SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 201 પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે " માણેકશાહ! તમારી શંકાઓનું સમાધાન કરતાં મને ઘણો આનંદ થયો. કારણ કે તેના દ્વારા તમને અને અન્ય શ્રોતાજનોને પણ ઘણો લાભ થશે. " માણેકશાહ! આપણાં આગમશાસ્ત્રોમાં અનેક સ્થળોએ મૂર્તિપૂજાનું વિધાન આવે જ છે. આપણે ત્યાં બાર પ્રકારના ' અંગરૂપ શાસ્ત્રો છે, જેને દ્વાદશાંગી' કહેવાય છે. તેમાં બારમું અંગ અત્યારે વિચ્છિન્ન છે. અગિયાર અંગ ઉપલબ્ધ છે. અગિયાર અંગમાં પાંચમું અંગ " ભગવતી સૂત્ર" એક મહાન આગમગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં તથા " રાયપાસેણી " નામના ગ્રંથમાં પણ મૂર્તિપૂજાનું સ્પષ્ટ વિધાન છે. દ્રૌપદી અને સૂર્યાભદેવે જિનપ્રતિમાજીની પૂજા કર્યાનાં સ્પષ્ટ વિધાનો શાસ્ત્રગ્રંથોમાં મળે છે. ' જ્ઞાતાસૂત્ર' નામના આગમગ્રંથમાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજ પર મુક્તિએ ગયેલા " થાવાપુત્ર" નું વર્ણન પણ આવે છે. માણેકશાહે વચ્ચે પ્રશ્ન પૂછતાં કહ્યું: " ભગવંત!આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલાં કોણે જિનબિમ્બ ભરાવ્યાં અને પૂજ્યાં? " ગુરુદેવે સવત્સલ જવાબ આપ્યો: " માણેકશાહ!પ્રથમ તીર્થનાથ ભગવાન શ્રી આદિનાથ પરમાત્માના સુપુત્રરત્ન ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર પહેલા શ્રી આદિનાથથી માંડીને છેલ્લા શ્રી મહાવીરસ્વામી ભગવંત સુધીના ચોવીશે ય તીર્થકરોની, તે તે તીર્થંકરદેવોની દેહપ્રમાણ મૂર્તિઓ ભરાવીને સ્થાપના કરી. અને તેની પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત શ્રી શત્રુંજય ગિરિરાજ જેવા શાશ્વત તીર્થનો ઉદ્ધાર કરવાનું સત્કૃત્ય પણ શ્રી ભરતરાજે કર્યું હતું. "પૂ.આ.શ્રી સુહસ્તિસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી સંપ્રતિ મહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવ પછી બસો ને નેવું વર્ષે સવાલાખ જિનમંદિરો બનાવરાવ્યાં અને સવાકરોડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. સંપ્રતિ મહારાજાની પ્રચીન જિનપ્રતિમાઓ હજી આજે પણ ભારતવર્ષનાં સેંકડો જિનમંદિરોમાં ઉપલબ્ધ થાય છે. "પરમાત્મા શ્રી મહાવીર ભગવંતના વડીલ બંધુશ્રી નંદિવર્ધન રાજાએ પ્રભુ મહાવીરના જીવંતકાળમાં જે, ભગવાન મહાવીરદેવની જિનપ્રતિમાઓ ભરાવી હતી અને જુદાં જુદાં સ્થળોએ પધરાવી હતી, જેમાં રાજસ્થાનમાં નાંદિયામાં પ્રભુ મહાવીરદેવની પ્રતિમા આજેય મનોહર લાગે છે. દિયાણામાં જીવિતસ્વામી તરીકે વિરાજિત પરમાત્મા વીરની પ્રતિમા ડુંગરોની હારમાળામાં ચમત્કારિક ગણાય છે. નાણામાં પણ સુંદર પ્રતિમાજી વિદ્યમાન છે. રાતા મહાવીર, મૂછાળા મહાવીર વગેરે ભવ્ય તીર્થો રાજસ્થાનની ધરતીને ધન્ય બનાવી રહ્યાં છે. મહુવામાં પણ ભગવંત મહાવીરદેવની મનોહારિણી મૂર્તિ વિદ્યમાન છે.. " શ્રી શ્રેણિક મહારાજાએ આવતી ચોવીસીમાં થનારા પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામીની મૂર્તિ ભરાવી છે. વસ્તુપાળ અને તેજપાળે રૂડાં અને રળિયામણાં આબુ–દેલવાડાનાં દિવ્ય મંદિરો.... અચલગઢનું અલૌકિક જિનમંદિર... એની અદ્ભુત કલાકારીગરીના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy