SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ 200 * તપાગચ્છાધિષ્ઠાયક ચતુર્વિધ સંઘ પણ ઉપસ્થિત થઈ ગયો. જેના હૈયે સરસ્વતી વસી છે એવા આચાર્યશ્રીએ મધુર સ્વરે ધર્મદેશના આપી. ધીરગંભીર વાણીમાં વહેતી એ શાસ્ત્રોના નિચોડ સમી દેશના શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી ગઈ. માણેકશાહના હૃદયને પણ સ્પર્શી ગઈ. ગઈકાલે મુનિવરની કરેલી અવહેલનાનો અપરાધ અંતરને કોરી ખાતો હતો. આચરેલા દુષ્કૃતના ઓછાયા હજી મનની ધરતીને ધ્રુજાવી મૂકતા હતા. પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો માણેકશાહનો નિશ્ચય હતો. પૂજ્ય ગુરુદેવના પ્રવચનની પૂર્ણાહુતિ બાદ માણેકશાહ ઊભા થયા અને બોલ્યાઃ " હે પૂજ્ય આચાર્યભગવંત! ગઈ કાલે મેં એક ભયંકર અપરાધ આચર્યો છે. આપના એક શ્રેષ્ઠ મુનિવર જ્યારે ધ્યાનમગ્ન હતા ત્યારે જ તેમને જલતી મશાલની આગ વડે દઝાડ્યા. તેમની દાઢી બાળી નાંખી. તેમની ચામડીને આગ વડે દગ્ધ કરી મૂકી. મુનિઓની સહનશીલતાની પરીક્ષા કરવાના મિષે મુનિવરને મેં ભારે પરિતાપ પહોંચાડ્યો છે. ગુરુદેવ ! મને પ્રાયશ્ચિત્ત આપો. મારા જેવા પામરને પુનિત બનાવો. મને આલોચના આપવા દ્વારા આરાધક બનાવો." આચાર્યશ્રીએ મધુર વચનો દ્વારા કહ્યું: " માણેકશાહ! તમે જે કૃત્ય આચર્યું હતું તેનો બધો વૃત્તાંત મને મળી ચૂક્યો છે. પરંતુ આજે તમે તમારા પાપ બદલ જે પશ્ચાત્તાપ અનુભવો છો અને જાહેરમાં સાચા દિલે પ્રાયશ્ચિત્તની માંગણી કરો છો તેથી તમે પાપાત્મા નથી; પણ પુણ્યાત્મા છો. " યાદ રાખજોઃ જિનશાસનમાં ' પાપ કરે તે પાપી જ' એવો એકાંતનિયમ નથી; પરંતુ ' પાપ કર્યા બાદ પણ જે પશ્ચાત્તાપ ન કરે, પાપથી શુદ્ધ થવાનો પ્રયત્ન પણ ન કરે તે પાપી.' એવો નિયમ છે. " પશ્ચાત્તાપ તો પાવન ઝરણું છે. તેમાં ડૂબકી લઈને અનેક આત્માઓ પુણ્યશાળી બને છે. પાપનો પશ્ચાત્તાપ કરનારો... અને પશ્ચાત્તાપના પાવકમાં પાપને રાખ કરી દેનારો આત્મા પાપાત્મા નથી, પણ પુણ્યશાળી છે. તમે પશ્ચાત્તાપ કરી રહ્યા છો અને પ્રાયશ્ચિત્ત માંગો છો તેથી તમે જરૂર પુણાત્મા છો." પૂ. આચાર્ય ભગવંતે માણેકશાહની પાપશુદ્ધિની ઝંખનાની અનુમોદના કરવા પૂર્વક પ્રાયશ્ચિત્તનું પ્રદાન કર્યું. માણેકશાહે વિનત નયને તેનો સ્વીકાર કર્યો. ત્યાં ઉપસ્થિત ચતુર્વિધ સંઘ, સવિશેષ જિનપ્રિયા માતા અને આનંદરતિ પત્ની આ પ્રસંગથી પરમ પ્રમોદ પામ્યાં. માણેકશાહ ઊભા થયા. પૂ. આચાર્યશ્રીને નમસ્કાર કરીને બોલ્યા : " પૂ. ગુરુદેવ! મારા મનમાં ઘણા સમયથી મૂર્તિપૂજા અંગે અનેક શંકાઓ ઊમટયા કરે છે. શું મૂર્તિપૂજા શાસ્ત્રીય છે? વળી... મૂર્તિ એ તો જડ છે. તો સિદ્ધિ (મોક્ષ)ની પ્રાપ્તિમાં જડ મૂર્તિ ઉપકારક શી રીતે બને? મૂર્તિપૂજા અંગે આપણાં શાસ્ત્રોમાં પ્રાચીન ઉલ્લેખો મળે છે? આવી અનેક શંકાઓનું આપ જેવા જ્ઞાની ગુરુદેવ દ્વારા જો મને સમાધાન મળશે તો મને અને આ સમગ્ર સભાજનોને અત્યંત આનંદ થશે તથા સત્યમાર્ગનો પ્રબોધ લાધશે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy