SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ 824 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રાય નમઃ શ્રી જસુભાઈ જગજીવનદાસ કપાશી સુરેન્દ્રનગર પાસે મૂળ ચૂડાના વાતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરને કર્મભૂમિ બનાવનાર શ્રી જસુભાઈ જગજીવનદાસ કપાશીના પરિવારમાં પેઢી દર પેઢીથી જૈનધર્મનો મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો અકબંધ જળવાઈ રહ્યો છે. જિનભક્તિ સાથે યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રના ભક્તિગાનમાં રાચતા રહેલા આ પરિવાર પાસે એક ઊંચી વિચારધારા જોવા મળી. માણિભદ્રનાં આ પ્રગટ રહસ્યોને પામવા સમય–શક્તિના ભોગે ગમે ત્યાં પહોંચવાની તત્પરતા જોઈ. આ યક્ષરાજ વિષેનું વાસ્તવિક ચિત્ર સમાજ સમક્ષ મૂકવા માટે તેમની તાલાવેલી ખરેખર તો દાદ માંગી લ્ય છે. સંયુક્ત કુટુંબમાં ચાર ભાઈઓ અને એક બહેન – ખૂબ જ શિક્ષિત સાધનસંપન્ન આ પરિવારમાં નાનામોટા સૌની પાસે જૈન સમાજના કલ્યાણ માટેની ઘણી ઊંચી દષ્ટિ જોવા મળી. વર્તમાન પરિસ્થિતિથી પૂરા વાકેફ એવા આ લેખના લેખક શ્રી જસુભાઈ કપાશીની નિખાલસતા, ઉદારતા અને સૌજન્યતાનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તેમના પિતાશ્રી જગજીવનભાઈએ લખેલી આઠેક જેટલી ઐતિહાસિક નવલકથાઓને ઘણો જ સુંદર આવકાર મળ્યો. પરિવારમાંથી વિવિધ પ્રસંગે પ્રગટ થયેલાં પ્રકાશનો ધાર્મિક જ્ઞાનસંસ્કાર અને નીતિમય જીવન બનાવવા ઘણું જ પ્રરેક બળ આપી રહે તેવાં છે. લંડનમાં વસતા ભાઈશ્રી વિનુભાઈ કપાશી પણ ખૂબ જ ધર્માનુરાગી છે. અને લંડનમાં જૈન ધર્મના ૧૭ પુસ્તકો ઈગ્લીશ / ગુજરાતીમાં લખ્યા છે. મનુષ્યજીવનની સાર્થકતા માટે, કર્મનિર્જરા માટે, શીઘ્ર વીતરાગતા પામી સિદ્ધશિલાવાસિત બનવા શું કરવું જરૂરી છે તે સંબંધે પ્રગટ થયેલાં પ્રકાશનોમાં સુંદર પ્રકાશ પથરાયો છે. વડોદરાથી શ્રી નગિનભાઈ કપાશી પણ સાહિત્ય-સંશોધનમાં સારો રસ લે છે. મુંબઈથી શ્રી રમણીકભાઈ કપાશી પણ ખૂબ જ ધર્માનુરાગી છે. શ્રી જસુભાઈએ વિવિધ સ્થળોએ પ્રથમ વર્ગના એક બાહોશ સરકારી અધિકારી (ઈજનેર) તરીકેની ફરજો પૂરી કરીને હાલમાં ભાવનગરમાં કોમ્યુટર લાઈનમાં સારી પ્રગતિ કરી છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર એમના શોખનો વિષય છે. શ્રી માણિભદ્રદાદા પરત્વે શ્રદ્ધાભક્તિનો દીવડો આ પરિવારમાં કેવો પ્રકાશી રહ્યો છે, તે તેમના આ લેખમાં પ્રગટ થયેલ સ્વાનુભૂત પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે. – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy