીવો ધારણ કરે છે. તે સંક્ષેપમાં ૧૪ પ્રકારના બતાવવામાં આવ્યા છે. આ ચૌદે પ્રકારના જીવોનું સૂચન ચોથા વલયના ચૌદ ત્રિકોણો દ્વારા થાય છે. આ ચૌદ પ્રકારના જીવોમાં બ્રહ્માંડના સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. તેની આસપાસ આઠ કમળની પાંખડીઓ સ્વરૂપ એક વલય છે. પૂર્વે આત્માની સંજ્ઞા તરીકે ઓળખાયેલ ક્રોધ, માન, માયા, લોભ અહીં આત્માના ભયંકર શત્રુ તરીકે વર્તે છે. તે સિવાય રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, એ ચારે મળી, ઉપરના ચૌદે પ્રકારના અર્થાત્ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવના મહાન શત્રુઓ છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિમાં આ આઠેય બાધક છે. તેના ઉપર વિજય મેળવવો હોય તો અન્તર્મુખ બની સૌ પ્રથમ જ્ઞાન મેળવી, અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે માટે વર્ણમાતૃકાના પ્રતીક સ્વરૂપે ગ,મ, રૂ, ર્ ૩, , 2, , 7, 7, 5, 9, મો, ગૌ, , : સ્વરૂપ ૧૬ સ્વરોનું ધ્યાન કરવું આવશ્યક છે. આ સોળ સ્વરોની સાથે ૩૩ વ્યંજનોનું પણ ધ્યાન કરાય છે. તેનું સૂચન કમળની સોળ પાંખડીઓવાળા વલય-ચક્ર દ્વારા થાય છે. વર્ણમાતૃકાના ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મો દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેનો પ્રકાશ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને પેલે પાર બ્રહ્માંડ-લોકની સીમાઓને ઓળંગી અલોકમાં પણ પહોંચે છે. તેના પ્રતીક તરીકે વર્તુળાકારનાં, બંગડી આકારનાં વલયો બતાવ્યાં છે, જે અસંખ્યાતા દ્વિીપ અને સમુદ્રનું સૂચન કરે છે, જ્યારે ચોરસ સ્વરૂપ લોકના આકારમાં ચારે બાજુ બતાવેલા દરવાજા દ્વારા કેવળજ્ઞાનનો પ્રકાશ અલોકમાં પણ પ્રસરે છે, એનું સૂચન થાય છે. આ રીતે શ્રીયંત્રમાં જૈન તત્ત્વજ્ઞાન પણ સમાયેલું છે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે ચિંતન-ધ્યાન કરતાં મનુષ્ય માત્રનાં અશુભ કર્મોનો ક્ષય થાય છે અને આત્મિક-આધ્યાત્મિક સંપત્તિની સાથે સાથે ઐહિક અને પારલૌકિક સુખ-સંપત્તિ તથા મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય ભારતીય પરંપરા અને જૈન પરંપરામાં સેંકડો જાતના ભિન્ન ભિન્ન દેવી-દેવતાઓની આરાધના-સાધનાને અનુલક્ષીને મંત્રો પ્રાચીન સાહિત્યમાં બતાવવામાં આવ્યા છે. પૂર્વે બતાવ્યું તેમ જો ટોનોસ્કોપ અથવા ઇલેક્ટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડવાળું આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણ અને તેનું સંચાલન કરનાર–પ્રયોગકર્તા યોગ્ય સંશોધક મળી જાય તો તે દરેક મંત્રોનાં યંત્રોનું સાચું સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય અને તે રીતે મંત્રવિજ્ઞાન ઉપરના સંશોધનની એક નવી જ દિશા ખૂલી જાય. આમ, યંત્ર-મંત્ર-તંત્ર આપણી પ્રાચીન વિદ્યાનો અપૂર્વ વારસો છે, એટલું જ નહિ પણ આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ પણ મનુષ્ય અને સજીવ સૃષ્ટિ જ નહિ બધે જડ એવા પુદ્ગલ ઉપર પણ તેની અપૂર્વ અથવા વિશિષ્ટ કહી શકાય તેવી અસરો થાય છે. માટે બુદ્ધિમાન સંશોધકો – વિજ્ઞાનીઓ આ ક્ષેત્રમાં વધુ નક્કર, પ્રાયોગિક સંશોધન કરી, જગત સમક્ષ તેનાં વધુ રહસ્યો ખુલ્લાં કરે એ જ અભિલાષા અને શુભેચ્છા. તા. ૩–૧૧–૯૬, ભાવનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy