SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ 408 તપાગચ્છાધિષ્ઠાયક આ સંકેત ચિહ્નોને જૈન તત્ત્વજ્ઞાન સાથે નીચે પ્રમાણે સાંકળી શકાય. બિંદુ અથવા મહાબિંદુ શુદ્ધ આત્મદ્રવ્ય અથવા શુદ્ધ પુદ્ગલ (Matter) દ્રવ્યનું સૂચક છે. અલબત્ત, શુદ્ધ આત્મદ્રવ્ય નિરંજન-નિરાકાર છે, જ્યારે શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય સાકાર છે તેમ જ તે વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ પણ ધરાવે છે. પરંતુ શક્તિમાં બંને સમાન છે. શુદ્ધ આત્મદ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે ઉત્પત્તિ છે. તેમ જ શુદ્ધ પુલ દ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે છે. આત્માની અનંત શક્તિ સ્વનિયંત્રિત છે જ્યારે પુલની અનંતશક્તિ પરનિયંત્રિત છે. સ્થિતિ નાશ આ જ મહાબિંદુને આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય રૂપે અલગ અલગ દર્શાવતાંવિસર્ગ મંડળ રચાય છે. આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બંનેની ત્રણ ત્રણ અવસ્થાઓ (Phases)છે. ઉત્પન્ન થવું તે, નાશ પામવું તે અને દ્રવ્ય તરીકે સ્થિર રહેવું તે. આને જૈન પરિભાષામાં ત્રિપદી કહે છે. ૧. ૩નૈડુ વા ૨. વરૂ વ ૩. ધુવેરૂ વા અને તે ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવાય છે. વિશ્વના કોઈ પણ પદાર્થની આ ત્રણ અવસ્થાઓ હોય છે. વૈદિક પરંપરા પણ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય–સંહારમાં માને છે. ઉત્પત્તિના દેવ તરીકે બ્રહ્મા, સ્થિતિના દેવ તરીકે વિષ્ણુ અને સંહારના દેવ તરીકે મહેશ–શંકરને માનવામાં આવે છે. જૈન પરંપરામાં સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ માનવામાં આવી નથી પરંતુ વિભિન્ન પદાર્થોની વિભિન્ન પર્યાય-અવસ્થા સ્વરૂપે થતી ઉત્પત્તિ માનવામાં આવે છે; જ્યારે સમગ્ર લોક-બ્રહ્માંડને અનાદિ-અનંત સ્થિતિવાળો માનવામાં આવે છે. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે શુદ્ધ આત્મદ્રવ્યનો પુદ્ગલ સાથે સંયોગ કયારેય થતો નથી, પરંતુ આત્મદ્રવ્ય અને પુદ્ગલનો સંયોગ અનાદિકાળથી જ થયેલ છે, એમ માનવામાં આવે છે. આત્મા અને પુલના આ અનાદિ સંયોગના પરિણામે જ વિશ્વના પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ તથા નાશ થાય છે. કર્મ પદ્ગલિક છે અને પુદ્ગલ કાર્મણ વર્ગણાના પુગલ સ્કંધો દ્વારા આઠ કર્મમાં રૂપાંતર પામી આત્માને વળગે છે. તે આઠ કર્મ – ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય નામના છે.૩૫ તે શ્રીયંત્રમાં પુદ્ગલ ત્રિકોણની આસપાસના પ્રથમ વલય-ચક્રના આઠ ત્રિકોણ દ્વારા બતાવવામાં આવ્યા છે. તે આઠ પ્રકારનાં કર્મ જે આત્માને વળગે છે – લાગે છે, તેને દશ પ્રકારની સંજ્ઞા – ૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. ઓઘ અને ૧૦. લોક-સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. તે પ્રથમ વલયના આઠ ત્રિકોણની પાસેના બીજા વલયના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવી છે. આ દશ સંજ્ઞાના પરિણામે જીવને દશ પ્રાણ – પાંચ ઇન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy